________________
GO
શાંતસુધારસ
ભાવાર્થ :
અત્યારસુધી આશ્રવથી થતી વિડંબનાનું સ્વરૂપ બતાવ્યું. એ રીતે આશ્રવના સ્વરૂપનું ચિંતવન કરીને મહાત્મા પોતાના આત્માને ઉદ્દેશીને કહે છે –
સાશ્રવ એવા પાપી આત્માના રોધમાં બુદ્ધિનું આધાર કરીને તું આનંદ પામ અર્થાત્ તારી શક્તિને ગોપવ્યા વગર સાશ્રવવાળા એવા તારા આત્માના રોલમાં જેટલી તારી બુદ્ધિ યત્ન કરી શકે એ પ્રમાણે યત્ન કરીને જેટલો આશ્રવ વગરનો થયો છે તેનું સ્મરણ કરીને તું આનંદિત થા; કેમ કે આશ્રવરોધ જ તારા માટે આનંદનું સ્થાન છે.
અહીં પ્રશ્ન થાય છે કે આશ્રવનો રોધ કરીને અંતે જીવે શું કરવું જોઈએ? તેથી કહે છે – હે વિનય ! શાંત એવા અમૃતરસનું પાન તું સતત કર. જેથી તારું ચિત્ત મોહની આકુળતાનો ત્યાગ કરીને શાંત પરિણામના સુખને પ્રાપ્ત કરે. જે સુખ જ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને પૂર્ણ સુખમય એવા મોક્ષસુખને પ્રાપ્ત કરશે. Iટા
II સાતમો પ્રકાશ પૂર્ણ II