Page #1
--------------------------------------------------------------------------
________________
દાદા ભગવાન
પ્રરૂપિતા
excraecae
ભાગ ૧ થી ૫
Ile) IB3
આત્મવિજ્ઞાની ‘એ. એમ.પટેલ' ની મહીં પ્રગટ થયેલાં
‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો'
Page #2
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર
આપ્તસૂત્ર એ “કેવળ જ્ઞાન' કહેવાય છે. “કેવળ જ્ઞાન' પૂર્ણાહુતિ છે અને કેવળ દર્શન’ શરૂઆત છે. “સમજ' એ “કેવળ જ્ઞાનની ‘બિગિનિંગ' છે. ક્રિયા લાખ અવતાર કરીશ તો ય કશું વળશે નહીં. ‘પરમ વિનયથી મોક્ષ છે. “પરમ વિનયથી “સમજ'નાં દ્વાર ખૂલી જાય છે. અહંકાર ઓગળે તો જ “પરમ વિનય’ ઉત્પન્ન થાય. વીતરાગનો આખો માર્ગ જ ‘વિનયનો છે. આ વિનય ધર્મની શરૂઆત હિન્દુસ્તાનમાં થાય છે. હાથ જોડવાથી તે સાષ્ટાંગ પ્રણામ સુધીમાં જે જે કરવામાં આવે છે તેવાં પાર વગરના વિનયધર્મ છે. અને છેવટે “પરમ વિનય' થયો એટલે મોક્ષ
થાય.
10.
૧૧
તારે જો મોક્ષપંથ પર વિચરવું હોય તો “તારે' કંઈ જ કરવાનું' નથી ને સંસારમાં ભટકવું હોય તો બધું જ ‘કરવાનું છે. સંસારવ્યવહાર ‘ક્રિયાત્મક છે અને આત્મવ્યવહાર જ્ઞાનાત્મક' છે. એક ક્રિયા કરે છે ને બીજો જોયા કરે છે. કરનાર ને જાણનાર, બે એક હોય જ નહીં, જુદા જ હોય. જુદા હતા, જુદા છે ને જુદા રહેશે. મોક્ષે જવું હોય તો ખાલી વીતરાગોની વાતને સમજો. વીતરાગો શું કહેવા માગે છે એટલું સમજો, એમ જ કહેવા માગે છે. બીજું કશું જ નથી કહેવા માગતા. અણસમજણથી સંસાર ને સમજણથી સંસારનો વિનાશ. જ્ઞાની પુરુષ” બધી જ જાતની સમજણ આપી દે. તે પછી શાસ્ત્રો વાંચવા ના પડે.
જ્ઞાનની માતા કોણ ? “સમજ'. એ સમજ ક્યાંથી પ્રાપ્ત થાય? “જ્ઞાની' પાસે સમજો. જ્ઞાન” જાણવાનું નહીં ? ના, કશું જ જાણવાનું નહીં, ખાલી સમજવાનું જ છે. હું તમને કહું છું તે સમજો. એટલે બહુ થઈ ગયું. ખાલી ‘સમજ” જ જ્ઞાનમાં પરિણામ પામશે. ‘પૂર્ણ સમજ એ “કેવળ દર્શન' કહેવાય અને વર્તનમાં આવે
પરમ વિનય' એટલે શું ? જેણે કિંચિત્માત્ર કોઈની ‘વિરાધના’ ના કરી હોય ! જ્યાં વાદ ના હોય, વિવાદ ના હોય, કાયદો ના હોય, ત્યાં “પરમ વિનય' છે. કાયદો એ બંધન છે. જગતમાં જેટલાં પ્રાકૃત ગુણો છે, તે અણસમજણથી ઊભા થયેલા છે. નક્કરતા નહીં સમજાવાથી આ બધું થયું છે ! અનંત અવતારથી ભટક, ભટક, ભટક.. કરે છે ને પોતાની જાતને શું ય માની બેસે છે ! આ જગત એ સંગ્રહસ્થાન છે. સંગ્રહસ્થાનમાં જુઓ અને જાણો. ખાઓ, પીઓ પણ કશું મહીંથી લઈ જવાનું નહીં. મમતા ના કરશો. ભોગવજો બધુંય, બહાર જોડે કશું લઈ જશો તો સંગ્રહસ્થાનમાં પાછું આવવું પડશે ! જગત એ કંઈ વસ્તુ નથી. એ તો આત્માનો વિકલ્પ છે. ‘જેમ છે તેમ' તેનાથી ઊંધું દેખાય, તેનું નામ જગત. જગત-વ્યવહાર દેખાવ કરવા માટે છે, અનુભવવા માટે નથી.
૧૨
૧૩ ૧૪ ૧૫
Page #3
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
૨૬
૨૭
The world is the puzzle, itself; but it is always in principle.
આ જગતની ચીજો ‘બીજ’ સ્વરૂપે નથી, ‘ફ્રૂટ’ સ્વરૂપે છે. આ તો ખેતર તૈયાર લઈને જ આવ્યા છે. ડૂંડાં જ લણવાનાં
છે.
જગત એટલે ઊંધે રસ્તે ખેંચવું તે. ઊંધે રસ્તે ના ખેંચત તો, જગત સ્વર્ગ જેવું જ થઈ ગયું હોત ને !
બે વસ્તુ છે જગતમાં : પોષવું અહમ્ યા ભગ્ન. આ જગતમાં આ બધાનો અહમ્ પોષાય છે કે ભગ્ન થાય છે. બેમાંથી ત્રીજું કશું બનતું નથી.
જગત ના કામનું નથી, પણ કામ લેતાં આવડવું જોઈએ કારણ કે બધા ભગવાન છે, જુદાં જુદાં કામ લઈને બેઠા છે. માટે ના ગમતું રાખશો નહીં જગતમાં.
જગત ન્યાયસ્વરૂપ છે. એનું ફળાદેશ ‘વ્યવસ્થિત' શક્તિ કરે છે.
ભગવાન ન્યાયસ્વરૂપ નથી ને ભગવાન અન્યાયસ્વરૂપે ય નથી. કોઈને દુઃખ ના હો એ જ ભગવાનની ભાષા છે. ન્યાય-અન્યાય એ તો લોકભાષા છે.
અજ્ઞાનનો સ્વીકાર એ જ સાચો જ્ઞાનમાર્ગ.
આત્માનો જ્ઞાતા ‘આત્મજ્ઞાની' કહેવાય. સર્વ તત્ત્વનો જ્ઞાતા ‘સર્વજ્ઞ’ કહેવાય.
અબુધ થાય ‘તે’ જ ‘સર્વજ્ઞ’ થઈ શકે !
આત્મા, જ્ઞાન અને પરમાત્મા એક જ વસ્તુ છે.
પોતાના આધારે જીવે એ પરમાત્મા અને પુદ્ગલના આધારે
૨૮
૨૯
૩૦
૩૧
૩૨
૩૩
૩૪
૩૫
૩૬
આપ્તસૂત્ર
જીવે તે જીવાત્મા.
‘હું કોણ છું’ એનું ભાન જ નથી. ‘પોતે' ‘પોતાથી' ગુપ્ત રહેવાનો પ્રયત્ન કરે છે. પારકું જાણે બધું ! પોતે પોતાથી ગુપ્ત રહે છે એ અજાયબી જ છે ને !
સાચા ધર્મ તો બધા જ છે, પણ જે ધર્મમાં ‘હું કોણ છું’ અને ‘કરે છે કોણ ?’ એની તપાસ કરે છે, એ છેલ્લા ધર્મના માર્ગે છે. અને ‘કોણ’ એ જાણે એ છેલ્લો ધર્મ છે !
‘કરવાથી’ ‘હું કોણ છું' એ જાણી શકાય તેમ નથી. ‘કરવામાં’ તો અહંકાર જોઈએ. ને અહંકાર હોય ત્યાં ‘હું કોણ છું' તે જાણી ના શકાય !
‘પોતે કોણ છે ને કોણ નથી’ એ જાણવું, એનું નામ ‘જ્ઞાન’.
મોક્ષ તો જ્યાં સુધી શુદ્ધતા ઉત્પન્ન ના થાય ત્યાં સુધી ના થાય. શુદ્ધતા માટે ‘હું કોણ છું' એનું ભાન થવું જોઈએ. ‘જ્ઞાની પુરુષ’ એ શુદ્ધ હોય એટલે એમને જોતાં જ શુદ્ધ થઈ
જવાય.
આત્મસ્વરૂપને જાણવાનું છે, એ નક્કી કરવાનું છે. જાણવું તો પડશે ને ? એમને એમ ગપ્પેગપ્પાં બોલીએ કે ‘હું આત્મા છું, હું આત્મા છું.’ એમાં કંઈ વળે નહીં. આત્મા અનુભવમાં આવવો જોઈએ, ત્યાં સુધી આ સંસારની ઉપાધિ જાય નહીં
ને !
ખાવાનું, પીવાનું, ઊઠવાનું, જાગવાનું, એ બધા દેહના ધર્મમાં જ છે. આત્મધર્મમાં એક વાર એક સેકન્ડ પણ આવ્યો નથી. જો આવ્યો હોત તો ભગવાનની પાસેથી ખસત જ નહીં.
આત્મા આવો છે, તેવો છે, આવો નથી, એ તો બધાં શાસ્ત્રો
Page #4
--------------------------------------------------------------------------
________________
૪૮
૩૯
૪૯
આપ્તસૂત્ર
ય કહે છે, સાધુ મહારાજ પણ કહે છે. પણ ગળ્યું એટલે શું? એ જ્ઞાન તો એકલાં ‘જ્ઞાની' જ ચખાડે. પછી એ જ્ઞાન
ક્રિયાકારી થાય. ૩૭ આત્મા ક્યારેય પણ અશુદ્ધ થયો નથી, કોઈ સેકન્ડમાં
આત્મા અશુદ્ધ થયો નથી અને થયો હોત તો એને શુદ્ધ કોઈ
કરી શકત જ નહીં આ જગતમાં ! ૩૮ આત્માનું અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ આજે
પણ એ જ રૂપમાં છે. આત્મા ક્યારેય પણ પાપી થયો નથી. આત્મા સંપૂર્ણ શુદ્ધ જ છે. મિથ્યાત્વ ચશ્માથી મુક્ત અને કર્તાપણાના ભાવથી મુક્ત, એનું નામ શુદ્ધાત્મા. હું કોણ છું’ એ નક્કી કર્યા પછી, ‘ન હોય મારું કહેવાય. “હું” ના આરોપણની ભૂલ છે તેથી આ “મારા'ની ભૂલ થઈ છે. જાતે હું કોણ છું' એ સમજાય નહીં. જો અહંકાર જતો રહે તો ‘હું કોણ છું એ સમજાય. પણ અહંકાર જાય શી રીતે ? જે આપણા અહંકારને ભક્ષણ કરી જાય અને આપણને વિરાટ બનાવે, તે ‘વિરાટ-સ્વરૂપ' કહેવાય.’ ‘વિરાટ-સ્વરૂપ”
વગર કોઈ નમે નહીં ! ૪૩ પહેલું “જ્ઞાન” નથી થતું, પહેલો અહંકાર જાય છે ! ૪૪ અહંકાર નુકસાનકર્તા છે, એવું જાણી લો ત્યારથી જ બધું
કામ સરળ થાય. અહંકારનું રક્ષણ કરવા જેવું નથી.
જ્ઞાની' એટલે અહંકારરહિત. ૪૬ જે ‘બિલિફ' થાય તેવાં સાધનો મળી આવે. “સ્વ”ની
બિલિફ થઈ પછી તેનું જ્ઞાન થવા માટે એક જ સાધન હોય
આપ્તસૂત્ર - ‘જ્ઞાની પુરુષ !” “જ્ઞાની પુરુષ'નું નિદિધ્યાસન તે જ સાધન અને તેથી આત્મા પ્રગટ થયા કરે. આત્મા પ્રાપ્ત થયો ક્યારે કહેવાય? ચિંતા ના થાય, ‘વરીઝ' ના થાય. આધિ, વ્યાધિ, ઉપાધિમાં ય સમાધિ રહે, એ આત્મજ્ઞાનની નિશાની. એ સિવાયની વાતો કરે તે આકાશ કુસુમવત્ જેવી વાતો કહેવાય ! આ સંસાર આપણને પોષાતો હોય તો કશું સમજવાની આગળ જરૂર નથી અને સંસાર આપણને કંઈ હરકતકર્તા થતો હોય તો આપણે અધ્યાત્મ જાણવાની જરૂર છે. અધ્યાત્મમાં “સ્વરૂપને જાણવાની જરૂર છે. “હું કોણ છું' એ જાણ્યું કે બધાં ‘પઝલ’ સોલ્વ થઈ જાય છે. અધ્યાત્મ વસ્તુ એ ક્રિયા નથી, એ તો દ્રષ્ટિ છે. જગતના લોકોની સંસાર દ્રષ્ટિ છે અને ‘આ’ આધ્યાત્મિક દ્રષ્ટિ છે. જ્ઞાની પુરુષ' દ્રષ્ટિ ફેરવી આપે પછી એ બાજુ અધ્યાત્મ દેખાય.. આધ્યાત્મિક એ “વિજ્ઞાન' પાસે આવવાનો રસ્તો છે. આધ્યાત્મિક “રીલેટિવ' છે અને ‘વિજ્ઞાન' રીયલ છે. આધ્યાત્મિક “જ્ઞાન” છે અને ‘આ’ તો ‘વિજ્ઞાન' છે. બધા “રીલેટિવ ધર્મો' છે, તે મોક્ષ આપનાર નથી પણ મોક્ષ ભણી ધક્કો મારનાર છે. ધર્મ કરતાં જેમાં કોઈ વસ્તુની જરૂર પડે એ બધા રીલેટિવ' માર્ગ કહેવાય. “રીલેટિવ ધર્મ'નું ફળ શું? પુણ્ય. મુક્તિ નહીં. માનવજીવનનો સાર એટલો જ છે કે પોતે પોતાના સ્વરૂપમાં, ભાનમાં આવી અને “સ્વરૂપ'માં જ રહેવું.
૫૧
૫૨
પ૩ ૫૪
Page #5
--------------------------------------------------------------------------
________________
૫૭
આપ્તસૂત્ર પપ “અમે શું કહીએ છીએ ? “વિજ્ઞાન’ જાણો, તો ‘તમે છૂટા !
‘વિજ્ઞાન” જાણો તો, ‘તમે' પોતે જ પરમાત્મા છો ! વિજ્ઞાન નહીં જાણો તો, જાતજાતના અવતારમાં ભટક, ભટક,
ભટક, ભટક.... પ૬ ‘વિજ્ઞાન' હંમેશાં, ખોટી ક્રિયાઓ છોડાવે ને સાચી ય
છોડાવે. ‘વિજ્ઞાન' તો સ્વાભાવિક ક્રિયાઓ કરાવે. ‘વિજ્ઞાન' આવ્યું એટલે ભગવાન જ થઈ ગયો. ‘વિજ્ઞાન’ હંમેશાં સૈદ્ધાત્તિક હોય અને તે સર્વ દુઃખોનો “એન્ડ' લાવે. ‘વિજ્ઞાન” જ એનો ઉપાય, પણ એ “જ્ઞાની પુરુષ'નું અનુભવજન્ય ‘વિજ્ઞાન' હોવું જોઈએ. ‘વિજ્ઞાન’ એટલે જગતમાં જાતજાતનું ભેગું થવું ને ફેરફાર
થવું. સમયે સમયે ફેરફાર થયા જ કરે છે. પ૯ ‘વિજ્ઞાન' એટલે જે જાણવા માત્રથી જ મુક્ત થવાય. કરવાનું
કશું જ નહીં. જે જ્ઞાન ક્રિયાકારી હોય, તે ‘વિજ્ઞાન' કહેવાય. ‘વસ્તુ’ સ્વભાવમાં પરિણમે, એનું નામ ધર્મ. તમે આત્મા છો. “પોતાન' શો સ્વભાવ છે ? પરમાનંદ ! નિરંતર પરમાનંદ !! પરિણામ પામે તે ધર્મ. મિથ્યાત્વ ખસેડે તે ધર્મ. મિથ્યાત્વનું ક્ષયોપશમ કરે તે ધર્મ. આપણું સુખ સ્વાભાવિક હોવું જોઈએ. સ્વભાવિક સુખ સ્વધર્મમાં ઉત્પન્ન થાય છે, સ્વધર્મમાં ‘સ્વરૂપને જાણવું
પડે ! ૬૩ આત્માના ધર્મને પાળવો એ “સ્વધર્મ' છે ૬૪ “જેમ છે તેમ' જાણવું, તેનું નામ “રીયલ’ જ્ઞાન ! ૬૫ એક શબ્દ પણ ક્રિયામાં આવે તો તેનું નામ “જ્ઞાન” અને
આપ્તસૂત્ર આખા શાસ્ત્રોનાં શાસ્ત્રો વાંચે પણ એકુંય શબ્દ ક્રિયામાં ના આવે, તેનું નામ “શુષ્કજ્ઞાન.' જ્ઞાન કોનું નામ કે જે “છે તેને છે' કહે છે ને જે ‘નથી તેને નથી' કહે છે અને ભ્રાંતિ કોનું નામ કે જે ‘નથી તેને છે' કહે છે ને જે છે તેને નથી' કહે છે તે. પોતે પોતાના’ સેલ્ફને સમજે તો પોતે જ પરમાત્મા છે ! શુદ્ધ જ્ઞાન એ જ પરમાત્મા છે. આત્મા એ સંજ્ઞાસૂચક શબ્દ છે. પણ શુદ્ધ જ્ઞાનનાં ‘દર્શન' થવાં જોઈએ. શુદ્ધ જ્ઞાનથી મોક્ષ, સજ્ઞાનથી સુખ ને વિપરીત જ્ઞાનથી દુ:ખ. યોગમાર્ગથી જ્ઞાન થયા વગર મોક્ષે ના જવાય. ભક્તિમાર્ગથી જ્ઞાન થયા વગર મોક્ષે ના જવાય. કર્મમાર્ગથી જ્ઞાન થયા વગર મોક્ષે ના જવાય. મોક્ષમાર્ગ અઘરો નથી. સંસારમાર્ગ અઘરો છે. સહેલામાં સહેલો મોક્ષમાર્ગ. ખીચડી કરવી એ એનાથી વધારે અઘરી
૭૩
વીતરાગમાર્ગ રૂંધાયો છે કેમ ? વીતરાગને સમજ્યા નહીં તેથી, મતભેદથી માર્ગ રૂંધાય. વીતરાગધર્મ એટલે આત્મધર્મ. આત્મધર્મ સિવાય કોઈ ધર્મ મારો નહીં, એ વીતરાગધર્મ. મોક્ષમાર્ગ અઘરો નથી. સંસારમાર્ગ અઘરો છે. સહેલામાં સહેલો મોક્ષમાર્ગ. ખીચડી કરવી એ એનાથી વધારે અઘરી છે
૭૫
અજ્ઞાન કાઢવા શું કરવું ? જ્ઞાન મેળવવું. જ્ઞાન મેળવવા પુસ્તકો કે શાસ્ત્રોનાં સાધનો સેવવાં, ને ‘જ્ઞાની પુરુષ' મળી
Page #6
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર
જાય તો બીજા કોઈ સાધનની જરૂર નથી. આત્મા અવક્તવ્ય, અવર્ણનીય છે. તે પુસ્તકમાં ઉતરે તેવો નથી. આત્મા પ્રાપ્ત થયો એની નિશાની શી ? પોતાની પ્રકૃતિનો ફોટો' પાડતાં આવડ્યો તે. ‘પુરુષ’ અને ‘પ્રકૃતિ બે જુદી વસ્તુઓ છે. પુરુષ શુદ્ધાત્મા ને પ્રકૃતિ પુદ્ગલ છે. પ્રકૃતિ પુરણ-ગલન સ્વભાવની છે, પુરુષ જ્ઞાનસ્વભાવનો છે. પ્રકૃતિ' પરાધીન છે, આત્માધીન નથી. ‘પ્રકૃતિને ઓળખે તે પરમાત્મા થાય. ‘પુરુષ'ને ઓળખે તો “પ્રકૃતિ' ઓળખાય. પ્રકૃતિને નિહાળે તે પુરુષ’. ‘પ્રકૃતિને નિહાળી રહ્યો તે પરમાત્મા. પ્રકૃતિ'મય થયો એટલે પરવશ થયો. ‘પ્રકૃતિના અંતરાય તૂટ્યા એટલે ‘પુરુષ’ થયો.
જે પ્રાકૃત ભાગથી મુક્ત છે, એવું ‘જેને” “જ્ઞાન” છે, એ ‘જ્ઞાની'. ક્રમિક માર્ગ' કરવાનો છે ને “અક્રમ માર્ગ' સમજવાનો છે. સમજથી શમાવાનું છે. “અક્રમ' એ ક્રિયામાર્ગ નથી, સમભાવે નિકાલ' કરવાનો માર્ગ છે. “અક્રમ જ્ઞાન' જ સ્વયં ક્રિયાકારી છે. ક્રમ એટલે અત્યારે જ્યાં અટક્યા છો ત્યાંથી આગળ “સ્ટેપ બાય સ્ટેપ' જવું તે. પહેલું જાણ્યામાં આવે, પછી એ વાત શ્રદ્ધામાં બેસે, પછી વર્તનમાં આવે તે ‘ક્રમિક'. “અક્રમ'માં તો તરત જ પહેલું શ્રદ્ધામાં આવી જાય, પછી જ્ઞાનમાં આવે, પછી પરિણામમાં આવે. ક્રમિક માર્ગ એટલે દ્રવ્યની શુદ્ધિ કરવાની ને અક્રમ માર્ગ
આપ્તસૂત્ર એટલે ભાવની શુદ્ધિ કરવાની ! કર્મ બાંધે નહીં ને સંસાર ચાલ્યા કરે, એ “અક્રમ વિજ્ઞાન અને કર્મ બાંધે ને સંસાર ચાલે, તે “ક્રમિક જ્ઞાન'. ક્રમિક માર્ગ' એ “જ્ઞાન” છે, એ ઠેઠ છેલ્લે ‘વિજ્ઞાન’ થાય છે ! જેવું ‘ક્રિમિક વિજ્ઞાન છે એવું આ “અક્રમ વિજ્ઞાન” છે. પણ અક્રમ વિજ્ઞાન’ પુસ્તકોમાં નથી. એ “જ્ઞાની'ના હૃદયમાં છે. ક્રમિક જ્ઞાન’ ‘ઈફેક્ટને “કૉઝ' કહે છે ને “અક્રમ જ્ઞાન’ કૉઝ’ને ‘કૉઝ' કહે છે. આ મન-વચન-કાયા ‘ઈફેક્ટિવ' છે. એટલે એને જે “ઈફેક્ટ' થાય છે. તે “મારી ઈફેક્ટ છે” એમ માને છે. તેનાથી રાગદ્વેષ થાય ને “કૉઝ’ પડે છે. પણ જો એ જાણે કે આ “મારી' ઈફેક્ટ નથી', તો તેને રાગ-દ્વેષ ના થાય ને “કૉઝ' ના પડે. કોઈ અવતાર લેતો નથી. અવતાર તો “ઈફેક્ટ' છે. એની મેળે જ અવતાર થઈ જાય છે. “કૉઝિઝ' સેવેલા હોય તો અવતાર થયા વગર રહેતો જ નથી. ‘જ્ઞાની પુરુષ' “કૉઝિઝ' બંધ કરી આપે, એટલે “ઈફેક્ટ' એકલી બાકી રહે. કોઈ પણ કારણ વગર કાર્ય બનતું જ નથી. કાર્ય એ ઇફેક્ટ' છે, કારણ એ “કૉઝિઝ' છે. “કૉઝિઝ' એન્ડ ઈફેક્ટ' ઈફેક્ટ' એન્ડ “કૉઝિઝ'..... આમ ઘટમાળ ચાલ્યા જ કરે છે ! “કૉઝિઝ'માં ફેરફાર થઈ શકે, પરિણામમાં નહીં. “મને આ થયું, હું કરું છું' એવું નહીં, પણ “મેં આ જાણ્યું રહે, જ્ઞાતા-દ્રષ્ટા રહે, તો “કૉઝ’ ના પડે !
જ્યારે યોજના ઘડાય છે, ત્યારે “પોતે' તે અવસ્થામાં તન્મયાકાર થયો. એટલે અવસ્થામાં “અવસ્થિત' થયો. અવસ્થિત'નું પછી કુદરત સાથે મિલ્ચર થઈને રૂપકમાં
૯૦.
૮૩.
૯૨
૮૪
Page #7
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર ૧૦૧ ‘હું કરું છું” એ ભાન ઊડી જાય અને “કોણ કરે છે એ જાણી
જાય, એનો ઉકેલ આવે. ૧૦૨ ‘હું જ કર્તા છું' એ ભાસ્યમાન પરિણામ છે, યથાર્થ પરિણામ
નથી. યથાર્થમાં તો “પોતે' કર્તા છે જ નહીં. ૧૦૩ આ જગતમાં કોઈ એક વ્યક્તિ કર્યા છે જ નહીં. Federal
causes (સમુચ્ચય કારણો) છે. scientific circumstantial evidence 89.
આપ્તસૂત્ર
આવે છે, ત્યારે તે વ્યવસ્થિત હોય છે. ૯૪ અવસ્થિત' એ “કૉઝિઝ' છે અને ‘વ્યવસ્થિત' એ “ઇફેક્ટ'
છે. “અવસ્થિત શક્તિ' એ “કૉઝિઝ ઓફ એક્શન' છે. અવસ્થિત શક્તિ' ફેરફાર થઈ શકે, “વ્યવસ્થિત શક્તિ'
ફેરફાર થઈ શકે નહીં. ૯૫ જો તું અહંકારી છે તો તું જ કર્તા છે અને જો તું નિર્અહંકારી
છે તો ‘વ્યવસ્થિત' કર્તા છે. કર્તા પોતે છે જ નહીં. આખા જગતના મનુષ્યો મન-વચન-કાયાની અવસ્થાને પોતાની ક્રિયા માને છે. “રીયલી સ્પીકિંગ' “પોતે' કિંચિત્માત્ર કર્તા સ્વરૂપે છે જ નહીં. બધાં અજ્ઞાન દશાનાં સ્પંદનો છે અને તે કુદરતી રચનાથી ઉત્પન્ન થયેલાં છે. તેનો કોઈ બાપો ય રચનાર નથી. કુદરત એ કોઈ વસ્તુ નથી. કુદરત એટલે સંજોગોનું ભેગું થવું તે સંજોગોનો ભેગા થવાનો પ્રયત્ન થવા માંડ્યો, એનું નામ કુદરત અને એ સંજોગો ભેગા થઈ રહ્યા, એનું નામ ‘વ્યવસ્થિત'. અવસ્થિત' એટલે ‘બેટરી' “ચાર્જ કરેલું. ‘વ્યવસ્થિત’ એટલે “ડિસ્ચાર્જ થાય તે. આત્મા જણાશે ક્યારે ? જ્યાં સુધી આ જગતમાં “હું કર્તા છું', “કંઈ પણ હું કરી શકું છું', એ જે જે અણસમજણ છે, એ અજ્ઞાન જ્યાં સુધી દૂર થાય નહીં, ત્યાં સુધી આત્મા ય
નહીં જડે ને આત્માની વાતે ય નહીં જડે ! ૧00 જ્યાં સુધી આ સચર વિભાગમાં એટલે કે દેહ, મન-બુદ્ધિ
ચિત્ત-અહંકાર એ બધામાં જ “હું છું' એવો દેહાધ્યાસ વર્તે છે, ત્યાં સુધી ‘વસ્તુ’ જડશે નહીં અને ‘વસ્તુ'નો સ્વાદ પણ નહીં આવે.
108 The world is the puzzle itself. God has not
created this world at all. God is creator of this world is correct, by christians' view point, by muslims' view point, by indians' view point, but not by fact. By fact, only
scientific circumstantial evidence 9 al. ૧૦૫ જીવમાત્રને મગજ ચલાવે છે, કરાવડાવે છે અને બુદ્ધિના
એન્ડ' સુધી મગજમારી જ છે. તેમાં ભગવાનનું કંઈ પણ કર્તાપણું છે નહીં. ભગવાનનું બુદ્ધિમાં કર્તાપણું નથી, માત્ર
જ્ઞાનમાં કર્તાપણું છે. ૧૦૬ બેમાંથી એક કર્તા હોય. જો ભગવાને બનાવ્યું તો આપણ
કંઈ કરવાનું રહેતું નથી અને આપણે કરીએ તો ભગવાને
કંઈ કરવાનું રહેતું નથી. ૧૦૭ જો જગત ભગવાને બનાવ્યું હોય તો ભગવાનને કોણે
બનાવ્યો? અને એને પાછો કોણે બનાવ્યો ?... ૧૦૮ જો ભગવાન કર્યા હોય તો પછી તમારી કશી જવાબદારી
રહે? ના રહે. ભગવાને ય કર્તા નથી ને તમે ય કર્તા નથી.
‘વ્યવસ્થિત’ કર્તા છે. ૧૦૯ શું ભગવાન નથી ? છે. એનું સાચું “એડ્રેસ' શું ? કઈ
Page #8
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર
પોળમાં રહે છે ? ઉપર ? ઉપર તો કોઈ બાપો ય રહેતો નથી. ‘હું' બધે ફરી આવ્યો છું. ભગવાનનું સાચું “એડ્રેસ” તો, God is in every creature, whether, whether visible or invisible. God is in
creature, not in creation. ૧૧૦ જગત આખું ભગવાનને જાણતું જ નથી. જે શક્તિ આ
જગત ચલાવે છે, તેને જ જાણે છે કે આ ભગવાન છે. ખરેખર એ ભગવાન નથી. એ તો ‘મિકેનિકલ એડજસ્ટમેન્ટ' છે. ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે.
ભગવાન વીતરાગ છે ને આ ‘મશીનરી' ય વીતરાગ છે. ૧૧૧ એક દ્રષ્ટિ કહે છે, “બનાવ્યું'. બીજી કહે છે, “બની ગયું.'
બનાવ્યું કહે છે એ સંસારદ્રષ્ટિ છે ને ‘બની ગયું કહે છે એ જ્ઞાનદ્રષ્ટિ છે. “બનાવ્યું' કહે છે તેને પાછું કો'ક પૂછે કે ‘ભઈને સંડાસ જવાની શક્તિ છે ?” “ના.” ઓન્લી
સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. ૧૧૨
લોક પૂછે કે આ આત્માએ બધું જ કર્યું? ના. આ તો ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. એ કેવી રીતે? અરીસા પાસે ઊભા રહો છો, ત્યારે તમારી ઇચ્છા ના હોય તો ય એઝેક્ટ' ઊભું થઈ જાય છે ને ? આત્માને ચાલવાની શક્તિ નથી. પણ પૂર્વપ્રયોગ કરીને સિદ્ધક્ષેત્ર સુધી
જાય છે. પૂર્વપ્રયોગ એટલે ‘ડિસ્ચાર્જ'. ૧૧૩ આ જગત જ “સાયન્સ' છે. ભગવાન આ “સાયન્સમાં જ
રહ્યા છે ને ભગવાન સાયન્સને જોયા જ કરે છે, કે આ કેવી રીતે “સાયન્સ'નો પ્રયોગ થઈ રહ્યો છે. એ જોયા જ કરે છે. ભગવાન આમાં હાથ ઘાલતા જ નથી. ભગવાન તો દરેક ‘ક્રિએચર'ની મહીં બેઠેલા છે, શુદ્ધ ચેતન સ્વરૂપે, જ્ઞાતા
દ્રા ને પરમાનંદમાં ! ૧૧૪ “ચેતન' જાણવું એ મહામુશ્કેલીનો ખેલ છે. ‘આ’ જે જાણ્યું
આપ્તસૂત્ર છે, એ તો ‘નિચેતન-ચેતન' છે. “નિશ્ચેતન-ચેતન” એટલે ‘મિકેનિકલ ચેતન'. ક્રોધ, માન, માયા, લોભ, રાગ-દ્વેષ,
મન-બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ બધું ‘મિકેનિકલ ચેતન” છે. ૧૧૫ “નિશ્ચતન-ચેતન” એટલે જડ હોય છતાં લક્ષણો “ચેતન' જેવાં
જ દેખાય. પણ ગુણધર્મ જોવા જઈએ તો એકુંય ના જડે. ૧૧૬ બે જાતના આત્મા : એક વ્યવહારમાં માનેલો. ‘હું જ છું, હું
જ છુંએવી પ્રતિષ્ઠા કરેલી, તે ‘પ્રતિષ્ઠિત આત્મા'. એને સચર કહે છે. બીજો ‘દરઅસલ આત્મા’ એ શુદ્ધાત્મા, એ જ
પરમાત્મા, એ જ અચળ છે. તેથી જગતને સચરાચર કહ્યું છે. ૧૧૭ ‘મિકેનિકલ આત્મા’ ચર છે, ચંચળ છે, યંત્રવત્ છે. સચર
ભાગને જ તમે ચેતન માનીને એને સ્થિર કરવા જાઓ છો.
ખરેખર દરઅસલ આત્મા તો સ્થિર જ છે, અચળ જ છે. ૧૧૮ જે કશું જ કરતું નથી, એનું નામ ચેતન. ફક્ત જાણે છે ને
જુએ છે - એ બે જ ક્રિયા ચેતનની છે. બીજી બધી અનાત્મ
ભાગની શક્તિ છે. ૧૧૯ “જ્ઞાની પુરુષ' પાસે આત્મા-અનાત્માની લમણરેખા સમજી
લેવી જોઈએ. એમના ફોડ ત્રણેય કાળ સત્ય હોય. લાખો
વર્ષો પછી પણ એનો એ જ “પ્રકાશ' હોય ! ૧૨૦ “જ્ઞાની પુરુષ'ના દેખાડ્યા સિવાય મનુષ્યને પોતાની ભૂલ
દેખાય નહીં. આ એક જ ભૂલ નથી, અનંતી ભૂલો ફરી વળી
૧૨૧ આ જગતના ન્યાયાધીશો તો ઠેર ઠેર બેઠા હોય છે. પણ આ
કર્મના ન્યાયાધીશ તો એક જ. ‘ભોગવે તેની ભૂલ! આ એક જ જાય છે, જેનાથી જગત આખું ચાલી રહ્યું છે અને
ભ્રાંતિના ન્યાયથી સંસાર આખો ય ઊભો છે ! ૧૨૨ રહસ્યજ્ઞાન જગતના લક્ષમાં જ નથી. અને જેનાથી ભટક
Page #9
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર
નની
ભટક કરવું પડે એ અજ્ઞાન-જ્ઞાનની બધાને ખબર છે. આ ગજવું કપાયું, એમાં ભૂલ કોની ? આના ગજવામાંથી ના કપાયું ને તારું જ કેમ કપાયું ? તમારા બેમાંથી અત્યારે
ભોગવે છે કોણ? ‘ભોગવે તેની ભૂલ ! ૧૨૩ તીર મારનારની ભૂલ નથી, તીર વાગ્યું કોને તેની ભૂલ છે.
તીર મારનારો તો જ્યારે પકડાશે ત્યારે તેની ભૂલ. અત્યારે
તો માર ખાનારો પકડાયો ! ૧૨૪ જ્યાં જ્યાં દંડ પડે છે ત્યાં જાણવું કે આપણો જ ગુનો છે.
નહીં તો દંડ પડી જ કેમ શકે ? ૧૨૫ જેણે એક વખત નક્કી કર્યું હોય કે મારામાં જે ભૂલો રહી
હોય તેને ભાંગી જ નાખવી છે, તે પરમાત્મા થઈ શકે છે ! ૧૨૬ ભૂલ કોની? ભોગવે તેની શી ભૂલ? “ચંદુલાલ છું એ
માન્યતા, એ જ તારી ભૂલ. એ માન્યતા જ દુઃખદાયી છે. એ
માન્યતા ખસી કે કોઈ ગુનેગાર જેવું છે જ નહીં જગતમાં ! ૧૨૭ મૂળ ભૂલ જ પોતાની છે એટલે બીજો કોઈ ગુનેગાર નથી એમ
સાબિત થાય. આની પાછળ રહસ્ય શું છે? ચેતન ગુનો કરે તો વાંધો આવે. ચેતન તો ગુનો કરતો નથી. ચેતન ચેતનભાવ કર્યા કરે અને તેમાંથી આ પુદ્ગલ ઊભું થાય છે ! તેમાંથી આ ભાંજગડ ઊભી થાય છે. પણ તે ય દુઃખદાયી નથી. ‘હું આ છું
એ માન્યતા જ દુઃખદાયી છે ! બીજું કોઈ ગુનેગાર છે જ નહીં ! ૧૨૮ ભગવાન અનંત સુખનું ધામ છે ! તમને જો સુખ ગમતું
હોય, દુઃખ ના ગમતું હોય તો ભગવાનને ભજો. અને દુઃખ
ગમતું હોય, સુખ ના ગમતું હોય, તો જડને ભજો. ૧૨૯ સુખ એનું નામ કહેવાય કે જે આવ્યા પછી દુઃખ ના આવે.
બીજું, જે જગતના લોકો સુખ કહે છે એ તો લૌકિક સુખ છે, સાચું સુખ ન હોય.
આપ્તસૂત્ર ૧૩૦ સુખ તો પોતાની પાસે જ છે. આ પારસ્પારિક સુખો
ભોગવવાની જે ઇચ્છા થાય છે, તે તો અજ્ઞાન સંગતિને લીધે છે. જેને આ સંગત નથી તેને તો સાચા સુખનું “રીયલાઈઝ'
(પ્રતીતિ) થઈ જ જાય ! ૧૩૧ ક્લેશરહિતનું મન થયું તે “મોક્ષ'. ક્લેશ સાથેનું મન તે
સંસાર'. ૧૩૨ જો મોક્ષે જવું હોય તો ‘એવરીવ્હેર એડજસ્ટ થવું જ પડશે. ૧૩૩ “એડજસ્ટ એવરીવ્હેર' આ વાક્ય તમારો સંસાર ‘ટોપ' ઉપર
લઈ જશે. વ્યવહારમાં ય “ટોપ” ઉપર ગયા સિવાય કોઈ મોક્ષે ગયેલો નહીં. વ્યવહાર તમને ના છોડે, ગૂંચવ ગૂંચવ
કરે તો તમે શું કરો ? માટે વ્યવહારનો ફટાફટ ઉકેલ લાવો. ૧૩૪ કલુષિત ભાવ જ ઉત્પન્ન ના થાય, ત્યારથી ભગવાનપદ
ઉત્પન થયું ગણાય. અને કલુષિત ભાવો સંપૂર્ણ જાય તથા તેમના નિમિત્તે સામાને ય કલુષિત ભાવ જ ઉત્પન્ન ના થાય,
તે ભગવાન ગણાય ! ૧૩૫ જ્યાં કંઈ પણ ક્લેશ છે ત્યાં ભગવાને ય નથી ને ધર્મે ય
નથી. ૧૩૬ આત્મા સુખ પરિણામવાળો છે ! પોતે આત્મા છે, એનું સુખ
કોઈથી લઈ શકાય તેમ નથી. પોતે અવ્યાબાધ સ્વરૂપી છે. ગજબની જાહોજલાલી છે પોતાની પાસે ! ત્યાં દુઃખ અડે જ
કેમ ? ૧૩૭ કશી મુશ્કેલી આવે તેમ નથી. મન ડગ્યું તો મુશ્કેલી વળગે !
બસ, આટલો જ જગતનો નિયમ છે ! ૧૩૮ અનુકૂળ “પોલિશ' કરે છે ને પ્રતિકૂળ ઘડતર કરે છે. માટે
બેઉમાં આપણને શો વાંધો છે ?
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૮
આપ્તસૂત્ર ૧૪૮ સંસારનાં વિષયસુખની જેટલી સ્પૃહા વધારે, તેટલું
(આધ્યાત્મિક) ડેવલપમેન્ટ’ ઓછું. ૧૪૯ ધણી થવામાં વાંધો નથી, પણ ધણીપણું બનાવવામાં વાંધો
આપ્તસૂત્ર
૧૭ ૧૩૯ આ “સ્પીડ બ્રેકર' છે, તે શા માટે છે ? તમારી “સેફટી' માટે
છે. માટે આ અડચણો આવે છે તે તમારા હિત માટે છે. આ અડચણો ના હોય તો બધા સ્પીડમાં અટક્યા વગર દોડાદોડ
કરે ને અથાડી મારે. નોર્માલિટીમાં રહેવા માટે અડચણો છે. ૧૪૦ તમને દુઃખ કોણ દે છે ? તમારાં ક્રોધ-માન-માયા-લોભ.
એમાં કુદરતનો શો દોષ ? ૧૪૧ આ સંસાર ‘વ્યવસ્થિત' છે એવું સમજમાં આવે તો ઘણાં
દુઃખો ઓછાં થઈ જાય. ૧૪૨ આ જગતમાં લઢવાડ ક્યાં હોય ? જ્યાં આસક્તિ હોય ત્યાં
જ. ૧૪૩ શાદી (લગ્ન) બે રૂપે પરિણામ પામે : કોઈ વખત
આબાદીમાં જાય, તો કોઈ વખત બરબાદીમાં જાય. ૧૪૪ આ બધા સુખને હારુ પૈણે છે, પણ મહીં દુઃખી થાય છે
બિચારા ! કારણ કે સુખી થવું, દુઃખી થવું એ પોતાના હાથની વાત નથી. એ પૂર્વે કરેલાં કર્મના આધીન જ છે એમાં
છૂટકો નથી. એ ભોગવવાં જ પડશે. ૧૪૫ ‘હસબંડે' ય કર્યા વગર ચાલે તેમ નથી, જેટલી સંડાસની
જરૂર છે એટલી ‘હસબંડ'ની જરૂર છે. ‘હસબંડ તો બે-ચાર દહાડા બહારગામ જાય તો ચાલે, પણ સંડાસ વગર ના ચાલે. જેની જેની જરૂરિયાત તે ખોળે. રસોડું ય ખોળે. આવા
જગતમાં લોકોએ કેવા કેવા અર્થ વગરના વિકલ્પો કર્યા ! ૧૪૬ સ્ત્રી-પુરુષનો (પરણ્યા પછી) વ્યવહાર કેમ કરવો, એની તો
બહુ મોટી કોલેજ છે. આ તો ભણ્યા વગર પૈણી જાય છે. ૧૪૭.
‘મિનિટે ય ભાંજગડ ના પડે, એનું નામ ધણી. મિત્ર જોડે જેમ બગડવા નથી દેતા તેમ સાચવવું. મિત્ર જોડે ના સાચવે તો મિત્રતા તૂટી જાય.
૧૫). સંસારમાં બીજું કશું ના આવડે, તેનો વાંધો નથી. પણ
એડજસ્ટ થતાં તો આવડવું જ જોઈએ. સામો ડીએડજસ્ટ” થયા કરે ને આપણે “એડજસ્ટ' થયા કરીએ તો સંસારમાં
તરી પાર ઊતરી જશો. ૧૫૧ બાઈનો ધણી થતાં આવડ્યું ક્યારે કહેવાય ? કે બાઈ
નિરંતર પૂજ્યતા અનુભવતી હોય ! ૧૫ર આપણું ધણીપણું ક્યાં સુધી રહે ? આપણે ગુનામાં ના
આવીએ ત્યાં સુધી. ૧૫૩ મૂળથી આ લોકોને કોઈ વઢે તે ગમતું નથી. અલ્યા, એને જ
વિટામિન બનાવી દેને, તો કામ થઈ જાય. ૧૫૪ દુઃખ એ આત્માનું ‘વિટામિન' છે અને સુખ એ દેહનું
‘વિટામિન' છે. ૧૫૫ ‘હસબંડ' એટલે ‘વાઈફ'ની ‘વાઈફ'. આ તો લોક ધણી થઈ
બેસે છે. અલ્યા, ‘વાઈફ' કંઈ ધણી થઈ બેસવાની છે ? ૧૫૬ આ તો અહીં જીવ્યો ત્યાં સુધી ધણી ને જીવ્યો નહીં તો ?
અથવા તો કાલે ‘ડાયવોર્સ' લે તો? પછી તું શાનો ધણી ? ૧૫૭ પોતે' જ ‘પરમાત્મા છે પણ અણહક્કમાં પડ્યો છે. તેથી
પોતાનું ભાન નથી. ભગવાને કહેલું કે તું ત્રણ સ્ત્રી કરે તો અમને વાંધો નથી. પણ તું હક્કની રાખ. અને સ્ત્રીના મનને તું સાચવજે. અને તારું મન સ્ત્રી સાચવે અને કર્મ ના વધે એ ખ્યાલ રાખજે.
Page #11
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર
૧૫૮
૧૯
વ્યવહારમાં ‘નોર્માલિટી’ જોઈએ. બહુ નજીકનો સગો હોય તો એક ફેર વળગી પડવા આવે ને બીજી ફેર વઢવા આવે એવું ના હોવું જોઈએ.
૧૫૯ મતભેદ થાય ત્યારે ઝઘડો થાય. મનભેદ થાય ત્યારે ‘ડાયવોર્સ’ થાય. તનભેદ થાય ત્યારે નનામી નીકળે. ૧૬૦ જાણ્યું તેનું નામ કહેવાય કે કોઈ જોડે મતભેદ ના પડે. આમ ઘરમાં મતભેદ પડે તે કેમ ચાલે ? બઈ કહે કે ‘હું તમારી છું’ ને ધણી કહે કે ‘હું તારો છું’, પછી મતભેદ કેમ ? ૧૬૨ જેનું સાસુપણું છૂટી ગયું, તેનો બધો મોહ ઊડી ગયો ! પછી ફરી સાસુ થવાનો વારો જ ના આવે ને ! સાસુપણું જલદી છૂટે એવું નથી.
૧૬૧
૧૬૩ બીજાને અનુકૂળ થતાં આવડે, એને કોઈ દુઃખ જ ન હોય. ‘એડજસ્ટ એવરીવ્હેર’.
૧૬૪ પોતે મુશ્કેલીમાં કોઈ જગ્યાએ મૂકાયેલો હોય, ત્યારે તે પોતાનું ‘એડજસ્ટમેન્ટ’ કરી લે તો ય સંસાર રૂપાળો લાગે ! ૧૬૫ મતભેદ પાડવા એ જ ‘પોઈઝન’ છે. થવું છે અમર ને પીએ છે ‘પોઈઝન’ !
૧૬૬ સંકુચિત જ્ઞાન એ મત છે ને વિશાળ જ્ઞાન એ જ ‘વિજ્ઞાન’
છે.
૧૬૭ મતભેદ પાડો ત્યાં આત્મા ક્યાં રહે ? મતભેદ ત્યાં આત્મા નહીં ને આત્મા ત્યાં મતભેદ નહીં. જ્યાં મતભેદ છે ત્યાં આત્મા ક્યારેય પ્રગટ ના થાય. અહંકાર હોય ત્યાં મત હોય. ૧૬૮ ધર્મનું રક્ષણ કરવાનું છે, મતભેદનું રક્ષણ કરવાનું નથી. ૧૬૯‘વિજ્ઞાન’થી મતભેદ જાય. ‘વિજ્ઞાન’થી સંપૂર્ણ સમાધિ રહે,
૨૦
૧૭૦ આપણી વાત સામાને ‘એડજસ્ટ’ થવી જ જોઈએ. આપણી વાત સામાને ‘એડજસ્ટ’ ના થાય, તો તે આપણી જ ભૂલ છે. બધી રીતે ભૂલ નથી. પણ કંઈક આપણી ભૂલ છે. ભૂલ
ભાંગે તો ‘એડજસ્ટ’ થાય. વીતરાગોની વાત ‘એવરીવ્હેર એડજસ્ટમેન્ટ'ની છે.
૧૭૧
૧૭૩
આપ્તસૂત્ર
નિરંતર સમાધિ રહે. એ ‘વિજ્ઞાન’ જગતમાં કો’ક ફેરો ઊભું થાય છે. બાકી ‘વિજ્ઞાન’ હોય નહીં.
૧૭૨‘શું કરવાથી પોતે સુખી થાય', એટલું જ જો આવડી જાય ને, તો બધું જ ‘સાયન્સ' આવડી ગયું એને.
‘એવરીવ્હેર એડજસ્ટ’ થાય ત્યારે વીતરાગોની વાત પૂર્ણ પામ્યો કહેવાય.
૧૭૬
૧૭૪ નિર્વિકલ્પ સુખનો અર્થ શો ? વિકલ્પ કરવા જેટલી ય એમાં મહેનત નથી. કોઈ પણ જાતની મહેનત વગર સુખ ઉત્પન્ન થાય છે એ પોતાનું સ્વયંસુખ છે અને આ વિકલ્પી સુખ મહેનતવાળું છે.
૧૭૭
સંસારમાં સુખ તો હોય જ નહીં. પણ ભગવત ઉપાય લો તો કંઈક શાંતિ લાગે ને જ્ઞાન-ઉપાયથી કાયમની શાંતિ રહે.
૧૭૫ જ્યાં આરોપિત સુખ છે જ નહીં, સ્વાભાવિક સુખ છે ત્યાં મુક્તિ છે.
‘જ્ઞાની પુરુષ’ નિરંતર સ્વાભાવિક સુખમાં જ રહ્યા કરે અને એ જ આપણને સ્વાભાવિક સુખમાં લાવી શકે. બાકી, બીજો કોઈ લાવી ના શકે. જે તર્યો છે એ જ તારે. ડૂબકાં ખાનારો તે શું કરે ?
બહારની વઢવાડ એકાવતારી હોય અને અંદરની વઢવાડ સો-સો અવતાર. લાખ-લાખ અવતાર સુધી ચાલ્યા કરે !
Page #12
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર
૨૧
૧૭૮ વઢવું એ મોટામાં મોટો અહંકાર છે, ગાંડો અહંકાર છે. વઢેલું કામનું ક્યારે કહેવાય ? પૂર્વગ્રહ વગર વઢે તે.
૧૭૯ વઢવાથી માણસ ચોખ્ખું કહે નહીં ને કપટ કરે. આ બધાં કપટ, વઢવાથી જ જગતમાં ઊભાં થયાં છે.
૧૮૦ એક ફેર ઝઘડો કરવો તે પાંચ હજાર રુપિયાનું નુકસાન કર્યા બરાબર છે.
૧૮૧
મતિ પહોંચતી નથી, તેથી મતભેદ થાય છે. મતિ ‘ફુલ’ (પૂર્ણ) પહોંચે ને મતભેદ ના થાય એવું હોવું જોઈએ.
૧૮૨ મતભેદ એ અથડામણ છે ને અથડામણ એ ‘વીકનેસ’ (નબળાઈ) છે.
૧૮૩ મોક્ષે જતાં અંતરાય કોણ કરે છે ? મત. મતને લઈને અજ્ઞાને ય સમજાતું નથી, જ્ઞાનની વાત તો જવા દો.
૧૮૪ ‘અમારો મત' કહ્યું એટલે આવરણ આવે. સ્વમતના આવરણને લીધે પરમત સમજાય નહીં એટલે પછી ત્યાં આગળ વાંકું જ બોલ બોલ કરે !
૧૮૫ અમે શોધખોળ કરેલી કે જગત આખું ‘વ્યૂ પોઈન્ટ”થી જુએ છે. ‘વ્યૂ પોઈન્ટ’માં શક્તિઓ નકામી જાય છે. આખી જિંદગી બેસી રહે તોય સામાનો ‘વ્યૂ પોઈન્ટ’ બદલાય તેમ
નથી.
૧૮૬ સામો માણસ ભૂલ કરીને આવે તેની કિંમત નથી, પણ ક્લેશ થાય તેની બહુ કિંમત છે. ક્લેશ છે ત્યાં ભગવાનનો વાસ નથી.
૧૮૭ ‘વ્યૂ પોઈન્ટ’માં રહેવું, ‘વ્યૂ પોઈન્ટ' સાથે ‘એડજસ્ટ’ થવું અને સેન્ટરમાં રહેવું, એ બહુ ભારે વસ્તુ છે ! ૧૮૮ મતભેદ પડે ત્યાં આપણી જ ભૂલ છે એમ માનીશું ત્યારે આ
આપ્તસૂત્ર
જગતનો છેડો આવશે. બીજો કોઈ ઉપાય નથી. ઉપાય કરવો એ આપણો છૂપો અહંકાર છે. ઉપાય શેના માટે ખોળવાના ? ૧૮૯ વિકલ્પોની ઉપાસના કરે એટલે શું મળે ? દુઃખ જ મળે ને ! ભગવાને કહેલું કે બધા જ્યાં જાય ત્યાં જઈશ નહીં. બધા જાય ત્યાંથી પાછો ફરજે !
ક્લેશ કરાવનારું કોણ ? અજ્ઞાન !!!
૨૨
૧૯૦
૧૯૧
૧૯૨
૧૯૩
૧૯૪
૧૯૫
કોઈને દુઃખ થાય એવું વાતાવરણ ઊભું કરીએ એટલે આપણને ક્લેશ ઊભો થઈ જાય.
મોઢું ચઢાવીને ઘરમાં બેસે, તે ક્લેશ કહેવાય.
આપણને કોઈ વઢીને છોડે તે ઋણાનુબંધ સારું. એના મનમાં રહે કે આને કેવો ટાઢો પાડ્યો ! આપણે વઢીને છૂટા થઈએ એ હિસાબ સારો નહીં.
આ જગતમાં ક્યારેય કોઈની ઉપર શંકા ના કરાય. સાચું હોય તો ય શંકા ના કરાય. શંકા કરવી એ ભયંકર ગુનો છે. ૧૯૬ સંસારમાં દુઃખ એટલે શું ? ત્યારે કહે, કુશંકાથી ઊભાં થયેલાં દુઃખ.
ઘરમાં મોટા ભાગની વઢવાડો તે અત્યારે શંકાથી ઊભી થઈ જાય છે. શંકાથી સ્પંદનો ઊઠે ને એ સ્પંદનોના ભડકા જાગે. અને જો નિઃશંક થાય તો ભડકા એની મેળે શમી જાય. બેઉ જો શંકાવાળા થાય તો ભડકા શમે શી રીતે ? એકાદને નિઃશંક થયે જ છૂટકો !
૧૯૭
દ્રષ્ટિમાં રોગ હોય તો સામાનું અવળું જ દેખાય, ગમે તેવું સાચું હોય તો ય !
૧૯૮ ચોરને ચોર કહેવામાં વાંધો નથી પણ તેને ખરાબ કહેવું, તેને
Page #13
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર
૨૩
આપ્તસૂત્ર સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે. ત્યાં વહેમ શો ? તું આખા
બ્રહ્માંડનો માલિક છે, તેનો પુરાવો “હું” આપવા તૈયાર છું. ૨૦૯ શંકાનું સમાધાન ના હોય, સાચી વાતનું સમાધાન હોય.
શંકાનું સમાધાન ક્યારેય પણ થાય નહીં. ૨૧૦ શંકા એટલે શું ? પોતાના આત્માને બગાડવાનું સાધન. ૨૧૧ ચોપડો જોતાં ના આવડે તો વહેમ પડે ને વહેમ પડે તો દુઃખ
દુ:ખ દેવું, તે દ્રષ્ટિનો દોષ છે. એ દ્રષ્ટિદોષથી જ જગત ઊભું થયું છે. જગત ખાલી ભાસ્યમાન પરિણામથી છે.
એકઝેક્ટ' પરિણામ નથી. ૧૯૯ જો શંકા કરવી હોય તો ઠેઠ સુધી કરવી. એને ભગવાને
જાગૃતિ કહી છે. જો શંકા કરીને બંધ થઈ જવાની હોય તો તે કરીશ નહીં. આપણે કાશીએ જવા નીકળ્યા ને મથુરાથી
પાછા આવીએ, તેના કરતાં નીકળ્યા જ ના હોત તો સારું. ૨૦૦ લોક તો બધા જ પર્યાય ભૂલતા જાય. આગળ લખતા જાય
ને પાછળ ભૂલતા જાય. ૨૦૧ જો શંકા કરવી તો આખી જિંદગી કરવી. ખોટની ચિંતા
કરવી તો આખી જિંદગી કરવી, નહીં તો કરવી નહીં. ૨૦૨ કો'ક જ દહાડો મતભેદ પડે એ માનવતાનું પ્રમાણ. ૨૦૩ તમને મતભેદ પડે એટલી તમારી નિર્બળતા. લોક ખોટા
નથી. કોઈ જાણી-જોઈને કરતો જ નથી. આપણે તો માફી
માગી લેવી કે આપણી ભૂલ છે. ૨૦૪ મતભેદનો અર્થ શો ? ભીંત જોડે અથડાયો. આપણા માથાને
વાગ્યું. તે ભીંતનો દોષ કે આપણો દોષ ? ૨૦૫ ‘કોઈની સાથે ક્યારેય પણ અથડામણમાં ના ઊતરશો.’ -
આ મોક્ષે જવાની મોટી ચાવી છે. ૨૦૬ અથડામણ થાય છે એ આપણી જ નબળાઈ છે. ૨૦૭ અથડામણ એ જ આપણી અજ્ઞાનતા છે. સાચું-ખોટું
ભગવાનને ત્યાં હોતું જ નથી. ભગવાનને ત્યાં વંદું હોતું જ
નથી. ૨૦૮ જેને વહેમ પડે, તેનું આખું નિકંદન જાય. વહેમ એ
‘ટિમિડનેસ' (ભીરુતા) છે. આખું જગત “સાયન્ટિફિક
૨૧૨ કોઈના ‘ધૂ પોઈન્ટ'ને ખોટું કેમ કહેવાય ? કોઈ આંધળો
ભીંતને અથડાય તો આંધળાને કંઈ વઢાય કે કેમ અથડાયો ?
અલ્યા, આંધળો હતો તેથી તો અથડાયો. ૨૧૩ બીબી-છોકરાં એ તો આપણા આશ્રયે આવેલાં છે. જે
આપણા આશ્રયે આવેલું હોય, તેને દુ:ખ કેમ કરીને દેવાય ? સામાનો વાંક હોય તો પણ આશ્રિતને આપણાથી દુઃખ ના
દેવાય.
૨૧૪
“એડજસ્ટ' થવામાં વાંધો ક્યાં આવે છે? “આ મારી પૈણેલી' ને આ મારી ‘વાઈફ'. અરે, પણ ન હોય આ ‘વાઈફ'. આ ‘હસબંડ’ જ નથી, ત્યાં પછી ‘વાઈફ' હોતી હશે ?
૨૧૫ પૈણવાની કિંમત ક્યારે હોત ? હજારો માણસોમાં એકાદ
જણને પૈણવાનું મળતું હોય તો. આ તો બધા જ પૈણે, એમાં
૨૧૬ ઘરમાં તો વ્યવહાર સારો જ રાખવો જોઈએ ને ! પોતાના
ખેતરનો છોડવો ના વટાય એ આપણે ખ્યાલ રાખીએ છીએ
ને ?! ૨૧૭ આપણને એમ છે કે આ આપણું ઘર છે ને કુટુંબ છે. ના,
કર્મો ખપાવવાની દુકાન છે. ઘરાક-વેપારી જેવો સંબંધ છે !
Page #14
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર
૨૫ ૨૧૮ કોઈ પ્રાકૃતિક પુષ્પ નકામું નથી, પણ તે શું કામનું છે તે
શોધી કાઢવાનું છે. તને વેઢમી બનાવતાં નથી આવડતી, આ નથી આવડતું, તે નથી આવડતું, એમ કહ્યા કરવાનું નથી.
પણ તેને શું આવડે છે, તેની ખોજ કરો. ૨૧૯ આ સંસાર ઘરના જ માણસોને લીધે ઊભો રહ્યો છે, બીજા
કશાથી નહીં. ઘરનો લાભ લેતાં આવડતું નથી. આ તો પાંચ
છ જણાનું એસોશિયેશન છે. ૨૨૦ ફેમિલી મેમ્બર' એટલે ? કે જેટલો જેનો વેપાર એટલાં
એના ઘરાક ! નાનો વેપાર તો ઓછા ઘરાક ને મોટો વેપાર તો ઘણાં ઘરાક ને વેપાર બંધ થયો, ચોપડાનાં ખાતાં પૂરાં
થયાં, તો ઘરાક બંધ થાય. ૨૨૧ ખરી રીતે દુનિયા જીતવાની નથી, ઘર જીતવાનું છે. ૨૨૨ આપણો છોકરો મોટો થયો હોય ને સામો થઈ જતો હોય તો
જાણવું કે આ આપણું “થર્મોમિટર’ છે. આ તમારે ધર્મ કેટલો પરિણામ પામ્યો છે, એના માટે “થર્મોમિટર' ક્યાંથી લાવવું? ઘરમાં ને ઘરમાં ‘થર્મોમિટર’ મળી આવે તો પછી
બહાર વેચાતું લેવા ના જવું પડે !!! ૨૨૩ દીકરો તો તેને કહેવાય કે જે બાપની બધી જ ઝંઝટ છોડાવી
આપ્તસૂત્ર તો જગત ઊભું થયું છે. ધાકધમકીથી તો પ્રકૃતિ વિશેષ
બગડે. ૨૨૭ કોઈને ય સુધારવાનો પ્રયત્ન કરશો નહીં, પણ જાતે સુધરવાનો
પ્રયત્ન કરજો. કોઈને સુધારવાનો અહંકાર તો તીર્થકરોએ ય
નહીં કરેલો, એ તો મોક્ષનું દાન આપવા આવેલા. ૨૨૮ પોતે સીધો થયો હોય તે જ સામાને સુધારી શકે. ૨૨૯ સામાને સુધારવા માટે તમે દયાળુ હો તો વઢશો નહીં. એને
સુધારવા તો માથું તોડી નાખે એવો મળી જ જશે. ૨૩૦ મોક્ષે જવું હોય તો તમારા કોઈ પુત્ર-પુત્રી છે નહીં. સંસારમાં
રહેવું હોય તો પુત્ર-પુત્રી તમારાં જ છે. ૨૩૧ સારી વસ્તુ ઊંધી બોલવાથી બગડી જાય, તેમ ઊંધી વસ્તુ
સારી બોલવાથી સુધરી જાય છે. ૨૩૨ આપણે” આ સંયોગો જોડે સંયોગ પૂરા કરવાના છે. આ
સંયોગોમાં આવી ફસાયા છીએ તો આ સંયોગો જેમ તેમ કરીને ઊંચા મૂકવાના. આપણે કંઈ ધણી થવા માટે નથી
આવ્યા, આ સંયોગોને ઊંચા મૂકવાના છે ! ૨૩૩ સંયોગો “ઓટોમેટિક્લી' “સાયન્ટિફિક્તી’ થાય છે ને વિયોગ
નિયમથી થાય છે. ૨૩૪ સ્થળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને
પરાધીન છે ને પરાધીન કરાવનારા છે. પાછાં ‘વ્યવસ્થિત’
ભાવે રહેલા છે. ૨૩૫ આ “વર્લ્ડ'માં કોઈ એવો માણસ નથી કે જેને સંયોગો ઉપર
કાબૂ હોય ! ૨૩૬ દેહ પ્રત્યે જેના રાગ-દ્વેષ ગયા, તેને કોઈ સંયોગ નડતો નથી.
સંયોગ નડતા નથી, રાગ-દ્વેષ નડે છે. સંયોગ તો શેય છે ને
૨૨૪ જેના ઘરમાં મા કડક હોય, તેના છોકરાને વ્યવહાર ના
આવડે. ૨૨૫ બાપ ધર્મિષ્ઠ હોય તો છોકરાંની ખોડ કાઢ કાઢ ના કરે.
પ્રકૃતિની ખોડ કાઢવી ના જોઈએ. પ્રકૃતિની ખોડ કાઢવાથી ભગવાનને વાત પહોંચે છે. પ્રકૃતિ નિયમિત છે, ‘વ્યવસ્થિત'
૨૨૬ પ્રકૃતિ ધાકધમકીથી ના સુધરે કે ના વશ થાય. ધાક-ધમકીથી
Page #15
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર
પોતે શાતા છે.
૨૩૭ આપણને સંયોગો અસંખ્યાત છે અને ભગવાન મહાવીરને પણ સંયોગો હતા, પણ તે ગણી શકાય તેટલા જ હતા. તેમણે કહ્યું કે, ‘એક પણ સંયોગ મારો નહીં અને હું સંયોગોમાં તન્મયાકાર થાઉં નહીં !'
૨૩૮ સંયોગો ભેગા કરવામાં લોકો ‘ટાઈમ’ બગાડે છે. સંયોગ તો કુદરત જ ભેગા કરી આપે છે.
૨૩૯
૨૭
૨૪૦ કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ આપશો તો તે વેદનારૂપે વેદનીય કર્મ તમને ફળ આપશે. માટે કોઈ જીવને દુઃખ આપતાં પહેલાં વિચારજો.
૨૪૧
ભગવાન કોના પર રાજી રહે ? જે બધાનાં દુઃખો લઈ લે ને સામાને સુખો આપે તેના પર.
માનવધર્મ કોને કહેવાય કે, તમે સામાને સુખ આપો તો તમને સુખ મળે ને સામાને દુઃખ આપો તો તમને દુઃખ મળે. ૨૪૨ કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય એવો અહંકાર હોવો જોઈએ. એ ‘પોઝિટિવ’ અહંકાર.
૨૪૪
૨૪૩ જ્યાં સુધી તમારા નિમિત્તે કોઈને સહેજ પણ દુઃખ થાય છે, ત્યાં સુધી એની અસર તમારી પર જ પડવાની. માટે ચેતો. સામો ‘ડિએડજસ્ટ’ થયા કરે, ને આપણે ‘એડજસ્ટ’ થયા કરીએ તો સંસારમાં તરીપાર ઊતરી જશો. ભોગવે એની ભૂલ એટલું જ જો સમજાઈ જાય ને તો ઘરમાં એકુંય ઝઘડો રહે નહીં.
આ લૌકિક ધર્મ પાળવા હોય તો બે જ અક્ષર સમજવા જેવા છે ઃ (૧) આપણાથી કોઈ જીવને દુઃખ ના થાય અને (૨) આપણી પાસે કંઈક હોય તો આ લોકોને આપી દઉં એ ભાવના. આ બે ભાવના પૂરી થઈ ગઈ, તે બધો ધર્મ શીખી
૨૮
ગયો !
૨૪૫ આપણે આ દુઃખમાંથી શોધખોળ શી કરવાની ? સનાતન સુખની. આ સુખ તો ઘણું ભોગવ્યું. એનાથી સંતોષ થાય, પણ તૃપ્તિ ના થાય.
૨૪૬
૨૪૭
૨૪૮
૨૪૯
૨૫૦
૨૫૧
૨૫૨
૨૫૩
આપ્તસૂત્ર
૨૫૫
સંસારી દુઃખનો અભાવ, એનું નામ સનાતન સુખ.
ભગવાનને કોઈ દિવસ દુઃખ પડ્યું નથી. ભગવાનથી ભેદ પાડ્યો, તેને દુઃખ છે.
સંસારમાં દુઃખ શાનાં છે ? ‘વિઝન’ ‘ક્લિયર’ ના હોય તેનાં. જ્યાં કિંચિત્ માત્ર દુઃખ થતું નથી, ત્યાં આત્મા છે. કલ્પિત સુખ ‘એન્ડ’વાળું હોય ને નિર્વિકલ્પ સુખ ‘પરમેનન્ટ’ હોય.
સુખ આવ્યા પછી જાય નહીં, એનું નામ આત્માનું સુખ. ‘મૂળ સ્વરૂપ’માં આવે તો જ સાચું સુખ અને શાંતિ મળે. સંસારનાં સર્વ દુઃખોને મટાડે, એ ‘સાયન્ટિફિક' જ્ઞાન
કહેવાય.
૨૫૪ સુખમાં અને દુઃખમાં રાગ-દ્વેષ કરે તેથી ‘કૉઝિઝ’ બંધાય ને સુખમાં ને દુઃખમાં નોર્મલ રહે, સમ રહે તો કૉઝિઝ બંધ થાય. અગવડ દેખાડે તે જ મિથ્યાત્વ અને સમ્યદ્રષ્ટિ-આત્મદ્રષ્ટિ અગવડને સગવડ કરાવે.
૨૫૬ સુખ-દુ:ખ બેઉ ભ્રમણા છે. તાપમાં દુઃખની ભ્રમણા થઈ અને ઝાડ નીચે સુખની ભ્રમણા થઈ. આખી રાત ઝાડ નીચે બેસાડે તો ત્યાં ય દુ:ખ લાગે.
૨૫૭‘એબોવ નોર્મલ’ થાય, તે પુદ્ગલ સુખ-દુઃખરૂપ લાગે.
Page #16
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર ૨૭૦ વ્યાકુળતામાં નિરાકુળતા રહે, એ જ સાચી નિરાકુળતા. ૨૭૧ મહીં સુખ હોય ત્યાં સુધી કોઈ માણસ કોઈનું કશું બગાડે નહીં.
દુખિયો માણસ જ બીજાનું બગાડે. દુખિયો હોય, તે બીજાને સળી કરે. સુખિયો માણસ તો બધાંને સુખ આપવાનો પ્રયત્ન
૨૬૧
આપ્તસૂત્ર
૨૯ ૨૫૮ ભગવાને શું કહ્યું કે કાંટો જોયા કરજે. જો અંતરસુખ ઘટે અને
બાહ્યસુખ વધે તો સમજજે કે મરવાનો થયો છે. ૨૫૯ જે ધર્મથી અંતરશાંતિ ના થાય એ ધર્મ ધર્મ જ કહેવાય નહીં ને ! ૨૬૦ જ્યાં શાંતિ નથી ત્યાં કિંચિત્માત્ર ધર્મ નથી.
મનની શાંતિ એ મનોવૈભવ છે. મનોવૈભવ એ “ટેમ્પરરી એડજસ્ટમેન્ટ' છે. આત્મશાંતિ એ આત્મવૈભવ છે ને
આત્મવૈભવ એ “પરમેનન્ટ એડજસ્ટમેન્ટ' છે. ૨૬૨ ઉપાધિમાં શાંતિ રહે, એને ભગવાને પુરુષાર્થ કહ્યો અને
ઉપાધિમાં સમાધિ રહે, એને ભગવાને “જ્ઞાન” કહ્યું. ૨૬૩ અનુકૂળતા એ ‘ફૂડ’ છે અને પ્રતિકૂળતા એ “વિટામિન' છે. ૨૬૪ અપમાન “વિટામિન' છે અને માન એ “ફૂડ' છે. ૨૬૫ “પ્યૉર’ સમજણમાં સુખ છે. આ તો ‘ઈમ્યૉર’ સમજણનાં
દુ:ખ છે. ૨૬૬ સુખ-દુઃખ જેવી કોઈ વસ્તુ જ નથી. સુખ-દુઃખ એ તો
અજ્ઞાન પરિણામ છે. આ તો “એન્ડ’વાળા સુખ-દુઃખ છે. ૨૬૭ અવળી સમજણ એ દુઃખ છે ને સવળી સમજણ એ સુખ છે.
સમજણ કઈ મળે છે તે જોવાનું. અવળી સમજણની આંટી પડી તો દુઃખ, દુઃખ ને દુઃખ અને એ આંટી છૂટી ગઈ તો સુખ, સુખ ને સુખ !! બીજું દુઃખ-સુખ છે જ નહીં આ
દુનિયામાં ! ૨૬૮ ઈન્દ્રિયનો સ્વભાવ છે કે ઈન્દ્રિયગમ્ય સુખને જ ખોળે અને
અતીન્દ્રિયનો સ્વભાવ છે કે અતીન્દ્રિય સુખને જ ખોળે. ૨૬૯ વ્યાકુળતાથી આ બધાં દુઃખો ઊભાં થાય છે અને ‘જ્ઞાની' પાસે
નિરાકુળતાથી દુઃખો નાશ થઈ જાય.
૨૭૨ દુઃખ-સુખ તો આવ્યાં જ કરવાનાં. એ “સાયન્ટિફિક
સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે. દુઃખ-સુખ એ “ઇફેક્ટિવ' છે. તેમાં આપણે એવું કંઈક કરી લેવું જોઈએ કે કોઈ
ઈફેક્ટ' જ ના થાય. ૨૭૩ “સર્વ દુઃખોથી મુક્તિ શી રીતે થાય', એ જાણવા માટે જ આ
જીવન જીવવાનું છે. ૨૭૪ જે જેવી રીતે જીવવા માગે છે, તે તેવી રીતે જીવી શકે જ. ૨૭૫ બહુ ઉપયોગપૂર્વક, વિચારપૂર્વકનું જીવન જીવવાનું છે.
દરેકનું પરિણામ શું આવશે એ જોવું. પરિણામને વિચારતાં વિચારતાં આત્મા તેવો થઈ જાય ? ના. એ પરિણામના વિચારને જે જાણે છે તે આત્મા છે. પણ પરિણામ તો સીધાં
જ જોઈશેને ? ઝીણવટથી જીવવું જોઈએ કે નહીં ? ૨૭૬ આ મનુષ્યજન્મ મળ્યો છે તેમાં “આપણું કેટલું અને પરાયું
કેટલું', એનો વિવેક કરવાનો છે. ૨૭૭ આ જગતમાં કોઈ એવું સ્થાન નથી કે કોઈ એવી અવસ્થા
નથી કે જે તમને ડીપ્રસ’ કરી શકે ! ૨૭૮ કોઈ એવો સમય, સંજોગ કે અવસ્થા એવી ના હોય કે જે
આપણને “ડીપ્રેસકરી શકે ! ૨૭૯ આપણાથી લોક ભડકવા માંડ્યા તો જાણવું કે વિકરાળ જંગલ
આવ્યું. જો લોકો રાજી હોય તો જાણવું કે રસ્તો સારો છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
૨૯૧
આપ્તસૂત્ર
૩૧ ૨૮૦ જેનો અહંકાર ગયો હોય, તે ગમે તે માણસને ખુશ કરી શકે
અને “સમભાવે નિકાલ કરી શકે ! ૨૮૧ સામાની છાયા આપણા પર પડી કે એનો રોગ આપણી મહીં
પેસી જાય ! પછી એના ગુણો જોઈને કે સિદ્ધિઓ જોઈને
છાયા પડી હોય ! ૨૮૨ આ વર્લ્ડમાં એવો કોઈ માણસ નથી કે જે આપણને ચાવી
મારી શકે ! જો પીન વાગે તો તું “સ્ટવ' છે ! ૨૮૩ આપણું કરેક્ટ (બરાબર) હોય તો દુનિયામાં આપણને કોઈ
હલાવી ના શકે. પહેલું “કરેક્ટનેસ’ને પછી “એક્કેક્ટનેસ'
થાય. ૨૮૪ કોઈની ય છાયા ના પડે એવી દુનિયા તને બાજુએ મૂકતાં
આવડે, તેનું નામ સમર્પણભાવ ! ૨૮૫ જ્યાં અક્કડ થવાની સ્થિતિ ત્યાં નમ્ર થાય, એનું નામ
ખાનદાની. જેમ નમ્રતા વિશેષ થાય તેમ ખાનદાની ઊંચી. ૨૮૬ જે કામ કરીએ ને કહી દઈએ કે “મેં કર્યું, તો ખાનદાની
જતી રહે. ખાનદાન તો બેઉ બાજુએ ઘસાય. આપતાં ય
ઘસાય ને લેતાં ય ઘસાય. ૨૮૭ ‘ડ્યૂટી’ બજાવવી એ ધર્મ નથી. ‘ડ્યૂટી' ના બજાવવી એ
ગુનો છે. “ડયૂટી' તો બધા ય બજાવે જ છે. પણ કચકચ
કરતાં બજાવે તો ગુનો છે. ૨૮૮ જગતમાં બધું જ ફરજિયાત છે. મરવાનું ય ફરજિયાત છે.
જન્મવાનું ય ફરજિયાત છે. માટે એવી કંઈ શોધખોળ કરો
કે, ‘મરજિયાત’ શું છે ? ૨૮૯ જો તારે છૂટવું હોય તો ‘આ’ જાણવાનો પ્રયત્ન કર. નહીં તો
જે છે તે બરોબર છે, “કરેક્ટ' છે.
આપ્તસૂત્ર ૨૯૦ ફક્ત વાત જ સમજવાની જરૂર છે કે, વોટ ઈઝ કરેક્ટ ?
એન્ડ વોટ ઈઝ ઈનકરેક્ટ ? સાચી વાત શી છે ? કરેક્ટનેસ” શું છે? “વર્લ્ડ' શું છે ? આ બધું શું છે ? તમે કોણ છો ? પરમાત્મા શું છે ? પરમાત્મા છે? પરમાત્મા છે જ અને તે તમારી પાસે જ છે. બહાર ક્યાં ખોળો છો ? પણ કોઈ આપણને એ દરવાજો ખોલી આપે તો દર્શન કરીએ ને ? એ દરવાજો એવો વસાઈ ગયેલો છે કે કોઈ દહાડો પોતાથી ખોલાય એવો છે જ નહીં. એ તો પોતે તર્યા હોય એવાં તરણ તારણહાર “જ્ઞાની
પુરુષનું જ કામ છે ! ૨૯૨ સંસાર છે જ ફરજિયાત. ‘મરજિયાતમાં એક સેકંડે ય કોઈ
દહાડો પોતે' આવ્યો નથી. ૨૯૩ “મરજિયાત’ ભાગ ક્યારે ઉત્પન્ન થાય ? “પોતે કોણ છે એ
ભાન ઉત્પન્ન થાય ત્યારે. ૨૯૪ ભગવાનનો શો કાયદો છે ? કોઈને છૂટવું હોય, તેને
ભગવાન ક્યારેય બાંધતા નથી અને જેને બંધાવું હોય એને
ક્યારેય પણ છોડતા નથી. ૨૯૫ છૂટવાનાં કારણો સેવે, તેને છૂટવાના બધા સંયોગ મળે. ત્યાં
ભગવાન એને હેલ્પ કર્યા જ કરે છે અને બંધાવાનાં કારણો
રાખે છે, તેને ય ભગવાન હેલ્પ કર્યા જ કરે છે. ૨૯૬ લોકોની સમજણે ચાલ્યો તેથી બંધાયો ; “જ્ઞાની'ની સમજણે
ચાલ્યો એ છૂટી ગયો ! ૨૯૭ છૂટેલાની સમજણે ચાલીશ તો છૂટીશ ને બંધાયેલાની
સમજણે ચાલીશ તો બંધાઈશ. ૨૯૮ બંધાવા માટે નિમિત્તો મળેલાં છે તેમ છોડાવવા માટે નિમિત્ત
મળે તો તે છોડાવે જ છે. છૂટેલો હોય તે છોડાવે. છૂટેલો
Page #18
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર
૩૩ પુરુષ કો'ક કાળે એક હોય. મોક્ષ દુર્લભ નથી, “મોક્ષદાતા
પુરુષ’ અતિ અતિ દુર્લભ છે. ૨૯૯ સંસારનાં બંધનો આપણને બાંધી શકે એમ છે જ નહીં એવું
‘વીતરાગો'નું જ્ઞાન છે. કોઈ ચીજથી બંધાય જ નહીં એવી આપણી “જાત છે. એ “જાતને ઓળખો, એનું જ્ઞાન કરો,
એવો આત્મા છે ! ૩00 સંસારમાં નરી પરવશતા ! નિરંતર પરવશતા ! જાનવરો ય
પરવશ, મનુષ્યો ય પરવશ, કેમ પોસાય ? એમાંથી સ્વતંત્ર થવાય એવો ‘આ’ માર્ગ છે ! ‘આ’ ‘રીયલ’ માર્ગ છે, સ્વતંત્ર
થવાનો ! ૩૦૧ આ સંસાર એટલે પરવશતાનું સંગ્રહસ્થાન ! ૩૦૨ આ સંસાર નરી ફસામણ છે. ફસાયા પછી નીકળાય નહીં.
અરે, આ કાદવમાં ઊંડો ઊતરે તો ય ના નીકળાયને ! કાદવમાં ગરક્યા પછી નીકળવા જેમ જેમ પ્રયત્ન કરે, તેમ
તેમ વધારે ને વધારે ગરકાય ! ૩૦૩ તારે જો મોક્ષે જવું હોય તો પછી ઝાંખરામાં ભરાઈ ના
રહીશ. ધોતિયું ભરાય તો તે ભલે ફાટી જાય પણ ખેંચીને ચાલવા માંડવું. અરે, નીકળી જાય તો ભલે, તેને છોડીને
ચાલવા માંડવું! ૩૦૪ આ પરવશ જગ્યા છે. “આપણે” સ્વતંત્ર છીએ ! “પોતાની'
જગ્યાએ જઈએ તો ઉકેલ આવી જાય. જગત આખું આ
પરવશપણાથી મુક્તિ ખોળે છે. ૩૦૫ હિન્દુસ્તાનના લોકોને તો વિભૂતિ સ્વરૂપ ભગવાન કહ્યા છે.
તમે ભાન જતાં રહેલા, તો ય ભગવાન છો ! તો પછી “મારું શું થશે ? સુખ ક્યાંથી મળશે ?” એવું કેમ ?
આપ્તસૂત્ર ૩૦૬ સંસારમાં સુખ કહેવાય જ કેમ ? આ તો માની લીધેલું સુખ
છે. સુખ તો સ્વતંત્રતા હોવી જોઈએ તેમાં છે. “કોઈ બાપો ય ઉપરી ના જોઈએ.” જ્યાં સુધી માથે “બૉસ' હોય, ત્યાં
સુધી સુખ કહેવાય જ કેમ ? ૩૦૭ મોક્ષ થયો ક્યારે કહેવાય ? આપણે છૂટી ગયા છીએ, એવું
ભાન થાય. મારો કોઈ ઉપરી નથી, ભગવાને ય મારો ઉપરી
નથી, એવું ભાન વર્તે. ૩૦૮ માથે ભગવાન હોય ત્યાં મોક્ષ ના હોય. મોક્ષ હોય ત્યાં
ભગવાન ઉપરી ના હોય. એક પણ ઉપરી હોય ત્યાં સુધી પરવશપણું કહેવાય.
પરવશપણું કેમ પોસાય ? ૩૧૦ ‘હું પોતે જ પરમાત્મા છું' એવું ભાન થાય તો મોક્ષે જવાય.
નહીં તો મોક્ષનો સાક્ષાત્કાર જ હોય નહીં, જૂજમાં દર્શન
કહેવાય. ૩૧૧ તારો ઉપરી કોણ ? તારી ‘બ્લેડર્સ' અને તારી ‘મિસ્ટેકસ'.
બ્લેડર્સ' “અમે' ભાંગી આપીએ ને ‘મિસ્ટેકસ' તારે
ભાંગવાની. તેનો “અમે' તને રસ્તો દેખાડીશું. ૩૧૨ “ચંદુલાલ છું એ જ મોટામાં મોટી “બ્લેડર’ છે ! ભૂલોને
'માફ કરવામાં આવે છે. “બ્લેડર્સને માફ કરવામાં આવતી
નથી.
૩૧૩ ‘અમે' ક્યું પદ જોયું હશે ?! બ્રહ્માંડનું માલિકીપણું જોયું છે !
એ બ્રહ્માંડના માલિકને જોઈએ કે એમનો શો ‘બિઝનેસ’ છે
તે આપણો ‘બિઝનેસ” થશે, ત્યારે તમને એ પદ પ્રાપ્ત થશે !! ૩૧૪ આ ‘પ્લોટનું માલિકીપણું છૂટે તો આખા બ્રહ્માંડના માલિક
થાય ને “પ્લોટ'ના માલિક થાય તો બ્રહ્માંડનું માલિકીપણું
જાય.
Page #19
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર
૩૫ ૩૧૫ ભગવાન કોણ છે ? જે દેહ હોવા છતાં દેહના માલિક નથી,
મનના માલિક નથી, વાણીના માલિક નથી, કોઈ ચીજના
માલિક નથી, તે આ જગતમાં ભગવાન છે ! ૩૧૬ જયાં સુધી પોતાની ભૂલો ના દેખાય ત્યાં સુધી ભગવાન
ના થવાય. ૩૧૭ ભૂલ દેખાઈ ક્યારે કહેવાય કે ફરી ના થાય ત્યારે. ૩૧૮ પોતાના ગુના દેખાય તે ‘સમ્યક્ દ્રષ્ટિ અને પારકાના ગુના
દેખાય તે ‘મિથ્યા દ્રષ્ટિ'. ૩૧૯ જેને પોતાના દોષ જોવા છે, સામાના જોવા નથી, તેનું આ
જગતમાં કોઈ નામ લેનાર નથી. ૩૨૦ “આ જગતમાં કોઈ જીવે કોઈ કાર્ય જાણી જોઈને કર્યું નથી,
ઠેઠ મોક્ષે જતાં સુધી.” આ એક જ વાક્ય સમજી જાઓ ને ! ૩૨૧ આ જગત કરુણા રાખવા જેવું છે, દંડ કરવા જેવું નથી. ૩૨૨ છેલ્લા પ્રકારની જાગૃતિ કઈ કે આ જગતમાં કોઈ દોષિત જ
ના દેખાય ! ૩૨૩ સંસાર એટલે રાગ-દ્વેષવાળી દ્રષ્ટિ, ને વીતરાગદ્રષ્ટિથી મોક્ષ.
વીતરાગદ્રષ્ટિનું માપ શું? જગત આખું નિર્દોષ દેખાય તે. ૩૨૪ તમારી પાસે નિર્દોષ દ્રષ્ટિ હોય તો તેનાથી તમે જુઓ. નહીં
તો બીજું કશું જોશો જ નહીં. બીજું જોશો તો માર્યા જશો.
જેવું જોશો તેવા થઈ જશો ! ૩૨૫ જ્યાં સુધી જગત દોષિત દેખાશે ત્યાં સુધી ભટક ભટક
કરવાનું થશે અને જ્યારે જગત નિર્દોષ દેખાશે ત્યારે
આપણો છૂટકારો થશે. ૩૨૬ ગુનેગાર કોણ દેખાડે છે ? મહીં ક્રોધ-માન-માયા-લોભરૂપી
આપ્તસૂત્ર શત્રુઓ છે તે દેખાડે છે. ક્રોધ-માન-માયા-લોભ ક્યાંથી પેસી ગયા ? “હું ચંદુલાલ છું' એ માનવાથી. એ માન્યતા તૂટી કે
બધાં જતાં રહેશે. ૩૨૭ વીતરાગોએ જગત નિર્દોષ જોયું. તે વળી દોષ કાઢનારા
આપણે કોણ ડાહ્યા પાછા ?! ભગવાન કરતાં ય ડાહ્યા ?!! ૩૨૮ વીતરાગોએ જગત નિર્દોષ શા આધારે જોયું ? કારણ બધાં
કર્મોને આધીન છે તેથી. ૩૨૯ કોઈ કર્મ સ્વતંત્ર રીતે કરતો નથી, પરવશતાથી કર્મ કરવાં પડે
છે. સ્વતંત્ર કર્મ કરે તો જ ગુનેગાર ગણાય. પરવશતાથી કર્મ કરે એટલે પરવશતાથી ભોગવવું પડે. આ જગતમાં કોઈ પણ
માણસ ગુનેગાર કે ખોટો દેખાય છે એ બધી ભ્રાંતિ છે. ૩૩) ભગવાનને પૂછીએ કે ત્યારે આ બધું શું છે ? ત્યારે ભગવાન
કહે છે કે આ કશું જ નથી. આ બધાં પોતપોતાનાં કર્મો
ભોગવી રહ્યાં છે ! ૩૩૧ લોકોએ “કર્તા-થિયરી' જોઈ છે પણ ‘કર્મ-થિયરી’ જોઈ નથી.
ભાઈએ મારું અપમાન કર્યું એમ કહે તે “કર્તા-થિયરી'! ને મારા કર્મના ઉદયથી ગાળો દે છે એ “કર્મ-થિયરી'. કર્મની
થિયરી સમજે તો સામાનો જરાય દોષ ના દેખાય. ૩૩૨ કર્મનું મૂળ શું? કર્મ શેનાથી બંધાય ? કર્તાભાવ છે તેથી. “
ચંદુલાલ છું' એ ભાન છે ત્યાં સુધી કર્મ બંધાય. “ચંદુલાલ
છું” એ આરોપિત ભાવ થયો, એટલે એ કર્તાભાવ થયો. ૩૩૩ જ્યાં સુધી તમે કર્તા છો, ત્યાં સુધી કર્મ બંધાશે. કર્તાના
આધારે કર્મ છે. “જ્ઞાની પુરુષ' એ આધાર કાઢી નાખે એટલે
કર્મનું “ચાર્જ થતું બંધ થઈ જાય. પછી ડિસ્ચાર્જ રહે ! ૩૩૪ અહંકારપૂર્વક ‘દેહ એ હું છું એવું બેભાનપણે વર્તાય એ
કર્મ. પણ સ્વરૂપની રમણતામાં રહીને નાટકીયપણે, જ્ઞાતા
Page #20
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર ૩૪૧ ‘વીતરાગ” એટલે કોઈ માર મારે, ગાળ ભાંડે, એની છોકરીને
ઉઠાવી જાય, તો ય અસર ના થાય. “વીતરાગ’ તો સુખ-દુઃખ,
સારું-ખોટું વગેરે કંદથી પર હોય. ૩૪૨ સમ્યકત્વ થાય ત્યારથી વીતરાગ વાણીની શરૂઆત થાય ને
કેવળજ્ઞાન” થાય ત્યારે તે સંપૂર્ણ થાય. ૩૪૩ ઘરમાં ગેરહાજર હોય તે બહાર રખડતો હોય, તેમ સંસારમાં
ગેરહાજર તે ધર્મમાં રખડતો હોય. ૩૪૪ સમકિતી સ્વ-પર હિતકારી છે. મિથ્યાત્વી સ્વ-પર અહિતકારી
આપ્તસૂત્ર
દ્રષ્ટાપણે કરવામાં આવે તે કર્મ નથી. ૩૩૫ કર્મ એકલું જ બધું ચલાવી લેતું હોય એવું નથી. કર્મ તો એક
વિષય ભોગવવાની ઇચ્છા કરેલી, એટલું જ કર્મ કરેલું હોય છે. ત્યારે પરસત્તા શું કહે છે ? અમારે એકલો વિષય તો દુનિયામાં અપાય નહીં. આજુબાજુનું બધું જ જોવું પડે. એટલે પાછી સ્ત્રી આપવી પડે. સાસુ, સસરો, સાળો, કાકીસાસુ, મામીસાસુ, બધું જ આપવું પડે !!! એક બૈરી કરવા ગયો ત્યાં કેટલી બધી વળગણા ચોંટી !ન ઢેડફજેતો ! શી રીતે માણસ આ જંજાળમાંથી છૂટે ?! સંસાર સાગર કહેવાય. આ તો વગર પાણીમાં ડૂળ્યાં ! પેલા પાણીમાં ડૂબે તો તારી શકાય, પણ આમાં ડૂબે તો શી રીતે
તારી શકાય ?! ૩૩૭. સંસારનું સરવૈયું શું? નફો છે કે ખોટ છે ? બાર રૂમોવાળાને
ય ખોટ છે ને બે રૂમોવાળાને ય ખોટ છે. ખોટ રૂમમાં નથી,
તારામાં જ છે. તેને તું ખોળી કાઢને ! ૩૩૮ જેને સંસારનો ભોગવટો કરવો હોય તેણે અહંકારનું હથિયાર
રાખવું કે જેને સંસારથી મુક્તિ જોઈતી હોય તેણે અહંકારનું
હથિયાર મૂકી દેવું ! ૩૩૯ ઇગોઈઝમ' રૂપી ફાચરની આ બધી ફસામણ છે !
ઇગોઈઝમ' રૂપી આંકડો છે તે ગાડી ચાલે, તેની સાથે ડબ્બો ય ચાલે !!! સંસારમાં જેટલું ઊંધું ચાલ્યા તેટલો ઇગોઇઝમ. ને જેટલો ઇગોઇઝમ ઓગળે તેટલું સનાતન સુખ વર્યા કરે. ‘જ્ઞાની પુરુષ'ને ઇગોઇઝમ ખલાસ થઈ ગયેલો હોય, તેથી નિરંતર સનાતન સુખ રહે. કોઈ અપમાન કરે તો ય પોતાને મહીં સુખ લાગે, ત્યારે એમ થાય કે ઓહોહો ! આ કેવું સુખ !!!
૩૪૫ મિથ્યાત્વી લોકો પારકાં માટે જીવે છે ને સમકિતી લોકો
પોતા' (આત્મા) માટે જીવે છે. ૩૪૬ આત્માનું જેટલું થયું તેટલું તમારું ને બીજું બધું પારકું ! ૩૪૭ કોઈના ય ચારિત્ર સંબંધી શંકા ના કરાય, બહુ મોટી
જોખમદારી છે. મોટા મોટા તીર્થકરો જે માને પેટે જન્મ્યા, તેમાં સ્ત્રીને કેમ દોષિત ગણાય? શંકા શાને માટે કરવાની ?
જે કરે છે તે તેની જોખમદારી છે. ૩૪૮ જ્યાં સુધી રાગ-દ્વેષ છે, ત્યાં સુધી કોઈ દહાડોય અનુભૂતિ
થાય નહીં. ૩૪૯ ‘જ્ઞાની’ અને ‘અજ્ઞાની'માં ફેર શો ? “જ્ઞાની’ બધી જ
ક્રિયાઓમાં રાગ-દ્વેષરહિત હોય ને અજ્ઞાની બધી જ
ક્રિયાઓમાં રાગ-દ્વેષરહિત હોય. ૩૫૦ રાગ-દ્વેષ ઓછાં કરવા માટે ધ્યાન કરવાનું હોતું હશે ? રાગ
વૈષ ઓછાં કરવા “વીતરાગનું વિજ્ઞાન” જાણવાની જરૂર છે. ૩૫૧ જેનામાં રાગ નામનો રોગ નથી એવાં વીતરાગની કૃપાથી
Page #21
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર
અનંતકાળનો રોગ જાય.
૩૫૨ રાગ-દ્વેષથી માલિકીપણાનો ભાવ નક્કી કરવો, એનું નામ ‘પરિગ્રહ’.
૩૫૩ પરિગ્રહ એટલે શું ? ખરેખર એ ગ્રહ નથી. તમારી સંસારદ્રષ્ટિ છે તો પરિગ્રહ ચોંટ્યો. તમારી આત્મદ્રષ્ટિ છે તો પરિગ્રહ ચોંટતો નથી.
૩૯
૩૫૪ વસ્તુની મૂર્છા એ પરિગ્રહ છે. વસ્તુની મૂર્છા નહીં એ અપરિગ્રહ છે.
૩૫૫ પૌદ્ગલિક ભાવના એ બધો જ પરિગ્રહ છે !
૩૫૬
૩૫૭
આ જગતમાં કેટલી ચીજ વસાવીએ ? ચીજો અપાર છે. જરૂર પડયે ચીજ મળી જ રહેશે. માટે નિશ્ચિંત રહો.
૩૫૮
જેટલી જરૂરિયાત ઓછી, એટલું જીવન સારું ચાલે. ૩૫૯ પરિગ્રહ કેટલો સંઘરવાનો ? બોજો ના થઈ પડે એટલો.
જ્યાં મારાપણાનો ભાવ હોય, ત્યાં પરિગ્રહ છે. ‘આ મારું’ કહ્યું ત્યાં પરિગ્રહ છે ને ભાડાનું કહ્યું ત્યાં છે કશું ?
૩૬૦ બધી વસ્તુ ‘ઇફેક્ટિવ’ છે. જો તમને ‘ઈફેક્ટ' ના થતી હોય, તો જથ્થાબંધ રાખો અને ઈફેક્ટ થતી હોય તો ઓછામાં ઓછું રાખો.
૩૬૨
૩૬૧ સંપૂર્ણ પરિગ્રહોમાં સંપૂર્ણ અપરિગ્રહી રહે, તે છેલ્લી ‘ટેસ્ટ એક્ઝામિનેશન છે’ !
સંસારના પદાર્થોમાંથી ચિત્ત તમારો હટાવવું છે ? હટાવનાર કોણ ? તમે ને ? તમે એટલે ચંદુભાઈ ને ? ‘તમે કોણ છો ?’ એ નક્કી થયા વગર શી રીતે તમે હટાવો ?
४०
આપ્તસૂત્ર
૩૬૩ ગ્રહને ઓછા કરવાના નથી, પરિગ્રહને, મૂર્છાભાવને ઓછા કરવાના છે. ગ્રહ તો જ્ઞેય છે.
૩૬૪
૩૬૫ આપણને મૂર્છિત કરે, બેભાન કરે, એ મોહ કહેવાય. મોહ એટલે બેભાનપણું. બેભાનપણું એટલે ‘પોતે’ કોણ છે તે નહીં જાણવું તે.
૩૬૬
૩૬૭ ‘જે છે તે’ દેખાતું નથી ને ‘જે નથી તે’ દેખાય છે, એનું નામ જ મોહ.
૩૬૮
૩૬૯
ગ્રહ જો પરિગ્રહ ના થતો હોય તો કશો વાંધો નથી. મૂર્છા ગઈ કે પરિગ્રહ ગયો ! અને અકર્તા થયો એટલે આરંભ ગયો ! આરંભ-પરિગ્રહ જાય કે ‘કેવળજ્ઞાન' થાય !!!
૩૭૧
૩૭૦ ‘મહીં’ પડેલા ઘા રૂઝાઈ જાય છે તે મોહને લઈને જ. નહીં તો વૈરાગ જ આવી જાય ને ?!
૩૭૨
જ્યાં જ્યાં મોહ પેસે, ત્યાં ત્યાં દુઃખ થાય.
બહુ દુ:ખ વેઠ્યાં છે. જો તેની નોંધ કરે ને તો ય મોહ છૂટી જાય ! છતાં મોહ ઊતરતો નથી ને માર ખવડાય ખવડાય કરે છે !
જેમ જેમ અજ્ઞાનતા વધે, તેમ તેમ વિકલ્પો વધે ને તેમ તેમ મોહનાં સાધનો વધારે પ્રાપ્ત થાય. કાદવમાં ગરકયા પછી શું
થાય ?
મોહની બહાર જાય તો મોક્ષ છે. મોહ એ વિકલ્પ છે. મોહ પૂરો થયો એ નિર્વિકલ્પ છે !
૩૭૩ સંકલ્પ-વિકલ્પને જે જાણે તે નિર્વિકલ્પ. મનના ધર્મને પોતાનો ધર્મ માને તે સંકલ્પ-વિકલ્પ ને પોતાના’ ધર્મને ‘પોતાનું’ જાણે તે નિર્વિકલ્પ ! નિર્વિકલ્પ થાય ત્યારે નિર્ભયપદને પામે.
Page #22
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર ૩૭૪ “હું ચંદુભાઈ છું' એ વિકલ્પ ને ‘આ મારું છે' એ સંકલ્પ. ૩૭૫ આત્મા કલ્પસ્વરૂપ છે. કલ્પસ્વરૂપ નિર્વિકલ્પ ભાવે રહે તો
તે પરમાત્મા જ છે અને વિકલ્પ ભાવે રહે તો તે સંસારી છે. નિર્વિકલ્પ ભાવે રહેવું એ કરોડો અવતારે ય પ્રાપ્ત થવું મુશ્કેલ છે. એ તો “જ્ઞાની પુરુષ' ભેગા થાય ત્યારે જ એ
પદને પામે. ૩૭૬ નિર્વિકલ્પ' તો ‘જ્ઞાની પુરુષ' સિવાય કોઈ હોય જ નહીં. હા,
‘જ્ઞાની'ના કપાવંત હોય તે નિર્વિકલ્પ બની શકે. કારણ કે નિર્વિકલ્પીની આરાધના કરે એ નિર્વિકલ્પ થાય ને વિકલ્પીની
આરાધના કરે એ વિકલ્પી થાય. ૩૭૭ આત્મા એકલો જ જાણવા જેવો છે. બીજું જાણવાથી વિકલ્પ
વધે. ૩૭૮ જગતનાં લોકો જે જાણે છે એવું જગત નથી. જગત વિકલ્પી
છે અને “વિજ્ઞાન' નિર્વિકલ્પી છે. ૩૭૯ સંકલ્પ-વિકલ્પ એ જ આરોપિત ભાવ છે. ૩૮૦ જેટલા વિકલ્પ છે એટલી ચીજ છે. જે ચીજ નથી તેનો
વિકલ્પ ઉત્પન્ન ના થાય. ૩૮૧ પોતે પોતાની મેળે જાળું ઊભું કરવું એ વિકલ્પ અને સંકલ્પ
એટલે તન્મયતા કરી એ જાળામાં રહેવાનું કર્યું એ. ૩૮૨ ભ્રાંતિ એ બુદ્ધિજન્ય જ્ઞાન છે. બુદ્ધિજન્ય જ્ઞાન એ વિકલ્પી
હોય. જ્યારે સાચું “જ્ઞાન” નિર્વિકલ્પી છે. એમાં જુદાઈ
જરાય નથી. એટલે સાચા જ્ઞાનની વાત જ સમજવાની છે. ૩૮૩ આખા જગતના તમામ “સબ્બક' જાણે, પણ અહંકારી
જ્ઞાન એ બુદ્ધિમાં સમાય ને નિર્અહંકારી જ્ઞાન તે “જ્ઞાન”માં સમાય.
૪૨
આપ્તસૂત્ર ૩૮૪ બુદ્ધિ “ઇનડાયરેક્ટ' પ્રકાશ છે અને “જ્ઞાન” એ “ડાયરેક્ટ'
પ્રકાશ છે. આત્માનો જે પ્રકાશ છે તે અહંકારના ‘મિડિયમ”
યૂઆવે તે બુદ્ધિ. ૩૮૫ અહંકાર એ પોતાની મિલકત કહેવાય. અનંત અવતારની જે
કમાણી છે કે ખોટ છે તે અહંકારની અંદર આવે. જેવો જેનો અહંકાર તેવું તેનું ‘મિડિયમ' અને તેવું તેને બુદ્ધિનું ‘લાઈટ'
મળ્યા કરે. બહુ સારી પુણ્ય હોય ત્યારે બુદ્ધિ બહુ ઊંચી હોય. ૩૮૬ આ અહંકારે જ આત્મા વચ્ચે ભેદબુદ્ધિ ઊભી કરી દીધી છે !
એની જ ફાચર છે !!! ૩૮૭ બુદ્ધિ પર-પ્રકાશક છે, આત્મા સ્વ-પર પ્રકાશક છે ! ૩૮૮ અધ્યાત્મમાં અહિત કરે અને સંસારમાં હિત કરે, એનું નામ
‘વિપરીત બુદ્ધિ'. સંસારમાં ય હિત કરે ને અધ્યાત્મમાં ય
હિત કરે, એનું નામ “સમ્યક્ બુદ્ધિ'. ૩૮૯ “સબુદ્ધિ' એનું નામ કે ક્યારેય પણ વિરોધાભાસ ના લાવે.
જ્ઞાની પુરુષ' પાસે એક કલાક બેસવાથી બુદ્ધિ ઉત્પન્ન
થાય. ૩૯૦. ‘અમને' બુદ્ધિ ના હોય. “અમને' જો બુદ્ધિ હોય તો ‘અમેય
ઈમોશનલ' થઈ જઈએ. “અમે' “અબુધ' છીએ. માટે બુદ્ધિશાળીએ ‘અમને જીતવા જતાં વિચાર કરવો પડે કે
અબુધને શી રીતે જિતાય ? ૩૯૧ બુદ્ધિ ‘ઈમોશનલ કરાવે, આ ટ્રેન “ઈમોશનલ' થાય તો શું
થાય ? “એક્સિડંટ'. તેનાથી કેટલાય લોકો મરી જાય. તેમ આ મનુષ્યો “ઈમોશનલ' થાય છે, તેનાથી મહીં પાર
વગરની જીવાતો મરી જાય છે ! માટે ‘મોશન'માં રહો. ૩૯૨ જ્ઞાન પ્રગટ થયું જ્યારે કહેવાય ? વીતરાગતા ઉત્પન્ન થાય
Page #23
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર
૪૩ ત્યારે. વીતરાગતા ઉત્પન ક્યારે થાય? બુદ્ધિનો અભાવ થાય
ત્યારે. ૩૯૩ જ્ઞાન કામ કરાવે છે એ “પ્રજ્ઞા શક્તિ' છે ને સંસારમાં
ભટકાવી મરાવે છે એ અજ્ઞા શક્તિ છે. ૩૯૪ અજ્ઞા શક્તિ લોક-વ્યવહારની છે ને “પ્રજ્ઞા શક્તિ' મોક્ષ
માટેની છે. ૩૯૫ અજ્ઞા સંસારની બહાર નીકળાવા ના દે અને ‘પ્રજ્ઞા' મોક્ષે
લઈ ગયા વગર છોડે નહીં. ૩૯૬ ‘આ’ વિજ્ઞાન શેનાથી જોયેલું છે ? “પ્રજ્ઞા શક્તિથી.
સંસારમાં બુદ્ધિથી જોયેલું જ્ઞાન કામનું, પણ આપણે “અહીં’
તો નિર્મળ જ્ઞાન જોઈશે. ૩૯૭ આ “સાયન્સ'ની રીતે ભગવાનને સમજવાની રીત છે અને
‘પેલો' ધર્મ છે તે અધર્મને ધક્કા મરાવે. તે અધર્મ ક્યારે પૂરો
થઈ રહે ? ૩૯૮ શાસ્ત્રમાં ધર્મ છે, મર્મ નથી. મર્મ ‘જ્ઞાનીના હૃદયમાં છે. ૩૯૯ ધર્મ મોક્ષે લઈ જાય નહીં, મોક્ષે વિજ્ઞાન’ લઈ જાય. ધર્મ
જુદી વસ્તુ છે, વિજ્ઞાન જુદી વસ્તુ છે ! ધર્મ બધો કર્તાભાવે છે, અધર્મેય કર્તાભાવે છે અને ‘વિજ્ઞાન'થી “અકર્તા ભાવ”
ઉત્પન્ન થાય અને તેનાથી મોક્ષ થાય. ૪૦૦ આખું જગત ધર્મ નથી ખોળતું, પોતાની ‘સેફ સાઈડ' ખોળે
૪૪
આપ્તસૂત્ર ૪૦૪ અંતઃકરણ એ “એઝેક્ટ પાર્લામેન્ટ’ જેવું જ છે. એમાં
અહંકાર - “પ્રેસિડન્ટ', બુદ્ધિ-વડાપ્રધાન, ચિત્ત-“ફોરેન
ડિપાર્ટમેન્ટ', મન- હોમ ડિપાર્ટમેન્ટ'. ૪૦૫ અંતઃકરણમાં મુખ્ય પ્રસ્તાવ મૂકનાર જવાબદાર પ્રધાન
કોણ ? આમાં મુખ્ય કોઈ જ નથી. ઉદય આવે ને ચારમાંથી
એક ભાગ પ્રસ્તાવ મૂકનાર પ્રધાન હોય. ૪૦૬ અંતઃકરણનો ઉદ્ભવ એકદમ શી રીતે થાય ? એ
સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે. “એવિડન્સ' મળે એટલે મન ઊભું થાય અથવા એવિડન્સ મળે એટલે અહંકાર ઉભો થાય અથવા ચિત્ત કે બુદ્ધિ ઊભી થાય. આમાં કોઈની માલિકી જ નથી. બધું સ્વતંત્ર છે, પાર્લામેન્ટરી'
પદ્ધતિ છે. ૪૦૭ અંતઃકરણની ‘મૂવમેન્ટસ' છે જ. એને કોઈને ચલાવવું પડતું
નથી. એ સ્વયં સંચાલિત છે. સ્વયં સંચાલિત એટલે
‘ડિસ્ચાર્જ સ્વરૂપ. ૪૦૮ અંતઃકરણના ચાર ટુકડા નથી, એક જ છે. પણ જે વખતે જે
કામ કરે છે તે રૂપે તે હોય છે. મન કામ કરે છે તે વખતે મનરૂપી અંતઃકરણ હોય છે. બુદ્ધિ કામ કરે છે તે વખતે બુદ્ધિરૂપી અંતઃકરણ હોય છે. ચિત્ત કામ કરે છે તે વખતે ચિત્તરૂપી અંતઃકરણ હોય છે અને અહંકાર બુદ્ધિની સાથે જ
હોય હંમેશાં. એ એકલો ના હોય. ૪૦૯ ચિત્ત જ્ઞાન-દર્શન સ્વરૂપે છે. “એવિડન્સ' ભેગા થાય છે ત્યારે
તે “ડિસ્ચાર્જ થાય છે ને તેમાંથી પાછો પોતે ભ્રાંતિથી “ચાર્જ)
કરે છે. ૪૧૦ તરત ડિસિઝન આપી દે, “સોલ્યુશન' આપી દે તે
બુદ્ધિશાળી. ગૂંચાયો તો ઓછી બુદ્ધિનો.
૪૦૧ રક્ષણ કરનારું જો કોઈ હોય તો તે ધર્મ જ છે. તમને ને
દાદાને ભેગા કોણે કર્યા ? તમારા ધર્મે જ ! ૪૦૨ જે આપણને ધરી રાખે તે ધર્મ, પડવા ના દે તે ધર્મ ! ૪૦૩ જે વસ્તુ આપણને અંતઃકરણની સ્થિરતા કરાવે તે ધર્મ.
Page #24
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર ૪૧૧ સંયોગી પુરાવો ભેગો થાય ત્યારે મન વિચારણામાં પડે.
વિચારો આવે તે મન. ત્યારે ચિત્ત બહારનું કાર્ય હોય તો બહાર જાય ને અંદરનું કાર્ય હોય ત્યારે અંદર ફરી વળે. બુદ્ધિ “ડિસિઝન' આપે. બુદ્ધિ પછી ચિત્તનું કે મન બેમાંથી એકનું એક્સેપ્ટ(કબૂલ) કરે ને તેની જોડે ભળી જાય એટલે અહંકાર સહી કરી આપે. આમ ‘પાર્લામેન્ટરી’ પદ્ધતિ ચાલે
૪૧૨ બુદ્ધિના આધારે જ ઈગોઈઝમ” જીવી રહ્યો છે. તેથી તો અમે
અબુધ થઈ જવાનું કહીએ છીએ. ૪૧૩ ઈન્દ્રિયો તો એમનો ધર્મ બજાવ્ય જ જાય છે. પણ એ ધર્મો
ક્યારે બંધનરૂપ થાય છે? મનને આધીન થાય ત્યારે. ૪૧૪ નિર્ણય થઈ જાય, તે બુદ્ધિ કરે છે અને ત્યાં સુધી મનનો
પ્રભાવ છે. ચિત્તે જે વસ્તુ જોઈ, તેના અસ્તિત્વના બધા જ સ્વભાવ દેખાડે. એટલે જ્ઞાન-દર્શન દેખાડે. પણ તે વસ્તુનું
ડિસિઝન' તો બુદ્ધિ જ આપે છે. ૪૧૫ ચિત્ત ખોવાયું, એક જગ્યાએ સ્થિર થયું, તે મૂર્ણિત દશા ! ૪૧૬ આખા જગતમાં ફરો. તમારા ચિત્તનું હરણ કોઈ ના કરી શકે,
તો તમે સ્વતંત્ર જ છો ! મેં તો જોયું કે કેટલાય વરસોથી મારા ચિત્તને કોઈ ચીજ હરણ કરી શકી નથી. એટલે પછી મારી
જાતને’ ‘હું સમજી ગયો, તદ્દન સંપૂર્ણ સ્વતંત્ર થયો છું !!! ૪૧૭ મનમાં ખરાબ વિચાર આવે, ત્યારે તે ચિત્તનું હરણ કરે એવો
નિયમ નથી. તેમ હોય કે ના પણ હોય. ૪૧૮ ચિત્તનું હરણ થાય એટલે ચિત્ત ત્યાં રહે ને અહીં મન કૂદાકૂદ
કરે, બુદ્ધિ બૂમાબૂમ કરે, એટલે આખી પાર્લામેન્ટમાં ઘોર અંધકાર થઈ જાય ને પેલો માણસ મૂછિત થઈ જાય.
આપ્તસૂત્ર ૪૧૯ દુ:ખ કે સુખ અહંકાર ભોગવતો જ નથી. વિષય પણ તે
ભોગવતો નથી. ખાલી અહંકાર જ કરે છે કે “મેં વિષય
ભોગવ્યો !” ૪૨૦ મન ગાંઠો સ્વરૂપ છે. કૂંપણ ફૂટે તે વિચાર છે. તમારા મનનું
સ્વરૂપ ઓળખવું હોય તો મનનો ગ્રાફ એક મહિનાનો દોરો. તેમાં વધારેમાં વધારે વિચારો જેના આવે છે, તેની નોંધ કરો. તે સૌથી મોટી ગાંઠ છે. પછી બીજી, ત્રીજી... એવી પાંચ
છ ગાંઠો પકડાય, તો મનનું આખું સ્વરૂપ સમજાઈ જશે. ૪૨૧ સ્થળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો ને વાણીના સંયોગો પર છે ને
પરાધીન છે. બહારના સંયોગો તે સ્થળ સંયોગો છે. મનના વિચારો તે સૂક્ષ્મ સંયોગો છે અને વાણીના સંયોગો છે, તે
બધા પર છે ને પરાધીન છે. આપણી સત્તામાં નથી. ૪૨૨ મન રડારની પેઠ કામ કરી રહ્યું છે. મનનો નાશ કરવા જાય
તો “એન્સેટ માઈન્ડેડ' થઈ જાય. મન તો મોક્ષે લઈ જાય. એને કાઢવાનું ના હોય. મન ભય બતાડે ત્યારે “શુદ્ધાત્મા'ની
ગુફામાં પેસી જવું. ૪૨૩ “જ્ઞાની'નું અંતઃકરણ કેવી રીતે કાર્ય કરતું હોય ?! ‘પોતે જો
ખસી જાય તો અંત:કરણથી આત્મા જુદો જ છે. આત્મા જુદો થઈ જાય તો સાંસારિક કાર્ય અંતઃકરણથી ચાલ્યા જ કરે છે. છૂટું પડ્યા પછી “જ્ઞાની'નું અંતઃકરણ પોતે જ સ્વાભાવિક કામ કર્યા કરે છે. કારણ કે ડખોડખલ બંધ થઈ ગઈને ! એટલે અંતઃકરણનું કાર્ય સારામાં સારું ને જ્યાં
જરૂર હોય ત્યાં જ થાય ને લોકોને ઉપયોગી થઈ પડે. ૪૨૪ “જ્ઞાની'ને અંતઃકરણ “શુદ્ધાત્મા' જેવું જ થઈ જાય. ચિત્ત
ભટકતું બંધ થઈ જાય. મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર હાજર
હાજર રહે. તેનાથી સંપૂર્ણ જાગૃતિ રહે, વીતરાગ જ રહે. ૪૨૫ અક્રમ માર્ગના ‘મહાત્માઓને અંતઃકરણની સ્થિતિ કેવી
Page #25
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર
૪૭ રહે? તેમને ડખોડખલ બંધ થઈ ગઈ હોય. પણ પાછલાં પરિણામ આવે છે ત્યારે પોતે ગૂંચાઈ જાય છે કે “મારાં જ પરિણામ છે. જ્યારે “અમને પૂછે કે, પોતાનાં પરિણામ કે
બીજાનાં ” તો કહું કે, “આ તો બીજાનાં પરિણામ છે.’ ૪૨૬ પરિણામને હેતુ’ માને, તેનું નામ “ક્રમિક માર્ગ' અને હેતુને
‘હેતુ’ માને, તેનું નામ “અક્રમ માર્ગ'. ૪૨૭ “અક્રમ વિજ્ઞાન' એટલે ? કે “જેમ છે તેમ' ખુલ્લું કરી
આપવું. ૪૨૮ આ ‘વિજ્ઞાન’ નહીં જાણવાથી જગત ઊભું થયું છે ને
‘વિજ્ઞાન” જાણવાથી જ જગત છૂટું પડે છે. ૪૨૯ ‘મૂળ સ્વરૂપે” ના દેખાતા, અન્ય સ્વરૂપે દેખાય, તેનું નામ
માયા. ૪૩૦ માયા એટલે ‘વસ્તુઓના” તત્ત્વોની અજ્ઞાનતા. ૪૩૧ જગતની તમામ વસ્તુઓ વીતરાગ જ છે, પણ પોતે જ
રાગ-દ્વેષ કરીને વળગ્યો છે ને પછી કહે છે, “માયા મને
વળગી છે, માયા મને છોડતી નથી !' ૪૩૨ ખરી રીતે માયા એટલે “રોંગ બિલિફ'. આ અસરો
રોંગ બિલિફની છે કે “રાઈટ બિલિફની છે, તેની
આપણે તપાસ કરવી. ૪૩૩ ‘રિયલમાં રહ્યા તો જ વીતરાગ કહેવાય. ‘રિલેટિવ'માં
આવ્યા કે રાગ-દ્વેષ થાય. ૪૩૪ આખો સંસાર જ પુદ્ગલનો છે. પણ પુગલમાં રાગ-દ્વેષ
થવો, એનું નામ બંધન ને પુદ્ગલમાં રાગ-દ્વેષ ના થવો, એનું
નામ મુક્તિ. ૪૩૫ રાગ એ દ્વેષનું બીજ છે ને દ્વેષ એ રાગનું બીજ છે.
૪૮
આપ્તસૂત્ર ૪૩૬ રાગ-દ્વેષ, ક્રોધ-માન-માયા-લોભ એ બધું દુઃખ દેનારી વસ્તુ
છે. એને જ કષાય કહેવાય. ૪૩૭ કષાયો એટલે મહીં આત્માને (પ્રતિષ્ઠિત આત્માને) દુઃખ
થયા કરે, અજંપો થયા કરે છે. ૪૩૮ જ્યાં કષાયો છે ત્યાં ધર્મ નથી (અશુભ માર્ગ). જ્યાં મંદ
કષાયો છે ત્યાં ધર્મ છે (શુભ માર્ગ). કષાયોથી મુક્તિ તે
મોક્ષ. (શુદ્ધ માર્ગ). ૪૩૯ આખું જગત શેના આધીન છે? ‘જ્ઞાનીઓ જ્ઞાનના આધીન
છે અને જગત કષાય, એટલે ક્રોધ-માન-માયા-લોભને આધીન છે. લોભિયો લોભના કષાયમાં ભટક ભટક કરે, માનિયો માનના કષાયમાં ભટક ભટક કરે, કપટવાળો
કપટના કષાયમાં ભટક ભટક કરે. ૪૪૦ કષાયસહિત વ્યવહાર તે સંસાર. કષાયરહિત થવું તે મોક્ષ. ૪૪૧ આ સંસારમાં બાધક શું છે ? કષાયો. ૪૪૨ કષાયોની જેટલી નિવૃત્તિ તેટલી સમાધિની પ્રવૃત્તિ. કષાયોની
સંપૂર્ણ નિવૃત્તિ ત્યાં સંપૂર્ણ સમાધિ. ૪૪૩ આત્મા પ્રાપ્ત થયો, એનું નામ જ સમાધિ. હસતાં, ઊઠતાં,
બેસતાં, ખાતાં, પીતાં, મહી સમાધિ જાય નહીં, એ સહજ
સમાધિ છે, એ વીતરાગ વિજ્ઞાન છે. ૪૪૪ આધિ, વ્યાધિ, ઉપાધિની મહીં સમાધિ રહે, તે આત્માની
સમાધિ. ૪૪૫ આ પુગલની ઉપાધિ હોવા છતાં સમાધિ રહે ત્યારે પુગલ
પણ સમાધિમાં રહે છે. ૪૪૬ નાક દબાવીને સમાધિ કરે એ સાચી સમાધિ ન હોય. એ
ઉપાય છે. મોક્ષ એટલે નિરુપાય પદ ! ઉપયભાવ !!
Page #26
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર
૪૯ ૪૪૭ “જ્ઞાની પુરુષ' મળે તો મોક્ષ થાય, નહીં તો કરોડો ઉપાય
મોક્ષ ના થાય. ઉપાયથી મોક્ષ ના થાય, ઉપયથી મોક્ષ થાય. ૪૪૮ સંસારમાં એક મિનિટ પણ સમાધિ ના રહે, ગમે તે ઉપાય
કરો તો ય. કાં તો અહંકારની મૂછમાં હોય કે માનના પ્રમાદમાં હોય. ગમે તેમાં પડી રહેલો હોય. એક ક્ષણ પણ સમાધિ થાય તો કામ કાઢી નાખે ! આને જ સર્વોત્કૃષ્ટ
શાંતરસ કહેવાય છે ! વીતરાગ !! ૪૪૯ જ્યાં સુધી સમાધિ માટે પ્રયાસ છે ત્યાં સુધી સમાધિ ગણાતી
નથી. ૪૫૦ સમાધિમાં દેહભાન જવું ના જોઈએ. પાંચે ય ઇન્દ્રિયોની
સંપૂર્ણ જાગૃતિપૂર્વકની સમાધિ રહેવી જોઈએ. નહીં તો ત્યાં
સુધી સમાધિ કહેવાય જ નહીં. ૪૫૧ ઊંચામાં ઊંચી સમાધિ કઈ ? સંપૂર્ણ જાગૃત. કેવળજ્ઞાન
એનો અર્થ શો ? સો ટકા જાગૃત. ૪૫ર જાગૃતિમાંથી “અનુભવ” થશે ને જાગૃતિમાંથી જ “કેવળજ્ઞાન'
થાય છે. ૪૫૩ આત્મા પ્રાપ્ત થયાની નિશાની શી ? ત્યારે કહે, જાગૃતિ,
નિરંતર જાગૃતિ. ૪૫૪ સંપૂર્ણ જાગૃતિ ક્યારે થાય ? અહંકારનો વિલય થાય ત્યારે. ૪૫૫ “પોતે શું કરી રહ્યો છે એનું ‘જાણપણું', એનું નામ જાગૃતિ. ૪૫૬ હું ચંદુભાઈ છું' એ વચગાળાની જાગૃતિ છે. એને ભાવનિદ્રા
કહી છે. સંપૂર્ણ જાગૃતિ એ સચ્ચી આઝાદી છે. પોતે જ
પરમાત્મા સ્વરૂપ થઈ ગયો ત્યાં ! ૪૫૭ ભાવનિદ્રામાં એટલે સ્વભાવમાં ઊંધ્યો છે. ને પેલી નિદ્રામાં
આપ્તસૂત્ર તો સ્વભાવમાં ય ઊંઘે છે ને પરભાવમાં ય ઊંઘે છે. ૪૫૮ એમ ને એમ સંસારહેતુ બંધાઈ જાય છે, તેને ભાવનિદ્રા
કહેવામાં આવે છે. ૪૫૯ જેને આ જગતનું સરવૈયું સમજાઈ ગયું હોય, તે નવરો જ
હોય. નહીં તો નવરો જ ક્યાંથી હોય ? આ ચોપડાનું સરવૈયું તો “ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ” પણ કાઢી આપે, પણ આ જગતનું સરવૈયું કોણ કાઢે ? એ તો કો'ક ફેરો “જ્ઞાની પુરુષ' હોય તે કાઢી આપે ! જ્યાં સુધી સરવૈયું ના નીકળે ત્યાં સુધી ધી
વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ ! ૪૬૦ આ સંસાર રુચતો ના હોય તો છટકવાનો રસ્તો લો. ને
સંસાર ગમતો હોય તો જે કરો છો તે માર્ગ પકડી રાખજો. ૪૬૧ આ સંસાર બહુ અઘરો ! સાસુ આવે, વડસાસુ આવે,
માસીસાસુ આવે, કાકીસાસુ આવે, ફોઈસાસુ આવે. કેટલી સાસુઓ થશે ?! ધણી એક ને સાસુઓ કેટલી થતી આવશે ?' મેર ગાંડી, અહીં તમારું શું કામ છે ? એક ધણી
સારુ, આટલી બધી ભૂતડીઓ ક્યાં વળગી ?! ૪૬૨ સંસાર આખો જાળસ્વરૂપ છે. નાયલોનની જાળમાંથી છૂટે
તો સૂતરની જાળમાં બંધાય. એ તો કોઈ છૂટેલો મળે તે જ
આપણને છોડાવે. ૪૬૩ દુનિયામાં ‘જ્ઞાની પુરુષ' સિવાય બીજી એકુંય હિતકારી વસ્તુ
જ ના હોય. ૪૬૪ હિતાહિતનું ભાન કોને કહેવાય ? આ લોક ના બગાડે ને
પરલોકે ય ના બગાડે તે. ૪૬૫ પોતાનું અહિત જ કરતો હોય, તે બીજાનું શું હિત કરે ? જે
પોતાનું હિત કરે, તે જ બીજાનું હિત કરી શકે.
Page #27
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર ૪૭૬ મારવાથી જગત ના સુધરે, વઢવાથી કે ચિઢાવાથી કોઈ
સુધરે નહીં. કરી બતાવવાથી સુધરે છે. જેટલું બોલ્યા તેટલું
ગાંડપણ. ૪૭૭ છોકરા જોડે તમે ચિઢાવ તો એ નવી ‘લોન’ લીધી કહેવાય.
જૂની લોન તો હજી પૂરી થઈ નથી ! ચિઢાવું એ તો ‘કોન્ટ્રાક્ટના બહારની ‘એકસ્ટ્રા આઈટમ” કહેવાય. આનાથી
જ નવાં દેવાં ઊભાં કરતો જાય છે. ૪૭૮ પોતાને ગમતું હોય તો જ આ જગત ચોંટે. નહીં તો ચોંટે તેવું
નથી.
આપ્તસૂત્ર
૫૧ ૪૬૬ પોતાના હિતનું ભાન ને સંસારનાં હિતાહિતનું ભાન - બન્ને
ઉત્પન્ન થાય પછી જ મોક્ષનું ભાન થાય. ૪૬૭ ‘હોમ” અને “ફોરેન’ - બન્ને સંપૂર્ણ છૂટાં રહે, એ “વીતરાગી
વિજ્ઞાન’ કહેવાય. હિતાહિતનું ભાન રખાવે એ “વીતરાગી
જ્ઞાન' કહેવાય. ૪૬૮ જેને જેવી રીતે રહેવું હોય, તેને તે રીતે રહેવા દે તેવું આ
જગત છે. પણ તેને પોતાની નિર્બળતા રહેવા દેતી નથી. ૪૬૯ પોતે પોતાના જ પગ પર કુહાડી મારે છે. તેથી તો આ જગત
ઊભું રહ્યું છે. નહીં તો આ જગત સંપૂર્ણ સ્વતંત્ર છે, કોઈ
કોઈથી દબાયેલું નથી. ૪૭૦ જગતનો સાપેક્ષ જાય છે, તે સામસામી હોય તો જ થાય.
ને નિરપેક્ષ ન્યાય જ સાચો ન્યાય છે. ૪૭૧ જે કોઈ જીવને મારતો નથી, તેને કોઈ મારતું નથી. જે કોઈ
જીવને હેરાન કરતો નથી, તેને કોઈ હેરાન કરતું નથી એવો કાયદો છે ! કુદરત શું કહે છે? કે તને અન્યાય થયો તે ય જાય છે ને ન્યાય થયો તે ય ન્યાય જ છે. માટે તું સંકલ્પ-વિકલ્પ કરીશ નહીં. નહીં તો રડી રડીને ય ન્યાય માનવો પડશે. એના
કરતાં ‘વ્યવસ્થિત’ છે કહી દે ને, તો ઉકેલ આવી જાય. ૪૭૩ આ કુદરત એક ક્ષણવાર પણ ન્યાયની બહાર વત નથી. જો
કુદરત એક ક્ષણ વાર પણ ન્યાયની બહાર વર્તે તો એ
કુદરત, કુદરત નથી. ૪૭૪ જગત ન્યાય સ્વરૂપ છે તો જ પરમાત્મા છે ! ૪૭૫ ભગવાન ફસાયેલા છે, જેટલા જીવો છે તેમાં. હવે ભગવાન
ફસાયેલા હોય તેના પર ચિઢાવું જોઈએ ?
૪૭૯ જગત જીતવું સહેલું છે. પણ એક સમય પણ અસંગ રહેવું
મહા વિકટ છે. ૪૮૦ સંસાર એ “રીલેટિવ' સંબંધ છે, તાત્ત્વિક સંબંધ નથી. એવું
ભાન થાય તો આરપાર નીકળી જવાય. ૪૮૧ સાચો સંબંધ કોને કહેવાય કે જે કોઈ દહાડોય ના બગડે.
આત્મા જોડે જ સાચો સંબંધ છે. બાકી બધા ઘાટવાળા
સંબંધ છે ! ૪૮૨ આ સંસાર ઘાટવાળો જ છે, જ્યાં ઘાટ ન હોય ત્યાં
પરમાત્મા અવશ્ય હોય જ. ઘાટથી ભગવાન વેગળા ! ૪૮૩ જ્યાં સુધી સાંસારિક કંઈ પણ ઘાટ છે ત્યાં સુધી “સાચી
વાત’ કોઈથી ના નીકળે. ૪૮૪ આખું જગત પરાર્થી છે. પોતાનું કોઈ છે જ નહીં. અને
પારકાં માટે જ લોક નરી ગૂંચો પાડીને જાય છે. ૪૮૫ નનામી એટલે કુદરતની જપ્તી. કમાણી બધી અહીં મૂકીને
જવાની ને ગૂંચો જોડે લઈ જવાની ! ૪૮૬ નનામી કાઢે તે દાડે ચંદુલાલનો ચોપડો અહીંનો અહીં મૂકી
Page #28
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર
૪૮૭ લોકમત એ ‘રીલેટિવ ધર્મ’ છે અને ‘જ્ઞાની’ મત એ મર્મ છે, ‘રીયલ ધર્મ’ છે. લોકમતની વિરુદ્ધ, વ્યવહાર ધર્મ (રીલેટિવ) ધર્મ જ નથી.
૪૮૮‘રીલેટિવ ધર્મ’ શું કહે છે ? સાપેક્ષમાંથી નિરપેક્ષનું શોધન કરો. જો કુદરતની કૃપા ઊતરે તો સાપેક્ષ કરતાં કરતાં મહીં સમ્યક્ દર્શનનું ઝરણું ફૂટે !
૪૮૯
૪૯૦
૫૩
જવાનો. જોડે કશું ના આવે. ‘શુદ્ધાત્માનો ચોપડો’ ખૂલ્યો ત્યારથી એમાં ચોક્કસ રહેવાનું.
૪૯૧
૪૯૨
‘રીયલ ધર્મ’ તેનું નામ કે દરેક સંજોગોમાં સમાધાન રહે અને ‘રીલેટિવ ધર્મ'માં મનના સમાધાનના રસ્તા ખોળે.
મન જેટલું સમાધાન પામે તેટલું નાશ પામે અને સંપૂર્ણ સમાધાન પામે, તો સંપૂર્ણ વિલય થાય !
મન તો વીતરાગ છે. પણ ‘પોતે’ એમાં ભળે છે. તું કૂવામાં પડે, તેમાં મન શું કરે ? મનથી છેટા થયા એટલે આત્મ
દ્રષ્ટિવાળા થયા. તે પરમાત્મા થવાની તૈયારી થઈ.
મન પ્રત્યાઘાતી છે. આપણે આઘાત કરેલા, તેના પ્રત્યાઘાત છે. આઘાત બંધ કરી દઈએ એટલે પ્રત્યાઘાત બંધ થઈ જાય.
૪૯૩ અનામી થાય ત્યારે નનામી ના નીકળે !
૪૯૪ આયુષ્યનો કાળ બદલી શકાતો નથી પણ ગતિ ફેરફાર થઈ જાય છે. ટિકિટ ફેરફાર થઈ શકે પણ મરણ ફેરફાર ના થઈ શકે. મરતી વખતે યા મતિઃ સા ગતિઃ’
૪૯૫ મરી જાય એટલે સંસારીને ટાઈમ ભૂલાડે ત્યારે ભૂલે ને જ્ઞાની તે જ ક્ષણે ભૂલી જાય. બહાર જાય અને મરી જાય, તે બેઉ સરખું છે.
૫૪
૪૯૬
૪૯૭
૪૯૮ જેનો ઉપાય નથી, તેની ચિંતા શી ? મરણનો ઉપાય નથી, તેથી તેની કોઈ ચિંતા કરે છે ?
૫૦૦
આપ્તસૂત્ર
ત્રીજા ભાગનું આયુષ્ય રહ્યા પછી માણસે ચેતીને ચાલવું જોઈએ કે હવે આવતા ભવના ફોટા પડશે.
૪૯૯ ચિંતા કેમ થાય છે ? વિચારો આવે ને તેમાં તન્મયાકાર થાય છે, તેથી ચિંતા થાય છે.
ચિંતા એ ‘ગ્રેટેસ્ટ ઈગોઈઝમ’ છે.
જ્યાં ધર્મ છે ત્યાં ચિંતા નથી અને જ્યાં ચિંતા છે ત્યાં ધર્મ નથી.
૫૦૧
આ દુનિયામાં તને ‘આવ્યા-ગયા' દેખાય છે, પણ ખરી રીતે કોઈ આવ્યા નથી ને ગયા ય નથી. ‘આવ્યા-ગયા’ દેખાય છે, તે ભ્રાંતદ્રષ્ટિ છે.
૫૦૨
ધર્મમાર્ગ અને મોક્ષમાર્ગ એ બે જુદી વસ્તુ છે. જેને અશુભમાંથી શુભમાં જવું હોય, જેને ભૌતિક સુખોની ઈચ્છા હોય તેને માટે ધર્મમાર્ગ બતાવ્યો છે, કે તમે આમ કરજો ને તેમ કરજો.
૫૦૩ જેને મોક્ષે જવું હોય, તેને ક્રિયાઓની જરૂર નથી. જેને દેવગતિમાં જવું હોય, ભૌતિક સુખો જોઈતાં હોય, તેને ક્રિયાઓની જરૂર છે. મોક્ષે જવું હોય તેને તો ‘જ્ઞાન’ અને ‘જ્ઞાનીની આજ્ઞા’ આ બેની જ જરૂર છે.
૫૦૪ એક જ્ઞાન-ધારા ને એક કર્તવ્ય-ધારા. એમ બે ધારાઓ જુદી
જ ચાલે છે. પણ આ ચા ને કઢી ભેગી કરીએ તો બેભરમું થઈ જાય. તેમ આ બે જ્ઞાન-ધારા ને કર્તવ્ય-ધારા અજ્ઞાનીઓની ભેગી થઈ ગઈ છે, તેથી તેઓ બેબાકળા થઈ ગયા છે. ૫૦૫ ક્રિયાઓ ‘થાય છે’ અને ક્રિયાઓ ‘કરવી જોઈએ' એ બેમાં
Page #29
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર
૫૦૬ મોક્ષમાર્ગ સમજવાનો છે. બાકી આ સ્વાધ્યાય કરો, તપ કરો, જપ કરો, એ બધું જ પુદ્ગલ કરે છે. એનો લાભ શો ? મૂળ દ્રષ્ટિ બદલાયા સિવાય જે કંઈ પણ કરવામાં આવે છે તે બંધન છે !
૫૦૭ ક્રિયાઓ બદલવાની નથી, તારી દ્રષ્ટિ જ બદલને ! ૫૦૮ મોક્ષ એટલે શું ? દ્રષ્ટિભેદ થવો જોઈએ. ‘જ્ઞાની પુરુષ’ દ્રષ્ટિભેદ કરી આપે.
૫૦૯
૫૧૦
૫૫
બહુ ફેર છે. જે ક્રિયા મહીં ઉદય સ્વરૂપે આવી હોય તે તમે ભલે કરો. પણ જેનો ઉદય નથી તેને માટે તમે યોજના ના કરો કે, ‘આ ક્રિયા કરવી જ જોઈએ, આમ કરવું જ જોઈએ,’ નહીં તો એ જ યોજના ક્રિયા સ્વરૂપે ઉદયમાં આવશે.
૫૧૧
૫૧૨
પરમ વિનયથી જ મોક્ષ છે. ક્રિયાઓ કરવાની નથી, પરમ વિનયમાં આવવાનું છે.
ક્રિયાકાંડ તો તું લઈને જ આવેલો છે. જ્ઞાનકાંડ કરવાનું છે. શુદ્ધ ક્રિયાકાંડ એ જ્ઞાનકાંડનું પરિણામ છે.
ક્રિયાકાંડ શું છે ? જ્યારે જ્ઞાની ના હોય, મોક્ષમાર્ગનો નેતા ના હોય, ત્યારે લપસી ના પડાય તેના માટે ક્રિયાકાંડ જોઈએ. એ શુભ ક્રિયા છે. ક્રિયાકાંડ એ ખોટી વાત નથી. પણ આ કાળમાં મૂળ રહ્યું નથી. બધી ‘રોંગ બિલિફો’ બેઠી છે.
ક્રિયાકાંડ ક્યાં સુધી ટકે ? મન-વચન-કાયાની એકાત્મવૃત્તિ રહે તો. એકાત્મવૃત્તિ તૂટી એટલે ક્રિયા કામ લાગશે નહીં. ૫૧૩ પાપ-પુણ્ય એટલે શું ? સંસારમાં દરેક જીવમાત્રમાં ભગવાન રહેલા છે. માટે કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ દેવાનો ભાવ પણ ના કરતા. નહીં તો દોષ કર્યો, માટે તેનું પાપ બંધાશે. અને કોઈ પણ જીવને કિંચિત્માત્ર સુખ આપશો કે સુખ આપવાની ભાવના કરશો તો ભગવાનને સુખ આપ્યું
૫૬
માટે પુણ્ય બંધાશે.
૫૧૪ પાપ-પુણ્ય કોણે ઘડ્યાં ? સમાજે ? ના. પાપ-પુણ્ય નેચરલ
છે.
૫૧૫
જેને પાપ કરતાં બીક લાગે છે, એ મોટું જ્ઞાન કહેવાય ! ૫૧૬ પુણ્યનો સ્વભાવ કેવો ? ખર્ચાઈ જાય. કરોડ મણ બરફ હોય પણ તેનો સ્વભાવ કેવો હોય ? ઓગળી જાય તેવો.
૫૧૭
આપ્તસૂત્ર
૫૧૯
૫૧૮ કુસંગનો ચેપ તો ટી.બી. કરતાં ય ખરાબ કહેવાય. ટી.બી. તો એક જ અવતાર મારે. આ તો અનંત અવતાર બગાડે ! સત્સંગમાં ગમે તેટલાં કષ્ટ પડે તે સારાં, પણ કુસંગમાં ગમે તેટલું સુખ નકામું.
૫૨૧
આ દુનિયામાં મોટામાં મોટો પુણ્યશાળી કોણ ? જેને કુસંગ
ના અડે.
૫૨૦ સંગનો વાંધો નહીં, પણ સંગદોષ ના લાગવો જોઈએ. એ ચેપી છે !
૫૨૨
૫૨૩
ધર્મમાંથી પાડી નાખે, એનું નામ કુસંગ. કુસંગથી તો બહુ છેટા રહેવું જોઈએ. કુસંગ એ જ ‘પોઈઝન’ છે.
સત્સંગ પર સ્ત્રીની પેઠે આસક્તિ હોય તો જ કામ થાય.
ભગવાને જ કહ્યું છે, ‘કુસંગ !” એ દ્વેષથી નથી કહ્યું ભગવાને. ત્યારે ‘સત્સંગ,' રાગથી ય નથી કહ્યું. વીતરાગતાથી બોલ્યા છે, આ સત્સંગ છે - આ કુસંગ છે. કુસંગના ડાઘ લાખો અવતાર સુધી જતાં નથી. તેથી જ અમે તમને ‘સત્સંગમાં બેસી રહેજો' એમ કહીએ છીએ.
૫૨૪ સત્સંગ એટલે તદ્દન ‘સત્’ની જોડે ‘હું’ ને મારી જોડે તમે છો, તે !
Page #30
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર
પ૭ પ૨૫ “સત્” અને સત્યમાં શો ફેર છે? સત્ય “રીલેટિવ' છે, વિનાશી
છે અને સત્ એ અવિનાશી છે. પ૨૬ વિનાશી સત્યનો આગ્રહ કરશો તો તમે વિનાશી થઈ જશો.
માટે સત્નો આગ્રહ કરો. ‘સત્’ એ શુદ્ધાત્મા છે, અવિનાશી
પ૨૭ “રીલેટિવ'માં નિરાગ્રહી, “રીયલ'માં આગ્રહી. પ૨૮ જગત “રીલેટિવ સત્ય' છે અને આત્મા “રીયલ સત્ય' છે.
જગત મિથ્યા છે જ નહીં, “રીલેટિવ સત્ય' છે. પ૨૯ સત્ય કોને કહેવાય ? કોઈ જીવને વાણીથી દુઃખ ના થાય,
વર્તનથી દુઃખ ના થાય અને મનથી પણ એને માટે ખરાબ વિચાર ના કરાય, એ મોટામાં મોટું સત્ય છે ! મોટામાં મોટો સિદ્ધાંત છે ! આ “રીયલ’ સત્ય નથી, આ છેલ્લામાં છેલ્લું
‘વ્યવહાર સત્ય” છે ! ૫૩) આપણે મનમાં નક્કી કરી રાખવું જોઈએ કે વ્યવહાર સત્ય
મારે સંપૂર્ણ, સશે પાળવું છે. જે વ્યવહાર સત્ય પાળે છે
તે નિશ્ચય સત્ય પાળી શકે છે. પ૩૧ જે “સાચું જાણવાનો’ કામી છે તેને આ કાળમાં મોક્ષમાર્ગ
મળી આવશે, તેની ‘ગેરન્ટી’ ‘હું' આજે “ભગવાન” તરફથી
આપું છું. ૫૩૨ મોક્ષે જવાની જેની સચોટ ઇચ્છા છે, તેને ગમે ત્યાંથી માર્ગ
મળી આવે. પ૩૩ નિયમ વગરનો સંસારમાર્ગ તે અશુભ માર્ગ. નિયમવાળો
સંસારમાર્ગ તે શુભ માર્ગ. અને નિયમથી પર માર્ગ તે
જ્ઞાનીઓનો જ્ઞાન માર્ગ અર્થાત્ મોક્ષમાર્ગ. પ૩૪ જગતમાં જે જે કંઈ પણ કર્તાપણે હોય, પછી તે ધર્મના કર્તા
૫૮
આપ્તસૂત્ર હોય, શાસ્ત્રના કર્તા હોય કે પંડિતાઈના કર્તા હોય, તો તે બધા
ય ભૂલા પડેલા છે. મોક્ષમાર્ગથી વિખૂટા પડેલા છે. ૫૩૫ જ્યાં સુધી કર્તાપદ છે ત્યાં સુધી અધ્યાત્મની જાગૃતિ જ
ગણાતી નથી, ત્યાં સુધી તે અધ્યાત્મમાં ઊંધે છે. ૫૩૬ જે “જ્ઞાન' રાગ-દ્વેષ કાઢે, એ અલૌકિક માર્ગ. પ૩૭ આ ક્લેશ કાઢવા ધર્મો કરવા પડે એ પ્રાકૃત ધર્મો છે અને
મોક્ષ એ આત્મધર્મથી પ્રાપ્ત થાય ! ૫૩૮ મોક્ષે જવા નિજસ્વરૂપનું ભાન અને નિજસ્વરૂપનું લક્ષ જોઈશે. પ૩૯ એકાંતિક તો બધું આખું જગત સમજે છે ! પણ “અનેકાંત'
નથી સમજ્યા. “સ્યાદ્વાદ' જ્યારે સમજે, ત્યાર પછી
મોક્ષમાર્ગ હાથમાં આવે. પ૪૦ શુભ ‘એકાંતિક’ કહેવાય. શુદ્ધ ‘અનેકાંત' કહેવાય. અનેકાંતથી
મોક્ષ. અનેકાંત એટલે આગ્રહ નહીં, દરેક સત્યને સ્વીકારે.
વીતરાગ માર્ગ અનેકાંત, સ્યાદ્વાદ હોય. ૫૪૧ સ્યાદ્વાદ એટલે કોઈ પણ ધર્મનું પ્રમાણ ના દુભવે. કોઈ
પણ ધર્મની ‘ડીરેક્ટ’ ભૂલ ના દેખાડે. ૫૪૨ પોતાના દ્રષ્ટિબિંદુના આધારે ચાલ્યા, પોતપોતાના દ્રષ્ટિબિંદુને
સાચું ઠેરવવું, એને એકાંતિક કહેવાય. વીતરાગ ધર્મ “અનેકાંત' કહેવાય. બધાં જ દ્રષ્ટિબિંદુઓને પોતે સમાવી લે,
એનું નામ વીતરાગ ધર્મ ! ૫૪૩ સાપેક્ષ-નિરપેક્ષ બન્નેને “એક્સ’ કરે, તેનું નામ સ્યાદ્વાદ. ૫૪૪ સ્યાદ્વાદ શું કહે છે? કે પોતાનું જે કંઈ પદ હોય તે ભૂલીને
સામાની વાત સાંભળજે. પ૪૫ સાહજિક વાણી એટલે જેમાં કિંચિત્માત્ર અહંકાર ના હોય !
Page #31
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર ૫૪૬ આ જે જે બોલું છું, તે “હું નથી બોલતો. “ઓરિજીનલ ટેપ
રેકોર્ડ' બોલે છે. આ વાણીનો “હું' એક સેકંડ પણ માલિક
થતો નથી. તેથી ગમે તેવો ખુલાસો થઈ જાય. ૫૪૭ વાણીનું માલિકીપણું, એ જ મોટામાં મોટો અહંકાર છે.
દેહનું માલિકીપણું તો સહેજે ય સાધારણ રહે પણ “મૂળ
આત્મા’ જ વાણીમાં વર્ત ! ૫૪૮
આ જગતમાં અચળની કોઈ નકલ જ ના કરી શકે. જેની નકલ થઈ શકે તે બધું જ ચંચળ. જગત આખાની આરાધના ચંચળની-“રીલેટિવ'ની જ છે ! આ વાણીની તેથી ‘ટેપ રેકોર્ડ’ થકી નકલ થઈ શકે છે. વાણી એ ચંચળ છે. તેમાં ચેતન
અચળના ગુણ ન હોય. ૫૪૯ ચંચળતાથી ચંચળતા ભાંગવી, એનું નામ “રીલેટિવ ધર્મ' ! ૫૫૦ ચંચળ “અચળ' ના થાય ને “અચળ' ચંચળ ના થાય. પોતે'
પોતાના સ્વભાવમાં રહેવાનું છે. ૫૫૧ આત્મા સ્થિર છે ને બીજું બધું સ્પંદનવાળું અસ્થિર છે.
સચર અને અચર એવું સચરાચર જગત છે. જે “અચર'નો
ભેદ પામે, તે “સચર'નો ભેદ પામે. ૫૫૨ જયાં કંઈ પણ ચંચળતા હોય, ત્યાં સંસાર જ છે. ૫૫૩ જેટલો ચંચળ વધારે એટલી ગૂંચો વધારે પાડે. ૫૫૪ પુદ્ગલનો સ્વભાવ ચંચળ છે અને આત્માનો સ્વભાવ અચળ
છે. જેટલી ચંચળતા વધે, એટલો પુદ્ગલ તરફ જાય. જેટલી
સ્થિરતા વધે, તેટલો આત્મા તરફ જાય. ૫૫૫ જ્યાં સુધી “અચળ' પરિણામને જાણે નહીં ત્યાં સુધી આત્મા
શી રીતે ઓળખાય ?!
EO
આપ્તસૂત્ર ૫૫૬ જ્યાં કિંચિત્માત્ર ચંચળતા નથી, ત્યાં વીતરાગોનો મત છે. ૫૫૭ જે જ્ઞાન ચંચળતા કરાવે, તે ભયંકર બંધન છે. ૫૫૮ બંધન એ ‘અજ્ઞાનતા'નું ફળ છે ને, મોક્ષ એ “જ્ઞાન'નું ફળ છે. ૫૫૯ જેને પોતાના મનની જોડે કંઈ પણ એકતા છે તે બંધાયેલો છે.
બંધન એટલે શું? મનથી બંધાવું તે. પ૬૦ કશું કરવા જેવું નથી અને જો કરવા જાય તો તે બંધનો વધારે છે. પ૬૧ “આ સારું, ‘આ ખોટું એ બેઉ સંસાર છે, બેઉ બંધન છે.
ને મુક્તિ કોનું નામ કે બેઉ બંધન છે, તે જાણે. પ૬૨ ભાવથી બંધન છે, દ્રવ્યથી નથી. પ૬૩ જ્યારથી “હું બંધનમાં છું' એવું ભાન થાય છે, ત્યારથી
છૂટવાની ઈચ્છા તેને થાય છે. પ૬૪ “ઇગોઇઝમીને લીધે આ સંસાર ઊભો છે. બંધન
ઇગોઈઝમ'ને લીધે છે. ‘ઇગોઈઝમ' કોઈ પણ રસ્તે બંધ
થાય તો છૂટાય. પ૬૫ “હું ચંદુભાઈ છું' એ જ અહંકાર. જ્યાં તું નથી ત્યાં તું
પોતાપણાનો આરોપ કરે છે તે જ “અહમ્'. તું “સ્વક્ષેત્રમાં રહે તો તે આત્મા જ છે અને ચંદુભાઈ છું' એ કલ્પિત
જગ્યાએ આરોપ કરે, તે જ અહંકાર. પ૬૬ અહંકાર ઉપર તો તારું જીવન જ છે. એને તું શી રીતે કાઢી
શકે? એટલે તારે “અમને' કહેવાનું કે અહંકાર કાઢી આપો.
એટલે અમે કાઢી આપીએ ! પ૬૭ “ઇગોઈઝમથી ‘ટેમ્પરરી લાઈફ' મળે છે ને “ઇગોઇઝમ'
વિના ‘શાશ્વત લાઈફ' મળે છે. ઇગોઈઝમ' એટલે ભમરડાને દોરી વીંટેલી તે, “ડિસ્ચાર્જ થાય તે.
Page #32
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર
૬૧ પ૬૮ તું પોતે જ અહંકાર સ્વરૂપ છે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં
સુધી તું અહંકાર સ્વરૂપ છે અને “જ્ઞાન” થાય પછી
આત્મસ્વરૂપ પોતાનું થાય. પ૬૯ “આ મેં કર્યું એનાથી અહંકાર ઊભો થાય. “આ મારું'
એનાથી મમતા ઊભી થાય. પ૭૦. પોતાના સ્વરૂપમાં હું છું બોલ્યા એ અહંકાર નથી. પણ
જ્યાં “હું” પરક્ષેત્રે બોલાય એ અહંકાર છે. અજ્ઞાનતા જ નડે
૫૭૧ આ મન-વચન-કાયા, કે જે વ્યવસ્થિત'ને તાબે છે, તેને
પોતાના તાબે લઈ લે છે, એનું નામ જ અહંકાર ! ૫૭૨ અહંકાર એટલે શું ! ભગવાનથી દૂર ભાગે છે. અહંકાર જેમ
જેમ વધતો જાય તેમ તેમ આડાઈ, માન, ગર્વ, ઘમંડ શબ્દો
વપરાય. ભગવાનથી જરાક છેટો થયો ત્યાંથી અહંકાર જાગે. ૫૭૩ અહંકાર ઉપર જ કર્મનું બંધન છે. બાકી, બીજી ક્રિયા ઉપર
કર્મનું બંધન નથી. અહંકાર ઉપર સંકલ્પ ને વિકલ્પ, એ
કર્મનું બંધન ! અહંકાર શેમાં વર્તે છે તે એનું કર્મનું બંધન! પ૭૪ પુદ્ગલનો સ્વભાવ અધોગામી છે ને આત્માનો સ્વભાવ
ઊર્ધ્વગામી છે. અધોગામી સ્વભાવ વજન વધવાથી નથી થતો, અહંકાર વધવાથી થાય છે. હોય શરીરે પાતળો પણ
અહંકાર આખી દુનિયા જેટલો લાંબો પહોળો થાય ! ૫૭૫ શુદ્ધ અહંકાર’ અને ‘શુદ્ધ ચેતન' એ બન્ને એક જ વસ્તુ છે.
શુદ્ધ અહંકાર એટલે જેમાં ક્રોધ-માન-માયા-લોભ ના હોય. પ૭૬ જ્યાં આત્મા ત્યાં ક્રોધ-માન-માયા-લોભ નહીં ને જ્યાં ક્રોધ
માન-માયા-લોભ ત્યાં આત્મા નહીં ! પ૭૭ કષાય જાય નહીં ત્યાં સુધી વીતરાગનો કિંચિત્માત્ર ધર્મ
પામ્યો નથી. વીતરાગનો ધર્મ એટલે કષાયનો અભાવ.
આપ્તસૂત્ર પ૭૮ મંદ કષાયને “ધર્મ' કહ્યો છે ને કષાયરહિતને “જ્ઞાન” કહ્યું છે.
ધર્મથી કષાય મંદ ના થયા તો કાં તો ધર્મ ખોટો છે, કાં તો તું ખોટો છે. ધર્મ વીતરાગોનો છે, તેથી તેને ખોટો કેમ
કહેવાય ? પ૭૯ અકષાયી એ મોક્ષ. ૫૮૦ મોટામાં મોટી હિંસા હોય આ જગતમાં તો કષાયથી ! ૫૮૧ અહિંસા તો બહુ ઊંચી વસ્તુ છે. અહિંસામાં અબ્રહ્મચર્ય ના
હોય. અહિંસામાં પરિગ્રહ ના હોય. અહિંસામાં અસત્ય ના
હોય. અહિંસામાં ચોરી પણ ના હોય. ૫૮૨ આપણામાં ઊંચી અહિંસા હોય તો વાઘ એનો હિંસક ભાવ
ભૂલી જાય. ૫૮૩ વીતરાગો કહે છે કે હિંસાની સામે અહિંસાનું હથિયાર
વાપરો. હિંસાને હિંસાથી ના જિતાય. એ તો અહિંસાથી જ
જિતાય. ૫૮૪ અહિંસા તો કોનું નામ કહેવાય, કે પૂરી શક્તિ હોય, છતાં
એને કોઈ કશું કરે, તો ય એ સામું કશું જ ના કરે ! ૫૮૫ વીતરાગો શું કહે છે ? હિંસા સામે અહિંસા રાખો, તો સુખ
આવશે. હિંસાથી હિંસા કોઈ દહાડો બંધ થવાની નથી.
અહિંસાથી હિંસા બંધ થશે. ૫૮૬ અહિંસાના સામ્રાજ્ય વગર કોઈ દહાડો ય “કેવળજ્ઞાન થાય
નહીં. અહિંસા વગર સંપૂર્ણ જાગૃતિ આવશે નહીં. ૫૮૭ હિંસા કોની કરશો ? જીવમાત્રમાં પરમાત્મા જ છે ! કોને
દુ:ખ દેશો ? ૫૮૮ અહિંસક ભાવવાળો તીર છતું મારે તો પેલાને લોહી ના
Page #33
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર
નીકળે ને હિંસક ભાવવાળો ફૂલ નાખે તો ય પેલાને લોહી નીકળે. તીર ને ફૂલ એટલાં “ઈફેક્ટિવ’ નથી જેટલા હિંસક
ભાવો છે ! ૫૮૯ ભાવહિંસા એટલે શું ? ક્રોધ-માન-માયા-લોભથી તારી
જાતની' જે હિંસા થાય છે એટલે કે ક્રોધ-માન-માયા-લોભ તારી ‘જાતને' જે બંધન કરાવડાવે છે, તે માટે તારી “જાત'ની પહેલી દયા ખા ! પહેલી પોતાની ભાવ-અહિંસા, પછી
બીજાની. પ૯૦ અહિંસા જેવું કોઈ બળ નથી અને હિંસા જેવી કોઈ નિર્બળતા
નથી. આ દુનિયામાં નિર્બળ કોણ ? અહંકારી. આ દુનિયામાં
સબળ કોણ ? નિર્અહંકારી. પ૯૧ જેટલી ભ્રમણા તેટલી નિર્બળતા. જે ભ્રમણારહિત છે તેને
નિર્બળતા કેવી ? પ૯૨ સંસાર સ્વભાવ એટલે સંપૂર્ણ નબળાઈ. પ૯૩ ખરી રીતે અજ્ઞાન દશામાં પણ એવું હોવું જોઈએ કે,
નિર્બળનું રક્ષણ કરવું જોઈએ ને બળવાનની સામું થવું
જોઈએ. આ તો નિર્બળને જ માર માર કરે. પ૯૪ વીતરાગ પુરુષો જ નિર્બળના હાથનો માર ખાઈ શકે. બીજું
કોઈ ના ખાય. પ૯૫ નિર્બળતાનું રક્ષણ નહીં કરતાં, તેને ફક્ત જાણો કે મારી આ
નબળાઈ છે. એટલે તે નિર્બળતા ક્ષીણ થાય. તેથી વિરુદ્ધ તે
જ નિર્બળતાનો ગુણાકાર થાય. ૫૯૬ આ બધું ‘રિલેટિવ' છે. તેની પોતાને અસર થાય છે, તે
ભયંકર નિર્બળતા છે. આપણી આજુબાજુ કોઈ પણ વસ્તુ
આપ્તસૂત્ર બની, તેની પોતાને અસર ના થવી જોઈએ. પ૯૭ મનુષ્યોએ કશું જ જાણ્યું નથી. જાણ્યું એનું નામ કે નિર્બળતા
ના રહે. ૫૯૮ આ જગતમાં શું કરવા જેવું છે ને શું નથી કરવા જેવું? શું
જાણવા જેવું છે ને શું નથી જાણવા જેવું ? એટલું જ
સમજવાનું છે ! પ૯૯ “ભાવ” કરવાનો પણ હું નથી કહેતો. સમજવાનું કહું છું.
‘આ ખોટું છે” એવું ‘જાણે’ તેનું નામ ‘જ્ઞાન' ! ૬૦૦ જગતને, “ખોટું છે' એમ જાણે ત્યાં દ્વેષ થાય ને “સાચું છે?
એમ જાણે ત્યાં રાગ થાય. અમે તો “આ ખોટું છે” એમ
ખાલી જાણીએ અને તેનું નામ જ “જ્ઞાન” ! ૬૦૧ સમજ એ જ આચરણ છે. “હું” આચરણમાં લાવવાનું ના
કહું છું. પરાણે આચરણ શીખવાડશો, એમાં દહાડો વળે નહીં. આચરણમાં મૂકવું, એ તો અહંકાર છે. સમાજમાં
ઉતર્યું, એ વર્તનમાં આવે જ. ૬૦૨ ધર્મ એટલે કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારે સુખ આપવું
છે. અને કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારે દુઃખ આપવું તે
અધર્મ. બસ, આટલો જ ધર્મનો અર્થ સમજવાની જરૂર છે. ૬૦૩ બીજાને સુખ આપવું તે ધર્મ છે અને પોતાનો મૂળ ધર્મ તો
આત્મા પ્રાપ્ત થયા પછી જ પ્રાપ્ત થાય. ૬૦૪ ધર્મ તો બહુ જ જાતના હોય. માનસિક ધર્મો, તે માનસિક
ધર્મના કેટલા બધા થરો હોય ! ત્યાર પછી બૌદ્ધિક ધર્મ, તેના પણ કેટલા બધા થરો હોય ! અને બૌદ્ધિક ધર્મ પૂરો થાય, ત્યારે સ્વરૂપ ધર્મ પ્રાપ્ત થાય. સૂર્ય-ચંદ્ર ભેદે ત્યારે આત્મા પ્રાપ્ત થાય.
Page #34
--------------------------------------------------------------------------
________________
૬૫
આપ્તસૂત્ર ૬૦૫ યથાર્થ ધર્મ તો તેને કહેવાય કે ભ્રાંતિ ના હોય. ૬૦૬ “જેમ છે તેમ' નહીં દેખાવું ને બીજા સ્વરૂપે દેખાવું, એનું નામ
ભ્રાંતિ. ૬૦૭ આ સંસારનો અમલ ચઢે એટલે ભ્રાંતિ વર્તે. અમલ ઊતરી
જશે એટલે રાગે પડશે. “પોતે' છે એ જ થઈને ઊભો રહેશે. ૬૦૮ આ જગતમાં ‘હું કરું છું અને હું જાણું છું” એ બે ભાવ
ભેગા કરે, એનું નામ ભ્રાંતિ. ૬૦૯ ભ્રાંતિ એનું નામ કે જૂઠું ને સાચું એક કાંટે તોલાય. ૬૧૦ ભગવાન કોને કહેવાય ? જે આ દુનિયામાં સંપૂર્ણ સ્વતંત્ર થયો
છે તે. અને જેનો ભગવાન પણ ઊપરી નથી, તે ભગવાન ! પોતાનું પરવશપણું જ સમજાતું નથી ત્યાં સ્વતંત્રપણું ક્યાંથી
સમજાય ? ૬૧૧ જેમ વકીલ થવાની દરેકને છૂટ છે તેમ ભગવાન થવાની પણ
દરેકને છૂટ છે. જે ભગવત્ ગુણો પ્રાપ્ત કરે, તે ભગવાન
થાય. ૬૧૨ ભગવાન કહે છે કે તું તારા અહંકારથી દૂર થા, દાસભાવ
થા, તો તું ને હું એક જ છીએ. નહીં તો તું ને હું જુદા છીએ. ૬૧૩ ભગવાન છેટે ગયા નથી, લોક છે. ગયા છે. બધે ભાવ
આવ્યો છે પણ ભગવાન પર ભાવ આવ્યો નથી. ભગવાન
પર ભાવ આવ્યો હોય તો ભગવાન કંઈ છેટે નથી. ૬૧૪ એક ભગવાનને ઓળખવા માટે કેટલાં બધાં પુસ્તકો લખ્યાં
છે ? ભગવાન તમારી પાસે જ છે ! ૬૧૫ ભગવાનની વ્યાખ્યા શબ્દમાં ય નથી. એ ગુહ્ય છે, માટે એને
રહસ્યાત્મા કહ્યો છે. માટે તેની વ્યાખ્યા શોધવા જશો નહીં.
આપ્તસૂત્ર ૬૧૬ ભગવાન અને ભક્ત એમ ધર્મની બે જ શ્રેણી છે. એનો એ
જ જીવ ભ્રાંતિમાં હોય ત્યાં સુધી ભક્ત શ્રેણીમાં હોય ને ભ્રાંતિ દૂર થાય, સાક્ષાત્કાર થાય એટલે ભગવાન શ્રેણીમાં
આવ્યો કહેવાય. ૬૧૭ આત્મજ્ઞાન થાય એટલે આખા બ્રહ્માંડનો સ્વામી થાય. ત્યાં
સુધી બધા ભક્તો. આત્મજ્ઞાન થયા પછી એ ભક્ત ય ખરો ને ભગવાને ય ખરો. જેને હદયશુદ્ધિથી કેવળ ચેતન' જ જોઈએ છે, ભૌતિક સુખો જોઈતાં નથી, તેને “જ્ઞાની પુરુષ' સામેથી મળે ને કામ થઈ
જાય. સાચા હૃદયની વાત જોઈએ. ૬૧૯ ભક્તિમાર્ગ એટલે ભક્ત અને ભગવાન જુદા. ‘હું પોતે જ
પરમાત્મા છું' એવું જેને ભાન થયું તે જ્ઞાનમાર્ગ ! ૬૨૦ જ્યાં સુધી પોતે' ભગવાન ના થાય, ત્યાં સુધી ભગવાન મળે
નહીં. ૬૨૧ ભગવાનને પ્રાપ્ત કરવાના બે માર્ગ : એક પરોક્ષ ભક્તિ ને
બીજી પ્રત્યક્ષ ભક્તિ. પરોક્ષ ભક્તિમાં વૃત્તિઓ ભગવાનમાં તન્મયાકાર ના રહે. પ્રત્યક્ષ ભક્તિમાં વૃત્તિઓ ભગવાનમાં નિરંતર તન્મયાકાર રહે. પ્રત્યક્ષ ભક્તિ, પ્રત્યક્ષ ભગવાનની
ઓળખાણ થયા વગર ના થાય. ૬૨૨ સાચા ભક્ત થવું હોય તો શરૂઆતમાં ભગવાન યાદ ના
રહેતા હોય તો બહાર મંદિર દેખાય ત્યાં ભગવાનનાં દર્શન કરજે. પછી એમ કરતાં કરતાં ભગવાન યાદ રહેવા માંડ્યા એટલે પછી મહીં આત્માને જ ભગવાન તરીકે માનશો તો સાચા ભક્ત થશો. અને તમારો આત્મા જ્યારે સાક્ષાત્કાર આપે ત્યારે તમે ભગવાન થયા હશો !
Page #35
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર ૬૨૩ સાચા ભક્તની નિશાની શી ? સ્વચ્છંદ ના હોવો જોઈએ,
અભિનિવેશ ના હોવો જોઈએ, દ્રષ્ટિરોગ ના હોવો જોઈએ,
ક્લેશ ના થાય. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના થાય. ૬૨૪ ભક્તિ બે પ્રકારની : એક, જ્ઞાન થવા માટેની ભક્તિ. એ
અજ્ઞાન ભક્તિ છે. બીજી, જ્ઞાન થયા પછીની ભક્તિ. એ જ્ઞાનભક્તિ છે. જગત આખું અજ્ઞાનભક્તિમાં પડેલું છે. અજ્ઞાનભક્તિથી પણ કો'ક દહાડો ય “જ્ઞાન' આવે અને જ્ઞાન
ભક્તિથી મોક્ષ ! ૬૨૫ ભક્તિ એનું નામ કે દરેક વસ્તુ માંગવાનો અધિકાર અને
જ્ઞાન” એનું નામ કે કશું મંગાય નહીં. ૬૨૬ “તું હી, તું હી, તું હી’ ! તું હી’ નહીં. ‘હું હી, હું હી, હું
હી' !! તું હીમાં તો ભેદ પડ્યા. એ ભગવાન ને આપણે
કાયમના ભગત રહ્યા ! ‘હું હી : હું જ છું, બધે !” ૬૨૭ જ્ઞાન સિવાય ભક્તિ હોય નહીં ! જેને લોકો ભક્તિ માને છે,
તે તો ભજન કહેવાય. જ્ઞાન અને જ્ઞાનના ઇશારાથી ભક્તિ
આપ્તસૂત્ર ૬૩૧ નિજસ્વરૂપનું ભાન થઈ ગયું એટલે જગત આખું ખુલ્લું થઈ
ગયું. આ તો બધી ભ્રામક માન્યતાઓ છે. “હું ચંદુભાઈ છું' એ “રોંગ બિલિફ” છે. આનો ફાધર છું એ રોંગ બિલિફ” છે.
આનો ધણી છું એ “રોંગ બિલિફ’ છે. ૬૩૨ “રોંગ બિલિફ' કોને થઈ? જે ‘રોંગ બિલિફનો માલિક થાય
‘તેને.” ૬૩૩ “શંગ બિલિફ' અપાર છે ને “રાઈટ બિલિફ' એક છે, એનું
ભાન જ નથી. ૬૩૪ આ “રોંગ બિલિફની આટલી બધી અસરો થાય છે, તો
રાઈટ બિલિફ'ની કેવી અસર થતી હશે !! ૬૩૫ જ્યાં રોંગ બિલિફનો અભાવ છે, ત્યાં “રાઈટ બિલિફીનો
સદ્ભાવ છે. ૬૩૬ સારા ભાવ કર્યા તે મીઠાં ફળ આપે ને ખરાબ ભાવ કર્યા તે
કડવાં ફળ આપે અને ભાવાભાવથી છૂટે તો પરમાત્મપદ
પ્રાપ્ત થાય ! ૬૩૭ જ્યારે ‘ભાવતી’ વસ્તુની જરૂર નહીં રહે ત્યારે ‘ના -
ભાવતી વસ્તુ નહીં રહે ! ૬૩૮ જેનો અભાવ આવે તેનાં વખાણ કરવાં. જેના પર ભાવ
આવે ત્યારે તેની ચામડી ઉતારીને જોઈએ તો બધું છૂટી
જાય. “જ્ઞાની' પાસે દરેક રોગના ઉપાય હોય. ૬૩૯ અજ્ઞાને કરીને ભાવ થયા હોય, તેને “જ્ઞાને' કરીને ગાળવા
પડે. શબ્દ શબ્દ ગાળવો પડે. તો જ પૂરું કામ થાય. ૬૪) જ્યાં ‘મિથ્યાત્વ' છે ત્યાં ભાવાભાવ છે, જ્યાં “સમ્યકત્વ છે
ત્યાં ભાવાભાવ જ નથી. ૬૪૧ વિનાશી વસ્તુમાં પોતાનું સુખ માનવું ને “પોતાનું અવિનાશી
૬૨૮
ચેતનની ભક્તિ એટલે ચેતન પ્રાપ્ત થયા પછી જ ચેતનની ભક્તિ થાય. ભક્તિથી આવરણ તુટી જાય ને વધારે દેખાય. પોતે ‘ભક્તિ કોની કરે છે એના પર આધાર છે. ચેતન પ્રાપ્ત કરેલા પુરુષની-“જ્ઞાની પુરુષ'ની ભક્તિ કરવાથી ચેતન પ્રાપ્ત
થાય. ૬૨૯ પુદ્ગલનો સ્વભાવ જ છે ભક્તિ કરવાનો ! “બ્રહ્મ સામે બ્રહ્મ
લટકાં કરે !” વાંક, ચૂંક, આડાઈઓ આપણે કાઢી નાખીએ
એટલે પુગલ ભક્તિ કરે જ. ૬૩૦ “રોંગ બિલિફ' એ પરોક્ષ ભજના છે. “રાઈટ બિલિફ’ એ
પ્રત્યક્ષ ભજના છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર
સુખ ના સમજવું એ “ોંગ બિલિફ', તે મિથ્યાદર્શન. ને
રાઈટ બિલિફ' તે “સમ્યક દર્શન' ! ૬૪૨ “હું ચંદુભાઈ છું એ અજ્ઞાન માન્યતા, ‘હું સીત્તેર વર્ષનો છું'
એ અજ્ઞાન માન્યતા, “હું જૈન છું' એ અજ્ઞાન માન્યતા, “ આનો બાપો થઉં, આનો મામો થઉં, આનો કૂવો થઉં', એ કેટલી બધી અજ્ઞાન માન્યતાઓ ! જેમ આ લાકડાં આવડાં આવડાં એક એક જુદાં હોય, તેમને બધાંને ભેગાં કરીને બાંધીએ એને ભારી કહેવાય. એવું અજ્ઞાન માન્યતાઓને પછી દોરડીથી બાંધીએ એને ‘મિથ્યાત્વ' કહેવાય. આખું બધું દોરીથી વીંટ વીંટ કરે એ તો ગાઢ મિથ્યાત્વ કહેવાય અને એમાંથી આગળ “હું મહારાજ છું, હું આચાર્ય છું' એ અવગાઢ
મિથ્યાત્વ !!! ૬૪૩ અનાત્માને આત્મા માનવો ને આત્માને અનાત્મા માનવો એ
ગાઢ મિથ્યાત્વ છે ! ૬૪૪ જે જે “હું છું, હું છું કહેવામાં આવે છે તે બધું મિથ્યાત્વ છે.
મારું છે' બોલે છે એની ચિંતા નથી. જ્યાં હું ચંદુભાઈ છું' ત્યાં બધું “મારું, મારું” છે. “હું શુદ્ધાત્મા છું' તો કશું જ રહેતું
નથી. ૬૪૫ “હું ચંદુભાઈ છું’ એ મિથ્યાદર્શન ને “મેં આમ કર્યું એ
મિથ્યાજ્ઞાન. ૬૪૬ દર્શન અને જ્ઞાનમાં શો ફેર છે ? દર્શનનું વિશેષભાવ એ
જ્ઞાન છે. જ્ઞાન-દર્શન ભેગું થાય એ ચારિત્ર કહેવાય. જ્ઞાન કોને કહેવાય કે દર્શનથી ફીટ થઈ જાય ને પછી તે બીજાને
સમજાવે. ૬૪૭ દર્શન એટલે ‘બિલિફ'. સુદર્શન એટલે “રાઈટ બિલિફ'.
કુદર્શન એટલે “રોંગ બિલિફ'.
૭૦
આપ્તસૂત્ર ૬૪૮ સામાન્ય ભાવે જોવું, એનું નામ દર્શન અને વિશેષ ભાવે જોવું,
એનું નામ “જ્ઞાન”. ૬૪૯ બંધનનું ઉપાદાન કારણ શું? અજ્ઞાન. મોક્ષનું ઉપાદાન કારણ
શું ? “જ્ઞાન'. ૬૫૦ જ્ઞાન સાક્ષાત્ થયું, એને “જ્ઞાન” કહે છે અને જે જ્ઞાન સાક્ષાત્
નથી, એને અજ્ઞાન’ કહ્યું છે. “જ્ઞાનનું પ્રમાણ જ સાક્ષાત્ છે ! ૬૫૧ “જ્ઞાન” એટલે પોતે પોતાના મૂળ સ્વરૂપને જાણવું, ને તેને
ના જાણવું તે અજ્ઞાન. ૬૫ર પૌગલિક જ્ઞાનને અજ્ઞાન કહેવાય છે. આત્મજ્ઞાનને “જ્ઞાન”
કહેવાય છે. નિર્ભેળ આત્મજ્ઞાન થવા માટે પુગલનું જ્ઞાન ને
આત્મજ્ઞાન બને જોઈએ. ૬૫૩ અજ્ઞાને ય એક પ્રકારનું અજવાળું છે. પણ તે ભૌતિક સુખને
દેખાડનારું છે ને “જ્ઞાન” સાચા સુખને દેખાડનારું છે. ૬૫૪ પરિણામ પામે તે “જ્ઞાન”. પરિણામ ના પામે તે શુષ્ક જ્ઞાન'. ૬૫૫ સમજમાં આવે એ ‘દર્શન’ અને અનુભવમાં આવે તે “જ્ઞાન”. ૬૫૬ પોતે સમજે તે ‘દર્શન’ ને તે સમજ બીજાને સમજાવી શકે
તે “જ્ઞાન'! ૬૫૭ ભલે “જ્ઞાન” ના હોય, પણ નક્કી કર્યું હોય કે મારે લીકેજ
નથી થવા દેવું, તે પામે. જે પોતાની જાતને એક ક્ષણ પણ
લીકેજ થવા ના દે, એનું નામ તપ કહેવાય. ૬૫૮ “જ્ઞાન' તો પ્રકાશ છે. પ્રકાશ થયા પછી તપ કરીશ, તો એ
તપથી મોક્ષ થશે. અને ‘આ’ અજ્ઞાન તપથી તો દેહ મળશે. મન તપશે, તો તેનું ફળ તને ભૌતિક મળશે. આ તાપણીના તપ્યાનું ફળ મળશે.
Page #37
--------------------------------------------------------------------------
________________
૭૨
આપ્તસૂત્ર ૬૭૧ વિષયનો સામાવાળિયો થયો, ત્યાંથી જ નિર્વિષયી થવા
માંડ્યો ! ૬૭૨ સ્ત્રીનું ભેગું થવું એ જોખમ નથી, પણ આંખનું ખેંચાણ થવું
એ જોખમ છે. માટે ત્યાં પ્રતિક્રમણ કરીને કેસ ઊંચો મૂકી
દો.
આપ્તસૂત્ર
૭૧ ૬૫૯ કળિયુગમાં ચેતીને ચાલજે. પ્રાપ્ત તપ હોય તે ભોગવજે.
અપ્રાપ્ત તપ ઊભું ના કરીશ. ૬૬૦ તારી પ્રકૃતિમાં હોય તો તું ત્યાગ કરજે. તારી પ્રકૃતિમાં હોય
તો તું તપ કરજે. તારી પ્રકૃતિમાં હોય તો તું જપ કરજે. પણ
એક આત્મા પ્રાપ્ત થયા સિવાય બધું ધૂળ છે. ૬૬૧ જ્યાં મોક્ષ છે ત્યાં કષ્ટ નથી ને જ્યાં કષ્ટ છે ત્યાં મોક્ષ નથી.
કષ્ટ એ હઠાગ્રહ છે ! ૬૬૨ મનમાં વિષયો હોય, એ બધા પુદ્ગલના વિષયો હોય પણ
કોઈ દહાડો ભાવ જ ના બગડે, એનું નામ તપ. ૬૬૩ દુઃખમાં સમતા ધરવી, એનું નામ તપ. ૬૬૪ જેટલું આશ્વાસન લે, તેટલું તપ કાચું પડે. ૬૬૫ ના ગમતી રકમને તપથી ભાગો, તો જવાબ શૂન્ય આવે ! ૬૬૬ આત્મા નિર્વિષયી છે, તપ-ત્યાગ એ વિષય છે. કોઈ
વિષયમાં આત્મા નથી, આત્મા આત્મામાં છે. ૬૬૭ અવસ્થામાં ‘એબોવ નોર્મલ' થાય કે “બીલો નોર્મલ' થાય તે
વિષય કહેવાય. ૬૬૮ વિષયો કોને કહેવાય ? જેમાં મન-વચન-કાયાનું એકાકારપણું
થાય છે. અને મન-વચન-કાયામાં એકાકાર ના થયો તે
‘નિવિષય'! ૬૬૯ ‘વિષયો એ વિષ નથી, વિષયોમાં નિડરતા એ વિષ છે માટે
વિષયોથી ડરો. આ સ્ત્રી છે' એમ જે જુએ છે, તે પુરુષનો રોગ છે અને આ પુરુષ છે' એવું જે જુએ છે, તે સ્ત્રીનો રોગ છે. નિરોગી થાય તો મોક્ષ છે.
૬૭૩ ભૂખ એ વેદના શમાવવાનો ઉપાય છે. બધા વિષયો વેદના
શમાવવાના ઉપાય છે. ત્યારે આ લોકોને તેનો શોખ થઈ ગયો. ત્યાં “લિમિટ’માં રહેજે, શોખીન ના થઈ જઈશ.
‘નોર્માલિટી' ખોળી કાઢો. ૬૭૪ હક્કનું ભોગવવાની છૂટ છે પણ અણહક્કનું આનંદથી
ભોગવે તેનાથી ઘોડાગાંઠ બંધાય ને આવતા કેટલાંય અવતાર બગડે. પણ પસ્તાવો કરે તો ઘોડાગાંઠ ઢીલી થઈ જાય ને
છૂટવા માટે અવસર મળે. ૬૭૫ મનુષ્યપણું ક્યાં સુધી રહે ? અણહક્કનું કિંચિત્માત્ર ન
ભોગવે ત્યાં સુધી મનુષ્યપણું છે. ૬૭૬ આ દુનિયામાં કોઈ ચીજ બંધન કરતી નથી. એકલું
પરસ્ત્રીની લૂંટ ચાલે તે જ બંધન કરે છે. ૬૭૭ પરસ્ત્રી અને પરપુરુષ એ પ્રત્યક્ષ નર્કનું કારણ. ૬૭૮ જ્યાં આકર્ષણ ત્યાં મોહ. આકર્ષણવાળી જગ્યાએ “શુદ્ધ
ઉપયોગ’ રાખો. એનાથી એ જગ્યા તમને હેરાન નહીં કરે. ૬૭૯ વિષય માત્ર કાદવ સ્વરૂપ છે. આત્મા એકલો જ જો યાદ રહે
તો એ વિષય નથી. બાકી બીજું બધું જે યાદ રહે એ બધા
વિષયો છે. ૬૮૦ આખા જગતની કોઈ ચીજ “મને ન ખેંચે. મારાથી મોટી
ચીજ હોય તો મને ખેંચે ને !
૬૭૦
Page #38
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર
૭૩ ૬૮૧ ભૂખ મટાડવા માટે રોટલો ને શાક ખાવાનું છે, ટેસ્ટને માટે
નહીં. ટેસ્ટને માટે ખાવા જશો તો રોટલો ને શાક ભાવશે નહીં. માટે એ વેદ થઈ જશે. ત્રણ વેદથી આ જગત આખું
સડે છે. ૬૮૨ આ કુદરતની રમતમાં જો ત્રણ વેદ જ ના હોત તો સંસારમાં
છૂટા રહેવાત. બધી રમત જ ત્રણ વેદમાં છે. આ ત્રણને જો ખોરાક તરીકે ગણવામાં આવ્યા હોત તો કશો વાંધો જ ન
હતો. પણ એને વેદ કહ્યું. ૬૮૩ આ જગતમાં જીતવા જેવું શું ? આ ત્રણ વેદ જ છે. જેણે
વેદ જીત્યો, તેણે આખું જગત જીત્યું. ત્રણ વેદ ક્યા? સ્ત્રી
વેદ, પુરુષ વેદ ને નપુંસક વેદ. ૬૮૪ એક વિષયમાં જે અટક્યો, તે “ભગવાન” થઈ ને ઊભો રહ્યો
ને વિષયમાં લટક્યો, તે સીધો નર્ક જ ગયો ! ૬૮૫ વિષય સંબંધીનો અભિપ્રાય, એ જ વિષયો સંબંધી પ્રવર્તતા
અજ્ઞાનનો મુખ્ય એવિડન્સ છે. ૬૮૬ લપસી નથી પડવું એવો દ્રઢ નિર્ણય કર્યો અને પછી લપસી
પડે તે ગુનો નથી, પણ દ્રઢ નિર્ણય જ નથી કર્યો અને લપસી પડે તે ગુનો છે. આપણે જતાં જતાં એકદમ એવી સાંકડી પટ્ટીની જગ્યા આવી કે જ્યાં બેઉ બાજુથી દરિયામાં પડી જવાય ત્યારે કેવો નિશ્ચય કરે છે ? ત્યાં નિશ્ચય કંઈ વારંવાર નથી કરવો પડતો.
એ તો તે ઘડીએ અહીં એક ફેરો નિશ્ચય થઈ જાય છે. પછી
નિરંતર જાગૃત રહે ! ૬૮૮ નિશ્ચય કરવા છતાં ય મોળા પડી જાય તો ફરી ફરી નિશ્ચય
કરવો. પણ “આ મારાથી નથી થતું, તે નથી થતું' એવું બોલાય જ નહીં. આવું બોલવાથી તો આત્મા (પ્રતિષ્ઠિત
આપ્તસૂત્ર આત્મા) છિન્ન-ભિન્ન થઈ જાય છે. ૬૮૯ નિશ્ચય એનું નામ કે આપણે નક્કી કર્યું, તે ઠેઠ સુધી રહે. તો
પછી એનો સાંધો આગળ મળી રહે. ‘ટાઈમીંગ’ પણ મળી રહે. નિશ્ચય ફેરવી નાખે તો આગળ સાંધો ના મળે. એક નિશ્ચય કરે પછી પાછો બીજો કરે તો તે મળે ખરું પણ એના
ટાઈમે નહીં, ને પાછો “પીસીસ'માં મળે, એકધાર્યું ના મળે. ૬૯૦ ગાડી સવા દશે ઊપડે, તેને ત્યાં “એક્સિડન્ટ’ થાય કે સાડા
દસે ઊપડે, તેને ત્યાં “એક્સિડન્ટ” થાય ? એની શી ખબર પડે? ને વગર કામની કચકચ કરે તેનો શો અર્થ ? આપણે
નક્કી કરવું કે વહેલા જવું છે. પછી જે બન્યું તે સાચું ! ૬૯૧ જેટલાં નિશ્ચય કર્યા છે, તેટલાં જ ફળશે. બીજું કશું જ નહીં
કરવાનું. ૬૯૨ નિશ્ચય એ જ પુરુષાર્થ છે ! ૬૯૩ પુરુષાર્થ એનું નામ કે જે ફળે જ ! ૬૯૪ સંજોગો ભેગા થાય અને તેથી જે કાર્ય થાય એ બધું પ્રારબ્ધ
કહેવાય. અને સંજોગો ભેગા થાય, તેથી જે કાર્ય થાય, તેમાં
જે ધ્યાન ઉત્પન્ન થાય એ પુરુષાર્થ છે. ૬૫ પુરુષાર્થ બે પ્રકારના : ભ્રાંતિવાળાને ભ્રાંત પુરુષાર્થ અને
જ્ઞાનીને જ્ઞાન પુરુષાર્થ. લૌકિક પુરુષાર્થ એ જ પ્રારબ્ધ છે. વ્યવસાય કરવો, એ પ્રારબ્ધ છે. ઉપદેશ આપવો, તે ય પ્રારબ્ધ છે. આ અત્યારે સાંભળો છો, તે ય પ્રારબ્ધ છે. જેમાં પરાવલંબન છે, એ બધું
જ પ્રારબ્ધ છે. ૬૯૭ માતાના ગર્ભમાંથી માંડીને ઠેઠ સ્મશાનમાં જાય ત્યાં સુધી
આમતેમ કર્યું, તે બધું ય પ્રારબ્ધ છે ! ફરજિયાત છે.
૬૯૬
Page #39
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર
૭૫ ૬૯૮ આખું જગત જે “ખોટું કરી રહ્યું છે', તે પ્રારબ્ધને આધીન
છે ને “સારું કરે છે, તે ય પ્રારબ્ધને આધીન છે. ૬૯૯ “ચંદુભાઈ શું કરી રહ્યા છે એને ‘તમારે જોવું', એનું નામ
પુરુષાર્થ'. જ્યારે બ્રાંત પુરુષાર્થ કયો ? જે થઈ રહ્યું છે એમાં શો ભાવ હતો ને શો ભાવ ન હતો એ જ ભ્રાંત પુરુષાર્થ. ભ્રાંત પુરુષાર્થમાં વચ્ચે ભાવ આવે ને યથાર્થ
પુરુષાર્થમાં જ્ઞાતા-દ્રષ્ટા. ૭00 પ્રારબ્ધ ભોગવતાં જ મહીં પુરુષાર્થનું (ભ્રાંત) બીજ પડે છે,
કારણ “હું કર્તા છું' એ ભાન છે તેથી. નહીં તો પ્રારબ્ધ
ભોગવી લે ને પછી મુક્તિ મળે ! ૭૦૧ દાન આપ્યું, તે પ્રારબ્ધ ને દાન આપતી વખતે મહીં કઈ
ભાવના હતી, તે પુરુષાર્થ (ભ્રાંત). ૭૦૨ સ્થળ સંયોગો ભ્રાંતિમય છે, સુમિ સંયોગો ‘મિકેનિકલ’ છે
અને વાણીના સંયોગો “રેકર્ડ' સ્વરૂપ છે. “અમે' જગતને એટલું જ કહેવા માંગીએ છીએ કે મન-વચન-કાયાની બધી જ ક્રિયાઓ “સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે ને તું સ્વતંત્ર છે. ભાવથી “તું” જુદો છે. માટે તારા ભાવ ફેરવ. મન-વચન-કાયાની ક્રિયા થાય તો ય તું કલ્પાંત ના કરીશ.
તું ભાવ ફેરવ. ૭૦૩ સદ્ભાવ કરવો, ઊંચો ભાવ કરવો એ “પોઝિટિવ' પુરુષાર્થ.
એનાથી ઊર્ધ્વગતિ થાય. ઊંધો ભાવ લે તે “નેગેટિવ' પુરુષાર્થ. એનાથી અધોગતિમાં જાય. અને સાચો પુરુષાર્થ
તો પોતે’ પુરુષ થઈ કરે તો મોક્ષે જાય ! ૭૦૪ આપણે એક જ વસ્તુ “પોઝિટિવ' જોવાનું. જગત પોઝિટિવ'
અને “નેગેટિવ'ને રસ્તે છે. જ્યારે ત્યારે તો એ નેગેટિવ'ને પોઝિટિવ' કરશે. તો આપણે પહેલેથી “પોઝિટિવ' કેમ ના
આપ્તસૂત્ર રહીએ ? ૭૦૫ નેગેટિવ ભાંગવામાં જેટલો ટાઈમ નકામો જાય છે, એના
કરતાં “પોઝિટિવ'માં તરત જ “જોઈન્ટ' થઈ જાય છે,
ઓટોમેટિકલી'. અશુભ કર્મો દૂર કરવામાં નકામો ટાઈમ
શું કરવા બગાડે છે ?' ૭૦૬ બે જ વસ્તુ છે : “પોઝિટિવ' ને નેગેટિવ'. નેગેટિવ
રાખીએ તો કુદરત “હેલ્પ' કોને કરે? આપણી ‘ડિક્ષનરી'માં
‘નેગેટિવ' ના હોવું જોઈએ. ૭૦૭ “અમે’ ‘નેગેટિવ'ને “પોઝિટિવ'થી જીતીએ છીએ. ૭૦૮ નેગેટિવ’ ‘પોઝિટિવ' ના થાય ને “પોઝિટિવ' નેગેટિવ' ના
થાય. કારણ બને વંદુ છે ને “પોતે' કંધાતીત છે ! ૭૦૯ ‘હા’ શબ્દમાં બહુ બધી શક્તિ છે અને ‘ના’ શબ્દમાં બહુ
અશક્તિ છે. ૭૧૦ ‘નોથી જગત અટકયું છે. ૭૧૧ ‘નો' કહેવાવાળા પુદ્ગલ પક્ષના છે અને ‘વેસ' કહેવાવાળા
મોક્ષ પક્ષના છે. ૭૧૨ જ્યાં કોઈ પણ ‘ઉપરી' નથી, જ્યાં કોઈ પણ “અંડરહેન્ડ' નથી,
એનું નામ મોક્ષ! જ્યાં કોઈ પણ જાતની ખરાબ “ઈફેક્ટ' જ નથી, નિરંતર પરમાનંદમાં, સનાતન સુખમાં રહેવું, એનું નામ
મોક્ષ ! ૭૧૩ સંસારી દુ:ખનો અભાવ એ પહેલો મોક્ષ અને સ્વાભાવિક
સુખનો સદ્ભાવ એ બીજો મોક્ષ, એ સંપૂર્ણ મોક્ષ ! ૭૧૪ અજ્ઞાનથી મુક્તિ એ ભાવ મોક્ષ ને પછી દ્રવ્ય મોક્ષ થાય. ૭૧૫ મોક્ષની ભાવના સાચી ક્યારે કહેવાય ? મોક્ષની ભાવના
Page #40
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર
એકધારી હોવી જોઈએ. આ તો કેવું કે એક દિશામાં મોક્ષની ભાવના હોય અને બીજી કેટલી બધી દિશામાં સંસારી ભાવના હોય. તેનું પ્લસ-માઈનસ” થઈ જાય ! અને “મૂળ' ભાવના ઊડી જાય ! ભાવના તો એકધારી હોવી જોઈએ, તો
જ એ ફળીભૂત થાય. ૭૧૬ કકળાટ સિવાય ઇન્ડિયન લાઈફ નથી અને ઇન્ડિયન લાઈફ
સિવાય મોક્ષ નથી. એ કકળાટની અત્યંત સીમા ઉપર મોક્ષ
આપ્તસૂત્ર મતભેદ છે. ૭૨૭ જગતનો જે ભેદ છે તે લોકો જાણે, પણ ‘ભેદના ભેદને કોઈ
ના જાણે. આત્મા ને દેહ બે જુદી વસ્તુ છે એવું જાણે, પણ
એનો શો ભેદ છે એ ના જાણે. એ ભેદનો ભેદ છે. ૭૨૮ જગતના ‘ભેદનો ભેદ' તો સંતો-મહાત્માઓ પણ ના જાણે.
એ ‘ભેદનો ભેદ' એક ‘જ્ઞાની પુરુષ' જાણે. ૭૨૯ આ જગતનું પઝલ સોલ્વ થઈ જાય એટલે મહીં સમાધિ
રહે.
૭૧૭ મોક્ષ અઘરો નથી સંસાર અઘરો છે ! ૭૧૮ સંસારનાં સાધનો પાસેથી સંસાર કરાવો અને ‘તમે' જુઓ
અને જાણો. ૭૧૯ મોક્ષ આવતો નથી, મોક્ષ સમજાય છે. મોક્ષ સ્વરૂપ તો ‘તું'
છે જ, પણ એનું ‘તને ભાન નથી. માટે મોક્ષ સમજાય છે. ૭૨૦ મોક્ષમાં જવાનું નથી, પોતે પોતાના “સ્વરૂપ’ થવાનું છે. ૭૨૧ મોક્ષ એટલે ખાલી દ્રષ્ટિ જ બદલવાની છે. ૭૨૨ જ્યાં સુધી આત્મદ્રષ્ટિ ના થાય, ત્યાં સુધી બધો સંસાર જ
૭૩૦ સંસારનું છેવટનું સ્ટેશન શું હોવું જોઈએ ? સમાધિ. ૭૩૧ સંસારમાં નરમાં ય નારાયણ છે ને નારીમાં ય નારાયણ છે.
ન્યારો રહીને નિહાળે તે નારાયણ ! ૭૩૨ આખું જગત નિર્દોષ જ છે. જો નારાયણને ઓળખ્યા તો નર
નિર્દોષ જ દેખાય. આત્મા શુદ્ધ સ્વરૂપ જ છે. ૭૩૩ “ચંદુ’ એ નર” ને “તું” નારાયણ, તે નરનારાયણની જોડી છે.
લોકો નરનારાયણનાં દર્શન કરવા જાય છે ને ?! ૭૩૪ જેટલો કેફ વધે, એટલા નારાયણ છેટાં. ૭૩૫ જે સમજણનો કેફ ચઢે, એ ભયંકર અજ્ઞાન છે. ‘જ્ઞાનથી કેફ
ઓગળે. ૭૩૬ આ દુનિયામાં જેને ગરજ જતી રહે એ પરમાત્મા થઈ જાય,
પણ જો તેનો કેફ ના ચઢે તો ! ૭૩૭ સાચી સમજણથી કેફ ઊતરે. અણસમજણથી કેફ ના ઊતરે. ૭૩૮ જ્યાં કેફ ચઢે, ત્યાં તે આત્મ - અજ્ઞાન કહેવાય ! ૭૩૯ કેફની ખબર ક્યારે પડે? ‘તમારું ખોટું છે' એમ કહે ત્યારે.
૭૨૩ લોકદ્રષ્ટિથી કોઈ દહાડો ય સંસારની પાર ના જવાય.
જ્ઞાની'ની દ્રષ્ટિએ સંસાર પાર કરાય. ૭૨૪ લોકદ્રષ્ટિ એટલે શું? ઉત્તરને દક્ષિણ માને છે. ૭૨૫ દ્રષ્ટિમાં આત્મા તો થયા પરમાત્મા ! દ્રષ્ટિમાં બનેવી તો
થયા સાળા ! ૭૨૬ મોક્ષ એટલે દ્રષ્ટિ નિર્મળ કરવી તે અને બંધન એટલે
દ્રષ્ટિની અનિર્મળતા. દ્રષ્ટિદોષ છે તેના જ ઝઘડા છે ને
Page #41
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર
૭૪. જે સમજણથી કેફ ચઢે, તો એ વીતરાગની વાત ન હોય ! ૭૪૧ તમામ પ્રકારના કેફ જાય ત્યારે અનંત શક્તિ પ્રગટ થાય ! ૭૪૨ ત્રણ પ્રકારના દારૂઃ ૧. વિષયોની ઇચ્છાની મૂર્છા. ૨. દારૂનું
પીણું ૩. કેફનો દારૂ - અહંકારનો કેફ, “હું શું કરે . ૭૪૩ જાણ્યું કશું નથી અને જાણ્યાનો રોગ પેસી જાય, તે બહુ મોટો
રોગી. જાણ્યાનું ફળ શું? ભમરડાને રમાડવાના બંધ થાય અને આત્માને રમાડે. રોગી તો જાણ્યાનો અહંકાર જ કરે છે. અહંકાર એ કોઈ વસ્તુ નથી. આપણે જે માનીએ કે “આ હું છું' એ બધો ય અહંકાર. “હું શુદ્ધાત્મા છું' એટલો જ નિર્
અહંકાર. ૭૪૫ અહંકારની શૂન્યતા વગર મોક્ષ નથી. અહંકારનું ઉદ્ભવસ્થાન
એ જ બંધન છે. જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી જંજાળ છે.
અહંકાર એ અનાત્મા છે ને પાછું પ્રસવધર્મી છે. ૭૪૬ અહંકાર ને મમતા જાય તો મોક્ષ થાય. ૭૪૭ “અહમ્' મરે છે ને “અહમ્' જીવે છે. ત્યારે લોક કહે છે કે
હું મર્યો ! જન્મે છે અને મરે છે અહમ્ ને આત્મા તેની તે જ જગ્યાએ છે. પુદ્ગલે ય તેની તે જ જગ્યાએ છે. વચ્ચે
અહમ્ની જ વાત છે. ૭૪૮ અહંકાર એટલે પોતાના સ્વરૂપની બહાર કલ્પિતરૂપે રહેવું
૮૦
આપ્તસૂત્ર ૭૫૦ આ જગતમાં જે જે પણ કંઈ ક્રિયા કરવામાં આવે છે તે ભ્રાંતિ
છે. “સ્વ”નું ભાન થયું તો ભ્રાંતિરહિત થાય. ૭૫૧ આરોપિત ભાવે જે જે ક્રિયા કરવામાં આવે તે સફળ છે !
એટલે ફળ આવ્યા વગર રહે જ નહીં. દાન આપે કે ગાળો
દે, બન્નેનું ફળ આવશે. ૭૫૨ આ વ્યાવહારિક ક્રિયા “જે કરે છે, તેને જાણવું તે “આપણો’
ધર્મ. એ ક્રિયા કરવાનું આપણા હાથમાં નથી. ક્રિયા એ તો સાધન છે. એ તો સાણસી, ચીપિયો ને તવેથા જેવું છે.
ખીચડી ખાધા પછી સાણસી, તપેલાની જરૂર નથી. ૭૫૩ ગમે તે ક્રિયા કરે તે બંધન છે. મોક્ષમાર્ગ જોઈતો હોય તો
ક્રિયામાં ના પડીશ. ૭૫૪ સંસારમાં રઝળપાટ કરવી હોય, સક્રિય રહેવું હોય, તો
‘વ્યવસ્થિત’ને બાજુએ મૂકવું. ને મોક્ષે જવું હોય, અક્રિય થવું
હોય, તો ‘વ્યવસ્થિત' જોડે રાખવું. ૭૫૫ પુણ્ય એ ક્રિયાનું ફળ છે, પાપે ય ક્રિયાનું ફળ છે અને મોક્ષ
એ “અક્રિયતા’નું ફળ છે ! ૭૫૬ પુણ્ય ને પાપ શું છે? આ દુનિયાને કોઈ ચલાવનાર નથી.
છતાં, પુણ્ય અને પાપના સંયોગો દુનિયાને ચલાવે છે. ૭૫૭ સારાં-ખોટાં કર્મમાં પડે નહીં તે “જ્ઞાની' ! ૭૫૮ પુર્વેએ જ સંસારમાં રખડાવ્યાં છે. પુર્વેથી ઇન્દ્રિયોનાં,
વિષયોનાં સુખ બધાં ભેગાં થાય, એમાં પછી કપટ ઊભું થાય. ભોગવવાની લાલસા માટે કપટ ઊભાં થાય. અને કપટથી સંસાર ઊભો થાય છે. કપટ અને વેરથી આ સંસાર ઊભો
રહ્યો છે. ૭૫૯ પુર્વે પણ “ફાઈલ' છે ને પાપ પણ “ફાઈલ' છે. પુર્વે પ્રમાદ
૭૪૯ જેનાથી અહંકાર ઓછો થાય એ વીતરાગી જ્ઞાન કહેવાય.
અને જે વર્તનથી, જે ક્રિયાકાંડથી અહંકાર ઓછો થાય એ ભગવાનની કહેલી આજ્ઞાપૂર્વકનું કહેવાય. આ તો અહંકાર વધી ગયો છે ! એ જ દુઃખ છે !
Page #42
--------------------------------------------------------------------------
________________
૮૧
૮
આપ્તસૂત્ર
કરાવે ને પાપ જાગૃત રાખે. ૭૬૦ ધર્મની પેલી પાર ક્યારે જવાય ? ક્ષમા નામનો ગુણ ઉત્પન્ન
થયો હોય તો પેલી પાર પેસવા દે, નહીં તો પ્રવેશ આપે
નહીં. ૭૬૧ “અમારે' સહજ ક્ષમા હોય, ક્ષમા રાખવી ના પડે. ક્ષમા
રાખવી, એ તો મહેનત કરવી પડે. મહેનત કરવી, એ જ્ઞાન નથી. ક્ષમા એ તો ચરમ દશાનો સહજ ગુણ છે. પાછલાં બેત્રણ અવતારથી સહજ ક્ષમા હોય. સહજ ક્ષમામાં શુદ્ધ પ્રેમ
હોય. ૭૬૨ ક્ષમા મોઢેથી આપવાની ના હોય. સહજ ક્ષમા હોય જ.
આત્મા પ્રાપ્ત થયાની નિશાની જ સહજ ક્ષમા છે ! ૭૬૩ ‘જ્ઞાની પુરુષ' પાસે જેટલા દંડને યોગ્ય હોય, તેમને પણ માફી
હોય, ને તે સહજ ક્ષમા હોય. સામાને માફી માગવી ના પડે.
જ્યાં સહજ ક્ષમા આપવામાં આવે છે, ત્યાં જ લોકો ચોખ્ખા
થાય છે. ૭૬૪ સારા અને અસાર આ બેના ભાગને સમજી જવું, એનું નામ
વિવેક. સારાસારનું ભાન નથી એ મનુષ્ય જ ના કહેવાય. ૭૬૫ સારાસારનો વિચાર આવે તે વિવેક. વિવેક હોય તો વૈરાગ
ઉત્પન્ન થાય. અને વૈરાગ હોય તો ત્યાગ ટકે, નહીં તો ત્યારે
ય ટકે નહીં. વૈરાગના “બેઝમેન્ટ' સિવાય ત્યાગ ટકે નહીં. ૭૬૬ “આ મારું ને આ પરાયું’ એ સ્વ-પરના વિવેકમાં રહે, એ જ
છેલો મોક્ષધર્મ. ૭૬૭ સત્સંગ એટલે સત્નો યોગ થવો, સારી વસ્તુનો, પોઝિટિવ
વસ્તુનો યોગ થવો તે. અને નેગેટિવ વસ્તુનો સંયોગ થવો
દુ:ખદાયી છે. ૭૬૮ જે સત્સંગ હિતકારી થઈ પડ્યો તે, ક્ષણે ય ભૂલાવો ના
આપ્તસૂત્ર જોઈએ. માર્ગ મળે ત્યારે કહેશે, કે બે દહાડા આપણે મુકામ કરીએ. અલ્યા, માર્ગ મળતો નથી ને માર્ગ મળ્યો છે ત્યારે
બેસી રહે, તે મૂરખ કહેવાય. ૭૬૯ જેને સત્સંગ જોઈએ છે, તેનો સત્સંગ જતો નથી. ૭૭) લોક જોડે પ્રસંગ પાડવા જેવો નથી. એ કુસંગ છે. સત્સંગ
જોડે પ્રસંગ પાડવા જેવું છે. ૭૭૧ “આપણે” છીએ જ અસંગ. એનો અનુભવ ના થવા દે એ
બધો કુસંગ કહેવાય. ૭૭૨ જે આપણાં મન અને ચિત્તને બહેકાવે એ બધા જ કુસંગ.
મન અને ચિત્તને ઠારે એ સત્સંગ. ૭૭૩ ભટકવાના માર્ગ ચિત્તને આકર્ષિત કરાવે તેવા છે. મોક્ષમાર્ગ
ચિત્તને આકર્ષણ ના કરે. ૭૭૪ ધણી જોડે ચિત્ત જતું હોય તો એ ચિત્ત સંસારી છે. બહારના
માણસ જોડે ચિત્ત જતું હોય તો એ લબાડ ચિત્ત છે. ને જ્ઞાની પુરુષ'માં ચિત્ત જતું હોય, તો ભગવાનપદને પ્રાપ્ત
થઈ રહ્યો છે ! ૭૭૫ ચિત્તને જ શુદ્ધ કરવાનું છે. મન તો કશું બગડ્યું નથી. મનનો
સ્વભાવ જ છે, અવળું-સવળું બધું દેખાડવું. ચિત્ત જ બગડ્યું છે, ને ભટક, ભટક, ભટક, ભટક.. કર્યા કરે છે અને પાછી ટિકિટ કશી લેવાની નહીં. એ તો ખુદાબક્ષ ! ચિત્તશુદ્ધિનો નાનામાં નાનો ઉપાય, તે નિસ્પૃહી પુરુષનો પરિચય અને દર્શન. અને છેલ્લામાં છેલ્લો ઉપાય “જ્ઞાની'નું દર્શન ! આ સિવાય ચિત્તશુદ્ધિનો કોઈ ઉપાય જ નથી સંસારમાં, નિસ્પૃહી પુરુષો અને વીતરાગોની વાણી હૃદયદ્રાવક હોય !
Page #43
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર ૭૮૮ દુખિયા લોકો જ બીજાને દુઃખ દે. સુખિયા તો બીજાને સુખ
આપે.
આપ્તસૂત્ર ૭૭૭ ભગવાન ભગવાનમાં મસ્ત છે, લોક લોકમાં મસ્ત છે.
ભગવાન કહે છે મારી પાસે આવો તો આનંદ થાય. ૭૭૮ જ્યાં પુગલનો આનંદ ત્યાં સંસાર ! ને જ્યાં આત્માનો
આનંદ ત્યાં મુક્તિ ! ૭૭૯ અજ્ઞાની આનંદ ક્યાંથી લાવ્યો ? ત્યારે કહે, મૂછમાંથી. ૭૮૦ શાંતિ મનનો સ્વભાવ છે ! અને આનંદ આત્માનો પોતાનો
સ્વભાવ છે ! ૭૮૧ મનમાં તન્મયાકાર થાય એટલે વિષાદે ય થાય ને આનંદે ય
થાય. ને બેઉમાં તન્મયાકાર ના થાય એટલે પરમાનંદ થાય. ૭૮૨ સર્વત્ર બધે સરખું લાગે, એનું નામ જ્ઞાન કહેવાય. વાંદરાની
ખાડી આગળ કે બગીચામાં બેસાડે તો ય સરખું લાગે. કારણ મહીંનો આનંદ તેનો તે જ રહે. બહારનું તો બધું ફેરફાર થયા
જ કરે. ૭૮૩ એક મમતાનો આનંદ, ને એક અહંકારનો આનંદ હોય છે.
તે વિનાશી છે ને “મૂળ' વસ્તુનો આનંદ અવિનાશી છે. ૭૮૪ કોઈ ચીજની અપેક્ષા ના રહે, એ નિરપેક્ષ આનંદ. ૭૮૫ જ્યાં આત્મા - પરમાત્માની વાત થઈ, ત્યાં આનંદ હોય, ત્યાં
કોઈ સાંસારિક વાત ના હોય, ગુણ કે સગુણ મેળવવાની
વાત ના હોય.. ૭૮૬ રૂપિયા કમાતાં જે આનંદ થાય છે તેવો જ આનંદ ખર્ચ
કરતી વખતે થવો જ જોઈએ. ત્યારે એ બોલે કે “આટલા
બધા ખર્ચાઈ ગયા !!' ૭૮૭ તમે તમારા ઘરનું પારકાંને આપણે ત્યાં જ આનંદ છે. ત્યારે
લોકો લઈ લેવાનું શીખે છે !
૭૮૯ ભગવાન કહે છે કે મન-વચન-કાયા અને આત્માનો
(પ્રતિષ્ઠિત આત્માનો) ઉપયોગ બીજા માટે વાપર. પછી તને
કંઈ પણ દુઃખ આવે તો મને કહેજે. ૭૯૦ તમારા માટે કંઈ જ કરશો નહીં. લોકો માટે જ કરજો તો
તમારા માટે કંઈ જ કરવું નહીં પડે. ૭૯૧ ધર્મની શરૂઆત જ “ઓબ્લાઈજિંગ નેચર'થી થાય છે. ૭૯૨ પૈસાથી જ કંઈ “ઓબ્લાઈજ' કરાય છે એવું નથી, એ તો
આપનારની શક્તિ પર આધાર રાખે છે. ખાલી મનમાં ભાવ રાખવાના કે કેમ કરીને “ઓબ્લાઈજ' કરું, એટલું જ રહ્યા
કરે તેટલું જ જોવાનું. ૭૯૩ પ્રામાણિકતા ને પરસ્પર “ઓબ્લાઈજિંગ નેચર'. બસ,
આટલાની જ જરૂર છે. ૭૯૪ પરસ્પર ઉપકાર કરવાનો, આટલો જ મનુષ્યજીવનનો લ્હાવો
૭૯૫
પોતાનો ને પોતાના “રીલેટિવ્સ' માટે કોઈ સ્વાર્થ ના હોય ને પારકાં માટે જ બધી વૃત્તિઓ વહેતી હોય તો સિદ્ધિ ઉત્પન્ન
થાય. ૭૯૬ આ જગતમાં બે પ્રકારનાને ચિંતા મટે. એક જ્ઞાની પુરુષ ને
બીજા પરોપકારીને. ૭૯૭ ચિંતા એ સંસારનું મોટામાં મોટું બીજ છે. કારણ કે ચિંતા
એ મોટામાં મોટો અહંકાર છે. અહંકાર ગયો તો ચિંતા ગઈ. ૭૯૮ નામધારીને ચિંતા થાય જ, સ્વરૂપધારીને ચિંતા ના થાય.
Page #44
--------------------------------------------------------------------------
________________
૮૫
૮
આપ્તસૂત્ર ૭૯૯ ચિંતા બંધ થાય ત્યારથી જ વીતરાગ ભગવાનનો મોક્ષમાર્ગ
કહેવાય. ૮00 ચિંતા થવા માંડે તો સમજજો કે કાર્ય બગડવાનું છે ને ચિંતા
ના થાય તો સમજજો કે બગડવાનું નથી. ચિંતા એ કાર્યને
અવરોધક છે ! ૮૦૧ ઘરમાં એક માણસ ચિંતાના વિચારોમાં હોય તો બીજા બધા
ઉપર સામસામી અસરો પડ્યા કરે અને ચિંતામુક્ત થઈ ગયો
તો ?! ૮૦૨ ચિંતા થવાની જગ્યાએ નિશ્ચિંત રહી શકે તે એનું નામ
વિજ્ઞાન' કહેવાય ! અને આપણા લોકો તો “ઇઝી ચેર' ઉપર
બેસે ને “અઇઝી' દેખાય છે ! ૮૦૩ યુગલના પર્યાયને “પોતાના” માનવામાં આવ્યા એટલે ચિંતા
આપ્તસૂત્ર ૮૦૯ “ભગવાન” કશું ના કરે ! “પેકિંગ” શું ના કરે ? ૮૧૦ દેહ શી રીતે ભગવાન થાય? દેહ તો મંદિર છે ને ભગવાન
તો ભગવાન જ છે ! ૮૧૧ “જ્ઞાની પુરુષ' એ નિર્વિશેષ પદ છે. એમને ભગવાન એ
વિશેષણ આપવું એ એમનું હીનપદ ગયું કહેવાય. લોક કહે છે કે ભગવાન આખા બ્રહ્માંડમાં વ્યાપેલા છે. દરેક ચીજમાં ભગવાન છે. તો પછી ભગવાનને ઓળખવાનાં જ
ક્યાં રહે ? જ્યાં ‘ક્રિએચર' છે ત્યાં ભગવાન છે, ને જ્યાં
‘ક્રિએચર' નથી ત્યાં ભગવાન નથી. ૮૧૩ વ્યક્તિત્વ ખીલતું, ખીલતું ખીલતું, સંપૂર્ણ વ્યક્ત થાય છે, એ
પરમાત્મ દશા ! ૮૧૪ “રોંગ બિલિફથી સંસાર છે, ને ‘રોંગ બિલિફ’ ફરે તો
ભગવાન થાય ! ૮૧૫ “હું ચંદુ છું' એવી ‘બિલિફ' થઈ કે તરત બધો સંસાર ખડો
થાય ! ૮૧૬ જેને મનથી કોઈ પણ પ્રકારનો ક્લેશ થતો નથી, તેનો સંસાર
આથમી ગયો ! ૮૧૭ કલુષિત ભાવનો અભાવ થયો, એ જ મોક્ષ ! ૮૧૮ કંઈક એવી ભૂલ રહી જાય છે કે ક્લેશ ઉત્પન્ન થાય છે.
ક્લેશ કાઢવા માટે જ્ઞાનની જ જરૂર છે એવું નથી, બુદ્ધિથી
પણ નીકળી શકે. ૮૧૯ જેણે ભૂલ ભાંગી, તેનું કલ્યાણ થઈ ગયું ! ૮૨૦ ‘ભૂલ ભાંગે તે ભગવાન'.
થઈ.
૮૦૪ ચિંતા એ સમજણને નાશ કરનારી વસ્તુ છે. ૮૦૫ બૈરી-છોકરાંને પૂછે કે, ‘તમારી ચિંતા હું કરું ?” તો એ
કહેશે, “ના, બા, અમારી ચિંતા ના કરશો, તો ય એ ચિંતા
કર્યા વગર રહે જ નહીં ને ! ૮૦૬ એક ફેરો કઢાપો-અજંપો કરે એટલે ભગવાન કહે છે કે આને
તો મારી પડી જ નથી, ચિંતા પોતાના માથે લઈ લે છે, તો
કરવા દો એને નિરાંતે ચિંતા ! ૮૦૭ જે ચિંતા કરે છે, એ ભગવાનને માનતો નથી અને
ભગવાનને માને છે, તે ચિંતા ના કરે. ૮૦૮ ભગવાન એ નામ હોત, તો તો આપણે એને “ભગવાનદાસ
કહેવું પડત ! ભગવાન એ તો વિશેષણ છે. ભગવત્ ઉપરથી ભગવાન થયું છે. ભગવત્ ગુણોને ધારણ કરે તે ભગવાન !
Page #45
--------------------------------------------------------------------------
________________
૮૩૪
આપ્તસૂત્ર ૮૨૧ ભૂલ કાઢનારા મળી આવે પણ ભૂલ ભાંગનારા ના મળે ! ૮૨૨ જગતને જે ના દેખાય તે ભૂલો દેખાડે, મન સાથે તન્મયાકાર
થઈ ગયા એ દેખાડે, એ જ આત્મા છે ! ૮૨૩ “મારામાં ભૂલ જ નથી' એવું તો ક્યારેય ના બોલાય.
કેવળજ્ઞાન’ થયા પછી જ ભૂલો ના રહે. ૮૨૪ સામાના દોષ દેખાય તો કર્મ બંધાય ને પોતાના દોષ દેખાય
તો કર્મ છૂટે ! ૮૨૫ જેનો દોષ નથી, તેને દોષિત ઠરાવીએ તો રૌદ્રધ્યાન ! ૮૨૬ પોતાના દોષ દેખાય તો દોષ નીકળી જાય એવું છે.
મોક્ષમાર્ગ જ પોતાના દોષ જોવા માટે છે અને સંસારમાર્ગ
પારકાના દોષ જોવાથી છે. ૮૨૭ આ ‘દાદા' તો બે માર્ગ આપે છે : સંસારમાં જેને હજી સુખ
લાગે છે, તેને “ધર્મધ્યાન'નો માર્ગ આપે છે ! અને સંસારમાં જેને બિલકુલ સુખ નથી લાગતું, તેને “શુકલધ્યાન’નો માર્ગ
આપે છે ! ૮૨૮ પોતાને દુઃખનું પરિણામ ઊભું થાય એ “આર્તધ્યાન' ને
કોઈને તારાથી દુઃખનાં પરિણામ ઊભાં થાય તે “રૌદ્રધ્યાન'. કોઈને સુખ આપે તે “ધર્મધ્યાન'. વૈભવ ઓછો હોય છતાં
ય સંતોષ રહે તે “ધર્મધ્યાન! ૮૨૯ આર્તધ્યાન ને રૌદ્રધ્યાનથી સંસાર વધે, ને ધર્મધ્યાનથી સંસાર
કપાય, ને શુકલધ્યાનથી મોક્ષ થાય. ૮૩) આર્તધ્યાન ને રૌદ્રધ્યાન બંધ કરાવે એ ધર્મ અને આર્તધ્યાન
ને રૌદ્રધ્યાન ચાલુ રખાવે એ અધર્મ. ૮૩૧ જેટલાં આર્તધ્યાન-રૌદ્રધ્યાન ઓછાં એટલી સંસારની અડચણો
આપ્તસૂત્ર ઓછી હોય ! ૮૩૨ પોતે પોતાનાં દુઃખને રડે તો એ આર્તધ્યાન અને પારકાને દુઃખ
ઊભું કરે એ રૌદ્રધ્યાન અને એ બન્નેને અટકાવે, એનું નામ
ધર્મધ્યાન. અટકાવવાનાં જે સાધન છે એનું નામ ધર્મધ્યાન. ૮૩૩ જ્યાં સુધી ‘જ્ઞાની પુરુષ' મળ્યા નથી ત્યાં સુધી આર્તધ્યાન ને
રૌદ્રધ્યાન થાય છે. તેનાથી બચવા ઉપાય કરવા તેને આ કાળમાં ધર્મધ્યાન કહ્યું છે. બાકી, આ કાળમાં ધર્મધ્યાને ય નથી. એટલે જેનાથી આર્તધ્યાન ને રૌદ્રધ્યાન અટકે, તેને ધર્મધ્યાન કહ્યું છે. સંયોગોમાં સુખ-દુઃખ માનવું એ આર્તધ્યાન કહેવાય છે. ગમતી વસ્તુનો વિયોગ થાય તો દુઃખ થાય ને ગમતી વસ્તુનો
સંયોગ થાય તો સુખ થાય, એ બધું આર્તધ્યાન કહેવાય ! ૮૩૫ રૌદ્રધ્યાન ને આર્તધ્યાન બંધ થયું એ જ મોટામાં મોટો ધર્મ.
એથી આગળ મોટો ધર્મ જ નથી.
આર્તધ્યાન - રૌદ્રધ્યાન ના થાય, તેનું નામ સંયમ ! ૮૩૭ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન કરાવડાવે નહીં, એનું નામ આત્મા ! ૮૩૮ આજે ખાવાનું નથી, તેના માટે ચિંતા કરે, તેને આર્તધ્યાન
કહ્યું. ને વરસ દા'ડા પછીના ખાવાની ચિંતા કરે તેને
રૌદ્રધ્યાન કહ્યું. ૮૩૯ બીજાને માટે જે કંઈ પણ કરવામાં આવે છે, તે ધર્મધ્યાન છે. ૮૪૦ સંયોગોને જે આંતરે છે તે આર્તધ્યાન ને સંયોગોને ધક્કા
મારે છે તે ય આર્તધ્યાન. દુઃખને ધક્કા મારે ને સુખને આંતર
આંતર કરે એ બધું જ આર્તધ્યાન ! ૮૪૧ નિમિત્ત પર કિંચિત્માત્ર ધૃણા નહીં, એનું નામ ધર્મધ્યાન.
Page #46
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર
૮૯
૮૪૨ ધર્મ તો એવી ગુપ્ત વસ્તુ છે કે કોઈને ય ખબર ના પડે. મંદિરમાં પેસવાથી કે પુસ્તક વાંચવાથી ધર્મધ્યાન ના થાય.
ચિત્ત ક્યાં જાય છે તેના પરથી છે !
૮૪૩ ધર્મધ્યાન પાળે, તેનું ફળ સમ્યક્ દર્શન છે.
૮૪૪
૮૪૫ ધર્મધ્યાન એ પરોક્ષ મોક્ષનું કારણ છે ને શુક્લધ્યાન એ પ્રત્યક્ષ મોક્ષની લબ્ધિ છે.
પોતાની જાતને જાણવાનું આવડવું જોઈએ. અને આ ના આવડે, તો ધર્મધ્યાન આવડવું જોઈએ. ધર્મધ્યાન ના આવડ્યું, તો ફરી મનખો ગયો. અને ‘પેલું’ ના આવડ્યું, તો મોક્ષ નહીં મળે.
૮૪૬ દુર્ધ્યાન ના થાય, તે માટે તું જે ઉપચારો કરીશ, તે જ ધર્મધ્યાન છે !
૮૪૭ વિષયી સુખોમાં ગમતા - અણગમતા ભાવ ઉત્પન્ન થાય, તેમાં સહિષ્ણુતા રાખીને, કોઈના ઉપર આરોપ ભાવ ન કરવો, એ ધર્મધ્યાન છે !
૮૪૮ દુઃખ એ અશાતા વેદનીય છે, દુઃખનાં પરિણામ એ આર્તધ્યાન
છે !
૮૪૯ ‘સાચું જ્ઞાન’ હોય ત્યાં આર્તધ્યાન ને રૌદ્રધ્યાન બંધ થઈ જાય. એટલે પછી સંસારનાં કર્મો બંધ થઈ જાય.
૮૫૦ શુકલધ્યાન સિવાયનાં જે જે ધ્યાન છે, તેમાં તાદાત્મ્ય અધ્યાસ થાય, તો સંસાર ઊભો થાય !
૮૫૧
૮૫૨
આ જગત ‘જેમ છે તેમ’ યથાર્થ દેખી શકે, ‘રિલેટિવ’ અને ‘રિયલ’ યથાર્થ દેખી શકે તે શુક્લધ્યાન.
મન અને આત્મા તન્મયાકાર થાય, તો જ આર્તધ્યાન કહેવાય. અને જે પોતાને ખબર ના પડે કે આર્તધ્યાન થયું
Co
૮૫૩ શુક્લધ્યાનપૂર્વકની નિર્જરા, એનું ફળ મોક્ષ અને ધર્મધ્યાનપૂર્વકની નિર્જરા એનું ફળ બહુ જબરજસ્ત પુણ્ય હોય ! પુણ્યાનુબંધી પુણ્ય બંધાય !
૮૫૪ દેહમાં ધર્મધ્યાન હોય તો જ આત્મામાં શુક્લધ્યાન હોય ! શુદ્ધ ઉપયોગ એટલે સામાના આત્માને અને દેહને જુદા જોઈ શકે તે. ‘હું શુદ્ધાત્મા છું' એવું નિરંતર ધ્યાન રહે તે શુકલધ્યાન !
૮૫૫
૮૫૬
આપ્તસૂત્ર
છે. અને આ આર્તધ્યાન થયું તેવી ખબર પડી, તો તે આર્તધ્યાન ના કહેવાય, તો તે મન છે !
૮૫૭ શુક્લધ્યાનમાં જગત આખું નિર્દોષ દેખાવાની શરૂઆત થાય, અને ધર્મધ્યાનમાં સામો દોષિત દેખાય છતાં ઠરાવે નિર્દોષ, એનું નામ ધર્મધ્યાન - ‘સામાનો શો દોષ છે ? એ તો નિમિત્ત છે. આ મારાં જ કર્મનાં ઉદયથી એ મને ભેગો થયો છે ’!
૮૫૯
૮૫૮ શુકલધ્યાન પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે. ધર્મધ્યાન પરોક્ષ મોક્ષનું કારણ છે. આર્તધ્યાન પશુગતિનું કારણ છે. રૌદ્રધ્યાન નર્કગતિનું કારણ છે.
૮૬૦
નિરંતર પોતાનું ‘શુદ્ધ’ જુએ અને બીજાનું ‘શુદ્ધ’ જુએ, તે શુદ્ધ ઉપયોગ !
૮૬૧
‘શુક્લધ્યાન' એટલે તત્ત્વસ્વરૂપનું ધ્યાન. ‘ધ્યાન' એ સ્વાભાવિક વસ્તુ છે. અને ‘શુદ્ધ ઉપયોગ’માં જાગૃતિપૂર્વકનો પુરુષાર્થ કરવો જોઈએ.
‘આ કોણ કરે છે ? હું કોણ છું ? આ બધું શું છે ? કર્તા કોણ ? આનું નિમિત્ત કોણ ?’ આ બધું ‘એટ એ ટાઈમ’ જેમ છે તેમ હાજર રહે, તે ‘શુદ્ધ ઉપયોગ’!
‘શુદ્ધ ઉપયોગી’ને આ જગતમાં કશું જ અડે એવું નથી.
Page #47
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર ના મળે ?! ૮૭૨ ‘જ્ઞાની' કોઈ દિવસ રૂપિયા ગણવામાં પોતાનો સમય ના
બગાડે, એમાં ઉપયોગ વેડફાય. જ્યાં “ઇન્ટરેસ્ટ', ત્યાં
ઉપયોગ ! ૮૭૩ બે અર્થે લોક જીવે છે : આત્માર્થે જીવે, તે તો કો'ક જ
માણસ હોય. બીજાં બધાં લક્ષ્મીના અર્થે જીવે છે. આખો
દહાડો લક્ષ્મી, લક્ષ્મી ને લમી ! ૮૭૪ સમાધિ ક્યારે આવશે ? વહાલી ચીજ વહેતી મૂકાય ત્યારે ! ૮૭૫ લક્ષ્મી ‘લિમિટેડ’ છે અને લોકોની માગણી “અનલિમિટેડ
આપ્તસૂત્ર ૮૬૨ પોતાના ઉપયોગમાં ક્યારે કહેવાય ? બધી ઈચ્છા મંદ થઈ
જાય ત્યારે ! ૮૬૩ આખા જગતના તમામ જીવોનું જ્ઞાન એક જ આત્મામાં છે,
પણ જે જ્ઞાન અહંકારને ને બધાને શેયસ્વરૂપે જોઈ શકે, તે જ્ઞાનને જ ફક્ત ‘જ્ઞાન' કહ્યું. પણ એ તો અંશજ્ઞાન છે, પણ ત્યારથી ઉપયોગ કહેવાય. “જ્ઞાન” જ્યાં છે ત્યાં ઉપયોગ અંશે
કે સર્વાશ હોય. ૮૬૪ સંપૂર્ણ “શુદ્ધ ઉપયોગ’ એ “કેવળજ્ઞાન’! ૮૬૫ જ્ઞાન ક્યારેય અજ્ઞાન થતું નથી, પણ ઉપયોગ બદલાય છે
એને જ અજ્ઞાન કહ્યું છે. હું ચંદુભાઈ છું” એ શુભાશુભ ઉપયોગ. ‘શુદ્ધાત્મા છું' એ શુદ્ધ ઉપયોગ’. શુભાશુભના ઉપયોગથી સંસારમાં પ્રતિષ્ઠા
ઊભી થઈ ! ૮૬૭ જેને વીતરાગના માર્ગે ચાલવું છે, એણે અશુભમાંથી શુભનો
ઉપયોગ રાખવો જોઈએ. અને મોક્ષે જવું હોય, તેણે ‘શુદ્ધ ઉપયોગ’ રાખવો જોઈએ. મોક્ષે જવું હોય, તેણે શુભાશુભની
ભાંજગડમાં પડવું નહીં. બન્ને નિકાલી બાબત રાખવી. ૮૬૮ ‘શુદ્ધ ઉપયોગ’ એટલે પરમાત્મ સ્વરૂપ. ૮૬૯ ઉપયોગ એ જાગૃતિ ગણાય. ૮૭૦ જેટલો ઉપયોગ રહ્યો તેટલી સત્તા ઉત્પન્ન થઈ ગઈ. પાંચ
કલાક ઉપયોગ રહ્યો તો પાંચ કલાક સત્તા ઉત્પન્ન થઈ. સંપૂર્ણ સ્વસત્તા ઉત્પન્ન થઈ ગઈ તો ભગવાન થઈ ગયો ! સંસારમાં ના રહ્યો કોને કહેવાય ? જેને પર ઉપયોગ જ ના હોય તેને. “” એક ક્ષણવાર પણ સંસારમાં રહેતો નથી. જે સંસારમાં રહેતા ના હોય ત્યાં મોક્ષ મળે. એમની કૃપાથી શું
૮૭૬ ખાવાની જરૂર નથી ? સંડાસ જવાની જરૂર નથી ? જરૂર
છે, તેમ લક્ષ્મીની પણ જરૂર છે. જેમ સંડાસ સંભાર્યા
સિવાય થાય છે, તેમ લમી પણ સંભાર્યા સિવાય આવે છે. ૮૭૭ કમાણી હોય, ત્યારે ખેદ કરવાનો કે ક્યાં વાપરીશું ? ને ખર્ચો
આવે ત્યારે મજબૂત થવાનું કે દેવું ચૂકવવાના સંજોગ મળ્યો.
કમાણી એ જવાબદારી છે ને ખર્ચો એ ફેડવાનું સાધન છે. ૮૭૮ પૈસા વપરાઈ જશે એવી જાગૃતિ રખાય જ નહીં, જે વખતે
જે ઘસાય તે ખરું. તેથી પૈસા વાપરવાનું કહેલું કે જેથી કરીને
લોભ છૂટે, ને ફરી ફરી અપાય. ૮૭૯ પૈસા ખોટે રસ્તે ગયા તો “કંટ્રોલ કરી નાખવો. ને પૈસા
સારા રસ્તે વપરાય તો ‘ડીકંટ્રોલ' કરી નાખવાનો. ૮૮૦ નાણાંના અંતરાય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી કમાવાની
ઇચ્છા હોય ત્યાં સુધી. નાણાં તરફ દુર્લક્ષ થયું એટલે એ ઢગલેબંધ આવે.
Page #48
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર ૮૮૧ ઇચ્છા એ જ પરવશપણું. ૮૮૨ જેને કંઈ પણ ઇચ્છા હોય તો તે ભગવાન જ ના કહેવાય ! ૮૮૩ ઇચ્છાઓ પુગલ કરે છે, તે દબાય શી રીતે ? જો તું ઇચ્છા
કરતો હોઉં, તો તેને બંધ કરી દેને ? પણ તે તેમ નથી થતી,
માટે ઇચ્છા પુદ્ગલ વસ્તુ છે. ૮૮૪ ઇચ્છાઓ થાય છે, તે પ્રત્યાખ્યાન નથી થયાં તેથી. સ્મૃતિમાં
આવે છે, તે પ્રતિક્રમણ નથી કર્યા તેથી. ૮૮૫ જ્યાં સૂક્ષ્મ પણ ઈચ્છા છે, ત્યાં ‘વસ્તુ' પ્રાપ્ત થાય નહીં. ૮૮૬ ‘જ્ઞાન’ વગર ઈચ્છા જાય નહીં.
ઈચ્છાથી જ અંતરાય છે. જેમ જેમ ઈચ્છા ઘટતી જાય તેમ તેમ અંતરાય તૂટતા જાય. ત્યાં પછી બધી જ વસ્તુઓ પ્રાપ્ત
૮૮૭
થાય.
આપ્તસૂત્ર ૮૯૩ ‘આપણે’ ચેતન અને અંતરાય નિચેતન, તે છેવટે ચેતનનો જ
જય થાય ! ૮૯૪ આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, એ ચેતન. કાને
સંભળાય, ‘ટેલિવિઝન' દેખાય, ‘રેકર્ડ' સંભળાય એ ચેતન
નથી. ચેતન તો દિવ્યચક્ષુથી દેખાય. ૮૯૫ આત્મા એટલે ચેતન-પરમાત્મા. તેનો એક પણ ગુણ નકલ
થઈ શકે તેમ જ નથી. જે નકલ થાય છે તે પુગલના ગુણો છે. વાણી એ “ટેપરેકર્ડ' છે. વિચાર એ “ડિસ્ચાર્જ છે. જે
‘ડિસ્ચાર્જ થાય છે, એ પુદ્ગલ છે ! ૮૯૬ આખા જગતને ‘હું કરું છું' એ ભ્રાંતિજન્ય ભાન છે. ખરી
રીતે તો બધાનું ‘ડિસ્ચાર્જ' જ થઈ રહ્યું છે, પણ તેનું તેને
ભાન નથી. પોતાને ‘પોતાનું જ ભાન નથી. ૮૯૭ ‘હું ચંદુભાઈ છું' એ જ ભ્રાંતિ છે અને એમાંથી ‘ચાર્જ થાય
છે. ‘ચાર્જ થતું ક્યારે બંધ થાય ? જયારે હું કોણ છું એનું
‘જેમ છે તેમ' ભાન થાય ત્યારે. ૮૯૮ પાંચ ઇન્દ્રિયોથી જે જે અનુભવમાં આવે છે, તે બધું જ
‘ડિસ્ચાર્જ છે. આ તો પુણ્યના આધારે પોતાના ધાર્યા પ્રમાણે થાય ત્યારે “મેં કર્યું' કહે, ને ખોટ જાય ત્યારે ‘ભગવાને ઘાલી’
કહે ! નહીં તો કહે, કે મારા ગ્રહો રાશી છે !!! ૮૯૯ ‘ચાર્જ એટલે સંયોગો બધાનું ભેગું થવું ને ‘ડિસ્ચાર્જ' એટલે
સંયોગો બધાનો અસ્ત થવો. ૯00 ‘ડિસ્ચાર્જ' તો કોને કહેવાય, કે જે પોતાની રૂચિ વગર
ફરજિયાત કરવું પડે તે ! ૯૦૧ મન, ચિત્ત ડિસ્ચાર્જ થાય છે તેને જગતે ‘ચાર્જ માન્યું. એટલે
મન સ્થિર કરવા જાય છે ને ચિત્ત સ્થિર કરવા જાય છે, પણ એમ થાય તેમ નથી.
૮૮૮ “અમને' એકે ય અંતરાય કેમ નથી ? કારણ કે “અમને'
સંપૂર્ણ નિઇચ્છક દશા છે. ૮૮૯ ‘અમારે” એક જ ઇચ્છા હોય, તે ય આથમતી,
જગતકલ્યાણની'! ૮૯૦ મનુષ્ય તો પરમાત્મા જ છે. અનંત ઐશ્વર્ય પ્રગટ થાય તેમ
છે. ઇચ્છા કરી કે મનુષ્ય થઈ ગયો ! નહીં તો પોતે જે ચાહે તે મેળવી શકે તેમ છે. પણ અંતરાયને લીધે નથી મેળવી
શકતો. ૮૯૧ આત્માને અને મોક્ષને કેટલું દૂર છે ? માત્ર અંતરાય એટલું
જ.
૮૯૨ ‘બિલકુલ' નેગેટિવ બોલે, તેના અંતરાય પડે ને ‘પોઝિટિવ'ના
અંતરાય ના પડે.
Page #49
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર ૯૦૨ “કર્તાપદનું ભાન છે ત્યાં સુધી “ચાર્જ' થયા જ કરે.
અક્રમમાર્ગમાં તમારું કર્તાપદ “અમે' ઉડાડી મૂકીએ છીએ. ‘હું કરું છું' એ ભાન ઊડી જાય છે ને “કોણ કરે છે એની સમજણ પાડી દઈએ છીએ. એટલે “ચાર્જ થતું બંધ થઈ
જાય છે ! પછી રહ્યું શું ? ખાલી ‘ડિસ્ચાર્જ સ્વરૂપ ! ૯૦૩ ‘ચાર્જ થવાનું બંધ થઈ જાય, ત્યારથી નવો સંસાર બંધાતો
અટક્યો ! “જ્ઞાની’ વગર કર્તાપદ છૂટે નહીં. ૯૦૪ જ્યાં ‘ચાર્જ થતું અટકે, ત્યાં મોક્ષ માટેનાં લક્ષણો છે. ૯૦૫ “ડિસ્ચાર્જ થાય છે તેની કિંમત નથી, પણ કયું ધ્યાન વર્તે છે
તેની કિંમત છે. ૯૦૬ ચાર્જ” હંમેશાં ‘ડિસ્ચાર્જને ભજ્યા કરે. ૯૦૭ જ્યાં પોતે પ્લાનિંગ' નથી કરતો એ બધું ચોખ્ખું ‘ડિસ્ચાર્જ)
છે. ‘પ્લાનિંગ' કરે છે તેમાં “ચાર્જ થાય છે. “ડિસ્ચાર્જ
સહજ સ્વભાવી છે. એમાં દુઃખ ના હોય. ૯૦૮ આ જગતનો ‘પોતે' કર્તા નથી. જ્યાં પોતે કર્તા માને છે એ
ચાર્જિગ' છે. આ સામાયિક મેં કર્યું, આ ક્રિયાઓ મેં કરી, એનો ગર્વરસ ‘પોતે' ચાખે, તેનાથી “ચાર્જ થાય છે. ગર્વરસ
બહુ મીઠો લાગે. ૯૧૦ ક્રોધ-માન-માયા-લોભ એ “
ડિસ્ચાર્જ સ્વરૂપ છે. પણ સ્વરૂપનું જ્ઞાન' ના હોય તો મહીં પાછાં નવા “ચાર્જ થાય છે. ૯૧૧ ડિસ્ચાર્જ એટલે શું ? ટાઈમ વગર ખસે નહીં. તમારી
ઉતાવળે “ડિસ્ચાર્જ થાય નહીં. ૯૧૨ સંસાર ચલાવવા માટે અહંકારની જરૂર નથી. આવતો ભવ
બાંધવા માટે અહંકારની જરૂર છે. આવતો ભવ બાંધવો ના હોય તો અહંકાર વગરે ય સંસાર તો ચાલે તેવો છે. સંસાર તો આખો ‘
ડિસ્ચાર્જ સ્વરૂપે છે. એટલે “ડિસ્ચાર્જ તો એની
આપ્તસૂત્ર મેળે જ થયા કરવાનું. ૯૧૩ “ડિસ્ચાર્જ સ્વરૂપ છે તેમાં લોકો અહંકાર કરે છે કે “મારો’
કંટ્રોલ રહેતો નથી. મારો કંટ્રોલ રહે છે, તે ય અહંકાર છે. આ તો પારકી વ્યથા માથે આવી છે ! તેમાં પોતે વ્યથિત
થઈને ફર્યા કરે છે ! ૯૧૪ આ જેટલું બોલો છો, તેને અહંકાર કહેવાય. વાણી એ ખુલ્લો
અહંકાર છે. “મેં કર્યું ને હું કરીશ' એવું બોલે છે એ તો
‘ડબલ અહંકાર' છે ! ૯૧૫ “આ મને નહીં ફાવે' એમ બોલ્યો એ જ ‘મેડનેસ' છે, નર્યો
ઈગોઈઝમ” છે. ‘નહીં ફાવે' એમ બોલવું એ ગુનો છે. ૯૧૬ “માનું નહીં' એમ બોલવું એ તો મોટામાં મોટો અહંકાર
છે ! ૯૧૭ “આ મારું સાચું છે' એ એક પ્રકારનો અહંકાર છે. એને ય
કાઢવો તો પડશે ને ? ૯૧૮ બધી શક્તિઓ “ઇગોઇઝમ” ખાઈ જાય છે, ને માર ખવડાવે
છે તે વધારાનું ! ૯૧૯ જ્યાં ‘એક્ટિવિટી’ છે ત્યાં અહંકાર, અહંકારથી ‘એક્ટિવિટી’
છૂટી નહીં શકે. ૯૨૦ ‘જીનમુદ્રા' શું કહે છે? વીતરાગોની પદ્માસન વાળેલી, હાથ
પગ આમ એક પર એક મૂકી દીધેલી મુદ્રા ઉપદેશ આપે છે કે “હે મનુષ્યો ! જો સમજણ હોય તો સમજી જાવ. તમારું ખાવા-પીવાનું, જરૂરિયાતની હરેક ચીજ તમે લઈને જ આવેલા છો માટે “હું કર્તા છું' એ ભાન છોડી દેજો ને મોક્ષનો
પ્રયત્ન કરજો !” ૯૨૧ માણસનું રૂપ શેના આધારે છે ? એનો કેટલો અહંકાર છે
તેના પર. ‘જ્ઞાની પુરુષ' નિર્અહંકારી હોય એટલે એમના
Page #50
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર
રૂપની તો વાત જ શી ? ૯૨૨ “જ્ઞાની પુરુષ' આખા બ્રહ્માંડના માલિક કહેવાય. છતાં ત્યાં
સહેજ પણ “ઈગોઈઝમ' ના હોય. જ્યાં સત્તા નથી ત્યાં ઈગોઈઝમ’ છે ને જ્યાં સત્તા છે ત્યાં “ઈગોઈઝમ” નથી. જ્ઞાની પુરુષ'ની એ અજાયબી છે ! “જ્ઞાની પુરુષ' એટલે તો
પ્રગટ દીવો ! ૯૨૩ વહેતા અહંકારનો વાંધો નથી પણ અહંકારને સહેજ પકડયો,
એનું નામ આડાઈ. વહેતો અહંકાર તે નાટકીય અહંકાર છે.
એનો વાંધો નથી. ૯૨૪ મોક્ષે કોણ જવા દેતું નથી ? આડાઈઓ ! ૯૨૫ “અમારે” “જ્ઞાન” થતાં પહેલાં, વચગાળાની દશામાં આડાઈઓ
હતી. તેની “અમે' શોધખોળ કરી કે, જ્ઞાનપ્રકાશ, આ આડાઈઓ નથી થવા દેતું. તે પછી, તે બધી જ આડાઈઓ દેખી ને તેમનો વિનાશ થયો. ત્યાર પછી “જ્ઞાન' પ્રગટ થયું !!! પોતે પોતાનું જ નિરીક્ષણ કરવાનું છે, કે ક્યાં
આડાઈઓ ભરેલી છે. પોતે “ઓક્ઝરવેટરી” જ છે ! ૯૨૬ આડાઈરૂપી સમંદરને ઓળંગવાનો છે. આપણે આડાઈની
આ પાર ઊભા છીએ અને જવાનું છે. સામે પાર. કોઈ આપણી આડાઈ ઉતારવા નિમિત્ત બને તો તેમાં અસહજ ન
થતાં તે નિમિત્તને પરમ ઉપકારી માની સમતાથી વેદવું. ૯૨૭ આ જગતમાં આડાઈ સાથે આડાઈ રાખશો તો ઉકેલ નહીં
આવે. આડાઈ સામે સરળતાથી ઉકેલ આવશે. ૯૨૮ મોશે જવું હોય તો સરળ થવું પડશે. ત્યાં આડા થશો તો
નહીં ચાલે. ગાંઠો કાઢી અબુધ થવું પડશે. ૯૨૯ આડાઈ તો બહાર વ્યવહારમાં ય ના કરાય. “કલેક્ટર' જોડે
આડાઈ કરે તો એ શું કરે ? જેલમાં ઘાલી દે. તો ભગવાન
૯૮
આપ્તસૂત્ર આગળ આડાઈ કરે તો શું થાય ? ભગવાન જેલમાં ના ઘાલે.
પણ એમનો રાજીપો તૂટી જાય ! ૯૩૦ સંસાર નથી નડતો, તારી આડાઈઓ ને અજ્ઞાનતા જ નડે છે. ૯૩૧ અજ્ઞાન દશાનો અહંકાર સજીવ કહેવાય. સ્વરૂપજ્ઞાન થયા
પછી એ નિર્જીવ થઈ જાય છે. એ નિર્જીવ અહંકારનું જો ઉપરાણું લીધું કે “હું આવો નથી' તો એ પાછો સજીવ થઈ જાય. નિર્જીવ અહંકારનો નિકાલ કરવાનો છે, તેનું રક્ષણ
કરવાનું નથી. ૯૩૨ અહંકાર હંમેશાં પોતાનું ખોટું ના દેખાય એવો ધંધો કરે. ૯૩૩ અહંકાર એ જ અધૂરાપણું છે. ૯૩૪ જ્યાં સુધી અહંકાર જીવતો હોય, ત્યાં સુધી મમતા મહીં પડી
રહી હોય. ૯૩૫ ભગવાન તો એક જ વસ્તુ કહે છે કે તારે આ સંસાર જોડે
મમતા બાંધવી હોય તો મમતા તેની જોડે બાંધ, કાં તો મમતા મારી જોડે બાંધ. મારી જોડે બાંધીશ તો કાયમનું સુખ
મળશે ને સંસાર જોડે બાંધીશ તો તને તૃપ્તિ નહીં થાય ! ૯૩૬ ‘જેને' “અહંકાર” ને “મમતા” છે, જેને “હું કરું છું” એવું ભાન
છે, તે બધા જીવ કહેવાય. અને જેને “હું કર્તા નથી, જ્ઞાતાદ્રષ્ટા પરમાનંદ સ્વરૂપ છું.” એવું ભાન થઈ ગયું તો તે
આત્મા' છે ! ૯૩૭ આ કેટલા પ્રકારની મમતા ?! વાળ વાળે મમતા ! એક વાળ
ખેંચે તો મહીં અકળાય કે મારો વાળ ખેંચી લીધો. ૯૩૮ મમતા એ જ પરિગ્રહ છે, વસ્તુ પરિગ્રહ નથી. “જ્ઞાની'ને
મમતા નથી, વસ્તુ હોય. ૯૩૯ નરી મમતા જ છે ! એક પંજો વાળવામાં જ મમતા નથી
Page #51
--------------------------------------------------------------------------
________________
આપ્તસત્ર
૧
%
રાખતા !
૯૪૦ વસ્તુની મૂછ ગઈ એટલે આધ્યાત્મ નુકસાન ગયું ! ૯૪૧ મમતા વગરનો અહંકાર હોય તો મોક્ષે જાય, મમતાવાળા
અહંકારને લઈને ફસામણ થઈ છે આ ! ૯૪૨ આત્માની હાજરીમાં જબરજસ્ત મમતા બંધાય ને આત્માની
હાજરીમાં મમતા પણ એવી જ જબરજસ્ત રીતે છૂટે ! ૯૪૩ “જ્ઞાની'ના ચરણોમાં પડી રહ્યા સિવાય છૂટકો નથી, જગતનું
દર્શન અનંત મોહનીયવાળું છે, ને તેમાંથી કોઈથી છટકી ના
શકાય. ૯૪૪ માર ખાય ને ભૂલી જાય, માર ખાય ને ભૂલી જાય, એનું
નામ મોહ! ૯૪૫ ગમો-અણગમો એ “ડિસ્ચાર્જ મોહ” છે. રાગ-દ્વેષ એ “ચાર્જ
મોહ” છે. ૯૪૬ રાગ-દ્વેષ ના થાય એ મોક્ષમાર્ગ. ૯૪૭ જે કરતો હોય, તે કર્યા કરજે. પણ માત્ર રાગ-દ્વેષ ના કરીશ.
આપણે” “પોતાના પદ'માં રહ્યા, એટલે રાગ-દ્વેષ ના થાય. ૯૪૮ શુભ ઉપર રાગ નહીં ને અશુભ ઉપર દ્વેષ નહીં, એનું નામ
સમતા. જેને કંદ નથી તે સમતા. વ્યવહારમાં લોક
સહનશીલતાને સમતા કહે છે ! ૯૪૯ સમભાવ એટલે દ્વેષની જગ્યાએ ફ્લેષ ના થાય ને રાગની
જગ્યાએ રાગ ના થાય. ૯૫૦ ફૂલો ચઢાવે તો રાગ ના થાય ને પથ્થર મારે તો પણ દ્વેષ ના
થાય, તે જ સમભાવ.
આપ્તસૂત્ર ૯૫૧ આ જગતમાં કંઈ પણ કામ કરો છો, તેમાં કામની કિંમત નથી.
એની પાછળ રાગ-દ્વેષ થાય, તો જ આવતા ભવની જવાબદારી
છે. રાગ-દ્વેષ ના થતા હોય, તો જવાબદારી નથી. ૯૫૨ સંસારનો પાયો રાગ-દ્વેષનો છે અને ‘જ્ઞાનનો પાયો
વીતરાગતાનો છે ! ૯૫૩ વીતરાગ વિજ્ઞાન સિવાય કોઈ સાધનથી મોક્ષ નથી. બીજા
સાધનોથી બંધન છે. તે ખાલી દહાડા કાઢે, “જ્ઞાની પુરુષ'
પાસે સત્ સાધન પ્રાપ્ત થાય. ૯૫૪ સાધના બે પ્રકારની. એક સાધ્યભાવ માટે જ કરવાની
સાધના ને બીજી સાધનાને માટે સાધના કરવી તે સાધના.
સાધ્યભાવે સાધના એ છેલ્લી સાધના કહેવાય. ૯૫૫ શાસ્ત્રોમાં સાધનજ્ઞાન છે, સાધ્યજ્ઞાન નથી. સાધ્યજ્ઞાન
જ્ઞાની' પાસે છે. સાધ્યજ્ઞાન, કે જે “આત્મા' છે તે ‘જ્ઞાની'ની
કૃપાથી પ્રાપ્ત થાય તેમ છે. ૯૫૬ શાસ્ત્રો તો “હેલ્પીંગ પ્રોબ્લેમ છે. શાસ્ત્ર તો
‘ડાયરેકશન'(માર્ગદર્શન) આપે છે. શાસ્ત્ર એ “થર્મોમીટર’ છે. “થર્મોમીટર’ને કંઈ આખો દહાડો દવામાં વાટીને
પિવડાવાય ? ૯૫૭ શાસ્ત્રો એ સાધન છે ને સાધનો કેવી રીતે વાપરવાં, તે ય એક
સાયન્સ છે. આ સાયન્સ નહીં જાણવાથી અનંત અવતાર
ભટક ભટક કરે છે ! ૯૫૮ આ જગતના જ્ઞાનને જ્ઞાન કહેવાતું નથી. આ તો લૌકિકજ્ઞાન
છે. શાસ્ત્રજ્ઞાન એ સાધનજ્ઞાન કહેવાય. સાધ્યજ્ઞાન એ જ્ઞાન” છે. શાસ્ત્રો ય સાધન છે ને શાસ્ત્રમાં રહેલું જ્ઞાન તે પણ સાધન છે, જ્યારે સ્વરૂપનું જ્ઞાન’ એ સાધ્ય વસ્તુ છે !
Page #52
--------------------------------------------------------------------------
________________
૧૦૧
આપ્તસૂત્ર ૯૫૯ “જ્ઞાની’ એ તો સાધનસ્વરૂપ છે. સાથે ‘વિજ્ઞાનસ્વરૂપ
આત્મા’ છે !
૯૬૦ સાધ્ય પ્રાપ્ત કરવાનાં અનેક સાધનોમાંનું સાધન એ શાસ્ત્ર
છે. એને કાઢી કેમ મૂકાય ? ૯૬૧ સાચું સાધન તો તે કે જેનાથી અહંકાર ને મમતા જાય. ૯૬૨ જે સાધન સાધ્ય પ્રાપ્ત ના કરાવે, એને અધ્યાત્મ કહેવાય જ
નહીં ! ૯૬૩ જગતમાં સાધનો પ્રાપ્ત કરવાનાં સાધનો છે. અહીં' સાધ્ય
પ્રાપ્ત કરવાનું સાધન છે. ૯૬૪ સમાધિ ક્યાં ખોળે છે? તું તારા આત્માના મૂળ સ્વભાવમાં
આવી જા ને, મોક્ષ ને સમાધિ તો આત્માનો સ્વભાવ જ છે ! ૯૬૫ દરેક અવસ્થામાં અનાસક્ત, એ જ પૂર્ણ સમાધિ ! ૯૬૬ પરભાવ બંધ થાય ત્યારે સમાધિ થાય. ૯૬૭ તમને કાયમ સમાધિ વર્તે, ત્યારે તમારું પૂર્ણ કામ થયું
કહેવાશે ! ૯૬૮ સર્વસ્વ ઉપાધિમાં જો સમાધિ લાગતી હોય, તો જાણવું કે
જ્ઞાની પુરુષ' મને મળ્યા હતા ! ૯૬૯ જેટલા સરળ એટલી સમાધિ રહે. ૯૭૦ બહાર સંપૂર્ણ અશાંતિ હોય ને મહીં શાંતિ રહે એ સાચી
શાંતિ. ઉપાધિમાં સમાધિ રહે એ ‘ટેસ્ટેડ’ સમાધિ. ૯૭૧ સમાધિ સુખ ક્યારે વર્તે ? જેને કંઈ જ જોઈતું નથી, બધી
જ લોભની ગાંઠ છૂટે ત્યાર પછી સમાધિ સુખ વર્તે. ભેલાડો ને, ભેલાડો એટલું તમારું !
૧૦૨
આપ્તસૂત્ર ૯૭૨ લોભથી આ જગત ઊભું રહ્યું છે. તને જલેબી ભાવતી હોય,
ને તને ત્રણ મૂકે ને પેલાને ચાર મૂકે, તો તને મનમાં ડખો થાય ! એ લોભ જ છે ! ત્રણ સાડીઓ હોય ને ચોથી લેવા
જાય એ લોભ છે ! ૯૭૩ ‘સ્વરૂપનું ‘જ્ઞાન' થાય ત્યાર પછી જ લોભ જાય. ૯૭૪ જે વસ્તુ પ્રિય થઈ પડી હોય તેના તાનમાં ને તાનમાં રહેવું,
એનું નામ લોભ. એ મળે તો ય સંતોષ ના થાય ! ૯૭૫ લોભ બધાયને ઓગાળી જાય. માનનો પણ લોભ હોય ! ૯૭૬ લોભિયો હસવામાં વખત ના બગાડે. આખો દહાડો લોભમાં
જ હોય. ૯૭૭ આપણને લોભ હોય તો ગુરુ મળી આવે. આપણને
કમાવાનો લોભ હોય ત્યારે ગુરુ મળી આવે. ૯૭૮ લોભને અને વિષયને દોસ્તી જ ના હોય. ખરો નિર્વિષયી
થાય ત્યારે લોભી થાય. એક લક્ષ્મીની જ પડી હોય, તે તેનો લોભી થાય. પછી સાપ થઈને સાચવ્યા કરે. વિષયી બહુ
લોભી ના હોય. ૯૭૯ લોભની ગાંઠ ક્યારે ફૂટે ? ૯૯ ભેગા થાય ત્યારે. ૯૮૦ માન છે ત્યાં સુધી લોભ ના કહેવાય. લોભ તો માનને બાજુએ
૯૮૧ મહીં લોભ પડ્યો હોય, ત્યારે લોકસંજ્ઞા ભેગી થાય. ૯૮૨ જગતમાં સંઘરો કરશો તો કોઈ ખાનારો મળી રહે છે. માટે
ફેશ ને ફ્રેશ ઉપયોગ કરો. ૯૮૩ લક્ષ્મીજીનો દુરુપયોગ કરવો મહાન ગુનો છે. ૯૮૪ લોભિયાને બે ગુરુઓ એક ધૂતારો ને બીજી ખોટ. ખોટ
આવે ને તો લોભની ગાંઠ સડસડાટ તોડી નાખે !
Page #53
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર
આપ્તસૂત્ર
૧૦૩ ૯૮૫ રીક્ષામાં બેસી રસ્તામાં પૈસા વેરતો જા. તારો લોભનો
સ્વભાવ છૂટી જશે. ૯૮૬ લોભનો અર્થ શો ? બીજાનું પડાવી લેવું. ૯૮૭ જેની પાસે ક્રોધ છે, એ ક્રોધના તાપથી સામાને વશ કરવા
જાય છે અને જેની પાસે ક્રોધ નથી, એ શીલ નામના ચારિત્રથી બધાને વશ કરી શકે છે ! જાનવર પણ એનાથી
વશ થાય !! ૯૮૮ પ્રતિકૂળતામાં કષાય થાય છે અને અનુકૂળમાં બહુ કષાય
થાય છે. પણ અનુકુળના કષાયો ઠંડા હોય. એ રાગ કષાય છે, એમાં લોભ ને કપટ હોય. અને પ્રતિકૂળતામાં વૈષ
કષાય, એટલે ક્રોધ ને માન હોય. ૯૮૯ આત્મા અને નિશ્ચેતન ચેતન, એ બેનો સાંધો કષાય છે.
‘અમે’ આ કષાયને નિર્મૂળ કરી નાખીએ છીએ ! ૯૯૦ કષાયો દબાવ્યાથી જાય એમ નથી, એ “જ્ઞાન'થી જાય. ૯૯૧ કષાયનો અભાવ એ જ આનંદ. ૯૯૨ સંસારવૃક્ષનાં મૂળિયાં કષાયો છે. કર્મેન્દ્રિયો કે જ્ઞાનેન્દ્રિયો એ
મુખ્ય મૂળિયાં નથી. કષાયોનાં મૂળિયાં જ બધું પાણી પી જાય
૧૦૪
નથી. ૯૯૬ કષાયનું નિવારણ, એનું નામ મોક્ષ. પહેલું કષાયનું નિર્વાણ
થાય પછી ‘પેલું' ! ૯૯૭ આત્માનું આપણને ના કરવા દે, એ બધા આપણા
વિરોધીઓ-કષાયો, તેમને આપણે ગાંઠીએ નહીં. ૯૯૮ ‘જે છે તે' દેખાતું નથી ને “જે નથી તે' દેખાય છે, એનું નામ
જ મોહ ! ૯૯૯ સંસારમાં કોઈ પણ જાતનાં દુઃખ છે, તે બધાનું કારણ મોહ
૧૦00 મોહ એટલે નવું નવું ઉત્પન્ન થાય અને નવું ને નવું જ
દેખાય, ને તેમાં જ તન્મયાકાર રહે છે. ૧૦૦૧ સાંસારિક હિતાહિતનું ભાન જતું રહે, તે મોહ. ૧૦૦૨ અહંકારનું સ્વરૂપ મોહ નથી. મોહનું સ્વરૂપ અહંકાર છે.
અહંકારનું જન્મધામ મોહ છે. ૧૦૦૩ જેમ જેમ મોહ વ્યાપ્યો, તેમ તેમ ખાડામાં ઊંડા ઊતરતાં જ
ગયા ! ૧૦૦૪ મોહ જ તમને કેડી કંડીને તમારું તેલ કાઢી નાખશે ! ૧૦૦૫ આ જગતમાં આકર્ષણ વસ્તુ એ શું છે ? પ્રગટ અગ્નિ છે,
ત્યાં ચેતવું જોઈએ. આકર્ષણ એ પ્રગટ અગ્નિ છે. મોહનું
મૂળિયું જ આકર્ષણ છે. ૧૦૦૬ નિર્મોહી કોણ ? ‘જ્ઞાની પુરુષ'. એમને આરપાર હાડકાં
માંસ-દેખાય. ૧૦૦૭ જ્યાં સુધી અજ્ઞાન ખસે નહીં, ત્યાં સુધી મોહ જાય નહીં.
૯૯૩ જ્યાં કષાય ઉત્પન થાય ત્યાં આત્મા બહુ છેટો હોય.
કષાયનો અભાવ ત્યાં ‘વીતરાગ ધર્મ’ છે ને જ્યાં કષાય છે
ત્યાં “રીલેટિવ ધર્મ’ છે ! ૯૯૪ નિગ્રંથ ક્યારે થાય ? કષાયોથી રહિત થાય ત્યારે. કષાયો એ
જ ગ્રંથિ છે. ૯૯૫ જ્યાં કષાયો છે ત્યાં સમકિત નથી ને સમકિત છે ત્યાં કષાય
Page #54
--------------------------------------------------------------------------
________________
આપ્તસૂત્ર
૧૦૫ ૧૦૦૮ જેનું અંદર જેટલું ચોખ્ખું, એટલા બહાર સંજોગો પાંસરા !
મહીં મેલું, તેટલું બહાર સંયોગ બગડે. ૧૦0૯ સંજોગ ભેગો થાય એવો નથી અને થયો માટે એની પાછળ
કારણ છે. ધેર આર કોઝિઝ'. એટલે અમે બધાં કારણો
પૂરાં થાય તેમ કરીએ. ૧૦૧૦ કેટલાંય સંયોગ ભેગા થાય ત્યારે માણસને ખાવાનું મળે છે.
કેટલાં સંયોગ ભેગા થાય ત્યારે ભૂખે રહેવાનું મળે છે. વધારે સંયોગ ભેગા થાય ત્યારે ભૂખે રહેવાનું મળે. અવળાને માટે
સંયોગો વધારે જોઈએ છે. સવળાને માટે ઓછાં જોઈએ. ૧૦૧૧ અજ્ઞાનથી સંયોગ બદલાય ને જ્ઞાનથી ય સંજોગો બદલાય.
અજ્ઞાનથી સંયોગો ગુંચારા લાવે ને જ્ઞાનથી સંજોગો ઉકેલ લાવે. જ્ઞાન જ સંજોગો બદલાવે. કંઈ ઉપરથી ભગવાન
ઓછાં આવવાના છે ? ૧૦૧૨ શુદ્ધાત્મા અને સંયોગો બે જ છે. પણ વચ્ચે અહંકારની ફાચર
એને જંપવા નથી દેતી. ૧૦૧૩ સંયોગોના આધારે અહંકાર ઊભો થયો છે અને અહંકારના
આધારે સંયોગ ટકયો છે. જેનો અહંકાર ગયો, તેના સંયોગ
ગયા. “રોંગ બીલિફથી બધું ઊભું છે ! ૧૦૧૪ સંયોગો ને આત્મા બે જ છે : સંયોગો સાથે એકતા થાય તો
“સંસાર'; સંયોગોનો જ્ઞાતા થયો, તો તું “ભગવાન'. ૧૦૧૫ જગતમાં આટલી બધી વસ્તુઓ છે. એને નાનામાં નાનું,
ટૂંકમાં મૂકી દો, તો શું રહે? ‘શુદ્ધાત્મા' ને “સંયોગ'. સંયોગો પાછા વિયોગી સ્વભાવના છે. એટલે શુદ્ધાત્માને એમ નહીં
કહેવું પડે કે “તમે જાવ.' ૧૦૧૬ ભગવાને કહ્યું કે જે સંયોગ ભેગા થાય તેને એક્સેપ્ટ (માન્ય)
કરો. સંયોગ કુદરતી છે. તેમાં ‘આમ કરો ને આમ ના કરો’
૧૦૬
આપ્તસૂત્ર એવું ના હોવું જોઈએ. સંયોગ “વ્યવસ્થિત છે. એનો
સમભાવે નિકાલ કરો.” ૧૦૧૭ સંયોગો તો બધા બદલાયા કરવાના. એ પોતે “એડજસ્ટ'
નહીં થાય, તમારે “એડજસ્ટ' થવું પડશે. સંજોગોમાં ભાવ નથી અને આપણામાં ભાવ છે. સંજોગોને અનુકૂળ કરવા એ આપણું કામ. પ્રતિકુળ સંજોગો એ અનુકુળ જ છે. દાદરો ચઢે છે તે ઘડીએ હાંફ ચઢે છે, પણ શાથી ચઢે છે ? ઉપર
જવાશે, ઉપરનો લાભ મળશે, તે ભાવ રહે છે ! ૧૦૧૮ સંયોગ - વિયોગ રહિત થવું, એનું નામ મોક્ષ ! ૧૦૧૯ સંયોગો વિયોગી સ્વભાવના છે. સંયોગોમાં રાગ થાય તો
વિયોગમાં દ્વેષ થાય. ૧૦૨૦ કડવા ઉપર દ્વેષ ને મીઠા પર રાગ થાય એ અજ્ઞાનતાનો
સ્વભાવ છે. અજ્ઞાન જાય તો કડવું -મીઠું ના રહે. ૧૦૨૧ રાગ-દ્વેષ એ ઈફેક્ટ' છે ને અજ્ઞાન એ “કોઝ” છે ! ૧૦૨૨ મન હેરાન કરતું નથી, તમારા રાગ-દ્વેષ હેરાન કરે છે ! ૧૦૨૩ જેટલાથી વીતરાગ થયો એટલામાં જાગૃતિ વર્તે ને રાગ-દ્વેષ
છે ત્યાં જાગૃતિ વર્તે નહીં. ૧૦૨૪ ક્લેશનું કારણ દ્વેષ છે. ભગવાને શું કહ્યું કે દ્વેષ ના રાખશો.
ના ગમે તો ઉપેક્ષા કરજો. ૧૦૨૫ બહુ રાગ થાય ત્યારે અણગમો ઉત્પન્ન થાય. ૧૦૨૬ ધેષ થાય છે તે વખતે જ રાગનાં કારણો સેવાય છે. અમુક
હદ સુધીનો પરિચય રાગમાં પરિણમે છે અને “રીજ પોઈન્ટ' (Ridge Point) આવે, તે પછી આગળ વધે તો ષમાં પરિણમે.
Page #55
--------------------------------------------------------------------------
________________
૧૦૨૭ ક્રિયાઓ બધી પ્રાકૃતિક છે. એમાં રાગ-દ્વેષ નહીં તે જ મોક્ષ છે.
૧૦૨૮ કષાય ઘટે એનું નામ ધર્મ અને કષાય વધે એનું નામ અધર્મ. કષાય ગયા એ જ સ્વધર્મ છે.
૧૦૨૯ ગમે તેવાં સંજોગ ભેગા થાય, પણ સ્થિરતા ના તૂટે, ધ્યેય ના બદલાય, એ ધર્મ પામ્યો કહેવાય.
૧૦૩૦ ‘અર્થ’, સાંસારિક સ્વાર્થમાં પરિણમે, એનું નામ અધર્મ કહેવાય અને આત્મિક સ્વાર્થમાં પરિણામ પામે, એનું નામ
ધર્મ કહેવાય !
૧૦૩૧ અહંકાર શૂન્ય થાય તે જ અધ્યાત્મ છે.
૧૦૩૨ સામો છંછેડે તો ય છંછેડાઈ ના જાય, એ અધ્યાત્મ વિજય કહેવાય.
૧૦૩૩ ધર્મ એટલે સાચી વસ્તુની શોધખોળ આરોપિત ભાવથી કરવી તે, ને ‘આ' તો સાયન્સ છે.
૧૦૩૪ ભગવાન ‘વિજ્ઞાન સ્વરૂપે’ છે, ‘જ્ઞાન સ્વરૂપે' નથી. ૧૦૩૫ ‘સાયન્સ’ હંમેશાં ‘એકસ્પીરીયન્સ' જ્ઞાન આપે.
૧૦૩૬ હું શું કહું છું કે, વિજ્ઞાન જાણો. ‘આત્મા શું છે’ ને ‘અનાત્મા શું છે’ એ જાણો. એ જાણતાં જ વાસનાઓ ઊડી જશે.
૧૦૩૭ આત્મા જૈનેય નથી ને વૈષ્ણવેય નથી. આત્મા વીતરાગ છે. આ વીતરાગ ધર્મ છે.
૧૦૩૮ ‘આ’ ધર્મ ના કહેવાય, ‘આ’ વિજ્ઞાન કહેવાય. ધર્મ બદલાયા કરે, વિજ્ઞાન ના બદલાય.
૧૦૩૯ ધર્મ શું કહે છે ? કે તું બીજાને સાચવ, તો તને સાચવનારો મળશે ને બીજાને માર તો તને મારવાવાળો મળશે. આ બધા ‘રિલેટિવ ધર્મો’ આમ કહે છે.
૧૦૪૦ મનુષ્ય જ્યારથી કોઈને સુખ આપતો થયો, ત્યારથી જ ધર્મની શરૂઆત થઈ.
૧૦૪૧ દરેક માણસને એક જ પ્રકારનો ધર્મ શાંતિ ન આપે. જે જે ‘ડિગ્રી’ પર બેઠેલો હોય, તે તે ‘ડિગ્રી’નો એને ધર્મ જોઈએ. ૧૦૪૨ ખરો ધર્મ તો તેને કહેવાય કે ઠોકર ના વાગે.
૧૦૪૩ જેને મોક્ષે જવાની ઇચ્છા થાય, તેણે પોતે પોતાનું ‘સેલ્ફ રીયલાઈઝ’(સ્વરૂપનું જ્ઞાન) કરવું પડશે, નહીં તો બીજું ગમે તેટલું કરો પણ મોક્ષ થાય નહીં.
૧૦૪૪ દેહને નમસ્કાર કરવાથી સંસાર મળે ને ચૈતન્યને નમસ્કાર કરવાથી મોક્ષ મળે.
૧૦૪૫ સમજણ તો કોનું નામ કહેવાય કે સામાની ડહાપણની વાત હોય તો ‘એક્સેપ્ટ' કરી લે. આ કાળમાં ડહાપણની વાત ક્યાંથી હોય ?
૧૦૪૬ આ દુનિયામાં મોટામાં મોટી અધોગતિ કઈ ? ચોરી, લુચ્ચાઈ, લબાડી ? ના. લોકોમાં ‘પૂજાવાની કામના’ એના જેવી હીન અધોગતિ બીજી કોઈ વસ્તુ જ નથી. અપૂજ્યને પૂજાવા ફરે તે જ બહુ ખોટી વસ્તુ છે.
૧૦૪૭ મોટો માણસ એને કહેવાય કે જે નાનામાં નાનો થઈ શકે. ૧૦૪૮ જગત તો ઘડીમાં જશ આપશે ને ઘડીમાં અપજશ આપશે. માટે આપણે જશ-અપજશની શી પડી છે ?
૧૦૪૯ જશ મળે તે ય જોયા કરો, અપજશ મળે તે ય જોયા કરો. કારણ કે જશ-અપજશ બેઉ પુદ્ગલ છે, પૂરણ-ગલન છે. ૧૦૫૦ સામાનું સુખ જોવું એ જ આપણો ધર્મ.
૧૦૫૧ દરેક માણસે આ ત્રણ કાળજીઓ તો રાખવી જ જોઈએ : હું
Page #56
--------------------------------------------------------------------------
________________
કયે સ્ટેશનેથી આવ્યો છું ? કયે સ્ટેશને ઊતર્યો છું ? કર્ય સ્ટેશને જવાનું છે ?
૧૦૫૨ કાળજી પોતાના ‘સ્વરૂપ’ની રાખવી અને બીજા બધાની દેખરેખ રાખવી.
૧૦૫૩ ગમે તેટલો વૈભવ હોય પણ એક ક્ષણવાર પણ બંધન ગમે નહીં, ત્યારે વીતરાગના વિજ્ઞાનને સમજવાને પાત્ર થયો કહેવાય.
૧૦૫૪ મનનું સમાધાન થાય, એનું નામ ધર્મ અને મનનું સમાધાન ના થાય, એનું નામ અધર્મ.
૧૦૫૫ ‘હું જાણું છું’ એ જ મોટું ભૂત છે ! ‘આ મારું છે’ એ મોટી વળગાડ છે !
૧૦૫૬ પરસત્તા, પરભોક્તા, પરક્ષેત્ર, પરના સ્વામી થઈને બેઠા છે. ‘સ્વ’ના સ્વામી થાય તો મરણ નથી, પોતે જ પરમાત્મા છે. ૧૦૫૭ જ્ઞાન કોનું નામ કહેવાય ? બધી રીતે તાળો મળવો જોઈએ,
વિરોધાભાસ ઉત્પન્ન થવો ના જોઈએ. અવિરોધાભાસ ‘સિદ્ધાંત’ તો તેનું નામ કે પચાસ વર્ષ પછી યે એ બોલે તો તેનું વાક્ય મળતું આવે, વિરોધાભાસ ના થાય.
૧૦૫૮ ‘સિદ્ધાંત’ એટલે એવરી વ્હેર એપ્લીકેબલ, બીજું હોય નહીં, એનું નામ સિદ્ધાંત !
૧૦૫૯ જ્ઞાનયોગ એ ‘સિદ્ધાંત’ છે, ત્રિયોગ એ ‘અસિદ્ધાંત’ છે.
૧૦૬૦ ‘રાઈટ બિલીફ'થી જ અવિરોધાભાસ ઉત્પન્ન થાય અને અવિરોધાભાસને ‘સિદ્ધાંત’ કહેવાય.
૧૦૬૧ નક્કી કરેલું જ્ઞાન એ ‘જ્ઞાન’ ના કહેવાય. નક્કી કરેલું જ્ઞાન એ ‘સિદ્ધાંત’ કહેવાય.
૧૦૬૨ કોઈ પણ વસ્તુ સિદ્ધ થઈ પછી એનો અંત આવી ગયો. ફરી એને સિદ્ધ કરવી પડે નહીં. કાયમને માટે ત્રિકાળ સિદ્ધ હોય, એનું નામ ‘સિદ્ધાંત’ કહેવાય !
૧૦૬૩ ‘સિદ્ધાંત’ કોને કહેવાય કે જે કોઈ કાળે અસિદ્ધાંતપણાને ના પામે.
૧૦૬૪ જ્યાં સુધી ‘સ્પષ્ટ વેદન’ થાય નહીં, ત્યાં સુધી ‘સિદ્ધાંત’ પ્રાપ્ત
ના થાય.
૧૦૬૫ વાદ ઉપર વિવાદ ના હોય તે ‘સિદ્ધાંત' કહેવાય. ૧૦૬૬ કળિયુગમાં આબરૂદાર હોય નહીં. કળિયુગમાં તો આબરૂ સર્વાંશે ગઈ. આ તો આબરૂની હરિફાઈ ચાલી છે !
૧૦૬૭ આબરૂદાર તો એ કે જેને પોતાની જાત પર વિશ્વાસ છે. જાત એટલે કોણ ? ‘શુદ્ધાત્મા છું' તે !
૧૦૬૮ ભગવાનની ભાષામાં આબરૂદાર કોણ ? આંખ માત્રથી ‘વિશ્વકલ્યાણ’ કરે તે !
૧૦૬૯ ‘જ્ઞાન’ હોય પણ જોડે જોડે ‘કરેક્ટનેસ’ જોઈએ. ‘જ્ઞાન’ હોય ને ‘કરેક્ટનેસ’ ના હોય તો તમે મોક્ષે જશો પણ બીજા બહારનાને લાભ નહીં થાય !
૧૦૭૦ ‘બધાનું કલ્યાણ થાઓ' એ ભાવના, પહેલાં પોતાનું જ કલ્યાણ કરે !
૧૦૭૧ જગત કલ્યાણ કરનારને ઘેર તો કોઈ દિવસ દુઃખ હોય જ નહીં.
૧૦૭૨ ‘સિદ્ધગતિ’માં કોણ નથી જવા દેતું ? ‘પુદ્ગલ’. જેમ આ તૂમડું હોય ને એને માટી ચોંટાડી હોય તો તેને કોણ ઊંચે જવા દેતું નથી ? ‘માટી’. ખરાબ પરમાણુ હોય, તેનું વજન બહુ
Page #57
--------------------------------------------------------------------------
________________
ભારે હોય. તે આત્માને નીચે ઢસડી જાય. ૧૦૭૩ પૌગલિક માટી એવી છે કે નીકળવાનો પ્રયત્ન કરે તો વધારે
ને વધારે ખૂંચતો જાય. ૧૦૭૪ ‘પુદ્ગલ’ તો આત્માની જેલ છે. ૧૦૭૫ પુદ્ગલ એટલે શું? ‘પૂરણ-ગલન’, ‘ક્રેડીટ એન્ડ ડેબીટ’ અને
જો આત્મા જાણીશ, તો મોક્ષ થશે. ૧૦૭૬ જે પુદ્ગલનો રક્ષક થયો, તે “જ્ઞાની' નહીં. જ્ઞાની તો
આત્માનો, સ્વભાવનો જ રક્ષક હોય. ૧૦૭૭ લોકપૂજ્ય થયા પછી મોક્ષે જવાશે, એમ ને એમ ના જવાય.
લોકનિંદ્ય એ તો અધોગતિનું કારણ કહેવાય. ૧૦૭૮ જ્યારે આંખમાં કોઈ પણ પ્રકારનું ઝેર નહીં રહે, મુક્ત હાસ્ય
દેખાશે, ત્યારે લોક તમારાં દર્શન કરશે ! ૧૦૭૯ જેનાં વાણી, વર્તન ને વિનય મનોહર થાય તે લોકપૂજ્ય થાય. ૧૦૮૦ લોકપૂજ્ય થયેલો હોય, તેને કામના ના હોય. અપૂજ્ય થયેલો
હોય, તેને કામના હોય. ૧૦૮૧ આંખમાં સ્થિરતા અને ચિત્ત પ્રસન્નતા-આ બે જ્યાં હોય ત્યાં
દર્શન કરીએ તો લાભ થાય. ૧૦૮૨ ખરું સુખ કોને કહેવાય છે ? ‘ચિત્ત પ્રસન્નતાને'. જેને ચિત્ત
પ્રસન્નતા મળી ગઈ, એને અહીં સંસારમાં ભીખ માગવાની
જરૂર જ નહીં ! ૧૦૮૩ ચિત્ત પ્રસન્નતાને ભગવાને સુખ કહ્યું. કોઈ ગાળ ભાંડે, ગજવું
કપાય તો ય ચિત્ત પ્રસન્નતા ના જાય ! રાતે બે વાગે ય ચિત્ત પ્રસન્નતા ના જાય !
૧૦૮૪ ચિત્ત પ્રસન્નતા હોય, તેને જ મોક્ષમાં પેસવા દે. ૧૦૮૫ ચિત્ત પ્રસન્નતા સાથે ‘ઇગોઈઝમ' હોય ખરો ને ના પણ હોય.
ચિત્ત પ્રસન્નતા સાથે “ઇગોઇઝમવાળા કેટલાંક સંતપુરુષો હોય. ચિત્ત પ્રસન્નતાથી શરૂઆત થાય, તે ઠેઠ “ઇગોઇઝમ' ખલાસ થાય ત્યાં “એન્ડ' આવે. પણ જ્યારથી ચિત્ત પ્રસન્નતાની શરૂઆત થાય, ત્યારથી એનાં દર્શન કરાય અને નિર્અહંકારી પુરુષ ને ચિત્ત પ્રસન્નતા, આ બેઉ હોય તેની
તો વાત જ જુદી ! ૧૦૮૬ ચિત્ત પ્રસન્ન થાય એટલો વખત જગત વિસ્મૃત રહે. ૧૦૮૭ આ જગતમાં ચિત્ત એકાગ્ર કરવાનાં સ્થાન જ નથી. ચિત્ત
સ્થિર થયા વગર ચિત્ત પ્રસન્ન થાય જ નહીં. મનની
સ્થિરતાનાં સ્થાન છે, પણ ચિત્તની સ્થિરતાનાં સ્થાન નથી. ૧૦૮૮ મનની સ્થિરતાવાળું સ્થાન એટલે સ્થિર મનવાળા મહાત્મા
હોય, તેમનાં દર્શન કરવાથી સામાનું મન સ્થિર થાય, પણ
ત્યાં ચિત્તનું ઠેકાણું ના હોય. ૧૦૮૯ ચિત્ત પ્રસન્નતા વગર મુક્ત થવાય નહીં. ૧૦૯૦ શુદ્ધ ચિત્ત એ જ પરમાત્મા છે. ૧૦૯૧ મન સ્થિર હોય એટલે સ્પંદન ના થાય, એટલે ફળ મળે. જો
જોડે જોડે ચિત્ત શુદ્ધિ હોય તો તો કામ જ કાઢી નાખે ને ! ૧૦૯૨ મન સ્થિર હોય ત્યાં સુધી કંઈ જ બગડે નહીં ને ચંચળ થયું
એટલે બગડે. ભગવાન કોઈને આપતાં નથી ને લેતાં નથી, પણ ભગવાન પરમાનંદી સ્વભાવના હોવાથી તેમાં મન સ્થિર થયું એટલે બહારનાં બધાં કાર્યો સારાં થાય. જો ભગવાન આપતાં કરતાં હોતને તો તે પક્ષપાતી થયા કહેવાય. આ તો સાયન્સ' છે કે મન ડગ્યું કે પેલું ડગ્યું.
Page #58
--------------------------------------------------------------------------
________________
૧૦૯૩ મન જ મોક્ષે લઈ જનારું છે અને સંસારમાં રઝળાવનારું ય
મન છે. ફક્ત એને છતું કરવાની જરૂર છે. ઊંધું થઈ ગયું
છે, તેને છતું કરવાની જરૂર છે. ૧૦૯૪ “ડીપ્રેશન'ના આધારે કે “એલીવેશન'ના આધારે જે વિચારો
આવે છે તે બધા વિચારો ખોટા છે. “નોર્માલિટી’થી જે વિચારો
આવે છે તે જ “કરેક્ટ' છે. ૧૦૯૫ વિચારો તો એક મરેલી વસ્તુ છે, જીવતી વસ્તુ નથી. મરેલી
વસ્તુમાં “પોતે તન્મયાકાર થાય, તો તે જીવતી થાય. ૧૦૯૬ મનને વશ કરવું એટલે ચૌદ લોકના નાથને વશ કરવા જેવું
૧૦૯૭ જ્યાં આપણું જ મન આપણા કહ્યામાં નથી રહેતું, તો બીજાનું
મન આપણા કહ્યામાં શી રીતે રહે ? એવી આશા જ ના
રખાય. ૧૦૯૮ નિયમ એવો છે કે જેનું જે વિષયમાં મન વશ થયું હોય, તે
બીજાનું તે વિષયમાં મન વશ કરી શકે. ૧૦૯૯ જેને પારકાનાં મન વશ રહે એ “જ્ઞાની'. પોતાનું મન વશ
સંપૂર્ણપણે વર્તે ત્યાર પછી બીજાનું મન વશ તમને વર્તે. પણ
પોતાનો જ ડખો છે હજુ, ત્યાં સુધી કેમ વર્તે ? ૧૧00 મનથી પર કોણ થઈ શકે ? મન જેણે જીત્યું હોય તે. ૧૧૦૧ મનને ગમતી વાત આવે ત્યારે મનને છૂટું રાખે તો મન
વશ થાય. ૧૧૦૨ “અજ્ઞાન' સ્પંદન કરે છે અને “જ્ઞાન' સ્પંદનને બંધ કરે છે. ૧૧૦૩ અનાત્મ વિભાગના ધક્કાને લઈને ભગવાનને ધક્કો વાગ્યો
છે. સ્પંદનોમાંથી સ્પંદનો ઊભાં થયાં છે. હવે સ્પંદનો કેમ બંધ
કરવાં એ “જ્ઞાન” “અમે આપીએ છીએ. ૧૧૦૪ જગતનાં આંદોલનનું અનુકરણ કરવાથી સંસાર ઊભો છે અને
પ્રતિકરણથી મુક્ત થાય છે. ૧૧૦૫ આપણે જે સ્પંદનો કર્યા તે જ આપણી પર ઊડ્યાં.
અણસમજણમાં જે ક્રિયા કરી, તેની જ પ્રતિક્રિયા થાય છે. ૧૧૦૬ આ જગતમાં બધી ક્રિયાઓ થઈ રહી છે, એ બુદ્ધિથી જ થાય
છે. જ્ઞાનની એમાં જરૂર નથી. “જ્ઞાન” જ્ઞાનમાં જ છે. અને
બુદ્ધિની જે ક્રિયા થાય છે, એને ય “જ્ઞાન' જાણે છે ! ૧૧૦૭ ક્રિયામાત્ર બંધન છે. મોક્ષને માટે ક્રિયાની જરૂર નથી. મોક્ષને
માટે જ્ઞાનક્રિયાની જરૂર છે. અજ્ઞાનક્રિયા એ બંધન છે. અહંકારી ક્રિયાને અજ્ઞાનક્રિયા કહેવામાં આવે છે ને
નિર્અહંકારી ક્રિયાને જ્ઞાનક્રિયા કહેવામાં આવે છે. ૧૧૦૮ આત્મા પ્રાપ્ત થયા સિવાય કોઈ જગ્યાએ દ્રષ્ટિરાગ કરવા જેવું
નથી, કોઈ જગ્યાએ અભિનિવેષ કરવા જેવું નથી, અટકવા
જેવું નથી. ૧૧૦૯ આ ‘રિયલ’ વસ્તુ છે, વાસ્તવિક છે અને વાસ્તવિક બધું જ
ક્રિયાકારી હોય. ૧૧૧૦ આ જગતમાં જે જે ક્રિયાઓ દેખાય છે, એ પૂરણ કરેલી ગલન
થઈ રહી છે. એમાં કશું લેવા-દેવા નથી માણસને. એમાં જ એ અહંકાર કરે છે કે “મેં સામાયિક કર્યું, હિસાબ બંધાયો !
ઝપટાયો ! ગર્વરસમાં જ મઝા કર્યા કરે ! ૧૧૧૧ પાંચ સામાયિક કરે તો કહે, “મેં પાંચ કરી’ એમ કરીને
ગર્વરસ લે. ખરી રીતે શું કહેવું જોઈએ, કે ભગવકૃપાથી
પાંચ સામાયિક થયાં. ગર્વરસ ના લેવાય. ૧૧૧૨ “મેં કેવું સરસ કર્યું' કરીને ગર્વરસ ભોગવે છે. ગર્વરસ બહુ
Page #59
--------------------------------------------------------------------------
________________
મીઠો લાગે છે. આરોપ કરે તેનાથી દુઃખો છે. ભગવાન તો
પરમાનંદી છે અને એ જ પોતાનું સ્વરૂપ છે ! ૧૧૧૩ દેહ કરે છે, દેહના “સ્પેરપાર્ટસ' કરે છે ને અહંકાર માત્ર
ઈગોઈઝમ' જ કરે છે કે “મેં કર્યું ! આમાંથી ગર્વરસ પેદા થાય છે ને તેને લઈને જ જીવી રહ્યો છે. મેં કર્યું, મેં દુઃખ ભોગવ્યું, મેં સુખ ભોગવ્યું, તે ગર્વરસ ચાખી લે છે. આ ગર્વરસ જેનો ગયો, તે છૂટ્યો. આ ગર્વરસ અનંત અવતારથી
શાથી ચાખે છે? કારણ આત્મરસ ક્યારેય ચાખ્યો જ નથી. ૧૧૧૪ ખાય પુદ્ગલ ને ખાલી અહંકાર કરે છે કે “મેં ખાધું'. એને
ખબર જ નથી કે બીજો કોઈ છે. આ તો પારકી પીડા “પોતે'
લઈ લે છે. ૧૧૧૫ જો ખરેખર જ “પોતે ભોગવતો હોય તો ભોગવનાર તો થાકી
જાય. પણ પોતે ભોગવતો જ નથી. એ તો ખાલી “અહંકાર”
જ કરે છે. ૧૧૧૬ જેટલા માણસ છે એટલા બધા અહંકારના પ્રકાર છે. ૧૧૧૭ જગતમાં કોઈ કર્તા નથી. “હું કરું છું' એ “ઈગોઈઝમ' છે.
ઈગોઈઝમ'ની છત્રછાયા નીચે ભ્રાંતિ ઊભી રહી છે. ૧૧૧૮ ‘હું કોણ છું' એ જાણવું હોય તો ‘જ્ઞાની પુરુષ' પાસે જવું પડે.
તે “જ્ઞાની પુરુષ' અહંકારની હાજરીમાં “હું કોણ છું”
જણાવડાવે. ત્યાર પછી તમારો હિસાબ બેસી જાય. ૧૧૧૯ જેને કંઈ પણ “મારાપણા'નું ભાન છે, એ જ ‘ઇગોઇઝમ' છે. ૧૧૨૦ જેટલો ભાગ ‘હું છું', તેમાં ‘મારું ના હોય. “મારું” તો “હું'ની
બહાર હોય. ૧૧૨૧ જેનો અહંકાર ગયો, તે ભગવાન થયો ! અહંકાર છે, ત્યાં
સુધી જીવાત્મા. અહંકાર ગયો, તો થઈ ગયો પરમાત્મા.
૧૧૨૨ અહકાર-મેં કર્યું. જ્યાં પોતે નથી કર્યું, ત્યાં મેં કર્યું એમ કહે
છે, તે અહંકાર છે. અહંકાર કરી છાતી ફુલાવીને ફરવું તે માન ને પછી પોતે કર્યું’ એમ બધાને કહેતાં ફરવું, તે અભિમાન
કહેવાય. ૧૧ ૨૩ અપમાન વાગે ક્યાં સુધી ? જ્યાં સુધી માનનું ભિખારીપણું
છે, નાશવંત ચીજોમાં ભિખારીપણું છે ત્યાં સુધી. ૧૧૨૪ લોકો માન આપે તે ચાખવામાં વાંધો નથી, પણ જોડે જોડે
એમ રહેવું જોઈએ કે આ ના હોવું ઘટે. ૧૧૨૫ માન હોય ત્યાં સુધી માણસ કદરૂપો દેખાય અને કદરૂપો થાય
એટલે આકર્ષણ ના થાય કોઈને. મોઢા ઉપર રૂપ હોય તો ય
પણ એ માનને લઈને કદરૂપો દેખાય. ૧૧ ૨૬ અપમાનનો કિંચિત્માત્ર જેને ભો છે તે “જ્ઞાની' નથી. માનની
રુચિ છે તે “જ્ઞાની' નથી. ૧૧૨૭ અપમાન કરનારો જ્યારે ઉપકારી ગણાશે, ત્યારે તમારું માન
છેદાઈ જશે ! અપમાન કરનારાને ઉપકારી ગણવો, તેનાં
બદલ અપમાન થાય ત્યારે માણસ બેસી જાય છે ! ૧૧૨૮ ‘તેમણે મારું અપમાન કર્યું', એ જ્ઞાનથી ભયંકર પાપ બંધાય
૧૧૨૯ આમ “ઈન્સલ્ટ' ગમતું નથી ને લોકોનું “ઈન્સલ્ટ કરવામાં
શૂરો હોય છે. એને માનવતા કેમ કહેવાય ? ૧૧૩૦ જેને માનની મોટી ગાંઠ હોય તેને, “કંઈ અપમાન થઈ જશે,
કંઈ અપમાન થઈ જશે' એમ રહ્યા કરે. અથવા “ક્યાંથી માન
મળશે, ક્યાંથી માન મળશે', એમાં જ તન્મયાકાર રહે ! ૧૧૩૧ કોઈ આપણને જે જે કરે, “આવો આવો’ કરે, ત્યાં આપણી
છાતી ફૂલવા માંડે, તો એ ખોટ જ ખાય ને ? આમાં સામાની
Page #60
--------------------------------------------------------------------------
________________
તો ફરજ છે એટલે તમને આવો કહે પણ તમારે કાચા ના પડવું જોઈએ. આપણે આપણો તારણનો ચોપડો તરત જોઈ
લેવો કે ક્યાં ખોટ ગઈ ! ૧૧૩૨ માન ખાવાની બહુ ટેવ પડી ગઈ હોય, એ છેતરાય. ૧૧૩૩ માન પામ્યા પછી અપમાને ય એટલું જ પામવાનો, આ
ભવમાં નહિ તો આવતા ભવમાં આવવાનું. સહેજ પણ પુદ્ગલનું સુખ તમે ચાખ્યું તો તેટલું તમારે પાછું આપવું
પડશે. માટે વીતરાગ થઈ જાવ. ૧૧૩૪ જેટલા ઊંચે બેસે તેટલી પડવાની બીક. ૧૧૩૫ અપમાન પચાવવું એ તો મહાન બળવાનપણું છે. ૧૧૩૬ અહંકાર છે કે નહીં, એ શી રીતે ખબર પડે ? એ તો કોઈ
અપમાન કરે ત્યારે ખબર પડે. કોઈ અપમાન કરે તો તે
સમજીને ગળી જવું. ૧૧૩૭ જ્ઞાન મળ્યા પછી અપમાન પચાવતાં આવડે, તો તે “જ્ઞાની”
થઈ જાય. અને જ્ઞાન મળ્યા પહેલાં અપમાન પચાવે, તો
નઠોર થઈ જાય. ૧૧૩૮ પોતાની વાતનું રક્ષણ કરવું તે જ મોટામાં મોટી હિંસા છે.
પોતાની વાત સાચી જ છે, તેવું ઠસાવવા જાય તે જ હિંસા
૧૧૪૨ સ્વમાન એટલે અપમાન ના થાય એ માટેનું રક્ષણ કરવું તે. ૧૧૪૩ વ્યવહારમાં સ્વમાન એ સગુણ કહેવાય અને અભિમાન
દુર્ગુણ કહેવાય. ૧૧૪૪ અજ્ઞાનદશાની સદ્ગણની ‘લિમિટ’ છે, સ્વમાન !! ૧૧૪૫ માન તો એવું છે, કે અમુક હદ સુધી અપમાન થાય છે, ત્યારે
નફફટ થઈ જાય છે અને અમુક પ્રમાણમાં માન મળતું જ જાય તો તે તેને પુષ્ટિ મળતી જાય છે. અને માન જો ખૂબ
જ મળે, તો તે માનની ભૂખ મટી જાય. ૧૧૪૬ પ્રમાણથી વધારે માન આપે, તો ય મહીં કંટાળો આવે ને
પ્રમાણથી વધારે અપમાન આવે, તો ય મહીં અકળામણ થાય. ૧૧૪૭ અપમાનનો ભો જતો રહે, તો વ્યવહારના માણસો નફફટ થઈ
જાય. અને નિશ્ચયમાં અપમાનનો ભો જતો રહે, તો માણસ
સ્વતંત્ર થઈ જાય ! ૧૧૪૮ જેટલો માનનો પ્રેમી હોય, તે એટલો અપમાનનો પ્રેમી ના
થઈ શકે, નહીં ? જેટલો નફાનો પ્રેમી છે, એટલો ખોટનો
પ્રેમી ના થઈ શકે, નહીં ? ૧૧૪૯ નિર્અહંકારી થવું પડશે, નિર્માનીપણું ના ચાલે. નિર્માનીપણાનો
બહુ સૂક્ષ્મ અહંકાર છે. ઉપરનાં શિંગડાં કપાયાં ને અંદરનાં
શિંગડાં રહ્યાં. અંદરનાં શિંગડાં અંદરની કંડ' ઉત્પન્ન કરે. ૧૧૫૦ આમ ક્યાં સુધી અનંત અવતારથી ભટક ભટક કરીશ ?
પોતાનું અજવાળું છે નહીં. અંધારામાં ભટક ભટક ક્યાં સુધી કરવું ? અંધારામાં કોટયાધિ જોજન ચાલ્યો છે, પણ એણે અજવાળું જોયું નથી. સાચો માર્ગ જડ્યો નથી. સાચી વાત તો
જાણવી પડશે ને ! ૧૧૫૧ આ બીબી ને આ “બીબાં' ! અનાદિકાળથી આ જ કર્યું છે.
૧૧૩૯ માનમાં કપટ હોય ત્યાં “જાગૃતિ’ ઉત્પન્ન ના થાય. માનમાં
કપટ હોય ત્યાં માન દેખાય જ નહીં. ૧૧૪૦ અભિમાન એટલે શું? પૌગલિક ‘વેઈટ’ને (વજનને) પોતાનું
વેઈટ' માનવું તે. ‘મોટો છું’ એમ માનવું. ૧૧૪૧ અભિમાન એટલે માનની જાહેરાત.
Page #61
--------------------------------------------------------------------------
________________
તેમાં તો આપણું પરમાત્મપણું ખોયું ! ૧૧૫૨ આમ સંસાર દેખાવામાં આકર્ષક હોય, પણ મહીં પેઠા પછી
છુટાય નહીં. ૧૧૫૩ મુક્તિ કોનું નામ કે પરવશતા ના લાગે. દેહ હોય છતાં
પરવશતા ના લાગે ! ૧૧૫૪ અપમાન આપો છતાં ય આશીર્વાદ આપે તે એકલાં “જ્ઞાની
પુરુષ'! ૧૧૫૫ આ જગતમાં જાણીને અજાણ રહેવું એ મોટો પુરુષાર્થ છે
ને ?! અમે જાણીએ છતાં અજાણ રહીએ. ૧૧૫૬ મતનો આગ્રહ છૂટે નહીં, ત્યાં સુધી તો મોક્ષનો અધિકારી છે
જ નહીં. મતમાં છે ત્યાં સુધી મોક્ષને માટે લાયક જ નથી. ફક્ત ભૌતિક સુખોને માટે લાયક છે, દેવગતિને માટે લાયક
‘સ્વરૂપનું અવલંબન મળ્યા પછી ભૌતિકનું અવલંબન ના
રહે. “પોતે' નિરાલંબ થઈ જાય ! ૧૧૬૧ અવલંબન પુદ્ગલનું લેવું ખોટું છે. આત્માનું જ અવલંબન
લેવું જોઈએ. ૧૧૬૨ “સ” શબ્દ ૩૬૦ ડિગ્રીનો છે. જે, જે “ડિગ્રી’માં હોય તેને
તેનું સત્ય લાગે. છેલ્લામાં છેલ્લું ‘સત્ છે, તે ‘સેન્ટર'માં છે. ૧૧૬૩ જગત “થિયરી ઓફ રિલેટિવિટી'ના આધારે સત્ય છે અને
‘રિયાલિટીના આધારે સત્ય નથી. ૧૧૬૪ ભગવાને કહેલું કે પાંચ જણ કહે તેમ માનજે ને તારી પકડ
પકડીશ નહીં. જે પકડ પકડે એ જુદો. ખેંચ કરો, તો તે તમને નુકસાન ને સામાને ય નુકસાન. આ સત્યાસત્ય એ ‘રિલેટિવ
સત્યછે, વ્યવહાર સત્ય છે. એની ખેંચ ના હોય. ૧૧૬૫ સત્યને સત્ય ઠરાવવા જશો તો તે અસત્ય થઈને ઊભું રહેશે.
આ જગતમાં સત્ય ઠરાવવા જેવું નથી. ૧૧૬૬ ભગવાને શું કહ્યું કે, ખોટાને ખોટું જાણ ને સારાને સારું જાણ.
પણ ખોટું જાણતી વખતે એની પર કિંચિત્માત્ર દ્વેષ ના રહેવો જોઈએ ને સારું જાણતી વખતે કિંચિત્માત્ર રાગ ના રહેવો જોઈએ. ખોટાને ખોટું ના જાણીએ તો સારાને સારું જાણી
શકાય નહીં. ૧૧૬૭ નિશ્ચય એટલે પૂર્ણ સત્ય, ને વ્યવહાર એટલે અમુક હદ
સુધીનું સત્ય છે. ૧૧૬૮ આ જગતમાં સાચું કશું હોતું જ નથી. સામાએ વાંધો ઉઠાવ્યો એ
બધું જ ખોટું. બધી બાબતોમાં બીજા કંઈ વાંધો ઉઠાવે છે? ૧૧૬૯ જ્યાં સુધી સત્યનો આગ્રહ હોય ત્યાં સુધી વીતરાગ ન
ઓળખાય.
૧૧૫૭ દરેક માણસને હૂંફ તો જોઈએ જ.હૂંફ ના હોય, તેને ગભરામણ
થાય. એટલે બહાર હૂંફ ખોળે, ઘેર ના મળે તો. “જ્ઞાની પુરુષ' એકલાને જ હુંફ ના જોઈએ. ‘જ્ઞાની' નિરાલંબ કહેવાય. બીજાં એમનું અવલંબન લે પણ પોતે ના લે. “જ્ઞાની' એકલાં જ
વર્લ્ડમાં એવાં હોય કે જે નિરાલંબ રહી શકે. ૧૧૫૮ જગતનાં અવલંબન તો દગો દે આપણને. ખરે ટાઈમે ખસી
જાય. એના કરતાં તકિયો સારો કે જે ખરે ટાઈમે ખસી તો
ના જાય. જીવતો હોય તે ખસી જાય. ૧૧૫૯ આત્મા સિવાય જે જે અવલંબનો લીધાં હોય તે જ્યાં સુધી
ના નીકળે, ત્યાં સુધી કંઈ વળે નહીં. ૧૧૬૦ નાનું છોકરું ય અહીં આધાર વગર બેસી ના રહે. કોઈ
અવલંબન જોઈએ. ભૌતિકના અવલંબન વગર કોઈ ના રહે.
Page #62
--------------------------------------------------------------------------
________________
૧૧૭૦ આગ્રહ છે ત્યાં સંસાર છે.
૧૧૭૧ જ્યાં કંઈ પણ આગ્રહ છે ત્યાં ધર્મ નથી !
૧૧૭૨ એક જ લક્ષ રાખજો કે ‘આત્મા જાણવો છે.’ ‘આ કરવું ને તે કરવું', તેના આગ્રહમાં પડશો નહીં. જે વખતે જે થયું તે
ખરું.
૧૧૭૩ નિરાગ્રહી થવું એ વીતરાગતાનો માર્ગ છે. જ્યાંથી ત્યાંથી આગ્રહ છોડી દે. સત્યના આગ્રહને ય ભગવાને અજ્ઞાનતા કહી. ‘અમારા’માં આગ્રહ નામે ય ના હોય !
૧૧૭૪ મતાગ્રહથી ક્યારેય પણ મોક્ષ ના થાય. નિરાગ્રહીનો જ મોક્ષ છે.
૧૧૭૫ વીતરાગ વિજ્ઞાનમાં સહેજે ય કદાગ્રહ ના હોય. મતાગ્રહ તો હોય જ નહીં.
૧૧૭૬ ખેંચ કે હઠાગ્રહ ના હોવાં જોઈએ. ખેંચને કહીએ કે તમે જાવ.' તો તે જાય, તેવી ખેંચ હોય તો ચાલે.
૧૧૭૭ આ જગતમાં એવું કોઈ સત્ય નથી કે જેનો આગ્રહ કરવા જેવો હોય ! જેનો આગ્રહ કર્યો, એ સત્ય જ નથી !
૧૧૭૮ જ્યાં આગ્રહ ત્યાં પકડ, ને જ્યાં પકડ ત્યાં વ્યથા ! ૧૧૭૯ ના ગમતી હોય, તેમ છતાં સામાના આગ્રહથી ચા પીવી પડે છે. તે ચા પીવાની આવે, તે આપણો દોષ ને સામો આગ્રહ કરે છે, તે તેનો પછી દોષ થાય છે !
૧૧૮૦ જેને આગ્રહનું ઝેર ના હોય, તેની આંટીઓ બધી નીકળી જાય. ૧૧૮૧ જેમાં આગ્રહો કર્યા છે, અભિપ્રાયો બાંધ્યા છે તેના જ વિચારો આવ્યા કરે !
૧૧૮૨ ક્ષણે ક્ષણે પલટો મારે એવું આ જગત, એમાં અભિપ્રાય આપે, તે જ પોતાની ભૂલ છે !
૧૧૮૩ જેટલાં અભિપ્રાય જેને માટે બંધાયા, તેટલાં અભિપ્રાય આપણે છોડીએ તો સહજ થઈએ. જે બાબતને માટે જેના અભિપ્રાય બંધાયેલા હોય, તે આપણને ખૂંચ્યા જ કરતું હોય અને તે અભિપ્રાય આપણે છોડીએ, તો સહજ થવાય.
૧૧૮૪ અભિપ્રાય તો અહીં રાખવાનો છે કે આ દેહ દગો છે. ૧૧૮૫ ઓપન માઈન્ડ (ખુલ્લું મન) હોય, તો જ ‘કરેક્ટ' અભિપ્રાય અપાય.
૧૧૮૬ પસંદગી તો ભ્રાંત અભિપ્રાય છે.
૧૧૮૭ કોઈ પણ જાતનો અભિપ્રાય આપવો એ જવાબદારી છે ! ૧૧૮૮ અભિપ્રાય બંધાયો કે રાગ-દ્વેષ થાય. જેનો અભિપ્રાય નહીં તેનો રાગ-દ્વેષ નહીં.
૧૧૮૯ વિષયો રાગ-દ્વેષવાળા નથી, અભિપ્રાયની માન્યતા એ જ રાગ-દ્વેષ છે.
૧૧૯૦ પ્રકૃતિ તો અભિપ્રાયે ય રાખે, બધું ય રાખે, પણ આપણે
અભિપ્રાય રહિત થવું. ‘આપણે’ જુદા, પ્રકૃતિ જુદી. ‘આપણે’ આપણો જુદો જુદો ભાગ ભજવવો. એ પીડામાં ઉતરવું નહીં.
૧૧૯૧ આત્માનું ક્રિયાવાદપણું અજ્ઞાનતાને લઈને જ છે. તેને લઈને અંતઃકરણ ઊભું થયું, પ્રકૃતિ ઊભી થઈ !
૧૧૯૨ સામાની પ્રકૃતિનું ઓળખાણ થાય તો તેની જોડે વીતરાગતા રહે. પ્રકૃતિનું ઓળખાણ થવું એ ‘જ્ઞાન’ અને જ્ઞાન થયું એટલે વર્તનમાં આવે.
Page #63
--------------------------------------------------------------------------
________________
૧૧૯૩ મન-વચન-કાયા ને પ્રકૃતિના આંટા જેવી રીતે વીંટાયા છે તેવી
જ રીતે ઉકેલવાના. ૧૧૯૪ જેટલી જેટલી પ્રકૃતિ ‘પબ્લિક’ જોડે “એડજસ્ટ' ના થાય, તે
બધી ખોટી પ્રકૃતિ. ૧૧૯૫ પ્રકૃતિને જુએ, તેમ ઓછી થાય. જ્યાં સુધી પ્રકૃતિને જુએ
નહીં, ત્યાં સુધી ઓછી ના થાય. ૧૧૯૬ ‘જ્ઞાની' પણ પ્રકૃતિમાં છે. પણ પ્રકૃતિમાં રહીને પોતે છૂટા રહે
તે “જ્ઞાની” ! ૧૧૯૭ સ્વભાવ એ પુરુષ છે અને ભ્રાંતિ એ પ્રકૃતિ છે. ૧૧૯૮ ‘પુરુષ'નો સ્વભાવ ‘જ્ઞાયક' છે ને પ્રકૃતિનો સ્વભાવ તો
‘ડાન્સિંગ' કરવાનો છે. ૧૧૯૯ પોતે એક સેકંડ પણ પુરુષ' થાય તો બહુ થઈ ગયું ! એક
સેંકડ પણ ‘પુરુષ' થયો એ પરમાત્મા થાય. એક સેકંડ પણ
કોઈ પુરુષ’ થયો નથી. ૧૨૦૦ આ પ્રકૃતિ દેખાય છે જીવંત, પણ ખરી રીતે એ જીવંત નથી.
સામાસામી જે કંઈ પણ કરે છે, તોફાન માંડે છે, તેમાં ય ચેતન નથી. ખાલી “રોંગ બિલીફ' જ છે કે “મેં કર્યું !' આત્માની હાજરીમાં આ બધું થઈ રહ્યું છે. ખાલી હાજરી જ છે. આમાં જવાબદાર કોણ ? આમાં ભૂલ શી ? ત્યારે કહે, કરે છે બીજો ને કહે છે કે “હું કરું છું' એ ભૂલ છે. એને
ભાંગી નાખો તો ઉકેલ આવે. ૧૨૦૧ પોતાની ભૂલો દેખે એ પરમાત્મા થઈ શકે ! ૧૨૦૨ પોતાની ભૂલો દેખાવાની શરૂ થાય ત્યારથી પરમાત્મા થવાની
શરૂઆત થઈ ગઈ !
૧૨૦૩ જે પોતાના બધા ય દોષો જોઈ શકે છે. તે ભગવાનનો ય
ઉપરી છે ! ૧૨૦૪ પૂર્ણ જાગૃતિ થાય નહીં ત્યાં સુધી પોતે પોતાના સર્વ દોષો જોઈ
શકે નહીં, ત્યાં સુધી નિર્દોષ થવાય નહીં. ૧૨૦૫ જ્યાં સુધી જગત દોષિત દેખાય છે ત્યાં સુધી ઈન્દ્રિય જ્ઞાન
છે. ત્યાં સુધી અંદર શુદ્ધિકરણ થયું નથી. ૧૨૦૬ દ્રષ્ટિદોષ છે, તેના જ ઝઘડાં ને મતભેદ છે. ૧૨૦૭ જગતના દોષ કાઢે, ત્યાં સુધી એક અક્ષરે ય આત્માનો જડે
નહીં. નિજદોષ દેખે એ જ આત્મા ! ૧૨૦૦ જ્યારે પોતે પોતાના દોષ દેખે ત્યારે સ્વયંજ્યોતિ સુખધામ
થાય ! ૧૨૦૯ જ્યારે પોતે પોતાના દોષ જોશે, ત્યારે બીજાના દોષ જોવાની
નવરાશ નહીં રહે ! ૧૨૧૦ સ્વદોષ અને સ્વકલ્પનાથી ઊભું થયું છે. આ બધું ! ૧૨૧૧ કોઈની ય ખોડ કાઢવા જેવું આ જગત નથી. ખોડ કાઢી એટલે
બંધાયા. ૧૨૧૨ આપણે ભૂલ વગરના થઈ જવું, તેથી માથે ઉપરી કોઈ ના
રહે.
૧૨૧૩ ભગવાનને ભૂલ કાઢવાનો વખત ના આવે, તે જ ભગવાનનો
ઉપરી. તે જ ભગવાનને વઢી શકે ! ૧૨૧૪ જ્યાં પ્રેમ છે ત્યાં દોષ નથી. વેપારી પ્રેમ આવ્યો ત્યાં બધા
દોષ દેખાય. ૧૨૧૫ આ જગતમાં કોઈ પણ માણસ તમારું કંઈ નુકસાન કરે છે,
એ તો નિમિત્ત છે. તેમાં “રીસ્પોન્સિબલ' (જવાબદાર) તમે
Page #64
--------------------------------------------------------------------------
________________
જ છો. કોઈ માણસ કશું કરી શકે જ નહીં, એવું સ્વતંત્ર આ જગત છે ! અને કોઈ કરી શકતું હોત તો ભયનો પાર જ ના
રહેત. કોઈને મોક્ષે જ ના જવા દેત. ૧૨૧૬ આપણો હિસાબ હોય તો જ કોઈ આપણું નામ દે. આપણે
મહીં જો સહી ના કરેલી હોય તો કોઈ નામ ના દે. આ તો
આપણી જ સહીને લીધે છે આ બધું ! ૧૨૧૭ કોઈ આપણી ખોડ કાઢે તો જાણવું કે આપણામાં કચાશ છે.
પછી કોઈ ઊંધું જ બોલનારો હોય, તેની વાત જુદી છે. પણ
એવું ખાસ ના હોય. ૧૨૧૮ આખા દા'ડામાં કોઈનો કશો ગુનો થતો જ નથી. જેટલાં ગુના
દેખાય છે, તે જ આપણી કચાશ છે. ૧૨૧૯ બીજાની ભૂલો જોવી એ તો ભયંકર ભૂલ છે ! ૧૨૨૦ સામાને ખરાબ કહેવાથી કે ખરાબ જોવાથી પોતે જ ખરાબ
થઈ જાય છે. લોક સારા દેખાશે ત્યારે પોતે સારો થશે. ૧૨૨૧ કોઈને ય દોષ દેખાય તે નિકાલી બાબત નથી, ગ્રહણીય
બાબત છે ! ૧૨૨૨ દોષબુદ્ધિથી દોષ દેખાય છે. સહેજ અવળા હેંડ્યા કે બધા ય
દોષિત દેખાશે ! ૧૨૨૩ “અમને’ આત્મા સિવાય બીજું કશું જ રૂપાળું લાગતું નથી
અને ખરાબ તો આ જગતમાં કોઈ ચીજ છે જ નહીં.
‘પોતાની' બાઉન્ડ્રી ચૂકવી, એનું નામ ખરાબ ! ૧૨૨૪ પોતાની ભૂલ પોતાને' જડે નહીં, એનું નામ જગત. ૧૨૨૫ પોતાની ભૂલ ‘પોતાને' દેખાય, એનું નામ સમકિત. ૧૨૨૬ જ્યાં ભગવાન પણ પહોંચી ના શકે એ સ્થિતિ પર “જ્ઞાની'
બેઠેલા હોય. કારણ કે ભગવાનને બોલવાની શક્તિ નથી, આશીર્વાદ આપવાની શક્તિ નથી. જ્યારે આ બધી જ શક્તિઓ “જ્ઞાની' પાસે છે. એટલે ભગવાન “જ્ઞાની'ને વશ
થયા છે, બીજા કોઈને નહીં ! ૧૨૨૭ આ બધા “રિલેટિવ' ધર્મો છે, એ બધા પ્રાકૃત ધર્મો છે. જેને
ભય ગમતો હોય, તેને માટે પ્રાકૃત ધર્મો બરાબર છે. પણ જેને નિર્ભયતા જોઈતી હોય, વીતરાગતા ગમતી હોય, તેને
રિયલ’ ધર્મમાં આવવું પડશે ! ૧૨૨૮ ધર્મ કોને કહેવાય કે જ્યાં અધર્મ ના હોય. અધર્મ હોય ત્યાં
ધર્મ ના કહેવાય. બેમાંથી એક હોય. દરેક ભાવનાની પાછળ
એક હોય કાં તો ધર્મ હોય કાં તો અધર્મ હોય. ૧૨૨૯ આ મન-વચન-કાયા એકાકાર થાય, એને ભગવાને “મુખ્ય
ધર્મ કહ્યો છે. તે એકાકાર ના રહેતાં હોય તો આપણે એટલી ભાવના રાખવી કે “મારે એકાકાર રાખવાં છે', એવું નક્કી
કરીએ તો કો'ક દહાડો એ ફળે. ૧૨૩0 ધર્મ તો એનું નામ કે જે આધ્યાત્મિકનાં બધાં સાધન ભેળાં
કરી આપે. ૧૨૩૧ “જ્ઞાની પુરુષ' પાસે બધા ધર્મનો સાર હોય. ૧૨૩૨ પ્રકૃતિ ધર્મ શું કહે છે? પ્રાકૃત ધર્મની રચના તો જુઓ ! મોટા
મોટા “જ્ઞાની'ઓને પણ તેમાં રહેવું પડ્યું ! પ્રાકૃત ધર્મ તો ઓળખવો જ પડશે. “જ્ઞાતા-દ્ર' એકલો જ આત્માનો ધર્મ
અને બીજા બધા જ પ્રાકૃત ધર્મ. ૧૨૩૩ એક ક્ષણ પણ આત્મા આરાધે, તેનો મોક્ષ થયા વગર રહે
નહીં. એવું આ પદ્ગલિક રમણતાવાળું જગત છે ! ૧૨૩૪ આરાધના એટલે ઊંચે ચઢવું. ઊંચે ચઢેલા જોડે આપણે
Page #65
--------------------------------------------------------------------------
________________
પોતાના ઘરમાં જ બેઠાં છે, પણ એને ઓળખતો નથી અને કહે છે કે આને ઓળખું છું, પેલાને ઓળખું છું. એનાં કરતાં
તને, “પોતાને' ઓળખને ! ૧૨૪૫ “હું પોતે કોણ છું' એ ના જાણ્યું એ મોટામાં મોટો આત્મઘાત
‘જોઈન્ટ' રાખીએ તો ઊંચે ચઢાય અને એમનું અવળું બોલીએ
તો નીચે પડીએ. ૧૨૩૫ આપણાથી બે ડિગ્રી ઊંચો હોય તેની જોડે ગુણમાં રહીએ,
એમના ગુણગાન કરીએ, એમની ભક્તિ કરીએ, એમની સેવા કરીએ, તો એ આરાધના કહેવાય. એમનું અવળું બોલીએ, નિંદા કરીએ તે વિરાધના કહેવાય. વિરાધનાથી નીચે પડી
જવાય, આરાધનાથી ઊંચે ચઢાય. ૧૨૩૬ “જ્ઞાની પુરુષ'ની આરાધના કરી, એ જ શુદ્ધાત્માની આરાધના
કર્યા બરોબર છે, તે જ પરમાત્માની આરાધના છે, ને એ જ
મોક્ષનું મુખ્ય કારણ છે. ૧૨૩૭ આરાધના ને ભજનામાં શો ફેર? આરાધવું એટલે વારે ઘડીએ
દ્રષ્ટિ ત્યાં જવી અને ભજવું એટલે નિરંતર તન્મયાકાર. આરાધના ને ભજના પોતાના સ્વરૂપની જ કરવાની છે. બીજું
બધું તો સહેજે ય ચાલ્યા કરે ! ૧૨૩૮ અવિનય ને વિરાધનામાં શો ફેર ? અવિનય એટલે વિનય ના
કરે છે અને વિરાધના એટલે સામો થાય તે. ૧૨૩૯ ‘જ્ઞાની'ની વિરાધના જ્ઞાન-દર્શન-ચારિત્ર બધાંયને રોકે ! ૧૨૪૦ “જ્ઞાની પુરુષ' અને પરમાત્મામાં ફેર માને તો તે મુમુક્ષુ જ
નથી. “જ્ઞાની પુરુષ'ને સહેજ ઉપાધિ હોય ને પરમાત્માને
ઉપાધિ ના હોય. ૧૨૪૧ “જ્ઞાની પુરુષ' દેહ સાથે ‘આત્મા’ થયા છે ! ૧૨૪૨ આખી દુનિયાનું મોટામાં મોટું આશ્ચર્ય “આત્મા છે ! એ પામી
ગયા એટલે સર્વ પામી ગયા !!! ૧૨૪૩ સમકિત એટલે આત્માની ઓળખ. ૧૨૪૪ પોતાના જ આત્માને ઓળખવા માટે કેટલી બધી માથાફોડ ?!
૧૨૪૬ પ્રયોગી પ્રયોગ સ્વરૂપે થઈ જાય છે એ જ ભ્રાંતિ ! ૧૨૪૭ આત્મજ્ઞાન કોને કહેવાય કે, જે “જ્ઞાન” “જોય'માં પરિણમતું
હતું, તે ‘જ્ઞાન’ ‘જ્ઞાતામાં પરિણામ પામે. ૧૨૪૮ આત્માનો અનુભવ એટલે શું? નિરંતર પરમાનંદ સ્થિતિ. ૧૨૪૯ ચેતનનો આનંદ તો એક વાર આવે પછી પાછો જાય નહીં.
ચેતનનો આનંદ સનાતન હોય ! ૧૨૫૦ અજ્ઞાનથી માનસિક આનંદ ભોગવ્યો, એ જ સંસારનું કારણ.
‘જ્ઞાન'નો જ આનંદ ભોગવાય. ૧૨૫૧ ખોટી સમજણો દૂર થાય ને સાચી સમજણ આવે એ જ
આનંદ છે. ૧૨૫૨ જ્યાં સુધી વ્યવહારમાં છે ત્યાં સુધી માનસિક આનંદ ને
આત્મા જાણ્યા પછી આત્માનો આનંદ. ૧૨૫૩ મનનો ધર્મ, બુદ્ધિનો ધર્મ, ચિત્તનો ધર્મ, અહંકારનો ધર્મ, આ
બધા ધર્મો અને આત્માના ધર્મ, આ બધા પોતપોતાના ધર્મમાં આવી જાય, એનું નામ “જ્ઞાન'. અને એકના ધર્મ ઉપર
આપણે” દબાણ કરીએ એટલે થયું ‘અજ્ઞાન' ! ૧૨૫૪ આત્માનો સ્વભાવ શો ? બધાના ધર્મને જોવું, “કોણ કયો કયો
ધર્મ ને કેવી રીતે બજાવી રહ્યું છે” એને જોવું, એનું નામ આત્માનો ધર્મ.
Page #66
--------------------------------------------------------------------------
________________
૧૨૫૫ જેને સાપેક્ષ દ્રષ્ટિ કહે છે, એને લઈને ચિત્તની અશુદ્ધિ છે,
નિરપેક્ષ દ્રષ્ટિ થાય એટલે ચિત્તશુદ્ધિ થઈ જાય. ૧૨૫૬ ચિત્તશુદ્ધિ થઈ ગઈ, એનું નામ જ લાયકદર્શન. ૧૨૫૭ ચિત્તવૃત્તિ ભગવાનની આગળ નિર્મળ થઈ શકે, પણ એ તો
લોકોને આવડે નહીં. ચિત્તવૃત્તિ નિર્મળ કરવાનો નાનામાં નાનો ઉપાય એટલે ઓછામાં ઓછા નિસ્પૃહી માણસોનો સંગ અને છેલ્લામાં છેલ્લો સંપૂર્ણ નિર્મળ કરવાનો ઉપાય એટલે વિતરાગનું નિદિધ્યાસન ! ચિત્તવૃત્તિ નિર્મળ થાય એટલે
‘જ્ઞાની પુરુષ' યાદ આવ્યા કરે ! ૧૨૫૮ જે વૃત્તિઓ અનાદિથી ભટકતી હતી, તે અંદર આવી
નિજઘરમાં પ્રવેશ કરે, તેને નિવૃત્તિ કહેવાય. ૧૨૫૯ ચિત્ત અર્ધજીવતું છે અને મને બિલકુલ ‘ફિઝિકલ' છે. ૧૨૬૦ વિચારોનું વમળ ફર્યા કરે, ત્યારે એ મન કહેવાય છે. મન
તે વખતે સ્વતંત્ર રીતે હોય છે. વૃત્તિઓને ને એને કંઈ લેવાદેવા નથી. વૃત્તિઓ તો પછી ઉત્પન્ન થાય ને પછી આઘીપાછી
થયા કરે. ૧૨૬૧ વિચારો કેવી રીતે રોકવા ? વિચારોને કહી દઈએ કે ‘તમારી
વાત તમે જાણો, અમે તમારા પક્ષમાં નથી. એટલે તમે
ભગવાનના પક્ષમાં બેઠા. ૧૨૬૨ અવળા વિચારે સંસાર બંધાયો, સવળા વિચારે ય સંસાર
બંધાયો ને “અવિચારે' મોક્ષે જાય ! ૧૨૬૩ મન ઉપર આવતા ભવનો આધાર છે. કાયાનો આધાર તો
ઘસાઈ જવાનો. ૧૨૬૪ ‘ભાવમન એ “ચાર્જ મન છે. ‘દ્રવ્યમન’ ‘ડિસ્ચાર્જ મન છે.
‘ભાવમન' સંસાર ઊભો કરે. ‘દ્રવ્યમન' સંસાર નિવારે.
અહંકાર ગયો એટલે ‘ભાવમન' ઊડ્યું ! ૧૨૬૫ જગત શું શીખવાડે છે? અહંકાર શીખવાડે છે. અહંકારમાંથી
તો પછી બધા બહુ પર્યાયો ઊભા થાય ! ૧૨૬૬ અહંકારની શૂન્યતા માટે “જ્ઞાની પુરુષ' શુદ્ધાત્માનું લક્ષ
બેસાડે. ૧૨૬૭ “જ્ઞાની'ના ચરણની વેલ્યુ કેટલી ? આંકી ના શકાય તેટલી.
જ્ઞાની'નું ચરણ, એ તો ઇગોઇઝમ ઓગાળવાનું એક માત્ર
સોલ્વન્ટ છે ! ૧૨૬૮ “હું પણાનો ઈગોઈઝમ અને ‘મારાપણાનો પક્ષપાત છે, ત્યાં
સુધી છુટકારો થાય જ શી રીતે ? ૧૨૬૯ “હું ચંદુભાઈ છું' એ આરોપિત ભાવ છે. એટલે રાત-દા'ડો
આરોપનામું ઘડાયા જ કરે. ૧૨૭૦ વાસ્તવિક રીતે બાહ્યકરણ બાધક નથી, અંતઃકરણ બાધક છે. ૧૨૭૧ “સેન્સિટિવ' માણસની, સામો કંઈક શબ્દ બોલ્યો, કે તરત જ
ઇફેક્ટ’ થાય. ખરી રીતે શબ્દ તો “રેકર્ડ' છે ! ૧૨૭૨ કોઈ પ્રેમભગ્ન હોય, તો કોઈ અહંકારભગ્ન હોય. એનો એને
બહુ માર ખાવો પડે. ૧૨૭૩ જ્યાં “ઇગોઇઝમ” છે, ત્યાં “જ્ઞાન” નથી. ને જ્યાં “જ્ઞાન” છે,
ત્યાં “ઈગોઈઝમ' ના હોય. ૧૨૭૪ સહનશીલતા એ અહંકારનો ગુણ છે. ૧૨૭૫ “એઝેક્ટલી” જે સહન કરે છે, તે કેસ’ કુદરતને સોંપે છે.
કોઈને ય દંડ આપવાની જરૂર નથી. કુદરત જ તેને દંડ
Page #67
--------------------------------------------------------------------------
________________
આપશે. ૧૨૭૬ મને સહન નથી થતું એ જ અસહનશક્તિ ને મને સહન થાય
છે એ જ સહનશક્તિ. ૧૨૭૭ જેની જોડે ના ફાવ્યું ત્યાં જ શક્તિ પ્રગટ કરવાની છે. ફાવ્યું
ત્યાં તો શક્તિ છે જ. “ના ફાવે' એ નબળાઈ કહેવાય. ૧૨૭૮ શુદ્ધ પ્રેમ હોય ત્યાં ખેંચ ના હોય. ખેંચ એ આસક્તિ છે. ૧૨૭૯ સંસારમાં જો ‘રિલેશન' - સંબંધ છે તેમ જાણે તો ઉકેલ આવે.
પણ જો સાચો સંબંધ જાણ્યો તો ખેંચ રહે. “રિલેશન' સંબંધમાં મારું સાચું એમ કરવાનું ના રહે. ‘લે, તારું સાચું' કરીને
ઉકેલ લાવો. ૧૨૮૦ ‘આપણે શું?” એમ કહેનાર જ કુદરતનો મોટો ગુનેગાર છે. ૧૨૮૧ જ્યાં આત્મા ભૂલાય, એ સ્થળ આપણું નહીં. ૧૨૮૨ સર્વ રીતે મનનું સમાધાન કરાવે તે જ સંપૂર્ણ જ્ઞાન અને એ
જ સર્વ સમાધાની જ્ઞાન છે. ૧૨૮૩ સંસારનો દોષ નથી, સંસાર તો સરસ છે. તમારી સમજણ
ઊંધી, તેમાં સંસાર શું કરે? ૧૨૮૪ સમકિત એનું નામ કે ગમે તે સ્થિતિમાં સવળો ચાલે. ૧૨૮૫ ઊંધું કરે એનું નામ મિથ્યાત્વી ને છતું કરે એનું નામ સમકિતી. ૧૨૮૬ આચરણ એનું નામ કે યથાર્થ સમજમાં આવવું. ૧૨૮૭ ‘આ’ માર્ગ મારી-ઠોકીને લઈ જવાનો નથી. ‘આ’ માર્ગે
સમજીને જવાનું છે. ૧૨૮૮ જ્યાં કરવાપણું છે ત્યાં ધર્મ ઉત્પન્ન થાય ને સમજવાપણું છે
ત્યાં મોક્ષ ઉત્પન થાય. ૧૨૮૯ “હું કરું છું' એવું જ્યાં સુધી છૂટું નથી, ત્યાં સુધી યથાર્થ
ધર્મનો એક અક્ષરે ય પામ્યો નથી. ત્યાં સુધી શુભાશુભ છે. ૧૨૯૦ બંધનમાંથી મુક્તિ કરાવે, એનું નામ યથાર્થ ધર્મ. ૧૨૯૧ ભૂલ પોતાના માથે લઈ લે તે જ ખરો ને ? તાણ ના કરવી.
તાણ કરવા કરતાં, બીજાનો વાંક કાઢવા કરતાં, તે વાંકે પોતાના
માથે લઈ લો ને ! ૧૨૯૨ પાંસરો થયો તેનો મોક્ષ છે. તેમ નહીં થાવ તો લોક મારી
મારીને પાંસરો કરશે. મોક્ષનું દ્વાર તો સાંકડું છે. તે આડાઈ
હશે તો શી રીતે મહીં દાખલ થઈ શકશે ? ૧૨૯૩ મહીં ઊંધું તો બહાર ઊંધું દેખાય. ત્યારે મહીં તપાસ કરીએ
કે આ બધાને નથી ખૂંચતું ને મને જ કેમ ખૂંચે છે ? માટે
મારી મહીં જ ઊંધું છે. ૧૨૯૪ પોતાને જેમાં “ઈન્ટરેસ્ટ' (રસ) રહેલો હોય, તેમાં તેને
પોતાની ભૂલ ના દેખાય. ૧૨૯૫ બીજાના દોષ દેખાય છે તે આપણા જ દોષનો પડઘો છે,
મોટામાં મોટો આપણો જ દોષ છે ! એને ગાંડો અહંકાર
કહેવાય ૧૨૯૬ સાચું જ્ઞાન જાણ્યા પછી દુઃખને ઓછું કરે છે ને સુખને વધારે
છે. એ જાણ્યા પછી કાચા પડીએ તો એ આપણી જ ભૂલ છે
૧૨૯૭ પોતાને ભૂલો પડવાનો યોગ લખેલો હોય, ત્યારે સાચી વાત
ના માને, બીજી જ માને. ૧૨૯૮ જે “શુદ્ધાત્મા'ના ખ્યાલમાં છે તે ખ્યાતનામ કહેવાય. કોઈ
Page #68
--------------------------------------------------------------------------
________________
પ્રખ્યાતનામ કહેવાયેલો નહીં, પણ ખ્યાતનામ કહેવાયેલા.
પ્રખ્યાત એ “એબોવ નોર્માલિટી'થી હોય છે. ૧૨૯૯ જે જેનો “પ્રોપેગેન્ડા' કરે, તે પ્રખ્યાતિમાં આવે અને ગુપ્ત રહે
તે ખ્યાતિમાં આવે. કિંમત ખ્યાતિની છે, પ્રખ્યાતિની નહીં ! ૧૩00 જ્યાં કંઈ પણ ‘પોલીશ” છે ત્યાં ઊભા રહેશો નહીં, નહીં
તો ફસાઈ પડશો. ૧૩૦૧ જ્યારે (?) ધર્મમાં પૈસાનો વ્યવહાર બંધ થઈ જશે, ત્યારે ધર્મ
શોભા આપશે ! ૧૩૦૨ “લાઈફ’ ભોગવતાં ભોગવતાં મોક્ષે જવા માટે છે. “એબોવ
નોર્મલ’ કે ‘બિલો નોર્મલ’ ના જોઈએ. ‘લાઈફ’ તો નોર્મલ
જોઈએ. ૧૩૦૩ આપણે સીધા થવાની જરૂર છે, સાધુ થવાની જરૂર નથી. ૧૩૦૪ પુરુષોને માટે સ્ત્રીઓ એ “કાઉન્ટર વેઈટ' છે. તે ઓછું પડે
ત્યાં છોડીઓ “કાઉન્ટર વેઈટ' છે. “કાઉન્ટર વેઈટ' વિના
ચાલે જ નહીં. નહીં તો ઊથલી પડે ! ૧૩૦૫ જેટલું ‘ફ્રી ઓફ કોસ્ટ’ છે એ બધું ફરજિયાત છે. ૧૩૦૬ આ જગતમાં કોઈ ચીજ મફત ના હોય. તમારું જ છે, તે
તમારી સામે આવે છે ! ૧૩૦૭ ખરો સ્વાર્થી હોય એ પરમાત્મા થાય ! આ તો પરાર્થ કહેવાય.
સ્વાર્થી તે ‘સ્વ'નો અર્થ કરી લે. ૧૩૦૮ સાચો પોતાનો સ્વાર્થ તો પોતાનો મોક્ષ અને પોતાનું સ્વરૂપ’
એ જ. ૧૩૦૯ પરમાર્થ કરતાં કરતાં સ્વાર્થ પ્રાપ્ત થાય. સ્વાર્થને માટે જ
પરમાર્થ કરવાનો છે અને સ્વાર્થ આવ્યા પછી પરમાર્થ
કરવાનો રહેતો નથી. ૧૩૧૦ આચરણમાં દુર્ગધ શેનાથી ફેલાય છે? ઈગોઈઝમ' ને બીજા
દુર્ગુણથી. ૧૩૧૧ જે હર્ષ પામે, તને શોક પામવાનો વખત આવે. ૧૩૧૨ લોકો વ્યવહારમાં ચોંટી પડે છે, એ એમની ભૂલ છે. ચોંટી
પડે છે, તેથી તે આ જગતનો માર ખાવો પડે છે. ૧૩૧૩ માયા એટલે ઘોર અજ્ઞાનતા. અજ્ઞાનતાને લઈને આ દુઃખ છે.
આ જગતમાં દુઃખ હોય નહીં. દુઃખ હોય તો બધાને હોવું
જોઈએ. ૧૩૧૪ ધર્મથી માયાની લૂંટ બંધ થઈ જાય ને અધર્મથી માયાની લૂંટ
ચાલુ થઈ જાય. ૧૩૧૫ જ્યાં અજવાળું થયું ત્યાં માયા ના આવે. અંધારું થયું કે માયા
પેસી જાય. “જ્ઞાની પુરુષ' તમને કાયમની માયા જતી રહે
એવું કરી આપે. ૧૩૧૬ માયારહિત સુખ એ સાચું સુખ કહેવાય. ૧૩૧૭ જન્મ માયા કરાવે છે, લગ્ન માયા કરાવે છે ને મરણ પણ
માયા કરાવે છે. પણ આમાં શરત એટલી કે સામ્રાજ્ય માયાનું નથી. સામ્રાજ્ય તમારું છે. તમારી ઈચ્છા વગર ના થાય. તમે ગયા અવતારે જે સહી કરી આપો છો, તેનું ફળ માયા
આપે છે. ૧૩૧૮ આ ‘રિલેટિવ' જોઈને જ ગૂંચારો ઊભો થયો, એનું નામ
સંસાર ! જો ‘રિયલ’ જોયું હોત, તો આવું હોત જ નહીં ! ૧૩૧૯ સાચી વાત છે ત્યાં ગૂંચ નથી ને સાચી વાત નથી ત્યાં રમકડાં
રમાડવાની ગૂંચમાં જ છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
૧૩૨૦ જેને જગતમાં ગૂંચવાડો જાય, એ “સંપૂર્ણ પુરુષ' કહેવાય. ૧૩૨૧ જગત મુંઝામણથી સપડાયું છે, દર્દોથી નહીં. દર્દી એ તો
મુંઝામણથી થાય છે. આ ઝાડને કંઈ દર્દો થાય છે ?! આ
કાગડાને કંઈ ‘પેરાલીસિસ’ કે ‘હાઈ બ્લડપ્રેશર’ થાય છે ?! ૧૩૨૨ જે ગૂંચાયેલા હોય ત્યાં તમે તેને વધારે ના ગૂંચવો તો ફાયદો
થાય. અગર તો તેની ગૂંચ કાઢો તો ખૂબ ફાયદો થાય. પણ
ગૂંચવાયેલાને ગૂંચવે તો શું થાય ? મહીં ભગવાન બેઠા છે ને ! ૧૩૨૩ નાણાંનો બોજો રાખવા જેવો નથી. બેન્કમાં જમા થાય એટલે
‘હાશ’ કરે ને જાય એટલે દુઃખ થાય. આ જગતમાં કશું જ
હાશ” કરવા જેવું નથી. કારણ કે “ટેમ્પરરી’ છે ! ૧૩૨૪ લક્ષ્મી સહજભાવે ભેગી થતી હોય તો થવા દેવી પણ તેના
પર ટેકો ના દેવો. ટેકો દઈને ‘હાશ' કરો, પણ ક્યારે એ ટેકો ખસી જાય એ કહેવાય નહીં. માટે પહેલેથી ચેતીને ચાલો કે
જેથી અશાતા વેદનીયમાં હાલી ના જવાય. ૧૩૨૫ મહીં અનંત શક્તિ છે. તમે મહીં વિચાર કરો. તે જેવું
વિચારો, તેવું બહાર થઈ જાય ! પણ આ તો મહેનત કરીને, વિચારોની પાછળ પડે છે તો ય બહાર તેવું થતું નથી, એટલી
બધી નાદારી ખેંચી છે મનુષ્યોએ ! કળિયુગ આવ્યો છે ! ૧૩૨૬ ભગવાને કહ્યું, હિસાબ માંડશો નહીં. ભવિષ્યકાળનું જ્ઞાન
હોય, તો હિસાબ માંડજો. અલ્યા, હિસાબ માંડવો હોય, તો
કાલે મરી જઈશ એનો હિસાબ માંડને ?! ૧૩૨૭ પ્રામાણિકતાથી વેપાર કરજે. પછી જે થાય તે ખરું. પણ
હિસાબ માંડીશ નહીં ! ૧૩૨૮ એક ધંધાના બે છોકરા ! એકનું નામ ખોટ ને એકનું નામ
નફો. ખોટવાળો છોકરો કોઈને ગમે નહીં, પણ બે હોય જ
એ તો, બે જન્મેલાં જ હોય. ૧૩૨૯ પૈસાની પાછળ જ પડ્યા છે તે ક્યાંથી પૈસો લેવો, ક્યાંથી
પૈસો લેવો. અલ્યા, સમશાન(સ્મશાન)માં શાના પૈસા ખોળો છો ? આ સંસાર તો સમશાન જેવું થઈ ગયું છે. પ્રેમ જેવું કશું દેખાતું નથી. પૈસા જે રીતે આવવાના છે, એનો રસ્તો કુદરતી છે. “સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ' છે. તેની પાછળ આપણે પડવાની શી જરૂર ? એ જ આપણને
મુક્ત કરે તો બહુ સારું ને બાપ !! ૧૩૩૦ લક્ષ્મી ક્યારે ના મળે ? લોકોની કૂથલી, નિંદામાં પડે ત્યારે.
મનની સ્વચ્છતા, દેહની સ્વચ્છતા અને વાણીની સ્વચ્છતા
હોય તો લક્ષ્મી મળે ! ૧૩૩૧ ખરી રીતે છેતરનારા એ જ છેતરાય છે ! ને છેતરાયેલો
અનુભવને પામે છે, ઘડાય છે. જેટલું ખોટું નાણું હોય, તેટલું જ લૂંટાઈ જાય ને સાચું નાણું હોય, તો તેનો સઉપયોગ
થાય ! ૧૩૩૨ ‘સમજીને છેતરાવા' જેવી પ્રગતિ આ જગતમાં કોઈ પણ નથી.
આ સિદ્ધાંત બહુ ઊંચો છે. ૧૩૩૩ જે જાણી-બુઝીને છેતરાય તે મોક્ષનો અધિકારી ! ૧૩૩૪ વિશ્વાસઘાત થાય તો ભાઈબંધને ય છોડી દે. અલ્યા, ના
છોડાય ! મહીં પરમાત્મ શક્તિ છે અને ‘સ્વરૂપજ્ઞાન' પ્રાપ્ત
થાય તો પરમાત્મ દશાં ય આવી જાય ! ૧૩૩૫ જ્યાં સુધી અહંકાર શૂન્યતાને ના પામે ત્યાં સુધી સંસારમાં
ભય, ભય ને ભય જ છે. ૧૩૩૬ આ ભય અહંકારને જ છે. જ્ઞાની પુરુષને અહંકાર નથી તો
તેમને કોઈ પણ પ્રકારનો ભય નથી.
Page #70
--------------------------------------------------------------------------
________________
૧૩૩૭ આ સંસારનો એટલો બધો ભો ના રાખવો કે જેથી પરલોક
બગડે ! ૧૩૩૮ વીતરાગ ક્યારે કહેવાય ? આ જગતમાં કોઈ ચીજ સંબંધી
ભય ના લાગે ત્યારે.. ૧૩૩૯ તમારે ભડક શી ? તમે પરમાત્મા છો ! પરમાત્મા ભડકે તો
જગત ભડકી જશે ! ‘આપણે’ પ્રકૃતિને પેલે પાર છીએ. ૧૩૪૦ જગતમાં ભય પામવા જેવું નથી. જે કંઈ થશે, તે પુદ્ગલનું
જ થશે ને ? ૧૩૪૧ ભય કોને હોય ? જેને લોભ હોય તેને. ૧૩૪૨ વીતરાગનો સાર શો ? નિર્ભયતા ! ૧૩૪૩ જે નિરંતર ગારવરસમાં - ઠંડકમાં રાખે છે એ કષાય જ
ભટકાવનારા છે. ૧૩૪૪ જ્યારે અપમાનનો ભય નહીં રહે ત્યારે કોઈ અપમાન નહીં
કરે એવો નિયમ જ છે. જ્યાં સુધી ભય છે ત્યાં સુધી વેપાર,
ભય ગયો એટલે વેપાર બંધ. ૧૩૪૫ સંસાર કે ક્રિયાઓ નડતી નથી, કષાયો નડે છે ! ૧૩૪૬ ક્રોધ-માન-માયા-લોભમાં જ જગતના બધા જ વિષયો સમાઈ
જાય છે. ક્રોધ અને માયા એ તો રક્ષક છે. મુળ લોભમાંથી જ ઉત્પન થયું છે. માનીને માનનો લોભ હોય છે. કપટ પાછું
એનું રક્ષણ કરે. ૧૩૪૭ આ જગતમાં જે સરળ નથી એ બધા ય કપટવાળા છે. ૧૩૪૮ એક પણ સંયોગનો લોભ હોય ત્યાં સુધી સંસારમાં આવવું પડે
છે, ત્યાં સુધી રઝળપાટ ચાલુ જ રહે. ૧૩૪૯ માનનો ય લોભ હોય છેવટે. લોભથી સંયોગ ઊભા થાય.
સંયોગ ઊભો થયો એટલે સંસાર ઊભો થાય. ૧૩૫૦ દર્શનમોહનીયથી આખી માન્યતા ઊભી થઈ, તેથી આ કષાય
ઊભા થયા. અત્યારે કષાયથી સાંધો છે. પણ કષાય શેનાથી
તો કે દર્શનમોહનીયથી. ૧૩૫૧ અકષાયી ના થાય, ત્યાં સુધી મનુષ્યમાત્ર દુ:ખી જ હોય. ૧૩૫૨ જેના કષાય ગયા તે ‘દર્શન કરવા યોગ્ય. અકષાયભાવ એ
જ “જ્ઞાની' ! ૧૩૫૩ અકષાયભાવ એ પરમાત્મભાવ છે. કષાય જાય તો આખા
બ્રહ્માંડનો સ્વામી થયો. ૧૩૫૪ એક જ અકષાયી માણસનાં દર્શન કરવામાં આવે તો એમ ને
એમ પાપ ધોવાઈ જાય ! ‘જ્ઞાની પુરુષ' સિવાય અકષાયી
માણસ હોય નહીં. ૧૩૫૫ જ્યાં કષાય છે ત્યાં વીતરાગ ધર્મ જ નથી. ભગવાનને
ત્યાગની જરૂર નથી. કષાય રહિત થવાની જરૂર છે. કષાય
રહિતને મોક્ષ ધર્મ કહ્યો અને ત્યાગને સંસારધર્મ કહ્યો. ૧૩૫૬ જ્યાં કષાય ત્યાં નય પરિગ્રહનાં પોટલાં જ કહેવાય. પછી
એ હિમાલયમાં પડી રહેતો હોય કે ગુફામાં ! કષાયનો અભાવ ત્યાં પરિગ્રહનો અભાવ, તે પછી રાજમહેલમાં કેમ
રહેતો ના હોય ! ૧૩૫૭ શુદ્ધ ઉપયોગીને કષાય ભાવ હોય જ નહીં ! ૧૩૫૮ ગમે તેવા સંયોગો હોય પણ મહીં ચંચળતા ના હોવી જોઈએ.
મહીં ચંચળતા થાય તો સમજવું કે હજી કષાય છૂટયા નથી. ૧૩૫૯ ગજવું કપાય ને કષાય ઊભા ના થવા દે તે “જ્ઞાન'.
Page #71
--------------------------------------------------------------------------
________________
આ બાઈનો ધણી છું, આ બાબાનો બાપ છું, હું એંસી વરસનો છું', કહે છે. કેટલી બધી ભૂલો !પરંપરા ભૂલોની !! મૂળમાં જ ભૂલ !!! માત્ર એક જ અણસમજણ ‘આ’ છે અને એનાથી જ
મોક્ષ અટક્યો છે અને એક જ સમજથી મોક્ષ છે ! ૧૩૬૮ ખરી રીતે કોઈ દોષિત છે જ નહીં. પ્રકૃતિ કરે છે ત્યારે આત્મા
માલિક હોતો નથી. પ્રકૃતિ બંધાતી વખતે આત્મા ભ્રાંતિથી માલિક થાય છે ને છૂટતી વખતે આત્મા માલિક હોય નહીં
૧૩૬૦ જે “જ્ઞાન” વિકલ્પો ઊભા થવા ના દે, એ નિર્વિકલ્પ જ્ઞાન”
એ જ નિર્વિકલ્પ આત્મા છે ને એ જ પરમાત્મા છે ! ૧૩૬૧ આત્મા કેવો છે ? કલ્પસ્વરૂપ છે. ‘હું ચંદુભાઈ છું' એમ થયું
એ વિશેષભાવ થયો એટલે વિકલ્પ થયો. હું માલિક છું' એ બીજો વિકલ્પ. આનો કાકો થાઉં એ ત્રીજો વિકલ્પ. આમ નર્યા
વિકલ્પ જ છે ! ૧૩૬૨ પોતે કલ્પસ્વરૂપ છે. એટલે જેવું ચિંતવે તેવો થાય. ત્યારે એને
નિર્વિકલ્પી કેમ કહ્યો ? વિકલ્પી થયો માટે નિર્વિકલ્પી કહેવું
પડ્યું ! ૧૩૬૩ તમે કહો કે “હું હવે વૃદ્ધ જેવો દેખાઉં છું,’ તો તેવા દેખાવાની
શરૂઆત થાય. તમે કહો કે “ના, હવે હું જુવાન જેવો દેખાઉં છું,’ તો તેવા દેખાવાની શરૂઆત થાય. જેવું કલ્પો તેવું દેખાય. આત્મા કલ્પસ્વરૂપ છે અને વિકલ્પ કરો એટલે પછી સંસાર ઊભો થાય ! નિર્વિકલ્પમાં આવો તો ‘મૂળ સ્વરૂપમાં આવી
જવાય ! ૧૩૬૪ ‘રોંગ બિલિફ' એ જ મહીં કૈડે છે. બહાર કોઈ કૈડતું નથી. ૧૩૬૫ બહારનું કામ ક્યારે સુધરે? મહીં શાંતિ થાય ત્યારે. ૧૩૬ ૬ સાકારને નિરાકાર કરવું પડશે. આત્મા નિરાકાર છે. પણ
એના માટે અભિપ્રાય છે એ જ સાકારીભાવ છે !નિરાકારી માટે સાકારભાવ એ વિરોધાભાસ છે ! વિરોધાભાસ કાઢવા માટે નિરાકારી ભાવમાં આવવું પડશે. “અમે' નિરાકારને નિરાકાર જોઈએ અને નિરાકાર ભાવમાં રહીએ. નિરાકાર આત્મા માટે સાકારભાવ કરવાથી આત્માનું છેદન થાય
છે ! કેવી મોટી ભૂલ થઈ ! ૧૩૬૭ મોક્ષ ક્યારે થશે ?!! તમારું જ્ઞાન, તમારી સમજણ ભૂલ
વગરની થશે ત્યારે. ભૂલથી જ અટક્યા છો. ‘હું ચંદુલાલ છું,
૧૩૬૯ આ બધા પ્રાકૃત દોષો છે, તે ચેતનના દોષો માને છે. તેથી
તો આ સંસાર ઊભો રહ્યો છે. ૧૩૭૦ કોઈ મનુષ્ય દુઃખી છે નહીં. દુઃખની બૂમો પાડો છો એ તમારી
જ ભૂલથી છે. ૧૩૭૧ કો'કને પારકો માન્યો એ જ ભૂલ છે. બધું પોતાનું જ સ્વરૂપ
છે. પણ એ સમજાવું જોઈએ ને? પારકો માન્યો એટલે એને
માર્યું, પણ એ પોતાને જ વાગે છે. ૧૩૭૨ ‘તું જે જે કરે છે, તેની પ્રતિક્રિયા તને દંડ આપ્યા કરશે. મારે
તને દંડ આપવા આવવું પડતું નથી.’ એમ ભગવાન કહે છે. ૧૩૭૩ જે ગુનેગાર હતો, તે તમારી દ્રષ્ટિથી નિર્દોષ મનાઈને
છૂટયો? જો છૂટયો તો એ જ “જ્ઞાન” છે અને “જ્ઞાન” એ જ પરમાત્મા છે. અવસ્થા દેખાય ને પરમાત્મા દેખાય.
અવસ્થાનો નિકાલ કર્યો કે હિસાબ ચૂકતે થયો. ૧૩૭૪ ભૂલ તો માણસ માત્રની થાય, એમાં ગભરાવાનું શું ? ભૂલ
ભાંગનારા છે ત્યાં જઈને કહીએ કે “સાહેબ, મારી આવી
ભૂલો થાય છે, તો એ રસ્તો બતાવે.’ ૧૩૭૫ જે પોતાનો ગુનો ઈશ્વર ઉપર નહીં નાખી દેતાં પોતા ઉપર
Page #72
--------------------------------------------------------------------------
________________
શુદ્ધાત્મા, એ જ પરમાત્મા ! ૧૩૮૪ ભગવાનનું નામ ક્યારે યાદ આવે? જ્યારે આપણને એમના
તરફથી કંઈક લાભ થાય, એમના પર પ્રેમ આવે ત્યારે ! ૧૩૮૫ ખુદા ઓળખાય ત્યારે ‘આપખુદી' જાય ! ૧૩૮૬ ખુદાને ઓળખવા પડશે. ખુદાને ઓળખ્યા સિવાય અલ્લા મળે
નહીં. ખુદાઈ સત્તા પ્રાપ્ત થવી જોઈએ. ખુદાઈ સત્તા તો નર્યું સુખનું ધામ છે. ત્યાં કંઈ દુઃખ ના હોય. ગાળ ભાંડે તો ય
સુખ પડે ! ૧૩૮૭ “ભગવાન” અને “પરમાત્મા” બે શબ્દ બોલાય છે. મુસ્લિમો
કે “ખુદા” અને “અલ્લાહ' એમ બે શબ્દ બોલે છે. અલ્લાહ એ પરમાત્માની જગ્યાએ છે ને ખુદા એ ભગવાનની જગ્યાએ
લેશે, તેને કુદરત માફ કરશે. ભગવાન કે જે કંઈ જ કરતો નથી, તેને ભગવાન કરે છે, તેમ કહેનારને બહુ મોટી
જોખમદારી છે ! ૧૩૭૬ ભગવાન કર્યા હોય તો એનો ક્યારે પાર આવે ?! ભગવાન
બનાવનારો ને આપણે બન્યા (!) આપણે એનાં રમકડાં એટલે થઈ ગયું કલ્યાણ (!) આપણો મોક્ષ પછી ક્યારે થાય? કોઈ
તમારો ઉપરી નથી, કોઈ તમારો “અન્ડરહેન્ડ' નથી ! ૧૩૭૭ કોઈ બાપો ય તારો ઉપરી નથી ! તો ય લોકો વીલું મોટું લઈને
ફરે કે મારું લઈ લેશે ! અલ્યા, આખા બ્રહ્માંડનો તું માલિક
છે. તારું કોણ લઈ લેવાનું છે ? ૧૩૭૮ “અક્રમ વિજ્ઞાન એવું છે કે પરમાત્મા પણ પૂછનાર નથી ! ૧૩૭૯ તમારે “અંડરહેન્ડ'ની ટેવ છે એટલે તમને ઉપરી મળે છે.
નહીં તો તમારો કોઈ ઉપરી નથી કે તમારો કોઈ ‘અંડરહેન્ડ'
પણ નથી, એવું આ “વર્લ્ડ” છે. ૧૩૮૦ “અંડરહેન્ડ ને કોઈ દહાડો જે ટૈડકાવતો ના હોય, તેને
વર્લ્ડમાં કોઈ “બોસ' જ ના હોય ! ૧૩૮૧ ભગવાનના ઉપરી થયેલા એ ફાવેલા અને બૈરાના ઉપરી
થયેલા એ માર ખાઈને મરી ગયેલા. ૧૩૮૨ આ લોકોને ભગવાનની શોધખોળની કિંમત જ નથી. આમાં ઊંડા
ઊતર્યા જ નથી. પૈસા કમાવવાએ તેમાં જ ઊંડા ઊતર્યા છે. જોગ્રોફી જુએ, કયા બંદરે ઊતરીશું?પછી “કેન્ટિન’ મળશે કે કેમ ? એ બધાંની તપાસ કરે. પણ ભગવાન તો સસ્તો (!) એની ‘નો
વેલ્યુ' ! એની જ તપાસ નહીં કરવાની ! ૧૩૮૩ ભગવાન જીવમાત્રની અંદર બેઠેલા છે, ચેતનરૂપે. એનું ભાન
જ નથી. એ ચેતન એ જ પરમેશ્વર છે ! “શુદ્ધ ચેતન” એટલે
૧૩૮૮ જેને ભગવાનમાં નિષ્ઠા બેઠી એ બ્રહ્મનિષ્ઠ. ૧૩૮૯ મોક્ષે જનારો કેવો હોય ? પોતાનું જ સુખ ભોગવે. ૧૩૯૦ “હું કોણ છું' એ જાણીએ ત્યારે આત્મલક્ષી થવાય. ૧૩૯૧ આત્મા જાણ્યા સિવાય સ્વસત્તા ઉત્પન્ન થાય નહીં. ૧૩૯૨ લગ્નના, વ્યવહારના પ્રસંગો પતાવવાના છે, તે તમે ય પતાવો
છો ને “ય પતાવું છું. તમે તન્મયાકાર થઈને પતાવો છો ને હું' છૂટો રહીને પતાવું છું. ખાલી ભૂમિકા જ ફેરવવાની
૧૩૯૩ ભગવાન અવતાર લે છે એમ કહે છે તે ખોટું છે. છેલ્લા બે
ત્રણ અવતાર બાકી હોય ત્યારથી અવતારી કહેવાય છે. કર્મ કરવાનું ભગવાનનું ગજું જ નથી ! મનુષ્યનું ય એવું ગજું નથી. ભ્રાંતિથી એમ થાય છે કે “મેં કર્યું !”
Page #73
--------------------------------------------------------------------------
________________
૧૩૯૪ કર્મસહિત હોય તે જીવ. કર્મરહિત હોય તે આત્મા. ૧૩૯૫ સારા કર્મે ય ભ્રાંતિ છે ને ખોટા કર્મે ય ભ્રાંતિ છે. પણ તેથી
કરીને સારાં કર્મ છોડવાનું હું નથી કહેતો. ખોટામાંથી સારામાં જાય છે એ સારી વાત છે. પણ તો યે ભ્રાંતિ જતી નથી. ભ્રાંતિ
ગયા પછી સાચા ધર્મની શરૂઆત થાય છે. ૧૩૯૬ પુષ્ય ને પાપ જ્યાં છે ત્યાં સાચો ધર્મ જ નથી. પુણ્ય-પાપથી
રહિત સાચો ધર્મ છે. જ્યાં પુણ્ય-પાપને હેય ગણવામાં આવે છે અને ઉપાદેયને પોતાનું સ્વરૂપ ગણવામાં આવે છે ત્યાં
સાચો ધર્મ છે ! ૧૩૯૭ ભગવાને ધર્મ શાને કહ્યો છે ? ત્યાગને ધર્મ નથી કહ્યો.
કષાયરહિત થવું એને ધર્મ કહ્યો છે અગર મંદકષાયને ધર્મ
કહ્યો છે. બસ, આ બે જ વસ્તુને ધર્મ કહ્યો છે. ૧૩૯૮ સર્વ દુઃખોથી મુક્તિ થાય, તેનું નામ યથાર્થ ધર્મ. અહંકાર
જાય, “રોંગ બિલિફો’ જાય તે યથાર્થ ધર્મ. “રોંગ બિલિફો’
સાથે યથાર્થ ધર્મ ના હોય. ૧૩૯૯ જ્યાં સુધી ‘ઈગોઈઝમ' છે, ત્યાં સુધી સાચો ધર્મ જ કેવી રીતે
થાય ? ૧૪00 ‘ઈગોઈઝમ' જ અધર્મ છે અને ‘ઈગોઈઝમ' નથી તે જ ધર્મ
છે. પ્રત્યક્ષ “જ્ઞાનીની હાજરી સિવાય “ઈગોઈઝમ ઘટે તેમ
જ નથી. ૧૪૦૧ ધર્મ તો તેનું નામ કહેવાય કે જે ધર્મ થઈને પરિણમે. ધર્મ
થઈને પરિણમે એ કોને કહેવાય ? સામો ગાળ ભાંડે તે ઘડીએ
ધર્મ મદદ કરે. આપણને જરા ય કશું ના થવા દે. ૧૪૦૨ કોઈએ ગાળ ભાંડી તો તે શું અવ્યવહાર છે ? વ્યવહાર છે.
જ્ઞાની' તો કોઈ ગાળ ભાંડે તો પોતે રાજી થાય કે બંધનથી
મુકિત થયા, જયારે અજ્ઞાની ધક્કા મારે. ૧૪૦૩ ઉદયકર્મમાં રાગ-દ્વેષ ના કરવા, એનું નામ ધર્મ. ૧૪૦૪ ઉદયમાં જોડાય નહીં એ “જ્ઞાની” કહેવાય. અજ્ઞાની ઉદયમાં
જોડાયા વગર રહી શકે જ નહીં. ૧૪૦૫ આ પાંચ ઇન્દ્રિયોથી દેખાય તે ઉદયાધીન છે. આ પાંચ
ઇન્દ્રિયોની ક્ષયોપશમ શક્તિ જ ઉદયાધીન છે, તો પછી એ
દેખે તે તો ઉદયાધીન જ હોય ને ! ૧૪૦૬ ઉદય તો દરેકના બદલાય. ઉદયમાં સમતા ભાવે રહેવું તે
જ્ઞાનીઓની ફરજ. ૧૪૦૭ ઉદયકર્મ સ્વપરિણામી છે. એટલે ઉદયકર્મ કરે તે ખરું. તેમાં
તું આડો ના થઈશ. ઉદયકર્મ એટલે જ ફળ આપવા સન્મુખ
થયેલી વસ્તુ. એમાં ડખો કર્યા વગર રહે ને ! ૧૪૦૮ ઉદયના ‘જ્ઞાતા' થયા એટલે ઉકેલ આવે ને ઉદયના ‘ભોક્તા’
થયા એટલે માર પડે. હકીકતમાં ઉદય “પોતાનો' હોતો જ
નથી.
૧૪૦૯ જેને ઉદયકર્મનો ગર્વ ગયો, તેણે આત્મા પ્રાપ્ત કર્યો કહેવાય. ૧૪૧૦ અહંકારને પોતાની આંખ ના હોય. એ કો'ક દા'ડો બુદ્ધિની
આંખથી જુએ. બાકી, આંધળાનો સંગ કરવાથી શું થાય ? ૧૪૧૧ બે વસ્તુના આધારે આ જગતમાં મનુષ્યો જીવે છે : એક
સ્વરૂપનો આધાર, બીજો અહંકારનો આધાર. ૧૪૧૨ આધાર-આધારીના સંબંધના આધારે આ જગત ઊભું રહ્યું છે.
આધાર ખસેડે તો આધારી છૂટે. ૧૪૧૩ “અહમ્'થી સંસાર જાગ્યો છે ને “અહમ્' વિલય થાય તો
મુક્ત જ છે. “અહમ્' શેના આધારે ઊભો રહ્યો છે ?
Page #74
--------------------------------------------------------------------------
________________
અજ્ઞાન'ના ટેકાથી. ૧૪૧૪ આ સંસાર શેના આધારે છે ? અજ્ઞાનના. જગત સુટેવોને
આધાર આપે છે ને કુટેવોને કાઢ કાઢે કરે છે. આધાર ખસ્યો
કે બધું ગયું ! ૧૪૧૫ આત્મામાં આધાર-આધારી સંબંધ નથી. આધાર-આધારી
સંબંધ આ દુનિયાદારીની “ટેમ્પરરી’ વસ્તુઓના છે ને પરમેનન્ટ' વસ્તુઓના આધાર-આધારી સંબંધ નથી. આ પાંચ ઈન્દ્રિયોથી જે દેખાય છે, તે બધું આધાર-આધારી સંબંધથી
૧૪૧૬ સાપેક્ષ આધારી છે. ‘હું ચંદુભાઈ છું' કહીએ તો તે ઊભો રહે.
હું શુદ્ધાત્મા છું' એવું ભાન થાય, તો ‘તમે' આધાર આપવાનું
છોડી દો, એટલે તે પડી જ જાય. ૧૪૧૭ સંસારમાં આધાર આપે છે કોણ ? પોતે જ. અને પાછું મોક્ષ
જવું છે ! તો નિરાધાર કરવું પડશે. ૧૪૧૮ લોક શું કહે છે ? કર્મ ગણી ગણીને નાશ કરો. એનો પાર
ક્યારે આવે ? અમારી ‘સાયન્ટિફિક' શોધ છે કે “મૂળ’ વસ્તુને જ નિરાધાર કરી નાખો. એટલે બીજું બધું એની મેળે જ પડી
જાય ! ૧૪૧૯ આ જગત આખું “રોંગ બિલિફ’ના આધારે જ ચાલી રહ્યું છે.
સંસારમાં દુ:ખ કેમ છે ? ‘રોંગ બિલિફ’ મળી છે તેથી.
‘રાઈટ બિલિફથી દુઃખ જ નથી. ૧૪૨૦ ‘રાઈટ બિલિફ’ થાય તો જગત જુદી જ જાતનું દેખાય. “રાઈટ
બિલિફ' અવિનાશી તરફ લઈ જાય ને ‘રોંગ બિલિફ’ સંસાર
તરફ લઈ જાય. ૧૪૨ ૧ જ્ઞાન માન્યતા એનું નામ સમકિત. અજ્ઞાન માન્યતા એનું
નામ મિથ્યાત્વ. ૧૪૨૨ બધા જૈનોએ એક માન્યું, આદરવા યોગ્ય શું ? ત્યારે કહે
સમકિત. સમકિત પ્રાપ્ત કરવા માટે અનંત અવતારો છે. સમકિત એટલે સમ્યક્ દર્શન ને આ મિથ્યા દર્શન છે, “હું
ચંદુભાઈ છું' એ તમારી શ્રદ્ધા મિથ્યા શ્રદ્ધા છે. ૧૪૨૩ સ્વભાવને પામવું, એનું નામ જ સમકિત. ૧૪૨૪ સ્વરૂપની માત્ર શ્રદ્ધા જ બેસે, તો જગતમાં કોઈ જગ્યાએ ડર
લાગે જ નહીં, ભય જતો રહે. ૧૪૨૫ મહીં આત્મા બેઠો છે, તેના પર જો શ્રદ્ધા હોય તો આ
જગતમાં દરેક ચીજ તમારી પાસે આવે એવું છે. ૧૪૨૬ ભગવાન તો એમ કહે છે કે તું મને કાં તો એમ કહી દે કે મારે
ભગવાન જ જોઈએ છે અથવા તો એમ કહી દે કે મને સંસાર જોઈએ છે, તો તે તને આપું.” આ લોકોને ભગવાન જોઈએ છે
જ ક્યાં ? એમને તો ઘર જોઈએ, બૈરી-છોકરાં જોઈએ. ૧૪૨૭ કોઈને છંછેડીને ક્યારેય મોક્ષે ના જવાય. કોઈ આપણને
છંછેડે તો શાંતિ રાખવી. છંછેડ્યાનો બદલો લેવા જઈએ તો
મોક્ષ ગયો ! ૧૪૨૮ સમકિત એટલે સવળી દ્રષ્ટિ. આ અવળી દ્રષ્ટિ તો શું કરે ?
આણે મારું નુકસાન કર્યું, આણે મને ફાયદો કર્યો, આણે મારું અપમાન કર્યું, મને દુઃખ દીધું, આણે સુખ આપ્યું” કહેશે. દુ:ખ દેનારો કે સુખ આપનારો કોઈ છે જ નહીં બહાર ! બધું અંદર
જ છે. ૧૪૨૯ ક્રોધ-માન-માયા-લોભ એ જ દુઃખ આપનાર છે અને એ જ
તમારા દુશ્મન છે. બહાર કોઈ દુશ્મન નથી. બહાર તો નિમિત્ત છે. દ્રષ્ટિ અવળી છે તે નિમિત્તને બચકાં ભરાવડાવે
Page #75
--------------------------------------------------------------------------
________________
છે ! સમકિત થાય તો જાણવું કે ઉકેલ આવ્યો. ૧૪૩૦ મોક્ષમાર્ગ લીધા પછી પ્રગતિ ક્યારેય પણ સંધાય નહીં એ
જ આપણો હેતુ હોવો ઘટે. ૧૪૩૧ સંસારમાં ગમે તે કરશો, તે બધું સંસાર દ્રષ્ટિ છે. જ્યાં સુધી
દ્રષ્ટિભેદ ના થાય, ત્યાં સુધી કશું જ તમે પામ્યા નથી. ૧૪૩૨ પ્રશ્નકર્તા : સંસારની બધી જ ક્રિયાઓ નકામી જાય છે ?
દાદાશ્રી : ના, હેતુ ઉપર આધાર રાખે છે. મુક્તિનો હેતુ હોય તો તેવા સંજોગ મળી આવે. વિષયનો હેતુ હોય તો તેવા
સંજોગ મળી આવે. ૧૪૩૩ “જ્ઞાની પુરુષ' ફક્ત આ દ્રષ્ટિભેદ કરી આપે. “આ સંસાર દ્રષ્ટિ
અને આ આત્મદ્રષ્ટિ' એમ દ્રષ્ટિભેદ કરી આપે. બાકી, પોતાની મેળે કોઈ દહાડો દ્રષ્ટિ બદલાશે નહીં. વિકલ્પીની
દ્રષ્ટિ ક્યારેય નિર્વિકલ્પી થાય નહીં ! ૧૪૩૪ તારો એકલો મોક્ષનો જ હેતુ મજબૂત હશે તો તું જરૂર તે
માર્ગને પામીશ. મોઢે મોક્ષના હેતુ ને અંદરખાને સંસારના
જાતજાતના હેતુ હોય, તે માર્ગને ક્યારેય ના પામે. ૧૪૩૫ જગત બધું કલ્પનાથી ઊભું છે ને કલ્પનારૂપી ધર્મ છે.
વાસ્તવિકતા એ જ નિર્વિકલ્પ છે ! ૧૪૩૬ જગતના ધર્મો એ વિકલ્પ છે. વિકલ્પના બે ભાગ ! એક શુભ
અને બીજો અશુભ. જગતના ધર્મો શુભ વિકલ્પમાં છે અને
મોક્ષ નિર્વિકલ્પમાં છે. ૧૪૩૭ “મારું” અને “હું ગયું, એનું નામ નિર્વિકલ્પ ! ૧૪૩૮ જ્યાં “ઈગોઈઝમ” છે ત્યાં ભગવાન નથી. જ્યાં ભગવાન છે
ત્યાં “ઈગોઈઝમ' નથી.
૧૪૩૯ “ઈગોઈઝમ' બે પ્રકારનાં : એક જીવતું ને બીજું મડદાલ.
જીવતો ઈગોઈઝમ” છે, ત્યાં સુધી આત્માનું લક્ષ કોઈને બેસે
નહીં. ૧૪૪૦ અહંકારના કેન્દ્રથી સંસારનાં બધાં જ લક્ષ સુંદર બેસે !
અહંકારના કેન્દ્રથી “શુદ્ધાત્મા'નું લક્ષ ના બેસે ! ૧૪૪૧ અહંકાર છે તો આત્માનો લાભ ના થાય ને આત્મા છે તો
પછી અહંકારનો લાભ ના થાય. ૧૪૪૨ શું અહંકારનો લાભ હોઈ શકે?! આ અહંકારના લાભ થકી
જ લોકો છોડીઓ પૈણાવે, છોકરા પૈણાવે, બાપ થઈને ફરે, મારાં મારાં કરે ! જગત આખું અહંકારનો જ લાભ ભોગવી
રહ્યું છે અને “જ્ઞાનીઓ’ આત્માનો લાભ ભોગવે. ૧૪૪૩ મુક્તિ “સ્વ-ઉપાર્જિત છે ને સંસાર અહંકાર-ઉપાર્જિત છે ! ૧૪૪૪ ભ્રાંતિ જાય એટલે “જેમ છે તેમ જણાય, એટલે અજ્ઞાન
જાય. અજ્ઞાન ગયું એટલે માયા ગઈ. ભગવાનની માયા ગઈ
એટલે ઉકેલ આવ્યો. ૧૪૪૫ માયા એટલે જે વસ્તુ જેવા સ્વરૂપે છે તેવી ના દેખાય પણ
જુદા જ સ્વરૂપે દેખાય. ૧૪૪૬ જ્યાં જે વસ્તુ નથી ત્યાં તે વસ્તુને કલ્પવામાં આવી, એનું
નામ માયા ! ૧૪૪૭ માયા એટલે પોતાના સ્વરૂપની અજ્ઞાનતા ! ૧૪૪૮ જે સંપત્તિનો કેફ ચઢે એ બધું પુગલ. તે પછી વિદ્યા હોય,
જ્ઞાન હોય કે જે હોય તે, એ બધી માયા. એ માયા વળગી,
તે ક્યારે છૂટશે ? ૧૪૪૯ વસ્તુ કે આંખો માયા નથી, પણ ઇન્દ્રિયોનું જે ખેંચાણ થાય
Page #76
--------------------------------------------------------------------------
________________
છે તે માયા છે ! ૧૪૫૦ પૌગલિક રીતે કોઈ જિતેન્દ્રિય જીન થયેલો નહીં. એ “જ્ઞાન”
થાય તો જ જિતેન્દ્રિય જિન થાય. અજ્ઞાન હોય ને ઇન્દ્રિય જીતે એ બને નહીં. કારણ કે ઇન્દ્રિયો પૂરણ-ગલન સ્વભાવની
છે. એકને જીતે ત્યારે બીજી ફાટે ! ૧૪૫૧ વીતરાગો શું કહે છે ? “હું ચંદુલાલ છું' તે શેય છે, છતાં
ભ્રાંતિથી જ્ઞાતા માને છે. જ્ઞાતા, જ્ઞાતાપદમાં આવે ને જોય,
શેયપદમાં આવે ત્યારે એને ‘અમે’ ‘જિતેન્દ્રિય જિન” કહીશું. ૧૪૫ર આ લોકો જાણે છે તે મોક્ષમાર્ગ નથી. એ સંસાર માર્ગ છે.
મોક્ષનો માર્ગ કલ્પિત નથી. એ શુદ્ધ માર્ગ છે. જ્યાં કોઈ ચિંતા
ના હોય, ઉપાધિ ના હોય. ઉપાધિમાં સમાધિ હોય. ૧૪૫૩ ભગવાને કહ્યું, “શું કરવાથી મોક્ષે જવાય ?” સમકિત થાય તો
જવાય અથવા “જ્ઞાની પુરુષ'ની કૃપા થાય તો. ૧૪૫૪ સમકિત વગર જે કંઈ કરવામાં આવે તે બધું બંધન જ છે.
પછી દાન આપતો હોય કે દયા રાખતો હોય. ૧૪૫૫ સમકિત તો દ્રષ્ટિ છે, દ્રષ્ટિ ફરી ત્યારથી સમકિત થયું. ૧૪૫૬ સમકિત દ્રષ્ટિ થઈ એટલે છતું કરે અને આ મિથ્યાદ્રષ્ટિ, છતું
હોય તેને ઊંધું કરે. ૧૪૫૭ સમકિત રાત દા'ડો કામ કર્યા કરે. મિથ્યાત્વ રાત દા'ડો કામ
કર્યા કરે. સમકિત મોક્ષે લઈ જશે ને મિથ્યાત્વ સંસારમાં
ભટકાવશે ! ૧૪૫૮ કોઈ પૂછે કે મોક્ષે જવાનું “થર્મોમીટર’ ક્યું? તો કહીએ કે
મહીં સવળું ચાલે છે. ૧૪૫૯ અવળું એટલે નીચે ઊતરવું ને સવળું ઊંચે ચઢાવે !
૧૪૬૦ ‘અક્રમ માર્ગ’ અને ‘ક્રમિકમાર્ગ’ બે માર્ગ જુદા છે. જ્ઞાન કરીને
એક છે, પણ ‘ક્રમિકમાર્ગ’ કરવાપણાનો માર્ગ છે અને
અક્રમમાર્ગ' લગામો છોડી દેવાનો માર્ગ છે. ૧૪૬ ૧ પોતે પોતાને જાણતો નથી, એ જ મોટામાં મોટી માયા.
અજ્ઞાન ખસ્યું કે માયા વેગળી ! ૧૪૬૨ અહંકાર ખલાસ થયો, એનું નામ જ પરમાત્મા ! અહંકાર એ
જ માયા છે. ૧૪૬૩ આ ટીપોયમાં મમતાનું એકુંય પરમાણું નથી. આત્માનું ય કશું
નથી એમાં. પણ એમાં કોઈ વ્યક્તિનો મમતાભાવ છે. તેથી
આ ટીપોય બાળી મેલીએ તો દોષ લાગે. ૧૪૬૪ કોઈ માણસ બહુ આડું બોલતો હોય, તેને આપણે વઢીએ તે
કોના જેવું છે ? આ સંડાસ ગંધાય તો તેના બારણાને લાતો
મારમાર કરીએ તો તે સુગંધીવાળું થાય ? ૧૪૬૫ સામાને જેવું દેખાય તેવું આપણે “એક્સેપ્ટ' કરવું પડે.
આપણને જેવું દેખાય તેવું સામા પાસે “એક્સેપ્ટ' કરાવાય
કેમ? ૧૪૬૬ સામાની કાળજી રાખવી, એનું નામ મનુષ્યપણું. ૧૪૬૭ વ્યવહારમાં “એડજસ્ટમેન્ટ' લેવું, તેને આ કાળમાં જ્ઞાન કહ્યું
છે. ‘ડીસૂએડજસ્ટમેન્ટ’ને ‘એડજસ્ટ' કરવાનું છે. ૧૪૬૮ વ્યવહાર શું છે ? એટલું જ જો સમજે તો ય મોક્ષ થઈ
જાય. વ્યવહાર બધો ‘રિલેટિવ' છે. ને “ALL THESE RELATIVES ARE TEMPORARY
ADJUST-MENTS.' ૧૪૬૯ ‘રિલેટિવ' વ્યવહાર છે તે નાશવંત છે. નાશવંતમાં
પોતાપણાનો આરોપ કરવો એ “રોંગ બિલિફ' છે !
Page #77
--------------------------------------------------------------------------
________________
૧૪૭૦ “મારું-તારું' એ તો વ્યવહાર છે. સામો ગાળ દે એવો વ્યવહાર
ગમતો હોય તો એ વ્યવહાર તમે કરો. ધીરધાર ચાલુ રાખો. ૧૪૭૧ આ કુદરતને ઘેર તો નિશ્ચયમાં દુઃખ નથી ને વ્યવહારમાં ય
દુઃખ નથી. આખા જગતને આ સમજણ નહીં પડવાથી વ્યવહાર દુઃખદાયી થઈ પડ્યો છે. વ્યવહાર એને આવડતો નથી. વ્યવહાર નિર્લેપ જોઈએ. નિર્લેપ વ્યવહાર પછી
આનંદનો પાર નથી રહેતો ! ૧૪૭૨ ‘નિર્લેપ વ્યવહાર' એટલે ? કે કોઈ વસ્તુ સારી દેખી, તેને
જોઈને આનંદ પામવાનું. પણ ત્યાં ચીટકી નહીં રહેવાનું, આગળ ચાલવાનું. તો બાવળ પણ સારો લાગે ને ગુલાબ પણ સારું લાગે. પણ જગત ત્યાં ચીટકી પડે છે. ચીટકી પડે છે
એ જ દુઃખ છે ! ૧૪૭૩ “જ્ઞાની પુરુષ'નો નિર્લેપ વ્યવહાર હોય. તેમની પાસે જઈએ
તો આપણો ઉકેલ આવે. એ દેખાડે કે આ “કરેક્ટ' છે ને આ
ઈકરેક્ટ' છે. ૧૪૭૪ કુદરત એટલી બધી રૂપાળી અને લાવણ્યમયી છે કે ના પૂછો
વાત ! પણ આ મનુષ્યોએ એનું એક જગ્યાએ રૂપ કેન્દ્રિત કર્યું,
તેથી બીજી જગ્યાએ દેખાતું નથી ! ૧૪૭૫ ઘરમાં બધા એક થઈ ગયાં, સામસામા સમાધાન કરીને પણ
એક થવું એનું નામ વીતરાગ ભાવ અને જુદા થવું તે રાગ
૧૪૭૮ મન હેરાન નથી કરતું, રાગ-દ્વેષ હેરાન કરે છે. રાગ-દ્વેષને
લીધે સ્મૃતિ છે ! ૧૪૭૯ રાગ “જ્ઞાની’ પર બેસી ગયો તો તે “પ્રશસ્ત રાગથઈ ગયો.
એ કામ કાઢી નાખે. બીજે બધેથી રાગ ઊડી જાય. કારણ કે જ્ઞાની' વીતરાગ છે. વીતરાગ પરનો રાગ સર્વ દુઃખોથી મુક્ત
કરાવનારો છે. ૧૪૮૦ વીતરાગી માર્ગ કેવો છે કે આપનાર ને લેનાર બેઉ કમાય ને
સંસારમાર્ગમાં આપનાર ખોવે ને લેનાર કમાય. ૧૪૮૧ જીવનનાં બે પ્રકારે ધ્યેય નક્કી થાય છે : “જ્ઞાની પુરુષ'
આપણને મળે નહીં તો સંસારમાં એવી રીતે જીવવું કે આપણે કોઈને દુઃખદાયી ના થઈ પડીએ. આપણા થકી કોઈને ય કિંચિત્માત્ર દુઃખ ના થાય એ મોટામાં મોટો ધ્યેય હોવો જોઈએ અને બીજામાં તો પ્રત્યક્ષ “જ્ઞાની પુરુષ' મળી જાય તો તેમના સત્સંગમાં રહેવું, તેનાથી તો તમારાં દરેક કામ થાય.
‘પઝલ' “સોલ્વ' થઈ જાય બધાં. ૧૪૮૨ મનુષ્યનું ધ્યેય શું ? હિન્દુસ્તાનના મનુષ્યો ખરેખર પરમાત્મા
થઈ શકે છે. પોતાનું પરમાત્મપણું પ્રાપ્ત કરવું એ છેલ્લામાં
છેલ્લું ધ્યેય છે ! ૧૪૮૩ જેને કંઈ પણ આવડે છે, તે અહંકારના આધારે આવડે છે.
જ્ઞાની', જેને કંઈ જ આવડતું નથી, તેને અહંકાર જ નથી. ૧૪૮૪ “મને તો સંસારમાં કંઈ જ આવડતું નથી. ‘હું કશું ય જાણતો
નથી. “હું તો “આત્મા'ની વાત જાણું છું, આત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે તે જાણું છું, આત્મા જે જે જોઈ શકે છે, એ હું જોઈ શકું
૧૪૭૬ ઇન્દ્રિયોથી જુએ છે - જાણે છે છતાં રાગ-દ્વેષ નથી એ
અતીન્દ્રિય જ્ઞાન છે. અને રાગ-દ્વેષ છે એ ઇન્દ્રિયજ્ઞાનથી જુએ
છે - જાણે છે ! ૧૪૭૭ જ્યાં હું નથી ત્યાં કહું છું બોલવું એ જ મોટામાં મોટો
રાગ !
૧૪૮૫ પોતાની આવડત જેવી કોઈ વસ્તુ રહેશે નહીં, ત્યારે ભગવાન
જેવી સત્તા ઉત્પન્ન થાય ! એટલે જે ઇચ્છા કરો તે હાજર
Page #78
--------------------------------------------------------------------------
________________
થાય ! ૧૪૮૬ આ જગતમાં કશું આવડતું ના હોય ને વ્યવસ્થિત છે એવું
સમજાય, એવું અનુભવમાં આવી જાય, તેને “આત્મજ્ઞાન'
થઈ ગયું એમ કહેવાય. ૧૪૮૭ આપણને સમજણ નથી એમ કરીને વ્યવહાર કરીએ તો તે
બહુ દીપે. પણ સમજણ છે એમ કરીને કરીએ તો બગડી
જાય ! ૧૪૮૮ આ સંસાર બધો ગોળ ગોળ છે. એનો અંત જ આવે એવો
નથી. માટે વાતનો અંત ખોળવા “જ્ઞાની પુરુષ'ને પૂછીએ કે ‘અમારે હવે ક્યાં સુધી ભટકવું? અમે તો આ ફર ફર કરીએ છીએ ! ઘાંચીના બળદની જેમ !' “જ્ઞાની પુરુષ'ને કહીએ કે,
મારો ઉકેલ લાવી નાખો !” ૧૪૮૯ વ્યવહાર એટલે જ ઉપલક, વ્યવહારમાં લોકો બોલે છે તે
ફૂલ સ્ટોપ' કરે છે. પણ ના, વ્યવહારમાં તો ‘કોમા’ હોય. ત્યાં લોકોએ ‘ફૂલ સ્ટોપ' મૂકી દીધું. “હું ચંદુભાઈ છું' ત્યાં
કોમાં હોય અને “હું શુદ્ધાત્મા છું' ત્યાં “ફૂલ સ્ટોપ’ હોય. ૧૪૯૦ વ્યવહાર એટલે “સુપરફલુઅસ.” “સુપરફલુઅસ’ રહેવાને
બદલે જગતના લોક વ્યવહારને જ નિશ્ચય માની બેઠા છે ને પાછા કહે ય ખરા કે આમ જ હોવું જોઈએ, આમ જ કરવું
જોઈએ. ૧૪૯૧ જલેબી ચાનું તેજ હણે. તેવી જ રીતે આત્માનું જ્યારે સુખ
ચાખે, ત્યાર પછી આ સંસારનાં સુખો મોળાં લાગે. સંસારનાં
સુખો મોળાં લાગે નહીં ત્યાં સુધી સંસાર છૂટે નહીં ! ૧૪૯૨ જલેબીમાં સુખ નથી, તમારી કલ્પનામાં સુખ છે. ૧૪૯૩ કલ્પિત સુખનો વેપાર દુઃખ સાથેનો જ છે.
૧૪૯૪ સુખે ય વેદના છે ને દુ:ખે ય વેદના છે. સુખ વેદના હોય
તો એ સુખ જ ના કહેવાય. જે સુખ વધારે ચાખીએ અને તે દુઃખદાયી થઈ પડે એ સુખ જ કેમ કહેવાય ? આ તો બધી ભ્રાંતિવાળાઓની જંજાળ છે ! સુખના સમુદ્રમાં પડી રહે, પણ
અભાવ ના થાય એ સાચું સુખ કહેવાય ! ૧૪૯૫ ‘પોતાનું સુખ પોતાની સમશ્રેણીમાં છે. સમશ્રેણીમાં એટલે
પોતાનું ત્રાજવું ઊંચું જાય નહીં ને સંસારનું નીચું જાય નહીં ! ૧૪૯૬ તમને જો સુખ ગમતું હોય તો સુખ જેમાં છે તેને ભજો. સુખ
ભગવાનમાં છે. ભગવાન તો અનંત સુખના ધામ છે અને
જડની ભજના કરશો તો દુઃખ થશે કારણ જડમાં દુઃખ જ છે. ૧૪૯૭ વીતરાગનું વિજ્ઞાન એટલે શું ? કોઈ દુઃખ જ ના હોય.
વીતરાગોનો એક અક્ષર જો સમજે તો દુઃખ જ ના રહે. પણ
‘વીર’નો એક શબ્દ સમજ્યો નથી. ૧૪૯૮ કોઈ કહે “જ્ઞાની પુરુષ' ‘રિયલમાં સુખી હોય પણ
‘રિલેટિવ'માં સુખી કે દુઃખી હોય, ત્યારે હું કહું કે ‘ના’.
જ્ઞાની પુરુષ' રિલેટિવને ‘રિલેટિવ' જાણે છે, તેથી
રિલેટિવમાં પણ સુખી હોય. ૧૪૯૯ “અમે' “જ્ઞાન” આપીએ એ “જ્ઞાન'થી શાંતિ રહે ખરી. પણ
‘આ’ ‘વિજ્ઞાન’ જાણી લીધા વગર નહીં ચાલે. આ વિજ્ઞાનનો પ્રયોગ હોય તેમાં જોઈતી સામગ્રીઓ પૈકી એક જ સામગ્રી ના હોય તો ચાલે ? ના ચાલે. તેમ અમારું આ વિજ્ઞાન પણ
પૂરેપૂરું સમજવું પડશે. ૧૫00 “કઢાપો-અજંપો' ના થાય એ જ અંતરંગ શાંતિ. બહિરંગની
જોડે જો ચિત્ત એકાગ્ર થાય તો અંતરંગ તૂટી જાય. બહિરંગથી તો આ જગત બધું ઊભું થયું છે !
Page #79
--------------------------------------------------------------------------
________________
૧૫૦૧ સાચી વ્યક્તિ લોકોને બહુ દુઃખ આપે છે તેથી તેને દુ:ખ જ
આવે. સાચો માણસ ‘હું સાચો છું' કરીને બધાને બહુ દુઃખ
આપે. ૧૫૦૨ કોઈ પણ માણસ પાંચ, દસ કે સો જણનાં મન સ્થિર કરી
શકે ત્યારે કામ થાય અને મન સ્થિર કોણ કરી શકે ? જેનું
પોતાનું મન સ્થિર હોય તે કરી શકે. ૧૫૦૩ જગતના લોકોને પોતાનું મન સ્વામી થઈને પજવે છે, તો
સામાના મનનો સ્વામી માનીને ચાલે તો શી દશા થાય ? ૧૫૦૪ મનથી છૂટું શી રીતે થવાય ? જીવતાં મરી જાય તો મનથી
છૂટો થઈ જાય. ૧૫૦૫ આત્મસ્વરૂપે પોતે કોઈ દહાડો મરતો જ નથી. ખાલી
‘બિલિફો’ જ મરે છે ! ૧૫૦૬ જ્ઞાનીઓએ કહ્યું કે જીવતાં જે મરે છે તેને પછી મરણ આવતું
નથી.
રીતે ? આપણે અમર છીએ !! ૧૫૧૧ સમાધિમરણ એટલે પોતાના સ્વરૂપ’ સિવાય બીજું કશું યાદ
જ ના હોય. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર કશું જ હાજર ના હોય.
આત્મામાં જ હોય. ૧૫૧૨ “અનડીસાઈડેડ' (અનિર્ણિત) વિચારો, એનું નામ મન.
‘ડીસાઈડેડ' (નિર્ણિત) વિચારો, એનું નામ બુદ્ધિ. ૧૫૧૩ બુદ્ધિ સંસારાનુગામી છે. ૧૫૧૪ આખું જગત બુદ્ધિમાં જ પડેલું છે. બુદ્ધિમાંથી જ્ઞાન-પ્રકાશમાં
આવે, ત્યાર પછી પરમાત્મા સ્વરૂપ થવા માંડે. ૧૫૧૫ બુદ્ધિ સંસારની દરેક બાબતમાં નફો ખોટ દેખાડે. બુદ્ધિ તંદ્ર
દેખાડે. બુદ્ધિ એ વંદની જનની છે ! ૧૫૧૬ જગતના ‘રિલેટિવ ધર્મો' છે તે બુદ્ધિ પ્રકાશક છે. બુદ્ધિથી
આગળની વાત શબ્દમાં ઊતરે એવી નથી. ૧૫૧૭ વિપરીત બુદ્ધિ થવી એ તો આ કાળનો વિચિત્ર નિયમ જ થઈ
પડ્યો છે ને ! અને એમાં ચેતીને ચાલે છે તે જીત્યો. ૧૫૧૮ સાચી બુદ્ધિ તો તે કે જે કામનો ઉકેલ લાવી નાખે. બીજી બધી
બુદ્ધિ વધારાની. એ નુકસાન કરે. ૧૫૧૯ યથાર્થ વસ્તુને દેખાડે તે સમ્યક્ બુદ્ધિ. ૧૫૨૦ કોઈ પણ માણસનું નુકસાન ના થાય અને પોતાનું ય
ર્કિંચિત્માત્ર નુકસાન ના કરે એ બુદ્ધિશાળી. ૧૫૨૧ બુદ્ધિ એ આજની કમાણી છે, આજનો ‘એકસ્પિરિયન્સ' છે !
જયારે અક્કલ એ કુદરતી બક્ષિસ છે ! ૧૫૨૨ બુદ્ધિ તો કોને કહેવાય કે જે ક્રોધ-માન-માયા-લોભનું વિવરણ
૧૫૦૭ જન્મ્યો ત્યારથી જ કરવતી ચાલુ ! આપણા લોકો લાકડું છૂટું
પડે, તેને મરણ કહે છે ! એ તો પહેલેથી જ કપાતું હતું ! ૧૫૦૮ આપણા લોકો તાવ જાય છે, તેને તાવ આવ્યો કહે છે ! જે
તાવ મહીં ભરાઈ રહ્યો હતો, જે વિકારી ખોરાકનું પરિણામ છે તેને ‘વાઈટાલિટી પાવર’ ગરમી ઉત્પન્ન કરીને શુદ્ધતા
લાવે છે. ૧૫૦૯ જીવનમાં વહેલું મરવાની ભાવના કરે તે ય આર્તધ્યાન ને
રૌદ્રધ્યાન છે, ને ના મારવાની ભાવના કરે તે ય આર્તધ્યાન ને રૌદ્રધ્યાન છે. જ્યારે સ્ટેશન આવે ત્યારે ઊતરી પડવું.
મરવાની યે નહીં ને ના મરવાની કે ભાવના ના રાખવી. ૧૫૧૦ જે દુનિયામાં મરી જવાનું હોય એ દુનિયા પોષાય જ શી
Page #80
--------------------------------------------------------------------------
________________
કરે અને એ બધાંને બાજુએ મૂકી દે અને ઘરમાં અથડામણ થવા ના દે. ‘એવરી વ્હેર એડજસ્ટમેન્ટ' કરાવે.
૧૫૨૩ જ્યાં બુદ્ધિ વપરાય છે ત્યાં મોક્ષ નથી અને જ્યાં મોક્ષ છે ત્યાં બુદ્ધિની જરૂર નથી. ‘સમજ’ની જરૂર છે.
૧૫૨૪ જેને સૂઝ વધારે પડતી હોય, તે અક્કલવાળા કહેવાય. સૂઝ વધારે પડે એ કુદરતી બક્ષિસ છે. કોઈનામાં સૂઝ વધારે હોય પણ બુદ્ધિ ના પણ હોય.
૧૫૨૫ બુદ્ધિના ‘રિવોલ્યુશન' જેને વધારે તેમ સમજશક્તિ વધારે. કહેતાં પહેલાં સમજી જાય. મજૂરોને મિનિટમાં પાંચેય ‘રિવોલ્યુશન’ ના હોય, જ્યારે ‘ઈન્ટેલીજન્ટ'માં મિનિટમાં હજાર - બે હજાર હોય. જેમ ‘રિવોલ્યુશન’ વધારે તેમ આ ‘જ્ઞાન’ જલ્દી સમજાઈ જાય.
૧૫૨૬ બુદ્ધિ અવળી વળે તો કપટ છે ને સવળી વળે તો કામ કાઢી નાખે.
૧૫૨૭ ‘હું ચંદુભાઈ છું’ બોલીએ તે જ કપટ છે. મૂળ ચંદુભાઈ નામ કહ્યું, ત્યાંથી જ બધું કપટ કર્યું ! ‘તમારી જાત’ને છૂપાવીને તમે બીજું નામ ધર્યું.
૧૫૨૮ ચૈતન્ય ઇન્દ્રિયગમ્ય હોત તો ભગવાનને ખોળવાના જ ના
રહેત, જન્મથી જ આંખે એ દેખાત ! જ્યાં ઇન્દ્રિયનું ના ચાલે, મનનું ના ચાલે, બુદ્ધિનું ના ચાલે, કોઈનું ના ચાલે ત્યારે ભગવાન દેખાય. તેથી તો કહે છે ને, ‘હું હૃદયમાં જ છું.' ‘આડી ત્રાટી કપટકી તાસે દીસત નાહિ !'
૧૫૨૯ ‘ઓપન માઈન્ડ' રાખે, તેને ભગવાન દેખાય ! ૧૫૩૦ ક્રોધ એ માનનું રક્ષણ કરે છે. કપટ એ લોભનું રક્ષણ કરે છે. ૧૫૩૧ સ્ત્રીઓને કપટનું આવરણ હોય તેથી તેને કપટની ખબર ના
પડે, એ સ્વભાવ છે. પુરુષોને અહંકારની ગૂંચ હોય, તેને એ ગૂંચ અહંકાર દેખાવા ના દે. સ્વરૂપજ્ઞાન પછી પુરુષોએ અહંકારને જો જો કરવાનો ને સ્ત્રીઓએ કપટને જોવાનું.
૧૫૩૨ કપટ હોય ત્યાં ટપલાં મળે ને માનનું ફળ ગાળો મળે. આ અમારી શોધખોળ છે.
૧૫૩૩ જગત આપણો જ ફોટો છે. તમારામાં કપટ હશે ત્યાં સુધી સામો તમારી જોડે કપટ કરશે.
૧૫૩૪ છૂપાં કામ રાખે તે કપટ કહેવાય. કપટની તો ધણીને ય ખબર ના પડે. જૂઠું પણ કપટમાં જાય.
૧૫૩૫ આપણા લોક પરમાત્માને માને છે ખરા, નહીં ? અને ખાનગી
કામેય કરે છે, નહીં ? જે પરમાત્મા તારી બધી જ ક્રિયાઓ જાણે છે, તેનાથી ખાનગી શી રીતે રખાય ? ભગવાનને ઓળખવા હોય તો પછી છૂપાં કામ કરવાનાં ના હોય.
૧૫૩૬ છૂપાં કામ કરે છે, તેને સવળું કરવા શું કરવું ? કામ ઊઘાડાં કરી નાખવાં એટલે લોકભય જતો રહે.
૧૫૩૭ કપટને ખુલ્લું કરી નાખીએ એટલે મન બંધાઈ જાય. ઊઘાડું કરવાથી મનને વશ કરાય છે.
૧૫૩૮ ખોટ ગઈ હોય તો ય સામાને વાત ખુલ્લી કરી દેવી. એટલે
સામો ભાવના કરે એટલે પરમાણુ ઊડી જાય ને પોતે હલકો થઈ જાય ! એકલો મહીં મૂંઝાયા કરે તો વધારે બોજો લાગે !
૧૫૩૯ સંસાર કોની પાસે પૂર્ણ પામે કે જ્યાં કપટ ના હોય. કપટ ના હોય ત્યાં સુધી બધી વસ્તુઓ ભેગી થાય. આ જગતનું બધું એની મેળે ચાલે એવું છે ! પણ કપટ કર્યા વગર રહે નહીં, એટલે બધું બગડે છે !
૧૫૪૦ શરૂઆતમાં અમારાથી કોઈને દુઃખ થાય એવું બોલાઈ જાય તો
Page #81
--------------------------------------------------------------------------
________________
એને વાળી લેવા અમે કહીએ કે, ‘ભઈ, પહેલેથી જ અમારું મગજ જરા આવું છે !!!' એટલે સામો ખુશ થઈ જાય ! ૧૫૪૧ આપણે છૂટવું હોય તો આપણે હરીફાઈમાં ના રહીએ. હરીફાઈમાં હોઈએ ત્યાં સુધી સામો એના દોષ સંતાડે ને આપણે આપણા !
૧૫૪૨ હરીફાઈ છે ત્યાં ‘જ્ઞાન’ થતું નથી.
૧૫૪૩ હરીફાઈ એ કુસંગ છે.
૧૫૪૪ જ્યાં સ્પર્ધા ત્યાં સંસાર ને સ્પર્ધા ના હોય ત્યાં ‘જ્ઞાન’. ૧૫૪૫ આ ‘રેસકોર્સ'માં કોઈનો નંબર લાગેલો નહીં. ખાલી હાંફી
હાંફીને મરી જાય ! ‘અમે’ આ દોડાદોડમાં કોઈ દહાડો ઊતરીએ નહીં. ‘અમે' તો એક જ શબ્દ કહીએ કે, ‘ભઈ, અમારામાં બરકત નથી.’
૧૫૪૬ અનંત અવતાર ‘આ’ ‘રેસકોર્સ’માં દોડ દોડ કરીશ તો ય
છેલ્લે દહાડે તું છેતરાઈશ, એવું આ જગત છે ! બધું નકામું જશે ! ઉપરથી પાર વગરનો માર ખાવાનો ! એનાં કરતાં ભાગો અહીંથી, આપણી ‘અસલ જગ્યા’ ખોળી કાઢો ! જે આપણું ‘મૂળ સ્વરૂપ’ છે !
૧૫૪૭ આ ‘અક્રમ વિજ્ઞાન’ છે. તમે ‘રેસકોર્સ'માંથી ખસ્યા કે તરત તમારી ‘પર્સનાલિટી’ પડશે. રેસકોર્સમાં ‘પર્સનાલિટી’ ના પડે. કોઈની જ ના પડે.
૧૫૪૮ આ જગતને કોઈ જીતી શકેલો જ નહીં. તેથી અમારી એક બહુ ઊંડી શોધખોળ છે કે જે આ જગતને જિતાડે. ‘અમે તો હારીને બેઠા છીએ, તારે જીતવું હોય તો આવ.’
૧૫૪૯ હારીને પછી જીતેલાને આશીર્વાદ આપે તે મોક્ષે જાય,
‘કમ્પલીટ’ થાય !
૧૫૫૦ જીતવા જશો તો વેર બંધાશે ને હારશો તો વેર છૂટશે !
૧૫૫૧ તમે કહો કે અમે હારી ગયેલા છીએ, તો જગત તમને છોડી દેશે. એ અમે શોધખોળ કરેલી. કારણ કે જગતને પહોંચી વળવા ગયા, તેથી કેટલાંય અવતાર કરવા પડ્યા. એ છેવટે અમે હાર્યા કહીને બેસી ગયા.
૧૫૫૨ ‘જ્ઞાની પુરુષ’નો એક અક્ષર જ જો સમજમાં આવ્યો તો કલ્યાણ જ થઈ જાય !
૧૫૫૩ આપણે ચાલતાં પાણીમાં ડખલ ના કરવી. એ એની મેળે ચાલ્યા જ કરે છે, એમાં કોઈ અટકવાનું નથી. ડખલ થાય એટલે ડખો થઈ જાય પછી.
૧૫૫૪ આ કાળ વિચિત્ર છે. ડખલમાં ઊતરવા જેવું નથી. કોઈને સારું બોલતાં જ ના આવડે ! એવું બોલે કે આપણને ‘હેડેક’
થાય.
૧૫૫૫ આપણા લીધે સામાને ડખો થાય એવું બોલવું એ મોટામાં મોટો ગુનો છે. ઊલટું એવું કોઈ બોલ્યું હોય તો તેને દાબી દેવું, એનું નામ માણસ કહેવાય !
૧૫૫૬ આ જગતમાં કોઈ તમને ડખોડખલ કરી શકે એવી સ્થિતિમાં
જ નથી. માટે ‘વર્લ્ડ’નો દોષ કાઢશો નહીં. તમારો જ દોષ છે. તમે જેટલી ડખલ કરી છે, તેના જ આ પડઘા છે. તમે ડખલ ના કરી હોય, તેનો પડઘો કોઈ તમને વાગે નહીં.
૧૫૫૭ જેણે કિંચિત્માત્ર ડખલ ના કરી હોય, તેનું કિંચિત્માત્ર કોઈ
નામ દઈ શકે એમ નથી. બહારવટિયાના ગામમાં કિંચિત્માત્ર ડખો ના કરનારો જઈ પડ્યો હોય તો તેને બહારવટિયા ‘સાહેબ, સાહેબ' કરીને જમાડે ! એની પાસે
Page #82
--------------------------------------------------------------------------
________________
ગમે તેટલાં હીરા હોય તો ય પેલાઓથી અડાય નહીં ને દસ પોલિસ લઈને ગયો હોય તેને લૂંટી લે.
૧૫૫૮ એક મચ્છર પણ તમને અડી ના શકે એવા ન્યાયવાળું જગત છે, જો તમે ડખલ ના કરો તો. તમારી ડખોડખલ બંધ થઈ જશે તો બધું જ બંધ થઈ જશે.
૧૫૫૯ મનુષ્યગતિમાં આવ્યા પછી મનુષ્ય, સ્વ-સ્વભાવમાં રહીને વિસર્જનમાં ડખો ના કરે તો મોક્ષે જ જાય. ડખો કરે તો બીજી ગતિમાં જાય.
૧૫૬૦ આખા જગતનો એક જ વાક્યમાં ફોડ છે. જે વિસર્જન થાય છે તે જૂનું છે ને જે સર્જન થાય છે તે નવું છે.' કોઈ કુચારિત્રનું વિસર્જન કરતો હોય પણ જોડે જોડે મહીં ‘જ્ઞાની પુરુષ' પાસેથી શીખી લાવેલો હોય, તેથી ઊર્ધ્વગતિનું સર્જન કરતો હોય !
૧૫૬૧ સર્જન કરવું એ ‘તમારી’ સત્તા છે. વિસર્જન કરવું એ ‘કુદરત’ની સત્તા છે. માટે સર્જન કરવું હોય તો સવળું કરજો. ‘તમારું’ સર્જન કરેલું, તે વિસર્જન કર્યા વગર કુદરત છોડે જ
નહિ !
૧૫૬૨ આખું જગત જે જે કરે છે તે બધું કુદરતી વિસર્જન જ છે. પછી જપ કરો, તપ કરો, બધું કુદરતી વિસર્જન છે. ફૂલ ચઢાવે છે, તેનો ઉપકાર શો ? અને ગજવું કાપે, તેનો અપકાર શો ? સર્જનમાં પોતે નિમિત્ત હોય છે ને વિસર્જન તો કુદરત જ કરે છે. આ વીતરાગોની છેલ્લામાં છેલ્લી દ્રષ્ટિ છે !
૧૫૬૩ વિસર્જન નેચરના હાથમાં છે. તેથી આ અજંપો છે. તેથી આ પરવશતાનાં દુઃખો છે. એવી ઘડી મનુષ્યપણામાં આવી જાય છે કે એક કલાક કાઢવો મુશ્કેલ પડી જાય છે !
૧૫૬૪ પહેલાંની યોજનાઓ કરેલી, તે જો ગ્રહણીય હોય તો મહીં
‘ચૂનચૂન’ થાય અને નિકાલી હોય ત્યારે શાંતભાવે રહે.
૧૫૬૫ યોજના ઘડતી વખતે બધું ફેરફાર થાય, પણ યોજના રૂપકમાં આવવા માંડી ત્યાં ફેરફાર ના થાય. કારણ કે આ જગત જ પોતે સૂક્ષ્મમાંથી સ્થૂળ થયેલું છે. એટલે ‘સેકન્ડ સ્ટેજ’માં આવેલું છે, ‘ફર્સ્ટ સ્ટેજ’માં નથી. ‘ફર્સ્ટ સ્ટેજ’માં બદલાય. ૧૫૬૬ જગતનો સ્વભાવ સર્જનાત્મક જ છે. વિસર્જનાત્મક ભાગ તે તો ‘રીએક્શન’ છે.
૧૫૬૭ એક હકીકતથી આત્મા સર્જક છે. બીજી હકીકતથી આત્મા સર્જક નથી.
૧૫૬૮ જ્યાં કંઈ પણ કરવાપણું છે ત્યાં બંધન છે, ને જાણવાપણુંસમજવાપણું છે ત્યાં મોક્ષ છે.
૧૫૬૯ જેટલો સમજ્યો તેટલો સમાઈ જાય. જેટલો સમાઈ ગયો એટલી મુક્તિ. અહીં જ મુક્તિનો અનુભવ થાય. સમાઈ જવું એટલે મોક્ષમાં, પોતાના ‘સ્વરૂપ’માં સમાઈ જવું.
૧૫૭૦ સમજ હંમેશા સમાવે. સમાવવાનો છેલ્લામાં છેલ્લો અંશ તે મોક્ષ. બુદ્ધિથી ઉભરાય છે ને સમજથી સમાય છે.
૧૫૭૧ સમ્યક્ સમજણ કોને કહેવાય, કે દુઃખમાંથી સુખનું શોધન કરે.
૧૫૭૨ દુઃખ કોનું જાય ? જે ભૌતિક સુખનું ‘ઓપરેશન' કરી નાખે તેનું !
૧૫૭૩ ‘નેચર’ની વિરુદ્ધ ચાલે છે તેનાં જ બધાં દુઃખો છે ! ‘નેચર’ બધું ‘એડજસ્ટ’ કરે છે પણ પોતે ‘નેચર’ની વિરુદ્ધ ‘અહંકાર’ કરે છે !
૧૫૭૪ આત્મામાં પરમ સુખ જ છે. પણ કલુષિત ભાવને લીધે સુખ
Page #83
--------------------------------------------------------------------------
________________
આવરાય છે. ૧૫૭૫ સત્ સુખનો વિયોગ થાય તો અસત્ સુખનો સંયોગ થાય. ૧૫૭૬ કોઈ પણ માણસને કે જીવને “આપણા’ લીધે સહેજ પણ ત્રાસ
કે અડચણ ઉત્પન્ન ના થાય એ જ “આત્મ ધર્મ’ છે ! ૧૫૭૭ તમે જો સાચા છો તો દુનિયામાં કોઈ તમારું નામ દેનાર
નથી. તમે કોઈને જગતમાં દુઃખ દેતા નથી, કોઈને દુઃખ દેવાની તમારી ભાવના નથી, તો તમને કોઈ દુઃખ દઈ શકે
તેમ નથી. ૧૫૭૮ આપણને કિંચિત્માત્ર દુઃખ થાય છે, તે આપણે દીધેલાં
દુ:ખના પ્રત્યાઘાત છે. માટે અનુકૂળ આવે તે કરજો. ૧૫૭૯ દુઃખ આવે જ કેમ ? પોતે પરમાત્મા છે તેને દુઃખ કેમ ?
અહંકાર જ દુઃખ ઊભું કરે છે ને ભોગવે છે તે ય અહંકાર !
પરમાત્મા કંઈ ભોગવતા નથી ! ૧૫૮૦ ભગવાન દુઃખને જાણે, વેદ નહીં ! ૧૫૮૧ આ જગતમાં રડવાનું છે તે ઊંધી સમજણનું ને હસવાનું છે
તે ય ઊંધી સમજણનું. રડવા-હસવા જેવું આ જગત નથી.
જગત તો રમણીય છે ! ૧૫૮૨ આ દુનિયામાં બધાં દુઃખો માનેલાં છે. “રોંગ બિલિફ” છે !
લોકોને દુઃખ ભાસે છે, ભાસ્યમાન અનુભવમાં આવે છે. પ્રત્યક્ષ દેખેલું, અનુભવમાં નથી આવતું. ભાસ્યમાન અનુભવમાં આવવું એટલે આખી રાત ભૂતના ભડકાટમાં મરી જવું, એના
જેવી વાત ! ૧૫૮૩ આખો દહાડો કડવાં કે મીઠાં ફળ ભોગવ્યા જ કરે છે.
ભોગવવા માટે તો આ અવતાર મળ્યો છે !
૧૫૮૪ શાતા વેદનીય ને અશાતા વેદનીય ક્યાં સુધી રહે ? જ્યાં સુધી
કચાશ હોય ત્યાં સુધી. પછી આગળ ઉપર તે ના હોય. શાતા
અશાતામાં જ્ઞાયક સ્વભાવ હોય. ૧૫૮૫ જે “ટેસ્ટ’ (સ્વાદ)ને જાણે તે આત્મા. જે ‘ટેસ્ટને ભોગવે તે
આત્મા ન હોય. ૧૫૮૬ “ખુદા' તો ‘લાઈટ' આપે છે બધાંને. જેને બદમાશી કરવી
હોય તેને ‘લાઈટ’ આપે છે, જેને ચોરી કરવી હોય તેને પણ ‘લાઈટ' આપે છે. પણ જોખમદારી ‘તારી' છે. ખુદાએ શું કહ્યું કે તું જ આ જગતનો માલિક છે. મારા કાયદા તું પાળીશ તો
તને ખુદાઈ સત્તા મળશે ! ૧૫૮૭ આ સંસારમાં દુઃખ છે તે તો એમ ને એમ પડી જાય તેમ
છે. પણ લોકો તેને આધાર આપે છે. ૧૫૮૮ ‘તું આત્મા છે' ને આ પુગલ છે ! તારો ભડકાટ થયો તો
પુદગલ તારી પર ચઢી બેસશે ! આખું વર્લ્ડ આઘુંપાછું થાય પણ ભડકે એ બીજા ! આ દેહને પક્ષાઘાત થાય કે સળગે તો કે “અપનેકો ખોટ કભી નહીં હોતી.” ખોટ જશે તો પુદ્ગલને ઘેર, આપણે ઘેર કોઈ દહાડો ય ખોટ જતી નથી. બેઉનો વેપાર
જુદો, વ્યવહાર જુદો ને દુકાને ય જુદી ! ૧૫૮૯ કોઈને બહાર દુઃખ આપો તો મહીં દુઃખ ચાલુ થઈ જાય !
એવું આ વીતરાગોનું સાયન્સ છે. એક અવતાર બધાનાં દુઃખ
લઈ લેશો તો અનંત અવતારનું સાટું વળી જશે ! ૧૫૯૦ જેણે એક દુઃખ ઓળંગ્યું. તેને પછી કેટલાંય દુઃખ ઓળંગવાની
શક્તિ આવે. પછી તો દુઃખ ઓળંગવાનો બહારવટિયો થઈ
જાય.
૧૫૯૧ બહારની શાતા-અશાતા એ ‘વ્યવસ્થિત ને આધીન છે. ને
અંદરની શાતા રહે એ “પુરુષાર્થ’ છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
૧૫૯૨ આત્માના “ઉપયોગ’ સિવાય ‘સુખ’ તો ઉત્પન્ન થાય જ નહીં. ૧૫૯૩ તમારો બહુ ખરાબ દોષ હોય પણ તેનો તમે ખૂબ પસ્તાવો
કરો. ‘હાર્ટિલી' પસ્તાવો કરો, તો તે ગયે જ છૂટકો. પણ લોકો ‘હાર્ટિલી' નથી કરતાંને? ઉપલક જ બોલે છે કે મારો દોષ
૧૫૯૪ મનનો સ્વભાવ સારી છે. કોઈ મોડો આવે તો મન બોલે
કે આ કટાઈમે તું ક્યાં આવ્યો? તે લોખંડની બેડી પડી ! ૧૫૯૫ અજ્ઞાન દશામાં બહુ લોખંડની બેડી પડે છે ! મન શું કહે છે
કે મને સમાધાન કરાવો. તે ‘વ્યવસ્થિત' છે, કહીએ એટલે મનને સમાધાન થાય. અને સામા માટે ખરાબ વિચાર આવ્યો
માટે મનને શુદ્ધ કરો, સામાની ક્ષમા માગી લો. ૧૫૯૬ ‘જ્ઞાની'ની આજ્ઞા મનનું શુદ્ધિકરણ કરે છે. “સ્વરૂપનું જ્ઞાન
મનને ગમે તે સંજોગોમાં સમાધાન આપશે. ૧૫૯૭ જેટલું મનમાં ચીતરે તેટલું મોઢે બોલે તો મોક્ષ વહેલો થાય !
મન એટલું ચંચળ છે કે જોઈએ તેટલાં ઘાટ ઘડે અને અનંત
અવતાર બગાડે છે ! ૧પ૯૮ આ કાળના સંજોગોને લીધે વિચારો બહુ વધી ગયા છે. ગમતા
વિચારોમાં તન્મયાકાર રહે, તેનાથી “એલિવેશન’ આવે. જે અત્યંત નુકસાનકર્તા છે. ના ગમતા વિચારોમાં “ડીપ્રેશન'
આવે. ૧૫૯૯ ગમે પણ રાગ ના થવો જોઈએ. ના ગમે છતાં દ્વેષ ના થવો
જોઈએ. ગમો ને અણગમો એ મનનો ધર્મ છે, “આપણો ધર્મ
નથી એ ! ૧૬૦૦ આ જગતમાં એવી કોઈ વસ્તુ ના હોય કે જે “અમને” ગમતી
હોય ને એવી કોઈ વસ્તુ ય ના હોય કે જે અમને ના ગમતી
હોય ? ૧૬૦૧ ના ગમતાને ગમતું કરે તો રસ્તો આવશે ! ૧૬૦૨ ગમતું ના ગમતું, સારું-ખોટું, નફો-તોટો, આ બધાં ઠંદ્ર કોણે
ઊભાં કર્યા? સમાજે ! ભગવાનને ઘેર તંદુ નથી. આ બાજુ અનાજ હોય ને આ બાજુ સંડાસ હોય તો ભગવાનની દ્રષ્ટિમાં બને “મટિરિયલ' છે. આને ભગવાન શું કહે ? “ઓલ આર
મટિરિયલ્સ'. (આ બધું પુદ્ગલ જ છે.) ૧૬૦૩ આ સારું-ખોટું દેખાય છે, તે પુદ્ગલની વિભાવિક અવસ્થા
છે. એને જુદા પાડશો નહીં કે આ સારું કે આ ખોટું. કંકવાળાઓએ જુદું પાડ્યું બધું. એ વિકલ્પો છે. નિર્વિકલ્પીને
સારું-ખોટું, બન્ને વિભાવિક અવસ્થા દેખાય. ૧૬૦૪ “રીલેટિવ’ એ તંદ્ર છે ! ૧૬૦૫ જે કંઢો જીત્યો એ અદ્વૈત. પારદર્શક દ્રષ્ટિથી ઢંક્રાતીત થવાય. ૧૬૦૬ જો મોક્ષે જવું હોય તો ખરા-ખોટાનો બંદ્ધ કાઢી નાખવો પડશે.
જો શુભમાં આવવું હોય તો ખોટી વસ્તુનો તિરસ્કાર કરો અને સારી વસ્તુ પર રાગ કરો. શુદ્ધમાં સારી કે ખોટી વસ્તુ પર
રાગ કે દ્વેષ નથી. ૧૬૦૭ જગતમાં સારું-ખોટું છે જ નહીં. આ તો દ્રષ્ટિની મલિનતા છે.
એ જ મિથ્યાત્વ, એ જ દ્રષ્ટિવિષ. ૧૬૦૮ ઢંઢો છે? સંસાર જ ઊભો કરી આપે. અને જો મોક્ષ મળે
તો લંકાતીત થઈ ગયા ! ૧૬૦૯ મોક્ષે જવાની ભાષા વંદાતીત છે. સંસારની ભાષા ઇંદ્રવાળી છે. ૧૬૧૦ જ્યારે આ જગતમાં કંઈ પણ તંદુ અસર ના કરે, કોઈ પણ
વસ્તુ અસર ના કરે ને હું પરમાત્મા છું' એવું ભાન થઈ જાય
Page #85
--------------------------------------------------------------------------
________________
કે થઈ ગયું કલ્યાણ !!! ૧૬૧૧ મન-વચન-કાયા એ “ઈફેક્ટિવ’ છે. એની ‘ઈફેક્ટ’ ‘પોતાને’
ક્યારે ના થાય ? જ્યારે પોતાને’ ‘પોતાનું ભાન થાય ત્યારે,
‘હું પરમાત્મા જ છુંએવું ભાન થાય ત્યારે. ૧૬૧૨ માતાના પેટમાંથી બચ્ચું બહાર આવે છે તે ઊંધું, માથેથી આવે
છે. તે કોણે કર્યું ? બચ્ચાથી ફરાય ? ‘ડૉકટર’ ખેંચે છે ? મા ધકેલે છે ? કોણ કરે છે ? આ “ઈફેક્ટ' છે ! ‘પરિણામ' છે !
કોઝિઝ' જે હતાં, તેનાં ‘પરિણામ' સ્વાભાવિક રીતે થાય ! ૧૬૧૭ “ઈફેક્ટના આધારે આ બધું જગત ચાલી રહ્યું છે. ભગવાને
આમાં હાથ ઘાલ્યો નથી. આ સમજ ના પડી તેથી લોકોએ,
ભગવાનના માથે ઘાલ્યું ! ૧૬ ૧૪ મન-વચન-કાયાના પરમાણુઓ એ “ઈફેક્ટિવ' છે. “સાયન્સ'
શું કહે છે ? ‘ઈફેક્ટ' કેમ અનુભવો છો ? ‘ઈફેક્ટ'ને તો માત્ર
જાણવાની જ છે. ૧૬૧૫ “ઈફેક્ટસને અનુભવે તો બંધ પડે. “ઈફેક્ટસ'ને પોતે એકલો
અનુભવે તો ચીકણા બંધ ના પડે. સામાને સાથે લે તો ચીકણા
બંધ પડે. ૧૬૧૬ મન-વચન-કાયા ‘ઈફેક્ટિવ', બહારનું વાતાવરણ ‘ઈફેક્ટિવ'
ને આત્મા “અનઈફેક્ટિવ’ રહે તે છેલ્લી દશા ! ૧૬૧૭ ક્રિયાથી મોક્ષ નહીં થાય, સમજણથી મોક્ષ છે. ક્રિયાનું ફળ
સંસાર છે. ૧૬૧૮ સંસારમાં બધી જ ચીજ છે. પણ તમારા ભાગે કઈ આવી તે
જોઈ લો.... તમે સાચા છો તો તમને બધું જ મળશે. લોક કહે છે કે સાચાને ઈશ્વર મદદ કરે છે. ના, તેમ નથી. સાચાને ઐશ્વર્ય મળે છે. તમારી પાસે સાચી દાનત, સત્ય અને સાચી
નિષ્ઠા જોઈએ. ૧૬૧૯ સંસાર એટલે સંસરણ. નિરંતર પરિવર્તન થયા જ કરે તે
સંસાર. ૧૬૨૦ પરિસ્થિતિ બદલાશે, પણ જ્ઞાન નહીં બદલાય. ૧૬૨૧ કરણના સ્વામી, એનું નામ સંસારી. ૧૬૨૨ જે વ્યવહારમાં છે, ને જેની વ્યવહારમાં જ વર્તના છે તે બધા
સંસારી. અને “સિદ્ધ’ને તો વ્યવહારની વર્તના જ ના હોય. એટલે એ અસંસારી ! અને બીજા એક એવા પ્રકારના હોય છે કે જે સંસારમાં છે છતાં જેને વ્યવહારની વર્તના નથી,
એવાં ‘જ્ઞાની પુરુષ' અસંસારી કહેવાય ! ૧૬૨૩ આ જગતમાં જે બહાર છે તે જ મહીં છે ! બહાર જે દોષ
દેખાય છે તે જ મહીં છે ! બ્રહ્માંડ બહાર છે તે જ મહીં છે !!! બહાર બધા જોડે રાગે પડી ગયું, તો મહીં બધું રાગે
પડી જશે, પછી મહીંવાળા બૂમ નહીં પાડે ! ૧૬૨૪ પોતાના હક્કનું ખાય તે મનુષ્ય થાય. અણહક્કનું ખાય તે
જાનવર થાય. હક્કનું બીજાને આપી દેશો તો દેવગતિ થાય
અને અણહક્કનું મારીને લેશો તો નર્કગતિમાં જાય. ૧૬૨૫ સંસાર એટલે ઉપાધિ. આપણું કશુંય નહીં. ઉપાધિનાં બીજ
રોપાય ને ફરી ઉપાધિ ઊગે. ૧૬૨૬ આ ‘અમારું” જ્ઞાન છે, તે આ સંસારનું તારણ છે કે શું
કરવાથી સુખી ને શું કરવાથી દુ:ખી ?! ૧૬૨૭ વ્યવહાર આદર્શ હોવો જોઈએ. વ્યવહારમાં ચીકણા થયા તો
કષાયી થઈ જવાય. આ સંસાર તો મછવો છે. તે મછવામાં ચા-નાસ્તો બધું કરવાનું. પણ જાણવાનું કે આનાથી કિનારે
Page #86
--------------------------------------------------------------------------
________________
જવાનું છે. ૧૬૨૮ કષાય છે ત્યાં અગ્નિ છે ને અગ્નિ છે ત્યાં શક્કરિયાંની
ભરહાડ છે !
૧૬૨૯ સામાને “અણસમજણવાળો' કહેવો, એ ખુલ્લો કષાય છે. ૧૬૩૦ આખા જગતને કષાય નથી ગમતા, છતાં આખા જગતના
કષાયો ઈચ્છાપૂર્વકના છે. ક્રોધ કરવાનું ગમે નહીં છતાં કહેશે
કે ક્રોધ વગર તો ચાલે નહીં ને ! ૧૬૩૧ જ્યાં કષાય છે ત્યાં સંસાર છે. ક્રોધ-માન-માયા-લોભ છે ત્યાં
સંસારી જ જીવ છે. એ પછી ત્યાગી હો કે ગૃહસ્થી હો. અને ક્રોધ-માન-માયા-લોભ નથી ત્યાં ગૃહસ્થી હો કે ત્યાગી હો, એ
અસંસારી કહેવાય. ૧૬૩૨ જ્યાં ક્રોધ-માન-માયા-લોભ ના હોય ત્યાં વ્યવહાર ચોખ્ખો
હોય. અગર તો જ્યાં તેના પર ઉપયોગ રહેતો હોય, ત્યાં સુધી
ચલાવી લેવાય. ૧૬૩૩ ક્રોધ-માન-માયા-લોભનો સંયમ હોય, એનું નામ સંયમ.
બાકી, આ ત્યાગ કરે એને સંયમી ના કહેવાય, ત્યાગી
કહેવાય. ૧૬૩૪ કષાયોના સંયમને સંયમ કહેવાય છે. ૧૬૩૫ હિંસકભાવ ના રહે તે સંયમી કહેવાય. ક્રોધ-માન-માયા
લોભમાં પણ હિંસક ભાવ ના રહે, એનું નામ સંયમ. સંયમી
મોક્ષે જાય. ૧૬૩૬ સંસાર બે પ્રકારનો છે : ત્યાગી એ ય સંસાર છે, ગૃહસ્થી
એ ય સંસાર છે. ત્યાગીને ‘ત્યાગ કરું છું, ત્યાગ કરું છું” એમ જ્ઞાન વર્ત. ગૃહસ્થીને ‘ગ્રહણ કરું, લઉં, દઉં” એમ જ્ઞાન વર્ત.
પણ જો આત્મા જાણ્યો તો મોક્ષ થઈ જશે. આત્મા જાણવાનો
ક્યાં હોય ? “જ્ઞાની પુરુષ' પાસે. ૧૬૩૭ જગતના “ઓલ ન્યૂ પોઈન્ટસને જે જોઈ શકે છે, તે
તરણતારણહાર હોય ! ૧૬૩૮ અહંકાર સો ટકા શુદ્ધ થાય છે ત્યારે વ્યવહાર શુદ્ધ થાય છે. ૧૬૩૯ સગાઈઓ એ બધી “પરદેશ'ની કમાણી છે, એક ફક્ત
સ્વદેશ'ની કમાણી સાથે આવે. ૧૬૪૦ આ દુનિયામાં કોઈ ‘તમારું' ખરેખરું સગું છે નહીં. આ
સગાવહાલાં તે ‘રિલેશન' સ્વરૂપે છે. ‘રિલેટિવ યૂ પોઈન્ટથી
છે. આ તો વગર કામનાં રડાવે છે બધાં ! ૧૬૪૧ “જ્ઞાની’ બધાં દુઃખોથી મુક્તિ અપાવે. બહાર તો દુષમકાળ છે,
કળિયુગ છે. ઊલટું તમારું જે સુખ હશે તે ય લઈ લેશે ! ૧૬૪૨ આત્મધર્મ કરતાં જે “બાય પ્રોડક્ટ’ ઉત્પન્ન થાય છે, એ
સંસાર છે. એ ‘ફ્રી ઓફ કોસ્ટ’ (મફત) મળે છે. ૧૬૪૩ સંસારમાં “બાય પ્રોડકટ’માં જે અહંકાર છે, તેનાથી સહેજે
સંસાર ચાલે છે. ત્યાં આગળ અહંકાર વિસ્તારીને પાર
વગરની ચિંતા થઈ ! ૧૬૪૪ “જે” “અહંકાર' ના કરે, તેનો સંસાર થઈ ગયો બંધ ! ૧૬૪૫ અહંકાર ગયો એટલે આખા જગતની પૌગલિક બધી જ
મેટર'નો ત્યાગ થઈ ગયો ! અહંકાર હોય ત્યાં મમતા હોય, ને મમતા હોય ત્યાં છૂપો છૂપો ય અહંકાર હોય. “સ્વરૂપ જ્ઞાન' થાય એટલે અહંકાર ને મમતા બેઉ જાય. માત્ર
‘ડ્રામેટિક' અહંકાર ને મમતા રહે ! ૧૬૪૬ દરેક જાનવરમાં અહંકાર બીજરૂપે હોય છે. તે વૃક્ષરૂપે અહીં
Page #87
--------------------------------------------------------------------------
________________
મનુષ્યમાં પરિણમે છે ! જો ઈગોઈઝમ' નષ્ટ થઈ જાય તો,
‘પોતે' “પરમાત્મા’ થઈ જાય ! ૧૬૪૭ અહંકારનો સ્વભાવ શો ? સત્તામાં હોય તેટલું બધું વાપરી
નાખે !
૧૬૪૮ જ્યાં સુધી આપણી દ્રષ્ટિ મળવાની છે, ત્યાં સુધી અહંકાર
દેખાય છે. માટે મળ કાઢવાનો છે. ૧૬૪૯ જેવી દ્રષ્ટિ ઊભી થાય તેવી સૃષ્ટિ ઊભી કરે ! “આ મારું'
એવી દ્રષ્ટિ ઊભી થાય તે પછી, બીજું પરાયું તેવી સૃષ્ટિ
દેખાય. ૧૬૫૦ આપણો દ્રષ્ટિદોષ ઓછો કરે, એનું નામ ધર્મ. દ્રષ્ટિદોષ વધારે
તે અધર્મ. સંસાર એ દ્રષ્ટિદોષનું જ પરિણામ છે. ૧૬૫૧ આ દ્રષ્ટિદોષનું જ પરિણામ છે. આ દ્રષ્ટિદોષ જાય ત્યારે
જગત “જેમ છે તેમ' દેખાય. જેનો દ્રષ્ટિદોષ ગયો હોય એવાં અનુભવી પુરુષ' જોડે બેસવાથી આપણો દ્રષ્ટિદોષ જાય.
બીજા કશાથી નહીં. ૧૬૫૨ લોકદ્રષ્ટિ છે ત્યાં પરમાત્મા નથી. પરમાત્મા છે ત્યાં લોકદ્રષ્ટિ
૧૬૫૪ વસ્તુ એક જ છે, પણ ભ્રાંતિથી રુચિ-અરુચિ થયા કરે. કારણ
કે દરેકની દ્રષ્ટિ જુદી જુદી છે. ૧૬૫૫ આ જગતમાં અપાર સુખ છે. પણ જો કદી એનું ‘સાયન્સ'
જાણે તો ! “સાયન્સ’થી સુખ થાય એવું છે. આ તો ભ્રમિત થયા છો, ‘રોંગ બિલિફ’ ભરાઈ છે. તેથી દુઃખી થયા છો. ‘રોંગ બિલિફ’ નીકળી જાય ને “રાઈટ બિલિફ’ બેસી ગઈ
એટલે નર્યું સુખ જ છે. ૧૬૫૬ જ્યાં સુધી “રોંગ બિલિફ’ જાય નહીં, ત્યાં સુધી લૂંટાયા જ
કરવાનાં ! ૧૬૫૭ જ્યાં સુધી ભ્રાંતિનું ચલણ છે ત્યાં સુધી ભ્રાંતિની વિચારશ્રેણી
છે ને ત્યાં સુધી એ દુઃખ જ છે. “જ્ઞાની'ઓની ભાષામાં કશું
દુઃખ-સુખ નથી. ૧૬૫૮ પરભાવને પોતાનો ભાવ માને છે એ જ ભ્રાંતિ. કરે છે
કો’ક ને “કરું છું’ એમ માને છે એ જ ભ્રાંતિ. ૧૬૫૯ જ્યાં હું નથી ત્યાં હું માનવું, તે તિરોભાવ. જ્યાં ‘હું
ત્યાં હુંપણું માનવું, તે આવિર્ભાવ. ૧૬૬૦ સંપૂર્ણ અસ્થિર વાતાવરણમાં સ્થિર રહેવાનો ભાવ કરો ત્યારે
સ્થિર રહેવાશે. કારણ કે તમારો સ્વસ્વભાવ સ્થિર જ છે.
પછી અસ્થિર જોડે શી લેવા-દેવા ? ૧૬૬૧ અશુભ ભાવથી પાપ બંધાય, શુભ ભાવથી પુણ્ય બંધાય ને
શુદ્ધ ભાવથી મોક્ષ ! ૧૬૬૨ ઇન્દ્રિય જ્ઞાન ભાવો બધા ઊભા કરે. અતીન્દ્રિય જ્ઞાન ભાવો
જ ના થવા દે ! ૧૬૬૩ વસ્તુની મૂછની ચોંટ જો એક જ કલાક ચોંટે તો સો સો વરસ
નથી.
૧૬૫૩ આ તો બધાં ભૂતો છે. તમે ડરો તો ભૂત વળગી જશે. મહીં
બૂમ પડે કે ફાંસીએ ચઢાવશે તો ? ત્યારે કહીએ કે “હા, કરેક્ટ' છે.' આત્માને ફાંસી નથી. આત્માને કશું નથી. બધી પુગલની કરામત છે. ફાંસી એ પુદ્ગલ છે ને ફાંસીએ ચઢાવનાર હઉ પુદ્ગલ છે. આત્મા કોઈ દહાડો ફાંસીએ ચઢયો નથી. આ તો દ્રષ્ટિમાં બેસતું નથી એટલે ગભરામણ થાય છે. પણ ‘જ્ઞાની'ની દ્રષ્ટિએ એની દ્રષ્ટિ મળી ગઈ કે થઈ રહ્યું ! એના માટે “જ્ઞાની' પાસે પરિચયમાં રહેવું પડે !
Page #88
--------------------------------------------------------------------------
________________
એ ચાલે ! ઉલ્લાસમય પરિણામ અને તન્મયાકાર ભાવ એને લીધે વસ્તુની કુટેવ બ્રહ્માના દિવસ જેટલી ચાલે ! માટે
ઉપયોગ ક્યાંય દેવા જેવું નથી. ૧૬૬૪ ઉદાસીનને કશું અડે નહીં. ‘સ્વરૂપ જ્ઞાન’ પછી પુરુષાર્થ માંડે
તો ઉદાસીન રહી શકે છે ! ૧૬૬૫ તમે જે વસ્તુની લાયકાત ધરાવતા હશો, તે વસ્તુ તમને ઘેર
બેઠાં મળશે. તમારી શુદ્ધતા જોઈશે. તમારી શુદ્ધતામાં શું જોઈએ? આ જગતના કોઈ જીવને મારાથી દુઃખ ના હો.
કોઈ દુઃખ મને આપી જાય છે તે કાયદેસર છે. ૧૬૬૬ વીતરાગો કહે છે : ‘તમને જે અનુકૂળ આવે તેવાં ભાવ કરો.
તમને મારા પર વિષયના ભાવ આવે તો વિષયના કરો, નિર્વિષયીના આવે તો નિર્વિષયીના કરો, ધર્મના આવે તો ધર્મના કરો, પૂજ્યપદના આવે તો પૂજ્યપદના કરો, ને ગાળો દેવી હોય તો ગાળો દો. મારે કોઈનો પડકાર નથી. જેને પડકાર નથી, તે મોક્ષે જાય છે અને પડકારવાળાનો અહીં
મુકામ રહે છે ! ૧૬૬૭ જગત આખું જેને “મારું' ગણાવે છે, “તે' “મારું' નથી, એ
જ્ઞાન એ જ આત્મા છે ! ૧૬૬૮ જ્ઞાન બે પ્રકારનાં : એક સંસારમાં શું ખરું ને શું ખોટું, શું
હિતકારી ને શું અહિતકારી. બીજું મોક્ષ માર્ગનું. મોક્ષનું જ્ઞાન મળે તો સાંસારિક હિતાહિતનું જ્ઞાન એને મળી જ જાય. નહીં
તો સાંસારિક હિતાહિત જાણનારા સંતો હોવાં જોઈએ. ૧૬૬૯ દેખવામાં આવ્યું એટલે સમજમાં આવ્યું તે જાણવામાં આવ્યું
એટલે જ્ઞાનમાં આવ્યું. દેખવામાં ને જાણવામાં બહુ ફેર. ૧૬૭૦ ત્રણ જાતની વાતો ઃ ૧. જ્ઞાનપૂર્વકની વાતો ૨. બુદ્ધિપૂર્વકની
વાતો. ૩. અબુદ્ધિપૂર્વકની વાતો. ત્રણ પ્રકારની વાતોથી જગત ચાલી રહ્યું છે. અબુદ્ધિપૂર્વકનાની વાતો બુદ્ધિપૂર્વકનાને ખોટી લાગે. બુદ્ધિપૂર્વકનાની વાતો અબુદ્ધિપૂર્વકનાને ખોટી લાગે ને
જ્યાં જ્ઞાનપૂર્વકની વાત છે ત્યાં કશું જ ખરું-ખોટું નથી. ૧૬૭૧ ઘણાં બોલે છે કે “અમે જ્ઞાતા-દ્રષ્ટા છીએ', અલ્યા, શાનો
જ્ઞાતા-દ્રષ્ટા? “તું” તો હજી “ચંદુભાઈ છે ને ! “આત્મા’ થયા
પછી, આત્માનું લક્ષ બેઠાં પછી જ્ઞાતા-દ્રષ્ટા પદ શરૂ થાય. ૧૬૭૨ “જ્ઞાન' કોનું નામ કહેવાય ? જરૂર વખતે અવશ્ય હાજર થવું
જોઈએ. એ “જ્ઞાન” આપનાર કોણ હોવો જોઈએ? ગમે તે માણસ આપે, તે ચાલે નહીં. વચનબળવાળો હોવો જોઈએ. એટલે જરૂર વખતે એ હાજર થાય. જ્ઞાન હાજર થાય નહીં
તો કામ ન થાય. ૧૬૭૩ ‘રિલેટિવ' વસ્તુઓને ઇન્વાઈટ' કરવા (આમંત્રવા) જેવું કશું
જ નથી. તો ઈન્વાઈટ કરવા જેવું શું છે ? આપણે “જે ગામ'
જવાનું છે, તેનું “જ્ઞાન” જાણી લેવાનું છે. ૧૬૭૪ જ્યાં સુધી ક્રિયાનો કર્તા પોતે છે, ત્યાં સુધી અજ્ઞાનતા છે.
અજ્ઞાનતા સંસારનું કારણ છે. ૧૬૭૫ સાક્ષીભાવ અને જ્ઞાતા-દ્રષ્ટા (ભાવ)માં બહુ ફેર છે.
સાક્ષીભાવ કોઈ સંતપુરુષને હોય, તે પછી તેમણે આગળ વધવા પ્રયત્ન કરવો પડે. સાક્ષીભાવ હોવા છતાં ભ્રાંતિ ગયેલી
ના હોય. અને છેલ્લું પદ તો જ્ઞાતા-દ્રષ્ટા ભાવમાં છે. ૧૬૭૬ ભગવાનને સાક્ષી થવાની જરૂર નથી. એમને કંઈ “કોર્ટમાં
ઓછું જવાનું છે ? આ તો ‘તમારે’ સાક્ષી થવાનું છે, જેથી કર્મ
ના બંધાય. અને “ભગવાન” તો ખાલી ‘જોયા' જ કરે છે ! ૧૬૭૭ સાક્ષીરૂપે ભગવાન રહે છે પણ એ લૌકિક ભગવાન છે.
લૌકિક ભગવાન એટલે “ઇગોઇઝમ' સાક્ષીરૂપે છે. સાક્ષીરૂપે
Page #89
--------------------------------------------------------------------------
________________
કાયમ માટે રહે તો એને કર્મ ના બંધાય. ૧૬૭૮ આટલું જ જાણવાનું છે : “આઈ” અને “માય'નું “સેપરેશન’
કરને, તો આખું શાસ્ત્ર સમજી ગયો ! આખું બ્રહ્માંડ સમજી
ગયો !!! ૧૬૭૯ “આઈ એ વસ્તુ સ્વરૂપ છે ને ‘માય' એ સંયોગ સ્વરૂપ છે.
સંયોગ સ્વરૂપ ને “વસ્તુ’ સ્વરૂપ એ બે જુદાં હોય. ૧૬૮૦ સ્થૂળ “માય’ને બાદ કરતાં આવડે, પછી સૂમ બાદ કરવાનું.
પછી સૂક્ષ્મતર ને સૂકમતમ બાદ કરવાનું. આ બધું બાદ કરતાં
કરતાં “આઈ જુદું પડી જાય ! ૧૬૮૧ “આઈ એબ્સોલ્યુટ' છે. એને “માયનાં ભૂત વળગ્યાં છે ! ૧૬૮૨ “આઈ” એ જ તમે પોતે છો એટલું જ ‘રીયલાઈઝ' કરવાનું
૧૬૮૭ સંસારમાં સુખી થવાનો એક જ રસ્તો છે. “માય' છોડીને
લોકોની પાછળ પડો ! ૧૬૮૮ “માય જેટલું કહેવામાં આવે છે તે બધું જ પરભાયું. ‘આઈ'
એ “પોતે' છે ને “મા” બધું પરભાયું છે, પુદ્ગલ છે. વ્યવહારમાં “આ મારું છે' એમ બોલવામાં વાંધો નહીં. પણ
અંદરખાને “આઈ’ ‘હું કોણ છું' એ નક્કી કરી લેવું જોઈએ. ૧૬૮૯ આત્મા સિવાય બીજું બધું શું છે? વ્યવહાર છે. અને વ્યવહાર
પરાશ્રિત છે ! પરાશ્રિતને સ્વાશ્રિત લોકોએ માન્યું એટલે તમે ય માન્યું, એક ફેરો રોગ પેસે પછી નીકળે શી રીતે ? આ સંસાર રોગ વધતો વધતો ‘ક્રોનિક’ થઈ ગયો ! તે શી રીતે
છૂટાય ? “વિજ્ઞાન’ મળે તો છૂટે! ૧૬૯૦ મન-વચન-કાયાનાં પરમાણું “ઈફેક્ટિવ' છે. તેથી ‘વસ્તુ'
સારી-ખોટી દેખાય છે. સારાને ખોટું ને ખોટાને સારું દેખાડે છે. અને તેનાથી અભિપ્રાય બંધાય છે. મન-વચન-કાયાનાં
પરમાણુ જ અભિપ્રાય બતાવે છે. ૧૬૯૧ જો વાઘ જોડે પ્રતિક્રમણ' કરીએ તો વાઘે ય આપણા કહ્યા
પ્રમાણે કામ કરે. “વાઘ'માં ને “મનુષ્ય'માં ફેર કશો નથી. ફેર
તમારાં સ્પંદનોનો છે ! તેથી તેને અસર થાય છે. ૧૬૯૨ ‘વાઘ હિંસક છે' એવું તમારા મનમાં ધ્યાન હોય ત્યાં સુધી
એ પોતે હિંસક જ રહે અને ‘વાઘ શુદ્ધાત્મા છે' એવું ધ્યાન
રહે તો એ હિંસક ના રહે. બધું થઈ શકે તેમ છે ! ૧૬૯૩ કોઈને માટે એક જ ફેર મહીં પરિણામ બગડે કે આને ઠેકાણે
પાડી દઉં, એટલે એ તો ભગવાનની સાક્ષીએ નીકળેલી વાત, એ કઈ રીતે નકામી જાય ? પરિણામ ના બગડે તો કશું ય નથી. બધું શાંત થઈ જાય. બંધ થઈ જાય !
૧૬૮૩ સ્થળ “માય’ને બાદ કરતાં તો બધાને આવડે. પણ સૂમ,
સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ ‘મા’ને બાદ કરવાનું શી રીતે આવડે ?
એ તો “જ્ઞાની પુરુષ'નું કામ. ૧૬૮૪ “આઈ વીથ “માય', એનું નામ જીવાત્મા. ‘હું ” અને “આ
બધું મારું છે' એ જીવાત્મદશા. અને “હું જ છું અને મારું
ન હોય' એ પરમાત્મદશા !!! ૧૬૮૫ “આઈ’ એટલે હું, ને “માય’ એટલે મારું. “મા” બધો
પરિગ્રહ છે. પરિગ્રહ જેટલો ઉંચકાય એટલો રાખવો. ૧૬૮૬ “આઈ’ અને ‘માય” એ બે જુદા જ ફાંટા છે. એ ક્યારેય ભેગા
ના થાય. આમ કહેશે કે, “માય વાઈફ (મારી બૈરી), અમે બે એક જ છીએ. એક તો ના જ કહેવાય ને ? બે “આઈ” જુદા જ હોય ને ?
Page #90
--------------------------------------------------------------------------
________________
૧૬૯૪ જે પરિણામ પામી ગયું ત્યાં ચિંતા કરવા જેવું નથી. શેના
આધારે પરિણામ પામે છે ત્યાં ધ્યાન રાખવા જેવું છે. ૧૬૯૫ અક્કલ તો કોનું નામ કહેવાય કે જેણે કોઈ દહાડો કોઈનીય
નકલ ના કરી હોય તે. ૧૬૯૬ “મારે લીધે કોઈને અડચણ ના આવે' એવું રહ્યું એટલે તો કામ
જ થઈ ગયું ને ! ૧૬૯૭ ‘અમે' તો ઓળખી ગયેલા કે કોણ ગોદા મારે છે ? બધું
તમારું ને તમારું જ છે ! Nobody is responsible for "you". "you" are whole and sole responsible for
yourself. ૧૬૯૮ આ જગત અનાદિકાળથી પરિવર્તનશીલ જ છે. પણ “રાઉન્ડ'
હોવાથી “એન્ડ' જ જડતો નથી. ૧૬૯૯ કુદરતનો નિયમ એવો છે કે દરેકને એની જરૂરિયાત પ્રમાણે
સુખ મળી જ આવે છે. દરેકનું ટેન્ડર' ભરેલું પૂરું થાય જ. ૧૭00 દ્રષ્ટિ બદલાઈ જાય કે મારે ત્યાં સોફો નથી, તે પાછો ઉધાર
સોફો લઈ આવે ને દોઢ ટકો વ્યાજનો આપે ! “નેસેસિટી'
કેટલી છે તેની પહેલામાં પહેલી નોંધ હોવી જોઈએ. ૧૭૦૧ “ઠીક છે' એવું ના બોલીએ. “સારું છે' એમ બોલીએ એટલે
સારું જ થાય. ૧૭૦૨ બધા મંત્રો ભેગા બોલીએ. મંત્રો એ તો દેવોને ખુશ કરવાનું
સાધન છે. ૧૭૦૩ સંતો ધર્મ ઉપર ચઢાવે ને “જ્ઞાની પુરુષ' મુક્તિ આપે.
૧૭૦૪ આપણે બધાંને રાજી રાખીએ એ મોટામાં મોટો ધર્મ છે ! ૧૭૦૫ વ્યવહાર ચારિત્ર એટલે કોઈ સ્ત્રીને દુઃખ ના થાય તેમ વર્તે,
કોઈ સ્ત્રી તરફ દ્રષ્ટિ ના બગડે. ૧૭૦૬ વ્યસનો તો ક્યાં છે? જે ગુપ્ત રાખ્યાં છે તે જ વ્યસનો છે.
જે ખુલ્લાં દેખાય, તે વ્યસનો ના કહેવાય. ૧૭૦૭ અનાયાસ તો દુનિયામાં કશું હોતું જ નથી. અંદર “કવર્ડ
કોઝીઝ' (ગુપ્ત કારણો) હોય છે. અનાયાસ એ પણ
આયાસનું ફળ છે. ૧૭૦૮ ગઈ તિથિ તો બ્રાહ્મણે ય ના જુએ, ને અક્કલવાળા યાદ રાખે કે
આણે મને દગો દીધો હતો, આણે મને અક્કલ વગરનો કહ્યો હતો!આ વાણીનો પ્રવાહ તો પાણીના પ્રવાહની જેમ છે!તેની
શી રીતે પુછાય કે તમે કઈ રીતે અથડાતા આવ્યા ?! ૧૭૦૯ વ્યક્તિ કોને કહેવાય ? દેહધારીમાં થોડો વ્યક્ત થયો હોય,
તેને વ્યક્તિ કહેવાય. સંપૂર્ણ વ્યક્ત થયો હોય તો તે વિશેષ
વ્યક્તિ કહેવાય. ૧૭૧૦ “પોઈઝન' હોય તે સંત પુરુષે પીવાનું અને અમૃત જગતે
પીવાનું. કારણ જગતના લોકો નિર્બળ છે. ૧૭૧૧ પવિત્ર ભૂમિમાં જો ત્યાંના આચાર-વિચાર ના પાળે તો
જબરજસ્ત બંધન કરે. નર્કગતિ બાંધે ! ૧૭૧૨ દરેક માણસે એટલું તૈયાર થવાનું છે કે કોઈ પણ જગ્યા
બોજારૂપ ના લાગે. જગ્યા એનાથી કંટાળે. પોતે કંટાળો ના પામે, એટલે સુધી તૈયાર થવાનું છે. નહીં તો આ તો બધી
અનંત જગ્યાઓ છે, ક્ષેત્રનો પાર નથી ! અનંત ક્ષેત્ર છે ! ૧૭૧૩ સામાનું ‘ધૂ પોઈન્ટ” શું છે તે જાણીને બોલો. પોતાની દ્રષ્ટિ
Page #91
--------------------------------------------------------------------------
________________
સાથે તોળીને કે જોડીને બોલવું એ ગુનો છે.
૧૭૧૪ તમારી આગળ આગળ બધું જ જે જરૂરિયાત છે તે તૈયાર હોય છે. કારણ મહીં પરમાત્મા બેઠેલા છે. મન-વચનકાયાની ડખોડખલ ના હોય તો !!!
૧૭૧૫ જે સાધન સાધ્ય ના બતાવે એ સાધન શા કામનું ?
૧૭૧૬ ધર્મ એટલે સારું કરવું તે અને દુઃખ આપવું તે અધર્મ. તે ધર્માધર્મ કહેવાય. જ્યારે ‘સાયન્સ' ધર્માધર્મથી પર છે !
૧૭૧૭ અશુભમાંથી શુભ થાય એ અહંકારે કરીને થઈ શકે છે. પણ શુભમાંથી શુદ્ધમાં આવવા માટે અહંકારનું કામ નથી. ત્યાંથી આગળ પગથિયાં ચઢવાની સીડી જ ક્યાં છે તે જ ખબર ના પડે ને ! તેથી જ તો બધું અટક્યું છે !
૧૭૧૮ શુભમાંથી શુદ્ધમાં કેવી રીતે જવાય ? એના શબ્દ ના હોય. એ તો ‘જ્ઞાની પુરુષ’ સ્વરૂપનું ભાન કરાવે, ભગવાનની કૃપા ઉતારે તો કામ થાય !
૧૭૧૯ ૧૯૫૮માં આ ‘જ્ઞાન’ પ્રગટ થયું ! તે દહાડે ‘જ્ઞાની’ થયા ! તેના આગલે દહાડે તો ‘અમે’ પણ અજ્ઞાની જ હતા ને ! ૧૭૨૦ આ ભવમાં તમારે કરવાનું એટલું જ કે સામાને નિમિત્ત જાણી
તમારે શાંત રહેવાનું. મન સહેજે ય બગાડવા નહીં દેવાનું. મન બગડે તો નિમિત્તની માફી માગવી કે ‘હે નિમિત્ત ! તું તો નિમિત્ત છે, મારું મન બગડ્યું માટે માફી માંગું છું.' આટલું જ કરવાનું છે ! એ પુરુષાર્થ છે !
૧૭૨૧ બધાં નિમિત્ત લઈને જ આવેલાં હોય છે. હું ય નિમિત્ત લઈને આવ્યો છું. આ દેહે આટલાં કાર્યો આમનાથી થશે એવું નિમિત્ત હોય !
૧૭૨૨ એક જણ કહે, ‘મારી દાઢ દુ:ખે છે.’ તારી દાઢ તને શું કામ દુઃખે ? આ તો વિરોધાભાસી વાક્ય બોલ્યો કહેવાય. જે તારું છે એ તને ક્યારેય દુઃખ ના આપે ને જે તારું નથી એ દુઃખ આપ્યા વગર રહેવાનું નથી. આનું તું વિવરણ કરી લાવ તો
ઉકેલ આવે ને !
૧૭૨૩ ધીરજ રાખવા જેવી વસ્તુ નથી, ધીરજ શીખવા જેવી વસ્તુ છે. ધીરજ કેવી રીતે શીખાય ? ધીરજવાળા પાસે બેસવાથી, ધીરજવાળાને જોવાથી શીખાય.
૧૭૨૪ બહાર બગડી ગયું હોય તો ભલે બગડી ગયું, પણ મહીં ના બગડવા દઈશ. દેવું આપવાની સગવડ ના હોય ત્યારે મહીં ચોખ્ખું રાખવું કે આપવું જ છે. તે મહીંનું બગડવા ના દીધું
એટલે દેવાં આપવાનો સમય આવશે.
૧૭૨૫ લોકો મિત્રચારી તોડે છે તે મહીંની ને બહારની બન્ને તોડી નાખે છે. સંજોગવશાત્ બહારનું બગડ્યું, પણ મહીંનું ના બગડવું જોઈએ.
૧૭૨૬ અંદરનું ના બગડ્યું એટલે ‘આપણું’ ના બગડ્યું. બહારનું બગડેલું લાકડામાં જશે. પછી બહારનું સુધરે કે ના ય સુધરે. ૧૭૨૭ જો અંદર કશું ના બગડતું હોય તો બહાર કશું જ બગડતું નથી. જગતનું આ ગુપ્ત રહસ્ય છે.
૧૭૨૮ લોકોને દેવાં બહુ થઈ જાય એટલે પહેલાં એમ થાય કે આપવું છે પછી એમ થાય કે શું આપવું છે ? તો એ બગડ્યું ! અંદરની સહી ના કરી આપવી.
૧૭૨૯ મહીંથી જે ખબર પડે છે, ‘ઈન્ફર્મેશન’ (સૂચના) મળે છે,
એ પુણ્ય-પાપ બતાવે છે. મહીં બધું જ જ્ઞાન-દર્શન છે. મહીંથી બધી જ ખબર મળે. પણ તે ક્યાં સુધી મળે કે જ્યાં સુધી તમે આંતરો નહીં. એનું ઉલ્લંઘન કરો તો ‘ઇન્ફર્મેશન’ આવતી બંધ
Page #92
--------------------------------------------------------------------------
________________
થઈ જશે. ૧૭૩૦ આત્મા પરમાત્મ-સ્વરૂપ છે. તે ખોટું ય સૂઝાડતો નથી ને
સાચું ય સૂઝાડતો નથી. એ તો પાપનો ઉદય આવે ત્યારે ખોટું સૂઝે ને પુણ્યનો ઉદય આવે ત્યારે સાચું દેખાડે. આમાં આત્મા કશું જ કરતો નથી, એ તો માત્ર સ્પંદનોને “જોયા જ કરે છે
ગુણવાન હો, પણ “ઈગોઈઝમ હોય તો “યુઝલેસ’ (નકામું).
ગુણવાન તો નમ્રતાવાળો હોય તો જ કામનો. ૧૭૩૯ અહંકાર કેવો હોવો જોઈએ ? લોકો ‘એક્સેપ્ટ કરે એવો. ૧૭૪૦ ઈગોઈઝમ' હોય તેનો વાંધો નથી. પણ એ “નોર્મલ' હોવો
જોઈએ. “નોર્મલ' ‘ઈગોઈઝમ' એટલે સામાને દુઃખ ના થાય. ૧૭૪૧ ભૂતકાળ શાથી વાગોળે છે? અહંકાર ઘવાયેલો છે તેની દવા
૧૭૩૧ આ સંસારમાં આ મન-વચન-કાયાનાં ત્રણ ભૂત વળગ્યાં છે. ૧૭૩૨ પૌદગલિક ક્રિયા માત્ર સંસાર ફળ આપનારી છે. નકામી નહીં
જાય. તમે શેરડી વાવશો તો મીઠું ખાશો ને કારેલી વાવશો તો કડવું ખાશો. જે રસ તમને ગમતો હોય તે વાવજો, ને મોક્ષ જવું હોય તો વાવવાનું બંધ કરી દો. બીજ જ નાખવાનાં બંધ
કરી દો. ૧૭૩૩ અજ્ઞાનભાવથી જે કરવામાં આવે છે તે બધું બંધન છે.
જ્ઞાનભાવે જે કરવામાં આવે છે તે બધું મુક્તિ આપનારું છે. ૧૭૩૪ કોઈનો ય અહંકાર ભગ્ન કરીને આપણે સુખી થઈએ જ નહીં,
અહંકાર તો એનું જીવન છે ! ૧૭૩૫ જે “ઈગોઈઝમ' બીજાને દુઃખ આપવા માટે વપરાય છે, તે
પોતાને જ દુઃખ આપે છે. જે ઈગોઈઝમ” બીજાને સુખ આપવા માટે વપરાય છે તે પોતાને જ સુખનું કારણ થઈ પડે
૧૭૪૨ અહંકારને ને લક્ષ્મીને બહુ વેર છે. જે કામ કરવાનું છે એટલાં
પૂરતો જ અહંકાર હોવો જોઈએ. એથી વધારાનો અહંકાર હોય, ફેલાયેલો અહંકાર હોય, તેને ને લક્ષ્મીને બહુ વેર.
લક્ષ્મી ત્યાંથી છેટી રહે. ૧૭૪૩ ખાલી અહંકાર કરીને ફરે છે ને છેવટે પેલાં લાકડાંમાં જાય
છે એવી દયાજનક સ્થિતિ છે ! અને બહુ સારો માણસ હોય, તેને ચંદનનાં લાકડાં મળે. પણ લાકડાં જ ને ?! જે મરે જ
નહીં એ ખરો શૂરવીર. ૧૭૪૪ એક “જ્ઞાન” એકલું જ મુક્તિ આપનારું છે. સર્વ સાધન
બંધનરૂપ છે ! ૧૭૪૫ જગતમાં કોઈ વસ્તુની “વેલ્યુ' નથી, તેમ કોઈ વસ્તુની
| ‘ડીવેલ્યુ' કરવાની જરૂર નથી. ૧૭૪૬ આ દુનિયામાં કિંમત કોની વધારે ? જેની અછત હોય તેની. ૧૭૪૭ કળાની કિંમત નથી, કળાધર ઓછાં છે કે વધારે એની પર
કિંમત છે. ૧૭૪૮ “મારી કિંમત ના કરી' એવું કેટલાંક કહે છે ને ? તારી કિંમત
હતી જ કંઈ ? તું આ દરિયાને પૂછી આવ કે તારી કિંમત કેટલી? એક મોજું આવશે ને તણાઈ જશે ! કેટલાંય
૧૭૩૬ અભિમાન નિવૃત્ત ના થાય ત્યાં સુધી નર્યું દુઃખ, દુઃખ ને દુઃખ
જ હોય !
૧૭૩૭ અહંકારનો અર્થ શો ? આંધળું થવું, પોતાની દ્રષ્ટિથી. ‘જ્ઞાની'
અહંકાર કાઢી આપે. ૧૭૩૮ મોટામાં મોટી નબળાઈ કઈ ? ઈગોઈઝમ'. ગમે તેટલાં
Page #93
--------------------------------------------------------------------------
________________
છે ! ૧૭૫૭ કોઈ વસ્તુ ખરી કરાવવા ફરીએ તો તે વધારે ખોટું થઈ જાય.
માટે ખરું ના નીકળે તો આપણે છોડી દેવું. ૧૭૫૮ અમારું ખરું કરાવવા અમે નવરા નથી. તારું ખરું કરાવવા
પણ અમે નવરા નથી. ૧૭૫૯ સામો ગમે તેટલું બોલે તો તેનું લઘુત્તમ કાઢી નાખવું, જગત
બધું વ્યવસ્થિત છે. એટલે કોઈને એમ ના કહેશો કે “તેં ખોટું
કર્યું. એવું કહેવાય તો નહીં ને વિચારાય પણ નહીં. ૧૭૬૦ “જ્ઞાની' તો તેનું નામ કે પોતે જેટલું બોલે તેટલું પુરવાર કરી
આપે. એવું ના બોલે કે “મારું આટલું બરોબર છે. તારે માનવું
પડશે.”
મોજાંવાળો માલિક, તારા જેવા કેટલાંય જણને એ તાણી
ગયો ! કિંમત તો જેને રાગ-દ્વેષ ના થાય એની કહેવાય ! ૧૭૪૯ રૂપિયો સસ્તો થયો એટલે માણસ મોંઘો થાય ને રૂપિયો મોંઘો
થયો એટલે માણસ સસ્તો થાય. અત્યારે માણસ સસ્તો છે,
પાછો એ મોંઘો થશે. ૧૭૫૦ આ બંગડીઓ કેવી રૂપાળી છે ! પણ કોઈ પુરુષને પહેરાવે
તો તેને ના ગમે. કારણ પોતાની જાતની કિંમત આંકી છે પોતે
! પોતે “થર્મોમિટર' ને પોતે તાવ બન્ને એક ના હોય ! ૧૭૫૧ ઘરમાં ચલણ ના રાખવું. જે ચલણ રાખે છે તેને ભટકવું પડે.
નાચલણીઆ નાણાંને લોકો પૂજામાં મૂકે ! ‘વાઈફ' જોડે ‘ફ્રેન્ડ'
તરીકે રાખવું. એ તમારા ફ્રેન્ડ ને તમે એમના ‘ફ્રેન્ડ'! ૧૭૫૨ ધંધામાં ચાલાકી કરશો તો ય એ નફો ને ચાલાકી નહીં કરો
તો ય એ નફો. ચાલાકી તમને આવતાં ભવની જવાબદારી ઊભી કરે છે. માટે ચાલાકી કરવાની ભગવાને ના પાડી છે.
કશો ફાયદો નહીં ને પાર વગરનું નુકસાન ! ૧૭૫૩ દ્રષ્ટિ છતી થાય ત્યારે પોતાના જ દોષ દેખાય, ને અવળી
દ્રષ્ટિ હોય ત્યારે સામાના દોષ દેખાય. ૧૭૫૪ જે ‘ડ્રોઈગ છે તે પ્રમાણે ચાલ્યા કરે છે, તેને “તમે' “જુઓ'.
ઇચ્છાઓ એ પણ ડ્રોઈગ છે. ૧૭૫૫ પોતાની દાનત ચોર છે. નહીં તો દુનિયામાં કોઈ ચોરી શકે
એમ છે જ નહીં, કોઈ લૂંટી શકે એમ છે જ નહીં. પોતાની દાનતો જ લૂંટે છે. લૂંટનારો તો નિમિત્ત છે. બાકી, તમારો
જ હિસાબ છે ! ૧૭પ૬ લોકો તો જે મળ્યા તેની જોડે વાતોએ વળગી પડે છે. કો'ક
મળવો જોઈએ. આવી વાતોથી તો અનંત શક્તિઓ વેડફાય
૧૭૬૧ સામાન્ય ભાવે જગત છે. કોઈની માલિકી નથી આવી. જેને
જે અનુકૂળ આવે તે કરે. તેની તમે નિંદા કરી શકો નહીં, “એ ખોટું છે એમ કહી શકો નહીં, ‘આ ખોટું છે' એમ વિચારાય
નહીં. આ બધું કુદરતી સંચાલન છે ! ૧૭૬૨ આ તો આવડી મોટી જંજાળ છે, પરમાણુ એ પરમાણુ જંજાળ
છે એમાંથી છૂટાય એવું છે જ નહીં. એટલે ભગવાને કહ્યું કે
જ્ઞાની પુરુષ' મળે તો તેમની પાસે પડ્યો રહેજે ! ૧૭૬૩ ગયા અવતારમાં જેની જોડે હિસાબ બંધાયેલા હોય તે જ જોડે
રહી શકે.
૧૭૬૪ લૌકિકમાં “અલૌકિકતા'નાં દર્શન થાય તો કામ કાઢી જાય. ૧૭૬૫ આ જગતમાં બધા ‘ડ્યૂટી' તો બજાવે જ છે. પણ ‘ડયૂટી’
બજાવે ને ઉપરથી ડફળાવે, તે જાનવરગતિમાં જાય. ફરજ સમજીને બજાવે તો ફરી મનુષ્યપણું આવે. અને નમ્રતાથી બજાવે તો દેવગતિમાં જાય.
Page #94
--------------------------------------------------------------------------
________________
૧૭૬૬ જ્યાં લેતી-દેતી છે ત્યાં આત્મા હોય નહીં. લેતી-દેતી છે ત્યાં શેરબજાર છે.
૧૭૬૭ ‘આખી દુનિયામાં નાલાયકમાં નાલાયક હું છું’ એ સમજણ પડી ત્યારથી જ લાયક થયા આપણે.
૧૭૬૮ ‘કોઈ જીવ, કોઈ જીવમાં કિંચિત્માત્ર ડખલ કરી ના શકે' આ સિદ્ધાંત જો કોઈ સમજી ગયો તો પોતે સ્વતંત્ર થઈ જાય ! ૧૭૬૯ જે ‘આપણો’ ધર્મ નથી તે ‘કરવા’ જઈએ તો ડખો થઈ જાય. ૧૭૭૦ આખી રાત તમે કોઈને હેરાન નથી કરતાં તો કોઈ તમને
હેરાન કરે છે ? રાતે કોઈ ખખડાવતું નથી ને ? દિવસે ડખલ કરો છો, તેથી હેરાન થાવ છો. એક પણ મુશ્કેલી અડે નહીં એવું કુદરતનું નિયંત્રણ છે, જો તું ડખો ના કરે તો. તને અડે છે એ તારો જ ડખો છે !
૧૭૭૧ આપણને હરકત કરનારો છે માટે બીજી બાજુ મદદ કરનારો
છે એ વાત ચોક્કસ છે. જેમ હરકત કરનારો દેખાતો નથી તેમ મદદ કરનારો પણ દેખાતો નથી. હરકત કરનારો બે-પાંચ વરસથી વધારે ના ટકતો હોય તો મદદ કરનારો પણ એથી વધારે ના ટકે.
૧૭૭૨ જે બીજાને ‘હેડેક' કરાવે છે તેથી તેનું માથું દુઃખે છે. ૧૭૭૩ તું સીધો રહીશ તો સામાને સીધા થઈને આવ્યે જ છૂટકો છે. કોઈ તમને ગાળ ભાંડે તે તમારી જોખમદારી પર ભાંડે છે ? તો શું ભગવાનની જોખમદારી પર ભાંડે છે ? ના, તે તો પોતાની જ જોખમદારી પર તમને ગાળ ભાંડી રહ્યો છે. જો તમે સામી ગાળ ભાંડશો તો એ તમારી જોખમદારી થઈ.
૧૭૭૪ જૂઠું બોલવાથી શું નુકસાન થતું હશે ? વિશ્વાસ ઊઠી જાય આપણા પરથી ! ને વિશ્વાસ ઊઠી ગયો એટલે માણસની કિંમત ખલાસ !!!
૧૭૭૫ આ જેલમાં કેદી હોય, તે એની જેલની ઓરડીને ચૂનો લાવીને ધોળે તેથી એમ ઓછું કહેવાય કે એને જેલ ગમે છે ? એ શાથી એમ કરે છે ? એને છૂટકો જ નથી તેથી. તેમ આ સંસારમાં છૂટકો જ નથી, તેથી ઘરબાર, મોટર-બંગલા વસાવે છે !
૧૭૭૬ કોઈ ‘ગજવું’ કાપે ને પોતે તેનું ઉપરાણું લે કે, ‘એ શું ખોટું કરે છે ? એને ખાવાનું નથી મળતું, તેથી ગજવું કાપે ને ?’ હવે પોતે ખિસ્સું ના કાપતો હોય પણ આમ ઉપરાણું લે, એ બીજે અવતારે ગજવું કાપનાર થાય ! બિચારાની અંધારામાં ભૂલ થઈ છે ને દંડ અજવાળામાં મળે છે !
૧૭૭૭ કશાનો અભિપ્રાય ના રહેવો જોઈએ. અભિપ્રાય એટલે તમે
એની અનુમોદના કરી. ખોટું એને ખોટું ‘જાણવું’, ખરું એને ખરું ‘જાણવું’. ખોટા પર કિંચિત્માત્ર દ્વેષ નહીં, ખરા પર કિંચિત્માત્ર રાગ નહીં. ખરું-ખોટું હોતું જ નથી. ખરું-ખોટું એ દ્વંદ્વ છે, ભ્રાંત દ્રષ્ટિ છે, સામાજિક સ્વભાવ છે. ભગવાનની દ્રષ્ટિમાં એવું નથી. ભગવાનની દ્રષ્ટિમાં ટેબલ પર જમે છે તે ય, ને સંડાસ જાય છે તે ય, બન્ને સરખું છે.
૧૭૭૮ ‘જ્ઞાની પુરુષ’નું ‘ગજવું’ કોઈ કાપી જાય તો ‘જ્ઞાની પુરુષ’ને
શું દેખાય ? ‘ચાલો જમે થઈ આટલી ૨કમ !’ ઘેર વપરાયાં એટલા ગયા ગટરમાં ! મારા-તારાના સંકુચિત ભાવને લીધે આ શી રીતે દેખાય ? વિશાળ ભાવથી ‘જેમ છે તેમ’ દેખાય, એનું નામ ‘જ્ઞાન’ કહેવાય.
૧૭૭૯ આ સંસારમાં કંઈ પણ ખંડન કરવું એ ભગવાનનું ખંડન કર્યા
બરાબર છે. ચોરીનું ય ખંડન કરવું એ ભગવાનનું ખંડન કર્યા બરાબર છે. આ ચોરી એ તો એક જાતનો જુલાબ છે. એ આપણને સ્વચ્છ કરીને જાય છે.
૧૭૮૦ મનુષ્ય થઈને પ્રાપ્ત સંસારમાં ડખો ના કરે તો સંસાર એવો
Page #95
--------------------------------------------------------------------------
________________
સરળ ને સીધો ચાલ્યા કરે. પણ આ તો પ્રાપ્ત સંસારમાં ડખલ જ કર્યા કરે છે. જાગ્યો ત્યાંથી જ ડખલ ! પ્રાપ્ત સંયોગોમાં સહેજ પણ ડખલ ના હોય તો ભગવાનની સત્તા રહે, તેને બદલે ડખો કરીને પોતાની સત્તા ઊભી કરે છે ! ૧૭૮૧ કોઈ પણ વસ્તુને હલાવવાથી નુકસાન થાય છે. સાહજિક છે તેમાં બગાડ હોય તો સુધારો કરવા માટે હલાવવાની જરૂર નથી. રસ્તો કરવાની જરૂર છે. ઉપાય કરવાની જરૂર છે. ૧૭૮૨ પૈણ્યો ત્યારથી વહુને સુધારવા ફરતો હોય, પણ મરે ત્યાં સુધી
બેઉ ના સુધરે. એનાં કરતાં શાક સુધારત તો સુધારાઈ જાત. એટલે વહુને સુધારવી જ ના જોઈએ. એ આપણને સુધારે તો સારું, આપણે તો સુધારવું જ ના જોઈએ.
૧૭૮૩ ‘અમે’ તો મૂળથી ડખા વગરના માણસ. આપણે ડખા વગરના થયા એટલે બધા ડખાવાળા બેઠા હોય તો ય આપણને શું અડે ? ‘અમારી’ હાજરીથી જ બધો ડખો જતો રહે. ‘જેને’ ‘આત્મા’માં જ મુકામ છે, ‘તેને’ શી ભાંજગડ ? મુકામ જ ‘આત્મા’માં છે, ‘તેને’ વ્યવહાર નડતો નથી.
૧૭૮૪ વ્યવહારમાં ડખોડખલ કરો તે અશુદ્ધ વ્યવહાર.
૧૭૮૫ સંસારમાં હાથ ઘાલ્યો ત્યાંથી કકળાટ ને આત્મામાં હાથ ઘાલ્યો ત્યાંથી આનંદ !
૧૭૮૬ વીતરાગોની શોધખોળ શી છે ? કિંચિત્માત્ર હિંસા, એ હારવાની નિશાની છે. મનથી પણ સામાનું અવળું વિચાર્યું, તો તે હારવાની નિશાની છે. દરેકની મહીં ભગવાન બેઠેલા છે, એ ગુપ્ત તત્ત્વની શી રીતે સમજણ પડે ? વીતરાગોએ ‘આત્મતત્ત્વ’ને ગુહ્યતમ તત્ત્વ કહ્યું છે !
૧૭૮૭ મશ્કરી કરે તે તો બહુ ખોટું કહેવાય. કારણ કે મશ્કરી ભગવાનની થઈ કહેવાય. ભલેને ગધેડો છે, પણ ‘આફટર
ઓલ, (છેવટે) શું છે ? ભગવાન છે ! ૧૭૮૮ જ્યાં ક્લેશ છે ત્યાં ભગવાન નથી.
૧૭૮૯ કેવું સ્ટેજ પ્રાપ્ત હોવું જોઈએ ? આપણાં ઘરમાં કલેશ ક્યારેય પણ ના થાય, એવી આપણી બુદ્ધિ ઉત્પન્ન થવી જોઈએ. બીજું બધું ચાલે પણ અંતરક્લેશ ના થવો જોઈએ.
૧૭૯૦ દરેકને ‘પઝલ' તો થાય પણ પઝલ કેમ કરીને ‘સોલ્વ’ થાય
એટલું ‘સાયન્સ’ જો લોકોને જાણ થાય તો ય ઘણું છે.
૧૭૯૧ ધી વર્લ્ડ ઈસ ધી પઝલ, ઈટસેલ્ફ. આ ‘પઝલ’ જે ‘સોલ્વ’ કરે, તેને પરમાત્માપદની ડિગ્રી પ્રાપ્ત થાય !
૧૭૯૨ પ્યાલા-રકાબી નોકરના હાથે ફૂટે તો મહીં પઝલ ઊભું થઈ જાય ! પ્યાલા-રકાબી કોણ ફોડે છે ? આ જગત કોણ ચલાવે છે ? એની ખબર નથી અને આ તો વચ્ચે ગેસ્ટ ચિંતા કરે છે !
૧૭૯૩ મોટરના પૈડાં બંધ રહે ને ગાડી ચાલુ રહે એવી કંઈક ગોઠવણી હોય છે ને મોટરમાં ? (‘ન્યૂટ્રલ') તેવું આ સંસાર ચાલુ રહે ને ‘કોઝિઝ’ બંધ થઈ જાય એવું કરી લેવું જોઈએ ! ૧૭૯૪ સંસાર એટલે શાતા-અશાતા વેદવાનું કારખાનું ! ૧૭૯૫ જેનું મરણ છે, એ બધાં જ સંસારી ! ૧૭૯૬ સંસાર એટલે થાકવું ને થાક ખાવો.
૧૭૯૭ સંસાર એટલે ઇન્દ્રિયસુખનું બજાર. સંસાર એટલે ગપ્પે ગપ્પ ચુમાળસો. ને મોક્ષ એટલે બારે બાર ચુમાળસો.
૧૭૯૮ જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી સંપ ના થાય. પરમાર્થ થાય ત્યારે સંપ કરે.
૧૭૯૯ સંપવાળું જગત છે જ નહીં. એ તો ‘જ્ઞાની પુરુષ’ મોક્ષનું દાન
Page #96
--------------------------------------------------------------------------
________________
આપે ત્યારે જ સંપ રહે. “જ્ઞાન” વગર સંપ રહે તેમ નથી. ૧૮૦૦ આંતરશત્રુઓ જેણે હણ્યા છે એવા અરિહંતને નમસ્કાર કરું
છું. આંતરશત્રુઓ છે તેમને ઓળખો. ક્રોધ-માન-માયા-લોભ
એ આંતરશત્રુઓ છે ! ૧૮૦૧ બધાનામાં શુદ્ધાત્મા જોઈએ, એ જ વિશ્વમૈત્રીભાવ ! ૧૮૦૨ જે વીતરાગ થયા હોય, તે માલિકીભાવ ના કરે. ૧૮૦૩ માલિકીપણું કર્યું ને તેની ઉપર અહંકાર કર્યો એટલે ભોગવટો
આવ્યો. કોઈ કોઈનું માલિક નથી. કોની ચીજ ને કોનો માલ? એ તો દરિયામાંથી જેણે જેટલાં માછલાં પકડ્યાં, તેટલાં તેનાં બાપનાં. ને પકડ્યાં પછી માલિકીભાવ ઊભો
કર્યો, એણે તેની જોખમદારી વહોરી લીધી ! ૧૮૦૪ માલિકીપણું હોય ત્યાં ઉપાધિ હોય. ૧૮૦૫ જેનું તમે સ્વામીપણું કરશો તે બધું જ સામું થશે. છેવટે,
મરતી વખતે પણ જેની જેની ઉપર સ્વામીપણું ધરાવ્યું છે, તે
બધું જ દુઃખદાયક થઈ પડશે ! ૧૮૦૬ જે જાતને છેતરતો નથી, તેને દુઃખ ના આવે. દુઃખો, પોતાની
જાતને છેતરે છે તેથી થાય છે. ૧૮૦૭ આપણે લોકોને છેતરતાં નથી, આપણા આત્માને જ છેતરીએ
છીએ ! ૧૮૦૮ જગત ક્રોધી કરતાં ક્રોધ ના કરનારાથી વધારે ભડકે ! કારણ
શું ? ક્રોધ બંધ થઈ જાય એટલે પ્રતાપ ઉત્પન્ન થાય. કુદરતનો નિયમ છે એવો ! નહીં તો ક્રોધ ન કરનારાનું રક્ષણ જ કરનાર
ના મળને ! ક્રોધ એ અજ્ઞાનતામાં રક્ષણ કરનારું છે ! ૧૮૦૯ ક્રોધમાં પરમાણુની ઉગ્રતા હોય ને લોભમાં લક્ષ્મી સંબંધે
પરમાણુનું આકર્ષણ રહે. ૧૮૧૦ તમે કોઈની જોડે અત્યારે ગુસ્સે થઈ ગયા હો તો એ
ડિસ્ચાર્જ કષાય છે. પણ એની અંદર ‘તમારો' “ભાવ” છે,
તે તેમાં પછી “ચાર્જ'નું બી પડ્યું. ૧૮૧૧ ક્રોધ કરવો એટલે પોતાની છતી મિલકતને દિવાસળી ચાંપવી. ૧૮૧૨ જ્યાં સુધી નબળાઈ જાય નહીં, ત્યાં સુધી પરમાત્મા ભેગા
થાય નહીં. ક્રોધ-માન-માયા-લોભ એ નબળાઈઓ છે. ૧૮૧૩ અધ્યાત્મ જાણ્યું તો તેનું નામ કે જયાં રોજ રોજ ક્રોધ-માન
માયા-લોભ ઘટ્ય જ જાય, વધે નહીં. ૧૮૧૪ એક ફેર કષાયરહિત “જ્ઞાની પુરુષ'નાં દર્શન થાય ત્યારથી
મોક્ષની શરૂઆત થઈ ગઈ. કષાયરહિત કોને કહેવાય ? કષાય હતો નહીં, છે નહિ ને થશે નહીં એવી સ્થિતિ થાય તેને. એટલે “એમને' “પરપરિણતિ' જ ના હોય. ત્યાં ‘દર્શન'
કરે તો કલ્યાણ થઈ જાય ! ૧૮૧૫ કષાયો કરવા એનું નામ ઠોકરો ! આર્તધ્યાન - રૌદ્રધ્યાન થાય
એનું નામ ઠોકરો. ૧૮૧૬ લોક કહે કે “ઠોકર મને વાગી.' ત્યારે ઠોકર કહે છે, “હું તો
જ્યાં છું ત્યાંની ત્યાં જ છું. આ અક્કરમી આંધળા જેવા મને
આવીને વાગે છે !' ૧૮૧૭ સંસારના લોકો શું કરે? મહેમાન આવ્યો ત્યાંથી જ મૂંઝામણ
અનુભવે. બૈરીને કહે કે “તું મોઢું ચઢાવજે એટલે એ જતો રહે.” મોટું ચઢાવીશ કે ગાળ ભાંડીશ તો ય એ નહીં જાય. આ તો ટાંકો વાગેલો છે તે શી રીતે જાય ! મોઢું ચઢાવે છે એ તો આવતાં ભવની સિલક ભેગી કરે છે કે આવતો ભવ શું વાપરીશ ?
Page #97
--------------------------------------------------------------------------
________________
૧૮૧૮ આપણાથી કોઈનું મન કચવાવું ના જોઈએ. આપણે બધાંને
ખુશ કરીને નીકળવું. ૧૮૧૯ જેને મહીં પ્રસન્નતા રહે, તેને બહાર પ્રસન્નતા રહે. મન તો
બહારનો અરીસો છે ! ૧૮૨૦ આપણે તો પડી ગયેલાને બેઠા કરવાનાં છે. “કેમ પડી ગયો ?”
તે પૂછવાનું નહીં. ૧૮૨૧ પાત્રતા ક્યાં હોય ? સંસારમાં ક્યારેય પણ ક્લેશ ના થતો
હોય તે પાત્ર કહેવાય. ૧૮૨૨ આ લોકો કચકચ કરીને પોતાની સિદ્ધિઓ ખોઈ બેસે, માટે
જેમ છે તેમ' જાણો. આ બધી સગાઈઓને લૌકિક જાણો, એને અલૌકિક સગાઈ ના માનો. એવી કંઈ શોધખોળ કરો કે આ પઝલમાં જ શાંતિથી રહેવાય. એ શોધખોળ તમારી
મહીં જ છે ! ૧૮૨૩ માણસજાત ટકોર ખાવા માટે નથી. ખરું હોય ને આગ્રહ ના
હોય, કચકચ ના હોય તો સામાના હૃદયમાં ચોંટી જાય. ને ખરું હોય છતાં કચકચ કરે કે આગ્રહ રાખે તો તે સામાને
સ્પર્શ ના થાય. ૧૮૨૪ ટકોર કરવાથી સામાને ખોટું ના લાગે તો ટકોર કરવી. ખોટું
લાગે તો ટકોર ના કરવી. ૧૮૨૫ જગત ટોક્યા વગર રહેતું જ નથી. પણ ટોકટોક ના કરવું
જોઈએ. ટોક્યા વગર જગત સુંદર ચાલે તેવું છે. કશું જ ડખોડખલ કરવા જેવું આ જગત નથી. જગત તો માત્ર
જાણવા” જેવું જ છે. ૧૮૨૬ સત્ય-અસત્ય કોઈ બાપોય પૂછતું નથી. માણસે વિચાર તો
કરવો જોઈએ કે મારું સત્ય છે છતાં સામો માણસ કેમ સ્વીકારતો નથી ? કારણ સત્ય વાત કહેવા પાછળ આગ્રહ છે,
કચકચ છે ! ૧૮૨૭ ‘ક્રિમિનલ' રોફ ના જોઈએ, ‘સિવિલ’ રોફ ચાલશે. ૧૮૨૮ ભગવાન કહે છે, દ્વેષ ઉપકારી છે. પ્રેમ-રાગ કદી નહીં છૂટે.
આખું જગત પ્રેમપરિષદમાં ફસાયું છે. માટે જાળીએ રહીને
જે શ્રીકૃષ્ણ કહીને છૂટી જજો. ૧૮૨૯ કોઈને તરછોડીને મોક્ષે ના જવાય. માટે ચેતજો. ૧૮૩૦ આપણે નામ કાઢવા આવ્યા નથી, આપણે તો કોઈનું કામ
કાઢવા આવ્યા છીએ. ૧૮૩૧ “આપણે શું છીએ' ને ‘આપણું શું છે', એ આપણે સમજવાનું
છે. કોઈને કહેવા માટે નથી. ૧૮૩૨ ક્રોધ-માન-માયા-લોભ છે એમાંથી સ્વાર્થ ઊભા રહે છે. એટલે
ભાન નથી કે કોનું મરણ થાય છે ને કોનો જન્મ થાય છે. આ તો બિલીફ જ રોંગ બેઠેલી છે. પણ ઘણા કાળે આગળ વધતાં વધતાં “જ્ઞાની પુરુષ' મળે તો ભાન થાય કે જન્મ-મરણ
એ તો અવસ્થા છે. ૧૮૩૩ સમકિત કોને કહેવાય ? સર્વસત્તાધીશને ઓળખીને બધાયની
વ્યવહાર સત્તા માન્ય કરવી પડે. જગત મળેલી સત્તાનો દુરુપયોગ કરે છે તેથી મનુષ્યપણું જાય છે. અમે તો જેની
જે સત્તા હોય, તેને માન્ય કરીએ. ૧૮૩૪ સત્તા વાપરવાથી પોતાને ‘ડીપ્રેશન’ આવે. સત્તા સુખ આપવા
માટે છે. સત્તા ગુનેગારને પણ સુખ આપવા માટે છે ! ૧૮૩૫ છેલ્લો કાળ આવે ત્યારે કહેશે, “હવે જ્ઞાની આવે ને મને દર્શન
થાય, બે કલાક આયુષ્ય વધારજો મારું, હે ભગવાન !” એમ બૂમાબૂમ કરે. હવે બૂમાબૂમ ના કરીશ. કાલાવાલા શું કરવા કરે છે ? જ્યારે સત્તા હતી ત્યારે વાપરી નહીં. સત્તા ના હોય
Page #98
--------------------------------------------------------------------------
________________
ત્યારે માગણી કરે !
૧૮૩૬ પરસત્તાને પોતાની સત્તા માને છે, એનું નામ જ ભ્રાંતિ. આટલું સમજાય તો ય ઉકેલ આવે. આ બીજાની સત્તા છે, એમ માણસો સમજતાં થશે ત્યારે કંઈક ભ્રાંતિ ખસશે.
૧૮૩૭ અહંકારનો સ્વભાવ સત્તાનો દુરુપયોગ કરે.
૧૮૩૮ ‘અમે’ અમારી લાઈફમાં કોઈને એવું ના કહીએ કે તમે મારું માનો. કારણ કે એ પોતાની સત્તામાં જ નથી.
૧૮૩૯ વર્લ્ડમાં એવો કોઈ જન્મ્યો નથી કે જેને સંડાસ જવાની ‘પોતાની’ સ્વતંત્ર શક્તિ હોય ! એ તો અટકશે ત્યારે ખબર પડશે !!!
૧૮૪૦ એક મિનિટ પણ જેની સત્તા નથી, તેને કાયમની સત્તા નથી. ૧૮૪૧ એક ક્ષણવાર પણ સ્વસત્તાનું ભાન થાય તો તે પરમાત્મા થઈ શકે છે.
૧૮૪૨ વીતરાગતા જ ભવ પાર-તરવા માટે છે.
૧૮૪૩ સ્વરૂપ સ્થિતિમાં લક્ષણ શું ? વીતરાગતા.
૧૮૪૪ આ લોકસંજ્ઞાથી સુખ નથી, ‘જ્ઞાની'ની સંજ્ઞાથી સુખ છે. લોકોએ માનેલું સુખ છે, તે સુખ નથી.
૧૮૪૫ અવિનાશી ચીજમાં સુખ માનવું, એનું નામ સકિત. ૧૮૪૬ સમકિત એ જ્ઞાન નથી, પણ સમજણ છે.
૧૮૪૭ સમ્યક્દર્શન કોનું નામ કહેવાય કે જે ‘ઈટર્નલ’ને દેખાડે, ને મિથ્યાદર્શન કોનું નામ કહેવાય કે જે ‘ટેમ્પરરી’ દેખાડે.
૧૮૪૮ ‘વસ્તુ’ને ‘જેમ છે તેમ’ યથાર્થ જોવી એનું નામ સમકિત. અને અન્ય રૂપે જોવી એ મિથ્યાત્વ.
૧૮૪૯ સમકિતીને તો કોઈ જગ્યાએ વાંધો ના હોય. બધે ય જ્ઞાતાદ્રષ્ટા જ રહે, એને વાંધો જ ના આવે. વાંધાવચકાં છે ત્યાં સુધી સમકિત જ કહેવાય નહીં.
૧૮૫૦ સભ્યતા એ સમકિતની નિશાની છે અને એટીકેટ એ મિથ્યાત્વની નિશાની છે !
૧૮૫૧ જ્યાં કંઈ પણ એટીકેટ છે ત્યાં મોક્ષ ધર્મ નથી અગર ધર્મે ય નથી. ધર્મ તો સાહજિકતામાં હોય.
૧૮૫૨ સભ્યતા તો સ્વાભાવિક હોવી જોઈએ. બીજું બધું એટીકેટ કહેવાય. મોક્ષમાર્ગ એટલે સાદાઈ હોવી જોઈએ. ત્યાં એટીકેટનાં ભૂતાં ના હોવાં જોઈએ.
૧૮૫૩ સાચો ધર્મ ક્યાં છે ? કે જ્યાં સ્ત્રી, પુરુષ, છોકરાં, બાળકો, થૈડાં, અભણ, ભણેલાં બધાં ખેંચાય.
૧૮૫૪ જ્યાં કંઈ પણ પ્રકારની ફી નથી, જ્યાં બોધરેશન નથી, જ્યાં વઢવાનું નથી ત્યાં ભગવાન છે !
૧૮૫૫ આપણી ટીકા કરવાનો લોકોને અધિકાર છે. આપણને કોઈની ટીકા કરવાનો અધિકાર નથી.
૧૮૫૬ કોઈની સહેજ પણ ટીકા કરવા જતાં એ ‘કેવળજ્ઞાન’ને બાધક છે. અરે, આત્મજ્ઞાનને ય બાધક છે. સમકિતને ય બાધક છે. ૧૮૫૭ સામાની ટીકા કરો તો તેની આરાધનાની ટીકા કરી કહેવાય.
તે ભયંકર ગુનો છે. તમે સામાને ટેકો ના આપી શકો તો કાંઈ નહીં, પણ ટીકા તો ના જ કરો. જો ટીકા છે તો વીતરાગનું વિજ્ઞાન નથી, ત્યાં ધર્મ છે જ નહીં, અભેદતા છે જ નહીં !
૧૮૫૮ કોઈ ચેતવણી આપતું હોય તો તે દીવાદાંડી છે અને દીવાદાંડીની જે ખોડ કાઢે, તે સ્ટીમર સહીસલામત ક્યારે પહોંચે ?
Page #99
--------------------------------------------------------------------------
________________
૧૮૫૯ જ્યાં કોઈ ‘પોલિસી’ નથી એ ‘ગ્રેટેસ્ટ’ પોલિસી છે.
૧૮૬૦ જેમ સંડાસ વિના કોઈને ના ચાલે તેમ પરણ્યા વિના ચાલે તેમ નથી. પણ તારું મન કુંવારું રહેતું હોય તો વાંધો નથી. પણ જ્યાં મન પરણેલું હોય ત્યાં પરણ્યા વગર ના ચાલે.
૧૮૬૧ નખ વધાર્યા એટલે બધા આચાર તૂટ્યા ! એક આચાર તૂટ્યો એટલે બધા આચાર તૂટ્યા !
૧૮૬૨ પૂરણ ને ગલન સિવાય બીજું શું છે !?
૧૮૬૩ બાધા કોની રખાય ? મૂર્તિની બાધા રખાય. કારણ કે મૂર્તિનો માલિક ના હોય, ને જીવતાની બાધા રખાય પણ દેહના જો એ માલિક હોય તો તેમની બાધા ના રખાય. કારણ કે એક દહાડો એ ઠોકર મારે.
૧૮૬૪ એક સતીને વેશ્યા કહી તો કેટલી બધી જોખમદારી આવી પડે ? અનંત અવતાર બગડશે ! વેશ્યાને સતી કહીશ તો જોખમદારી નહીં આવે.
૧૮૬૫ ‘વીતરાગ’નાં પાણીથી ગમે તેવા ડાઘા જતા રહે ! ૧૮૬૬ ગાડી બે મિનિટ મોડી ઊપડી હોય તો ‘ગાડી ક્યારે ઊપડશે, ક્યારે ઊપડશે' કરીને વલોપાત કરે. વલોપાત કરવા જેવું જગત નથી !
૧૮૬૭ કોઈની રાહ જોવી એ ભયંકર કુગતિનું કારણ છે. ‘ઇલેક્ટ્રિસિટી’ ગઈ ને તેની રાહ જોવી એ આર્તધ્યાન થયું કહેવાય. અર્ધા કલાકની રાહ જોવામાં વીસ વર્ષની મહેનત નકામી જાય છે. ત્યાં આપણે ‘એડજસ્ટમેન્ટ’ લઈ જ લેવું. ૧૮૬૮ ‘સરપ્લસ ટાઈમ' શેમાં વાપરો છો તેના પર જોખમ છે.
‘સરપ્લસ ટાઈમ’ પોતાના આત્મા માટે વાપરે તો બધું પાણી પોતાનાં જ ખેતર ભણી જાય છે, ને બીજે વપરાય તો પાણી
બધું નકામું જાય છે. માટે જેનો ‘સરપ્લસ ટાઈમ' આત્મા માટે ગયો, તેનો બધો જ ટાઈમ આત્મા માટે ગયો કહેવાય. ૧૮૬૯ કાંટા ઉપર સૂઈ રહેવું, તેનું નામ કંટાળો. ૧૮૭૦ કંટાળો એ જ ચિંતા.
૧૮૭૧ કંટાળો આવે ત્યારે શોધખોળ કરવાનો ટાઈમ આવે. ત્યારે ખરો પુરુષાર્થ કરવાનો વખત આવે છે. ત્યારે આ લોકો એને પાછું ધકેલે છે !
૧૮૭૨ ભગવાન કહે છે, જેને સંસાર કંટાળાવાળો જરીકેય લાગતો
નથી, તે મોક્ષે જવાને લાયક જ નથી. કમાય તો ય કંટાળો, ના કમાય તો ય કંટાળો બધે કંટાળો આવે ત્યારે મોક્ષે જવાને લાયક કહેવાય !
૧૮૭૩ દરેક દર્દ તેનું આયુષ્ય લઈને જ આવેલું છે.
૧૮૭૪ જગતમાં પ્રલય જેવું નથી. વસ્તુનો લય થતો નથી, વસ્તુની અવસ્થાનો લય થાય છે.
૧૮૭૫ જાણી બેઠેલો જાગે, પણ માની બેઠેલો ના જાગે !
૧૮૭૬ ‘રિલેટિવ’થી મનોરંજન થાય, ‘રિયલ’થી આત્મરંજન થાય. ૧૮૭૭ તમને મજિયાતમાં કશું માગવાનું કહે તો શું માગો ?
ફરજિયાતમાં એવું કશું જ નથી કે જેમાં સ્થિર થાય. એક પછી બીજું જોઈએ જ. એક ‘સ્વરૂપ'માં જ બોજા રહિત રહી
શકાય.
૧૮૭૮ ‘જ્ઞાની’ને માળા ફેરવવાની ના હોય. એ તો ‘સ્વરૂપ’ની માળા ફેરવે.
૧૮૭૯ અહંકાર શું ના કરે ? અહંકારથી જ આ બધું ઊભું થયું છે. ને અહંકાર વિલય થાય એટલે મુક્તિ છે !
Page #100
--------------------------------------------------------------------------
________________
૧૮૮૯ લોકો બોલેલા શબ્દો પાછા ખેંચી લેવડાવે છે. પણ એને સમજ
પડતી નથી કે વાણી તો રેકર્ડ છે, એટલે પાછી શી રીતે ખેંચી
૧૮૮૦ આ રાજા શું કહે છે કે મેં લાખો માણસને મારી નાખ્યા !
રાજા તો ખાલી અહંકાર જ કરે છે, ગર્વરસ લે છે. એ તો જે લડાઈ ઉપર હતા તેમણે માર્યા ! રાજા વગર કામની જોખમદારી કેમ લે છે? આનાથી મારનાર છે એ છૂટી જાય. નિયમ શું છે કે જે અહંકાર વહોરી લે, તેના માથે જોખમદારી
જાય. ૧૮૮૧ કોઈ માણસ અવળી વાણી બોલતો હોય તો તમે છે તે તમારી
વાણી ના બગાડો. ૧૮૮૨ કડવું કહેનારો જ આ દુનિયામાં કોઈ મળે નહીં. આ
મીઠાશથી જ બધા રોગ અટક્યા છે. તે કડવાશથી રોગ જશે, મીઠાશથી રોગ વધશે. કડવું વેણ સાંભળવાનો વખત ના આવે તેવું આપણું જીવન હોવું જોઈએ. છતાં ય કડવું વેણ સાંભળવાનું આવે તો સાંભળવું. તે તો હંમેશાં હિતકર જ
હોય. ૧૮૮૩ જ્યારે મૌન થશો ત્યારે જગત સમજ્યા ગણાશો. ૧૮૮૪ મૌન જેવી કડકાઈ આ દુનિયામાં કોઈ નથી. બોલેલી કડકાઈ
તો વેડફાઈ જાય. ૧૮૮૫ જેટલું મૌન પકડશો, એટલી બુદ્ધિ બંધ થશે. ૧૮૮૬ વાણી બોલો તેનો વાંધો નથી, પણ અમે સાચા છીએ એમ
એનું રક્ષણ ના હોવું જોઈએ. ૧૮૮૭ કો'કની ઉપર નાખો તે બધી જ વાણી છેવટે તમારી ઉપર જ
પડે છે. માટે એવી શુદ્ધ વાણી બોલો કે શુદ્ધ પાણી જ તમારી
ઉપર પડે. ૧૮૮૮ આ જગતમાં કોઈ શબ્દ નકામો બોલાતો નથી.
૧૮૯૦ જગતનો કોઈ શબ્દ આપણને હલાવે નહીં એવું ‘ટેસ્ટેડ' થઈ
જવું જોઈએ. ૧૮૯૧ સ્યાદ્વાદ વાણી શું કહે છે ? તમે એવું બોલો કે પાંચ જણ
લાભને પામે ને કોઈને ય ડખો ના થાય. ૧૮૯૨ વચનબળ શી રીતે પ્રાપ્ત થાય? એક પણ શબ્દ મશ્કરી માટે
ના વાપર્યો હોય, એક પણ શબ્દ ખોટો સ્વાર્થ, પડાવી લેવા માટે ના વાપર્યો હોય, વાણીનો દુરુપયોગ ના કર્યો હોય, પોતાનું માન વધે એટલા માટે વાણી ના બોલ્યા હોય તો એનું
વચનબળ સિદ્ધ થાય ! ૧૮૯૩ પોતાની “સેફસાઈડ' માટે જૂઠું બોલો તો ક્યાંથી વચનબળ
રહે ?
૧૮૯૪ મનુષ્યનો સ્વભાવ કેવો? જરાક કો'કે અવળું કર્યું એની
પાછળ પડે ! ૧૮૯૫ આ તો ‘લાઈફ’ બધી ‘ફ્રેકચર’ થઈ ગઈ છે. શેના સારું જીવે
છે તેનું ય ભાન નથી. મનુષ્ય સાર શું? જે ગતિમાં જવું હોય
તે ગતિ મળે, અગર તો મોક્ષે જવું હોય તો મોક્ષ થાય. ૧૮૯૬ મનુષ્યનો અવતાર એકલો જ એવો છે કે જે ચેતનનો અનુભવ
કરી શકે. બીજા કોઈ અવતાર, દેવલોકો ય અનુભવ કરી શકે
નહીં ! ૧૮૯૭ મનુષ્ય તો પરમાત્માની “સેકન્ડ હેન્ડ ક્વૉલિટી' છે ! મનુષ્ય
પરમાત્માની નજીકનો છે !!
Page #101
--------------------------------------------------------------------------
________________
૧૮૯૮ બહારવટીયા મળ્યા ને લૂંટી લીધા, પછી રડવાનું નહીં. ‘આગળ પ્રગતિ કેમ કરવી' એ વિચારવું. એને બધી સહાય મળી રહે. પણ ‘મારું શું થશે ?” એમ કરીને રડ્યા કરે તો શું વળે ? કોણ ભોગવે છે ? લૂંટનારો કે ચૂંટાયેલો ? જે ભોગવે તેની ભૂલ !
૧૮૯૯ ‘મારું શું થશે કહ્યું કે બગડ્યું !' એનો અર્થ એમ કે એ આત્માને ગણકારતો જ નથી. આત્મા અનંત શક્તિવાળો અંદર બેઠો છે તો તેની પાસે શક્તિ માગને !
૧૯૦૦ આ ‘અક્રમ વિજ્ઞાન', વ્યવહારને કિંચિત્માત્ર તરછોડતું નથી.
પોતાની ‘રિયાલિટી’માં સંપૂર્ણ રહીને વ્યવહારને તરછોડતું નથી. વ્યવહારને તરછોડે નહીં તે જ સૈદ્ધાંતિક વસ્તુ કહેવાય. ૧૯૦૧ ‘અંબાલાલ મૂળજીભાઈ’ એ વ્યવહારસત્તાને આધીન છે ને અમે નિશ્ચય સત્તામાં જ છીએ. વ્યવહારને કિંચિત્માત્ર તરછોડ વાગવી ના જોઈએ.
૧૯૦૨ એક સમય પણ સ્વસત્તામાં આવ્યો તે પરમાત્મા થયો. ૧૯૦૩ તમારે ત્યાં કોઈ નોકરી કરતું હોય તો તેને ક્યારેય પણ તરછોડશો નહીં, છેડશો નહીં. બધાને માનભેર રાખશો. કો'ક માણસથી શો ય લાભ થઈ જાય !
૧૯૦૪ જેટલો ‘ફલેટ' મોટો રાખે એટલી મહેનત વધારે કરવી પડે. છ લાખનો ‘લેટ' હોય તો છ ઘાણીઓ કાઢવાની. ત્રણ લાખનો ‘ફલેટ' હોય તો ત્રણ ઘાણીઓ કાઢવી પડે ! આ ઘાણીઓ જ કાઢવાની છે ને !
૧૯૦૫ આખા જગતની મહેનત ઘાણી કાઢી કાઢીને નકામી જાય છે. પેલો બળદને ખોળ આપે ત્યારે અહીં બીબી હાંડવાનું ઢેકું આપે એટલે ચાલ્યું ! આખો દહાડો બળદની ઘાણી કાઢ કાઢ કરે
છે.
૧૯૦૬ આ જગત બે રીતે છે : પોલમ્પોલ છે છતાં નિયમમાં છે. પાંચ ઇન્દ્રિય અને બુદ્ધિજન્ય જ્ઞાનથી આ બધું પોલમ્પોલ લાગે ને ‘જ્ઞાન’થી નિયમમાં લાગે.
૧૯૦૭ દુનિયાનો નાશે ય અહંકાર કરે છે ને વૃદ્ધિ ય અહંકાર કરે
છે.
૧૯૦૮ કડવાશ ને મીઠાશ બેઉ અહંકારનાં ફળ છે. સારું કર્યાનો અહંકાર કર્યો તે મીઠાશ આપે. ખોટું કર્યાનો અહંકાર કર્યો તે કડવાશ આપે.
૧૯૦૯ ઘણાં માણસને બહુ દુઃખ પડેલાં હોય, પણ બધાંની રૂબરૂમાં કોઈ વાત કરે કે તમને બહુ કષ્ટ પડેલું ને ? ત્યારે એ કહે, ‘ના, ના, મને કોઈ દુઃખ પડ્યું નથી.’ તે પછી એને સુખ વર્તે ! માટે ‘ઈગોઈઝમ’ શાનો કરવાનો છે ? દુઃખમાં સુખનો ‘ઈગોઈઝમ’ કર, કે મારા જેવો સુખીયો કોઈ નથી ! આ લોકો તો સુખમાં દુઃખનો ‘ઈગોઈઝમ’ કરે છે.
૧૯૧૦ ચિંતા એ મોટામાં મોટું અભિમાન છે. એટલે કુદરત એને બહુ મોટો દંડ આપે છે. ભગવાનને ગાળો દે એના કરતાં ચિંતા કરનારને વધારે દંડ છે. જે કામ બીજો કરે છે તેની તું ચિંતા કરે છે ? આ કુદરત કરતાં ય તું મોટો ?
૧૯૧૧ સામાની મહીં પણ ‘આત્મા’ છે. ‘સિંહ’, ‘હરણું’ એ ‘અહંકાર’ છે ને મહીં ‘આત્મા’ છે. માટે જેનો જેવો ‘અહંકાર’ હોય, તે જોઈને વાત કરો તો કામ થાય. સિંહને પડકારા ય નહીં ને કૂતરાને પડકારો તો તે નાસી જાય !
૧૯૧૨ આ જગતમાં કોઈને કશું જ કહેવાય એવું નથી. જે ‘બોલીએ’ છીએ, તે ‘અહંકાર’ છે. જગત બધું નિયંત્રણવાળું છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
૧૯૧૩ આ “બોલ' એક એવી વસ્તુ છે કે એ જો સચવાઈ ગયો તો
બધાં જ મહાવ્રત આવી જાય ! ૧૯૧૪ દરેક શબ્દ બોલવો જોખમ ભરેલો છે. માટે જો બોલતાં ના
આવડે તો મૌન રહેવું સારું. ધર્મમાં બોલો તો ધર્મનું જોખમ ને વ્યવહારમાં બોલો તો વ્યવહારનું જોખમ. વ્યવહારનું જોખમ તો ઊડી જાય, પણ ધર્મનું જોખમ બહુ ભારે. ધર્મની
બાબતમાં એનાથી બહુ ભારે અંતરાય પડે ! ૧૯૧૫ “બોલ' તો “એક્સપેન્સ' (ખ) કહેવાય. વાણી ખર્ચાઈ ના
જવી જોઈએ. “બોલ’ એ તો લક્ષમી છે. તેને તો ગણી ગણીને
આપવી જોઈએ. લક્ષ્મી કોઈ ગણ્યા વગર આપે છે ? ૧૯૧૬ ડોન્ટ કેક્યુલેટ ધ વર્લ્ડ. આ દુનિયા પોલમપોલ છે.
કેક્યુલેશન' કરવા બેસશો નહીં, હેંડચે જ જજો ! ૧૯૧૭ કઠોર ભાવ જ જો ના હોય તો આખા જગતનો વૈભવ મળે
તેમ છે ! ૧૯૧૮ સંસાર એટલે “રોંગ બિલીફો'નું પઝલ ! ૧૯૧૯ જગત આખું “રોંગ બિલીફ'માં છે. ‘બિલીફ' રોંગ છે તો ય
પોતાનું માને છે ને ! તદન સાચેસાચું માને છે ને ! ૧૯૨૦ સંસાર ઉપાધિ સ્વરૂપ નથી, “રોંગ બિલીફ’ ઉપાધિ સ્વરૂપ છે.
પારકાને “મારું” માને તો શું થાય ? ઉપાધિ. ૧૯૨૧ ઉપાધિ કેટલી રાખવી ? જે ના આવતી હોય તેને બોલાવવી
નહીં, ને જે ઉપાધિ ખસી જતી હોત તેને ના રાખવી. ૧૯૨૨ સંસાર એ ભ્રાંતિથી ઊભી થયેલી વસ્તુ છે. એટલે ભ્રાંતિનું
જ્ઞાન થાય એટલે એ નીકળી જાય. ૧૯૨૩ કોઈ જગ્યાએ યાચકપણું કરવા જેવો આ કાળ નથી.
‘વ્યવસ્થિત'નો નિયમ એવો છે કે જેણે યાચના ન કરવાનો નિયમ લીધો છે, તેને યાચના કરવાનો વખત કદી જ નથી
આવતો. ૧૯૨૪ “મારે કેટલાંય વર્ષોથી હાથ જ લાંબો કરવો પડ્યો નથી. તે
આ બધું જગત તમારું જ છે. તમને જોતાં આવડે, જગતદર્શન કરતાં આવડે, સમજતાં આવડે તો જગત તમારું જ છે ! તમે
જ માલિક છો ! ૧૯૨૫ વિશ્વાસ કોનું નામ ? આ અંતરમાં જે આખી ‘પાર્લામેન્ટ' છે,
તેમાં કોઈ વિરોધ ના કરે ને એકાકાર થાય તેને વિશ્વાસ
કહેવાય. ૧૯૨૬ મહીં આત્મા બેઠો છે, તે બધું આપવા તૈયાર છે. પણ એને
ઘડીવાર એવી શ્રદ્ધા નથી બેઠી કે મને વાંધો નહીં આવે. જો શ્રદ્ધા બેસે તો વાંધો આવતો જ નથી. આ તો કોના જેવી વાત?પૂજારી કહેશે, “ભગવાન સૂઈ ગયા.’ તે સૂઈ જાય!ને હિંમત જતી રહે બધી ! મહીં ભગવાન નિરંતર જાગૃતપણે બેઠેલા છે ! જે
શક્તિઓ જોઈએ, તે માગવાથી મળે તેમ છે ! ૧૯૨૭ આખું જગત “નેગેટિવ'માં ભટકી ભટકીને મરી ગયું. આ
અક્રમ' તો સરસ ‘પોઝિટિવ' માર્ગ છે ! ૧૯૨૮ જેને પોતાની જાત પર વિશ્વાસ છે, તેને બધી જ ચીજ મળે
તેવું આ જગત છે ! પણ વિશ્વાસ જ નથી આવતો ને વિશ્વાસ તૂટ્યો કે ખલાસ ! વિશ્વાસમાં તો અનંત શક્તિ છે, ભલે
અજ્ઞાનતામાં વિશ્વાસ હોય ! ૧૯૨૯ વ્યવહારમાર્ગવાળાને અમે કહીએ છીએ, સંપૂર્ણ નીતિ પાળ.
તેમ ના થાય તો નીતિ નિયમસર પાળ. તેમ ના થાય તો અનીતિ કરું તો ય નિયમમાં રહીને કર. નિયમ જ તને આગળ લઈ જશે !
Page #103
--------------------------------------------------------------------------
________________
૧૯૩૦ વ્યવહારનો સાર આખો હોય તો તે નીતિ. નીતિ હશે ને પૈસા
ઓછાં હશે તો પણ તમને શાંતિ રહેશે. અને નીતિ નહીં હોય
ને પૈસા ખૂબ હશે તો ય અશાંતિ રહેશે. ૧૯૩૧ નૈતિકતા વગર ધર્મ જ નથી. ધર્મનો પાયો જ નૈતિકતા છે ! ૧૯૩૨ આ દુનિયામાં ત્રણનો ઉપકાર જિંદગીમાં ભૂલાય તેમ નથી :
ફાધર', “મધર’, ‘ગુરુ’, જેમણે આપણને રસ્તે ચઢાવ્યા હોય. ૧૯૩૩ મોક્ષે જવું હોય તો વણમાગી સલાહ ના અપાય. જ્યારે
સલાહ માગવા આવે ત્યારે જ અપાય. સલાહ આપે એટલે
પ્રધાન થવું પડે ! ૧૯૩૪ પૂછે તો જ જવાબ આપવો. ત્યાં સુધી ના બોલવું. કશું
જગતમાં કહેવું નહિ. કહેવું એ મોટામાં મોટો રોગ છે. કશું
કહેવું નથી પડતું છતાં દાઢી ઊગે છે ને ! ૧૯૩૫ કોઈ પૂછે તો જ સલાહ અપાય, નહીં તો આપણું માપ નીકળી
જાય ! ૧૯૩૬ “સફાઈ” એટલી જ માન્ય કરવી કે મેલી થાય તો ચિંતા ના
થાય. “સફાઈ” એવી રાખો ને એટલા પ્રમાણમાં રાખો કે તમને
તે બંધનરૂપ ના થઈ પડે ! ૧૯૩૭ કાયમની ‘રૂમ'માં રહે તો કાયમનો ઉલ્લાસ રહે, ને
‘ટેમ્પરરી’ ‘રૂમમાં રહે તો “ટેમ્પરરી' ઉલ્લાસ રહે. ૧૯૩૮ અકારણ જગત નથી. જ્યાં અકારણ થાય ત્યાં મોક્ષ છે ! જ્યાં
બધાંના “ક્લેઈમ' પૂરા થાય ત્યાં મોક્ષ છે. કારણ વગર કાર્ય
બને નહિ. ૧૯૩૯ કેટલાંક એવો આદેશ આપે છે કે આમ કરો, તેમ કરો, શ્રદ્ધા
રાખો, સત્ય બોલો, ધીરજ રાખો. આ બધાં તો પરિણામ છે.
પરિણામ કેવી રીતે બદલાય ? ૧૯૪૦ તું કાર્યનું બોલીશ નહિ. કાર્યનું સેવન કરીશ નહિ. એ
પરિણામ છે. પણ “કોઝિઝ’નું - કારણનું સેવન કર. કારણનું
સેવન કરવામાં ન આવે ત્યાં સુધી કશું જ વળે નહિ. ૧૯૪૧ તમે અમુક “સ્ટેપ' પર છો. એ સ્થિતિ પોતાને માટે હોય,
બીજાને એ સ્થિતિ લાગુ ના પડાય. એ જુદા “સ્ટેપ' પર છે. એટલે કોઈ માણસને દબાણ ના કરાય. એનું “ઓન્જકશન'
ના લેવાય. ૧૯૪૨ વીતરાગીનો માર્ગ “ઓજેકશન’નો નથી. ‘નો ઓજેકશન’
આપવાનો છે. “ઓજેકશન’ થવાનું થાય ત્યાં ઉદાસીન રહે. ૧૯૪૩ વાંધા, વચકા ને અજ્ઞાન માન્યતાઓ આ ત્રણથી જગતની
ભ્રાંતિ ઊભી રહી છે. આ ત્રણ જ શબ્દો કાઢવા માટે આખા
જગતનાં શાસ્ત્રો રચ્યાં છે ! ૧૯૪૪ આ દુનિયામાં જે કહે કે વાંધો છે એ જ ભૂલ છે. વાંધો
કશાયનો ના હોવો જોઈએ. ૧૯૪૫ આ જગતમાં વાંધા પાડીએ કે “સાસુ આમ પજવે છે, સસરા
આમ પજવે છે.' તો પાર આવે એવો નથી. એના કરતાં ‘વાંધો જ નથી' એવું આપણે બોર્ડ મારવું. સામો વાંધો પાડવા ફરે તો ય
આપણને વાંધો ના પડે એવું રખાય કે ના રખાય? ૧૯૪૬ બહારની જે વસ્તુ છે તે નૈમિત્તિક છે, ‘રિલેટિવ' છે, વિનાશી
છે. નૈમિત્તિક એટલે એમાં કોઈનું ચાલે તેમ નથી. એ એનાં સ્વવશ કરતો નથી, પરસત્તાને આધીન છે. પછી તમારે વાંધો ઉઠાવવાનું જ ક્યાં રહે છે ? જ્યારે ત્યારે વાંધારહિત થવું
પડશે.
૧૯૪૭ “રિલેટિવ'માં તમે વાંધો ઉઠાવશો એ બુદ્ધિવાદ છે. “અમારે”
Page #104
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિવાદ હોય નહીં. ‘અમે’ તો ‘રિલેટિવ’માં અબુધ અને ‘રિયલ’માં ‘જ્ઞાની.’
૧૯૪૮ આ બધા વાંધા લોકોએ જ કાઢ્યા છે. કંઈ ભગવાને કાઢ્યા
છે ? જેને છૂટવું છે એને કોઈ વાંધા નથી, ને જેને બંધાવું છે તેને નર્યા વાંધા જ છે. વાંધાના લોકો તો બંધાણી થઈ જાય છે !
૧૯૪૯ નિરંતર નિમિત્ત, નૈમિત્તિકભાવ રહે તો જ નિર્દોષ રહે. ૧૯૫૦ જગત સંપૂર્ણ નિર્દોષ દેખાયું, તે સર્વસ્વ થઈ ગયો ! ૧૯૫૧ આ જગતમાં આપણે કર્તા નથી બનવાનું, નિમિત્ત બનવાનું છે. ૧૯૫૨ કુસંગ ભેગો થયો ત્યાંથી દુઃખ, દુઃખ ને દુઃખ. માટે કુસંગથી ભાગો. જ્યાંથી મહીં દુઃખ લાગવા માંડ્યું ત્યાંથી જાણો કે આ કુસંગ છે, ત્યાંથી ભાગો. જેને જોતાં જ મહીં રૂચે નહીં ત્યાંથી ભાગો.
૧૯૫૩ જિંદગીમાં એક વખત સામાના કષાય જ્ઞાનપૂર્વક જીતે તો એ જગતજીત કહેવાય. સામો ગમે તેટલાં કષાય કરે પણ મહીં સભર ‘જ્ઞાન’ સાથે કષાય જીતે, પેટનું પાણી ય ના હાલે, તો એ જગતજીત કહેવાય !
૧૯૫૪ કોઈને ઘેર ગયા હોઈએ ને આપણને એની સ્ત્રી સારું સારું ખવડાવે તો તેનો ઉપકાર માનવો જોઈએ, પણ એવી ભાવના નક્કી ના થવી જોઈએ કે આ સ્ત્રી મારી જોડે આવે તો સારું ! આ ખાવા-પીવાની ચીજ જોડે એવા ભાવ કરે છે, તેથી આવી વળગણ વળગ્યા કરે છે. તેથી ભગવાને કહ્યું કે, મોજ કર પણ મોજીલો ના થઈશ, શોખ કર પણ શોખીન ના થઈશ.
૧૯૫૫ મતભેદથી ભેગું રહેવું (સંયુક્ત કુટુંબમાં), તેના કરતાં સંપીને જુદા રહેવું સારું !
૧૯૫૬ દરેકને વિશેષ લક્ષ એક-બેમાં હોય જ. બીજા બધા લક્ષ તો રહે જ. જો બધામાં સમલક્ષ રહે તો તે ‘જ્ઞાની’ જ થઈ જાય !
૧૯૫૭ વ્યક્તિગત વાત કરવી એ નિંદા ગણાય. સામાન્ય ભાવે વાત સમજવાની હોય. નિંદા કરવી એ તો અધોગતિએ જવાની નિશાની.
૧૯૫૮ કોઈની નિંદા કરોને એટલે તમારે ખાતે ‘ડેબિટ’ થયું ને પેલાને ખાતે ‘ક્રેડિટ’ થયું. આવો ધંધો કોણ કરે ?
૧૯૫૯ પાશવતા એટલે અણહક્કનું લેવું, અણહક્કનું ખાઈ જવું, અણહક્કનું ભેગું કરવાના વિચારો કરવા. હક્કનું આપણી પાસે આવે, તેની કોઈ હરકત નથી.
૧૯૬૦ નિમિત્તની નિંદા કરવાની જરૂર નથી, નિમિત્તથી છેટા રહેવાની જરૂર છે.
૧૯૬૧ તિરસ્કાર અને નિંદા જ્યાં હશે ત્યાં લક્ષ્મી નહીં રહે. ૧૯૬૨ ‘વીતરાગો’શું કહે છે ? તારે માર ખાવો હોય તો મારી આવ. તારે નિંદ્ય થવું હોય તો નિંદા કર.
૧૯૬૩ દાન એટલે બીજા કોઈ પણ જીવને સુખ આપવું. મનુષ્ય હોય
કે બીજાં પ્રાણી હોય તેમને સુખ આપવું, એનું નામ દાન. અને બધાંને સુખ આપ્યું એટલે એનું ‘રીએક્શન’ આપણને સુખ જ આવે. સુખ આપો તો તરત જ સુખ ઘેર બેઠાં તમારે આવે
!
૧૯૬૪ ‘વીતરાગ’ને દાન લેવાનો કે આપવાનો મોહ ના હોય. એ તો ‘શુદ્ધ ઉપયોગી’ હોય !
૧૯૬૫ ‘વીતરાગો’ શું કહે છે ? જગત તો ચાલ્યા જ કરવાનું. એમાં તું કોઈ ડખલમાં પડીશ નહીં. જો તારે મોક્ષે આવવું હોય તો વીતરાગતા રાખ !
Page #105
--------------------------------------------------------------------------
________________
૧૯૬૬ આપણને ગમે, એના બધા જ ગુણો આપણામાં ઉત્પન્ન થાય.
ગજવું કાપનાર ગમે તો તેના ય ગુણ ઉત્પન્ન થાય. ૧૯૬૭ પુણ્યથી આગેવાન થયો એને શું ? ગુણથી આગેવાન થવો
જોઈએ. ૧૯૬૮ પુણ્ય એ જમે રકમ અને પાપ એટલે ઉધાર રકમ. જમે રકમ
જ્યાં વાપરવી હોય ત્યાં વપરાય. ૧૯૬૯ પુણ્યના આધારે તમારો પુરુષાર્થ નફો લાવે ને પુણ્ય પરવારે
તો એ પુરુષાર્થ ખોટ લાવે. ૧૯૭૦ આપણા ધાર્યા પ્રમાણે ફળ આવે તે પુણ્યનું પ્રારબ્ધ છે, ના
આવે તો પાપનું પ્રારબ્ધ છે. ૧૯૭૧ સ્વાર્થ કરે ત્યારે પાપકર્મ બંધાય અને નિઃસ્વાર્થ કરે ત્યારે
પુણ્યકર્મ બંધાય. પણ બન્નેય કર્મ છે ને ! પેલું પુણ્યકર્મનું ફળ છે તે સોનાની બેડી અને પાપકર્મનું ફળ લોઢાની બેડી. પણ બેઉ બેડીઓ જ છે ને !
૧૯૭૬ ઇમોશનલ' થાવ તો ય જગત અટકવાનું નથી ને
ઇમોશનલ' ના થાવ તો ય જગત અટકવાનું નથી. આ તો ઇમોશનલપણાનો જ માથે ભાર આવે છે. બાકી, જગત તો
ચાલ્યા જ કરે છે, એ કોઈ દહાડો અટકવાનું નથી. ૧૯૭૭ “મોશન'માં હોય ત્યારે વેગમાં હોય ને “ઇમોશનલ’ હોય તે
| ઉગમાં હોય. ૧૯૭૮ જે જ્ઞાન “ઇમોશનલ' કરાવે છે તે સંસારી જાગૃતિ છે. સાચી
જાગૃતિ ઇમોશનલ' ના કરાવે. ૧૯૭૯ “ઇમોશનલ” એટલે “ફોરેનની વાતમાં ‘હોમ' ડખલ કરે તે.
ફોરેન’ ‘હોમ'ને ડખલ કરે એમ છે જ નહીં, તમે “પોતે’
એમાં (ફોરેનમાં) પડો તો જ ડખલ થાય. ૧૯૮૦ ગુનેગારને બિનગુનેગાર ઠરાવો, ત્યારે જ ગુનેગાર બિનગુનેગાર
થાય ! ૧૯૮૧ અમને તો કોઈ કહેવા આવે કે આ ભાઈ આવા છે, તો હું
કહેનારને જ પહેલો પકડું કે તું મને આમ કેમ કહેવા આવ્યો? તું કહેવા આવ્યો માટે તું જ ગુનેગાર છે. પૂછયા વગર જે કોઈ
કહેવા આવે તો તેના પર આપણે ચોકડી જ મૂકવી. ૧૯૮૨ કોઈની ય ફરિયાદ કરીશ તો તું ફરિયાદી થઈ જઈશ ને સામો
આરોપી થઈ જશે. ફરિયાદ તો કોઈની કરાય જ નહીં. જે ફરિયાદ લઈને આવે તેનો જ ગુનો છે એમ પ્રથમથી જ
સમજી જવું, પછી આરોપીની વાત ! ૧૯૮૩ “આત્મા'માં આવ્યા પછી ફરિયાદ કરવાની હોય નહિ. ૧૯૮૪ આ જગતમાં બે જ વસ્તુ સમજવાની છે. એક, પોતાનું
નિજસ્વરૂપ અને બીજું, આપણી પહેલાંની ગોગારી છે તે. તે ગનેગારી માંગવી તો પડશે ને ?
૧૯૭૨ આત્મા માટે જીવ્યા તે પુણ્ય છે કે સંસાર માટે જીવ્યા તો નર્યું
પાપ છે. ૧૯૭૩ જ્યાં સુધી હું કોણ છું' જાણે નહીં ત્યાં સુધી પુણ્ય ઉપાદેય
રૂપે જ હોય અને પાપ હેય રૂપે હોય. ૧૯૭૪ જ્યાં સુધી જગતની ઘેલછા જશે નહીં ત્યાં સુધી કોઈનો મોક્ષ
થશે નહીં. જેટલી ઘેલછા એટલી અટકણ, ભૂત વળગ્યું હોય
એમ ! ૧૯૭૫ દુનિયામાં બધી જ ચીજ હાજર છે. પણ તમારું ઈમોશનલપણું'
એને આવવા દેતું નથી. “ઇમોશનલ' એટલે અસ્થિરપણું. જમવા જાય તો કહે કે “મને જમવાનું મળશે કે નહીં' એ જ અસ્થિરતા.સ્થિરતા રાખને તો બધું આવીને પડશે.
Page #106
--------------------------------------------------------------------------
________________
૧૯૮૫ જો આ દુનિયામાં અરીસા ના હોત તો પોતાનું મોઢું ‘એક્ઝેક્ટ’ જોવું એ મોટામાં મોટી અજાયબી ગણાત !
૧૯૮૬ બીજા કોઈને દુઃખદાયી ન થઈ પડે એવાં ક્રોધ-માન-માયા-લોભ હોવાં જોઈએ. બીજા કોઈને ય દુઃખદાયી નહીં, પોતાને જ દુઃખ કર્યા કરે એટલી લિમિટ હોય ત્યાં સુધી મોક્ષમાર્ગ છે.
૧૯૮૭ કષાય જાય નહિ ત્યાં સુધી ભગવાનનો કિંચિત્માત્ર ધર્મ પામ્યો નથી. વીતરાગનો ધર્મ એટલે કષાયનો અભાવ.
૧૯૮૮ આ સંસારમાં મનુષ્ય બધાનો કેદી છે. મનનો કેદી, બુદ્ધિનો કેદી, ચિત્તનો કેદી, ક્રોધ-માન-માયા-લોભ, બધાંનો કેદી તે શી રીતે છૂટે ?
૧૯૮૯ આખું જગત રાજી થાય એવું છે. જગત ખોટું નથી. આપણી ભૂખ આડી આવે છે. આપણી ભૂખ મટી એટલે ‘બાઉન્ડ્રીલેસ’
થયો !
૧૯૯૦ મનુષ્યપણું એ તો મહાન સિદ્ધિ છે. હરેક ચીજ મળી આવે. પણ આ લોભ એને હેરાન કરે છે !
૧૯૯૧ ક્રોધ-માન-માયા-લોભ થાય તો થવા દેજે, કુચારિત્રના વિચાર
આવે તેનો વાંધો નથી, ગભરાઈશ નહીં. પણ તેને ‘આમ’ પ્રતિક્રમણ કરીને ફેરવી નાખજે, તેનાથી ખૂબ જ ઊંચું ધર્મધ્યાન થશે !
૧૯૯૨ આ ખાઈએ, બ્રશ કરીએ, વાળ કપાવીએ એ અતિક્રમણ છે ? ના, એમ નથી. ક્રોધ-માન-માયા-લોભ એ અતિક્રમણ છે. પ્રતિક્રમણ કર્યું તો એ બધાંય જાય.
૧૯૯૩ આ કુદરતનો ગહન કોયડો છે. આમાંથી કોઈ છૂટેલો નહીં. ને જે છૂટ્યા તે કહેવા રહ્યા નહીં. હું ‘કેવળજ્ઞાન’માં નાપાસ થયો એટલે તમને કહેવા રહ્યો છું, માટે સંભાળીને તમારું
કામ કાઢી લો. આ તમારું જ છે. અમે તો ખાલી કામ કઢાવવા માટે બેઠા છીએ !
૧૯૯૪ જે પુનર્જન્મને માનતા ના હોય ત્યાં પ્રારબ્ધ શબ્દ હોવો ના ઘટે. ‘ક્રિશ્ચિયન’, ‘મુસ્લિમ’ કોમની ભાષા છે તે પૂર્ણ છે, પણ ‘બિલિફ’ અધૂરી છે. તકદીર, તદબીર, લકી, અનલકી, આ કંઈથી લાવ્યા ? આ તો પૂર્વનું અનુસંધાન છે !
૧૯૯૫ દ્વંદ્વ જાય તો જાણવું કે મૂળ આત્મા પામ્યા છીએ. દ્વંદ્વાતીત દશા થવી જોઈએ.
૧૯૯૬ આ બધું દ્વંદ છે. ‘જ્ઞાની’ દ્વંદ્વથી પર થયેલા હોય અને દ્વંદ્વ એ જ સંસાર !
૧૯૯૭ આખું જગત ખોટને વખોડે છે. એમાં ખોટે તે શું બગાડ્યું ? ભગવાનને પૂછો કે સાહેબ તમને નફો કે નુકસાન નથી ? ત્યારે ભગવાન કહે છે કે, ‘તું ભ્રાંતિજ્ઞાનથી જુએ છે, ‘રિલેટિવ’ જુએ છે તેથી નફો-ખોટ દેખાય છે. હું યથાર્થ જ્ઞાનથી જોઉં છું.'
૧૯૯૮ નફો એ દેહનું વિટામિન છે ને ખોટ એ આત્માનું વિટામિન
છે. પછી ખોટ છે જ ક્યાં ?
૧૯૯૯ આ જગતમાં કશું સારું નથી ને કશું ખરાબ નથી. આ બાજુ ફૂલની દુકાન હોય ને પેણે માંસાહારની દુકાન હોય તો આપણે થૂંક થૂંક શું કામ કરીએ ? સારું-ખોટું બન્ને છોડવાનું છે.
૨૦૦૦ આપણી સાચી વાત છે અને સામાની ખોટી છે, પણ અથડામણ થઈ તો તે ખોટું છે.
૨૦૦૧ દ્વિધા જાય તો દ્વંદ્વ જાય. દ્વં ગયું એટલે દ્વંદ્વાતીત થયો. દ્વંદ્વાતીત થયો એટલે સંપૂર્ણ થયો, એ જ માર્ગ છે.
૨૦૦૨ વ્યવહારને જે સાચો માનીને રહ્યા, તેમને પ્રેશર ને હાર્ટએટેક
Page #107
--------------------------------------------------------------------------
________________
ને એવું બધું થઈ ગયું !ને વ્યવહારને જૂઠો માનીને રહ્યા એ તગડા થઈ ગયા ! બેઉ કિનારાવાળા રખડી પડ્યા !
વ્યવહારમાં બેઠા “અમે' ‘વીતરાગ’ છીએ !!! ૨૦૦૩ ઉપરી ક્યાં સુધી જોઈએ કે માણસની ભૂલ થાય છે ત્યાં સુધી.
ભૂલ ના થાય પછી ઉપરી નહીં રહે ! ૨૦૦૪ જેને ‘અંડરહેન્ડ' નહીં ગમે ત્યારે ઉપરી એની મેળે જ નહીં
આવે. એ એનું પરિણામ છે. ૨૦૦૫ જેને એકુંય ભૂલ રહી નથી તેનો કોઈ ઉપરી નથી, તેને
વઢનારની જરૂર નથી. તે ધારે તેવો થઈ જાય તેવું છે. આપણો માર્ગ’ કોઈ વઢનાર ના રહે એવો થઈ જાય તેવો
૨૦૦૬ જેને “અંડરહેન્ડ'નો શોખ છે તેને બોસ' મળી જ આવે ! ૨૦૦૭ આપણે “અંડરહેન્ડ’ને ‘પ્રોટેક્શન' આપીએ તો “બોસ'
આપણને પ્રોટેક્શન આપે. આપણે “અંડરહેન્ડ’ટૈડકાય
ટૈડકાય કરીએ તો બોસ આપણને ટૈડકાય ટૈડકાય કરે. ૨૦૦૮ કોઈ જીવ કોઈ જીવને ‘હીચ’ કરી શકે જ નહીં. જો કોઈ
કોઈને ‘હીચ’ કરી શકે તો આ વર્લ્ડનો સિદ્ધાંત ખોટો છે એમ
કહી શકાય ! કોઈ કોઈનો ઉપરી જ નથી આ જગતમાં ! ૨૦૦૯ ચોરની કૃપાથી ચોર થઈ જવાય ને ‘જ્ઞાની”ની કૃપાથી જ્ઞાની
થઈ જવાય. ૨૦૧૦ તમારી સળીઓ બંધ થઈ ગઈ તો કોઈ તમને સળી કરનાર
નથી. તમારી સળીઓનાં જ એ બધાં પરિણામ છે. તમે આખા બ્રહ્માંડના રાજા છો ! કોઈ ઉપરી જ નથી તમારો ! તમે પોતે જ પરમાત્મા છો !!
૨૦૧૧ મનુષ્ય માની, બાપની, ગુરુની બધાંની આજ્ઞા ઉઠાવી છે, પણ
‘ભગવાન'ની આજ્ઞા ઉઠાવી નથી. જો ‘ભગવાનની આજ્ઞા ઉઠાવી હોત તો કામ જ થઈ જાત. અરે, શેઠની ય આજ્ઞા પાળે
ને બૈરીની હઉ આજ્ઞા પાળે ! ૨૦૧૨ જો બોજો માથે રાખો તો ભગવાન ખસી જાય ! ૨૦૧૩ પોતે ભગવાન, તે ભગવાનની સત્તા કયાં સુધી રહે ? સત્ય
બોલે, અહિંસા પાળે, ચોરી ના કરે, બ્રહ્મચર્ય પાળે,
અપરિગ્રહી રહે, ત્યાં સુધી ભગવાનની સત્તા હોય જ ! ૨૦૧૪ ખુદા થવા માટે હથિયારોની જરૂર નથી, ખુદને પિછાણવાની
જરૂર છે. ખુદને જાણે તે ખુદા ! ૨૦૧૫ તમે સત્યને વળગી રહો, તમારી નિષ્ઠા જગતમાં કોઈ ડગાવી
શકે તેમ નથી. ૨૦૧૬ પોતાની નિષ્ઠા અને સત્યતા જેટલી હોય તેટલો સંસાર ફળે ! ૨૦૧૭ ‘સિન્સીયારિટી' ને ‘મોરાલિટી', એ ભગવાનની પાસે જવાનો
મેઈન રોડ છે, બીજા બધા જ “બાય વે’ છે. ૨૦૧૮ ‘સિન્સીયારિટી' ને ‘મોરાલિટી' એ આ જગતનું બેઝમેન્ટ'
છે ! ૨૦૧૯ ‘સિન્સીયારિટી' ને ‘મોરાલિટી’ બે જ શબ્દ સંપૂર્ણ શીખી લાવ
તો બધું જ કમ્પ્લીટ થઈ ગયું ! ૨૦૨૦ ધર્મ તો, પોતાની જાતને અને લોકમાત્રને સિન્સીયર રહેવાનું
કહે છે, નહીં તો ધર્મ પામે નહીં. ૨૦૨૧ “મોરલ' એટલે પોતાના હક્કનું અને સહેજે મળી આવે એટલી
બધી જ વસ્તુને ભોગવવાની છૂટ ! “મોરાલિટી’નો આ છેલ્લામાં છેલ્લો અર્થ છે !
Page #108
--------------------------------------------------------------------------
________________
૨૦૨૨ જે માણસ પારકાને “સિન્સીયર’ રહેતો નથી, તે પોતાની
જાતને ‘સિન્સીયર” રહેતો નથી ! ૨૦૨૩ ‘સિન્સીયર’ રહેવાથી સંસારમાં કોઈ પણ પ્રકારનો ભય ના
આવે ને મોક્ષે લઈ જાય ! ૨૦૨૪ “મોરલ' એકલો રહે કે “સિન્સીયર’ એકલો રહે તો ય મોક્ષ
જાય ! ૨૦૨૫ પહેલું ‘સિન્સીયર’ રહેવાનું, પછી “મોરાલિટી' આવે. ૨૦૨૬ જેટલી વસ્તુને તમે ‘સિન્સીયર’ રહ્યા તેટલી તમે જીત્યા. આ
જગત જીતવાનું છે, તો જ મોક્ષે જવા દેશે ! ૨૦૨૭ કૃપા એટલે “એવરી ટાઈમ સિન્સીયર'. નૈમિત્તિક કૃપાપાત્ર
થયા સિવાય “નિશ્ચય' પ્રાપ્ત થાય નહીં. એ તો ક્રમિક માર્ગમાં ય નૈમિત્તિક કૃપા ખરી. ‘અમે' તો “સ્પેશ્યલ’ કૃપા વરસાવીએ છીએ. પરમ વિનયથી “અમારી’ કપા ઊતરે છે. “કમ્પ્લીટ
સિન્સીયારિટી' એકલી જ જોઈએ. ૨૦૨૮ જેટલી તમારી “સિન્સીયારિટી' એટલી અમારી કૃપા. આ
કૃપાનું પ્રમાણ છે. ૨૦૨૯ એક માણસને તમે ‘અસિન્સીયર’ રહ્યા, તો તે માણસ તમને
મોક્ષે જતાં પકડશે ! ૨૦૩૦ દરેક જોડે ‘એડજસ્ટમેન્ટ’ થાય, એ જ મોટામાં મોટો ધર્મ. ૨૦૩૧ “એડજસ્ટ એવરી હેર' ના થવાય, તો હાથમાં આવેલો મોક્ષ
પણ જતો રહે ! ૨૦૩૨ આ કાળમાં તો જુદી જુદી પ્રકૃતિઓ, તે “એડજસ્ટ’ થયા
વગર કેમ ચાલે ? ૨૦૩૩ વ્યવહારમાં રહ્યો એનું નામ કહેવાય કે જે “એડજસ્ટ’ ‘એવરી
છેર થયો ! ૨૦૩૪ કસ્ટ્રક્ટિવ પોલિસીમાં એડજસ્ટ એવરઠેર છે, ને ડિસ્ટ્રક્ટિવ
પોલિસીમાં ડિસએડજસ્ટમેન્ટની પોલિસી છે. ૨૦૩૫ મન બગડ્યાથી સંસાર ઊભો રહ્યો છે, દેહના બગડ્યાથી
સંસાર ઊભો રહ્યો નથી. ૨૦૩૬ અહીં પાંચ-પચાસ વરસ રહેવાનું, ત્યાં સારાં ઘરો ખોળે છે
ને જ્યાં કાયમનું રહેવાનું છે ત્યાંનું ઠેકાણું નથી, તેની કોઈ તપાસે ય કરતું નથી. ઠામઠેકાણાં વગરની દુનિયા છે. “આ ય કરો ને તે ય કરો.' અહીંનું ના કરવાની ના નથી કહેતા.
બેઉ કરો. બે હાથ નથી તમને ? ૨૦૩૭ હિંસકભાવ એનું નામ જ સંસાર. સંસાર ચાલ્યા કરે ને
આપણા'માં હિંસકભાવ ના હોય, એટલે આપણે
જવાબદારીઓમાંથી મુક્ત થયા ! ૨૦૩૮ જ્યાં કંઈ પણ કરવાનું છે ત્યાં સંસાર છે ! ૨૦૩૯ સામાની ભૂલ કાઢવાથી, સામાનો લાભ લેવાની વૃત્તિથી
સંસાર અડે ! ૨૦૪૦ સંસાર એટલે ચિંતાનો બધો ટોપલો. ૨૦૪૧ નિરંતર સંસાર સળગતો જ છે. એમાં બૂઝવાની આશા રાખવી
ખોટી છે. ત્યારે આપણે ય તેને કહેવું કે “તું તારે સળગ્યા
કર !” ૨૦૪૨ લગ્નમાં, ઘરમાં બધે “સુપરફલુઅસ રહેવાનું છે. ત્યાં લોકો
ઊંડા ઊતરે છે, એનું નામ સંસાર. ૨૦૪૩ આ સંસારની સગાઈઓ સાચી નથી, ‘બિઝનેસ એરેંજમેન્ટ'
Page #109
--------------------------------------------------------------------------
________________
૨૦૪૪ પહેલી “સિલ્વર જ્યુબિલી’ ઊજવે, પછી ‘ગોલ્ડન જ્યુબિલી’
ઊજવે, પછી “ડાયમન્ડ જ્યુબિલી' ઊજવે, તો ય પાછો
લાકડાંમાં જાય ! ૨૦૪૫ આ શેઠીયાઓએ નવ નવ માળના મહેલ બાંધ્યા, તે જતી
વખતે મહેલ મશ્કરી કરશે કે “તમે તો ચાલ્યા ને અમે અહીં ઊભા રહ્યા.' આ બંગલા એકલા જ મહેલ નહીં ને ? આ
બૈરા-છોકરાં એ બધાંય મહેલ જ કહેવાય ! ૨૦૪૬ મેળ પડતો હોય તે ય દીકરો થઈને આવે ને વેર હોય તે ય
દીકરો થઈને આવે છે, ને વગર કામની ભ્રાંતિ થાય કે “આ
મારાં છે, મારાં છે !' ૨૦૪૭ જગત આખું “બિલિફીના આધારે જ ટકેલું છે, “જ્ઞાનને
આધારે નથી. મનુષ્યમાત્ર ‘બિલિફ’ આધારે જ છે. ૨૦૪૮ સાચી શ્રદ્ધા તો જાગૃતિપૂર્વકની હોવી જોઈએ. આ તો “હું
ચંદુભાઈ’ કરીને ચાલે એ જ અજાગૃતિ છે. ૨૦૪૯ બુદ્ધિશાળીઓને શ્રદ્ધાનું તળિયું ના જડે. તરતા રહેવું ને
દરિયાની ઊંડાઈ માપવી એ બે ના બને ! ૨૦૫૦ આત્મા કબૂલ ક્યારે કરે? “માઈન્ડ ઓપન હોય તો. આ શ્રદ્ધા
રાખવા જેવી ચીજ નથી. શ્રદ્ધા તો આવવી જોઈએ. તમને હું
ઠપકો આપું, વઢુ, તોય તમને શ્રદ્ધા આવવી જોઈએ. ૨૦૫૧ જેની પર અનન્ય શ્રદ્ધા થાય, તે રૂપ પોતે થાય. પણ અનન્ય
શ્રદ્ધા થવી એ બહુ મુશ્કેલ વસ્તુ છે ! ૨૦૫૨ તું જેને જાણે તેમાં શ્રદ્ધા મૂકું તે શ્રદ્ધા, ને નથી જાણતો તેમાં
શ્રદ્ધા મૂકું તે અજ્ઞાનશ્રદ્ધા છે ! ૨૦૫૩ સંસારમાં બધી ચીજો આયુષ્યવાળી છે અને ‘આપણે’ આયુષ્ય
વગરના, એ બેનો મેળ શી રીતે પડે? આયુષ્યવાળા જોડે સોબત કરીએ એટલે આપણે ય આયુષ્યવાળા થવું પડે ! તેનો
આ બધો ઢેડફજેતો થયો છે ! ૨૦૫૪ કલ્પિત અવસ્થામાં ક્યાં સુધી રહેવાય? કો'કનો સસરો ક્યાં
સુધી કલ્પિત તરીકે રહેવાય ? સાસરીમાં જાય તો ? ત્યાં જમાઈ થવું પડે. મોસાળમાં જાય ત્યાં ભાણો થવું પડે,
સત્સંગમાં ભાણો કહે તો ચાલે ?! ૨૦૫૫ આ જગતમાં સગાઈઓ છે જ નહીં. આ તો પોતાની ઊભી
કરેલી જાળ છે. આ ગાયો-ભેંસો કંઈ સગાઈઓ છે? એમને
નથી સાસુ, નથી સસરા..... ૨૦૫૬ આ ખોટું કરીને તો મોંઘા ભાવનું મનુષ્યપણું વેચી રહ્યા છે ! ૨૦૫૭ આ સંસારમાં જ્યાં માલિક નથી, કશું નથી, ત્યાં પરોણા
થઈને આવ્યા છે ! તે પાછાં જતા રહેવાનું છે. મમતાવાળા - ના મમતાવાળા બધા જતા રહેવાના ! આમાં એક ‘મિનિટ’ પણ બગાડશો નહીં. હા, પાંચ-દસ હજાર વર્ષ જીવવાના હો
તો સમજ્યા ! ૨૦૫૮ દુનિયા જ્યાં નિવૃત્ત છે ત્યાં “જ્ઞાની' પ્રવૃત્ત છે અને જ્યાં
દુનિયાની પ્રવૃત્તિ છે ત્યાં “જ્ઞાની'ની નિવૃત્તિ છે ! દુનિયાની
પ્રવૃત્તિ એ તો પ્રકૃતિ ચલાવે છે ! ૨૦૫૯ “હું શુદ્ધાત્મા છું'માં છો તો પ્રવૃત્તિમાં ય નિવૃત્તિ છે ને “
ચંદુલાલ છું' તો ઘેર ઊંઘતા હો, નાખોરાં બોલતાં હોય તો
ય પ્રવૃત્તિમાં છો ! ૨૦૬૦ પ્રવૃત્તિમાં નિવૃત્તિ એ જ સાચી નિવૃત્તિ છે ! ૨૦૬૧ આ સંસારમાં પોતાની માદકતાને લઈને પોતાનું સર્વસ્વ ભાન
જતું રહ્યું છે. સંસારની બધી માદકતાઓ જ છે. ખોરાક
Page #110
--------------------------------------------------------------------------
________________
માદકતાવાળો છે, ઇન્દ્રિયો માદકતાવાળી છે. જેને મદ ઊતરી ગયેલો હોય, જેણે માદકતાનો નાશ કર્યો હોય ત્યાં જાવ. ત્યાં એના સાન્નિધ્યમાં ખબર પડે કે, ઓહોહો ! માદકતા ઊતરે એવી વસ્તુ છે !!! તો ‘આપણું’ ભાન પ્રગટ થાય ! તમે પરમાત્મા જ છો !!!
૨૦૬૨ વીતરાગ શું કહે છે ? તારે સંસારમાં પડ્યા રહેવું હોય તો લોકોના કહ્યા પ્રમાણે ચાલજે અને મોક્ષે તો મારા કહ્યા પ્રમાણે ચાલીશ તો જ જવાશે !
૨૦૬૩ બે જાતની શક્તિઓ : પોતાની સ્વક્ષેત્રની, બીજી પરક્ષેત્રની.
સ્વક્ષેત્રે બ્રહ્માંડ ધ્રુજાવવાની શક્તિ છે, જ્યારે પરક્ષેત્રે પાપડ ભાંગી શકવાની શક્તિ નથી. એ તો ‘વ્યવસ્થિત' ચલાવે છે. ૨૦૬૪ ભગવાને જગતના લોકોને કહેલું કે જેની પાસે જે શક્તિ હોય, તેને સંભારવાથી તે શક્તિ ઉત્પન્ન થાય. તને ભગવત્ શક્તિ માગતાં ના આવડે ને કૂદવું હોય તો વાંદરાને સંભારીને શક્તિ માગ તો તે આવડશે. ભસવું હોય તો કૂતરા પાસે શક્તિ માગવી પડે ! ‘જ્ઞાની’ પાસે અનંત શક્તિ હોય, તેમને સંભારું તો એ શક્તિઓ પ્રાપ્ત થઈ જાય !
૨૦૬૫ સહનશક્તિ ઈઝ ધ મધર ઓફ ઈગોઈઝમ !
૨૦૬૬ જીવશક્તિને લોકો ખોલે છે, પણ શિવશક્તિને ખોલી નથી. ૨૦૬૭ નિરંતર અંતરદાહ તો બળ્યા જ કરતો હોય, શાતા વેદનીયમાં ને અશાતા વેદનીયમાં. પરંતુ મૂર્છિત ભાવમાં હોવાથી ખબર ના પડે, બેભાન જેવું રહે !
૨૦૬૮ અંતરદાહ શાથી હોય ? અંતરદાહ પાપ-પુણ્યને આધીન નથી. બન્ને વેદનીયમાં અંતરદાહ તો હોય જ. અંતરદાહ ‘રોંગ બિલિફને આધીન છે.
૨૦૬૯ ‘રોંગ બિલિફ' જાય એટલે અંતરદાહ જાય. અંતરદાહ એ ભ્રાંતિનું ફળ છે !
૨૦૭૦ જ્યાં સ્વરૂપસ્થિતિ થઈ, ત્યાં અંતરદાહ બંધ થઈ જાય ! ૨૦૭૧ જ્યાં સુધી માલિક છો ત્યાં સુધી સંસાર ઊભો રહેશે. માલિકીપણું જાય ક્યારે ? ‘રોંગ બિલિફ' ઊડી જાય તો ! ૨૦૭૨ જેટલો પુદ્ગલના સ્વામીપણાનો અભાવ તેટલો જ સ્વસ્વામીપણાનો અનુભવ !
૨૦૭૩ વાણીનું માલિકીપણું છૂટી ગયું ત્યાં, એન્ડ થાય છે ‘આપણો’! ૨૦૭૪ ‘કોમનસેન્સ’ એટલે શું ? એવરી વ્હેર એપ્લિકેબલ થિયરેટિકલી એઝ વેલ એઝ પ્રેક્ટિકલી !
૨૦૭૫ ‘સેન્સિટિવ’ માણસને ‘કોમનસેન્સ' ના હોય.
૨૦૭૬ ‘કોમનસેન્સ' કેવી રીતે પ્રગટ થાય ? અથડાવાથી. અથડામણમાં પોતે કોઈને અથડાય નહીં, સામા અથડાતા આવે તો ય, પણ પોતે અથડાવા ના જોઈએ. એવી રીતે રહે તો ‘કોમનસેન્સ’ ઊભી થાય ! નહીં તો ‘કોમનસેન્સ’ હોય તે ય જતી રહે !
૨૦૭૭ આ આત્માની શક્તિ એવી છે કે દરેક વખતે કેમ વર્તવું, તે બધો ઉપાય બતાવી દે. ને તે પાછું કદી ભૂલાય નહીં, આત્મા પ્રગટ થાય પછી.
૨૦૭૮ બધી આત્મશક્તિ જો ખલાસ થઈ જતી હોય તો તે ઘર્ષણથી. અનંત શક્તિઓ ઘર્ષણથી ખલાસ થાય છે ! સહેજ પણ ટકરાયા તો ખલાસ ! આપણે જાગૃતિપૂર્વકના સંયમથી સામા જોડે ટકરાઈએ નહીં તો કામ ચાલે.
૨૦૭૯ ટકરામણ તો થવી જ ના જોઈએ. ટકરામણથી જ આ શક્તિ
Page #111
--------------------------------------------------------------------------
________________
ઘટી ગઈ છે. પછી આ દેહ જવાનો હોય તો જાય પણ ટકરામણમાં ના આવવું જોઈએ. દેહ કોઈના કહેવાથી જતો રહેવાનો નથી કે કોઈના શાપથી ઊડી જતો નથી. એ તો ‘વ્યવસ્થિત'ના તાબે છે.
૨૦૮૦ ઘર્ષણનું મૂળ બીજ વેર છે.
૨૦૮૧ ઘર્ષણથી બધી શક્તિ ખલાસ થઈ જાય. આત્માની અનંત શક્તિ એને લીધે દેખાતી નથી. કોઈ અવળો ભાવ થયો, આંખ ઊંચી થઈ જાય એ ઘર્ષણ. ભીંત જોડે ઘર્ષણ થાય તો શું થાય ? માથું ફૂટી જાય ! ઘર્ષણ એકલું ના હોત તો માણસ મોક્ષે જાય. બસ, એક જ શબ્દ શીખી ગયો કે, મારે કોઈના ઘર્ષણમાં નથી આવવું.' તો તે સીધો મોક્ષે જાય. વચ્ચે ગુરુની ય જરૂર નહીં ને કોઈનીય જરૂર નહીં.
૨૦૮૨ ઘર્ષણની પાછળ પ્રતિક્રમણ કરીએ એટલે ઘર્ષણ ભૂંસાઈ જાય. નવું ઘર્ષણ ઊભું કરીએ તો આવેલી શક્તિ પાછી જતી રહે.
૨૦૮૩ માણસનો દોષ થવો સ્વાભાવિક છે. એનાથી વિમુક્ત થવાનો રસ્તો કયો ? એકલાં ‘જ્ઞાની પુરુષ’ જ એ દેખાડે, ‘પ્રતિક્રમણ’. ૨૦૮૪ જગત શા આધારે ઊભું રહ્યું છે ? અતિક્રમણ દોષથી. ક્રમણનો વાંધો નથી પણ અતિક્રમણ થાય, તેનું ‘પ્રતિક્રમણ’ કરવું પડે.
૨૦૮૫ જગતના લોકો માફી માગી લે છે, એથી કંઈ ‘પ્રતિક્રમણ’ થતું નથી. એ તો રસ્તામાં ‘સોરી’, ‘થેન્કયુ’ કહે, એના જેવી વાત છે. એમાં કંઈ મહત્ત્વ નથી. મહત્ત્વ ‘આલોચના-પ્રતિક્રમણપ્રત્યાખ્યાન’નું છે.
૨૦૮૬ પાછલી ભૂલો ધોવા માટે, ‘રિલેટિવ'માં પસ્તાવો અને ‘રિયલ’માં આનંદ-આ બેઉ હોવાં જોઈએ.
૨૦૮૭ ‘પ્રતિક્રમણ’ ને ‘પ્રત્યાખ્યાન’ કરવાની જ ભાવસત્તા છે. ૨૦૮૮ ‘પ્રતિક્રમણ’ જો તરત જ રોકડું થઈ જાય, તે ભગવાનપદમાં આવી જાય તેમ છે !
૨૦૮૯ જગત શા આધારે ટક્યું છે ? ‘અપ્રતિક્રમણ' દોષથી !
૨૦૯૦ સ્મૃતિમાં નથી લાવવું છતાં આવે છે, એ ‘પ્રતિક્રમણ દોષ’ બાકી છે તેથી.
૨૦૯૧ તમે કોઈને ટૈડકાવો તે તો પ્રકૃતિ છે, તેનો વાંધો નથી. પણ તેનું જો તમે ‘પ્રતિક્રમણ’ કર્યું તો તે ‘પોઝિટિવ’ ગુનો છે ! ને ‘પ્રતિક્રમણ’ ના કર્યું, તો તે ‘નેગેટિવ’ ગુનો છે !
૨૦૯૨ જ્યારે ઘરનાં માણસો નિર્દોષ દેખાય ને પોતાના જ દોષ દેખાય ત્યારે સાચાં ‘પ્રતિક્રમણ’ થાય.
૨૦૯૩ આપણે જે શબ્દ બોલીએ છીએ તે નથી બોલવો છતાં બોલાઈ
જાય છે. પ્રકૃતિ નાચે છે ને આવું તોફાન ઊભું થઈ જાય છે. તે કેટલાંય ‘પ્રતિક્રમણ’ થાય ત્યારે એ પ્રકૃતિ બંધ થાય !
૨૦૯૪ ‘અતિક્રમણ’ થવું એ સ્વાભાવિક છે. ‘પ્રતિક્રમણ’ કરવું એ આપણો ‘પુરુષાર્થ’ છે.
૨૦૯૫ સંસ્કાર ક્યારે બદલાય ? રાત-દિવસ પશ્ચાતાપ કરે ત્યારે અગર તો ‘સ્વરૂપજ્ઞાન’ થાય ત્યારે.
૨૦૯૬ કોઈ પણ ક્રિયા કર્યા પછી પસ્તાવો કરે છે, એ માણસ એક દહાડો થશે શુદ્ધ જ, એ નક્કી છે.
૨૦૯૭ ‘પ્રતિક્રમણ’ તો તમે ખૂબ કરજો. જેટલાં જેટલાં તમારી આજુબાજુનાં હોય, જેમને જેમને રગડ રગડ કર્યાં હોય, તેમનાં રોજ કલાક કલાક ‘પ્રતિક્રમણ’ કરજો.
Page #112
--------------------------------------------------------------------------
________________
૨૦૯૮ ‘પ્રતિક્રમણ' કરવાથી શું થાય ? આપણી ડખલ કરેલી, તેનું
જે “રીએક્શન આવે, તેના ઉપર આપણને ફરી ડખલ કરવાનું
મન ના થાય ! ૨૦૯૯ જેનાં “આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન' સાચાં હોય, તેને
આત્મા પ્રાપ્ત થયા વગર રહે જ નહીં. ૨૧00 આપણું “સાયન્સ' શું કહે છે, તું ચોરી કરે તેનો અમને વાંધો
નથી, પણ તેનું તું આ રીતે પ્રતિક્રમણ કરજે. અને તું જે કરે
છે તેનું ફળ આ છે, જે તને જાહેર કરીએ છીએ. ૨૧૦૧ આખું જગત ફરજિયાતથી કરે છે, તેમાં એને વઢીએ કે આમ
કેમ કરે છે તે અણસમજણ જ છે. પેલાને વઢે તો તે વધારે કરશે, એને પ્રેમથી સમજાવો. પ્રેમથી બધા રોગ મટી જાય. શુદ્ધ પ્રેમ’ એ “જ્ઞાની પુરુષ' પાસેથી કે એમના “ફોલોઅર્સ
પાસેથી મળે ! ૨૧૦૨ આ “વિજ્ઞાન' પ્રેમસ્વરૂપ છે ! પ્રેમમાં કશું હોય નહીં. ક્રોધ
માન-માયા-લોભ કશું હોય નહીં. એ હોય ત્યાં સુધી પ્રેમ હોય
નહીં. ૨૧૦૩ ભગવાન પાસે બે વસ્તુની જરૂર છે : “શુદ્ધ પ્રેમ’ અને ‘સાચો
ન્યાય.' બીજે બધે સાપેક્ષ ન્યાય છે. જ્યાં “શુદ્ધ પ્રેમ' ને
“સાચો ન્યાય” છે ત્યાં ભગવાનની કૃપા ઊતરે છે ! ૨૧૦૪ “શુદ્ધ પ્રેમ એટલે વધે નહીં, ઘટે નહીં. ગાળો ભાંડીએ તો ઘટી
ના જાય ને ફૂલો ચઢાવીએ તો વધી ના જાય, એનું નામ “શુદ્ધ પ્રેમ'. “શુદ્ધ પ્રેમ' એ પરમાત્મા પ્રેમ ગણાય છે. એ જ સાચો
૨૧૦૬ જેટલો દ્વેષ જાય તેટલો “શુદ્ધ પ્રેમ’ ઉત્પન્ન થાય. સંપૂર્ણ દ્વેષ
જાય ત્યારે સંપૂર્ણ “શુદ્ધ પ્રેમ' ઉત્પન્ન થાય. આ જ રીત છે. ૨૧૦૭ “હું લઢવા કોઈને માગતો નથી, મારી પાસે તો એક જ પ્રેમનું
હથિયાર છે. હું પ્રેમથી જગતને જીતવા માગું છું. જગત જે સમજે છે તે તો લૌકિક પ્રેમ છે. પ્રેમ તો તેનું નામ કે તમે મને ગાળો દો તો હું “ડીપ્રેસ' ના થાઉં ને હાર ચઢાવો તો
એલીવેટ' ના થઉં !” સાચા પ્રેમમાં તો ફેર જ ના પડે. આ
દેહના ભાવમાં ફેર પડે પણ “શુદ્ધ પ્રેમમાં નહીં. ૨૧૦૮ આ સારું-ખોટું એ બુદ્ધિને આધીન છે. એનાથી દૂર થા,
અનાસક્તયોગ રાખ. “આત્મા'નો સ્વભાવ કેવો છે ?
અનાસક્ત’. ‘તું પણ સ્વભાવથી “અનાસક્ત' થઈ જા. ૨૧૦૯ “સનાતન સ્નેહ’ એ જ મોક્ષ. ૨૧૧૦ સ્ત્રી જોડે આકર્ષણ થાય છે તે “આસક્તિ' છે. પણ
આસક્તિમાં આત્મા ભળે તે “રાગ” છે. ૨૧૧૧ પરમાણુના આકર્ષણથી ઋણાનુબંધને લઈને ભેગા થાય છે,
તે આસક્તિ છે. આ આસક્તિને લીધે ધક્કા લાગે છે. ફરી
આસક્તિ આવે, અનાસક્ત થાય ત્યારે ઉકેલ આવે. ૨૧૧૨ જ્યાં આસક્તિ હોય ત્યાં આક્ષેપો થયા વગર રહે જ નહીં.
એ આસક્તિનો સ્વભાવ જ છે. ૨૧૧૩ જ્યાં પ્રેમ ના દેખાય ત્યાં મોક્ષનો માર્ગ જ નથી. જ્યાં ફી હોય
ત્યાં પ્રેમ ના હોય ! ૨૧૧૪ સંસારી પ્રેમ નામે ય ન હોય, એનું નામ પરમાર્થ પ્રેમ ! ૨૧૧૫ સામાનો ગોદો આપણને વાગી જાય તેનો વાંધો નથી, પણ
આપણો ગોદો સામાને ના વાગે એ આપણે જોવાનું. ત્યારે જ સામાનો પ્રેમ સંપાદન થાય !
ધર્મ છે !
૨૧૦૫ છેલ્લું સ્વરૂપ તે પ્રેમસ્વરૂપ છે ! આ પ્રેમલા-પ્રેમલીના પ્રેમ ત્યાં
ના ચાલે. ભગવાનનો તો “શુદ્ધ પ્રેમ’ હોય. જે વધે-ઘટે તે આસક્તિ કહેવાય. “શુદ્ધ પ્રેમ” માં વધ-ઘટ ના થાય.
Page #113
--------------------------------------------------------------------------
________________
૨૧૧૬ પ્રેમ સ્વરૂપ થશો ત્યારે લોકો તમારું સાંભળશે, ‘પ્રેમ સ્વરૂપ’ ક્યારે થવાય ? કાયદા-બાયદા ના ખોળો ત્યારે. જગતમાં કોઈના ય દોષ ન જુઓ ત્યારે.
૨૧૧૭ મમતા ના હોય ત્યારે જ ‘પ્રેમ સ્વરૂપ’ થઈ શકે. ૨૧૧૮ જગત આસક્તિને પ્રેમ ગણીને મૂંઝાય છે. સ્ત્રીને ધણી જોડે
કામ ને ધણીને સ્ત્રી જોડે કામ ! આ બધું કામથી ઊભું થયું છે ! કામ ના થાય તો મહીંથી બધાં બૂમો પાડે, હલ્લો કરે ! સંસારમાં એક મિનિટ પણ પોતાનું કોઈ થયું નથી. એક ‘જ્ઞાની પુરુષ' જ પોતાના થાય. તેથી ભગવાને કહ્યું, ‘જીવમાત્ર અનાથ છે.'
૨૧૧૯ સંસાર સ્વાર્થનો સગો છે. બધી ‘રિલેટિવ’ સગઈઓ છે. એક ‘જ્ઞાની પુરુષ’ એકલાની જ રિયલ સગઈ છે. એ તમારા પ્રત્યે અત્યંત કરુણાવાળા હોય. એ પોતે આત્મસ્વરૂપ થયેલા હોય તેથી તમારો ઉકેલ લાવી આપે !
૨૧૨૦ કરુણા એ સામાન્ય ભાવ છે ને એ બધે જ વર્ત્યા કરે કે ‘સાંસારિક દુઃખોથી આ જગત ફસાયું છે, તે દુઃખો કેમ કરીને જાય ?’
૨૧૨૧ ‘જ્ઞાની પુરુષ’નો ‘શુદ્ધ પ્રેમ’ જે વધે-ઘટે નહીં, એકધારો જ રહ્યા કરે, એનું નામ પરમાત્મા. એ ખુલ્લા પરમાત્મા છે અને ‘જ્ઞાની’નું જ્ઞાનસ્વરૂપ એ ‘સૂક્ષ્મ પરમાત્મા’ છે !
૨૧૨૨ ‘શાની’ઓનું જ્ઞાનસ્વરૂપ ઓળખવાનું છે. જગતને પ્રેમ સ્વરૂપે ઓળખવાનું છે.
૨૧૨૩ લૌકિક પ્રેમનું ફળ જ વેર છે !
૨૧૨૪ જ્યાં સુધી પરમાણુ મળતાં આવે ત્યાં સુધી અભેદતા રહે ને પછી વેર થઈ જાય. આસક્તિ હોય ત્યાં વેર હોય જ !
૨૧૨૫ વેર વધે નહીં ને વીતરાગ રહેવું, એનું નામ ‘ફાઈલોનો
સમભાવે નિકાલ.' વેર વધે નહીં એ તો સંસારના લોકોને ય આવડે. પણ ખરું તો વેર વધે નહીં ને વીતરાગ રહેવાય !
૨૧૨૬ જેને ભીખ સર્વસ્વ પ્રકારની ગઈ, તેને આ જગતનાં તમામ
સૂત્રો હાથમાં આપવામાં આવે છે ! પણ ભીખ જાય તો ને ! કેટલા પ્રકારની ભીખ હશે ? માનની ભીખ, લક્ષ્મીની ભીખ, કીર્તિની ભીખ, વિષયોની ભીખ, શિષ્યોની ભીખ, દેરાં બાંધવાની ભીખ, બધી ભીખ, ભીખ ને ભીખ છે ! ત્યાં આપણું દળદર શું ફીટે ?
૨૧૨૭ જેને સર્વસ્વ પ્રકારની ભીખ મટે, તેને ‘જ્ઞાની’નું પદ મળે ! ૨૧૨૮ સંપૂર્ણ ભીખ ગયા પછી જ આ જગત ‘જેમ છે તેમ’ દેખાય ! ૨૧૨૯ કંઈ પણ ઇચ્છા એ ભીખ છે. નિરીચ્છક હોય તે ‘જ્ઞાની’ કહેવાય.
૨૧૩૦ જે જશના ભૂખ્યા ના હોય, તેના ઉપર દેવલોકો રાજી થાય તેમ છે. આખું જગત આપણી પર રાજી થાય તેમ છે. પણ આપણી ભૂખને લીધે રાજી નથી.
૨૧૩૧ જેને આ પ્રાકૃત ફૂલાં જોઈએ છે, પ્રકૃતિ ફળવાળી જોઈએ છે,
એણે માતાજીની અવશ્ય ભક્તિ કરવી અને મોક્ષ જોઈએ તો આત્માની ભક્તિ કરવી. અને બેઉ જોઈતાં હોય તો બેઉ ભક્તિ કરવી.
૨૧૩૨ ‘જ્ઞાન’ વગરની ભક્તિ એ સંસારમાં ભૌતિક સુખો આપનારી છે ને ‘જ્ઞાન' સહિતની ભક્તિ એ ‘જ્ઞાન' કહેવાય, એ મોક્ષફળ આપે.
૨૧૩૩ માતાજી કોને પ્રગટ થાય ? સહજ સ્વભાવી થઈ જાય તેને. આ મન-વચન-કાયા સહજ સમાધિ સ્વરૂપ થઈ જાય ત્યારે
Page #114
--------------------------------------------------------------------------
________________
માતાજી આવ્યાં કહેવાય. આદ્યશક્તિ ઉત્પન્ન થઈ કહેવાય.
૨૧૩૪ ભક્તિ વગરનું ‘જ્ઞાન’ હોય જ નહીં કોઈ દહાડો. એ તો શુષ્કજ્ઞાન કહેવાય. એ સાચું જ્ઞાન ના કહેવાય.
૨૧૩૫ આપણા લોકો ભક્તિને લૌકિકમાં લઈ જાય છે. ભજનને ભક્તિ કહે છે. ભક્તિ, જ્ઞાન વગર હોય નહીં. ભક્તિ તે રૂપ બનાવે, જેની ભક્તિ કરો તે રૂપ !
૨૧૩૬ સમર્પણભાવ એ જ ભક્તિ છે. જ્ઞાનપૂર્વકનું સમર્પણ એ બહુ ઊંચી ભક્તિ છે ! અજ્ઞાનપૂર્વકનું સમર્પણ કર્યું હોય તો ય એ
ભક્તિ કહેવાય.
૨૧૩૭ સમર્પણ કોને કરવું ? જે આપણી ‘ઠેઠ’ સુધીની જવાબદારી લે તેને, જે તથારૂપ હોય તેને સમર્પણ કરવું. જે આપણને ‘વિરાટ પુરુષ’ લાગે તેને સમર્પણ કરવું. નહીં તો સમર્પણ કર્યાનો અર્થ નથી.
૨૧૩૮ ‘અહીં’ તો તમે જેવા ભક્ત છો એવો ‘હું’ પણ ભક્ત છું !
આ દેખાય છે તે ‘દાદા ભગવાન’ હોય. આ તો ‘એ.એમ.પટેલ’ છે, ભાદરણના પાટીદાર છે. મહીં ‘દાદા ભગવાન’ બેઠા છે. ‘હું’ પોતે જ ‘દાદા ભગવાન’નો જય જયકાર બોલાવડાવું છું ને ! એટલે ‘હું’ ય ભક્ત છું ને તમે ય ભક્ત છો !
૨૧૩૯ ‘દાદા ભગવાન' એ ભગવાન છે, ચૌદ લોકનો નાથ છે !!!
માગે એ વસ્તુ આપે એવો છે અત્યારે ! આ દેહ તો મંદિર થઈ ગયું છે અને ‘પબ્લિક ટ્રસ્ટ' છે. અને આ બોલે છે તે કોણ બોલે છે ? ‘ઓરિજનલ ટેપરેકર્ડ' બોલે છે ! ભગવાન બોલે કરે નહીં.
૨૧૪૦ તમે પોતે ય ભગવાન છો, પણ તમને તેનું ભાન નથી. પોતાના મનમાં એમ નક્કી થાય કે ‘હું ભગવાન છું પણ મને
એ પદ જડતું નથી.' એવું જો નક્કી થઈ જાય તો તો પછી વાંધો નથી. આ તો આને શંકા છે, હોઈશ કે નહીં, હોઈશ કે નહીં, હોઈશ કે નહીં.......' શાની શંકા છે ? તું ભગવાન જ છે ! તને તારું ભાન જતું રહ્યું છે !
૨૧૪૧ આ જગતનો ન્યાય કેવો છે ? કે જેને લક્ષ્મી સંબંધી વિચાર
ના હોય, વિષય સંબંધી વિચાર ના હોય, જે દેહથી નિરંતર છૂટ્ટો જ રહેતો હોય, તેને ભગવાન કહ્યા વગર નહીં રહે. ૨૧૪૨ તમે પોતે ભગવાન છો જ, પણ ભગવાનના ગુણ ઉત્પન્ન થયા નથી.
૨૧૪૩ જે ભગવાન તરફનું મોઢું કરે, એના તરફ ફરે તેને આનંદ અને પ્રકાશ મળે. ભગવાન બીજું કશું કરતાં નથી !
૨૧૪૪ કલ્પિતથી મનનો આનંદ થાય ને સાચાથી આત્માનો આનંદ
થાય.
૨૧૪૫ આનંદને અને શાંતિને કશી લેવા-દેવા નથી. શાંતિ પુદ્ગલને આધીન છે ને આનંદ તો આત્માનો સ્વભાવ છે.
૨૧૪૬ આનંદ અંદરથી આવવો જોઈએ. બહારથી, આંખોથી દેખીને આવે એવો ના જોઈએ. સનાતન આનંદ જોઈએ !
૨૧૪૭ સંસારના બધા રોગો આત્માના સ્વાભાવિક આનંદથી જતા રહે. શોકથી રોગ ઊભા થાય !
૨૧૪૮ આત્માનો સ્વભાવ જ આનંદવાળો છે. એટલે એને અશાતા
તો જોઈએ જ નહીં ને ! દરેક જીવમાત્રને અશાતા અનુકૂળ ના આવે. એટલે એ ત્યાંથી ખસી જાય ! આપણે તો છેલ્લી વાત પકડવી. અનુકૂળ ને પ્રતિકૂળ એક જ કરી નાખો. ૨૧૪૯ મૂળ આત્મા તો દરેકને નિર્દોષ જુએ. એને સારું-ખોટું હોય
Page #115
--------------------------------------------------------------------------
________________
નહીં. નિર્દોષ જુએ ત્યાં આનંદ પ્રગટે. ૨૧૫૦ આ ભૌતિક છે એ કોઈ દહાડો આત્મા થવાનો નથી. આત્મા
છે એ કોઈ દહાડો ભૌતિક થવાનો નથી. બંને નિરાળી વસ્તુ
છે. ૨૧૫૧ પુદ્ગલનો સ્વભાવ જ પૂરણ-ગલનનો છે. સુંવાળું ગમતું કર્યું
તે પાછું કરકરું થઈને આવશે, એટલે આપણે તો કરકરા જોડે જ “ફ્રેન્ડશીપ’ બાંધી લઈએ. નહોતું ગમવાનું તેને જ ગમતું કરી નાખીએ. આત્માને તો અનંત પાસાં છે, જે પાસાંનો
ફેરવ્યો તે પાસાંનો તેવો થઈ જાય. ૨૧૫૨ કડવું ફળ મીઠું છે અને મીઠું કડવું છે એવું જો સમજી જઈશ
ત્યારે મોક્ષે જઈશ ! ૨૧૫૩ મીઠા સંબંધવાળા ગોથું ખવડાવી દે. ૨૧૫૪ જગતની “ધોલો' ખાજો. એમાં આત્માનો સ્વાદ છે. આપવામાં
સ્વાદ નથી. આપીને તો ઊભું થયું છે આ ! ૨૧૫૫ નક્કર થયો ત્યાંથી જ પોતે પરમાત્મા થયો ! નક્કર થયો
ત્યાંથી જ સ્વતંત્ર થયો ! ૨૧૫૬ ધી ઈસેન્સ ઓફ ધ વર્લ્ડ ઈઝ સચ્ચિદાનંદ. ૨૧૫૭ જ્યાં સચ્ચિદાનંદ નથી ત્યાં બધે જ રાત છે ! ૨૧૫૮ આ સચ્ચિદાનંદ શબ્દ બોલવાથી ઘણી ‘ઈફેક્ટ' થાય છે.
સમજ્યા વગર બોલે તો ય “ઈફેક્ટ' થાય ! સમજીને બોલે તો તો ઘ જ લાભ થાય. આ શબ્દો બોલવાથી સ્પંદનો થાય
છે ને બધું વલોવાય છે. બધું “સાયન્ટિફિક' છે ! ૨૧૫૯ લાભને જુઓ એનું નામ વીતરાગ વિજ્ઞાન અને ખોટને જુઓ
એ સંસાર ભટકવાનું જ્ઞાન !
૨૧૬૦ “જ્ઞાની'ની સંજ્ઞા એ ધ્રુવકાંટો હોય તે ઠેઠ પહોંચાડી દે અને
લોકસંજ્ઞા એ ધૃવકાંટો હોય તે સંસારમાં રઝળપાટ કરાવે ! ૨૧૬૧ અમને કોઈની જોડે મતભેદ પડ્યો નથી. કારણ કે “જ્ઞાની'ની
ભાષા જુદી ને અજ્ઞાનીની ભાષા જુદી. “જ્ઞાનીની ‘રિયલ'
ભાષા ને અજ્ઞાનીની ‘રિલેટિવ' ભાષા છે. ૨૧૬૨ “જ્ઞાની'ની ભાષામાં કોઈ મરતું જ નથી ને અજ્ઞાનીની
ભાષામાં બધા મરી જાય છે. અજ્ઞાની કાંણો કર્યા કરે ને
‘જ્ઞાની’ ‘જોયા કરે ! ૨૧૬૩ જાણવાનું તે ના જાણ્યું ને ના જાણવાનું તે જાણ્યું, તેણે જ
આપણને રડાવ્યા છે. આનાથી બોજો વધે છે ! ૨૧૬૪ જયાં “જ્ઞાન” નથી ત્યાં સંસાર છે ને જયાં “જ્ઞાન” છે ત્યાં
સંસાર નથી. ૨૧૬૫ વસ્તુ દુ:ખ નથી દેતી, અજ્ઞાનતા દુઃખ દે છે. ૨૧૬૬ સર્વ ‘ધૂ પોઈન્ટ'થી જોવું, એનું નામ “જ્ઞાન”. ૨૧૬૭ જે “જ્ઞાન” અનાત્મામાં ભેળા જ નથી થવા દેતું એ “જ્ઞાન',
એ જ આત્મા છે ! ૨૧૬૮ ‘જ્ઞાન’ પોતે જ મુક્તિ છે !મોક્ષમાં રાખે, બંધન થવા ના દે !! ૨૧૬૯ ‘વિશેષ જ્ઞાન'થી ડખો થાય, ‘સામાન્ય જ્ઞાનથી વીતરાગતા
થાય. ૨૧૭૦ “જ્ઞાન” એટલે ગુરુની અનુભવ વાણી. ૨૧૭૧ હરેક ટાઈમે હાજર રહે અને હરેક ટાઈમે ચેતવે, એનું નામ
“જ્ઞાન” કહેવાય. એ જ આત્મા છે. આત્મા જ્ઞાનથી જુદો નથી. ૨૧૭૨ લૌકિક જ્ઞાનનું નામ જ ભ્રાંતિ.
Page #116
--------------------------------------------------------------------------
________________
૨૧૭૩ લૌકિક જ્ઞાન બુદ્ધિથી સમજાય. અલૌકિક જ્ઞાન બુદ્ધિથી ના
સમજાય. એ “જ્ઞાન'થી સમજાય. ૨૧૭૪ લૌકિક-ઈન્દ્રિયગમ્ય. અલૌકિક-અતીન્દ્રિયગમ્ય. ૨૧૭૫ લોકને સ્પર્શે નહીં એ વાતો અલૌકિક કહેવાય. ૨૧૭૬ લોકો કહે છે એ વાત ખોટી નથી, લૌકિક છે. લોક છે ત્યાં
લૌકિક હોય જ અને અલૌકિક વાત આ લૌકિક વાતથી તદ્દ જુદી જ છે. આજ સુધી જાણ્યું તે બધું જ અલૌકિક જ્ઞાનમાં
ખોટું છે. માટે આજથી એના પર માર ચોકડી ને મેલ મીડું ! ૨૧૭૭ જ્યાં ‘ઉપરી’ નહીં, “અંડરહેન્ડ' નહીં એવો આ વીતરાગોનો
મોક્ષ “મને' ખપે છે. ૨૧૭૮ સંસાર તો કેવો છે ? શાક કરી ખાય, કાચી કેરી હોય તો છૂંદો
કરી ખાય ને પાકી હોય તો રસ ચૂસી જાય. એટલે આ લોકનું બહુ વસમું છે. એના કરતાં અહીં સત્સંગમાં પડી રહે તોય
પોસાય. ૨૧૭૯ સંસાર એટલે આકુળતા ને વ્યાકુળતા. શી રીતે ગમે છે એ
જ અજાયબી છે ! ૨૧૮૦ સંસારનો સ્વભાવ જ આવો છે ને ! આપણે જાણીએ કે
પૈડપણમાં સુખ આવશે. ત્યારે પૈડપણમાં કેડો ફાટે ને જંપીને બેસવા ના દે. તેથી મોક્ષ ખોળે છેને લોક, કે આપણે આપણા
સ્થાનમાં જઈએ, પછી કશી ઉપાધિ નહીં ને ! ૨૧૮૧ અનંત અવતાર ભટક ભટક કરે ત્યારે કો'ક ફેરો મનુષ્યનો
અવતાર આવે. તેમાં કેડો ફાટે. થાળી મૂકી હોય તો ય ખાવા ના દે એવાં અંતરાય હોય છે ! એવું છે આ ! માટે જોઈ
વિચારીને પગલું ભરવું. ૨૧૮૨ સંસાર છે ત્યાં સુધી દેહ મળવાનો ને દેહ છે ત્યાં સુધી જંજાળ
રહેવાની. ૨૧૮૩ સીત્તેર વરસથી દાંત ઘસ ઘસ કરીએ છીએ તો ય ચોખ્ખા ના
થયા તો તે વસ્તુ સાચી કે જૂઠી ? ૨૧૮૪ સંસારનું સ્વરૂપ કેવું છે ? જગતના જીવમાત્રમાં ભગવાન
રહેલા છે એટલે કોઈપણ જીવને કંઈ પણ ત્રાસ આપશો, દુઃખ આપશો તો અધર્મ ઊભો થશે. અધર્મનું ફળ તમારી ઇચ્છા
વિરુદ્ધ છે ને ધર્મનું ફળ તમારી ઇચ્છા પ્રમાણે છે. ૨૧૮૫ કોઈને “ઓબ્લાઈજ' કરશો તો તમારી ઇચ્છા પ્રમાણે થશે
અને કોઈને નુકસાન કરીશું તો ઇચ્છા વિરુદ્ધ થશે. ૨૧૮૬ જગત અરીસા જેવું છે, જેવું રૂપ હોય તેવું દેખાડે. ખામી હોય
તો ખામી દેખાડે. ૨૧૮૭ રસ્તામાં જતાં ભૂલા પડ્યા હોય તો રસ્તાના ભોમિયાને પૂછે
તો રસ્તો જડે. તેમ આ લોકો મોક્ષે જતાં રસ્તામાં ભૂલા પડ્યા છે. તેમને મોક્ષનો ભોમિયો મળે તો ઉકેલ આવે. ‘અમે’
મોક્ષના ભોમિયા છીએ ! ૨૧૮૮ જગતના ધર્મો અબંધને બંધ માને છે અને જેનાથી બંધ થાય
છે તેનું તેમને ભાન નથી. ૨૧૮૯ ‘પોતે કોણ છે એવું જાણે, ત્યારથી એને ‘અબંધ દશા’ ઉત્પન
થાય. ૨૧૯૦ આખા જગતે સત્કાર્યોની ઉપાસનાને ધર્મ માન્યો છે. સત્કાર્યો
એ લૌકિક ધર્મ કહેવાય છે. ૨૧૯૧ લોકો સત્કાર્યને ય જાણતા નથી. આ તો ઉદય કર્મ કરાવડાવે
છે, પ્રકૃતિ પરાણે કરાવડાવે છે. એમાં તારું શું? સત્કાર્ય કરવાં એ ય ફરજિયાત છે !
Page #117
--------------------------------------------------------------------------
________________
૨૧૯૨ અધ્યાત્મમાં ઊતર્યો ક્યારે કહેવાય? “હું આનાથી કંઈક જુદો
છું' એવો એને ભાસ પડે ત્યારથી અધ્યાત્મ શરૂ થાય. અને
દેહાધ્યાસ જાય ત્યારે અધ્યાત્મ પૂરો થઈ ગયો ! ૨૧૯૩ ‘રિલેટિવ' ધર્મની જરૂર ખરી. જ્યાં સુધી ‘રિયલ' પ્રાપ્ત ના
થાય ત્યાં સુધી ‘ડેવલપ થવા માટે, ખંડઈ, ખંડઈને વધે, તેમ તેમ બુદ્ધિ વધે. જેમ બુદ્ધિ વધે તેમ બળાપો વધતો જાય ને
બળાપો સહન જ ના થાય ત્યારે મોક્ષ ખોળે ! ૨૧૯૪ ચિંતા - ‘વરીઝ', દુઃખ એ અધ્યાત્મનું ડેવલપમેન્ટ' કરવા
માટે “હેલ્ડિંગ’ છે. ૨૧૯૫ વડોદરેથી મુંબઈ આવવું હોય તો દક્ષિણ દિશાનાં બધાં ચિહ્નો
ગમે અને દિલ્હી જવું હોય તો ઉત્તર દિશાનાં ચિહ્નો બધાં ગમે. પોતાને શું ગમે છે' એ ઉપરથી ક્યો રસ્તો પકડ્યો છે તે હાથમાં આવી જાય. અનેક જાતના રસ્તા છે, એક રસ્તો નથી. જેટલાં ભેજાં તેટલાં રસ્તા છે, એ બધા બુદ્ધિમતના છે. બુદ્ધિમતનું સંચાલન છે ત્યાં રઝળપાટ છે. એક વીતરાગનો
મત એકલો જ “સેફ સાઈડ'નો છે ! ૨૧૯૬ અધ્યાત્મ જ્યાં હોય ત્યાં તમે આરાધના કરો, તો અધ્યાત્મ
પ્રાપ્ત થાય એવું છે. યથાર્થ અધ્યાત્મ હોય ત્યાં વિષયની બાબત ના હોય ; ચોરી, હિંસા, જૂઠ, પરિગ્રહ ના હોય. જ્યાં આ ના
હોય ત્યાં તમે બેસો તો તમારાથી આગળ વધી શકાય. ૨૧૯૭ અધ્યાત્મ એ એવો માર્ગ છે કે જ્યાં ભૌતિક સુખોની આશા
ઓછી કરતું કરતું જવાનું છે ! અને અંતે ત્યાં પોતાનું સ્વયંસુખ ઉત્પન્ન થાય ! પોતાનું સાચું સુખ, સનાતન સુખ ઉત્પન્ન
થાય !!! ૨૧૯૮ “જ્ઞાનીની કૃપા' મોક્ષે લઈ જાય ને “ભગવાનની કૃપા'
સંસારનાં ભૌતિક સુખો આપે. ભગવાન મોક્ષે ના લઈ જાય.
કારણ કે ભગવાન, “જ્ઞાની’ વગર ઓળખાય નહીં ને ?! તે
ગુપ્તવેષ રહે ! ૨૧૯૯ જગતના બધા ધર્મનાં તમામ પુસ્તકો ભેળાં કરે, એ ધારણ કરે
તો ધર્મ ધારણ થાય ! એ ધારણ કરેલો ધર્મ સો ટકા મજબૂત થઈ જાય ત્યારે “મર્મ' નીકળવાની શરૂઆત થાય !! એ મર્મ
જ્યારે સો ટકા મજબૂત થાય ત્યારે “જ્ઞાનાર્ક' નીકળવાનો શરૂ થાય !!! તે “જ્ઞાનાર્ક' આપણે “અહીં’ ડાયરેક્ટ પાઈ દઈએ
છીએ !! ૨૨૦૦ જગતનું જે વિજ્ઞાન છે તે ક્રમિક છે, “સ્ટેપ બાય સ્ટેપ આગળ
વધવાનું - પગથિયાં ચઢવાનું ! અને આ તો અક્રમ વિજ્ઞાન ! દસ લાખ વર્ષે ઉત્પન થયેલી વસ્તુ છે આ !! એમાં તો ‘લિફટ'માં જ જવાનું. પગથિયાં ચઢવાની મહેનત જ નહીં. પછી નિરંતર સમાધિમાં જ રહેવાય ! આધિ, વ્યાધિ ને
ઉપાધિમાં નિરંતર સમાધિ ! ૨૨૦૧ પાકો એનું નામ કે ધર્મ પ્રાપ્ત થયા પછી એમાં જરાય કચાશ
ના રાખે ! ૨૨૦૨ ધર્મ તો તદન તલવારની ધાર જેવો છે, ત્યાં પોલમ્પોલ ના
ચાલે. ૨૨૦૩ વિરોધાભાસ વર્તન કરવું એનું નામ અધર્મ ને અવિરોધાભાસ
વર્તન કરવું એનું નામ ધર્મ. ૨૨૦૪ ધર્મ એટલે ધ્યેય પ્રાપ્ત કરવાની સાધના. ૨૨૦૫ આત્મધર્મ કોના માટે છે ? જે કોઈથી ય અંજાય નહીં. ભડક
કોઈની કેમ લાગવી જોઈએ? જો ભડક કોઈની લાગે તો તે
અંજાયેલો કહેવાય. ૨૨૦૬ કોઈ પણ જાતની લાગણી એ “રીએક્શનરી' છે અને નિર્ભેળ
Page #118
--------------------------------------------------------------------------
________________
લાગણી હોઈ શકે નહીં. લાગણી એ પૌગલિક વસ્તુ છે. લાગણી જ રાખવાની નહીં, શુદ્ધ પ્રેમ જ રાખવાનો છે. તમે ને હું એક જ છીએ એમ રાખવાનું. “શુદ્ધ પ્રેમ' એવી વસ્તુ છે કે કોઈની જોડે કિંચિત્માત્ર “ઈફેક્ટિવ' ના હોય. લાગણી જડ છે, તેથી ઈફેક્ટિવ' થાય છે. “શુદ્ધ પ્રેમ’ ચેતન છે !
ઈનઈફેક્ટિવ' છે. ૨૨૦૭ આ જગતમાં આત્મા સિવાય જે કંઈ પણ પ્રિય કરવા ગયો,
એ વિષય થઈ પડે. એને પ્રિય ગણ્યું ત્યાંથી જ આવરણ ફરી
વળે. એટલે એની અપ્રિયતા ક્યારેય ના દેખાય. ૨૨૦૮ કર્તાપણાની ‘રોંગ બિલિફ' તૂટશે તો આશ્રિત જ નહીં પણ
સર્વસ્વ છો. ૨૨૦૯ નિરાશ્રિતમાંથી આશ્રિત થશે, તો જ પરમાત્મા થશે ! ૨૨૧૦ મહલો તાપ, બહારનો તાપ, ત્રિવિધ તાપથી જગત પીડાઈ
રહ્યું છે ! મહીંલો તાપ બંધ થઈ ગયા પછી રહ્યું શું? મહીલા તાપ કર્મ બંધાવે ને બહારનો તાપ છોડાવે છે, નિર્જરા આપે
૨૨૧૫ આ બધાં શાસ્ત્રો બ્રહ્મને જાણવા માટે લખ્યાં છે. અને બ્રહ્મ
પ્રાપ્તિ થઈ નહીં ને અનંત અવતારથી ભટક, ભટક, ભટક, ભટક કરે છે. પોતાનું અજ્ઞાન જાય નહીં, ત્યાં સુધી ઉકેલ આવે નહીં. આ તો બધી કલ્પના છે. લોકોએ જે કલ્પના
ચીતરી છે તે કલ્પનાનો પાર નથી આવે એવો ! ૨૨૧૬ વાંચવાથી વિકલ્પ ના જાય, જાણવાથી વિકલ્પ જાય ! ૨૨૧૭ શાસ્ત્રો જાણવા માટે લખ્યાં છે. જે જાણવા માટે હોય, તે
કરવા માટે ના હોય. ‘મારાથી થતું નથી, મારાથી થતું નથી' એમ કરી નાખ્યું છે. “ઝેર ખાવાથી મરી જવાય છે” એ જ્ઞાનને તું જાણ, બીજું કરવાનું નથી. જે જ્ઞાન ક્રિયામાં આવે તે સાચું.
જે જ્ઞાન વર્તનમાં ના આવે તેને શું કરવાનું? ૨૨૧૮ શાસ્ત્રીય જ્ઞાન અચેતન હોય છે, છતાં ચેતન તરફ લઈ જાય
છે અને “જ્ઞાની'નું જ્ઞાન ચેતન હોય છે. “જ્ઞાની'નું જ્ઞાન મળે
એટલે એ જ્ઞાન જ કામ કર્યા કરે. ૨૨૧૯ શબ્દથી આત્મા જાણે ત્યારથી ફાયદો થવાની શરૂઆત થાય.
શાસ્ત્રમાં શબ્દ આત્મા હોય. દરઅસલ આત્મા “જ્ઞાની'માં
૨૨૧૧ આરોપિત ભાવ એ કર્મ અને ભોગવટો તે કર્મફળ. આરોપિત
ભાવને જ અહંકાર કહે છે ! ૨૨૧૨ આ સંસારમાં ‘આરોપિત ભાવ” એ જ મોટામાં મોટો ગુનો
૨૨૧૩ ક્યારેય ગમ ના પડે, ગમ પડી હોય તે ય જતી રહે, એવો
આ અગમ ને અગોચર પંથ છે મોક્ષનો ! ૨૨૧૪ ‘પોતાના સ્વરૂપની અજ્ઞાનતા' એ જ સંસારનું કારણ છે.
શાસ્ત્રોની અજ્ઞાનતા જાય, એમાં ફળ મળે નહીં. “પોતાના સ્વરૂપનું ભાન થયું એટલે થઈ ગયું ! ખલાસ થઈ ગયું !!!
૨૨૨૦ આ પુસ્તકની અંદર કેન્ડલ(મીણબત્તી) ચીતરેલું હોય તો એનું
અજવાળું આવે ખરું ? કાગળ પર ચીતરેલું હોય તો કશું વળે નહીં. આત્મા તો “જ્ઞાની પુરુષ'ની પાસે જ જાણવા જેવો છે !
તારે આત્મા જાણવો હોય તો “જ્ઞાની પુરુષ' પાસે જા. ૨૨૨૧ આત્મા અનુભવેલો જોઈએ, શાસ્ત્રજ્ઞાનથી જાણેલો ના ચાલે.
શાસ્ત્રજ્ઞાનથી નિવેડો નથી, અનુભવજ્ઞાનથી નિવેડો છે ! ૨૨૨૨ ‘ફેક્ટ વસ્તુ'ના તો એક વાક્યમાં અનંત શાસ્ત્રોનો સાર ભરેલો
હોય !
Page #119
--------------------------------------------------------------------------
________________
ઊભો થઈ ગયો છે. “જ્ઞાની દ્રષ્ટિભેદ કરી આપે. ૨૨૩૩ સમકિત એ કોઈ વસ્તુ નથી. એ તો દ્રષ્ટિ છે ! મિથ્યાત્વ દ્રષ્ટિ
અવળું દેખાડે ને સમકિત દ્રષ્ટિ અવળાને સવળું કરી નાખે. ૨૨૩૪ ઇન્દ્રિય દ્રષ્ટિ રાગ-દ્વેષ કરાવે, સમકિત દ્રષ્ટિ “શુદ્ધાત્મા' જ
જુએ. ૨૨૩૫ જે કાયમની અસ્થિર સ્વભાવનો છે તેને લોક સ્થિર કરવા
પ્રયત્ન કરે છે. દ્રષ્ટા કે જે કાયમ સ્થિર જ છે તેના તરફ દ્રષ્ટિ પડે તો બધું જ સ્થિર થઈ જાય ! આપણું “જ્ઞાન” જોયોમાં ફર્યા કરે છે. એ જ “જ્ઞાન' જ્ઞાતામાં પડે, તો પોતાનું' થઈ જાય
૨૨૨૩ પંડિત એટલે શાસ્ત્રનો ઝીણામાં ઝીણો અર્થ કરે છે. અને
શાસ્ત્રજ્ઞાની એટલે શાસ્ત્રોનો સાર કાઢે છે ! ૨૨૨૪ શાસ્ત્ર લખવાનું પ્રયોજન શું? એ થર્મોમીટર છે. “શાસ્ત્રમાં
લખ્યું છે તે સાચું છે ને આપણે કહીએ છીએ એ ખોટું છે'
એટલું જાણવા માટે છે ! ૨૨૨૫ શાસ્ત્રો એક માણસને અનુલક્ષીને લખેલાં ના હોય. એ તો
બધાંને અનુલક્ષીને લખેલાં હોય. દેવગતિ માટે, મનુષ્યગતિ
માટે અને મોક્ષ માટે તો ટૂંકું ને ટચ શાસ્ત્રમાં હોય. ૨૨૨૬ આ ડૉકટરી’ પુસ્તકો જાડાં જાડાં હોય છે તે લોકોને શું
કામનાં? ચાર આનામાં ય કોઈ ના લે. જ્યારે ખરી કિંમત
જ “ડૉકટર' કરે ! જ્ઞાનનાં પુસ્તકો એવાં છે ! ૨૨૨૭ શાસ્ત્રમાં મોક્ષ નથી, આત્મામાં મોક્ષ છે. ૨૨૨૮ શાસ્ત્રોમાં બધું મૂર્ત જ્ઞાન છે ને અમૂર્ત જ્ઞાન તો અમૂર્ત ભાષામાં
હોય. જે ઇન્દ્રિયોથી દેખાય એ બધું જ મૂર્તજ્ઞાન છે ! ૨૨૨૯ ચાર વેદ પૂરા થાય, ધારણ થાય પછી છેવટે વેદ ‘ઈટસેલ્ફ'
શું કહે છે ? ધીસ ઈઝ નોટ ધેટ, ધીસ ઈઝ નોટ ધેટ (નેતિ નેતિ). તું આત્મા ખોળે છે તે આમાં નથી. “ગો ટુ જ્ઞાની’
(જ્ઞાની પાસે જા). ૨૨૩૦ આત્માનું લક્ષ બેસવું એ ચાર વેદથી પર છે. ૨૨૩૧ વેદ જ્ઞાનસ્વરૂપ છે ને ભગવાન વિજ્ઞાનસ્વરૂપ છે. ૨૨૩૨ શાસ્ત્ર શું છે? શબ્દરૂપ છે. એ શબ્દો છે તેનો અર્થ ખૂલતાં
ખૂલતાં શબ્દાર્થ થાય છે. પછી અર્થ આગળ વધે છે. તે અર્થ ખૂલતાં ખૂલતાં પરમાર્થને પહોંચે છે. ત્યાં સુધી દ્રષ્ટિ પહોંચી જાય છે. પણ શાસ્ત્રથી દ્રષ્ટિ બદલાશે નહીં. દ્રષ્ટિ બદલવા માટે તો ‘જ્ઞાની પુરુષ' જોઈશે. ‘આ’ દ્રષ્ટિને લઈને જ સંસાર
૨૨૩૬ મોક્ષ સહજ છે, સરળ છે, સુગમ છે, પણ પ્રાપ્તિ દુર્લભ છે.
કારણ કે મોક્ષસ્વરૂપ પુરુષ પ્રાપ્ત હોવાં જોઈએ ! ૨૨૩૭ દરેક વસ્તુને પોતાના સ્વભાવમાં જવા માટે મહેનત નથી હોતી.
વિશેષભાવમાં લઈ જઈએ ત્યારે મહેનત થાય. પાણીને ગરમ કરવું હોય તો કેટલી બધી મહેનત કરવી પડે છે ? અને ઠંડું કરવું હોય તો ? કશું જ કરવું ના પડે. કારણ કે એ એનો સ્વભાવ જ છે ! એવી રીતે આત્મા મોક્ષસ્વરૂપ છે, સ્વાભાવિકપણે. એટલે “જ્ઞાની પુરુષ' કપા ઉતારી રસ્તો કરી આપે. “જ્ઞાની”ની આજ્ઞામાં રહેવાથી મોક્ષ થાય, કોઈ જાતની મહેનત નહીં કરવાની. મહેનતથી આ સંસાર ઊભો થાય. જપ કર્યા હતા,
તપ કર્યા હતા. તેને તો આ બધું ફળ મળે છે. ૨૨૩૮ મહેનતનું ફળ સંસાર અને સમજણનું ફળ મોક્ષ. ૨૨૩૯ વધારેમાં વધારે અઘરો અધર્મ, એનાથી ઓછામાં ઓછો
અઘરો ધર્મ અને બિલકુલ મહેનત નહીં એ મોક્ષ ! ૨૨૪૦ ખુદાની સાથે એક થવું એમાં મહેનત નથી. ખુદાથી જુદા પડવું
Page #120
--------------------------------------------------------------------------
________________
એમાં મહેનત છે !
૨૨૪૧ ‘જ્ઞાની પુરુષ’ મળે તો મોક્ષ અઘરો નથી. એ ના મળે ને મોક્ષ મળશે એમ માનવું ભૂલ છે !
૨૨૪૨ મોક્ષ તો સ્વભાવ જ છે પોતાનો ! જ્ઞાન-દર્શન-ચારિત્ર સમ્યક્ થાય, એનું નામ મોક્ષ.
૨૨૪૩ વીતરાગોનો મોક્ષ કોને કહેવાય છે ? દેહધારીરૂપે દુઃખ સ્પર્શ ના કરે, એટલે સાંસારિક સુખે ય સ્પર્શ ના કરે ! સ્વાભાવિક સુખ ઉત્પન્ન થયા કરે.
૨૨૪૪ અજ્ઞાનથી મુક્તિ થઈ, એનું નામ મોક્ષ.
૨૨૪૫ અનંત અવતારથી મોક્ષનું નિયાણું કર્યું છે. પણ બરાબર પાકું નિયાણું કર્યું નથી. જો મોક્ષ માટેનું જ પાકું નિયાણું કર્યું હોય તો બધી પુણ્યે તેમાં જ વપરાય.
૨૨૪૬ આ જગત આખું દુઃખથી જ સપડાયેલું છે. શાનું દુઃખ છે ? અજ્ઞાનતાનું. અજ્ઞાનતાથી રાગ-દ્વેષ થયા કરે છે ને તેનાથી આ દુઃખ છે. ‘જ્ઞાન’થી જ દુઃખનો અભાવ વર્તે. બીજો કોઈ ઉપાય
જ નથી.
૨૨૪૭ દુઃખનો અભાવ એ પહેલો મોક્ષ. દેહનો, બધાનો અભાવ થવો
એ બીજો મોક્ષ !
૨૨૪૮ આ જગત પ્રવાહમાં કોઈને આરસનો રસ્તો આવીને ઊભો રહ્યો હોય, કોઈને કાંટાનો રસ્તો આવીને ઊભો રહ્યો હોય, કોઈને ડામરનો રસ્તો આવીને ઊભો રહ્યો હોય, પણ દરેકને રસ્તા ઓળંગવા તો પડે જ ને ?!
૨૨૪૯ આખો સંસારમાર્ગ મોક્ષમાર્ગ જ છે ! જીવો ઉત્તરોત્તર, ક્રમે ક્રમે વર્ધમાન થાય જ છે. આ મનુષ્યમાં આવીને ફક્ત ગૂંચાય છે, કારણ કે મનુષ્યગતિ એ કર્મ બાંધવાની જગ્યા કહેવાય.
જાતજાતનાં કર્મ બાંધે !
૨૨૫૦ સંસાર એટલે નિરંતર પરિવર્તન થયા જ કરે ! એમાં ‘આમ થઈ જશે કે તેમ થઈ જશે' એમ કરવાની શી જરૂર ? આજે ભાવ દેખાડે ને કાલે અભાવ દેખાડે એના પર મોહ શો ?
ત્રિકાળી વસ્તુ કે જે પોતાનું ‘સ્વરૂપ’ છે એના પર મોહ કરવા જેવો છે અને ‘સ્વરૂપનું ભાન’ કરાવી આપનાર ‘જ્ઞાની પુરુષ’ એમના ઉપર ભાવ કરવા જેવો છે. એમનામાં ક્યારેય ફેરફાર
ના થાય.
૨૨૫૧ સંસાર અવસ્થામાં આત્મા સંકોચ-વિકાસનું ભાજન છે ને મોક્ષ અવસ્થામાં એકસરખો છે !
૨૨૫૨ સાંસારિક ભાવોમાં તન્મયતા નહીં એ મુક્ત ભાવ, એ જ મોક્ષ છે. દુનિયાનો કોઈ ભાવ એને બાંધે નહીં, તે મોક્ષ. ૨૨૫૩ મુક્તિ એ જ એક આ જગતનું સારભૂત છે.
૨૨૫૪ મોક્ષનો અધિકારી કોણ ? જેનું મન જેવું વિચારે એવું જ વાણીથી બોલે અને એવું જ વર્તનથી કરે, એવો થઈ ગયા પછી મોક્ષનો અધિકારી થવા માંડે !
૨૨૫૫ સંસારના ૨સો પ્રત્યે જેને કંટાળો આવે છે તે મોક્ષનો અધિકારી.
૨૨૫૬ ‘અક્રમ’માં તો અમે કોઈની પાત્રતા જોતાં જ નથી. એમ જોઈએ તો આ કાળમાં કોઈ પાત્ર છે જ નહીં !
૨૨૫૭ ભગવાને કહ્યું કે, મોક્ષ હથેળીમાં છે, અજ્ઞાન ગયું તો. ૨૨૫૮ અજ્ઞાન જાણવું અઘરું છે, ‘જ્ઞાન’ જાણવું સહેલું છે ! અજ્ઞાનનો પાર આવે એવો નથી !
૨૨૫૯ અજ્ઞાનમાં પેસવા ના દે, એનું નામ ‘જ્ઞાન’. અજ્ઞાન ઊભું
Page #121
--------------------------------------------------------------------------
________________
થવાનું થાય કે ‘જ્ઞાન’ હાજર થઈ જાય અને કહે ધીસ ઈઝ ધેટ' !
૨૨૬૦ ‘જ્ઞાન’માં રહે એટલે અજ્ઞાન ભૂલી જાય. માણસ એક જગ્યાએ રહી શકે.
૨૨૬૧ વિદ્યા-અવિદ્યા એ અહંકારી જ્ઞાન છે અને નિર્અહંકારી જ્ઞાન એ ‘જ્ઞાન’.
૨૨૬૨ આત્મા અને જ્ઞાન ભીડમાં હોય હંમેશાં. એકાંતમાં હોય નહીં. એકાંતમાં શાંતિ હોય, જ્ઞાન નહીં.
૨૨૬૩ આપણો વિનય એવો હોવો ઘટે કે અપરાધક જીવ અન્
અપરાધક થાય.
૨૨૬૪ અવિનય સામે વિનય કરવો, તે ગાઢ વિનય કહેવાય. અવિનયી બે ધોલો મારે ત્યારે પણ વિનય સાચવવો તે પરમ અવગાઢ વિનય કહેવાય !
૨૨૬૫ ભગવાનના સ્વભાવે સ્વભાવ થઈ જાય ત્યાં સુધી આપણે પરમ વિનય રાખવો જોઈએ.
૨૨૬૬ વિનય એટલે વિશેષ નય. આ જગતના બધા જ નય તે સંસાર માટેના છે અને વિશેષ નય તે મોક્ષે લઈ જનાર છે. વિનય એક જ એવો છે કે જે મોક્ષે લઈ જઈ શકે.
૨૨૬૭ ‘હું શુદ્ધાત્મા છું’ એ ભાવ શુદ્ધ ભાવ છે અને એ જ પરમ વિનય છે !
૨૨૬૮ પરમ વિનય એ પ્રજ્ઞા ભાગ છે. ભગવાનની ધાતુ મિલાપ થાય ત્યાં સુધી પરમ વિનય રહેવો જોઈએ.
૨૨૬૯ આ પરમ વિનયવાળો માર્ગ છે. પરમ વિનય એટલે શું ? કિંચિત્માત્ર હરકત ના કરે, ઊલટું તમને અહીં આગળ
બેસવાની જગ્યા કરી આપે.
૨૨૭૦ મન બગડેલું ના હોય, વાણી બગડેલી ના હોય, વર્તન બગડેલું ના હોય, એ પરમ વિનય.
૨૨૭૧ પરમ વિનયી હોય તે આબરૂદાર ! બીજે આબરૂ છે જ ક્યાં ? કળિયુગમાં આબરૂ રહેતી હશે કોઈની ? પરમ વિનય એ આબરૂ છે. લોકોનો વિનય દેખીએ ને આપણે અવિનયી થઈએ એ આપણી આબરૂ કહેવાય ?
૨૨૭૨ અમારી પાસે અવિનય કરો તેનો અમને વાંધો નથી, પણ તમે તમારી જાત પર અંતરાય પાડી રહ્યા છો. તમે અમને ગાળ
ય
ભાંડો છો તે ય અમને વાંધો નથી, પણ તમે પોતાની જાતને જ નુકસાન કરી રહ્યા છો. અહીં તો બહુ જ વિનય જોઈએ, પરમ વિનય જોઈએ !
૨૨૭૩ અહીં આડું ટેડું ના ચાલે. સહેજ વિનયમાં ખામી આવે તો મોક્ષ ઊડી જાય. પરમ વિનય એટલે આંતરિક વિનય જોઈએ. બહુ જબરજસ્ત વિનય જોઈએ.
૨૨૭૪ ‘હું જાણું છું’ એવું માને એટલે આવરણ ચઢે, જિજ્ઞાસાવૃત્તિ તૂટે.
૨૨૭૫ ‘હું કંઈક જાણું છું' એવો જરાક વિચાર આવે, તે પાછી અજાગૃતિ લાવી નાખે.
૨૨૭૬ અજ્ઞાનનું જ્ઞાન જાણવામાં પુદ્ગલ શક્તિઓ વપરાય છે, ને જ્ઞાનનું જ્ઞાન જાણવામાં પ્રાર્થના કરવી પડે છે.
૨૨૭૭ નીચે પાડનારું અજ્ઞાન છે, તેમાં પુદ્ગલ શક્તિઓ એમ ને
એમ આવ્યા જ કરે છે. જ્યારે ઊંચે ચઢાવનારું જ્ઞાન છે તે પુદ્ગલ વિરોધી હોવાથી શક્તિઓ માગવી પડે તો જ ઊંચે
ચઢાય.
Page #122
--------------------------------------------------------------------------
________________
૨૨૭૮ સાચા દિલની પ્રાર્થના સંયોગ ભેગો કરી આપે. ૨૨૭૯ સત્યાર્થની ઝંખના એનું નામ પ્રાર્થના. ૨૨૮૦ અભિનિવેષ છૂટ્યો તો તે પરમાત્મા થયો ! ૨૨૮૧ જગત હાનિ-વૃદ્ધિના નિયમને આધીન છે. ૨૨૮૨ જે કાર્ય કરતાં મહીં સહેજ પણ શંકા ના પડે તો તેનું કામ
અવશ્ય થાય જ. ૨૨૮૩ વસ્તુ કાઢવાની નથી, રસ કાઢી નાખવાનો છે. જગત આખું
વસ્તુ કાઢવા માથાકૂટ કરે છે. વસ્તુ ના જાય, એ તો લમણે
લખેલી છે. રસ કાઢવાનો છે ! ૨૨૮૪ મતભેદ પડે ત્યાં આપણા શબ્દો પાછા ખેંચી લેવા, એ ડાહ્યા
પુરુષોની નિશાની. ૨૨૮૫ ‘ધૂ પોઈન્ટ” જ મતભેદ ઊભા કરાવનાર છે. ૨૨૮૬ મનુષ્ય કેવો હોય ? પ્રભાવશાળી હોય. એને જોતાં જ આપણા
મનમાં વિચારો સરસ આવે ને સંસાર ભૂલી જઈએ. ૨૨૮૭ જેનાથી પ્રભાવ ઉત્પન્ન થાય એ માલ જુઓ, તો આપણા ભાવ
ને વિચારો ફરે. ૨૨૮૮ હાજરના સોદા હશે, એ બધા કામ લાગશે. પછી બધા
ઇતિહાસ. ૨૨૮૯ આ “અક્રમ વિજ્ઞાનનું પ્રત્યક્ષપણું કરી લેવા જેવું છે.
પરોક્ષપણું તો સાંભળ સાંભળ કર્યું. હવે પ્રત્યક્ષપણું કરી લો,
તો આત્મા પ્રત્યક્ષપણે અનુભવમાં આવે. ૨૨૯૦ દિલ ઠર્યા સિવાય કોઈ દહાડો ય મોક્ષમાર્ગ હોય નહીં.
મોક્ષમાર્ગમાં દિલ ઠરી જવું જોઈએ. દિલ ઠરે નહીં એટલે તો
જીવનો સ્વભાવ કષાયી છે. નહીં તો એને કષાય અને
વિષયની જરૂર જ નથી. ૨૨૯૧ નજર ચોંટી એટલે સંસાર ઊભો થઈ ગયો ! આ જગત ઉઘાડી
આંખે જોવા જેવું જ નથી. તેમાં ય આ કળિયુગ તો ભયંકર
અસર કરે. આ આંખોમાંથી બહુ સંસાર ઊભો થઈ જાય. ૨૨૯૨ વિષય એ તો ઉઘાડી પરવશતા છે ! ૨૨૯૩ વિષયની યાચના કરતાં જ માત્ર જેને મરી જવાનું લાગે, તે
આ જગતને જીતી શકે. ૨૨૯૪ વિષય એ તો ભ્રાંતિની ય ભ્રાંતિ છે ! ૨૨૯૫ મોટામાં મોટો આત્મઘાત હોય તો તે વિષયવિકાર. ૨૨૯૬ સ્ત્રીનો દોષ નથી, વિષયનો દોષ નથી, દોષ તમારી
વૃત્તિઓમાં છે. વૃત્તિઓ જ ડખો કરે છે ને દુઃખી કરે છે. ૨૨૯૭ વિષય “ડિસ્ચાર્જ સ્વરૂપ છે. એમાં વૃત્તિઓથી જોખમદારી
ઊભી થાય છે, ડખો થાય છે. વૃત્તિઓની વિષયમાં જરૂર જ
નથી. સાહજિક એટલે ડખો ના કરે. ૨૨૯૮ મોક્ષે જવું હોય તો નિર્વિષયી થવું જ પડશે. ૨૨૯૯ પોતાના સ્વરૂપ’ સિવાય જે કંઈ પણ સ્મૃતિમાં રહેશે એ બધા
વિષયો જ છે ! ૨૩00 એન્ડ (અંત) આવે તે બધા જ વિષય. જેનો એન્ડ (અંત) ના
આવે તે આત્મા. ૨૩૦૧ અણહક્કના વિષય ભોગવે, તેને વિષય સંસારમાં રખડાવે છે.
અણહક્કના વિષયવાળાને મોક્ષ નથી. હક્કના વિષયવાળાને મોક્ષ છે !
Page #123
--------------------------------------------------------------------------
________________
૨૩૦૨ શીલ એનું નામ કે મહીં રજમાત્ર પણ ખોટો ભાવ ઉત્પન્ન
થવો ન જોઈએ. ૨૩૦૩ શીલ કોને કહેવાય ? ક્રોધની સામે ક્રોધથી જવાબ આપતા
નથી, માનની જોડે માનથી જવાબ આપતા નથી, રાગી જોડે
રાગથી જવાબ આપતા નથી, એ શીલ કહેવાય. ૨૩૦૪ શીલ ક્યારે હોય કે ક્યારેય પણ કોઈ જીવમાત્રને મનથી,
અહંકારથી, અંત:કરણથી જરાય દુઃખ ના થાય. એ ભાવ રહે
તેને શીલ ઉત્પન્ન થાય. ૨૩૦૫ જ્યાં સુધી અંધ છે જે બાબતમાં, તે બાબતમાં દ્રષ્ટિ ખીલે
નહીં. એનાથી દૂર રહે, ત્યાર પછી એ છૂટું થાય. ત્યારે એની
દ્રષ્ટિ ખીલતી જાય. ૨૩૦૬ જે દ્રષ્ટિને જેટલી વખાણી, તેટલી જ વખોડે તો તે દ્રષ્ટિ
ઊડી જાય. ૨૩૦૭ ભગવાનનાં દર્શન કરો, તો ભાવથી કરજો. મહેનત કરીને
દર્શન કરવા જાઓ, પણ દર્શન બરોબર ભાવથી ના કરો તો નકામું જાય. માટે આ પ્રમાણે દર્શન કરજો - “હે ભગવાન ! મારી અંદર જ બેઠા છો, તે જ તમે છો. તમે વીતરાગ છો, આપને નમસ્કાર કરું છું.’ આ રીતે દર્શન કરે તો ભગવાનને ફોન ઝાલવો જ પડે, ના ઝાલે તો તે એમની જવાબદારી છે,
એટલે સાચો ફોન આવે એટલે તરત ભગવાન ફોન ઉપાડે. ૨૩૦૮ આ કૃષ્ણ ભગવાનના ફોટાનાં દર્શન કરીએ તો તે ‘રિલેટિવ'ને
પહોંચે. “અહીં” પગે લાગે, તે તેના આત્માને જ ‘ડાયરેક્ટ’ પહોંચે. કારણ કે વીતરાગ સ્વીકાર ના કરે ને ? હંમેશાં
‘રિલેટિવ' ને ‘રિયલ’ બેઉ દર્શન હોય, ત્યાં જ મોક્ષ છે. ૨૩૦૯ નિયમથી જ દરેક વસ્તુના બે ભાગ હોય છે : ‘રિલેટિવ' ને
‘રિયલ'. ફોટાનાં દર્શન કરતાં ‘રિલેટિવ'ની ટપાલ તો કૃષ્ણ
ભગવાનને પહોંચે અને ‘રિયલ'માં આપણા આત્માની જ
ભક્તિ થાય છે. ૨૩૧૦ શ્રદ્ધામાં માગણી ના હોય. કંઈ પણ લાલચ રાખે છે તે
અંધશ્રદ્ધા. ૨૩૧૧ સ્યાદ્વાદ હોય ત્યાં વાદ ના હોય, વિવાદ ના હોય, પ્રતિવાદે
ય ના હોય. ૨૩૧૨ જ્યાં પક્ષપાત છે ત્યાં હિંસા છે, એ હિંસક વાણી છે. જ્યાં
નિષ્પક્ષપાતી વાણી છે ત્યાં અહિંસક વાણી છે. ૨૩૧૩ વીતરાગ અને વીતરાગની વાણી સિવાય બંધન છોડાવનાર
માર્ગ જ નથી. ૨૩૧૪ ‘અમે કેવું બોલ્યા' એ વાણીનો પરિગ્રહ. ૨૩૧૫ આ શબ્દો ના હોત તો મોક્ષ તો સહેજા સહેજ છે. આ કાળમાં
વાણીથી જ બંધન છે. માટે કોઈના માટે અક્ષરે ય બોલાય
નહી. ૨૩૧૬ કોઈને “ખોટું કહ્યું, તે પોતાના આત્મા ઉપર ધૂળ નાખ્યા
બરાબર છે. ૨૩૧૭ આ વાતાવરણમાં બધા પરમાણુઓ ભરેલા છે. તેથી તો
આપણે કહીએ છીએ કે કોઈની નિંદા ના કરીશ. એક શબ્દ ય બેજવાબદારીવાળો ના બોલીશ. અને બોલવું હોય તો સારું
બોલ. ૨૩૧૮ વચનબળ કોને હોય ? જેને જગતસંબંધી કોઈ સ્પૃહા ના હોય,
પછી ભલે આત્મા પ્રાપ્ત ના કર્યો હોય. ૨૩૧૯ શીલવાન વગર વચનબળ ઉત્પન્ન ના થાય. ૨૩૨૦ સંસારહેતુ માટે મૌન લીધું હોય તો તે અમૌન છે. આત્મહેતુ
Page #124
--------------------------------------------------------------------------
________________
માટે જે કંઈ બોલવામાં આવે છે તે જ સંપૂર્ણ મૌન છે.
૨૩૨૧ જેટલાં સેન્સિટિવ હોય, એણે મૌન રાખવાની જરૂર. મૌન રાખવા કરતાં તો આપણી વાણી બીજાને શી અસર કરે છે, એ લક્ષમાં હોય તો વધારે સારું.
૨૩૨૨ આત્મા-પરમાત્મા માટે બોલવું તેમાં સંસારનો ભાગ જ નથી. તેને ભગવાને ‘મૌન’ કહ્યું છે.
૨૩૨૩ વાણી એ પુદ્ગલની અવસ્થા છે, એનો ગુણધર્મ નથી. ૨૩૨૪ સ્યાદ્વાદ વાણીની ભૂમિકા ક્યારે ઉત્પન્ન થાય ? જ્યારે
અહંકાર શૂન્ય થાય. જગત આખું નિર્દોષ દેખાય, કોઈ જીવનો કિંચિત્માત્ર દોષ ના દેખાય, કોઈનું કિંચિત્માત્ર ધર્મપ્રમાણ ના
દુભાય.
૨૩૨૫ સંસારી મીઠી વાણી સ્લીપ કરાવે અને સ્યાદ્વાદી માધુર્ય વાણી ઊર્ધ્વગામી બનાવે !
૨૩૨૬ સ્યાદ્વાદ વર્તન કોને કહેવાય કે જે વર્તન મનોહર લાગે, મનનું હરણ કરે તેવું લાગે.
૨૩૨૭ વ્યવહાર શુદ્ધિ વગર સ્યાદ્વાદ વાણી નીકળે નહીં. ૨૩૨૮ સ્યાદ્વાદ વાણી છે ત્યાં આત્મજ્ઞાન છે. જ્યાં એકાંતિક વાણી છે ત્યાં આત્મજ્ઞાન નથી.
૨૩૨૯ સ્યાદ્વાદ કોને કહેવાય કે એ વાતથી શરીરમાં કોઈ સામું ના થાય. મન સામું ના થાય, બુદ્ધિ-ચિત્ત-અહંકાર કોઈ સામું ના
થાય !
૨૩૩૦ ભગવાનનો માર્ગ સમાધાનનો છે, મારી - ઠોકીને બેસાડવાનો નથી.
૨૩૩૧ સ્યાદ્વાદ એટલે એકમાં ને એકમાં રહેવું અને જુદા જુદા ભાવે
રહેવું.
૨૩૩૨ બધાં જ દ્રષ્ટિબિંદુને પોતે સમાવી લે, એનું નામ વીતરાગ ધર્મ.
૨૩૩૩ ‘વીતરાગોનું સાયન્સ’ છેલ્લામાં છેલ્લું સાયન્સ છે. એની
આગળ કંઈ જ જાણવાનું બાકી નથી રહેતું.
૨૩૩૪ ‘વીતરાગ વિજ્ઞાન' એટલું મોટું છે કે જો એનો એક જ વાળ આ જગતમાં પડત તો જગત આશ્ચર્ય પામત !
૨૩૩૫ આ ‘વીતરાગ વિજ્ઞાન’ કોઈથી સમજાય એવું નથી. ‘મને’ ય આ પ્રગટ થયું તેમાં મારો કંઈ પુરુષાર્થ નથી. એ તો ‘બટ નેચરલ’ થયેલું છે.
૨૩૩૬ એકાંતે મોક્ષ ના થાય. એકાંતે ધર્મ થાય પણ ધર્મસાર પ્રાપ્ત ના થાય.
૨૩૩૭ એકાગ્રતા તો અંદરથી આપણા કર્મનો ઉદય યારી આપે ત્યારે થાય. ઉદય યારી ના આપે તો ના થાય. પુણ્યનો ઉદય હોય તો એકાગ્રતા થાય, પાપનો ઉદય હોય તો ના થાય.
૨૩૩૮ એકાગ્રતા તો કેવી હોવી જોઈએ ? ઊઠતાં-બેસતાં, ખાતાં
પીતાં, વઢવાડ કરતાં એકાગ્રતા ના તૂટે. આખા શરીરમાં બીજો કોઈ મતભેદ જ નહીં !
૨૩૩૯ પ્રભુનું સામ્રાજ્ય, શુદ્ધાત્માનું સામ્રાજ્ય હોય ત્યાં કશું આઘુંપાછું થાય નહીં. પેટમાં પાણી ય હાલે નહીં. તાવ આવે, દેહ જવાનો થાય, દેહ રહેવાનો થાય તો ય મહીં હાલે નહીં. કશી ડખલ જ નહીં. પોતાનું શું જવાનું ? જાય તો પાડોશીનું
જાય !
૨૩૪૦ આ વાક્યો તમારી દુકાને લગાડશો :
(૧) પ્રાપ્તને ભોગવો - અપ્રાપ્તની ચિંતા ના કરશો. (૨) ભોગવે એની ભૂલ.
Page #125
--------------------------------------------------------------------------
________________
(૩) ડિસુઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ ફૂલિશનેશ ! ૨૩૪૧ ધંધામાં ભગવાન હાથ ઘાલતાં જ નથી. ધંધામાં તો તારી
આવડત ને તારું નૈતિક ધોરણ બે જ કામ લાગશે. અનૈતિક ધોરણથી વરસ-બે વરસ સારું મળશે, પણ પછી નુકસાન
જશે. ખોટું થાય તો છેવટે પસ્તાવો કરશો તો ય છૂટશો. ૨૩૪૨ અમને કોઈ પૂછે કે “આ સાલ ખોટમાં ગયા છો ?” તો અમે
કહીએ કે, “ના ભાઈ, અમે ખોટમાં ગયા નથી, ધંધાને ખોટ ગઈ છે !” અને નફો થાય ત્યારે કહીએ કે, “ધંધાને નફો છે.”
અમારે નફો-તોટો હોય જ નહીં. ૨૩૪૩ બધાય નફાની જ આશા રાખે છે. એકુંય માણસ ખોટની
આશા રાખતો જ નથી. એક સાલ તો ખોટની આશા રાખીને ચાલ. ખોટ જાય તો સમજજે કે આશા ફળી ! અમે તો ખોટની
આશા રાખીએ, બધા જેવું ના રાખીએ. ૨૩૪૪ ધંધો કરવામાં તે છાતી બહુ મોટી જોઈએ. છાતીનાં પાટિયાં
બેસી જાય તો ધંધો બેસી જાય. ૨૩૪૫ જ્યારે સંયોગ સારા ના હોય ત્યારે લોક કમાવા નીકળે છે.
ત્યારે તો ભક્તિ કરવી જોઈએ. ૨૩૪૬ ઘેર બધાંની તબિયત સારી હોય તો જાણવું કે નફો છે. તે
દહાડે ચોપડામાં ખોટ હોય તો ય તે નફો જ છે ! દુકાનની
તબિયત બગડે કે ના બગડે, ઘરનાની ના બગડવી જોઈએ. ૨૩૪૭ ધંધામાં અણહક્કનું લેવાનું નહીં. ને જે દહાડે અણહક્કનું
લેવાઈ જાય, તે દહાડે બરકત નહીં રહે. ૨૩૪૮ પૈસા ‘વ્યવસ્થિતીને આધીન છે. પછી ધર્મમાં રહેશે કે
અધર્મમાં રહેશે તો ય પૈસા તો આવ્યા જ કરશે ! ૨૩૪૯ નાણું સારા રસ્તે આપવું એ આપણી સત્તાની વાત નથી. ભાવ
કરી શકાય પણ આપી ના શકાય અને ભાવનું ફળ આવતાં
ભવે મળે. ૨૩૫૦ સંપત્તિમાં શાંતિ નથી, ત્યાં વિપત્તિમાં શાંતિ ક્યાંથી હોય ?
વિપત્તિ-સંપત્તિમાં સુખ નથી, નિષ્પત્તિમાં સુખ છે. ૨૩૫૧ નિસ્પૃહ થવું એ ય ગુનો છે ને સસ્પૃહ થવું એ ય ગુનો છે.
‘સસ્પૃહ-નિસ્પૃહ” રહેવાનું કહ્યું છે. ૨૩૫૨ ઘરાક આવે તો સારું એટલું રાખવું, પછી ઊધામા ના નાખવા.
‘રેગ્યુલારિટી ને ભાવ ના બગાડવો’ એ “રિલેટિવ પુરુષાર્થ છે. ઘરાક ન આવે તો અકળાવું નહીં ને એક દહાડો
ઝોલેઝોલાં આવે તો બધાને સંતોષ આપવો. ૨૩૫૩ ‘અમે' નિસ્પૃહ ના હોઈએ તેમજ સસ્પૃહે ય ના હોઈએ.
અમે’ સસ્પૃહ-નિસ્પૃહ છીએ. તમારી ભૌતિક બાબતમાં
નિસ્પૃહ ને તમારા આત્માની બાબતમાં સસ્પૃહ હોઈએ. ૨૩૫૪ નિસ્પૃહ થયેલો હોય ત્યાં પ્રેમ ઉત્પન્ન થયેલો ના હોય ને પ્રેમ
ના હોય ત્યાં કશું જ કામ ના થાય. ૨૩૫૫ વિનાશી સુખો ભોગવવાની ઇચ્છાને સ્પૃહા કહેવાય. ૨૩૫૬ “વીતરાગોનું સાયન્સ સમજવા જેવું છે. આ જગત તમારું છે,
તમારા જ જગતમાં તમને અડચણ પડે છે, એ ય અજાયબી
૨૩૫૭ આ સંસારમાં અગવડ એ અજ્ઞાનતાને આધારે છે. અમને કોઈ
દહાડો ક્યાંય અગવડ દેખાઈ નથી. ૨૩૫૮ તમને જાતજાતની અડચણો આવશે. પણ અડચણ વખતે એની
દવા તૈયાર તમને મળી રહેશે. બધી જાતના લોક છે એને માટે !
Page #126
--------------------------------------------------------------------------
________________
૨૩૫૯ જે સગવડો કળિયુગને લાવી છે તે જ સગવડો કળિયુગને
કાઢશે ! ૨૩૬૦ સંસાર ભૂલાડે એ જગ્યાએ બેસી રહેવું ને સંસાર વધુ ચગડોળે
ચઢાવે ત્યાંથી જતા રહેવું, એવો વિવેક જેને સમજાય તેનું કામ
નીકળી જાય. ૨૩૬૧ જેમ પોતાની ભૂલ દેખાતી જાય તેમ જગત વિસ્મૃત થતું જાય,
સમાધિ રહે ! ૨૩૬૨ પોતાની ભૂલને લઈને જગત યાદ આવ્યા કરે છે. જેની
યાદગીરી આવ્યા કરે ત્યાં જ ભૂલો છે. સંપૂર્ણ “જ્ઞાની'ને જગત
વિસ્મૃત જ રહ્યા કરે ! ૨૩૬૩ જેનાથી જગત વિસ્તૃત રહે, મગજ પર બોજો ના રહે, શાંતિ
રહે, ‘રિયલ’ને ‘રિલેટિવ' જુદું રહે એ આપણી સ્વતંત્રતા ! ૨૩૬૪ “જ્ઞાની પુરુષ'નું વાતાવરણ જ મોક્ષનો અનુભવ કરાવે, જગત
વિસ્મૃત રહે ! ૨૩૬૫ જગત વિસ્મૃત થાય ત્યારથી જ મોક્ષનો અનુભવ થવા
માંડ્યો ! ૨૩૬૬ જગત વિસ્મૃત કરાવી શકે, એ જ કર્મોનું ‘ચાર્જ બંધ કરાવી
શકે ! ૨૩૬૭ સંસાર ભૂલાડે, એનું નામ “જ્ઞાની'. ૨૩૬૮ વીતરાગ થયો કોને કહેવાય ? આત્મા ને આત્માનાં સાધનો
સિવાય બીજું કશું યાદ જ ના રહે ! ૨૩૬૯ વીતરાગની ખાતરી શી ? ત્યારે કહે, સંસારની કોઈ ચીજ યાદ
નથી તે. વીતરાગતા સિવાય જગત ભૂલે નહીં.
૨૩૭૦ પોતાના સ્વરૂપ સિવાય બીજું જે કંઈ યાદ રહે એ રાગ છે. ૨૩૭૧ જ્ઞાનીઓનો સમભાવ તો જગતે જોયો જ ના હોય. જ્ઞાનીનાં
તો રાગમાં વીતરાગતા હોય. જગત વીતરાગતામાં વીતરાગતા
ખોળે. ખરું તો રાગમાં વીતરાગતા જોઈએ. ૨૩૭૨ પરમ ઉપકારકર્તા પર કિંચિત્માત્ર રાગ નહીં ને પરમ
ઉપસર્ગકર્તા પર કિંચિત્માત્ર દ્વેષ નહીં, એવું વીતરાગ ચારિત્ર
જાણવાનું છે. ૨૩૭૩ ભગવાન પોતે વીતરાગ છે અને તમારામાં વીતરાગતા
આવશે, જગત પ્રત્યે ને દેહ પ્રત્યે, એટલે થઈ રહ્યું. જગતનું તો જવા દઈએ, પણ આ દેહ પ્રત્યે વીતરાગ થયા એટલે થઈ
રહ્યું. ૨૩૭૪ સમકિતથી વીતરાગ વિજ્ઞાન શરૂ થાય છે. ૨૩૭૫ આત્મા પોતે ‘વિજ્ઞાન” સ્વરૂપ છે. તેથી બધે ‘વિજ્ઞાન’ જ જુએ
છે. શાદી કરવાનો વાંધો નથી. પણ “મારું-તારું' કરે છે એ અજ્ઞાન છે, બધે “' કહે તે ‘વિજ્ઞાન” છે, ને અહંકાર કરે
તે અજ્ઞાન છે.. ૨૩૭૬ જ્ઞાન જાણવાથી શું ખોટું ને શું ખરું એ ખબર પડે, સદ્
અસહ્નો વિવેક કરાવડાવે, તે ‘વિજ્ઞાન' જાણવાથી મુક્તિ
થાય. જ્ઞાન જાણવાથી હિતાહિતનું ભાન થાય. ૨૩૭૭ જે જ્ઞાનથી બંધ તૂટી જાય એ “જ્ઞાન” કહેવાય, ને નવો બંધ
પડે નહીં એ ‘વિજ્ઞાન' કહેવાય ! ૨૩૭૮ ધર્મનું વિજ્ઞાન અને ધર્મનું જ્ઞાન જુદું છે. “વિજ્ઞાન'થી મુક્તિ
૨૩૭૯ જગત નડતું નથી, તારી અજ્ઞાનતા તને નડે છે. અજ્ઞાન ક્યારે
જાય ? “જ્ઞાની પુરુષ' “જ્ઞાન” આપે તેનાથી જાય. “જ્ઞાની
Page #127
--------------------------------------------------------------------------
________________
પુરુષ'નું જ્ઞાન કેવું હોવું જોઈએ ? ‘વિજ્ઞાન’ હોવું જોઈએ. ‘વિજ્ઞાન’ ચેતન હોય અને જ્ઞાન અચેતન હોય. આ જગતમાં જે ચાલે છે એ જ્ઞાન અચેતન છે. અચેતન એટલે ક્રિયાકારી ના હોય અને આ તો ‘વિજ્ઞાન’ છે. ‘વિજ્ઞાન’ નિરંતર કામ કર્યા જ કરે, તમારે કશું કરવાનું નહીં.
૨૩૮૦ આ ‘અક્રમ' એ જુદી જાતનો માર્ગ છે. આ ‘વિજ્ઞાન’ છે ! ‘વિજ્ઞાન' એટલે જે જાણવાથી જ મુક્ત થવાય !!!
૨૩૮૧ આ ‘અક્રમ વિજ્ઞાન' તો ‘સાયન્ટિફિક' છે ! વિજ્ઞાન છે ! એકઝેક્ટ છે ! અને બીજું બધું તો ‘ડિસ્ચાર્જ’ થઈ રહ્યું છે ! ૨૩૮૨ આ ખંડન - મંડન ન હોય, આ ‘અક્રમ’ તો ‘ડાયવર્ઝન’ રોડ
છે. ‘ક્રમિક માર્ગ’ના બધા ‘બ્રીજ' તૂટી ગયા છે, તેથી આ ‘ડાયવર્ઝન રોડ’ શરૂ થયો છે. ‘બ્રીજ’ બંધાઈ જશે એટલે આ ‘ડાયવર્ઝન રોડ' ઊડી જશે !
૨૩૮૩ ક્રમ માર્ગમાં શું છે ? ૩૬૦° ની ‘બિલિફો’ છે. તેમાંથી એક ‘બિલિફો' છોડાવીને બીજી ‘બિલિફ' આપે. એક એક ‘બિલિફ’ હજાર હજાર અવતારે ફરે !
૨૩૮૪ ‘અક્રમ' માર્ગ ક્યારે કહેવાય ! જેમાં વ્યવહાર-નિશ્ચય બન્ને હોય !
૨૩૮૫ ક્રમિક એટલે કરવાપણું. ‘અક્રમ વિજ્ઞાન’ ખાલી સમજવાનું જ છે. અણસમજણથી ઊભું થયેલું સમજણથી વિખરાઈ જશે. ‘મને આમ થયું’ એ ના હોય, ખાલી જાણવાનું જ કે ‘આમ થયું' !
૨૩૮૬ જ્યાં સુધી મન-વચન-કાયાની એકાત્મવૃત્તિ રહે ત્યાં સુધી વ્યવહારને આદરવા યોગ્ય કહ્યો છે. આ કાળમાં એ રહે તેમ નથી. તેથી આ વ્યવહારને અક્રમમાં સમૂળગો ‘નિકાલી’ કરી મૂક્યો છે. છતાં ‘અક્રમ'માં વ્યવહાર સંપૂર્ણ આદર્શ હોય.
૨૩૮૭ ‘અક્રમ’ જે પામી ગયો, તેનું કામ થઈ ગયું. નથી બટાકા છોડાવ્યા કે નથી ડુંગળી છોડાવી. અજ્ઞાન છોડવાનું છે !!
૨૩૮૮ જેવું ક્રમિક વિજ્ઞાન છે એવું આ અક્રમ વિજ્ઞાન છે. પણ અક્રમ વિજ્ઞાન પુસ્તકોમાં નથી, એ ‘જ્ઞાની’ના હૃદયમાં છે.
૨૩૮૯ સમુદ્ર જેવો અજ્ઞાન સંસાર છે ! અને એમાં જન્મે છે ને મરે છે ! તેમાં ‘નિશ્ચય-સ્વરૂપ’ પોતાનું સમજી જાય તો કામ થઈ
જાય !!!
૨૩૯૦ આત્મા સંસારી ય નથી ને અસંસારી ય નથી. સંસારી અસંસારી એ બધું દેહને માટે છે.
૨૩૯૧ સંસારી કોને કહેવાય ? જેને રાગ-દ્વેષ ને કષાયો હોય, તે બધા સંસારી. ક્રોધ-માન-માયા-લોભના સંયમ પરિણામ ના હોય તે બધા સંસારી. રાણીઓ સાથે રહેતો હોય પણ તેનામાં સંયમ હોય તો તે સંયમી અને ત્યાગ કરીને સંયમ ના હોય તો ય તે સંસારી !
૨૩૯૨ આપણા અહંકારને તોડવાનું સાધન, એનું નામ સંસાર ! ૨૩૯૩ સંસાર એ તો ઊકળતું સીસાનું આંધણ છે ! એમાં ભગવાન હાથ ઘાલે નહીં. અમે ય હાથ ઘાલતા નથી. ભગવાન સ્વરૂપ થયા એટલે પછી શું હાથ ઘાલે ?
૨૩૯૪ એક વખત સંસારમાં ‘વીતરાગ’ થઈ ગયો એટલે સંસાર બિલકુલ વળગે નહીં એવો નિયમ છે !
૨૩૯૫ જુઓને, આ જડ ને ચેતન બે ભેગાં થઈને કેવો સંસાર ઊભો
થઈ ગયો ! પછી શાદી કરે, જમાઈ થાય, વેવાઈ થાય, વેવાણો થાય, કાકા સસરા થાય, મામા સસરા થાય ! કેટલી જાતની ડખલો ઊભી કરી છે ?!
૨૩૯૬ આ સંસાર દુ:ખનો સમુદ્ર છે. એમાં સુખ શી રીતે જડ્યું
Page #128
--------------------------------------------------------------------------
________________
લોકોને તે જ સમજાતું નથી. જેમ દારૂ પીધેલો માણસ ગટરમાં હાથ ઘાલે ને કહેશે, “મને બહુ ઠંડક થાય છે, બહુ
ઠંડક થાય છે.' એના જેવું લોકો સુખ માને છે ! ૨૩૯૭ સુખ છે જ ક્યાં ‘અહીં’ ? આ તો ભ્રામક માન્યતાઓ છે.
તેથી “અમે' ખુલ્લું કહીએ છીએ કે, તમે જે સુખ ખોળો છો તે ‘આમાં’ નહીં મળે. સુખ આત્મામાં છે. અમે એ સુખ ચાખેલું છે, અનુભવેલું છે. તેથી “અમે' બધાને કહીએ છીએ
કે, આ બાજુ આવો, પેલી બાજુ સુખ નથી ! ૨૩૯૮ આપણું સ્વરૂપ પરમાત્મ સ્વરૂપ છે. આમ કેમ ગાફેલ
રહેવાય ? એક ક્ષણવાર ગાફેલ રહેવા જેવું જગત નથી. ૨૩૯૯ સંસારમાં કોઈ આપણું થાય નહીં. આપણો આત્મા જ આપણો
છે. બધું ‘રિલેટિવ' છે ત્યાં શું ? ૨૪00 આ દુનિયામાં તમારું ખરેખર સગું કોઈ છે નહીં. અને જે છે
એ “રીલેશન’ સ્વરૂપે છે ! ૨૪૦૧ હિસાબ કાઢવા જઈએ તો કોઈની જોડે સહિયારું ના જડે.
તારા બાબાને સંડાસ જવું હોય ને તું કહે કે હું જઈ આવું તો ચાલે ? ના ચાલે. આવું છે ! ત્યાં સહિયારું ક્યાંથી ? ‘રિલેટિવ' રીતે બધે જુદું જ છે ને ‘રિયલ’ રીતે બધે એક જ
વારાફરતી ડે ! એક કૈડી રહી હોય ને પછી બીજી આવીને
કૈડે ! નિરંતર કૈડ મૈડયા જ કરે !!! ૨૪૦૫ દેહનું કેન્સર તો સારું. પણ આ તો માનસિક ‘કેન્સર’ થઈ
જાય, તે તો અનંત ભવો ખરાબ કરી નાખે ! ૨૪૦૬ આખો સંસાર શાનાથી ઊભો છે ? ક્લેશથી. ૨૪૦૭ શરીરની અમુક અવસ્થા આવે ત્યારે નાદારી યુગ શરૂ થાય.
બધું જ નાદારીમાં જવાનું. માટે પોતે પોતાનું કામ કાઢી લ્યો.
જ્યાં સુધી આ દુકાન છે ત્યાં સુધી સોદા કરી લો. ૨૪૦૮ તમે પોતે જ ભગવાન છો અને જુઓને આ દશા તો જુઓ !
પોતે જ ભગવાન અને જો સ્ત્રીરૂપે કેટલી ઉપાધિ ભોગવવાની ? સહુ કોઈ હસે, આ ફલાણાની વહુ, આ ફલાણાની વહુ ! તે આપણને સારું લાગતું હશે ? “અરે, ફલાણાની બાઈડી ચાલી’ એવું હઉ બોલે ! આવી તરછોડો મારે ! તે સારું લાગતું હશે ? કેટલું અપમાનજનક લાગે ! ના લાગે ?! જુઓને, આ
ઢેડફજેતો !!! ૨૪૦૯ છતાં જગત આખું ફરજિયાત છે. પૈણવું એ ય ફરજિયાત છે.
પૈણ્યા વગર ચાલે તેમ નથી. ૨૪૧૦ મતને માટે મરી ફીટે એવા છે, આત્મા માટે મરી ફીટે એવા
નથી. ૨૪૧૧ વૈરાગ એટલે પોતે જે માર ખાધેલો હોય તે યાદ આવે છે. ૨૪૧૨ જેટલી યાદશક્તિ એટલો વૈરાગ. આપણાં લોકોને યાદશક્તિ
જ નથી એટલે વૈરાગ ક્યાંથી આવે ? મોહને લઈને માર
ખાધેલો ભૂલી જાય છે ! ૨૪૧૩ વૈરાગ એ તો સારાસારની વિચારણા છે, પૃથક્કરણ કરે કે
૨૪૦૨ આ તો ‘લાઈફ’ બધી ‘ફ્રેકચર’ થઈ ગઈ છે. આ “મનુષ્યસાર’
કાઢવા માટે હું જીવું છું કે શેના સારું જીવું છું તેનુ ભાને ય
નથી ! ૨૪૦૩ એક જ ફેર અવળો ધણી કે અવળી બૈરી મળે તો કેટલાંય
અવતાર બગાડી નાખે ! ૨૪૦૪ સંસારની કેટલી જાતની કૈડ ! બધી મૈડો એકદમ ના કૈડે પણ
Page #129
--------------------------------------------------------------------------
________________
તરત એનાં ફળમાં વિરક્તિ ઉત્પન્ન થાય. ૨૪૧૪ સઅસ વિવેક હોય તો જ વૈરાગ ટકે. નહીં તો વૈરાગ
કોઈ દહાડો ટકે નહીં. સઅસહ્નો વિવેક ‘જ્ઞાનથી આવે. ૨૪૧૫ વૈરાગમાં તો અનુભવજ્ઞાન જોઈએ એમ ઠોકાઠોક કર્યો ના
ચાલે ! ૨૪૧૬ વૈરાગને જો જ્ઞાન પ્રાપ્ત થાય એવું સાધન પ્રાપ્ત થાય તો
કામનું, નહીં તો વૈરાગ તો નિષ્ક્રિયતા લાવે. ૨૪૧૭ જ્ઞાન હોય ને વૈરાગ્ય ટોચ ઉપર જાય ત્યારે વીતરાગતા
ઉત્પન્ન થાય. વીતરાગતા એટલે જ્યાં જગતને રાગ-દ્વેષ થાય
ત્યાં એને રાગ-દ્વેષ ના થાય. ૨૪૧૮ સાચો વૈરાગી ને સાચો જ્ઞાની એમાં થોડુંક જ અંતર છે. બહુ
લાંબું અંતર નથી. અજ્ઞાની ને જ્ઞાનીમાં બહુ અંતર છે. ૨૪૧૯ રાગે ય ભરેલો માલ છે ને વૈરાગે ય ભરેલો માલ છે.
વીતરાગતા’ મુખ્ય વસ્તુ છે. જેટલી વીતરાગતા આવી, એટલાં અંશે ભગવાન થયો, એટલી ભગવાનશક્તિ પ્રગટ
થઈ ! ૨૪૨૦ આ સંસાર નરી ફસામણ છે. પછી જાય ક્યાં છે ? અરે,
કાદવમાં ફસાયા હોય તો બહાર નીકળાતું નથી, પ્રયત્ન કરે તેમ કાદવમાં વધારે ઊંડો ઊતરતો જાય. તો પછી આ
કલ્પનાઓમાં ફસાય તો શી રીતે છૂટાય ?! ૨૪૨૧ રોટલા ને શાક મળે એ માટે શાદીઓ કરવાની ! ધણી સમજે
કે હું કમાઈ લાવું પણ રોટલા કરી આલે કોણ ? બાઈ જાણે કે હું રોટલા બનાવું ખરી પણ કમાય કોણ ? અને બેઉ પૈણ્યા, સહકારી મંડળી કાઢી ! જો ખાવા-પીવાનું મળતું હોય તો આ ધણી ને આ ઔરતોમાં શો અર્થ કાઢવાનો ?
૨૪૨૨ સંસાર ખોટો નથી, સંસાર વ્યવહાર છે. પણ તમે તમારી
જાતને જાણો. પોતાની જાતને જાણ્યા વગર વ્યવહાર શી રીતે સાથે થાય ? દેહધારી એ વ્યવહાર છે. પણ ‘આપણે કોણ છીએ' એ તપાસ તો કરવી રહી ને ? અંધારું ક્યાં સુધી ? અનંત અવતારથી ભટક ભટક ભટક ભટક કરવાનું. એક-બે
અવતાર ભટક્યો નથી, અનંત અવતાર.... ૨૪૨૩ જ્યાં સુધી ‘સ્ટેશન' ના આવે ત્યાં સુધી ક્યાં ઊતરીએ ? આ
તો “સ્ટેશન' આવ્યું છે તેથી ઊતરવાનો રસ્તો તમને કહીએ. નહીં તો ‘સ્ટેશન’ ના આવ્યું હોય તો એમ ને એમ પડી જ
રહેવું પડે ને ? ભટક ભટક કર્યા જ કરે છે ને ?! ૨૪૨૪ અમે ય સંસારની ફરજો બજાવીએ છીએ પણ કેવી રીતે ?
અહમ્ અને મમત વગર ! ‘ડ્રામેટિક’ !!! ૨૪૨૫ સંસારભાવ એટલે અહમ્ + મમતભાવ. અસંસારભાવ એટલે
નાટકીય સંસારભાવ. ૨૪૨૬ ભગવાનને પામવાનો માર્ગ એટલે “નોર્માલિટી’. ‘નોર્માલિટી'થી
મોક્ષ છે. “નોર્માલિટી’ એ “વર્લ્ડ'ની કરોડ છે. ૨૪૨૭ સંસારમાં સુખી થવા માટે એક જ રસ્તો છે, “નોર્માલિટી'નો.
ખાવામાં-પીવામાં, ઊઠવામાં-બેસવામાં, હરવા-ફરવામાં, કામકાજ કરવામાં, પ્રત્યેક ચીજવસ્તુમાં “નોર્મલ રહે તો દુઃખ
નથી. ૨૪૨૮ સંસારનું સુખ ‘નોર્માલિટી'માં છે. ભીડ નહીં ને ભરાવો નહીં,
એનું નામ સુખ કહેવાય. ૨૪૨૯ ‘નોર્માલિટી' શું છે? ગમતું છે એ ભાગ ના રહેવો જોઈએ.
ને ના ગમતું એ ય ભાગ ના રહેવો જોઈએ. ૨૪૩૦ ‘એબૉવ નોર્મલ થયો કે “એબૉવ નોર્મલ’ થયા જ કરે. ‘બીલો
નોર્મલ’ થયો કે “બીલો નોર્મલ' થયા જ કરે. ‘બીલો
Page #130
--------------------------------------------------------------------------
________________
નોર્મલને ‘નોર્મલ લાવવું એ ધર્મ છે ને “એબૉવ નોર્મલ” ને
નોર્મલ’ લાવવું તે ધર્મ છે. ૨૪૩૧ વોટ ઈઝ ધી ઈસેન્સ ઓફ ધ વર્લ્ડ? નોર્માલિટી. અબવ
નોર્મલ ઈઝ ધ પોઈઝન. બિલો નોર્મલ ઈઝ ધ પોઈઝન. કમ ટુ નોર્માલિટી. પુદ્ગલમાં “નોર્માલિટી' ને આત્મા તો આત્મા
ઊંચા માણસોનો સંગ હોવો જોઈએ. ને ખરાબ માણસોનો
સંગ હોય તો રાક્ષસી વિચારો આવે. ૨૪૪૩ આપણો આ સત્સંગ અપૂર્વ સત્સંગ કહેવાય ! પૂર્વે ક્યારેય
સાંભળ્યો ના હોય એવો ! ૨૪૪૪ આ સત્સંગ કેવો કહેવાય ? આ કરો, સારું કરો, ફલાણું કરો,
પ્રતિક્રમણ કરો, સામાયિક કરો, જપ કરો, તપ કરો, એવાં તોફાન અહીં હોય નહીં. અહીં કશું કરવાનું ના હોય. અહીં તો જાણવાનું ને સમજવાનું હોય. સમજવાથી જ સમકિત થાય અને જાણવાથી “જ્ઞાન” થાય. અને જે જાણી ગયો, ને સમજી
ગયો તેનાથી સમ્યક્ ચારિત્ર થાય. ૨૪૪૫ સત્સંગ એટલે “આ જગત શું છે અને શું નથી” એટલું સમજવું
૨૪૩૨ નોર્માલિટી ઠેઠ આત્મા સુધી પહોંચાડે છે ! ૨૪૩૩ “નોર્માલિટી’ એ જ જગતનું પરમતત્ત્વ છે ! ૨૪૩૪ કુસંગ પેસે એટલે દિલ બગડે ને દિલ બગડે એટલે ભગવાન
મહીંથી ખસી જાય. દિલ પર જ બધો આધાર છે ને ! દિલ
ગયું કે ખલાસ ! ૨૪૩૫ જગતમાં ફાયદામાં ફાયદો શો ? સારા પુરુષોનો સંગ. જેને
કંઈક લોકપૂજ્યતા ઉત્પન્ન થયેલી હોય તે. ૨૪૩૬ જેનો સંગ સુધર્યો, તેનું બધું જ સુધર્યું. જેનો સંગ બગડ્યો,
તેનું બધું જ બગડ્યું. ૨૪૩૭ ગરીબાઈનો સત્સંગ સારો પણ શ્રીમંત કુસંગ શું કરવાનો ? ૨૪૩૮ ધર્મથી દૂર કરાવડાવે એ કુસંગ. ૨૪૩૯ કુસંગનો ભીડો હોય ત્યાંથી દુઃખ જાય નહીં ને સત્સંગનો
ભીડો હોય ત્યાંથી સુખ જાય નહીં ! ૨૪૪૦ સત્સંગ એટલે પોતાને ગામે’, ‘પોતાને ઘેર જવાનો રસ્તો !
સત્સંગ એ પોતાની વાત છે, બીજું બધું પરાયું ! ૨૪૪૧ કુસંગી લોકો માટે સત્સંગી જેવો કોઈ તાપ નથી. ૨૪૪૨ આત્માનો સ્વભાવ કેવો છે (પ્રતિષ્ઠિત આત્માનો)? એ જેવું
દેખે એવું કરે, શીખવાડવું પડતું નથી. એટલે સાચા પુરુષનો,
૨૪૪૬ ‘આ’ સત્સંગ એકલો જ ભયરહિત સ્થિતિ કરી શકે એવો છે.
બાકી, કોઈ ભયરહિત ના કરી શકે. ૨૪૪૭ જ્યાં સુધી માણસ નિર્ભય ના થાય ત્યાં સુધી તે હૂંફ ખોળે.
હૂંફ એ જ સંગ છે ! ૨૪૪૮ અજ્ઞાનતા એ જ ભય છે. ૨૪૪૯ અહીંથી મરવાનું આવે પણ ભો ના રહે તો જાણવું કે હવે
મોક્ષને માટે “વીઝા' મળી ગયો ! ૨૪૫૦ અમને ભય કેમ નથી ? કારણ કે અમારું બિલકુલ કરેકટ છે.
‘કરેક્ટ'ને ભય શો?! મહીં ગોલમાલ હોય તો ભય હોય. ૨૪૫૧ જે મનોવ્યાપાર નિર્ભય બનાવે, તે વ્યાપાર કરેલો કામનો. ૨૪૫ર “લોકોને કેવું લાગશે?” એ ભયને તો સ્થાન ના આપવું. એના
કરતાં પોતાની રૂમ ચોખ્ખી રાખવી સારી. જગતની ટીકાના ભાગમાં આવે એવો વિચાર આવ્યો કે એને ધોઈને ચોખ્ખો
Page #131
--------------------------------------------------------------------------
________________
કરી નાખો.
૨૪૫૩ આ જગતમાં કોઈ કંઈ પણ ના કરી શકે એવું આ જગત નિયમસર છે, માટે ભડકો નહીં. અને ભડકાટ આવવાનો છે, તે તમારા કોઈ ઉપાયે છૂટવાનો નથી.
૨૪૫૪ જે દુઃખથી આપણે ગભરાઈએ નહીં એ સામું આવે જ નહીં. બહારવટિયો ય આવતો નથી ને ભગવાન પણ આવતાં નથી. જેણે ભય છોડી દીધો છે તેને કશું જ થાય નહીં.
૨૪૫૫ જેનો તિરસ્કાર કરશો તેનો ભય લાગશે. આ સાપનો, વાઘનો તિરસ્કાર છે તેથી ભય લાગે છે.
૨૪૫૬ ભૂતકાળનો ભો છૂટી ગયો, ભવિષ્ય ‘વ્યવસ્થિત’ના હાથમાં છે. માટે વર્તમાનમાં વર્તો.
૨૪૫૭ વર્તમાનમાં વર્તી કોણ શકે ? ‘યસ’ (હા) કહેનારો. ૨૪૫૮ ભૂતકાળનો અને ભવિષ્યકાળનો ચોપડો ભગવાન ના રાખે. એક સેકન્ડ પછીનો ચોપડો દરિયામાં નાખી દેવો. વર્તમાનમાં જ રહે એ ભગવાન.
૨૪૫૯ આ નાટકમાં જે સામું આવે તે જુએ કે પાછલું સંભારીને જુએ ? પાછલું જોવા જઈશ તો અત્યારનું ખોઈ બેસીશ.
૨૪૬૦ વર્તમાનમાં જે વર્તે તે જ્ઞાતા-દ્રષ્ટા. વર્તમાનમાં વર્તે તેનો અહીં જ મોક્ષ ! વર્તમાનમાં કાયમ રહેવું, તેનું નામ જ અમરપદ.
૨૪૬૧ વર્તમાન બહુ સૂક્ષ્મ વસ્તુ છે. આ બાજુ ભૂતકાળ ને પેલી બાજુ ભવિષ્યકાળ, એ બેની વચ્ચે સૂક્ષ્મ ભાગમાં વર્તમાન હોય. તેને અજ્ઞાની પકડી જ ના શકે, ‘જ્ઞાની’ જ એને પકડી શકે.
૨૪૬૨ જગત એના સ્વભાવમાં છે. સત્યુગ, કળિયુગ લોકોના ભાવથી છે !
૨૪૬૩ ભગવાને શું કહ્યું ? દ્વાપરમાં ને સત્યુગમાં ભલું કરજે ને કળિયુગમાં બિલકુલ બૂરું નહીં કરો એ જ ભલું કર્યા બરાબર છે !
૨૪૬૪ કળિયુગના મનુષ્યોને ભગવાન પણ આશ્રય આપવા તૈયાર નથી. કારણ કે ભગવાનનો એક અક્ષર પણ માનવા તૈયાર નથી. વાઈફનું માને, સાહેબનું માને, પણ ભગવાનનો એક અક્ષર પણ ના માને.
૨૪૬૫ બૂમો બધી માનસિક છે, શરીરની બૂમો નથી. એટલે મનને કહી દઈએ કે હમણાં બૂમ ના પાડીશ, કાળ આવશે એટલે
મળશે.
૨૪૬૬ દહાડે ચોક્સીઓને ત્યાં ચોર જાય તો શું થાય ? માર ખાય ને રાત્રે ચોર ચોક્સીઓને મારે. એવું કાળ પ્રમાણે બદલાય છે. કાળ પ્રમાણે સત્તા બદલાય. દરેકનો કાળ જુદો જુદો હોય.
૨૪૬૭ આપણાં પુણ્યનો ઉદયકર્મ હોય તો સામો સારું બોલે ને પાપનો ઉદયકર્મ હોય તો સામો ગાળ આપે છે. એમાં કોનો દોષ ? માટે આપણે કહેવું કે ઉદયકર્મ મારો જ છે અને સામો તો નિમિત્ત છે. આમ કરવાથી આપણો દોષ નિર્જરી જશે ને નવો નહીં બંધાય.
૨૪૬૮ તમારી ધારણા પ્રમાણે જ થાય એ પુણ્યનું ફળ અને પોતાની ધારણા ધાર્યાથી અવળું થાય એ બધું પાપનું ફળ. પોતાની ધારણા ચાલે એવી જ નથી આ જગતમાં.
૨૪૬૯ પુણ્યાનુબંધી પુણ્ય ‘જ્ઞાની પુરુષ’નો ભેટો કરાવી આપે ! ૨૪૭૦ પુણ્ય ને પાપ હેય (ત્યજવા યોગ્ય) થયું ત્યાં આગળ સમકિત ! ૨૪૭૧ ‘હું પુણ્ય કરું છુ’, ‘હું પાપ કરું છું’ બેઉ ‘ઇગોઇઝમ’ છે. ૨૪૭૨ ‘વીતરાગ ભગવાને' કહ્યું કે પાપ-પુણ્ય બેઉની ઉપર જેને દ્વેષ
Page #132
--------------------------------------------------------------------------
________________
કે પ્રેમ નથી તે ‘વીતરાગ' છે ! ૨૪૭૩ ભગવાન શું કહે છે ? તારે જો મોક્ષ જોઈતો હોય તો ‘જ્ઞાની
પુરુષ' પાસે જા ને સંસારમાં સુખ જોઈતું હોય તો માબાપની ને ગુરુની સેવા કરજે. માબાપની સેવામાં તો ગજબનું સુખ
પ્રાપ્ત થાય તેમ છે ! ૨૪૭૪ દરેક કામનો હેતુ હોય. જો સેવાભાવનો હેતુ હશે તો લક્ષ્મી
બાય પ્રોડકટમાં મળશે જ. આપણે જે વિદ્યા જાણતા હોઈએ
એ સેવાભાવમાં વાપરવી એ જ આપણો હેતુ હોવો જોઈએ. ૨૪૭૫ હું મારું એક જ જાતનું પ્રોડકશન’ રાખું છું ! ‘જગત આખું
પરમ શાંતિને પામો ને કેટલાક મોક્ષને પામો !” એનું મને બાય પ્રોડકશન ફ્રી ઓફ કોસ્ટ' નથી મળતું ? મળ્યા જ કરે
૨૪૭૬ જગતનું કામ કરો, તમારું કામ થયા જ કરશે. જગતનું કામ
કરશો ત્યારે તમારું કામ એમ ને એમ થયા કરશે, ને ત્યારે
તમને અજાયબી લાગશે. ૨૪૭૭ ‘રિલેટિવ ધર્મો' છે એ સંસાર માર્ગ છે, સમાજસેવાનો માર્ગ
છે. મોક્ષનો માર્ગ સમાજસેવાથી પર છે, સ્વ રમણતાનો છે. ૨૪૭૮ સેવાભાવનું ફળ ભૌતિક સુખો છે અને કુસેવાભાવનું ફળ
ભૌતિક દુઃખો છે. સેવાભાવથી પોતાનું “હું” ના જડે. પણ જ્યાં સુધી ‘ના પડે ત્યાં સુધી ઓબ્લાઈજિંગ નેચર (પરોપકારી
સ્વભાવ) રાખશો. ૨૪૭૯ સમાજસેવાનો અર્થ શો ? એ ઘણું ખરું “માય’ તોડી નાખે
છે. “માય (મારું) જો સંપૂર્ણ ખલાસ થઈ જાય, તો પોતે
પરમાત્મા છે ! એને પછી સુખ વર્ત જ ને ! ૨૪૮૦ એક જણ સેવા કરે છે તે પ્રકૃતિ સ્વભાવ છે અને એક જણ
કસેવા કરે છે તે ય પ્રકૃતિ સ્વભાવ છે. તેમાં કોઈનો પોતાનો’ પુરુષાર્થ નથી. પણ મનથી એમ માને છે કે “હું કરું છું' એ
ભ્રાંતિ છે ! ૨૪૮૧ આપણું સેવ્યપદ છૂપું રાખીને સેવકભાવે આપણે કામ કરવું. ૨૪૮૨ “જ્ઞાની પુરુષ' એ તો આખા “વર્લ્ડ'ના સેવક અને સેવ્ય
કહેવાય. ‘આખા જગતની સેવા પણ “હું” જ કરું છું ને આખા જગતની સેવા પણ “હું” લઉં . આ જો તને સમજાય તો
તારું કામ નીકળી જાય તેમ છે ! ૨૪૮૩ ‘અમે’ એટલે સુધી જવાબદારી લઈએ કે કોઈ માણસ, અમને
મળવા આવ્યો તો એને “દર્શનનો લાભ થવો જ જોઈએ. ‘અમારી' કોઈ સેવા કરે તો અમારે માથે એની જવાબદારી
આવી પડે અને અમારે એને મોક્ષે લઈ જ જવો પડે. ૨૪૮૪ “મેં કર્યું” બોલવું એ નિમિત્ત છે, નિમિત્તભાવ છે અને કરાવે
છે એ ઉદયકર્મ કરાવે છે. આ બે જ મારાં વાક્યોની જાગૃતિ રાખીને આખી જિંદગી કાઢે તો તે મોક્ષની નજીક આવી ગયો ! આટલી જ જાગૃતિ રાખે, આ વાક્યોને “જેમ છે તેમ' રહેવા દે, એ સંપૂર્ણ “એલર્ટ' થાય તો આત્મા જ થઈ જાય !
શુદ્ધાત્મા’ થવાનું આ જ સાધન છે ખરું ! ૨૪૮૫ કર્તાભાવ છૂટે તો જ શુદ્ધાત્માનું લક્ષ બેસે. ૨૪૮૬ જ્યાં સુધી કર્તા છું' એવું ભાન છે, ત્યાં સુધી ક્રિયાકાંડ
છે. “હું કર્તા છું'નું ભાન જાય એટલે મોક્ષ ! “હું કર્તા છું' ત્યાં
સુધી ધર્મ છે ને કર્તાપદ છૂટે તો વિજ્ઞાન છે. ૨૪૮૭ શુભાશુભના સામા કિનારે શુદ્ધ છે. ત્યાં કર્તાભાવ નથી. હું
કર્તા નથી' એ ભાન થાય તો મુક્તિ થાય. ૨૪૮૮ “કરું છું હું' ને ‘જાણું છું હું બેઉ બોલે છે, એનું નામ ભયંકર
Page #133
--------------------------------------------------------------------------
________________
અજ્ઞાનતા. પોતે શેય થઈને બીજાને જોય જાણે છે. જ્ઞાતા
થઈને શેયને જાણો. ૨૪૮૯ જ્યાં જાણપણે ત્યાં કર્તાપણું ના હોય. કર્તાપણું છે ત્યાં
જાણપણું ના હોય. ૨૪૯૦ જ્યાં કિંચિત્માત્ર કર્તાભાવ છે એ બંધભાવ છે. જે ગુણધર્મ
નથી તેનો આરોપ કેમ અપાય ? ૨૪૯૧ “આત્મા અકર્તા છે' એવું ભાન થાય ત્યારે સમકિત થયું
કહેવાય. ૨૪૯૨ કર્તાભાવ હોય ત્યારે યોજના રૂપકમાં આવે, નહીં તો યોજના
બંધ થઈ જાય. ૨૪૯૩ જયાં સુધી હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે એ હોય ત્યાં
સુધી તરણતારણ ના થઈ શકે કોઈ. ૨૪૯૪ આ જગતમાં કર્તા પુરુષો માટે મહેનત છે અને અકર્તા પુરુષો
માટે જાહોજલાલી છે ! ૨૪૯૫ સંસાર સુખને માટે, ભૌતિક સુખો માટે ‘કરવાનું છે. બાકી,
મોક્ષ માટે કે ભગવાન પ્રાપ્તિ કરવા માટે કશું કરવાનું નથી
અને આજના લોકોએ શું શિખવાડ્યું? કરો, કરો, કરો. ૨૪૯૬ કરવા જશો ત્યાં બંધન થશે. જ્યાં જ્યાં કરીશ ત્યાં બંધન અને
સમજણથી મુક્તિ. ૨૪૯૭ જ્યાં કંઈ પણ કરવામાં આવે છે ત્યાં પુણ્ય બંધાય કે પાપ
બંધાય. ૨૪૯૮ કરે છે બીજો ને કહે છે હું કરું છું' એ આરોપણ છે. તેનાથી
આવતો ભવ મળે છે. “કોણ કરે છે? એ સમજી જાય તો આવતો ભવ બંધ થઈ જાય. આરોપણ જ આવતા ભવનું બીજ
૨૪૯૯ જ્યાં સુધી હું કર્તા છું’ એ ભાન છે ત્યાં સુધી આત્માનો એક
અંશ પણ પામ્યા નથી. હું કંઈ પણ કરું છું' એ ભાન આત્મા
પ્રાપ્ત કરાવે નહીં. ૨૫૦૦ કંઈ પણ કર્યું એનું નામ ભ્રાંતિ અને જાણ્યું એનું નામ “જ્ઞાન”. ૨૫૦૧ “જ્ઞાની' વગર જ્ઞાન ક્યાંથી લાવશો ? આ તો અજ્ઞાનનું ‘જ્ઞાન'
કર્યું. હવે ‘જ્ઞાન'નું ‘જ્ઞાન' કરો. ૨૫૦૨ આ સંસારનું “રૂટ કોઝ' (મૂળ કારણ) અજ્ઞાન જાય ત્યારે
જાય. અજ્ઞાન જાય તેની ખબર કેવી રીતે પડે ? “સ્વરૂપ'નું
ભાન થાય ત્યારે. ૨૫૦૩ જીવને જ્ઞાન કેમ પ્રાપ્ત થતું નથી ? અજ્ઞાન બહુ પ્રિય છે તેથી. ૨૫૦૪ અજ્ઞાન એ પણ જ્ઞાન છે. અજ્ઞાન એ કંઈ બીજી વસ્તુ નથી
અંધારું નથી. પણ એ પરવસ્તુને બતાવનારો પ્રકાશ છે. બહારની વસ્તુ બતાવનારો પ્રકાશ છે અજ્ઞાન. અને “જ્ઞાન”
પોતાને પ્રકાશ કરે ને પારકાને ય પ્રકાશ કરે. ૨૫૦૫ અજ્ઞાન તો પોતે કોણ છું' એ જાણવા ના દે, એ અનુભવવા
ના દે અને “જ્ઞાન' તો પોતે પોતાને જાણવા દે. ૨૫૦૬ સંસાર નડતો નથી, અજ્ઞાન નડે છે. પોતાના સ્વરૂપનું અજ્ઞાન
નડે છે. ૨૫૦૭ “હું ચંદુભાઈ છું' એ ભાન રહ્યું કે તરત ‘આ સંસાર બધો
મારો છે' એવું લાગ્યા કરે. ‘હું ચંદુભાઈ છું' એ “ડ્રામેટિક’
હોવું જોઈએ, એટલે આપણને એ અંદર નડે નહીં. ૨૫૦૮ અજ્ઞાનનું પરિણામ અહંકાર છે. ૨૫૦૯ જ્યાં અહંકાર શૂન્યતા પર છે ત્યાં નિરાકૂળતા પ્રાપ્ત થાય.
Page #134
--------------------------------------------------------------------------
________________
નહીં તો ત્યાં સુધી એક ક્ષણવાર પણ નિરાકૂળતા પ્રાપ્ત થાય
નહીં.
૨૫૧૦ જો તારો અહંકાર નથી, તો તું મોક્ષમાં છે ને મોક્ષમાં નથી
તો તું અહંકારમાં છે ! ૨૫૧૧ જ્યાં ‘હમ’ છે ત્યાં બધા જ પ્રકારનો સંસાર ઊભો છે. આ
‘હમ' જ પરણે છે, “હમ' જ પાળે છે અને એ જ રડે છે પાછો ! એ જ ત્યાગી થાય છે અને એ જ સંસારી થાય છે. એ
હમ' જ છે બધું. એ ‘હમ’ ગયું કે બધું કલ્યાણ થઈ ગયું. ૨૫૧૨ દરેકનામાં ગાંડો અહંકાર હોય. એ ગાંડો અહંકાર સવળાને
અવળું દેખાડે. ગાંડો અહંકાર ઘરનાનું ય અવળું દેખાડે. વીતરાગી વિજ્ઞાની શું કહે છે ? ઘરનાંની પ્રકૃતિને જીતો,
બહાર દુનિયા જીતવાની નથી. ૨૫૧૩ “નથી કરવું એ ય અહંકાર છે ને “કરવું છે' એ ય અહંકાર
૨૫૧૮ આ દુનિયામાં કોનાથી કામ ના થાય ? કર્તા હોય તેનાથી. ૨૫૧૯ સંજોગ બાઝે ત્યારે કહે, “મેં કર્યું. અને સંજોગ ના બાઝે
ત્યારે ?! ૨૫૨૦ કર્તાપદનું ભાન ગયું નહીં, એટલે ભોક્તાપદનું ભાન છે.
એટલે કષાય ઊભા રહ્યા છે. કર્તાપદનું ભાન ઊડે એટલે
ભોક્તાપદનું ભાન ના હોય, તો કષાય જતાં રહે. ૨૫૨૧ જેને કરવાપણું બાકી ના રહ્યું, તેને ભોગવવાપણું બાકી ના
રહ્યું. બંધન ભોક્તાથી નથી, કર્તાથી છે ! ૨૫૨૨ “સેલ્ફીનું ‘રિયલાઈઝેશન' (આત્મજ્ઞાન) કર્યા વિના જે જે કંઈ
કરવામાં આવે છે તે નરી ખોટ, ખોટ ને ખોટ જ છે ! ૨૫૨૩ જગતના લોક કહે છે, “કેવળ જ્ઞાન' કરવાની ચીજ છે. ના,
એ તો જાણવાની ચીજ છે ! કરવાની ચીજ તો કુદરત ચલાવી રહી છે. કરવું એ જ ભ્રાંતિ છે. આ શક્તિ કેટલી જાહોજલાલીથી તમારા માટે કરી રહી છે ! એ શક્તિને તો ઓળખો. ભગવાન આવું કરે જ નહીં. આ તો “વ્યવસ્થિત
શક્તિનું કામ છે. ૨૫૨૪ કુદરત જે કંઈ કરે છે તે તમારાં હિતનું જ કરે છે, તમારા
દોષને માર માર કરે છે. કર્તા પદ હોય તો સ્વચ્છેદ કહેવાય,
પણ કર્તાપદ જાય ત્યાર પછી કોણ કરે છે ? કુદરત જ ! ૨૫૨૫ કુદરત એ આપણો જ ફોટો છે. કુદરત વાંકી નથી, તમે વાંકા
૨૫૧૪ જો તમે ઈશ્વરને કર્તા માનો તો પછી તમે તમારી જાતને કર્તા
શું કામ માનો છો ? ૨૫૧૫ પોતે કર્તા માને છે તેથી કર્મ થાય છે. પોતે જો પોતાને એ
કર્મનો કર્તા ના માને તો કર્મને વિલય થાય છે. ૨૫૧૬ જ્ઞાનદશામાં આત્મા અકર્તા છે, અજ્ઞાનદશામાં આત્મા કર્તા
૨૫૧૭ મનુષ્ય એકલો જ એવો છે કે જે હું કર્તા છું' એવું ભાન ધરાવે
છે અને જ્યાં કર્તા થયો ત્યાં આશ્રિતતા તૂટી જાય છે. તેને ભગવાન કહે છે, “ભઈ, તું કરી લે છે તો તું છૂટો ને હું છૂટો.” પછી ભગવાનને ને તમારે શું લેવા-દેવા ?
૨૫૨૬ કુદરતે એવી ગોઠવણ કરી છે કે તમારું સારું જ થાય, પણ
તમે ભડકો તો બગડે. ૨૫૨૭ કુદરત એનું નામ કે જે વિરોધાભાસી બિલકુલ હોય નહીં.
“Ho' અને 'O' બે ભેગા થાય, બીજા અમુક સંજોગો ભેગા
Page #135
--------------------------------------------------------------------------
________________
થાય એટલે એનું પાણી જ થાય, તેલ ના થાય. ૨૫૨૮ કુદરત પરીક્ષા લે છે, એમાં વાંધા-વચકા ના કરે તો
‘પાસ’ થઈ જવાય. ૨૫૨૯ આ મનુષ્યો અહંકાર કરે ને કુદરત એને ફટકા મારીને ઉતારી
પાડે. કુદરત કહે છે, “કરું છું હું ને તું શેના અહંકાર કરે છે?” ૨૫૩૦ ‘બ્રેઈન' ચાલતું હોય કે ના ચાલે પણ કુદરત એની બધી જ
હાજતો પૂરી કરે છે. ચા પાકતી હોય સિલોનમાં, પણ સવારના પહોરમાં અહીં મુંબઈમાં ચા પીવા મળે. એવું છે આ
૨૫૩૧ આ કુદરતનું કેવું છે? કોઈ જીવને કિંચિત્માત્ર ધાર્યું ના થવા
દે. પણ જેનાથી કિંચિત્માત્ર કોઈને મનથી, વાણીથી કે વર્તનથી દુઃખ થતું નથી, તેને કુદરત બધી સત્તા આપે છે ધાર્યું
કરવાની. ૨૫૩૨ આ “વર્લ્ડ' જ આપણી માલિકીનું છે, પણ સત્તા પ્રાપ્ત થતી
નથી. એ તો જેટલું જેટલું ચોખ્ખું થતું જાય તેટલી તેટલી સત્તા
પ્રાપ્ત થાય. ૨૫૩૩ કુદરત કોઈ જીવંત વસ્તુ નથી. તેની ઉદારતા છે તે શા માટે
છે ? આપણે પોતે ભગવાન છીએ. માટે ભગવાન તરફનો
તેનો પક્ષપાત છે પણ આપણને કુદરતની કિંમત નથી. ૨૫૩૪ કુદરત આપણા આધીન છે, પણ આપણે તેના આધીન રહેવું
જોઈએ. કુદરતના કાયદા પાળવા જોઈએ. ૨૫૩૫ ત્રણ જાતના કાયદાના ભંગ દુનિયામાં ચાલી રહ્યા છે : ૧.
સામાજિક કાયદાનો ભંગ ૨. કુદરતના કાયદાનો ભંગ. અને
૩. પ્રભુના કાયદાનો ભંગ. ૨૫૩૬ સામાજિક કાયદા તોડશો - સમાજના, રાજના, પબ્લિકના તો
અપકીર્તિ મળશે, મગજ “ડિસ્ટર્બથઈ જશે. કુદરતનો ગુનો કરે, ખાવા-પીવાનું નોર્મલ' ના રહે, એટલે એ માંદો પડે. એમાં ભૂલ થશે તો કુદરત એને ફળ આપશે. અને પ્રભુના કાયદાનો ભંગ એટલે સર્વાત્મ કાયદાનો ભંગ થાય, તેનાથી
મોક્ષ અટક્યો છે. ૨૫૩૭ સર્વાત્મ કાયદો એટલે બધે “હું એકલો જ છું.’ આમાં મારે
કોની જોડે જુદાઈ રાખવાની ?! ૨૫૩૮ “ટ્રાફિકના ‘લ'ને માન આપે તો ગાડી ક્યાંય ના અથડાય. તેમ
જગતના બધી જ જાતના ‘લૉ પાળે તો ક્યાંય ના અથડાય. ૨૫૩૯ લોકો સ્થૂળ “લૉ'ને સમજે તેથી તેને પાળે. સૂક્ષ્મ ‘લૉ' સમજે
તો સૂક્ષ્મ જગ્યાએ ના અથડાય. સૂક્ષ્મતર “લૉર્મ પાળે તો સૂક્ષ્મતર જગ્યાએ ના અથડાય ને સૂક્ષ્મતમ ‘લૉ પાળે તો
સૂક્ષ્મતમ જગ્યાએ ના અથડાય. ૨૫૪૦ બધું નોર્માલિટી' ઉપર છે. “નોર્માલિટી' હોય તો કશી
અડચણ પડે તેમ નથી. ૨૫૪૧ ‘લૉ'માં રહેતો હોય એટલે નિયમમાં રહે. “લૉ’માં હંમેશાં
નિયમને સ્વીકારે ને નિયમ હંમેશાં “વ્યવસ્થિત' ભણી લઈ
જાય. ૨૫૪૨ આ પક્ષીઓને બધું ‘વ્યવસ્થિત' જ છે ને ! જેટલું જરૂરનું હોય
તેટલું જ ખાવાનું મળી આવે. એટલે શરીર બગડે જ નહીં
ને? આપણા લોકોને વધારે મળે તેનું દુઃખ છે ! ૨૫૪૩ પ્રાકૃત ક્રિયા એ “વ્યવસ્થિત' છે અને પ્રાકૃત ફળે ય
વ્યવસ્થિત છે. પછી ડખો ક્યાં રહ્યો ! ૨૫૪૪ ‘વ્યવસ્થિત'નું જ્ઞાન “હું' જન્મથી જ લઈ આવેલો ! અનંત
અવતારની “મારી' શોધખોળ છે !!
Page #136
--------------------------------------------------------------------------
________________
૨૫૪૫ કર્તા પોતે છે જ નહીં. ‘વ્યવસ્થિત' કર્તા છે. આ જ્ઞાન અને
ખુલ્લું કર્યું છે તેથી જ ‘લિફટ માર્ગ’ કહીએ છીએ ! ૨૫૪૬ શુદ્ધાત્મા સિવાય મન-વચન-કાયા-બુદ્ધિ બધું ‘વ્યવસ્થિત'ના
તાવે છે. બધું ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ' છે.
આ મારું છે, હું છું'માં વિભાજન થયું ને તેથી આ બધી મુશ્કેલીઓ, આરોપિત ભાવો થયા. તેથી આ પોતાનું સ્વરૂપ
ચૂક્યા ! ૨૫૪૭ એકને ગાળ ભાંડવાની ને એકની ગાળ સાંભળવાની. બન્ને
અવસ્થાઓ છે. આ જગતમાં કોઈ કર્તા નથી. તેવું જ આપણને દેખાવું જોઈએ. બધું ‘વ્યવસ્થિત' છે અને ‘વ્યવસ્થિત'
‘વ્યવસ્થિત' જ રાખે છે ! ૨૫૪૮ ગાડીમાં ‘ડૉકટર' બેસાડે છે તે વ્યવહારથી છે. ‘રિયલી
સ્પીકિંગ' (ખરી રીતે) “વ્યવસ્થિત’ બેસાડે છે. ૨૫૪૯ જગત વ્યવહારને ‘વ્યવસ્થિત’ કહેશો એટલે આશા, તૃષ્ણા
બધી ઊડી જશે. ૨૫૫૦ ડુંગર ચઢવાનો યોગ આવશે ત્યારે પગમાં શક્તિ પણ હશે
એવું ‘વ્યવસ્થિત છે ! ૨૫૫૧ તમારી પાસે એવું જ્ઞાન છે કે ‘વ્યવસ્થિત' તોડ્યું, પેલાએ
તોડ્યું નથી. આ બધાં નિમિત્ત છે. ૨૫૫૨ ‘વ્યવસ્થિત' જો પૂરું સમજતા હોય તો ખેંચ શબ્દ હોય જ
નહીં. સામાને કહીએ તમને જેમ અનુકૂળ આવે તેમ કરો. આપણે અનુકૂળ થઈ જઈએ. ‘વ્યવસ્થિત'ની બહાર કશું થાય
નહીં. ૨૫૫૩ આ બિલાડીનું ‘ટિફીન’ બધું આવે છે ને ‘ટાઈમ' ! ને આ
લોકો કહે છે, “મારો ધંધો ગયો, હવે મારું શું થશે ?”
બિલાડીને દુધ ને રોટલી ‘ટાઈમ” મળે છે. ત્યારે આ મનુષ્યો કહે છે કે વખતે દૂધ નહીં મળે તો શું કરીશું ? બુદ્ધિ વાપરી
કે બગડ્યું ! ૨૫૫૪ આ અહંકાર ના હોત તો દુનિયા આવી ગાંડી ના હોત.
અહંકારને લઈને દુઃખો છે. કામ કર્યું જાવ તેનો વાંધો નથી.
પણ અહંકાર નકામાં તોફાનો માંડે છે. ૨૫૫૫ આ ‘વ્યવસ્થિત' શું કહે છે કે તારે કશું કરવું ના પડે એવો
સામાન તૈયાર છે. તું તારી મેળે જોયા કર, આ મન-વચન
કાયા ‘વ્યવસ્થિત'ને તાબે છે. ૨૫૫૬ આ “અક્રમ વિજ્ઞાન’ જેમ છે તેમ બહાર પાડ્યું છે. આ
‘વ્યવસ્થિત’ ‘એઝેક્ટ' ‘વ્યવસ્થિત' છે. “અમે' આ જગત જોયું કે કેટલું થઈ ગયેલું છે ને કેટલું કરવાનું છે. થઈ ગયેલું
હોય, એને ફરી દળ દળ દળ્યા કરીએ એનો શો અર્થ ? ૨૫૫૭ “ક્રમિક માર્ગ'માં ‘વ્યવસ્થિત' અપાય એવું છે જ નહીં. કારણ
કે એમાં ઠેઠ સુધી કર્તાપદ રહે છે. ૨૫૫૮ જયાં સુધી કર્તા છે ત્યાં સુધી મોક્ષ હોય નહીં. કર્તા જ ભ્રાંતિ. ૨૫૫૯ જે કડવાશ ભોગવે તે જ કર્તા. કર્તા તે જ વિકલ્પ. ૨૫૬૦ સમજીને સમાઈ જવાનું છે. જે કરવા ગયા, તે ક્યારેય મોક્ષ
ના જાય. કરવા જાય તે કર્તા થયો ને સમજ્યો તે સમાઈ
ગયો ! ૨૫૬૧ જ્યાં ‘કરું' ત્યાં પરમાત્મા નહીં ને જ્યાં પરમાત્મા ત્યાં ‘કરું'
નહીં.
૨૫૬૨ કોઈ ‘આ કરે છે તેમ કહેવું, તે ગુનો છે. કોઈ “આ નથી કરતો”
તે કહેવું, તે ગુનો છે. અને ‘કરું છું' તેમ બોલવું તે ય ગુનો છે. ઉદયકર્મ કરાવે છે ને કહે છે, આણે આમ કર્યું.
Page #137
--------------------------------------------------------------------------
________________
૨૫૬૩ તમે આના કર્તા છો નહીં, માન્યતામાં ભૂલ છે. જે કામ
તમારું નથી, તેને કહો છો, ‘મેં કર્યું.’ અને તમારું કામ તે તો તમે જાણતાં નથી. એટલે તમારાં કેટલાં કામ થાય ? એકુંય કામ થયું નહીં. જાગૃતિ વગર તમે આવ્યા હતા, અહીં જન્મ્યા તે ય જાગૃતિ વગર અને ગયા ત્યારે જાગૃતિ વગર. કંઈ કર્યા વગર આટલા બધા પાપના દડિયા બાંધી ગયા ? ૨૫૬૪ જ્યાં કરવું, કરાવવું કે અનુમોદવું એ ભાવ જ ના હોય ત્યાં કોઈ જોખમદારી નથી.
૨૫૬૫ આ જગતનો કોઈ કર્તા સ્વતંત્રભાવે નથી, નૈમિત્તિક કર્તા છે.
કોઈ ‘હોલસેલ’ કર્તા પાક્યો જ નથી. ભગવાને ય આનો કર્તા નથી. ભગવાન જો કર્તા થાય તો તેને ભોક્તા થવું પડે ! ૨૫૬૬ ‘તું’ વ્યવહારથી કર્તા છે અને નિશ્ચયથી અકર્તા છે. આવું ભગવાન મહાવીર કહે છે.
૨૫૬૭ મૂળ કર્તા પુદ્ગલ છે ને આત્મા નૈમિત્તિક કર્તા છે.
૨૫૬૮ આત્મા વ્યવહારથી કર્તા છે, નિશ્ચયથી અકર્તા છે !! એટલે પુદ્ગલ વ્યવહારથી અકર્તા અને નિશ્ચયથી કર્તા છે !!
૨૫૬૯ આત્માની અનંત શક્તિ છે તેમ પુદ્ગલની શક્તિ પણ અનંત છે. પુદ્ગલની શક્તિથી તો આ જગત દેખાય છે. બધું પુદ્ગલ જ દેખાય છે. આત્મા કોઈ જગ્યાએ દેખાતો નથી.
પૂરણ-ગલન.
૨૫૭૦ પુદ્ગલ એટલે ૨૫૭૧ ‘પઝલ’ને કરનારું પુદ્ગલ. ‘પઝલ’ જાણ્યું કોણે ? આત્માએ. ૨૫૭૨ દાદાની ભાષામાં પુદ્ગલ આત્માને વળગ્યું છે. આત્મા પુદ્ગલને નહીં.
૨૫૭૩ પુદ્ગલ આત્માની જેલ છે !
૨૫૭૪ આ ઘઉંમાંથી કેટલી ચીજો બને છે ? તેમ એક અનાત્મ વસ્તુમાંથી કેટલી બધી વસ્તુઓ બની જાય છે !
૨૫૭૫ મન મનનો ધર્મ બજાવે, બુદ્ધિ બુદ્ધિનો ધર્મ બજાવે, અહંકાર અહંકારનો ધર્મ બજાવે, એ બધા પુદ્ગલ ભાવો છે, એ આત્મભાવ નથી. આ બધા પુદ્ગલ ભાવને ‘આપણે’ જોવા ને જાણવા એ જ આત્મભાવ છે. પુદ્ગલભાવ તો બધા પાર વગરના છે. લોક પુદ્ગલ ભાવમાં જ ફસાયું છે.
૨૫૭૬ પુદ્ગલ ખાણું, પુદ્ગલ પીણું અને પુદ્ગલ રમણું છે. આ ત્રણ
જ ચીજ જગતમાં બધાને છે. એનાં અનેક નામ આપ્યાં. ખાણું-પીણું એ બાબત ‘લિમિટેડ’ છે. પણ રમણું ‘અલિમિટેડ’ છે. આખું જગત પુદ્ગલ રમણું કરે છે !
૨૫૭૭ તમે પોતે પરમાત્મા છો, પણ પોતાનું ભાન નથી. તેથી ‘હું સ્ત્રી છું’ કહેશે. સ્ત્રી તો પેકિંગ છે, ગધેડું એ પેકિંગ છે, કૂતરું એ પેકિંગ છે, બધું પેકિંગ છે. ‘પેકિંગ’ને પોતાનું સ્વરૂપ માને
છે.
૨૫૭૮ જ્યાં સુધી ‘પેકિંગ' દ્રષ્ટિ છે ત્યાં સુધી સંસાર છે. પણ જો ‘મટિરિયલ’ દ્રષ્ટિ થશે તો મોક્ષ થશે.
૨૫૭૯ ગમે તેટલો ડાહ્યો પણ તે પુદ્ગલ ગુણને ? અને પુદ્ગલ ગુણના રાગી થયા એટલે પુદ્ગલના રાગી થયા !
૨૫૮૦ તારા અત્યારે જેટલાં ગુણો દેખાય છે એ તારા નથી, આરોપિત છે, ‘કલ્ચર્ડ’ છે. તારા ગુણ તો ઓર જાતના છે. તેં તે જોયા નથી, જાણ્યા નથી, એય ગુણ તેં જાણ્યો નથી.
૨૫૮૧ આરોપિત ભાવ એ વિકલ્પ ભાવ અને સ્વભાવભાવ એ દર અસલ ભાવ, પરમાત્મભાવ.
૨૫૮૨ સ્વભાવદશા આવી એનું નામ જ મુક્તિ !
Page #138
--------------------------------------------------------------------------
________________
૨૫૮૩ દરેક વસ્તુ સ્વભાવથી ભિન્ન પડે છે અને સ્વભાવથી ભિન્ન
પડેલી વસ્તુ એકાકાર ના થાય. ૨૫૮૪ આ આપણું “અક્રમ વિજ્ઞાન' શું કહે છે? દરેકનો સ્વભાવ
ઓળખવાનો છે. અને તે સ્વભાવ પાછો અનેક વસ્તુઓના મિલ્ચર'થી થયેલો છે. તે સ્વભાવ ઓળખી લેવાનો છે, પછી
કશો વાંધો ના આવે. ૨૫૮૫ આત્માનો સ્વભાવ ભાવ જ મોક્ષ છે ને વિશેષ ભાવ એ સંસાર
છે. સંસાર એ વિરુદ્ધ ભાવ નથી. ૨૫૮૬ ખોટામાંથી ખરામાં લઈ જાય એ ખોટું નથી, પણ પોતાના
સ્વભાવમાં આવવું પડે એ ખરો ધર્મ છે. સ્વભાવમાં આવી
જાઓ એટલે બહારની વસ્તુ કોઈ તમને અડે નહીં. ૨૫૮૭ જેને “આ મારો સ્વભાવ નથી' એનું ભાન થાય, તેને નિરંતર
આત્મા-અનાત્માનું ભાન છે ! ૨૫૮૮ સૌ સૌના સ્વભાવમાં છે. કોઈ કોઈની જોડે વેર નથી. આ
વરસાદ વરસાદના સ્વભાવમાં છે. કેટલાકને ના ફાવતું હોય ને કેટલાકને ફાવે. પણ એ એનો સ્વભાવ છોડતો નથી. કોઈ
કોઈના સ્વભાવથી મુક્ત થઈ શકતું નથી ! ૨૫૮૯ તમારા આંબાને ગમે તેટલું ખાતર નાખો તો તે સફરજન
આપે ? ના. શાથી ? ત્યારે કહે, સ્વભાવ ના બદલાય. ૨૫૯૦ જેનો જે સ્વભાવ છે ત્યાં ઉપાય શો ? ૨૫૯૧ ઉપાય કરવાની જરૂર નહીં. માત્ર જોયા કરવાનું ! ક્રોધ કેટલો
વધ્યો, કેટલો ઘટ્યો એ જોયા કરવાનું. “ઉપય’ પ્રાપ્ત થઈ ગયું એટલે ઉપાય કરવાના રહ્યા નહીં. ઉપાય કરવાથી આત્માનું જ્ઞાતાપણું જતું રહે. એટલે ખરો લાભ જતો રહે. આટલું ‘ટેન્શન’ આવ્યું, આટલું વધ્યું, હવે જતું રહ્યું. એ જોયો જ જો
કરવાનાં, જ્ઞાતા રહેવાનું ને ઉપાય કરવાથી તો ઠંડક રહે. ૨૫૯૨ વિષમ પરિસ્થિતિમાં સમતા રહે, એનું નામ “જ્ઞાન.' ૨૫૯૩ ઉપાધિમાં સમતા રહે ત્યારે જાણવું કે મોક્ષનાં વાજાં વાગી
રહ્યાં છે ! ૨૫૯૪ સંસારના માણસો નિયમમાં આવે ત્યારે યમધારી કહેવાય.
કંઈ પણ નિયમ પકડે ત્યારથી યમમાં આવ્યો કહેવાય.
ત્યાગીઓ નિયમી કહેવાય અને જ્ઞાનીઓ સંયમી કહેવાય. ૨૫૯૫ સંસારમાં રહીને જ સંયમ પરિણામ ઊભાં થાય. સંસાર વગર
સંયમ આવે નહીં. સંયમ આવે એથી સંસાર પણ ‘સેફ સાઈડ
થઈ જાય ! ૨૫૯૬ સંયમ ક્યારથી કહેવાય ? સંયમની શરૂઆત શી ?
આર્તધ્યાન- રૌદ્રધ્યાન બંધ થાય ત્યારથી. અસંયમી કોને કહેવાય ? પારકી વસ્તુઓને વશ વર્તે તેને. આર્તધ્યાન
રૌદ્રધ્યાન બંધ ના થાય ત્યાં સુધી યમનિયમ કહેવાય. ૨૫૯૭ સંયમિત દેહ, સંયમિત મન ને સંયમિત વાણી જેનાં થયાં એ
પોતે પરમાત્મા થઈ ગયો ! ૨૫૯૮ સંયમિત મન, સંયમિત દેહ ને સંયમિત વાણી એ ત્રણ
પોતાની’ ગુફામાંથી બહાર નીકળવા ના દે. “આપણે” ‘આપણી’ ગુફામાં જ પેસી જવું. ચા-પાણી પીવા બહાર આવવું
ને પાછું મહીં ગુફામાં પેસી જવું. ૨૫૯૯ સંયમની છાપ ના પડે ત્યાં વીતરાગનો ધર્મ ચાલે નહીં.
આપણી દાળમાં માટી નાખી જાય તો ય સંયમ ના જાય, એનું નામ વીતરાગ ધર્મ. મહીં સમાધાન રહે ને બહાર મોઢું બગડી જાય તેનો વાંધો નથી, એ પુદ્ગલની કસર કહેવાય. એ પુદ્ગલની કસર ના રહે તેની તો વાત જ જુદી ને !
Page #139
--------------------------------------------------------------------------
________________
૨૬૦૦ “અમારો વ્યવહાર ક્યારથી સારો ગણાય કે “અમે જ્યારથી
સંયમિત થયા છીએ. સંયમ ના હોય તો વ્યવહાર વ્યવહાર જ ના ગણાય ને ? સહેજ પણ અસંયમને પૂરેપૂરો વ્યવહાર
કહેવાય નહીં. ૨૬૦૧ “શું થાય છે' એ જોયા કરવામાં ચૂકે, એને અસંયમ કહેવાય.
શું થાય છે એ જોયા જ કરે, એ છેલ્લામાં છેલ્લો સંયમ.
આ જ્ઞાનીઓનો સંયમ કહેવાય. ૨૬૦૨ સંયમ પરિણામ એટલે આત્મ પરિણામ અને પુદ્ગલ
પરિણામ બને જુદાં યથાર્થપણે રહે છે. ૨૬૦૩ ‘વ્યવસ્થિત'ના જ્ઞાનનો આધાર અને પોતાના સ્વરૂપની
જાગૃતિ, તેના આધારે પૂરેપૂરો સંયમ પાળી શકાય. ૨૬૦૪ સંયમ, અહંકારે કરીને થાય નહીં. અહંકારથી ત્યાગ થાય.
ત્યાગમાં કર્તુત્વ જોઈશે, ત્યાગનો કર્તા જોઈશે. ૨૬૦૫ ક્રોધ-માન-માયા-લોભના સંયમને સંયમ કહેવાય. સંયમના
પાછા બે ભાગ : એક સંયમમાં ક્રોધ-માન-માયા-લોભ હોય ખરાં, પણ તે “કંટ્રોલેબલ’ હોય, સામાને કિંચિત્માત્ર નુકસાન ના કરે. બીજો સંયમ અમારી પેઠ. એમાં બિલકુલ ક્રોધ-માનમાયા-લોભ હોય જ નહીં. એ સામાને ય નુકસાન ના કરે ને
પોતાને ય નુકસાન ના કરે. ૨૬૦૬ સ્વચ્છંદ રોકાય, એનું નામ સંયમ. ૨૬૦૭ સંયમ પરિણામથી જ મોક્ષ છે. ૨૬૦૮ સંયમ પરિણામ એટલે શું? પુદ્ગલમાં આત્મા ભળે નહીં,
જુદો ને જુદો વર્યા કરે. આત્માને ભળવા દો તો હિંસક ભાવ
થઈ જાય. ૨૬૦૯ પોતાનું નિજસ્વરૂપનું ભાન થયું તેનું પ્રમાણ શું ? સંયમ
પરિણામ વર્તે છે. ૨૬૧૦ સંયમધારીને ભગવાને પણ વખાણ્યા છે. સંયમધારીને
મરણની બીક ના હોય. સંયમધારીનાં દર્શન કરવાં પડે. ૨૬૧૧ જે “જ્ઞાન” પર શંકા ના પડે એ નિઃશંક જ્ઞાન છે. નિઃશંક જ્ઞાન
એ પરમાત્મજ્ઞાન છે. ૨૬૧૨ જ્યાં શંકા ત્યાં દુ:ખ. “હું ચંદુભાઈ છું' એ જ્ઞાન ઉપર શંકા
પડી કે દુ:ખ ઊભું થયું અને “શુદ્ધાત્મા છું'નું જ્ઞાન થયું કે
નિઃશંક થઈ ગયો, એટલે દુઃખ ગયું. ૨૬૧૩ શબ્દથી આત્મા બોલ્ય ના ચાલે. આત્માની પ્રતીતિ બેસવી
જોઈએ. પ્રતીતિ એટલે આત્માની નિઃશંકતા, પોતે પોતાને જ
ખાતરી થઈ જાય ! ૨૬ ૧૪ શંકા એક ક્ષણ પણ ના થાય, એનું નામ આત્મા. ૨૬ ૧૫ શંકા ત્યાં સંસાર ઊભો થાય. ૨૬૧૬ શંકા સાથે જાય, તેને માર પડ્યા વગર રહે નહીં. ૨૬૧૭ જ્યાં સુધી આત્મા સંબંધી શંકા જાય નહીં, ત્યાં સુધી સંસારની
કોઈ શંકા જાય નહીં. ૨૬૧૮ નિઃશંક આત્માથી નિર્ભયતા થાય છે. નિઃશંકતા પછી
અસંગતા. ૨૬ ૧૯ આવડું મોટું જગત એને નિશંકપણે જાણો. કોઈ જગ્યાએ શંકા
જ ના પડવી જોઈએ. “જ્ઞાની' એટલે શું ? જેણે નિઃશંકપણે આખું ય જગત જાણ્યું છે. એમની પૂંઠે પૂંઠે વહીને તમે પણ એવું જાણો તો તમારો ઉકેલ આવશે. નહીં તો આ “પઝલ' “સોલ્વ' થાય એવું નથી. આ તો ભારે “પઝલ' છે !
Page #140
--------------------------------------------------------------------------
________________
૨૬૨૦ પ્રગટનું મહત્ત્વ જ તેથી છે કે દેખતાં જ મહીં શક્તિઓ પ્રગટ
થાય. ખાલી દર્શનથી જ શક્તિઓ ઉત્પન્ન થાય. પ્રગટને
જોતાં જ તે રૂપ થાય. ૨૬૨૧ “જ્ઞાની પુરુષ' પાસે તો પોતે પોતાનાં દર્શન કરવાનાં છે. ૨૬૨૨ “જ્ઞાની પુરુષ'ને એક ક્ષણવાર પણ સંસાર પરિણતિ ના હોય
ને સંસારભાવ પણ ના હોય. નિજપરિણતિ હોય ને સ્વભાવ
ભાવ હોય. ૨૬૨૩ “જ્ઞાની’ અને ‘અજ્ઞાની'માં આટલો જ ફેર. ‘જ્ઞાની'ને નિરંતર
સ્વપરિણતિ હોય અને “અજ્ઞાની” સ્વપરિણતિમાં એક ક્ષણ પણ રહી ના શકે. બીજો ફેરફાર ના હોય. ‘જ્ઞાની'ને કંઈ શિંગડાં
ના હોય, કપડાંલત્તાં બધું હોય, ખાલી પરિણામમાં જ ફેર ! ૨૬૨૪ પરપરિણતિ બંધ થાય તે સ્વપરિણામમાં રહેવાનું થાય,
સ્વપરિણામમાં મુકામ થાય ત્યારે ભગવાન થાય ! ૨૬૨૫ જગત આખું પરપરિણતિમાં છે, સ્વપરિણતિ જોઈ નથી.
સ્વપરિણામ એ જ પરમાત્મપદ ! ૨૬૨૬ જે પરપરિણામમાં છે, જે “ડિસ્ચાર્જ રૂપે છે, તેમાં વીતરાગતા
રાખવાની છે. બીજો ઉપાય જ નથી ! ૨૬૨૭ દેહ એ પુદ્ગલ પરિણામ છે ને મહીં સ્વપરિણામ છે. જગત
આખું પુદ્ગલ પરિણામ છે. ૨૬૨૮ “જ્ઞાની પુરુષ' સિવાય દેહાધ્યાસ છૂટે નહીં. ‘જ્ઞાની પુરુષ' એ
વીતરાગ છે. એ સ્વપરિણતિમાં જ નિરંતર રહે. “જ્ઞાની પુરુષ' દેહમાં રહેતા નથી, મનમાં રહેતા નથી, બુદ્ધિમાં રહેતા નથી, અહંકારમાં રહેતા નથી. તેથી “જ્ઞાની પુરુષ' એકલાં જ
આપણો દેહાધ્યાસ છોડાવે. ૨૬૨૯ જે “તમે’ નથી, તેને “પોતે' માન માન કરો તે દેહાધ્યાસ.
દેહને ના માનો ને મનને માનો તો તે પાછો મનોવ્યાસ રહે. ૨૬૩૦ “આત્મા છું' એમ વર્તે તો જ દેહાધ્યાસ છૂટે. “આ સ્ત્રી
પુત્રાદિ મારાં નથી' એમ કહેવાથી કાંઈ દેહાધ્યાસ ના છૂટે. ૨૬૩૧ જાણ્યું એનું નામ કે દેહાધ્યાસ જાય. આ તો દેહાધ્યાસ ગયો
નથી ને હું જાણું છું'નો “કેફ' રહે, તે શી દશા થાય ? ૨૬૩૨ દેહને કોઈ સળી કરે ને પોતે જો સ્વીકારે તો દેહાધ્યાસ છે.
મને કેમ કર્યું ?” કહ્યું, તો એ દેહાધ્યાસ. ૨૬૩૩ દેહ સહજ એટલે સ્વાભાવિક દશા. એમાં વિભાવિક દશા
નહીં. એમાં પોતે હું છું' એવું ભાન નહીં. ૨૬૩૪ દેહાધ્યાસ ગયા પછી દેહની સહજતા અંશે અંશે વધ્યા કરે. ને
જેટલા અંશે સહજ થાય એટલા અંશે સમાધિ ઉત્પન્ન થાય ! ૨૬૩૫ દેહાધ્યાસ જાય છતાં ય લોક વ્યવહારમાં પૂછે કે, “તમને
ખાતાં જોયા હતા.’ તો આપણે હા કહેવું પડે, પણ આપણી
બિલિફમાં એ વાત ના હોય. ૨૬૩૬ દેહભાવ આખો ખલાસ કરવો પડે. મનોભાવ આખો ખલાસ
કરવો પડે. વાણીભાવ આખો ખલાસ કરવો પડે. આખો
દેહાધ્યાસ ખલાસ કરવો પડે. ૨૬૩૭ આત્માને આત્મબુદ્ધિએ જાણવો, તે દેહાધ્યાસ છૂટ્યો કહેવાય. ૨૬૩૮ દેહાધ્યાસમાં રહેવું ને દેહાધ્યાસ છોડવો એ શી રીતે બને ?
એ તો તરણતારણહાર થયા હોય એવાં “જ્ઞાની” પાસે જજો.
દેહાધ્યાસથી દેહાધ્યાસ જાય નહીં. ૨૬૩૯ દેહાધ્યાસ અને આત્મધ્યાન એ ઉત્તર-દક્ષિણ જેટલું છેટું છે !
જેટલાં પ્રમાણમાં એને આત્મધ્યાન ઉત્પન્ન થાય એટલાં પ્રમાણમાં દેહાધ્યાસ છૂટતો જાય.
Page #141
--------------------------------------------------------------------------
________________
૨૬૪૦ ધ્યાન હોય ત્યાં “ઈગોઈઝમ” ના હોય ને “ઈગોઈઝમ હોય
ત્યાં ધ્યાન ના હોય. ૨૬૪૧ અહંકારવાળી વસ્તુ એકાગ્રતા કહેવાય ને અહંકારથી જે નિર્લેપ
રહે તે ધ્યાન કહેવાય. ૨૬૪૨ થાતા-ધ્યેયનો તાર સંધાયો, એનું નામ ધ્યાન. તાર તૂટ્યો કે
ધ્યાન તૂટ્યું. જે જીવતા છે એવા “જ્ઞાની પુરુષ'નું ધ્યાન તે
નિદિધ્યાસન કહેવાય અને મૂર્તિનું ધ્યાન તે એકાગ્રતા છે ! ૨૬૪૩ મનનાં પરિણામમાં આત્મા તન્મયાકાર થાય, તો ધ્યાન
ઉત્પન્ન થાય. ૨૬૪૪ અહંકાર હોય ત્યાં ધ્યાન ના હોય. અહંકારનો સ્વભાવ એવો
છે કે તે ઘડીએ ધ્યાન હોય નહીં. એટલે ધ્યાન ઉત્પન્ન થાય છે એ પરિણામ છે, ક્રિયા નથી. અહંકાર કોઈ પણ ક્રિયા કરે,
તેમાંથી જે પરિણામ ઉત્પન્ન થાય એ ધ્યાન છે. ૨૬૪૫ ધ્યાન એ પરિણામ છે. પરિણામ કરાય નહીં. પરિણામ
ઉત્પન્ન થાય, સ્વાભાવિક આવે. ૨૬૪૬ ધ્યાતા - ધ્યેયનું અનુસંધાન કરવું એ પુરુષાર્થ છે ને ધ્યાન એ
પરિણામ છે. ૨૬૪૭ પુરુષાર્થ એવી વસ્તુ છે કે પુરુષ થયા પછી જ પુરુષાર્થ થાય.
આ તો પ્રકૃતિ પરાણે નચાવે છે તેમાં તમે કહો છો કે હું કરું છું આ. એને ભ્રાંતિનો પુરુષાર્થ કહેવાય. એ સાચો પુરુષાર્થ ન હોય. પુરુષ અને પ્રકૃતિ બે જુદાં પડ્યાં પછી જ સાચો
પુરુષાર્થ થાય. ૨૬૪૮ સાચો પુરુષાર્થ ક્યારે ઉત્પન્ન થાય ? જ્ઞાની પુરુષ' પુરુષ
બનાવે, ત્યાર પછી પુરુષાર્થ. ત્યાં સુધી તો પ્રકૃતિના આધારે ચાલી રહ્યું છે, આ પ્રકૃતિ નચાવે તેમ નાચે છે, પણ છતાંય
આપણે એને એક્સેપ્ટ તો કરવું પડે. એ ભ્રાંત પુરુષાર્થ છે. ૨૬૪૯ જેટલી ચીજનો સંયોગ થાય એ પ્રારબ્ધ અને એની જોડે જે
ભાવાભાવ ઉત્પન્ન થાય એ પુરુષાર્થ. ૨૬૫૦ બે જાતના પુરુષાર્થ : એક પ્રારબ્ધમાંથી ઉત્પન્ન થતો પુરુષાર્થ
- “રિલેટિવ પુરુષાર્થ.' પ્રારબ્ધમાંથી બીજ પડે અને તેમાંથી ઉત્પન્ન થતો “રિલેટિવ પુરુષાર્થ.” અને બીજો છે તે પુરુષ થયા પછીનો ‘રિયલ પુરુષાર્થ. પ્રારબ્ધને ક્યા ભાવે ભોગવે
છે એ ભાવ એ ભ્રાંત પુરુષાર્થ છે ! ૨૬૫૧ પુરુષાર્થ એ યોજનારૂપે છે, ને પ્રારબ્ધ એ રૂપક છે. ૨૬૫૨ ફરજિયાતમાં ‘ઈગોઈઝમ' ના કરે, એનું નામ પુરુષાર્થ. ૨૬૫૩ તમે સંસારમાં કંઈ ભોગવો ને તેમાં તમને રસ આવતો હોય
તો તે બંધન થાય ને તે ભોગવતાં જરાય રસ ના હોય ત્યારે
બંધન ના થાય. તે જ સાચો પુરુષાર્થ છે. ૨૬૫૪ સાચો પુરુષાર્થ તો પોતાની જાત માટે નિષ્પક્ષપાતી થાય ત્યારે
થાય. ૨૬૫૫ પુરુષાર્થ કોને કહેવાય ? સ્વતંત્રપણું હોય, સ્વાધીન હોય,
પરાધીન ના હોય. અહીં તો બીજા સંયોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય. “સાયન્ટિફિક સરકમસ્ટેન્સિલ એવિડન્સ'ના
આધારે થાય છે તે પ્રારબ્ધ છે. ૨૬૫૬ જ્યાં સુધી કોઈનું આલંબન લેવું પડે છે ત્યાં સુધી પ્રારબ્ધ છે. ૨૬૫૭ બાબો ચાલે તેમાં બાબાનો શો પુરુષાર્થ ? એ તો પ્રકૃતિ ચલાવે
૨૬૫૮ વખત પુરુષાર્થી નથી, પુરુષ પુરુષાર્થી છે.
Page #142
--------------------------------------------------------------------------
________________
ક્રિયાઓ સારી છે કે ખોટી છે? કોઈ ક્રિયા સારી નથી કે ખોટી નથી, પણ અજ્ઞાન જો ખસી જશે તો બધું પડી જશે. તું સુટેવો વાળ વાળ કરીશ ને કુટેવો કાઢ કાઢ કરીશ તો કંઈ એનાથી આધાર જશે નહીં. આધાર રહ્યો ત્યાં સુધી સંસાર છે. કેટલી ચીજને ખસેડ ખસેડ કરશો ? એના કરતાં પોતે' જ ખસી જવું. આ અક્રમ માર્ગમાં વસ્તુને જ નિરાધાર કરવામાં આવે
૨૬૫૯ પ્રારબ્ધ અને પુરુષાર્થની લક્ષ્મણરેખા ‘એક્ઝક્ટ' જાણે તે
જ્ઞાની' ! ૨૬૬૦ આત્માનો બીજો કંઈ પુરુષાર્થ નથી. જ્ઞાતા-દ્રષ્ટા જ એનો
પુરુષાર્થ છે ને પરમાનંદ એનું પરિણામ છે. ૨૬૬૧ ભગવાનને ત્યાં બીજો કોઈ ગુનો જોવામાં આવતો નથી. એમને
તો ‘તમે “જ્યાં છો ને જેવાં છો' તેમ વર્તે નહીં, તેનો ગુનો છે !
‘તમે’ ‘પોતે' જ્ઞાતા-દ્રષ્ટા પદમાં છો, તેમાં તમે રહો ! ૨૬૬૨ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી આત્મા શૈય છે. જ્ઞાન થયા
પછી જ્ઞાતા છે. ૨૬૬૩ જોય-જ્ઞાનને જાણે એનું નામ શાસ્ત્રજ્ઞાન અને જ્ઞાતા-જ્ઞાનને
જાણે એનું નામ અનુભવજ્ઞાન. ૨૬૬૪ જેને તમે જ્ઞાતા માની બેઠા છો, એ જો શેયરૂપે સમજાશે તો
તમે જ્ઞાતા થશો ! ૨૬૬૫ સત્સંગે ય છેવટે શું કહે છે? કરશો નહીં. જે પરિણામ થાય
એ જોયા કરો. ૨૬૬૬ કશાનું મૂળ ખોળવા જેવું નથી. મૂળ ખોળવા જઈએ તો માર
પડે. જે બને તે જાણવાનું' ને ‘જોવાનું! ૨૬૬૭ જ્યાં ઉપાય ના હોય ત્યાં જોયા - જાણ્યા કરવું. આત્મજ્ઞાન
ના હોય તો ઇન્દ્રિયજ્ઞાનથી ય જોયા કરાય. પણ ઇન્દ્રિયજ્ઞાનથી જોયા કરવું ને આત્મજ્ઞાનથી જોયા કરવું, એમાં ‘ડિફરન્સ છે.
ઇન્દ્રિયજ્ઞાનથી જોવામાં ‘ઇગોઇઝમ' રહેલો છે ! ૨૬૬૮ બધી જ ક્રિયાઓના જ્ઞાતા-દ્રષ્ટા રહો તો બધી જ ક્રિયાઓ
ગલન સ્વરૂપ છે. કુટેવો ને સુટેવો બધું જ ગલન સ્વરૂપ છે. ૨૬૬૯ જગત શેની ઉપર ઊભું રહ્યું છે ? અજ્ઞાનના આધાર ઉપર.
૨૬૭૦ જ્ઞાયકતા એ સ્વરમણતા છે. ૨૬૭૧ જેનામાં અહમ્ બિલકુલે ય ન હોય તે ‘જ્ઞાની પુરુષ'. ૨૬૭૨ આત્માનો સ્વભાવ એવો છે કે જેવી ‘બિલિફ’ ફરે તેવો થઈ
જાય. તેમાં આત્મા તો તેનો તે જ રહે, માત્ર પરિણામ
બદલાઈ જાય અહંકારને લઈને. ૨૬૭૩ પૌગલિક રમણતામાં પુનર્જન્મ થાય ને આત્માની રમણતાથી
મોક્ષ થાય, એકાદ અવતારમાં. ૨૬૭૪ પ્રત્યક્ષ મોક્ષનું કારણ શું ? સ્વરમણતા. જગત આખું
પરરમણતામાં છે. ૨૬૭૫ એક ક્ષણવાર પણ આત્માને રમાડે તો પરમાત્મા થવાય ! ૨૬૭૬ આત્માનો સ્વાદ આવે ત્યાર પછી આત્મરમણતા ઉત્પન્ન થાય,
ત્યાં સુધી કોઈ દહાડો ય આત્મરમણતા ઉત્પન્ન થાય નહીં. ૨૬૭૭ “આત્મા છું' ને આ મારા ગુણધર્મો છે એમ ચિંતવન થવું,
એટલે કે સ્વરૂપ અને સ્વભાવમાં રહેવું એ સ્વરમણતા છે ! ૨૬૭૮ જ્યાં સુધી આત્માનો સ્વભાવ ઉત્પન્ન થાય નહીં, ચાખે નહીં,
ત્યાં સુધી પ્રકૃતિ જ રમ્યા કરે છે. સ્વભાવ ચાખ્યા પછી પોતાની જ રમણતા કરે છે.
Page #143
--------------------------------------------------------------------------
________________
૨૬૭૯ આત્માની રમણતા ક્યાં સુધી ? પોતાની પુર્ણ દશા ઊભી થઈ
એટલે પછી રમણતા રહી જ નહીં ને ! પોતે' “પોતે' જ થઈ
ગયો ! એટલે રમણતાની દશા પૂરી જ થઈ ગઈ ! ૨૬૮૦ ‘પર પરિણતિ' એટલે પારકાં પરિણામ. ‘વ્યવસ્થિત' કરે છે
તેને પોતાનાં માનવાં, એનું નામ “પરપરિણતિ'. પરદ્રવ્યનાં
પરિણામને સ્વદ્રવ્યનાં પરિણામ માનવાં એ ‘પર પરિણતિ'. ૨૬૮૧ “હું કરું છું તે “પપરિણતિ' કહેવાય. કંઈ પણ “પર
પરિણામને પોતાનાં માનવાં તે “પપરિણતિ'. આ “અક્રમ
જ્ઞાન’ મળ્યા પછી પરપરિણતિ થતી જ નથી. ૨૬૮૨ ક્ષાયક સમકિત એટલે શું ? પરપરિણતિ જ નહીં, નિરંતર
સ્વપરિણતિ જ રહે તે ! ૨૬૮૩ જે જ્ઞાન વર્તનમાં લાવે તે જ્ઞાન સાચું. બીજાં શુષ્કજ્ઞાન કહેવાય
છે. આ “અક્રમ વિજ્ઞાન’ વર્તનમાં લાવે તેવું છે ! ૨૬૮૪ જે જ્ઞાન વર્તનમાં ના આવે તે જ્ઞાન જ નથી, અજ્ઞાન છે. જ્ઞાન
હંમેશા વર્તનમાં આવે જ. ૨૬૮૫ વર્તન એ પહેલાંના વખતનું અજ્ઞાન છે અને સમજણ એ
કેટલાય અવતારોની સિલકી સામાન છે ! ૨૬૮૬ સંસાર એ સમસરણ માર્ગ છે. બહુ લાંબો માર્ગ છે. એટલે
ગયા અવતારમાં તમે ચાલ્યા કરો છો, આ અવતારમાં તમે ચાલ્યા કરો છો. એ માર્ગ ઉપર જેવું જ્ઞાન તમે જુઓ છો, તેવાં જ્ઞાન પર તમને શ્રદ્ધા બેસે છે. એ શ્રદ્ધાનું રૂપક આવે છે. બીજા અવતારમાં બીજા પ્રકારનું જ્ઞાન મળે છે ને રૂપક પાછલાં અવતારના જ્ઞાનનું આવે છે ! આનાથી દ્વિધા ઉત્પન્ન થાય છે કે મનના હિસાબ પ્રમાણે રૂપક કેમ નથી આવતું ? જેટલું જ્ઞાન ભર્યું એટલી દ્વિધા ઉત્પન્ન થાય.
૨૬૮૭ અત્યારે “થતું નથી' એમ થાય છે ત્યારે આજનું જ્ઞાન “આ
કરવું જોઈએ' એમ બતાડે છે ને પાછલું જ્ઞાન કહે છે કે “આ કરવાની કંઈ જરૂર નથી.” “થતું નથી, થતું નથી' કહેવાથી શું થાય ? બોલનારના ભાવ ફરે. “કરવું જોઈએ, કરવું જોઈએ’ એ આજના જ્ઞાન પર શ્રદ્ધા બેઠી એટલે આવતે ભવે એવું
રૂપકમાં આવે ! ૨૬૮૮ જેને જેવું જ્ઞાન મળે તેવી રીતે ચાલ્યો જાય અને જો સવળું
જ્ઞાન મળે તો તેવું ચાલે. ૨૬૮૯ જગતનું અધિષ્ઠાન જ જ્ઞાન છે. જ્ઞાનના આધારે જ જીવો
ચાલી રહ્યા છે ! એ જ્ઞાન કે અજ્ઞાન ? અજ્ઞાન એ ય જ્ઞાન જ છે. એ તો “જ્ઞાની'એ જુદું પાડ્યું. બાકી, જીવને જે જ્ઞાન છે તેના આધારે જ ચાલે છે. એટલે જ્ઞાન જ ચલાવનારું છે.
આ જગતને. ૨૬૯૦ અહીંથી જૂહુ જવું હોય ને બે રસ્તા આવ્યા તેમાં ક્યો રસ્તો
સાચો? કોઈ બતાવે એ જ્ઞાનના આધારે તમે આવો. આ ક્રિયા
જ્ઞાન જ ચલાવે છે. ૨૬૯૧ “જ્ઞાન” જ ચલાવે છે. ક્રિયાઓ બધી જ્ઞાન જ કરાવે છે.
‘જ્ઞાની'ઓના કહેલાના આધારે ચાલેલાનું ફળ વિરતી ! અને
જગતના જ્ઞાનનું ફળ અવિરતી ! ૨૬૯૨ છોકરાં માબાપને જીવડાં મારતાં જુએ એટલે એ ય મારે. જે
જ્ઞાન જુએ તેવું કરે. એટલે એનો માર પડે. ૨૬૯૩ જ્ઞાન એ જ પરમાત્મા છે. જ્ઞાન ક્યારેય અજ્ઞાન થતું નથી,
પણ ઉપયોગ બદલાય છે, તેને જ અજ્ઞાન કહ્યું છે ! ૨૬૯૪ અમે ‘જ્ઞાન'માં જેમ છે તેમ હકીકત જોઈ છે, તે કહીએ છીએ.
કોઈ બાપોય બાંધતું નથી. અજ્ઞાન બાંધે છે ને જ્ઞાન છોડાવશે. બંધાવનાર અજ્ઞાન તો ઠેર ઠેર છે, જ્યારે છોડાવનાર જ્ઞાન તો
Page #144
--------------------------------------------------------------------------
________________
‘જ્ઞાની પુરુષ’ ભેગા થઈ જાય તો એ મળે !
૨૬૯૫ તને જે લૌકિક જ્ઞાન મળ્યું છે તે લૌકિક જ્ઞાનના આધારે ન્યાય ના કરીશ. આ અમે ‘વ્યવસ્થિત’ કહ્યું છે એ જ્ઞાનના આધારે ન્યાય કરજે. લૌકિક જ્ઞાનનો આધાર તો તને હેરાન કરશે. લૌકિક જ્ઞાન છૂટે તો સંસાર છૂટે. ‘વ્યવસ્થિત’ના જ્ઞાનથી લૌકિક જ્ઞાન છૂટે.
૨૬૯૬ ‘વ્યવસ્થિત’નું બંધારણ ક્યારે થાય ? તમને કોઈએ સળી કરી ને તેમાં તમે તન્મયાકાર થાવ, તે અવસ્થિત થયા તે જ ‘વ્યવસ્થિત’નું બંધારણ છે !
૨૬૯૭ ‘વ્યવસ્થિત'ના નિયમો જાણવા જેવાં છે. આ એરોપ્લેનની શોધ કરી, તે કંઈ નિયમની બહાર નથી. આ કાળમાં આયુષ્ય તો તેનું તે જ રહ્યું ને કર્મો જથ્થબંધ છે, તેનો નિકાલ કરવા ઝડપી સાધનો ઊભાં થયાં છે. તે ‘વ્યવસ્થિત’ના નિયમથી નિમિત્ત ગમે તે બને.
૨૬૯૮ ‘વ્યવસ્થિત’ કેવું છે ? એ સમષ્ટિ શક્તિ છે અને ‘આ’(જીવો) વ્યષ્ટિ સ્વરૂપ છે. વ્યષ્ટિના, બધા ભ્રાંતિના ભાવ સમષ્ટિમાં પડે છે અને ‘કોમ્પ્યુટર’ દ્વારા સમષ્ટિનું ફળ મળે છે.
૨૬૯૯ ‘વ્યવસ્થિત’નો અર્થ સમજવો જોઈએ. પ્રયત્ન કરવો, પછી જે થાય તે, જે પરિણામ બને તે ‘વ્યવસ્થિત’.
૨૭૦૦ ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ'માં બધા જ નિયમો આવી જાય છે. નિયતિ પણ ‘વ્યવસ્થિત’માં સમાઈ જાય છે. ૨૭૦૧ ‘વ્યવસ્થિત’ને લક્ષમાં રાખવાનું છે. એનું ખોટું અવલંબન ના લેવાય. બધા પ્રયત્નો પૂરા થાય અને કાર્ય થાય. ઊંધું વળે તો બોલવું કે ‘વ્યવસ્થિત’ છે.
૨૭૦૨ ‘વ્યવસ્થિત’ આગળથી બોલવાનો કોને અધિકાર છે કે જે આ
પ્રકૃતિના ગુણોમાં કંઈ પણ ડખલ ના કરે એને !!
૨૭૦૩ ‘વ્યવસ્થિત'ની બહાર કશું થવાનું નથી, એવો ‘વ્યવસ્થિત’નો અર્થ ના કરવો જોઈએ. ‘વ્યવસ્થિત’ કહેવું હોય તો આપણો પ્રયત્ન હોવો જોઈએ. આપણી ઇચ્છા પ્રયત્ન કરવાની હોવી જોઈએ. પછી ‘વ્યવસ્થિત' જે પ્રયત્નો કરાવે તે ખરું ! સહજ પ્રયત્ન હોવો જોઈએ.
૨૭૦૪ ભૂતકાળને માટે ‘વ્યવસ્થિત’ છે. વર્તમાન અને ભવિષ્યકાળને માટે ‘વ્યવસ્થિત’ નથી.
૨૦૦૫ ‘વ્યવસ્થિત’ બુદ્ધિથી સમજાય એવું નથી, દર્શનથી સમજાય તેવું છે.
૨૭૦૬ આપણો ભાવ અને ક્રિયા કે જે રૂપક છે તે ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્સિલ એવિડન્સ’ છે. ભાવ એક ‘પાર્લામેન્ટનો મેમ્બર' છે.
૨૭૦૭ ‘વ્યવસ્થિત’ જગતને ચલાવનાર છે, એ જગતનો ‘ક્રિયેટર’ નથી. જગત તો સ્વભાવથી બનેલું છે.
૨૭૦૮ ‘આ હું કરું છું કે બીજો કોઈ કરે છે' એ અત્યંત નિકટવર્તી છે, તેથી ‘પોતાને’ ખબર જ ના પડે.
૨૭૦૯ ‘નિશ્ચિત છે’ એવું નોંધારું ના બોલાય. ‘અનિશ્ચિત છે’ એવું
નોંધારું ય ના બોલાય, જોખમદારી છે, ગુનો થાય. નિશ્ચિતઅનિશ્ચિતની વચ્ચે એ છે. બધી જ કાળજી રાખ્યા પછી ગજવું કપાઈ જાય અને સમજે ‘વ્યવસ્થિત’ છે, તે યથાર્થ છે.
૨૭૧૦ ‘વ્યવસ્થિત’ શક્તિ કોણે બનાવી ? કોઈએ બનાવી નથી. પરીક્ષાનું ‘રીઝલ્ટ’ કોણ આપે છે ? આપણું જ લખેલું, તેનું જ આ ‘રીઝલ્ટ’ આવે છે !
Page #145
--------------------------------------------------------------------------
________________
૨૭૧૧ આપણા હાથે તો કેટલું થઈ જાય છે ? યોજના એકલી જ
ઘડાઈ જાય છે. તે ય આપણા એકલાથી નહીં, નૈમિત્તિક રીતે. કાર્ય વખતે આપણે નિમિત્ત નહીં. કાર્ય તો કુદરતી રીતે થયા
૨૭૧૨ “નેચરે ય ચલાવતી નથી. ખાલી ‘નેચરલ એડજસ્ટમેન્ટ' છે ! ૨૭૧૩ ‘ડિસ્ચાર્જ વખતે કર્તા જુદો છે ને ‘ચાર્જ વખતે કર્તા જુદો છે.
એ આ જગતને શી રીતે સમજાય ? આ વીતરાગોની બહુ
ઝીણી વાત છે ! ૨૭૧૪ ‘વ્યવસ્થિત'ની પ્રેરણાથી પુદ્ગલ કર્તા બને છે. આમ દેખીતી
રીતે પુદ્ગલ કર્તા લાગે પણ તે “વ્યવસ્થિત'ના એવિડન્સથી
છે અને તેમાં ય આત્માની હાજરી હોય તો જ બને. ૨૭૧૫ ખરેખર પુદ્ગલ કર્તા છે એવું ક્યારે કહેવાય ? “સ્વરૂપ જ્ઞાન”
થયા પછીથી. નહીં તો ઊધે રસ્તે જાય. “સ્વરૂપ જ્ઞાન” થયા પછી “જ્ઞાની'ની આજ્ઞામાં રહે ત્યાર પછી જ બધું પુદ્ગલ કર્તા છે, તમારી જોખમદારી નથી એમ કહેવાય. તે સિવાય કહે
તો બધા ઊધે રસ્તે ચાલે. ૨૭૧૬ જો ખરેખર કર્તા હોત તો કોઈ છૂટત જ નહીં. કર્તા કોને
કહેવાય કે જે સ્વતંત્ર “પાવરવાળો' હોય. ૨૭૧૭ આ મેઘધનુષ્ય, એના પાછા સપ્તરંગ બધા દેખાય છે, તે કોણે
બનાવ્યું ? કોઈ બાપો ય બનાવનાર નથી. આ તો સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ'થી બધા ભેગા થાય છે, એ સ્વાભાવિક વસ્તુ છે. તે કરોડ વર્ષ પહેલાં ય છે તે સાત રંગનું હતું, અત્યારે ય એ સાત રંગનું છે. બીજો કશો
ફેરફાર થયો નથી. ૨૭૧૮ આ તો “સાયન્સ' છે ! ભગવાનનો “સાયન્ટિફિક' પ્રયોગ છે.
કર્મ ય નથી ને કર્તા ય નથી, કોઈ બાપો ય નથી. ખાલી
“સાયન્સ' છે ! ૨૭૧૯ આ જગત ચાલી રહ્યું છે. આ “અંજીન’ ચાલ્યા કરે, એમાં
‘ડ્રાઈવર' કહે કે “હું ચલાવું છું' તો એ કહેલું ચાલે ?
વીતરાગોએ ‘આ’ ભૂલ ભાંગવાની કહી છે. ૨૭૨૦ કંઈ પણ કરે ત્યાં સમકિત પ્રાપ્ત ના થાય. ૨૭૨૧ કર્તાપદની ભ્રાંતિ પોતાથી ના તૂટે. ‘જ્ઞાની પુરુષ' એકલાં જ
એ તોડી આપે. ૨૭૨૨ ભ્રાંતિ ગઈ એટલે જેમ છે તેમ જાણ્યું. ભ્રાંતિ ગઈ એટલે
અજ્ઞાન ગયું. અજ્ઞાન ગયું એટલે માયા ગઈ ! ૨૭૨૩ ભ્રાંતિજ્ઞાન એ વિકલ્પી જ્ઞાન છે ને સાચું જ્ઞાન એ નિર્વિકલ્પ
જ્ઞાન છે. માટે સાચા જ્ઞાનને જ સમજવાની જરૂર છે. ૨૭૨૪ જ્યાં સંપૂર્ણ વિકલ્પી છે ત્યાં આધ્યાત્મિક ડેવલપમેન્ટ’ છે. ૨૭૨૫ આ બધું કલ્પના જ છે. પછી કલ્પનામાં આ સાચું ને આ ખોટું
એમ હોતું નથી. ૨૭૨૬ સંકલ્પ-વિકલ્પ થાય તો તો હજી આત્માની પ્રાપ્તિ થઈ નથી
એમ કહેવાય. સંકલ્પ-વિકલ્પના કરનારો થયો એટલે
નિર્વિકલ્પ થાય નહીં ! ૨૭૨૭ ધોળાં પહેરે, ભગવાં પહેરે તો ય વિકલ્પ જાય નહીં. સંસારીને
ગ્રહણના વિકલ્પો રહે ને ત્યાગીને ત્યાગના વિકલ્પો રહે. બોલો હવે, નર્યા વિકલ્પ, વિકલ્પ ને વિકલ્પ ! ત્યાં નિર્વિકલ્પ
શી રીતે થવાય ? ૨૭૨૮ ત્યાગ વગર તો કશું થતું જ નથી. ત્યાગ શેનો ? ભ્રાંતિનો
સર્વસ્વ ત્યાગ ! અહંકારનો સર્વસ્વ ત્યાગ ! મમતાનો સર્વસ્વ ત્યાગ !!
Page #146
--------------------------------------------------------------------------
________________
૨૭૩૯ સત્યની શોધ માટે આખું જગત ભટકી રહ્યું છે. જે પરમાત્મા
પોતાનામાં પ્રકાશ થઈ ચૂક્યા છે, તે સત્ છે એને ખોળવાના
૨૭૨૯ ત્યાગ સહજ હોવો જોઈએ. એની મેળે જ છૂટી જાય. ૨૭૩૦ જેનો અહંકાર ને મમતા સંપૂર્ણ જાય, તે સંપૂર્ણ ત્યાગી
કહેવાય. ૨૭૩૧ વ્રત કોનું નામ કહેવાય ? આ દાદાને પાંચે ય મહાવ્રત વર્તે છે !
સંસારમાં રહે છે ને મહાવ્રત વર્તે છે, એ શું હશે ? જેને પુદ્ગલ પરિણતિ જ ઉત્પન્ન થતી નથી ! મહાવ્રત ત્યાં પુગલ પરિણતિ નહીં. અણુવ્રત હોય ત્યાં અમુક અંશે પુગલ પરિણતિ હોય
અને અમુક અંશે ઓછાં થઈ ગયા હોય ! ૨૭૩૨ આત્મા મહાવ્રતવાળો જ છે, પણ એ બહાર મહાવ્રત વર્તવાં
જોઈએ તો આત્મા પૂરો થયો કહેવાય. સંસારી ભાવ જ
ઉત્પન્ન ના થાય, એનું નામ મહાવ્રત. એ બહુ ઊંચું છે ! ૨૭૩૩ મન-વચન-કાયાથી કોઈને દુઃખ ના પહોંચે, એમાં બધાં ય વ્રત
આવી ગયાં ! ૨૭૩૪ ઉપવાસ એટલે ‘સ્વરૂપ'માં વાસ તે, સ્વક્ષેત્રમાં વાસ તે. ૨૭૩૫ આપણે દેહને ઉપવાસ કરાવ્યા પછી આપણે આપણા
‘ઉપયોગ’માં રહેવું જોઈએ. ઉપવાસ ઉપયોગમાં રહેવા માટે
છે, કંઈ ભૂખે મારવા માટે ઉપવાસ નથી. ૨૭૩૬ આ બધું જે જે ત્યાગશો, એનું ફળ ભોગવવું પડશે. ત્યાગ
કરવો આપણા હાથની સત્તા છે ? ગ્રહણ કરવું એ આપણી
સત્તા છે ? એ તો પુણ્ય-પાપને આધીન સત્તા છે ! ૨૭૩૭ આ જગતમાં જે છે, એમાં આત્માની કોઈ વાત જ નથી. આ
વ્યવહારને જોવો - જાણવો, એનું નામ જ આત્મા ! ૨૭૩૮ સ્વરૂપજ્ઞાન અને ભાન સિવાય જે કંઈ પણ કરવામાં આવે છે,
તે જીવને સંસારમાં રખડાવનાર છે.
૨૭૪૦ પહેલો પોતાનો સ્વભાવ’ કેવો છે તે જાણવું. તેની પ્રતીતિ
કરવી, એનું નામ સમકિત કહેવાય. આ બધા સ્વભાવમાં મારો કોઈ સ્વભાવ છે ? ત્યારે ‘જ્ઞાની' કહેશે, ‘ના’. તું જીભ આમ કર કે તેમ કર, કુંડલિની જાગૃત કર કે શાસ્ત્રો વાંચ, પણ તેમાં આત્મા નથી. બધું પુદ્ગલ છે અને આત્મામાં બીજી
કોઈ વસ્તુ નથી. ૨૭૪૧ આ બધાં સાધનો છે ને પાછાં સ્થળ છે. સૂક્ષ્મમાં જવું પડશે.
સાધનોને જ સાથે માને તો શું થાય ? ૨૭૪૨ તત્ત્વને જાણે નહીં, તે તત્ત્વની વાત શી રીતે કરી શકે ?
અતત્ત્વને જગત જાણે છે. ૨૭૪૩ એક બાજુ ‘ટેમ્પરરી' છે, એક બાજુ પરમેનન્ટ' છે. ‘તમને’
ફાવે ત્યાં મુકામ કરો. ‘ટેમ્પરરી’માં મૂર્ત જોઈશે, “પરમેનન્ટ'માં
અમૂર્ત જોઈશે. ૨૭૪૪ ‘ટેમ્પરરી’ને વળગશો તો ‘ટેમ્પરરી' થઈ જશો, માટે
પરમેનન્ટ'ને વળગજો. ‘જ્ઞાની પુરુષને વળગજો. જ્ઞાની
પુરુષ દેહધારી પરમાત્મા છે ! ૨૭૪૫ “રિલેટિવ’ને ‘રિયલ' માનવું, એનું નામ ભ્રાંતિ. ‘રિલેટિવ'ને
‘રિલેટિવ' કહે તે “જ્ઞાની’ ! ૨૭૪૬ ‘રિયલ’ એટલે સંસર્ગ વગરનું અને ‘રિલેટિવ' એટલે
સંસર્ગવાળું. આ સંસર્ગજન્ય ‘રિલેટિવ'ની કોઈને ખબર ના પડે, એ તો “જ્ઞાની પુરુષ' એ સંસર્ગને તોડી આપે એટલે ‘રિયલ' પોતાનાં પરિણામને ભજે.
Page #147
--------------------------------------------------------------------------
________________
૨૭૪૭ મૂળ વસ્તુ કોને કહેવાય કે જેને કશું જ ના થાય. સનાતન,
અવિનાશી વસ્તુ છે. અવિનાશી સનાતન વસ્તુઓનો સંસર્ગ થાય એટલે વિશેષ પરિણામ ઉત્પન્ન થાય. એ વસ્તુનો સંસર્ગ ‘જ્ઞાની પુરુષ' તોડી આપે. એટલે વસ્તુ વસ્તુસ્વરૂપમાં આવી
જાય. ૨૭૪૮ ‘રિયલ'ને આરાધના કરવાનું છે અને ‘રિલેટિવ'ને જાણવાનું
છે, ‘રિયલ'ની રમણતા કરવાની છે. ૨૭૪૯ વ્યવહાર માત્ર ‘રિલેટિવ' છે, પરાધીન છે. ‘રિલેટિવ' માત્ર
પોલું છે, વાસ્તવિક નથી. નક્કર હોય તે વાસ્તવિક કહેવાય. ૨૭૫૦ ‘રિયલ’ ‘ન્યૂ પોઈન્ટ’ અને ‘રિલેટિવ' ‘ધૂ પોઈન્ટ' એ
ભાવમાં નિરંતર રહે તે ‘કેવળ જ્ઞાન'. એ ભાવ પૂરો થયે
સંપૂર્ણ “કેવળ જ્ઞાન” થાય. ૨૭૫૧ ‘રિલેટિવ'માં આત્મા છે અને ‘રિયાલિટી'માં પરમાત્મા છે !
જ્યાં સુધી વિનાશી ચીજોનો વેપાર છે ત્યાં સુધી સંસારી
આત્મા છે ને સંસારમાં નથી તો પરમાત્મા છે ! ૨૭૫૨ લોકભાષામાં આ સારું, આ ખોટું કહેવાય છે ને ભગવાનની
ભાષામાં એક જ કહેવાય છે. વસ્તુ એ “વસ્તુ' ! પુલ
પુદ્ગલ સ્વભાવમાં છે ને આત્મા આત્માના સ્વભાવમાં છે. ૨૭૫૩ ‘રિયલ કરેક્ટ' એ વાસ્તવિક છે અને ‘રિલેટિવ કરેક્ટ' એ
અમુક કાળવર્તી છે. ૨૭૫૪ વિનાશીને વિનાશી કહેનારો અવિનાશી હોવો જોઈએ. ૨૭૫૫ “સત્” અવિનાશી હોય અને જગતમાં જે ધર્મો ચાલે છે તે બધું
‘રિલેટિવ' છે, વિનાશી છે. “સત્ય વિજ્ઞાન' ક્રિયાકારી હોય,
જ્યારે બહારના જ્ઞાન માટે માથાફોડ કરવી પડે. ૨૭૫૬ જે વખતે જે અવસ્થામાં હોય છે, તે અવસ્થાને પોતે ‘નિત્ય
સત્ય' માની લે છે અને ગૂંચાયા કરે છે. ૨૭૫૭ ‘રિયલ’ એટલે તત્ત્વ. ‘રિલેટિવ' એટલે અવસ્થા. તત્ત્વદ્રષ્ટિથી
અવસ્થાની કિંમત ઊડી જાય. તત્ત્વદ્રષ્ટિ થાય તો ‘વસ્તુ
દેખાય. અવસ્થા દ્રષ્ટિથી કેફ ચઢે. ૨૭૫૮ કોઈ આત્મા સ્ત્રીરૂપે કે પુરુષરૂપે હોતો જ નથી. આ તો
અવસ્થા છે અને અવસ્થાઓ બધી ‘ટેમ્પરરી’ છે. ઓલ ધીઝ. રીલેટિઝ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટસ, રિયલ ઈઝ
પરમેનન્ટ. ૨૭૫૯ જગતની કોઈ પણ અવસ્થામાં મસ્તી રાખવા જેવી નથી, તેમ
જ “ડીપ્રેસ’ થવા જેવું નથી. ૨૭૬૦ જન્મ-મરણ આત્માનાં નથી. આત્મા ‘પરમેનન્ટ' વસ્તુ છે.
આ જન્મ-મરણ “ઈગોઈઝમ'નાં છે. ૨૭૬ ૧ જગતના લોકો અવસ્થાને જ પોતાનું સ્વરૂપ માને છે. અવસ્થા
હિંમેશા ‘બિગિન' થાય ને તેનો “એન્ડ' થાય. ૨૭૬૨ આચાર, વિચાર ને ઉચ્ચાર એ ત્રણેવની અવસ્થાઓ ક્ષણે ક્ષણે
બદલાયા જ કરે છે. ૨૭૬૩ ‘રિયલ કરેક્ટ’ એ વસ્તુ છે ને ‘રિલેટિવ કરેક્ટ' એ વસ્તુની
અવસ્થાઓ છે. અવસ્થાઓ ‘ટેમ્પરરી એડજસ્ટમેન્ટ' છે ને
વસ્તુ પરમેનન્ટ છે. ૨૭૬૪ અવસ્થાઓ બધી કુદરતી ને સ્વસ્થતા આપણી ! ૨૭૬૫ આ દુનિયામાં બે જાતની માન્યતા : અશુદ્ધ માન્યતા તે
ભ્રાંતિની માન્યતા. શુદ્ધ માન્યતા છે રિયલ. ૨૭૬૬ ‘હું કરું છું' એ ય ભ્રાંતિ છે ને ‘મારું છે' એ ય ભ્રાંતિ છે,
પણ ‘હું છું” એ સાચું છે.
Page #148
--------------------------------------------------------------------------
________________
૨૭૬૭ મન-બુદ્ધિ-ચિત્ત એ બધાં પોતપોતાના ધર્મ બજાવે છે. એમાં
આપણો ડખો છે. આપણો એટલે આત્માનો નહીં, આ બેની વચ્ચે ‘હું'ની ફાચર છે. “ઈગોઈઝમ' શાથી છે ? “શંગ
બિલિફ’ ઊભી થાય છે તેથી. ૨૭૬૮ “અમે' તમારા અહંકારને “ફેકચર' ના કરીએ, “રોંગ
બિલિફ’ને ‘ફ્રેકચર' કરી આપીએ છીએ. ૨૭૬૯ આત્મા એકલો જ જાણવા જેવો છે. આ જગતમાં બીજું કશું
જાણવા જેવું નથી. બીજું જે જાણ્યું તે બધું ‘રિલેટિવ' છે અને વિનાશી છે. ભૌતિક સુખોની ઇચ્છા હોય તો વિનાશી ધર્મ
જાણવો પડે. ૨૭૭૦ ‘રિલેટિવ'ની ગમે તેટલી “સ્લાઈસ’ પાડીએ તો ય એક્ય
‘રિયલ'ની “સ્લાઈસ’ પડે ખરી ? ૨૭૭૧ તમારે કશું જ છોડવાનું નથી. મોક્ષમાર્ગ એ ગ્રહણ - ત્યાગનો
માર્ગ જ નથી. ગ્રહણ-ત્યાગ તો શુભાશુભ માર્ગમાં હોય. આ તો મોક્ષમાર્ગ છે, પરમાત્મપદનો માર્ગ છે. ખાલી સમજવાનું
૨૭૭૬ ત્યાગ અને સંયમ બે જુદી વસ્તુ છે. ત્યાગ છે તે, સ્ત્રી-પુરુષ,
છોકરાં, લક્ષ્મી, ઘરબાર બધાં ત્યાગ કરે એને ત્યાગ કહેવાય. સંયમ કોને કહેવાય ? ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષ એ
સંયમિત હોય ત્યારે સંયમ કહેવાય. ૨૭૭૭ ત્યાગમાં અહંકાર હોય, સંયમમાં અહંકાર ના હોય. ૨૭૭૮ મોક્ષમાર્ગે તો, ‘જ્ઞાની પુરુષ' પાસેથી સંયમ લઈએ અને એ
સંયમથી મોક્ષ થાય. સંયમ વગર મોક્ષ ના થાય. ૨૭૭૯ સંયમ એટલે શું? બહારના ઉપસર્ગ અને અંદરના પરિષહ એ
બેની અસર ના થવા દે, અને થાય તો અસરને જાણ્યા કરે અને
વેદે નહીં અને વખતે વેદે તો ય જાણે, એનું નામ સંયમ. ૨૭૮૦ અહંકારસહિત વસ્તુનો અભાવ કર્યો, એને ત્યાગ કહ્યો. અને
નિર્અહંકારસહિત વસ્તુનો અભાવ થાય તો સંયમ કહેવાય. ૨૭૮૧ મોક્ષના ચાર પાયા છે : જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ. એમાં
ભગવાને બાહ્ય તપને મોક્ષનું તપ નથી કહ્યું, અંતર તપને જ
મોક્ષ માટેનું તપ કહ્યું છે. ૨૭૮૨ જ્યાં સુધી જ્ઞાન ના હોય ત્યાં સુધી ત્યાગનું ફળ આવે. અને
જ્ઞાન થયા પછી ત્યાગ હોતો નથી, વ્રત હોય છે. વ્રત એટલે
એની મેળે વર્તે છે. ૨૭૮૩ તપ-ત્યાગ કરવાનું કહે છે એ તો પરસત્તામાં છે. એ કેવી રીતે
થાય ? તપ-ત્યાગ એ બધું જ પરપરિણામ છે. સ્વપરિણામ
નથી અને તે પાછું સ્વાધીન નથી. ૨૭૮૪ ખરું આંતર તપ કોને કહેવાય? મહીં હૃદય ખરેખરું તપે ત્યારે
પોતે તેનો શાંતભાવે જ્ઞાતા-દ્રષ્ટા રહે તે. ૨૭૮૫ “આ પરપરિણામ છે અને એ મારાં પરિણામ નથી' એમ
૨૭૭૨ “જ્ઞાની’ મળે તો વાત જ સમજવાની છે ને ત્યાગી મળે તો
વાત કરવાની છે; એ કરવાનું દેખાડે તે આપણે કરવાનું છે.
જે કરવાનું છે એ બધો સંસાર છે. ૨૭૭૩ ગ્રહણ કરવું ય આપણા હાથમાં નથી ને છોડવાનું ય આપણા
હાથમાં નથી. બન્ને પર છે ને પરાધીન છે. ૨૭૭૪ ત્યાગનું ફળ મોક્ષ નથી, જ્ઞાનનું ફળ મોક્ષ છે. ૨૭૭૫ ‘જ્ઞાની' અને ત્યાગીમાં ફેર એટલો જ, ‘જ્ઞાની' સંયમી હોય
અને ત્યાગી નિયમી હોય. ‘જ્ઞાની' સિવાય સંયમ હોય નહીં.
Page #149
--------------------------------------------------------------------------
________________
સ્વપરિણામમાં મજબૂત રહેવું, એનું નામ તપ. ૨૭૮૬ ‘જ્ઞાતા-ૉય” વચ્ચે જાગૃત રહે એ જ તપ. ‘જ્ઞાતા', ‘જોય’ ના
થઈ જાય એ જ અદીઠ તપ. ૨૭૮૭ ભગવાન પોતાનું તપ પોતે જ જોતા હતા ! ૨૭૮૮ જેનાં આર્તધ્યાન ને રૌદ્રધ્યાન બંધ થઈ ગયાં, તે એકાવનારી
થાય. ૨૭૮૯ આ ત્યાગ છે તે ઉદયનું પરિણામ છે અને સંયમ એ
સમજણનું પરિણામ છે. ૨૭૯૦ પ્રથમ બુદ્ધિના ‘લાઈટ'થી તમે ગ્રહણ કરો અને પછી સમજણ
ઊભી થાય ને પછી સંયમ ઊભા થાય. ૨૭૯૧ ‘જ્ઞાની પુરુષ' પાસે બેસવાથી વિપરીત બુદ્ધિ સમ્યક થાય ને
પછી સમજણ સમ્યક થાય. ૨૭૯૨ સંયમ પરિણામ એ આત્મિક ક્રિયા નથી. વચગાળાનું છે.
સ્વતંત્ર આત્મા દેખાય ત્યારે આત્મિક ક્રિયા થાય. ૨૭૯૩ સંયમ પરિણામી એને કહેવાય કે જેને વિષયનો વિચાર જ ના
આવે. ૨૭૯૪ ત્યાગ ને ગ્રહણ એ બધી વસ્તુ છૂળમાં છે અને ચીઢ થવી
ને પ્રેમ થવો એ સમ છે. એ બેનો ગુણાકાર થાય નહીં. એવું
કામ તમે શા માટે કરો છો ? બેને લેવા-દેવા નથી. ૨૭૯૫ ‘પોતાનું' ઘોર અહિત કરે, એનું નામ અજ્ઞાન. ‘જ્ઞાન' કોનું
નામ કે પોતાનું અહિત કાઢીને પૂરેપૂરું હિત કરે અને મોક્ષે
જ ચાલ્યો જાય, ૨૭૯૬ પ્રમાદ બે પ્રકારના સાંસારિક બાબતમાં પ્રમાદ રહે, તેને
આળસ કહે છે. ધર્મની બાબતમાં ઉપયોગ જાગૃતિ ના રહે,
તેને પ્રમાદ કહે છે. નિરંતર ઉપયોગ રહે તે અપ્રમત્ત છે. ૨૭૯૭ આરોપિત ભાવમાં સ્થિરતા કરે તે મદ. આરોપિત ભાવમાં
રંજન કરે તે પ્રમાદ. ૨૭૯૮ પ્રત્યક્ષ દર્શનથી અપ્રમત્ત થાય અને પરોક્ષ દર્શનથી પ્રમાદ
થાય. ૨૭૯૯ ‘વસ્તુ' વસ્તુનો સ્વભાવ ચૂકે એટલે પ્રમત્ત ભાવ કહેવાય.
‘વસ્તુ’ એના મૂળ ગુણધર્મમાં રહે એ અપ્રમત્ત ભાવ. ૨૮00 આપણો મત એમ કહે છે કોઈ ગુનેગાર નથી. ગુનેગાર દેખાય
છે એ આપણી કચાશ છે. ગુનેગાર જે દેખાય છે તે જ તમારો પ્રકૃતિભાવ છે. અપ્રમત્ત ભાવે જગત નિર્દોષ દેખાશે અને આપણને રામરાજ્ય જેવું લાગશે ! કાયમને માટે અપ્રમત્ત
થવાનું છે ! ૨૮૦૧ બધું નભાવી લે, એનું નામ ત્યાગી કહેવાય. ૨૮૦૨ જે ત્યાગથી કષાય વધે, તે ત્યાગ ન હોઈ શકે. ૨૮૦૩ ત્યાગવાનું શું છે ? આર્તધ્યાન ને રૌદ્રધ્યાન. આ છે ત્યાખ્યું
નથી તો કશું ય ટાગ્યું નથી. ૨૮૦૪ ધર્મમાં જાણ્યું ક્યારે કહેવાય ? રૌદ્રધ્યાન તો ના થાય, પણ
રૌદ્રધ્યાનનું સહેજ પરિણામ પણ ઊભું ના થાય, એવો સંજોગ
પણ ભેગો ના થાય ! ૨૮૦૫ આર્તધ્યાન - રૌદ્રધ્યાન બંધ ના થાય ત્યાં સુધી કંઈ જ જાણ્યું
નથી. ત્યાં સુધી એવું કહેવું કે, “કંઈ જ જાણું નહીં, જ્ઞાની
પુરુષ જાણે.’ ૨૮૦૬ જે ગામ જવું છે તે ગામનું જ આરાધન કરવું પડશે, નહીં
તો બીજે સ્ટેશને ઊતરી પડશો !
Page #150
--------------------------------------------------------------------------
________________
થોર વ્યવહાર. ૨૮૧૯ નિશ્ચયમાં કશું કાચું ન રહેવું જોઈએ, પણ વ્યવહારમાં ય કાચું
રહે તો તે ભૂલ જ કહેવાય. વ્યવહારમાં કાચું રહે તો
નિશ્ચયમાં પણ કાચું પડી જાય. ૨૮૨૦ ભગવાન એટલું જ કહે છે કે વ્યવહારમાં કોઈને બાધકરૂપ
ના થાય એવો વ્યવહાર હોવો જોઈએ. ૨૮૨૧ વ્યવહારમાં ‘વ્યવહાર'ની રીતે વર્તે. જો વ્યવહારના પ્રેમમાં
ઓટ આવેલી લાગે તો ખસી જાવ. ૨૮૨૨ ગજવું કાપે તો અસર ના થાય તો નિશ્ચયની હદમાં પેઠો.
વ્યવહારની હદમાંથી નીકળી અને નિશ્ચયની હદમાં શરૂઆત
કરી.
૨૮૦૭ બે રીતે વાત હોવી જોઈએ : વ્યવહારની વ્યવહાર પ્રમાણે અને
નિશ્ચયની નિશ્ચય પ્રમાણે. નહીં તો એકાંતિક થઈ જાય. આ
તો સ્યાદ્વાદ ! ૨૮૦૮ ‘રિયલ’ પુરુષાર્થ એ શુકલધ્યાન છે ને ‘રિલેટિવ' પુરુષાર્થ એ
ધર્મધ્યાન છે. ૨૮૦૯ ‘રિલેટિવ'નો અર્થ જ શો ? ‘સુપરફલુઅસ.' ૨૮૧૦ આ જ્ઞાન શું છે ? નથી વ્યવહાર કે નથી નિશ્ચય. આ તો
અક્રમ વિજ્ઞાન' છે ! “અક્રમ વિજ્ઞાન' એટલે ? શુદ્ધ
નિશ્ચય અને શુદ્ધ વ્યવહાર. ૨૮૧૧ “અકષાયી વ્યવહાર' તે શુદ્ધ વ્યવહાર અને પોતાના સ્વરૂપનું
લક્ષ એ નિશ્ચય ! એનાથી મોક્ષ ! ૨૮૧૨ નિશ્ચય પોતાનું સ્વરૂપ છે, વ્યવહાર પોતાની ગનેગારી છે. ૨૮૧૩ વ્યવહાર બધો સામાજિક છે અને નિશ્ચય અભેદ છે. ૨૮૧૪ સાચું વિજ્ઞાન કર્યું કે જે વ્યવહારને એક્સેપ્ટ કરે છે. વ્યવહારને
ખસેડે તે સાચું વિજ્ઞાન ના કહેવાય. ૨૮૧૫ વ્યવહાર માતા આપે ને નિશ્ચય “જ્ઞાની' આપે. પછી કશું
જાણવાનું રહેતું જ નથી. ૨૮૧૬ આવી પડેલા વ્યવહારને ક્યારેય પણ ધક્કો ના મરાય. પહેલો
વ્યવહાર પછી નિશ્ચય. ૨૮૧૭ વ્યવહાર આપણો ચોખ્ખો હોવો જોઈએ, તો જ આત્મા
ચોખ્ખો થાય. કોઈનો બૂમબરાડો ના હોવો જોઈએ. ૨૮૧૮ તમારો વ્યવહાર કોઈએ બગાડ્યો નથી. તમારો વ્યવહાર તમે
જ બગાડ્યો છે. યુ આર હોલ એન્ડ સોલ રીસ્પોન્સિબલ ફોર
૨૮૨૩ વ્યવહાર સમજે તો નિશ્ચય સમજે. ૨૮૨૪ જેનો જેટલો સ્વભાવ છે તેટલો જ વ્યવહાર થાય. ૨૮૨૫ આપણે તો બને ચીલા પૂરા કરવાના છે. મોક્ષનો ચીલો ને
વ્યવહારનો ચીલો. સંસાર વ્યવહારમાં જરાય ખામી ના
આવવી જોઈએ. વ્યવહારમાં ખામી ત્યાં મોક્ષ ના થાય. ૨૮૨૬ આ વ્યવહાર તમે સાચવ્યો એટલે વ્યવહાર જ તમને હેલ્પ
કરે બધું. ૨૮૨૭ વ્યવહારનો વાંધો નથી, પણ વ્યવહારમાં એકરૂપ થઈ જાઓ
છો તેનો વાંધો છે. ૨૮૨૮ વ્યવહાર એટલે સામાને સંતોષ આપવો તે. ૨૮૨૯ જ્યારે ખાવાનું છોડી દેશો ત્યારે વ્યવહાર છોડી દેજો. નિશ્ચય
શેના આધારે ઊભો રહ્યો છે ? વ્યવહાર છે તો નિશ્ચય છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
વ્યવહાર તમે દૂર કરશો તો નિશ્ચય નથી.
૨૮૩૦ વ્યવહાર એટલે લૌકિક, ડ્રામેટિક અને નિશ્ચય એટલે અલૌકિક, રિયલ, અસલ, ડીસાઈડ.
