Book Title: Shant Sudharas
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/022104/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પૂ. મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજા વિરચિત શાંતસુધારસ શિક્ષણ વિચારી 'વિવેચક: પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા Page #2 -------------------------------------------------------------------------- ________________ શાંતમુઘારાસ શબ્દશઃ વિવેચન જ મૂળ ગ્રંથકાર જ પૂ. મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ જ આશીર્વાદદાતા જ વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સવ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પદર્શનવેરા, માવચનિકપ્રતિભાધારક રવ. પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા ક વિવેચનકાર જ પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા જ સંપાદિકા . રાખીબેન રમણભાઈ શાહ જ પ્રકાશક . માતા શ્રુતદેવતા ભવન', ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ શબ્દશઃ વિવેચન વિવેચનકાર છે પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૩૯ + વિ. સં. ૨૦૬૯ + આવૃત્તિ: પ્રથમ + તકલઃ ૭૫૦ મૂલ્ય : રૂ. ૧૩૦-૦૦ - ક આર્થિક સહયોગ - પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી પાઠશાળા ૯, “સિદ્ધાચલ વાટિકા', સ્મૃતિમંદિર પાસે, રામનગર, સાબરમતી, અમદાવાદ-૫. (શાંતિલાલ ગમનાજી ચેરીટેબલ ટ્રસ્ટ) | મુખ્ય પ્રાપ્તિસ્થાન : છે તતાથી શ્રુતદેવતા ભુવન', ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Email : gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com સર્વોદય ઓફસેટ ૧૩, ગજાનંદ એસ્ટેટ, ઇદગાહ પોલીસ ચોકી પાસે, પ્રેમ દરવાજા, અમદાવાદ-૧૧. ફોન : ૨૨૧૭૪૫૧૯ [સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે.] Page #4 -------------------------------------------------------------------------- ________________ - પ્રાપ્તિસ્થાન પર * અમદાવાદ : ગીતાર્થ ગંગા, “મૃતદેવતા ભવન', ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૪૫૭૪૧૦ Email : gitarthganga@yahoo.co.in gitarthganga@gmail.com વડોદરા : શ્રી સૌરીનભાઈ દિનેશચંદ્ર શાહ દર્શન', ઈ-કલ, લીસાપાર્ક સોસાયટી, વિભાગ-૨, રામેશ્વર સર્કલ, સુભાનપુરા, હાઈટેન્શન રોડ, વડોદરા-૩૯૦૦૨૩. (૨૬૫) ૨૩૯૧૬૯૯ (મો.) ૯૮૨૫૨૧૨૯૯૭ Email : saurin 108@yahoo.in મુંબઇ : શ્રી લલિતભાઈ ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, સર્વોદય પાર્શ્વનાથનગર, જૈન દેરાસરની પાછળ, જવાહરલાલ નહેરૂ રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦. : (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૯૦૩૦ | (મો.) ૯૩૨૨૨૩૧૧૧૬ Email : lalitent5@gmail.com શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જવેલર્સની ઉપર, મલાડ (ઈ.) મુંબઈ-૪૦૦૦૯૭. : (૦૨૨) ૩૨૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૭૪૮૫૧ Email: divyaratna_108@yahoo.co.in સુરતઃ ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ -૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુનિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. ૨ (૦૨૬૧) ૩૨૨૮૯૨૩ જામનગર : શ્રી ઉદયભાઈ શાહ c/o. મહાવીર અગરબત્તી વર્ક્સ, સી-૯, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧. ૧ (૦૨૮૮) ર૬૭૮૫૧૩ (મો.) ૯૭૨૬૯૯૩૯૯૦ Email : karan.u.shah@hotmail.com * BANGALORE: Shri Vimalchandji Clo. J. Nemkumar & Co. Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560053. : (080) (O) 22875262 (R) 22259925 (Mo) 9448359925 Email : amitvgadiya@gmail.com રાજકોટ: શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ (મો.) ૯૪૨૭૧૬૮૬૧૩ Email : shree_veer@hotmail.com Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય . સુજ્ઞ વાચકો ! પ્રણામ... અંધકારમાં ટૉર્ચ વગર અથડાતી વ્યક્તિ દયાપાત્ર છે, તો તેનાથી પણ ટૉર્ચ કઈ રીતે વાપરવી તે ન જાણનાર વ્યક્તિ વધુ દયાપાત્ર છે. કારણ? તે વ્યક્તિ પાસે સાધન હોવા છતાં પણ તેની જરૂરી જાણકારીના અભાવે તેનો ઉપયોગ નહીં કરી શકે. તેવી જ રીતે... અંધકારભર્યા સંસારમાં જિનશાસનની પ્રાપ્તિ વગર ભટક્તો જીવ ચોક્સ દયાપાત્ર છે, પરંતુ જિનશાસનની પ્રાપ્તિ બાદ પણ જો જીવ તેનાં રહસ્યજ્ઞાન વગરનો જ રહ્યો, તો તે વધારે દયાપાત્ર છે; કેમ કે દુઃખમય અને પાપમય સંસારમાંથી છૂટવા માત્ર જિનશાસન પ્રાપ્તિ પર્યાપ્ત નથી, પરંતુ તેની પ્રાપ્તિ બાદ શાસનનાં ઊંડાણભર્યા રહસ્યોના જ્ઞાન દ્વારા શાસન પ્રત્યે અતૂટ બહુમાન અને સાધનામાર્ગનો દઢ સંકલ્પ જરૂરી છે. અન્યથા ભાગ્યે દીધેલ જિનશાસનનો લાભ તે વ્યક્તિ પૂર્ણતયા ઉઠાવી નહીં શકે. અમને ગૌરવ છે કે, જિનશાસનનાં આ જ રહસ્યોને ગીતાર્થગંગા સંસ્થા દ્વારા ૧૦૮ મુખ્ય અને અવાંતર ૧૦,૦૦૮ વિષયોના માધ્યમે ઉજાગર કરાવવા અમે ભાગ્યશાળી થયા છીએ. અહીં દરેક વિષય સંબંધી ભિન્ન-ભિન્ન શાસ્ત્રોમાં વેરાયેલાં રહસ્યમય શાસ્ત્રવચનોનું એકત્રીકરણ થાય છે. ત્યારબાદ તેમાં દેખાતા વિરોધાભાસોના નિરાકરણ સાથે પરસ્પર સંદર્ભ જોડવા દ્વારા તેમાં છુપાયેલાં રહસ્યોનો આવિષ્કાર કરવામાં આવે છે. જો કે, આ રહસ્યો અસામાન્ય શક્તિશાળી સિવાયના લોકોને સીધાં પચતાં નથી; કેમ કે તે દુર્ગમ જિનશાસનના નિચોડરૂપ હોવાથી અતિ દુર્ગમ છે. તેથી અમારી સંસ્થાના માર્ગદર્શક પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.એ પ્રસ્તુત રહસ્યોને વ્યાખ્યાનો સ્વરૂપે સુગમ શૈલીમાં, શાસ્ત્રીય અને આધુનિક દરેક પરિપ્રેક્ષ્યમાં પીરસ્યાં છે અને પીરસશે. જેમાંથી એક ધર્મતીર્થ વિષયક પ્રવચનોનો અર્ધાશ પ્રગટ થયેલ છે. અલબત્ત, આ શૈલીની સુગમતાજન્ય લંબાણને કારણે અમુક વિષય સુધી વિવેચનની મર્યાદા બંધાઈ જાય છે, માટે શ્રીસંઘને પૂર્ણ લાભ મળે તે હેતુથી ત્યારબાદના વિષયો સંબંધી અખૂટ રહસ્યગર્ભિત શાસ્ત્રવચનોનો પરસ્પર અનુસંધાન સાથે સંગ્રહ પ્રગટ કરવામાં આવશે, જેને આજની ભાષા Encyclopedia (વિશ્વકોષ) કહે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ તેમાં તે તે વિષય સંબંધી દૂરનો સંબંધ ધરાવતાં શાસ્ત્રવચનો પણ તે વિષયક રહસ્યજ્ઞાનમાં ઉપયોગી હોવાને કારણે સંગૃહીત થશે અને આ સંગ્રહરૂપ બીજ દ્વારા ભવિષ્યમાં સમગ્ર શ્રીસંઘને શાસનનાં રહસ્યજ્ઞાનની પ્રાપ્તિમાં તૈયાર સામગ્રી પૂરી પડશે. વિધાનેવ વિનાના િવિજ્જનપરિશ્રમ એ ઉક્તિ અનુસાર વિદ્વાનો દ્વારા થતું આ વિઠ્ઠલ્મોગ્ય અને અશ્રુતપૂર્વ કાર્ય ઘણા પુરુષાર્થ ઉપરાંત પુષ્કળ સામ્રગી અને સમય પણ માંગે છે. બીજી બાજુ, શ્રી સંઘ તરફથી સ્વ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મ. સા., પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.નાં પ્રવચનો અને પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા કૃત શાસ્ત્રનાં વિવેચનો શાસનનાં રહસ્યો સુધી પહોંચવાની કડી સ્વરૂપ હોવાથી પ્રસિદ્ધ કરવાની માંગણીઓ પણ વારંવાર આવે છે. જો કે, આ પ્રવૃત્તિ સંસ્થાના મૂળ લક્ષ્યથી સહેજ ફંટાય છે, છતાં વચગાળાના સમયમાં, મૂળ કાર્યને જરા પણ અટકાવ્યા વગર પ્રસ્તુત કાર્યને સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારીએ છીએ. તેના અન્વયે પ્રસ્તુત પુસ્તક પ્રકાશિત કરતાં આનંદ અનુભવાય છે. ઉપરોક્ત દરેક કાર્યોને શ્રીસંઘ ખોબે-ખોબે સહર્ષ વધાવશે, અનુમોદશે અને સહાયક થશે તેવી અભિલાષા સહ... “શ્રુતદેવતા ભવન', ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ગીતાર્થ ગંગાનું ટ્રસ્ટીગણ અને શ્રુતભક્તો Page #7 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગાનાં પ્રકાશનો ૫. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા (મોટા પંડિત મ. સા.)ના પ્રવચનનાં પુસ્તકો ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર ૫. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા (પંડિત મ. સા.) કૃત, સંપાદિત અને પ્રવચનનાં પુસ્તકો ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો ૨. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો (હિન્દી આવૃત્તિ) ૩. યોગદૃષ્ટિસમુચ્ચય ૪. કર્મવાદ કર્ણિકા ૫. સદ્ગતિ તમારા હાથમાં ! ૬. દર્શનાચાર ૭. શાસન સ્થાપના ૮. શાસન સ્થાપના (હિન્દી આવૃત્તિ) ૯. અનેકાંતવાદ ૧૦. પ્રશ્નોત્તરી ૧૧. પ્રશ્નોત્તરી (હિન્દી આવૃત્તિ) ૧૨. ચિત્તવૃત્તિ ૧૩. ચિત્તવૃત્તિ (હિન્દી આવૃત્તિ) ૧૪. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૫. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૬. ભાગવતી પ્રવ્રજ્યા પરિચય ૧૭. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૮. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ, વિનિયોગ) ૧૯. લોકોત્તર દાનધર્મ “ અનુકંપા” – 籽 Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૦. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૨૧. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૨૨. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? ૨૩. જિનશાસન સ્વતંત્ર ધર્મ યા સંપ્રદાય ? (હિન્દી આવૃત્તિ). ૨૪. Is Jaina Order Independent Religion or Denomination ? (અંગ્રેજી આવૃત્તિ) 24. Status of religion in modern Nation State theory (ialy zhiqfa) ૨૬. ગૃહજિનાલય મહામંગલકારી ૨૭. શ્રી ઉપધાન માર્ગોપદેશિકા એ જે સંપતિ :- . પૂ. પંન્યાસ શ્રી અરિહંતસરની મહાન સાહા १. पाक्षिक अतिचार ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત _____ અન્ય પુસ્તકોની યાદી ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ ૨. શ્રી નવપદ આરાધના વિધિ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર Bll સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ૪. સ્વતંત્ર ભારત મેં ધર્મ પરતંત્ર lil (હિન્દી આવૃત્તિ) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ 4. Right to Freedom of Religion !!!!! સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ૬. ‘રક્ષાધર્મ' અભિયાન સંકલનકર્તા: ધર્મતીર્થ રક્ષા સમિતિ ૭. “Rakshadharma'Abhiyaan સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ૮. સેવો પાસ સંખેસરો સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ ૯. સેવો પાસ સંખેસરો (હિન્દી આવૃત્તિ) સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ Page #9 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વિવેચનનાં ગ્રંથો unlimin વિવેચનકાર - પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા છું ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. કૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યનલેશ. ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાન દ્વાચિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાચિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્વાáિશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬. સાધુસામય્યદ્વાચિંશિકા-૬ શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષતાસિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્વાચિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદષ્ટિની સઝાય શબ્દશઃ વિવેચન Page #10 -------------------------------------------------------------------------- ________________ ૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજ્ય ૨ામચંદ્રસૂરીશ્વ૨જી પાઠશાળા II Page #11 --------------------------------------------------------------------------  Page #12 -------------------------------------------------------------------------- ________________ ૩૦. કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્ત્વાત્રિંશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચન ૩૬. યોગલક્ષણદ્વાત્રિંશિકા-૧૦ શબ્દશઃ વિવેચન ૩૭. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૮. અપુનબંધકદ્વાત્રિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૯. યોગદૃષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪૦. યોગદૃષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૧. યોગદૃષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૩. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૪. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન ૪૫. દૈવપુરુષકારદ્વાત્રિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચન ૪૬. તારાદિત્રયદ્વાત્રિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચન ૪૭. કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદ્દષ્ટિદ્વાત્રિંશિકા-૨૪ શબ્દશઃ વિવેચન ૪૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫૦. માર્ગદ્વાત્રિંશિકા-૩ શબ્દશઃ વિવેચન ૫૧. દેશનાદ્વાત્રિંશિકા-૨ શબ્દશઃ વિવેચન ૫૨. જિનભક્તિદ્વાત્રિંશિકા-૫ શબ્દશઃ વિવેચન ૫૩. યોગાવતારદ્વાત્રિંશિકા-૨૦ શબ્દશઃ વિવેચન ૫૪. યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા-૨૬ શબ્દશઃ વિવેચન ૫૫. સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા-૩૨ શબ્દશઃ વિવેચન ૫૬. પૂર્વસેવાદ્વાત્રિંશિકા-૧૨ શબ્દશઃ વિવેચન ૫૭. ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા-૧૬ શબ્દશઃ વિવેચન ૫૮. ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા-૨૫ શબ્દશઃ વિવેચન ૫૯. વિનયદ્વાત્રિંશિકા-૨૯ શબ્દશઃ વિવેચન ૬૦. શ્રી સીમંધરસ્વામીને વિનંતીરૂપ ૧૨૫ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ૬૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૨. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૪ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૬૪. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૫. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૬૬. મુક્તિદ્વાત્રિંશિકા-૩૧ શબ્દશઃ વિવેચન ૬૭. યોગસાર પ્રકરણ શબ્દશઃ વિવેચન ૬૮. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૯. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૭૦. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૨. પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન ૩૩. કથાદ્વાત્રિંશિકા-૯ શબ્દશઃ વિવેચન ૭૪. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૭૫. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૭૬. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૬ ૭૭. નવતત્ત્વ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૭૮. ૧૫૦ ગાથાનું હૂંડીનું સ્તવન શબ્દશઃ વિવેચન ૭૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૮૦. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૬ ૮૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૮૨. અમૃતવેલની મોટી સજ્ઝાય અને નિશ્ચય-વ્યવહાર ગર્ભિત શ્રી શાંતિજિન સ્તવન તથા શ્રી સીમંધરસ્વામી સ્તવન શબ્દશઃ વિવેચન ૮૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૭ ૮૪. આનંદઘન ચોવીશી શબ્દશઃ વિવેચન ૮૫. પક્ષ્મીસૂત્ર (પાક્ષિકસૂત્ર) શબ્દશઃ વિવેચન ૮૬. ધર્મપરીક્ષા પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૭. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૮. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૮૯. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૯૦. પાતંજલયોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૧. પાતંજલયોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૨. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૩. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૪. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૫. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૬. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૯૭. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૯૮. દ્રવ્યગુણપર્યાયનો રાસ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૯. વાદદ્વાચિંશિકા-૮ શબ્દશઃ વિવેચન ૧૦૦. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૦૧. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૦૨. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૦૩. સકલાહત-સ્તોત્ર અને અજિતશાંતિ સ્તવન શબ્દશઃ વિવેચન ૧૦૪. પગામસિજ્જા શબ્દશઃ વિવેચન ૧૦૫. સખ્યત્વના સડસઠ બોલ સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન ૧૦૬. ધર્મવ્યવસ્થાદ્વાચિંશિકા-૭ શબ્દશઃ વિવેચન ૧૦૭. દેવસિઆ રાઈઆ પ્રતિક્રમણ સૂત્ર શબ્દશઃ વિવેચન ૧૦૮. સંમતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૦૯. સંમતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૧૦. વૈરાગ્યકલ્પલતા પ્રથમ સ્તબક શબ્દશઃ વિવેચન ૧૧૧. શાંતસુધારસ શબ્દશઃ વિવેચન -- " ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો ૧. ધર્મતીર્થ ભાગ-૧ ૨. ધર્મતીર્થ ભાગ-૨ nh Page #15 -------------------------------------------------------------------------- ________________ oxo છે. પ્રસ્તાવના 8 -૭૭૭ ભગવાને બતાવેલ ધર્મ દાન-શીલ-તપ-ભાવ રૂપ છે અને ભાવધર્મની નિષ્પત્તિ માટે જ દાનશીલ-તપ ધર્મ સેવાય છે અને ભાવ ધર્મ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને વીતરાગતામાં વિશ્રાંત થાય છે અને તે ભાવધર્મની નિષ્પત્તિ અર્થે જ શ્રાવકો અને સાધુઓ સંયોગ અનુસાર સદા અનિત્યત્વ આદિ બાર ભાવનાઓ કરે છે અને ચિત્તની વિશુદ્ધિ અર્થે મૈત્રી આદિ ચાર ભાવનાઓ કરે છે જે પ્રસ્તુત ગ્રંથમાં ૧ વર્ણન કરેલ છે માટે કલ્યાણના અર્થી જીવોએ દઢ પ્રયત્નપૂર્વક હૈયાને સ્પર્શે અને ચિત્ત તે તે ભાવોથી ભાવિત થાય તે રીતે પ્રસ્તુત ભાવનાઓ ભાવવી જોઈએ. તેમાં સહાયક થાવ તે આશયથી પ્રસ્તુત ગ્રંથ રચાયેલ છે, જેના ભાવનથી ચિત્ત ઇન્દ્રજાળ જેવા ભવપ્રપંચથી વિમુખ થઈને શાંતરસમાં જવા સમર્થ બને. પ્રસ્તુત શાંતસુધારસમાં સોળ ભાવનાનું વર્ણન કરવામાં આવેલ છે. પ્રવીણચંદ્ર ખીમજી મોતા આસો સુદ-૧૫ (શરદપૂર્ણિમા), વિ. સં. ૨૦૬૮, તા. ૨૯-૧૦-૨૦૧૨, સોમવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯-૩૨૪૪૭૦૧૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ | અનુક્રમણિકા અનુક્રમણિકા || વિષય ભાવના નં. પાના નં. ૧-૧૦ મંગલાચરણ અનિત્યભાવના અનિત્યભાવના - ગીત ૧૧-૧૫ ૧૫-૨૩ ૨૪-૨૭ અશરણભાવના ૨૭-૩૩ ૩૪-૩૯ અશરણભાવના – ગીત સંસારભાવના સંસારભાવના - ગીત એકત્વભાવના એકત્વભાવના - ગીત ૪૦-૪૫ ૪૬-૫૦ ૫૦-૫૫ અન્યત્વભાવના ૯૧-૯૮ અન્યત્વભાવના – ગીત અશુચિભાવના અશુચિભાવના - ગીત ૯૯-૭૩ આશ્રવભાવના ૭૩-૭૮ ૭૯-૮૪ ૮૪-૯૦ ૯૧-૯૫ ૯૬-૧૦૧ ૧૦૨-૧૦૬ આશ્રવભાવના – ગીત સંવરભાવના સંવરભાવના - ગીત નિર્જરાભાવના નિર્જરાભાવના - ગીત ધર્મસ્વાખ્યાતભાવના ધર્મસ્વાખ્યાતભાવના - ગીત લોકસ્વરૂપભાવના લોકસ્વરૂપભાવના - ગીત ૧૦૭-૧૧૪ ૧૧૫-૧૨૩ ૧૨૩-૧૩૨ ૧૩૩-૧૩૮ ૧૩૮-૧૪૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ / અનુક્રમણિકા પાના નં. ભાવના નં. વિષય ૧૨. ૧૪-૧૫૩ ૧૫૭-૧૬૧ ૧૯૨-૧૭૦ ૧૭૦-૧૭૭ બોધિદુર્લભભાવના બોધિદુર્લભભાવના - ગીત મૈત્રીભાવના મૈત્રીભાવના - ગીત પ્રમોદભાવના પ્રમોદભાવના – ગીત કરુણાભાવના કરુણાભાવના - ગીત માધ્યશ્ચભાવના માધ્યચ્યભાવના - ગીત ઉપસંહાર – પ્રશસ્તિ ૧૭૮-૧૮૫ ૧૮૫-૧૯૧ ૧૯૨-૧૯૮ ૧૯૮-૨૦૫ ૨૦૬-૨૧૦ ૨૧૦-૨૧૭ ૨૧૮-૨૨૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ अर्हं नमः । श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । ऐं नमः । પૂ. મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજા વિરચિત શાંતસુઘાશ્મ શબ્દશઃ વિવેચન મંગલાચરણ શ્લોક ઃ नीरन्ध्रे भवकानने परिगलत्पञ्चाश्रवाम्भोधरे, नानाकर्मलतावितानगहने, मोहान्धकारोद्धुरे । भ्रान्तानामिह देहिनां हितकृते, कारुण्यपुण्यात्मभिस्तीर्थेशैः प्रथितास्सुधारसकिरो, रम्या गिरः पान्तु वः । । १ । । શ્લોકાર્થ ઃ ચારેબાજુથી ગળતા પાંચ આશ્રવોરૂપી અમ્ભોધરવાળા=વાદળવાળા, અનેક પ્રકારની કર્મલતાના વિસ્તારથી ગહન, મોહઅંધકારથી ઉદ્ધર=મોહઅંધકારથી વ્યાપ્ત, છિદ્ર વગરના ભવરૂપી જંગલમાં ભ્રાંત થયેલા એવા જીવોને હિત કરવા માટે કરુણાવાળા અને પુણ્યાત્મા એવા તીર્થંકરો વડે વિસ્તાર કરાયેલી, અમૃતના રસને વેરનારી રમ્યવાણી, અહીં=સંસારમાં, અમારું રક્ષણ કરો. ૧ ભાવાર્થ: ગ્રંથકારશ્રી સંસારનું વાસ્તવિક ભયાવહ સ્વરૂપ જંગલના દૃષ્ટાંતથી બતાવે છે. જેમ કોઈ ગાઢ જંગલ હોય તેમાં ચારેબાજુથી વરસાદ વરસતો હોય, અનેક વૃક્ષોની લતાઓથી ગહન હોય, અંધકારથી વ્યાપ્ત હોય અને તે જંગલનો છેડો પ્રાપ્ત ન થાય તેવો હોય તેવા જંગલમાં ભમતા જીવોને તે જંગલમાંથી Page #19 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ નીકળવાની કોઈ દિશા મળવી અતિદુષ્કર છે. તેવી અવસ્થાવાળા જીવોને બહાર નીકળવાનો ઉપાય બતાવીને હિત કરવા અર્થે ભગવાને રમ્ય એવી વાણી કહી છે. જંગલ જેવો આ ચારગતિના પરિભ્રમણરૂપ ભવ છે. અર્થાત્ સંસાર છે. વળી, આ સંસાર અનાદિનો અંત વગરનો હોવાથી છિદ્ર રહિત છે. વળી, આ સંસારમાં રહેલા જીવો મિથ્યાત્વ, અવિરતિ આદિ પાંચ આશ્રયોને સતત સેવી રહ્યા છે. તેથી જીવના પરિણામરૂપ આશ્રવનો વરસાદ ભવરૂપી જંગલમાં સતત વરસી રહ્યો છે. વળી, જેમ વરસાદના વરસવાથી તે જંગલ અનેક વૃક્ષોના વિસ્તારથી ગહન બને છે, તેમ જીવના પરિણામરૂપ મિથ્યાત્વાદિ ભાવરૂપ પાંચ આશ્રવોના બળથી જીવમાં સતત નવાં નવાં કર્મોના સંચયરૂપ લતાઓ ખીલે છે. તેથી તે ભવરૂપી જંગલ અતિગહન છે. જેમાંથી જીવને બહાર નીકળવું અતિદુષ્કર બને છે. વળી, જીવમાં જ્ઞાનાવરણીય કર્મના ઉદયને કારણે અને મોહનીય કર્મના ઉદયને કારણે ગાઢ અંધકાર વર્તે છે. તેથી અત્યંત ભય ઉત્પન્ન કરે તેવું તે જંગલ અંધકારથી વ્યાપ્ત હોવાને કારણે વિચારકને અત્યંત ભયાવહ લાગે છે, અને તેમાં ભમનારા પોતે છે તેથી વિચારે છે કે આ અત્યંત રૌદ્ર જંગલમાંથી કઈ રીતે આપણે બહાર નીકળીને ઉચિત સ્થાને પહોંચીએ જેથી આ જંગલમાં વર્તતા ઉપદ્રવોથી આપણું રક્ષણ થાય. આ પ્રકારે જે સંસારીજીવો સંસારના વાસ્તવિક સ્વરૂપને જોવાથી વિહ્વળ હોય છે તેવા જીવોને કરુણાના નિધાન એવા અને સંસારમાંથી નિસાર થવાનો ઉપાય જમને પ્રાપ્ત થયો છે એવા પુણ્યાત્મારૂપ તીર્થકરોએ સ્વસ્થતા પ્રાપ્ત કરવા માટે અમૃત જેવી રમ્યવાણી બતાવી છે. આ રીતે વિહ્વળ થયેલા જીવોને તીર્થકરોની વાણી સાંભળીને થાય છે કે સંસારમાંથી નિસ્તાર થવાનો ઉપાય વિદ્યમાન છે. માટે હું આ જંગલમાંથી ભગવાનના વચનના બળથી અવશ્ય નિસ્તારને પામીશ તેવું આશ્વાસન મળે છે. આવી ભગવાનની ઉત્તમ વાણી અમારું રક્ષણ કરો. એ પ્રકારની ભાવના કરીને ગ્રંથકારશ્રી કહે છે કે આ અત્યંત ભયાનક જંગલમાં ભગવાનની વાણી અમારું રક્ષણ કરીને સદ્ગતિઓની પરંપરા દ્વારા ભવના નિસ્તારનું કારણ બનો. આ પ્રકારે ભાવના કરીને ગ્રંથકારશ્રી ભગવાનની વાણીને પોતાના આત્મામાં સમ્યગુ પરિણમન પમાડવા માટે અત્યંત બદ્ધ અભિલાષવાળા થાય છે. જેનું અવલબેન લઈને પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન કરનાર જીવોએ પણ સતત ભા વન કરવું જોઈએ કે મોહના અંધકારથી વ્યાપ્ત એવા આ જંગલમાં જીવનું રક્ષણ કરે તેમાં એક કારણ સમ્યગુ પરિણમન પામેલી ભગવાનની વાણી છે. માટે મનુષ્યભવને પામીને સર્વ ઉદ્યમથી અપ્રમાદભાવપૂર્વક ભગવાનની વાણીને સમ્યફ પરિણમન પમાડવા માટે હું ઉદ્યમ કરું જેથી વીતરાગની વાણીના બળથી વીતરાગતાને અનુકૂળ સદા ઉદ્યમ થાય અને તેના ફળરૂપે દસ્તર એવા પણ આ ભવરૂપી જંગલમાંથી પોતાનો આત્મા બહાર નીકળીને સુરક્ષિત સ્થાનરૂપ મોક્ષને પ્રાપ્ત કરે. આવા અવતરણિકા - પ્રસ્તુત ગ્રંથના મંગલાચરણ અર્થે પ્રથમ શ્લોકમાં કહ્યું કે ભગવાન વડે વિસ્તાર કરાયેલ સુધારસને વેરનારી રમ્યવાણી અમારું રક્ષણ કરો. તેથી હવે આ સુધારસ કેવો છે અને તે કઈ રીતે પ્રાપ્ત થાય છે? તે બતાવવા માટે કહે છે – Page #20 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ શ્લોક-૨ શ્લોક :स्फुरति चेतसि भावनया विना, न विदुषामपि शान्तसुधारसः । न च सुखं कृशमप्यमुना विना, जगति मोहविषादविषाकुले ।।२।। શ્લોકાર્ચ - ભાવના વગર વિદ્વાનોને પણ ચિત્તમાં શાંતસુધારસ સ્કુરાયમાન થતો નથી=આવિર્ભાવ થતો નથી અને આના વગર શાંતસુધારસ વગર, મોહના વિષાદરૂપ વિષથી આકુલ જગતમાં થોડું પણ સુખ નથી. |રા ભાવાર્થ : સંસારીજીવોને મોહના શમન અર્થે ભગવાને અમૃતની વાણી જેવાં સુંદર વચનો કહ્યાં છે જે વચનો જીવમાં શાંત એવો અમૃતરસ ઉત્પન્ન કરે છે, જે અમૃતરસ જીવને સર્વકર્મથી રહિત એવી અમર અવસ્થાની પ્રાપ્તિનું કારણ છે. અર્થાત્ જ્યાંથી ક્યારેય મૃત્યુ નથી તેવી અમર અવસ્થાનું કારણ છે. અને જેઓ બુદ્ધિમાન છે તેવા વિદ્વાન જીવો સદા અમર અવસ્થાના કારણભૂત શાંતસુધારસને જ ઇચ્છે છે, અન્ય કંઈ જ ઇચ્છતા નથી; કેમ કે શાંત અમૃત જેવો રસ મોક્ષની પ્રાપ્તિની અપેક્ષાએ તો સુખના ફળવાળો છે, પરંતુ મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાંસુધી પણ ચિત્તની સ્વસ્થતા આપાદાન કરે છે અને સદ્ગતિની પરંપરાને પ્રાપ્ત કરાવે છે. આમ છતાં વિદ્વાનોને પણ અનાદિથી મોહના સંસ્કારો સ્થિર થયેલા હોવાથી ભગવાનના વચનને પુનઃ પુનઃ ભાવન કરીને તેનાથી ભાવિત થયા વિના શાંતસુધારસની પ્રાપ્તિ થતી નથી. તેથી બુદ્ધિમાન પુરુષો સુખની પરંપરાના અર્થી હોવાને કારણે હંમેશાં ભાવનાઓથી આત્માને ભાવિત કરીને શાંતસુધારસને ચિત્તમાં સ્કુરાયમાન કરવા યત્ન કરે છે. બુદ્ધિમાન પુરુષો ભાવનાથી શાંતસુધારસને પ્રગટ કરવા કેમ ઇચ્છે છે તે શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે. જગતના જીવોમાં આત્માના પારમાર્થિક સ્વરૂપને જોવામાં અસમર્થ બને તેવો મોહનો પરિણામ વર્તે છે. જેના કારણે તેઓ બાહ્યવિષયોને સુખના ઉપાયભૂત જોઈને તેની પ્રાપ્તિ માટે હંમેશાં નિરર્થક પ્રવૃત્તિ કરીને વિષાદવાળા રહે છેઃખદવાળા રહે છે. વળી મોહનો વિષાદ એ જીવ માટે વિષ જેવો છે અને તેવા વિષાદરૂપ વિષથી જગત આખું આકુળ છે. એવા જીવોને શાંતસુધારસના પાન વગર અલ્પ પણ સુખની પ્રાપ્તિ થતી નથી. તેથી શાંતસુધારસના પાનના અર્થી તેના ઉપાયભૂત ભાવનાઓમાં જ યત્ન કરે છે. અહીં વિશેષ એ છે કે પ્રસ્તુત ગ્રંથમાં સોળ ભાવનાઓ બતાવી છે. એ સિવાય ભગવાનનું સર્વવચન પણ તે ભાવનાતુલ્ય શાંતસુધારસને પ્રગટ કરનાર છે. પરંતુ જેઓ તે વચનોના પરમાર્થથી આત્માને ફરી ફરી અત્યંત ભાવિત કરતા નથી, તેઓમાં ભગવાનની વાણીથી શાંતસુધારસ પ્રગટ થતો નથી. તેમ પ્રસ્તુત ગ્રંથમાં બતાવવામાં આવશે તે સોળ ભાવનાઓને પણ પુનઃ પુનઃ ભાવન કરીને જેઓ આત્માને ભાવિત કરતા નથી, તેઓમાં શાંત અમૃતનો રસ ક્યારેય પ્રગટ થતો નથી. માટે બુદ્ધિમાન પુરુષ પ્રસંગે પ્રસંગે સોળ Page #21 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ ભાવનાઓથી આત્માને ભાવિત ક૨વા યત્ન કરે છે. તેમ પ્રતિદિન ઉચિત ક્રિયાકાળમાં બોલાતા નવકારાદિ સૂત્રના પરમાર્થને ગ્રહણ કરી તેના ભાવોથી પણ આત્માને સતત ભાવિત કરવા યત્ન કરે છે. જેથી તે તે સૂત્રના તે તે ભાવોથી અત્યંત ભાવિત થયેલું ચિત્ત શાંતરસરૂપ અમૃતના પાનવાળું બને જેથી હંમેશાં મોહની આકુળતા અલ્પ અલ્પતર થાય. જેના બળથી આ ભવરૂપી જંગલમાંથી પણ સુખપૂર્વક પોતાનો આત્મા બહાર નીકળે અને સદા શાશ્વત સુખને પામે. II અવતરણિકા : ४ શ્લોક-૨માં કહ્યું કે ભાવનાઓ વગર વિદ્વાનોના ચિત્તમાં પણ ભગવાનની વાણીરૂપ શાંત અમૃતરસ સ્ફુરાયમાન થતો નથી. તેવી હવે ગ્રંથકારશ્રી શ્રોતાને શાંતસુધારસનું કારણ બને તેવી ભાવનાઓને અભિમુખ કરવા અર્થે કહે છે = શ્લોક ઃ यदि भवभ्रमखेदपराङ्मुखं, यदि च चित्तमनन्तसुखोन्मुखम् । शृणुत तत्सुधियः शुभभावनाऽमृतरसं मम शान्तसुधारसम् ।।३।। શ્લોકાર્થ ઃ જો તમારું ચિત્ત ભવના ભ્રમણના ખેદથી પરાસ્મુખ અને અંનતસુખને ઉન્મુખ=સન્મુખ છે. તદ્વ્રતો, હે સુંદર બુદ્ધિવાળા શ્રોતા ! શુભભાવના અમૃતરસ તુલ્ય મારા શાંતસુધારસને તમે સાંભળો=મારા શાંતસુધારસરૂપ પ્રસ્તુત ગ્રંથને તમે સાંભળો. II3II ભાવાર્થ : ગ્રંથકારશ્રી શ્રોતા પ્રત્યે કરુણાની બુદ્ધિવાળા છે અને વિચારે છે કે જો શ્રોતા અત્યંત ઉપયોગપૂર્વક પ્રસ્તુત ગ્રંથ ભણશે અને તેનાથી આત્માને ભાવિત ક૨શે તો તે અવશ્ય કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરશે. પરંતુ અત્યંત દૃઢ પ્રણિધાનપૂર્વક જો પ્રસ્તુત ગ્રંથને સાંભળશે નહીં અને તેને સ્થિર કરશે નહીં, તો તે ગ્રંથના ભણવાથી પણ કલ્યાણને પ્રાપ્ત કરશે નહીં. તેથી યોગ્ય જીવોને પ્રસ્તુત ગ્રંથના મર્મને જાણવાને અભિમુખ ક૨વા અર્થે કહે છે કે હે સુંદરબુદ્ધિવાળા જીવો ! અર્થાત્ કલ્યાણના અર્થી જીવો ! તમે ચારગતિઓના પરિભ્રમણના ક્લેશથી પરામુખ થયા હો અર્થાત્ “સુંદર બુદ્ધિ થવાને કારણે તમને જણાતું હોય કે અનંત કાળથી મૂરખની જેમ મારા આત્માએ ચારગતિઓમાં પરિભ્રમણ કર્યું છે. હજી તે વિડંબનાથી છૂટવાના ઉપાયને મેં સેવ્યા નથી. તેથી જ હું સંસારમાં અનાદિ કાળથી ભમી રહ્યો છું. હવે કોઈક રીતે ચારગતિઓના પરિભ્રમણની નિવૃત્તિને અભિમુખ મા૨ી મનોવૃત્તિ પ્રગટ થઈ છે. તેથી મારી સુંદર મતિ પ્રગટ થઈ છે” તેમ માનવાને કા૨ણે જો તમે ભવભ્રમણનો નાશ કરવા માટે તત્પર થયા હો અને સર્વથા પરિભ્રમણ વગરની સિદ્ધ અવસ્થાને સન્મુખ થયા હો તો આ બાર ભાવનાઓ જે અમૃતરસ તુલ્ય છે અને તેને કહેનાર શાંતસુધારસ નામનો આ ગ્રંથ છે તેને અત્યંત ઉપયોગપૂર્વક સાંભળો. Page #22 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ | શ્લોક-૩-૪ અહીં વિશેષ કહે છે કે જેમ પ્રસ્તુત ગ્રંથ ભગવાનના વચનરૂપ હોવાથી શાંત અમૃતરસના પાન તુલ્ય છે. તેમ ગણધરો, ઋષિઓ આદિથી રચાયેલાં સૂત્રો પણ શાંત અમૃતરસના ભાવોથી ભરપૂર છે. તેથી જે મહાત્મા ભગવાનના વચનરૂપ પ્રસ્તુત ગ્રંથથી આત્માને ભાવિત કરશે અને તેની જેમ જ ભગવાનનાં સર્વ સૂત્રોથી આત્માને વાસિત કરશે તેનું ચિત્ત પ્રસ્તુત ગ્રંથમાં બતાવેલ બાર ભાવનાઓથી અને મૈત્રી આદિ ચાર ભાવનાઓથી અને ગણધર આદિકૃત સૂત્રોથી સતત વાસિત રહેશે. અને જેઓનું ચિત્ત તે તે સૂત્રના અર્થોથી અને પ્રસ્તુત ભાવનાઓથી ભાવિત થશે તેઓના ચિત્તમાં તે તે અંશમાં મોહની અનાકુળતારૂપ શાંત અમૃતરસ સ્કુરાયમાન થશે અને જેમ જેમ એ શાંત અમૃતરસ સૂત્રાદિના ભાવનથી અધિક અધિક થશે, તે મહાત્માઓનું ચિત્ત વીતરાગભાવના આસન્ન આસન્નતર થશે અને જેમ જેમ આત્મા વીતરાગભાવને આસન્ન આસન્નતર થશે તેમ તેમ દુર્ગતિઓની પરંપરાનો ઉચ્છેદ થશે અને સદ્ગતિઓની પરંપરાની પ્રાપ્તિ થશે. અંતે વીતરાગ સર્વજ્ઞ બનીને અનંત સુખને પ્રાપ્ત કરશે, માટે સંસારથી ભય પામેલા જીવોએ ક્ષણભર પણ પ્રમાદ વગર ભગવાનના વચનથી અને ભગવાનના વચનરૂપ સૂત્રથી આત્માને ભાવિત કરવો જોઈએ. II3II અવતરણિકા : હવે, પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સુંદર બુદ્ધિવાળા જીવોને ભાવનાને સન્મુખ થવા માટે ઉચિત ઉપદેશ આપ્યો જેથી તે ભાવનાઓના રહસ્યને જાણવા માટે સન્મુખ થાય. હવે તે ભાવનાઓ ભાવવાથી કેવું ચિત નિર્માણ થાય છે, જેથી શ્રોતા તેવા ચિતતા પ્રબળ કારણભૂત એવી તે ભાવનાઓને તે રીતે જ અવધારણ કરીને ચિતમાં સ્થિર કરે અને ભાવનાના ફળને પ્રાપ્ત કરે તે બતાવે છે – શ્લોક : सुमनसो मनसि श्रुतपावना, निदधतां व्यधिका दश भावनाः । यदिह रोहति मोहतिरोहिताऽद्भुतगतिविदिता समतालता ।।४।। શ્લોકાર્થ : હે સુમનવાળા શ્રોતા ! તમે મૃતથી પવિત્ર એવી બાર ભાવનાઓ મનમાં ધારણ કરો. જેનાથી અહીં તમારા ચિત્તમાં, મોહને તિરોહિત કરવામાં અદ્ભુત ગતિવાળી વિદિત=બુધપુરુષને જ્ઞાત એવી સમતા લતા આરોહણ પામે. |૪ ભાવાર્થ - ગ્રંથકારશ્રી જે બાર ભાવનાઓ આગળમાં બતાવવાના છે તે કેવા ઉત્તમ ફળવાળી છે તે બતાવીને યોગ્ય શ્રોતાને તેના પરમાર્થને સાંભળવા અર્થે અત્યંત સન્મુખ કરવા અર્થે કહે છે. હે સુંદર મનવાળા જીવો ! આ પ્રકારે સંબોધન કરીને એ પ્રમાણે ઉપસ્થિતિ કરાવે છે કે જે શ્રોતાઓ સંસારથી કાંઈક પરાક્ષુખ થયા છે, તત્ત્વને ચિત્તમાં કંઈક સ્થિર કરવાના પરિણામવાળા છે, તેથી બાર ભાવનાના સ્વરૂપને જાણવા અભિમુખ Page #23 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ થયા છે તેવા સુંદર ચિત્તવાળા જીવો ! તમે મૃતથી પવિત્ર એવી બાર ભાવનાઓને ચિત્તમાં ધારણ કરો. આનાથી એ પ્રાપ્ત થાય કે આ બાર ભાવનાઓ સર્વજ્ઞના વચનાનુસાર છે. તેથી શ્રતની વાણીથી પવિત્ર થયેલી છે. અને તેવી ભાવનાઓ સમ્યગુ જાણીને જેઓ ચિત્તમાં ધારણ કરે છે તેઓના ચિત્તમાં અનાદિના મોહના પરિણામો તિરોધાનને પામે છે અને તેના કારણે સુંદર ગતિવાળી એવી સમતાની લતા તેઓના ચિત્તમાં આરોહણ પામે છે; કેમ કે આગળમાં બતાવાશે તેવી અનિત્ય, અશરણ આદિ ભાવનાઓ હૈયાને સ્પર્શે તે રીતે જેઓ ભાવન કરે છે તેઓને સંસારની અનિત્યતા જણાવાથી અનિત્ય ભાવો પ્રત્યે મમતા ઘટે છે. પોતે કર્મને પરવશ, અશરણ છે તેવું જ્ઞાન થવાથી પોતાના આત્માના રક્ષણ માટે જિનવચનનું શરણ લેવાનો દઢ ઉત્સાહ થાય છે. જેથી આત્માને સતત જિનવચનથી ભાવિત કરીને પોતાના મોહના પરિણામને તિરોહિત કરે છે એના કારણે પોતાને સારી રીતે જણાતી એવી સમતાની લતા ચિત્તમાં આરોહણ પામે છે; કેમ કે ભગવાનનું દરેક વચન વીતરાગભાવને અભિમુખ કરીને સમભાવોની જ નિષ્પત્તિ કરે છે. તે સમભાવનો પરિણામ, સદ્ગતિઓની પરંપરા દ્વારા વીતરાગતાનું કારણ થશે. જેનાથી ગહન લતાવાળા ભવરૂપી જંગલમાંથી પોતાના આત્માનો નિખાર થશે. માટે અપ્રમાદપૂર્વક આ બાર ભાવનાઓને ચિત્તમાં ધારણ કરો અને વારંવાર તેનું ભાન કરીને સ્થિર કરો એ પ્રકારનો ઉપદેશ ગ્રંથકારશ્રી આપે છે. III અવતરણિકા : પૂર્વશ્લોકમાં કહ્યું કે જેઓ પ્રસ્તુત ગ્રંથમાં બતાવેલી ભાવનાઓનું ભાવિત કરે છે, તેઓના ચિતમાં સમતારૂપી લતા પ્રરોહ પામે છે. હવે, કેવા જીવોનાં ચિત્તમાં પ્રસ્તુત બાર ભાવનાનું ભાન કરવા છતાં શમરૂપી અંકુર પ્રરોહ પામી શકતો નથી તે બતાવે છે – શ્લોક - आर्तरौद्रपरिणामपावकप्लुष्टभावुकविवेकसौष्ठवे । । मानसे विषयलोलुपात्मनां, क्च प्ररोहतितमां शमाङ्कुरः ।।५।। શ્લોકાર્ચ - વિષયલોલુપ્ત આત્માઓના આર્તરોદ્ધ પરિણામરૂપી જે અગ્નિ તેનાથી દગ્ધ થયેલા, એવા ભાવુક વિવેકરૂપી સૌષ્ઠવવાળા માનસમાં શમરૂપી અંકુરો ક્યાં પ્રરોહ પામી શકે અર્થાત પામી શકે નહીં. પિII ભાવાર્થ : જે જીવો બાહ્ય પદાર્થોને જોઈને ભાવો કરવાની પરિણતિવાળા છે તે જીવો વિષયલોલુપ આત્માઓ છે અને તેઓ ક્વચિત્ સ્કૂલઆચારથી ધર્મનાં અનુષ્ઠાનો કરતા હોય, પ્રસ્તુત ગ્રંથમાં બતાવેલી ભાવનાઓને શબ્દ રૂપે બોલતા હોય તોપણ તેઓનું મુખ્ય માનસ બાહ્ય પદાર્થોને આશ્રયીને ભાવો કરવા માટે જ પ્રવર્તતું Page #24 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ | શ્લોક-પ-૬ હોય છે. તેથી બાહ્ય પદાર્થોને આશ્રયીને તે તે પદાર્થોને અનુરૂપ રતિ-અરતિના પરિણામો સતત કરે છે. તેઓ આર્ત-રૌદ્ર પરિણામરૂપી અગ્નિથી દગ્ધ માનસવાળા છે, તેથી તેઓના ચિત્તમાં તત્ત્વનું ભાવન કરે તેવો વિવેક સૌષ્ઠવ આર્ત-રૌદ્ર પરિણામના અગ્નિથી દગ્ધ થયેલો છે. તેથી ભાવનાઓ કરવા દ્વારા કે અન્ય કોઈ ધર્મઅનુષ્ઠાન કરવા દ્વારા પણ તેઓના ચિત્તમાં શાંતરસને અનુકૂળ સમભાવ પ્રત્યે લેશ પણ રાગનો પરિણામ સ્કુરાયમાન થતો નથી. તેથી તેઓ દ્વારા વિચારાતી પ્રસ્તુત બાર ભાવનાઓથી સમતારૂપી લતાના બીજભૂત શમરૂપી અંકુરો કેવી રીતે પ્રરોહ પામી શકે અર્થાત્ ભાવનાઓના વચનના બળથી આત્મામાં જે શમરૂપી અંકુરનો પ્રાદુર્ભાવ કરવાનું પ્રયોજન છે તે તેઓ લેશ પણ કરી શકતા નથી, કેમ કે નષ્ટ વિવેકવાળા છે. આપણા અવતરણિકા - પૂર્વશ્લોકમાં કહ્યું કે જેઓનું ચિત આર્ત-રૌદ્ર પરિણામરૂપ અગ્નિથી દગ્ધ છે તેઓનો ભાવુક વિવેક તાશ થયેલો હોવાથી ભાવનાની વિચારણાથી પણ શમનો અંકુરો પ્રગટ થતો નથી. તેથી હવે કેવા ચિતમાં ભાવનાઓના બળથી પ્રશમનું સુખ થઈ શકે છે? તે બતાવતાં કહે છે – શ્લોક : यस्याशयं श्रुतकृतातिशयं विवेकपीयूषवर्षरमणीयरमं श्रयन्ते । सद्भावनासुरलता न हि तस्य दूरे, लोकोत्तरप्रशमसौख्यफलप्रसूतिः ।।६।। શ્લોકાર્ચ - જેઓનો મૃતકૃત અતિશયવાળો એવો આશય વિવેકરૂપી અમૃતની વર્ષોથી રમણીય ભાવોમાં રમવાનો આશ્રય કરે છે, તેઓને લોકોત્તર પ્રશમ સુખરૂપ ફલની પ્રસૂતિવાળી સભાવનાની સુરલતા સભાવનાઓરૂપી દેવોથી અધિષ્ઠિત લતા, દૂર નથી. III ભાવાર્થ : જે જીવોને ભવસ્વરૂપનો યથાર્થ બોધ થયો છે, તેથી ભવના ઉચ્છેદના અર્થી થયા છે, તેઓ ભવના ઉચ્છેદના ઉપાયરૂપ ભગવાનના વચનના પરમાર્થને સતત જાણવા યત્ન કરે છે અને તેના બળથી તેઓને અતિશયવાળો એવો સુંદર આશય પ્રગટ્યો છે જે આશય વિવેકરૂપી અમૃતની વર્ષાથી રમણીય ભાવોમાં રમનારો છે અર્થાત્ સૂક્ષ્મ દૃષ્ટિથી અવલોકન કરવામાં આવે તો પોતાનો આત્મા જગતના બાહ્ય પદાર્થોથી, પોતાના દેહથી ભિન્ન છે અને આત્માનું પોતાનું મૂળ સ્વરૂપ મોથી અનાકુળ એવા જ્ઞાનસ્વરૂપ છે અને તે જ્ઞાનનું સ્વરૂપ જ આત્માને માટે હિતસ્વરૂપ છે એ પ્રકારના વિવેકરૂપી ભાવોનું સ્પષ્ટ ભાવન કરવામાં આવે તેનાથી પોતાના આત્મામાં પ્રગટ થતા નિર્લેપતાનો રમણીય ભાવ તે ભાવમાં જ રમવાનો પરિણામ થાય તેવા આશયને જેઓ સદા આશ્રય કરે છે, તેવા જીવો ભાવનાઓ કરવા બેસે ત્યારે માત્ર શબ્દરૂપે Page #25 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ ભાવના કરતા નથી પરંતુ તે ભાવનાઓના શબ્દો દ્વારા તેના રહસ્યને સ્પર્શે તેવા તત્ત્વનું સંવેદન કરાવે તે પ્રકારે ઉપયુક્ત થઈને ભાવનાઓ કરે છે. આવા મહાત્માઓનો આત્મા તે ભાવનાથી તે પ્રકારે વાસિત થાય છે કે જેથી તે ભાવનાઓના નિયંત્રણ નીચે સહજ ઉચિત પ્રવૃત્તિ થઈ શકે. જેમ કોઈ મહાત્મા અશરણભાવનાથી ભાવિત થયેલ હોય તો પોતાની કર્મને પરવશ અશરણ અવસ્થા સદા સ્પષ્ટ તેમને દેખાતી હોય છે તેથી તે અશરણ અવસ્થામાં શરણભૂત એવા જિનવચનને અવલંબીને સદા પોતાના આત્માના રક્ષણ માટે તે સદા ઉદ્યમ કરે છે તેથી સ્થિરભાવરૂપે તેના આત્મામાં સુંદર ભાવનારૂપી સુરલતા પ્રગટે છે. આ સુરલતા લોકોત્તર પ્રશમસુખરૂપી ફલની પ્રસૂતિનો હેતુ છે અર્થાતુ લોકમાં જેઓની પ્રકૃતિ શાંત હોય, અત્યંત ક્લેશપ્રિય ન હોય અને ઉચિત રીતે સર્વ સાથે વ્યવહાર કરતા હોય તેવા ગૃહસ્થોમાં જે કષાયની અલ્પતા છે, તે લૌકિક પ્રશમ સુખ છે અને જેઓનું ચિત્ત સદા તત્ત્વથી વાસિત રહે છે, અને તેના કારણે સ્વભૂમિકાનાં સર્વ ધર્મઅનુષ્ઠાનો અત્યંત વિધિપૂર્વક કરી શકે છે, એવા જીવોમાં લોકોત્તર પ્રશમ સુખ વર્તે છે. આથી જ આવા લોકોત્તર પ્રશમ સુખવાળા શ્રાવક જિનભક્તિકાળમાં અસ્મલિત જિનવચનાનુસાર ઉચિત ભાવોને કરીને અમૃત અનુષ્ઠાન કરી શકે છે. તે અમૃત અનુષ્ઠાનના બીજભૂત લોકોત્તર પ્રશમ સુખ તેઓમાં વર્તે છે. તેવા પ્રશમ સુખના ફલની નિષ્પત્તિના હેતુભૂત સદ્ભાવનાની સુરલતા તે મહાત્માઓ માટે દૂર નથી. જે મહાત્માઓ ઉત્તમ આશયપૂર્વક પ્રસ્તુત ભાવનાઓનો આશય કરે છે. કાા અવતરણિકા : શ્લોક-૫માં કહ્યું કે કરાયેલી ભાવનાઓથી પણ કેવા માનસમાં શમરૂપી અંકુરો થતો નથી. શ્લોક-૬માં કહ્યું કે કેવા ઉત્તમ આશયવાળા જીવો ભાવના કરે તો તેઓને ક્રમસર લોકોત્તર પ્રશમ સુખની પ્રાપ્તિ થાય છે. હવે તે લોકોત્તર પ્રશમ સુખના હેતુ એવી બાર ભાવનાઓને નામ માત્રથી બતાવે છે. જેથી તે ભાવતાઓનાં નામ સાંભળીને પણ કલ્યાણના અર્થી જીવને તે ભાવના પ્રત્યે પક્ષપાતરૂપ રાગનો પરિણામ થાય છે – શ્લોક :__ अनित्यत्वाऽशरणते, भवमेकत्वमन्यताम् । अशौचमाश्रवं चात्मन् !, संवरं परिभावय ।।७।। कर्मणो निर्जरां धर्मसूक्ततां लोकपद्धतिम् । बोधिदुर्लभतामेतां, भावयन् मुच्यसे भवात् ।।८।। શ્લોકાર્ચ - હે આત્મન્ ! તું અનિત્યત્વને, અશરણતાને, ભવને=ભવભાવનાને, એકત્વને, અન્યતાને, અશૌચને, આશ્રવને, સંવરને, કર્મોની નિર્જરાને, ધર્મની સૂક્તતાને દસ પ્રકારના યતિધર્મના Page #26 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ, બ્લોક-૭-૮ સુંદર કથનપણાને, લોક-પદ્ધતિને અને બોધિદુર્લભતાને પરિભાવન કર. આને પૂર્વમાં વર્ણન કર્યું એ બાર ભાવનાઓને, ભાવન કરતો એવો તું ભવથી મૂકાય છે અર્થાત્ જેમ જેમ ભાવના સ્થિર થશે તેમ તેમ ભવ ક્ષીણ થશે. II૭-૮ ભાવાર્થ મહાત્મા આત્માને સંબોધીને કહે છે - હે આત્માનું ! તું આ બાર ભાવનાઓને પરિભાવન કર. કેમ પરિભાવન કર ? તેથી કહે છે – આ બાર ભાવનાઓનું પરિભાવન કરતો એવો તું ભવથી મૂકાય છે; કેમ કે બાહ્ય પદાર્થોના સંગના ભાવોથી પાપ બંધાય છે. જે જીવમાં બાહ્ય પદાર્થોનો સંશ્લેષ જેટલો અધિક એટલી ભવભ્રમણની શક્તિ અધિક હોય છે. વળી, આ ભાવનાઓથી ભાવિત થયેલા ચિત્તમાં ક્રમસર સંગશક્તિ ક્ષીણ-ક્ષીણતર થાય છે. અને જે જે અંશથી બાહ્ય પદાર્થો પ્રત્યેના સંશ્લેષરૂપે સંગશક્તિ ક્ષીણ થાય છે અને અંતરંગ આત્માની સ્વસ્થતા પ્રત્યે ચિત્ત સંશ્લેષવાળું બને છે, તે તે અંશથી તે મહાત્મા ભવથી મૂકાય છે. માટે ભાવથી મુક્ત થવાના પરમબીજભૂત એવી આ બાર ભાવનાઓનું તું ભાવન કર, તેમ કહીને મહાત્મા પોતાના આત્માને તે ભાવનાઓ પ્રત્યે અત્યંત અભિમુખ કરે છે. જેથી ઉત્તરમાં વર્ણન કરાયેલી ભાવનાઓને અત્યંત અવધાનપૂર્વક દઢ ઉપયોગપૂર્વક, ભાવન કરીને પોતે હિત સાધી શકે. તે ભાવનાઓનાં નામો પ્રસ્તુત બે શ્લોકમાં બતાવાયાં છે, જેનો સંક્ષેપ અર્થ આ પ્રમાણે છે :| (૧) અનિત્યભાવનાઃ જગતના બાહ્ય પદાર્થો અનિત્ય છે તેનું ભાવન કરીને આત્મા પોતાના આત્મામાં સદા વર્તતી જ્ઞાનની નિરાકુળ અવસ્થારૂપ સ્વસ્થતાના સુખને અભિમુખ બને છે. (૨) અશરણભાવના : સંસારવર્તી જીવ કર્મને પરતંત્ર હોવાથી તદ્દન અશરણ છે તે પ્રકારે ભાવન કરવાથી પોતાની અશરણતાની સ્પષ્ટ ઉપસ્થિતિ થાય છે. જેથી તે અશરણઅવસ્થાથી રક્ષણમાં પ્રબળ કારણભૂત જિનવચનનું દઢ અવલંબન લેવા માટે પોતાનો આત્મા ઉત્સાહિત થાય છે. R (૩) ભવસ્વરૂપભાવનાઃ ચારગતિઓના પરિભ્રમણરૂપ ભવ કેવો વિષમ છે ? તેની વિચારણા કરવાથી ભવના કારણભૂત સંશ્લેષની પરિણતિ અલ્પ થાય છે, જેથી સાધનાને અનુકૂળ ઉત્તમ ચિત્ત નિષ્પન્ન થાય છે. (૪) એકત્વભાવનાઃ સંસારમાં જીવ સ્નેહી, સ્વજન, આદિ સાથે અત્યંત સંશ્લેષવાળો હોવાથી તેઓની હૂંફથી જ જીવે છે. આ પ્રકારના સંશ્લેષને દૂર કરવા અર્થે મહાત્મા પરમાર્થથી આત્મા સાથે કોઈનો સંબંધ નથી એ પ્રકારની એકત્વભાવના કરીને આત્મા સાથે તાદાસ્યભાવવાળા પોતાના ગુણોમાં રહેલા પોતાના એકત્વભાવને સ્થિર કરે છે. (૫) અન્યત્વભાવનાઃ વળી, આત્મા પોતાના ગુણો સાથે પોતાનું એકત્વ ભાવન કર્યા પછી દેહ, સ્વજન, ધનાદિ સર્વ પદાર્થો સાથે પોતાનો અત્યંત ભેદ છે તેવી બુદ્ધિ સ્થિર કરવા અર્થે અન્યત્વભાવના કરે છે, જે ભાવનાના બળથી બાહ્ય પદાર્થો પ્રત્યેનો અસંશ્લેષ સ્થિર થાય છે. જેથી સુખપૂર્વક આત્મહિતમાં પ્રવૃત્તિ કરવા પોતે સમર્થ બને છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦. શાંતસુધારસ () અશુચિભાવના મનુષ્યનું શરીર રુધિર, માંસ આદિ અશુચિમય પદાર્થોથી નિર્માણ થયું છે, તે પ્રકારે મહાત્મા વારંવાર ભાવન કરે છે, જેથી તુચ્છ એવા બહારના રૂપને જોઈને અન્યના દેહ પ્રત્યે કે પોતાના દેહ પ્રત્યે જે મમત્વ થાય છે તે દૂર થાય. અશુચિમય એવા દેહમાં વાસ કરવાનું કારણ કર્મ છે, તેથી અશુચિભાવના કરીને કર્મથી મુક્ત થવાના પોતાના પરિણામને મહાત્મા દઢ કરે છે. (૭) આશ્રવભાવનાઃ કર્મબંધમાં કારણભૂત મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ રૂપ ભાવમલ કર્મોના આશ્રવનું કારણ છે, જેનાથી સર્વ વિડંબનાઓ થાય છે, એ પ્રકારે ભાવન કરવાથી પાંચ પ્રકારના આશ્રવ પ્રત્યે અત્યંત જુગુપ્સા ભાવ થાય છે અને તે ભાવમલને કાઢવા માટે સદ્વર્ય ઉલ્લસિત થાય છે. માટે મહાત્મા ઉપયોગપૂર્વક આશ્રવભાવના કરે છે. (૮) સંવરભાવના : આત્માનું બાહ્ય ભાવોથી રક્ષણ કરવા માટે સંવરભાવરૂપ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનો પરિણામ કર્તવ્યરૂપ છે, તેનું ભાવન કરીને સર્વ હિતની પરંપરાના કારણભૂત સંવરભાવ પ્રત્યે રાગનો અતિશય કરવા અર્થે મહાત્મા સંવરભાવના કરે છે. (૯) નિર્જરાભાવના આત્મામાં પ્રવેશ પામેલાં કર્મો જ સર્વ અનર્થોને કરનારાં છે, તેથી કર્મનિર્જરાના અર્થી મહાત્માઓ નિર્જરાભાવના કરીને તે નિર્જરાના ઉપાયભૂત બાર પ્રકારના તપથી પોતાના આત્માને તે રીતે વાસિત કરે છે, જેથી ચિત્ત તે નિર્જરાના ઉપાયને અનુકૂળ વ્યાપાર કરીને ક્રમસર કર્મથી મુક્ત બને. (૧૦) ધર્મસ્વાખ્યાતભાવનાઃ સર્વજ્ઞ વડે ધર્મ કહેવાયેલો છે, તેથી પરિપૂર્ણ નિર્દોષ છે અને તે ધર્મના સેવનથી સંસારીજીવો સુરક્ષિત રહે છે. આ પ્રકારે ધર્મની સુંદર ઉક્તતાનું ભાવન કરવાથી સર્વજ્ઞકથિત ધર્મ પ્રત્યે બદ્ધરાગ થાય છે, જેનાથી અધર્મના સંસ્કારો નાશ પામે છે. માટે મહાત્મા ધર્મસૂક્તતાનું ભાવન કરે છે. (૧૧) લોકપદ્ધતિભાવનાઃ ચૌદ રજૂ આત્મક આ લોકમાં જીવો કઈ રીતે પરિભ્રમણ કરે છે ? તેના સ્વરૂપનું ભાવન કરવાથી સંસારના વાસ્તવિક સ્વરૂપના અવલોકનની નિર્મળદૃષ્ટિ પ્રગટે છે. પોતાના હિતમાં દઢ યત્ન અને અહિતથી નિવર્તનમાં દઢ યત્ન થાય તે માટે મહાત્મા લોકપદ્ધતિભાવના કરે છે. (૧૨) બોધિદુર્લભભાવનાઃ જગતુવર્તી ભાવોને યથાર્થ રીતે જોવાની નિર્મળદૃષ્ટિ જેને પ્રગટ થાય છે, તેઓને ચારગતિના પરિભ્રમણરૂપ સંસાર યથાર્થ દેખાય છે, તેના નિસ્તારનો ઉપાય વીતરાગભાવ દેખાય છે અને તેની પ્રાપ્તિનો ઉપાય જિનવચનાનુસાર સૂક્ષ્મબોધરૂપે કરાયેલી ઉચિત પ્રવૃત્તિ દેખાય છે તે બોધિ છે. ચારગતિમાં પરિભ્રમણ કરતા જીવને તે બોધિની પ્રાપ્તિ કઈ રીતે દુર્લભ છે, તેનું ભાવન કરવાથી દુર્લભ એવા બોધિને પ્રાપ્ત કરવા અને પ્રાપ્ત થયેલા એવા બોધિને સ્થિર, સ્થિરતર કરવા દઢ યત્ન થાય છે. આ રીતે બાર ભાવનાઓનું સ્વરૂપ જેઓ વારંવાર ભાવન કરે છે, તેઓનું ભાવનામય ચિત્ત સદા ઉચિત પરિણામો કરીને સંવર તરફ કે નિર્જરા તરફ જાય છે, તેથી મોક્ષના ઉપાયભૂત સંવર અને નિર્જરા દ્વારા તે મહાત્મા ભવથી મૂકાય છે. I૭-૮ાા Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧. અનિત્યભાવના | શ્લોક-૧ G ૧. અનિત્યભાવના છે. શ્લોક :वपुरवपुरिदं विदभ्रलीलापरिचितमप्यतिभङ्गुरं नराणाम् । तदतिभिदुरयौवनाविनीतं, भवति कथं विदुषां महोदयाय ।।१।। શ્લોકાર્ચ - મનુષ્યોનું વિદભ્રલીલાથી પરિચિત પણ અતિભંગુર એવું આ શરીર અશરીર છે જીવનું નિવાસસ્થાન એવું શરીર પણ અનિવાસસ્થાન છે. વળી, તે શરીર અતિભિદુર એવા યૌવનથી અવિનીત છે ન ભેદી શકાય એવા યૌવનને કારણે અત્યંત ઉદ્ધત છે. તેનું શરીર વિદ્વાનોને મહોદય માટે કેવી રીતે થાય ? અર્થાત્ આત્માને સુખપૂર્વક રહેવાના સ્થાનરૂપે કેવી રીતે થાય ? II૧II ભાવાર્થ : સંસારવર્તી મનુષ્યનું શરીર અતિભંગુર છે. ગમે ત્યારે વિનાશ પામે એવું છે. વળી, વાદળાંઓ ક્ષણભરમાં ભેગાં થાય છે અને વિનાશ પામી જાય છે. તેના જેવી લીલાથી પરિચિત પોતાનો દેહ છે અર્થાત્ હું આ દેહમાં કેટલાક કાળથી રહું છું એ રીતે પરિચિત છે, તોપણ જીવને માટે તે અવધુ છે અર્થાતુ અનિવાસસ્થાન જ છે. વસ્તુતઃ પુરુષ જેમાં વસે તે વપુ કહેવાય અને પરમાર્થથી પુરુષરૂપ આત્મા પોતાના ભાવોમાં જ સદા રહી શકે છે. આ નશ્વર દેહમાં સ્થિરતાપૂર્વક ક્યારેય રહી શકતો નથી. તેથી આ શરીર મારા માટે રહેવાનો આશ્રય છે, તેવી બુદ્ધિથી જીવો દેહનું પાલન કરે છે તે તેઓની ભ્રમાત્મક બુદ્ધિ છે; કેમ કે પરમાર્થથી આત્માને માટે સ્વસ્થતાથી રહેવાનું સ્થાન આ શરીર નથી. માટે અતિ ભંગુર એવો આ દેહ આત્મા માટે અનિવાસસ્થાનરૂપ હોવાથી “અવ૫” છે. વળી, વાદળાંની લીલાથી પોતાના નિવાસનું સ્થાન છે એ રૂપે પરિચિત એવો દેહ પણ અતિભિદુર એવા યૌવનથી અવિનીત છે, અત્યંત દુર્ભેદ્ય એવું યૌવન અવિનીત છે. આશય એ છે કે યૌવન અવસ્થાનો ઉન્માદ જીવો માટે પરિહાર કરવો અતિદુષ્કર છે તેથી તેવા યૌવનને પામીને આ શરીર જીવને માટે અનેક અનુચિત પ્રવૃત્તિ કરાવીને નાશનું કારણ બને તેવું છે, માટે વાદળાની લીલાથી પ્રાપ્ત થયેલો કિંચિત્ કાળ માટે આશ્રય થયેલો આ દેહ કેવી રીતે વિદ્વાનોના મહોદય માટે થઈ શકે અર્થાત્ હિતનું કારણ કઈ રીતે થઈ શકે. જેમ સંસારીજીવોને સુખરૂપ એવું નિવાસસ્થાન હિતનું કારણ જણાય છે, તેમ આ દેહરૂપ નિવાસસ્થાન વિદ્વાનોને સુખનું કારણ છે તે કેવી રીતે જણાય. અર્થાત્ વિદ્વાનોને તે અતિભંગુર દેહ વાસ્તવિક નિવાસસ્થાન નથી તેમ જ જણાય છે; કેમ કે જેમ જે નિવાસસ્થાન પડુ-પડુ અવસ્થામાં હોય તે નિવાસસ્થાન વિચારકને રહેવાલાયક નથી તેમ જ જણાય છે. તેમ વિદ્વાનોને આ દેહરૂપ નિવાસસ્થાન ક્યારે નાશ પામશે તેનો સતત ભય લાગે છે. તેથી તે નિવાસસ્થાનરૂપે જણાતું નથી. વળી Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શાંતસુધારસ યૌવનના ઉન્માદને કારણે અવિનીત એવો તે દેહ વિદ્વાનોને નિવાસ કરવા જેવો જણાતો નથી. પરંતુ સતત તેનાથી સાવધાન થઈને આત્માનું રક્ષણ કરવાની જ ચિંતા રહે છે. આથી જ વિદ્વાન પુરુષો તે દેહ પ્રત્યેના મમત્વનો ત્યાગ કરીને સદા જિનવચનનું દૃઢ અવલંબન લઈને વીતરાગ થવા માટે ધર્મના ઉપકરણરૂપે જ દેહને ધારણ કરે છે. તેથી કેવલ દેહ દ્વારા ધર્મની સાધના કરે છે. જેથી નશ્વર દેહ પ્રત્યે લેશ પણ પોતાના નિવાસસ્થાન સ્વરૂપે સ્નેહની બુદ્ધિ થાય નહીં. ॥૧॥ અવતરણિકા : પૂર્વમાં અતિભંગુર એવો દેહ કઈ રીતે અનિત્ય છે તે બતાવ્યું. હવે અન્ય વસ્તુ કઈ રીતે અનિત્ય છે તેવું ભાવન કરતાં કહે છે શ્લોક ઃ - आयुर्वायुतरत्तरङ्गतरलं, लग्नापदः सम्पदः; सर्वेऽपीन्द्रियगोचराश्च चटुलाः, सन्ध्याभ्ररागादिवत् । मित्रस्त्रीस्वजनादिसङ्गमसुखं, स्वप्नेन्द्रजालोपमं; तत् किं वस्तु भवे भवेदिह मुदामालम्बनं यत्सताम् ।।२।। શ્લોકાર્થ : આયુષ્ય વાયુઓના તરતા તરંગ જેવું તરલ છે=ચંચળ છે, સંપત્તિઓ આપત્તિઓ સાથે લગ્ન છે=જોડાયેલી છે, સંધ્યાના અભ્રરાગાદિની જેમ સર્વ પણ ઇન્દ્રિયોના વિષયો ચટુલા છે=ચપળ છે. મિત્ર, સ્ત્રી, સ્વજનાદિના સંગમનું સુખ સ્વપ્નમાં આવેલા સુખ જેવું અથવા ઈંદ્રજાળની ઉપમા જેવું છે. ભવમાં=સંસારમાં, તે શું વસ્તુ છે. જે અહીં સંસારમાં બુદ્ધિમાન પુરુષોને આનંદનું આલંબન થાય અર્થાત્ સંસારમાં કોઈ વસ્તુ નથી કે જે બુદ્ધિમાન પુરુષોને આનંદનું આલંબન બને. IIII ભાવાર્થ: જેમ વાયુ વાતો હોય ત્યારે તેના તરંગો ક્ષણભરમાં ચાલ્યા જાય છે, તેમ જીવના આયુષ્યના તરંગો સતત જઈ રહ્યા છે. તેથી પ્રતિક્ષણ આયુષ્ય ક્ષીણ થઈ રહ્યું છે. ક્યારે આયુષ્ય પૂરું થશે તેનો કોઈ ભરોસો નથી છતાં મૂઢ જીવ જતી એવી પોતાના આયુષ્યની અવસ્થાનો વિચાર કર્યા વગર નિશ્ચિત થઈને સુખ અર્થે યથાતથા પ્રયત્ન કર્યા કરે છે. વસ્તુતઃ પારમાર્થિક સુખ મોહનીયકર્મે અવરોધ કરેલ છે. તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છોડીને મોહને પરવશ અસાર એવા બાહ્ય પદાર્થોમાંથી સુખ મેળવવા માટે મૂઢ જીવ પ્રયત્ન કરે છે. તે મૂઢતાને દૂર કરવા અર્થે સચેતન પુરુષ ભાવન કરે છે કે આ આયુષ્ય ગમે ત્યારે ક્ષય પામી જશે અને જો હું મારા આત્માનું હિત નહીં સાધું તો અવશ્ય મૂઢની જેમ પ્રવૃત્તિ કરીને પસાર થયેલો મારો જન્મ મને દુર્ગતિમાં નાખશે. વળી, બાહ્ય સંપત્તિના આશ્વાસનની હૂંફથી સંસારીજીવો નિશ્ચિત થઈને જીવે છે તે સર્વ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧. અનિત્યભાવના | શ્લોક-૨ ૧૩ સંપત્તિઓ આપત્તિઓ સાથે જોડાયેલી છે. આથી જ પ્રાપ્ત થયેલી સંપત્તિ ચોરાદિથી ગ્રહણ થાય છે, પ્રાપ્ત થયેલું સુંદર રૂપ રોગથી નાશ પામે છે, પ્રાપ્ત થયેલી બાહ્ય સુંદર સામગ્રી ગમે ત્યારે ગમે તે નિમિત્તે નાશ પામે છે તે વખતે જે સંપત્તિ સુખરૂપ દેખાતી હતી તે સંપત્તિના વિનાશથી જીવ દુઃખી દુઃખી થાય છે. તેથી આવી અસાર સંપત્તિ પ્રત્યેના રાગને છોડીને પોતાના શાશ્વત સુખના કારણીભૂત અંતરંગ સંપત્તિ પ્રત્યે રાગને કેળવવા બુદ્ધિમાન પુરુષ યત્ન કરે છે. વળી, વિચારે છે કે સંસારીજીવોને પાંચેય ઇન્દ્રિયોના દેખાતા વિષયો સુખનાં સાધનો દેખાય છે. પરંતુ સંધ્યાકાળે મેઘધનુષ્ય આદિ થાય અને દેખાવમાં સુંદર દેખાય તોપણ તે સુંદર દેખાવ ક્ષણભરમાં નાશ પામે છે. તેના જેવા પાંચેય ઇન્દ્રિયોના વિષયો ચપળ છે. તેથી તેવા અસાર ઇન્દ્રિયોના વિષયોના રાગથી સુખ મેળવવા માટે યત્ન કરનારને અંતે દુઃખની પરંપરાની જ પ્રાપ્તિ થાય છે. માટે ઇન્દ્રિયોના વિકાર વગરના સ્વાસ્થ્યના સુખની પ્રાપ્તિ માટે નિર્વિકારી એવા ઉત્તમપુરુષની ભક્તિ કરીને હું નિર્વિકારી થવા ઉદ્યમ કરું. જેથી ઇન્દ્રિયોના વિકારી સુખની આસ્થાથી દુઃખી થવાનો પ્રસંગ ન આવે અને તે સુખ માટે કરાયેલા આરંભ-સમારંભજન્ય દુર્ગતિઓની પરંપરાની પ્રાપ્તિ થાય નહીં. એ પ્રકારે જે મહાત્મા વારંવાર ભાવન કરે છે, અને સદા તેવા ભાવોથી ચિત્તને વાસિત કરવા યત્ન કરે છે, તેવા જીવોનું ચિત્ત પૂર્વમાં જે ઇન્દ્રિયોના વિકારવાળું હોય છે તે પ્રસ્તુત ભાવનાના બળથી નિર્વિકારી અવસ્થા પ્રત્યેના રાગના અતિશયવાળું થાય છે. વળી, સંસારીજીવોને મિત્ર, સ્ત્રી, સ્વજનના સંગમમાં સુખની પ્રતીતિ થાય છે. વસ્તુતઃ તે સુખ સ્વપ્નમાં જોયેલા પદાર્થના જેવું છે અથવા ઇન્દ્રજાળ જેવું છે; કેમ કે પોતાના આત્માથી ભિન્ન એવા મિત્રમાંથી કે સ્ત્રી આદિમાંથી કોઈ ભાવ નીકળીને પોતાના આત્મામાં પ્રવેશ પામતો નથી. પરંતુ સ્વપ્નમાં દેખાયેલા પદાર્થોનું સુખ સ્વપ્નકાળમાં જણાય છે. તેમ તત્ત્વને જોવામાં અપ્રવૃત્ત એવા મોહની નિદ્રામાં સૂતેલા જીવોને મિત્ર, સ્વજનાદિના સંગમમાં સુખ જણાય છે. ૫રમાર્થથી બાહ્ય પદાર્થમાંથી નીકળીને કોઈ પરિણામનો પ્રવેશ પોતાના આત્મામાં થતો નથી. પરંતુ પોતાના આત્મામાં તે તે પ્રકારના વિકારોને કારણે મિત્ર, સ્વજનાદિના મુખને જોઈને વિકારી સુખ થાય છે અને આત્માનું નિર્વિકારી સુખ મોહનીયકર્મથી હણાયેલું હોવાથી અનુભવાતું નથી. માટે બુદ્ધિમાન પુરુષે સંસારઅવસ્થામાં સૂક્ષ્મ પ્રજ્ઞાપૂર્વક મોહથી તિરોધાન પામેલા નિર્વિકારી સુખને જાણવા માટે અને સ્વપરાક્રમથી પ્રગટ કરવા માટે ઉદ્યમ કરવો જોઈએ. જેનાથી અસાર એવા વિકારી સુખોમાંથી આનંદ લેવાની વૃત્તિ તિરોધાન પામે અને નિર્વિકારી સુખને અભિમુખ ચેતના સદા પ્રવૃત્ત રહે. જેથી સવિકારી સુખની લાલસાથી બંધાયેલાં પાપોના કારણે દુર્ગતિની પ્રાપ્તિ રૂપ અનર્થની પરંપરા પ્રાપ્ત થાય છે. તે પ્રકારનાં અનર્થોથી આત્માનું રક્ષણ થાય. વળી, કોઈ ઇન્દ્રજાળિયો ઇન્દ્રજાળથી બાહ્ય વસ્તુ દેખાડે ત્યારે પણ બાહ્ય વસ્તુ તેવી હોતી નથી તેવું જ મિત્ર, સ્ત્રી આદિના સંગમનું સુખ છે એમ વિચારીને અનંત સુખને સન્મુખ ચિત્તને કરવું જોઈએ. જેથી અસાર સુખોના રાગથી થતી અનર્થની પરંપરાથી આત્માનું રક્ષણ થાય. આ પ્રકારે બતાવીને સંક્ષેપથી ગ્રંથકારશ્રી કહે છે કે જગતમાં એવી કઈ વસ્તુ છે કે જે ૫૨માર્થને જોનારા બુદ્ધિમાન પુરુષોને આનંદનું આલંબન થાય અર્થાત્ સંસારમાં એવી કોઈ વસ્તુ નથી કે જે બુદ્ધિમાન પુરુષોને આનંદનું આલંબન બને. પરંતુ મોહની અનાકુળ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શાંતસુધારસ એવી આત્માની સ્વસ્થ અવસ્થા જ બુદ્ધિમાન પુરુષોને આનંદનું આલંબન બને છે. માટે મૂઢતાનો ત્યાગ કરીને અને જગતના પદાર્થોની અનિત્યતાનું ભાવન કરીને આત્માને સદા તે રીતે વાસિત કરવો જોઈએ, જેથી પોતાનો આત્મા સદા નિર્વિકારી સુખની પ્રાપ્તિના જ ઉચિત ઉપાયોને સેવનારો બને. શ્લોક :प्रातर्धातरिहावदातरुचयो, ये चेतनाचेतनाः, दृष्टा विश्वमनःप्रमोदविदुरा, भावाः स्वतः सुन्दराः ।। तांस्तत्रैव दिने विपाकविरसान्, हा नश्यतः पश्यत श्चेतः प्रेतहतं जहाति न भवप्रेमानुबन्धं मम ।।३।। શ્લોકાર્ય : હે ભ્રાત હે આત્મબંધુ, તું વિચાર કર. પ્રાતઃકાળમાં અહીં=સંસારમાં, અવદાત રુચિવાળા=સુંદર સ્વરૂપવાળા, ચેતન અચેતન એવા ભાવો વિશ્વના મનને પ્રમોદને કરનારા સ્વતઃ સુંદર જે જોવાયા ફળથી વિરસ-પણાવાળા તે જ દિવસમાં તે ભાવોને નાશ પામતા જોતું પ્રેતથી હળાયેલું મારું ચિત્ત ભવના પ્રેમના અનુબંધને ત્યાગ કરતું નથી=અસાર એવા બાહ્ય ભાવોના રાગને ત્યાગ કરતું નથી, તે મારી મૂઢતા છે. IBIL ભાવાર્થ અનિત્યભાવનાને આત્મામાં સ્થિર કરવા અર્થે મહાત્મા પોતાના આત્માને કહે છે હે બંધુ ! એવા આત્મા ! તું વસ્તુસ્થિતિને જો કે જે ભાવો સવારના પહોરમાં સુંદર દેખાઈ રહ્યા છે અને તે ભાવો ચેતનમાં અને અચેતનમાં પણ છે; કેમ કે ચેતન એવા કોઈ રૂપસંપન્ન વ્યક્તિને જોવાથી તે ભાવો અત્યંત સુંદર દેખાય છે અને અચેતન એવા પણ કુદરતના ભાવો સુંદર દેખાય છે. જેને જોઈને જગતના જીવો મોહ પામે છે. આમ છતાં તે ચેતનના ભાવો કે અચેતનના ભાવો અત્યંત અનિત્ય હોવાથી કેટલાક તે દિવસે સાંજના નષ્ટ જેવા દેખાય છે. વળી, કેટલાક ભાવો કંઈક કાળ પછી નષ્ટ જેવા દેખાય છે. આથી જ કોઈક રૂપસંપન્ન વ્યક્તિ પણ કુષ્ઠ આદિ રોગ થાય ત્યારે નષ્ટ રૂપવાળો દેખાય છે. આ પ્રકારે જગતના સર્વ ભાવો ક્ષણમાં સુંદર અને ક્ષણમાં અસુંદર થતા પ્રત્યક્ષથી દેખાઈ રહ્યા છે. છતાં અસાર એવા ભાવો ભવનાં કારણ છે તેમ જાણવા છતાં તેના પ્રત્યેનો રાગ આ મારું ચિત્ત છોડી શકતું નથી તેથી સતત બાહ્ય પદાર્થોને જોવાની ઉત્સુકતા જીવમાં શાંત થતી નથી. આથી જ આત્માના શાંતરસના ભાવો કે વીતરાગતાના ભાવો સદા શાશ્વત સુંદર રહેનારા છે. છતાં તેના પ્રત્યે પણ ચિત્ત સ્થિર થતું નથી. તે જ જીવની મૂઢતા છે. વસ્તુતઃ જે સુંદર ભાવો સદા શાશ્વત સુંદર છે અને તેના પ્રત્યેનો પ્રેમનો અનુબંધ તેવા પ્રકારની ભાવોની પ્રાપ્તિનું કારણ છે એવું જેને જ્ઞાન હોય તેવા મહાત્માઓને તો સદા તે ભાવો પ્રત્યેનો જ પ્રેમ થાય છે. આથી જ જે Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧. અનિત્યભાવના-ગીત | શ્લોક-૧ ૧૫ મહાત્માઓએ સંસારના ભાવોની અનિત્યતાને અત્યંત ભાવન કરી છે તેમને ચેતન એવા કોઈનાં રૂપમાં પ્રેમનો અનુબંધ થતો નથી કે અચેતન એવા કુદરતના રમ્ય ભાવોને કારણે પણ પ્રેમનો અનુબંધ થતો નથી. પરંતુ આત્મામાં શાશ્વત રહેનારા એવા રમ્ય ભાવો કે જે સિદ્ધ ભગવંતોએ પ્રાપ્ત કર્યા છે, અને તેવા ભાવોની પ્રાપ્તિ માટે મહાપરાક્રમ ફોરવતા એવા સુસાધુઓમાં વર્તતા રમ્યભાવો પ્રત્યે જ તે મહાત્માનું ચિત્ત સદા આકર્ષિત રહે છે અને તે મહાત્મા આત્માને સદા તે રીતે ભાવિત કરે છે કે આ નશ્વર બાહ્ય ભાવોનો પ્રેમનો અનુબંધ કર્મબંધ કરાવીને જીવને ચારગતિમાં કદર્થનાની પ્રાપ્તિ કરાવનાર છે. સિદ્ધ અવસ્થામાં વર્તતા આત્માના ભાવો પ્રત્યેનો પ્રેમનો અનુબંધ તત્ તુલ્ય થવામાં એક કારણ હોવાથી સંસારની વિડંબનાથી સદા આત્માનું રક્ષણ કરનાર છે. માટે હે આત્મન્ ! તું ભવના પ્રેમના અનુબંધનો ત્યાગ કર અને આત્માના પારમાર્થિક ભાવો પ્રત્યેના સ્નેહના અનુબંધને ધારણ કર. Hall ૧. અનિત્યભાવના-ગીત શ્લોક : मूढ ! मुह्यसि मुधा मूढ ! मुह्यसि मुधा, विभवमनुचिन्त्य हृदि सपरिवारम् । कुशशिरसि नीरमिव गलदनिलकम्पितं, विनय ! जानीहि जीवितमसारम् ।।मूढ० १।। શ્લોકાર્ધ :હે મૂઢ એવા આત્મા ! તું ફોકટ મોહ પામે છે. હે મૂઢ આત્મા ! તું ફોકટ મોહ પામે છે. શેમાં ફોકટ મોહ પામે છે ? તેથી કહે છે – હૃદયમાં પરિવાર સહિત વૈભવનું અનુચિંતવન કરીને ફોકટ મોહ પામે છે. કેમ ફોકટ મોહ પામે છે ? તેથી કહે છે – કુશના મસ્તક ઉપર=ઘાસના તણખલા ઉપર, રહેલ વાતા પવનથી કંપિત ગળતા પાણી જેવા જીવિતને હે વિનય ! તું અસાર જાણaહે કર્મના વિનયના અર્થી ! તું અસાર જાણ. IfIl ભાવાર્થ : મહાત્મા પોતાના આત્માને અપ્રમાદભાવથી આત્મહિતમાં જાગ્રત કરવા અર્થે આત્માને સંબોધીને કહે છે કે મૂઢ આત્મા તું પરિવાર સહિત પોતાના વૈભવનો વિચાર કરીને ફોકટ મોહ કરે છે અર્થાત્ વિચારે છે કે મારો સુંદર પરિવાર છે, મારી પાસે વૈભવ છે, હું સુખપૂર્વક જીવું છું ઇત્યાદિ ભાવો કરીને તે વૈભવમાં અને પરિવારમાં ફોકટ મમત્વવૃદ્ધિ કરીને તારો મનુષ્યભવ નિષ્ફળ કરે છે. કેમ મનુષ્યભવ નિષ્ફળ કરે છે ? તેથી કહે છે – કોઈ ઘાસના તણખલા ઉપર પાણીનું બિંદુ પડેલું હોય અને વાયુથી તે પાણીનું બિંદુ કંપતું હોય ત્યારે તે પાણીનું બિંદુ ક્ષણમાં નીચે પડી જશે તેવી સ્થિતિવાળું છે કે સુકાઈ જશે તેવી સ્થિતવાળું છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શાંતસુધારસ તેના જેવું જ તારું આયુષ્ય અસાર છે અર્થાત્ તારું આયુષ્ય સતત ગળી રહ્યું છે. તેથી પ્રતિક્ષણ નાશ પામી રહ્યું છે. માટે આયુષ્યની પૂર્ણતા પૂર્વે હે કર્મના નાશના અર્થી જીવ ! તું આત્મહિત નહીં સાધે તો તારો મનુષ્યભવ નિષ્ફળ જશે. માટે અનિત્ય એવા પરિવાર સહિત વૈભવનો મોહ છોડીને આત્માની ગુણસંપત્તિની વૃદ્ધિના કા૨ણીભૂત ભગવાનના વચનથી સતત આત્માને ભાવિત કરીને પરલોકના હિતની પરંપરાની પ્રાપ્તિ થાય તે રીતે યત્ન કર. અને અસાર એવા બાહ્ય ભાવોનો મોહ છોડ. આ પ્રકારે આત્માને સંબોધીને મહાત્મા પ્રેરણા કરે છે જેથી જાગ્રત થયેલો અપ્રમાદભાવ સેવાતા એવા ધર્મમાં અંતરંગ રીતે દૃઢ યત્ન કરીને આત્મકલ્યાણ સાધી શકે. III શ્લોક ઃ पश्य भङ्गुरमिदं विषयसुखसौहृदं, पश्यतामेव नश्यति सहासम् । एतदनुहरति संसाररूपं रयाज्ज्वलज्जलबालिकारुचिविलासम् ।। मूढ० २ ।। શ્લોકાર્થ ઃ હે આત્મન્ ! તું આ વિષય સુખનું સુહૃદપણું ભંગુર જો. કેમ ભંગુર જો ? તેથી કહે છે કે જોતાવેંત સહાસ નાશ પામે છે=લીલાપૂર્વક નાશ પામે છે. વળી, અતિ વેગવાળી, ઝબકારા મારતી, વીજળીનાં કિરણોના વિલાસ જેવું સંસારનું રૂપ આને અનુહરણ કરે છે=વિષયસુખને અનુહરણ કરે છે. ા૨ા ભાવાર્થ: મહાત્મા આત્માને સંસારના ભાવોથી વિમુખ કરવા અર્થે જાગ્રત કરતાં કહે છે કે આત્મન્ ! તું સૂક્ષ્મપ્રજ્ઞાથી પદાર્થને જો કે આ બાહ્ય ઇન્દ્રિયોનું વિષયજન્ય જે સુખ તને બંધુ જેવું લાગે છે તે ભંગુર છે. કેમ ભંગુર છે ? તેથી કહે છે – તે સુખોને તું જુવે છે ત્યારે તે સહાસ નાશ પામે છે અર્થાત્ તારો ઉપહાસ કરીને તે જ ક્ષણમાં નાશ પામે છે. જેમ સનકુમાર ચક્રવર્તીને અત્યંત સુંદર રૂપ મળેલું અને ક્ષણમાં શરીરમાં રોગો ઉત્પન્ન થવાથી તે સુંદર રૂપ નાશ પામ્યું તેમ સંસારીજીવોના અનેક પ્રકારના ભોગનાં સુખ ક્ષણભરમાં નાશ પામતાં પ્રત્યક્ષ દેખાય છે. તેથી આવા નાશવંત સુખ પ્રત્યે સ્થિર બુદ્ધિ કરીને તેને જ મિત્રની જેમ જોવું તે મૂઢતા છે. વસ્તુતઃ જગતના ભાવો પ્રત્યે જેને ઉપેક્ષા વર્તે છે તેઓને મોહથી અનાકુળ અવસ્થારૂપ સમભાવનું સુખ વર્તે છે અને તે સમભાવનું સુખ જ જીવને અંતરંગ રીતે સ્વસ્થતા કરાવનારું છે. સદા મિત્રની જેમ સાથે રહેનારું છે. અને જન્માંતરમાં સદ્ગતિ આપીને વિશેષ-વિશેષ પ્રકારના સમભાવમાં ઉદ્યમ કરાવીને શાશ્વત મોક્ષસુખને આપનાર છે. આથી જ મહાત્માઓ અત્યંત સંવેગપૂર્વક શ્રુતવચનથી સતત આત્માને ભાવિત કરે છે. જેથી સંસારના ભાવોમાં ચિત્ત સંશ્લેષ પામતું નથી. અને આત્માના સ્વભાવિક સ્વસ્થતાના સુખની પ્રાપ્તિ થાય છે. વળી, મહાત્મા વિચારે છે કે અતિ વેગવાળી ઝબકારા મારતી વીજળીના ચમકારાના વિલાસને ધારણ કરનારું સંસારનું સ્વરૂપ વિષયસુખનું અનુહરણ કરે છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧. અનિત્યભાવના-ગીત / બ્લોક-૨-૩ આશય એ છે કે વીજળીનો ચમકારો ક્ષણભર દેખાય છે તેમ અનંતકાળ શાસ્થત રહેનારા એવા આત્માને વીજળીના ચમકારા જેવી રાજ્યની પ્રાપ્તિ કે ભોગવિલાસની પ્રાપ્તિ દેખાય છે; કેમ કે અનંતકાળની અપેક્ષાએ એક ક્ષણ તુલ્ય આ મનુષ્યભવનું સુખ છે અને સૂક્ષ્મ રીતે વિચારીએ તો સાગરોપમના આયુષ્યવાળા દેવોનું પણ દેવસુખ અનંતકાળની અપેક્ષાએ વીજળીના ચમકારા જેવું ક્ષણસ્થાયી છે. માટે ક્ષણભર એવા દેહના સંબંધથી થતા વિષયસુખને તું જો અને મોહના અનાકુળ ભાવથી થતા શાશ્વત એવા આત્માના સુખને તું જો જેથી ચિત્ત સદા શાશ્વત સુખને અભિમુખ રહે. રા શ્લોક :हन्त हतयौवनं, पुच्छमिव शौवनं, कुटिलमति तदपि लघुदृष्टनष्टम्; तेन बत परवशाः परवशाहतधियः, कटुकमिह किं न कलयन्ति कष्टम् ।।मूढ० ३।। શ્લોકાર્ચ - હત્તeખેદની વાત છે કે આ યૌવન હણાયેલું છું. કૂતરાની પૂંછડા જેવું કુટિલ મતિવાળું છે=વક્ર બુદ્ધિવાળું છે અને તે પણEયૌવન પણ, થોડીવાર દેખાઈને નશ્વરશીલ છેઃનાશ પામે તેવું છે. તેનાથી ખરેખર પરવશ યૌવનથી પરવશ, જીવો પરવશને કારણે હણાયેલી બુદ્ધિવાળા છે. અહીં વર્તમાન ભવમાં કટુક એવા કષ્ટને તું કેમ વિચારતો નથી? Ilal ભાવાર્થ : કોઈક રીતે જીવ મનુષ્યભવને પામીને યૌવન અવસ્થાને પામે છે. તે યૌવન અવસ્થા અનેક જાતના ઉન્માદયુક્ત હોવાથી હણાયેલું યૌવન છે; કેમ કે આત્મહિત સાધવાને બદલે આત્માનું અહિત કરનારું હોવાથી પરમાર્થથી તેને યૌવન કહી શકાય નહીં. પરમાર્થથી તો તે જ યૌવન છે કે જે અવસ્થામાં જીવ પોતાના હિતની ચિંતા કરે છે. સંસારીજીવો યૌવન અવસ્થામાં તુચ્છ અને અસાર ધનઅર્જન આદિના હિનની ચિંતા કરે છે. અને તેના માટે અનેક અકાર્યો પણ કરે છે. પરંતુ પોતાના આત્માની પારમાર્થિક ચિંતા કરતા નથી. તેને પરમાર્થથી યૌવન કહી શકાય નહીં તે બતાવવા માટે આ યૌવન હણાયેલું યૌવન છે તેમ કહેલ છે. વળી, કૂતરાની પૂંછડી અતિ વક્ર હોય છે. તેને સીધી કરવામાં આવે તોપણ તે વક્ર જ રહે છે. તેમ યૌવન કુટિલ મતિવાળું છે. તેથી યૌવનકાળમાં કોઈક રીતે ઉપદેશ આદિ સાંભળીને જીવો ધર્મને સન્મુખ થાય છે, તોપણ યૌવનના ઉન્માદને કારણે ધર્મ કરીને પણ પોતાના તે તે પ્રકારના કાષાયિકભાવોને પોષે છે અને ઇન્દ્રિયોના વિકારો કોઈ રીતે શાંત થાય તેવા નથી. તેથી યૌવનની કુટિલમતિને વશ થઈને તે જીવ પોતાને પણ ઠગે છે અને અન્યને પણ ઠગે છે. અને પોતે માને છે કે હું આ ધર્મ કરું છું તોપણ યૌવનના ઉન્માદને વશ માન, ખ્યાતિ આદિ ભાવોને પોષીને જ પોતાનો મનુષ્યભવ નિષ્ફળ કરે છે. ફક્ત અત્યંત પ્રાજ્ઞપુરુષ જ યૌવનના પારમાર્થિક સ્વરૂપને જાણીને પોતાનામાં ધર્મનો યૌવનકાલ પ્રગટ થાય તે પ્રકારે યત્ન કરીને પોતાના યૌવનને સફળ કરે છે. તેથી આ યૌવનનું સ્વરૂપ વારંવાર વિચારીને ધર્મની વૃદ્ધિને Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શાંતસુધારસ. અનુકૂળ યૌવનભાવની વૃદ્ધિ અર્થે સદા પ્રયત્ન કરવો જોઈએ. વળી, આ દેહનું યૌવન લઘુદષ્ટ નષ્ટ છે થોડી વાર દેખાય છે, વળી પછી નાશ પામવાના સ્વભાવવાળું છે. તેથી જ્યારે આ યૌવન નાશ પામશે ત્યારે દેહમાં સર્વકાર્ય કરવાની શક્તિ ક્ષીણ થયેલી હશે. તે વખતે ધર્મ કરવાની ઇચ્છા થશે તોપણ જીવ ધર્મ કરવા સમર્થ બનશે નહીં, કેમ કે સંસાર અવસ્થામાં જીવ જે કંઈ અંતરંગ ધર્મ નિષ્પન્ન કરવા યત્ન કરે છે તે પણ દેહના બળથી જ યત્ન કરી શકે છે. અને ક્ષીણ થયેલા દેહના બળવાળા જીવો દેહથી જ અસ્વસ્થ રહેવાને કારણે ધર્મમાં ઉદ્યમ કરવા માટે અસમર્થ બને છે. તેથી એ ફલિત થાય કે યૌવન ઉન્માદ કરાવીને ધર્મસાધક શક્તિનો નાશ કરે છે અને વૃદ્ધાવસ્થામાં શિથિલતાને કારણે દેહ અસમર્થ હોવાથી ધર્મ કરવા જીવ અસમર્થ બને છે. તેથી વિવેકી પુરુષે યૌવનના ઉન્માદને વિવેકપૂર્વક કાબૂમાં રાખીને ધર્મસાધક એવા યૌવનની પ્રાપ્તિમાં ઉદ્યમ કરવો જોઈએ. જેથી પુષ્ટ થયેલા ધર્મના પરિણામો ક્ષીણ થયેલ દેહકાળમાં પણ સહજ રીતે વૃદ્ધિ પામે છે. જેથી આત્મા પોતાનું પારમાર્થિક હિત પ્રાપ્ત કરે છે. વળી, જેઓ યૌવનને પરવશ છે, તેઓ જગતમાં સર્વથા પરવશ છે અને પરવશ થઈને મનુષ્યભવનો વિનાશ કરે છે. અને દુરંત સંસારના પરિભ્રમણને પ્રાપ્ત કરે છે. માટે યૌવનની પરવશતાનો પરિહાર કરીને કોઈક રીતે પ્રાપ્ત થયેલી યૌવનની શક્તિને શાસ્ત્રવચનથી ભાવિત કરવામાં જે મહાત્માઓ ઉદ્યમ કરે છે તેઓનું યૌવન સફળ છે, અન્યથા યૌવનને પરવશ અનેક પાપપ્રવૃત્તિઓ કરીને તે જીવો કર્મને પરવશ જ થાય છે અને તેવા જીવો હણાયેલી બુદ્ધિવાળા છે. આથી જ યૌવનના ઉન્માદને વશ અહીં પણ=વર્તમાનના ભવમાં પણ, કેટલાક કટુક ફળો પામે છે. અર્થાત્ યૌવનને પરવશ જીવોને આ ભવમાં પણ અનુચિત્ત પ્રવૃત્તિઓ કરીને ઘણા પ્રકારના શારીરિક, માનસિક, સાંયોગિક સંક્લેશો પ્રાપ્ત થતા દેખાય છે. આથી જ યૌવનના ઉન્માદમાં વશ થઈને ધન અર્જનની લાલસાથી જે તે પ્રકારનાં કાર્યો કરીને કોઈક મોટા અપરાધને પ્રાપ્ત કરે છે. ત્યારે તે જીવોને આ ભવમાં ઘણા કષ્ટો પ્રાપ્ત થાય છે. માટે જીવે યૌવનના ઉન્માદનું વારંવાર ભાવન કરીને ધર્મના યૌવનની પ્રાપ્તિ થાય એ પ્રકારે સમ્યગુ ઉદ્યમ કરવો જોઈએ જેથી અસાર એવા અને અનિત્ય એવા યૌવનને પરવશ થઈને આત્માને અહિતની પરંપરાની પ્રાપ્તિ ન થાય. 13 શેક :यदपि पिण्याकतामङ्गमिदमुपगतं, भुवनदुर्जयजरापीतसारम् । तदपि गतलज्जमुज्झति मनो नागिनां, वितथमतिकुथितमन्मथविकारम् ।।मूढ० ४।। શ્લોકાર્થ :પિસ્યાકતાનેપષ્ટપણાને, પામેલું જે પણ આ અંગ ભુવનથી દુર્જય એવી જરાથી ભક્ષિત સારવાળું છે અવશ્ય જરા અવસ્થાને પ્રાપ્ત કરનારું છે, સંસારીજીવોનું ગતલજ્જાવાળું તે પણ શરીર વિતથ મતિને કારણે કુથિત એવા મન્મથના વિકારવાળા મનનો કુત્સિત એવા કામના વિકારોવાળા મનનો ત્યાગ કરતું નથી. llll Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧. અનિત્યભાવના-ગીત | શ્લોક-૪-૫ ભાવાર્થ : સંસારીજીવોનો દેહ યૌવનકાળમાં પ્રાયઃ પુષ્ટપણાને પામેલો હોય છે. તેવો પણ દેહ અવશ્ય જરા અવસ્થાને પામનાર છે. તેથી વિચારક પુરુષ હંમેશાં વિચારે છે કે વર્તમાનમાં પુષ્ટ દેખાતું શરીર પણ શાશ્વત પુષ્ટ નથી, વૃદ્ધાવસ્થા આવશે ત્યારે શરીર જરાથી જર્જરિત થશે. તેથી દેહના વિકારોમાં ચિત્તને કાલુશ્ય કરવું ઉચિત નથી. આવું પ્રત્યક્ષથી દેખાવા છતાં જે જીવોએ ભોગોમાં જ રસનો અનુભવ કર્યો છે તેઓ વૃદ્ધ થાય છે ત્યારે પણ કામના વિકારો ત્યાગ કરી શકતા નથી. પરંતુ નિર્લજ્જ થઈને કામોને સેવનારા જ બને છે. તેથી આત્માને માટે લજ્જાસ્પદ એવી કુત્સિત ભોગની ક્રિયાને કરવા અભિમુખ થયેલું મન કુત્સિત એવા કામના વિકારોનો ત્યાગ કરતું નથી તેનું કારણ અત્યંત કુત્સિત એવી ભોગની પ્રવૃત્તિમાં પણ સુખની મતિ વર્તે છે. વસ્તુતઃ વિચારકને માટે આત્માની અવિકારી એવી સ્વસ્થ અવસ્થા જ સુખરૂપ છે. તેના પરમાર્થને જોવામાં અસમર્થ એવું મન જ વિકારોથી વ્યાકુળ થઈને યૌવનના ઉન્માદને વશ ભોગમાં પ્રવર્તે છે. આ પ્રકારે ભાવના કરીને મહાત્મા યૌવનની અસારતાનું ભાવન કરે છે. અને યૌવનકાળમાં વર્તતા કામના વિકારોની કુત્સિતતાનું ભાવન કરે છે. જેના બળથી અનિત્ય અને અસાર સુખથી વિમુખ થઈને નિત્ય અને પારમાર્થિક આત્માના સ્વસ્થતારૂપ સુખને અભિમુખ બને છે. અહીં મન શબ્દથી આત્માનો મતિજ્ઞાન ઉપયોગ ગ્રહણ થાય છે. અને તે મતિજ્ઞાનના ઉપયોગમાં પુદ્ગલાત્મક દ્રવ્યમન કારણ છે. તે દ્રવ્યમનથી થયેલું બોધાત્મક ભાવમન સ્વરૂપ જ આપણો આત્મા છે. અને અનાદિની મોહની વાસનાને કારણે પરમાર્થથી નિર્વિકારી પણ આપણો આત્મા વિકારી અવસ્થાને અનુભવે છે. તેથી યૌવનનો ઉન્માદ અને કામના વિકારો તેમાં પ્રગટ થાય છે. જેના નિવારણ માટે જ શાસ્ત્રના તત્ત્વનું ભાવન અતિ ઉપકારી છે અને તે ભાવન અર્થે જ મહાત્મા પ્રસ્તુત એવી અનિત્યભાવના કરે છે. જો શ્લોક - सुखमनुत्तरसुरावधि यदतिमेदुरं, कालतस्तदपि कलयति विरामम् । कतरदितरत्तदा वस्तु सांसारिकं, स्थिरतरं भवति चिन्तय निकामम् ।।मूढ० ५।। શ્લોકાર્ચ - અનુત્તરસુરની અવધિવાળું સુખ જે અતિભેદુર છે સર્વાર્થસિદ્ધમાં વર્તતા દેવોનું જે સુખ છે તે અતિભેદુર છે તે પણ કાળથી=આયુષ્ય જીર્ણના કાળથી વિરામને પ્રાપ્ત કરે છે ત્યારે ઈતર કઈ સાંસારિક વસ્તુ સ્થિરતર છે એ પ્રમાણે અત્યંત ચિંતવન કર. III ભાવાર્થ - સંસારનું સર્વ સુખ બાહ્ય પદાર્થોને આશ્રયીને છે અને બાહ્ય પદાર્થોને આશ્રયીને થતું સુખ અંતરંગ પુણ્યની અપેક્ષાથી પ્રાપ્ત થાય છે. જે મહાત્માઓએ પ્રકૃષ્ટ સંયમ પાળ્યું છે છતાં સરાગ અવસ્થાવાળા હતા. તેથી સરાગ સંયમને કારણે બંધાયેલા પુણ્યાનુબંધી પુણ્યના બળથી અનુત્તરવાસીદેવભવને પામે છે જે ભાવમાં Page #37 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ તેઓના કષાયો અતિ અલ્પ છે અને જે કંઈ ભોગલાલસાના પરિણામરૂપ કષાયોના પરિણામ છે તે પણ શ્રેષ્ઠ કોટિના પુણ્યને કારણે શ્રેષ્ઠ કોટિની ભોગસામગ્રીને પામેલા છે. તેથી પાંચેય ઇન્દ્રિયોના ઉત્કૃષ્ટ સુખને તે દેવો અનુભવે છે જે સુખ સંસાર અવસ્થામાં અત્યંત રમ્ય છે, તોપણ તે સુખ શાશ્વત નથી. તેથી આયુષ્યક્ષયથી તે સુખ પણ વિરામ પામે છે. તેથી જો આવું શ્રેષ્ઠ સુખ દીર્ઘ આયુષ્યવાળા દેવોને પણ વિરામ પામતું હોય તો સંસારનું અન્ય સુખ કેવી રીતે સ્થિર થઈ શકે અર્થાત્ મનુષ્યભવમાં પ્રાપ્ત થયેલું સંસારનું સુખ અત્યંત અસ્થિર અને ક્ષણસ્થાયી છે. પ્રાયઃ જીવિત કાળમાં જ નાશ પામે તેવું છે. કદાચ જીવન સુધી ટકે તોપણ આયુષ્યક્ષયથી અવશ્ય નાશ પામે તેવું છે. આ પ્રમાણે હે આત્માનું તું અત્યંત ચિંતવન ક઼૨. જેથી ચિત્ત અનિત્ય એવા સાંસારિક સુખથી વિમુખ બને અને અનંત એવા આત્માનું સુખ પ્રાપ્ત કરવાને અભિમુખ ચિત્ત બને અને તેવું ચિત્ત બને તો જ પોતાનો આત્મા વીતરાગભાવનાથી ભાવિત થવા માટે સદા સુદૃઢ યત્ન, કરી શકે. આત્માને વીતરાગભાવનાથી ભાવિત કરવા માટે જ સર્વ ધર્માનુષ્ઠાનો છે. તેથી વીતરાગભાવનાથી ભાવિત થાય તે રીતે ધર્મઅનુષ્ઠાન સેવવાનું બળ આધાન કરવા અર્થે મહાત્મા અનિત્ય-ભાવનાનું અત્યંત ચિંતવન કરે છે. Iપા ૨૦ શ્લોક ઃ यैः समं क्रीडिता ये च भृशमीडिता, यैः सहाकृष्महि प्रीतिवादम् । तान् जनान् वीक्ष्य बत भस्मभूयङ्गतान् निर्विशङ्काः स्म इति धिक् प्रमादम् । । मूढ०६ ।। શ્લોકાર્થ : જેઓની સાથે ક્રીડાઓ કરી અને જેઓ અત્યંત ભક્તિથી અને ઉત્તમ દ્રવ્યોથી સન્માન કરાયા. જેઓની સાથે અમે પ્રીતિવાદને કર્યું. ખેદની વાત છે કે તે જીવોને ભસ્મીભૂત થયેલા જોઈને (પણ) અમે શંકા વગરના છીએ=અમે મરવાના નથી એ પ્રકારની નિશ્ચિતતાવાળા છીએ, એ પ્રકારના પ્રમાદને ધિક્કાર થાઓ. 1191 ભાવાર્થ: મહાત્મા પોતાના પ્રમાદભાવને દૂર કરીને આત્માના હિતના ઉદ્યમમાં અંતરંગ અપ્રમાદભાવને ઉલ્લસિત ક૨વા માટે વિચારે છે કે જેઓની સાથે પોતે ક્રીડાઓ કરી તેઓ પણ મૃત્યુ પામી ગયા. જેઓ પોતાના માટે ભક્તિપાત્ર હતા એવા માતા-પિતાદિની પોતે અત્યારસુધી ભક્તિ કરતો હતો તેઓ પણ આયુષ્ય પૂર્ણ થવાથી પોતાના દેખતાં જ મૃત્યુ પામી ગયા. વળી, જેઓની સાથે પોતે અત્યારસુધી પ્રીતિપૂર્વક વાતો કરતો હતો તેઓ પણ મૃત્યુ પામી ગયા. આ સર્વ પોતે પ્રત્યક્ષથી જુએ છે અને બુદ્ધિથી વિચારે તો તે સર્વની જેમ પોતે પણ એક દિવસ ભસ્મીભૂત થવાનો છે અર્થાત્ મૃત્યુ પામવાનો છે. આમ છતાં જાણે પોતે આ દેહમાં શાશ્વત રહેનારો ન હોય તેમ દેહની સારસંભાળ અને દેહના ઇન્દ્રિયજન્ય આનંદમાં રહેવા જ યત્ન કરે છે Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૧. અનિત્યભાવના-ગીત | શ્લોક-૬-૭ પરંતુ આત્માના પરમ સ્વાસ્થ્યના કારણભૂત સમભાવને કેળવવા માટે કે વીતરાગતાને પ્રગટ કરવા માટે અપ્રમાદભાવથી ઉદ્યમ કરતો નથી. આ પ્રકારના પોતાના પ્રમાદને જોઈને મહાત્મા કહે છે કે આ પ્રમાદને ધિક્કાર થાઓ. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા આગામીના અનંત મૃત્યુથી પોતાનું રક્ષણ કરવા અર્થે અને શાશ્વત અમર અવસ્થાની પ્રાપ્તિ અર્થે આત્માને જાગ્રત કરે છે અને વિચારે માત્ર બાહ્ય કૃત્યથી ધર્મ નિષ્પન્ન થતો નથી પરંતુ જગતના પદાર્થો સાથેના અસંગભાવને ઉલ્લસિત કરે તે પ્રકારના ઉચિત કૃત્યોથી આત્મામાં ધર્મ નિષ્પન્ન થાય છે. સંસારના વાસ્તવિક સ્વરૂપનું પુનઃ પુનઃ અવલોકન કરીને આત્માના પારમાર્થિક સ્વરૂપનું પુનઃ પુનઃ ભાવન કરીને તેની પ્રાપ્તિ માટે યત્ન કરવાથી પારમાર્થિક ધર્મ પ્રગટ થાય છે માટે અપ્રમાદભાવથી હું તે પ્રકારે યત્ન કરું. IIglI શ્લોક ઃ असकृदुन्मिष्य निमिषन्ति सिन्धूर्मिवच्चेतनाचेतनाः सर्वभावाः । इन्द्रजालोपमाः स्वजनधनसङ्गमास्तेषु रज्यन्ति मूढस्वभावाः । । मूढ० ७ ।। શ્લોકાર્થ ઃ ચેતન અચેતન એવા સર્વ ભાવો દરિયાની ઊર્મિની જેમ વારંવાર પ્રગટ થઈને શાંત થાય છે. (તેવી) ઈન્દ્રજાળની ઉપમા જેવા સ્વજન, ધનના સંગમો છે. તેઓમાં મૂઢ સ્વભાવવાળા જીવો રાગ કરે છે. IleII ભાવાર્થ: દરિયામાં ઊર્મિઓ થાય છે ત્યારે ક્ષણભર પાણી ઊભરાતું દેખાય છે અને તેની તે ઊર્મિ શાંત થાય છે, વળી બીજી ઊર્મિ થાય છે અને તે ઊર્મિ પણ શાંત થાય છે; તેમ સંસારમાં દેખાતા ચેતન જીવો જન્મે છે અને મૃત્યુ પામે છે. વળી અચેતનના ભાવો પણ કોઈક સ્વરૂપે પ્રગટ થાય છે અને વિનાશ પામે છે. આ રીતે સર્વ પદાર્થો વારંવાર ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે તેથી જગતના કોઈ ભાવો સ્થિર નથી. આત્માનો શુદ્ધ સ્વભાવ આત્મામાં સદા સ્થિર છે, જ્યારે બહા૨માં દેખાતા સર્વ ભાવો સદા અસ્થિર હોવાથી ઇન્દ્રજાળની ઉપમા જેવા છે. તેથી સ્વજન, ધનનો સંગમ પણ દરેક ભવમાં નવો નવો થાય છે અને ચાલ્યો જાય છે. તેથી ઇન્દ્રજાળની ઉપમા જેવો છે. આ રીતે જગતના ભાવો અત્યંત અસ્થિર છે છતાં મૂઢ સ્વભાવવાળા જીવો તે અસ્થિર ભાવોનો વિચાર કર્યા વગર તત્કાળ દેખાતા સ્વજનના સંગ, ધનના સંગ આદિમાં ૨ાગ કરે છે. પરમાર્થથી તો આત્માના નિત્ય ગુણો જ આત્મા સાથે સદા રહેનારા છે, તેને છોડીને વિવેકી પુરુષ અસાર એવા ભાવોમાં ક્યારેય રાગ કરે નહીં. આમ છતાં અનાદિથી સેવાયેલી મૂઢતાને કા૨ણે મહાત્માઓને પણ નિમિત્ત પામીને અસાર એવા તે ભાવો સ્પર્શે છે. તેથી ઇન્દ્રજાળ તુલ્ય આ ભાવો છે, તેમ વારંવાર ભાવન કરીને પોતાનામાં વર્તતા મૂઢ સ્વભાવના અંશોને દૂર કરવા યત્ન કરવો જોઈએ. II૭II Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૩ શાંતસુધારસ શ્લોક - कवलयन्नविरतं जङ्गमाजङ्गम, जगदहो नैव तृप्यति कृतान्तः । मुखगतान् खादतस्तस्य करतलगतैर्न कथमुपलप्स्यतेऽस्माभिरन्तः ।।मूढ० ८।। શ્લોકાર્ચ : જંગમ એવા બેઈન્દ્રિયાદિ જીવો અને અજંગમ એવા પૃથ્વી આદિ સ્થાવર જીવો રૂપ જગતને સતત કોળિયો કરતો કૃતાંત યમરાજ, ખેદની વાત છે કે ક્યારેય તૃતિ પામતો નથી. મુખગત એવા તે જીવોને ખાતા અને તેના કૃતાંતના, કરતલગત એવા અમારા વડે કેમ અંત નહીં પ્રાપ્ત કરાય ? અર્થાત્ અવશ્ય અંત પ્રાપ્ત કરાશે. IIkII ભાવાર્થ : મહાત્મા પોતાના જીવનની અસ્થિરતા કે ભાવના અર્થે વિચારે છે કે ખેદની વાત છે કે યમરાજ જગતના સ, સ્થાવર જીવોનો સતત કોળિયો કરે છે અર્થાત્ જેઓનું આયુષ્ય પૂર્ણ થવા આવ્યું છે તેવા જીવોને તે સતત ખાઈ રહ્યો છે. તેથી તે સર્વ જીવો મૃત્યુના મુખમાં જ પડેલા છે. પરંતુ પોતે અત્યારે સ્વસ્થતાથી ફરે છે. તેથી જણાય છે કે પોતે મૃત્યુના મુખમાં નથી, તોપણ મૃત્યુના હાથમાં આપણે અવશ્ય રહેલા છીએ તેથી જ્યારે આપણો ક્રમ આવશે ત્યારે આપણે પણ અવશ્ય મૃત્યુના મુખમાં જવાના; કેમ કે સંસારમાં જન્મનારા જીવો અવશ્ય મૃત્યુને પામે છે. કોઈ શાશ્વતકાળ માટે સ્થિર રહી શકતા નથી. માટે મૃત્યુની પ્રાપ્તિ થાય તે પૂર્વે જ મારે અત્યંત જાગ્રત થઈને આત્મહિત સાધવું જોઈએ. પરંતુ મૂઢની જેમ નિર્વિચારક થઈને પ્રાપ્ત થયેલા મનુષ્યભવને નિષ્ફળ કરવો જોઈએ નહીં. અન્યથા વર્તમાનના મૃત્યુની જેમ ભૂતકાળનાં અનંતાં મૃત્યુ પોતે પ્રાપ્ત કર્યા છે અને ફરી ફરી અનંતાં મૃત્યુ પ્રાપ્ત થશે. અને આત્માને જિનવચનાનુસાર તત્ત્વથી ભાવિત કરીને ફરી જન્મની પ્રાપ્તિ ન થાય તે જ તે સર્વ વિડંબનાથી મુક્ત થવાનો એક ઉપાય છે. તેથી અજન્માવસ્થા માટે મારે સદા ઉદ્યમ કરવો જોઈએ. ll૮ શ્લોક - नित्यमेकं चिदानन्दमयमात्मनो, रूपमभिरूप्य सुखमनुभवेयम् । प्रशमरसनवसुधापानविनयोत्सवो, भवतु सततं सतामिह भवेऽयम् ।।मूढ० ९।। શ્લોકાર્ચ - નિત્ય એક ચિદાનંદમય આત્માના રૂપને જાણીને અમે સુખનો અનુભવ કરીએ અર્થાત્ તેવા સ્વરૂપ સાથે તન્મય થવા દ્વારા સુખનો અનુભવ કરીએ. વળી, આ ભવમાં સંત પુરુષોને આ પ્રશમરસના નવા સુધાપાનના વિનયનનો વિશેષ પ્રકારના સેવનનો ઉત્સવ સતત પ્રાપ્ત થાઓ. IIII Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧. અનિત્યભાવના-ગીત | શ્લોક-૯ ભાવાર્થ : અત્યારસુધી અનિત્યભાવના ભાવન કરી. હવે મહાત્મા તેના ફળ સ્વરૂપે પોતાને શું પ્રાપ્ત કરવું છે તેનું સ્વરૂપ વિચારે છે. સંસારના સર્વભાવો અનિત્ય હોવા છતાં આત્માનું ચિઆનંદમય એવું નિત્ય સ્વરૂપ છે=પુલના આનંદમય નહીં પરંતુ મોહની આકુળતા વગરના જ્ઞાનના આનંદમય આત્માનું સ્વરૂપ છે, તે સ્વરૂપનો વિચાર કરીને સતત તે સ્વરૂપથી આત્માને ભાવિત કરીને અમે સુખનો અનુભવ કરીએ તેના કારણે અનિત્ય ભાવોમાં થતા સંશ્લેષને કારણે મોહની આકુળતાનો અનુભવ અમને થાય નહીં અને મોહની આકુળતાજન્ય કર્મબંધની અને તેના કારણે ચારગતિઓનાં પરિભ્રમણની વિડંબના પ્રાપ્ત થાય નહીં. વળી, મહાત્મા ભાવન કરે છે કે આ ભવમાં સંત પુરુષો અનિત્ય-ભાવનાના સ્વરૂપનું ચિંતવન કરીને આત્માને તે રીતે ભાવિત કરે કે જેથી તેઓને પ્રશમરસના નવા સુધાપાનના વિશેષ પ્રકારે સેવનનો ઉત્સવ સતત થાય. આશય એ છે કે પ્રશમસુખના પરાકાષ્ઠાની પ્રાપ્તિ ક્ષાયિક એવા વીતરાગ ભાવમાં છે અને જેઓએ ક્ષાયિક એવો વીતરાગ ભાવ પ્રાપ્ત કર્યો નથી તેઓ પણ વીતરાગના વચનથી આત્માને ભાવિત કરીને કંઈક કંઈક પ્રશમસુખનો અનુભવ કરે છે. તેઓ પણ નવા નવા પ્રશમરસના અમૃતપાનના અભિલાષવાળા થાય જેથી સતત સંસારના વાસ્તવિક સ્વરૂપનું ભાવન કરીને તેના વિકારોનું શમન કરે અને આત્માના પારમાર્થિક સ્વરૂપનું સ્મરણ કરીને તેના ભાવનથી ઉત્તર ઉત્તરના પ્રશમસુખને પ્રાપ્ત કરે, જેથી અનિત્ય ભાવનાના ફળ સ્વરૂપે તેઓ પણ નિત્ય એવા પારમાર્થિક સુખમાં લીન બને. આમ કરતાં શુદ્ધ આત્માના સુખના બળથી સુખપૂર્વક સંસારસાગરને તરી શકે. llલા II પહેલો પ્રકાશ પૂર્ણ II Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શાંતસુધારસ છે ( ૨. અશરણભાવના શ્લોક : ये षटखण्डमहीमहीनतरसा, निर्जित्य बभ्राजिरे, ये च स्वर्गभुजो भुजोऽर्जितमदा, मेदुर्मुदा मेदुराः । तेऽपि क्रूरकृतान्तवक्त्ररदनैर्निर्दल्यमाना हठादत्राणाः शरणाय हा दशदिशः, प्रेक्षन्त दीनाननाः ।।१।। શ્લોકાર્ધ : જેઓ અહીનતરસથી અત્યંત મોટા થવાની તૃષાથી, પખંડની પૃથ્વીને જીતીને શોભી રહ્યા છે અને જેઓ ભુજાથી અજિત મરવાળા, મેદુર સ્વર્ગને ભોગવનારા આનંદપ્રમોદમાં રહેનારા સ્વર્ગના સુખોને ભોગવનારા, મુદા મેદુ આનંદથી શોભી રહ્યા છે, તે પણ હઠથી ક્રૂરકૃતાંતના મુખના દાંતો વડે નિર્દેશન કરાતા, અત્રાણ, દીન મુખવાળા શરણ માટે દશે દિશાને જુવે છે. IIII ભાવાર્થ : જેઓ ભૂતકાળના પુણ્યના ઉદયથી મહાશક્તિસંપન્ન થયા છે અને જગતમાં મહાસમ્રાટ થવાની અત્યંત તૃષાવાળા છે, તેના કારણે પખંડની પૃથ્વીને જીતીને પોતે જગતમાં અત્યંત સમર્થ છે, તે રીતે શોભી રહ્યા છે. વળી, જેઓએ પોતાના પરાક્રમના મદથી સ્વર્ગના ભોગોને પ્રાપ્ત કર્યા છે=ભૂતકાળમાં તે પ્રકારનાં તપ, ત્યાગાદિ અનુષ્ઠાન કરીને સ્વર્ગના ભોગોને પામ્યા છે અને સતત આનંદપ્રમોદ કરતા જગતમાં શોભી રહ્યા છે તેઓ પણ જ્યારે મૃત્યુના મુખમાં આવે છે ત્યારે કોઈ પ્રયત્નથી રક્ષણ પામી શકતા નથી, તેથી અત્રાણ બને છે અને મૃત્યુના ભયથી ભયભીત થઈને દીનમુખવાળા દશ દિશાઓમાં જોનારા બને છે. આ પ્રકારે સંસારીજીવોની અશરણતા વિચારીને મહાત્મા વિચારે છે કે બાહ્ય સંપત્તિથી કોઈ રક્ષણ પામી શકતું નથી. મૂઢતાને કારણે જ જીવો પોતાના ભુજાબળથી પ્રાપ્ત થયેલા બાહ્ય વૈભવના બળથી પોતે સુરક્ષિત છે તેમ માનીને નિશ્ચિત થઈ જીવે છે. વસ્તુતઃ મૃત્યુના મુખ આગળ પડેલા એવા તેઓને કોઈ શરણ નથી. ફક્ત ભગવાનનું શ્રુતજ્ઞાન જ શરણ છે. માટે સંસારના વાસ્તવિક સ્વરૂપને જોઈને પોતાની અશરણતાનો યથાર્થ વિચાર કરીને વિવેકસંપન્ન જીવે જગતમાં શરણ લેવા યોગ્ય એવા ભગવાનના ધર્મનું સદા શરણ લેવું જોઈએ. જેઓનું ચિત્ત ભગવાનના ધર્મથી સદા વાસિત છે. તેઓ મૃત્યુ વખતે પણ દીન બનતા નથી પરંતુ સંસારના વાસ્તવિક સ્વરૂપનું અત્યંત ભાવન કરીને મહાપરાક્રમવાળા એવા તેઓ પોતાના શત્રુભૂત એવા મોહની સામે સુભટની જેમ લડે છે. તેવા પરાક્રમશીલ મહાત્માઓ જિનવચનના ભાવનથી ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈને મરણ સમયે કેવલજ્ઞાનને પણ પ્રાપ્ત કરે છે. કદાચ તેવા પરિણામનો ઉત્કર્ષ ન થાય તોપણ ઉત્તમ દેવભવ પામીને અલ્પભવોમાં સંસારસાગરથી તરે છે. આથી જ અશરણભાવનાથી ભાવિત થયેલા Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ૨. અશરણભાવના | બ્લોક-૧-૨ એવા મહાત્માઓ કે શ્રાવકો જિનવચનથી આત્માને સદા ભાવિત રાખે છે અને મૃત્યુ સમયે આત્માને જિનવચનથી અત્યંત ભાવિત કરે છે. જેથી વર્તમાનના ભવમાં સેવાયેલા પ્રમાદનું વારંવાર સ્મરણ કરીને તેની નિંદા કરે છે અને સર્વ પાપસ્થાનકોને સૂક્ષ્મ આલોચનપૂર્વક તે તે પાપસ્થાનક પ્રત્યે તે તે પ્રકારે તીવ્ર જુગુપ્સા કરે છે. આ રીતે સર્વ પાપોથી પર સમભાવના પરિણામને અભિમુખ પોતાનું ચિત્ત યત્નવાળું કરે છે જેથી સુખ-દુઃખ, શત્રુ-મિત્ર, જીવન-મૃત્યુ આદિ સર્વ ભાવો પ્રત્યે સમભાવવાળા હોવાથી મૃત્યુકાળમાં પણ દીન મુખવાળા થતા નથી. પરંતુ પોતાના શત્રુભૂત મોહના નાશ માટે જ ઉદ્યમશીલ રહે છે જે અશરણભાવનાનું શ્રેષ્ઠ ફળ છે. શ્લોક - तावदेव मदविभ्रममाली, तावदेव गुणगौरवशाली । यावदक्षमकृतान्तकटाक्षर्नेक्षितो विशरणो नरकीटः ।।२।। શ્લોકાર્થ : વિશરણ એવો નરરૂપી કીડો=ભગવાનના વચનનું શરણ જેણે સ્વીકાર્યું નથી એવો નરરૂપી કીડો, ત્યાંસુધી જ મદના વિભ્રમથી શોભે છે હું શક્તિશાળી છું, હું ધનાઢ્ય છું ઈત્યાદિ વિભ્રમથી શોભી રહ્યો છે, ત્યાં સુધી જ ગુણગૌરવશાળી છે પોતાનામાં ચાતુર્ય છે, કલા છે, રૂપ છે ઈત્યાદિ ગુણોના ગૌરવથી વર્તતો હોય છે. જ્યાં સુધી અક્ષમ એવા કૃતાંતના કટાક્ષો વડે=કોઈનો મદ અને કોઈનાં સુખો સહન ન કરે એવા ચમરાજના કટાક્ષોથી તે નરકીડો જોવાયો નથી અર્થાત્ જે દિવસે યમરાજ તેને કોળિયો કરવા માટે તત્પર થશે ત્યારે તે અશરણ એવો નરકીટ દીન થશે. સા. ભાવાર્થ : સંસારીજીવો પ્રાયઃ કરીને પોતાને પ્રાપ્ત સંયોગાનુસાર ધનાદિક અર્જન કરીને પોતાના તે પ્રકારના વૈભવ આદિને કારણે મદને ધારણ કરનારા હોય છે. વળી, પોતાનાં બુદ્ધિ, ચાતુર્ય આદિ દેખાતાં હોય તેનાથી પોતે જગતમાં શોભી રહ્યા છે, તેમ માનતા હોય છે. પરંતુ સંસારની અવસ્થા તદ્દન કર્મને પરતંત્ર ચાલે છે તેથી પોતે પણ કર્મને પરતંત્ર છે અને તેથી અશરણરૂપે જ નાશ પામશે તેનો વિચાર કરતા નથી. આથી પ્રાપ્ત થયેલા મનુષ્યભવને જિનવચનથી ભાવિત થઈને જિનવચનના શરણે રહેવા માટે સમર્થ બનાવતા નથી. તેવા જીવો ત્યાંસુધી જ જગતમાં મદ આદિ કરે છે, જ્યાં સુધી જગતના જીવોને આ રીતે મહાલતા જોવા માટે અસહિષ્ણુ એવા યમરાજના કટાક્ષથી જોવાયા નથી. જ્યારે જ્યારે તે જીવ યમરાજના મુખમાં પડે છે ત્યારે દીન થઈને અસાર એવા ભવોને પ્રાપ્ત કરીને ચાર ગતિઓના ચોગાનમાં અનેક પ્રકારની વિડંબનાઓ પામે છે. આ પ્રકારે સંસારના સ્વરૂપનું અવલોકન કરીને મહાત્માઓ સદા અરિહંત, સિદ્ધ , સુસાધુઓ, સર્વજ્ઞપ્રણીત ધર્મ જ જગતમાં શરણ છે તેમ માની અરિહંતાદિ ચારના સ્વરૂપથી આત્માને Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શાંતસુધારસ ભાવિત કરવા યત્ન કરે છે. જેનાથી ક્યારેય દીનતાને પામતા નથી અને મૃત્યુકાળે પણ અદીનભાવથી સમભાવમાં રહી શકે છે. શા શ્લોક : प्रतापापन्नं गलितमथ तेजोभिरुदितैर्गतं धैर्योद्योगैः श्लथितमथ पुष्टेन वपुषा । प्रवृत्तं तद्र्व्यग्रहणविषये बान्धवजनै जने कीनाशेन प्रसभमुपनीते निजवशम् ।।३।। શ્લોકાર્ચ - કીનાશથી મૃત્યુથી, પોતાના અત્યંત વશને પ્રાપ્ત કરાયેલો જન હોતે છતે, પ્રતાપોથી વ્યાપન્ન થાય છે તે પુરુષ પ્રતાપોથી રહિત થાય છે, ઉદિત એવા તેજોથી ગલિત થાય છે, ઘેર્યના ઉધોગોથી રહિત થાય છે, પુષ્ટ શરીરથી શિથિલ થાય છે અને તેના દ્રવ્યગ્રહણ વિષયમાં બાંધવજનો વડે પ્રવૃત્ત થવાય છે. Imall ભાવાર્થ : મૃત્યુ જ્યારે જીવને પોતાને વશ કરે છે ત્યારે મૃત્યકાળમાં તે પુરુષ પોતાના પ્રતાપશક્તિથી ક્ષીણ થાય છે; કેમ કે જેઓ માત્ર પુદ્ગલના બળથી પોતે પ્રતાપવાળા થયા છે તેવા તુચ્છ પ્રકૃતિવાળા જીવો મૃત્યકાળમાં પોતાનો પ્રતાપ બતાવવા અસમર્થ હોવાથી દીન બને છે. ફક્ત જેઓએ ભગવાનનું શરણ સ્વીકાર્યું છે અને મોહની સામે સુભટની જેમ યુદ્ધ કરીને સતત સમભાવના પરિણામને સેવ્યો છે તેવા ધીરપુરુષો જ મૃત્યકાળમાં અધિક પ્રતાપવાળા બને છે. આથી જ જેઓ ધર્મપરાયણ માનસવાળા છે તેઓ મૃત્યકાળમાં મહાબલિષ્ઠ થઈને મોહની સામે પોતાનું વીર્ય ફોરવે છે. જેથી મૃત્યુ પણ તેમને દાન કરવા માટે સમર્થ બનતું નથી. વળી, સામાન્ય સંસારીજીવો મૃત્યુને પરવશ થાય છે ત્યારે તેઓનું ઉદિત તેજ તે વખતે ગલિત થાય છે; કેમ કે પૌલિક શક્તિના બળથી જ તેઓ ઉદિત તેજવાળા હતા. શરીર, બળ, બુદ્ધિ, ચાતુર્યાદિને કારણે સદા માનતા હતા કે જગતમાં પ્રયત્નથી કંઈ અસાધ્ય નથી અને તેથી મહાપરાક્રમાદિ કરીને ધનસંચયાદિ કરતા હોય છે. પરંતુ મૃત્યકાળમાં તેઓનું તે પ્રકારનું સર્વ તેજ ગળી જાય છે. જ્યારે મહાત્માઓ સંસારમાં પોતાની અશરણ સ્થિતિનું ભાવન કરીને જિનવચનને શરણાગત છે અને તેથી જિનવચનથી આત્માને સદા ભાવિત કરે છે. તેઓ મૃત્યકાળમાં વિશેષથી ઉદિત તેજવાળા બને છે; કેમ કે સંસારના વાસ્તવિક સ્વરૂપના જાણનારા તેઓ વિચારે છે કે મૃત્યકાળમાં કરાયેલો અપ્રમાદ સમભાવની વૃદ્ધિ દ્વારા અવશ્ય ઉત્તરના ઉત્તમ જન્મની પ્રાપ્તિ કરાવે છે. માટે લેશ પણ દીનતાને ધારણ કર્યા વગર મહાસુભટની જેમ મોહનો નાશ કરવા માટે અંતરંગ પ્રયત્ન કરે છે. તેથી મૃત્યકાળમાં વિશેષથી ઉદિત Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨. અશરણભાવના-ગીત | શ્લોક-૧ ૨૭ તેજવાળા બને છે. વળી મૃત્યુ વડે સંસારીજીવો અત્યંત નિજવશ કરાય છે ત્યારે વૈર્યયોગથી રહિત બને છે; કેમ કે સંસારીજીવોનું માનસ મૃત્યુના ભયથી સદા વ્યાકુળ હોય છે. તેથી કોઈ પ્રકારના ઉત્સાહથી કોઈ કૃત્ય કરી શકતા નથી. પરંતુ વિહ્વળ જ થાય છે. જ્યારે યોગીઓ જિનવચનનું શરણ સ્વીકારીને હંમેશાં જિનવચનથી આત્માને ભાવિત કરે છે. તેથી જીવન-મૃત્યુ પ્રત્યે સમભાવના પરિણામવાળા હોય છે અને તેના કારણે હંમેશાં વૈર્યનું અવલંબન લઈને મોહનો નાશ કરવામાં ઉદ્યમ કરનારા હોય છે. મૃત્યુકાળની ઉપસ્થિતિ થાય છે ત્યારે વિશેષ પ્રકારના વૈર્યનું અવલંબન લઈને આત્માને જિનવચનથી તે રીતે ભાવિત કરે છે કે તેઓ માટે મૃત્યુ પણ વિશેષ કલ્યાણનું કારણ બને છે. વળી, સંસારીજીવો મૃત્યુને વશ થાય છે ત્યારે પૂર્વના પુષ્ટ શરીરથી શિથિલ થઈ જાય છે. તેથી કોઈ પ્રવૃત્તિ કરવા માટે સમર્થ રહેતા નથી. પરંતુ જિનવચનનું શરણ લેનારા મહાત્માઓ દેહથી શિથિલ થાય ત્યારે પણ અંતરંગ પરાક્રમથી પૂર્વ કરતાં પણ અધિક બલવાન થાય છે. તેથી શ્રુતનું દઢ અવલંબન લઈને શરીરની વિષમ સ્થિતિ કાળમાં પણ સતત શ્રતના બળથી આત્માને વાસિત કરવા યત્ન કરે છે. જેથી તેમનો આત્મા મોહની સામે સુભટની જેમ લડવા માટે અત્યંત સામર્થ્યવાળો બને છે, પરંતુ શિથિલતાને પ્રાપ્ત કરતો નથી. વળી, સંસારી જીવ જ્યારે મૃત્યુને વશ થાય છે ત્યારે તેના બંધુજનો તેના દ્રવ્યના ગ્રહણના વિષયમાં બહુલતાએ પ્રવૃત્ત થતા દેખાય છે. પરંતુ જે મહાત્માઓ ભગવાનના વચનથી ભાવિત છે તેઓને બંધુજનોની તે પ્રવૃત્તિ જોઈને પણ ચિત્તમાં ક્લેશ થતો નથી. પરંતુ જેઓએ ભગવાનના વચનથી આત્માને ભાવિત કર્યો નથી તેઓ બંધુજનોની તે પ્રકારની પ્રવૃત્તિ જોઈને પણ મૃત્યુકાળમાં અધિક વ્યાકુળ થાય છે. આ પ્રકારે સંસારીજીવોની મૃત્યુ વખતની અશરણતાનું ભાવન કરીને મહાત્માઓ સદા શરણભૂત એવા જિનધર્મનો આશ્રય કરવા યત્ન કરે છે. જેથી જીવન-મૃત્યુ આદિ સર્વ ભાવો પ્રત્યે સમભાવના પરિણામને ધારણ કરતું ઉત્તમ ચિત્ત ક્લેશને પામ્યા વગર ઉત્તરના ઉત્તમ જન્મને પ્રાપ્ત કરે છે. III ૨. અશરણભાવના-ગીત) શ્લોક : स्वजनजनो बहुधा हितकामं, प्रीतिरसैरभिरामम् । मरणदशावशमुपगतवन्तं, रक्षति कोऽपि न सन्तम् ।। विनय ! विधीयतां रे, श्रीजिनधर्मः शरणम् । अनुसन्धीयतां रे, शुचितरचरणस्मरणम् ।।विनय० १।। શ્લોકાર્ચ - સ્વજનજન સ્વજનનો સમુદાય, બહુધા હિતની કામવાળો હોય છે-તે જીવના હિતની કામનાવાળો Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શાંતસુધારસ હોય છે, પ્રીતિરસથી અભિરામ હોય છે તે જીવ પ્રત્યે પ્રીતિના અતિશયથી લાગણીવાળો હોય છે, છતાં મરણદશાને વશ પામેલા એવા તે જીવનું કોઈપણ રક્ષણ કરતું નથી. માટે હેવિનય =કર્મના વિનયના અર્થી એવા હે જીવ!, તું જિનધર્મનું શરણ સ્વીકાર અને શુચિતર એવા ચારિત્રના સ્મરણનું અનુસંધાન કર. |૧| ભાવાર્થ: મહાત્મા પોતાની અશરણ અવસ્થાને ભાવન કરવા માટે વિચારે છે કે સંસારમાં પુણ્યશાળી જીવોના સ્વજનનો સમુદાય બહુધા તેના હિતની કામનાવાળો હોય છે. તેથી તે પુણ્યશાળી જીવને સર્વ પ્રકારે અનુકૂળતા કરવા માટે સદા ઉદ્યમ કરે છે. વળી તે સ્વજનવર્ગ પ્રીતિના રસથી તે જીવને આલાદ કરે તેવો હોય છે તેથી તે જીવને પણ તે સ્વજનો પ્રત્યે આત્મીયતા બુદ્ધિ વર્તે છે. પરંતુ સંસારના વાસ્તવિક સ્વરૂપનું પર્યાલોચન કરનારા મહાત્માઓ વિચારે છે કે જીવ જ્યારે મરણદશાને વશ પ્રાપ્ત થાય છે ત્યારે આવો સ્વજનવર્ગ પણ મૃત્યુથી તેનું રક્ષણ કરી શકતો નથી. માટે સ્વજનની હૂંફથી જીવવું તે મૂઢતા જ છે, તો કઈ રીતે પોતે સુરક્ષિત બને. તેથી કહે છે કે કર્મના વિનયના અર્થી જીવ ! તું જિનધર્મનું શરણ સ્વીકાર અને તેનાથી સુરક્ષિત બન; કેમ કે કર્મને પરવશ જ સંસારીજીવો સર્વ વિડંબના પ્રાપ્ત કરે છે, અને જેઓ કર્મથી મુક્ત થયા છે તેઓને આ પ્રકારે અશરણતા ક્યારેય પ્રાપ્ત થતી નથી. જીવ જ્યારે કર્મવશ હોય છે ત્યારે અશરણરૂપે જ મૃત્યુ પામવું પડે છે. તે વખતે જીવ માટે ભગવાનનો ધર્મ જ શરણ છે અને ભગવાનનો ધર્મ તેને જિનતુલ્ય થવા માટે સતત પ્રેરણા કરે છે. તેથી મહાત્મા જિનતુલ્ય થવાના ઉપાયભૂત જિનવચનથી આત્માને ભાવિત કરીને જિનધર્મનું શરણ લેવા યત્ન કરે છે અને વળી, વિચારે છે કે જીવ માટે અતિ પવિત્રતર એવો દશ પ્રકારનો યતિધર્મ છે તેનું તું સ્મરણ કર જેથી તેનાથી ભાવિત થયેલું ચિત્ત સદા સંસાર અવસ્થામાં પણ જીવને સુરક્ષિત રાખે. ITI શ્લોક - तुरगरथेभनरावृतिकलितं, दधतं बलमस्खलितम् । हरति यमो नरपतिमपि दीनं, मैनिक इव लघुमीनम् ।।विनय० २।। શ્લોકાર્થ : ઘોડા, રથ, હાથીઓ, મનુષ્યોની આવૃતિથી સમૂહથી કલિત અખલિત બળને ધારણ કરતા એવા નરપતિને પણ યમ હરણ કરે છે. જેમ મોટું માછલું નાના માછલાને ગળી જાય. માટે હે વિનય! તું જિનધર્મનું સ્મરણ કર. Ill ભાવાર્થ કોઈ મોટો રાજવી હોય અને મોટી સેનાને અસ્મલિત ધારણ કરતો અને તેના બળથી તે વિચારે કે હું વિશાળ સૈન્યના બળથી સુરક્ષિત છું તેવા પણ રાજાને યમરાજા જ્યારે હરણ કરે છે ત્યારે તે દીનની જેમ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨. અશરણભાવના-ગીત | શ્લોક-૨-૩ ૨૯ મૃત્યુને પામે છે. જેમ મોટું માછલું નાના માછલાને ગળી જાય છે તેમ સૈન્યથી સુરક્ષિત એવા પણ રાજાને તેનાથી બળવાન એવો યમરાજા ગળી જાય છે તેથી સંસારમાં કોઈ સુરક્ષિત નથી. માટે હે કર્મના વિનયના અર્થી એવા આત્મા, આત્માને કર્મથી સુરક્ષિત બનાવે એવા જિનધર્મનું તું શરણ સ્વીકાર અને ભગવાનના ધર્મથી તે રીતે આત્માને સતત વાસિત ક૨, જેથી મૃત્યુ પણ તારા માટે દીનતાનું કારણ ન બનતાં ઉત્સવરૂપ જ બને. IIII શ્લોક ઃ प्रविशति वज्रमये यदि सदने, तृणमथ घटयति वदने । तदपि न मुञ्चति हतसमवर्ती, निर्दय पौरुषनर्ती । । विनय० ३ || શ્લોકાર્થ : મૃત્યુથી રક્ષણ કરવા માટે કોઈ વજમય ગૃહમાં પ્રવેશ કરે અથવા દીનતાને કારણે મૃત્યુથી રક્ષણ કરવા માટે મુખમાં તૃણને ગ્રહણ કરે તોપણ હતસમવર્તી=બધા જીવોને હણવા માટે સમાન પરિણામવાળો, નિર્દય એવો પૌરુષનીં=યમરાજ, કોઈને મૂકતો નથી. II3II ભાવાર્થ = શત્રુથી પોતાનું રક્ષણ કરવા કોઈ જીવ વજ્રમય ગૃહ કરે અને તેમાં પ્રવેશ કરે જેથી તેને મારવા માટે તત્પર થયેલ શત્રુ પણ તેને મારી શકે નહીં. વળી, કોઈ રાજા યુદ્ધભૂમિમાં બલવાન રાજાથી પરાજય પામે ત્યારે તે બલવાન રાજા પોતાને મારે નહીં માટે દીનતા ધારણ કરીને પોતાના મુખમાં તૃણને ધારણ કરે છે. અને તે પ્રકારની દીનતાને જોઈને રાજનીતિ અનુસાર બલવાન રાજા પણ તેને છોડી દે છે. પરંતુ બધાને હણવા માટે સમાન રીતે તત્પર થયેલ અને સંસારીજીવોને મારવા માટે પ્રવૃત્ત થયેલ એવો નિર્દય યમરાજ કોઈને મૂકતો નથી=વજમય ઘ૨માં ૨હેલા જીવને પણ મારી નાખે છે. અને મુખમાં તણખલાને ધારણ ક૨ના૨ને પણ મારી નાખે છે. તેથી મૃત્યુથી કોઈ પોતાનું રક્ષણ કરી શકતું નથી. આવી અશરણ અવસ્થાવાળા સંસારીજીવોને પણ ભગવાનનું વચન શરણ બને છે. જેઓ ભગવાનના વચનથી પોતાના આત્માને ભાવિત કરે છે તેઓને આત્માનો વીતરાગભાવ જ સાર જણાય છે અને તેથી ભગવાનના વચનનું દૃઢ અવલંબન લઈને વીતરાગતાના કારણીભૂત સમભાવમાં જ યત્ન કરે છે. આવા મહાત્માઓ મૃત્યુકાળમાં જીવન-મૃત્યુ પ્રત્યે સમાન પરિણામવાળા અને સમભાવમાં બદ્ધરાગવાળા હોય છે તેથી તે મહાત્માને યમરાજ મૃત્યુ આપે છે તે પણ તેમના માટે ઉત્સવરૂપ જ બને છે; કેમ કે સમભાવના પરિણામથી તે મહાત્મા મૃત્યુ પામીને પણ આનાથી અધિક શ્રેષ્ઠ જન્મ પ્રાપ્ત ક૨શે જ્યાં અધિક અધિક ધર્મને સેવીને ક્રમસર સર્વકર્મ રહિત અવસ્થાને પ્રાપ્ત કરશે. આ રીતે સંસારની અશરણ અવસ્થાનો વિચાર કરીને દૃઢ અવલંબનપૂર્વક ભગવાનના ધર્મનું શરણ સ્વીકારવું જોઈએ. II3II Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શાંતસુધારસ શ્લોક :विद्यामन्त्रमहौषधिसेवां, सृजतु वशीकृतदेवाम् । रसतु रसायनमुपचयकरणं, तदपि न मुञ्चति मरणम् ।।विनय० ४।। શ્લોકાર્ચ - વશ કર્યા છે દેવોને જેણે તેવી વિધા, મંત્ર કે મહાઔષધિનું સેવન કરો, શરીરના ઉપચયને કરનારું રસાયન વાપરો તોપણ મરણ મૂકતું નથી. llll ભાવાર્થ : મહાત્મા અશરણભાવનાને સ્થિર કરવા વિચારે છે કે જગતમાં એવી વિદ્યાઓ, મંત્રો અને મહાઔષધિઓ છે જે દેવતાઓને પણ વશ કરે તેવી શક્તિવાળી છે. કોઈ સત્ત્વશાળી પુરુષ તેવા વિદ્યા, મંત્રાદિને સાધે કે તે ઔષધિઓને પ્રાપ્ત કરે તો પણ મૃત્યુ તેને મૂકતું નથી. વળી, કોઈ દેહને પુષ્ટ કરવા અર્થે અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત ન થાય તેના માટે રસાયણનું સેવન કરે તો પણ મૃત્યુ મૂકતું નથી. કદાચ રસાયણાદિના સેવનને કાળે વૃદ્ધાવસ્થા સુધી દેહ પુષ્ટ-પુષ્ટતર રહે તોપણ આયુષ્ય પૂર્ણ થતાં અવશ્ય મૃત્યુની પ્રાપ્તિ થાય છે તેથી કર્મને વશ જીવને કોઈ શરણ નથી, માટે વિદ્યાના બળથી કે દેહના પુષ્ટિના બળથી જીવ રક્ષિત થઈ શકતો નથી. પરંતુ ભગવાનના વચનથી ભાવિત હોય તેને મૃત્યુ કર્થના કરનારું બનતું નથી પરંતુ આ ભવમાં પ્રાપ્ત થયેલી અલ્પશક્તિ કરતાં અધિક શક્તિવાળા સ્થાનને પ્રાપ્ત કરાવીને જીવન માટે સુખનું જ કારણ બને છે. માટે સુખના અર્થી જીવે સદા જિનવચનથી જ આત્માને ભાવિત કરવા યત્ન કરવો જોઈએ. આ પ્રકારે અશરણભાવનાનું ભાવન કરીને મહાત્મા ધર્મ સેવવાને અનુકૂળ બળનો સંચય કરે છે. જો શ્લોક : वपुषि चिरं निरुणद्धि समीरं, पतति जलधिपरतीरम् । शिरसि गिरेरधिरोहति तरसा, तदपि स जीर्यति जरसा ।।विनय० ५।। શ્લોકાર્ચ - ચિરકાળ સુધી પવનને શરીરમાં કોઈ નિરોધ કરે, દરિયાની પેલે પાર જઈને રહે, અથવા પર્વતના શિખર ઉપર શીઘતાથી ચડી જાય તોપણ તે જરાથી જીર્ણ થાય છે. પા. ભાવાર્થ જરાથી પોતે અવશ્ય પરાભવ પામનારા છે તેનાથી કોઈ રક્ષણ કરી શકતું નથી તે ભાવન કરવા અર્થે કોઈ મહાત્મા વિચારે છે કે કોઈ પુરુષ જરારૂપ શત્રુથી પોતાનું રક્ષણ કરવા અર્થે પ્રાણાયામ કરીને શરીરમાં Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૨. અશરણભાવના-ગીત | શ્લોક-૫-૬ પવનનો રોધ કરે અને વિચારે છે કે મારું આયુષ્ય આટલા શ્વાસોચ્છ્વાસ પ્રમાણ અને હું પવનનો રોધ કરીશ તો મારા શ્વાસોચ્છવાસ લેવાની પ્રવૃત્તિ બંધ થવાથી મારું મૃત્યુ થશે નહીં તોપણ જરારૂપ શત્રુ તેને અવશ્ય જર્જરિત કરીને તેનો વિનાશ કરે છે. પવનને સ્થિર ક૨વા માત્રથી પૂર્ણ થતા આયુષ્યને અટકાવી શકાતું નથી. વળી, જરારૂપ શત્રુથી પોતાનું રક્ષણ કરવા માટે દરિયાની પેલી પાર જાય તોપણ જરા તેની પાછળ આવે છે અને જરાને પામીને તેનું શરીર અવશ્ય જીર્ણ થાય છે. વળી, કોઈક વિચારે છે કે આ જરારૂપ શત્રુ મારો વિનાશ કરે તેના પૂર્વે હું શીઘ્ર ગતિથી પર્વતના શિખર ઉપર જઈને બેસું, જેથી જરા મને પ્રાપ્ત કરી શકે નહીં તોપણ પર્વત ઉપર જનારા પુરુષને જરા છોડતી નથી પરંતુ ઉચિત કાળે જરાની પ્રાપ્તિ અવશ્ય થાય છે અને તેનાથી અવશ્ય તેના દેહનો નાશ થાય છે. આ સંસારમાં દેહધારી જીવો અશરણ છે તેના રક્ષણનો ઉપાય એક ભગવાનનું વચન છે આ પ્રકારે ભાવન કરીને ભગવાનના વચનના પરમાર્થને જાણવા માટે અને જાણીને આત્મામાં સ્થિર કરવા માટે મહાત્માઓ પોતાના આત્માને મહાપરાક્રમવાળો બનાવે છે. અનાદિકાળથી જ્વે સંસારના ભાવો કર્યા છે માટે જિનવચનથી ભાવિત થવું તેના માટે અતિદુષ્કર છે તોપણ તે સિવાય જીવ માટે અન્ય કોઈ ત્રાણ નથી. આ પ્રકારે વિચારીને શરણ કરવા યોગ્ય એવા જિનધર્મ પ્રત્યે વીર્ય ઉલ્લસિત થાય તે રીતે મહાત્માઓ વારંવાર અશરણભાવનાથી આત્માને ભાવિત કરે છે. પા શ્લોક ઃ सृजतीमसितशिरोरुहललितं मनुजशिरः सितपलितम् । को विदधानां भूघनमरसं, प्रभवति रोद्धुं जरसम् । । विनय० ६ । । શ્લોકાર્થ ઃ અસિત-કાળા, શિરોરુહ=વાળ, એનાથી લલિત=સુંદર, એવું મનુષ્યનું શિર=મસ્તક, સતપલિત=સફેદ વાળવાળું, કરતી ભુઘનને=દેહને, અરસ કરતી એવી જરાને રોધ કરવા માટે કોણ સમર્થ થાય અર્થાત્ કોઈ સમર્થ થાય નહીં. 19 ભાવાર્થ : મહાત્મા પોતાની અશરણ અવસ્થાનું સ્મરણ કરવા અર્થે ભાવન કરે છે કે યૌવનકાળમાં મસ્તક ઉપર શોભતા કાળા વાળ મનુષ્યના દેહને સુશોભિત દેખાડે છે તે વાળોને જરા=વૃદ્ધાવસ્થા સફેદ કરે છે. વળી મનુષ્યનો સુંદર દેહ ૨સ વગરનો કરે છે. તે પ્રકારે દેહને રસ વગરના કરતી જરાને રોકવા માટે કોણ સમર્થ થાય ? અર્થાત્ કોઈ સમર્થ નથી. માટે તેના બળથી પોતે સુખી છે તેમ ભાવન કરીને જેઓ જીવે છે તેઓ તદ્દન અશરણ છે; કેમ કે જરા જ્યારે તેઓનો નાશ કરશે ત્યારે તદ્દન અસહાય એવા તેઓ દીન થશે અને મૃત્યુ પામીને દુર્ગતિમાં જશે. માટે આ સ્થિતિમાં મહાત્માએ સર્વ ઉદ્યમથી ધર્મનું શરણું સ્વીકારવું જોઈએ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સંતસુધારસ જેથી ધર્મથી ભાવિત થયેલું ચિત્ત જ આત્માનું રક્ષણ કરી શકે; કેમ કે ભાવિત થયેલા ચિત્તને શરીરની વિષમ સ્થિતિ પણ વિહ્વળ કરતી નથી અને ઉત્તમ ચિત્તના બળથી તે સદા સુખી રહે છે અને સતિની પરંપરા દ્વારા સુખની વૃદ્ધિને પ્રાપ્ત કરે છે. આવા શ્લોક :उद्यत उग्ररुजा जनकायः, कः स्यात्तत्र सहायः । एकोऽनुभवति विधुरुपरागं, विभजति कोऽपि न भागम् ।।विनय० ७।। શ્લોકાર્ચ - મનુષ્યની કાયા ઉધત ઉગ્ર રોગવાળી=પ્રગટ થયેલા તીવ્ર રોગવાળી, થાય તે કાળમાં કોણ સહાય થાય? અર્થાત્ કોઈ સહાય થઈ શકે નહીં. એક ચંદ્ર ઉપરાગને અનુભવે છેઃરાહુ ક્યારે તેને ગ્રહણ કરે છે, ત્યારે ચંદ્ર ઉપરાગનો અનુભવ કરે છે પરંતુ કોઈપણ એનો ભાગ લેતું નથી. છતાં ભાવાર્થ : ચંદ્ર ઉપર રાહુ નક્ષત્ર આવે છે ત્યારે ચંદ્ર ઉપરાગને અનુભવે છે. તે ઉપરાગનો થોડોક પણ ભાગ અન્ય કોઈ ગ્રહણ કરતું નથી પરંતુ ચંદ્રને જ તે ઉપરાગનો અનુભવ થાય છે. આ પ્રકારના લોકપ્રસિદ્ધ દષ્ટાંતના બળથી મહાત્મા વિચારે છે કે જ્યારે મનુષ્યની કાયામાં ઉગ્ર રોગો પ્રગટ થાય છે ત્યારે રોગોની પીડાનો ભાગ કોઈ લઈ શકતું નથી પરંતુ તે મનુષ્યને સ્વયં જ સહન કરવું પડે છે અને રોગને મટાડવા માટે સ્વજન આદિ કે વૈદ્યો આદિ ગમે તેટલો યત્ન કરે તો પણ તેના રોગને તેઓ મટાડી શકતા નથી કે તે પીડામાં તેને કોઈ સહાય કરતું નથી. આ પ્રકારે વિચારકને પ્રત્યક્ષ દેખાય છે તેથી પોતે તદ્દન અશરણ છે. માટે પોતાની અશરણ અવસ્થાનું ભાન કરીને સર્વ આપત્તિમાં શરણભૂત ભગવાનના વચનથી ભાવિત થવું જોઈએ જેના બળથી ભાવિત થયેલા ચિત્તને કારણે સદ્ગતિની પરંપરાની પ્રાપ્તિ થાય અને સર્વ ઉપદ્રવથી રહિત એવા મોક્ષના સુખની પ્રાપ્તિ થાય. આ રીતે પોતાના આત્માને ભાવિત કરીને મહાત્મા સદ્ધર્મને સેવવા માટે સદા દઢ ઉત્સાહવાળા થાય છે. IIછા શ્લોક : शरणमेकमनुसर चतुरङ्गं परिहर ममतासङ्गम् । विनय ! रचय शिवसौख्यनिधानं, शान्तसुधारसपानम् ।।विनय० ८।। શ્લોકાર્ચ - હે વિનયકર્મના વિનયના અર્થી જીવ, ચાર અંગવાળા એવા એક ધર્મનું તું શરણ અંગીકાર Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨. અશરણભાવના-ગીત / બ્લોક-૮ કર અને મમતાના સંગનો ત્યાગ કર=બાહ્ય પદાર્થો પ્રત્યેના મમત્વભાવના સંગનો ત્યાગ કર, અને મોક્ષસુખના નિધાનરૂપ શાંતસુધારસનાં પાનને તું કર. IIII ભાવાર્થ : અશરણભાવનાથી ભાવિત થયેલા મહાત્મા પોતાના આત્માને ઉદ્દેશીને કહે છે કે હે કર્મનાશના અર્થી એવા જીવ ! તું દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારના અંગવાળા એક ધર્મનું શરણ કર અર્થાત્ તારી શક્તિને ગોપવ્યા વગર તે ચાર પ્રકારના ધર્મનું સેવન કર અને અસાર એવા બાહ્ય પદાર્થોમાં કે દેહમાં મમતાના સંગનો ત્યાગ કર; કેમ કે બાહ્ય પદાર્થો કે દેહ જે સુખ આપી શકે છે તેના કરતાં આત્મામાં પ્રગટ થયેલો ધર્મ ચિરકાળ સુધી સદા સુખની પરંપરાની પ્રાપ્તિનું કારણ છે. વળી, તે ધર્મના સેવનથી કષાયોનું શમન થવાથી શાંતરસરૂપી અમૃતરસનું પાન તને પ્રાપ્ત થશે જે મોક્ષસુખનું કારણ છે; માટે પ્રમાદ કર્યા વગર તે રીતે તું ધર્મનું સેવન કર કે જેથી શાંતરસરૂપી અમૃતરસનું પાન થાય. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા માત્ર કાયિક ક્રિયા કરવાની મનોવૃત્તિનો પરિહાર કરીને આત્મામાં શાંતરસ પ્રગટ થાય તેવા ઉચિત્ત ધર્મઅનુષ્ઠાનના સેવન માટે પોતાને ઉત્સાહિત કરે છે. IIટા // બીજો પ્રકાશ પૂર્ણ II Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪ ૩. સંસારભાવના શ્લોક ઃ इतो लोभः क्षोभं, जनयति दुरन्तो दव इवोल्लसल्लाभाम्भोभिः कथमपि न शक्यः शमयितुम् । इतस्तृष्णाऽक्षाणां तुदति मृगतृष्णेव विफला, થં સ્વસ્થે: સ્થેય, વિવિધમયમીને.મવવને ।।।। શાંતસુધારસ શ્લોકાર્થ : વિવિધ ભયોથી ભયકંર એવા ભવરૂપી વનમાં આ બાજુ દુરન્ત દાવાનળ જેવો લોભ ક્ષોભને ઉત્પન્ન કરે છે. ઉલ્લસિત પામતા એવા લાભરૂપી પાણી વડે કોઈ રીતે પણ શમન કરવું શક્ય નથી. આ બાજુ=બીજી બાજુ, મૃગતૃષ્ણા જેવી વિફલ એવી ઇન્દ્રિયોની તૃષ્ણા પીડા કરે છે. તેથી સ્વસ્થપણાથી કેવી રીતે રહેવું=આ ભવરૂપી વનમાં સ્વસ્થપણાથી રહેવું દુષ્કર છે. [૧] ભાવાર્થ: મહાત્માઓ સંસારના વાસ્તવિક સ્વરૂપને જાણનારા છે છતાં તે વાસ્તવિક સ્વરૂપના ભાવોને સ્પષ્ટ ઉપસ્થિતિ ક૨વા અર્થે સંસારની સ્થિતિનો વિચાર કરતાં કહે છે કે આ ભવરૂપી વન વિવિધ પ્રકારના ભયોથી ભયંક૨ છે; કેમ કે વનમાં ચારેબાજુ હિંસક પ્રાણીઓનો સતત ભય વર્તે છે. તેમ સંસારરૂપી વનમાં અંતરંગ કષાયો અને વિષયો કૃત વિડંબનાઓનો સતત ભય વર્તે છે. જેમ જંગલમાં રહેલો જીવ કોઈ રીતે સ્વસ્થ બેસી શકતો નથી તેમ અંતરંગ કષાયોથી સંસારીજીવો ક્યારેય સ્વસ્થ થઈ બેસી શકતા નથી. તેથી મહાત્મા વિચારે છે કે સંસારમાં સ્વસ્થતાથી કેવી રીતે રહેવું ? કેમ સ્વસ્થતાથી પોતે રહી શકતા નથી ? તેનું ભાવન કરતાં વિચારે છે કે એક બાજુ ખરાબ અંતવાળા દાવાનળની જેમ લોભ આત્મામાં ક્ષોભને પેદા કરે છે તેથી લોભને વશ જીવ સ્વસ્થતાથી રહી શકતો નથી. પરંતુ ઇચ્છાથી આકુળ થઈને સતત ધનઉપાર્જનના ઉપાયો, શાતાના ઉપાયો માટે પ્રવૃત્તિ કરીને સદા વ્યાકુળ ચિત્તવાળો રહે છે. વળી, જેમ કેટલાક દાવાનળો અત્યંત ખરાબ અંતવાળા હોય છે તેવા દાવાનળને બૂઝવવા માટે પાણી નાખવામાં આવે તોપણ તે દાવાનળ શાંત થતો નથી. તેથી સતત તે દાવાનળ વૃદ્ધિ પામીને જીવોનો સંહાર જ કરે છે. તેમ સંસારીજીવોમાં બહુલતાએ દુરન્ત દાવાનળ જેવો લોભનો ક્ષોભ વર્તતો હોય ત્યારે ધનપ્રાપ્તિ માટે ગમે તેટલો યત્ન કરે તોપણ ધનપ્રાપ્તિ થવા છતાં તે શાંત થતો નથી. પરંતુ તે લોભ વૃદ્ધિ જ પામે છે તેથી સંસારીજીવો ધનની પ્રાપ્તિ કે ભોગની સામગ્રીની પ્રાપ્તિ કરીને પણ સ્વસ્થતાથી રહી શકતા નથી. વળી, બીજી બાજુ ઇન્દ્રિયોના વિષયોની તૃષ્ણા જીવને સતત પીડા કરે છે. વળી તે તૃષ્ણા પણ મૃગતૃષ્ણા જેવી વિફલ છે. તેથી તૃષ્ણાથી તે વ્યાકુળ થયેલો જીવ કોઈક રીતે સ્વસ્થ રહી શકતો નથી. આશય એ છે કે સંસારીજીવોને પાંચ ઇન્દ્રિયોના Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૫ . રાસભાવના / શ્લોક-૧ વિષયોની તૃષ્ણા વર્તે છે અને ગમે એટલા ઇન્દ્રિયોના વિષયોનો ઉપભોગ કરે તો પણ તે તૃષ્ણા શાંત થતી નથી. પરંતુ જીવને સતત પીડા ઉત્પન્ન કરે છે. જેમ કોઈ મુસાફર પાણીથી તરસ્યો હોય અને દૂર દૂર સૂર્યનાં કિરણો પડતાં હોય અને તેના કારણે ત્યાં જ છે તેવો ભ્રમ થાય અને તે જલના ભ્રમથી તે પુરુષ તે દિશામાં દોડ્યા કરે અને વિચારે કે તે જલને પ્રાપ્ત કરીને હું તૃષ્ણાને શાંત કરીશ પરંતુ તે દોડનાર પુરુષને જલની પ્રાપ્તિ થતી નથી. પણ તે દિશામાં દોડવાને કારણે તૃષાની વૃદ્ધિ જ થાય છે. એમ સંસારીજીવો ઇન્દ્રિયોના વિષયોની તૃષ્ણાથી વ્યાકુળ થઈને તે તે ઇન્દ્રિયોના વિષયોનો ઉપભોગ કરીને તે તૃષાને શમાવવા યત્ન કરે છે છતાં તે વિષયોની તૃષા ક્યારેય શાંત થતી નથી પણ જેમ જેમ ભોગો ભોગવે છે તેમ તેમ વિષયોની તૃષા વૃદ્ધિ જ પામે છે તેથી તૃષાની પીડાથી સંસારીજીવો સદા પીડિત છે. સંસારની આવી સ્થિતિ હોય ત્યારે કઈ રીતે સ્વસ્થતાથી રહી શકાય ? અર્થાત્ સંસારમાં જીવો લોભથી અને વિષયોની તૃષ્ણાથી સતત વ્યથિત હોવાથી સ્વસ્થતાથી રહી શકતા નથી. માટે સ્વસ્થતાથી રહેવા અર્થે જીવોએ સદા જિનવચનથી આત્માને ભાવિત કરીને વધતા જતા લોભના ક્ષોભના નિવારણ માટે યત્ન કરવો જોઈએ અને સતત જિનવચનથી ભાવિત થઈને ઇન્દ્રિયોની વધતી જતી તૃષ્ણાને નિવારણ કરવા યત્ન કરવો જોઈએ, તો જ જીવ સ્વસ્થતાથી આ ભવરૂપી વનમાં રહી શકે, અન્યથા સતત વિહ્વળતાને અનુભવતો ચારગતિઓના પરિભ્રમણની વિડંબનાને પામે છે. અહીં વિશેષ એ છે કે ભવરૂપી વનના વાસ્તવિક સ્વરૂપનું ભાવન કર્યું છે તે મહાત્માઓ લોભની વિડંબનાને જાણનારા છે. તેથી લોભના પ્રતિપક્ષ ભાવોનું ભાવન કરીને લોભને શાંત કરવા ઉદ્યમ કરે છે. આવા મહાત્માઓને ક્યારેક કોઈક શાતાના પદાર્થની ઇચ્છા થાય ત્યારે તે સામગ્રીની પ્રાપ્તિરૂપ પાણીથી તે લોભરૂપી અગ્નિને શાંત કરવા યત્ન કરે તો તે શાંત થાય છે. તેથી તેઓનો લોભ દુરંત દાવાનળ જેવો નથી પરંતુ જળના સિંચનથી શાંત પામે તેવો છે. આથી જ જે મહાત્માઓ સદા જિનવચનથી આત્માને ભાવિત કરીને લોભને શાંત કરવા ઉદ્યમ કરે છે, તેમનો લોભ સર્વથા શાંત થયેલો ન હોય તોપણ ઘણો મંદ થયેલો છે અને તેવા જીવોને કંઈ ધનાદિની ઇચ્છા, કંઈક શાતાની ઇચ્છા હોય છે અને પુણ્ય સહકારથી તે શાતાની સામગ્રી પ્રાપ્ત થાય ત્યારે તેઓની ઇચ્છા પણ શાંત થાય છે અને સ્વસ્થતાપૂર્વક ઉચિત પ્રવૃત્તિઓ કરીને વિશેષ પ્રકારે મોહના ઉન્મેલન માટે યત્ન કરે છે. આ રીતે પાંચ ઇન્દ્રિયોના વિષયોની તૃષ્ણા જીવને સતત પીડા કરનારી છે તેવો જેને બોધ છે તેવા મહાત્માઓ જિનવચનનું સતત અવલંબન લઈને સંસારની અસારતાનું ભાવન કરે તો તેઓની વિષયોની તૃષ્ણા મંદ-મંદતર થાય છે અને તેવા જીવોને ક્યારેક કોઈક વિષયોની તૃષ્ણા થાય અને પુણ્યના સહકારથી ભોગસામગ્રીની પ્રાપ્તિ થાય ત્યારે તેઓની તે તૃષ્ણા શાંત થાય છે. આ રીતે સ્વસ્થ થયેલા તેઓ વિશેષ વિશેષ પ્રકારે આત્માને જિનવચનથી ભાવિત કરીને શાંતરસમાં જવા માટે સમર્થ બને છે. તેથી સંસારમાં સ્વસ્થ રહેવાનો અર્થ એવા મહાત્માઓ લોભકૃત ક્ષોભનું અને વિષયોની તૃષ્ણાકૃત પીડાનું, સમ્યફ ભાવન કરવા અર્થે સદા ઉદ્યમ કરે છે. જેથી તેઓ ભવવનમાં પણ મોહની આકુળતા દૂર થવાથી સ્વસ્થ રીતે રહે છે. III Page #53 -------------------------------------------------------------------------- ________________ * ૩૬ શાંતસુધારસ શ્લોક : गलत्येका चिन्ता, भवति पुनरन्या तदधिका, मनोवाक्कायेहाविकृतिरतिरोषात्तरजसः । विपद्गर्तावर्ते, झटिति पतयालोः प्रतिपदं, न जन्तोः संसारे, भवति कथमप्यतिविरतिः ।।