SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તસૂત્ર ૩૪૧ ‘વીતરાગ” એટલે કોઈ માર મારે, ગાળ ભાંડે, એની છોકરીને ઉઠાવી જાય, તો ય અસર ના થાય. “વીતરાગ’ તો સુખ-દુઃખ, સારું-ખોટું વગેરે કંદથી પર હોય. ૩૪૨ સમ્યકત્વ થાય ત્યારથી વીતરાગ વાણીની શરૂઆત થાય ને કેવળજ્ઞાન” થાય ત્યારે તે સંપૂર્ણ થાય. ૩૪૩ ઘરમાં ગેરહાજર હોય તે બહાર રખડતો હોય, તેમ સંસારમાં ગેરહાજર તે ધર્મમાં રખડતો હોય. ૩૪૪ સમકિતી સ્વ-પર હિતકારી છે. મિથ્યાત્વી સ્વ-પર અહિતકારી આપ્તસૂત્ર દ્રષ્ટાપણે કરવામાં આવે તે કર્મ નથી. ૩૩૫ કર્મ એકલું જ બધું ચલાવી લેતું હોય એવું નથી. કર્મ તો એક વિષય ભોગવવાની ઇચ્છા કરેલી, એટલું જ કર્મ કરેલું હોય છે. ત્યારે પરસત્તા શું કહે છે ? અમારે એકલો વિષય તો દુનિયામાં અપાય નહીં. આજુબાજુનું બધું જ જોવું પડે. એટલે પાછી સ્ત્રી આપવી પડે. સાસુ, સસરો, સાળો, કાકીસાસુ, મામીસાસુ, બધું જ આપવું પડે !!! એક બૈરી કરવા ગયો ત્યાં કેટલી બધી વળગણા ચોંટી !ન ઢેડફજેતો ! શી રીતે માણસ આ જંજાળમાંથી છૂટે ?! સંસાર સાગર કહેવાય. આ તો વગર પાણીમાં ડૂળ્યાં ! પેલા પાણીમાં ડૂબે તો તારી શકાય, પણ આમાં ડૂબે તો શી રીતે તારી શકાય ?! ૩૩૭. સંસારનું સરવૈયું શું? નફો છે કે ખોટ છે ? બાર રૂમોવાળાને ય ખોટ છે ને બે રૂમોવાળાને ય ખોટ છે. ખોટ રૂમમાં નથી, તારામાં જ છે. તેને તું ખોળી કાઢને ! ૩૩૮ જેને સંસારનો ભોગવટો કરવો હોય તેણે અહંકારનું હથિયાર રાખવું કે જેને સંસારથી મુક્તિ જોઈતી હોય તેણે અહંકારનું હથિયાર મૂકી દેવું ! ૩૩૯ ઇગોઈઝમ' રૂપી ફાચરની આ બધી ફસામણ છે ! ઇગોઈઝમ' રૂપી આંકડો છે તે ગાડી ચાલે, તેની સાથે ડબ્બો ય ચાલે !!! સંસારમાં જેટલું ઊંધું ચાલ્યા તેટલો ઇગોઇઝમ. ને જેટલો ઇગોઇઝમ ઓગળે તેટલું સનાતન સુખ વર્યા કરે. ‘જ્ઞાની પુરુષ'ને ઇગોઇઝમ ખલાસ થઈ ગયેલો હોય, તેથી નિરંતર સનાતન સુખ રહે. કોઈ અપમાન કરે તો ય પોતાને મહીં સુખ લાગે, ત્યારે એમ થાય કે ઓહોહો ! આ કેવું સુખ !!! ૩૪૫ મિથ્યાત્વી લોકો પારકાં માટે જીવે છે ને સમકિતી લોકો પોતા' (આત્મા) માટે જીવે છે. ૩૪૬ આત્માનું જેટલું થયું તેટલું તમારું ને બીજું બધું પારકું ! ૩૪૭ કોઈના ય ચારિત્ર સંબંધી શંકા ના કરાય, બહુ મોટી જોખમદારી છે. મોટા મોટા તીર્થકરો જે માને પેટે જન્મ્યા, તેમાં સ્ત્રીને કેમ દોષિત ગણાય? શંકા શાને માટે કરવાની ? જે કરે છે તે તેની જોખમદારી છે. ૩૪૮ જ્યાં સુધી રાગ-દ્વેષ છે, ત્યાં સુધી કોઈ દહાડોય અનુભૂતિ થાય નહીં. ૩૪૯ ‘જ્ઞાની’ અને ‘અજ્ઞાની'માં ફેર શો ? “જ્ઞાની’ બધી જ ક્રિયાઓમાં રાગ-દ્વેષરહિત હોય ને અજ્ઞાની બધી જ ક્રિયાઓમાં રાગ-દ્વેષરહિત હોય. ૩૫૦ રાગ-દ્વેષ ઓછાં કરવા માટે ધ્યાન કરવાનું હોતું હશે ? રાગ વૈષ ઓછાં કરવા “વીતરાગનું વિજ્ઞાન” જાણવાની જરૂર છે. ૩૫૧ જેનામાં રાગ નામનો રોગ નથી એવાં વીતરાગની કૃપાથી
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy