________________
કાયમ માટે રહે તો એને કર્મ ના બંધાય. ૧૬૭૮ આટલું જ જાણવાનું છે : “આઈ” અને “માય'નું “સેપરેશન’
કરને, તો આખું શાસ્ત્ર સમજી ગયો ! આખું બ્રહ્માંડ સમજી
ગયો !!! ૧૬૭૯ “આઈ એ વસ્તુ સ્વરૂપ છે ને ‘માય' એ સંયોગ સ્વરૂપ છે.
સંયોગ સ્વરૂપ ને “વસ્તુ’ સ્વરૂપ એ બે જુદાં હોય. ૧૬૮૦ સ્થૂળ “માય’ને બાદ કરતાં આવડે, પછી સૂમ બાદ કરવાનું.
પછી સૂક્ષ્મતર ને સૂકમતમ બાદ કરવાનું. આ બધું બાદ કરતાં
કરતાં “આઈ જુદું પડી જાય ! ૧૬૮૧ “આઈ એબ્સોલ્યુટ' છે. એને “માયનાં ભૂત વળગ્યાં છે ! ૧૬૮૨ “આઈ” એ જ તમે પોતે છો એટલું જ ‘રીયલાઈઝ' કરવાનું
૧૬૮૭ સંસારમાં સુખી થવાનો એક જ રસ્તો છે. “માય' છોડીને
લોકોની પાછળ પડો ! ૧૬૮૮ “માય જેટલું કહેવામાં આવે છે તે બધું જ પરભાયું. ‘આઈ'
એ “પોતે' છે ને “મા” બધું પરભાયું છે, પુદ્ગલ છે. વ્યવહારમાં “આ મારું છે' એમ બોલવામાં વાંધો નહીં. પણ
અંદરખાને “આઈ’ ‘હું કોણ છું' એ નક્કી કરી લેવું જોઈએ. ૧૬૮૯ આત્મા સિવાય બીજું બધું શું છે? વ્યવહાર છે. અને વ્યવહાર
પરાશ્રિત છે ! પરાશ્રિતને સ્વાશ્રિત લોકોએ માન્યું એટલે તમે ય માન્યું, એક ફેરો રોગ પેસે પછી નીકળે શી રીતે ? આ સંસાર રોગ વધતો વધતો ‘ક્રોનિક’ થઈ ગયો ! તે શી રીતે
છૂટાય ? “વિજ્ઞાન’ મળે તો છૂટે! ૧૬૯૦ મન-વચન-કાયાનાં પરમાણું “ઈફેક્ટિવ' છે. તેથી ‘વસ્તુ'
સારી-ખોટી દેખાય છે. સારાને ખોટું ને ખોટાને સારું દેખાડે છે. અને તેનાથી અભિપ્રાય બંધાય છે. મન-વચન-કાયાનાં
પરમાણુ જ અભિપ્રાય બતાવે છે. ૧૬૯૧ જો વાઘ જોડે પ્રતિક્રમણ' કરીએ તો વાઘે ય આપણા કહ્યા
પ્રમાણે કામ કરે. “વાઘ'માં ને “મનુષ્ય'માં ફેર કશો નથી. ફેર
તમારાં સ્પંદનોનો છે ! તેથી તેને અસર થાય છે. ૧૬૯૨ ‘વાઘ હિંસક છે' એવું તમારા મનમાં ધ્યાન હોય ત્યાં સુધી
એ પોતે હિંસક જ રહે અને ‘વાઘ શુદ્ધાત્મા છે' એવું ધ્યાન
રહે તો એ હિંસક ના રહે. બધું થઈ શકે તેમ છે ! ૧૬૯૩ કોઈને માટે એક જ ફેર મહીં પરિણામ બગડે કે આને ઠેકાણે
પાડી દઉં, એટલે એ તો ભગવાનની સાક્ષીએ નીકળેલી વાત, એ કઈ રીતે નકામી જાય ? પરિણામ ના બગડે તો કશું ય નથી. બધું શાંત થઈ જાય. બંધ થઈ જાય !
૧૬૮૩ સ્થળ “માય’ને બાદ કરતાં તો બધાને આવડે. પણ સૂમ,
સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ ‘મા’ને બાદ કરવાનું શી રીતે આવડે ?
એ તો “જ્ઞાની પુરુષ'નું કામ. ૧૬૮૪ “આઈ વીથ “માય', એનું નામ જીવાત્મા. ‘હું ” અને “આ
બધું મારું છે' એ જીવાત્મદશા. અને “હું જ છું અને મારું
ન હોય' એ પરમાત્મદશા !!! ૧૬૮૫ “આઈ’ એટલે હું, ને “માય’ એટલે મારું. “મા” બધો
પરિગ્રહ છે. પરિગ્રહ જેટલો ઉંચકાય એટલો રાખવો. ૧૬૮૬ “આઈ’ અને ‘માય” એ બે જુદા જ ફાંટા છે. એ ક્યારેય ભેગા
ના થાય. આમ કહેશે કે, “માય વાઈફ (મારી બૈરી), અમે બે એક જ છીએ. એક તો ના જ કહેવાય ને ? બે “આઈ” જુદા જ હોય ને ?