२।। શ્લોકાર્ચ - એક ચિંતા મળે છે. વળી, તેનાથી અધિક અન્ય ચિંતા થાય છે. મન, વાણી અને કાયાની ઈહા=ઈચ્છા, તેની વિકૃતિ અને તેના કારણે રતિ અને રોષથી ગ્રહણ કરાયેલા કર્મરાજવાળા પ્રતિપદપ્રત્યેક સ્થાનને આશ્રયીને, વિપડ્ઝર્તાવર્તિમાં શીઘ પડવાના સ્વભાવવાળા જીવની સંસારમાં કોઈપણ રીતે અરતિની વિરતિ પીડાની નિવૃત્તિ થતી નથી. III ભાવાર્થ : સંસારીજીવોને બાહ્ય પદાર્થ વિષયક એક ઇચ્છા થાય ત્યારે તે ઇચ્છાથી પીડિત હોય છે અને તે ઇચ્છાને શાંત કરવા માટે શ્રમ કરીને ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરે છે ત્યારે એક ઇચ્છા=એક ચિંતા, ગળે છે=શાંત થાય છે, વળી તે જ વસ્તુની ઇચ્છા તેનાથી અધિક થાય છે અર્થાત્ પૂર્વમાં હતી તેનાથી તે વસ્તુની ઇચ્છા અધિક રાગયુક્ત બને છે; કેમ કે પૂર્વમાં આ વસ્તુ મારા સુખનું સાધન છે તેવો સામાન્ય બોધ હતો અને તે વસ્તુના ઉપભોગકાળમાં જે મીઠાશનો અનુભવ થયો તેના કારણે તેના પ્રત્યેના અધિક આકર્ષણના સંસ્કારોનું આધાન થાય છે. તેથી બીજી વખત તેની અધિક ઇચ્છા થાય છે. આથી જ વ્યસન સેવનારને તે વ્યસનનો રાગ પ્રતિદિન વધતો જાય છે તેમ સ્પષ્ટ અનુભવસિદ્ધ છે. તેથી સંસારી જીવોને મન સંબંધી ઇચ્છા, વાણી સંબંધી ઇચ્છા અને કાયા સંબંધી ઇચ્છાની વિકૃતિ સદા વર્તે છે તેથી તેઓ તે ઇચ્છાનુસાર પ્રવૃત્તિ કરીને રતિ અને રોષ કરે છે અને તેના કારણે કર્મરજથી સતત ખરડાય છે. આશય એ છે કે કેટલીક ઇચ્છા મનના વિકલ્પરૂપ જ થાય છે અને તે પ્રકારે વિકલ્પ કરીને તે રતિના સુખને અનુભવે છે અને કેટલીક ઇચ્છા મનની ભાવિની વ્યર્થ ચિંતા કરીને અરતિથી અર્થાતુ રોષથી થાય છે. વળી, કેટલાક જીવો તે તે પ્રકારની વાતો કરવા દ્વારા આનંદ લેવાની વૃત્તિવાળા છે અને તે ઇચ્છાનુસાર તે તે પુરુષો સાથે વાતો કરીને રતિનો અનુભવ કરે છે તો વળી, કેટલીક વખત તે તે વ્યક્તિ સાથે તે તે પ્રકારની વાતો કરવાની અનિચ્છાવાળા હોય છે અને તેના કારણે જો તેઓ તે પ્રકારે વાતો કરે ત્યારે રોષનો અનુભવ થાય છે. વળી, કેટલાક જીવોને કાયા સંબંધી ખાવાની, પીવાની, હરવાની, ફરવાની ઇચ્છાઓ થાય છે અને તે ઇચ્છાની વિકૃતિથી તે તે પ્રકારનું કૃત્ય કરીને રતિનો અનુભવ કરે છે અને પોતાના ધાર્યા પ્રમાણે કૃત્ય ન કરી શકે કે વિપરીત સંયોગ પ્રાપ્ત થાય તો રોષ કરે છે અને તેનાથી કર્મોને બાંધીને સંસારીજીવો દરેક સ્થાને વિપત્તિના ગર્તામાં પડવાના સ્વભાવવાળા છે; કેમ કે તે તે નિમિત્તો અનુસાર કર્મબંધ કરી તે તે કર્મોને અનુકૂળ દુષ્ટ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ૩. સંસારભાવના | શ્લોક-૨-૩ અધ્યવસાયો કરી સદા ક્લેશ અનુભવે છે અને તેને પરવશ વર્તમાનના ભવમાં પણ અનેક યાતનાઓ ભોગવે છે. જન્માંતરમાં પણ દુર્ગતિઓમાં જઈને ઘણા ક્લેશને પ્રાપ્ત કરે છે. તેથી સંસારમાં આ અરતિની વિરતિ=અંતરંગ સંક્લેશની વિરતિ, કેવી રીતે પ્રાપ્ત થાય અર્થાત્ પ્રાપ્ત થઈ શકે નહીં, માટે સુખના અર્થી જીવે સંસારના વાસ્તવિક સ્વરૂપનું ભાવન કરીને સદા સ્વભૂમિકાનુસાર વિતરાગના વચનથી આત્માને ભાવિત કરવો જોઈએ અને વીતરાગના વચનાનુસાર મન-વચન-કાયાની સર્વ પ્રવૃત્તિઓ કરવી જોઈએ. જેથી અંતરંગ ચિત્તનો સંક્લેશ ક્ષીણ, ક્ષીણતર થાય જેના ફળરૂપે મહાક્લેશરૂપ આ સંસારનો શીધ્ર અંત થાય. આશા શ્લોક : सहित्वा सन्तापानशुचिजननीकुक्षिकुहरे, ततो जन्म प्राप्य, प्रचुरतरकष्टक्रमहतः । सुखाभासैर्यावत्, स्पृशति कथमप्यतिविरतिं, जरा तावत् कायं कवलयति मृत्योः सहचरी ।।३।। શ્લોકાર્ચ - અશુચિવાળી માતાની કુક્ષિરૂપ ગુફામાં સંતાપોને સહન કરીને ત્યાર પછી જન્મને પામીને પ્રયુરતર કષ્ટના ક્રમથી હણાયેલો એવો જીવ જન્મ પછી જીવનવ્યવસ્થામાં ઘણા કષ્ટના ક્રમથી હણાયેલો જીવ, સુખાભાસ વડે કંઈક ઈચ્છાની પૂર્તિ થવાથી સુખોનો ભાસ થાય એવા સુખાભાસથી, કોઈ વખતે પીડાની શાંતિને જ્યાં સુધી સ્પર્શે છે ત્યાંસુધી મૃત્યુની સહચરી એવી જરા કાયાને કવલ કોળિયો, કરી દે છે. III. ભાવાર્થ : - મનુષ્યભવમાં અનુભવાતા સ્વરૂપને જ અતિ સ્પષ્ટ કરવા અર્થે કહે છે કે સંસારીજીવો માતાની અશુચિમાં કુક્ષિમાં સંતાપ સહન કરીને ગર્ભનો કાળ પસાર કરીને જન્મ પ્રાપ્ત કરે છે. જન્મ પામીને પણ બાલ્યકાળથી જ દેહના સાંયોગિક પદાર્થના ઉપદ્રવથી તેનું જીવન હણાયેલું છે, પણ કોઈક પુણ્યના સહકારથી અનુકૂળ સામગ્રી મળે છે ત્યારે સુખનો આભાસ કરાવે એવી સામગ્રીના બળથી કંઈક પીડાને શાંત કરે ત્યાં જરા=વૃદ્ધાવસ્થા આવી જાય છે. સંસારનું આવું અસાર સ્વરૂપ હોવા છતાં અને પ્રત્યક્ષથી તે સ્વરૂપ દેખાવા છતાં જીવ વિચાર્યા વગર મૂઢની જેમ મનુષ્યભવને નિષ્ફળ કરે છે. તેના વારણ માટે મહાત્મા સંસારના તે સ્વરૂપનું ભાવન કરીને સંસારથી પર થવા માટે સ્વવીર્યને ફોરવી ક્રમસર સંસારની કદર્થનાથી મુક્ત થવા યત્ન કરે છે. અહીં કહ્યું કે સુખાભાસો વડે કરીને કંઈક અરતિની વિરતિ પ્રાપ્ત કરે છે. એનાથી એ પ્રાપ્ત થાય કે મોહવાસિત જીવો સતત મોહથી સંતપ્ત હોય છે. મોહથી સંતપ્ત હોવાને કારણે બાહ્ય પદાર્થોને મેળવવાની Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શાંતસુધારસ સતત અભિલાષવાળા થાય છે અને પુણ્યના સહકારથી તે મળે ત્યારે હું સુખી છું તેવી બુદ્ધિ થાય છે. વસ્તુત: તે ઇચ્છા થઈ તે વખતે મોહની આકુળતારૂપ દુઃખ હતું, પછી શ્રમ કર્યો તે શ્રમ પણ દુ:ખરૂપ હતું, તેને મેળવવા માટે અને ભોગવવા માટે જે પ્રવૃત્તિ કરી તેનાથી જે પાપ બંધાયું તેનું ફળ ઘણા દુઃખની વિડંબનારૂપ છે તે સર્વની તુલનામાં કંઈક ઇચ્છાની પૂર્તિરૂપ મધુના બિંદુ જેટલું સુખ છે અને અનેક દુઃખોથી વેષ્ટિત હોવાથી પરમાર્થથી તે સુખ સુખાભાસ જ છે. III શ્લોક : विभ्रान्तचित्तो बत बम्भ्रमीति, पक्षीव रुद्धस्तनुपञ्जरेऽङ्गी । नुनो नियत्याऽतनुकर्मतन्तुसन्दानितः सत्रिहितान्तकौतुः ।।४।। શ્લોકાર્ચ - નિયતિથી પ્રેરાયેલો, ઘણાં કર્મોના સમૂહથી બંધાયેલો, સમીપવર્તી છે મરણરૂપ કૌતુકબિલાડો, જેને એવા પક્ષીની જેમ શરીરરૂપી પાંજરામાં પુરાયેલો દેહધારી જીવ ખેદની વાત છે કે બિભ્રાંત ચિતવાળો ભમે છે ચારગતિઓમાં ભમે છે. III. ભાવાર્થ : સંસારવર્તી જીવ દેહરૂપી પાંજરામાં પુરાયેલો છે. જેમ પક્ષીને કોઈ પાંજરામાં પૂરે તેમ જીવને ઘણા એવા જીવનાં કર્મ જીવને દેહરૂપી પાંજરામાં પૂરે છે. વળી, તે જીવ તેની નિયતિથી પ્રેરાયેલો છે તેથી તેની નિયતિ અનુસાર તે તે ભવનું આયુષ્ય બાંધે છે અને તે તે ભવમાં દેહરૂપી પાંજરામાં પુરાય છે. વળી, જીવ સંસાર અવસ્થામાં ઘણા કર્મના તાંતણાઓથી બંધાયેલો છે તેથી વર્તમાનનો ભવ નાશ થાય ત્યારે તે ભવરૂપી પાંજરામાંથી છૂટે છે, તોપણ સર્વથા મુક્ત થતો નથી પણ પ્રચુર કર્મોના તાંતણાથી બંધાયેલો હોવાથી નવા ભવરૂપી પાંજરામાં જાય છે. વળી નવા ભવમાં આયુષ્યની સમાપ્તિ સાથે મૃત્યુ નિયત છે. તેથી પ્રાપ્ત થયેલા ભવના નાશને કરનાર એવો મરણરૂપી બિલાડો વિદ્યમાન છે અર્થાત્ જેમ પક્ષીને બિલાડો પકડવા માટે સન્મુખ હોય ત્યારે તે પક્ષી સદા ભયમાં રહે છે. તેમ સંસારીજીવો જન્મ્યા પછી દેહરૂપી પાંજરામાં પુરાય છે ત્યારે મૃત્યરૂપી બિલાડો અર્થાતુ યમરાજરૂપી બિલાડો સદા તેની સન્મુખ છે. આવી ભયવાળી સ્થિતિમાં પણ સંસારી જીવ અન્ન એવા બાળકની જેમ ચિત્તવાળો થઈને દરેક ભવમાં ભમ્યા કરે છે પરંતુ કર્મના બંધનને તોડવા માટે કે પાંજરામાં પુરાવાની રુદ્ધ અવસ્થાથી મુક્ત થવા માટે કોઈ યત્ન કરતો નથી. માત્ર વિભ્રમ ચિત્તવાળો થઈને ચારગતિમાં ભમ્યા કરે છે. આવી વિષમ અવસ્થાવાળી સંસાર-અવસ્થાનું સમાલોચન કરીને તેનાથી મુક્ત થવા માટે યત્ન કરવો જોઈએ એ પ્રકારે મહાત્મા ભાવન કરે છે. અહીં કહ્યું કે નિયતિથી પ્રેરાયેલો જીવ છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે જીવ જે કાંઈ કૃત્ય કરે છે તેમાં પાંચેય કારણો વિદ્યમાન છે તોપણ એક ભવમાંથી બીજા ભવમાં જાય છે તેમાં આયુષ્યકર્મનો બંધ પ્રધાન Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩. સંસારભાવના | શ્લોક-૪-૫ ૩૯ કારણ છે અને જીવ નવા ભવનું આયુષ્ય દરેક ભવમાં એક વખત બાંધે છે અને કોઈક જીવની નિયતિ સારી હોય તો આયુષ્યબંધ કાળમાં જ તેને શુદ્ધભાવ પ્રગટે છે. કોઈક જીવને નિયતિ પ્રતિકૂળ હોય તો શેષકાળમાં ધર્મ કરનારો જીવ આયુષ્યબંધ વખતે પ્રમાદવાળો બને છે. જેથી ઉત્તરમાં અશુભ ભવ પ્રાપ્ત કરે છે તેથી નવા ભવના આયુષ્યબંધમાં નિયતિ પ્રધાન કારણ છે, તેથી કહ્યું કે નિયતિથી પ્રેરાઈને તે તે ભવમાં ભમે છે. વળી, શ્લોકમાં કહ્યું કે જીવ ઘણાં કર્મોથી બદ્ધ છે. તેથી એ પ્રાપ્ત થાય કે સંસારવર્તી જીવ જ્ઞાનાવરણીયાદિ સાતેય કર્મથી ઘેરાયેલો છે. તે સર્વનું બીજ જીવમાં વર્તતો સંગનો પરિણામ છે અને તે સંગના પરિણામ કારણે આત્મા કર્મના તાંતણાથી બંધાય છે અને તેનાથી આત્મા વિશેષ યત્ન વગર છૂટી શકે તેમ નથી. વળી, સંસારી જીવ વિભ્રાંત ચિત્તવાળો છે એમ કહ્યું તેનાથી પ્રાપ્ત થાય કે તે કર્મથી યુક્ત એવા દેહમાં રહેલા પોતાના આત્માના પારમાર્થિક સ્વરૂપને જોવા સમર્થ નથી. III શ્લોક : अनन्तान् पुद्गलावर्ताननन्तानन्तरूपभृत् । अनन्तशो भ्रमत्येव, जीवोऽनादिभवार्णवे ।।५।। શ્લોકાર્ચ - અનાદિ ભવરૂપી સમુદ્રમાં અનંત અનંત રૂપને ધારણ કરનાર એવો જીવ અનંતી વખતે અનંત પગલપરાવર્તી ભમે છે. પી. ભાવાર્થ : પૂર્વશ્લોકમાં કહ્યું કે જીવ વિભ્રાંત ચિત્તવાળો થઈ સંસારમાં ભમે છે. તેથી હવે કેટલો કાળ સંસારમાં ભમે છે તે સ્પષ્ટ કરવા અર્થે મહાત્મા ભાવન કરે છે કે દરેક જીવોનો આ ભવરૂપી સમુદ્ર આદિ વગરનો છે. તેથી દરેક જીવ અનાદિકાળથી આ ભવરૂપી સમુદ્રમાં વિદ્યમાન છે અને તે જીવો દરેક ભવમાં નવાં નવાં રૂપો ધારણ કરે છે. તેથી અનંતાનંત રૂપને ધારણ કરનારો સંસારી જીવ છે અને આ સંસારી જીવ અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ પ્રમાણ એવું જે એક પુદ્ગલપરાવર્ત છે, તેવા અનંત અનંત=ઘણી મોટી સંખ્યાવાળા એવા, અનંત પુદ્ગલપરાવર્તે પણ એક બે કર્યા નથી પરંતુ અનંત અનંત વખત કર્યા છે. તેથી વિભ્રાંત ચિત્તને કારણે જીવ સંસારમાં અનંતકાળથી આ રીતે કદર્થના પામી રહ્યો છે. માટે વિવેકી જીવે વિભ્રમને દૂર કરીને જિનવચનનું દઢ અવલંબન લેવું જોઈએ. જિનવચનના પરમાર્થને જાણવું જોઈએ અને શક્તિ ગોપવ્યા વગર પોતાની ભૂમિકાનુસાર તે રીતે જિનવચનને સેવવું જોઈએ જેથી આ ચારગતિઓના પરિભ્રમણની કદર્થનાથી પોતે મુક્ત થાય અને શાશ્વત સુખને પામે. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા પોતાના વિભ્રમને દૂર કરીને સન્માર્ગમાં દૃઢ ઉદ્યમ કરવા માટે બળનો સંચય કરે છે. પણ Page #57 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ ( ૩. સંસારભાવના-ગીત શ્લોક : कलय संसारमतिदारुणं, जन्ममरणादिभयभीत रे । मोहरिपुणेह सगलग्रह, प्रतिपदं विपदमुपनीत रे ।।कलय० १।। શ્લોકાર્ચ - જન્મ, મરણાદિથી ભયભીત એવા હે જીવ! મોહ રિપુ વડે અહીં=સંસારમાં, ગળા સહિત પકડાયેલો, પ્રતિપદ વિપદને પ્રાપ્ત કરાયેલો તું સંસારને અતિદારુણ જાણ. III ભાવાર્થ : આત્માને સંબોધીને ભાવન કરનાર પુરુષ કહે છે કે જન્મ, મરણ આદિથી ભયભીત થયેલા હે જીવ ! વળી, મોહરૂપી શત્રુ વડે ગળાથી પકડાઈને અનેક સ્થાને વિપદને પ્રાપ્ત કરાયેલા હે જીવ ! સંસારના અતિદારુણને તું જાણ. મૂઢની જેમ સંસારના પ્રવાહને ચલાવનાર એવી સંગની પરિણતિને વશ થઈને સંસારના પરિભ્રમણના અનર્થને તે પ્રાપ્ત કર નહીં અને સંસારના ઉચ્છેદરૂપ અસંગ-પરિણતિમાં તારું ચિત્ત સદા તત્પર રહે તેમ યત્ન કર; કેમ કે સંસારનું વાસ્તવિક સ્વરૂપ જોવામાં આવે તો અનાદિકાળથી વર્તતો પોતાનો સંસાર જન્મ, મરણ, રોગ, શોકથી આક્રાંત છે અને તેનાથી તું ભય પામેલો છે, છતાં દારુણ સ્વરૂપનો વિચાર કરતો નથી. તેથી ધર્મની પ્રવૃત્તિ કરવા છતાં પણ મોહની તન્દ્રામાં જ ધર્મની પ્રવૃત્તિ કરીને મનુષ્યભવ નિષ્ફળ કરે છે. વળી, આત્માને અત્યંત જાગ્રત કરવા અર્થે કહે છે કે સંસારમાં મોહરૂપી શત્રુ જીવને સદા ગળાથી પકડીને સ્થાને સ્થાને આપત્તિઓ આપે છે. આથી જ મોહને વશ જીવો સંસારના અનર્થથી પોતાનું રક્ષણ કરી શકતા નથી. માટે આવી અવસ્થાને પામેલા હે જીવ ! મોહની તદ્રામાંથી છૂટવા માટે સતત દઢ યત્ન કરે જેથી વિદ્યમાન એવા સંસારનો શીધ્ર ઉચ્છેદ થાય.III બ્લોક : स्वजनतनयादिपरिचयगुणैरिह मुधा बध्यसे मूढ रे । प्रतिपदं नवनवैरनुभवैः परिभवैरसकृदुपगूढ रे ।।कलय० २।। શ્લોકાર્ચ - પ્રત્યેક સ્થાનમાં નવા નવા અનુભવોથી અને પરિભવોથી વારંવાર ઉપગૂઢ એવા હે જીવ ! સ્વજન, પુત્રાદિના પરિચયના ગુણોથી મૂઢ એવા હે જીવ! અહીં=સંસારમાં ફોકટ તું બંધાય છે. શા Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩. સંસારભાવના-ગીત | શ્લોક-૨-૩' ભાવાર્થ : સંસારના વાસ્તવિક સ્વરૂપને ઉપસ્થિત કરવા માટે આત્માને સંબોધીને મહાત્મા વિચારે છે કે સ્વજન, પુત્રાદિના પરિચયને કારણે તેઓના તરફથી પોતાને બાહ્ય જે મીઠાશ (લાગણીના) ગુણો પ્રાપ્ત થાય છે તેનાથી તે ફોકટ સ્નેહસંબંધોથી તેઓની સાથે બંધાય છે; કેમ કે સંસારમાં પ્રત્યક્ષ દેખાય છે કે દરેક સ્થાનમાં નવા નવા અનુભવ થાય છે. તેથી જે પુત્રાદિ પ્રત્યે પોતે સ્નેહ કરે છે તે પુત્રાદિ ક્યારેક તેના પરાભવનું કારણ પણ બને છે. વળી ક્યારેક અનુકૂળતાનું કારણ બને છે છતાં એક ભવમાં બંધાયેલા તે સંબંધો એકાંતે ગુણકર થાય તેવું નથી. ક્વચિત્ કોઈક ભવમાં કોઈકની સાથેનો સંબંધ તે ભવ પૂરતો સારો રહે તોપણ આ ભવના મિત્રો કોઈક ભવમાં શત્રુરૂપે થાય છે તે પ્રકારની સંસારની સ્થિતિ પ્રત્યક્ષથી સિદ્ધ છે. તેથી પોતાનો જીવ દરેક સ્થાનમાં તે તે વ્યક્તિની સાથેના સંબંધમાં નવા નવા અનુભવો કરે છે અને તે તે વ્યક્તિ તરફથી નવા નવા પરાભવો પણ વારંવાર પ્રાપ્ત કરે છે માટે તેમાં તું ઉપગૂઢ છો અર્થાત્ તેવા સંબંધથી તું વ્યાપ્ત છો એ પ્રકારે વિચારીને આવો સ્નેહસંબંધ દૂર કરીને ગુણસંપન્ન એવા વીતરાગ સાથે, વીતરાગના માર્ગમાં ચાલનારા સાધુઓ સાથે, સ્નેહ કરીને તેમના જેવા થવાનો યત્ન કરીશ તો બીજા ભવમાં પણ ઉત્તમ સામગ્રી પ્રાપ્ત થશે. આ પ્રકારે અત્યંત ભાવ કરવાથી સ્વજનાદિ પ્રત્યે ઉચિત વર્તન કરવા છતાં મૂઢની જેમ સ્નેહના બંધનથી બદ્ધ રહીને સંસારની વૃદ્ધિનું કારણ જે પ્રમાદ થાય છે તેનું નિવારણ કરવાનું સદ્વર્ય ઉલ્લસિત થાય છે. આવા શ્લોક : घटयसि क्वचन मदमुन्नतेः, क्वचिदहो हीनतादीन रे । प्रतिभवं रूपमपरापरं, वहसि बत कर्मणाधीन रे ।।कलय० ३।। શ્લોકાર્થ : હે જીવ! ક્વચિત્ હીનતાના કારણે દીન એવા તું છો અહો આશ્ચર્ય છે કે ક્યારેક ઉન્નતિના મદને તું કરે છે. ખેદની વાત છે કર્મને આધીન એવા હે જીવ! તું પ્રતિભાવ અપર અપર રૂપને પ્રાપ્ત કરે છે. Il3II ભાવાર્થ : માનકષાયને તોડવા માટે મહાત્માઓ સંસારમાં જીવની કેવી અવસ્થા છે તેનું ભાવન કરે છે અને વિચારે છે કે કોઈ વખતે ધનાદિની હીનતાના કારણે, કે અન્ય શક્તિઓની હીનતાના કારણે, તે દીન જેવો થાય છે. વળી, દીન એવો તું કોઈક પ્રકારની ઉન્નતિ થાય તો મદને ધારણ કરે છે જે ખરેખર મૂઢતાનું જ કારણ છે. વળી કર્મને આધીન થયેલો તું પ્રતિભાવ અપરાપર રૂપને ધારણ કરે છે અર્થાતુ ક્યારેક અસુંદર ભવની પ્રાપ્તિરૂપ સ્વરૂપને વહન કરે છે તો ક્યારેક સુંદર ભવની પ્રાપ્તિરૂપ સ્વરૂપને વહન કરે છે. તેથી કર્મને આધીન જે સ્વરૂપની પ્રાપ્તિ હોય ત્યાં પોતાની પરાધીનતા જ અભિવ્યક્ત થાય છે. તે કારણથી ઉન્નતિની Page #59 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ પ્રાપ્તિમાં મદ કરવો ઉચિત નથી. અને હીનતાને કારણે દીનતા પણ કરવી ઉચિત નથી પરંતુ સંસારની વિષમ સ્થિતિનો વિચાર કરીને માનકષાય ઊઠે નહીં અને સદા કષાયના ઉચ્છેદને અનુકૂળ વ્યાપાર થાય તે માટે મહાત્માઓ સંસારભાવનાથી આત્માને ભાવિત કરે છે. III શ્લોક : जातु शैशवदशापरवशो, जातु तारुण्यमदमत्त रे । जातु दुर्जयजराजर्जरो, जातु पितृपतिकरायत्त रे ।।कलय० ४।। શ્લોકાર્ધ : હે જીવ ! તું ક્યારેક શૈશવદશાને પરવશ થયો, ક્યારેક તારુણ્ય મદથી મત્ત થયો, ક્યારેક દુર્જય એવી જરાથી જર્જર થયો, તો ક્યારેક પિતૃપતિના=યમરાજના, કરને આધીન થયો અર્થાત્ મૃત્યુ પામ્યો. Imall ભાવાર્થ : સંસારની આ અવસ્થા સર્વ જીવને સ્વઅનુભવસિદ્ધ છે છતાં અજ્ઞાન અને મોહવશ જીવો તત્કાળ વર્તતા ભવ અનુસાર પરિણામો કરીને મૂઢની જેમ યત્ન કરે છે, દુ:ખને દૂર કરવા માટે યત્ન કરીને મનુષ્યભવ નિષ્ફળ કરે છે. એનાથી આત્માને જાગ્રત કરવા માટે મહાત્માઓ ભાવન કરે છે કે સંસારની સર્વદશા ઉન્માદ અને પરવશતાવાળી છે. આથી જ બાલ્યઅવસ્થામાં જીવ માતાદિને પરવશ પુણ્યનો સહકાર હોય તો જીવી શકે છે, નહિતર અકાળે મૃત્યુ પામે. વળી, તરુણ અવસ્થા આવે ત્યારે મદનો ઉન્માદ ચઢે છે અને ઇન્દ્રિયોના વિકારોમાં જ મનુષ્યભવ પૂર્ણ કરે છે. વળી, યૌવનકાળમાં વૃદ્ધાવસ્થા ન આવે તે માટે ઔષધ આદિ કરે તોપણ, દુર્જય જરાદિના સ્વભાવવાળું શરીર જરાને પ્રાપ્ત કરે છે અને અંતે યમરાજને વશ થઈ મૃત્યુને પામે છે. આ પદાર્થને સમ્યગુ પ્રકારે સમાલોચન કરીને ચિત્ત એનાથી ભાવિત થાય તો સંસારથી વિરક્ત થયેલું ચિત્ત યોગમાર્ગમાં દઢ યત્ન કરીને સંસારની આવી વિષમ સ્થિતિમાં પણ સદા યોગમાર્ગના સેવનરૂપ સ્વસ્થતાનો અનુભવ કરે છે અને મૃત્યુ વખતે લેશ પણ ખેદ વગર અપ્રમાદપૂર્વક પંડિતમરણ વરે છે. જો શ્લોક : व्रजति तनयोऽपि ननु जनकतां, तनयतां व्रजति पुनरेष रे । भावयन्विकृतिमिति भवगतेः त्यजतमां वैभवशुभशेष रे ।।कलय० ५।। શ્લોકાર્થ :પુત્ર પણ ખરેખર જનકતાને પિતૃત્વને પામે છે. વળી, આ પિતા, પુત્રતાને પામે છે એ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩. સંસારભાવના-ગીત | શ્લોક-૫-૬ પ્રકારે ભાવન કરતાં નૃભવ=મનુષ્યભવ, શુભ શેષવાળા એવા હે જીવ ! તું ભવગતિની વિકૃતિનો અત્યંત ત્યાગ કર. IIII ભાવાર્થ - ૪૩ મહાત્મા સંસારનું વાસ્તવિક સ્વરૂપ વારંવાર વિચારીને સંસારના ઉચ્છેદને અનુકૂળ દૃઢવીર્ય સંચય કરવા અર્થે ભાવન કરે છે કે વર્તમાનમાં જે પોતાનો પુત્ર છે તે પણ બીજા ભવમાં પોતાનો પિતા થાય છે. અને વર્તમાનનો પિતા પણ બીજા ભવમાં પોતાનો પુત્ર થાય છે. આ પ્રકારે સંસારની અનેક પ્રકારની વિચિત્રતાનું ભાવન કરે છે જેથી સ્વજનના સ્નેહનો પરિણામ શિથિલ થાય અને વિચારે છે કે આ મારો મનુષ્યભવ જે સાધનાને અનુકૂળ શુભશેષ છે તેને હું કઈ રીતે સફળ કરું કે જેથી ભવની ગતિની વિકૃતિનો ત્યાગ થાય અર્થાત્ ફ૨ી ભવની પ્રાપ્તિ ન થાય; કેમ કે સંસારનું સ્વરૂપ જ અત્યંત વિચિત્ર છે જેથી દરેક જીવો સાથે દરેક પ્રકારના સંબંધો પ્રાપ્ત કરીને જીવ ચારગતિઓમાં અનેક પ્રકારની વિડંબનાઓ પામે છે. માટે લેશ પણ પ્રમાદ વગર ભવના ઉચ્છેદ માટે મારે દૃઢ ઉદ્યમ કરવો જોઈએ. આ પ્રકારે સંકલ્પ કરીને શક્તિ અનુસાર સદા આત્માને જિનવચનથી ભાવિત કરવા ઉદ્યમ કરે છે જેથી સુખપૂર્વક પુત્રાદિના સ્નેહના સંબંધોનો ત્યાગ કરીને સંસારનો ઉચ્છેદ કરી શકે. III શ્લોક ઃ यत्र दुःखार्तिगददवलवैरनुदिनं दह्यसे जीव रे । - हन्त तत्रैव रज्यसि चिरं, मोहमदिरामदक्षीब रे । । कलय० ६ । । શ્લોકાર્થ - જયાં=જે સંસારમાં, દુઃખની પીડાને કરનાર રોગરૂપ દાવાનળના લવથી હે જીવ ! તું સતત પીડાય છે. ખેદની વાત છે કે ત્યાં જ=તે સંસારમાં જ, મોહમદિરાના મદથી ક્ષીણ થયેલા એવા હે જીવ ! તું ચિરકાળ સુધી રાગ કરે છે. IIII ભાવાર્થ: સંસારથી ચિત્તને વિરક્ત કરવા મહાત્મા ભાવન કરે છે કે સંસારની અવસ્થામાં દુ:ખની પીડારૂપ રોગદાવાનલના તણખલા વારંવાર જીવને બાળનારા છે, તેનાથી જીવ સતત બળે છે; કેમ કે સંસારવર્તી જીવોનું જીવન પ્રાયઃ શાતા-અશાતાથી અનુવિદ્ધ હોય છે. અસ્ખલિત શાતાનો પ્રવાહ વર્તતો નથી. આથી જ શરીરનો શ્રમ, ક્ષુધા, તૃષાદિ અનેક પ્રકારની પીડાથી યુક્ત ભવ વર્તે છે. આમ છતાં, ક્ષુધાની પીડા થાય અને ભોજનની પ્રાપ્તિ થાય ત્યારે ક્ષુધાની પીડાને ભૂલીને તે ભોજનાદિમાં જ રાગ કરે છે. તે જ રીતે જે જે પ્રકારની શરીરની પીડાઓ ઉત્પન્ન થાય તે તે પ્રકારના પ્રતિકારને કરી ક્ષણિક સુખને પ્રાપ્ત કરે છે. આ Page #61 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ ક્ષણિક સુખમાં જીવ રાગ કરે છે તેના કારણે મોહના પરિણામરૂપ મદિરાના મદથી ક્ષીણ થયેલી વૃત્તિવાળો જીવ બને છે. વળી જેઓ સંસારની વાસ્તવિક સ્થિતિનો વિચાર કરે છે, તેઓને જણાય છે કે જેને બાહ્ય કે અંતરંગ સંગ નથી એવા સિદ્ધના જીવોને સુધાદિ કોઈ દુઃખની અરતિ નથી. તેથી તેઓ કોઈ રીતે પીડાતા નથી અને તેને દૂર કરવા માટે તેમને કોઈ શ્રમ કરવો પડતો નથી. વળી સિદ્ધના જીવો અંતરંગ વિકારો વગરના છે. તેથી સદા સુખી છે માટે જેઓ દેહકૃત કે કર્મકૃત ઉપદ્રવ વગરના છે તે સદા સુખી છે અને સંસારીજીવોને જ્યારે અંતરંગ મોહના ઉપદ્રવો થાય છે ત્યારે તેને શમન કરવા માટે યત્ન કરીને જ્યારે જ્યારે તે દુ:ખોનું ક્ષણિક શમન કરી શકે છે ત્યારે તેમાં રાગને ધારણ કરે છે. પરંતુ સર્વ દુઃખોના મૂળભૂત મોહને ઉન્મેલનમાં યત્ન કરતા નથી તેથી સર્વ દુઃખોની પરંપરાને પ્રાપ્ત કરે છે. આ પ્રકારે મોહના ઉન્માદનું વિષમ સ્વરૂપ વિચારીને મોહના ઉન્માદથી પર થવા માટે મહાત્મા સંસારના સ્વરૂપનું ભાવન કરે છે. જેથી સદા પોતાના શુદ્ધ આત્માનું પારમાર્થિક સ્વરૂપ જ તેને સુખકારી જણાય છે અને તેમાં જ તેને રાગ થાય છે, જે રાગ મોહનું ઉમૂલન કરીને આત્મકલ્યાણનું પ્રબળ કારણ બને છે. Iકા શ્લોક - दर्शयन् किमपि सुखवैभवं, संहरंस्तदथ सहसैव रे । विप्रलम्भयति शिशुमिव जनं, कालबटुकोऽयमत्रैव रे ।।