૨૮૩૧ નિશ્ચય એ સ્વાધીન છે, વ્યવહાર એ પરાધીન છે અને પરિણામ તો પરાધીનનું ય પરાધીન છે. આપણે નિશ્ચય એકલો કરવાનો, વ્યવહારની માથાકૂટ નહીં કરવાની. વ્યવહાર પરાધીન છે.
૨૮૩૨ વ્યવહાર નિકાલી બાબત છે, નિશ્ચય ગ્રહણીય બાબત છે. ૨૮૩૩ ભગવાને કહ્યું કે વ્યવહાર આખો નિકાલી છે. માટે વ્યવહારને પકડી રાખવા જેવો નથી, એનો ઝટપટ નિકાલ કરી નાખવો. ૨૮૩૪ જ્યાં સુધી ‘જ્ઞાની પુરુષ' મળ્યા નથી, ત્યાં સુધી વ્યવહાર ‘કરવા યોગ્ય’ છે અને ‘જ્ઞાની પુરુષ’ મળ્યા પછી વ્યવહાર ‘નિકાલી' છે.
૨૮૩૫ જે માણસ નિશ્ચય ચૂકે, એનો વ્યવહાર ‘વ્યવહાર’ જ ન હોય. ૨૮૩૬ વ્યવહાર એ પરાશ્રિત છે અને સંયોગોનું મિલન છે, અને સંયોગો પોતાના આધીન નથી.
૨૮૩૭ જે કષાય નિર્મૂળ કરવા આ વ્યવહાર કરવાનો છે, તે જ વ્યવહારથી આ કષાય ઊભા થાય છે !
૨૮૩૮ કષાયને ટાણે જેને કષાય થાય છે તે ક્યારે ઊંધું નાખી દે તે કશું ય કહેવાય નહીં. ને કષાયને ટાણે જે જાગૃત રહે છે તે
તર્યો !
૨૮૩૯ કષાયો દંડે નહીં, એનું નામ જ્ઞાન. કષાયો દંડે એ અજ્ઞાન. ૨૮૪૦ કષાયભાવથી રહિત તેને ભગવાન કહે છે.
૨૮૪૧ આત્મા અને અનાત્મા વચ્ચે કષાયરૂપી સાંકળ છે. ૨૮૪૨ કષાય એ આવતા ભવનું કારણ છે અને વિષય એ ગયા ભવનું પરિણામ છે !
૨૮૪૩ વિષય વિષય જ છે. વિષયમાં અજ્ઞાનતા હોય ત્યારે કષાય ઊભા થાય અને જ્ઞાન હોય તો કષાય ના થાય.
૨૮૪૪ કષાય ક્યાંથી જન્મ્યા ? વિષયમાંથી. વિષયનો દોષ નથી, અજ્ઞાનતાનો દોષ છે. ‘રૂટ કોઝ’ અજ્ઞાનતા છે.
૨૮૪૫ જ્ઞાન ઉપર આવરણ તે અજ્ઞાન અને દર્શન ઉપર આવરણ તે અદર્શન. અજ્ઞાન અને અદર્શનનું પરિણામ શું આવે ? ‘કષાય’. અને જ્ઞાન-દર્શન એનું ફળ શું ? ‘સમાધિ’.
૨૮૪૬ સનાતન જ્ઞાન એ પોતે જ આત્મા છે. આત્મા એ જ્ઞાન છે
અને તે જ પરમાત્મા છે. બીજા કોઈ પરમાત્મા ખોળવાની જરૂર નથી. તમારી મહીં જ એ પરમાત્મા બેઠેલા છે, આત્મા ય બેઠેલો છે ને દેહધારી ય બેઠેલો છે. મૂર્તિ યે બેઠેલી છે ને અમૂર્તે ય બેઠેલો છે !
૨૮૪૭ આ લોકોનો માન્યો, બુદ્ધિમાં સમાય એવો આત્મા નથી. એ
તો અમાપ છે. જ્યાં ‘મેઝર’ નથી, તોલ નથી, કંઈ જ ચાલે એવું નથી ! આત્મા તો ‘જ્ઞાન’થી જણાય એવો છે. એ તો ‘જ્ઞાની'ના ‘જ્ઞાન'થી જ આત્મા જણાય.
૨૮૪૮ ‘હું કોણ છું’ એ જ્ઞાનનો વહેમ પડી ગયો કે ખરેખર ‘હું આ
ન હોય.’ અત્યાર સુધી જાણેલા જ્ઞાન પર વહેમ પડે, ત્યારથી જ અમે જાણીએ કે જ્ઞાન તૂટી જવાનું થયું ! જે જ્ઞાનમાં શંકા પડે એ જ્ઞાન ઊડી જાય. સાચા જ્ઞાન ઉપર કોઈ દિવસ શંકા ના પડે.
૨૮૪૯ કોઈ પણ વસ્તુ ‘જ્ઞાન’માં આવે પછી ફરી એ વસ્તુ અજ્ઞાનમાં
Page #152
--------------------------------------------------------------------------
________________
ના જાય, વિરોધ ઉત્પન્ન ના થાય. દરેક સિદ્ધાંતને “હેલ્પ' કરી કરીને સિદ્ધાંત આગળ વધતો જાય. કોઈ પણ સિદ્ધાંત તોડે
નહીં, વિરોધાભાસ ઉત્પન્ન ના થાય. ૨૮૫૦ આત્મજ્ઞાન ક્યારે કહેવાય ? જ્યારે પરિણામ પામે ત્યારે.
બાકી, ‘હું હીરો છું' એમ બોલ્ય કંઈ હીરો ના પમાય. એમ આત્મજ્ઞાન થવા આત્માને ગુણધર્મો સહિત જાણવો જોઈએ,
અને ગુણો જો પરિણામ પામે તો આત્મજ્ઞાન થાય. ૨૮૫૧ અમને કોઈની વસ્તુ પડી ગઈ હોય તો “એટ એ ટાઈમ' બધાં
જ પરિણામ દેખાય, એનું નામ “કેવળ જ્ઞાન’ના અંશો. ૨૮૫ર ઉપયોગ ઉપયોગમાં રહ્યો તે કેવળજ્ઞાન. ૨૮૫૩ કેવળજ્ઞાન એટલે ‘જ્ઞાન’ સિવાય બીજા કોઈમાં નહીં. બીજામાં
માન્યતા નહીં ને “જ્ઞાન'માં નહીં, “જ્ઞાન” જ, પ્રકાશ !! ૨૮૫૪ વર્તનમાં આવે ત્યારે એ જ સમજ “જ્ઞાન'રૂપે પરિણામ પામે
છે. સમજ હંમેશાં અનુભવ કરાવ્યા કરે છે. “જ્ઞાની'એ સમજ પાડી હોય તેનો અનુભવ થયા કરે ને પછી એક દહાડો એ
જ્ઞાનમાં પરિણામ પામે. ૨૮૫૫ ‘પોતાના' પ્રદેશમાં “જોવા-જાણવાપણું' જ છે. બીજું કશું જ
નથી. પરમાત્મપણું છે ! “જોવા-જાણવાપણા’થી આગળ ગયા
એટલે મુશ્કેલી ! ૨૮૫૬ વ્યવહારને ‘જોવો - જાણવો', એનું નામ જ આત્મા. એમાં
રાગ-દ્વેષ કરે એ આત્મા હોય. ૨૮૫૭ “જોવું-જાણવું' એ શુદ્ધાત્મા. રાગ-દ્વેષ કરે એ પ્રતિષ્ઠિત
આત્મા ! ૨૮૫૮ જુએ-જાણે પણ રાગ-દ્વેષ ના થાય, એનું નામ વીતરાગ
ચારિત્ર !
૨૮૫૯ વહુ નાસી ગઈ તેને ય “જાણવું'. વહુ પૈણી લાવે તેને ય
જાણવું’. ‘જાણનારને રાગ-દ્વેષ ના હોય ! ૨૮૬૦ “નિશ્ચય ચારિત્ર'માં આવ્યા, એ તો ભગવાન થઈ ગયા !
કેવળ જ્ઞાન' સિવાય “નિશ્ચય ચારિત્ર” પૂર્ણ દશાએ ના હોય. ૨૮૬૧ પરમાત્માનું ભાન થાય તો સમકિત છે. પરમાત્માનો અનુભવ
થાય તો પોતે પરમાત્મા જ છે ! ૨૮૬૨ એક આત્મામાં કેટલું જ્ઞાન છે? આ જગતમાં બધા જીવો છે તે
બધાંનું જ્ઞાન ભેળું કરે તેટલું એક આત્મામાં જ્ઞાન છે !!! ૨૮૬૩ આપણે “આપણી’ સત્તાથી વિમુખ રહીએ, એ કઈ જાતનું
કહેવાય? “પોતે' સર્વસત્તાધીશ, મોટા રાજનો માલિક, કેદી
થઈ બેઠો ! ૨૮૬૪ કુસંગનો અધ્યાસ થઈ ગયો છે. તેથી સંસાર રોગ ‘ક્રોનિક
થઈ ગયો છે ! અને સત્સંગનો અધ્યાસ થાય તો ?' ૨૮૬૫ ‘આ’ સત્સંગમાં તમારી બુદ્ધિનાં બધાં બારણાં વસાઈ જાય.
ધીમે ધીમે બધા જ ખુલાસા થાય, જેવા “જ્ઞાની પુરુષ' છે એવાં જ કરી નાખે આપણને ! “જ્ઞાની” પોતે પરમાત્મા સ્વરૂપ થયેલા છે. એમના સંગમાં આપણું પણ તે સ્વરૂપ પ્રગટ થઈ
જાય. ૨૮૬ ૬ મુક્તિનું કરોડો અવતારે ય ઠેકાણું પડે એમ નથી. એ તો
જ્ઞાની પુરુષ' પ્રત્યક્ષ મળ્યા તેથી કામ થાય. સંપૂર્ણ “જ્ઞાની' એટલે જેને “વર્લ્ડમાં કોઈ ચીજ જાણવાની બાકી ન હોય, એ પોતે નિરંતર પરમાત્મા જોડે વાતો જ કર્યા કરતા હોય, એવાં
જ્ઞાની પુરુષ' ચાહે સો કરે ! ૨૮૬૭ શાસ્ત્રોનો આત્મા નહીં ચાલે. યથાર્થ આત્મા જોઈશે, જે
અગમ્ય છે, શાસ્ત્રમાં ઊતરી શકે તેમ નથી, જે અવર્ણનીય
Page #153
--------------------------------------------------------------------------
________________
છે, અવક્તવ્ય છે. જ્યાં શબ્દ પહોંચી શકે નહીં, જ્યાં દ્રષ્ટિ પહોંચી શકે નહીં ત્યાં આત્મા છે ! એ આત્મા નિર્લેપભાવે
રહેલો છે, અસંગ ભાવે જ રહેલો છે ! ૨૮૬૮ તમે પોતે જ “જજ', તમે પોતે જ વકીલ, તમે પોતે જ
આરોપી. બોલો, હવે ‘જજમેન્ટ' કેવું આવે ?! ૨૮૬૯ ‘સર્વાત્મા એ શુદ્ધાત્મા છે' એવી સમજણ પડી ત્યારથી જ
પરમાત્માની આપણને શ્રેણી મંડાઈ ! ૨૮૭૦ “જ્ઞાન” તો ફલાણા જેવું જ છે એવું બોલ્યા તો એ “જ્ઞાનની
વિરાધના થઈ કહેવાય. જ્ઞાન એ “જ્ઞાન” છે અને અજ્ઞાન એ ગમે તેટલું અજવાળાવાળું હોય તો પણ અજ્ઞાન છે. અજ્ઞાનને
જ્ઞાન કહે તો “જ્ઞાન'ની વિરાધના થાય ! ૨૮૭૧ અજ્ઞાનમાં રહેવાથી સંસાર “ચાર્જ થાય. “જ્ઞાન'માં રહેવાથી
સંસાર ‘ડિસ્ચાર્જ' થાય ! ૨૮૭૨ ખાનાર દેહ છે. ખાનાર જાણતો નથી અને જાણનાર ખાતો
નથી. ક્રિયા કરે એ પરતત્ત્વ અને જાણનાર સ્વતત્ત્વ છે ! લૂટે
છે ને લૂંટાય છે એ બેઉ અનાત્મા છે ! ૨૮૭૩ ગુરુ સંસારમાં તારે. ‘જ્ઞાની' મોક્ષ આપે. ‘જ્ઞાની” પોતે દેહ
સાથે આત્મસ્વરૂપે થયા છે. ૨૮૭૪ કોઈને અડે નહીં, નડે નહીં, એનું નામ આત્મા. અજ્ઞાનને ય
એ નડે નહીં ! અજ્ઞાન એને નડે, એ અજ્ઞાનને નડે નહીં !
એ પરમાત્માની દીવા જેવી વાત છે ને ! ૨૮૭૫ આત્મા એ જ્ઞાન નથી, ‘વિજ્ઞાન-સ્વરૂપ' છે. આ જગત
‘વિજ્ઞાન'થી ઓળખાશે. બાકી, જ્ઞાનથી જગત ના જણાય. અમે આ ‘વિજ્ઞાન' જોઈને પછી બોલીએ છીએ કે “આ બધું સ્વાભાવિક રીતે છે !” એમ ને એમ નથી બોલતા.
૨૮૭૬ “હું ચંદુભાઈ છું' એ મિથ્યાદર્શન છે. એ જાય ને “હું શુદ્ધાત્મા
છું'નું લક્ષ બેસે, તે સમ્યક્ દર્શન છે ! ૨૮૭૭ ક્રોધ-માન-માયા-લોભ ના હોય, તેને ચારિત્ર કહ્યું. ૨૮૭૮ ભગવાન આંખે દેખાય એ ચારિત્રને ચારિત્ર કહેતાં જ નથી.
જ્ઞાન-દર્શન-ચારિત્ર એ બધાં આંખે દેખાય નહીં એવી વસ્તુ છે, ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી એ વસ્તુ. એટલે એ ચારિત્ર તો જુદું જ
હોય. ૨૮૭૯ બધાનાં જે ચારિત્ર દેખાય છે તે ગયા અવતારનાં પરિણામ છે
અને અસ્તિત્વ અત્યારે બીજી જગ્યાએ હોય. અસ્તિત્વ સો. ઉપર હોય અને ચારિત્ર અઠ્ઠાણું પર હોય. અસ્તિત્વ આ
ભવનું છે અને ચારિત્ર ગત ભવનું છે. ૨૮૮૦ બાહ્ય તપ અને ત્યાગનું ફળ સંસાર, એટલે ભૌતિક સુખો
પ્રાપ્ત થાય અને ધીમે ધીમે મોક્ષમાર્ગ પણ એને પ્રાપ્ત થાય.
પણ “આત્મજ્ઞાન' સિવાય મોક્ષ નથી. ૨૮૮૧ આ મશીનરી કેવી રીતે ચાલે છે ? આત્મા ચલાવે છે? ના.
આત્મા તો ખાલી પ્રકાશ જ આપે છે, તેનાથી આ “મશીનરી’
ચાર્જ થઈ જાય છે ને ચાલે છે. ૨૮૮૨ સ્થિરતાથી ચારિત્ર પ્રગટે ને જાગૃતિથી દર્શન ઊંચું આવે ! ૨૮૮૩ જ્યાં જાગૃતિ પહોંચી એ જ આત્મા નજીક પહોંચ્યા. જેટલું
નજીક ગયા એટલું અજવાળું વધારે, એટલો પ્રકાશ વધારે. ૨૮૮૪ ક્યારેય પણ દુઃખ લાગે છે, તે પૂરેપૂરી જાગૃતિ નથી તેથી. ૨૮૮૫ સંસારના હિતાહિતનું ભાન થાય એટલે સંસારનાં સર્વ
પ્રકારનાં હિતનું ભાન ને સંસારનાં સર્વ પ્રકારનાં અહિતનું ભાન થાય, ત્યારે સાંસારિક સંપૂર્ણ જાગૃતિ થાય. સંસારની સંપૂર્ણ જાગૃતિ થાય પછી આત્માના હિતાહિતની જાગૃતિ
Page #154
--------------------------------------------------------------------------
________________
ઉત્પન્ન થાય. ૨૮૮૬ સંસારની જાગૃતિવાળાને સંસારમાં ક્યાંય મતભેદ ના થાય. ૨૮૮૭ જે જાગૃતિ જંપીને બેસવા ના દે, જંપીને ખાવા ના દે, જંપીને કશું
કરવા ના દે, તે જાગૃતિ “ફૂલિશનેસ' (મૂર્નાઈ) છે. જે જાગૃતિ
અસ્થિર જગ્યામાં જંપીને બેસવા દે તે ખરી જાગૃતિ છે. ૨૮૮૮ સંપૂર્ણ જાગૃત દ્રષ્ટિએ જગત ‘વ્યવસ્થિત' છે ને અજાગૃત
દ્રષ્ટિએ “અવ્યવસ્થિત' દેખાય છે. ૨૮૮૯ હિતાહિતનું ભાન તો કોને કહેવાય કે એકે ય ગૂંચ જોડે ના
લઈ જાય. ૨૮૯૦ જે જ્ઞાન “ઇમોશનલ' કરાવે એ સંસારી જાગૃતિ છે. સાચી
જાગૃતિ “ઇમોશનલ' ના કરાવે. ૨૮૯૧ જાગૃતિ શેમાંથી ઉત્પન્ન થઈ છે ? કડવાશમાંથી. ૨૮૯૨ જગત આખું ઊંધે છે ત્યાં “જ્ઞાનીઓ જાગે છે અને ‘જ્ઞાનીઓ
ઊધે છે ત્યાં જગત જાગે છે. ૨૮૯૩ આખી જિંદગીના દરેક કાર્ય જો ફિલ્મની પેઠે જોવામાં આવે
તો કોઈ કાર્ય એને અડે નહીં. ૨૮૯૪ કાબૂમાં કશું આવવાનું નથી. કાબૂમાં લેવાનું ય નથી, ખાલી
જાણ્યા કરવાનું. જ્ઞાતા-દ્રષ્ટા - પરમાનંદી ‘આપણે'. ૨૮૯૫ જાણ્યા કરવું એ આપણો સ્વભાવ છે. બગડ્યા કરવું એ
પુદ્ગલનો સ્વભાવ છે. ૨૮૯૬ ક્રિયા માત્ર પુદ્ગલની છે, એ પ્રકૃતિની છે. અને તે ‘આપણી’
સત્તામાં નથી. ૨૮૯૭ ક્ષણે ક્ષણે જગત ફર્યા કરે છે. આત્મા સ્થિર છે ને અસ્થિરને
જોવાનું છે. સ્થિરને જોવાનું ના હોય, અસ્થિરને જોવાની મજા
છે ! એક પછી એક જોયા જ કરવાનું ! ૨૮૯૮ ભગવાને ‘ક્રમિક જ્ઞાન’ મૂક્યું છે તેવું જ આ “અક્રમ વિજ્ઞાન'
છે, પણ જ્ઞાન તેનું તે જ છે. ‘ક્રમિક જ્ઞાન’ આ કાળને આધીન ચાલે તેવું નથી. તેથી આ કાળમાં “અક્રમ વિજ્ઞાન' કુદરતી રીતે
પ્રકાશમાં આવ્યું છે. ૨૮૯૯ ‘પુદ્ગલ'ને જ જાણવું ને સમજવું, એનું નામ “જ્ઞાતા.' ૨૯00 જાણનારો એક જ છે. જાણવાની વસ્તુઓ અનંત છે ! ૨૯૦૧ “હું કરું છું ને હું જાણું છું' એનું મિશ્ચર, એનું નામ શેય
અને હું જાણું છું” ને “કરતો નથી”, એનું નામ જ્ઞાયકભાવ. ૨૯૦૨ જ્યાં કર્તાપદ ઊડી જાય એ “વિજ્ઞાન કહેવાય. ૨૯૦૩ શુદ્ધાત્માનો જ્ઞાયક સ્વભાવ છે ! એ સ્વભાવનું ફળ શું?
પરમાનંદ ! ૨૯૦૪ ય ને જ્ઞાતા એકાકાર ના થાય, એનું નામ “જ્ઞાન'. ૨૯૦૫ બધું બરાબર છે' એ જ્ઞાન જાણું, એ છેલ્લું ‘વીતરાગનું
જ્ઞાન'. ૨૯૦૬ અજ્ઞાનનો પ્રભાવ જ્યાં ને ત્યાં પ્રતિબદ્ધ થઈ જાય, ને જ્ઞાનનો
સ્વભાવ અપ્રતિબદ્ધતા છે ! ૨૯૦૭ પ્રશ્નો બંધ કરે, એનું નામ “વિજ્ઞાન'. ૨૯૦૮ શેયને જ્ઞાતા માને છે ત્યાં સુધી છે તે સંસાર. ૨૯૦૯ કોઈ પણ પરિસ્થિતિમાં માયા મૂંઝવે નહીં, એનું નામ
વીતરાગી વિજ્ઞાન'. ૨૯૧૦ વીતરાગોનો મત નિરંતર પરમાનંદ પ્રાપ્ત કરાવનારો છે.
તેમનો મત લોકો પાસે છે. પણ સવશે નથી. સર્વાશે તો
Page #155
--------------------------------------------------------------------------
________________
‘જ્ઞાની' પાસે હોય !
૨૯૧૧ વીતરાગોનું ‘જ્ઞાન’ તો ‘નિર્ભય જ્ઞાન’ છે. જો ‘જ્ઞાની પુરુષ’ મળી જાય તો એ ‘જ્ઞાન' મળી જાય.
૨૯૧૨ બાહ્યવિજ્ઞાન ‘એબૉવ નોર્મલ’ થાય તો તે ‘પોઈઝન’ છે. તેમાં
‘નોર્માલિટી' રાખવાની છે ને આંતર્રવજ્ઞાન ઠેઠ સુધી પહોંચાડવાનું છે. જે વિજ્ઞાનથી લોકોનાં સુખ વધે, દુઃખ ઘટે તે વિજ્ઞાન સાચું.
૨૯૧૩ ઉપરથી ‘એટમબોમ્બ' પડે તો ય પેટનું પાણી ના હાલે. ‘એટમબોમ્બ’ પડે તે ‘એ. એમ. પટેલ’ ઉપર પડશે, ‘મારી’ ઉપર ઓછું પડવાનું છે ? એવું આપણું આ વિજ્ઞાન છે ! ‘અક્રમ વિજ્ઞાન’ છે !!!
૨૯૧૪ વિજ્ઞાન બે પ્રકારનાં : એક બાહ્ય વિજ્ઞાન એટલે ભૌતિક વિજ્ઞાન. બીજું આંતવિજ્ઞાન એટલે આત્મા સંબંધી વિજ્ઞાન. આત્મા-અનાત્મા આ બધું શું છે હકીકતમાં ? પુદ્ગલ શું ? બધું વિજ્ઞાનથી જાણે, અનુભવથી જાણે, શાસ્ત્રોના શબ્દોથી નહીં, જાતે જોયેલું-જાણેલું, વાત કરેલું, એનું નામ ‘અનુભવજ્ઞાન’. એ આંતરિક વિજ્ઞાન કહેવાય. બાહ્ય વિજ્ઞાન વિનાશ કરાવનારું છે અને આંતરિક વિજ્ઞાન મોક્ષે લઈ જનારું છે.
૨૯૧૫ દ્રશ્ય અને દ્રષ્ટા બેઉ જુદાં જ હોય હંમેશાં. દ્રશ્ય કંઈ દ્રષ્ટાને ચોંટી પડતું નથી. આપણે હોળી જોઈએ તો હોળીથી આંખ દાઝતી નથી. એટલે જોવાથી જગત નડતું નથી. જોવાથી તો આનંદ થાય છે.
૨૯૧૬ ‘જોવું’ ને ‘જાણવું' એ બેઉ ચેતનના ગુણો છે. અને ‘કરવું’ એ પુદ્ગલના ગુણો છે. જે કરે તે જાણે નહીં ને જાણે તે કરે નહીં. કર્તાભાવ ને દ્રષ્ટાભાવ બે જુદા છે.
૨૯૧૭ ‘પોતે’ નિરંતર જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહેતો હોય તે ‘જ્ઞાની’. ૨૯૧૮ શેયોમાં તન્મયાકાર હોય ત્યારે બ્રહ્માંડની અંદર કહેવાય અને શેયોને શેયરૂપે દેખે ત્યારે બ્રહ્માંડની બહાર કહેવાય.
૨૯૧૯ એક વસ્તુનું ત્રણેય કાળનું જ્ઞાન, ત્રણેય કાળમાં શી સ્થિતિ થશે એનું જ્ઞાન, એને ત્રિકાળજ્ઞાન કહ્યું છે. માચીસ એ માટીમાંથી ઝાડ, ઝાડમાંથી કપાઈને સળી અને પછી બીજું બધું થાય અને પછી પાછું માટી થઈ જવાની ત્યાં સુધીના બધા પર્યાયને જાણે, એને ત્રિકાળજ્ઞાન કહ્યું.
૨૯૨૦ ત્રિકાળજ્ઞાન એકલા ‘સર્વજ્ઞ’ને જ હોય.
૨૯૨૧ ૧૯૯૦નું જ્ઞાન આજે દેખાતું હોય તો તો પછી એ વર્તમાન કાળ જ થઈ ગયો. ભવિષ્યકાળ રહ્યો જ નહીં ને ! ભવિષ્યનું દેખાવું એ જ્ઞાન નથી, સૂઝ છે !
૨૯૨૨ જ્યાં દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે, જ્ઞાન જ્ઞાતામાં પડે, ત્યારે સાક્ષાત્કાર
થાય.
૨૯૨૩ કડવું કે મીઠું પીવાનું નથી, માત્ર દ્રષ્ટિ જ ફેરવવાની છે. દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે તો કામ જ થઈ ગયું.
૨૯૨૪ દરેક બાબતમાં ‘નોર્માલિટી’ તેને જ હું ‘એક્ઝેક્ટનેસ' કહું છું. ૨૯૨૫ ‘એક્ઝેક્ટનેસ’ એટલે સંપૂર્ણ જાગૃતિ !
૨૯૨૬ ભૌતિકને જાણે તે ‘એલર્ટનેસ’ કહેવાય અને આ સંસારમાં ‘રિયલ’ શું ને ‘રિલેટિવ’ શું એ બધું જાણે તે ‘એક્ઝેક્ટનેસ'. ૨૯૨૭ ‘એક્ઝેક્ટનેસ’માં આવવાનું છે. એમાં ‘રિયલ’ પણ સાચું છે
ને ‘રિલેટિવ’ પણ સાચું છે. ‘રિલેટિવ’ જ્ઞેય સ્વરૂપ છે ને ‘રિયલ’ જ્ઞાતા સ્વરૂપ છે. ‘જ્ઞેય-જ્ઞાતા’ સંબંધ આવ્યો એ જ ‘એક્ઝેક્ટનેસ’. ‘એક્ઝેક્ટનેસ'માં જીવતા જ મોક્ષ અનુભવાય.
Page #156
--------------------------------------------------------------------------
________________
૨૯૨૮ સામો હાર પહેરાવે કે ગાળો દે તો ય “એક્ઝક્ટનેસમાં બેઉ
શેય છે, એટલે એને કંઈ જ ના થાય. ૨૯૨૯ સામો ગાળો ભાંડે છે એ તો આપણા જ કર્મનો ઉદય છે,
સામો તો નિમિત્ત માત્ર છે. ૨૯૩૦ દરેક કર્મ એના નિર્જરાનું નિમિત્ત લઈને આવેલું હોય છે.
કોના કોના નિમિત્તે નિર્જરા થશે એ નક્કી હોય છે. ૨૯૩૧ કર્મ શાનાથી બંધાય ? શુભ-અશુભ ભાવથી. શુદ્ધભાવથી
મુક્તિ-મોક્ષ. ૨૯૩૨ કર્તા-ભોક્તામાં કર્મ બંધાય ને જ્ઞાતા-દ્રષ્ટામાં કર્મ ના બંધાય. ૨૯૩૩ જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી કર્મ છે. અહંકાર વિલય થઈ
ગયો એટલે કર્મ બંધ થઈ જાય ! ૨૯૩૪ દરેક યશ અને અપયશ લઈને આવેલો છે. ૨૯૩૫ આ દાદાને બધો જશ શાથી મળતો હશે ? મેં કંઈ જ કર્યું
ના હોય તો ય લોક મને આવીને કહી જાય કે દાદા, તમારાથી જ મારું આ બધું કામ થયું ! હું ના પાડું તો ય જશ આપીને જાય. આ યશનામ કર્મ શું છે ? ભાવનાનું ફળ છે. ભાવના શી હતી ? કે આ જગતનું કોઈનું કંઈ પણ કામ કરો, ઘસાઈ છૂટો, ઓબ્લાઈજ (ઉપકાર) કરો. છેવટે કશું રૂપિયા ના હોય
તો ધક્કો ખાઈ છૂટો. ૨૯૩૬ જગત કલ્યાણની ભાવનામાંથી જ યશનામ કર્મ ઉત્પન્ન થાય
છે, અને જગતને ગોદા મારે ત્યારે અપયશનામ કર્મ થાય. ૨૯૩૭ સત્તાનો ઉપયોગ એનું નામ કરુણા ને સત્તાનો દુરુપયોગ
એટલે રાક્ષસી વૃત્તિ કહેવાય. ૨૯૩૮ કોઈ પણ જ્ઞાનનો સદુપયોગ થાય તો એ જ્ઞાન જ
વિજ્ઞાન થાય છે અને દુરુપયોગ થાય તો જ્ઞાન અજ્ઞાન
થઈને ઊભું રહે છે. ૨૯૩૯ જ્યારે બિલકુલ પરવશપણું ના રહે અને આખા બ્રહ્માંડનું
માલિકપણું લાગે ત્યારે સંપૂર્ણ સત્તાધીશ થાય ! ભગવાન
થાય ! ૨૯૪૦ સ્વસત્તામાં એક સમય પણ આવે તો સમયસાર થઈ ગયો ! ૨૯૪૧ સ્વસત્તા શેમાં છે? જે ભૂલ થાય છે, તેમાં જે જાગૃતિ રહે
છે ને ચેતવે છે, એ સ્વસત્તા છે. પરસત્તામાં ક્યાંય ના પેસે
ત્યાં સ્વસત્તા છે. ૨૯૪૨ પરસત્તાને પોતાની સત્તા માને છે, એનું નામ જ ભ્રાંતિ. આ
બીજાની સત્તા છે એમ સમજતા થશો ત્યારથી કંઈક ભ્રાંતિ
ખસશે. ૨૯૪૩ કિંચિત્માત્ર પોતાપણું' રાખવાની જરૂર નથી, ‘પોતે' છે જ
નહીં. આ અસ્તિત્વ લાગે છે તે જ ભ્રાંતિ છે. ૨૯૪૪ “મારામાં મેં મારાપણું છોડી દીધું એટલે આ પબ્લિક ટ્રસ્ટ”
થઈ ગયું. “અમારા' થકી તમને જે મળે છે તે તમારું જ સમજવાનું. “જ્ઞાન” તો તમારી અંદર ભર્યું પડેલું છે. અમારા
નિમિત્તથી એનો ઉઘાડ થાય. ૨૯૪૫ પોતાને માટે જે વાપરે નહીં, તેનામાં અનંત શક્તિઓ હોય ! ૨૯૪૬ અહંકાર ને મમતા વગરના હોય, તેમને તો જેમ કુદરત રાખે
તેમ રહે. તેમાં પોતાપણું ના હોય. ૨૯૪૭ પોતે ચોખ્ખો તો આ જગતમાં કોઈ તમારું કંઈ બગાડનાર
નથી. પોતે ચોખ્ખો તો સો જણ એક્સિડંટમાં માર્યા જશે, પણ પોતે બચી જશે. એવું આ “એઝેક્ટ’ ‘વ્યવસ્થિત છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
૨૯૪૮ ‘વ્યવસ્થિત'નો નિયમ એવો છે કે જે વિચાર ના કરે, તેનું
એઝેક્ટ’ ચાલે ને વિચાર કરે તેનું જરા આઘુંપાછું થાય.
મહીં પરમાત્મા બેઠા છે, તે બધું મળે તેમ છે ! ૨૯૪૯ જે સ્થળ છે તે ‘વ્યવસ્થિત'ને તાબે છે ને “એકઝેક્ટ' છે, ને
સૂક્ષ્મ છે તે પોતે ઘડે છે. ૨૯૫૦ આ ‘વ્યવસ્થિત’ શક્તિ કામ કરે છે. ‘હું નહોતો કરતો, મારી
જ ભ્રાંતિ હતી’ એવું અહંકારને પોતાને ય સમજાય. નહીં તો
સંડાસ જવા ગયેલા પાછાં આવેલા. ‘મેં' જોયેલા ! ૨૯૫૧ ‘પોતે’ અકર્તા થાય તો ‘વ્યવસ્થિત' કર્તા છે એવું સમજાય,
તો જ જગત “જેમ છે તેમ' સમજાય. ‘વ્યવસ્થિત' સમજાય નહીં ત્યાં સુધી સંકલ્પ-વિકલ્પ જાય નહીં, ભય જાય નહીં,
ક્રોધ-માન-માયા-લોભ જાય નહીં. ૨૯૫૨ અશુભનો કર્તા છૂટીને શુભનો કર્તા થાય પણ કર્તાપણું છૂટે
નહીં ! ૨૯૫૩ ‘વ્યવસ્થિત’ ‘એક્ઝક્ટ' આખું ય સમજાઈ જાય તો તો તમે
પૂર્ણ પરમાત્મા જ થઈ જાવ ! જેટલું જેટલું ‘વ્યવસ્થિત'
સમજાય તેટલો તેટલો મનુષ્યમાંથી પરમાત્મા થવા માંડે ! ૨૯૫૪ કુદરત કર્યા કરે ને તમે ‘જાણ્યા’ કરો એ જ મોક્ષમાર્ગ છે. ૨૯૫૫ કુદરતે હાથ કાપ્યો. કાપનાર કુદરત, કપાયો તે ‘આપણે' ન
હોય. આ બધું ‘તમે જાણ્યા કરો’ એ જ્ઞાન'. અને જ્યાં સુધી
ભોગવટો લાગે ત્યાં સુધી સંપૂર્ણ આત્મજ્ઞાન નથી. ૨૯૫૬ નિરુપાયપદ આગળ “વ્યવસ્થિત' ખડું રહ્યું છે ! ૨૯૫૭ ‘વ્યવસ્થિત'નો અર્થ જ એ છે કે પ્રકૃતિના કાર્યમાં અને
બહારના ‘એવિડન્સ'માં ડખો નહીં કરવો તે. હાથ ઊંચો થાય, પગ આઘોપાછો થાય કે મહીં અંદરથી કહે, ‘હંડો હવે',
તે હેંડવા માંડે. એમાં કશો ડખો નહીં કરવાનો, જ્ઞાતા-દ્રષ્ટા
રહેવાનું. ૨૯૫૮ “શુદ્ધાત્મા' સિવાયનો ભાગ તે પ્રકૃતિ. પ્રકૃતિ અને બહારના
સંયોગો બધા ભેગા થઈને જે કાર્ય કરે તે ‘વ્યવસ્થિત'. ૨૯૫૯ ભગવાનના નિમિત્તથી પ્રકૃત્તિ ઊભી થાય છે અને પ્રકૃતિથી
સાયન્સ’ ઊભું થાય છે. પ્રકૃતિ પૂરણ-ગલન સ્વભાવની છે,
જ્યારે આત્મા પૂરણ-ગલન સ્વભાવનો નથી. ૨૯૬૦ પ્રકૃતિ એટલે આત્માના અજ્ઞાન ભાવથી જે ઊભી થાય છે તે.
હું ચંદુભાઈ છું' એ આરોપિત ભાવ, એ પ્રકૃતિ ! ૨૯૬૧ આપણે પુરુષ છીએ. ‘શુદ્ધાત્મા' તરીકે સ્વવશ છીએ, પ્રકૃતિએ
કરીને પરવશ છીએ. પ્રકૃતિ અને ‘રેગ્યુલેટર ઓફ ધ વર્લ્ડના
હિસાબે આ બધું ચાલી રહ્યું છે ! ૨૯૬૨ પ્રકૃતિનો એક પણ ગુણ ‘પોતાનો' માને નહીં અને પોતાના”
બધા ગુણો જાણે એ “જ્ઞાની'. એક ગુણ ‘પોતાનો' માને તો
સંસારમાં ફસાય. ૨૯૬૩ આ આત્મા છે ને આ પ્રાકૃત છે, એ સમજવાનું છે. પ્રાકૃતિને
પોતાનું માને છે તેને લીધે મહીં સફીકેશન લાગે છે. તે અમે
સમજાવીએ કે આ તારું ન હોય, એટલે એ છોડી દે. ૨૯૬૪ પ્રકૃતિ વાંકું કરે, પણ તું અંદર સીધું કરજે. ૨૯૬૫ પ્રકૃતિ ના સુધરે તેનો વાંધો નથી, તે પોતાની “અંદર’
સુધારને !(?) પછી “રીસ્પોન્સિબિલિટી' નથી. આટલું જ
‘સાયન્સ’ ‘હું સમજાવવા માગું છું. ૨૯૬૬ પ્રકૃતિ જોડે તાદામ્ય થઈ જાય તો આપણે તરત કહેવું કે “આ
આમ ના હોવું જોઈએ.’ એટલે ‘આપણે જવાબદારીમાંથી
Page #158
--------------------------------------------------------------------------
________________
છૂટ્યા !' ૨૯૬૭ આ પુલને શુદ્ધ કરવાની “આપણે” કંઈ જરૂર નથી. પુદ્ગલ
તો એની મેળે શુદ્ધ થયા જ કરે છે. “આપણે' જો “આપણી’ શુદ્ધ દશા છે એમાં અશુદ્ધિ મનાય નહીં, તો પુદ્ગલ તો શુદ્ધ
થવાનું જ છે. ૨૯૬૮ પુદ્ગલને જો ડખોડખલ ના થાય તો એ તો ચોખ્ખું જ થયા
કરે છે. ડખો કરે ને પછી ડખલ થઈ જાય. ડખોડખલ કરનાર
કોણ ? અજ્ઞાન માન્યતાઓ ને પછી વાંધા ને વચકા. ૨૯૬૯ વાંધા ને વચકા સંસારમાં અટકાવનારી વસ્તુ છે, પછી ગમે
તેનો હોય. સત્યનો વાંધો રાખે તો ય વચકો પડી જાય. અસત્યનો વાંધો રાખશે તો ય વચકો પડી જશે. કારણ કે સત્ય-અસત્ય જેવી વસ્તુ જ નથી, બન્ને વિનાશી છે. “સત્'
એકલું જ અવિનાશી છે. ૨૯૭૦ સંજોગ અનુસાર પ્રકૃતિ બંધાય અને પ્રકૃતિ અનુસાર સંસાર
ચાલે. આમાં કોનો દોષ જોવાનો ? ૨૯૭૧ પ્રકૃતિ એટલે પોતાના સ્વભાવની અજાગૃતિ ને ભ્રાંતિ. ૨૯૭૨ પ્રકૃતિ તો સહજ છે, પણ બુદ્ધિ ડખો કરે છે. પ્રકૃતિને પંખો
માફક ના આવે તેમાં પંખાનો શો દોષ ? પ્રકૃતિનો શો દોષ ?
દોષ દેખાવો એ બુદ્ધિને આધીન છે, આત્માને આધીન નથી. ૨૯૭૩ સહજભાવે નીકળેલી પ્રકૃતિ સહજ છે. કોઈ અન્યને નુકસાન
કરે કે કોઈ જીવને દુઃખ થાય તેટલી જ પ્રકૃતિ મોક્ષને બાધક છે. બીજી ગમે તે પ્રકૃતિ હોય, મોડું ઉઠાય, વહેલું ઉઠાય, અમુક
થાય, અમુક ના થાય, તેવી પ્રકૃતિ મોક્ષને બાધક નથી. ૨૯૭૪ “શુદ્ધાત્મા' તો શુદ્ધાત્મા જ છે, વીતરાગ છે. પણ પ્રકૃતિ રાગ
કેષવાળી છે, એણે વીતરાગ થવાનું છે. પ્રકૃતિ વીતરાગ” થવા
શુદ્ધાત્માનું જ્ઞાન થવું જોઈએ. ૨૯૭૫ પોતે શુદ્ધાત્મા થાય તો સ્પંદન થવાનું બંધ થાય, ને સ્પંદન
બંધ થયાં તો ધીમે ધીમે સહજતામાં પ્રકૃતિ આવશે. બન્ને
સહજતામાં આવી જાય, એનું નામ વીતરાગ. ૨૯૭૬ પ્રકૃતિની બહાર નીકળવું મુશ્કેલ છે. પ્રકૃતિની બહાર કોઈ
નીકળી ના શકે. પ્રકૃતિની બહાર નીકળે એની વાણી ઓર જાતની હોય ! એ સ્વતંત્ર થયો હોય અને એની નિર્ભિકતા બતાવે. દુનિયાના સ્વામીની પેઠ ફરતો હોય છે. અને બીજા બધા તો ભગતો ! ભગત ને ભગવાન જુદા. આ પ્રકૃતિની પાર
ગયો, એ પોતે જ ભગવાન થઈ ગયો. ૨૯૭૭ કોઈક કરે છે અને કહીએ ‘હું કરું છું' તે અહંકાર. કોણ કરે
છે તે જાણે તો તે ભગવાન. ૨૯૭૮ ભગવાન તો અક્રિય છે, વીતરાગ છે. ભગવાનને સક્રિય કહેવું
એ ભૂલ છે. ૨૯૭૯ વીતરાગોની એકલી વાત જ સમજવાની છે, બીજું કશું જ
કરવાનું નથી. કરવાનું હોય ત્યાં મોક્ષ નથી ને મોક્ષ હોય ત્યાં
કરવાનું નથી. ફક્ત આટલું જ સમજો. ૨૯૮૦ જ્યાં કોઈ પણ ક્રિયા છે ત્યાં બંધ છે. ત્યાં પછી પુણ્યનો હોય
કે પાપનો હોય, પણ બંધ છે ! અને “જાણે' એ મુક્તિ છે.
| ‘વિજ્ઞાન' જાણવાથી મુક્તિ છે. ૨૯૮૧ ક્રિયા એક જ પ્રકારની, પણ કોણ કરે છે એ આરોપિત ભાવથી
કરે તો સંસાર ઊભો થઈ જાય અને સ્વભાવિક ભાવથી કરે
તો કશું લેવા-દેવા નથી. ૨૯૮૨ જગતના લોકો ક્રિયા કરે છે, પણ તેના પરિણામનું લક્ષ ના
હોય તેથી ઊંઘે છે. દરેક ક્રિયાના પરિણામનું લક્ષ રહે, એનું
Page #159
--------------------------------------------------------------------------
________________
નામ જાગૃતિ. જે જેટલું જાગ્યો એટલાં કાર્યો ઓછાં થઈ જાય
૨૯૮૩ મોક્ષે જતાં કોઈ ક્રિયાની જરૂર નથી. પણ ઉદયમાં આવેલી
- ક્રિયાઓ આત્મસ્વભાવમાં રહીને કરે. ૨૯૮૪ તમે આત્મા છો ને તમારે ‘જોવા-જાણવાનું એકલું જ છે. તેને
બદલે ‘કરવા’ હઉ મંડી પડ્યા ! ૨૯૮૫ જ્ઞાનમાં તો શું કહે છે ? તમે ‘એઝેક્ટ’ સમજો અને જાણો.
પહેલું સમજો ને પછી જાણો. એટલે ક્રિયા એની મેળે થઈ
જાય. અમલમાં મૂકવાનું નહીં. ૨૯૮૬ આપણું જ્ઞાન શું કહે છે કે તમાકુ પીવી એ આત્મહિતકારી
નથી, એ જ્ઞાન જાણવાની જરૂર છે. એ જ્ઞાન ઉપર શ્રદ્ધા ક્યારેય પણ ચળ-વિચળ ના થવી જોઈએ. ક્રિયાઓ પછી જે
થાય તે જોવામાં આવતી નથી, જ્ઞાન જ જાણવાની જરૂર છે. ૨૯૮૭ જ્ઞાનમાં કશું કરવાનું ના હોય, બુદ્ધિમાં કરવાનું હોય. ૨૯૮૮ સંસારી કોઈ પણ ક્રિયામાં બુદ્ધિનો જ ઉપયોગ હોય છે અને
‘હું શુદ્ધાત્મા છું' એ જ્ઞાન ઉપયોગ છે. ૨૯૮૯ બુદ્ધિએ કરીને સંપૂર્ણ ઇફેક્ટિવ' થયેલો, જ્ઞાન કરીને
અનઇફેક્ટિવ' થાય. ૨૯૯૦ બુદ્ધિ બિલકુલ વપરાશે નહીં, અહંકાર નિર્મૂળ થશે, ત્યારે
આખું “કેવળજ્ઞાન' દેખાયા કરશે. અમારે બુદ્ધિ વાપરવાની
નહીં, અમે “અબુધ' છીએ. ૨૯૯૧ ‘અબુધ’ થયા વગર ‘કેવળજ્ઞાન’ ઉત્પન થાય જ નહીં. ૨૯૯૨ ‘ઈમોશનલપણું જતું રહે, એનું નામ ‘અબુધ’. ‘ઈમોશનલ’
થવાની જગ્યા હોય ત્યાં “ઈમોશનલ” ના થાય, એનું નામ
અબુધ'. ૨૯૯૩ ‘હું અબુધ છું’ એવું ભાન થવું, એ મોટામાં મોટું જ્ઞાન
કહેવાય. ૨૯૯૪ ‘બુદ્ધિનો વૈરાગ’ એ ભારે શબ્દ છે. બુદ્ધિ પર અણગમો થયા
કરે પછી બુદ્ધિ પર વૈરાગ આવે. બુદ્ધિ પર વૈરાગ પછી
અબુધ' થાય. ૨૯૯૫ જો સંસારમાર્ગમાં ‘ડેવલપ’ થવું હોય તો બુદ્ધિમાર્ગમાં જાઓ,
ને મોક્ષમાર્ગમાં જવું હોય તો અબુધમાર્ગમાં જાઓ. ૨૯૯૬ ‘અહીં’ સત્સંગમાં બેસવાથી વિપરીત બુદ્ધિ હતી, તે સમ્યક
બુદ્ધિ થાય. એ સમ્યક બુદ્ધિ ઠેઠ મોક્ષે લઈ જાય. એ ઠેઠ સુધી
હેલ્પ' કરે ! ૨૯૯૭ ભેદબુદ્ધિ જશે ત્યારે પરમાત્મા સામા આવીને ભેગા થશે. ૨૯૯૮ ‘હું', ‘તું'ના ભેદને કારણે મનુષ્યો કર્મ બાંધે છે. ૨૯૯૯ હું જુદો ને આત્મા જુદો એમ મેળ પડે નહીંને કોઈ દહાડો !
‘હું જ આત્મા છું' એવું ભાન થાય ત્યારે મેળ પડે. ૩000 જગત જ્યારે બુદ્ધિનો પ્રચાર છોડશે અને ‘હાર્ટ' પર આવશે,
‘હાર્ટિલી’ થશે, ત્યારે પાછું બધું સરળ થશે ! ૩૦૦૧ અમારી વાત સમજવી બહુ અઘરી છે. ‘વસ્તુ'ની ઓળખાણ
પડે નહીં આમાં. બુદ્ધિશાળીઓ તો બુદ્ધિથી માપ કાઢ કાઢ કરે.
બુદ્ધિથી તોલાય એવી ‘આ’ વસ્તુ નથી. ૩૦૦૨ આ વીતરાગોના ‘સાયન્સ'માં બુદ્ધિ ના વાપરશો. નહીં તો
માર ખાઈ જઈશ. સંસારી ત્રાજવાથી એને ના મપાય. વીતરાગોના માર્ગમાં તો ‘દર્શન’ વાપરવાનું હોય. એમણે દેખ્યું તે જ ખરું, પણ તને જ્યારે દેખાય ત્યારે ખરું. ના દેખાય તો વાતને એમ ને એમ જ બાજુ પર રાખજે, પણ બુદ્ધિ ના
Page #160
--------------------------------------------------------------------------
________________
વાપરીશ.
૩૦૦૩ આ કાળમાં જ આવી વાત નીકળી કે બુદ્ધિ હિતકારી નથી. સર્વકાળે બુદ્ધિ હિતકારી જ કહેતા હતા. કારણ કે સર્વકાળે સમ્યક્ બુદ્ધિ જ રહેતી હતી. આ કાળ એકલો જ એવો આવ્યો કે જ્યાં આગળ વિપરીત બુદ્ધિ થઈ ગઈ. તેથી ‘દાદા’ ‘અબુધ’ છે, એમ અમે કહીએ છીએ.
૩૦૦૪ આ બધા મનના રોગને લઈને આ સંસાર ઊભો રહ્યો છે. મનના રોગ હોય પછી તનમાં રોગ આવે. પછી વાણીમાં આવે. મોક્ષે જતાં બધા જ રોગથી મુક્ત થવું જોઈએ. આપણું ‘અક્રમ વિજ્ઞાન’ મનના રોગને મટાડે એવું છે !
૩૦૦૫ મન નિરોગી એટલે શું ? મનને ક્યાંય કશી હરકત જ ના આવે. તમે મોળું ખાવાનું મૂકો કે ખાટું મૂકો પણ મનને અસર ના થાય ! મન રોગી એટલે ખાટાનો રોગ પેસી ગયો હોય એટલે ખાટું જ જોઈએ !
૩૦૦૬ અજ્ઞાનતામાં થઈ ગયેલા રોગને હવે શું કરવું ? ‘અક્રમ વિજ્ઞાન'ની નવી જ શોધખોળ છે ! નવો રોગ ઉત્પન્ન થાય નહીં, જૂનો રોગ ધીમે ધીમે કાઢે ને નિરોગી અવસ્થા પ્રાપ્ત થાય ! પછી જેટલી અવસ્થા પ્રાપ્ત થઈ તેનું રક્ષણ કરે ! ૩૦૦૭ ભગવાન મહાવીર ‘સમય વિચારી’ કહેવાય, છતાં તદાકાર ના હોય. વિચાર ‘સમયે સમયે' પલટાય ! આપણા લોકો તો
દસ-દસ, પંદર-પંદર ‘મિનિટ’ સુધી એક વિચારમાં ખોવાય ! કેટલાંક તો કલાક-કલાક રહે ! એક કલાકમાં તો દુનિયા નવી રચાય ! પણ પોતે શેમાં ય પડ્યો હોય ! ગમતા વિષયમાં !
ય
૩૦૦૮ મનની ઇચ્છા પ્રમાણે દૂધપાક મળ્યો એટલે મન મરી ગયું. પણ દૂધપાક ખાતાં ખાતાં ફરી આવો દૂધપાક મળે એ તૃષ્ણા ઊભી થાય, એટલે મન પાછું જીવતું થઈ જાય !
૩૦૦૯ કોઈની જોડે આપણા વિચારો મળતા આવે, તે બહુ
જોખમકારક છે. વિચારો મળતા આવવાં જોઈએ એની જરૂર નથી, સમજ જોઈએ. વિચારો મોક્ષે લઈ જતાં નથી, સમજ મોક્ષે લઈ જાય છે !
૩૦૧૦ ‘અમે’ વિચારીને જવાબ આપીએ તો કોઈ સાંભળે ય નહીં. આ વિચારેલા જવાબ નથી. આ તો નિર્ભેળ જવાબ કહેવાય. જ્ઞાન જવાબ કહેવાય. વિચાર એ તો પુદ્ગલ છે. અમારામાં તદાકારરૂપે એ ના હોય. ‘અમે’ ‘કેવળજ્ઞાન'માં જોઈને જ જવાબ આપીએ છીએ.
૩૦૧૧ ભય પામવા જેવું જગત જ નથી. ‘આપણે’ ‘શુદ્ધાત્મા’ ને ‘વ્યવસ્થિત’ શક્તિ કામ કર્યા કરશે. મન તો અમને ય કહે કે આગળ ગાડી અથડાશે તો ? એટલે અમે તેને કહીએ, ‘તેં કહ્યું એની અમે નોંધ કરી, હવે બીજી વાત કરો.’ એટલે એ બીજી વાત કરે. મન એવું નથી કે આગલી વાતની પકડ પકડે
! આપણે તન્મયાકાર નહીં થવાનું. તન્મયાકાર થવાથી તો જગત ઊભું થયું છે ! મન એ તો ‘ડિસ્ચાર્જ’ ભાવો છે. એ ડિસ્ચાર્જ ભાવમાં જો આપણે કદી તન્મયાકાર થઈએ તો ‘ચાર્જ' ભાવ ઉત્પન્ન થાય.
૩૦૧૨ ‘બ્રહ્માંડની અંદર અને બ્રહ્માંડની બહારથી જોવું’ એટલે શું ?
મનમાં વિચાર આવ્યો તેમાં તન્મયાકાર થયો એટલે બ્રહ્માંડમાં છે. મનમાં વિચાર આવ્યો ને તન્મયાકાર ના થયો એટલે બ્રહ્માંડની બહાર કહેવાય !
૩૦૧૩ ચિત્ત ‘મિકેનિકલ ચેતન’ છે. મન ‘મિકેનિકલ ચેતન’ નથી, એ ‘ડિસ્ચાર્જ’ થતું છે !
૩૦૧૪ જગત કલ્યાણમાં મન પરોવી દઈએ તો મન ઠેકાણે રહે ! ચિત્તને ઠેકાણે રાખવા ‘જ્ઞાની પુરુષ’ની ‘કૃપા’ પ્રાપ્ત કરવી પડે !
Page #161
--------------------------------------------------------------------------
________________
૩૦૨૨ ચિત્તની એકાગ્રતા તો મન કૂદાકૂદ કરતું હોય તો ય રહે તેમ
છે. ઘણાંને મનની સ્થિરતા હોય પણ ચિત્તની એકાગ્રતા ના હોય. આપણે “અહી” કંઈ ઓર જાતની ચિત્તની એકાગ્રતા થાય છે. ચિત્તની ખરી એકાગ્રતા ક્યારે થાય છે કે જ્યારે માણસને ખરાબ વિચાર આવે છે, ત્યારે ‘પોતે' આખા જગતથી છૂટો થઈ જાય છે ! કારણ કે ખરાબ વિચાર
પોતાનાથી સહન ના થાય ! ૩૦૨૩ સંસારની બહાર ચિત્ત રહેવું, અસંસારી દશામાં ચિત્ત રહેવું
એટલા માટે આ બધા ધર્મો છે. એટલા માટે મૂર્તિમાં ચિત્ત રાખે, ચક્રો ઉપર ચિત્ત રાખે પણ એક જગ્યાએ એનું રહેવું મુશ્કેલ છે. લોકો ચિત્ત મૂર્તિમાં રાખે, પણ તે ચિત્ત ભગવાનમાં રહે નહીં પણ એટલો વખત સંસારમાં ના રહે એટલે સંસાર મોળો પડે. અને “આપણું' તો ચિત્ત ભગવાનમાં જ રહે છે
૩૦૧૫ આખા શરીરમાં મોટામાં મોટી વસ્તુ ચિત્ત છે ! મનનો કશો
વાંધો નથી. ચિત્ત અમારા વશ રહ્યા કરે પછી મન છોને
કૂદાકૂદ કરે ! ૩૦૧૬ ચિત્ત વળ્યું વળે તેવું નથી. તેથી યોગીઓ ચક્રો ઉપર ચિત્તને
ગોઠવ્યા કરે છે. એ મનની સાધના નથી, ચિત્તની સાધના છે ! ૩૦૧૭ મન તો ‘કમ્પ્લીટ ફીઝિકલ’ છે, જેમાં જરાય ચેતન નથી. મન
જોડે આત્મા તન્મયાકાર થાય તો જ અસર થાય. ૩૦૧૮ મનમાં ખરાબ વિચાર આવે છે ત્યારે ખરી ઊંચી દશા હોય છે.
કારણ કે ખરાબ વિચાર આવે ત્યારે “પોતે' એનાથી છૂટો રહી શકે. નહીં તો છૂટું રહેવાય એવું જ નથી. આવો સ્કોપ મળે ત્યારે એને કંટાળો આવે કે આ ક્યાં આવ્યા ? ‘અમને' ખરાબ વિચાર આવે તો તેની અમે વેલ્યુ જ ના ગણીએ. અમે તો ચિત્તને
જ જોઈએ કે હજુ કેમ ખરાબ જગ્યાએ જાય છે. ૩૦૧૯ મનમાં સરસ વિચાર આવે છે ત્યારે અજ્ઞાનતાને લીધે
તન્મયાકાર થઈ જાય છે. ખરાબ વિચાર આવે ત્યારે છૂટો
રહે, તેથી મન ‘આપણાથી જુદું છે એ સમજાય. ૩૦૨૦ ચિત્તનો ભટકવાનો ધંધો છે. ચિત્તની સવારી કરતાં આવડે તો
કામ થઈ ગયું. એને જો ફેરવતાં આવડે તો પાછું ફરી જાય તેમે ય છે ! ડાકોર જઈને દર્શન કરાવો તો તે ય કરે પાછું ! ચિત્ત એકાગ્ર થઈ ગયું એટલે થઈ રહ્યું ! “અમારે’ ચિત્ત
નિરંતર એકાગ્ર જ રહે, જરાય આઘુંપાછું ના થાય. ૩૦૨૧ આ જગતમાં ચિત્ત એકાગ્ર કરવાનાં સ્થાન જ નથી. ચિત્ત
એકાગ્ર કરવાનાં સ્થાનોમાં જાય છે ત્યાં મન સ્થિર થાય છે, ચિત્ત સ્થિર થતું નથી. ચિત્ત સ્થિર થયા વગર ચિત્ત પ્રસન્ન થાય નહીં. ચિત્ત પ્રસન્ન થયા વગર મુક્ત થવાય નહીં !
૩૦૨૪ જ્યાં સુધી આત્માનું ભાન થયું નથી, ત્યાં સુધી વીતરાગ
મૂર્તિની આરાધના કરો. મૂર્તિ તમને સમકિત સુધી લઈ જશે !
કારણ એની પાછળ શાસન દેવ-દેવીઓ છે. ૩૦૨૫ વ્યવહારના દેવ મૂર્ત સ્વરૂપે છે અને નિશ્ચયના દેવ અમૂર્ત
સ્વરૂપે છે. ૩૦૨૬ મૂર્તિ શાથી મૂકી છે ? એની પાછળ શી ભાવના છે ?
સાહેબ, તમે સનાતન સુખવાળા છો ને હું તો ‘ટેમ્પરરી' સુખવાળો છું. મારે ય સનાતન સુખની ઇચ્છા છે.” ભગવાન સનાતન સુખવાળા છે, તેથી તો જુઓને મૂર્તિમાં છે તો ય
આપણા કરતાં રૂપાળા દેખાય છે. જાણે જોયા જ કરીએ ! ૩૦૨૭ આપણે ભગવાનની મૂર્તિનાં દર્શન કરીએ છીએ ત્યારે મૂર્તિ શું
કરે છે ? ‘ભાઈ, આ માલ મારો નથી, આ માલ તારા જ
Page #162
--------------------------------------------------------------------------
________________
શુદ્ધાત્માનો છે.” એટલે મૂર્તિ તમારા શુદ્ધાત્માને પાછું મોકલી
આપે છે. આને પરોક્ષ ભક્તિ કહેવાય ! ૩૦૨૮ પરોક્ષ ભક્તિ એટલે શું? પોતે જેની ભક્તિ કરે છે તે ખરેખર
તેની નથી કરતો, પણ પોતાના જ આત્માની કરે છે ! આ મૂર્તિઓ, મંદિરો ના હોત તો હિન્દુસ્તાનના લોકોને ભગવાન
યાદ જ ન આવત ! ૩૦૨૯ ખુદાઈ ચમત્કાર એટલે સામાએ આપણને ગાળો ભાંડવી
હોય, ઘર નક્કી કરીને આવ્યો હોય તો ય તેનાથી બોલાય
નહીં, એવું કરી નાખે ! ૩૦૩૦ જેને ચમત્કાર કરવો નથી, ત્યાં ચમત્કારો બહુ હોય ! ૩૦૩૧ ઘણાંને ધ્યાન થાય એટલે સૂર્યના તેજ જેવું અજવાળું અજવાળું
દેખાય છે. એ શું છે ? એ ચિત્ત ચમત્કાર છે. ચિત્તની
એકાગ્રતા થાય એટલે એવું બધું થાય ! ૩૦૩૨ અશુદ્ધ ચિત્ત ક્યાં સુધી ? જ્યાં સુધી એને લાલચો છે. ‘આમાં
સુખ છે, આમાં સુખ છે.' એ જ્યારે પોતાના ઘરનું સુખ જુએ
પછી બહાર નહીં નીકળે. ૩૦૩૩ ચિત્તની અશુદ્ધિને લઈને આ જગત ઊભું થયું છે ! ચિત્તશુદ્ધિ
થઈ જાય એટલે કામ થઈ ગયું ! ચિત્ત અશુદ્ધિમાં પોતાની સંસાર અભિમુખ દ્રષ્ટિ છે, જેને સાપેક્ષ દ્રષ્ટિ કહે છે. એને લઈને ચિત્તની અશુદ્ધિ છે. નિરપેક્ષ દ્રષ્ટિ થાય એટલે
ચિત્તશુદ્ધિ થઈ જાય ! ૩૦૩૪ બુદ્ધિ છે ત્યાં સુધી સંસાર છે ને બુદ્ધિ ગઈ એટલે સંસાર
ખલાસ થઈ જાય. બુદ્ધિ છે ત્યાં સુધી ચંચળતા છે, ને
ચંચળતા ગઈ તો થઈ ગયો ભગવાન ! ૩૦૩૫ બુદ્ધિને લઈને અહંકાર ઊભો રહ્યો છે. અહંકારને લઈને સંસાર
ઊભો રહ્યો છે. જ્યારે અહંકાર-બુદ્ધિ બેઉ વપરાશે નહીં ત્યારે
મુક્તિનો માર્ગ, જ્ઞાનપ્રકાશ થશે ! સંપૂર્ણ પ્રકાશ !!! ૩૦૩૬ બુદ્ધિનો પ્રકાશ એવો છે કે અથડામણથી ઉત્પન્ન થાય. નફા
ખોટની બુદ્ધિ અથડામણથી આવે છે. બુદ્ધિ એ અથડામણનો
સરવાળો છે. ૩૦૩૭ અક્કલ તો કોનું નામ કહેવાય કે જે નઠારામાં નઠારા માણસ
જોડે ‘એડજસ્ટ' થઈ જાય છે ! ૩૦૩૮ ઉપાધિ ઘટાડે, એનું નામ અક્કલ. ૩૦૩૯ સદ્દબુદ્ધિ એનું નામ કે ક્યારે ય પણ વિરોધાભાસ ના લાવે ! ૩૦૪૦ સમ્યક્ બુદ્ધિ એટલે આ લોકનું સુધારે ને પરલોકનું ય સુધારે.
વિપરીત બુદ્ધિ આલોક ને પરલોક બન્નેનું ય બગાડે. “જ્ઞાની' પાસે બેસવાથી બુદ્ધિ સમ્યક્ થાય. સમ્યક્ બુદ્ધિ વ્યવહારના ભાગને ‘વ્યવસ્થિત ગોઠવી આપે ને વિપરીત બુદ્ધિ ઊંધું કરી
આપે ! ૩૦૪૧ બુદ્ધિ એવી ‘ડેવલપ’ થઈ શકે છે કે પોતાનાં સર્વસ્વ દુઃખો
મટાડી શકે. ૩૦૪૨ સમ્યક્ બુદ્ધિનું અત્યારે દેવાળું નીકળ્યું છે ! કો'ક જરાક કહે તો
તરત અસર થઈ જાય છે ! વ્યવહાર “એડજસ્ટ' કરે, નવી ખોટ
ખાય નહીં ને જૂની ખોટ વસૂલ કરે, તે સમ્યક્ બુદ્ધિ. ૩૦૪૩ બુદ્ધિનાં બારણાં બંધ થાય ત્યારે મોક્ષની તૈયારીઓ થાય. ૩૦૪૪ ભગવાન શું કહે છે? કે તું ને હું જુદા ત્યાં સુધી સંસાર, ને
એકતા થઈ ત્યાં પોતે ભગવાન ! ૩૦૪૫ આ તમે જેટલું જુઓ છો, વાંચો છો, સાંભળો છો, એ બધું
ય કલ્પિત છે. ભગવાન બુદ્ધિથી અગમ્ય છે અને જગત બુદ્ધિથી જુએ છે. તે કેમનો મેળ ખાય ?
Page #163
--------------------------------------------------------------------------
________________
૩૦૪૬ આત્માથી જુદો, એનું નામ બુદ્ધિ. જેટલી બુદ્ધિ સમાઈ ગઈ
એટલે આત્મામાં સમાઈ ગયો અને બુદ્ધિ સવશે સમાઈ ગઈ
એટલે આત્મામાં સંપૂર્ણ તે રૂપ થઈ જાય ! ૩૦૪૭ બધાંએ બુદ્ધિના ઘરની વાત કરી છે. જ્યાં બુદ્ધિ ના પહોંચે
એ ખુદાના ઘરની વાત. અને જ્યાં બુદ્ધિ પહોંચે એ
સંસારીઓનાં ઘરની વાત. ૩૦૪૮ જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી આત્માની અનુભૂતિ કોઈ દહાડો
ય થાય નહીં. ૩૦૪૯ સંસારમાં બધો બુદ્ધિવાદ છે. જ્ઞાનવાદ હોય તો જ ત્યાં આગળ
કામ થાય. ભગવાનનો જ્ઞાનવાદ હતો. વીતરાગ વિજ્ઞાન
એટલે જ્ઞાનવાદ. ૩૦૫૦ બુદ્ધિ એ પરપ્રકાશક છે. એટલે આપણે સ્વરૂપને જોવું હોય
તો ય ના જોવા દે. બીજું દેખાડે. ૩૦૫૧ બુદ્ધિ આપણે બંધ કરવી હોય તો ય ના થાય. બુદ્ધિ બંધ તો
‘જ્ઞાનીની કૃપાથી થાય. બહુ કૃપા હોય તો થાય. ૩૦૫૨ સુખ પોતાના સ્વરૂપમાં છે, ત્યાં અહંકાર નથી. ત્યાં
અહંકારની રેફ નથી, ત્યાં આગળ સુખ છે ! ૩૦૫૩ સીધાંને સીધો અહંકાર આવે. વાંકાને વાંકો અહંકાર આવે.
અહંકાર એક જ પ્રકારનો ને રંગ જુદા જુદા લાગે ! ૩૦૫૪ અહંકાર એવો હોવો જોઈએ કે જાણપણું વધે. તેને બદલે
જાણપણા પર આવરણ આવે એવો અહંકાર છે ! અહંકારથી અંધ થઈ જાય, જાણપણું ખોવાઈ જાય, એ અહંકાર બહુ
નુકસાન કરે. ૩૦૫૫ આરોપિત ભાવ એ અહંકાર છે. તને જો સંસારી સુખ જોઈતાં
હોય તો એનો પોઝિટિવ” ઉપયોગ કર, એમાં નેગેટિવ' ના
ઘાલીશ. તને દુ:ખો જ ખપતાં હોય તો ‘નેગેટિવ' રાખજે અને સુખ-દુઃખનું મિક્ષચર ખપતું હોય તો બેઉ ભેગાં કર અને તારે મોક્ષે જ જવું હોય તો આરોપિત ભાવથી મુક્ત થા. તારા સ્વભાવ-ભાવમાં આવી જા ! આ ત્રણ વાક્યો પર જગત આખું
ચાલી રહ્યું છે ! ૩૦૫૬ દરેકનો અહંકાર જુદો જુદો હોય અને અહંકાર “ધૂ” પ્રકાશ
નીકળે છે, તેથી દરેકની બુદ્ધિ જુદી જુદી હોય ! ૩૦૫૭ આત્મદર્શન’ થયા પછી ભેદબુદ્ધિ ના રહે. પછી ‘બુદ્ધિ એ
કરીને’ અભેદતા રહે ને વ્યવહાર દરેક જોડે જુદો જુદો રહે.
વ્યવહારમાં જે ભેદ દેખાય એ તો વિવેક છે. ૩૦૫૮ આ બધો ભેદ ઊભો થયો છે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ
જુદા જુદા છે, તેનાથી ભેદબુદ્ધિ ઊભી થાય છે ! ૩૦૫૯ બુદ્ધિને ગીરો ક્યાં મૂકવાની ? એ તો “અબુધ’ થવું પડશે, જો
‘રિયલ’ સ્વરૂપ થવું હોય તો. બુદ્ધિનો તો અનંતકાળનો વાસ થયેલો છે. એટલે આપણે નક્કી કરવું કે હવે બુદ્ધિ ના જોઈએ.
એટલે “અબુધ' થવાશે. ૩૦૬૦ અમે “અબુધ’ છીએ. ‘વ્યવસ્થિત'નું જ્ઞાન ના હોત તો “અમે’
પણ બુદ્ધિ ના છોડત. એટલે ‘અમે તમને કહીએ છીએ કે
વ્યવસ્થિત છે, અબુધ થઈને બેસી જશો તો ચાલશે.” ૩૦૬૧ બુદ્ધિ હંમેશાં “સેન્સિટિવ' કરે ને “સેન્સિટિવનેસથી સંસાર
ઊભો છે ! ૩૦૬૨ બુદ્ધિ એટલે ‘ન્યૂ પોઈન્ટ', સંસારમાં ચારો ચરાવનાર ને માર
ખવડાવનાર. ૩૦૬૩ કોઈને ય આપણા નિમિત્તે સહેજ પણ અડચણ ના પડે, એનું
નામ બુદ્ધિ.
Page #164
--------------------------------------------------------------------------
________________
૩૦૬૪ વિનાશી ચીજો જોઈ ‘ઈમોશનલ” થાય એ બુદ્ધિ. ૩૦૬૫ અવધાન શક્તિ એ ધારણશક્તિ છે. એ બુદ્ધિને અનુસરીને છે,
બુદ્ધિની જાગૃતિ છે એ ! જ્ઞાનને અનુસરીને નથી. જ્ઞાનને ને
અવધાનને લેવાદેવા નથી. છેવટે જ્ઞાનની જાગૃતિ જોઈશે. ૩૦૬૬ સમ્યક્ બુદ્ધિ એ સંસ્કારેલી બુદ્ધિ છે. એ સંસ્કારેલી બુદ્ધિ હોતી
જ નથી. “જ્ઞાની પુરુષ' પાસે બેસવાથી બુદ્ધિ સમ્યક્ થાય તેમ
૩૦૬૭ આત્મામાં આત્મબુદ્ધિ એ મોક્ષ છે અને દેહમાં આત્મબુદ્ધિ એ
સંસાર છે ! ૩૦૬૮ સમજ એ કાયમની મિલકત છે. બુદ્ધિ એ “ટેમ્પરરી’ મિલકત
છે.
૩૦૬૯ વિચાર કરીને “જ્ઞાન' સમજાય એવું જ નથી. દર્શનથી
સમજાય એ ખરું. “ક્રમિક માર્ગમાં જ્ઞાનને વિચાર કરીને સમજવાનું છે. અક્રમમાં એવું નથી. ક્રમિકમાં તો ‘નોન સ્ટોપ”
વિચારો આવ્યા જ કરે. ૩૦૭૦ મન એ તો ‘લેબોરેટરી' છે. એમાં કશું મૂકો ને વિચારણા કરો
તો તે તારણ કાઢી આપે. મન બધા પર્યાય દેખાડે, “રડાર'ની
૩૦૭૪ જે ચિત્તને ડગાવે એ બધા જ વિષયો છે. ૩૦૭૫ અશુદ્ધ ચૈતન્યને ચિત્ત કહે છે. અશુદ્ધ પણ ચૈતન્ય છે ! ૩૦૭૬ ચિત્તની જેટલી શુદ્ધિ થાય, પછી ‘ફિલ્મ' પડતી એટલી બંધ
થતી જાય. ચિત્ત અશુદ્ધ છે ત્યાં સુધી ‘ફિલ્મ” પડ્યા જ
કરવાની અને એ જ ‘ફિલ્મ' છે સંસાર ! ૩૦૭૭ ચિત્ત જે જુએ ત્યાં “ફિલ્મ’ પડે. “આ સરસ છે, આ ખરાબ
છે” એમ બે ભાવો ઉત્પન્ન થાય, ત્યાં કર્તાનો આરોપ કરે,
એટલે નવી ‘ફિલ્મ” ચાર્જ થાય. ૩૦૭૮ ચિત્તને જેટલો વખત “આપણે” “જોયા' કરીએ એટલી એની
શુદ્ધિ થતી જાય. ચિત્તની શુદ્ધિ થતાં સુધી આ યોગ બરોબર જમાવવાનો છે ! એને સાથ ના આપીએ ને એને જોયા કરીએ
એટલે આપણે છૂટા થઈએ ! ૩૦૭૯ “સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ પછી ચિત્તની નવી ફિલ્મો' પડતી બંધ
થઈ જાય. મનનું જૂનું હોય તેટલું જ ‘ડિસ્ચાર્જ થયા કરે. નવું ઉત્પન્ન ના થાય. અહંકાર કામ કરતો બંધ થઈ જાય, જૂનો છે એટલો જ “ડિસ્ચાર્જ થાય. બુદ્ધિ પણ જૂની છે એ
ડિસ્ચાર્જ' થયા કરે. નવી ઉત્પન્ન ના થાય. ૩૦૮૦ અંતઃકરણના કયા ભાગને પહેલી અસર થાય છે ? પહેલી
બુદ્ધિમાં અસર થાય છે. બુદ્ધિ જો હાજર ના હોય તો અસર
ના થાય. ૩૦૮૧ પહેલી અસર બુદ્ધિમાં થાય છે. ત્યાંથી પછી મનને અસર
પહોંચે છે. “અમને' બુદ્ધિ ના હોય તેથી કશી ભાંજગડ જ નહીં. બુદ્ધિ સ્વીકારનાર હોય તો ભાંજગડ છે. બુદ્ધિ પછી મન
પકડી લે ને પછી મન કૂદાકૂદ કરી મૂકે ! ૩૦૮૨ વાગોળવાની ક્રિયા કોણ કરે છે ? મન, બુદ્ધિ જો વચ્ચે
જેમ.
૩૦૭૧ ચિત્ત પોતાની સ્વતંત્ર “ફિલ્મને લઈને ભટકે છે અને મન એ
ગ્રંથિઓને લીધે છે. ૩૦૭૨ ચિત્તને માટે જ આ બધા ધર્મો કરવાના છે, એટલાં પૂરતો જ
ચિત્તને અવકાશ મળે છે. નહીં તો એ ચિત્ત અનઅવકાશપણે
ભટક્યા કરે. ૩૦૭૩ ભયંકર ભીડને લઈને મન પોતાની રક્ષા કરવાનું ખોળે છે.
એટલે વિચારો આવે નહીં, તે ઘડીએ ખરી મજા આવે !!
Page #165
--------------------------------------------------------------------------
________________
પકડનારી ના હોય તો મન સુધી પહોંચતું જ નથી.
૩૦૮૩ મન-ચિત્ત-અહંકાર ને અંતઃકરણનો બધો ‘હિસાબ’, એ બધું પુદ્ગલ છે. બુદ્ધિ એકલી પુદ્ગલ નથી. બુદ્ધિ તો આત્માનો આનો આ જ પ્રકાશ છે, પણ અહંકારના ‘મીડિયમ’ ‘ઘૂ’ પડે છે એટલે એને બુદ્ધિ કહેવાઈ.
૩૦૮૪ બુદ્ધિના પરમાણુ ય ના હોય. પ્રકાશ છે એ પૂરણ-ગલન ના થાય. પૂરણ-ગલન થાય એ પુદ્ગલ કહેવાય. મન-ચિત્તઅહંકાર બધું ફીઝિકલ છે, જડ છે. બુદ્ધિ ફીઝિકલ નથી. ૩૦૮૫ શુદ્ધ ચિત્ત એ પર્યાયરૂપે છે અને શુદ્ધાત્મા દ્રવ્યગુણરૂપે છે, પણ એકની એક જ વસ્તુ છે બધી !
૩૦૮૬ આત્માની દ્રવ્ય-ગુણ-પર્યાયથી એકતા જ છે. આમાં પર્યાયની શુદ્ધિકરણ થઈ ગઈ તે થઈ ગયો પૂર્ણ શુદ્ધાત્મા.
૩૦૮૭ જ્ઞેય ફર્યા કરે છે માટે જ્ઞાન ફરે છે. જ્ઞાન પહેલાં ફરતું નથી. જગત આખું પરિવર્તનશીલ છે, તેથી જ્ઞાન ફરે છે.
૩૦૮૮ અજ્ઞાનીઓ ભયને અનુભવે, જ્ઞાન આપ્યું હોય તે ભયને વેદે અને ભયની અસરને જાણે તે ‘કેવળ જ્ઞાનસત્તા' !
૩૦૮૯ આત્મા એ ‘જ્ઞાન-સ્વરૂપ' જ છે, બીજી કોઈ વસ્તુ નથી. આ દીવાનો પ્રકાશ જડ છે, પણ એને કાપીએ તો એ કપાઈ જાય ? આત્માનો પ્રકાશ તો ઓર જ છે ! ભટ્ટી સળગાવીએ તો ય એ જ્ઞાનને અડે નહીં એટલું બધું એ સૂક્ષ્મ છે ! આ અગ્નિનો ભડકો એ સ્થૂળ છે, આત્માની અપેક્ષાએ. આત્મા તો એટલો બધો સૂક્ષ્મ છે કે એને આ કશી અસર જ ના થાય અને તે જ પરમાત્મા છે !
૩૦૯૦ મોક્ષમાં પરમશાંતિ ના હોય, પરમાનંદ હોય ! ‘પોતે' જ પરમાનંદ સ્વરૂપ છે. શાંતિ તો જ્યાં અશાંતિ હોય ત્યાં હોય.
શાંતિ દ્વંદ્વ સ્વરૂપ છે, જ્યારે પરમાત્મા તો પરમાનંદ સ્વરૂપ છે ! અનાદિકાળથી જે ખોળતા હતા, તે પોતાનું પરમાત્મસ્વરૂપ અને શક્તિસ્વરૂપ !
૩૦૯૧ આત્માની પાસે કશું હોય તે જ દુઃખ છે. કશું ના હોય ત્યાં પાર વગરનું સુખ છે ! પોતે સ્વભાવથી જ સુખીયો છે ! ૩૦૯૨ સંપૂર્ણ પરિગ્રહરહિત થયો કે પોતે પ્રકાશમાન, સૂર્યનારાયણ જેવો પ્રકાશમાન, અનંત સુખનું ધામ થાય !
૩૦૯૩ જે ખાય, તેને સંડાસ જવાનું. જે આહારી છે તે જ વિહારી છે ને તે જ નિહારી છે. આપણે શુદ્ધાત્મા તેને જાણનારા. ‘આહારી’ આહાર કરે છે ને ‘નિરાહારી’ ‘શુદ્ધ ચેતન’ માત્ર તેને જાણે છે !
૩૦૯૪ જડમાં કોઈ દિવસ ચેતન હોય નહીં. ચેતનમાં કોઈ દિવસ જડ હોય નહીં. માત્ર આ શરીર એકલું જ ‘મિશ્ર ચેતન’ છે ! ચેતન જેવું કામ કરે છે, પણ એ ખરેખર ચેતન નથી.
૩૦૯૫ ભગવાનનું રૂપ જ અવર્ણનીય છે. એને કોઈ દિવસ મેલ
લાગતો જ નથી. ‘એક્ટિવ’ (ચંચળ) ભાગમાં ભગવાન નથી. ‘ઈનએક્ટિવ’ (અચળ) ભાગમાં ભગવાન છે ! એમની હાજરીથી જ આ બધી લીલા છે !
૩૦૯૬ જગત જેને સ્થિર કરવા જાય છે તે ‘મિકેનિકલ’ ચેતન છે.
એ ખરેખર ‘એક્ઝેક્ટ’ ચેતન નથી, તું મૂળ સ્વરૂપને ખોળી કાઢ. મૂળ સ્વરૂપ સ્થિર જ છે !
૩૦૯૭ ‘ચંચળ’ સાથે શાદી ના કરવી, ‘પ્રજ્ઞાદેવી' સાથે શાદી કરવી. પ્રશાદેવી તો બહુ સારાં છે, એ તો નિરંતર ચેતવે છે !
૩૦૯૮ પહેલું ‘શાન’ અને બીજી ‘અમારી’ કૃપા. જ્ઞાન હોય ને કૃપા ના હોય તો કાચું પડી જાય. કૃપા હોય ને જ્ઞાન ના હોય તો
Page #166
--------------------------------------------------------------------------
________________
ય કાચું પડી જાય. ૩૦૯૯ જગતમાં આત્માનું જ નહીં, પણ અનાત્માના એક પરમાણુની
પણ વધ-ઘટ થતી નથી. આટલી બધી લઢાઈઓ થાય, તોફાનો થાય, આટલાં બધાં માણસો મરી જાય તો ય એક પરમાણુ પણ ઘટતું નથી ને વધતું નથી. “જેમ છે તેમ' જગત
છે, આનો ફેરફાર થઈ શકે તેમ નથી. ૩૧00 તત્ત્વોની ખૂબી કેવી છે એ “જ્ઞાની પુરુષ' જ જોઈ હોય. બીજા
કોઈને બુદ્ધિથી સમજાવી શકાય તેમ નથી. આત્મતત્ત્વની ખૂબી એવી છે કે એની હાજરીથી જ બધું થઈ જાય ! આમ દ્રષ્ટિ કરે તો આમ થઈ જાય ને તેમ દ્રષ્ટિ કરે તો તેમ થઈ જાય ! આત્માની દ્રષ્ટિ ચોગરદમ હોય, તેનાથી બધું હાજર જ થઈ જાય ! આત્માની અનંત શક્તિ છે, એની હાજરીથી આ બધું ઉત્પન્ન થાય છે અને એની હાજરીથી જ આ બધું
ચાલે છે. ૩૧૦૧ આ “ચંદુભાઈ’ એ તો ‘મિકેનિકલ’ છે. પેટ્રોલ, તેલ, એંધણ
બધું જ કરવું પડે. અંધણ પૂરો તો ચાલે, નહીં તો બંધ થઈ જાય. યંત્ર એને ફેરવી જ રહ્યું છે. જ્યાં સુધી એને નિજસ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી એને એ યંત્ર ફેરવ્યા
જ કરશે ! ૩૧૦૨ જગત તો બહુ મોટું, વિશાળ સમજવા જેવું છે. જગતમાં બીજું
કિશું બન્યું જ નથી ! એનાં એ જ છ તત્ત્વોની આ બધી
ઘાલમેલ છે ! ૩૧૦૩ જગતમાં કેટલા બધા વિકલ્પો ?! વિકલ્પોની કોઈ લિમિટ
ખરી ? જગતમાં કોઈ વસ્તુ એવી નથી કે જે “અનલિમિટેડ
હોય ! ‘લિમિટ' ના હોય તો મોક્ષ સુધી પહોંચાય જ શી રીતે ? ૩૧૦૪ બ્રહ્માંડ છ તત્ત્વો માત્રથી ભરેલું છે ! આ છ ભાગીદારોની
‘લિમિટેડ કંપની' છે. (૧) ધંધા માટેની જગ્યા આપનાર અવકાશ” ક્ષેત્ર. (૨) ધંધા માટે માલસામાન આપનાર પુદ્ગલ'. (૩) માલસામાન લાવવા, લઈ જનાર - “ગતિ સહાયક તત્ત્વ'. (૪) માલની વ્યવસ્થાનું કામ કરનાર - ‘સ્થિતિ સહાયક તત્વ'. (૫) ઉપરના ચારેયનો નિકાલ કરનાર - ‘કાળતત્ત્વ.” (૬) દેખભાળ કરનાર - “શુદ્ધાત્મા' -
જ્ઞાતા-દ્રષ્ટા'. ૩૧૦૫ આ છ તત્ત્વોની ભાગીદારીની લિમિટેડ કંપની છે. બધાનું
જોખમ મર્યાદિત છે. છઠ્ઠો ભાગીદાર, આત્મા એ લાગણીપ્રધાન (ચેતનવંત) છે. તે બધા ઉપર ધ્યાન રાખે છે. પણ તે બોલે એટલે બીજા ભાગીદારો કહે, ‘તું ભાગીદાર છે, પણ સરખે ભાગે છે. બીજા ભાગીદારો વઢે છે શું કામ ? દેખભાળ રાખવાને બદલે તું આખી દુકાન લઈને બેઠો છે. “મારું મારું” કરે છે ! એટલે બાકીના પાંચેય ભાગીદારોએ પડી રહેવા માંડ્યું ! આ રૂપક હળવા ભાવે આપ્યું છે. દરેક જણમાં છ ભાગીદારો છે. લોકમાં પણ છ દ્રવ્યો છે. ભાગીદારોની વઢવાડને કારણે ચિંતા છે. જો છઠ્ઠો ભાગીદાર માત્ર જ્ઞાતાદ્રણ જ રહે તો બાકીના પાંચેય સરખી રીતે કામ કરે.
દેખભાળ જ કર્યે રાખે તો બધું બરાબર થાય. ૩૧૦૬ જાગૃતિને અમુક જગ્યાએ નક્કી કરવું, એનું નામ ઉપયોગ.
શુદ્ધ ઉપયોગ” કોને કહેવાય છે કે જે શુદ્ધ આત્માને અંગે જ
ઉપયોગ ગોઠવો તે ! ૩૧૦૭ ઉપયોગ એ ચંચળ ભાગની વસ્તુ નથી, પણ યોગ બધો ય
ચંચળ ભાગ છે. છતાં, ઉપયોગ સંપૂર્ણ અચળ પણ નથી, પણ તે કારણ સ્વરૂપે અચળ હોવાથી ચંચળતા ઉપયોગને વિશે
કહી શકાય. ૩૧૦૮ આત્માના ગુણો બધા “અગુરુલઘુ સ્વભાવના છે. વધે નહીં
Page #167
--------------------------------------------------------------------------
________________
ને ઘટે પણ નહીં. ક્રોધ-માન-માયા-લોભ તો વધે-ઘટે એવાં સ્વભાવનાં છે. આત્માને પરમાનંદ નામનો ગુણ છે. એ જરાય વધે નહીં, ઘટે નહીં ! જ્ઞાન નામનો ગુણ. દર્શન નામનો
ગુણ......... એ વધે નહીં ને ઘટે પણ નહીં ! ૩૧૦૯ આત્મા સંકલ્પ-વિકલ્પ કરી શકે જ નહીં. કારણ કે આત્મા
નિર્વિકલ્પ છે ! ૩૧૧૦ જ્યારે દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે ત્યારે આત્મજ્ઞાની કહેવાય અને જ્ઞાન
જ્ઞાતાની મહીં પડી જાય એટલે નિર્વિકલ્પ થઈ ગયો ! ૩૧૧૧ જેને ઉદયકર્મનો ગર્વરસ ગયો, તેણે આત્મા પ્રાપ્ત કર્યો
કહેવાય. આત્માએ તતૂપ થઈ કલ્પેલું ક્યારે ઊગી નીકળશે,
તે કહેવાય નહીં. ૩૧૧૨ દેહમાંથી સ્પંદન થયેલાં, વાણીમાંથી સ્પંદન થયેલાં અને
મનમાં કલ્પેલા એકે ય પરમાણુમાં જો ઉપયોગ રાખ્યો તો
માર્યો ગયો સમજજે ! ને કેટલાંય ભવ રખડવું પડશે ! ૩૧૧૩ અહંકાર એ કલ્પના સ્વરૂપ નથી, હકીકત સ્વરૂપ છે ! ૩૧૧૪ જ્યાં કષાય છે ત્યાં સમાધિ નથી. જ્યાં સમાધિ છે ત્યાં કષાય
નથી. આખું જગત કષાયને આધીન છે, પોતે પોતાને આધીન નથી. પોતાને આધીન હોત તો આવું કરે નહીં. કષાય કેમ ઊભા થયા? અજ્ઞાનતાને લઈને ! અજ્ઞાનતા કેમ ઊભી
થઈ ? સંજોગોના દબાણથી ! ૩૧૧૫ કષાયને આધીન છે એટલે પરાધીન છે. જીવવાનું ય પરાધીન
છે ને મરવાનું ય પરાધીન છે !ને પોતે પોતાની જાતને એમ
માને છે કે હું સ્વાધીન છું, સ્વતંત્ર છું !” ૩૧૧૬ આ દુનિયામાં તમારે એક શોધખોળ કરવાની કે, “આ
દુનિયામાં મારો જન્મ થયો તો મારી શક્તિ કેટલી ?! અને
મારી કઈ શક્તિ છે ને કઈ શક્તિ નથી?” એ બેઉને જાણવું
તો જોઈએ ને ? ૩૧૧૭ આ પ્રેમમય માર્ગ છે. જગતમાં કોઈ ઉપર તિરસ્કાર ના આવે
તે પરમાત્મા થઈ શકે ! ૩૧૧૮ સવળી અનુમોદના કરી હોય તો મોક્ષે લઈ જાય ને અવળી
અનુમોદના ભટકાવી મારે ! ૩૧૧૯ “જ્ઞાની પુરુષ'નું વચનબળ તો સંસારનો આડો પ્રતિબંધ તોડી
નાખે ! ૩૧૨૦ વર્તનને અને જ્ઞાનને કંઈ લેવા-દેવા નથી. જ્ઞાન જ્ઞાનના
સ્વભાવમાં ને વર્તન પુદ્ગલનું છે ! વર્તન શુભ હોય કે અશુભ
હોય, શુદ્ધ ના હોય. ૩૧૨૧ સંયોગ માત્ર અવસ્તુ કહેવાય. વસ્તુ સનાતન હોય અને
સંયોગ ક્ષણિક હોય. સંયોગ થાય એ અવસ્તુ કહેવાય. ૩૧૨૨ આત્મા વૃત્તિઓને શું કહે છે ? હે ચંદુભાઈ ! તમારે જો તમારું
કરવું હોય તો હું છું જ. અને જો તમારે મારી જોડે એકતા કરવી હોય તો જે જોઈતું હોય તે મળશે, કાયમનું સુખ મળશે. અને એકતા ના કરવી હોય તો તમારું સુખ ખોળો,
બહારથી. ૩૧૨૩ ચિત્તવૃત્તિઓ જે બહાર ભટકતી હતી, તે પોતાના ઘર ભણી
વળી ત્યારથી જ જાણવું કે મુક્તિના બેન્ડ-વાજાં વાગ્યાં. ચિત્તવૃત્તિના બંધનથી મુક્તિ થવી, એનું નામ જ સંસારથી મુક્તિ થવી. ચિત્તવૃત્તિ એકલી જ બંધાયેલી છે. આ ચિત્ત
લપટું પડી ગયું છે ! ૩૧૨૪ વૃતિઓને જેટલું ભટકવું હોય તેટલું ભટકે. પણ પાછું તે ય
સ્વતંત્ર નથી. છેવટે એ ય પરતંત્ર છે. છેવટે પાછું “અહીં
Page #168
--------------------------------------------------------------------------
________________
આત્મા ભણી આવ્યે જ છૂટકો છે !
૩૧૨૫ ચિત્ત એકાગ્ર થાય એટલે આનંદ આવે.
૩૧૨૬ ‘જ્ઞાની’નું ચિત્ત આખો દહાડો આત્મામાં જ હોય, સાપ જેમ મુરલીના તાનમાં હોય તેમ ! પછી વ્યગ્રતા થાય જ નહીં ને ! ૩૧૨૭ આ તમને ‘શુદ્ધાત્મા’ ‘અમે’ આપ્યો છે તે ‘ફર્સ્ટ સ્ટેપ’ છે. એની આગળ તો ઘણું છે. પછી શુદ્ધાત્માનું સ્વરૂપ એના ગુણ સાથે પ્રગટ થાય !
૩૧૨૮ ચિત્તનાં ‘રીવોલ્યુશન’ દરેકનાં જુદાં જુદાં હોય. કોઈનાં એક મિનિટનાં ત્રણ હજાર હોય, તો કોઈના એક મિનિટનાં પચાસ હોય ! ચિત્તનું કામ લેવું હોય તો સામા જોડે ‘કાઉન્ટર પુલી’ જોડવી પડે !
૩૧૨૯ સંસારી ચિત્ત એ અશુદ્ધ ચિત્ત કહેવાય. અશુદ્ધ ચિત્ત એ મિશ્ર ચેતન છે. શુદ્ધ ચિત્ત થાય છે તે શુદ્ધ ચેતન છે.
૩૧૩૦ અવસ્થાઓને જ નિત્ય માને એ અશુદ્ધ ચિત્ત. અવસ્થાઓમાં જ પ્રવર્તના કરે એ અશુદ્ધ ચિત્ત અને વસ્તુમાં રમણતા કરે એ શુદ્ધ ચિત્ત.
૩૧૩૧ સચિત્ત એટલે જ્ઞાન. અસચિત્ત એટલે અજ્ઞાન. ૩૧૩૨ અસચિત્ત કોને કહેવાય ? પુદ્ગલપક્ષી ચિત્ત એ અસચિત્ત કહેવાય અને આત્મપક્ષી, સ્વપક્ષી થયું એટલે સચિનંદ થયું !
૩૧૩૩ લોકસંજ્ઞાથી ચાલે તો નર્યું દુઃખ જ છે ને ‘જ્ઞાની’ની સંજ્ઞાથી ચાલે તો નર્યું સુખ, સુખ ને સુખ જ છે. લોકસંજ્ઞા એટલે લોકોએ જેમાં સુખ માન્યું, ભૌતિક વસ્તુઓમાં સુખ માન્યું, તેમાં આપણે પણ સુખ માન્યું તે. અને આત્મામાં જ સુખ છે એમ માનવું એ ‘જ્ઞાની’ની સંજ્ઞા !
૩૧૩૪ ચિત્તને સનાતન વસ્તુમાં રાખવાનું છે. સ્વરૂપમાં રાખવાનું છે. જપ, તપ, ધ્યાન, યોગ, મંત્ર એ સનાતન વસ્તુ નથી. એ બધું ‘ટેમ્પરરી એડજસ્ટમેન્ટ' છે. કોઈ વસ્તુ સનાતન નથી. આત્મા એકલો જ સનાતન છે. એમાં જો ચિત્ત બેસી ગયું, પછી એ ભટકે નહીં ! ત્યારે મુક્તિ થાય !
૩૧૩૫ ચિત્ત સનાતન વસ્તુમાં મળી ગયું એટલે થઈ ગયું શુદ્ધ ચિત્ત ! એટલે વિદેહી થઈ ગયો ! એટલે મુક્તિ થઈ ગઈ !
૩૧૩૬ અશુદ્ધ ચિત્તના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાથી એ ઊડી જાય ! જ્ઞાતાદ્રષ્ટા રહો તો એની મેળે ઊડી જાય ને નહીં તો પ્રતિક્રમણ કરવું પડે !
૩૧૩૭ ચિત્તને દરેક કામમાં હાજર રાખવું. એના જેવું કોઈ ધ્યાન નથી.
૩૧૩૮ ચિત્ત તો આ શરીરનું માલિક છે. એને કેમ ગેરહાજર
રખાય ?!
૩૧૩૯ ચિત્તને બધે હાજર રાખવું જોઈએ. ‘પ્રેઝન્ટ’ રાખવું પડે. ખાવામાં-પીવામાં, સંડાસમાં બધેય ચિત્ત હાજર રહેવું જોઈએ.
૩૧૪૦ ‘અમારે’ ચિત્ત જરાય આઘુંપાછું ના થાય. જ્યાં છે ત્યાં જ બધું રાખો. રાજા યે ત્યાં ને લશ્કરે ય ત્યાં ! અમારી જોડે બેસો તો તમારું લશ્કરે ય એવું થઈ જાય !
૩૧૪૧ આ કાળમાં જીવો ઘણાં ખરાં એવાં છે તે તિર્યંચના ‘સ્ટેશને 'થી આવ્યા છે ને ‘રીટર્ન ટિકિટ' લઈને આવ્યા છે !
૩૧૪૨ ‘અમે’ જ્ઞાન આપીએ છીએ ત્યારે ચિત્ત શુદ્ધ કરી આપીએ છીએ ! પાપનો નાશ કરીએ છીએ અને દિવ્યચક્ષુ આપીએ છીએ, બધી રીતે એના આત્મા ને અનાત્માને છૂટા પાડીએ છીએ !!!
Page #169
--------------------------------------------------------------------------
________________
૩૧૪૩ ‘જ્ઞાની પુરુષ’ પાસે બેસી બેસીને બુદ્ધિ સમ્યક્ થઈ જાય તો એ બુદ્ધિ મોક્ષે જવા દે.
૩૧૪૪ જેવો જેનો ‘ઈગોઈઝમ’ તેવી તેની બુદ્ધિ. કોઈનો ‘ઈગોઈઝમ’ મોળો હોય તો બુદ્ધિ તેની ખૂબ ‘લાઈટ’ મારે ને જેનો અહંકાર કડક હોય તેની બુદ્ધિ અવળી કામ કરે.
૩૧૪૫ અહંકાર એટલે સુધી ‘ડેવલપ’ થઈ શકે છે કે પરમાત્મા ને અહંકારમાં એક અંશનો જ ફેર રહે ! ‘ક્રમિક માર્ગ’માં અહંકાર ‘ડેવલપ' કરતો કરતો જાય.
૩૧૪૬ ‘આ માણસ સારો છે' કહે છે તે શું છે ? સારો એટલે એનો
‘ઈગોઈઝમ’ ‘ડેવલપ્ડ’ છે ! ‘ઈગોઈઝમ’ ‘ડેવલપ’ કરવો એ જ ‘ક્રમિક માર્ગ’.
૩૧૪૭ ‘ઈગોઈઝમ’ પૂર્ણ ‘ડેવલપ’ થાય, એનું નામ જ ભગવાન ! ૩૧૪૮ ધર્મમાં આટલું જ કરવાનું છે ! ઈગોઈઝમને ‘ઓર્નામેન્ટલ’ (શોભાનો) કરવાનો છે. ઘરેણાં જેવો અહંકાર કેવો સરસ લાગે !
૩૧૪૯ ‘અક્રમ માર્ગ’ તો ‘આઉટ ઓફ ઈગોઈઝમ’(અહંકારથી ૫૨) છે ! આ માર્ગ જ જુદો છે !
૩૧૫૦ ‘ઈગોઈઝમ’ એટલે મિશ્ર ચેતન. એમાં ખરેખર ચેતન જરાય
વપરાતું નથી, માત્ર ‘રોંગ બિલિફ’થી ચેતન વપરાય છે. જગતમાં જે જે માનવામાં આવે છે તે બધી જ ‘રોંગ બિલિફો’ છે !
૩૧૫૧ બધી વસ્તુઓ પર વહેમ પડ્યો છે, પણ અહંકાર પર કોઈ દહાડો ય વહેમ પડ્યો નથી ! ‘હું ચંદુભાઈ છું' એના પર વહેમ પડ્યો એટલે અહંકાર પર વહેમ પડ્યો કહેવાય. ૩૧૫૨ ‘સ્વરૂપ જ્ઞાન' થયા પછી અહંકાર ખસી ગયો. અહંકાર
પોતાના સ્વરૂપમાં લીન થઈ ગયો. હવે, પૌદ્ગલિક અહંકાર, જેને ‘ડ્રામેટિક’ અહંકાર કહે છે એ રહ્યો. એ બધું કાર્ય કર્યા જ કરે ! પૌદ્ગલિક અહંકાર સિવાય કોઈ કાર્ય થાય એવું જ નથી. કાર્ય થવામાં અહંકાર એ ‘વન ઓફ ધી એવિડન્સ’ છે પણ એવો કોઈ કાયદો નથી કે જીવતો જ અહંકાર જોઈએ. ૩૧૫૩ ‘સ્વરૂપ જ્ઞાન' મળ્યા પછી કષાયો નિર્જીવ થઈ જાય. નિર્જીવ આપણને દુઃખ ના દે, પણ ‘પોતાનાં’ સુખને આંતરે, જ્યાં સુધી તેનું અસ્તિપણું છે ત્યાં સુધી.
૩૧૫૪ ક્રોધ-માન-માયા-લોભ નિર્જીવ હોય ત્યારે ખરેખર તે ક્રોધમાન-માયા-લોભ કહેવાતાં નથી. પણ જગતને ઓળખવા માટે તો તેમ કહેવું પડે.
૩૧૫૫ આખા જગતને સજીવ ક્રોધ-માન-માયા-લોભ હોય. કષાયોનું જ સામ્રાજ્ય ચાલે છે. આત્માને તો ક્યાંય છેટે ભંડારિયામાં પૂરી રાખેલો છે ! પણ વેદના આત્મા સુધી પહોંચે છે, નિર્વેદને વેદના પહોંચે છે ! એ ય અજાયબી છે ને ! પણ આમાં આત્મા કશું જ ભોગવતો નથી.
૩૧૫૬ આત્મા પોતે જ સુખનો કંદ છે. એને દુઃખ હોય નહીં ને અડેય નહીં. સુખ કોણ ભોગવે છે ? અહંકાર. દુઃખ કોણ ભોગવે
છે ? અહંકાર. લોભ કોણ કરે છે ? અહંકાર. ખોટ કોણ ભોગવે છે ? અહંકાર. શાદી કોણ કરે છે ? અહંકાર. (વિધુર) વિધવા કોણ થાય છે ? અહંકાર. આ બધું જ અહંકાર ભોગવે છે !
૩૧૫૭ બહારના વ્યવહાર છે તે અજ્ઞાનમય પરિણામ જ છે ખાલી.
અજ્ઞાનમય પરિણામ એનું નામ ભોગવવાનું અને જ્ઞાનમય પરિણામમાં ભોગવવાનું છે નહીં. છે ચક્કર તો એનું એ જ ! સંસાર એ અજ્ઞાનમય પરિણામ છે ને આત્મા એ જ્ઞાનમય પરિણામ છે !
Page #170
--------------------------------------------------------------------------
________________
નિયમથી જ સામાને અસર થયા કરવાની. એ ઈગોઈઝમ' ઓગળી જ જવો જોઈએ.
૩૧૫૮ આવાગમન કોને છે ? આત્માને કે દેહને ? આવાગમન
અહંકારને જ છે. આવાગમનનો આધાર અહંકાર છે. એ નિરાધાર થયો કે વસ્તુ પડી જાય. જેનો અહંકાર ખલાસ થઈ
ગયો, તેનું આવાગમન બંધ થઈ ગયું ! ૩૧૫૯ “મેં કર્યું' કહ્યું એટલે આધાર અપાય ને આધાર આપો તો એ
કર્મફળ આપે. ‘મને વિચાર આવ્યો, હું વિચાર કરું છું એવું
બોલો કે ટેકો આપ્યો ! “અમે કોઈ ચીજના કર્તા ના હોઈએ. ૩૧૬૦ ઈગોલેસ(અહં શૂન્ય) કરવાની જરૂર નથી. આપણે કોણ
છીએ, એ જાણવાની જ જરૂર છે ! ૩૧૬૧ ઉપાય ના કરવો તે પણ અહંકાર છે ને ઉપાય કરવાના પ્રયત્નો
કરવા તે ય અહંકાર છે. “નિરુપાય ઉપાય' થાય તે થવા દેવા. સહજ ઉપાય થવા દેવા. “અમારે' સહેજાસહેજ ઉપાય થઈ
૩૧૬૬ આ સંસારમાર્ગ છે. એમાંથી આત્મા પસાર થઈ રહ્યો છે !
એની જ આ બધી અસરો છે. બીજું કશું જ નથી. અસર છે,
ઈફેક્ટ છે. ૩૧૬૭ આ તો બધી, દુનિયામાં ખાલી ઈફેર્સ (અસરો) જ છે.
દુનિયામાં દુઃખ જેવી વસ્તુ જ નથી. ખાલી “રોંગ બિલીફ છે. છતાં સામો સાચું માને છે, એ એમની દ્રષ્ટિ છે, પણ આપણને એની અસર ના થવી જોઈએ. આપણે ચોખ્ખા થઈ જવું જોઈએ. આપણે ચોખ્ખા થયા એટલે બીજું બધું ચોખ્ખું થયા
વગર રહેતું નથી. ૩૧૬૮ મેં મારા અનુભવથી જોયેલું છે. જ્યાં સુધી મને ઈફેક્ટો વર્તતી
હતી બધી, જ્યાં સુધી મને એવું પરિણામ હતું, ત્યાં સુધી સામાને દુઃખ હતું. પણ જ્યારે મારા મનમાંથી ગયું, શંકા ગઈ, તો બધું ગયું! એ આ પગથિયાં જોઈ, અનુભવ કરીને હું ચઢેલો છું. એટલે હું માર્ગ બતાવી શકે. આ બધાને હું ‘જ્ઞાન' આપું છું,
તે મારાં જોયેલાં પગથિયા ઉપર જ લઉં છું ! ૩૧૬૯ મારો “ઈફેક્ટિવ' શબ્દ જો સમજી જાય તો મોક્ષ થાય એવું
જાય.
૩૧૬૨ ‘અમારે’ ‘નિરુપાય ઉપાય' હોય. અમે ઉપેય ભાવને પામેલા
એટલે અમારે ઉપાય ના હોય, ને તમારે તો અમે જે દેખાડીએ
એ ઉપાય કરવાં પડે. ૩૧૬૩ જ્યારે કોઈ પણ ઉપાય કરવાનો બાકી ના રહ્યો હોય ત્યારે
‘ઉપેય’ પ્રાપ્ત થયું કહેવાય ! ૩૧૬૪ બીજાને દુઃખ થાય છે એ જે દેખાય છે, એ એનો
સેન્સિટિવનેસ'નો ગુણ છે, અને “સેન્સિટિવનેસ’ એ એનો એક જાતનો ઈગોઈઝમ' છે. એ “ઈગોઈઝમ' આપણામાં હોય ત્યાં સુધી સામાને દુઃખ થાય જ. એ “ઈગોઈઝમ' આપણને નહીં હોય, તે દહાડે દુઃખ જ નહીં હોય ! એ
ઈગોઈઝમ' ધીમે ધીમે ઓગળવો જોઈએ. ૩૧૬૫ પોતાના “ઈગોઈઝમ'નો ઉકેલ આવે એટલે સામાનો ઉકેલ
આવી જાય ! પણ પોતાનો “ઈગોઈઝમ' છે ત્યાં સુધી
૩૧૭૦ ક્રોધને દબાવ દબાવ કરવાથી ક્રોધ ના જાય. ક્રોધને ઓળખવો
પડે. ક્રોધ એ અહંકાર છે. અહંકારના ક્યા પ્રકારથી ક્રોધ થાય છે એની તપાસ કરવી જોઈએ. પ્યાલા ફૂટવાથી ક્રોધ થાય તો તેમાં નફા-નુકસાનનો અહંકાર છે, તેથી અહંકારને વિચારીને
નિર્મૂળ કરવો જોઈએ. ૩૧૭૧ “ઈગોઈઝમ' એ દર્શનને આંતરે છે. ૩૧૭૨ બુદ્ધિની મહીં અહંકાર ભળી જાય છે ને કાર્ય થઈ જાય છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
જેમાં અહંકાર છૂટો પડી જાય, તે કાર્ય જ ના થાય ! ૩૧૭૩ શેય વસ્તુઓ વીતરાગ છે, જ્ઞાતા ય વીતરાગ છે ને વચ્ચે
અહંકાર છે તે રાગ-દ્વેષ કરાવે છે. અહંકાર ઊડી ગયો એટલે શેય જોડે વીતરાગી ભાવ રાખવાનો, શેયને તરછોડ મારીએ તો એ પણ તરછોડ મારે. છતાં, મહીં પૌગલિક ભાવો
ખરાબ નીકળે તો પ્રતિક્રમણ કરવાનું તમારે કહેવું. ૩૧૭૪ મરનારાનો જે માલિક થાય તેણે મરવું પડે. મરનારાનો
માલિક નથી, તેને મરવું જ ના પડે. હું અમરપદ લઈને
આવેલો છું અને તમને પણ તે જ પદ આપું છું. ૩૧૭૫ આ અજાયબી છે સંસારમાં મોક્ષ દેખાવો તે અજાયબી છે.
અને આ અક્રમ માર્ગ દસ લાખ વર્ષે થયો છે ! અજાયબ માર્ગ છે ! ધી આશ્ચર્ય છે ! આખા “વર્લ્ડ'ના કલ્યાણ માટેનો આ માર્ગ છે. આખું વર્લ્ડ બળી રહ્યું છે “પેટ્રોલની અગ્નિથી, તે હવે તો સળગી ગયું છે ! એને માટે હું નિમિત્ત છું, છતાં ગુપ્ત રાખ્યું છે. અમે પલંગમાં સૂતા સૂતા બધું કરીએ. મજૂરો
મહેનત કરે ને “જ્ઞાની'ઓ ઘેર બેઠાં કરે ! ૩૧૭૬ સંસારમાં બીજું કંઈ જ કરવા જેવું નથી. ફક્ત “હું” “હું'ની
જગ્યાએ નથી, તેને જ પોતાની જગ્યાએ મૂકવાનું છે. મન મનની જગ્યાએ છે. બુદ્ધિ બુદ્ધિની જગ્યાએ છે. ચિત્ત ચિત્તની
જગ્યાએ છે. અહંકાર અહંકારની જગ્યાએ નથી. ૩૧૭૭ શુદ્ધાત્મામાં અહમ્ નથી આવતો. જ્યાં પોતે જ છે ત્યાં અહમ્
શેનો ? આરોપિત જગ્યાએ ‘' કહે, તે અહંકાર કહેવાય. ૩૧૭૮ ગર્વરસ ના લેવાય તેના માટે શું કરવું? “કરવાનું કશું નહીં,
આપણું “જ્ઞાન” જાણવાનું કે “ગર્વરસ ચાખનારા આપણે ન હોય; આપણે કોણ છીએ? એ જાણવું જોઈએ. એનું લક્ષ રાખવું પડે. એમાં કશું કરવાનું હોતું નથી. આપણું “જ્ઞાન” એવું
છે કે ગર્વરસ ચખાય નહીં અને વખતે થાય તો તરત પ્રતિક્રમણ કરે. પહેલાંના અભ્યાસથી વૃત્તિઓ ત્યાં વળી જાય
તો તરત ઉખેડી નાખે ને પ્રતિક્રમણ કરી ધોઈ નાખે. ૩૧૭૯ માનની આશા રાખે ને ત્યાં જ અપમાન થાય એટલે આશા
બધી તૂટી પડે, પછી ભાન થઈ જાય. એને અહંકારભન્ન કહેવાય. એ કેક હોય ! જેમ પ્રેમભગ્ન હોય તેમ
અહંકારભગ્ન હોય. ૩૧૮૦ આત્મા પોતે ‘પરમેનન્ટ' છે અને અનાત્મવિભાગમાં જે “ખોટી
માન્યતા' ધરાવનારો છે, “રોંગ બિલિફ’ ધરાવનારો જે અહંકાર છે તે પણ ‘પરમેનન્ટ' છે. અહંકાર ક્યાં સુધી પરમેનન્ટ છે? જ્યાં સુધી પોતાને પોતાનું ભાન ના થાય ત્યાં સુધી પરમેનન્ટ' છે, લાંબા કાળનું છે. પણ ખરેખર
પરમેનન્ટ' નથી. ૩૧૮૧ અહંકાર એ ચંચળ વસ્તુ છે, અચળ નથી. અચળ વસ્તુ તો,
જ્યાં અહંકાર નથી, કંઈ જ નથી ત્યાં છે. દરઅસલ પરમાત્મા જ છે ત્યાં ! આત્મા એ જ પરમાત્મા છે, એનું ભાન થવું
જોઈએ, એનું જ્ઞાન થવું જોઈએ. ૩૧૮૨ અઘરામાં અઘરી ચીજ આત્મજ્ઞાન છે. જે ચંચળ વિભાગનું
વર્ણન કરે છે તે બુદ્ધિગમ્ય વાત છે. બુદ્ધિગમ્યની એકુંય વાત મોક્ષમાં નહીં ચાલે. બુદ્ધિ પણ ચંચળ છે. એ અચળ થવા જ
ના દે. એક “જ્ઞાની પુરુષ' એકલાં જ “અબુધ” હોય. ૩૧૮૩ “આત્મા’ એ જ પોતાના નિજસ્વરૂપનું જ્ઞાન છે. એ “કેવળજ્ઞાન
સ્વરૂપ છે અને તેમાંથી “પ્રકાશ' ઉત્પન્ન થાય છે, એ બધો
પ્રકાશ સ્વયંપ્રકાશ છે. ૩૧૮૪ બે વસ્તુ કાયમની અલગ હતી, છે ને રહેશે. આ તો
‘બિલિફની જ ભાંજગડ છે ને ?? નથી ત્યાં હું માનીને બેઠો
Page #172
--------------------------------------------------------------------------
________________
એ જ ‘રોંગ બિલિફ'. ૩૧૮૫ વિશેષભાવમાં શું થયું? ‘હું કંઈક છું’ અને ‘આ બધું હું જાણું
છુંને “કરું છું' આ વિશેષભાવ થયો બસ. તેનાથી આ
સંસાર ઊભો થયો ! પછી લોકોનું જોઈ જોઈને કરવા માંડે. ૩૧૮૬ ક્રોધ-માન-માયા-લોભ એ કોના ગુણધર્મ છે ? આત્માના કે
જડના ? એ આત્માના ય ગુણધર્મ નથી ને પુગલના ય ગુણધર્મ નથી. તો એ આવ્યા ક્યાંથી ? આત્મા અને પુગલના ભેગા થવાથી વિશેષ ગુણધર્મ ઉત્પન્ન થયો, તે જ ક્રોધ-માન-માયા-લોભ છે. એને વ્યતિરેક ગુણો કહ્યા. આપણે સમજવું કે આ ક્રોધ-માન-માયા-લોભ મારા ય ગુણધર્મ નથી
ને પુદ્ગલના ય નથી. ૩૧૮૭ આ ક્રોધ-માન-માયા-લોભ એ વિશેષ ગુણો ક્યાં સુધી રહે
છે? જ્યાં સ્વરૂપની અજ્ઞાનતા તૂટે કે તરત વિશેષ ગુણ તૂટી
જાય. સ્વરૂપની અજ્ઞાનતા ક્યાં તૂટે? “જ્ઞાની પુરુષ' પાસે. ૩૧૮૮ આ વિશેષ ગુણથી જે પુગલ પહેલાં ચાર્જ થઈ ગયેલું, જે
પથરા ગરમ થઈ ગયા છે, તેને ચારિત્રમોહ કહે છે !
સ્વરૂપનું જ્ઞાન’ થાય એટલે કર્તા રહે નહીં, એટલે ડખલ રહે
નહીં ને ચારિત્રમોહનો નિકાલ થઈ જાય ! ૩૧૮૯ ભગવાને તો “આત્મા શું છે એટલું જ જાણવાનો મોહ રહ્યો.
તેને ય “સમ્યકત્વ મોહ' કહ્યો. ભગવાન, આ ય મોહ ? ‘હા,
આત્મા જાણ્યા સિવાય મોહ શી રીતે જાય ?” ૩૧૯૦ મોહ બે પ્રકારના : ‘દર્શનમોહ” ને “ચારિત્રમોહ.” ૩૧૯૧ દર્શનમોહ એટલે ‘હું ચંદુભાઈ જ છું’ એ નક્કી છે, એ જ
દર્શનમોહ. જ્યાં પોતે છે તે જાણતો નથી અને જ્યાં નથી ત્યાં આરોપ કરે છે એ ‘દર્શનમોહ'. ‘દર્શનમોહ” એટલે ઉઘાડી આંખે અંધો !
૩૧૯૨ ‘ચારિત્રમોહ’ એ પરિણામ છે. ‘સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ પછી
ચારિત્રમોહ રહે છે. ‘દર્શનમોહ’ જાય ત્યાર પછી જ ચારિત્રમોહ, “ચારિત્રમોહ' કહેવાય. ત્યાર પછી જ મોહના
બે ભાગ પડે. નહીં તો મોહ જ કહેવાય. ૩૧૯૩ ‘દર્શનમોહ' એટલે “ચાર્જ મોહ', ‘ચારિત્રમોહ' એટલે
ડિસ્ચાર્જ મોહ'. ૩૧૯૪ “સ્વરૂપ જ્ઞાન’ પછી રહ્યું શું ? “ચારિત્રમોહ' એકલો જ.
ચારિત્રમોહ'નો સમભાવે નિકાલ કરી નાખવાનો. ચારિત્રમોહને કાઢવાનો નથી. ‘જ્ઞાન' પહેલાં જે જે ભાવ કરેલાં, તેનો ઉદય
આવે તે ચારિત્રમોહ. ૩૧૯૫ ‘ચારિત્રમોહ' એટલે આ કાળે, આ ક્ષેત્રે આટલું આવીને છૂટી
જાય. ૩૧૯૬ ‘તું ચોપડી લખે છે' તે ય “ચારિત્રમોહ' છે. કારણ કે કોઈ
એ લઈ લે તો મોહ ઊભો થાય. ૩૧૯૭ દાન આપતો હોય તેને કહીએ, ‘તમે અક્કલ વગરનું ઊંધું
કામ કરો છો.' તો તે કહે કે “આ રહ્યું દાન-બાન' એ
‘ચારિત્રમોહ.' ૩૧૯૮ ક્રિયાનો વાંધો નથી, ક્રિયામાં મોહ છે તેનો વાંધો છે. જ્યાં
સુધી દર્શનમોહ છે ત્યાં સુધી જપ કરો, તપ કરો, દાન કરો,
એ બધો જ મોહ કહેવાય. ૩૧૯૯ બે પ્રકારની નિર્મળતાને ભગવાને મોક્ષનું કારણ કહ્યું. એક
દર્શન નિર્મળતા ને બીજું ચારિત્ર નિર્મળતા. દર્શનશુદ્ધિ પછી બહારના સંયોગો ઊભા થાય ને તેમાં તન્મયાકાર થાય તે
ચારિત્રમોહ ને જ્ઞાતા-દ્રષ્ટા રહે તો ચારિત્ર નિર્મળતા. ૩૨૦૦ “સ્વરૂપ જ્ઞાન’ પછી જે “ચારિત્રમોહ’ રહે છે એ ફરી
સંસારબીજ નાખે એવો નથી, પણ એ જ્યાં સુધી હોય ત્યાં
Page #173
--------------------------------------------------------------------------
________________
સુધી “સમાધિ સુખ' ઉત્પન ના થાય ! ૩૨૦૧ વીતરાગો એટલું જ કહીને થાક્યા કે “ચારિત્રમોહ'નો લટકેલો
હશે તો અમે ચલાવી લઈશું, પણ ‘દર્શનમોહ'નો લટકેલો ‘અહીં’ નહીં ચાલે ! “ચારિત્રમોહના લટકેલાના બે-ચાર અવતાર વધારે થાય, પણ ‘દર્શનમોહ'ના લટકેલાનું તો કશું
ઠેકાણું જ ના કહેવાય ! ૩૨૦૨ ‘દર્શનમોહ’ ‘જ્ઞાની પુરુષ'ના “જ્ઞાનથી જાય અને ‘ચારિત્રમોહ'
જ્ઞાની'ની ‘આજ્ઞા'થી જાય. ‘એટલે “અમે’ ‘જ્ઞાન' અને
આજ્ઞા' બેઉ આપીએ છીએ'! ૩૨૦૩ જ્ઞાની પુરુષની આજ્ઞા એ તો ભવોમાં જવા માટેની આડી
દીવાલ છે. ૩૨૦૪ દરેકને જે જે વસ્તુઓ ભેગી થાય છે તે તેના બુદ્ધિના આશય
મુજબ જ હોય છે. બુદ્ધિના આશયમાં હોય કે મને ઝૂંપડામાં જ ફાવશે, તો કરોડ રૂપિયા હોય તો પણ તેને ઝૂંપડા વગર
ગમે નહીં. એની એણે પ્રતિષ્ઠા કરી છે તેથી. ૩૨૦૫ ભાવ કરવો ના પડે. બુદ્ધિના આશય’ પ્રમાણે જ મહીં
સેટલમેન્ટ' થઈ ગયું હોય, તેમાં પોતે પ્રતિષ્ઠા કરીને પૂતળું
તૈયાર કરે છે. ૩૨૦૬ બુદ્ધિના આશયમાં ભરી લાવ્યો હોય કે “ચોરી કરીને જ
ચલાવવું છે, કાળા બજાર કરીને જ ચલાવવું છે. તે પછી ચોરી કરે તેમાં પછી પુણ્ય ભેગું થાય એટલે કોઈ એને પકડી ના શકે ને પાપ ભેગું થાય તો એમ ને એમ પકડાઈ જાય.
જે રીતે ભોગવવાની ઈચ્છા કરી હોય તેવું મળી આવે છે. ૩૨૦૭ આખી જિંદગી ભત્રીજા પાસે ચાકરી કરાવી ને મરતી વખતે
બધી મિલકત છોકરાંને આપી દીધી ! એ બુદ્ધિનો આશય !
૩૨૦૮ અમે બુદ્ધિના આશયમાં એવું લાવેલા કે આ છોકરાંની લપ
શું ને ભાંજગડ શી ? તેથી દાદાના છોકરાં મરી ગયાં, તે બુદ્ધિનો આશય એવો હતો તેથી. બુદ્ધિના આશયમાં ભણવું નહોતું, આત્મા ખોળી કાઢવો હતો, તે મેટ્રિકમાં નાપાસ થયા ! બુદ્ધિના આશયમાં નોકરી નહીં કરવાની ઇચ્છા, તે નોકરી ના
કરીને કંટ્રાક્ટનો ધંધો કર્યો ! ૩૨૦૯ અવશ્ય મોક્ષ પામવાનું સાધન જો આ જગતમાં હોય તો
સ્વચ્છંદ રોકવો એકલું છે. આ મોટામાં મોટું સાધન છે.
સ્વચ્છંદ એટલે પોતાના ડહાપણે મોક્ષ ખોળવો. ૩૨ ૧૦ આ સંસારરૂપી વૃક્ષ એ સ્વછંદના આધારે જ ઊભું છે. એનાં
કેટલાંય ડાળાં ને કેટલાંય પાંદડાં ફૂટે છે ! ૩૨ ૧૧ સ્વચ્છંદ રોકાય એનું નામ સંયમ. ૩૨ ૧૨ સ્વચ્છંદ એટલે અધિકરણ ક્રિયાને આધારરૂપ થવું તે અને
સ્વચ્છંદ નહીં તે અધિકરણ ક્રિયાને નિરાધાર કરવી તે તે
છંદ વગરની દશા ! ૩૨ ૧૩ એક સેકન્ડ પણ સ્વચ્છેદ કોઈનો છૂટે નહીં. ‘હું જ ચંદુભાઈ
છું, હું જ ચંદુભાઈ છું' છે ત્યાં સુધી સ્વચ્છંદ જાય જ નહીં. ૩૨ ૧૪ સ્વછંદ એટલે શું ? પોતે જજ, પોતે વકીલ ને પોતે જ
આરોપી ! ૩૨ ૧૫ પોતાનો સ્વચ્છેદ કોઈને ઓળખાય નહીં ને જેને તે ઓળખાય
એ “જ્ઞાની' કહેવાય. ૩૨૧૬ સમકિત એટલે ઊંધી સમજણ છૂટી જવી તે. સમકિત સમાધિ
કરાવડાવે, સ્વચ્છંદ રોકે. ૩૨૧૭ વઢનાર હશે તો માણસ મોક્ષે જશે. જો વઢનાર ના હોય તો
સ્વચ્છેદ વિહારી થાય. પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ એટલે જ
Page #174
--------------------------------------------------------------------------
________________
વઢનારો યોગ ! ૩૨૧૮ પૂછીને કરવાથી જે કહે તેની જોખમદારી, સ્વચ્છંદથી કરવામાં
પોતાની જોખમદારી. ૩૨૧૯ સંપૂર્ણ “સ્વ” થયા પછી છંદ રહેતો નથી, ને આરોપિત ભાવમાં
બધા છંદ ઊભા થાય છે. સ્વચ્છંદ રોકાય તે જ સંયમ
પરિણામ. ૩૨૨૦ ‘શુદ્ધાત્મા' સિવાય પુગલમાં અસ્તિત્વ જ નહીં, એનું નામ
સ્વચ્છંદ રોકાયો કહેવાય. કિંચિત્માત્ર પોતાનો છંદ ના હોવો
જોઈએ. ૩૨૨૧ સ્વચ્છેદનું મૂળિયું તો બધાને રહે જ. માટે ઠેઠ સુધી જાગૃત
રહેવાનું. કારણ કે સ્વચ્છંદનું ઝાડ થતાં કંઈ વરસ - બે વરસ
લાગે ? એ તો ક્ષણમાં મોટું થઈ જાય ! ૩૨૨૨ જેનું સ્વચ્છંદનું મૂળિયું ગયું, તે જ્ઞાની જ કહેવાય. સ્વચ્છંદનું
મૂળિયું શું કરે એ ખબર છે ? એ જેને આશરે રહ્યા હોય તેની આધીનતા તોડાવે. એ સ્વછંદનું મૂળ તો બહુ ભારે છે. એ જાય તો તો એ ‘જ્ઞાની' જ થઈ ગયો. એ છે ત્યાં સુધી ફૂલાં ના બેસે. ‘જ્ઞાની'માં ને તમારામાં એટલો જ ફેર છે. તમારું
સ્વચ્છેદરૂપી મૂળ ગયું નથી. ૩૨૨૩ સ્વચ્છંદ તો બહુ ભારે રોગ છે. એનું મૂળિયું જાણી લેવાનું
છે. જાણેલું હોય તો સારું પડે, નહીં તો એ રઝળાવી મારે ! ૩૨૨૪ મોક્ષમાર્ગ શરૂ થયો કોને કહેવાય ? જે મોક્ષસ્વરૂપ થઈ ગયા
છે એવાં જ્ઞાની પુરુષ'ની પાછળ ચાલવા માંડ્યું, એટલે મોક્ષમાર્ગ શરૂ થયો. એમની પાછળ ચાલવાનું નક્કી કર્યું કે વહેલે-મોડે એમની પાછળ જ હવે જવું છે એટલે મોક્ષમાર્ગ શરૂ થઈ ગયો. એની મુક્તિ અવશ્ય થવાની !
૩૨૨૫ સ્વચ્છેદ શું કરે કે અભેદ બુદ્ધિ ઉત્પન્ન થઈ હોય ત્યાં ભેદ
પાડી આપે. “આમ કરીશ તો જ મારી કિંમત રહેશે” એમ કરીને ભેદ પાડી આપે. કોઈ મારી જોડે રિસાયું હોય તો તે
શાથી રિસાય ? ભેદ પડે ત્યારે. આને જ માયા કહી. ૩૨૨૬ માયા એટલે પોતે જે છે તેને તે રીતે ના જાણવું ને બીજી રીતે
જાણવું તે ! ૩૨૨૭ ‘હું કોણ છું’ એ ના જાણવું ને ભટકાયા કરવું, એનું નામ
માયા ! ૩૨૨૮ બે પ્રકારનાં જ્ઞાન : એક માયાવી જ્ઞાન ને બીજું ચેતન શાન.
સાચું જ્ઞાન ચેતન જ્ઞાન કહેવાય. સાચું જ્ઞાન કોને કહેવાય કે જાયું એટલે તે પ્રમાણે પછી થયા જ કરે. આપણે કશું કરવું
ના પડે. ૩૨ ૨૯ માયા એટલે અજ્ઞાનતા. એ અજ્ઞાનતા જાય એટલે માયા જેવી
વસ્તુ જ નથી. બધી માયા ‘રિલેટિવ' છે. માયા વિનાશી છે અને “આપણે” અવિનાશી છીએ. એ કેટલાં દહાડા રહે? જ્યાં સુધી આપણને વિનાશી ચીજો ઉપર મોહ હોય ત્યાં સુધી ઊભી રહે. આપણને “સ્વરૂપનો મોહ ઉત્પન્ન થયો એટલે
ખલાસ થઈ ગયું ! ૩૨૩૦ આત્મા પ્રાપ્ત થયા પછી જ આત્મધર્મમાં આવી શકે. ૩૨૩૧ આત્માનો ધર્મ શો છે ? બધા ધર્મને જાણે તે. મન-બુદ્ધિ-ચિત્ત
દેહ - બધા શું કરી રહ્યાં છે તેને જાણ્યા કરે, એનું નામ આત્મા. બધાં પોતપોતાના ધર્મમાં છે ને ‘તમે' તમારા ધર્મમાં
રહો. ૩૨૩૨ આત્માનો ધર્મ શો છે કે જાણવું, જોવું અને પરમાનંદના
અનુભવમાં રહેવું.
Page #175
--------------------------------------------------------------------------
________________
૩૨૩૩ વીતરાગનો માર્ગ કોઈને “ઓસ્ટ્રકટ' (અંતરાય) કરવાનો
નથી, “એન્કરેજ' (પ્રોત્સાહિત) કરવાનો છે. જ્યાં “ઓસ્ટ્રકટ’
કરવાનું થાય ત્યાં ઉદાસીન રહો. ૩૨૩૪ વીતરાગોને વિરોધ ના હોય. જ્યાં વિરોધ હોય, મમત હોય,
ત્યાં વીતરાગ માર્ગ ના હોય. ૩૨૩૫ વીતરાગ માર્ગમાં તો ઊંચા થાસેય બોલવાનું ના હોય અને
મન તો જરાય બગડવું ના જોઈએ. ૩૨૩૬ દીક્ષા એટલે જ્ઞાનને જ્ઞાનમાં બેસાડવું અને અજ્ઞાનને
અજ્ઞાનમાં બેસાડવું તે. ‘જ્ઞાની પુરુષ' સિવાય આ દીક્ષા કોઈ
આપી શકે નહીં. ૩૨૩૭ આત્મદશા સાથે તે સાધુ. ૩૨૩૮ સાધુ કોને કહેવાય કે જેનાં ક્રોધ-માન-માયા-લોભ કંટ્રોલેબલ
(સંયમિત) હોય. એનાં ક્રોધ-માન-માયા-લોભ કોઈને ય
હરકત ના કરે એવાં હોય. ૩૨૩૯ લોકોને સીધા કરવાની જરૂર નથી, આપણે સીધા થવાની
જરૂર છે. સીધા થયા એ સાધુ. ૩૨૪૦ જ્યાં બાધકતા છે ત્યાં સાધુ નથી. સાધુ સાધક-બાધક ના હોય.
ખાલી સાધક એકલો જ હોય. ૩૨૪૧ પોતાના કષાયનો નિકાલ કરવો એ સાધુપણું. ૩૨૪૨ જે સંસારમાં રહે, બધી રીતે સંસારી છે, પણ સંસારના
ભાવમાં એટલે પરભાવમાં નથી, સ્વપરિણતિમાં છે તે સંન્યાસી. અગર તો સ્વપરિણતિની જેની શરૂઆત થઈ છે,
હજુ પૂર્ણાહુતિ નથી થઈ એ સંન્યાસી. ૩૨૪૩ સંન્યસ્ત કોને કહેવાય કે જે પરપરિણતિને ખસેડ ખસેડ કરે !
૩૨૪૪ પરપરિણામને ને સ્વપરિણામને સમજીને ચાલતાં હોય તે
સંન્યાસી કહેવાય. ૩૨૪૫ સંન્યાસી એટલે સંસારમાં મૂર્તિ દેખાય, પણ મૂર્તિરૂપે હોય
નહીં. ૩૨૪૬ જ્યાં ક્રોધ છે ત્યાં સંન્યાસ નથી, જ્યાં લોભ છે ત્યાં સંન્યાસ
નથી, જ્યાં અહંકાર છે ત્યાં સંન્યાસ નથી, જ્યાં કપટ છે ત્યાં સંન્યાસ નથી અને “જ્ઞાનથી સાચા સંન્યાસી થઈ શકાય તેમ
છે, સંસારમાં રહીને પણ ! ૩૨૪૭ આ ક્રોધ-માન-માયા-લોભની સૃષ્ટિ ક્યાં સુધી ઊભી રહી
છે? જ્યાં સુધી હું ચંદુભાઈ છું' એવી આપણી પ્રતિષ્ઠા કરેલી છે ત્યાં સુધી. હવે કોઈ અહીંથી આચાર્ય થયો તો પાછી “હું આચાર્ય છું'ની પ્રતિષ્ઠા થઈ !!! “હું શુદ્ધાત્મા છું'નું ભાન થાય, નિજસ્વરૂપમાં આવે ત્યારે આ બધી પ્રતિષ્ઠા તુટી જાય. ત્યારે જ ક્રોધ-માન-માયા-લોભ જાય. નહીં તો તેમને માર
માર કરે તો ય ના જાય. ઊલટાં વધ્યા કરે. ૩૨૪૮ ક્રોધ કોનું નામ કહેવાય ? જેની પાછળ હિંસકભાવ ને તાંતો
હોય. એક અપવાદ છે આમાં. માબાપ પોતાનાં છોકરાં જોડે ક્રોધ કરે તો તેની પાછળ હિંસકભાવ હોતો નથી, ખાલી તાંતો
જ હોય છે. તેથી તે પુણ્ય બાંધે છે. ૩૨૪૯ તાંતો એ અહંકારનો ગુણ છે ને હિંસકભાવ એ ક્રોધનો ગુણ
૩૨૫૦ ક્રોધમાં તાંતો ને હિંસકભાવ ના હોય તો તે ઉગ્રતા કહેવાય.
લોભમાં તાંતો ના હોય તો તે આકર્ષણ કહેવાય. ૩૨૫૧ અહંકાર વગરનાં જે ક્રોધ-માન-માયા-લોભ છે તે દુઃખ કરે
નહીં.
Page #176
--------------------------------------------------------------------------
________________
૩૨૫૨ તાંતો વેર વધાર્યા કરે અને તાંતો તૂટ્યો તો વેર ઘટે. ૩૨૫૩ જેનો તાંતો તૂટ્યો તેનો સંસાર બંધ ! પછી ભલેને સંસાર
ઊભો હોય !!! ૩૨૫૪ જ્યાં રાગ-દ્વેષ છે ત્યાં જગતની સ્મૃતિ છે. રાગ-દ્વેષ નિર્મૂળ
થયા તો જગતની વિસ્મૃતિ છે. ૩૨૫૫ જ્ઞાનમાં યાદગીરીની જરૂર નહીં. યાદગીરી એ પુદ્ગલ છે. ૩૨૫૬ આ જગતમાં કશું ય યાદ રાખવા જેવું નથી. આત્માની એટલી
બધી અનંત શક્તિઓ છે કે જે વખતે જે જરૂર પડશે, તે વખતે
વાત પૂછેને તો બહુ સુંદર નીકળશે. ૩૨૫૭ અજ્ઞાશક્તિ પાસે યાદશક્તિ છે ને પ્રજ્ઞાશક્તિ પાસે પ્રતિક્રમણ
શક્તિ છે. ૩૨૫૮ જે યાદ આવે છે તે પ્રતિક્રમણ કરાવવા માટે આવે છે. ૩૨૫૯ જ્યાં વીતરાગ ત્યાં સ્મૃતિ ના રહે. કેનેડા રોજ તમને યાદ
આવે છે ? ના. ૩૨૬૦ જગત વિસ્મૃત ક્યારે થાય ? સના ચરણમાં હોય તો.
અસત્ના ચરણમાં ક્યારેય પણ જગત વિસ્મૃત થાય નહીં. ૩૨૬૧ જ્ઞાન હાજર તો દુનિયા ગેરહાજર. જ્ઞાન ગેરહાજર તો દુનિયા
હાજર !!! ૩૨૬૨ આત્માના હેતુ માટે જગતને ભૂલવું, તેનું નામ સમકિત. ૩૨૬૩ ‘રિલેટિવ'ને જુએ-જાણે તે વીતરાગ ચારિત્ર. જુએ-જાણે છતાં
ય રાગ-દ્વેષ ના થાય. ૩૨૬૪ કષાય ગયા, એનું નામ ચારિત્ર કહેવાય, એને સમ્યક ચારિત્ર
કહેવાય. અને દરઅસલ ચારિત્ર તો જોવું ને જાણવું એને કહે
છે. સમ્યક ચારિત્ર હોય તો દરઅસલ ચારિત્ર આવે. લોકોને આ ચારિત્ર દેખાય નહીં. લોક તો બૈરી-છોકરાં ત્યાગ્યાં, એને
ચારિત્ર કહે છે. ૩૨૬૫ આ સુખ ક્યાંથી આવે છે ? વિષયોમાંથી, માનમાંથી,
લોભમાંથી... ક્યાંથી આવે છે ? એમાં કશામાંથી ના આવે
તો સમજવું કે આ સમકિત છે. ૩૨૬૬ જ્યાં ક્રોધ-માન-માયા-લોભ છે ત્યાં કશું જ જાણ્યું નથી, ત્યાં
બધી નિર્બળતાઓ જ છે. જાણ્યું તો તેનું નામ કે બધી
નિર્બળતાઓ જાય. ૩૨૬૭ આ દુનિયામાં એવી એકુંય જગ્યા નથી કે જ્યાં ક્રોધ કરવો
પડે. ક્રોધ કરવો એ તો ભીંતમાં માથું પછાડ્યા બરાબર છે.
અણસમજણથી ક્રોધ કરે છે. ૩૨૬૮ આ ક્રોધ-માન-માયા-લોભ કોણ કરાવે છે ? મહીં આ બધા
ભાવો થાય છે તે ‘ભાવક' કરાવડાવે છે. મહીં ભાવક છે,
ક્રોધક છે, લોભક છે, માનક છે. ૩૨૬૯ આત્મા ભાવ્ય છે, ભાવકો ભાવ કરાવડાવે છે. તેમાં જો
આત્મા ભળે તો ભાવકને ભાવ્ય એકાકાર થાય, તો યોનિમાં બીજ પડે ને એનાથી સંસાર ઊભો થાય છે. જો ભાવક ને
ભાવ્ય એકાકાર ના થાય તો સંસાર બંધ થઈ જાય. ૩૨૭૦ લોકો એમ માને છે કે આ બધા ભાવો આત્મા કરે છે, પણ
તેમ નથી. ભાવકો ભાવ કરાવડાવે છે. ૩૨૭૧ જગત ભાવક છે, “પોતે' ભાવ્ય છે. ભાવ્ય જો ભાવમાં
એકાકાર થાય તો ફસાય. “તું” પરમાત્મા છે, માટે ભાવને જાણ. જ્ઞાતા-દ્રષ્ટા રહ્યો તો ફસાઈશ નહીં. ભાવક ના હોય તો તું પરમાત્મા જ છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
૩૨૭૨ ભાવકો ભાવ કરાવડાવે છે. એને જો સાચા માન્યા એટલે એમાં પોતે ભળ્યો. એનાથી જ બીજ નંખાય છે.
૩૨૭૩ ભાવક કોણ છે ? પહેલાંની ગનેગારી છે.
૩૨૭૪ પોતાની પ્રતિષ્ઠા વધતી જાય તેમ તેમ ક્રોધ-માન-માયા-લોભ વધતાં જાય. મોટો પ્રતિષ્ઠિત પુરુષ સમાજમાં હોય એને માન વધે, ક્રોધ વધે, લોભ વધે. પોતાની પ્રતિષ્ઠા ઊઠે એટલે ક્રોધમાન-માયા-લોભની સૃષ્ટિ ઊઠી.
૩૨૭૫ વીતરાગોનું ‘વિજ્ઞાન’ કેવું હોવું જોઈએ ? નિષ્પક્ષપાતી હોવું જોઈએ. પક્ષપાત એ બધા જ ગચ્છમત છે.
૩૨૭૬ મોક્ષ એ કોઈ પક્ષમાં રહીને પ્રાપ્ત ના થાય. મોક્ષ અને પક્ષ વિરોધાભાસ છે.
૩૨૭૭ વીતરાગનો મત સાંપ્રદાયિક ના હોય. જ્યાં વીતરાગ છે ત્યાં સંપ્રદાય નથી. જ્યાં સંપ્રદાય છે ત્યાં વીતરાગ નથી. ૩૨૭૮ જ્યાં સુધી પક્ષપાત છે ત્યાં સુધી પૂર્ણતાના અંશમાં ય નથી ! પક્ષપાત છે ત્યાં કર્તા છે.
૩૨૭૯ પક્ષપાતથી આત્યંતિક કલ્યાણ ના થાય, પણ પાક્ષિક કલ્યાણ થાય !
૩૨૮૦ પાક્ષિક જ્ઞાન એ મોક્ષનું કારણ નથી. છેવટે તો નિષ્પક્ષપાતી જ્ઞાન જોઈશે.
૩૨૮૧ એક મિનિટ જ જો સંપૂર્ણ નિષ્પક્ષપાતી થાય તો તે ભગવાન થાય ! નિષ્પક્ષપાતી ગુણ એ તો વીતરાગતા છે.
૩૨૮૨ મોક્ષમાર્ગમાં, ‘તારું ખોટું છે' એવું ક્યારેય ના કહેવાય. ૩૨૮૩ પક્ષમાં પડવું એ રૌદ્રધ્યાનનું બીજ છે !
૩૨૮૪ મતભેદ એટલે અહંકારની હાજરી.
૩૨૮૫ પાયાનો મતભેદ હોય તો મન જુદાં પાડી નાખે. એકબીજાની અક્કલ ખોળવા જાય ત્યાં પાયાનો મતભેદ થાય. ત્યાં કાળજી રાખવી પડે.
૩૨૮૬ મત એટલે પોતાનો અભિપ્રાય.
૩૨૮૭ દ્રષ્ટિરાગ એટલે એને લાગ્યું કે આ જ જગ્યા સત્ય છે, આ ડિગ્રી સત્ય છે. એટલે ત્યાં આગળ એ ચોંટી રહ્યો છે. ત્યાંથી ખસતો નથી, તે.
૩૨૮૮ વીતરાગના માર્ગમાં મતભેદ ના હોય. મતભેદ છે ત્યાં વીતરાગનો માર્ગ ન હોય.
૩૨૮૯ સંસારમાં આડાઈ હોય તો ચાલી શકે, પણ ‘અહીં’ આડાઈ ના કરે તો કામ થાય. ‘અમે’ જાત્રાએ જઈએ તો બધે દર્શન કરવાનાં. પક્ષવાળા તો કહેશે, ‘અહીં નહીં, અમે તો જૈન એટલે વૈષ્ણવનાં દર્શને ના જવાય.’ એમ બધે આડાઈ કરેલી.
તે ભૂલ ધોવી તો પડશે ને ?! તેથી અમે રામના, કૃષ્ણના, જૈનના મંદિરમાં બધે દર્શન કરવા જઈએ.
૩૨૯૦ જ્યાં સ્વાભાવિકતા આવે ત્યાં વાડો હોય જ નહીં. વિભાવિકતા
હોય ત્યાં વાડા. સ્વાભાવિકતાથી સહજતા ઉત્પન્ન થાય. ઝાડપાન, ગાય-ભેંસ બધામાં ભગવાનનાં દર્શન કરો છો પછી કોઈની જોડે જુદી વાડોનું ક્યાં સ્થાન ? બધે જ ભગવાન દેખાય ત્યાં !
૩૨૯૧ આ દ્વૈતની આગળ લાખ માઈલ પર અદ્વૈતનું ‘સ્ટેશન’ આવે, ત્યાંથી લાખ માઈલ પર શબ્દનું ‘સ્ટેશન’ આવે. ત્યાંથી ઘણે દૂર નિઃશબ્દનું ‘સ્ટેશન’ આવે. ત્યાર પછી ત્રણ ‘સ્ટેશન’ આવે : (૧) સહજ પ્રતીતિનું મોટું ‘સ્ટેશન’ છે ત્યાં ! (૨) પછી
Page #178
--------------------------------------------------------------------------
________________
સહજ લક્ષનું ‘સ્ટેશન' ને (૩) છેલ્લે સહજ અનુભવનું
સ્ટેશન' છે ! આ બધાં વાડાની બહાર જ હોય. ૩૨૯૨ સંસારમાંથી મુક્તિ અપાવડાવે તે ગુરુ સાચાં. બાકી, બીજા
બધા ગુરુ તો ઘણાં ય હોય, તે શું કામના ? એ તો અહીંથી
સ્ટેશને' જવું હોય તો ય રસ્તાનો ગુરુ કરવો પડે. ૩૨૯૩ રસ્તો દેખાડનારની ક્યાં સુધી જરૂર ? દેખાડનારો “મામાની
પોળ'માં પેસી જાય ને આપણને એ દેખાડે કે હવે અહીંથી આ ‘લાઈન'માં છઠું ઘર છે, ત્યાં જા. એટલે પછી આપણે એ જ્ઞાનથી ત્યાં પહોંચી શકીએ. આપણે જે ધારણ કરેલું જ્ઞાન છે,
તેનાથી પછી પહોંચાય. ૩૨૯૪ જેનામાં ક્રોધ-માન-માયા-લોભ દેખાય નહીં, ‘હું' દેખાય નહીં,
ત્યાં વાત સાંભળજો. નહીં તો મોક્ષ થવાનો નથી. ૩૨૯૫ ગુરુ એટલે ભારે. આ સંસાર સમુદ્ર, એમાં વળી ગુરુ ભારે.
તેની પર પાછાં આપણે બેઠાં એટલે ડૂબું, સડસડાટ ! ૩૨૯૬ ગુરુકિલ્લી વગર ગુરુ શી રીતે થવાય ? “અમે જ્ઞાનીઓ'
ગુરુલ્લિી આપીએ. પછી ના ડૂબે. ૩૨૯૭ કિંચિત્માત્ર સ્વાર્થ ના હોય તો તેને તું ગુરુ કરજે. એવો મળ્યો
કોઈ ? ૩૨૯૮ જે શિષ્ય થાય તે જ પોતાનો ગુરુ થશે. માટે ચેતીને ચાલ.
ગુરુપણું કરી બેસશો નહીં. ૩૨૯૯ ગુરુની એક ખોડ કાઢે તો જ્ઞાન આવતું બંધ થઈ જાય. શિષ્ય
તો ગુરુનો પ્રશંસક હોય, ગુરુની પૂંઠે પૂંઠે ચાલ્યો જાય. ૩૩00 ગુરુ-શિષ્યનો ક્યારેય ભેદ ના ભૂલાય, તે તર્યો. એક ક્ષણ પણ
ભૂલ્યો કે હું શિષ્ય છું અને આ ગુરુ છેતે પડ્યો, ને જે ક્યારેય ના ભૂલ્યો કે હું શિષ્ય છું, તે તર્યો !
૩૩૦૧ જ્યાં “મારા’ છે એવું મનાયું ત્યાં કકળાટ. “મારા શિષ્યો’ કહ્યું,
ત્યાં કકળાટ હોય ! ૩૩૦૨ મૂર્તિના દર્શન કરે ત્યાં સુધી આપણું મૂર્તિપદ જાય નહીં.
અમૂર્તિના દર્શન કરે તો કામ થાય. ૩૩૦૩ અમૂર્ત આત્માને જોઈ શક્યા નથી, માટે આખું જગત મૂર્તિને
ભજે છે. મૂર્તિને ભજવાથી મોક્ષ ન મળે, અમૂર્તને ભજવાથી
મોક્ષ મળે. ૩૩૦૪ જ્યાં સુધી અમૂર્તનાં દર્શન થયાં નથી ત્યાં સુધી મૂર્તિનાં દર્શન
અવશ્ય કરવાં. મૂર્તિનાં દર્શન એ તો હિન્દુસ્તાનનું સાયન્સ છે.
મંદિર દેખે ત્યાંથી જ પગે લાગે. ૩૩૦૫ વિનાશી ભાગ મૂર્તિ છે. “નિશ્ચતન-ચેતન' છે. મૂર્તિ ભાગ એ
આત્મા નથી. આત્મા અમૂર્ત છે, મૂર્તિની મહીં રહેલો છે.
