Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભવસિદ્ધિક, જઘન્ય થી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉદ્વર્તે છે, એ પ્રમાણે યાવત્ શ્રુતઅજ્ઞાની. વિર્ભાગજ્ઞાની ઉદ્વર્તતા નથી. ચક્ષુદર્શની ઉદ્વર્તતા નથી. અચક્ષુદર્શની જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉદ્વર્તે છે. એ રીતે લોભકષાયી સુધી જાણવુ. શ્રોસેન્દ્રિય યાવત્ સ્પર્શનેન્દ્રિય ઉપયુક્ત ઉદ્વર્તતા નથી. નોઇન્દ્રિય ઉપયુક્ત જઘન્યથી એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉદ્વર્તે છે. મનોયોગી, વચનયોગી ઉદ્વર્તતા નથી. કાયયોગી જઘન્યથી એક, બે કે ત્રણ ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે છે. એ રીતે સાકાર, અનાકાર ઉપયુક્ત પણ જાણવા. ભગવન્! આ રત્નપ્રભાના 30 લાખ નરકાવાસોમાં સંખ્યાત વિસ્તૃત નરકોમાં કેટલા નારકો કહ્યા છે? કેટલા કાપોતલેશ્યી યાવત્ કેટલા અનાકારોપયુક્ત કહ્યા છે ? કેટલા અનંતરોપપન્નક, પરંપરોપપન્નક છે ? કેટલા અનંતરાવગાઢ, પરંપરાગાઢ છે ? કેટલા અનંતરાહારા, પરંપરઆહારા છે ? કેટલા અનંતર પર્યાપ્તા, પરંપર પર્યાપ્તા છે ? કેટલા ચરિમ, કેટલા અચરિમ કહ્યા છે? 39 + 10 = 49 પ્રશ્નો.. ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના 30 લાખ નરકાવાસોમાં સંખ્યાત વિસ્તૃત નરકોમાં સંખ્યાત નૈરયિકો છે. સંખ્યાતા કાપોતલેશ્યી યાવત્ સંખ્યાતા સંજ્ઞી છે, અસંજ્ઞી કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે, ણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા હોય. સંખ્યાતા ભવસિદ્ધિક યાવત્ સંખ્યાતા પરિગ્રહ સંજ્ઞોપયુક્ત છે. સ્ત્રીવેદક, પુરુષવેદક નથી, સંખ્યાતા નપુંસકવેદક છે. એ પ્રમાણે ક્રોધકષાયી અને માનકષાયીને અસંજ્ઞીવતુ જાણવા. મનોયોગી યાવત્ અનાકારોપયુક્ત સંખ્યાતા જાણવા. અનંતરોપપન્નક કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો તેને અસંજ્ઞીવત જાણવા. પરંપરોપપન્નક નૈરયિક સંખ્યાતા છે. એ રીતે જેમ અનંતરોપપન્નક કહ્યા, તેમ અનંતરાવગાઢ જાણવા. અનંતરાહારક, અનંતર પર્યાપ્તક, પરંપરાવગાઢ યાવતુ અચરિમ બધા સંખ્યાતા છે. ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના 30 લાખ નરકાવાસોમાં અસંખ્યાત યોજન વિસ્તૃત નારકોમાં એક સમયમાં કેટલા નૈરયિકો ઉપજે છે? યાવતુ કેટલા અનાકારોપયોગ નૈરયિક ઉપજે છે? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના 30 લાખ નરકાવાસોમાં અસંખ્ય વિસ્તૃત નરકોમાં એક સમયમાં જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા નૈરયિકો ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે જેમ સંખ્યાત યોજન વિસ્તૃતના ત્રણ આલાવા કહ્યા, તેમ અસંખ્યાત વિસ્તારવાળા ત્રણ આલાવા કહેવા. વિશેષ એ કે સંખ્યાતને બદલે અસંખ્યાત કહેવું. બાકી પૂર્વવત્ યાવત્ અસંખ્યાત અચરમ કહ્યા છે, લેગ્યામાં વિભિન્નતા છે. લેશ્યાને શતક-૧ માફક કહેવી, વિશેષ એ કે સંખ્યાત વિસ્તૃત અને અસંખ્યાત વિસ્તૃતમાં અવધિજ્ઞાની, અવધિદર્શની સંખ્યાત જ ઉદ્વર્તે. બાકી પૂર્વવત્. ભગવન્! શર્કરામભા પૃથ્વીમાં કેટલા નરકાવાસો છે? પ્રશ્ન. ગૌતમ ! 25 લાખ નરકાવાસ. ભગવદ્ ! તે સંખ્યાત યોજન વિસ્તૃત છે કે અસંખ્યાત ? એ પ્રમાણે રત્નપ્રભાની માફક શર્કરામભા પણ કહેવી. વિશેષ એ કે - આ ત્રણે આલાવામાં અસંજ્ઞી ન કહેવા. ભગવન્! વાલુકાપ્રભા પૃથ્વીમાં કેટલા નરકાવાસો છે? ગૌતમ! ૧૫-લાખ નરકાવાસો છે. બાકી શર્કરામભા. સમાન જાણવું. વેશ્યાઓમાં ભેદ છે, તે પ્રથમ શતક વત્ છે. ભગવદ્ ! પંકપ્રભા પૃથ્વીમાં કેટલા નરકાવાસો છે ? ગૌતમ ! દશ લાખ નરકાવાસ છે. એ પ્રમાણે શર્કરામભા. સમાન જાણવું. વિશેષ એ કે અવધિજ્ઞાની-અવધિ દર્શની ઉદ્વર્તતા નથી. ભગવન્! ધૂમપ્રભા પૃથ્વીમાં કેટલા નરકાવાસો છે ? ગૌતમ ! ત્રણ લાખ નરકાવાસ છે. ભગવદ્ ! તમાં પૃથ્વીમાં કેટલા નરકાવાસો છે ? ગૌતમ ! પાંચ ન્યૂન એક લાખ નરકાવાસ કહેવામાં આવ્યા છે. બાકીનું પંતપ્રભા સમાન જાણવું. ભગવન્! અધઃસપ્તમી પૃથ્વીમાં અનુત્તર અને કેટલા મોટા મહાનરકાવાસ કહ્યા છે? ગૌતમ ! પાંચ અનુત્તર, અપ્રતિષ્ઠાન પર્યન્ત. ભગવન્! તે સંખ્યાત યોજન વિસ્તૃત છે કે અસંખ્યાત ? એક સંખ્યાત વિસ્તૃત છે, બાકી ચારે મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 29