कलय० ७।। શ્લોકાર્ય : અહીં=સંસારમાં કંઈ પણ સુખ વૈભવને બતાવતો અથ ત્યાર પછી તેને સહસા જ સંહરણ કરતો આ કાલબટુક બાળકની જેમ જનને પ્રલોભન આપે છે. IITI ભાવાર્થ : સંસારીજીવોને ચારગતિમાં પરિભ્રમણ કરતાં ક્યારેક ક્યારેક આ કાળબટુક મનુષ્યગતિમાં કે દેવગતિમાં સુખને અને વૈભવને આપે છે અને તેનો કાળ પૂરો થાય ત્યારે તેનું સંહરણ કરી લે છે. પરંતુ જીવને આ કાળબટુક સદા સુખી રહેવા દેતો નથી, છતાં જેમ લોકોને નાનું બાળક રમાડવામાં પ્રલોભન આપે છે તેથી બાળકને રમાડવાની વૃત્તિવાળા જીવો તે તે પ્રકારે બાળકને રમાડીને આનંદ લેવા પ્રયત્ન કરે છે તેમ સંસારીજીવોને જ્યારે જ્યારે સુખ અને વૈભવ પ્રાપ્ત થાય છે ત્યારે ત્યારે તે જીવો તે તે ભોગોમાં લંપટ થાય છે જેથી પોતાનું હિત સાધી શકતા નથી. માટે આ કાળબટુકનું વિચિત્ર સ્વરૂપ ભાવન કરીને મહાત્માઓ સંસારથી આત્માને વિરકત કરવા યત્ન કરે છે. શા અવતરણિકા - પૂર્વમાં સંસારનું સ્વરૂપ બતાવ્યા પછી હવે હિતના અર્થી જીવે શું કરવું જોઈએ ? તે બતાવે છે - Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩. સંસારભાવના-ગીત | શ્લોક-૮ શ્લોક : सकलसंसारभयभेदकं, जिनवचो मनसि निबधान रे । विनय परिणमय निःश्रेयसं, विहितशमरससुधापान रे ।।कलय० ८।। શ્લોકાર્ય : મનમાં સકલ સંસારના ભયના ભેદક એવા જિનવયનને નિબંધન કરનાર એવા હે જીવ! અને કરાયેલા સમરસસુધાપાનવાળા હે વિનય! તું નિઃશ્રેયસને પરિણમન પમાડ. llcli ભાવાર્થ : અત્યારસુધી સંસારના સ્વરૂપને બતાવનાર અનેક પ્રકારની ભાવનાઓથી આત્માને ભાવિત કર્યા પછી મહાત્માઓ આત્માના સ્વવીર્યને ઉલ્લસિત કરવા આત્માને સંબોધીને કહે છે – સંસારના સર્વ ભયોનો ભેદ કરનાર જિનવચન છે. એ જિનવચનને મનમાં ધારણ કરનાર હે જીવ! તું નિઃશ્રેયસને પરિણમન પમાડ. વળી પોતાને સંબોધીને કહે છે કે કર્યું છે શમરસસુધાનું પાન એવા હે જીવ ! આત્માને નિઃશ્રેયસ પરિણમન પમાડ. વળી પોતે કર્મોનો વિનયન કરવાની કામનાવાળો છે. તેની ઉપસ્થિતિ કરવા માટે કહે છે તે વિનય ! તું નિઃશ્રેયસને પરિણમન પમાડ. આ પ્રકારે વિચારવાથી તેના ચિત્તમાં ત્રણ વસ્તુ સ્થિર થાય છે. (૧) સંસાર અનેક પ્રકારના ભયવાળો છે અને તે સંસારના ભયનું ભેદક જિનવચન છે; કેમ કે સંસાર રાગભાવનાથી ઉત્પન્ન થાય છે અને જિનવચન જિનતુલ્ય થવા માટે વીતરાગ ભાવનાથી આત્માને વાસિત કરે છે તેથી તે જિનવચન સંસારના સર્વ ભયોનું ભેદક છે તેવી બુદ્ધિ આત્મામાં સ્થિર થાય છે. (૨) વળી, જિનવચનથી પોતાનો આત્મા ભાવિત થવાને કારણે પોતે શમરસરૂપ સુધાપાન કરનારો થયો છે. તેથી પોતે સંસારની નિષ્પત્તિના કારણભૂત ભાવનાથી વિમુખ થયો છે અને શાંતરસને અભિમુખ થયો છે તેવી પસ્થિતિ થાય છે. (૩) વળી, કર્મનું વિનયન કરવાને અભિમુખ પોતે થયો છે, તેથી ત્રણ સંબોધન દ્વારા પોતાના આત્માને જાગ્રત કરીને કહે છે કે તું નિઃશ્રેયસને પરિણમન પમાડ અર્થાત્ સર્વ ઉદ્યમથી મોહના પરિણામનો વિનાશ થાય તે પ્રકારે દૃઢ યત્ન કરીને આત્મામાં મોક્ષને અભિમુખ ઉત્તર-ઉત્તર ભાવોનું પરિણમન થાય તેવો યત્ન કરે જેથી વિષમ એવા સંસારનો સદા માટે વિયોગ થાય.IIII II ત્રીજો પ્રકાશ પૂર્ણ II Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શાંતસુધારસ વહાવવા શ્લોક : एक एव भगवानयमात्मा, ज्ञानदर्शनतरङ्गसरङ्गः । सर्वमन्यदुपकल्पितमेतद, व्याकुलीकरणमेव ममत्वम् ।।१।। શ્લોકાર્ધ : જ્ઞાન, દર્શનના તરંગોના સરંગવાળોસરક્તા ભાવોના વિલાસવાળો, એવો આ ભગવાન આત્મા એક જ છે. અન્ય સર્વત્ર આત્માથી ભિન્ન એવું શરીર, સ્વજન, ધન-ધાવ્યાદિ સર્વ,” ઉપકલ્પિત છે મારું છે એ પ્રકારે કલ્પિત જ છે, આનું વ્યાકુળીકરણ જએક એવા આત્માનું વ્યાકુળીકરણ જ, મમત્વ છે અન્ય સર્વ પદાર્થોમાં ઉપકલ્પિત એવું મમત્વ છે. ||૧|| ભાવાર્થ : પોતાનો આત્મા પારમાર્થિક કેવા સ્વરૂપવાળો છે અને વર્તમાનમાં પોતાને જે રૂપે પ્રતીતિ થાય છે તે પ્રતીતિ કેવી છે તેના સ્વરૂપને ઉપસ્થિતિ કરવા અર્થે મહાત્મા વિચારે છે – જ્ઞાન-દર્શનરૂપ જે તરંગો અને તે તરંગોમાં સતત પ્રવર્તતો ભગવાન એવો આ મારો આત્મા એક જ છે. આ પ્રકારે વિચારીને મહાત્મા પોતાના આત્માને એકત્વભાવનાથી ભાવિત કરે છે કે જગતના સર્વ પદાર્થો વિદ્યમાન હોવા છતાં તે સર્વ પદાર્થો સાથે પારમાર્થિક રીતે પોતાને કોઈ સંબંધ નથી; કેમ કે દરેક દ્રવ્યો પોતપોતાના સ્વરૂપમાં વર્તનારા છે. તેમ પોતાનો આત્મા કેવલજ્ઞાન, કેવલદર્શન સ્વરૂપમાં વર્તનારો છે જે પોતાનું સ્વરૂપ સિદ્ધઅવસ્થામાં પ્રગટરૂપે છે અને સંસાર અવસ્થામાં કર્મના ઉદયને કારણે આત્માનું તે સ્વરૂપ ઘણું આવૃત થયું હોવા છતાં તેનો જ કંઈક અંશ વર્તમાનમાં વિદ્યમાન છે અને તે સ્વરૂપના બળથી જીવ પરાક્રમ કરે તો તેનાં આવારક કર્મોને દર કરીને પોતાનું જ્ઞાન, દર્શન રૂ૫ મુળ સ્વરૂપે પ્રગટ કરી શકે તેમ છે. આત્માના આ સ્વરૂપને પ્રગટ કરવાના અભિલાષથી જ મહાત્મા શ્રુતના બળથી તે સ્વરૂપને ઉપસ્થિત કરીને તે ભાવને પ્રગટ કરવા અર્થે વિચારે છે કે ગુણવાન એવો મારો આત્મા ખરેખર પરમાર્થથી કેવલજ્ઞાન, કેવલદર્શન સ્વરૂપ જ છે, છતાં જ્ઞાનાવરણીયકર્મને કારણે અને દર્શનાવરણીયકર્મને કારણે મારી ઘણી જ્ઞાનશક્તિ, દર્શનશક્તિ હણાયેલી છે અને કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલ વિદ્યમાન જ્ઞાનશક્તિ ચારિત્રમોહનીય કર્મના ઉદયથી પોતાના આત્મભાવોને છોડીને બાહ્યભાવોમાં વર્તે છે અને દર્શનમોહનીયકર્મના ઉદયથી પોતાની મૂળ પ્રકૃતિનું દર્શન જીવ કરી શકતો નથી અને બાહ્ય પદાર્થો સાથે સંશ્લેષવાળી પોતાની પ્રકૃતિને જ પોતાની મૂળ પ્રકૃતિરૂપે જાણે છે. તેના નિવારણ અર્થે મહાત્મા ભાવન કરે છે કે આત્માથી ભિન્ન એવા દેહ, કર્મ, સ્વજનાદિ સર્વ સાથે પોતાનો સંબંધ છે એ ઉપકલ્પિત છે; કેમ કે પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોવાની દર્શનશક્તિ વિપર્યાસવાળી હોવાથી આ સર્વ સાથે મારો અભેદ છે તેવી બુદ્ધિ થાય છે અને તેના કારણે તે સર્વ પદાર્થો Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪. એકત્વભાવના | શ્લોક-૧-૨ મારા છે અથવા તે પદાર્થોરૂપ જ હું છું એ પ્રકારની મમત્વની બુદ્ધિ થાય છે જે આત્માનું વ્યાકુલીકરણ જ છે અર્થાત્ આત્મા પોતાના સ્વરૂપમાં અવ્યાકુળભાવરૂપે રહેવાના સ્વભાવવાળો હોવા છતાં બાહ્ય પદાર્થોમાં ઉપકલ્પિત એવું મમત્વ સદા તેને ગ્રહણ કરવા માટે, સાચવવા માટે, રક્ષણ કરવા માટે આત્માને વ્યાકુળ રાખે છે. આ વ્યાકુલીકરણને કારણે આત્મા કર્મ બાંધે છે જેનાથી તે સર્વનો સંયોગ થાય છે અને સંયોગનો નાશ થાય છે ત્યારે જીવ વ્યાકુળ વ્યાકુળ થાય છે. આ રીતે બાહ્ય પદાર્થોને પોતાના માનીને તેની પ્રાપ્તિ અર્થે, તેના રક્ષણ અર્થે, અને તેનો નાશ ન થાય તેની ચિંતાથી જીવ વ્યાકુળ રહે છે અને નાશ થાય ત્યારે શોકથી વ્યાકુળ થાય છે. આનાથી વિરોધી એવી અવ્યાકુળ અવસ્થાની પ્રાપ્તિનો ઉપાય શુદ્ધ આત્માનો ભાવ છે અને તે શુદ્ધ આત્માના ભાવોમાં તન્મય થવા અર્થે જ યોગી પુરુષો સદા યત્ન કરે છે. III શ્લોક : अबुधैः परभावलालसालसदज्ञानदशावशात्मभिः । परवस्तुषु हा स्वकीयता, विषयावेशवशाद् विकल्प्यते ।।२।। શ્લોકાર્ચ - ખેદની વાત છે કે પરભાવની લાલસાથી પ્રવર્તતી એવી અજ્ઞાન દશાવાળા અબુધપુરુષો વડે વિષયના આવેશના વશથી પરવસ્તુમાં સ્વકીયતા વિકલ્પાય છે. ll ભાવાર્થ - સંસારીજીવોને પોતાનો આત્મા જ્ઞાનમય છે અને જ્ઞાનમાં સ્થિર સ્વભાવવાળો હોવાથી સુખમય છે તેનું અજ્ઞાન વર્તે છે માટે સુખના અર્થી એવા તે બાહ્ય પદાર્થોમાં સુખ-બુદ્ધિની કલ્પના કરીને તેના ભાવોમાં લાલસાવાળા થાય છે. આવી લાલસાથી પ્રવર્તતી અજ્ઞાનદશા સંસારીજીવોમાં સતત વર્તે છે જેના કારણે તેઓ પર વસ્તુઓમાં સ્વકીયતાની બુદ્ધિ કરે છે. હવે આવી સ્વકીયતાની બુદ્ધિ કેમ કરે છે તો કહે છે કે વિષયો પ્રત્યે લાગણીનો આવેશ વર્તે છે જેનાથી સ્વકીયતાની કલ્પના કરે છે. વસ્તુત: જીવનું જ્ઞાનાત્મક સ્વરૂપ તેની સાથે તાદામ્ય ભાવરૂપે વર્તે છે જે જ્ઞાન ઉપદ્રવ વગરનું હોય તો સુખરૂપે જ વેદન થાય છે. આમ છતાં જીવને અજ્ઞાનને વશ કર્મજન્ય વિકૃત સુખના સાધનભૂત બાહ્ય પદાર્થોમાં જ સ્વકીયતાની બુદ્ધિ થાય છે. આ સ્વકીયતાની બુદ્ધિ કાલ્પનિક છે અને આત્માના ભાવોમાં સ્વકીયતાની બુદ્ધિ પારમાર્થિક છે. આ પ્રકારે પ્રસ્તુત શ્લોકથી ભાવન કરીને બાહ્ય પદાર્થોમાંથી સ્વકીયતાની બુદ્ધિના નાશ અર્થે અને મોહથી અનાકુળ એવા જ્ઞાનમાં સ્વકીયતાની બુદ્ધિને સ્થિર કરવા માટે મહાત્માઓ પ્રયત્ન કરે છે, છતાં વારંવાર ભાવન દ્વારા પણ જ્યાં સુધી અંતરંગ ભાવોમાં સ્વકીયતાની બુદ્ધિ સ્થિર ન થાય ત્યાંસુધી નિમિત્તોને પામીને સહજ રીતે દેહમાં, પોતાના નામમાં, પોતાની સાથે સંબંધ પામતા સંબંધોમાં જ સ્વકીયતા-બુદ્ધિ ઉલ્લસિત થાય છે જેનાથી સર્વ ક્લેશોની પરંપરા ઊભી થાય છે. આ પ્રકારે પુનઃ પુન: ભાવન કરીને મહાત્માઓ આત્માના એકત્વભાવને સ્થિર કરવા માટે સદા યત્ન કરે છે. શા Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શાંતસુધારસ શ્લોક : कृतिनां दयितेति चिन्तनं, परदारेषु यथा विपत्तये । विविधार्तिभयावहं तथा, परभावेषु ममत्वभावनम् ।।३।। શ્લોકાર્ચ - બુદ્ધિમાન પુરુષોને પરસ્ત્રીમાં સ્વી એ પ્રમાણેનું ચિંતવન વિવિધ પીડાના ભયને લાવનારું વિપતિ માટે છે, તે પ્રમાણે પરભાવોમાં=આત્માથી ભિન્ન એવા અન્ય ભાવોમાં, મમત્વનું ભાવન બુદ્ધિમાન માટે વિવિધ પીડાના ભયને લાવનારું વિપતિ માટે છે. I3II ભાવાર્થ : મહાત્માઓ એકત્વભાવનામાં સ્થિર થવા અને બાહ્ય પદાર્થોના મમત્વને દૂર કરવા માટે ભાવન કરે છે કે બુદ્ધિમાન પુરુષોને પરસ્ત્રીમાં “આ મારી સ્ત્રી છે", તેવી બુદ્ધિ થાય તો તે બુદ્ધિ વિવિધ પ્રકારની પીડા અને ભયને લાવનાર છે. એટલું જ નહીં પણ તે આપત્તિઓનું સ્થાન છે; કેમ કે પરસ્ત્રીમાં પોતાની સ્ત્રીપણાની બુદ્ધિ થાય તોપણ તે પોતાની પાસે નહીં હોવાથી તેના વિરહની પીડા થાય છે. વળી, કોઈક પ્રસંગને પામીને તેની સાથે સંબંધ થાય કે કોઈક રીતે તે સ્થિતિમાં ગ્રહણ થાય તો તેના પતિ આદિ તરફથી અનેક આપત્તિઓ આવે છે, તેથી બુદ્ધિમાન પુરુષો પદાર્થના વાસ્તવિક સ્વરૂપનું અવલોકન કરીને પરસ્ત્રીઓમાં પત્નીપણાની બુદ્ધિ કરતા નથી. આ રીતે શુદ્ધ આત્માથી ભિન્ન એવા શરીર, સ્વજન, ધનાદિ ભાવોમાં મમત્વબુદ્ધિ થાય તો તે આત્મા માટે વિવિધ પ્રકારની અરતિ અને ભયને ઉત્પન્ન કરનાર છે અને અંતે વિપત્તિઓને પ્રાપ્ત કરાવે છે; કેમ કે જેઓને ધનાદિમાં મમત્વબુદ્ધિ થાય છે તેને ધન, સ્વજનાદિના રક્ષણ વગેરે માટે સતત ભય રહે છે અને ધનાદિમાં કરાયેલા મમત્વથી બંધાયેલાં પાપોથી દુર્ગતિઓની પ્રાપ્તિરૂપ આપત્તિઓ પણ આવે છે. માટે બુદ્ધિમાન પુરુષો પોતાના આત્માના ભાવોને છોડી અન્ય કોઈ ભાવોમાં મમત્વ કરતા નથી, છતાં અનાદિની વાસનાને કારણે દેહ આદિમાં મમત્વ વર્તે તો તેના ઉચ્છેદ માટે મમત્વ રહિત એવા તીર્થકરો, સુસાધુ, કે ઉત્તમ પુરુષોની ભક્તિ કરીને મમત્વ રહિત થવા પ્રયત્ન કરે છે. Imail. અવતરાણિકા : વળી, એકત્વભાવનાને આત્મામાં સ્થિર કરવા અર્થે મહાત્માઓ ભાવનકરે – શ્લોક : अधुना परभावसंवृति, हर चेतः परितोऽवगुण्ठिताम् । क्षणमात्मविचारचन्दनद्रुमवातोर्मिरसाः स्पृशन्तु माम् ।।४।। Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪. એકત્વભાવના | શ્લોક-૪-૫ શ્લોકાર્થ: હે ચેતન ! હવે, તું ચારેબાજુથી અવગુંઠિત ઘેરાયેલી, પરભાવની સંવૃતિને હર-દૂર કર, વળી, આત્મવિચારના ચંદનરૂપી વૃક્ષોમાંથી આવતા વાયુની ઊર્મિના રસો મને ક્ષણભર સ્પર્શ કરો. II૪ll ભાવાર્થ - આત્માને એકત્વભાવનાથી સ્થિર કરવા મહાત્મા વિચારે છે કે પરમાર્થથી આત્મા એક હોવા છતાં, અનેકત્વની ભાવનાથી જ ભાવિત છે તેથી જ પોતાના આત્મામાં ચારે બાજુથી ઘેરાયેલી પરભાવની સંવૃતિ વર્તે છે. આના કારણે મનોયોગ પ્રતિક્ષણ કોઈ ને કોઈ બાહ્ય પદાર્થને સ્પર્શીને તે તે ભાવોમાં વર્તે છે પરંતુ આત્મામાં વિશ્રાંતિને અનુકૂળ ઉદ્યમવાળો થતો નથી. જો પરભાવોની સંવૃતિનું હરણ પ્રાપ્ત થાય તો જ આત્મા પોતાના મૂળભૂત સ્વભાવમાં સ્થિર થવા પ્રયત્ન કરી શકે. તેથી આત્માને સંબોધન કરીને કહે છે કે હે આત્મા ! ચારેબાજુથી ઘેરાયેલી પરભાવની પરિણતિનું તું હરણ કર=દૂર કર, જેથી ચિત્ત બાહ્ય પદાર્થો પ્રત્યે સંશ્લેષ વગરનું બને. વળી, તેના માટે ભાવન કરે છે કે મોહ રહિત એવા આત્મપરિણામના વિચારરૂપ જે ચંદનવૃક્ષ છે તેને સ્પર્શીને વાતો એવો જે મનરૂપી પવન તેની ઊર્મિના રસો ક્ષણભર મને સ્પર્શ કરો, જેથી તેમાં મગ્ન થઈને હું પરભાવની વિશ્રાંતિને પામું. આશય એ છે કે આત્માની પરભાવની પરિણતિ આત્માને સંતપ્ત કરે તેવી છે અને આત્માની સ્વાભાવિક પરિણતિ આત્માને શીતલ કરે તેવી ચંદન જેવી છે. આવી શીતલ પરિણતિને અભિમુખ જો ચિત્તનું ગમન થાય તો તે પવનની ઊર્મિના રસો આત્માને શીતલતા આપે, જે શીતલતાના બળે પોતે પોતાના આત્મ ભાવોમાં સ્થિર થવા પ્રયત્ન કરી શકે જેથી આત્મામાં એકત્વભાવના સ્થિર સ્થિરતર થાય. જા શ્લોક - एकतां समतोपेतामेनामात्मन् विभावय । - लभस्व परमानन्दसम्पदं नमिराजवत् ।।५।। શ્લોકાર્ચ - હે આત્મન ! સમતાથી યુક્ત એવી આ એકતાનું પરભાવની સંવૃતિને હરણ કરવાથી પ્રગટ થયેલી એકત્વ પરિણતિરૂપ આ એકતાનું, તું વિભાવન કર અને નમિરાજાની જેમ પરમાનંદની સંપદાને તું પ્રાપ્ત કર. /પl ભાવાર્થ : એકત્વભાવનાના પરમાર્થને જાણનાર મહાત્મા પોતાનામાં એકત્વભાવનાને સ્થિર કરવા માટે પોતાના આત્માને કહે છે – સમતાના પરિણામથી યુક્ત એવી આ એકતાનું હે આત્મા ! તું વિભાવન કર. આનાથી Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦. શાંતસુધારસ એ પ્રાપ્ત થાય કે એકત્વભાવનામાં પરભાવનો સ્પર્શ નથી, પરંતુ સમતાથી યુક્ત એવી એત્વભાવના છે અને આત્મા જેમ જેમ એકત્વભાવનાને સ્થિર કરે છે તેમ તેમ પોતાનામાં જગતના સર્વ ભાવો પ્રત્યે સમતા પ્રકર્ષવાળી થાય છે. આત્મ બાહ્ય ભાવોથી સંવૃત થાય છે અને પોતાના સ્વરૂપમાં વિશ્રાંતિ કરવા માટે સદા પ્રવૃત્ત બને છે. આવી એકત્વભાવનાનું હે આત્મા ! તું વિભાવન કર જેથી પણ નમિરાજાની જેમ પરમાનંદની સંપદાને પ્રાપ્ત કરે. જે પરમાનંદ એકત્વભાવનાથી પ્રગટ થાય છે, ઉત્તર-ઉત્તર વૃદ્ધિ પામે છે અને અંતે સર્વ કર્મોનો નાશ કરીને પરમાનંદરૂપ મોક્ષની સંપત્તિનું કારણ બને છે. આપણા ૪. એકત્વભાવના-ગીત) શ્લોક :विनय चिन्तय वस्तुतत्त्वं, जगति निजमिह कस्य किम् । भवति मतिरिति यस्य हृदये, दुरितमुदयति तस्य किम् ।।विनय० १।। શ્લોકાર્ય : હે વિનય કર્મોના વિનયના અથ એવા હે જીવ! તું વસ્તુના તત્વનો=વસ્તુના સ્વરૂપનો, વિચાર કર. કેવા પ્રકારના વસ્તુતત્વનો વિચાર કર? તેથી કહે છે આ જગતમાં કોનું કયા જીવનું, પોતાનું શું છે અર્થાત્ પોતાના ભાવોથી અતિરિક્ત પોતાનું કંઈ જ નથી. જેના હૃદયમાં આ પ્રકારની મતિ થાય છે તેને શું દુરિત ઉદયમાં આવે છે? કોઈ અનર્થ પ્રાપ્ત થાય છે ? અર્થાત્ કોઈ અનર્થ પ્રાપ્ત થતો નથી. III. ભાવાર્થ : આત્માને એકત્વભાવનામાં સ્થિર કરવા અર્થે મહાત્મા વિચારે છે કે કર્મના અર્થી એવા હે આત્મા! તું વસ્તુના સ્વરૂપનો વિચાર કર ! અર્થાત્ આત્મારૂપ વસ્તુનું કેવું સ્વરૂપ છે તેનો વિચાર કર. ત્યાં પ્રશ્ન થાય કે આત્માનું કેવું સ્વરૂપ છે? તેથી કહે છે. આ જગતમાં કોઈ વસ્તુ પોતાની નથી. કેમ? તેથી કહે છે. દરેક પદાર્થો પોતાના પરિણામમાં વર્તે છે. કોઈ વસ્તુનો પરિણામ અન્ય કોઈ વસ્તુને પ્રાપ્ત થતો નથી. એથી સર્વ પદાર્થોમાં સંશ્લેષ વગરનો આત્માનો પોતાનો પરિણામ જ પોતાની વસ્તુ છે, એ સિવાય કોઈ વસ્તુ પોતાની નથી. આ પ્રકારે જેના હૃદયમાં સ્થિર બુદ્ધિ થાય છે, તે જીવોને આત્માથી ભિન્ન એવા સર્વ પદાર્થો પોતાના માટે સમાન છે એવી સ્થિર બુદ્ધિ થાય છે અને તેના કારણે કોઈ પદાર્થ પ્રત્યે સંશ્લેષ થતો નથી. તેથી પોતાનાથી ભિન્ન ધન, કુટુંબ આદિમાં તો સંશ્લેષ થતો નથી જપણ પોતાના સુંદર અસુંદર દેહ પ્રત્યે પણ સંશ્લેષ થતો નથી, કે પોતાનાં પ્રતિકૂળ અનુકૂળ એવાં કર્મો પ્રત્યે પણ સંશ્લેષ થતો નથી. તેથી પ્રતિકૂળતા આપાદક કર્મો પણ તેને કોઈ દુ:ખ આપી શકતાં નથી. પરંતુ નિજભાવમાં મગ્નતારૂપ સુખ જ સદા પ્રાપ્ત Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ૪. એકત્વભાવના-ગીત | શ્લોક-૧-૨-૩ થાય છે તેથી તેને કોઈ દુરિત=અનર્થ, ઉદયમાં આવતું નથી માટે વસ્તુતત્ત્વનો વિચાર કરીને આત્માએ પોતાના આત્માને એકત્વભાવનાથી ભાવિત કરવો જોઈએ. /વા શ્લોક - एक उत्पद्यते तनुमानेक एक विपद्यते । एक एव हि कर्म चिनुते, सैककः फलमश्नुते ।।विनय० २।। શ્લોકાર્ચ - દેહધારી એવો જીવ એકલો ઉત્પન્ન થાય છે, એકલો જ મરે છે, એક જ કર્મને બાંધે છે જે જે કૃત્ય પોતે કરે છે તે તે કૃત્યો અનુસાર કર્મ તે એક જ બાંધે છે. તે એક જ ફળને ભોગવે છેઃબાંધેલાં કર્મોના ફળને પ્રાપ્ત કરે છે. શા ભાવાર્થ એકત્વભાવનાને સ્થિર કરવા અર્થે મહાત્મા વિચારે છે કે જીવ જન્મે છે ત્યારે દેહધારી જીવ એક જ ઉત્પન્ન થાય છે. પરંતુ કોઈને સાથે લઈને જન્માંતરથી આવતો નથી. વળી, મૃત્યકાળમાં પણ એક પોતે જ મૃત્યુને પામે છે પરંતુ કોઈને સાથે લઈને જન્માંતરમાં જતો નથી. વળી પોતે જે સંસારમાં આરંભ-સમારંભ કરે છે તેનું ફળ સ્વજન આદિને પ્રાપ્ત થાય છે તો પણ પોતે જે આરંભાદિ કૃત્યો કરે છે અને તેમાં જે જે પ્રકારના સંક્લેશના ભાવો કરે છે તેને અનુરૂપ કર્મો તે જીવ એક જ બાંધે છે. અન્ય જીવો તો પોતપોતાના પરિણામને અનુરૂપ કર્મ બાંધે છે. પોતાની ઉપભોગાદિ સામગ્રીમાં જેમ સ્વજનાદિને જે ભાગ પ્રાપ્ત થાય છે તેમ પોતાનાથી બંધાયેલાં કર્મોમાં કોઈનો ભાગ થતો નથી. વળી, તે બાંધેલાં કર્મોનાં ફળ પણ પોતે એકલો જ અનુભવે છે. આ જાતની સંસારની સ્થિતિ હોવાને કારણે સ્વજનાદિ પ્રત્યેનાં બંધનોનો ત્યાગ કરીને એકત્વભાવનાથી આત્માને ભાવિત કરવો જોઈએ, જેથી સંશ્લેષ વગરના ચિત્તનું નિર્માણ થાય તો કર્મબંધના અનર્થની પ્રાપ્તિ થાય નહીં. શા શ્લોક - यस्य यावान् परपरिग्रहो, विविधममतावीवधः । जलधिविनिहितपोतयुक्त्या,पतति तावदसावधः ।।विनय० ३N શ્લોકાર્ચ - જેને જેટલો વિવિધ મમતાના ભારવાળો પર પરિગ્રહ છે તેટલો આ જીવ દરિયામાં સ્થાપન કરાયેલી નાવની યુક્તિથી નીચે પડે છે. III Page #69 -------------------------------------------------------------------------- ________________ પર. શાંતસુધારસા ભાવાર્થ - આત્માને એકત્વભાવનાથી ભાવિત કરવા અર્થે મહાત્માઓ વિચારે છે કે, આત્મા બાહ્ય પદાર્થો પ્રત્યે અનેક પ્રકારની મમતાઓ કરીને ભારે થાય છે અને તે મમતાના પરિણામરૂપ જ પરમાર્થથી પરપરિગ્રહ છે અને જેટલો તેવા પ્રકારના મમતાના પરિણામરૂપ પર પરિગ્રહ જીવમાં વર્તે છે તેટલો જીવ કર્મથી ભારે બને છે. જેમ દરિયામાં રહેલી નાવ વજનના ભારથી દરિયામાં ડૂબે છે તેમ આ જીવ પણ મમતાના ભારથી સંસારરૂપી દરિયામાં ડૂબે છે. આથી જ જેમણે મમતાના પરિણામને નષ્ટપ્રાયઃ કર્યો છે તેવા ચૌદ પૂર્વધરો પણ જ્યારે પ્રમાદને વશ બને છે ત્યારે રસગારવ આદિ સેવીને મમતાના ભારને વધારે છે અને મમતાના પરિણામની વૃદ્ધિથી ભારે કર્મો બાંધીને નિગોદમાં જાય છે, તેથી એકત્વભાવનાથી ભાવિત કરીને મમતાનો ત્યાગ કરવો એ જ સંસારમાં ડૂબતા આત્માને રક્ષણ કરવાનો એક ઉપાય છે. III શ્લોક : स्वस्वभावं मद्यमुदितो, भुवि विलुप्य विचेष्टते । दृश्यतां परभावघटनात्, पतति विलुठति जृम्भते ।।विनय० ४।। શ્લોકાર્ચ - જગતમાં મધથી મુદિત થયેલો જીવ સ્વસ્વભાવનું વિલોપન કરીને વિપરીત ચેષ્ટા કરે છે, અને પરભાવની ઘટનાથી=પરભાવની ચેષ્ટા કરવાથી, પડે છે, આળોટે છે, બગાસાં ખાય છે તે તું જે IIII ભાવાર્થ : સંસારીજીવો પોતાના સ્વાભાવિક સ્વરૂપમાં હોય ત્યારે બુદ્ધિ ઉપર પોતાનો કાબૂ રાખીને ઉચિત રીતે જીવતા હોય છે પરંતુ મદ્યપાન કરે અને તેના નશામાં ચડે ત્યારે પોતાની સ્વાભાવિક સ્થિતિનું વિલોપન કરીને જગતમાં ચેનચાળા આદિ ક્રિયાઓ કરે છે અને મદ્યપાનરૂપ પરભાવના ઘટનથી–તેની અસરથી, જમીન ઉપર પડે છે, આળોટે છે, બગાસાં ખાય છે. હે જીવ! તેને તું જો. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા વિચારે છે કે જેમ મદ્યપાનનો નશો આત્માને તદ્દન અસંબદ્ધ ચેષ્ટાઓ કરાવે છે તેમ આત્માથી પર એવા બાહ્ય પદાર્થો પ્રત્યેનો મમતાનો નશો જ્યારે જીવમાં વર્તે છે ત્યારે જીવ પોતાના વાસ્તવિક સ્વરૂપને ભૂલીને શિષ્ટજનને ન શોભે તેવી સર્વ અનુચિત ક્રિયા કરે છે. માટે બાહ્ય પદાર્થોના નશાને દૂર કરવા અર્થે તું એકત્વભાવનાથી આત્માને ભાવિત કરે જેથી મઘના નશાવાળા પુરુષની જેમ અનુચિત ચેષ્ટા કરીને વિનાશને પ્રાપ્ત કરતા એવા તારા આત્માનું તું રક્ષણ કરી શકે. III શ્લોક : पश्य काञ्चनमितरपुद्गलमिलितमञ्चति कां दशाम् । केवलस्य तु तस्य रूपं, विदितमेव भवादृशाम् ।।विनय० ५।। Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪. એકત્વભાવના-ગીત | શ્લોક-૫-૬ ૫૩ શ્લોકાર્ચ - હે વિચારક પુરુષ ! તું જો ઈતર પુદ્ગલથી મિલિત સુવર્ણકમાટી આદિથી મિલિત એવું સુવર્ણ, કઈ દશાને પામે છે. વળી કેવલ એવા તેનું સુવર્ણનું, સ્વરૂપ તમને પણ જણાયેલું છે. પI ભાવાર્થ એકત્વભાવનાથી આત્માને ભાવિત કરવા અર્થે મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે – તું જો, માટીના પુદ્ગલથી મિશ્રિત થયેલું સુવર્ણ કેવી મલિન દશાને પામે છે તેમ કર્મરૂપી પુદ્ગલથી મિશ્રિત થયેલો એવો તારો આત્મા કેવી વિકૃતિવાળી મોહદશાને પામે છે. વળી કેવલ એવા સુવર્ણનું સ્વરૂપ તને પણ વિદિત જ છે તેમ કર્મના મિશ્રણથી અમિશ્રિત એવા શુદ્ધ આત્માનું સ્વરૂપ સુવર્ણ જેવું નિર્મળ છે એમ વિચારીને તેને પ્રગટ કરવા અર્થે તું એકત્વભાવનાથી આત્માને ભાવિત કરે જેથી સદા પરમાર્થના સંશ્લેષ વગરના તારા પરિણામથી તું સુવર્ણ સદશ નિર્મળ અવસ્થાને પ્રાપ્ત કરીશ. પા શ્લોક : एवमात्मनि कर्मवशतो, भवति रूपमनेकधा । कर्ममलरहिते तु भगवति, भासते काञ्चनविधा ।।