અમૂર્ત એ ‘રિયલ' છે, મૂર્ત એ તો ખોખાં છે. ૩૩૦૬ ચેતન દેખાય છે, પણ જેનો વિનાશ થઈ જવાનો છે એને જ
જગત ચેતન કહે છે. ખરેખર એ ચેતન નથી, “નિશ્ચતન
ચંતન' છે. ૩૩૦૭ અન્યને અન્ય જાણે એ મુક્ત. અન્યને અન્ય જાણે અને
‘સ્વ'ને ‘સ્વ' જાણે એ મહામુક્ત. ૩૩૦૮ જ્યારે અન્યને અન્ય જાણે, એ સમયે જો મન-વચન-કાયાનો
યોગ કંપાયમાન ના થાય તો એ “સ્વ’ને ‘વ’ જાણે અને જો
કંપાયમાન થાય તો “સ્વ'ને “સ્વ” જાણ્યું ના કહેવાય. ૩૩૦૯ જગતે માનેલો આત્મા, એ ‘મશીનરી’ આત્મા છે ને પાછો
ચંચળ છે. મૂળ આત્મા તો અચળ છે, એટલું સમજ્યા હોત
તો ય મોક્ષ થાત ! ૩૩૧૦ આત્મા જ્યારે તેના સ્વગુણને જાણે, સ્વ-સ્વરૂપને જાણે,
Page #179
--------------------------------------------------------------------------
________________
સ્વજ્ઞાનને જાણે ત્યારે ‘અઈફેક્ટિવ થાય ! ૩૩૧૧ આત્મા તેવો જ છે, પણ મન-વચન-કાયા ઇન્ફેક્ટિવ'
હોવાથી આ સંસાર ખડો થયો છે. આ વાત પહેલી વખત બહાર પડે છે. આ ઇફેક્ટિવ” ના હોય તો કશો વાંધો નહોતો
૩૩૧૨ આ મન-વચન-કાયાની ઈફેટ્સ’ એની મેળે થયા કરે છે,
પણ પોતે' અંદર “કોઝિઝ” કરે છે. આધાર આપે છે કે, “મેં કર્યું, હું બોલ્યો.” “ઈફેટ્સમાં કોઈને કરવાની જરૂર ના રહી. એ તો એની મેળે સહજ ભાવે “ઈફેક્ટ' થાય અને તેને આપણે” ટેકો આપીએ કે “કરું છું' એ ભ્રાંતિ છે અને તે જ છે તે “કોઝ' છે અને આ “કોઝનું “કોઝ' એટલે ‘રૂટ કોઝ'
અજ્ઞાનતા છે. ૩૩૧૩ જગત શું કહે છે? આત્માની ઈચ્છાથી આ બધું ઊભું થઈ
ગયું છે. આત્મા ઈચ્છાવાન હોય તો એની ઈચ્છા ક્યારેય
આથમે નહીં. ૩૩૧૪ આ જગત આખું વિજ્ઞાન જ છે ને ભગવાન એમાં વિચર્યા કરે
છે. જેમ એક વૈજ્ઞાનિક હોય ને એ થઈ રહેલા પ્રયોગને જોયા
કરે છે તેમ ભગવાનનું છે. ૩૩૧૫ આત્માનો અનંતગુણી સ્વભાવ હોવાથી આત્માને સ્પર્શ થવાથી
જ “ચાર્જ થઈ જાય છે. “હું ચંદુભાઈ છું' કહેતાં જ જબરજસ્ત ચાર્જ થયું. પછી ‘થિયરી ઓફ રિલેટિવિટી(સાપેક્ષવાદ)માં જ રહેવું પડે. આમાં આત્મા પોતે તો કંઈ જ કરતો નથી. એ તો બિલકુલ સ્થિર છે, છતાં મન
ચાલે છે. કારણ કે મન એ “ડિસ્ચાર્જ સ્વરૂપ છે. ૩૩૧૬ જેમ આ “બેટરી’ ‘પાવરથી ચાલે છે તેમ જ આ જગત
‘પાવર'થી ચાલી રહ્યું છે. એ પાવર ઊતરી જાય તો બંધ થઈ
જાય, પણ ઊતરતાં પહેલાં બીજો ‘પાવર' ઉમેરાય છે. ‘ચાર્જ
થાય ને “ડિસ્ચાર્જ થાય ! ૩૩૧૭ જગત ચલાવવા માટે આત્માને કશું જ કરવું પડતું નથી. આ
બધા “પ્રતિષ્ઠિત આત્માઓ'નાં જે પરિણામો છે તે મોટા કોમ્યુટર’માં જાય છે. પછી બીજા બધાં ‘એવિડન્સો ભેગા થઈને તે “કોમ્યુટર'ની મારફત બહાર પડે છે, તે રૂપકમાં આવે છે. એને “વ્યવસ્થિત' શક્તિ કહીએ છીએ. ઓન્લી
સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ! ૩૩૧૮ આત્મા તો શુદ્ધાત્મા જ છે. પણ આપણને જ્યાં સુધી રોંગ
બિલિફ હતી કે હું ચંદુભાઈ છું', લોકોએ તેમને કહ્યું કે તમે ચંદુભાઈ છો'. તે તમે એ માનીને જ કામ કરવા માંડ્યા. એટલે શું થયું ? આ મૂર્તિમાં “હું છું” એમ માની એની પ્રતિષ્ઠા કરો છો અને તેથી નવી મૂર્તિ ઘડાઈ રહી છે. એટલે પ્રતિષ્ઠિત આત્મા' ફરી પાછો પ્રતિષ્ઠિત થઈ રહ્યો છે. તે આવતાં ભવે ‘તમે' ને ‘પ્રતિષ્ઠિત આત્મા’ એ બે સાથે રહે.
સ્વરૂપ જ્ઞાન’ પછી નવો પ્રતિષ્ઠિત આત્મા’ બંધાતો નથી ને
જૂનો ‘એક્ઝોસ્ટ’ (ખલાસ) થયા કરે ! ૩૩૧૯ તમે “ફાઈલનો નિકાલ કરો. એ ફાઈલો ‘પ્રતિષ્ઠિત
આત્મા’ની છે. એ આપણી ગુનેગારી છે. કારણ કે “આપણે”
અજ્ઞાનભાવે આવું ઊભું કર્યું છે ! ૩૩૨૦ ભાવમનથી નવો પ્રતિષ્ઠિત આત્મા ઉત્પન્ન થાય છે, ને
દ્રવ્યમન એટલે “ડિસ્ચાર્જ થતો “પ્રતિષ્ઠિત આત્મા’. અહંકાર
હોય તો જ ચાર્જ થાય. ૩૩૨૧ ભાવમન એટલે અસ્તિત્વનું સ્થાપન કરવું. જ્યાં પોતે નથી
ત્યાં અસ્તિત્વનું સ્થાપન કરવું તે. ૩૩૨૨ આજે તો એવું છે કે “પ્રતિષ્ઠિત આત્મા’ મૂળ આત્માનો
Page #180
--------------------------------------------------------------------------
________________
પ્રતિનિધિ છે. એટલે “પ્રતિષ્ઠિત આત્મા’ દોષ કરે છે ને પહોંચે
છે મૂળ આત્માને ! ૩૩૨૩ શરીરમાં આત્મા કશું જ કરતો નથી. ખાલી પ્રકાશ જ ફેંકે છે.
તેમાં મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર તેના પ્રકાશમાં કામ કર્યા કરે
છે. આ “ચંદુભાઈ “કમ્પ્લીટ ડિસ્ચાર્જ છે ! ૩૩૨૪ આત્મા કેવો છે? આત્મા એટલો બધો સૂટમ છે કે આહાર તો
એને અડે નહીં, પણ વિષય પણ અડતો નથી. આ લોક કહે “મેં વિષય ભોગવ્યો.' એ બધી વાત જ ખોટી છે. ખાલી અહંકાર કર્યા કરે છે, તેથી જ સંસાર બંધ પડે છે. આત્મા વિષય ભોગવી શકે જ નહીં. આત્માનું એટલું બધું સૂક્ષ્મ સ્વરૂપ છે અને વિષયો એટલા બધા સ્થળ છે કે એ બેનો મેળ જ પડે નહીં. આ બધી
પોતે શુદ્ધ સ્વરૂપ થયા પછીની વાત છે ! ૩૩૨૫ ભગવાન કહે છે, “આત્માને અગ્નિ બાળી શકે નહીં, અગ્નિ
સ્થળ છે ને આત્મા સૂક્ષ્મ સ્વરૂપ છે. સૂક્ષ્મને ધૂળ બાળી શકે નહીં.”
૩૩૩૦ આ જગત જે છે તેને સત્ય માનવું છે તેમાં જ રમણતા કરવી
તે અશુદ્ધ ચિત્ત, અને આ જગતનું જે જ્ઞાન-દર્શન છે તે સાચું નથી એમ માનવું ને સાચી વસ્તુમાં રમણતા રાખવી, એનું
નામ શુદ્ધ ચિત્ત. શુદ્ધ ચિત્ત એ જ શુદ્ધાત્મા છે. ૩૩૩૧ અશુદ્ધ ચિત્તની ય જ્ઞાન-દર્શન શક્તિ હોય છે ! ૩૩૩૨ વિશેષ જ્ઞાન અને વિશેષ દર્શન એટલે અશુદ્ધ ચિત્ત. ૩૩૩૩ ચિત્તનો સ્વભાવ ભટક્યા જ કરવાનો. એમાં અહંકાર ભળે કે
ના ભળે તો ય ચિત્ત ભટક્યા કરે. ૩૩૩૪ ચિત્ત બીજી જગ્યાએ હોય તો ય સંસારી કાર્યો થાય એવાં છે.
કારણ કે સંસારની જોડે એનું અશુદ્ધ ચિત્ત રહેલું જ છે. ૩૩૩૫ જે ચિત્ત જ્ઞાતા-શેયને જુએ એ શુદ્ધ ચિત્ત. ૩૩૩૬ જ્ઞાન-દર્શન ભેગું કરે તે ચિત્ત. એ ચિત્ત જો કદિ પોતાના સ્વરૂપ
ભણી ના વળતાં બીજી બાજુ જુએ એટલે અશુદ્ધ થઈ જાય. અન્ય દ્રષ્ટિ થઈ કે અશુદ્ધ કહેવાય. પોતાના સ્વભાવ તરફ
જુએ તો શુદ્ધ કહેવાય. ૩૩૩૭ લોકોનાં ચિત્ત સંસારદ્રષ્ટિ તરફ જુએ છે. એટલે ક્રોધ-માન
માયા-લોભ બધાં ઊભાં થાય છે અને એમાંથી બહુ દુઃખ પડે છે, પણ એનો ઉપાય જડતો નથી. એટલે જ્યાં ઠંડક લાગે
ત્યાં રાગ કરે ને ગરમી થાય ત્યાં દ્વેષ કરે. ૩૩૩૮ વિચારો આવે, તે સંકલ્પ-વિકલ્પ ના કહેવાય. વિચારોમાં
તન્મયાકાર થવું, એનું નામ સંકલ્પ-વિકલ્પ. ૩૩૩૯ મન ગાંઠોનું બનેલું છે. મનમાં જે વિચારો આવે છે તે
મનગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. એ વિચારો આવે ત્યારે એનાથી છઠ્ઠો રહે, વિચારોમાં તન્મયાકાર ના થાય, તેનો જ્ઞાતા-દ્રષ્ટા રહે તો ‘ગ્રંથિભેદ' થયો કહેવાય. વિચારોમાં
૩૩૨૬ “જ્ઞાની પુરુષ' શુદ્ધ કરાવે નહીં ત્યાં સુધી શુદ્ધ શી રીતે થાય ?
જ્ઞાની પુરુષ” શુદ્ધ કરાવે પછી તમને ‘શુદ્ધ ઉપયોગ” ઉત્પન્ન
થાય ત્યારે શુદ્ધ કહેવાય. ૩૩૨૭ “સ્વરૂપ જ્ઞાન’ પછી સંપૂર્ણ ચિત્ત શુદ્ધિ થઈ. એનું નામ જ
કેવળજ્ઞાન'. ત્યાં સુધી “કેવળ દર્શન' કહેવાય ! ૩૩૨૮ વીતરાગોએ પોતાના સ્વરૂપની બહાર ગમે ત્યાં ચિત્ત જાય,
તેને પરિગ્રહ કહ્યો. આ પરિગ્રહ છૂટશે તો મોક્ષે જવાશે. ૩૩૨૯ અમે “સ્વરૂપ જ્ઞાન’ આપીએ છીએ ત્યારે એક સમય શુદ્ધ
ચિત્તને પામે છે. એક સમયની જ જરૂર છે. એક જ સમય જો શુદ્ધ ચિત્ત થઈ ગયું તો થઈ રહ્યું : “કેવળજ્ઞાન’ સુધી એ છોડે નહીં !!
Page #181
--------------------------------------------------------------------------
________________
પરમાત્મપદ પ્રાપ્ત થાય !
તન્મયાકાર થયો એટલે જેવો વિચાર આવે તેવું ધ્યાન ઉત્પન્ન
થાય. ૩૩૪૦ મનની ગાંઠોમાંથી વિચાર ફૂટે છે તો એને દોરનાર કોણ?
નેચર !” પણ તમારે એ સમજવું જોઈએ કે, “આ જ્ઞાન ખોટું છે, અહિતકારી છે. ત્યારથી એ જ્ઞાન જ ગાંઠોને છેદી નાખે. જ્ઞાન એકલો જ પ્રકાશ છે આ જગતમાં કે જે મનની ગાંઠોને
છેદી શકે. ૩૩૪૧ મનને આત્મામાં લીન કરવું એ મહાન ગુનો છે. પ્રેક્ષક ને
‘ફિલ્મ” બે એક થઈ ગયાં તો જુએ શું ? મન તો “ફિલ્મો' બતાવે, તેના આપણે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું. સૂક્ષ્મ, સૂક્ષ્મતર ને
સૂક્ષ્મતમ સંયોગોના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું. ૩૩૪૨ મન એ તો ગત આત્મા કહેવાય. ગયા માઈલનો આત્મા જુદો,
આ માઈલનો આત્મા જુદો ને આવતા માઈલનો જુદો ! ૩૩૪૩ જગત એ પ્રમેય છે અને આત્મા પ્રમાતા કહેવાય છે. આખા
બ્રહ્માંડમાં આત્મા પ્રકાશમાન થાય ત્યારે એ ખરો પ્રમાતા કહેવાય. પ્રમેય આખું બ્રહ્માંડ છે, લોકવિભાગ છે, અલક
વિભાગ નથી ! ૩૩૪૪ સ્વરૂપનું ભાન થતાં પહેલાં ‘પ્રતિષ્ઠિત આત્માને જ આપણે
જ્ઞાતા” માનતા હતા. “સ્વરૂપ જ્ઞાન” પછી એ “જ્ઞાતા” પોતે જ શેય થઈ જાય છે અને ત્યાં આગળ “જાગૃતિ' પોતે જ જ્ઞાતા” થાય છે. એટલે કે પહેલાં પ્રતિષ્ઠિત આત્મા' તરીકે ‘હું હતું તે હવે જાગૃતિ તરીકે “હું” થાય છે અને મૂળ આત્મા તો એની આગળ રહ્યો હજુ ! સંપૂર્ણ જાગૃત થયો એટલે મૂળ આત્મા'માં એકાકાર થઈ જાય છે. સંપૂર્ણ જાગૃત ના થાય ત્યાં સુધી જુદુ રહે. ત્યાં સુધી અંતરાત્મા તરીકે રહે. ત્યાં બહિર્મુખી પદ છૂટી ગયેલું હોય છે. અંતરાત્મદશા પૂરી થાય કે
૩૩૪૫ જાગૃતિનું પરિણામ સૂક્ષ્મતા લાવે, પણ સૂક્ષ્મતાથી હજુ બહુ
આગળ જવાનું. એ બધા કિલ્લા ઓળંગે ત્યારે આત્મા સ્વસંવેદનમાં આવે. સ્વસંવેદન વધતો વધતો જાય ને છેવટે
સ્પષ્ટવેદન ઉત્પન્ન થાય ! ૩૩૪૬ કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય એવું પોતાનું
અવ્યાબાધ સ્વરૂપ” છે, છતાં પોતે “સાપ છું' એવું માનીને આરોપિતભાવ કરી સામાને બચકું ભરે તો માણસ મરી જાય છે ! જુઓને, આ ય અજાયબી છે ને ! કારણ કે એની માન્યતા છે. એવું માને તેવી શક્તિ ઉત્પન્ન થાય. આને મારી જ નાખવો છે એવું નક્કી કર્યું હોય તો તેવું ઝેર મહીં પડી જાય, પણ જેવું માને એવી શક્તિ જો સ્વતંત્ર થઈ હોત તો બધું બહુ જાતજાતનું થઈ ગયું હોત, પણ વચ્ચે ‘નેચર’ આવે છે. આ શક્તિની સામે પાછી પ્રતિકાર શક્તિ “નેચરલી' થવાની. એટલે પ્રતિકારમાં પોતે ગૂંચાઈ જાય છે ! નહીં તો પોતાની ગજબની શક્તિઓ છે, અનંત શક્તિઓ છે પણ શક્તિ
વેડફાઈ રહી છે ! ૩૩૪૭ ભાવશક્તિ તો જબરજસ્ત શક્તિ છે, જગતમાં સમરથ દેખાડે
એવી શક્તિ છે. પણ સામું ‘નેચર’ ખરું ને ? સમરથ દેખાડવાની લીંક મળે નહીં ને? કો'કને જ લીંક મળે. કો'ક કો'ક માણસ ઠેઠ ઉપર જઈને કેવાં સરસ સરસ સમરથ દેખાડે
છે ! જેવાં કે, તીર્થકરો !!! ૩૩૪૮ સંસારી આત્મા પાસે ભાવના ભાવવા સિવાય બીજી કોઈ
શકિત નથી અને ભાવના ય પાછી સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સના આધારે ઉત્પન્ન થાય છે. પોતાની ઇચ્છા પ્રમાણે ભાવના ભાવી શકે તેમ નથી અને તે ય પાછું ભાવના એકલી જ કરવાની છૂટ છે. બીજું બધું
Page #182
--------------------------------------------------------------------------
________________
‘મિકેનિકલ’ છે. ‘મિકેનિકલ’માં હાથ ઘાલ્યો તો હાથ બળી જશે ! ભાવના એકલો જ પુરુષાર્થ છે !
૩૩૪૯ ભાવના કેવી થઈ રહી છે, તેના પરથી આપણે હિસાબ કાઢવાનો. ખરાબ ભાવના આવ્યા કરે છે, માટે સમજી જવાનું કે બગડવા કાળ આવ્યો છે. એટલે બહુ ત્યારે આપણી જાતને સમેટી લેવાનું. નિષ્પક્ષપાતીપણાનો ભાવ રાખે તો થાય. આમાં યે આપણા હાથમાં સંપૂર્ણ સત્તા તો નથી જ.
૩૩૫૦ ભાવના ને પ્રતિભાવના કરવાની સત્તા છે, પણ તે અમુક જ માણસોની શક્તિ હોય છે. પ્રતિભાવના કરવાથી શું થાય ? આજની ભાવનામાં ફેરફાર થતો નથી, પણ આવતો ભવ બગડતો નથી, ‘પ્રિન્ટ’ ભૂંસાઈ જાય છે. પણ આ ભવમાં તો એનું ફળ મળ્યા વગર રહેશે જ નહીં.
જ
૩૩૫૧ એક રાઈનો દાણો ય આઘોપાછો થઈ શકે એમ નથી માણસમાં, અને જ્યાં થઈ શકે તે એ જાણતો નથી ! રાઈનો દાણો આઘોપાછો કરવો છે એવો ભાવ કર્યો તો કો'ક દહાડો થશે. ભાવ જ ના કર્યો હોય તો શી રીતે થાય ?
અજ્ઞાનદશામાં ભાવ કરેલા, તેનું બધું ફળ આવ્યું. જ્ઞાનદશામાં
હવે ભાવ કરવાના નહીં. હવે તો સ્વભાવ કહેવાય. સ્વભાવ એ સ્વધર્મ, ને ભાવ એ પરધર્મ.
૩૩૫૨ આત્મા નિરાલંબ છે. બિલકુલ નિરાલંબ છે ! કોઈ ‘ટચ’ થાય નહીં એવો તમારામાં આત્મા છે ! ને આમનામાં ય એવો જ આત્મા છે ! ફાંસીએ ચઢાવે તો ય દેહ ફાંસીએ ચઢે, આત્મા ના ચઢે, દેહને વીંધે તો ય આત્મા ના વીંધાય. આત્મા જેને પ્રાપ્ત થઈ ગયો, એને પછી ભો ખરો કશો ?
૩૩૫૩ જગત અવલંબન વગર જીવી જ ના શકે. કંઈનું કંઈ અવલંબન જોઈએ. મનને ખોરાક જોઈએ. જે અવલંબનથી રહિત થયો એ છૂટો થયો.
૩૩૫૪ સત્ એ નિરાલંબ વસ્તુ છે. ત્યાં આગળ ‘અવલંબન’ લઈને ખોળવા જાય તો શી રીતે મળે ? એ તો એક ‘જ્ઞાની પુરુષ’નું અવલંબન લે તો કામ થાય. કારણ કે એ છેલ્લામાં છેલ્લું
સાધન છે ! આત્મા નિરાલંબ છે !
૩૩૫૫ આ જગતમાં એવું કોઈ કારણ નથી કે જેના માટે કિંચિત્માત્ર પણ ક્લેશ કરવા યોગ્ય હોય. કારણકે આત્મા સુખ પરિણામવાળો છે. એનું સુખ કોઈથી લઈ શકાય એવું નથી. પોતે ‘અવ્યાબાધ સ્વરૂપ' છે ! જાહોજલાલી છે પોતાની પાસે ! એટલે આ પરભારી વસ્તુમાં, ‘ફોરેન ડિપાર્ટમેન્ટ’માં ‘એટલું બધું’ ના રાખવું જોઈએ. ‘ફોરેન’ એટલે ‘ફોરેન’ - ‘સુપર ફ્લુઅસ' !
૩૩૫૬ આત્મા કેવો છે ? ‘અવ્યાબાધ’. જે કોઈને કિંચિત્માત્ર દુઃખ ન કરે ને કોઈનો આત્મા કોઈને કિંચિત્માત્ર દુઃખ ન દે એવો બધાનો આત્મા છે ! પણ માન્યતામાં કેટલો બધો ફરક ! કારણ કે અજ્ઞાન માન્યતાઓ છે. એ કેમ જાય ?
૩૩૫૭ ‘જ્ઞાની પુરુષ’ એવો આત્મા જાણ્યો છે કે જે કોઈને કિંચિત્ માત્ર દુઃખ ના દઈ શકે ! ‘અવ્યાબાધ સ્વરૂપ’ !!!
૩૩૫૮ શુદ્ધાત્મા પોતે સ્વભાવથી જ ‘અસંગ’ છે. પછી એને આપણે અસંગ કરવા ક્યાં જવાનું ?
૩૩૫૯ જેવો સંગ તેવો રંગ લાગે. આત્મા ‘અસંગ’ છે. તું ‘અસંગ’ છે તો તને રંગ અડતો નથી, ‘ચંદુભાઈ’ને અડે છે. ‘આપણે’ તો ‘જાણ્યા’ કરીએ !
૩૩૬૦ સ્પષ્ટ વેદન ક્યારે થાય ? સંસારી ‘સંગ’ - ‘પ્રસંગ’ ના થાય ત્યારે. સંસારી સંગનો વાંધો નથી, પ્રસંગનો વાંધો છે ! આ દેહનો સંગ જ ભારે પડી ગયો છે, તે પાછો પ્રસંગ કયા કરવાં જઈએ !
Page #183
--------------------------------------------------------------------------
________________
૩૩૬ ૧ છે પોતે અસંગ, ને પડ્યો છે સંગ-પ્રસંગમાં ! ૩૩૬૨ ક્રોધ-માન-માયા-લોભ પોતાના “ડિસ્ચાર્જ ભાવ'નાં ઊભાં થાય
તે સંગ, ને સામાના નિમિત્તે ઊભાં થાય તે પ્રસંગ ! ૩૩૬૩ ખરો સત્સંગ તે અસંગ-સત્સંગ. પૌદ્ગલિક સંગને કુસંગ કહે
૩૩૬૪ “જ્ઞાની પુરુષ' એટલે મૂર્તિમાન મોક્ષસ્વરૂપ કહેવાય !
મૂર્તિમાન મોક્ષ એટલે પરમ સત્ કહેવાય. પરમ સત્તા સંગમાં અમથા બેસી રહીએ, તો ય પરમ સસંગ છે ! એનું
ફળ મળ્યા જ કરે !!! ૩૩૬૫ તૃષ્ણા અનંત છે, મનુષ્યોના વિકલ્પો અસંખ્યાત છે. એમાં
મનુષ્યોનો મેળ શી રીતે ખાય ? ૩૩૬૬ લોકોને સંતોષ થાય છે, પણ તૃપ્તિ થતી નથી. સંતોષ શાથી
થાય છે ? એણે ઇચ્છા કરી હતી કે રસ-રોટલી ખાવા મળે તો ઠીક. તે મળે એટલે સંતોષ થાય, પણ તૃપ્તિ ના થાય.
તૃપ્તિ તો જ્ઞાનીને હોય. ૩૩૬૭ ફરી ભોગવવાની ઈચ્છા ના થાય, એનું નામ તૃપ્તિ. ૩૩૬૮ સંતોષ એ તો પરિણામ છે. પૂર્વે સંતપુરુષોનું સાંભળેલું હોય,
તેના પરિણામે સંતોષ ઉત્પન્ન થાય. ૩૩૬૯ સંતોષનો ખરો અર્થ જ સમતૃષ્ણા ! ૩૩૭૦ આશા નિરાશારૂપે સાંપડે એ આશા શા કામની ? ૩૩૭૧ ગાડી તને મળશે એવી આશા રાખ, પણ વખતે ગાડી ના મળી
તો આશા નહોતી એવું રાખ. ૩૩૭૨ સંસારની આશા રાખીએ, લાલચ રાખીએ, તો ય એનું એ જ
ફળ આવવાનું છે. આની શી લાલચો ?
૩૩૭૩ લાલચથી લપટાયો છે, તેનાથી જ સંસાર ઊભો છે ! આખું
જગત લાલચથી લપટાયું છે ! ૩૩૭૪ જેને લાલચ ના રહે, તે બ્રહ્માંડનો સ્વામી છે ! ૩૩૭૫ લાલચ દીનતા કરાવડાવે અને દીનતા થાય એટલે મનુષ્યપણું
ખોઈ બેસે ! ૩૩૭૬ લાલચ પેઠી કે પેઠું બધું. “કેવું સુંદર' કહ્યું કે વળગે ! ૩૩૭૭ આ દુનિયામાં છેતરાય કોણ ? લાલચુ ! જો લાલચુ ના હોય
તો તેને ભગવાન પણ છેતરી ના શકે. લાલચ ના હોય તો
જગત કલ્યાણ થાય. ૩૩૭૮ ભગવાને એક શરત મૂકેલી કે લાચાર ના થઈશ. ૩૩૭૯ લાચારીનું કારણ શું ? લાચારીનું કારણ અહંકાર છે. બહુ
અહંકાર થાય ત્યારે લાચારી અનુભવાય. ૩૩૮૦ ‘વાસ્તવિક' જાણ્યા સિવાય કોઈ માણસ સ્વતંત્ર થઈ શકે
નહીં. બાકી, જગત તો સ્વતંત્ર જ છે ! ૩૩૮૧ જીવમાત્ર સંપૂર્ણ સ્વતંત્ર છે. પોતાની અજ્ઞાનતાથી આ બધું
એને ભાસે છે. ૩૩૮૨ આ જગતમાં કોઈ જીવ કોઈ જીવને કિંચિત્માત્ર ડખલ કરી
શકે એમ છે જ નહીં. દરેક જીવ સંપૂર્ણ સ્વતંત્ર છે. ભગવાન
પણ ડખલ ના કરી શકે એટલી બધી સ્વતંત્રતા છે ! ૩૩૮૩ ગમે તેવી ‘ઈફેક્ટસ'માં, અસરોમાં હું મુક્ત જ છું' એવું રહ્યા
કરે એ જ સચ્ચી આઝાદી ! ૩૩૮૪ સંસાર અડે નહીં, એનું નામ મુક્તિ. સંસારની ઉપાધિ અડે
નહીં એ મુક્તિ. આખા જગતના તમામ જીવો મુક્તિ ઝંખે છે.
Page #184
--------------------------------------------------------------------------
________________
૩૩૮૫ આ જગતમાં કોઈ ચીજથી મુક્તિ નથી. શાસ્ત્રના જ્ઞાનથી
મુક્તિ નથી, ‘જ્ઞાનીના જ્ઞાનથી મુક્તિ છે. ૩૩૮૬ મોક્ષ એટલે સંપૂર્ણ મુક્ત ભાવ. ભાવનો જ્યાં અભાવ છે ત્યાં
મોક્ષ છે. ૩૩૮૭ મોક્ષ એટલે સનાતન સુખ. સર્વદુઃખોથી આત્યંતિક મુક્તિ ! ૩૩૮૮ અહંકાર ને મમતાનો મોક્ષ કરવાનો છે. તમારો તો મોક્ષ
થયેલો જ છે. તમારું સ્વરૂપ જ મોક્ષસ્વરૂપ છે. “ઈગોઈઝમ'
રૂપી ફાચર મોક્ષ નથી થવા દેતી. ૩૩૮૯ જે પરવશ કરે, તેનો સંગ કેમ કરાય ? ૩૩૯૦ આડા જોડે આડું થવું એ જગતનો સ્વભાવ છે. આડા જોડે
સીધા થવું એ “જ્ઞાની'ઓનો સ્વભાવ છે. ૩૩૯૧ આડાઈ ઊભી થઈ એટલે કદરૂપા દેખાય અને આડાઈ ગઈ
તો રૂપાળા દેખાય. ૩૩૯૨ જે લાઈન આપણી નહીં, જે આપણે જાણીએ નહીં તેનો તોલ
શી રીતે થાય? પોતાની બુદ્ધિથી ‘જ્ઞાની'ની વાણી ના સમજાય
તો સમજવું કે તેટલી આડાઈ પડેલી છે. ૩૩૯૩ નંગોડ માણસને આપણે નમીએ તો એ વધારે અક્કડ થાય,
અને નમ્રને નમીએ તો એ વધારે નમ્ર થાય. ૩૩૯૪ આડાઈ એ જ અજ્ઞાન. મોક્ષે જતાં આ મોટરો - બંગલા નથી
નડતા, પણ આડાઈ નડે છે. ૩૩૯૫ સીધો ને સરળ હશે તો મોક્ષે જશે ને આડો થશે તો રખડી
મરશે. જેટલો કૂણો એટલો મોક્ષને લાયક. એ ‘ડેવલપમેન્ટની નિશાની છે.
૩૩૯૬ સરળ એટલે જેવું સૂઝે એવું બોલે. ૩૩૯૭ સરળતા બે પ્રકારની : એક અજ્ઞાન સરળ ને બીજા જ્ઞાનથી
સરળ. અજ્ઞાન સરળ ભોળા હોય ને અજ્ઞાનતાથી છેતરાઈ
જાય. જ્ઞાન સરળ તો જાણીને છેતરાય ! ૩૩૯૮ બુદ્ધિપૂર્વકની નમ્રતા, બુદ્ધિપૂર્વકની સરળતા, બુદ્ધિપૂર્વકની
પવિત્રતા, આ બધા ગુણો હોય તો મોક્ષના દરવાજામાં પેસાય. આ બધા ગુણોનો સંગ્રહ હોય ત્યારે જ્ઞાની ભેગા થાય. ત્યાર
વગર “જ્ઞાની” ભેગા ના થાય. ૩૩૯૯ આ “વીતરાગ ભગવાન' પાછાં પોતાનો માર્ગ સાચો છે એવું
દબાણ ના કરે. ‘શાથી?” દબાણ કરે તો એમની વીતરાગતા તૂટી જાય. મોક્ષ નિરાગ્રહીનો છે, આગ્રહીનો નથી. વીતરાગ ભગવાન આગ્રહ ક્યારેય ના કરે. આગ્રહી એ પક્ષમાં પડે ને
પક્ષપાતીનો ક્યારેય મોક્ષ નથી ! ૩૪00 કોઈના સારા માટે આગ્રહ કરીએ, તો એ ખોટું ના કહેવાય,
પણ આપણા આગ્રહથી સામો આપણી સામે આગ્રહ કરે તો
આપણે છોડી દેવું. આગ્રહ એ ઝેર છે. ૩૪૦૧ આગ્રહ એ અહંકારનો ફોટો છે. સામાનો અહંકાર એના
આગ્રહથી સમજ પડે. ૩૪૦૨ ચડસે ચઢવું એટલે પોતાનું સ્થાન છોડીને નીચે પડવું. ૩૪૦૩ જ્ઞાનની વાતોથી કલ્યાણ નથી, નિરાગ્રહતાથી મોક્ષ છે. ૩૪૦૪ આત્મજ્ઞાનનાં લક્ષણ શાં? નિરાગ્રહી હોય, કોઈ પણ જાતના
આગ્રહ ના હોય. ૩૪૦૫ નિરાગ્રહીને કોઈ પણ ગ્રહ નડે નહીં. ૩૪૦૬ અમે નિરાગ્રહી છીએ એવો ય આગ્રહ નહીં, એનું નામ
Page #185
--------------------------------------------------------------------------
________________
સ્યાદ્વાદ ! ૩૪૦૭ નિરાગ્રહતા એ જ વીતરાગતા છે ! ૩૪૦૮ દોષો દેખાય તે સંસારની અધિકરણ ક્રિયા અને નિર્દોષ દેખાય
તે મોક્ષક્રિયા. ૩૪૦૯ અમે તમને ખુલ્લી રીતે કહીએ છીએ કે તમારી “બાઉન્ડ્રીમાં
કોઈને આંગળી ઘાલવાની શક્તિ નથી અને તમારી ભૂલ છે તો
ગમે તે આંગળી ઘાલી જશે. અરે, લાકડી પણ મારી જશે ! ૩૪૧૦ પોતાના દોષ દેખાય ત્યારથી તરવાનો ઉપાય હાથમાં આવી
ગયો ! ૩૪૧૧ મોક્ષે જનારો પોતાની ભૂલો જોયા કરે, ને પારકાંની ભૂલો
જોનારો સંસારમાં ભટક્યા કરે. ૩૪૧૨ ગુનેગારને દંડ કરવાનો અધિકાર છે, દ્વેષ રાખવાનો નથી. દંડ
એ તો જે ભાગ સડી ગયો હોય એ ભાગની મરામત છે. બાકી, એ તો આત્મા જ છે, પરમાત્મા જ છે ! બાય રિયલ
બુ પોઈન્ટ, હી ઈઝ શુદ્ધાત્મા. ૩૪૧૩ માણસ પૂર્વગ્રહથી રહિત થાય તો પરમાત્મા થાય ! ૩૪૧૪ આ ઇન્દ્રિયો નડતી નથી, અભિપ્રાય નડે છે. ૩૪૧૫ જેવો અભિપ્રાય વર્તાય છે તેવું આવતાં ભવનું બીજ પડે છે,
ત્યાં જ ચાર્જ થાય છે. ૩૪૧૬ અભિપ્રાયને લીધે આ બધી વસ્તુઓ રહેલી છે. અભિપ્રાયને
લીધે વસ્તુનો રસ રહેલો છે. વસ્તુનો ત્યાગ કરવાનો નથી.
વસ્તુનો અભિપ્રાય છે એ ખોટો છે, એવું સમજવાનું છે. ૩૪૧૭ સામો ચીકણો છે એવો અભિપ્રાય હોય તો સામો પ્રતિપક્ષી
‘નોબલ’ છે એવો અભિપ્રાય ક્રિએટ (ઉત્પન) કરવાનો છે !
૩૪૧૮ પૂર્વગ્રહરહિત માણસ થાય તો કલ્યાણ જ થઈ જાય.
ગઈકાલના ઝઘડા માટે આજે હું પૂર્વગ્રહ રાખું તો તે મારી ભૂલ છે, પછી બીજે દહાડે ભલે તમે તેવાં જ હો. પૂર્વગ્રહને લીધે આખું જગત માર ખાય છે ! તમે છો એવું માનતા નથી
ને તમે નથી એવું માનો છો ! ૩૪૧૯ સંજોગવશાના ચોરને ચોર ના કહેવાય. સંજોગવશાત્ તો
રાજા ય ચોરી કરે ! પૂરી ખાતરી કર્યા સિવાય અભિપ્રાય ના
અપાય. પૂરી ખાતરી કરવાની શક્તિ કોને હોય ? ૩૪૨૦ જેને પૂજ્ય ગણ્યા પછી એ ગમે તેટલું ખરાબ કરે પણ તું તારી
દ્રષ્ટિ ના બગાડીશ. મારો પહેલેથી સિદ્ધાંત છે કે. મેં જે છોડવાને પાણી પાઈને ઉછેર્યો હોય, ને ત્યાંથી ‘રેલવે’ લાઈન લઈ જવી હોય તો તેને બાજુએથી વાળી લઉં, પણ મારો ઉછેરેલો છોડવો ના ઉખેડું. અભિપ્રાય તો શું, પણ સામા માટે
દ્રષ્ટિ પણ બદલાવી ના જોઈએ !સિદ્ધાંત હોવો જોઈએ ! ૩૪૨૧ ‘વીતરાગ વિજ્ઞાન’ કેવું છે ? જે અભિપ્રાય બંધાયો કે, “આ
માણસ ખોટો છે, ને આ ભૂલવાળા છે.' તો એ બાંધનારો
પકડાય ! ૩૪૨૨ જ્યાં સુધી ‘કરવું પડે એવું બોલાય છે તેનો વાંધો નથી, પણ
તેવો અભિપ્રાય વર્તે છે ત્યાં સુધી આત્મા પૂર્વવત્ ના થાય. ખાનગીમાં અંદર ‘કર્યા વગર થાય જ નહીં' એવો અભિપ્રાય વર્તે છે. તે ના જાય ત્યાં સુધી ‘વ્યવસ્થિત’ પૂરેપૂરું સમજમાં ના આવે. આ વાત ઝીણી યે છે અને જાડી યે છે. સમજે તો કામ કાઢી નાખે. અભિપ્રાયને લીધે તો આખો આત્માનો
અનુભવ અટક્યો છે. ૩૪૨૩ “પોતાનો’ સહેજ પણ અભિપ્રાય પેઠો એટલે સમાધિ તૂટે.
પોતાપણું' જ ખોઈ નાખવાનું છે. ‘આમ તો કરવું જ જોઈએ, આમ તો ના જ કરવું જોઈએ” એ અભિપ્રાય રાખે તો સમાધિ
Page #186
--------------------------------------------------------------------------
________________
તૂટે ! ‘પોતાપણું જ્યાં આગળ કંઈ પણ છે તે બધો ડખો છે ! ૩૪૨૪ “પોતાપણું” નાશ ક્યારે થાય ? જ્યારે સંપૂર્ણ આજ્ઞામાં
રહેવાય ત્યારે ! આજ્ઞામાં રહ્યા એટલે સ્વચ્છંદ રહ્યો જ નહીં
ને ?!
૩૪૨૫ “મુક્ત પુરુષ'ની આજ્ઞાવશ રહેવું, એનું નામ ધર્મ. પુસ્તકનું
પછી કામ નથી. ૩૪૨૬ ધર્મ કરવાનો કયો? ‘જ્ઞાની પુરુષ'ની આજ્ઞામાં રહેવું તે.
આજ્ઞા એ જ ધર્મ ને આજ્ઞા એ જ તપ, ધર્મ શું છે ? પોતાના સ્વરૂપની રમણતા કરવી તે ! લૌકિક ધર્મ એટલે ભગવાનની
આજ્ઞામાં રહેવું તે. ૩૪૨૭ આશા ભૂલ્યો ત્યાંથી દુ:ખદાયી. આજ્ઞામાં રહ્યો ત્યાંથી
સુખદાયી ! ૩૪૨૮ “જ્ઞાની પુરુષ'ની આજ્ઞાપૂર્વક ઠેઠનું કરવું હોય તે કરી લેવાય,
એવો વખત ફરી ફરી ના મળે ! ૩૪૨૯ “અમારી’ ‘પાંચ આજ્ઞા'ની બહાર આ જગતનું એક પણ
પરમાણુ નથી ! ૩૪૩) તમે “અમારી' “પાંચ આજ્ઞા'માં રહો તે જ પુરુષાર્થ છે, એ જ
ધર્મ છે ! બીજો કોઈ પુરુષાર્થ નથી. એમાં બધું આવી ગયું. ૩૪૩૧ “અમારી’ એક જ આજ્ઞા સંપૂર્ણ પાળે ને, તો એકાવતારી થઈ
જવાય તેવું છે ! પછી જેવી જેની સમજણ. પણ અબુધ થઈને
કામ કાઢે તો. ૩૪૩૨ “અમારાં પાંચ ‘ફંડામેન્ટલ’ વાક્યો છે. એનાથી આખા વર્લ્ડને
કામ કાઢી લેવું હોય તો તેમ થઈ શકે તેમ છે. “સ્વરૂપનું જ્ઞાન” ના હોય તો ય આ વાક્યોની આરાધનાથી ઘણું કામ ચાલી જાય.
૩૪૩૩ તમારે આજ્ઞામાં રહેવું છે એ નક્કી કરવું. પછી આજ્ઞામાં
રાખવું એ કુદરતનું કામ છે. ૩૪૩૪ આજ્ઞા આપવી એ કંઈ સહેલી વસ્તુ નથી. એની પાછળ તો
જ્ઞાની'નું પ્રત્યક્ષ બળ જોઈએ. એ તો એવો સંયોગ આવે તો
આજ્ઞા અપાય. ૩૪૩૫ ‘પરસ્ત્રી માતા સમાન થવી જોઈએ. નીતિનું ધન આવવું
જોઈએ અને ત્રીજું, મને કશું જ આવડતું નથી.” આટલું જેને
થયું, તેની જવાબદારી “અમે' લઈએ છીએ. ૩૪૩૬ સંસારના સારામાં સાર એકલાં “જ્ઞાની પુરુષ' જ છે. ૩૪૩૭ આપણને દુઃખમુક્ત કરે એ “જ્ઞાની'. દુઃખ વધારે એ જ્ઞાની
નહીં. ૩૪૩૮ જ્યારે આત્મા જાણે ત્યારે “સત્ પુરુષ' કહેવાય અને આત્મા
જાણીને તેમાં જ મુકામ કરે, તેમાં જ કાયમ સ્થિરતા રહે, એ
‘જ્ઞાની પુરુષ' કહેવાય ! ૩૪૩૯ મુક્ત હાસ્ય ઉત્પન્ન થાય નહીં, મુક્ત વાણી ઉત્પન્ન થાય
નહીં, મુક્ત વર્તન ઉત્પન્ન થાય નહીં, ત્યાં સુધી મનોહર
થવાય નહીં. ૩૪૪૦ કષાયથી મુક્ત થાય ત્યારે મુક્ત હાસ્ય ઉત્પન્ન થાય. ૩૪૪૧ અખંડ પ્રેમ સ્વભાવી ભગવાન હાસ્યને આધીન છે. અખંડ
રાગ સ્વભાવી માણસ શોકને આધીન છે. આસક્તિને આધીન
૩૪૪૨ જગત આખું નિર્દોષ દેખાશે ત્યારે મુક્ત હાસ્ય ઉત્પન્ન થશે.
એક પણ માણસનો દોષ દેખાય તો મુક્ત હાસ્ય ઉત્પન્ન ના થાય. અને મુક્ત “હાસ્ય’વાળાનાં દર્શનથી જ આપણું કલ્યાણ થાય !
Page #187
--------------------------------------------------------------------------
________________
૩૪૪૩ આ દુનિયામાં જ્યારે જુઓ ત્યારે ‘ફ્રેશ’ ને ‘ફ્રેશ’ દેખાય, એનું
નામ ‘જ્ઞાની’.
૩૪૪૪ ‘મુક્ત હાસ્ય' સિવાય જગત વશ થાય નહીં. તમારામાં ‘મુક્ત હાસ્ય’ આવશે ત્યારે ઘણાં લોકોને લાભ થશે. મન બગડે તો ‘મુક્ત હાસ્ય’ તૂટી જાય, શરૂ થયા પછી ય તૂટી જાય. ‘મુક્ત હાસ્ય’ એટલે શું ? મનથી મુક્ત, બુદ્ધિથી મુક્ત, અહંકારથી મુક્ત, ચિત્તથી મુક્ત ! ‘મુક્ત હાસ્ય’ એ જ આ દુનિયાની મોટામાં મોટી અજાયબી છે !
૩૪૪૫ મુક્ત હાસ્ય ‘વર્લ્ડ’માં એક ‘જ્ઞાની પુરુષ'ને જ હોય ! વીતરાગતા હોય ત્યાં ‘મુક્ત હાસ્ય’ હોય !
૩૪૪૬ ‘જ્ઞાની પુરુષ'ની આંખો સંપૂર્ણ સ્વચ્છ હોય. કોઈ પણ સંસારભાવ ના હોય ત્યારે એ સ્વચ્છતા ઉત્પન્ન થાય. જ્યારે કોઈ સંસારભાવ ના રહે ત્યારે ‘તેમની’ આંખમાં ‘વીતરાગ પરમાત્મા'નાં દર્શન થાય !
૩૪૪૭ ‘વીતરાગો’ કંઈ આપે નહીં ને લે નહીં. વીતરાગો તો કહે છે અમે મોક્ષ આપીએ, બીજું કશું નહીં. માટે મોક્ષ લઈ જાવ ! ૩૪૪૮ લોકો વીતરાગ પાસે ઘોડિયાં મંગાવે ! ‘વીતરાગ’નાં દર્શનથી તમને પૌલિક માલ મળશે, પણ ત્યાં પૌદ્ગલિક માલ ના માગીશ.
૩૪૪૯ ‘ઉદાસીનતા’ ‘વીતરાગતા'ની જનેતા છે. પહેલી ‘ઉદાસીનતા' આવે, પછીથી ‘વીતરાગતા' આવે.
૩૪૫૦ ‘ઉદાસીનતા’ એટલે બધી નાશવંત ચીજો પર ભાવ તૂટી જાય અને અવિનાશીની શોધખોળ હોવા છતાં તે પ્રાપ્ત ના થાય ! ૩૪૫૧ જેમાં વૃત્તિઓ ઝલાઈ રહે, એનું નામ ભોગ. જેમાં વૃત્તિઓ ઝલાઈ ના રહે તે ઉદાસીનતા.
૩૪૫૨ જેને વીતરાગ જ થવું છે, તેને કોણ આંતરી શકે ? રાગ-દ્વેષ કરે જ નહીં તો તેને કોણ આંતરે ?
૩૪૫૩ મનુષ્યનો સ્વભાવ પરાઈ વસ્તુ પોતાની કરવા ફરે છે. વસ્તુ કાયમ નથી, પરાયો કાયમ નથી, તું લેનાર પણ કાયમ નથી. આત્માનો સ્વભાવ ‘પરદ્રવ્યથી સદા ય ઉદાસીન જ છું' તે દ્રષ્ટિનો છે.
૩૪૫૪ આ સદ્ગુણો-દુર્ગુણો, સુટેવો-કુટેવો એ વિનાશી છે પણ જગતને એની જરૂર છે. જેને સંપૂર્ણ વીતરાગ થવું હોય, તેને એની જરૂર નથી !
૩૪૫૫ ‘વીતરાગતા’ કરવાથી શીખાય નહીં, ‘વીતરાગતા’ જોઈને શીખવાનું છે ! ‘વીતરાગતા’ કરવા જેવી ચીજ નથી, જાણવા જેવી ચીજ છે ! જેમાં કંઈ પણ કરવાનું છે, તે બધાં પૌલિક સાધનો છે. ભગવાનને ત્યાં તો પૌદ્ગલિક કોઈ સાધન મોક્ષે લઈ જવા માટે કામ લાગે નહીં.
૩૪૫૬ આપણા ‘જ્ઞાન'થી પહેલો દ્વેષ જાય, પછી રાગ જાય. પહેલો વીત-દ્વેષ થાય છે. દ્વેષમાંથી રાગ ઉત્પન્ન થાય છે. દ્વેષમાંથી રાગનું બીજ ઉત્પન્ન થવાનું બંધ થાય એટલે ધીમે ધીમે રાગ બંધ થઈ જાય છે. રાગને ઓગાળવાનું સાધન છે જગતમાં, પણ દ્વેષને ઓગાળવાનું સાધન નથી !
૩૪૫૭ આત્માની વિભાવિક અવસ્થાથી રાગ-દ્વેષ છે અને સ્વાભાવિક અવસ્થાથી વીતરાગ છે !
૩૪૫૮ વીતરાગ કોને કહેવાય ? ‘સમભાવે નિકાલ' કરતો થયો
ત્યાંથી માંડીને સંપૂર્ણ વીતરાગ થાય, ત્યાં સુધી વીતરાગ કહેવાય. અરે, ‘સમભાવે નિકાલ' કરવાનું નક્કી કર્યું ત્યાંથી જ વીતરાગતાની શરૂઆત થાય. તે ઠેઠ સંપૂર્ણ વીતરાગ થાય ત્યાં સુધી વીતરાગતા કહેવાય !
Page #188
--------------------------------------------------------------------------
________________
૩૪૫૯ ક્રોધ-માન-માયા-લોભમાં ના રહે તે સાચી વીતરાગતા. એ
સિવાય જે વીતરાગતા રહે તે અહંકારી વીતરાગતા. ૩૪૬૦ આખું જગત ફરી વળેને તો ય “વીતરાગતા” એવી શક્તિ છે
કે કોઈ વસ્તુ એને ચોંટે નહીં ! ૩૪૬૧ પ્રાકૃતિક શક્તિ ઉત્પન્ન થવી, વ્યય થવી ને આજની શક્તિ,
એ બધું વીતરાગો જોતા હતા. એટલે એમને રાગ ઉત્પન્ન ના
થાય. ૩૪૬૨ વીતરાગ કોને કહેવાય કે જે કોઈના દુઃખે દુઃખી ના થાય.
વીતરાગમાં કરુણા હોય ! દયાળુ હોય તે દુઃખી થાય, કરુણાવાળો ના થાય. દયા એ કંઠ ગુણ છે. દયાની સામે
નિર્દયતા હોય જ. ૩૪૬૩ દયા કોઈ આપણા પર રાખે તો આપણને હીનતા લાગે. જ્યારે
કરુણામાં એવું ના હોય. ૩૪૬૪ ધર્મની શરૂઆત દયાથી થાય છે અને “એન્ડ' (અંત)
કરુણાથી થાય છે. ૩૪૬૫ સ્વચ્છ આંખો ના થાય ત્યાં સુધી સામાનું કલ્યાણ ના થાય.
તેથી જ તો “હું' બધાંને દર્શન કરાવું છું. સ્વચ્છ આંખો એ
જ કારુણ્યતા, બીજો કોઈ ભાવ નહીં. ૩૪૬૬ લોક દર્શન ક્યારે કરે ? આંખમાં કોઈ જાતનો ખરાબ ભાવ
ના દેખાય ત્યારે દર્શન કરે ! એમની આંખો જોતાં જ સમાધિ
થાય ! ૩૪૬૭ આ જગતમાં કારુણ્યમૂર્તિ થવાની જરૂર છે. જો કારુણ્યમૂર્તિ
થાય તો મોક્ષ સામો આવે, ખોળવા જવો ના પડે. વિરોધીની
સામે ય કરુણા હોય ! ૩૪૬૮ એક ચિત્ત થયા પછી જ કારુણ્યમૂર્તિ થવાય.
૩૪૬૯ પોતાના સુખનું નહીં, પણ સામાને શી અડચણ છે તે જ રહ્યા
કરે ત્યાંથી કારુણ્યતાની શરૂઆત. અમને નાનપણથી જ સામાની અડચણની પડેલી. પોતાના માટે વિચારે ય ના આવે
તે કારુણ્યતા કહેવાય. તેનાથી જ “જ્ઞાન” પ્રગટ થાય. ૩૪૭૦ કરુણાથી જ “જ્ઞાન” ઉત્પન્ન થાય. કારુણ્યતાનું બીજ પડ્યું છે,
તેને “જ્ઞાન” પ્રગટ થયા વગર રહે જ નહીં. ૩૪૭૧ કોઈ જીવને કોઈ પણ જાતના કામમાં લેવાની ઇચ્છા ના હોય,
ત્યારથી જ કરુણા ઉત્પન્ન થાય. પરસ્પર આધાર છે ત્યાં સુધી કરુણા ના હોય. આધાર-આધારી ના હોવું જોઈએ. પોતે કો'કનો આધાર થાય ખરો પણ પોતે આધારી ના હોય
કોઈના ! ૩૪૭૨ કરુણા જ આ જગતનું છેલ્લામાં છેલ્લું પેમ્ફલેટ' છે ! ૩૪૭૩ “જ્ઞાની પુરુષ'ની કરુણા “વર્લ્ડ વાઈડ' હોય, જીવમાત્ર પર
હોય !
૩૪૭૪ કોઈને ય કોઈ પણ રસ્તે કળવામાં ના આવે એ “જ્ઞાની
પુરુષ'! “જ્ઞાની પુરુષ' ઓળખાય એક એમની વીતરાગતાથી ! ૩૪૭૫ “જ્ઞાની પુરુષ' હંમેશાં “ઓપન’ હોય, એ સંસારમાં જ હોય,
એ કાંઈ ગુફામાં ના હોય, ગુપ્ત ના હોય, ગુફામાં તો અભ્યાસીઓ હોય બધા. પૂર્ણ દશાએ પહોંચેલા એવા “જ્ઞાની”
તો સંસારમાં જ હોય અને લોકકલ્યાણ કરતાં હોય. ૩૪૭૬ ‘વીતરાગ' સિવાય કોઈ તારણહાર નથી આ દુનિયામાં ! ૩૪૭૭ પોતાનો અહંકાર અને બુદ્ધિનો ડખો ખલાસ થઈ જાય ત્યારે
માણસ “પોતાનું કલ્યાણ કરે. ૩૪૭૮ આ બંધનમાંથી છૂટવા માટે જે બંધનમુક્ત થયા હોય એવાં
જ્ઞાની પુરુષ'ના આશ્રયે જવું. આશ્રયનો અર્થ શો ? ટુ એપ્રોચ
Page #189
--------------------------------------------------------------------------
________________
નિયર એન્ડ નિયર (નજીક ને નજીક જવું). આશ્રય એટલે
તે રૂપ થવું. ૩૪૭૯ ‘જ્ઞાની પુરુષ' વિચરે, તે તીર્થ કહેવાય ! ૩૪૮૦ અજ્ઞાનીની સાહજિકતા રાગ-દ્વેષવાળી હોય. જ્યારે ‘જ્ઞાની'ની
સાહજિકતા “વીતરાગ' હોય ! ૩૪૮૧ પ્રકૃતિ સહજ થાય તો આત્મા સહજ થઈ જ જાય. અગર
આત્મા સહજ થવાનો પ્રયત્ન થાય તો પ્રકૃતિ સહજ થઈ જાય.
બેમાંથી એક સહજતા ભણી ચાલ્યું કે બેઉ સહજ થઈ જાય. ૩૪૮૨ દેહ સહજ એટલે સ્વાભાવિક, તેમાં ‘આપણી’ ડખલ ના હોય,
અહંકારની ડખલ ના હોય ! આ અમારો દેહ સહજ કહેવાય. એટલે આત્મા સહજ જ હોય ! અહંકાર ઊડે એટલે બધું
ગયું ! ૩૪૮૩ શરીર ઊંચું-નીચું થાય, કોઈ દઝાડે તો હાલી જાય એ બધો
દેહનો સહજ સ્વભાવ. અને આત્મા પરપરિણામમાં નહીં, એ
સહજ આત્મા. સહજ આત્મા એટલે સ્વપરિણામ. ૩૪૮૪ પ્રકૃતિ પ્રકૃતિના ભાવમાં હોય જ છે. કંટ્રોલ કરવાની તમારે
જરૂર નથી. ‘તમે' સહજભાવમાં આવ્યા તો પ્રકૃતિ તો
સહજભાવમાં છે જ. ૩૪૮૫ પ્રકૃતિનો સહજભાવ એટલે “જેમ છે તેમ' બહાર પડી જવું
સાહજિકતા. ૩૪૮૯ ‘આમ ના થયું' એમ કહ્યું કે રોગ પેઠો. સહજ રહેવાનું. ૩૪૯૦ સહજતાથી બહાર જે જે હોય તે બધી ચાલાકી. સહજતા તોડે
એ બધી ચાલાકી. ૩૪૯૧ વિકલ્પી સ્વભાવવાળાએ તો પોતે કશું જ કરવું ના જોઈએ.
એણે તો કોઈ સહજ માણસને ખોળી કાઢવો ને તે કહે તેમ
કરવું ! ૩૪૯૨ દરેક જીવમાત્રની પ્રકૃતિ એના સહજ સ્વભાવમાં જ છે. આ
મનુષ્યોની પ્રકૃતિ એકલી વિકૃત થઈ ગઈ છે. એને લીધે આત્મામાં ફોટો વિકૃતતાનો પડે છે. એટલે આત્મા વિકૃત થઈ
જાય છે (પ્રતિષ્ઠિત આત્મા). ૩૪૯૩ આ કાળમાં પ્રકૃતિ સહજ થાય તેવી નથી. તેથી અમે
આત્માનું જ્ઞાન' પહેલાં આપીએ છીએ. પછી પ્રકૃતિ એની મેળે સહજ થયા કરે. સહજમાં કોઈ જાતનો દોષ નથી,
વિકૃતિમાં દોષ છે ! ૩૪૯૪ શરીર-મન-વાણીની જેટલી નિરોગીતા, એટલી આત્માની
સહજતા. ૩૪૯૫ સાહજિક મન-વાણી ને કાયાવાળું દરેક કાર્ય સરળ થાય.
અનુભવ અસહજ હોય તો તે કાર્ય ના થાય. અનુભવ સાથે
સાહજિકતા હોવી જોઈએ ત્યારે કાર્ય થાય. ૩૪૯૬ સાહજિક વાણી એટલે જેમાં કિંચિત્માત્ર અહંકાર ના હોય તે. ૩૪૯૭ બધું સહજ રીતે ચાલે છે એનું ભાન થશે ત્યારે આત્મજ્ઞાન
થશે. સહજ એટલે શું ? વિના પ્રયત્ન ચાલી રહ્યું છે. તેને આ લોકો કહે છે, “મેં કર્યું, મેં કર્યું !
૩૪૮૬ ઉદય પ્રમાણે ભટકવું, એનું નામ સહજ. ૩૪૮૭ સહજ એટલે શું ? આ મન-વચન-કાયાની ક્રિયાઓ ચાલ્યા
કરે છે. એનું નિરીક્ષણ કર્યા કરો, તેમાં ડખલ ના કરો તે. ૩૪૮૮ પ્રકૃતિ ને આત્મા વચ્ચેની ચંચળતા ઊડી ગઈ, એનું નામ
Page #190
--------------------------------------------------------------------------
________________
તેટલું સરળતાથી મળે. આ બાળક સરળ છે એટલે એને જે જોઈએ છે તેટલું મળે છે ને? અહંકારથી ભગવાન જોડે ભેદ
પડે. જેટલો અહંકાર ગયો એટલે અભેદ થયો. ૩૫૦૯ એક થઈ જવું, એનું નામ વીતરાગ ભાવ અને જુદા પડવું,
એનું નામ રાગ-દ્વેષ ભાવ. ૩૫૧૦ મત એ સંસારના ભેદનું કારણ છે ને સત્ એ અભેદનું કારણ
૩૪૯૮ સહજ એટલે સંપૂર્ણ અપ્રયત્ન દશા. અપ્રયત્ન દશાથી ચા
આવે, ખોરાક આવે તો વાંધો નથી. ૩૪૯૯ પ્રયાસનું ફળ સંસાર છે, અપ્રયાસનું ફળ મોક્ષ છે. ૩૫00 પ્રયાસથી બધું ઊંધું થાય. સહજ હોવું જોઈએ. પ્રયાસ થયો
એટલે સહજ રહ્યું નહીં. ૩૫૦૧ સહજ પ્રયત્ન નિયમથી ફળ આપે જ. ૩૫૦૨ અપ્રયાસ તેને “જ્ઞાન” કહેવાય છે અને પ્રયાસ તે વિકલ્પ છે. ૩૫૦૩ પ્રયત્ન કરવા જાઓ ત્યાં સંસાર છે. પ્રયત્ન કરવાથી દોષ જાય
નહીં. સાચું “જ્ઞાન” હોય ત્યાં જ દોષ જાય. ૩૫૦૪ ‘જ્ઞાની પુરુષ' કોને કહેવાય ? જે નિરંતર અપ્રયત્ન દશામાં
હોય તે. જગત આખું પ્રયત્ન દશામાં છે અને “તમે” યત્ન દશામાં છો. (મહાત્માઓને). સારું-ખોટું કરો છો, તેમાંથી ડખો કરો છો. તમને એમ થશે કે આ પુગલની વંશ જતી રહેશે તો શું થશે ?! આ પુદ્ગલની વંશ કોઈ દા'ડો જતી નથી. જ્ઞાતા-દ્રષ્ટા અક્રિય એવો આત્મા છે. મને ય ના હોય
ને પ્રયત્ન ય ના હોય. ૩૫૦૫ જેને દેહની મસ્તી નથી, વાણીની મસ્તી નથી, મનની મસ્તી
નથી એ “જ્ઞાની'. ૩૫૦૬ અજ્ઞાનીને છંછેડે એટલે અજ્ઞાન ઊભું થાય. “જ્ઞાની'ને છંછેડે
એટલે “જ્ઞાન” ઊભું થાય ! ૩૫૦૭ અજ્ઞાની તો કલેક્ટર થઈ જાય તો ઉન્મત્ત થઈ જાય. “જ્ઞાની
પુરુષ'ને આખા બ્રહ્માંડના સામ્રાજ્યની સત્તા છે છતાં સહેજ
પણ ઉન્મત્ત નથી. ૩૫૦૮ કુદરતનો કાયદો એવો છે કે જ્યાં જેટલો અહંકાર ઓછો ત્યાં
૩૫૧૧ એકના અલ્લાહ, એકના ગોડ, એકના ભગવાન, એકના
પરમાત્મા, એ બધી લટ્ટાબાજી છે. વસ્તુ એક જ છે. મનુષ્યોનાં ‘બૂ પોઈન્ટ' જુદાં જુદાં છે. મનુષ્યના ફોટામાં, રંગમાં, ઊંચાઈમાં, જાડાઈમાં, એનાં ‘સ્પેરપાર્ટસ'માં કશો ફેર પડ્યો નથી, તો મનુષ્યના ભગવાનમાં કેવી રીતે ફેર પડે? આપણે પોતે જ ભગવાન છીએ અને આ ભગવાનપણું સંતાઈ
રહ્યું છે, એ ય અજાયબી છે ને !! ૩૫૧૨ ખરી રીતે આ જગતમાં વાસ્તવિકપણે જોવા જાય તો, ભગવાન
પોતાની અવસ્થાઓ લઈને ફર્યા કરે છે. કોઈ પાંગળો, લૂલો, દુઃખી, ટી.બી.વાળો, આમ બધી અવસ્થાઓ લઈને ભગવાન પોતે ફર્યા કરે છે. આપણે અવસ્થાને જોઈએ છીએ અને જો
ભગવાન જોતાં આવડ્યું તો કામ થઈ ગયું! ૩૫૧૩ બધામાં પરમાત્મા દેખાય, કૂતરામાં, ગધેડામાં, બધામાં દેખાય
એટલાં માટે આ મનુષ્યજન્મ છે. પોતે પરમાત્મા થાય ત્યારે
બીજામાં પરમાત્માં દેખાય. ૩૫૧૪ વ્યક્તિત્વ જે જુદું માનતો નથી, તેને આ દુનિયામાં કશું જ
કરવાનું બાકી રહેતું નથી. આ બધું ‘હું જ છું, હું જ છું !” ૩૫૧૫ બધાનામાં “એક્ઝક્ટ' મહાવીર દેખાશે, ત્યારે તું મહાવીર
થઈશ !
Page #191
--------------------------------------------------------------------------
________________
૩૫૧૬ ભેદ એટલે સંસાર અને અભેદતા એ પરમાત્મપણું. જેટલી
લોકોની જોડે અભેદતા વર્તે એટલું પરમાત્મપણું પ્રગટ થાય ! ૩૫૧૭ ભગવાન શું કહે છે ? તમે જો ચંદુભાઈ છો, તો આપણે ભેદ
છે. તમે જો શુદ્ધાત્મા છો, અભેદ છો, તો આપણે બે એક
છીએ ! ૩૫૧૮ આત્મા અભેદ છે, ભેદબુદ્ધિથી સંસાર છે ! ૩૫૧૯ ભગવાનનો કાયદો જ છે કે જ્યાં ‘હું કંઈક છું' એમ થયું કે
ભગવાનથી એ જુદો. ૩૫૨૦ સંસારની બીજી બધી ચીજો પરથી ભાવ છૂટી જાય તો
| ‘અમારી' જોડે અભેદતા ઉત્પન્ન થાય. ૩૫૨૧ એકરૂપતા થાય તેમ નથી, પણ એકતા થાય એટલું કરી
લેવાની જરૂર છે ! ૩૫૨૨ શરણાગતિ એટલે શું ? અભેદભાવ. શરણાગતિ એટલે હું,
તું, અમે એક જ છીએ, એકભાર ! ૩૫૨૩ જ્યાં પરમાત્મા વ્યક્ત થયા છે એવાં ‘જ્ઞાની પુરુષ'ને પૂરેપૂરા
અર્પણ થઈ જવાનું હોય, ત્યાં આપણો આત્મા આત્મસ્વભાવમાં
ને દેહ પરમ વિનયમાં હોય. ૩૫૨૪ ગુરુતમ ભાવ એ અવિનય છે ને લઘુતમ ભાવ એ પરમ
વિનય છે. ૩૫૨૫ જે લઘુતમ પદ છે ને તે જ ગુરુતમ પદ આપનારું છે. અને
પેલું ગુરુતમ કે ‘હું કંઈક છું', એ તો નાશ કરશે. ગુરુતમ
પદ જોઈતું હોય તો લઘુતમ પદની આરાધના કરો. ૩૫૨૬ જે મોટો થવા ગયો, એ નાનો થઈ જાય. મોટો-નાનો એ
પૌદ્ગલિક છે. પ્રત્યક્ષ લઘુપણું બતાવે એટલો મોટો થાય !
૩૫૨૭ અમે લઘુતમ પુરુષ છીએ. અમારાથી કોઈ જીવ નાનો નથી.
બીજી બાજુ અમે ગુરુતમ છીએ. અમારાથી કોઈ મોટો નથી. ૩૫૨૮ બાય રિલેટિવ વ્યુ પોઈન્ટ અમે લઘુતમ છીએ. બાય રિયલ
વ્યુ પોઈન્ટ અમે ગુરુતમ છીએ. નિશ્ચયમાં અમે ગુરુતમ ને
વ્યવહારમાં લઘુતમ એ અમારો સ્વભાવ ! ૩૫૨૯ અમારો દેખાવ-વર્તન બધું લઘુતમનું હોય ને વૈભવ ગુરુતમનો
હોય. ૩૫૩૦ લઘુતમમાં તો કાયમની ‘સેફ સાઈડ છે, ગુરુતમવાળાને ભો ! ૩૫૩૧ આત્મશક્તિની લંબાઈનો પાર જ નથી ! દરેક માણસના
વિચારને ‘એક્સેપ્ટ' કરે એટલે સુધી લંબાઈ છે. ચોર ચોરી કરે તે ય ‘એક્સેપ્ટ' કરે, દાનેશ્વરી દાન આપે તે ય “એક્સેપ્ટ’ કરે, બધું ‘એકસેપ્ટ' કરે એવી એ આત્મશક્તિ છે, પરમાત્મ
શક્તિ છે અને એ જ આત્મા છે ! ૩૫૩૨ આ દુનિયામાં જ્યાં સુધી તમને કોઈ પણ વિરોધ છે, ત્યાં સુધી
તમારામાં વિરોધ છે. જ્યાં સુધી તમારામાં વિરોધ છે, ત્યાં
સુધી તમે બ્રહ્માંડના સ્વામી ના થઈ શકો. ૩૫૩૩ વિરોધાભાસમાં પોતે સ્થિર રહે, એનું નામ જ મોક્ષ. જાતે
કપાઈ છૂટવું પણ આપણે કોઈને ના કાપવું. ૩૫૩૪ વિરોધ કરે ત્યાં વધારે દોષ બેસે. આ જગતમાં વિરોધ કરવા
જેવું જ નથી. જે જે તમે વિરોધ કરો છો, તે તમારો પોતાનો જ વિરોધ કરી રહ્યા છો ! માટે પ્રોજેક્ટ (યોજના) એવો કરો
કે વિરોધ ના થાય. ૩૫૩૫ જો આપણે સામાનો વિરોધ કરીએ તો સામો આપણા વિરોધના
પક્ષમાં બેસી જશે ને એ એમાં વધારે મજબૂત થશે. એનાં કરતાં આપણે વિરોધ જ ના કરવો. વીતરાગતાથી જ ભગવાન
Page #192
--------------------------------------------------------------------------
________________
છૂટેલા.
૩૫૩૬ વિરોધ ચાલે, પણ વિરાધના ના ચાલે !
૩૫૩૭ વિરોધ પ્રાકૃતસંબંધી છે ને વિરાધના આત્મસંબંધી છે. ૩૫૩૮ જે જ્ઞાનથી ઠોકર વાગે એ જ્ઞાનને જો ‘જ્ઞાન’ કહો તો ‘જ્ઞાન’ની વિરાધના કરી કહેવાય.
૩૫૩૯ આ દુનિયામાં જે ‘જ્ઞાની’ને મળેલા, તે સિવાય કોઈનો ય મોક્ષ થયેલો નહીં. ‘જ્ઞાની’ એટલે પ્રકાશ. પ્રકાશને દીવો અડે તો જ પ્રકાશ થાય.
૩૫૪૦ પાંસરો થયો તેનો મોક્ષ છે. પાંસરો નહીં થાય તો લોક મારી મારીને પાંસરો કરશે !
૩૫૪૧ જ્યારે જગતમાં ‘હું મૂર્ખમાં મૂર્ખ છું’ એવું સમજાય ત્યારે આત્મજ્ઞાનના ઉદયની શરૂઆત થાય છે.
૩૫૪૨ આત્મા તો જાણવો જ પડશે ને ? નહીં તો પાર જ ના આવે
ને ? તમારે મહીં ઘી, દીવો, દીવેટો બધું તૈયાર છે. શેના વગર બાકી છે ? દીવાસળી જોઈએ. અહીં આગળ આવજો, એટલે દીવો સળગી જાય !
૩૫૪૩ અત્યારે તમારી મહીં ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષનું સામ્રાજ્ય છે. ‘જ્ઞાની પુરુષ’ આ બધાને ‘ગેટ આઉટ’ કરી દે ! અને આત્મારૂપી ભગવાન, ‘પોતાનું’ સામ્રાજ્ય સ્થાપી દે ! ત્યારે ‘પોતે' જ્ઞાતા-દ્રષ્ટા પદમાં આવે !
૩૫૪૪ આ દુનિયામાં જાણવા જેવો એક આત્મા જ છે. બીજું કશું જાણવા જેવું નથી. પુસ્તકમાં આત્મજ્ઞાન ન હોય, આત્મામાં આત્મજ્ઞાન હોય.
૩૫૪૫ તમારી મિલકતને જો જાણોને તો એ તો અગાધ મિલકત છે.
આ તો પારકી મિલકતને બથાઈ પડ્યા છે.
૩૫૪૬ એકલો આત્મા જાણવાનો છે, સમજવાનો છે ને એમાં સ્થિર થવાનું છે. સાકર ગળી છે એવું બધા બૂમો પાડે છે. ને ‘જ્ઞાની પુરુષ' ગળી એટલે શું એવું દેખાડે છે !
૩૫૪૭ આત્મજ્ઞાન જાણ્યા વગર આત્માનો સ્વાદ જરા ય ન આવે. ૩૫૪૮ આત્માથી આત્મા જાણવો, એનું નામ આત્મજ્ઞાન. સંપૂર્ણ આત્મજ્ઞાન કોને કહેવાય ? ‘કેવળ દર્શન’ હોય તેને.
૩૫૪૯ સંસારનું એકેય દુઃખ અડે નહીં, એનું નામ આત્મા જાણ્યો કહેવાય.
૩૫૫૦ આણંદમાં રહેવાથી આનંદ નથી થતો, કલ્યાણમાં રહેવાથી કલ્યાણ નથી થતું, સ્વરૂપમાં રહેવાથી એ થાય છે !
૩૫૫૧ આત્મા ને દેહનું એટલું બધું સામીપ્ય છે કે જુદાપણાનું ભાન નથી રહેતું. ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. જે બધી અસરો થાય છે - ટાઢની, તાપની, ભૂખની, તરસની, તે આત્માને નથી થતી. અસરો પુદ્ગલને થાય છે, પણ આત્મા પોતે માની બેસે છે કે મને જ અસર થાય છે !
૩૫૫૨ આત્મા અને અનાત્મા બેઉ અનાદિકાળથી ભ્રાંતિરસથી એકાકાર થયેલા છે. આ ભ્રાંતિનો રસ એટલો બધો ચીકણો છે કે વર્લ્ડમાં કોઈ ચીજ એવી ચીકાશવાળી ના હોય ! આ ભ્રાંતિનો ૨સ ક્યાંથી લાવ્યા ? ‘હું ચંદુભાઈ’ બોલ્યા કે તરત રસ ઉત્પન્ન થયો. અને ‘આ બેગ મારી છે’ બોલ્યા કે તરત રસ ઉત્પન્ન થયો. આ બેઉ રસ ભેગા થઈને ભ્રાંતિરસ ઉત્પન્ન થાય છે. તે નિરંતર આ રસ પડ્યા કરે ને જૂનો નીકળ્યા કરે.
૩૫૫૩ ભ્રાંતિ એટલે જોતાંની સાથે જ તન્મયાકાર થઈ જવું તે.
Page #193
--------------------------------------------------------------------------
________________
એટલો બધો સામીપ્યભાવ છે ! ૩૫૫૪ આત્મા શુદ્ધ કરવાનો નથી. ‘તારી' વિપરીત માન્યતા
ફેરવવાની છે. શુદ્ધ અશુદ્ધ કેવી રીતે થાય? આ તો તારી ‘બિલિફ રોંગ” છે. આત્મા શુદ્ધ જ હતો, છે જ, કરવાનો
નથી ! ૩૫૫૫ આત્મા વીતરાગતા છોડતો નથી ને પુદ્ગલે ય વીતરાગતા
છોડતું નથી. અવળી સમજણ થાય તો ફળ ભોગવવું પડે. રોંગ બિલિફ'નું ફળ દુઃખ ને ‘રાઈટ બિલિફનું ફળ સુખ મળે
સ્વભાવની અપેક્ષાએ અદ્વૈત છે ને પર્યાયની અપેક્ષાએ દૈત છે ! ૩૫૬૩ આત્માનું સ્પષ્ટ વેદન જ્યારે તમને થશે ત્યારે કાયમની
સમાધિ રહેશે. ૩૫૬૪ “આત્મા અમર છે' એવું બોલવાથી કંઈ દહાડો વળે નહીં. એ
તો આત્મા એના સ્વભાવમાં આવે તો બોલાય. મરણનો ભય ટળે તો બોલાય.
૩૫૬૫ આત્મા શબ્દથી પર છે ને નિઃશબ્દથી ય પર છે ! સ્વરૂપ
શબ્દથી કામ ના લાગે. નિઃશબ્દથી ય કામ ના લાગે. પ્રતીતિ
થવી જોઈએ. ૩૫૬૬ એક ‘સમય’ પણ સ્વરૂપના ભાનમાં રહ્યો, તે ક્યારેય પરનો
સ્વામી થવા ના ઇછે.
૩૫૫૬ જે જ્ઞાનથી જગતની અસર ના થાય તે આત્મજ્ઞાન. ૩૫૫૭ શુદ્ધાત્માનું ઉપાદાન આપ્યું એટલે નિયમથી જ સંસારનું
અપાદાન થાય. ૩૫૫૮ બહારનું પેકિંગ’ ક્રોધ-માન-માયા-લોભના આધારે છે, ને
મહીં શુદ્ધાત્મા છે તે વીતરાગ છે. ૩૫૫૯ સ્વક્ષેત્રનું અસ્તિત્વ-અવિનાશી; પરક્ષેત્રનું અસ્તિત્વ-વિનાશી. ૩૫૬૦ આત્મા ક્યારે ય વેદક થયો નથી. વેદક એટલે મમતા.
મમતાપદમાં વદન હોય. ભોક્તાપદમાં મમતા બંધાઈ જાય તો શાતા વેદનીય. ભોક્તાપદમાં મમતા ના બંધાઈ જાય તો
અશાતાવેદનીય. ૩૫૬૧ દેહ છે ત્યાં સુધી આત્મા દૈત ને દેહ ના હોય, સિદ્ધગતિમાં
હોય તો અત છે ! ભગવાન મહાવીર વિચરે છે શા આધારે ? દૈતના આધારે. ભગવાન મહાવીર શુકલધ્યાનમાં
શા આધારે રહે છે ? અદ્વૈતના આધારે. ૩૫૬૨ આત્મા ઢંતે ય નથી ને અદ્વૈતે ય નથી. આત્મા દ્વૈતાદ્વૈત છે.
૩૫૬૭ પહેલાં વિપરીત જ્ઞાન જાણવાનો પ્રયત્ન હતો, તેનાથી બંધનમાં
અવાય. સમ્યક્ જ્ઞાન જાણવાનો પ્રયત્ન એ પોતાનું છે. એનાથી સ્વતંત્ર થવાય. વિપરીત જ્ઞાન એ ય જ્ઞાન છે. એ જાણવાનો
ય ‘ટેસ્ટ’ આવે, પણ એનાથી બંધનમાં અવાય. ૩૫૬૮ સમ્યક્ જ્ઞાન સ્વસુખ આપનારું છે, સ્વાવલંબી છે. વિપરીત
જ્ઞાને પરાવલંબી છે. ૩૫૬૯ આ વીતરાગ માર્ગ છે. એમાં વ્યવહાર આદર્શ થાય, તો
વીતરાગ થવાય. વ્યવહાર છોડવાનો નથી, આદર્શ કરવાનો છે. વ્યવહાર આદર્શ ક્યારે થાય ? આત્મજ્ઞાન થાય ત્યારે.
આત્મજ્ઞાન ક્યારે થાય ? “જ્ઞાની પુરુષ' ભેદજ્ઞાન કરાવે ત્યારે. ૩૫૭૦ વ્યવહારને “રિયલ' માન્યો તો ય વ્યવહાર આવડ્યો નહીં.
વ્યવહાર કેવો હોવો જોઈએ ? “આદર્શ' ! આ તો ઘેર ઘેર
ડખા ! ઘેર ઘેર ડખા !! ૩૫૭૧ નિશ્ચયને નિશ્ચયમાં રાખવો ને વ્યવહારને વ્યવહારમાં રાખવો,
Page #194
--------------------------------------------------------------------------
________________
એનું નામ શુદ્ધ વ્યવહાર ! ૩૫૭૨ જેનાં વાણી, વર્તન ને વિનય મનોહર થઈ જાય, એનો
વ્યવહાર બધો ય આદર્શ થઈ ગયો ! ૩૫૭૩ આદર્શ વ્યવહાર અને નિર્વિકલ્પ પદ, એ બે પ્રાપ્ત થઈ જાય,
પછી શું રહ્યું ? આખા બ્રહ્માંડને ફેરફાર કરી આપે. ૩૫૭૪ ઘરડા થયા પછી આદર્શ વ્યવહાર થાય તે શા કામનો ?
આદર્શ વ્યવહાર તો જીવનની શરૂઆતથી હોવો જોઈએ. ૩૫૭૫ આદર્શ વ્યવહાર કેવી રીતે પ્રાપ્ત થાય ? તમને (મહાત્માઓને)
નિર્વિકલ્પપદ પ્રાપ્ત થયું છે એટલે એમાં રહેવાથી આદર્શ
વ્યવહાર એની મેળે આવશે. ૩૫૭૬ જેટલો વ્યવહાર આદર્શ થતો જાય, તેટલી સમાધિ વધતી
જાય. ૩૫૭૭ સમભાવથી જે વ્યવહાર થાય, તે શુદ્ધ વ્યવહાર કહેવાય. ૩૫૭૮ જે વ્યવહારમાં ક્રોધ-માન-માયા-લોભ ના વપરાય એ શુદ્ધ
વ્યવહાર કહેવાય. ૩૫૭૯ શુદ્ધ નિશ્ચય જ્યાં આગળ છે ત્યાં બધો વ્યવહાર શુદ્ધ છે. ૩૫૮૦ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના થાય, એનું નામ ‘વ્યવહાર શુદ્ધિ.’ ૩૫૮૧ શુદ્ધ વ્યવહાર નિર્અહંકારી હોય. જેમાં અહંકારનો છાંટો ય
ના હોય એ શુદ્ધ વ્યવહાર ! ૩૫૮૨ જ્યાં સુધી વ્યવહાર ચોખ્ખો ના થાય ત્યાં સુધી મોક્ષ નથી.
વ્યવહારના આધાર પર જ મોક્ષ છે ! આદર્શ વ્યવહાર હોવો
જોઈએ, બીજા કોઈને દુઃખદાયી ના થાય એવો. ૩૫૮૩ ભગવાન કહે છે કે, “વ્યવહારનાં વાક્યો કોઈ દહાડો નિશ્ચય
થવાનાં જ નથી. અમે બધાં જ વાક્યો વ્યવહારથી બોલ્યા
છીએ, નિશ્ચયથી બોલ્યા નથી. તમે નિશ્ચયનાં માની લો, તેમાં અમે શું કરીએ ? તપ કરવાથી મોક્ષ થશે એમ તમે નિશ્ચયથી
માન્યું, તેમાં અમે શું કરીએ ?” ૩૫૮૪ મોક્ષે જવા માટેની બધી મહેનતો વિકલ્પી છે. નિર્વિકલ્પી
મહેનત હોય તો જાણે ઠીક છે. વિકલ્પી મહેનત એટલે ડુંગળી
કાઢી નાખીને શેરડી રોપે એના જેવું ! ૩૫૮૫ મોક્ષે જવા ભયંકર પ્રયત્નો કરે છે. એમાં એમનો દોષ નથી,
એમને સંજોગ બાઝતો નથી. સમકિતનાં સાધનો આમ તો
બહુ ભેગાં કર્યા છે પણ સમકિતનો સંજોગ બાઝતો નથી. ૩૫૮૬ પોતે ભેગાં કરેલાં સમકિતનાં સાધનોને પોતે સાચાં માને છે,
પણ એ સાચાં નથી. સુથાર હોય તે કડિયાનાં હથિયાર લઈને
આવે તો ચાલે ?! એટલે સહુ સહુનાં સાધનો જોઈએ ! ૩૫૮૭ સમકિત પ્રાપ્તિ માટે સૌથી મોટામાં મોટું સાધન એટલે ‘જ્ઞાની
પુરુષનું મળવું એ છે. આ સાધન મળ્યું કે બીજા કોઈ
સાધનની જરૂર નથી. ૩૫૮૮ સંસાર એ વગર મહેનતનું ફળ છે. માટે ભોગવો, પણ
ભોગવતાં આવડવું જોઈએ. ૩૫૮૯ જો મહેનતનું ફળ સંસાર હોય તો શેઠીયા ખાતાં ના હોય.
મજૂરો જ ખાતાં હોત ! ૩૫૯૦ જેટલી મહેનત એટલો અંતરાય, કારણ કે મહેનત કેમ કરવી
૩૫૯૧ કાયમનું સુખ, એનું નામ જ મોક્ષ. ૩૫૯૨ મોક્ષે ક્યારે જાય? જે “ફુલ્લી ડેવલપ’ થાય ત્યારે મોક્ષે જઈ
શકે. આત્મા ને અનાત્માનું વિવરણ થાય અને બેઉ જુદાં પડી જાય કાયમને માટે !
Page #195
--------------------------------------------------------------------------
________________
૩૫૯૩ “જ્ઞાની પુરુષ' જ્ઞાન આપે પછી વર્લ્ડમાં આપણો કોઈની જોડે
ઝઘડો રહે નહીં. ફક્ત પાછલી બનેગારી રહે ! ગુનેગારી એટલે આપણે પહેલાં કરેલી ભૂલો. જે આપણને કલમાં લાગી ગયેલી
છે તે. એ કલમોનો આપણે હિસાબ ચૂકવવો પડે! ૩૫૯૪ મોક્ષ એટલે સંસારને માટે “કમ્પલીટ અફિટ' (અયોગ્ય).
એટલે તમે “અફિટ' થતાં જાવ છો એ તમારા હિતમાં છે
કે અહિતમાં છે, એ તમારે જોવું જોઈએ ! ૩૫૫ શબ્દનો પરમ અર્થ એટલે મોક્ષ. વસ્તુનો છેલ્લામાં છેલ્લો
અર્થ તે મોક્ષ. ૩૫૯૬ વ્યવહારમાં રાંડે ત્યારે ઘરને ખૂણે બેસે. સંસારમાં રાંડે ત્યારે
મોક્ષને ખૂણે બેસે. ૩૫૯૭ નિર્વાણ આત્માનું થાય છે કે અનાત્માનું ? “અનાત્મ
વિભાગનું'! આત્મા ઉપરથી અનાત્માનું આવરણ છૂટું પડી
જાય છે ! ૩૫૯૮ મોક્ષ એ મેળવવાની વસ્તુ નથી. મોક્ષ તો પોતાનો સ્વભાવ જ
છે. તમે મોક્ષસ્વરૂપ જ છો. પણ તમારું મોક્ષ સુખ તમે
ભોગવતાં નથી. તમને તમારા સ્વરૂપનું ભાન થવું જોઈએ. ૩૫૯૯ જ્ઞાન-દર્શન-ચારિત્ર સમ્યક્ થાય, એનું નામ મોક્ષ ! ૩૬00 કોઈ પણ ધર્મનું કિંચિત્માત્ર પ્રમાણ ના દુભાય એ જ આપણો
ભાવ હોવો જોઈએ. ધર્મનું પ્રમાણ દુભાવવું છે અને મોક્ષ
કરવો છે એ બે બને નહીં. ૩૬૦૧ વારણથી નિવારણ ને નિવારણથી નિર્વાણ ! ૩૬૦૨ દુશ્મન સામો આવીને ઊભો રહે ને અણગમો થાય કે તુર્ત
જ વારણ મૂકી દેવું, તેના માટે સહેજ પણ અવળો વિચાર આવવા દેશો નહીં. સામો અનંત ઉપકારી છે એમ માનજો.
૩૬૦૩ આપણો હાથ કાપી નાખે, ગમે તેટલું તોફાન કરે તો ય તેને
બીજી દ્રષ્ટિથી ના જુઓ. તેને શુદ્ધાત્માથી જુઓ. અવળો
વિચાર આવ્યો એટલે અવળું ‘વહીલ’ ફર્યું. ૩૬૦૪ જો મોક્ષ જોઈતો હોય તો એક અવતાર આ દેહના ટુકડે ટુકડા
કરી નાખે તો ય ચલાવી લેવું. આ દેહના કકડે કકડા થાય તો ય મોક્ષમાર્ગ નહીં ચૂકું, એ નિશ્ચય થાય ત્યારથી જ મહીં અપાર સુખ ઉત્પન્ન થાય તેવું છે. આ દેહને એક અવતાર
સટ્ટામાં મૂકી દો પછી જુઓ. ૩૬૦૫ જ્યાં કાયદો છે, ત્યાં મોક્ષ નથી. આ અમારી અનંત
અવતારની શોધખોળ છે. ૩૬૦૬ જ્યાં કાયદો છે ત્યાં ધર્મ છે, પણ આત્મજ્ઞાન નથી. ૩૬૦૭ જ્યાં કાયદા ત્યાં લૉ-કોર્ટ, આત્મધર્મ નહીં. જ્યાં કાયદો નહીં,
ત્યાં ભગવાનનો વાસ ! ૩૬૦૮ જ્યાં “લૉ’ હોય ત્યાં સંપૂર્ણ વીતરાગી જ્ઞાન ના હોય. અહીં
તો ‘નો લૉ-લૉ” હોય ! ૩૬૦૯ ‘નો લૉ-લૉ’ એટલે સ્વસંયમી ! ૩૬૧૦ આ બધાં કષાય ઊભાં થાય છે, તે વિષયમાંથી ઊભાં થયાં
છે. એ ચારિત્રમોહ એવો હોય કે “જ્ઞાનને પણ ઉડાડી મૂકે !
ભડકો કરી દેવડાવે ! ૩૬ ૧૧ ભય રાખવા જેવો હોય તો વિષયનો રાખવા જેવો છે. બીજી
કોઈ આ જગતમાં ભય રાખવા જેવી જગ્યા નથી. માટે
એનાથી ચેતતા રહેવું. ૩૬૧૨ વિષયની ચંચળતા એ જ અનંત અવતારના દુઃખનું મૂળિયું છે. ૩૬૧૩ એક જ વખતના વિષયોથી અબજોનું નુકસાન છે. ભયંકર
હિંસા છે !
Page #196
--------------------------------------------------------------------------
________________
૩૬૧૪ એક મિનિટમાં વૈરાગ્ય આવે એવું આ જગત છે. એમાં
વૈરાગ્ય આવતો નથી એ ય એક અજાયબી છે ! ૩૬૧૫ વિષય હોય છતાં ય યાદ ના આવે, એનું નામ નિર્વિષય.
વિષય ના હોય છતાં યાદ આવે, એનું નામ વિષય. ૩૬ ૧૬ જે ભોગ આપણને યાદ આવે એ ઉપભોગમાં પરિણામ પામે.
જે ભોગ યાદ ના આવે તે અડે નહીં, નિર્લેપભાવ રહે. ૩૬૧૭ વાસનાઓ શું છે ? તે કેવી રીતે જાય ? “હું ચંદુભાઈ છું'
એ મિટે તો જ વાસનાઓ જાય. નહીં તો વાસનાઓ જાય
નહીં.
૩૬ ૧૮ સર્વ પ્રકારના ભાવો ઉત્પન્ન થાય એવું આ જગત છે. એમાં
દેહનિંદ્રા આવશે તો ચાલશે પણ ભાવનિદ્રા ના આવવી
જોઈએ. ૩૬૧૯ આ ટ્રેન સામી આવે છે ત્યારે કંઈ નિંદ્રા આવે છે ? આ ટ્રેન
તો એક અવતારનું મરણ લાવે, પણ ભાવનિંદ્રા તો અનંત અવતારનું મરણ લાવશે. ચિત્ર-વિચિત્ર ભાવ ઉત્પન્ન થાય એવું આ જગત છે. એમાં તારે તારું સમજી લેવાનું છે. જો
તને ભાવનિંદ્રા હશે તો જગત તને ચોંટશે. ૩૬ ૨૦ જ્યાં ભાવનિંદ્રા આવે ત્યાં જ પ્રતિક્રમણ કરવું અને જેની
આગળ ભાવનિંદ્રા આવે તેનાં જ આત્મા પાસે બ્રહ્મચર્ય પાળવાની શક્તિ માગવી. એ ડાયરેક્ટ વાત છે. જેની સાથે દુકાન મંડાય છે તેની પાસે જ શક્તિ માંગવી એટલે હિસાબ
ચોખ્ખા થાય ! ૩૬૨૧ બ્રહ્મચર્ય એટલે શું ? આ પુરણ થયું એ ગલન ના થાય તે
બ્રહ્મચર્ય. આ તો પૂરણ જેને નિયમમાં હોય, તે બ્રહ્મચર્ય પાળી
શકે ! ૩૬૨૨ આ કાળમાં બહાર નીકળ્યા એટલે “ઓપન’ બજાર ! સાંજ
સુધી સોદો કશો ય કર્યો ના હોય પણ બાર સોદા તો એમ ને એમ લખી નાખ્યા હોય ! ખાલી જોવાનાં જ સોદા થઈ જાય ! બીજો સોદા તો થવાના હશે તે થશે, પણ જોવાનાં જ સોદા કરી નાખે ! એ ભયંકર રોગ કહેવાય ! જોવા માત્રથી જ સોદો થઈ જાય. “સ્વરૂપનું જ્ઞાન આપણું મળ્યા પછી
સામામાં શુદ્ધાત્મા દેખાય. ૩૬૨૩ આ તો આંખના ચમકારા છે. આંખ અડે કે ચિત્ત ચોંટે ! એમાં
આંખનો શો દોષ? મનનો ય શો દોષ? આપણે કાચા ત્યારે
મન ચઢી બેસે ? ગુનો આપણો જ. ૩૬૨૪ એક પત્નીવ્રતનો કાયદો હોય એ ‘લિમિટવાળું કહેવાય. એ
ઊર્ધ્વગતિમાં લઈ જાય. મોક્ષે જવાની ‘લિમિટ' કઈ ? “એક
પત્નીવ્રત.” ૩૬૨૫ આ કાળના મનુષ્યોનું બ્રહ્મચર્ય પાળવાનું ગજું નથી. આ
પૈણેલો શું કરે ? તેથી અમે કહીએ છીએ કે આ કાળમાં જે એક પત્નીવ્રત ધરાવશે તેનો મોક્ષ થશે એવી ગેરેન્ટી' આપીએ
છીએ ! પણ અમારી પાસે આવીને વાતને સમજો. ૩૬૨૬ જ્યાં આકર્ષણ થયું, આકર્ષણમાં તન્મયાકાર થયો ત્યાં
ચોંટ્યો. આકર્ષણ થયું તેનો વાંધો નહીં, પણ તન્મયાકાર ના
થયો એ જીત્યો. ૩૬૨૭ વિષયો વિષયમાં વર્તે છે. આ તો વગર કામના “ઈગોઈઝમ'
કરે છે. “ઈગોઈઝમ' જાય નહીં ત્યાં સુધી તો, “ઈગોઈઝમ' કર્યા વગર રહે નહીં ને ? એ “ઈગોઈઝમ' ક્યારે જાય ? એનો આધાર જાય ત્યારે. એનો શો આધાર છે? “અજ્ઞાન.”
અજ્ઞાન ક્યારે જાય ? જ્ઞાની મળે ત્યારે. ૩૬૨૮ આત્મા એ જ બ્રહ્મચર્ય છે. જેને આત્મસુખ લાધે, તેને
અબ્રહ્મચર્યના વિચાર જ ના આવે !
Page #197
--------------------------------------------------------------------------
________________
૩૬૨૯ આપણને શુદ્ધાત્મામાં જ સુખ છે એવું યથાર્થપણે સમજાઈ જાય તો વિષયમાં સુખ ના રહે.
૩૬૩૦ જગતની સર્વ ચીજો અધોગામી છે. વીર્ય એકલું જ જો ધારે તો ઊર્ધ્વગામી થઈ શકે !
૩૬૩૧ ‘સ્વવીર્ય’નું સ્ફુરાયમાન કરવું તે પરાક્રમ ! તે ૩૬૩૨ વિષયને જે જીતે, તેના પર ત્રણ લોકના નાથ રાજી થાય ! ૩૬૩૩ જેની વાણીથી કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય, જેના વર્તનથી કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય, જેના મનમાં ખરાબ ભાવ ના થાય, તે શીલવાન !
૩૬૩૪ શીલમાં બ્રહ્મચર્ય આવી જાય એટલું જ નહીં, પણ તેની સાથે કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય, જોતાં જ આનંદ થાય ! ૩૬૩૫ તમારું શીલ જોઈને જ સામામાં પરિવર્તન થાય ! શીલવાન
બહુ ઊંચી વસ્તુ છે. આ સત્સંગ શીલવાન થવા માટે જ કરવાનો છે. બાકી, આત્મા મોક્ષસ્વરૂપ જ છે. જ્યારથી ‘સેલ્ફ રિયલાઈઝ' થયું ત્યારથી મોક્ષસ્વરૂપ જ છે, મોક્ષની શી ઉતાવળ છે ? શીલવાન પહેલું થવાનું. એનાં ગુણો ઉત્પન્ન થાય, તેનાથી જગતના બધા ફેરફાર થઈ જાય !
૩૬૩૬ શીલવાન વગર વચનબળ ઉત્પન્ન ના થાય. ૩૬૩૭ સૌથી મોટામાં મોટી કમાણી ચારિત્રની છે. ચારિત્રનો ‘સ્ટ્રોંગ’ થઈ ગયો તો જગત જીતાઈ ગયું !
૩૬૩૮ આ હક્કના વૈભવ ભોગવવા તે ઊર્ધ્વગતિ છે. અણહક્કનું વાપરવું તે અધોગિત છે.
૩૬૩૯ દેહ ડાહ્યો થયો, એનું નામ ‘વ્યવહાર ચારિત્ર.' આત્મા ડાહ્યો થયો, એનું નામ ‘નિશ્ચય ચારિત્ર.’ આત્મા ડાહ્યો થયો, તેનું
નામ જ્ઞાતા-દ્રષ્ટા. પરમાનંદમાં જ રહે. બીજી કશી ભાંજગડમાં હાથ ઘાલે નહીં.
૩૬૪૦ ‘વ્યવહાર ચારિત્ર' કોને કહેવાય ? વીતરાગ માર્ગમાં હોય તેને. વીતરાગ માર્ગમાં હોય એટલે કે કોઈ ધર્મને પરાયો માનતો ના હોય, છતાં વીતરાગ ધર્મને પોતાનું ધ્યેય રાખતો હોય. વીતરાગોને માન્ય રાખે ને બીજા કોઈને અન્યાય ના કરે. કોઈ ધર્મ પર, કોઈના પર દ્વેષ ના રહે ત્યારે ‘વ્યવહાર ચારિત્ર' કહેવાય !
૩૬૪૧ આત્માનું ચારિત્ર એટલે જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદમાં રહેવું તે. ૩૬૪૨ આ દેહમાં ક્રોધ, હર્ષ, શોક બધું જ ભરેલું છે. પણ તેમાં
આત્મા તન્મયાકાર ના થાય ને પુદ્ગલનાં દરેક સંયોગોને પરપરિણામ જાણ્યું, એને સમ્યક્ ચારિત્ર કહેવાય !
૩૬૪૩ બહાર સન્નપાત થયેલો હોય, તેનો વીતરાગોને વાંધો નથી. અંદર જ્ઞાતા-દ્રષ્ટા રહે છે કે નહીં એટલું જ જોવાનું. ૩૬૪૪ શાન-દર્શન-ચારિત્ર એ રૂપી નથી, અરૂપી છે. લોકો રૂપી ખોળે
છે. પ્રત્યક્ષ દેખાતું ખોળે છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર એ રૂપી નથી. ભગવાન વીતરાગોનું કહેલું રૂપી નથી, અરૂપી છે. જેને મોક્ષે જવું હોય, તેણે વીતરાગોનું કહેલું માન્ય કરવું પડશે !
૩૬૪૫ ચારિત્ર પ્રગટ થયું છે તે કેવું છે, તેનું પ્રમાણ એ કે મહીં બળતરા કેટલી બંધ થઈ !
૩૬૪૬ કષાયરહિત ચારિત્ર એ સમ્યક્ ચારિત્ર ને કેવળ ચારિત્ર એ છેલ્લું ચારિત્ર છે.
૩૬૪૭ કર્મો ખપે, નિર્જરા થાય, સંવર રહેતું હોય તો મોક્ષનો માર્ગ છે. અને સંવર ના રહેતું હોય તો આ બધે ચાલે છે એવો સામાન્ય માર્ગ છે, એમાં ખોટ નથી.
Page #198
--------------------------------------------------------------------------
________________
૩૬૪૮ સંવર એટલે નવાં કર્મોનો બંધ થતો અટકતો હોય. સંવર ક્યાં હોય ? સ્યાદ્વાદ હોય ત્યાં. જ્યાં ‘યથાર્થ જ્ઞાન’ હોય ત્યાં સ્યાદ્વાદ હોય !
૩૬૪૯ સમકિત કોને કહેવાય ? પહેલું વ્યવહાર સમકિત થવું જોઈએ કે આ બધામાં ક્યા દેવ છે, તે મોક્ષે લઈ જશે ? એવી એને સમજણ આવવી જોઈએ. સમજણમાં એવું બેસે કે આ સ્ત્રીવાળા, હથિયારવાળા દેવો મોક્ષ ના લઈ જાય. ફક્ત વીતરાગ મોક્ષે લઈ જશે, એવી ખાતરી બેસે ત્યારે વ્યવહાર સમકિત થાય ! ત્યાર પછી આત્માની કંઈક પણ શબ્દોથી અને સમજ બેસે ત્યારે સાચું સમકિત થયું કહેવાય, શુદ્ધ સમકિત. અને આપણે અહીં અક્રમમાં પરમાર્થ સમકિત આપીએ છીએ !
૩૬૫૦ ‘વ્યવહારથી કર્તા' ના માનવું તે ય મિથ્યાત્વ. અને ‘હું નિશ્ચયથી કર્તા છું' તે ય મિથ્યાત્વ. ‘હું કર્તા છું’ એ ભાન એ
મિથ્યાત્વ છે.
૩૬૫૧ ‘જ્ઞાની’ સભ્યમાં રહે ને દુનિયા મિથ્યાત્વમાં રહે. ‘જ્ઞાની’ સમ્યક્માં જાગે ને દુનિયા મિથ્યાત્વમાં જાગે.
૩૬૫૨ શાસ્ત્રજ્ઞાનથી સમ્યક્ દર્શન થાય નહીં. અનુભવજ્ઞાનથી સમ્યક્ દર્શન થાય !
૩૬૫૩ અજ્ઞાન ગયું ત્યારથી જ મુક્તિનો અનુભવ થાય. અજ્ઞાનથી બંધન છે. શેનું અજ્ઞાન ? પોતે પોતાનાથી જ અજ્ઞાન છે. કૃષ્ણ ભગવાને આને ગુહ્યતમ ‘વિજ્ઞાન’ કહ્યું છે. ગુહ્ય જ કોઈ સમજી શકતા નથી તો ગુહ્યતર ને ગુહ્યતમ ક્યારે સમજાય ? ને
૩૬૫૪ ‘હું ચંદુભાઈ છું’ એ ઊંધી શ્રદ્ધા બેઠી છે તે ઘણું ય ભૂલવા માગે તો ય એ ભૂલાય ? એ તો રીતસર ‘જ્ઞાની'ના આધારે એનો તાર કપાઈ જવો જોઈએ. સૂક્ષ્મ તારો, શ્રદ્ધાના તારો
બેઠેલા હોય છે. એ ‘રોંગ બિલીફો’ તૂટે અને ‘રાઈટ બિલીફ' બેસે તો કામ લાગે ! ‘રાઈટ બિલીફ’ને ‘સમ્યક્ દર્શન' કહ્યું. ‘રોંગ બિલીફ’ને ‘મિથ્યાત્વ' કહ્યું.
૩૬૫૫ ‘હું ચંદુભાઈ છું’ આ શાસ્ત્રોનું જ્ઞાન મને મોઢે છે, શ્રુતજ્ઞાન મને મોઢે છે' એ બધાંને ભગવાને દેહાધ્યાસ કહ્યો. કારણ કે ‘હું ચંદુભાઈ છું’ એ અધ્યાસ તૂટ્યો નથી. ‘હું શુદ્ધાત્મા છું' એ ભાન થયું કે બધો ઉકેલ આવી ગયો !
૩૬૫૬ સમકિત તો આત્મજ્ઞાની પુરુષ પાસે પ્રાપ્ત થાય. નિમિત્ત જોઈએ. સમકિત થયા પછી ચિંતા-ઉપાધિ ના થાય, આર્તધ્યાન-રૌદ્રધ્યાન ના થાય ! આત્મજ્ઞાનીની ભક્તિ કરવાથી, એમની પાસેથી એમની કૃપા ઊતરે એટલે સમિકત થઈ જાય !
૩૬૫૭ સકિત ના થાય ત્યાં સુધી ‘વિષરસ’ ટપક્યા કરે. એટલે વાણી વિષવાળી થઈ જાય, વર્તન વિષવાળું થઈ જાય, બધું વિષવાળું થઈ જાય. અને સમિત થાય કે તરત જ મહીં અમૃત પડવા માંડે ! એટલે દહાડે દહાડે અમૃતવાળી વાણી થાય, વર્તન અમૃતવાળું થાય, બધું અમૃતવાળું થાય, ક્રોધમાન-માયા-લોભ જતાં રહે બધાં !
૩૬૫૮ આ પૂર્વ દિશા જાણીએ એટલે પછી બીજી બધી દિશાનો ફોડ
પડે કે નહીં ? અજ્ઞાનની દિશા જાણે તો સામી જ્ઞાનની દિશા જડે કે ના જડે ? આ તો અજ્ઞાને ય જાણ્યું નથી. અજ્ઞાન જાણ્યું એટલે બાકી રહ્યું તે પેલું જ્ઞાન. અજ્ઞાન જ જાણવું બહુ મુશ્કેલ છે. જ્ઞાન જાણવું સહેલું છે.
૩૬૫૯ સંસારમાં રહીએ છતાં સંસાર અડે નહીં, એનું નામ ‘સમકિત.’ એ તો ‘જ્ઞાની પુરુષ’ની કૃપાથી પ્રાપ્ત થાય. ‘જ્ઞાની પુરુષ'માં ભગવાન પ્રગટ થઈ ગયેલા હોય !
Page #199
--------------------------------------------------------------------------
________________
૩૬૬૦ જ્યાં કંઈ પણ કર્તાભાવ છે ત્યાં સમકિત પ્રાપ્ત ના થાય. ૩૬૬૧ કર્તાભાવમાં મોહ છે, અકર્તાભાવમાં ‘ચારિત્રમોહ' છે.
મોહમાંથી બીજ પડે ને ચારિત્રમોહમાંથી બીજ ના પડે ! સળી કરો ને મોઢાના ભાવ બદલે તો હું જાણું કે એને મોહ છે.
૩૬૬ ૨. દર્શન મોહનીય આ સંસારનું ‘કોઝ’ છે અને ચારિત્ર મોહનીય આ સંસારની ‘ઈફેક્ટ' છે.
૩૬૬૩ દર્શનમોહ એટલે શું કે પોતે જે છે તે નહીં હોવા છતાં આરોપિત ભાવે બોલવું કે ‘હું ચંદુલાલ છું’ એ દર્શનમોહ ! ૩૬૬૪ જગતનું ‘રૂટ કોઝ' દર્શનમોહ છે. દર્શનમોહ એ કયા સ્વરૂપે છે ? ‘ઈગોઈઝમ’ સ્વરૂપે છે !
૩૬૬૫ દર્શનમોહ એટલે શું ? પોતને પોતાની વિસ્મૃતિ થઈ ગઈ, એનાથી ઊભું જે થયું એ મોટી ભૂલ. એ ભૂલને લઈને સંસાર ઊભો રહ્યો છે. એ આપણે તોડી આપીએ છીએ. ૩૬૬૬ અકર્તાભાન એ સંવર, કર્તાભાન એ આશ્રવ. ૩૬૬૭ પૌદ્ગલિક લેવા-દેવાનો વ્યવહાર જેને બંધ થયો, તેને નિઃશંક આત્મા પ્રાપ્ત થયો કહેવાય. તેને ક્ષાયિક સમકિત કહેવાય.
૩૬૬૮ ક્ષાયિક સમકિત એટલે પુદ્ગલ પરિણતિનો આખો ય ત્યાગ. એ તો દર્શન કરવા જેવાં ગણાય ! આખા ‘વર્લ્ડ’ની અજાયબી કહેવાય !
૩૬૬૯ મન-વચન-કાયા, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મ ‘જ્ઞાની’નાં ચરણોમાં અર્પણ કરવાનું છે. નોકર્મ એટલે ‘ડિસ્ચાર્જ' થતાં કર્મ. ભાવકર્મ એટલે ‘ચાર્જ' થતાં કર્મ અને દ્રવ્યકર્મ એટલે દ્રષ્ટિ. જે છે તેનાથી વિપરીત દેખાડે તે. વિપરીત દેખાય એટલે પછી વિપરીત ચાલે.
૩૬૭૦ જે આવતાં ભવને માટે બીજ નાખે છે તે ભાવકર્મ. જે બીજ
વગરનાં કર્મ છે એ નોકર્મ. અને દ્રવ્યકર્મ શું છે ? એ ગયા અવતારનાં કયા ચશ્માં લાવેલો છે ? ચાર નંબરનાં, આઠ નંબરનાં કે બાર નંબરનાં ચશ્માં છે ? જેવા ચશ્માં લાવ્યો, તેનાથી આખી જિંદગી દેખાય. ચશ્માં લઈને આવ્યો હોય, તે પ્રમાણે સૂઝ પડે.
૩૬૭૧ દ્રવ્યકર્મમાં શક્તિઓ પણ લાવેલો હોય છે. આત્મામાં અનંત
શક્તિઓ છે. પણ એને અંતરાય કરનારી શક્તિઓ પણ લાવેલો હોય છે. બીજું, મૂર્છિત ભાવ, મોહ લાવેલો હોય છે. ૩૬૭૨ દ્રવ્યકર્મ એટલે ભાવકર્મનું ‘રીઝલ્ટ’ ! પણ તે રીઝલ્ટ સ્થૂળ નથી. આવતાં ભવના ચશ્માં સ્વરૂપે છે !
૩૬૭૩ ગાળ ભાંડે એ ‘નોકર્મ’, તે વખતે રૌદ્રભાવ ઉત્પન્ન થાય તે ભાવકર્મ અને રૌદ્રભાવ ઉત્પન્ન થતી વખતે મહીં મૂળ ‘મશીનરી’નું ‘લાઈટ’ દબાય, દ્રષ્ટિ બગડે તે દ્રવ્યકર્મ. અમે ‘જ્ઞાન’ આપીએ છીએ એટલે આ દ્રષ્ટિ ઉડાડીએ છીએ. એટલે ભાવ ઊભા થાય પણ દ્રષ્ટિ ના બગડે, હિંસક ભાવ ના ઉત્પન્ન થાય. તેથી કર્મ ‘ચાર્જ' ના થાય.
૩૬૭૪ દ્રષ્ટિ ના બગડે એટલે ભાવકર્મ જે થયાં તે પણ ‘ડિસ્ચાર્જ’
છે. ભાવકર્મ અને દ્રષ્ટિ બગડે તેનું નામ ‘ચાર્જ’. ‘અક્રમ’માં ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મ બધાં જ ‘ડિસ્ચાર્જ’ બની જાય છે !
૩૬૭૫ આત્મા સ્વભાવમાં જ છે, પણ ધુમ્મસ બહુ છે તેથી દેખાય
નહીં. ધુમ્મસ જાય એટલે દેખાય. દ્રવ્યકર્મ ધુમ્મસ જેવું છે. ધુમ્મસમાંથી બહાર નીકળે ત્યાર પછી ય ‘એને’ કેટલાંય કાળ સુધી અસર રહે. ‘જ્ઞાની' તેને છોડી આપે.
૩૬૭૬ પીળા ચશ્માં ચઢાવે તો જગત પીળું દેખાય. આ ચશ્માંનો ખ્યાલ છે તેથી સમજી જાય કે આ ચશ્માંને લીધે પીળું દેખાય
Page #200
--------------------------------------------------------------------------
________________
છે ! આ પૂર્વજન્મનાં દ્રવ્યકર્મના ચશ્માં ચઢાવ્યાં છે. એનાથી આ બધું દેખાય છે ! જો ચશ્માં લક્ષમાં રહે, પોતે લક્ષમાં રહે
અને બહારની હકીકત લક્ષમાં રહે, તો કશો વાંધો નથી. ૩૬૭૭ આત્મજ્ઞાની અને તેમના આશ્રયવાન જ દ્રવ્યકર્મને સમજી
શકે. દ્રવ્યકર્મ એટલે પરિણામ પામી ગયેલું હોય, ‘ઈફેક્ટિવ'
હોય તે.. ૩૬૭૮ સંસારમાં રખડાવનારો ધર્મ છે, એને શુભાશુભ ધર્મ કહેવામાં
આવે છે અને મોક્ષે લઈ જનારો ધર્મ, એને શુદ્ધ ધર્મ કહેવામાં
આવે છે ! ૩૬૭૯ શુદ્ધ વ્યવહાર પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે. સવ્યવહાર પરોક્ષ
મોક્ષનું કારણ છે. ૩૬૮૦ શુદ્ધ વ્યવહાર કોને કહેવો? “સ્વરૂપનું ભાન’ થાય ત્યાર પછી
જ શુદ્ધ વ્યવહાર શરૂ થાય છે, ત્યાં સુધી સવ્યવહાર છે. ૩૬૮૧ શુદ્ધ વ્યવહાર ને સવ્યવહારમાં શો ફેર છે ? સવ્યવહાર
અહંકાર સહિત હોય. શુદ્ધ વ્યવહાર અહંકાર રહિત હોય ! ૩૬૮૨ શુદ્ધ વ્યવહાર સંપૂર્ણ ધર્મધ્યાન આપે. સવ્યવહાર અલ્પાંશે
કરીને ધર્મધ્યાન આપે. ૩૬૮૩ જેટલો શુદ્ધ વ્યવહાર હોય તેટલો “શુદ્ધ ઉપયોગ’ રહે ! ૩૬૮૪ “શુદ્ધ ઉપયોગ' એટલે પોતે' જ્ઞાતા-દ્રષ્ટા હોય પણ જુએ શું?
શુદ્ધ વ્યવહાર જુએ ! ૩૬૮૫ શુદ્ધ વ્યવહાર એટલે કષાયરહિતનો વ્યવહાર. ૩૬૮૬ જ્યાં “શુદ્ધ વ્યવહાર' નથી, “વ્યવહારનું ફાઉન્ડેશન (પાયો
જ) નથી, ત્યાં ‘નિશ્ચય' જેવી કોઈ વસ્તુ જ નથી ! ૩૬૮૭ જ્યાં શુદ્ધ વ્યવહાર નથી, ત્યાં નિશ્ચયનું આરાધન ફળ આપતું
નથી. ૩૬૮૮ વ્યવહાર તો હોવો જ જોઈએ, પણ શુદ્ધ વ્યવહાર હોવો
જોઈએ ! ૩૬૮૯ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ના થાય, એનું નામ શુદ્ધ વ્યવહાર.
આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થાય તે અશુભ વ્યવહાર. આર્તધ્યાન ને
રૌદ્રધ્યાન શલ્યની માફક ખૂંચે, ત્યારે શુભ વ્યવહાર. ૩૬૯૦ યથાર્થ વ્યવહાર એ સાપેક્ષ વસ્તુ છે. એટલે સંસારી
વ્યવહારને યથાર્થ વ્યવહાર કહેવાય. સાધુ વ્યવહારને યથાર્થ વ્યવહાર કહેવાય. પણ જ્યાં આત્મા ને પરમાત્માની વાત હોય ત્યાં જે વ્યવહાર હોય, તે શુદ્ધ વ્યવહાર હોય. એ
વ્યવહાર હોય છતાં બંધન ના થાય ! ૩૬૯૧ ખરો યથાર્થ વ્યવહાર કોને કહેવાય છે ? શુદ્ધ વ્યવહારને.
નિશ્ચય પ્રાપ્ત થયા પછી બાકી જે રહે, તેનું નામ શુદ્ધ
વ્યવહાર ! ૩૬૯૨ શુદ્ધ વ્યવહારમાં કશું ય કરવું ના પડે. એ તો “ઓટોમેટિક'
થાય. એ નિકાલી છે. શુદ્ધ વ્યવહારમાં અહંકારની જરૂર નથી
હોતી. શુભ વ્યવહારમાં અહંકારની જરૂર હોય છે. ૩૬૯૩ નિશ્ચય શુદ્ધ હશે તો વ્યવહાર જલ્દી શુદ્ધ થશે, નહીં તો
નિશ્ચયને લક્ષમાં રાખીને વ્યવહાર શુદ્ધ કરવો પડશે ! ૩૬૯૪ ‘નિજ સ્વરૂપનું ભાન થયા સિવાય વ્યવહાર ‘હેલ્પ' કરી
શકશે નહીં અને શુદ્ધ વ્યવહાર સિવાય નિજ સ્વરૂપનું ભાન
હેલ્પ' કરી શકશે નહીં. આ બેઉ “રીલેટેડ' છે ! ૩૬૯૫ આ તો વિજ્ઞાન છે. શુદ્ધ વ્યવહાર ને શુદ્ધ નિશ્ચય સહિત ! શુદ્ધ
વ્યવહાર થયા સિવાય મોક્ષની વાત કોઈએ કરવી નહીં! ૩૬૯૬ આ તો ખાલી વ્યવહાર ઊભો થયો છે સમસરણ માર્ગનો.
Page #201
--------------------------------------------------------------------------
________________
અરીસા આગળ વ્યવહાર ઊભો નથી થતો ? અરીસા આગળ કશું દેખાય છે કે નહીં ? શું એ “એઝેક્ટ’ વ્યવહાર નથી ? આપણે જેટલું કરીએ એટલું એ એક્ઝક્ટ' કરે છે ને ? આ અરીસાના વ્યવહારને લોકો ઘોળીને પી ગયા ! આ
આપણો ય એવો જ વ્યવહાર છે. બીજું કશું જ નથી. ૩૬૯૭ જેટલો વ્યવહાર તમને સ્પર્શે નહીં એ વ્યવહાર “વ્યવહાર'
કહેવાય. એમ કરતાં કરતાં આખો ય વ્યવહાર સ્પર્શ નહીં,
એટલે થઈ ગયું “કેવળજ્ઞાન'. ૩૬૯૮ શુદ્ધ વ્યવહારમાં બિલકુલ બુદ્ધિની જરૂર નથી. ૩૬૯૯ છેવટે બુદ્ધિ વગરનું વિજ્ઞાન થશે ત્યારે કામ થશે. “અક્રમ
વિજ્ઞાન' શેનાથી જોઈ રહ્યું છે ? પ્રજ્ઞાશક્તિથી ! ૩૭00 એક અજ્ઞાશક્તિથી જગત ઊભું થઈ ગયું છે ! અજ્ઞાશક્તિથી
જગતની અધિકરણ ક્રિયા ચાલ્યા જ કરે છે. ૩૭૦૧ ક્રમિકમાર્ગમાં છેક છેલ્લે “સ્ટેશને’ અજ્ઞાશક્તિ વિદાય લે ને
પ્રજ્ઞાશક્તિ હાજર થઈ જાય. અહીં “અક્રમ માર્ગ'માં પહેલી પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય છે ને અજ્ઞાશક્તિ તે જ વખતે વિદાય
લે છે ! ૩૭૦૨ અજ્ઞા નામની શક્તિથી પાપ-પુણ્ય રચાય છે. ૩૭૦૩ પ્રજ્ઞા નામની શક્તિ “જ્ઞાન'થી ઉત્પન્ન થાય છે ! ૩૭૦૪ અજ્ઞાશક્તિ સંસારમાં ને સંસારમાં ભટકાય ભટકાય કરે !
અજ્ઞાને બુદ્ધિની મદદ પાછી અને પ્રજ્ઞાને આત્માની મદદ. ૩૭૦૫ આ બુદ્ધિ કે આ પ્રજ્ઞા, એની વ્યાખ્યા શી? સહેજ પણ અજંપો
કરે તે બુદ્ધિ, પ્રજ્ઞામાં અજંપો ના હોય. ૩૭૦૬ અજ્ઞાશક્તિ ઉત્પન કેમ થઈ ? આત્મા પર સંયોગોનું
જબરજસ્ત દબાણ આવ્યું. એટલે જ્ઞાન-દર્શન વિપરીત થયું,
સ્વાભાવિક રહ્યું નહીં. એટલે અજ્ઞાશક્તિ ઉત્પન્ન થઈ. ૩૭૦૭ અજ્ઞાશક્તિ આત્માની કલ્પના છે, વિકલ્પ છે. એવું કહ્યું તેવો
દેહ બંધાઈ જાય. એને કશી મહેનત કરવી ના પડે. પછી ઈગોઈઝમ” જોડે ને જોડે જ હોય. જૂનો ઈગોઈઝમ' પૂરો
ના થયો હોય ત્યાં નવો ઈગોઈઝમ” ચાલુ થઈ જાય. ૩૭૦૮ સંજોગોના ભીડાથી અજ્ઞાશક્તિ ઉત્પન્ન થઈ અને જો ‘જ્ઞાની
પુરુષ' મળે તો પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થઈ જાય. પછી અજ્ઞાશક્તિ વિદાય થઈ જાય ! પ્રજ્ઞાશક્તિ સંયોગો અને
આત્માને બન્નેને જુદા પાડી આપે છે ! ૩૭૦૯ સંકલ્પ શક્તિથી જગત ચાલ્યા કરે છે. રાત્રે અંધારામાં
મોટર'ની “લાઈટ' ચાલુ થાય એટલે એમ લાગે કે જીવડાં મરે છે. તે શું પહેલાં નહોતાં મરતાં ? પણ પ્રકાશ થવાથી તેને દેખાયું કે જીવડાં મરે છે. તે પછી પોતે માને કે હું જીવડાં
મારું છું ! ૩૭૧૦ આ કઢી બનાવે છે તે દેખીતા સાંયોગિક પુરાવાઓ છે ને આ
જગત ચલાવે છે તે તો ગુપ્ત સાંયોગિક પુરાવાઓ છે. ૩૭૧૧ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ને ભાવ ભેગા થાય તો જ કામ થાય છે. નહીં
તો કશું જ થાય તેમ નથી તો પછી અહંકાર કરવાનો રહ્યો જ ક્યાં? ભગવાનની વાત સમજ ના પડી તેથી જગત ફસાયું છે, છતાં ય જગત તો આવું જ રહેવાનું. અહંકાર કર્યા વગર રહે નહીં ને? સ્વભાવ છે ને ! પણ જેને આ સમજવું હોય
તેને તો સમજવા જેવું છે. ૩૭૧૨ આઠ ને પાંત્રીસે શું થવાનું છે એ કાળના લક્ષમાં જ હોય,
એ “એવિડન્સ' છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ને ભવ આ બધાં
Page #202
--------------------------------------------------------------------------
________________
ભેગાં થાય ત્યારે કાર્ય થાય ! ૩૭૧૩ ‘વ્યવસ્થિત' તે નદી અને આપણું નાવડું. તે નાવડું નદીને કહે
છે, ‘તું વાંકીચૂંકી ના ચાલીશ.” ત્યારે નદી નાવડાને કહે છે, મૂઆ, તું વાંકુંચૂંકું ના ચાલીશ. તારે જો જીવતા રહેવું હોય તો હું કરું તેમ કરજે, હું ચાલું તેમ ચાલજે. મને અનુકુળ થજે.
નહીં તો તારા ભાંગીને ભૂક્કા થઈ જશે. મરી જઈશ !” ૩૭૧૪ વ્યવહારમાં ‘થઈ જાય છે એવું એકલું માનનારા ને કરવું
પડે છે” એવું માનનારા બેઉ કાચા છે. આ બે આંખવાળું જ્ઞાન છે. જગત આખાનું જ્ઞાન એક આંખવાળું છે. એકાંતિક જ્ઞાન છે. “આ કરવું પડે છે' એવું વ્યવહારમાં બોલવાનું ને “થઈ જાય છે' એ લક્ષમાં રાખવાનું છે. “કરવું પડશે' એ ભાવ છે
ને “થઈ જાય છે' તે “વ્યવસ્થિત છે. ૩૭૧૫ ‘વ્યવસ્થિત” એટલે કાંઈ છાપેલી વસ્તુ નથી. તમે જેવાં
પરિણામ કરો તેવું જ વ્યવસ્થિત' ગોઠવાયેલું હોય છે. ‘વ્યવસ્થિત' પોતાનાં પરિણામ ઉપર આધાર રાખે છે. પોતાનાં પરિણામનો આમ સીધો બદલો નથી મળતો પણ એ કુદરત'માં જાય ને તેમાં બીજા સંયોગો ભળે, ને કુદરત
ભળતાં જે પ્રમાણ થાય, જે રંગ-રૂપ થાય તેવું રૂપક આવે. ૩૭૧૬ આ ‘વ્યવસ્થિત' ના હોત તો આ મુંબઈ શહેરમાં કોઈ નવા
માણસને ઘર જ ના જડત !પણ આ ‘વ્યવસ્થિત' હેલ્પ કરે છે ! ૩૭૧૭ ‘વ્યવસ્થિત' ઉપર “વ્યવસ્થિત'ની ય સત્તા નથી, ‘વ્યવસ્થિત'
તો ખાલી “રીઝલ્ટ” આપે છે ! જો “વ્યવસ્થિત'ની સત્તા હોત તો તે કહેતા કે મારે લીધે જ બધું ચાલે છે!' જો ભગવાનની સત્તા હોત તો તે “રોફ’માં આવી જાત ! કોઈથી બોલાય તેવું
નથી. ખાલી નિમિત્તથી જ જગત ઊભું થયું છે ! ૩૭૧૮ નિમિત્તનો ત્યાગ કરવો એ ય ગુનો છે ને નિમિત્તની આગળ
દીન થઈ જવું તે ય ગુનો છે.
૩૭૧૯ ‘વ્યવસ્થિત'નું જ્ઞાન જગતના લોકોને અપાય એવું નથી. કારણ
કે જો “સ્વરૂપનું જ્ઞાન' ના હોય તો બહારનું બધું ‘વ્યવસ્થિત' છે કરીને સૂઈ રહે, કશો વાંધો નથી કહે. એટલે અવળા ભાવ કરે ને આવતો ભવ બગડે. આ ભવમાં ના બગડે એવું ‘વ્યવસ્થિત' છે. ‘વ્યવસ્થિત' બહુ સમજવા જેવું છે, બહુ
ઊંડી વાત છે. ૩૭૨૦ અમારું અનંત અવતારનું સરવૈયું ‘આ’ છે ! હું ‘જે' લાવ્યો
છું, તે અનંત અવતારથી સરવૈયું કરતો કરતો, કરતો, કરતો. લાવ્યો છું. એ સરવૈયું છે, “વ્યવસ્થિત' ! સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ ” જે જગતને
ચલાવે છે ! ૩૭૨૧ એક આત્મામાં આખા બ્રહ્માંડની શક્તિ છે ! એને પ્રગટ કરવા
માંડો. જેમ જેમ સંસાર બાજુની દ્રષ્ટિ ઓછી થતી જશે, તેમ તેમ આત્માભણી દ્રષ્ટિ થતી જશે, તેમ તેમ આત્મશક્તિ પ્રગટ થતી જાય ! પણ આ બાજુ પાર વગરનાં ખેતરાં છે. તે હજુ
ખેડવાં જ પડશે ને ? ૩૭૨૨ પરમાત્મા એટલે પોતે પોતાની “ફૂલ' (સંપૂર્ણ) શક્તિઓ
ડેવલપ થઈ જાય, બધી શક્તિ પ્રગટ થાય ! તે પણ આ શક્તિઓ માત્ર આવરાઈ ગઈ છે. નહીં તો પોતે જ પરમાત્મા છે. કોઈ કરોડપતિના અબજો રૂપિયા જમીનમાં દટાયેલા હોય પણ ના જડે ને એ પાંચ રૂપિયા માગવા જાય એવું થઈ ગયું
૩૭૨૩ સંયમમાં આવે ત્યાંથી સ્વભાવ સત્તા પ્રગટ થતી જાય. ૩૭૨૪ આત્મા વીતરાગ છે કે રાગ-દ્વેષવાળો ? આત્મા વીતરાગ છે !
તો પછી રાગ-દ્વેષ કેવી રીતના છોડાવો છો ? તું તો વીતરાગ જ છે ! “તું” કેવી રીતે વીતરાગ છે, તે તું સમજ્યો નથી. માટે
Page #203
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની પુરુષ' પાસે તે સમજી આવ. તને આ સંસારના
સંયોગોના ધક્કાથી મહીં ભ્રમણા ઊભી થઈ ગઈ છે ! ૩૭૨૫ રાગ-દ્વેષ એ ગુરુ-લઘુ સ્વભાવના છે. આત્મા અગુરુ-લઘુ
સ્વભાવનો છે. બન્નેના ગુણધર્મ જુદા છે. ૩૭૨૬ આત્મા નવો દેહ ગ્રહણ કરે છે કે પુદ્ગલ ? એ આત્મા ય
ગ્રહણ કરતો નથી ને પુદ્ગલે ય ગ્રહણ કરતું નથી. એ મિશ્ર
ચેતન ગ્રહણ કરે છે. ૩૭૨૭ અજ્ઞાનતાનો સ્વભાવ જ ચીકાશ છે. તે જરાક મીઠું બોલે
એટલે આકર્ષણ થાય ને કડવું બોલે એટલે વિકર્ષણ થાય. ૩૭૨૮ કોઈ પણ સંયોગ જે આપણને પ્રાપ્ત થયો, તેની ફરિયાદ ઊભી
ના થાય તેમ ઉકેલ લાવવાનો છે. ખુશ ના થાય તેનો વાંધો
નથી, પણ ફરિયાદ ના હોવી જોઈએ. ૩૭૨૯ મિશ્ર ચેતન તો, આ જે ચેતન દેખાય છે ને, તે બધાં મિશ્ર
ચેતન જ છે. આ તો ખાલી “રોંગ બિલિફો' બધી પેસી ગઈ છે. બિલિફ એટલે ભગવાનની ‘બિલિફ', તે જેવી તેવી ના
કહેવાય ! ૩૭૩૦ આ બધી પુદ્ગલની સ્થિતિ છે, આત્માની નથી. જગતે
પુગલની સ્થિતિને આત્માની સ્થિતિ માની લીધી છે. આત્મા તો આને જાણ્યા જ કરે છે કે શું થાય છે ને શું નહીં? એને
કશું આની જોડે લેવા ય નથી ને દેવા ય નથી. ૩૭૩૧ અનૈચ્છિક દશા એ જ મોક્ષ. દશા પરિપક્વ થયે સ્વદશા પ્રાપ્ત
થાય. ‘વ્યુ પોઈન્ટ'માં જે દેખાય છે, તેમાંનું ‘સેન્ટરમાં કશું જ દેખાય નહીં. “સેન્ટર’વાળાને તો બધા “વ્યુ પોઈન્ટ'ની
સમજ પડી જાય. ૩૭૩૨ મોક્ષ એટલે છેલ્લી સ્વાભાવિક દશા.
૩૭૩૩ મોક્ષ એટલે ક્યારેય પણ કર્મનું ચોંટવાપણું ના રહેવું તે. ૩૭૩૪ અહંકારની નિવૃત્તિ, એનું નામ મુક્તિ. ૩૭૩૫ ક્રિયાઓ શેને માટે છે? બધું આ સંસારમાં ઊર્ધ્વગતિ માટે છે.
પણ જેને મોક્ષ સિવાય બીજું કશું જોઈતું નથી, તેણે આ
ક્રિયાઓની ભાંજગડમાં પડવા જેવું નથી. એ તો દ્રષ્ટિરાગ છે. ૩૭૩૬ જીવતાં મોક્ષ એટલે ભયંકર ઉપાધિમાં સમાધિ રહે તે. ૩૭૩૭ “પ્રોબ્લેમ' ઊભા ના થાય, એનું નામ મુક્તિ. અત્યારે મને
ગાળો ભાંડો તો મને ‘પ્રોબ્લેમ ઊભો ના થાય ને તમારે ઊભો થાય, કારણ કે તમે બંધાયેલા છો, અજ્ઞાનના દોરડાથી.
એ દોરડું “જ્ઞાની પુરુષ' તોડી આપે. ૩૭૩૮ ભગવાને મોટામાં મોટું કર્મ કર્યું કહ્યું? રાત્રે ‘હું ચંદુલાલ છું'
કહીને સૂઈ ગયા અને પછી આત્માને કોથળામાં પૂર્યો, તે
મોટામાં મોટું કર્મ ! ૩૭૩૯ આત્મા દેખાતો નથી પણ કર્મફળ દેખાય છે. ૩૭૪૦ કર્મફળ આવે તેમાં ‘ટેસ્ટ' પડે એટલે તેમાં તન્મયાકાર થઈ
જાય, તેનાથી ભોગવવું પડે. ૩૭૪૧ કર્મ ઉદય કોને કહેવાય? જે ઢસડીને લઈ જાય છે. સંજોગોના
સકંજામાં આવી જાય ને જવું પડે છે. રાજીખુશીથી જાય, તેને કર્મ ઉદય ના કહેવાય. કર્મ ઉદયમાં પોતાની ઇચ્છાપૂર્વકનું ના હોવું જોઈએ. પોલીસવાળો મારીને માંસાહાર કરાવે તેવું હોવું
જોઈએ. ૩૭૪૨ કર્મ એ સંયોગ છે, ને વિયોગી એનો સ્વભાવ છે. ૩૭૪૩ જ્યાં આપણું ચીકણું હોય ત્યાં આપણને ચીકણાં કર્મોનો ઉદય
આવે અને તે આપણી ચીકાશ છોડાવવા આવે છે. બધો જ
Page #204
--------------------------------------------------------------------------
________________
તે સિવાયની ભજના બધું પ્રાકૃત સત્ય છે. ૩૭૫૩ આપણે તો આત્માના ગ્રાહક છીએ. બીજું બધું એની મેળે
આવ્યા જ કરે. ઈચ્છા જ ના કરવી પડે. ઇચ્છા કરવા જેવો હોય તો એકલો આત્મા. બાકી આ બધો એંઠવાડો ! આમાં
શી ઇચ્છા ?! ૩૭૫૪ જેને ઇચ્છા હોય તેને દેખાય નહીં, કારણ ઇચ્છાનું આવરણ
હોય. ૩૭૫૫ યાદ આવે તેનું પ્રતિક્રમણ કરવું. ઇચ્છા થાય તેનું પ્રત્યાખ્યાન
આપણો હિસાબ છે. ૩૭૪૪ કર્મ બાંધતી વખતે યાદ ના રહે છે પરિણામ આ આવશે.
‘સ્વરૂપનું જ્ઞાન’ હોય તો જાગૃતિ રહે. ૩૭૪૫ કર્મ બંધાતાં બંધ નહીં થાય ત્યાં સુધી ભગવાન ભેગા નહીં
થાય ! ૩૭૪૬ અજ્ઞાનીને જ્યાં જાય ત્યાં કર્મ બંધાય. “જ્ઞાની'ને જ્યાં જાય
ત્યાં કર્મ છૂટે. ૩૭૪૭ ઉલ્લાસે બાંધેલાં કર્મ પશ્ચાતાપ કરીને નાશ પામે. ૩૭૪૮ અત્યાર સુધી માણસો રઘવાટમાં પડ્યાં હતાં. હવે કર્મો
રઘવાટમાં પડ્યાં છે ! ૩૭૪૯ કર્મ બાંધવાનો અધિકાર મનુષ્યોને જ છે, બીજા કોઈને નથી.
અને જેને બાંધવાનો અધિકાર છે તેને ચારેય ગતિમાં રખડવું
પડે છે. ૩૭૫૦ કર્મો કેટલા પ્રકારનાં છે ? જેટલાં મનુષ્યો એટલાં કર્મ.
નિર્વિકલ્પ એક અને વિકલ્પો પાર વગરના છે. જેટલાં વિકલ્પો
છે એટલાં કર્મો છે. ૩૭૫૧ જે “વસ્તુ છે તેનો વિકલ્પ આવે. નથી તેનો વિકલ્પ શી રીતે
આવે? ‘આ છે' એ “રોંગ બિલિફ' એટલે વિકલ્પો આવે છે. રોંગ માન્યતા’ કાઢી નાખે કે “નથી જ' તો એનો વિકલ્પ કેમ આવે? જે જે માન્યું છે એ બધી “રોંગ બિલિફ” છે. “રાઈટ
બિલિફ' થાય એટલે કશું જ રહેતું નથી. ૩૭૫૨ જગત નિરંતર પ્રકૃતિને જ પૂજે છે. એક ક્ષણ પણ આત્માને
પૂજે તો કામ થાય. પોતે વિકલ્પી તે નિર્વિકલ્પીને શી રીતે ભજે ? પોતે નિર્વિકલ્પી થાય ત્યારે આત્માની ભજના થાય.
૩૭૫૬ ઇચ્છાઓ પૂરી ક્યારે થશે ? શુદ્ધાત્મા થાય ત્યારે ! આ
ઇચ્છાઓનો સમુદ્ર છે. એક ઇચ્છા પૂરી થાય ત્યારે બીજી શરૂ
થાય ! ૩૭૫૭ મોક્ષની ઇચ્છા કરવાથી બીજી બધી ઇચ્છાઓ છૂટી જાય છે ! ૩૭૫૮ જે ઇચ્છામાં કોઈ પણ પ્રકારનો મેલ નથી, કોઈની પાસે
લેવાની બિલકુલ ઇચ્છા નથી, તે નિર્ભેળ ઇચ્છા કહેવાય. તે
ઇચ્છા ફળીભૂત થાય. ૩૭૫૯ જે થવાનું હોય તેની પહેલાં ઇચ્છા થાય. અંતરાય તૂટે એટલે
પોતાની ઇચ્છા પ્રમાણે ભેગું થાય. ૩૭૬૦ ‘જ્ઞાની પુરુષ'ને એટલા બધા અંતરાય તૂટી ગયેલા હોય કે
દરેક વસ્તુ સામેથી આવીને પડે ! અંતરાય અહંકારને લીધે
પડે છે, “હું કંઈક છું' એનાથી. ૩૭૬૧ જેનો વિચાર ના આવે, તે વસ્તુ તમારે ત્યાં હાજર હોય અને
જેના બહુ વિચાર આવે તે તમારે ત્યાં હાજર ના થાય. જેટલાં માટે વિચાર ના આવે તેટલાંનું જ કુદરત સંભાળી લે છે અને
Page #205
--------------------------------------------------------------------------
________________
જેનાં વિશે બહુ વિચાર આવે છે તેનું કુદરત નથી સંભાળતી. ૩૭૬૨ વિકલ્પી થાય એટલે જવાબદાર થાય. જવાબદાર થાય એટલે
કુદરત ફટકો અવશ્ય આપે જ. કુદરત કોઈને દુઃખ આપતી
નથી. કુદરત તો બધાને “હેલ્પફુલ' જ છે ! ૩૭૬૩ સરકારી ગુના દાર્શનિક પુરાવાવાળા હોય, ને કુદરતના ગુના
“સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સવાળા' હોય. ૩૭૬૪ કુદરતી રચના કોને કહેવાય કે જે સંયોગી પદાર્થ હોય ! ૩૭૬૫ કુદરત એટલે સ્વાભાવિક. ૩૭૬૬ આ કુદરતનો ગહન કોયડો છે. એનાથી કોઈ છૂટેલો નહીં,
ને જે છૂટેલાં તે કહેવા રહેલાં નહીં. એક “હું” “કેવળ જ્ઞાન'માં
નાપાસ થયો, તે કહેવા રહ્યો છું ! ૩૭૬૭ “અવસ્થા માત્ર કુદરતી રચના છે' એવું જયારે ‘ફીટ' થશે
ત્યારે આત્મજ્ઞાન ઉત્પન્ન થશે. ૩૭૬૮ “કેવળ જ્ઞાન'ની વ્યાખ્યા શી ? “કેવળ અજ્ઞાન'ની વ્યાખ્યા
પહેલી શી ? “કેવળ અજ્ઞાન નો જથ્થો છે. એની “સ્લાઈસ’ પાડીએ તો એકુંય “સ્લાઈસ' પ્રકાશ ના આપે અને જો “કેવળ જ્ઞાન'ના જથ્થાની “સ્લાઈસ’ પાડીએ તો એકુંય “સ્લાઈસ'
અંધકાર આપે તો કહેજે. ‘એકેએક સ્લાઈસ' પ્રકાશ આપશે.” ૩૭૬૯ બુદ્ધિ-મતિનો જ્યાં “એન્ડ' (અંત) થાય ત્યાં “કેવળ જ્ઞાન’
થાય ! ૩૭૭૦ પાંચેય ઇન્દ્રિયો ‘રેગ્યુલર’ હોય તો કેવળ જ્ઞાન' થાય.
ઇન્દ્રિયો બુટ્ટી થઈ ગઈ હોય તો તે ના થાય. ૩૭૭૧ “કેવળ જ્ઞાન’ એ કરવાની વસ્તુ નથી. કરવાનું એ સંસાર છે.
કેવળ જ્ઞાન’ એ જાણવાનું છે.
૩૭૭૨ કેવળ આત્મ પ્રવર્તન, એનું નામ “કેવળ જ્ઞાન'. દર્શન-જ્ઞાન
સિવાય બીજું કોઈ પ્રવર્તન નહીં, એનું નામ “કેવળ જ્ઞાન. ૩૭૭૩ “જ્ઞાની'ની કૃપાથી બધું થાય, કૃપાથી “આત્મજ્ઞાન' થાય. ૩૭૭૪ શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું હોય તો દેહ સાથે મુક્તિ થાય
ને જ્ઞાનપણે “કેવળ જ્ઞાન' થાય તો મોક્ષ થાય ! શ્રદ્ધાપણે
કેવળ જ્ઞાન' એટલે “કેવળ દર્શન !” ૩૭૭પ કેવળ આત્માની જ જેને શ્રદ્ધા છે એ કેવળ દર્શન’ છે ! ૩૭૭૬ આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે તે જગતને પોસાય
થા ના પણ પોસાય, છતાં હું કંઈ જ કરતો નથી એવો જે
નિરંતર ખ્યાલ રહેવો એ “કેવળ દર્શન’ છે ! ૩૭૭૭ આત્મદશા બધા મનુષ્ય માત્રમાં એકસરખી જ હોય છે, પણ
દેહદશા જેટલી પારદર્શક થઈ હોય તેટલી આત્મદશા વ્યક્ત
થાય, અજવાળું આપે ! ૩૭૭૮ દેહદશા દરેકની જુદી જુદી હોય. મનુષ્ય માત્રનાં પરિણામ
જુદાં જુદાં હોય છે. આત્મદશા બધાંની એક જ પ્રકારની. ૩૭૭૯ શ્રદ્ધા એ દેહગુણ નથી, આત્મગુણ છે. ૩૭૮૦ જેને લાગણી ઊભી થાય એમાં ચેતન છે. જેમાં લાગણી નથી,
કશી અસર થતી નથી તે જડ છે, આત્મા નથી. ૩૭૮૧ “જ્ઞાન' છે ત્યાં ચેતન છે. જ્યાં “જ્ઞાન' નથી ત્યાં ચેતન નથી,
જડ છે. ૩૭૮૨ આ જગતમાં “જ્ઞાની પુરુષ' એક જ નિમિત્ત છે કે જે જડને
ને ચેતનને છૂટું પાડી શકે ! ૩૭૮૩ સદ્અસનો વિવેક જ સમજવાનો છે કે પુદ્ગલ અસ છે,
આત્મા સદ્ છે, અવિનાશી છે. આપણે અવિનાશીએ
Page #206
--------------------------------------------------------------------------
________________
વિનાશીની ચિંતા કરવાની હોય નહીં.
૩૭૮૪ પુદ્ગલ જોડે એકતા કરી એટલે પુદ્ગલ વિનાશી છે તો ‘આપણે’ ય વિનાશી થવું પડે. ‘પોતે’ જો પુદ્ગલથી જુદો રહે તો અવિનાશી છે, પોતાનું અમરત્વ માલૂમ પડી જાય. કર્તાપણાના ભાનથી પુદ્ગલ જોડે એકતા થઈ જાય છે.
૩૭૮૫ વિનાશી વસ્તુની મુદત હોય, અવિનાશી વસ્તુની મુદત હોય નહીં. વિનાશીને વિનાશી સમજનારો ‘અવિનાશી' હોય !
૩૭૮૬ ચૈતન્ય અવિનાશી છે ને અચેતન પણ અવિનાશી છે, પણ ચૈતન્ય તત્ત્વ સ્વરૂપે જાણવાનું, ને તત્ત્વ સ્વરૂપે અવિનાશીપણું સમજવાનું છે !
૩૭૮૭ ચેતનમાં હલનચલન કરવાનો ગુણ જ નથી. આત્મા
હલનચલન કરે તો તે થાકી જાય, તેને સૂઈ જવું પડે. એટલે એનો ‘એન્ડ’ (અંત) આવી ગયો કહેવાય ! આત્મામાં બોલવાનો ગુણ નથી. બોલવાનો ગુણ હોય તો તો બોલી બંધ થઈ જાય. આત્માના ગુણ તો ‘પરમેનન્ટ' હોય. આ ‘ટેમ્પરરી’ ગુણ, ‘રિલેટિવ’ ગુણ એ ‘રિલેટિવ આત્મા’ના છે. ‘રિયલ આત્મા’ ને ‘રિલેટિવ’ આત્મા બે છે.
૩૭૮૮ જગતમાં ઉપાદાન બધાં બહુ જાતનાં છે. પણ છેલ્લામાં છેલ્લું ઉપાદાન, મોક્ષનું ઉપાદાન પોતાનું સ્વરૂપ શુદ્ધાત્મા છે !
૩૭૮૯ આત્માનો ખરો અર્થ ‘સેલ્ફ’ - સ્વજાતિ છે.
૩૭૯૦ (૧) ધર્માધર્મ આત્મા - અધર્મને ધક્કા મારે ને ધર્મને સંઘરે, એ સંસારફળ આપે. (૨) જ્ઞાનઘન આત્મા - એટલે ‘રિયલ અને રિલેટિવ'નું જ્ઞાન હોય તે. (૩) વિજ્ઞાનઘન આત્મા - એટલે એબ્સોલ્યૂટ (કેવળ). અમે ‘વિજ્ઞાનઘન આત્મા’માં
બેઠેલા છીએ.
૩૭૯૧ આત્મા પોતે જ પરમાત્મા છે. એ તપ સ્વરૂપ નથી, જપ સ્વરૂપ નથી. આ બીજી બધી કલ્પનાઓ છે. ‘સ્વરૂપનું ભાન' થાય ત્યાર પછી જ આ બીજા બધા સંયોગો બંધ થઈ જાય.
૩૭૯૨ જે બધું જોવામાં આવે છે તે બધી અધાતુની ક્રિયા છે. જો ધાતુની ક્રિયા જોવામાં આવે તો ધાતુ શું છે તે સમજાય.
૩૭૯૩ ક્રિયાઓમાં જ્ઞાન હોતું નથી, ને શાનમાં ક્રિયા હોતી નથી. બન્નેય જુદા સ્વભાવનાં છે !
૩૭૯૪ જેટલાં પ્રકારના જીવો છે, તેટલાં આત્મા છે, દરઅસલ આત્મા છે ! આ જે દેખાય છે તે એકુંય આત્મા ન હોય. આ બધા ‘મિકેનિકલ’ આત્મા છે. એ સાચું ચેતન નથી.
‘ડિસ્ચાર્જ’ ચેતન છે !
૩૭૯૫ અમે ‘ડિસ્ચાર્જ’ થતી વસ્તુઓને ટેકો ના આપીએ. તમે ડિસ્ચાર્જ થતી વસ્તુઓને ટેકો આપો છો. તે ટેકો આપવાથી ફરી ‘ચાર્જ’ થાય છે. એ ‘ચાર્જ’ થાય છે એ જ સંસારની અધિકરણ ક્રિયા છે ! બહુ ગૂઢ ‘સાયન્સ' છે આ ! આ ‘સાયન્સ’ બધું આપણે સમજવું તો પડશે ને ?!
૩૭૯૬ અહંકારની હાજરીથી નિરંતર ‘ચાર્જ' થયા જ કરે છે. ‘આ મેં કર્યું’ બોલે કે ‘ચાર્જ’ થયું ! ‘આ વીંટી મારી' બોલ્યો કે ‘ચાર્જ’ થયું !
૩૭૯૭ જડમાં ‘મમત્વ ચેતન’ છે, જીવમાં ‘અહંકાર ચેતન' છે ! ૩૭૯૮ આત્માની અવસ્થાને જીવ કહ્યો, ને પરમેનન્ટ’ એ આત્મા
છે. જીવે-મરે એ જીવ ! જેને ‘જીવવું છે’ એવું ભાન છે, ‘હું મરી જઈશ' એવું ય ભાન છે, એ અવસ્થાને જીવ કહ્યો ! ૩૭૯૯ આ ચંદ્રમા બીજ, ત્રીજ........ પૂનમ દેખાય છે તે શું છે ? એ એનાં ‘ફેઝિઝ’ (અવસ્થાઓ) છે ! ચંદ્ર તો તેનો તે જ છે !
Page #207
--------------------------------------------------------------------------
________________
એવું તમે આત્મા છો, ને બીજું બધું ‘ફેઝિઝ’ છે. આ ‘ફેઝિઝ’ છે તે લોકો માટે છે કે આ ચંદુભાઈ છે. ચંદ્ર કંઈ બીજ થયો ? એ કંઈ કપાયો ? એ તો ચંદ્ર જ છે ! આ તો ફેઝિઝ ઓફ ધ મૂન, એવાં ફેઝિઝ ઓફ ધ મેન છે !
૩૮૦૦ જીવે અને મરે એ જીવ ને અમરપદ પ્રાપ્ત કરે એ આત્મા ! આત્મા એ ‘સેલ્ફ’ છે ને આ રિલેટિવ સેલ્ફ છે. જીવ તો અવસ્થા છે.
૩૮૦૧ જીવને વિનાશી ચીજોમાં શ્રદ્ધા છે. વિનાશી ચીજોનો જ એને ભોગવટો છે ને પરમેશ્વરને અવિનાશી ચીજમાં શ્રદ્ધા છે, અવિનાશીનો જ ભોગવટો છે.
૩૮૦૨ ભગવાને ખરી વિરાધના કોને કહી ? ‘જ્ઞાન'ની વિરાધના કરશે, તે વિરાધક કહેવાશે. અજ્ઞાનની વિરાધના કરનાર આરાધક કહેવાશે.
૩૮૦૩ અમે અજ્ઞાનની વિરાધના કરીએ છીએ. જ્ઞાનની વિરાધના તો
એક ક્ષણ પણ અમારે ના હોય. અમે જ્ઞાનની આરાધના કરાવવા માટે આવ્યા છીએ ! જ્ઞાન એ જ આત્મા છે ! જ્ઞાન એ જ પરમાત્મા છે ! જ્ઞાન એ જ તીર્થંકર છે ! જ્ઞાન એ જ સિદ્ધ છે ! એટલે જો જ્ઞાનની વિરાધના થઈ તો તીર્થંકરોની વિરાધના થઈ, સિદ્ધની વિરાધના થઈ, પરમાત્માની વિરાધના થઈ ! જ્ઞાનની વિરાધના થઈ, તેની જુઓ ને કેવી દશા થઈ !
૩૮૦૪ ખોટાની ય વિરાધના ના કરવી. તમારે આરાધના ના કરવી
હોય તો ના કરો. સામાનું એ ‘વ્યુ પોઈન્ટ’ છે, ખોટું નથી. તમને ના પોસાય તો ના કરો. વિરાધના સાચાની ય ના કરવી ને ખોટાનીય ના કરવી. વિરાધના માત્ર દુ:ખદાયી છે. ૩૮૦૫ ધર્મની વિરાધના એટલે કોઈ જીવને કિંચિત્માત્ર દુ:ખ દેવાનો ભાવ થવો તે.
૩૮૦૬ સંસારમાં જે દુઃખ પડે છે, તે આપણાથી ધર્મની વિરાધના થવાથી થાય છે.
૩૮૦૭ આરાધના કોનું નામ ? જેની આરાધના કરી, એની ક્યારેય વિરાધના ના થાય, ભલે જીવન-મરણનો પ્રશ્ન હોય ! આરાધના એટલે આરાધના.
૩૮૦૮ આ ઊંધું જ્ઞાન મળે છે, તેનાથી તૃષ્ણા થાય છે અને આ ઊંધા જ્ઞાનની આરાધના કરો છો, તેનાથી આ બધાં દુઃખો છે !
૩૮૦૯ અજ્ઞાનતા એ જ હિંસક ભાવ છે. જ્ઞાન એ જ અહિંસક ભાવ છે.
૩૮૧૦ દર્શન કોનું નામ ? કૈફ ઉતારે. કોઈ પણ સ્થિતિમાં પેટનું પાણી ના હાલે તે ‘જ્ઞાન'.
૩૮૧૧ ‘ડીપ્રેશન’ આવે જ નહીં, એનું નામ જ્ઞાનની પૂર્ણાહૂતિ. ૩૮૧૨ ‘સેબોટેજ’ (ભાંગફોડ) કરે એ અજ્ઞાન. ‘હેલ્પ’ (નિવારણ) કરે એ જ્ઞાન.
૩૮૧૩ ઇન્દ્રિયજ્ઞાન સીમિત છે, અતીન્દ્રિય જ્ઞાન અસીમિત છે. ૩૮૧૪ જે અવિનાશી તત્ત્વો છે તે દિવ્યચક્ષુગમ્ય છે, ને બીજી બધી વિનાશી ચીજો ઇન્દ્રિય પ્રત્યક્ષ છે.
૩૮૧૫ ઇન્દ્રિય પ્રત્યક્ષમાં બુદ્ધિ છે ને અતીન્દ્રિય પ્રત્યક્ષમાં ‘જ્ઞાન’ છે. ૩૮૧૬ આ સંસારની સર્વ જંજાળો ઇન્દ્રિય પ્રત્યક્ષ છે, ‘શુદ્ધ ચેતન’ અતીન્દ્રિય પ્રત્યક્ષ છે !
૩૮૧૭ આત્મા સિવાય બીજું બધું પૂરણ-ગલન છે. દેહ પણ પૂરણ
ગલન છે. દેહ ગલન થતો થતો છેલ્લે સ્ટેશને જાય છે ! ૩૮૧૮ દેહની બધી ક્રિયાઓમાં અજ્ઞાનીનો આત્મા પણ જુદો રહે તેમ
Page #208
--------------------------------------------------------------------------
________________
છે. અહીં જમતો હોય પણ પોતે હોય “ઓફિસમાં ! મનની
ક્રિયામાં ને વાણીની ક્રિયામાં છૂટો ના રહી શકે ! ૩૮૧૯ આત્મશક્તિનું લીકેજ બોલથી છે, ક્રિયાઓથી નહીં. ૩૮૨૦ પરાઈ શક્તિને પોતાની માને છે, એનું નામ ભ્રાંતિ. ૩૮૨૧ એક આત્મામાં આખા બ્રહ્માંડને આંગળી પર ઊંચકવાની
શક્તિ છે ! જેમ જેમ પ્રગટ થાય તેમ તેમ અનુભવમાં આવે. ૩૮૨૨ આપણી પાસે શું છે એ જોવાનું છે, શું નથી એ જોવાનું નથી ! ૩૮૨૩ જ્યાં સુધી ‘ઇગોઇઝમ’ છે ત્યાં સુધી આત્માની પ્રત્યક્ષ શક્તિ
મળતી નથી. ૩૮૨૪ આત્માની શક્તિ વ્યક્ત થઈ જાય, પછી બહારની કશી
માથાકૂટ જ કરવાની ના રહે. ખાલી મહીં વિચાર જ આવે કે તે પ્રમાણે બહાર બધું એની મેળે થઈ જાય. ‘વ્યવસ્થિત બધું કરી નાખે.' પેલા રાજા કરતાં ય આત્માનો વૈભવ ઘણો
ઊંચો છે ! આ તો ભગવાનપદ છે ! ૩૮૨૫ આત્માની બે જાતની શક્તિ એક સ્વક્ષેત્રમાં રહે તો પોતાની
સ્વશક્તિ ઉત્પન્ન થાય ને બીજું, બહાર હોય તો વિભૂતિ
શક્તિ ઉત્પન્ન થાય ! ૩૮૨૬ આત્માની અનંત શક્તિ છે ! તમે આત્મા જાણ્યા પછી
આત્મામાં એકતાર થાવ તો તે પ્રગટ થાય. ૩૮૨૭ આત્માની તો અનંતશક્તિ છે. જેટલી બાજુએ શક્તિ ફેરવવી
હોય તેટલી બાજુએ ફરે તેમ છે ! એને ફેરવનાર જોઈએ. કરોડો બાજુએ ફેરવી શકાય ! જો પોતે ગૂંચાય કે “આટલી બધી ભાંજગડ આવી, હવે શું થશે, શું થશે' કહે તો શું થઈ જાય? કંઈનું કંઈ થઈ જાય ! કૈકેયીએ કર્યું હતું ને ?!
૩૮૨૮ એક એક માણસમાં અનંત શક્તિ છે, પણ ઘઉં-બાજરીમાં
વેડફાય છે ! ૩૮૨૯ આપણે બળવાન થવાનું નથી, નિર્બળતા કાઢવાની છે. તમે
પોતે જ અનંત શક્તિના ધણી છો ! સુખે ય બહાર ખોળવાનું
નથી, મહીં અપાર છે ! ૩૮૩૦ ભગવાન ભગવાન જ છે ! અનંત શક્તિ છે !! અનંતુ સુખ
છે ! અનંતુ જ્ઞાન છે ! અનંતુ દર્શન છે ! અનંતા ગુણો છે ! અનંત શક્તિ છે એમની પાસે !! ભગવાન પાસે જો આટલી બધી અનંત શક્તિ ના હોતને તો આ મોક્ષે ના જવા દેત. આ જે અનાત્માની માયા છે તે ભગવાનના બાપને ય મોક્ષે ના
જવા દે ! પણ ભગવાને ય અનંત શક્તિવાળા છે ને ! ૩૮૩૧ “મોક્ષે જતાં વિઘ્નો અનેક પ્રકારનાં હોવાથી તેની સામે “શુદ્ધ
ચેતન’ અનંત શક્તિવાળો છે !' આ તો માયાનાં વિદ્ગો છે !! ૩૮૩૨ આત્મામાં એટલી બધી શક્તિ છે કે ભીંતમાં પ્રતિષ્ઠા કરે તો
ભીત બોલે તેમ છે ! ૩૮૩૩ આત્મા નિર્ગુણ છે એટલે જ્યાં આગળ પ્રકૃતિનો એક પણ ગુણ
રહ્યો નથી. ૩૮૩૪ સગુણ એટલે દેહધારીરૂપે પરમાત્મા આવ્યા હોય, તે સગુણ
પરમાત્મા ! ૩૮૩૫ આત્મા અરૂપી છે. આ આંખથી દેખાય છે, એ તો બધી ભ્રાંતિ
છે. ખરું ‘દિવ્યચક્ષુ'થી દેખાય કે “આ ભગવાન ને આ ભગવાન નહીં.” બે ભાગ જુદા દેખાય. ભગવાન અમૂર્ત છે. એટલે આંખથી, રૂપી વસ્તુથી એ દેખાય નહીં. ભગવાન
અરૂપી જ્ઞાનથી જણાય, ચારિત્રથી ઓળખાય. ૩૮૩૬ આત્મા અરૂપી છે ને રૂપી ય છે. એકલું રૂપી બોલશો તો ખોટો
Page #209
--------------------------------------------------------------------------
________________
ઠરશે. દેહની અપેક્ષાએ રૂપી છે ને ખરેખર અરૂપી છે. એકનો
આગ્રહ કર્યો તો ખોટો ઠરશે. “જ્ઞાન” થાય તો અરૂપી છે. ૩૮૩૭ “જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે કશાને અડતું જ નથી,
નિર્લેપ રહે છે ! અજ્ઞાન જોડે ય જ્ઞાન નિર્લેપ રહે છે. ક્રિયામાં
ય જ્ઞાન ભેગું થતું નથી, નિર્લેપ જ રહે છે ! ૩૮૩૮ લેપાયમાન ભાવોમાં નિર્લેપ રહે તે મોક્ષ છે ! ૩૮૩૯ જેને કંઈ પણ વેદના થાય છે, તે આપણો ભાગ નથી.
આપણા ભાગમાં વેદના નામનો ગુણ જ નથી. ૩૮૪૦ જે ભાગ “ડીપ્રેસ' થાય છે, તે ‘આપણો' ન હોય. જે ભાગ
એલિવેટ' થાય છે, તે ભાગ “આપણો’ ન હોય. જે ભાગ ઠાઠડીમાં જાય છે. તે ભાગ આપણો ન હોય. આ જગતમાં જે જન્મેલાં તે બધાની રેવડી દાણાદાણ થઈ ગયેલી. એવાં જગતમાં તે કંઈ પડી રહેવાતું હશે ? આ જગત જોડે કંઈ લેવા
દેવા નથી. ‘એબ્સોલ્યુટ' (કેવળ) થયા વગર કામ થશે નહીં. ૩૮૪૧ ભગવાને તેથી કહેલું કે, આત્મજ્ઞાન જાણો. આત્મજ્ઞાન અને
કેવળ જ્ઞાન'માં બહુ લાંબો ફેર જ નથી. આત્મજ્ઞાન જાણ્યું
એ “કારણ કેવળ જ્ઞાન’ છે ને પેલું કાર્ય કેવળ જ્ઞાન” છે ! ૩૮૪૨ આત્મા એ તો “જ્ઞાન સ્વરૂપી’ છે ! ‘કેવળ જ્ઞાન સ્વરૂપી' છે !
બીજું કશું જ નથી !! ૩૮૪૩ “આત્મા’ એમ પમાય એવો જ નથી. અનંત ‘પ્રાકૃત'
અવસ્થાઓમાંથી “પોતે' બહાર જ નથી નીકળતો, તો તે
આત્મા' કેમ કરીને પામી શકે ?!! ૩૮૪૪ કોઈ પણ ક્રિયા થાય તો તેનું પૃથક્કરણ કરીએ તો, ચિત્તનો
ભાગ આટલો છે, અહંકારનો ભાગ આટલો છે, ઇન્દ્રિયોનો ભાગ આટલો છે, જ્ઞાનેન્દ્રિયોનો ભાગ આટલો છે, તો
આત્માએ શું કર્યું? આત્મા એ તો વીતરાગ' જ છે. એણે તો જોયું ને જાણ્યું ! બધા ભાગ જુદા પાડે તો છેવટે “કેવળ જ્ઞાન’
એકલું જ રહે ! તે કેવળ જ્ઞાનનો ભાગ તે જ આત્માનો ! ૩૮૪૫ સંસારના વિચાર પેસી ગયા છે. એ પાછાં કાઢી નાખે એટલે
કેવળ જ્ઞાન ! જેટલું લીધું એટલું પાછું દીધું તો કેવળ જ્ઞાન !
કેવળ જ્ઞાન એટલે શું? લીધું એટલું દેજો ! વાત જ ટૂંકી ! ૩૮૪૬ સ્વસત્તા પરસત્તામાં બિલકુલ પ્રવેશ ના પામે, એનું નામ
એબ્સોલ્યુટિઝમ(કેવળ). સ્વસત્તા પરસત્તામાં પ્રવેશ કરવા જાય તે, થીયરી ઓફ રીયાલિટી (નિરપેક્ષવાદ) અને પરસત્તા
એકલામાં જ વર્તે, તે થીયરી ઓફ રીલેટિવિટી (સાપેક્ષવાદ) ૩૮૪૭ આત્માનું અસ્તિત્વ એ થીયરી ઓફ રીલેટિવિટી, આત્માનું
વસ્તુ એ થીયરી ઓફ રીયાલિટી અને આત્માનું પૂર્ણત્વ એ થીયરી ઓફ એબ્સોલ્યુટિઝમ. ‘અમે’ ‘થીયરમ્ ઓફ
એબ્સોલ્યુટિઝમ'માં છીએ ! ૩૮૪૮ એબ્સોલ્યુટ એટલે સાંસારિક વિચાર જ આવતાં બંધ થયા
હોય. પોતે પોતાના જ પરિણામને ભજે ! ૩૮૪૯ જડમાં કોઈ દિવસ “ચેતન' હોય નહીં ને ચેતનમાં કોઈ દિવસ
જડ હોય નહીં. માત્ર આ શરીર એકલું જ ‘મિશ્ર ચેતન' છે. ચેતન જેવું કામ કરે છે, પણ ખરેખર ચેતન નથી ! વસ્તુત્વનું
ભાન ભેદવિજ્ઞાનથી થાય. જડ અને ચેતનનો ભેદ પડે. ૩૮૫૦ જગતનું રહસ્ય શું છે? ‘ચેતન' બોલતું નથી, સાંભળતું નથી,
કંઈ જ કરતું નથી. આ તો લોકો બોલે છે, સાંભળે છે, કરે છે, એમાં “ચેતન’ સમજી, એમાં ‘ચેતન' ખોળે છે. મન-બુદ્ધિચિત્ત ને અહંકાર બધાં ‘નિચેતન ચેતન' છે, ‘રિલેટિવ' છે ! શાસ્ત્ર તો “નિશ્ચેતન ચેતન’ વાંચે છે અને ‘ચેતનથી તો આખું જગત ગુપ્ત જ રહ્યું છે !
Page #210
--------------------------------------------------------------------------
________________
૩૮૫૧ આ વીતરાગોના “સાયન્સ'ની બહુ ઊંચી શોધખોળ છે ! કેવું
ગૂઢાર્થ ?! અત્યંત ગુહ્ય !!! આ ‘રિયલ” ને આ ‘રિલેટિવ” એનો ભેદ પાડવો, તે “જ્ઞાની પુરુષ' સિવાય બીજા કોઈનું કામ
જ નહીં ને ?! ૩૮૫ર આખા જ્ઞાનનું સરવૈયું શું કહે છે? જો તું ‘રિયલ’ જાણીને
બેઠો હોય તો, ‘રિલેટિવ' તો “સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ' છે. માટે તું જોયા કર. કશું જ તું કરીશ નહીં. જે થતું હોય તે થવા દે. જે ના થતું હોય, તે ના કરીશ. માત્ર
જોયા કર. ૩૮૫૩ તમામ ક્રિયામાત્ર ‘પરસત્તા' છે. ક્રિયામાત્ર ને ક્રિયાવાળું જ્ઞાન
પણ પરસત્તા છે. જે જ્ઞાન અક્રિય છે, જ્ઞાતા-દ્રષ્ટા, પરમાનંદી છે, જે આ તમામ ક્રિયાવાળા જ્ઞાનને જાણે છે, તે આપણી
સ્વસત્તા” છે, તે “શુદ્ધાત્મા” છે. ૩૮૫૪ “મૂળ ‘આ’ ‘લાઈટ' છે' પણ જગતના લોકોએ કહ્યું, ‘તમે
ચંદુભાઈ છો’ ને તમે ય માની લીધું કે “હું ચંદુભાઈ છું' ! એટલે “ઈગોઈઝમ' ઊભો થયો. એ “ઈગોઈઝમ' મૂળ લાઈટનો ‘રિપ્રેઝન્ટેટિવ થયો ! અને એ ‘રિપ્રેઝન્ટેટિવ'ના
‘લાઈટથી જોયું, તે બુદ્ધિ થઈ ! ૩૮૫૫ આ ‘લાઈટ' છે, તેનું આખી રૂમમાં અજવાળું છે, પણ
લાઈટ' તે ત્યાંની ત્યાં જ છે. એવી રીતે વિશ્વમાં અજવાળું
કરે છે ભગવાન પણ ભગવાન ભગવાનની જગ્યાએ છે ! ૩૮૫૬ એક આત્મા છે ને બીજો અહંકાર છે. જેને સાંસારિક
પગલિક વસ્તુ જોઈતી હોય, તેણે અહંકારનું ‘બટન' દબાવવું. ને જેને આત્માનું સુખ જોઈતું હોય, તેણે
આત્મભાવનું બટન' દબાવવું! ૩૮૫૭ તમારું ચિત્રામણ કરનારાં તમે જ છો. આ તમારું ચિત્રામણ
કોઈએ કર્યું નથી. ભગવાન તો મહીં બેઠેલા છે. જ્યાં સુધી ‘તમે તમારા સ્વરૂપને નહીં ઓળખો, ત્યાં સુધી “ભગવાન” જુદો છે. અને “સ્વરૂપને ઓળખશો તો ‘તમે' પોતે જ ભગવાન” છો ! જ્યાં સુધી “સ્વરૂપને ના ઓળખો ત્યાં સુધી ‘તું હી, તું હી' કરવું પડશે અને “સ્વરૂપને ઓળખ્યા પછી
હું હી હું હી’ કરવું પડે ! બધે “હું જ ' ! ૩૮૫૮ સંસાર જે દોષથી ભરેલો છે તે વસ્તુઓના સંસર્ગદોષથી છે !
એ સંસર્ગદોષથી “જ્ઞાની પુરુષ' જુદું પાડી આપે. પછી બન્ને પોતપોતાના ગુણને ભજે. જેમ આ ચકલી અરીસામાં ચાંચો માર માર કરે, તે કાળ પાકે એટલે બંધ થઈ જાય. તેમ અરીસાનો સંસર્ગદોષ લાગવાથી મહીં તમારા જેવાં જ બીજા
‘પ્રોફેસર' દેખાય છે ને ?' ૩૮૫૯ અહીં અરીસાભુવન હોય ને તે આપણે એકલાં ઊભાં હોઈએ
તો દોઢસો દેખાય. એવું આ જગત છે. આ તો વિકલ્પ કરે એટલે દેખાયું. વિકલ્પ કર્યો કે દેખાયું, વિકલ્પના પડઘા પડે
૩૮૬૦ આ અરીસો તો મોટામાં મોટું સાયન્સ છે ! આત્માનું
ફિઝિકલ’ વર્ણન કરવું હોય તો અરીસો જ એક સાધન છે ! ૩૮૬૧ હોળી જોવાથી આંખ ના દાઝે. તેમ આ જ્ઞાન જ્ઞાનમાં રહે છે !
જ્ઞાન દઝાતું જ નથી. એ દેવતામાં પડે તો ય દઝાય નહીં, ગરમ ના થાય, કાદવમાં પડે તો ખરડાય નહીં, વાંદરાની ખાડીમાં પડે તો ગંધાય નહીં ' કાદવ અડે જ નહીં ! આ ખાડીમાં ‘ગાડી'નું ‘લાઈટ’ જાય તો ‘લાઈટ' કાદવવાળું થાય ? ‘લાઈટ' ગંધાય ? ના. તેમ જ્ઞાનનું છે. સ્પર્શ, પણ ખરડાય
નહીં ! ૩૮૬૨ દેહથી આત્મા જુદો જ છે. ગધેડામાં ય આત્મા જુદો છે.
એકાકાર કશું થયું જ નથી. “રોંગ બિલિફ’ને લીધે તન્મયાકાર
Page #211
--------------------------------------------------------------------------
________________
વર્તે છે ! આત્મા તન્મયાકાર થતો જ નથી. માત્ર ‘રોંગ બિલિફ' જ થાય છે કે ‘હું જ છું આ’ ને ‘મને જ અડ્યું' ને ‘આ મારું જ’ ! બસ, આટલું જ તોફાન છે ! તેનાથી આ પરમાત્માની દશા તો જુઓ !
૩૮૬૩ મેં તો દુનિયાની શોધખોળ કરી ; ‘પોતે’ પરમાત્મા થઈને આ
દશા !!! તે ક્રૂર મશ્કરી છે આપણી ! પરમાત્મા થઈને પોલીસવાળો ટૈડકાવે તો આપણે સાંભળ્યા કરવાનું, આમ કરીને ?! ક્રૂર મશ્કરી છે આ તો ! આ મશ્કરી થાય છે તો ય રીસ ચઢતી નથી ? તો ય પાછો શાદી કરવા જાય છે ! અલ્યા, આ તો મશ્કરી છે, મશ્કરી !
૩૮૬૪ ભ્રાંતિ એ જ તારી માયા, એ જ તારો અહંકાર, એ જ તારું અજ્ઞાન ને એ જ તારી બહિર્મુખી દશા !
૩૮૬૫ યથાર્થ સ્વરૂપે આત્મા ‘કેવળ જ્ઞાન સ્વરૂપ’ છે. તેની ‘રોંગ બિલિફ' બેસતાં બેસતાં શી દશા થઈ ગઈ છે તે તો જુઓ ! ‘રોંગ બિલિફ’ કેવી રીતે તો, માસી સાસુનો છોકરો આવે તો ય તરત જ ખબર પડી જાય ! શું થાય હવે ? ‘પડી પટોળે ભાત તે ફાટે પણ ફીટે નહીં !'
૩૮૬૬ આ જગત બધું નૈમિત્તિક છે. આ જગતમાં કોઈ કર્તા થયો જ નથી ને કોઈ કર્તા જન્મ્યો ય નથી. આ ભ્રાંતિથી કર્તા થાય છે, તેનાં કેવાં કેવાં કર્મો ચોંટે છે !
૩૮૬૭ જ્યાં સુધી પોતે કર્તા થાય ત્યાં સુધી ‘કોણ કર્તા છે’ તે સમજાય નહીં અને જે કર્તા છે એ સમજાઈ જાય તો પોતે કર્તા રહે નહીં !
૩૮૬૮ લૌકિક ભગવાન સર્જનહાર છે. અલૌકિક ભગવાન સર્જનહાર નથી.
૩૮૬૯ આ વર્લ્ડમાં કોઈથી એમ કહી શકાય એવું નથી કે ‘આ હું
કરું છું !’ એવો કોઈને હક્ક લાગુ ના થાય. ભગવાનથી પણ એમ ના કહેવાય કે મેં આ બનાવ્યું છે ! ભગવાન ‘મેં બનાવ્યું' કહે તો બીજાં તત્ત્વો કહે કે ‘લે ભઈ, બનાવ ત્યારે બીજી દુનિયા, અમે ખસી જઈએ છીએ.' તે ખસી જાય તો ભગવાન તો આમ લખોટા માર્યા કરે ! હવે બીજાં તત્ત્વો રોફમાં આવી જાય ત્યારે ભગવાન કહે, ‘હું ખસી જઉં છું.’ એટલે પેલાં બીજાં તત્ત્વો કહે, ‘ના ભઈ, આપણા બધાંનો હક્ક છે !' આ તો છ યે તત્ત્વોની ‘ઇકવલ પાર્ટનરશીપ’ (સરખી ભાગીદારી) છે !
૩૮૭૦ કુદરતે એવી કળા મૂકી છે કે આ જગત બંધ થાય જ નહીં. ભગવાનને પણ બંધ કરી દેવું હોય તો ય ના થાય ! એટલે પછી ભગવાને ધીરજ પકડી કે ‘શું બને છે’ એ જોયા કરો. અને જેને છૂટવું હોય તે એવી ધીરજ ધરજો. જેને આ જગત પોષાતું ના હોય, તે શું બન્યા કરે છે તે જોયા કરો તો છૂટશો. ‘અમે’ પણ એવું જ કરીએ છીએ. આવી ફસાયા ભાઈ, આવી
ફસાયા !
૩૮૭૧ જગત આખું નિમિત્ત ભાવે છે, પણ એ નિમિત્ત ભાવે છે એમ બોલી ના શકે ને વર્તી ય ના શકે. અમે નિમિત્ત ભાવમાં જ હોઈએ.
૩૮૭૨ જગત આખું નૈમિત્તિક ભાવે ચાલે છે. નૈમિત્તિક ભાવે એટલે તમે મારા દબાણથી કરો ને હું કોઈના દબાણથી કરું એમ ચાલ્યા જ કરે !
૩૮૭૩ ડુંગર ઉપરથી પથરો પડે, તેને લોક કશું નથી કહેતા ને કોઈ માણસે માર્યું તો બૂમાબૂમ કરી મૂકે છે ! લોકો એવું જાણે છે કે આ માણસ જીવતો છે ! ખરી રીતે બન્ને સરખું જ છે, પણ આ સમજાય નહીં ને ?! આ જ ભગવાનની માયા છે ! એ જ ફસાવે છે ! જ્ઞાનીઓએ આને પ્રકૃતિ કહી. એમાં આત્મા
Page #212
--------------------------------------------------------------------------
________________
નથી. ભીંતની જેમ જ છે ! ૩૮૭૪ દુઃખ શાને આધીન છે ? દ્રષ્ટિને આધીન છે. ‘વસ્તુ' દુઃખદાયી
નથી, ‘પોતે' દુઃખદાયક નથી. ‘બુ પોઈન્ટ'ના આધારે જ દુઃખ છે. આત્મા સ્વભાવથી જ સુખીયો છે. એને દુ:ખ ક્યાંથી
હોય ? આ દેવતાને ટાઢ કેમ વાય ? ૩૮૭૫ દુઃખ કેમ પડે છે ? ઉપાદાનની અજાગૃતિથી. ઉપાદાન જાગૃત
હોય તો દુ:ખ પડે જ કેમ ? આત્મા છેટો જ બેઠો છે. તેને
ખાલી સ્પર્શ જ છે. ૩૮૭૬ ઉપાદાન એ નિજ જાગૃતિ, નિમિત્ત ભાવ એ જ્ઞાની. એનું ફળ
મોક્ષ. ૩૮૭૭ ઉપાદાન ને નિમિત્ત બે ભેગાં થશે ત્યારે છૂટશો અને બંધાયા
ત્યારે ય નિમિત્તથી ! ૩૮૭૮ નિમિત્ત અને ઉપાદાન બે કારણો કોઈ દિવસ ભેગાં થાય નહીં.
બે ‘રેલવે લાઈન' કો'ક દહાડો જ ભેગી થાય. નિમિત્ત એકલાંની ભક્તિ કરે તો દેવગતિ મળે. ઉપાદાન એકલાંની
ભક્તિ કરે તો ય દેવગતિ મળે.. ૩૮૭૯ જ્યારે એકનું અપાદાન થાય ત્યારે બીજાનું ઉપાદાન થાય.
મિથ્યાત્વનું અપાદાન થાય ત્યારે સમકિતનું ઉપાદાન થાય. ૩૮૮૦ “હે દાદા ભગવાન ! તમે તો મોક્ષ લઈને બેઠા છો. અમને
તમે મોક્ષ આપો. નહીં તો અમને નિમિત્ત ભેગું કરી આપો !'
આ પ્રાર્થનાથી આપણું કામ થઈ જાય ! ૩૮૮૧ નિમિત્ત-નૈમિત્તિકના આધારે આ જગત ચાલી રહ્યું છે. એમાં
તમારો ભાવ જોઈએ. ભાવ હોય એટલું બધું ગોઠવાઈ જાય ! ૩૮૮૨ ના ગમતા નિમિત્તને બચકાં ભરે તો તે અધર્મ કહેવાય. ને
નિમિત્તને નિમિત્ત જાણે ને શાંતભાવે રહે તે ધર્મ કહેવાય. ૩૮૮૩ આ ચોરને નિમિત્ત કેવી રીતે મળે ? ચોરને ચોરીની ઇચ્છા
થાય ને એનું પુણ્ય જાગેલું હોય ને આપણા હિસાબના જવાનાં હોય તેથી ગજવું કપાઈ જાય. ચોર તો નિમિત્ત બની જાય. ચોરનું પાપ જાગેલું હોય તો ચાર આના ય ના મળે. નિમિત્ત
બનવામાં ય પાપ-પુણ્યના હિસાબે થાય છે. ૩૮૮૪ કોશિશ કરવાનું તમારા હાથમાં નથી, પણ ભાવ કરવાનું
તમારા હાથમાં છે. કોશિશ કરવાનું બીજાની સત્તામાં છે, ભાવનું ફળ આવે. ખરી રીતે ભાવ પણ પરસત્તા છે. પણ ભાવ
કરો તો તેનું ફળ આવે છે. ૩૮૮૫ તમારા મનના ઉચ્ચ ભાવો હોય તો તે ફળે જ, પણ મનની
ભાવનામાં બીજો કોઈ રોગ હોય તો તે ભાવના ના ફળે. ૩૮૮૬ ફાંસી કરનાર માણસને ‘સ્વરૂપનું જ્ઞાન આપેલું હોય ને એને
ફાંસી ભાગે આવે, પણ એનાં ભાવ ફરેલા હોય તો એને કશું બંધન નથી અને જેનાં ભાવ એવાં છે કે આને ફાંસીએ
ચઢાવવો, તે કોઈને ફાંસીએ ના ચઢાવે તો ય બંધન છે ! ૩૮૮૭ ‘અમે' કોઈ જીવ જોડે ક્યારેય મન ઉગામ્યું નથી. એટલે
માનસિક હિંસા ક્યારેય કરી નથી. ‘અમે’ તલવાર જમીન પર મૂક્યા પછી ક્યારેય ઉઠાવી નથી. સામો શસ્ત્રધારી હોય તો
પણ અમે શસ્ત્ર ધારણ ના કરીએ, મનથી પણ નહીં. ૩૮૮૮ જેને આ જગતથી ભાગી છૂટવું છે, જેને આ જગત અનુકૂળ
આવતું નથી, તેણે તો ‘આ’ જ રસ્તો લેવો પડશે કે “કોઈ
જીવને મનથી પણ ના મારો !' બીજો રસ્તો નથી. ૩૮૮૯ આખું જગત ચાર પ્રકારના ભાવોમાં રમે છે : ૧. હિંસક
ભાવો, ૨. પીડાકારક ભાવો, ૩. તિરસ્કાર ભાવો, ૪. અભાવ
Page #213
--------------------------------------------------------------------------
________________
ભાવો. આ ચાર પગથિયાં ચઢ્યા પછી પાંચમું પગથિયું ભગવાન મહાવીર ચઢ્યા હતા, તે છેલ્લું વીતરાગ વિજ્ઞાન'નું
પ્લેટફોર્મ' છે ૩૮૯૦ હિંસક ભાવ એટલે કંઈ પણ કિંચિત્માત્ર ને હિંસા અથવા
કોઈનું નુકસાન કરવાનું, કોઈની પર ગુસ્સે થવાનું, દુઃખ
દેવાનું, પીડા દેવાનું એવાં ભાવો, તે પહેલાં જવા જોઈએ. ૩૮૯૧ હિંસકભાવ જાય પછી પીડાકારક ભાવ જવા જોઈએ. ઊંચી
નાતમાં હિંસક ભાવો જતા રહ્યા છે અને પીડાકારક ભાવો
રહ્યા છે. આખો દહાડો કષાયો કરે છે ! એ જવા જોઈએ. ૩૮૯૨ પીડાકારક ભાવ જાય પછી તિરસ્કાર ભાવ જવા જોઈએ. મહીં
છૂપા તિરસ્કાર રહે, સામાની ક્રિયા પર તિરસ્કાર આવ્યા કરે
૩૮૯૩ તિરસ્કાર ભાવ જાય પછી ચોથો અભાવ ભાવ જવો જોઈએ.
અભાવ ભાવ એટલે પોતાના દોષ તો ગયેલા હોય પણ સામાની ભૂલને લઈને પોતાને અભાવ આવે. એ કેટલો મોટો ગુનો કહેવાય ? “મહાત્માઓ' ચોથા “સ્ટેજ'માં આવી જવા
જોઈએ. અભાવ ભાવનાં પ્રતિક્રમણ કર્યા કરવાં પડે. ૩૮૯૪ ભગવાન મહાવીર હિંસક, પીડાકારક, તિરસ્કાર ને અભાવ
ભાવનાં ચારેય પગથિયાં ચઢીને છેલ્લા “વીતરાગ વિજ્ઞાનના
પ્લેટફોર્મ પર પહોંચ્યા હતા ! ૩૮૯૫ જગત બંધ થઈ જશે તો? બંધ થાય એવું જ નથી. કારણ કે
જગત સ્વાભાવિક છે. એનો સ્વભાવ જ એવો છે કે નિરંતર ચાલ્યા જ કરે. વડમાંથી બીજ ને બીજમાંથી વડ. લોક કહે છે કે ભગવાન ચલાવે છે. જો કોઈ ચલાવનાર હોય તો વહેલું મોડું બંધ થાય જ. મોક્ષ થાય છે તે ય સ્વભાવથી જ થાય છે ! માટે કશું અટકી જશે, બગડી જશે એવું છે જ નહીં. રામચંદ્રજી
ગયા, કૃષ્ણ ગયા તો યે જગત ચાલ્યું ! આ જગત કોઈએ
બનાવ્યું નથી, આ તો સ્વભાવથી જ ચાલે છે !!! ૩૮૯૬ કોઈ બાપો ય કર્તા આ જગતમાં ઉત્પન્ન થયો નથી. ભગવાન
જો કર્તા થાય તો તેને કર્મ બંધાય. ૩૮૯૭ જગતનિયંતા શક્તિ છે, પણ તે ભગવાન નથી. લોક એ
શક્તિને જ ભગવાન કહે છે. ૩૮૯૮ ભગવાને આ જગત બનાવવામાં કશું જ કર્યું નથી. એ તો
ખાલી નિમિત્ત છે, એમની ખાલી હાજરી જ છે. ભગવાનની
હાજરીને લઈને આ “સાયન્સ' બધું ચાલી રહ્યું છે ! ૩૮૯૯ “સાયન્ટિફિક સિદ્ધાંત શું છે ? ભગવાનની હાજરીથી “રોંગ
બિલિફ’ ઉત્પન્ન થાય છે. ભગવાનની હાજરીથી સંસાર બંધ
થાય છે. ભગવાનની હાજરીથી પરમાત્મપદ ઉત્પન્ન થાય છે. ૩૯૦૦ “કર્તા પોતે છે એમ માનવાથી જગત ઊભું રહ્યું છે ને કર્તા
કોણ છે' એ જાણે તો છૂટે. આ “ભગવાન” કર્તા નથી ને
લોકો’ ય કર્તા નથી. કર્તા તો બીજી શક્તિ છે, જે કામ કરી
રહી છે. અમે એને ‘વ્યવસ્થિત શક્તિ' કહીએ છીએ. ૩૯૦૧ ‘વ્યવસ્થિત' એટલે ? ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ
એવિડન્સ છે ! ૩૯૦૨ અવસ્થા માત્ર કુદરતી રચના છે, તેનો કોઈ બાપો ય રચનાર
નથી અને તે “વ્યવસ્થિત છે. ‘વ્યવસ્થિત' છે તે સ્વાભાવિક છે અને અનંત કાળ સુધીનું છે. કોઈને બનાવવું પડે તેવું આ
છે નહીં. ૩૯૦૩ આ જગતનાં “મૂળ તત્ત્વો’ છે તે “સ્વાભાવિક' છે. તે
‘રિલેટિવ'માં આવે છે ત્યારે ‘વિભાવિક' થાય છે. ૩૯૦૪ ‘એક્ઝક્ટ'માં આ જગતમાં શું છે ? મૂળ “છ વસ્તુઓને
Page #214
--------------------------------------------------------------------------
________________
લઈને આ જગત ઊભું રહ્યું છે ! મૂળ “છ વસ્તુઓ અવિનાશી છે, અને એકમેકનું સંમેલન થવાથી આ બધી અવસ્થાઓ ઊભી થઈ છે. તેનાથી આ આખું જગત દેખાય છે ! અવસ્થાઓ બધી ‘રિલેટિવ' છે, વિનાશી છે, નિરંતર ફેરફાર થનારી છે !
૩૯૦૫ “રિયલ’ એ તો મૂળ સ્વરૂપે અવિનાશી છે અને અવસ્થા
સ્વરૂપે વિનાશી છે. વસ્તુ “પરમેનન્ટ છે અને વસ્તુના પર્યાય ‘ટેમ્પરરી' છે. મનુષ્ય એ પર્યાય છે. ગાય-કૂતરાં-ગધેડાં એ
પર્યાય છે. ૩૯૦૬ પોતે ‘રિયલ' હતો, તે ‘રિલેટિવ” થઈ ગયો. ઘણાં “રીલેશન'
થઈ જવાથી પોતાને ભ્રાંતિ ઉત્પન્ન થઈ. ભ્રાંતિથી ‘હું ચંદુલાલ
છું' કહે છે, એ “ઈગોઈઝમ' કહેવાય. ૩૯૦૭ આખા બ્રહ્માંડમાં છ “પરમેનન્ટ' તત્ત્વો છે. છ તત્ત્વોમાં શુદ્ધ
ચેતન એક છે. બીજાં પાંચમાં ચેતનભાવ નથી, પણ તેમનામાં બીજા અનંત પ્રકારના ગુણધર્મો છે. તે બધાના ગુણધર્મને લઈને આ ‘રિયલ” ને “રિલેટિવ ભાવ” ઉત્પન્ન થયો છે ખાલી. આત્મા તો આત્મા જ રહે છે. નિરંતર ચેતનરૂપે જ રહે છે. એક ક્ષણવાર પણ તે બદલાયો નથી, ખાલી “રોંગ
બિલિફ થાય છે. ૩૯૦૮ “હું ચંદુભાઈ છું' એ વિનાશી છે, તેને પોતાની જાત' માની
બેઠા છો. તમે પોતે' તો સનાતન છો, પણ એ ભાન ઉત્પન્ન
થતું નથી. એ ભાન થાય કે થયો મુક્ત ! ૩૯૦૯ આ જગતમાં કોઈ વસ્તુ વધ-ઘટ થતી નથી. વધ-ઘટ શેની
દેખાય છે ? વસ્તુઓનું સામસામું સંમેલન થવાથી બીજો એવિડન્સ ઊભો થાય છે. એને અવસ્થા કહેવાય છે. અવસ્થા વિનાશી છે, ખાલી આકારનો નાશ થાય છે ને નવા પર્યાય ઉત્પન્ન થાય છે. છતાં એક પરમાણુ વધતું નથી તેમજ એક
પરમાણુ ઘટતું નથી. આ બધું નિયમમાં છે. ૩૯૧૦ સમય વસ્તુ નથી. એક પરમાણુ બીજા પરમાણુને ઓળંગે
ત્યારે ‘સમય’ કહેવાય ! ૩૯૧૧ વસ્તુ પોતે અવિનાશી છે. ‘તમે' પોતે અવિનાશી છો, પણ
તમને તો રોંગ બિલિફ’ છે કે હું ચંદુભાઈ છું એટલે તમે
વિનાશી છો. ૩૯૧૨ “જ્ઞાની પુરુષ' “રોંગ બિલિફ' ફ્રેકચર કરી આપે ને “રાઈટ
બિલિફ' બેસાડી આપે, એટલે ‘તમે તમારા સ્વભાવમાં પેસી જાવ. “રોંગ બિલિફ’ જાય, અહંકાર ફેકચર થાય એટલે “તમે'
ભગવાન” થઈ જાવ ! ૩૯૧૩ “પોતે' પરમાત્મા તો છે જ, પણ પરમાત્માની સત્તા
ક્યારે પ્રાપ્ત થાય ? ભૂલ ભાંગે તો. એ ભૂલ ભાંગતી નથી ને સત્તા પ્રાપ્ત થતી નથી અને લોકોનાં સસરા ને
સાસુ થઈને મઝા માણે છે ! ૩૯૧૪ આત્મા નિરંતર જુદો છે, દેહથી નિરંતર જુદો જ રહે એવો
છે, એવું ભાન થાય ત્યારથી જ પરમાત્મા છે ! ૩૯૧૫ આત્મા ટંકોત્કીર્ણ છે. એટલે એક વસ્તુ બીજી વસ્તુ સાથે
ક્યારેય એકાકાર ના થાય. ભેગી હોવા છતાં, પોતાના
ગુણધર્મ ક્યારેય છોડે નહીં. ૩૯૧૬ વીતરાગોએ કહેલા “રિયલ આત્માને ભાવ જ નથી. વૃત્તિને
ભાવ-અભાવ કહે છે. ખરેખર આત્માને ભાવાભાવ છે જ
નહીં. નહીં તો એનો એ ગુણધર્મ થઈ ગયો કહેવાય. ૩૯૧૭ ઇચ્છાપૂર્વકની વૃત્તિને ભાવ કહેવાય. ભાવ એ જ પુદ્ગલ છે. ૩૯૧૮ આત્મજ્ઞાની પુરુષો જે હોય તે આત્મા-અનાત્માના ભેદ પાડી
આપે. અનાદિકાળથી આત્મા જે “વિભાવ દશામાં છે તેને
Page #215
--------------------------------------------------------------------------
________________
‘સ્વભાવ દશામાં’ કરી નાખે, સ્વભાવ સન્મુખ કરી નાખે. ‘સ્વભાવ સન્મુખદશા’ને આત્મજ્ઞાન કહેવાય ! ત્યાર પછી ક્રોધ-માન-માયા-લોભ ભૂગર્ભમાં જતાં રહે.
૩૯૧૯ જ્યાં સુધી ‘પ્રત્યેક ભાવ' છે ત્યાં સુધી આત્મા પ્રત્યેક છે, ને ‘સ્વભાવ-ભાવ’ છે ત્યાં સ્વભાવે કરીને એક છે.
૩૯૨૦ આત્મા ભાવે ય નથી કરતો ને અભાવે ય નથી કરતો. આત્મા સ્વભાવમય જ છે !
૩૯૨૧ તેથી આ ‘અક્રમ વિજ્ઞાન' એવું છે કે એ બહાર કશામાં હાથ જ ઘાલતું નથી. એ તો કહે છે, તું તારા ભાવમાં, સ્વભાવમાં આવી જા.
૩૯૨ ૨. આત્મા તો તેનો તે જ રહે છે, પણ ખાલી ‘બિલિફ’ બદલાય છે, દ્રવ્ય નથી બદલાતું.
૩૯૨૩ આ રૂપી તત્ત્વ, પુદ્ગલ તત્ત્વને લઈને આ જગત ઊભું થયું
છે ! રૂપી તત્ત્વ જ મૂંઝવે છે ! રૂપી તત્ત્વ આત્માની ‘બિલિફ’ બદલાવે એવું થઈ ગયું છે. આત્મા બદલાતો નથી. ‘કલ્પ’નાં વિકલ્પ થયા. ‘બિલિફ’ જ આ બધું શરીર તૈયાર કરે છે. એમાં ‘બિલિફ' કામ કરતી નથી, એ ‘બિલિફ’થી પરમાણુ ખેંચાય છે. અને પરમાણુ પોતે સ્વાભાવિક રીતે ક્રિયાકારી થાય છે. આંખ-કાન-નાક-દેહ બધું સ્વાભાવિક રીતે થાય છે.
૩૯૨૪ એટલું બધું ગૂઢ ‘સાયન્સ’ છે કે તમે એક ખરાબ વિચાર કરો કે તરત જ આ બહારના પરમાણુ મહીં ખેંચાય છે અને તેનો જેવો હિસાબ બેસે તેવાં જ ફળ આપીને જાય. બહારથી કોઈને ફળ આપવા આવવું પડતું નથી. બહાર ફળ આપનારો કોઈ ઈશ્વર છે જ નહીં !
૩૯૨૫ ખરાબ ભાવ કર્યો કે પરમાણુ એવાં ખરાબ મહીં આવે કે જે
કડવાં ફળ આપે. સારો ભાવ કર્યો તે મીઠાં ફળ આપે અને ભાવાભાવ ના કર્યો, ‘હું શુદ્ધાત્મા છું' થઈ ગયો, તો કર્તા બંધ થઈ ગયો. પછી જૂનાં ફળ આપીને ચાલ્યાં જાય ને નવાં ફળ ના આવે. પરમાણુ જ બધું કરી રહ્યાં છે.
૩૯૨૬ પુદ્ગલ એકલામાં જ ક્રિયાવી શક્તિ છે. પુદ્ગલ એકલું જ સક્રિય છે. બીજાં પાંચ તત્ત્વોમાં ક્રિયાવી શક્તિ નથી. પુદ્ગલની ક્રિયાવી શક્તિને લીધે આ બધા આકાર થઈ જાય છે.
૩૯૨૭ પુદ્ગલનો પૂરણ-ગલન સ્વભાવ જ છે. પૂરણ થાય ને એનું એ જ પાછું ગલન થાય. બરફ પડતો હોય ને મહાવીરની મૂર્તિ જેવું દેખાય, પછી પાછું ગલન થઈ જાય.
૩૯૨૮ જ્યાં ચેતન નથી ત્યાં ય પુદ્ગલની ક્રિયા હોય. લાકડું પડ્યું હોય તે સડ્યા જ કરે. પુદ્ગલ સ્વભાવથી જ ક્રિયાવાન છે. ૩૯૨૯ આત્માને ક્રિયાવાન કહ્યો, ત્યાંથી જ ભ્રાંતિ ઊભી થઈ ગઈ ! ૩૯૩૦ સ્વાભાવિક આત્મા કેવો છે ! ‘અક્રિય છે.’ શરીરમાં ય એ
સ્વાભાવિક જ છે. જરાય વિભાવિક થયો નથી. આત્મામાં વિભાવિક થવાની શક્તિ જ નથી. જે ‘મેં’ આત્મા જોયો છે, તેમાંથી કોઈ દહાડો ફેરફાર થયેલો મેં જોયો નથી.
૩૯૩૧ જ્ઞાનક્રિયા ને દર્શનક્રિયા એ આત્માની સ્વાભાવિક ક્રિયા કહેવી હોય તો કહેવાય. બીજાં દ્રવ્યો ય પોતાની સ્વાભાવિક ક્રિયામાં હોય.
૩૯૩૨ મન-વચન-કાયા સહજ સ્વભાવે ક્રિયાકારી છે. તે બધું કર્યા જ કરે છે ને સહજ સ્વભાવે આત્માનું જ્ઞાન-દર્શન ક્રિયાકારી છે. આ બધી વસ્તુઓ પડી હોય તો તેને આત્મા સહજ સ્વભાવે જોયા જ કરે, જાણ્યા જ કરે !
Page #216
--------------------------------------------------------------------------
________________
૩૯૩૮ પુદ્ગલ વસ્તુ સમજાય એવી નથી. એ તો “જ્ઞાની’ વગર બીજું
કોઈ ના સમજી શકે. પુદ્ગલની કરામત ઓર જાતની છે !
જુઓને, એક પુદ્ગલે જ આખા જગતને મૂંઝવી માર્યું છે ?!! ૩૯૩૯ બધું પુદ્ગલ કરી રહ્યું છે અને આ લોકો માને છે કે “હું કરું
છું” ! એ હું ય પુદ્ગલ છે. આ પુદ્ગલની કરામત છે ! ૩૯૪૦ વીતરાગોનું એક જ વાક્ય સમજે તો ઉકેલ આવે ! પુલમાં
જ ક્રિયા છે, આત્મામાં કોઈ ક્રિયા નથી. જગતને અહીં જ ભ્રાંતિ પડી જાય છે કે શી રીતે આ ચાલે છે ? જગત જેને આત્મા માને છે ત્યાં આત્માનો એક અંશ નથી. આત્મા તો જ્ઞાનીઓએ જુદો જોયો છે, જુદો જાણ્યો છે, જુદો અનુભવ્યો
૩૯૩૩ અનાત્મ ભાગ છે તે પરિણામી સ્વભાવનો છે અને આત્મા
એ પણ પરિણામી સ્વભાવનો છે. પરિણામી સ્વભાવ એટલે ક્ષણે ક્ષણે પર્યાય બદલનારા. આત્મા અને અનાત્મા બન્ને પોતાનાં પરિણામ વહેંચી લે છે. એક ક્રિયાની ધાર છે અને એક જ્ઞાતા-દ્રષ્ટાની ધાર છે, જે “જ્ઞાની'માં છૂટી વર્તે, ત્યારે અજ્ઞાનીને એક કડવું અને એક મીઠું એમ ‘મિલ્ચર’ ધાર વ.
તેથી તેને બેભરમી કઢી જેવો સ્વાદ આવે. ૩૯૩૪ એક માણસ આટલું અફીણ ઘોળીને પી જાય, તો પછી એને
મારવા શું ભગવાનને આવવું પડે છે ? પુદ્ગલ પરમાણુની શક્તિથી જ થાય છે એ. આત્માની તો અલૌકિક શક્તિ છે જ, પણ જડની પણ ભયંકર શક્તિ છે. આત્મા કરતાં પણ એની શક્તિ વધી જાય એવું છે. એટલે જ આ બધું ફસાયું છે ને ! નહીં તો આત્મા ફસાયા પછી ધારે ત્યારે કેમ ના છૂટી જાય ! જ્યાં સુધી અસલ વિજ્ઞાનમાં નહીં આવે ત્યાં સુધી
છૂટાય નહીં ! ૩૯૩૫ આ બંધન કેવી રીતે થયું? બંધનથી મુક્ત કેવી રીતે થવાય ?
પહેલું તો કેટલાંકને આ બંધન છે એ ય ભાનમાં નથી આવ્યું. પરવશતાનો અનુભવ થાય ત્યારે બંધનનો અનુભવ થાય. ક્રોધ-માન-માયા-લોભનું બંધન, ઘરનાં બંધન, બીજાં બધાં
બંધન. બંધનનો અનુભવ થયા પછી મુક્તિનો માર્ગ જડે ! ૩૯૩૬ એક ક્ષણવાર પણ બંધન ગમે નહીં ત્યારે વીતરાગના વિજ્ઞાનને
સમજવાને પાત્ર થયો કહેવાય. ગમે તેટલો વૈભવ હોય પણ
બંધન લાગે. ૩૯૩૭ આત્મા અને પુદ્ગલ બે જ વસ્તુ છે. જેણે આત્મા જાણ્યો
હોય, તે પુદ્ગલને સમજી ગયો અને પુગલને જાણે એ આત્માને સમજી ગયો.
૩૯૪૧ “પરિણામિક ભાવ શું છે ? શક્કરિયું ખાઈશું તો વાયુ થશે
એ “પરિણામિક ભાવ'. એને સંસારી જાગૃતિ કહેવાય. પારિણામિક ભાવ' શું છે ? એ તો “આપણે' જે છીએ, તે રૂપે ભાવ ઉત્પન્ન થવો. પોતાનાં જ ગુણધર્મ સહિત એનું નામ
પરિણામિક ભાવ.” ૩૯૪૨ આ પાંચ ઇન્દ્રિયોમાં જે દેખાય છે, તે બધો મારો ભાવ નથી.
આ તો “પારિણામિક ભાવ” ઉત્પન્ન થાય, એટલે આત્માનો
પોતાનો જ ભાવ ! ૩૯૪૩ શાસ્ત્ર વાંચીને બડબડ બડબડ કર્યા કરે, તમે ના કરો, નથી
સાંભળવું કહો તો ય બડબડ કરે, તે બધા “સનેપાત ભાવ”
કહેવાય. ૩૯૪૪ ખાંડને ચામાં વાટીને નાખવી નથી પડતી. કારણ કે તેનો
સ્વભાવ પાણીમાં ઓગળવાનો છે. તેમ આત્માનો સ્વભાવ જ્ઞાતા-દ્રષ્ટા અને પરમાનંદી છે. આત્મા પોતાના ગુણધર્મમાં જ રહે છે !
Page #217
--------------------------------------------------------------------------
________________
૩૯૪પ આ સંસારમાં આત્મા નામે ય વપરાતો નથી. ખાલી પ્રકાશ
જ વપરાય છે. આત્મા આમાં ડખલ કરતો જ નથી. ૩૯૪૬ આ બે જ વાક્યમાં હું આખું “સાયન્સ' કહેવા માગું છું :
જીવમાત્રમાં પરમાત્મ શક્તિ રહી છે. તે પરમાત્મ શક્તિને
કોઈ ડખલ કરી શકે જ નહીં. ૩૯૪૭ ડખો એ “કોઝ' છે. ડખલ એ પરિણામ છે. ૩૯૪૮ સંસાર સમુદ્ર એટલે જેટલાં સ્પંદન તું ઉછાળીશ એટલાં સ્પંદન
સામે આવે છે. ૩૯૪૯ સંસારમાં શું સુખ છે ? પોતાનું પરમાત્મ સુખ વર્તે એવું છે.
કોઈ ડખલ જ ના કરી શકે એવી સચ્ચી આઝાદી થાય એવું
છે. જે ડખલ આવે છે તે ડખો કરેલો તેનાં પરિણામ છે. ૩૯૫૦ જ્યાં સુધી પૂર્ણ પરમાત્માનો અનુભવ ના થાય, સચ્ચી
આઝાદી ના થાય, ત્યાં સુધી અટકવું ના જોઈએ. ૩૯૫૧ તમે (મહાત્માને) ડખો બંધ કરી દીધો પણ હજી ડખલ શાની
આવે છે ? જે ડખલો ધીરેલી, તે પાછી આવે છે ! ૩૯૫૨ આત્માની શક્તિ ખોટા માર્ગે કેમ જઈ રહી છે? માન્યતા
અવળી છે એટલે, ‘બિલિફ રોંગ' છે તેથી. “રાઈટ બિલિફ’
હોય તો શક્તિ સાચા રસ્તે વહે. ૩૯૫૩ હિન્દુસ્તાનના લોકોને એટલું ભાન થયું છે કે “મને કંઈક
ભ્રાંતિ વર્તે છે.” “ફોરેનવાળાને તો ભ્રાંતિનું ય ભાન નથી. એમને પૂછીએ, ‘તમને ભ્રાંતિ છે ?” ત્યારે એ કહેશે, “મને ભ્રાંતિ નથી. હું ચંદુભાઈ જ છું.” ભ્રાંતિનું ભાન થાય નહીં
ત્યાં સુધી આગળ માર્ગ જડે નહીં ! ૩૯૫૪ ભ્રાંતિની વાતોથી બધી ભ્રાંતિ જ મળે ને ભ્રાંતિરહિત જ્ઞાનથી
નિરાકૂળતા રહે. ૩૯૫૫ કશું જોડે લઈ જવાનું નહીં ને મમતા છે ખાલી, કે આ દેહ
મારો, આ બૈરી મારી, આ છોડી મારી. આત્માને દેહ જ નથી. દેહધારી દેખાય છે, એ તો ભ્રાંતિ છે, ભ્રાંતિ ! બાકી ‘તમે' દેહધારી નથી. તમને ભ્રાંતિ છે કે “હું આ છું.’ ‘તમે” આત્મ સ્વભાવ” છોડી દેહની પીડામાં પેસી ગયા ! ‘તમારો' “આત્મા’ ‘અમને’ ઉઘાડો દેખાય છે. આ તો અહંકારના અમલમાં બોલો છો, “હું ચંદુલાલ છું !' આત્માને દેહ તો હોતો હશે ?! આત્માને છોડી યે ના હોય ને દેહેય ના હોય ! આત્માને દેહ હતો નહીં, છે નહીં, થશે નહીં !! બધી વિપરીત
માન્યતાઓ પેસી ગઈ છે. ૩૯૫૬ ‘ઈગોઈઝમ' થોડો છે કે વધારે છે એ મહીં જે સમજાય છે,
તે “ઈટસેલ્ફ' કહે છે કે પોતે તેનાથી જુદો છે. ૩૯૫૭ “ઈગોઈઝમ' એ તાત્ત્વિક વસ્તુ નથી. તાત્ત્વિક વસ્તુ તો વધે
નહીં ને ઘટે નહીં. પોલીસવાળો ટૈડકાવે ત્યારે “ઈગોઈઝમ'
ઘટી જાય ને ? ૩૯૫૮ અહંકાર એ ચેતન નથી, પુદ્ગલ છે પણ એ “ચેતનના
પ્રકાશથી “ચેતન ભાવને પામી ગયો છે. એમાં ચેતન જરાય
નથી. ૩૯૫૯ સ્થળ, સૂક્ષ્મ ને કારણ “ઈગોઈઝમ' જેનો ખલાસ થઈ ગયો
હોય, ત્યારે જ તે નિરપેક્ષ વાત સમજાવવા સાપેક્ષિત વાત
બોલી શકે અને તે “જ્ઞાની પુરુષ'નું જ કામ. ૩૯૬૦ અહંકારને લીધે જ સંસારમાં ભટકે છે. એક ઉત્પાત કરતો
અહંકાર ને બીજો સમાઈ જતો અહંકાર છે. પાછો ફરતો અહંકાર, ઊતરતો અહંકાર એ જ મોક્ષે જાય છે.
Page #218
--------------------------------------------------------------------------
________________
૩૯૬૧ જેટલો જેટલો સમતા ભાવ થાય એટલો અહંકાર ગયો
કહેવાય. એટલો ઉઘાડ ઉત્પન્ન થાય. સંપૂર્ણ સમતા થઈ ગઈ
એટલે પૂર્ણ ઉઘાડ થઈ જાય ! ૩૯૬૨ આત્માનો મોક્ષ કરવાનો નથી, આત્મા તો મોક્ષ સ્વરૂપ જ છે.
અહંકારનો મોક્ષ કરવાનો છે ! ૩૯૬૩ અહનું સ્થાન ક્યાં સુધી રહેતું હશે ? કાશ્મણ શરીર અને
શુદ્ધાત્મા આ બેની વચ્ચે “જે છે તે' ના ઊડે ત્યાં સુધી રહે
૩૯૬૪ સંપૂર્ણ અહંકારરહિત શી રીતે થવાય ? આપણે “શુદ્ધાત્મા'
છીએ એની સંપૂર્ણપણે ખાતરી થાય, એનું નિરંતરનું લક્ષ બેસી જાય ત્યારે અહંકાર જાય, પણ ખાતરી થયા પછી ય પડછાયારૂપ અહંકાર રહે, મૂળ અહંકાર જાય. પડછાયા
એટલે “ડ્રામેટિક' અહંકાર.. ૩૯૬૫ સમજમાં અહંકાર નથી, બુદ્ધિમાં અહંકાર છે. માટે બુદ્ધિ ઊંધું
દેખાડશે. સમજને સૂઝ કહે છે. તમે બહુ વિચાર કરો ત્યારે
મહીં એકદમ સૂઝ પડશે. એને કોઠાસૂઝ કહી. ૩૯૬૬ સમજ એ દર્શન છે. દર્શન આગળ વધતું વધતું કેવળ દર્શન'
સુધી જાય છે. ૩૯૬૭ પ્રજ્ઞા ને સમજમાં ખાસ ફેર નથી. સમજ ‘ફૂલ' (પૂર્ણ) દશામાં
હોય ત્યારે પ્રજ્ઞા કહેવાય. સંસારમાં બધી સૂઝ પડે પણ પોતાની સૂઝ ના પડે કે “હું કોણ છું,’ ત્યાં સુધી “કેવળ દર્શન'
ના થાય. ૩૯૬૮ અનંત ભૂલનું ભાન છે આ મનુષ્યમાત્ર, છતાં એને એની
ભૂલ દેખાતી નથી. ભૂલ ભાંગશે ત્યારે મોક્ષે જવાશે. ભૂલ ભાંગશે શેનાથી ?! જીવમાત્રને મહીં સૂઝ નામની શક્તિ છે. આ એકલી જ શક્તિ મોક્ષે લઈ જાય છે.
૩૯૬૯ સૂઝ નામની શક્તિ ખીલે શેનાથી ? જેટલી ભૂલ ભાંગે તેમ
સૂઝ ખીલતી જાય ! અને ભૂલ કબૂલ કરી લે ને માફી માગી
લે ત્યારથી તો એ શક્તિ બહુ વધતી જાય. ૩૯૭૦ પોતાની ભૂલ ભાંગશે ત્યારે કામ થશે. નહીં તો ‘જ્ઞાની પુરુષ'
તમને તારે તો કામ થઈ જાય. આમાં પોતે તર્યા છે અને અનેક લોકોને તારવાને સમર્થ છે એવાં ‘જ્ઞાની પુરુષ'નું જ
કામ. ૩૯૭૧ સંસાર આધાર છે ત્યાં સુધી મિથ્યાત્વ સૂઝ હોય, એ સૂઝ
વિનાશી ચીજોમાં જ સુખ ખોળે. અને જ્યારે સાચું અવલંબન
મળી જાય તો પછી સમ્યક્ સૂઝ ઉત્પન થાય. ૩૯૭૨ જીવમાત્રને સૂઝ પડે છે. વિશેષ પ્રકારે મનુષ્યોને પડે છે તેથી
તો મનુષ્યદેહ ઉત્તમ ગણાયો. ૩૯૭૩ સૂઝ બે પ્રકારની : એક નિશ્ચયની સૂઝ, બીજી વ્યવહારની
સૂઝ. વ્યવહારની સૂઝ શેય કહેવાય ને નિશ્ચયની સૂઝ શેય
ના કહેવાય. ૩૯૭૪ જ્યાં સુધી ભ્રાંતિ ખસી નથી, ત્યાં સુધી નિશ્ચય શી રીતે પ્રાપ્ત
થાય ? પહેલી ભ્રાંતિ ખસેડવાની, પછી નિશ્ચયની વાત.
વ્યવહાર, નિશ્ચય બને જોઈએ. એક ના ચાલે. ૩૯૭૫ સક્રિય એ બધો વ્યવહાર ને અક્રિય એ નિશ્ચય. નિશ્ચય સક્રિય
ના હોય, વ્યવહાર અક્રિય ના હોય ! ૩૯૭૬ વ્યવહાર સ્પર્શ નહીં, એનું નામ નિશ્ચય. વ્યવહાર એટલો પૂરો
કરવાનો કે નિશ્ચયને સ્પર્શે નહીં, પછી વ્યવહાર ગમે તે
પ્રકારનો હો ! ૩૯૭૭ વ્યવહાર તો મહાવીરને હતો, જ્ઞાનીઓને હોય. જગતના
લોકોને વ્યવહાર હોય જ નહીં. વ્યવહારને જ નિશ્ચય માને
Page #219
--------------------------------------------------------------------------
________________
છે લોકો ! વ્યવહાર એટલે “સુપર ફલુઅસ’! ૩૯૭૮ પરમાર્થના પ્રતિપાદન કર્યા સિવાય જે વ્યવહાર કરવામાં આવે
છે તે સંસાર વધારનાર છે ! જે વ્યવહાર નિશ્ચયનું પ્રતિપાદન
ના કરે, તે વ્યવહાર, વ્યવહાર કહેવાય નહીં ! ૩૯૭૯ જ્યાં સુધી યોગ છે, ત્યાં સુધી વ્યવહાર રહે જ. જ્યાં યોગ
નથી રહેતો, ત્યાં નિશ્ચય જેવું પછી છે જ નહીં ! ૩૯૮૦ આત્માએ કોઈ વિષય ભોગવ્યો જ નથી. આત્મા વિષય
ભોગવી શકે જ નહીં. ત્યારે અમે ય વિષય ભોગવતો નથી. અહમ્ એવી સૂક્ષ્મ વસ્તુ છે કે વિષય ભોગવી જ ના શકે. ફક્ત “ભોગવ્યું'નો અહંકાર કરે ! “મેં ભોગવ્યું', “મેં તો
ભોગવ્યું નહીં' એવો ખાલી અહંકાર કરે છે. ૩૯૮૧ અહંકાર આ બધું ભોગવે છે. અહંકારને આમાં ‘ટેસ્ટ’ શાથી
પડ્યો ? અહંકારે ભાવના કરી હતી કે આ જોઈએ છે. એ પ્રાપ્ત થયું એટલે આનંદમાં આવી ગયો એ ! આનંદમાં આવ્યો એટલે એને પછી મસ્તી લાગે ! બાકી, બધી ભાંજગડ જ અહંકારની છે. મન-બુદ્ધિ-ચિત્ત તો ખાલી “હેલ્પર' જ છે એને
૩૯૮૬ આજે જે દ્રષ્ટિ તમને છે, તે દ્રશ્યને જ જુએ છે. અંદર
મુરલીવાળા કૃષ્ણ દેખાય છે, તે દ્રશ્ય છે. દ્રષ્ટા દેખાય નહીં. દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે, એક ક્ષણવાર પણ પડે તો ભ્રાંતિ રહે નહીં,
ઉકેલ આવે. ૩૯૮૭ દ્રષ્ટિ દ્રષ્ટામાં ક્યારે પડે? સ્વરૂપને જાણે ત્યારે જ. એ ‘જ્ઞાની
પુરુષ' સ્વરૂપની ઓળખાણ કરાવી આપે. ૩૯૮૮ દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે અને જ્ઞાન જ્ઞાતામાં પડે ત્યારે “નિર્વિકલ્પ
સમાધિનું સુખ આવે ! ૩૯૮૯ જ્યાં સુધી સાધનોનું અવલંબન છે ત્યાં સુધી સવિકલ્પ
સમાધિ. “નિર્વિકલ્પ સમાધિ’ એટલે વિકલ્પ કોઈ પ્રકારનો
નહી. ૩૯૯૦ જે નિર્વિકલ્પપદને આપે કે એ પદની નજીક લઈ જાય, એ શુદ્ધ
વિકલ્પ. નહીં તો બીજા વિકલ્પોનો પાર જ આવે એવો નથી. ૩૯૯૧ પોતે વિકલ્પી ક્યારેય નિર્વિકલ્પી ના થઈ શકે. એ તો
નિર્વિકલ્પી પુરુષ'નું નિમિત્ત જોઈએ. ૩૯૯૨ અહંકારશૂન્ય થાય ત્યારે “નિર્વિકલ્પ સમાધિ' કહેવાય.
અહંકાર હોય તે સવિકલ્પ સમાધિ કહેવાય. ૩૯૯૩ ખરી સમાધિ કોને કહેવાય ? નિરંતર જાગૃત હોય તેને.
બહારનું ભાન જતું રહે, એને સમાધિ ના કહેવાય. એ નિદ્રા કહેવાય. દેહનું ય ભાન જતું રહે એ સાચી સમાધિ ના
કહેવાય. એ બધી લૌકિક સમાધિઓ છે ! ૩૯૯૪ લોકો મનના થરમાં જ હોય છે. મનના ઘણાં બધા થરો છે!
લૌકિક સમાધિમાં મનના થરમાં પેસી જાય ને ત્યાં જ ખોવાઈ જાય. એટલે પછી શરીરનું કે બહારનું કશું ભાન બિલકુલ ના રહે. મનના બધા થર ઓળંગ ત્યાર બાદ બુદ્ધિના “લેયર્સ'
૩૯૮૨ નિર્અહંકારીઓનું કોણ ચલાવે છે? અહંકારીઓ ચલાવે છે. ૩૯૮૩ તું જે જે વિચારીશ તે અહંકાર છે. તું જે જે બોલીશ તે
અહંકાર છે. તું જે જે કરીશ તે અહંકાર છે. જગતનું તું જે જે જાણીશ તે અહંકાર છે. જ્યાં સુધી દ્રષ્ટિ ના બદલાય ત્યાં
સુધી શું વળે ? ૩૯૮૪ જેવું દેખાય છે તેવું આ જગત નથી, દ્રષ્ટિ રોગ છે. ૩૯૮૫ “મૂળ વસ્તુ' તો દ્રષ્ટિ બદલાયા વગર પ્રાપ્ત ના થાય. દ્રષ્ટિ
ક્યારે બદલાય ? “જ્ઞાની પુરુષ' જાતે હોય ત્યારે.
Page #220
--------------------------------------------------------------------------
________________
ઓળંગવાના. બુદ્ધિના બધા થરો ઓળંગી છેલ્લો થર પણ ઓળંગી જાય ત્યારે “જ્ઞાન-પ્રકાશમાં આવે ! “યુનિવર્સલ
ટુથ'માં આવી જાય ! ૩૯૯૫ મનના થરમાં ખોવાઈ જઈને સમાધિ ભોગવવી, એને સાચી
સમાધિ ના કહેવાય. એ તો “ટેમ્પરરી” અવસ્થા છે. એ અવસ્થા પૂરી થાય એટલે હતા ત્યાંના ત્યાં ! એને તો નિંદ્રા
કહેવાય. ૩૯૯૬ આખું જગત ઉઘાડી આંખે ઊંઘે છે. પોતાનું અહિત જ કરી
રહ્યા છે તે ખબર નથી. જ્યારે જાગૃતિ તો પોતાનું અહિત એક
ક્ષણ પણ ના થવા દે. નિરંતર જાગૃત જ હોય. ૩૯૯૭ જાગૃતિનું પરિણામ સમાધિ છે ! ૩૯૯૮ ભગવાન કહે છે કે સૂતી વખતે જાગશો નહીં ને જાગતી વખતે
ઊંઘશો નહીં. લોકો આખો દા'ડો જાગતી વખતે ઊંઘે છે ! પરભવની જાગૃતિ જ નથી હોતી. પરભવ અવશ્ય છે જ. રોટલી
ખાતાં ખાતાં રાડાં ખાવા જવાનું છે એ સમજાતું નથી. ૩૯૯૯ સંપૂર્ણ જાગૃત થયા પછી આ જગત એક ક્ષણ પણ સહન થાય
તેમ નથી ! ૪000 ‘સ્વપણું' જેમાં (અવસ્થામાં) વર્તે, તે બધું જ સ્વપ્ન કહેવાય.
સ્વપણું’ ‘સ્વ'માં વર્તે તે જાગૃત કહેવાય ! ૪૦૦૧ સંપૂર્ણ જાગૃત ક્યારે થાય ? અહંકારનો વિલય થાય ત્યારે. ૪૦૦૨ મોક્ષનું પરિણામ જાગૃતિ નથી, જાગૃતિનું પરિણામ મોક્ષ છે ! ૪૦૦૩ જાગૃતિ તો કોને કહેવાય? વિચાર આવતાં પહેલાં જ સમજાય
કે આ તો શેય છે ને હું જ્ઞાતા છું' ! ૪૦૦૪ ‘જ્ઞાનીઓ ક્યાં જાગે છે? “સ્વપરિણતિમાં.” અને તેઓ ક્યાં
ઊંઘે છે ? “પરપરિણતિમાં.” “પરપરિણતિ' એટલે સંસાર
બધો !!! ૪00૫ “રિયલ’ને ‘રિયલ’ જાણે અને ‘રિલેટિવ'ને “રિલેટિવ' જાણે
તે સ્વપરિણતિ ! ૪૦૦૬ “પપરિણતિ' કોણ ઉત્પન્ન કરે છે? “જીવતો ઈગોઈઝમ'. ૪૦0૭ છેલ્લામાં છેલ્લી દશા કઈ ? જે ‘પર પરિણતિ'માં જ ના રહે,
નિરંતર “સ્વપરિણતિ'માં રહે છે. ૪૦0૮ આ જગતમાં ભગવાન કોને કહેવાય? “સ્વપરિણતિ'ની બહાર
જે નીકળતા નથી, ગમે તે વેષ હોય, ત્યાંથી ભગવાન પદ શરૂ
થાય છે. તે પૂર્ણ થતાં સુધી ભગવાન કહેવાય છે. ૪૦0૯ ‘સ્વપરિણતિમાં રહેવું એ “વર્લ્ડ’માં એક જ માણસ હોય,
બીજો માણસ જ ના હોય ! એટલું અજાયબ પદ છે એ !!! ૪૦૧૦ પરમાત્મા કોને કહેવાય ? જેને ‘પર પરિણતિ' ઉત્પન્ન ના
થાય, નિરંતર સ્વપરિણામમાં જ હોય, એ દેહધારી પરમાત્મા કહેવાય ! “જેને કિંચિત્માત્ર “પરપરિણતિ' ના હોય, પરક્ષેત્રે કિંચિત્માત્ર મુકામ ના હોય', ત્યાં સુધી ભગવાન કહેવડાવવું એ બહુ મોટો ગુનો છે ! કહેનાર તો છૂટી જાય, પણ
કહેવડાવનારો બંધાય ! ૪૦૧૧ આ “એ. એમ. પટેલ' દેખાય છે તે તો મનુષ્ય જ છે, પણ
એ. એમ. પટેલ'ની જે વૃત્તિઓ છે અને જે એમની એકાગ્રતા છે તે ‘પર રમણતા’ ય નથી ને “પરપરિણતિ’ પણ નથી. નિરંતર ‘સ્વપરિણામ'માં જ મુકામ છે ! નિરંતર “સ્વપરિણામ વર્લ્ડમાં કો'ક વખત, હજારો - લાખો વર્ષે હોય ! “સ્વ રમણતા” અમુક અંશે થાય, પણ સર્વાશે સ્વરમણતા અને સંસારી વેષે ના હોય. એટલે આશ્ચર્ય લખ્યું છે ને ! અસંયતિ પૂજા નામનું ધી આશ્ચર્ય છે આ !!
Page #221
--------------------------------------------------------------------------
________________
૪૦૧૨ તમે ‘સ્વ પરિણતિ' તરફ જઈ રહ્યા છો (મહાત્માઓને).
પહેલી ‘વસ્તુ’ની પ્રતીતિ બેસે ‘જ્ઞાની પુરુષ’ની કૃપાથી, પછી પ્રતીતિ આગળ વધતી વધતી સંપૂર્ણ દર્શનમાં પહોંચે. સંપૂર્ણ દર્શનમાં પહોંચે એવું આ ‘અક્રમ જ્ઞાન’ છે. ત્યાર પછી ‘સ્વપરિણતિ’ શરૂ થાય. ‘વસ્તુ’માં જ્યારે પુરુષાર્થ જાગે, ‘વસ્તુ’નો સ્વાભાવિક પુરુષાર્થ જાગે, ‘વસ્તુ’ સ્વરૂપે થાય, ત્યારે ‘સ્વપરિણતિ’ ઉત્પન્ન થાય ! સ્વ પરિણતી એ અલૌકિક વસ્તુ છે ! લૌકિકમાં જોવામાં કે સાંભળવામાં નથી આવે એવી આ વસ્તુ છે !!!
૪૦૧૩ લોકસારનો સાર શો ? ત્યારે કહે, તત્ત્વ. તત્ત્વસારનો સાર શો ? ત્યારે કહે, ‘જ્ઞાની’ની વાણી. ‘વીતરાગ વાણી' સિવાય અવર ન કોઈ ઉપાય.
૪૦૧૪ અનંત અવતારથી ‘અમે’ પૂર્ણ પુરુષોત્તમ ખોળતા હતા, તે આ અવતારમાં ‘અમારા' જ દેહમાં પ્રગટ થયા !!!
૪૦૧૫ આખું ‘વર્લ્ડ’ મારામાં છે અને હું ‘વર્લ્ડ’માં છું !
૪૦૧૬ આ બધું તમારું જ રૂપ છે, ધોલ મારનારો ય તમારું રૂપ છે ને ફૂલો ચઢાવનારો ય તમારું રૂપ છે. બધું એકનું એક જ રૂપ છે.
૪૦૧૭ સર્વાત્મામાં શુદ્ધાત્મા જોયા એટલે થઈ ગયો પરમાત્મા ! ૪૦૧૮ દેહમાં, મનમાં, વાણીમાં ‘હું’પણું રાખે છે, તેનાથી ભગવાન છેટા રહે છે અને ‘સ્વરૂપ’માં ‘હું’પણું રાખે છે, તેની સાથે અભેદ થઈ જાય છે ભગવાન !
૪૦૧૯ ‘ચંદુભાઈ’ બૂમાબૂમ કરે ત્યારે ‘તમારે' ‘ચંદુભાઈ’ને કહેવું, આમાં તમને શો ફાયદો ? અમારી જોડે એકાકાર થઈ જાઓને ! એમાં બહુ સુખ છે !! પાર વગરનું !!!” ‘આમને’
જુદાઈ છે માટે આપણે કહેવું પડે.
૪૦૨૦ શરીર બૂમ પાડે ત્યારે ‘તમારે’ ‘ચંદુભાઈ' જોડે અરીસામાં વાતચીત કરવી. ‘દેહનું ધ્યાન શું કામ રાખો છો ? દેહમાં આમ આમ થાય છે, તે છો ને થાય. ‘તમે’ ‘અમારી’ જોડે આવી જાઓને ટેબલ ઉપર ! ‘અમારી’ જોડે પાર વગરનું સુખ છે !!!’
૪૦૨૧ બુદ્ધિએ ભેદ દેખાડ્યા અને દિવ્યચક્ષુ અભેદ દેખાડે.
૪૦૨૨ આત્મા જ બધે દેખાય એટલે થઈ રહ્યું ! અન્ય દેખાતું બંધ થાય એટલે ‘અનન્ય' ઉત્પન્ન થાય !
૪૦૨૩ કોઈનું ય મન તમારાથી સહેજ પણ જુદું પડ્યું, તો તમે ‘કેવળ જ્ઞાન'થી જુદા પડ્યા ! ઓછામાં ઓછાં મન આપણાથી લોકોનાં જુદાં થવાં જોઈએ. નહીં તો ત્યાં સુધી ‘મુક્ત હાસ્ય’ આવશે નહીં ને ‘મુક્ત હાસ્ય' વગર જગત વશ થશે નહીં, ને ત્યાં સુધી જગતનું કલ્યાણ થાય નહીં.
૪૦૨૪ જગતકલ્યાણની તો આપણે ખાલી ભાવના જ કરવાની છે. પછી કાર્ય તો કુદરત કરશે.
૪૦૨૫ આપણું કલ્યાણ થઈ ગયું, હવે બીજાનું કલ્યાણ થાય એવી ભાવના રાખવી. એ જ આપણને સંપૂર્ણ-પૂર્ણ દશા ઉત્પન્ન
કરાવશે.
૪૦૨૬ ‘જ્ઞાન’ જો ‘જ્ઞાની’ એકલાં પાસે રહે તો જ્ઞાન રસાતાળ જાય. ‘જ્ઞાન’ તો પ્રગટ કરવું જ જોઈએ. અજવાળાનો દીવો કો'ક ફેરો ઉત્પન્ન થાય છે. ત્યાં સુધી ઘોર અંધારું રહે. આ તો સુરતના સ્ટેશને ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ’ના આધારે કુદરતી રીતે ઉત્પન્ન થયું છે ! ધીસ ઈઝ બટ નેચરલ ! તો પછી એમાંથી જેટલાં દીવા કરવા હોય તેટલાં થાય.
Page #222
--------------------------------------------------------------------------
________________
બાકી, ઘીનો દીવો તો બધાય લોકોએ પૂરી રાખ્યો છે !
૪૦૨૭ જગતનું કલ્યાણ કોણ કરી શકે ? પોતાનું જે કલ્યાણ કરે, તે બીજાનું કરે.
૪૦૨૮ ‘જ્ઞાની પુરુષ’ ઓરડીમાં બેઠાં બેઠાં ભટકે છે. એવું તો કોઈ ભટકતું જ નથી. જગત કલ્યાણનું જેનું ‘નિયાણું’ ના હોય, તે ‘જ્ઞાની’ ન હોય. જેને બીજું ‘નિયાણું’ હોય, તે ‘જ્ઞાની’ જ્ઞાની જ નથી.
૪૦૨૯ ભાવનાથી પણ કલ્યાણ થાય તેવું છે. ભાવના કોણ કરી શકે ? મહા પુણ્યશાળી હોય કે જેને જગતમાં કશાયની ભીખ કે લાલચ રહી નથી તે.
૪૦૩૦ જગત કલ્યાણના ‘અમે’ નિમિત્ત છીએ, કર્તા નથી. આપણે જગત કલ્યાણની ભાવના ભાવીએ છીએ, તે એક દહાડો રૂપકમાં આવશે. જે જે ભાવો થાય છે તે રૂપકમાં આવ્યા વગર રહે નહીં. ક્રિયા કરવાની જરૂર નથી, રૂપક એની મેળે આવે છે. માટે ભાવના ભાવો.
૪૦૩૧ આતમભાવના ભાવશો તો એનું રૂપક મોક્ષ આવશે. દેહભાવના ભાવશો તો સંસાર રૂપકમાં આવશે.
૪૦૩૨ ‘અમારી’ એ જ ભાવના છે કે ભલે એક અવતાર મોડું થશે
તો વાંધો નથી, પણ આ ‘વિજ્ઞાન’ ફેલાવવું જોઈએ. ‘વિજ્ઞાન'નો લોકોને લાભ થવો જોઈએ. જગત આખું શક્કરિયાં ભરહાડમાં મૂકે એમ બફાઈ રહ્યું છે ! ફોરેનવાળા ય બફાઈ રહ્યાં છે ને અહીંવાળા ય બફાઈ રહ્યાં છે. અરે, હવે તો શક્કરિયાં સળગવા હઉ માંડ્યાં !!!
૪૦૩૩ જેને કેવળ જગત કલ્યાણ કરવાની જ ભાવના રહેતી હોય અને સંસારનો કોઈ મોહ ના રહ્યો હોય, બધું ‘ડ્રામેટિક’ કરતો
હોય, તે ‘તીર્થંકર ગોત્ર’ બાંધે !
૪૦૩૪ આ દુનિયામાં જેટલા સેવ્ય બનેલા, એ સેવકપદમાંથી જ બનેલા.
૪૦૩૫ આપણે તો વીતરાગોની દ્રષ્ટિ રાખવી. વીતરાગો શું કહે છે ? આખા જગતના શિષ્ય થવાની દ્રષ્ટિ જેણે વેદી નથી, એ ‘જ્ઞાની' થવાને લાયક નથી.
૪૦૩૬ પૂર્ણ થવા માટે ‘લઘુતમ ભાવ’ જેવો બીજો કોઈ ભાવ જ નથી. પણ જગત લઘુતમ ભાવ કેવી રીતે પામે ? અઘરામાં અઘરો ભાવ હોય તો તે લઘુતમ ભાવ !
૪૦૩૭ મોટો થયો ને મોટો માન્યું કે ભટક્યો. પૂર્ણ પુરુષો મોટા હોતાં જ નથી.
૪૦૩૮ ગુરુતમ કોણ થયેલા ? જે લઘુતમ થયેલા એ જ ગુરુતમ થઈ
શકે.
૪૦૩૯ દ્રષ્ટિ લઘુતમમાં રાખો તો જ પેલા ગુરુતમમાં પહોંચાશે. નહીં તો ગુરુતમમાં કેમ પહોંચાશે ?
૪૦૪૦ લઘુતમમાં રહે, તેને ગુરુતમ પદ ‘ફ્રી ઓફ કોસ્ટ' (મફત) મળવાનું જ !
૪૦૪૧ લઘુતમ ભાવમાં રહેવું અને અભેદ દ્રષ્ટિ રાખવી, એ આ ‘અક્રમ વિજ્ઞાન’નું ‘ફાઉન્ડેશન' છે !
૪૦૪૨ ‘અમે’ આ જગતમાં બે ભાવે રહીએ છીએ : લઘુતમ ભાવ
અને અભેદ ભાવ, એ અમારી બાઉન્ડ્રી છે. ‘રિલેટિવ'માં લઘુતમ ભાવે છીએ, ‘રિયલ’માં ‘અમે’ ગુરુતમ ભાવે છીએ અને ‘સ્વભાવ’થી અભેદભાવે છીએ !
૪૦૪૩ જો તારે મોક્ષ જોઈતો હોય તો ‘હું ગુરુતમ છું’ જો તારે ગાળો
Page #223
--------------------------------------------------------------------------
________________
ભાંડવી હોય, માર મારવો હોય તો “હું લઘુતમ છું.” લઘુતમને માર ના અડે, ગાળો ના અડે. એને કશું અડે નહીં.
લઘુતમ આકાશ જેવું હોય ! ૪૦૪૪ વચલાં પદ બધાં વિનાશ કરાવનારાં છે. લઘુતમ પદ ગુરુતમ
પદને આપનારું છે. “હું કંઈક છું' એ વચલાં પદ છે. આ વચલાં પદ તે અસ્તિત્વવાળાં છે પણ એ અસ્તિત્વ નાસ્તિવાળા
૪૦૪૫ આત્મા પ્રાપ્ત કર્યા પછી જ પરમ વિનય ઉત્પન્ન થાય, પછી
જુદાઈ લાગે નહીં. અભેદ દ્રષ્ટિ થાય. ૪૦૪૬ નય હોય તેનાથી દ્રષ્ટિબિંદુ સમજાય, પણ વિનય હોય તેનાથી
મોક્ષે જવાય. ૪૦૪૭ બહારના વિનયથી અવતાર મળે, અંદરના વિનયથી મોક્ષ
મળે.
૪૦૫ર પરમ વિનય એટલે સંપૂર્ણ સમર્પણ. ૪૦૫૩ પરમ વિનયમાં પોતાનો મત જ ના હોય. અંદર બધા
હાલાહાલ કરે તેને “જોયા કરે', કોઈ ખેંચ ના પકડે. ૪૦૫૪ મોક્ષનો માર્ગ શો છે? વિવેકમાંથી સવિવેક, સવિવેકમાંથી
વિનય, વિનયમાંથી પરમ વિનય અને પરમ વિનયથી મોક્ષ ! ૪૦૫૫ આ ‘દાદો તો એવો પાક્યો છે કે જે કશાથી ખરીદાય તેવો
છે જ નહીં. એક માત્ર પરમ વિનયથી જ ખરીદાય તેવો છે !
વિનય અને પ્રેમ કોઈથી તરછોડાય તેમ નથી. ૪૦૫૬ “જ્ઞાની પુરુષ' એટલે શું ? અરીસો. તમારું જેવું હોય તેવું
દેખાય. કારણ કે “જ્ઞાની પુરુષ' સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ ને
સ્વભાવમાં રહે છે, ચારેય રીતે “સ્વ”માં રહે છે ! ૪૦૫૭ આ અરીસાને પોતાને આ બધું જગત દેખાતું હોય, તે અરીસો
પોતે જોનાર હોય, તો તેને કેટલી બધી ઉપાધિ થઈ જાય ?! તેમ આ ચૈતન્ય પોતે જોનાર છે. જ્યારથી એ જાણે છે કે આ મારા સ્વભાવને લઈને આ બધી વસ્તુઓ પ્રકાશમાન થાય છે ને વસ્તુઓ તો બહાર જ છે, ત્યારથી પોતાનું સુખ ચાખે છે
ને ઉપાધિઓ છૂટી જાય છે ! પછી આત્માનું સુખ જતું નથી. ૪૦૫૮ આ જગત પોતાની અંદર દેખાય છે તેને ઉપાધિ માને છે,
તેનાથી જગત ઊભું છે. ૪૦૫૯ આત્મા જ પ્રકાશમય છે. આ અરીસામાં આપણે બધાં
દેખાઈએ કે ના દેખાઈએ ? એ અરીસો ચેતન હોત તો ? ૪૦૬૦ આત્મા વ્યવહારમાં આવ્યો છે, તે જગત તેના પ્રકાશમાં ઝળકે
છે. ખરી રીતે આત્માના પ્રકાશમાં આખું જગત ઝળકે છે. અજ્ઞાનતાથી પોતે' કહે છે કે આ શું છે ? એટલે પોતે દ્રણ
૪૦૪૮ “પરમ વિનયથી મોક્ષ છે અને સંસારમાં ય પરમ વિનયથી
તું બહુ સુખી થઈશ. ૪૦૪૯ પરમ વિનય એટલે શું? આપણા નિમિત્તે કોઈને કિંચિત્માત્ર
દુઃખ ના થાય એ જ આપણો પરમ વિનય છે ! ૪૦૫૦ વિનય તો પ્રજ્ઞા ઊભી થયા પછી જ આવે. સંસારમાં લોક
જેને વિનય કહે છે એ ખરી રીતે વિનય ના કહેવાય, એ વિવેક
કહેવાય. ૪૦૫૧ વિવેક એટલે ખરા-ખોટાંને જુદું પાડવું તે. સવિવેક એટલે
સારાને ગ્રહણ કરાવે છે. વિનય એટલે વ્યવહાર પ્રમાણે ચાલે છે તેનાથી આગળ ગયા છે. પરમ વિનય એટલે જે દેખાય છે તે તરફનો આદરભાવ નહીં, પણ જે નથી દેખાતું તે તરફનો આદરભાવ !
Page #224
--------------------------------------------------------------------------
________________
હતો, તે દ્રશ્ય થઈ ગયો ! આત્માની બાબતમાં ‘આ’ સમજાવું એ બહુ મોટી વસ્તુ છે ને ‘જ્ઞાની’ વગર સમજાય તેમ નથી, પણ તે નિમિત્તનું ઠેકાણું પડે તેમ જ નથી. આખું જગત તેથી મૂંઝાયું છે.
૪૦૬૧ ‘જ્ઞાની’ઓ નિમિત્ત હોય, અજ્ઞાનીઓ કર્તા હોય. ૪૦૬૨ ભગવાન કોઈને બાંધવા આવતાં નથી. આ તો અજ્ઞાનથી બંધાયેલો છે ને જ્ઞાનથી છૂટે. એક ફેર છૂટયો તો ફરી ના બંધાય. અજ્ઞાન એ ય નિમિત્તથી મળે અને જ્ઞાન એ ય નિમિત્તથી મળે. ‘જ્ઞાની પુરુષ'ના નિમિત્તથી જ્ઞાન પ્રાપ્ત થાય. ૪૦૬૩ જન્મ્યો ત્યારે ‘તું ચંદુલાલ છે, આ તારી બા, આ તારા બાપા’
એમ બધું અજ્ઞાન એને નિમિત્તથી ભેગું થયું. લોકો એ અજ્ઞાન માટે નિમિત્ત બન્યા. જ્યારે ‘જ્ઞાની પુરુષ' શુદ્ધાત્મા બનાવે. ને કહે, ‘તું શુદ્ધાત્મા છે, અકર્તા છે.' તે જ્ઞાન થયા પછી પોતે છૂટતો જાય.
૪૦૬૪ આ જગત અજ્ઞાનનું જ પ્રદાન છે. સંસારે સજ્જડ અજ્ઞાનનું પ્રદાન કર્યું છે. ‘જ્ઞાની' પાકે ત્યારે ‘જ્ઞાન'નું પ્રદાન કરે. સંસારનું મૂળ કારણ જ અજ્ઞાનનું પ્રદાન છે.
૪૦૬૫ ‘જ્ઞાન’ ‘જ્ઞાની’ના હૃદયમાં બેઠેલું છે, બહાર નથી. ૪૦૬૬ આ જગતની અધિકરણ ક્રિયા જ અજ્ઞાન છે. ૪૦૬૭ જ્યારથી અજ્ઞાન ઊભું થાય છે ત્યારથી દેહ સાથે સંબંધ શરૂ થાય છે ને જ્ઞાન મળવાથી છૂટું થાય છે.
૪૦૬૮ સર્વ જ્ઞાનનું ફળ આત્મસ્થિરતા. સર્વ અજ્ઞાનનું ફળ ચપળતા. ૪૦૬૯ જ્ઞાન કોનું નામ કે અજ્ઞાન ઊભું થાય તેની તરત ખબર પડે, તે જેણે જાણ્યું એનું નામ જ ‘જ્ઞાન’ !
૪૦૭૦ પ્રકાશ એનું નામ કે ‘ઠોકર’ ના વાગે. ઠોકર વાગે તો જાણવું કે ‘પ્રકાશ’ હજી લાધ્યો નથી. જેટલું અજ્ઞાન તેટલી ઠોકરો. ૪૦૭૧ ‘આપણે કોણ છીએ' એ શ્રદ્ધા બેસે એ ‘સમકિત’ અને ‘આપણે શું છીએ' એ ‘જ્ઞાન’ થાય એ ‘જ્ઞાન’ !
૪૦૭૨ ‘જ્ઞાન’ કોનું નામ ? શ્રદ્ધાની પ્રતીતિ ઉપર ઊભું રહે તે. શ્રદ્ધા તો ‘જ્ઞાન’નું પહેલું પગથિયું છે. શ્રદ્ધા નથી તો ‘જ્ઞાન' નથી. ૪૦૭૩ જેને નિજ સ્વરૂપનું લક્ષ બેઠું એને સંસારનું લક્ષ ઊડી ગયું ને જેને સંસારનું લક્ષ છે, એને નિજ સ્વરૂપનું લક્ષ રહે નહીં. એક મ્યાનમાં બે તલવાર રહે નહીં.
૪૦૭૪ સાચું ચારિત્ર એટલે જ્ઞાતા-દ્રષ્ટાભાવ !
૪૦૭૫ જેનાથી અજ્ઞાન ઘટે તે ‘જ્ઞાન'. ‘જ્ઞાન' ક્રિયાકારી હોય. શાસ્ત્રજ્ઞાન ક્રિયાકારી ના હોય. ‘અનુભવ જ્ઞાન’ ક્રિયાકારી હોય.
૪૦૭૬ ક્રિયાકારી જ્ઞાન કોને કહેવાય ? જે ‘જ્ઞાન' પ્રાપ્તિ પછી આપણને એમ લાગે કે, ‘હું કશું જ કરતો નથી.’ તો કોણ કરે છે ? આ ‘જ્ઞાન' જ ચેતવે. ચેતવનારો ય જ્ઞાન ને ચેતનારો ય જ્ઞાન એવું આપણને લાગે ! શાસ્ત્રનું જ્ઞાન ચેતવે નહીં. ‘વિજ્ઞાન’ ચેતવનારું હોય ! ક્રિયાકારી હોય !
૪૦૭૭ શુભાશુભ જ્ઞાન એ ‘પરમાત્મ શક્તિ’ છે. શુદ્ધ જ્ઞાન એ પરમાત્મા છે.
૪૦૭૮ વીતરાગો એટલું જ કહેવા માગે છે કે કર્મ નડતાં નથી, તારું અજ્ઞાન નડે છે !
૪૦૭૯ અજ્ઞાન છે ત્યાં સુધી કર્મ તો થયા જ કરવાનાં. અજ્ઞાનતા જાય, રાગ-દ્વેષ બંધ થાય, એટલે કર્મ બંધ થઈ જાય !!!
Page #225
--------------------------------------------------------------------------
________________
૪૦૮૮ દરેક અવસ્થા સારી કે ખરાબ, છૂટવા માટે જ આવે છે. ત્યાં
આપણે ઉપયોગપૂર્વક રહીએ એટલે ચોખેચોખ્ખું થઈ જાય ! ૪૦૮૯ એક તત્ત્વ બીજા તત્ત્વમાં ભળતું નથી, અને જુદાં જ રહે છે.
એકબીજાની નજીક આવવાથી અવસ્થાઓ ઉત્પન્ન થાય છે ! ૪૦૯૦ અવસ્થાનું જ્ઞાન નાશવંત છે. “સ્વાભાવિક જ્ઞાન' અવિનાશી
૪૦૮૦ અનંતા શેયને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં
‘સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાગ શુદ્ધ છું. (આ વાક્યનો અર્થ
યથાર્થ કરે તે પરમાર્થ સ્વરૂપ થઈ જાય !). ૪૦૮૧ ‘મિથ્યાત્વ' એટલે શું? અવસ્થામાં તન્મયાકાર રહે છે. તેનું
ફળ શું? “અસ્વસ્થતા’. ‘સમ્યક્ દર્શન’ એટલે શું? “સ્વસ્થ',
સ્વ'માં મુકામ કરે તે ! ૪૦૮૨ દુનિયામાં ‘રિયલ કરેક્ટ’ એ બધી વસ્તુઓ છે, અને ‘રિલેટિવ
કરેક્ટ’ એ બધી અવસ્થા છે. આ દેખાય છે તે વસ્તુ નથી, વસ્તુની અવસ્થા છે. વસ્તુ અવિનાશી છે તે વસ્તુની અવસ્થાઓ વિનાશી છે. અવસ્થાઓ બધી ટેમ્પરરી
એડજસ્ટમેન્ટ' છે ૪૦૮૩ અવસ્થામાં અવસ્થિત રહે, તન્મયાકાર રહે તે અસ્વસ્થ ને
શુદ્ધાત્મામાં રહે તે સ્વસ્થ. ૪૦૮૪ વસ્તુમાં મુકામ તે સ્વસ્થતા. અવસ્થામાં મુકામ તે અસ્વસ્થતા. ૪૦૮૫ અવસ્થાઓમાં તન્મયાકાર રહે, એનું નામ સંસાર. એ જ
સંસાર બીજ નાખે છે અને સ્વરૂપમાં તન્મયાકાર, એનું નામ
૪૦૯૧ જ્યાં જ્યાં “ટેમ્પરરી એડજસ્ટમેન્ટ' છે ત્યાં ચેતન નામે ય
નથી. જ્યાં “પરમેનન્ટ એડજસ્ટમેન્ટ' છે ત્યાં ચેતન છે. ૪૦૯૨ ઇન્દ્રિયોથી જે જે કંઈ પણ કરવામાં આવે છે, તે બધું જ
‘ટેમ્પરરી' છે. ૪૦૯૩ “પરમેનન્ટ' છે તે નિર્વિકલ્પ છે, “ટેમ્પરરી છે તે વિકલ્પી છે! ૪૦૯૪ ‘પરમેનન્ટ' વસ્તુ જ “ટેમ્પરરી'ને સમજી શકે. ‘ટેમ્પરરી’
‘ટેમ્પરરીને સમજી શકે નહીં. ‘ટેમ્પરરી' “પરમેનન્ટને સમજી જ ના શકે. જો બધું જ ‘ટેમ્પરરી' હોય તો પછી ‘ટેમ્પરરી' કહેવાનું રહેત જ ક્યાં? “પરમેનન્ટ' કશું છે માટે
‘ટેમ્પરરી’ કહેવું પડે છે ! ૪૦૫ તું છે “પરમેનન્ટ', પણ “ટેમ્પરરી’ને ‘પરમેનન્ટ’ માને છે ! ૪૦૯૬ આત્મા “પરમેનન્ટ' હોવાથી આત્માનો અનુભવ પણ
પરમેનન્ટ' છે. સંસારની બધી વસ્તુઓ ટેમ્પરરી છે. માટે
તેનો અનુભવ પણ “ટેમ્પરરી’ છે. ૪૦૯૭ આત્માનો અનુભવ એટલે શું ? નિરંતર પરમાનંદ ! ૪૦૯૮ ‘હું શુદ્ધાત્મા છું' એવો નિર્ણય થવો, એનું નામ જ
આત્માનુભવ !
મોક્ષ.
૪૦૮૬ જગતમાં બીજું શું છે ? બધી અવસ્થાઓ બદલાય છે. આત્મા
તેનો તે જ સ્વરૂપ રહે છે. “વસ્તુઓનો વિનાશ થતો જ નથી, વસ્તુઓની અવસ્થાનો વિનાશ થાય છે ! “હું ચંદુ, આ મારો દીકરો, આ મારી વહુ” એમ અવસ્થામાં જ મુકામ કરે છે. પાછો કહેશે, “હું પૈડો થયો'! આત્મા તે વળી પૈડો થતો હશે ?!!! આ
બધી પ્રાકૃત અવસ્થાઓ છે, આત્માની નથી. ૪૦૮૭ આ જગત વાસ્તવિક નથી, છતાં વાસ્તવિક લાગે છે એ ય
અજાયબી છે ને ?! અવસ્થાઓ અવાસ્તવિક છે ને મૂળ વસ્તુ” વાસ્તવિક છે.
Page #226
--------------------------------------------------------------------------
________________
૪૦૯૯ સાચો પ્રેમ બહાર ખોળે, પણ એ ક્યાંય ના મળે ત્યારે આત્મા
પ્રગટ થાય.
૪૧૦૦ આત્મા માન્યો. મનાય તેવો નથી. જેમ આ પુદ્ગલ અનુભવમાં આવે તેવું છે તેમ આત્મા અનુભવમાં આવે તેવો
છે !
૪૧૦૧ અહંકારનો અમલ ઊતરે તો આત્માનો અનુભવ થાય. ૪૧૦૨ રિયલને જાણે તે ‘જ્ઞાની’ ! પણ રિયલનાં અંગે જે બધું જાણે તે ‘અનુભવ જ્ઞાની’ !
૪૧૦૩ એક ક્ષણવાર પણ સંસારમાં રહે નહીં તે ‘જ્ઞાની’. જે દેહમાં જેટલો રહે તેટલો અહંકાર રહે ને ! જ્યારે ‘અમે’ તો વીસ વરસથી દેહમાં રહ્યા નથી.
૪૧૦૪ પોતે તો અનંતકાળથી વીતરાગ જ હતો. ક્યારેય પોતાના
ગુણધર્મ બદલ્યા જ નથી. ‘જ્ઞાની પુરુષ’ બન્નેને છૂટા પાડી આપે, તો દરઅસલ આત્માનો અનુભવ થાય. એક પણ અનાત્માનું પરમાણુ આત્મામાં હોય ત્યાં સુધી અનુભવ ના
થાય !
૪૧૦૫ પોતે પોતાના ‘સેલ્ફનું રિયલાઈઝ’ કર્યું તે સાક્ષાત્કાર ! ૪૧૦૬ આત્મસાક્ષાત્કાર થાય ત્યારે પ્રત્યક્ષ ભક્તિ થઈ કહેવાય. ૪૧૦૭ ‘હું જ શિવ છું’ એવું ભાન થવું જોઈએ, એનું નામ અનુભૂતિ. ‘હું શુદ્ધાત્મા છું' એવું ભાન થવું જોઈએ, એનું નામ અનુભૂતિ.
૪૧૦૮ અનુભૂતિ થતાં સુધી ભગવાનની પરોક્ષ ભક્તિ કરવી સારી. તેનાથી આપણે આ ભૌતિક સુખો મળે, આગળ આગળ અધ્યાત્મનો રસ્તો જડતો જાય, પણ ત્યાં અનુભૂતિ ના હોય અનુભૂતિ તો, જીવ-શિવની ભેદબુદ્ધિ ટળે, ત્યારે અનુભૂતિ
કહેવાય.
૪૧૦૯ આ જગતના બધા જ અનુભવ થાય પછી જ ‘આત્મતત્ત્વ'ની પ્રાપ્તિ થાય.
૪૧૧૦ જે જ્ઞાનથી સંસાર છૂટી જાય એ આત્મજ્ઞાન કહેવાય અને એ જ્ઞાન વપરાય તે ઘડીએ પ્રજ્ઞા કહેવાય.
૪૧૧૧ અમારી વાણી તમે સાંભળો તે ધારણ કોણ કરે ? આત્મા ? ના, આત્મા ધારણ ના કરી શકે. પ્રજ્ઞા અને સમ્યકત્વ, આ બે ધારણ કરાવે છે. ક્ષાયક સમકિત ધારણા સ્વચ્છ રાખે ને પ્રજ્ઞા ધારણ કરે. સંસારમાં ધારણ અહંકાર કરે.
૪૧૧૨ પ્રજ્ઞા શક્તિ ગમે તે રસ્તે મોક્ષે લઈ જાય. અજ્ઞા શક્તિ ય એવી ભારે કે ગમે તે રસ્તે સંસારમાં રખડાવે.
૪૧૧૩ પ્રજ્ઞા શક્તિ તો શું કહે છે ? ચેત અને જો. બીજું કશું ડખો કરવાની જરૂર નથી.
૪૧૧૪ પ્રજ્ઞા એ આત્માની પ્રતિનિધિ છે. આત્માનો ‘પાવર ઓફ એટર્ની' એની પાસે છે.
૪૧૧૫ ‘રિયલ’ - ‘રિલેટિવ' એ પ્રજ્ઞા જુએ છે, આત્મા જોતો નથી.
પ્રશા જુએ એટલે એ આત્મા ખાતે જ ગયું. જગતના લોકો જુએ એ અજ્ઞા જુએ છે, એટલે એ અહંકારના ખાતે ગયું. બેઉના જોવા-જાણવામાં ફેર છે. પેલું ઈન્દ્રિયગમ્ય છે ને આ
અતીન્દ્રિયગમ્ય છે.
૪૧૧૬ જે વર્તનામાં રખાવે છે તે આત્મા છે અને જે શ્રદ્ધામાં રખાવે છે તે પ્રજ્ઞા છે. વર્તન એટલે ચારિત્ર.
૪૧૧૭ સમજ એટલે દર્શન.
૪૧૧૮ સાચી સમજ ક્યારેય ભૂંસાય નહીં.
Page #227
--------------------------------------------------------------------------
________________
૪૧૧૯ સમજ જ્ઞાનમાં પરિણામ પામે એટલે વર્તનમાં પરિણામ પામે. ૪૧૨૦ સમજ કોને કહેવી ? જે જ્ઞાન જાણીએ ખરાં, પણ વર્તનમાં
ના આવે, એ સમજ કહેવાય અને જે જ્ઞાન વર્તનમાં આવે,
તે જ્ઞાન કહેવાય. ૪૧૨૧ અજ્ઞાનથી થયેલાં કર્મ તે “જ્ઞાનથી નાશ થાય. બાકી, બીજી
કશી ક્રિયાઓથી ફેરફાર ના થાય. ૪૧૨૨ કર્મ એટલે શું? જ્યાં કોઈ બીજો કરતો હોય ને ત્યાં આપણે
આરોપ કરીએ કે “હું કરું છું', એનું નામ કર્મ. ૪૧૨૩ આરોપિત ભાવ એટલે શું? જ્યાં તમે નથી ત્યાં આરોપ કરો
છો કે “હું ચંદુભાઈ છું' તે અને જે છો તે જાણતા નથી. તમે ‘રિલેટિવ સ્વરૂપને પોતાનું સ્વરૂપ માનો છો. એ તમારું મૂળ
સ્વરૂપ, ‘રિયલ' સ્વરૂપ નથી. “રિલેટિવ' સ્વરૂપથી કર્તા, ‘રિયલ' સ્વરૂપથી અકર્તા. ‘રિલેટિવ' સ્વરૂપથી સંસાર,
રિયલ’ સ્વરૂપથી મોક્ષ. ૪૧૨૪ આ શરીર નથી, આ તો કર્મનું પોટલું છે તે જેવું પોટલું મળ્યું
હોય તેવું ભટકાય ભટકાય કરે ! ૪૧૨૫ પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મ ને ક્રિયમાણ કર્મ એ શું છે ? સંચિત
કર્મ બધાં સૂક્ષ્મ છે, તન્ન સૂક્ષ્મ છે. સંચિતમાંથી જેટલું
સ્થૂળરૂપે થાય છે એટલું પ્રારબ્ધ ગણાય. અને પ્રારબ્ધ થયા પછી ક્રિયમાણ કોને કહેવાય ? પ્રારબ્ધ ભોગવતી વખતે “આ હું કરું છું' એવું ભાન થાય છે, તેનાથી ક્રિયમાણ કર્મ ઉત્પન્ન
થાય છે. ૪૧૨૬ જગત જેને કર્મ કહે છે તે કર્મ જ નથી, એ કર્મનાં પરિણામ
ના બંધાય. ૪૧૨૮ કર્મનો પરિપાક થાય ત્યારે કર્મો ખરી પડે. ‘વીતરાગ ભાવ”
થાય તો કર્મનો પરિપાક જલ્દી થઈ જાય ! આ તો લોકો
“અહંકારે કરીને કર્મનો પરિપાક થવા દેતા નથી ! ૪૧૨૯ ‘જ્ઞાની” આ દેહની બહાર રહીને જોયા કરે છે કે વાળ હાલે
છે, મન શું કરે છે, ચિત્ત-અહંકાર શું કરે છે, બુદ્ધિ શો ડખો
કરે છે ? એ બધું ‘જ્ઞાની' જુએ ! ૪૧૩૦ ‘જ્ઞાની' સકામ કર્મય કરતાં નથી ને “નિષ્કામ કર્મ' ય કરતાં
નથી. સકામ કર્મ' કરો તો બંધન ને “નિષ્કામ કર્મ' કરો ત્યાં ય
બંધન છે ! જ્યાં કંઈ પણ કરવાની લાગણી છે ત્યાં બંધન છે ! ૪૧૩૧ ત્રણ પ્રકારની ચેતના :
૧. કર્મ ચેતના - “હું કંઈક કરું છું' એ આરોપિત ભાવ, એ કર્મ ચેતના. ૨. કર્મફળ ચેતના - કર્મ ચેતનાનું ફળ આવે ત્યારે એ રડેહસે, એ કર્મફળ ચેતના.
૩. શુદ્ધ ચેતના - ‘પરમાત્મા સ્વયં! ૪૧૩૨ પરસ્પર અસમાધાન થાય, પણ એમાં કર્તાપણું ના હોય તો
કર્મ ના ચોંટે, કર્તા થાય તેને કર્મ બંધાય. ૪૧૩૩ કર્મનો કર્તા મટી ગયો, ત્યારથી નિર્વિકલ્પ દશા ! ૪૧૩૪ કર્તાપદ એ જ ભ્રાંતિપદ છે. એ અશુભ કરો કે શુભ કરો, બેઉ
ભ્રાંતિ છે. એક સોનાની બેડી ને એક લોખંડની બેડી ! ૪૧૩પ જ્યાં કર્તાભાવ છે ત્યાં પરધર્મ છે. પરધર્મનું ફળ છે સંસાર. ૪૧૩૬ જ્યાં સુધી ‘તમે કરો છો ત્યાં સુધી ભ્રાંતિમાં છો. ત્યાં સુધી
૪૧૨૭ કર્મ કરો છતાં કર્મ ના બંધાય એવું ‘વિજ્ઞાન” જાણો તો કર્મ
Page #228
--------------------------------------------------------------------------
________________
આત્માનો એક અંશ પણ ચાખ્યો નથી.
૪૧૩૭ આત્મામાં કરવાનો ગુણ જ નથી. જેનામાં જે ગુણ નથી, એનો આરોપ આપવો એ દોષ છે. એમાં જ બધાં ગોથાં ખાય છે
!
૪૧૩૮ ‘હું શુદ્ધાત્મા છું’ એ દ્રષ્ટિ રાખવી એ ‘શુદ્ધ ઉપયોગ’. સામામાં શુદ્ધાત્મા દેખવો એ ‘શુદ્ધ ઉપયોગ'. સામો કર્તા ના દેખાય તે ય ‘શુદ્ધ ઉપયોગ’ ! ‘શુદ્ધ ઉપયોગ’ એ સંપૂર્ણ ચારિત્રનું કારણ છે, ઠેઠનું ચારિત્ર કે જેમાં ભગવાન હતા !
૪૧૩૯ ‘હું કર્તા નથી’ એ ભાન કરાવવાની જરૂર નથી. ‘હું શુદ્ધાત્મા છું' એ ભાન જ ‘ઈટસેલ્ફ' કર્તાપદ ઉડાડે છે !
૪૧૪૦ કર્તા થવું એટલે શું ? યોજનાને આધાર આપવો. અકર્તા થવું એટલે શું ? યોજનાને નિરાધાર કરી દેવી !
૪૧૪૧ કર્તાપદ ઊભું થયું એ જ ભ્રાંતિ છે. ‘કર્તા કોણ છે' એટલું જાણ્યું તો જ્ઞાતા-દ્રષ્ટા પદ ઊભું થાય !
૪૧૪૨ કર્તા હોય તો કર્મ બંધાય. કર્તા થયો માટે ભોક્તા છે. કર્મ
તો ફાચર છે વચ્ચે ! કર્મથી કંઈ જગત ચાલતું નથી. જગત ‘વ્યવસ્થિત’ ચલાવે છે. ‘વ્યવસ્થિત’ કાળ ભેગો કરે, ક્ષેત્ર ભેગું કરે અને બધા સંયોગ ભેગા કરી આપે ત્યારે કાર્ય થાય ! ૪૧૪૩ વીતરાગોના મતમાં તો બધા જ પકડાઈ જાય - કરનાર, કરાવનાર ને અનુમોદનાર !
૪૧૪૪ આત્મા કર્મનો કર્તા કેવી રીતે છે ? ‘બાય રિલેટિવ વ્યુ પોઈન્ટ’ આત્મા કર્મનો કર્તા છે. તે ય પાછો ‘આ’ કર્મનો કર્તા નથી, ભાવકર્મનો કર્તા છે. ‘આ’ કર્મનો કર્તા તો કુદરત છે. ‘બાય રિયલ વ્યુ પોઈન્ટ’ આત્મા સ્વભાવ ભાવનો કર્તા છે !
૪૧૪૫ જ્યાં સુધી આત્મા સંસારી ભાવે છે, ત્યાં સુધી તે ભાવકર્મનો કર્તા છે. તે કાયમનો કર્તા નથી. એ તો આ ભાઈનો આમને ધક્કો વાગે ને એ કરે, તેમ આ સંજોગોના ધક્કાથી ભાવ કરે છે. ભાવકર્મથી સંસાર છે. ‘અક્રમ’માં ભાવકર્મ જ ઉડાડી મૂકીએ છીએ ! ‘હું ચંદુભાઈ છું' એ પહેલો ભાવ, હું આનો ધણી’ છું એ બીજો ભાવ.... બધી ‘રોંગ બિલિફ’ છે !
૪૧૪૬ ‘જગતનો કર્તા કોઈ છે જ નહીં અને કર્તા વગર થયું નથી !’ ‘કર્તા વગર થયું નથી’ એ કહેવાનો ભાવાર્થ શો છે કે એ નૈમિત્તિકથી થયું છે. નૈમિત્તિક કર્તા ખરેખર કર્તા કહેવાય નહીં.
૪૧૪૭ ખરી રીતે જગતનો કોઈ સ્વતંત્ર કર્તા છે જ નહીં. જો કર્તા થાય તો તો થઈ જ રહ્યું ! નૈમિત્તિક કર્તા છે. ‘પાર્લામેન્ટરી' પદ્ધતિથી થાય છે. પરાણે કર્તા થવું પડે છે ! કોઈ ખરેખર કર્તા નથી, માટે છૂટી શકે છે !
૪૧૪૮ આત્મા કર્તા નથી, જડ કર્તા નથી. તો કર્તા કોણ છે ? સ્વભાવ કર્તા છે !
૪૧૪૯ જગત સ્વભાવથી ચાલી રહ્યું છે. દરેક વસ્તુ સ્વસ્વભાવમાં જ છે. સ્વભાવથી બહાર કશું થયું નથી !
૪૧૫૦ આ પાણીને ઊંચે ચઢાવવું હોય તો પંપ ચલાવવો પડે ને ખાલી કરવું હોય તો ? ખાલી થઈ જાય, તે સ્વભાવથી જ થાય. ૪૧૫૧ પાણીને ઠંડું કરવું હોય તો મહેનત કરવી પડે ? એ તો એના સ્વભાવથી જ ઠંડું થાય છે.
૪૧૫૨ આ જગત ચાલે છે તે સ્વભાવથી ચાલે છે અને ચલાવે છે
‘વ્યવસ્થિત’ નામની શક્તિ. વડનું બીજ રાઈથી ય નાનું હોય છે, છતાં તેમાં આખા વડની શક્તિ છે. શક્તિરૂપે આખો વડ
Page #229
--------------------------------------------------------------------------
________________
તેમાં સમાયો છે. ‘વ્યવસ્થિત’ સંયોગ ભેળા કરી આપે અને
વડરૂપે પરિણમે સ્વભાવથી. ૪૧૫૩ વ્યવસ્થિત એટલે “સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ.”
એને આપણાં લોક “નેચર' - કુદરત કહે છે. જે જે સંયોગ ભેગા થાય, તે સૌ સૌના સ્વાભાવિક ભાવ બતાવી, ભેગા થઈને પાછાં નવી જાતના ભાવ બતાવે છે. એચ ટુ અને ઓ ભેગા થાય ને પાણી થાય ! એવું આ ભેળું થાય છે, વિખરાય છે. ખાવાનું-પીવાનું, પાછું સંડાસ જવાનું, આ બધું “સાયન્ટિફિક
સરકમસ્ટેન્સિયલ એવિડન્સ' છે ! ૪૧૫૪ પુગલનો સ્વભાવ જ પ્રસવધર્મી છે. આ જગતમાં જે દેખાય
છે, તે બધું પ્રસવધર્મી છે. આપણી આજુબાજુ અરીસાઓ ગોઠવ્યા હોય ને આપણે એક લાફો લગાવીએ તો ?! કેટલાંય દેખાય ! તેવો આ પુદ્ગલનો પ્રસવધર્મ છે. એનું મૂળ કારણ શું ? “સ્પંદન'. સ્પંદનથી અવાજ થાય છે અને અવાજથી આ
બધું ઊભું થઈ જાય છે. ૪૧૫૫ વાવમાં જઈને બોલો કે ‘તું ચોર છે.’ તો શું મળે તમને? થોડી
વાર પછી એ જ શબ્દ પાછાં મળશે. વાવનો દાખલો તમને
સમજવા આપું છું. બાકી, જગત આખું સ્પંદન સ્વરૂપ છે. ૪૧૫૬ ‘વ્યવસ્થિત’ એટલે ‘અમે’ શું કહેવા માગીએ છીએ ? “તું”
શા માટે “ઈગોઈઝમ” કરે છે ? તું શા માટે સ્પંદન કરે છે? આ મન-વચન-કાયા એ “વ્યવસ્થિત'ના તાબે છે, તેની પ્રેરણાથી જ એ ચાલી રહ્યાં છે ને તું કહે છે કે “મેં ચલાવ્યું...!
‘તું' તારા “સ્વરૂપમાં રહેને ! ૪૧૫૭ આ અંદન કેમ થાય છે ? ‘ચંચળ'માં ‘પોતે તન્મયાકાર થાય
છે તેથી. ચંચળ અને તન્મયાકાર થનાર એમ બે જુદા છે. તન્મયાકાર થનાર છે એ સ્વભાવથી અચળ છે અને આ
‘ચંદુભાઈ” સચર છે. ‘તમે પોતે મૂળ સ્વરૂપે અચળ છો અને
આ વચ્ચે જે છે તે તમારું “ઈગોઈઝમ’ છે. ૪૧૫૮ આ અરીસામાં હાથ ઊંચો-નીચો કરો તો શી પ્રક્રિયા થાય !
તેવી જ પ્રતિક્રિયા થાય. અને બધી જ પ્રક્રિયા બંધ કરવી હોય તો શું કરવું પડે ? જગત બંધ કરવું હોય તો આપણે અચળ થઈએ તો એ ય અચળ થઈ જ જાય ! આપણે અચળ જ છીએ. પણ આપણામાં અણસમજણથી ચંચળતા ઊભી થઈ
ગઈ છે કે આ કોણ આવ્યું? ૪૧૫૯ આ જગત અરીસા જેવું જ થયું છે. આ આંખો એવી છે કે
અરીસામાંથી જુએ છે અને એને પોતાની પ્રક્રિયા બધે દેખાય
છે. પોતે પોતાની જ પ્રક્રિયામાં સપડાયો છે ! ૪૧૬૦ મન-વચન-કાયા, બુદ્ધિ-ચિત્ત-અહંકાર, આ જેટલો ચંચળ
ભાગ છે તે બધો ‘વ્યવસ્થિત'ના તાબામાં છે, ને અચળ ભાગ એકલો આપણો ! અચળ સિવાય બધું ય વ્યવસ્થિત'ના તાબામાં છે. કારણ કે કશું “ચલાયમાન કરી શકીએ એવું ‘આપણા'માં છે નહીં. પણ ‘આ’ અજ્ઞાનતાથી પ્રતિષ્ઠા થયા
કરે છે. પ્રતિષ્ઠા બંધ થઈ જાય એટલે મુક્તિ થઈ જાય. ૪૧૬૧ ‘પુરુષ’ અચળ જ છે, કાયમને માટે. અત્યારે પણ અચળ છે
અને “પ્રકૃતિ' સચર છે. પ્રકૃતિ ‘મિકેનિકલ’ છે. માટે તેને ચંચળ કહ્યું. આ ‘મિકેનિકલ'પણું કોઈ દહાડો ય છૂટે નહીં. ‘તમારી’ જે ‘રોંગ બિલિફ' છે, તેનાથી ‘હું' પણાનો આરોપ થયો છે કે “આ હું છું.’ જે ‘તમે' નથી ત્યાં આરોપ કરવામાં
આવ્યો છે. ૪૧૬૨ પ્રકૃતિ વિનાશી છે. ક્ષણે ક્ષણે આયોજન થઈ રહ્યું છે ને ક્ષણે
ક્ષણે વિનાશ થઈ રહ્યો છે. ૪૧૬૩ પ્રકૃતિનું અસ્તિત્વ છે, પણ તે વિનાશી છે, ‘રિલેટિવ' છે.
પુરુષનું અસ્તિત્વ છે, તે ‘રિયલ' છે, અવિનાશી છે.
Page #230
--------------------------------------------------------------------------
________________
૪૧૬૪ પ્રકૃતિ તદન જડ નથી, ‘નિચેતન ચેતન' છે. નિચેતન ચેતન
એટલે “ડિસ્ચાર્જ ચેતન છે. વસ્તુ ‘ચાર્જ કર્યા પછી ડિસ્ચાર્જ' એની મેળે જ થાય ને ? એમાં આપણે કશું કરવું પડે છે ? આ બધું “ઈફેક્ટિવ' છે. “ઈફેક્ટિવ’ શક્તિને હું
નિશ્ચેતન ચેતન’ કહું છું? ૪૧૬૫ પુરુષ' અને પ્રકૃતિ સંકળાયેલાં નથી. બેઉ સામીપ્યભાવમાં
છે. ‘પુરુષ' જ્ઞાનમય છે. પ્રકૃતિ બધું કરે છે. સામીપ્યભાવમાં એને પોતાના જ્ઞાનમાં વિભ્રમતા ઉત્પન્ન થાય છે કે “આ કોણે કર્યું? પછી “મેં કર્યું” કહેશે. જ્ઞાન બદલાય છે એટલે પ્રકૃતિ ઉત્પન્ન થાય છે. પોતે' વિશેષ ભાવમાંથી જ્ઞાન
સ્વભાવમાં આવી જાય એટલે “પ્રકૃતિ' નાશ થઈ જાય ! ૪૧૬૬ “પુરુષ' પોતે આત્મારૂપ છે, ભગવાન જ છે પોતે. પણ
બહારના દબાણથી પ્રકૃતિ ઊભી થઈ ગઈ ! આ બધું કોણ? આ બધું કોણે કર્યું ? “મેં કર્યું એ બધું ભાન ઉત્પન્ન થાય
છે, તે વિશેષ ભાવ છે અને તેનાથી પ્રકૃતિ ઊભી થાય છે. ૪૧૬૭ “આ વિશેષભાવ શો છે ? પ્રકૃતિ કેવી રીતે એની મેળે ઊભી
થાય છે ? આ બધું મેં જોયેલું છે. “હું” એ બધું જોઈને કહું છું. એટલે આ “વિજ્ઞાન” ખુલ્લું થાય છે. કોઈ ચીજનો કોઈ
કર્તા જ નથી ને કર્યા વગર કશું થયું નથી !! ૪૧૬૮ લોખંડ દરિયા કિનારે મૂકી રાખીએ તો ફેરફાર થાય. આમાં
લોખંડ કશું જ કરતું નથી. તેમ દરિયાની હવા પણ કશું જ કરતી નથી. હવા જ કરતી હોત તો બધાને કાટ આવત ! આ તો બે વસ્તુનો સંયોગ છે એટલે ત્રીજી વસ્તુ ઉત્પન્ન થાય છે. એ વિશેષ ભાવ છે. જે કાટ થાય છે તે પ્રકૃતિ છે. લોખંડ લોખંડના ભાવમાં છે, તે પ્રકૃતિ પ્રકૃતિના ભાવમાં. આ બંને છૂટાં પાડો તો પુરુષ પુરુષની જગ્યાએ ને પ્રકૃતિ પ્રકૃતિની
જગ્યાએ. જ્યાં સુધી એકાકાર છે ત્યાં સુધી કાટ વધ્યા જ
કરવાનો, વધ્યા જ કરવાનો.... ૪૧૬૯ મૂળ પુરુષને કશું જ થતું નથી. બહારના સંયોગોને લઈને આ
વિશેષભાવ ઉત્પન્ન થયો છે. જ્યાં સુધી પુરુષ પોતાની જાગૃતિમાં ના આવે ત્યાં સુધી પ્રકૃતિ ભાવમાં જ રહ્યા કરે.
પ્રકૃતિ એટલે પોતાના સ્વભાવની અજાગૃતિ ! ૪૧૭૦ બે સનાતન વસ્તુઓ ભેગી થવાથી બેઉમાં ‘વિશેષ ભાવ”
ઉત્પન્ન થાય છે. એમાં બેઉના પોતાના ગુણધર્મો તો રહે જ છે, પણ વધારાના વિશેષ ગુણો ઉત્પન્ન થાય છે. છ મૂળ વસ્તુઓમાં જડ અને ચેતન બે સામીપ્યમાં આવે ત્યારે વિશેષ પરિણામ ઉત્પન્ન થાય છે. બીજાં ચાર તત્ત્વોને ગમે ત્યાં, ગમે
તેવી રીતે સામીપ્યમાં આવે તો ય કશી જ અસર થતી નથી. ૪૧૭૧ સૂર્યનારાયણની હાજરીથી આરસના પથ્થર તપે, તેમાં મૂળ
ધણી એમ માને કે પથરાનો સ્વભાવ ગરમ છે, એના જેવું આ વિશેષ પરિણામનું છે. સૂર્યનારાયણ આથમી જશે એટલે એ ખલાસ થવાનું. પથરા તો સ્વભાવે કરીને ઠંડા જ છે. એવી રીતે આત્મા ને પુદગલના સામીપ્યભાવથી ‘વિશેષ પરિણામ' ઊભું થયું, તેમાં અહંકાર ઊભો થયો. મૂળ જે સ્વાભાવિક
પુદ્ગલ હતું, તે ના રહ્યું. ૪૧૭૨ બે વસ્તુઓ ભેગી થવાથી બન્નેના સ્વભાવમાં ફેર થતો નથી.
પણ “અજ્ઞાન દશામાં ત્રીજો ‘વિશેષભાવ” ઉત્પન્ન થાય છે. જેમ આ ચોપડી અરીસા સામે ધરીએ તો ચોપડી તેનો સ્વભાવ બદલશે નહીં. ત્યારે શું અરીસો એનો સ્વભાવ બદલે છે ? ના. અરીસો તો પોતાના સ્વભાવમાં જ છે. પણ તેની સામે જાવ તો ‘તે' પોતાનો સ્વભાવ પણ બતાડે ને ‘વિશેષ ભાવ” પણ બતાડે, આ બહુ ઝીણી વાત છે. સાયન્ટીસ્ટોને જલ્દી સમજાય.
Page #231
--------------------------------------------------------------------------
________________
૪૧૭૩ જગતમાં કોઈન કરનારની જરૂર નથી. આ જગતમાં જે વસ્તુઓ છે
તે નિરંતર પરિવર્તનશીલ છે. તેના આધારે બધા વિશેષ ભાવો
બદલાયા જ કરે ને નવી જ જાતનું દેખાયા કરે બધું! ૪૧૭૪ સંસારને ચીતરે છે “પોતે'. પછી વિચિત્રતા લાવવાનું
નેચર'ના હાથમાં છે. ચિત્રના વિશેષ પરિણામને લઈને વિચિત્ર કરવાનું કામ નેચરનું છે. એમાં કોઈ હાથ ઘાલી ના
શકે. ડખોડખલ ના કરી શકે ! ૪૧૭૫ “પુદ્ગલ' એ જીવંત વસ્તુ નથી. પણ એ “આત્મા'ના
વિશેષભાવને ગ્રહણ કરે છે ને એવું તૈયાર થઈ જાય છે. એટલે એનામાં ય ફેરફાર થાય છે. “આત્માને કશું કરવું ના પડે.” “એનો' વિશેષભાવ થયો કે પુગલ પરમાણુ ખેંચાય
પછી એ એની મેળે મૂર્ત થઈ જાય ને પોતાનું કાર્ય કર્યા કરે ! ૪૧૭૬ જે પરભાયું છે તે “આપણા'માં દેખાય છે. જેમ અરીસામાં
બહારની વસ્તુ દેખાય છે તેમ !પોતે પ્રકાશિત ભાવ છે એટલે મહીં દેખાય, પણ છે. બહારનું. “આત્મા'નો સ્વ-પરપ્રકાશિત સ્વભાવ છે એટલે “એને' બહારનું અંદર દેખાય. તે ‘આપણી મહીં આ પેસી ગયું ?” ખરેખર મહીં પેસતું જ નથી ! સ્વપરપ્રકાશક છે તેથી દેખાય ખરું, “અમને’ પણ દેખાય, પણ અમે ક્યાં ગૂંચાઈએ છે કે અમને આ પેસી ગયું ?' પેસે
જ નહીં ને ! ૪૧૭૭ પરિણામી વસ્તુઓ સંજોગોને પામવાથી વિપરિણામને પામે
છે, એટલે સંસાર ઊભો થાય છે. આ સોનું લાખ વર્ષો મૂકી રાખો તો ય એનું પરિણામ ના બદલાય. દરેક વસ્તુ પોતાના
સ્વભાવ પરિણામને ભજ્યા જ કરે ! ૪૧૭૮ વિપરિણામ એટલે વિશેષ પરિણામ, વિરુદ્ધ પરિણામ નહીં ! ૪૧૭૯ ‘અમારે તો આત્મા’ આત્મ પરિણામમાં રહે અને ‘મન'
મનના પરિણામમાં રહે. મનની મહીં તન્મયાકાર થાય, એટલે વિશેષ પરિણામ થાય. “આત્મા’ સ્વપરિણામમાં પરમાત્મા છે ! બન્ને પોતપોતાનાં પરિણામમાં આવે અને
પોતપોતાનાં પરિણામને ભજે, તેનું નામ મોક્ષ ! ૪૧૮૦ વસ્તુઓના સંજોગોને લીધે આ વિપરિણામ દેખાય છે અને
વિપરિણામને જોઈને લોક મૂંઝાય છે. હું કહું છું વાતને સમજો. મહેનત કરવાની જરૂર નથી. સ્વપરિણામને સમજો અને વિશેષ પરિણામને સમજો. આત્મા વિભાવિક નથી થયો. આ તો વિશેષ પરિણામ છે અને ખરી રીતે વિશેષ પરિણામનો
એન્ડ’ આવી જાય છે. ૪૧૮૧ દૂધનું બગડી જવું એ એનો સ્વભાવ છે. પણ દહીં થઈ જવું
એ એનું વિશેષ પરિણામ છે. ૪૧૮૨ “વસ્તુ” અવિનાશી છે. એનાં પરિણામ પણ અવિનાશી છે.
ફક્ત વિશેષ પરિણામ વિનાશી છે. જો આપણે આ વાતને સમજીએ તો બન્નેનું ‘મિલ્ચર' ના થાય. એટલે બને
પોતપોતાનાં પરિણામને ભજે. ૪૧૮૩ ‘દાનેશ્વરી’ દાન આપે છે કે “ચોર' ચોરી કરે છે. એ બન્ને
એમનાં પરિણામને ભજે છે. એમાં રાગ-દ્વેષ કરવા જેવું ક્યાં
રહ્યું ? ૪૧૮૪ આ “વિશેષ પરિણામ’ છે, એ જે “પોતે' જાણ્યું, તે જ
‘રવપરિણામ છે. ‘વિશેષ પરિણામ'માં સારું-ખોટું હોય નહીં. ‘અજ્ઞાનથી મુક્તિ એટલે, આ “પોતાનાં પરિણામ અને આ ‘વિપરિણામ', એમ બન્નેને જુદા સમજે. અને “મોક્ષ' એટલે ‘વિશેષ પરિણામ’ બંધ થઈ ગયાં તે ! “સ્વભાવ પરિણામને જ “મોક્ષ' કહેવાય છે.
Page #232
--------------------------------------------------------------------------
________________
૪૧૮૫ ‘વિશેષ પરિણામ’થી શું થયું ? આ ‘મિકેનિકલ ચેતન’ ઊભું થયું, ‘પુદ્ગલ’ ઊભું થયું, ‘પૂરણ-ગલન’વાળું ઊભું થયું. ‘એ’ સ્વરૂપ જ્યાં સુધી ‘આપણું’ છે એ ‘બિલિફ’ પણ છે, ત્યાં સુધી છૂટાય નહીં.
‘આપણા’ ‘વિપરિણામ'ને લીધે આ સંયોગો ભેગા થાય છે, તે પ્રતિક્રમણથી ભૂંસાઈ જાય. ખરી રીતે દરઅસલ સાયંટિસ્ટને પ્રતિક્રમણની જરૂર જ નથી. આ તો આપણો લોકો ભૂલ થાપ ખાઈ જાય તેથી. અસલ સાયંટિસ્ટ તો આંગળી ઘાલે જ નહીં. ધ વર્લ્ડ ઈઝ ધ સાયન્સ' !
૪૧૮૬ પ્રતિક્રમણ શેનાં કરવાનાં
૪૧૮૭ ‘જ્ઞાની’ એટલે પોતાના સ્વરૂપનું અને સ્વભાવનું જ ચિંતવન થયા કરવું. ‘સ્વરૂપ’ એટલે ‘પોતે કોણ છે’ એ ડિસાઈડેડ થવું, અને સ્વભાવ એટલે આત્માના ગુણધર્મ, એમાં જ રહ્યા કરવું એનું નામ ‘જ્ઞાની’. ‘જ્ઞાની’ ‘સ્વરૂપ’માં જ રહે નિરંતર, સંસારમાં એક ક્ષણ વાર પણ ના હોય !
૪૧૮૮ આત્માનો એક ગુણ એવો છે કે જેવો ચિંતવે તેવો જ થઈ જાય. મૂળ ગુણ નિર્વિકારી છે, પણ એ ચિંતવે કે ‘હું વિકારી છું.’ તો તે વિકારી થઈ જાય. ‘મૂળ ગુણ જાય નહીં, ચિંતવેલો ગુણ નાશ પામે.’
૪૧૮૯ ‘આત્મા’ રત્નચિંતામણિ છે, કલ્પવૃક્ષ છે. પોતે જેવું કલ્પે એવો થઈ જાય. ‘તમે’ કહો કે ‘હું નાદાર થઈ ગયો’ તો નાદાર, ‘તમે’ કહો કે, ‘નહીં, કંઈ થયું નથી.’ તો કંઈ અસર ના રહે !
૪૧૯૦ જેવું કલ્પે એવો થઈ જાય. જપ કરે, તપ કરે તો તેવો થઈ જાય. જેવો વિચાર કરે તેવો થઈ જાય. જેવું બોલે તેવો થઈ જાય. જેવું વર્તન કરે તેવો થઈ જાય. ‘આત્મા’ કલ્પે તેવો થઈ
જાય.
૪૧૯૧ આત્માના ગુણને લઈને કલ્પે તેવું થાય છે. આત્મા ‘મૂળ વસ્તુ”માં ફેરફાર નથી થતો, અવસ્થામાં ફેરફાર થાય છે. ખરેખર તો ‘આત્મા’ આત્મા જ રહે છે પણ અસર થાય છે, ‘રોંગ બિલિફો’ બેસી જાય છે !
૪૧૯૨ મૂળ દ્રવ્યને કશી અસર જ નથી થતી. આ તો ભ્રામક માન્યતાઓ જ છે. દ્રવ્ય બગડતું નથી. દ્રવ્ય બગડતું હોય તો તો મોક્ષ થાય જ નહીં કોઈનો. ‘જ્ઞાન’ બદલાતું નથી, ખાલી ‘બિલિફ' જ બદલાય છે.
૪૧૯૩ ‘અમે’ જે જોયેલો છે ‘આત્મા’, એ ઓર વસ્તુ છે ! તેથી તો ‘તમારી’ કલાકમાં જ દ્રષ્ટિ બદલાય છે ! નહીં તો જે લાખો અવતારે ના બદલાય !!!
૪૧૯૪ પર્યાય એટલે અવસ્થા આપણે જોઈએ છીએ, તેમાં નાનામાં નાની અવસ્થાને પર્યાય કહેવામાં આવે છે. પર્યાયના આગળ ભાગ ના થાય.
૪૧૯૫ આત્માની સાથે જે કાયમ રહે એ ‘જ્ઞાન' કહેવાય, ગુણ
કહેવાય. અને જે અવસ્થા પૂરતું રહે, તત્પૂરતું રહે એ પર્યાય કહેવાય. જે જ્ઞાન પોતાના દોષને દેખાડે છે એ જ્ઞાન જ્ઞાન નથી, પણ એ જ્ઞાનનો પર્યાય છે !
૪૧૯૬ આ સૂર્યનારાયણ હોય છે, તેના ‘Rays’ને પર્યાય કહેવાય.
એ પોતે તો ચકચકિત છે જ, પણ ‘Rays' ઉત્પન્ન થાય. ‘લાઈટ’ એ ‘પરમેનન્ટ’ વસ્તુ છે અને Rays એ ‘ટેમ્પરરી છે. Rays નવાં નવાં બન્યાં જ કરવાનાં. આ બહુ નીચેની ભાષામાં સમજાવવા કહું છું !
૪૧૯૭ ‘આત્મા’ તો ‘જ્ઞાન સ્વરૂપ’ છે, પણ એનો ‘પ્રકાશ’ ઉત્પન્ન થાય
છે, એ સ્વભાવિક પ્રકાશ છે. તે બહારની અવસ્થાઓને જો જો કર્યા કરે છે. એક જુએ, પૂરું થાય, પછી બીજું જુએ, ત્રીજું જુએ.
Page #233
--------------------------------------------------------------------------
________________
૪૨૦૪ આત્મા જડે એવી વસ્તુ નથી. આ શરીરમાં આત્મા શી રીતે
જડે? આત્મા એવો છે કે ઘરની આરપાર જતો રહે. અહીં લાખ ભતા હોય એની આરપાર જતો રહે એવો આત્મા છે.
૪૨૦૫ “આત્મા' સંપૂર્ણ જાણવો એનું નામ “કેવળ જ્ઞાન'. આત્મા
જાણવો, ‘એબ્સોલ્યુટ” આત્મા જાણવો, તેનું નામ જ “કેવળ
એ અવસ્થાઓ કેવી હોય? ઉત્પન્ન થાય, થોડો વખત ટકે અને પાછું લય થાય. પુદ્ગલમાં ય આવાં જ પર્યાય ઊભાં થાય છે.
પુગલના પર્યાયને ‘તમે' જોઈ શકો છો. ૪૧૯૮ કેરી દેખાડે એટલે આત્માનો પર્યાય કેરીના આકારરૂપ થઈ
જાય. પછી બીજું જોવા મળે એટલે એના આકારે થઈ જાય
ને પહેલું જતું રહે. એમ નિરંતર ચાલ્યા જ કરે.... ૪૧૯૯ સંસાર અજ્ઞાનથી ઊભો થાય છે અને પ્રજ્ઞાથી આથમી જાય
છે. આત્માએ આમાં કશું કર્યું જ નથી. ૪૨૦૦ આ સૂર્યનારાયણ હોય ત્યાં ગધેડાનું ચિત્ર કાપીને ધરીએ તો
ભીંત પર ગધેડાનું ચિત્ર દેખાય. એમાં સૂર્યનારાયણને શું કરવું પડ્યું ? આમાં સૂર્યનારાયણ કઈ અપેક્ષાએ કર્તા ? ને કઈ અપેક્ષાએ અકર્તા? પોતાના અસ્તિત્વની અપેક્ષાએ એ કર્તા છે અને બીજી અપેક્ષાએ કર્તા નથી. સૂર્યનારાયણ તો જાણતાં ય
નથી કે ગધેડાનું ચિત્ર મૂક્યું છે ! ૪૨૦૧ આ ‘લાઈટ'ની હાજરીમાં અહીં કૂદાકૂદ કરીએ, પગ ઊંચા
નીચા કરીએ, તેમાં ‘લાઈટ” શું કરે છે? ‘લાઈટ'ની તો ખાલી હાજરી જ છે. એવી રીતે આ ચેતન કશું જ કાર્ય નથી કરતું.
આ વાત જગતના લક્ષમાં નથી. ૪૨૦૨ આ તો “અક્રમ વિજ્ઞાનથી બધું ખુલ્લું થઈ ગયું છે ! “મેં
“આત્મા' જોયો છે તે “આના જેવો જોયો છે, જે કશું જ કામ ના કરે એવો. અને એની હાજરીથી અહીં બધી ક્રિયાઓ
ચાલ્યા કરે ! ૪૨૦૩ આત્મા જાણવા જેવો છે, પણ જણાય તેવો નથી. એ તો ‘જ્ઞાની
પુરુષ'ની કૃપાથી જ જણાય તેમ છે. “જ્ઞાની પુરુષ' “ચાહે સો કરે.' કારણ કે તે કર્તાભાવે નથી, પણ નિમિત્તભાવે છે !
૪૨૦૬ “શુદ્ધાત્મા' એ કંઈ પરમાત્મા નથી. “શુદ્ધાત્મા’ તો પરમાત્માના
યાર્ડમાં આવેલું સ્થાન છે ! ‘તમને' (મહાત્માઓને) શુદ્ધાત્મપદ કેમ આપવામાં આવ્યું છે ? ‘તમે” “શુદ્ધાત્મા', અને “ચંદુલાલ' જે કંઈ પણ કરે છે, તેના ‘તમે’ રીસ્પોન્સિબલ’ નથી એવી ખાતરી થાય. સારું કરી તેનો ય ડાઘ નથી પડતો ને ખોટું કરી તેનો ય ડાઘ નથી પડતો,
કર્તાપદ જ મારું હોય' એ શુદ્ધાત્માનું લક્ષ બેઠું કહેવાય. ૪૨૦૭ “શુદ્ધાત્મા’ શબ્દ એ તો ખાલી સંજ્ઞા જ છે. એનાથી “હું શુદ્ધ
જ છું, ત્રણે કાળ શુદ્ધ જ છું,' એ સંજ્ઞામાં રહેવાય. શુદ્ધતા માટે નિઃશંકપણું ઉત્પન્ન થાય. ત્યાર પછીનું પદ એટલે
કેવળ જ્ઞાનસ્વરૂપ” “આપણું ! ૪૨૦૮ તમે (મહાત્માઓ) “શુદ્ધાત્મા' તરીકે રહો, અમે ‘કેવળ જ્ઞાન’
તરીકે રહીએ ! ૪૨૦૯ આખા વર્લ્ડનો અજાયબ પુરુષ છે ‘આ’ ! ‘કેવળ જ્ઞાન
સ્વરૂપી” આત્મા જાણ્યો, તેને “જાણ્યું” કહેવાય. ૪૨૧૦ “કેવળ જ્ઞાન સ્વરૂપ” કેવું દેખાય ? આખા દેહમાં આકાશ
જેટલો જ ભાગ પોતાનો દેખાય. આકાશ જ દેખાય ખાલી. બીજું કશું દેખાય નહીં, કોઈ મૂર્ત વસ્તુ એમાં ના હોય. ‘જ્ઞાની પુરુષ'ના કહેવાથી આ પ્રમાણે અભ્યાસ થયો, એટલે શુદ્ધ થઈ ગયું !
Page #234
--------------------------------------------------------------------------
________________
૪૨૧૧ જ્ઞાયક ભાવ સિવાય બીજો કોઈ ભાવ નથી, એનું નામ કેવળ
જ્ઞાન.
૪૨૧૨ કેવળ જ્ઞાન એટલે શું ? બધાં જોય ને શેયના બધા પર્યાયને
જાણે તે ! સર્વ યોનો જ્ઞાતા થાય ત્યારે કેવળ જ્ઞાન થાય. ૪૨૧૩ “કેવળ જ્ઞાન સ્વરૂપ એટલે “એબ્સોલ્યુટ' જ્ઞાનસ્વરૂપ છે.
કેવળ જ્ઞાન આકાશ જેવું, આકાશ જેવો સ્વભાવ છે, અરૂપી છે ! આત્મા આકાશ જેવો સૂક્ષ્મ છે. આકાશને આમ અગ્નિ અડાડીએ તો તે દઝાય નહીં. અગ્નિ સ્થળ છે. બીજી બધી
જ વસ્તુ આત્મા કરતાં સ્થળ છે ! ૪૨૧૪ “જ્ઞાન' એક જ છે. એના ભાગ બધા જુદા જુદા છે. આપણે આ
‘રૂમ'ને જોઈએ તો રૂમ', ને ‘આકાશને જોઈએ તો “આકાશ', પણ “જ્ઞાન' તેનું તે જ ! જ્યાં સુધી આ વિશેષ જ્ઞાન જુએ, સાંસારિક જ્ઞાન જુએ, ત્યાં સુધી આત્મા જ દેખાય નહીં. અને આત્મા જાણ્યા પછી બેઉ દેખાય. આત્માને જાણે નહીં તો કશું
દેખાય નહીં, આંધળાભૂત બધાં ! ૪૨૧૫ બુદ્ધિથી પરમાત્મા સંબંધી વાતો કરવી તે આત્માની નિંદા કર્યા
બરાબર છે. આત્મા અવર્ણનીય છે. ૪૨૧૬ મનની બધી જ ક્રિયાઓને ડિસ્ચાર્જ સમજી ગયો, વાણીની
બધી જ ક્રિયાઓને “ડિસ્ચાર્જ સમજી ગયો, દેહની બધી જ ક્રિયાઓને ‘ડિસ્ચાર્જ સમજી ગયો, એટલે થઈ રહ્યું ! આટલું જ જે મારી વાત સમજી ગયો તો તેને કશું જ કરવાનું રહેતું નથી, કશું જ વાંચવાનું રહેતું નથી, કશું જ સાંભળવાનું રહેતું
નથી. ૪૨૧૭ બુદ્ધિવાળા પાસેથી બુદ્ધિ તું લાવ્યો અને “જ્ઞાની' પાસેથી જ્ઞાન
મળે. ૪૨૧૮ આત્મા ભ્રમિત થયો ત્યારે સંસાર ઊભો થયો ! બુદ્ધિ ભ્રમિત
થશે ત્યારે જ્ઞાન પ્રગટ થશે !! ૪૨૧૯ જ્ઞાન આપી શકાય? ‘જ્ઞાને ય આપી શકાય ને અજ્ઞાને ય
આપી શકાય. આ જગત અજ્ઞાન આપી રહ્યું છે. જયારે જ્ઞાની' “જ્ઞાન” આપી રહ્યા છે. “જ્ઞાન” અને “અજ્ઞાન' બન્ને નૈમિત્તિક છે. “જ્ઞાન” તો તમારી અંદર ભર્યું પડેલું છે. “અમારા' નિમિત્તથી એનો ઉઘાડ થાય. હું તો માત્ર નિમિત્ત
છું. અમારું કર્તાપણું ના હોય કોઈ પણ બાબતમાં. ૪૨૨૦ આત્મા કર્તવ્ય સ્વરૂપ નથી, ક્રિયા સ્વરૂપ નથી, આત્મા
ક્રિયાઓનો જ્ઞાતા-દ્રષ્ટા છે ! ૪૨૨૧ જ્ઞાન તો અપાર છે પણ વીતરાગો જે જ્ઞાનને જીત્યા, એની
પાર જ્ઞાન જ નથી. કોઈ જગ્યાએ હારે નહીં, એનું નામ વીતરાગ. વખતે દેહ હારે, મન હારે, વાણી હારે, પણ પોતે'
ના હારે. વીતરાગ કેવાં ! ૪૨૨૨ વિજ્ઞાની ક્યારે થઈ શકે ? આખી મનની ગ્રંથિઓ ઓળંગી
જાય, બુદ્ધિના બધા પર્યાયો ઓળંગી જાય, પછી “જ્ઞાનના પર્યાયો શરૂ થાય, એ ય પછી ઓળંગી જાય, ને “જ્ઞાનની
બહાર નીકળે, ત્યારે “વિજ્ઞાનઘન આત્મા’ થાય ! ૪૨૨૩ અનંતા જોયોને વીતરાગોએ એક જ શેયમાં જોયેલું, તેવું આ
‘દાદા'એ એક જ શેય, એક પુદ્ગલ જોયું છે. પુદ્ગલ તો સ્વાભાવિક રીતે એક જ છે, મૂળ સ્વભાવનું પુદ્ગલ,વિશ્રસા નું
બનેલું ! જગત એક છે, Net (નેટ) ચોખ્ખા પરમાણુનું !!! ૪૨૨૪ “અનંતા જોયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં
શુદ્ધ ચેતન’ સંપૂર્ણ શુદ્ધ છે, સર્વાગ શુદ્ધ છે. તે શેયોનાં અનંત પર્યાયોમાં ‘પોતે' જ્ઞાતાભાવ ખેંચી લીધો એટલે એ શુદ્ધ
થયું. ૪૨૨૫ સફરજન જુઓ એટલે શેય પ્રમાણે જ્ઞાન થાય. એટલે તે
Page #235
--------------------------------------------------------------------------
________________ 4230 અત્યારે તમે સંસારની સન્મુખ થયેલા છો અને “જ્ઞાનીથી વિમુખ થયેલા છો. જ્યારે “જ્ઞાની'ની સન્મુખ થશો ત્યારે સંસાર છૂટશે ! 4231 જેમ કમળ અને પાણીને કોઈ ઝઘડો નથી, તેમ સંસાર અને જ્ઞાનને કોઈ ઝઘડો નથી. બેઉ જુદાં જ છે. પણ માત્ર ‘બિલિફો' જ રોંગ છે. તે જ્ઞાની પુરુષ' “રોંગ બિલિફ' ‘ફ્રેકચર' કરી આપે, ત્યારે સંસાર છૂટે. જ્ઞાનાકાર થઈ જાય, તે ચોંટતું નથી. પણ ત્યાં તે રૂપ, તદ્રુપત થઈ જાય છે તેનો વાંધો છે. ત્યાં તે છૂટે શેનાથી ? તે તદ્રુપ શેનાથી થાય છે ? માન્યતાથી. ખરી રીતે તદ્રુપે ય નથી થતો પણ “રોંગ માન્યતાઓથી તદ્રુપતા ભાસે છે. માન્યતા સવળી થાય ત્યારે તે પોતાના અસલ સ્વરૂપમાં જ હોય. 4226 બે જાતનાં શેય અવસ્થા સ્વરૂપે છે. અને એક તત્ત્વ સ્વરૂપે ય છે. તત્ત્વ સ્વરૂપનું હજી તમને ના સમજાય. (1) જ્ઞાતાભાવ શેયભાવે દેખાય ત્યારે પોતાના સ્વભાવમાં સમાવેશ પામે. (2) શેયમાં મમત્વપણું હતું તે છૂટયું અને શેય શેય સ્વરૂપે દેખે તેમ તેમ આત્મપુષ્ટિ થાય. જ્યારે તત્ત્વ સ્વરૂપે આ આત્મા દેખાશે ત્યારે બધાં જ બાકીનાં તત્ત્વો દેખાશે. ખરો શેય તત્ત્વ સ્વરૂપે છે અને તત્ત્વ સ્વરૂપે જ્ઞય ‘કેવળ જ્ઞાન' વગર ના દેખાય. પણ શ્રદ્ધામાં આવે એટલે કેવળ જ્ઞાનમાં આવે જ. જ્ઞાતાભાવ ખેંચાઈ ગયો એટલે Extract ખેંચાઈ ગયો. 4227 “આપણે” જ્ઞાતા-જોયના સંબંધમાં આવ્યા ત્યારથી ય ચોખ્ખાં થતાં જ જાય. જે શેયનો નિકાલ થઈ ગયો એ ફરી નહીં આવવાનું. કારણ કે એ ચોખ્ખાં થઈને નિકાલ થયાં. એટલે તત્ત્વસ્વરૂપે થઈ ગયાં ! 4228 આ “અક્રમ વિજ્ઞાનનું સૈદ્ધાંતિક સ્વરૂપ છે. બિલકુલ અવિરોધાભાસ સિદ્ધાંત એને કહેવાય. જ્યાંથી પૂછો ત્યાં સિદ્ધાંતમાં જ પરિણમે. કારણ કે સ્વાભાવિક જ્ઞાન છે આ ! 4229 પ્રકૃતિનો એક પણ ગુણ “શુદ્ધ ચેતન'માં નથી, ‘શુદ્ધચેતન'નો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. સામિપ્ય હોવાથી ભ્રાંતિથી એકરૂપ લાગે છે અને તેનાથી જગતની અધિકરણ ક્રિયા થાય છે.