विनय० ६।। શ્લોકાર્ચ - એ રીતે=પૂર્વ શ્લોકમાં સુવર્ણનું દષ્ટાંત બતાવ્યું એ રીતે, આત્મામાં કર્મના વશથી અનેક પ્રકારનું સ્વરૂપ થાય છે. વળી, કર્મમલ રહિત ભગવાન એવા આત્મામાં કાંચનવિધા કાંચનતુલ્યતા, ભાસે છે. IIII. વાર્થ : જેમ અનાદિથી માટી સાથે એકમેક અવસ્થારૂપે ખાણમાંથી સુવર્ણ પ્રાપ્ત થાય છે ત્યારે તે અનેક પ્રકારની મલિનતાવાળું દેખાય છે અર્થાત્ જેવા પ્રકારની મલિનતાવાળી માટી હોય તેવા પ્રકારનું મલિન દેખાય છે. તેમ આત્મા પણ અનાદિથી કર્મોની સાથે એકમેક અવસ્થામાં વર્તે છે અને કર્મના વશથી આત્માની અનેક રૂપતાની પ્રાપ્તિ થાય છે. તેથી જે જીવનું, જે પ્રકારનું કર્મ હોય તે પ્રકારની તેના દેહાદિની સ્થિતિ કે મોહાદિ ભાવોની પરિણતિ થાય છે. વળી મહાત્મા વિચારે છે કે એકત્વભાવનાથી ભાવિત થયેલ મહાત્મા નિર્લેપભાવમાં સ્થિર થાય તો કર્મમલ રહિત સુવર્ણતુલ્ય નિર્મળતા પોતાનામાં પ્રગટે છે માટે હે આત્માનું ! સતત એકત્વભાવનાને ભાવન કરીને તેને સ્થિર સ્થિરતર કરવા યત્ન કર.IIકા Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૪. શાંતસુધારસ શ્લોક : ज्ञानदर्शनचरणपर्यवपरिवृतः परमेश्वरः । एक एवानुभवसदने, स रमतामविनश्वरः ।।विनय० ७।। શ્લોકાર્ચ - જ્ઞાન, દર્શન, ચારિત્ર પર્યાયથી પરિવૃત એવો પરમેશ્વર પરમ ઐશ્વર્યવાળો એક જ એવો મારો આત્મા છે. અવિનશ્વર એવો તે અનુભવસદનમાં અનુભવ રૂપ મહેલમાં, રમો. llણા ભાવાર્થ આત્માને એકત્વભાવનામાં સ્થિર કરવા અર્થે મહાત્મા વિચારે છે કે પદાર્થના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન એ જ્ઞાન છે. અને તે પદાર્થ પ્રત્યે તે પ્રકારની રુચિ અર્થાત્ જે પ્રકારે જ્ઞાન થયું તે પ્રકારે જ રુચિ તે દર્શન છે અને આત્માના યથાર્થ સ્વરૂપનો બોધ અને રુચિ થયા પછી તે સ્વરૂપમાં વિશ્રાંત થવાને અનુકૂળ અંતરંગ વ્યાપારરૂપ ચારિત્ર છે. એ ત્રણ પર્યાયથી પરિવૃત, પરમ ઐશ્વર્યવાળો, એક મારો આત્મા છે. આ પ્રકારે ઉપસ્થિત કરવાથી શ્રુતના બળથી સિદ્ધ સદશ પોતાના આત્માની ઉપસ્થિતિ થાય છે અને તેવો મારો આત્મા ક્યારેય વિનાશ પામનાર નથી પરંતુ તે સ્વરૂપે સદા અવિનશ્વર છે. આવો મારો આત્મા વર્તમાનમાં કર્મના દોષને કારણે આત્માના પોતાના સ્વરૂપના અનુભવને બદલે પુદ્ગલ સાથે સંશ્લેષનેત્રવિકૃત અનુભવને, કરનારો છે તે આત્મા ત્યાંથી નિવર્તન પામીને પોતાના શુદ્ધ આત્માના સ્વરૂપના અનુભવમાં રમનારો થાય. આ પ્રકારે મૃતવચનો દ્વારા શુદ્ધ આત્મા પ્રત્યેના ભાવોમાં રમવાના વિકલ્પો કરીને તે ભાવ પ્રત્યેના રાગભાવની વૃદ્ધિ કરવા માટે મહાત્માઓ યત્ન કરે છે, જેથી પોતાનામાં રહેલો એકત્વસ્વભાવ પ્રગટ થાય.IIળા શ્લોક - रुचिरसमतामृतरसं क्षणमुदितमास्वादय मुदा । विनय! विषयातीतसुखरसरतिरुदञ्चतु ते सदा ।।विनय० ८।। શ્લોકાર્ચ - હે વિનય !=કર્મના વિનયનના અથ, ક્ષણભર ઉદિત થયેલા પ્રગટ થયેલા, સુંદર એવા સમતારૂપ અમૃતરસનું તું, પ્રમોદપૂર્વક આસ્વાદન કર. તને સદા વિષયાતીત સુખના રસમાં રતિ પ્રગટ થાઓ. llcil ભાવાર્થ - એકત્વભાવનાને સ્થિર કરવા અર્થે મહાત્મા વિચારે છે કે જ્યારે જ્યારે પોતે એકત્વભાવનાથી ભાવિત Page #72 -------------------------------------------------------------------------- ________________ ૪. એકત્વભાવના-ગીત | શ્લોક-૮ ૫૫ થાય છે ત્યારે ત્યારે ક્ષણભર પ્રગટ થયેલ રોચક એવા સમતારૂપ અમૃતનો ૨સ અનુભવાય છે. તે રસનું પ્રીતિપૂર્વકનું તું આસ્વાદન કર. આ પ્રકારે શ્રુતના બળથી વિચારીને એકત્વભાવનાના ભાવનથી પ્રગટ થતા સમતારૂપી રસનું આસ્વાદન પોતાનામાં અતિશય અતિશયતર થાય તેવો યત્ન મહાત્મા કરે છે. વળી પોતાને સંબોધી કહે છે - હે કર્મના વિનયનના અર્થી જીવ ! તને વિષયોથી અતીત એવું આત્માની સ્વસ્થતારૂપ સુખ છે, એ સુખના રસમાં સદા રતિ પ્રગટ થાવ. જૅથી તે સુખ પ્રત્યેની રતિને કારણે તુચ્છ અને અસાર એવા બાહ્ય વિષયોમાં રતિ કરીને કર્મબંધની કદર્થના પ્રાપ્ત થાય છે, તેનાથી તારું રક્ષણ થાય. In II ચોથો પ્રકાશ પૂર્ણ ॥ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ૫. અન્યત્વભાવના - શાંતસુધારસ અવતરણિકા : આત્માથી અન્ય પદાર્થો સાથે આત્માનો અન્યત્વભાવ છે છતાં અનાદિના કર્મોના સંગને કારણે બાહ્ય પદાર્થો સાથે એકત્વબુદ્ધિ સ્થિર થયેલી છે તેને દૂર કરવા અર્થે અને અન્યત્વબુદ્ધિને સ્થિર કરવા અર્થે મહાત્મા કહે છે શ્લોક ઃ परः प्रविष्टः कुरुते विनाशं, लोकोक्तिरेषा न मृषेति मन्ये । निविश्य कर्माणुभिरस्य किं किं, ज्ञानात्मनो नो समपादि कष्टम् ।।१।। શ્લોકાર્થ -- ‘પ્રવિષ્ટ એવા પર=સ્વગૃહમાં પ્રવિષ્ટ એવી પર વ્યક્તિ વિનાશને કરે છે એ લોકોક્તિ મૃષા નથી” એ પ્રમાણે હું માનું છું. કર્મોના અણુઓ વડે પ્રવેશ કરાઈને જ્ઞાનાત્મા એવા આને=પોતાને શું શું કષ્ટો નથી ઉત્પન્ન કરાયાં ? ||૧|| ભાવાર્થ : કર્મ, દેહ કે અન્ય સર્વ જીવો અને અન્ય સર્વ પુદ્ગલો આત્માથી અત્યંત ભિન્ન છે. તે અત્યંત ભિન્ન હોવા છતાં અનાદિના સંસર્ગના કારણે જીવમાં થયેલી એકત્વબુદ્ધિથી કથંચિત્ એકત્વભાવને પામેલા છે અને તે એકત્વભાવને કારણે સંસારીજીવો અનેક વિડંબનાને પામે છે, છતાં અજ્ઞાનને વશ સ્પષ્ટ દેખાતી એવી વિડંબના પણ સંસારીજીવોને દેખાતી નથી. માત્ર મોહને વશ પોતાને કર્યો સંયોગ અનુકૂળ છે અને કયો સંયોગ પ્રતિકૂળ છે એટલું જ દેખાય છે. પરંતુ કોઈક રીતે પ્રગટ થઈ છે નિર્મળ દૃષ્ટિ એવા યોગ્ય જીવને બાહ્ય પદાર્થોના સંસર્ગથી જ આત્માને સર્વ વિડંબના થાય છે તેવું જણાય છે. છતાં અનાદિની વાસનાને કા૨ણે અનુકૂળ બાહ્ય પદાર્થના સંસર્ગની ઇચ્છા પણ થાય છે અને પ્રતિકૂળ બાહ્ય પદાર્થના સંસર્ગમાં ખેદ પણ થાય છે. આવા જીવો આત્માના બાહ્ય પદાર્થો સાથેના સંસર્ગના નિવારણના ઉપાયભૂત અન્યત્વભાવનાથી આત્માને વાસિત કરવા અર્થે અનુભવ અનુસાર વિચારે છે કે લોકમાં પણ કહેવાય છે કે પાકી વ્યક્તિ પોતાના ગૃહમાં પ્રવેશ કરે તો ઘરનો નાશ કરે છે. આ પ્રકારની લોકોક્તિ ખરેખર ખોટી નથી એ પ્રમાણે હું માનું છું. કેમ ખોટી નથી તે સ્પષ્ટ કરવા વિચારે છે કે – આત્માથી ૫૨ એવા કર્મ પરમાણુઓએ આત્મામાં પ્રવેશ કરીને પોતાના જ્ઞાન સ્વરૂપ આત્માને કયાં કયાં કષ્ટો નથી ઉત્પન્ન કર્યાં અર્થાત્ અનેક કષ્ટ ઉત્પન્ન કર્યાં છે એ જ બતાવે છે કે આત્માથી પર એવાં કર્મોને પોતાનામાં પ્રવેશ પામતાં અટકાવવાના ઉપાયભૂત બળ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫. અન્યત્વભાવના | શ્લોક-૧-૨-૩ ૫૭ સંચય ક૨વા અર્થે મહાત્મા અન્યત્વભાવના દ્વારા પદાર્થો પ્રત્યેના પોતાના અસંગના પરિણામને ઉલ્લસિત ક૨વા પ્રયત્ન કરે છે, જેથી અસંગના પરિણામની બુદ્ધિથી તેમનાં કર્મોના આગમનના બીજભૂત સંગનો પરિણામ ક્ષીણ ક્ષીણતર થાય છે જેથી કર્મોનો સમૂહ અલ્પ અલ્પતર થવાથી કર્મો કૃત વિડંબના પણ અલ્પ અલ્પતર થાય છે. જ્યારે સર્વથા સંગની વૃત્તિ નાશ પામે છે ત્યારે નવા નવા મોહના પરિણામો સદા અટકે છે અને અસંગ સ્વરૂપવાળો એવો આત્મા પોતાના જ્ઞાન સ્વરૂપનું સદા સુખાત્મક રૂપે વેદન કરે છે. IIII અવતરણિકા : અન્ય પદાર્થો આત્માથી અન્ય છે તેવું ભાવન કરવા માટે શ્લોક-૧માં કર્મઅણુથી આત્મા ભિન્ન છે તેનું ભાવન કર્યું. હવે દેહ, ધન, કુટુંબ આદિથી પણ આત્મા અન્ય છે તેવું ભાવન કરવા અર્થે કહે છે— શ્લોક ઃ खिद्यसे ननु किमन्यकथार्तः, सर्वदैव ममतापरतन्त्रः । चिन्तयस्यनुपमान् कथमात्मन् नात्मनो गुणमणीन्न कदापि ।।२।। શ્લોકાર્થ ઃ અન્યની “નનુ” શબ્દ આક્ષેપ અર્થમાં છે તેથી પોતાના આત્માને સન્મુખ કરીને કહે છે કથાથી આર્ત્ત=વિહ્વળ, એવો તું સર્વદા જ મમતાને પરતંત્ર કેમ ખેદ કરે છે ? હે આત્મન્ ! ઉપમા ન આપી શકાય તેવા આત્માના ગુણમણિને તું ક્યારેય પણ કેમ ચિંતવન કરતો નથી ? ।।૨।। ભાવાર્થ : - અન્યત્વભાવનાને સ્થિર કરવા અર્થે મહાત્મા પોતાના અનુભવ અનુસારે પદાર્થને વિચારતાં કહે છે કે પોતે આત્માથી ભિન્ન એવાં શરીર, ધન, કુટુંબ, દેહની વિચારણાથી સદા પીડિત છે. આમાં કા૨ણ પોતે સદા દેહાદિ પ્રત્યે મમતાના ભાવને રાખીને પરતંત્ર વર્તે છે, તેથી સદા અનુકૂળ પ્રતિકૂળ સંયોગમાં ખેદને પામે છે. વળી આત્માને સંબોધીને કહે છે હે આત્મન્ ! જેની ઉપમા ન આપી શકાય તેવા અનુપમ અનેક ગુણમણિઓ તારા આત્મામાં રહેલા છે જે તને સદા સુખ આપે તેવા છે. જો તું તેનું ચિંતવન કરે તો આત્માને પોતાનામાં જ સ્થિરતા પ્રાપ્ત થાય, જેથી કોઈ સંયોગોમાં બાહ્ય પદાર્થોની ચિંતાથી ખેદ પ્રાપ્ત થાય નહીં પરંતુ સદા સ્વસ્થતાના સુખની પ્રાપ્તિ થાય. સુખનો અર્થી એવો તું બાહ્ય પદાર્થોને પોતાના માને છે તેથી જ સર્વ દુઃખોની પરંપરા થાય છે. માટે તેનો ત્યાગ કરીને આત્માના મોહથી અનાકુળ એવા જ્ઞાનના પરિણામરૂપ સુખનું ચિંતવન ક૨, જેથી સદા સુખની પ્રાપ્તિ થાય. IIા અવતરણિકા : હવે, પોતાનો આત્મા કથા ભાવોથી અન્ય છે તે સર્વને અત્યંત સ્પષ્ટ કરવા અર્થે મહાત્મા ભાવન કરે છે - - Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શાંતસુધારસ શ્લોક : यस्मै त्वं यतसे बिभेषि च यतो, यत्रानिशं मोदसे, यद्यच्छोचसि यद्यदिच्छसि हदा, यत्प्राप्य पेप्रीयसे । स्निग्धो येषु निजस्वभावममलं, निर्लोठ्य लालप्यसे, तत्सर्वं परकीयमेव भगवन् ! नात्मन्न किञ्चित्तव ।।३।। શ્લોકાર્ચ - જેના માટે તું યત્ન કરે છે જે ધનાદિ બાહ્ય પદાર્થો માટે તું યત્ન કરે છે, અને જેનાથી તું ભય પામે છે શત્રુ આદિથી કે પ્રતિકૂળ તેવા રોગાદિથી તું ભય પામે છે, જેમાં તે સતત પ્રમોદને કરુ છે ઈન્દ્રિયોને અનુકૂળ કે શરીરને અનુકૂળ જે વસ્તુમાં તું સતત પ્રમોદને કરે છે, જેનો જેનો તું શોક કરે છે જે ધનાદિ પોતાને પ્રાપ્ત થયા નથી તે સર્વને પ્રાપ્ત કરવાની ચિંતા કરે છે, જે જે વસ્તુને તું ઈચ્છે છે=જે શરીરને અનુકૂળ ઈન્દ્રિયોને અનુકૂળ એવા વસ્તુને તું ઈચ્છે છે, અને જેને પ્રાપ્ત કરીને હૃદયથી તું પ્રીતિ કરે છે જે ઈષ્ટ પદાર્થોને પ્રાપ્ત કરીને હૃદયથી તું પ્રીતિ કરે છે, જેમાં સ્નિગ્ધ છો=જે જે પદાર્થોમાં તું સ્નેહવાળો છો, અને અમલ એવા નિજ સ્વભાવનું નિર્લોકન કરીને જેમ તેમ તું બોલે છે. હે ભગવાન ! તે સર્વ=પૂર્વમાં જે જે ચેષ્ટાઓ બતાવી તે ચેષ્ટાના વિષયભૂત સર્વ, પરકીય જ છે, હે આત્મન્ ! તારું કઈ નથી. II3II ભાવાર્થ : મહાત્માઓ, આત્માથી અન્ય-અન્ય વિષયવાળી જે સંસારીજીવોની પ્રવૃત્તિ છે તે સર્વને સ્મૃતિમાં લાવીને તેનાથી અન્ય પ્રકારનું આત્માનું સ્વરૂપ છે તેને અત્યંત ઉપસ્થિત કરવા અર્થે વિચારે છે કે શરીરધારી એવો તું જે જે વસ્તુને મેળવવા માટે યત્ન કરે છે તે વસ્તુ તારાથી અન્ય છે. વળી, જે બાહ્ય પદાર્થોને જોઈને તને ભય થાય છે તે સર્વ અન્ય છે. જો તે જ પદાર્થો પ્રત્યે એકત્વબુદ્ધિ ન હોય તો તે પદાર્થોથી તને ભય થાય નહીં. આથી જ ઘાણીમાં પિલાતા, ક્ષપકશ્રેણી પર ચઢેલા, મહાત્માઓને તે દેહની પીલનની ક્રિયાથી પણ ભય થયો નથી. વળી મહાત્મા વિચારે છે કે જે બાહ્ય વસ્તુઓને જોઈને તું હંમેશાં આનંદ પામે છે તે બાહ્ય વસ્તુ પણ તારા આત્માથી ભિન્ન છે અને જો ભિન્નપણાનું તું ભાવન કરે તો તે બાહ્ય પદાર્થને આશ્રયીને આનંદ લેવાની વૃત્તિ ઉત્પન્ન થાય નહીં, જેથી કર્મબંધનની કદર્થના પ્રાપ્ત થાય નહીં. વળી, જે બાહ્ય વસ્તુને આશ્રયીને તું ચિંતા કરે છે તે તારા આત્માથી ભિન્ન છે અને તે રીતે ભાવન કરીને તેની ચિંતા છોડી દે તો સદા પોતાની આત્માની સંપત્તિને પ્રગટ કરવા માટે જ તને ચિંતા રહે, જે ચિંતા આત્મા માટે કલ્યાણનું કારણ છે. વળી, વિચારે છે કે બાહ્ય વસ્તુને તું ઇચ્છે છે તે સર્વ તારાથી ભિન્ન છે. જેની ઇચ્છા કરીને તું કેવળ કદર્થના પ્રાપ્ત કરે છે. વસ્તુતઃ આત્માની અંતરંગ ગુણ-સંપત્તિની ઇચ્છા કરવી જ તારા માટે શ્રેય છે. વળી, જે જે વસ્તુને પામીને તું હૃદયથી પ્રેમ કરે છે તેનાથી તને કંઈ પ્રાપ્ત થતું નથી; કેમ કે તે તારાથી ભિન્ન Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫. અન્યત્વભાવના / શ્લોક-૩-૪ ૫૯ છે માટે તારી અંતરંગ સંપત્તિને જ પ્રાપ્ત કરીને તારે હૃદયથી પ્રીતિ કરવી જોઈએ. વળી, વિચારે છે કે જે બાહ્ય વસ્તુમાં તને સ્નિગ્ધ પરિણામ થાય છે, તે તારાથી ભિન્ન છે. વળી, આત્માના નિર્મળ સ્વભાવને છોડીને વારંવાર જે તું બોલે છે અર્થાત્ આત્માના નિર્મળ સ્વભાવને સ્મૃતિમાં રાખીને તેને ભાવન કરવા અર્થે શાસ્ત્રવચન છોડીને જે કંઈ અન્ય વારંવાર બોલે છે તે સર્વ પણ તારાથી અન્ય છે. વસ્તુતઃ નિર્મળ એવો તારો સ્વભાવ જ તારા માટે ઇચ્છા કરવા જેવો છે માટે હે ભગવાનું આત્મા ! આત્માના નિજ સ્વરૂપને છોડીને તું જે કંઈ વસ્તુની વિચારણા કરે છે તે સર્વ વસ્તુ તારા માટે પરકીય છે તેથી અનુપયોગી છે. આ પ્રકારે ચિંતવન કરીને મહાત્માઓ પોતાના આત્માને સમભાવના પરિણામ પ્રત્યે સન્મુખ કરે છે અને સમભાવની વૃદ્ધિ અર્થે જ અન્યત્વ-ભાવના કરે છે. આવા અવતરણિકા : પૂર્વશ્લોકમાં પોતાની પ્રવૃત્તિના વિષયરૂપ આત્માથી અન્ય કઈ કઈ વસ્તુઓ છે ? તે બતાવીને તેનાથી પોતાનો આત્મા અન્ય છે તે બતાવ્યું. હવે, તે અન્ય પદાર્થોને આશ્રયીને પોતે જે જે પ્રવૃત્તિ કરે છે તેનાથી પોતાને શું શું કર્થના પ્રાપ્ત થાય છે? તે બતાવીને તે અન્ય પદાર્થોથી પોતાના ચિત્તને પર કરવા અર્થે મહાત્માઓ જે ભાવન કરે છે તે બતાવે છે – શ્લોક : दुष्टाः कष्टकदर्थनाः कति न ताः, सोढास्त्वया संसृतौ, तिर्यङ्नारकयोनिषु प्रतिहतश्छिन्नो विभिन्नो मुहुः । सर्वं तत् परकीयदुर्विलसितं, विस्मृत्य तेष्वेव हा, रज्यन् मुह्यसि मूढ ! तानुपचरन्नात्मन्न किं लज्जसे ।।४।। શ્લોકાર્ચ - ૨ (હે આત્મા !) સંસ્કૃતિમાં=સંસારના પરિભ્રમણમાં, કેટલી તે દુષ્ટ કષ્ટ કદર્થનાઓ તારા વડે સહન કરાઈ નથી ? તિર્યંચ-નાસકયોનિઓમાં વારંવાર પ્રતિહત થયો છે, છિન્ન થયો છે, વારંવાર ભિન્ન થયો છે. સર્વ તે સર્વ તે કદર્થના, પરકીય દુર્વિલસિત છે પરકીય પદાર્થમાં જે સ્નેહ કર્યો તેનું ફળ છે, તેનું વિસ્મરણ કરીને, ખેદની વાત છે કે હે મૂઢ! તેઓમાં જકપરકીય વસ્તુમાં જ, રાગ કરતો તું મોહ પામે છે તેમનો ઉપચાર કરતો=શ્લોક-૩માં કહ્યું તે પ્રમાણે તે તે બાહ્ય પદાર્થોનું આલંબન લઈને તે તે પ્રકારના વ્યવહારને કરતો, હે આત્મન્ ! તું કેમ લજ્જા પામતો નથી ? Ill ભાવાર્થ : વળી મહાત્મા પોતાનાથી અન્ય શું છે ? તેનું ભાવન કર્યા પછી તેને અત્યંત સ્થિર કરવા અર્થે વિચારે છે કે સંસારમાં તારા વડે તે દુષ્ટ કર્થનાઓ કેટલી સહન કરાઈ નથી અર્થાત્ તે તે ગતિમાં જન્મ, જરા, Page #77 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ ५० મરણ, રોગ, શોક, દરિદ્રતા આદિ અનેક કદર્થનાઓને સહન કરાઈ છે. વળી તેમાં પણ તિર્યંચ અને નારક યોનિમાં જ્યારે જ્યારે તું ગયો ત્યારે ત્યારે બીજાઓથી વારંવાર પ્રતિહત કરાયો છે, છેદાયો છે, ભેદાયો છે. આ સર્વ કદર્થના પરકીય પદાર્થના સંગનું દુર્વિલસિત ફળ છે; કેમ કે પરકીય પદાર્થના સંગના કારણે જ જીવ તે તે પ્રકારના કર્મને બાંધીને ચારગતિમાં તે તે પ્રકારની કદર્થનાઓ પામે છે. તેમાં પણ તિર્યંચગતિ અને નરકગતિમાં અનેક પ્રકારની વિશેષ કદર્થનાઓ પામે છે અને ૫૨કીય વસ્તુના સંગને કારણે જે આ કદર્થનાઓ થઈ છે, તેને ભૂલીને તે ૫૨કીય વસ્તુમાં જ રાગ કરીને તું મોહ પામે છે તે અત્યંત અનુચિત છે, આ પ્રમાણે ભાવન કરવાથી મહાત્માઓને ૫૨૫દાર્થમાં જે સંગ કરવાની વૃત્તિ છે તે કંઈક ઓછી થાય છે. તોપણ સંસાર અવસ્થામાં જીવ દેહના સંગવાળો છે અને દેહના સંગને આશ્રયીને જ સર્વ ભાવો કરવાની વૃત્તિ અત્યંત સ્થિર થયેલી છે તેથી જેમ વિષ્ટા પ્રત્યેના ખેંચાણવાળા ભૂંડને વિષ્ટાથી વારણ કરવું દુષ્કર છે તેમ દેહધારી આત્માને બાહ્ય પદાર્થ સાથે સંગ કર્યા વિનાની સ્થિતિમાં રાખવો અતિદુષ્કર છે. તેથી મહાત્માઓ ફરી ભાવન કરે છે કે હે મૂઢ આત્મન્ ! તે બાહ્ય પદાર્થોને આશ્રયી ઉપચાર કરતો તું અર્થાત્ શ્લોક-૩માં કહેલી ચેષ્ટાઓને કરતો તું, કેમ લજ્જા પામતો નથી ? આ પ્રકારનું અત્યંત ભાવન કરવાથી આત્મા તે ભાવોને છોડીને નિર્મલ એવા નિજસ્વભાવને પ્રગટ ક૨વા અર્થે શાસ્ત્રવચનનું દૃઢ અવલંબન લઈને કંઈક યત્ન કરી શકે છે અને જો અત્યંત ઉપયોગપૂર્વક અન્યત્વભાવનાનું ભાવન જીવ ન કરે તો સદા જીવની સહજ પ્રવૃત્તિ જે બાહ્ય પદાર્થોને અવલંબીને વર્તે છે તે પ્રકારની જ જીવની પ્રવૃત્તિ થાય છે પરંતુ અન્યત્વભાવનાથી ચિત્ત અન્ય પદાર્થમાંથી લેશ પણ અસંશ્લેષ ભાવને પામતું નથી. Is શ્લોક ઃ ज्ञानदर्शनचारित्रकेतनां चेतनां विना सर्वमन्यद्विनिश्चित्य यतस्व स्वहिताप्तये ।।५।। શ્લોકાર્થ ઃ જ્ઞાન, દર્શન, ચારિત્રના સ્વરૂપવાળી ચેતનાને છોડીને સર્વ અન્યનો વિનિશ્ચય કરીને તું સ્વહિતની પ્રાપ્તિ માટે યત્ન કર=રત્નત્રયીની પરિણતિરૂપ ચેતનાને પ્રગટ કરવા યત્ન કર. પા ભાવાર્થ : અન્યત્વભાવનાના અંતિમ નિષ્કર્ષનું ભાવન કરતાં મહાત્માઓ વિચારે છે કે મારા આત્મદ્રવ્યનું જે પારમાર્થિક સ્વરૂપ છે તેનું યથાર્થ જ્ઞાન એ જ મારું સમ્યગ્નાન છે. એ જ્ઞાન અનુસાર મારા તે સ્વરૂપમાં જ મને ‘તું મે રોષતે’ એ પ્રકારની પરિણતિરૂપ સમ્યગ્દર્શન છે અને રુચિ વિષયક આત્માની શુદ્ધ પરિણતિને પ્રગટ ક૨વાને અનુકૂળ જે જીવનો અંતરંગ વ્યાપાર છે તે સમ્યચારિત્ર છે. આ ત્રણ પરિણતિથી યુક્ત એવું મારું આત્મદ્રવ્ય છે. તેના સિવાય આત્મા સાથે સંશ્લેષ પામેલો દેહ, દેહના સંશ્લેષને કારણે આત્મામાં થતા મોહના ભાવો અને દેહ-ઇન્દ્રિયોને ઉપકારી બાહ્ય સર્વ સામગ્રી, મારા આત્માથી અન્ય છે, તેથી આત્માથી Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૧ ૫. અન્યત્વભાવના-ગીત | શ્લોક-૧-૨ અનન્ય એવી રત્નત્રયીની પરિણતિમાં જ તું સ્વહિત માટે યત્ન કર. આ પ્રકારે આત્માને અનુશાસન આપીને મહાત્મા અનાદિના સંસ્કારોથી બાહ્ય પદાર્થોને અભિમુખ થયેલી ચેતનાને આત્માની અંતરંગ પરિણતિરૂપ રત્નત્રયીને અભિમુખ કરે છે. આપા ૫. અભ્યત્વભાવના-ગીત) શ્લોક :विनय! निभालय निजभवनं विनय! निभालय निजभवनम् । तनुधनसुतसदनस्वजनादिषु किं निजमिह कुगतेरवनम्? ।।विनय० १।। શ્લોકાર્ચ - હે વિનય !=કર્મને નાશ કરવાની ઈચ્છાવાળા હે આત્મા ! તું પોતાનું ભવન જો તારું અંતરંગ સ્વરૂપ છે, વળી અહીં=સંસારમાં, શરીર, ધન, પુત્ર, સદન ગૃહ, સ્વજનાદિમાં કુગતિથી રક્ષણ પોતાનું શું છે? અર્થાત્ આ બધામાંથી કોઈ રક્ષણ નથી, પરંતુ તારો સ્વભાવરૂપ ધર્મ જ મુગતિથી ક્ષણ છે. III ભાવાર્થ : આત્મામાં અન્યત્વભાવનાને સ્થિર કરવા અર્થે મહાત્માઓ વિનય શબ્દથી સંબોધન કરીને આત્માને જાગ્રત કરે છે કે કર્મોના વિનય કરવાના અર્થી એવા હે આત્મા ! તું પોતાના આત્માના નિવાસસ્થાનરૂપ ભવનને જો. આનાથી એ પ્રાપ્ત થાય કે આત્મા પોતાના સ્વરૂપમાં રહે છે તેનું સુંદર ભવન છે. તેમાં તે સદા સુખરૂપ રહે છે અને તેમાં રહેલો આત્મા સદા કર્મોથી સુરક્ષિત છે. વળી પોતાના આત્માના સ્વરૂપને છોડીને જે દેહ, ધન, પુત્ર, ગૃહ, સ્વજનાદિમાં તું ચિત્તની એકત્વબુદ્ધિ કરીને રહેલો છે તેમાંનું કોઈ તારું કુગતિથી કંઈ રક્ષણ કરી શકશે નહીં, માટે કુગતિઓની વિડંબનાનું સ્મરણ કરીને પણ તેના રક્ષણના ઉપાયભૂત પોતાના સ્વરૂપને જ ભાવન કરવા સદા યત્ન કરવો જોઈએ. જેથી અન્ય પદાર્થમાં વર્તતી સંગની બુદ્ધિથી જે અનર્થોની પરંપરા અત્યારસુધી જીવે પ્રાપ્ત કરી તેનાથી આત્માનું રક્ષણ થાય.III શ્લોક : येन सहाश्रयसेऽतिविमोहादिदमहमित्यविभेदम् ।। तदपि शरीरं नियतमधीरं, त्यजति भवन्तं धृतखेदम् ।।विनय० २।। શ્લોકાર્ય :જે શરીરની સાથે અતિમોહને કારણે ‘આ હું છું =શરીર સ્વરૂપ હું છું, એ પ્રકારના અવિભેદને Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૨ શાંતસુધારસ તું આશ્રય કરે છે, અધીર એવું તે પણ શરીર ધૃતખેવાળા એવા તને નિયતકાળે ત્યાગ કરે છે. રા. ભાવાર્થ : મહાત્માઓને પણ દેહ સાથેના અન્યત્વભાવને સ્થિર કરવો અતિદુષ્કર છે. તેઓ શાસ્ત્ર ભણીને અને ઉપદેશ સાંભળીને આત્મા શરીરથી ભિન્ન છે એમ માને છે; છતાં શરીર સાથેની અભેદબુદ્ધિથી જ પ્રાયઃ પ્રવૃત્તિ કરે છે. તેના નિવારણ માટે મહાત્મા ભાવન કરે છે કે અન્ય સર્વ પદાર્થ કરતાં જીવને દેહ પ્રત્યે અતિ મોહ છે અને તેના કારણે “આ હું છું એવો વિભ્રમ સદા વર્તે છે. તેથી જ દેહને કંઈ થાય તો પોતાને પીડા થાય છે તેવી બુદ્ધિ થાય છે. વસ્તુત: પોતાના સમભાવના સ્વરૂપ સાથે જીવનો અતિ અભેદ છે, પરંતુ તેનો નાશ થતો હોય તોપણ “મને કાંઈક થાય છે' એવી બુદ્ધિ થતી નથી, તેનું કારણ શરીર સાથે અભેદનો વિભ્રમ વર્તે છે. તેનું સ્મરણ કરીને મહાત્મા કહે છે કે જે શરીર સાથે તું અભેદનો આશ્રય કરે છે તે ચંચલ એવું શરીર તારો નિયતકાળ ત્યાગ કરે છે. તેને મરવાની ઇચ્છા નથી, છતાં ખેદ વાળા એવા પણ તારો ત્યાગ કરે છે. તેથી તે શરીર પ્રત્યેની અભેદબુદ્ધિનો ત્યાગ કરીને જગતના સર્વ પદાર્થો પ્રત્યે તુલ્ય બુદ્ધિ થવાથી આત્માને જે નિરાકુળ અવસ્થાની પ્રાપ્તિ થાય છે તેમાં જ તું અભેદ બુદ્ધિને સ્થિર કર અને શરીર પ્રત્યેના અન્યત્વભાવને સ્થિર કર. જેથી સંસારના અનર્થની પરંપરાથી તારું રક્ષણ થાય.liા. બ્લોક : जन्मनि जन्मनि विविधपरिग्रहमुपचिनुषे च कुटुम्बम् । तेषु भवन्तं परभवगमने, नानुसरति कृशमपि शुम्बम् ।।विनय० ३।। શ્લોકાર્ધ : દરેક જન્મમાં તું વિવિધ પરિગ્રહને અને કુટુંબને એકઠું કરે છે, (પરંતુ) પરભવના ગમનકાળમાં એકઠા કરાયેલા તે પરિગ્રહમાંથી અને કુટુંબમાંથી અલ્પ પણ શુમ્બકમાત્ર ફોતરું પણ, તને અનુસરતું નથી. ll3II ભાવાર્થ : જેઓ આત્માને શાશ્વત અને પરભવમાં સાથે જનારો માને છે, તેઓને સ્વસંવેદનથી પ્રત્યક્ષ છે કે આ ભવમાં ઘણા શ્રમથી એકઠા કરાયેલા પરિગ્રહમાંથી કે કુટુંબમાંથી કોઈ વસ્તુ તેની સાથે આવતી નથી પરંતુ આત્મા પર પડેલા સંસ્કારો અને પોતાનાં કર્મોને લઈને જ જીવ પરભવમાં જાય છે. છતાં પરપદાર્થ પ્રત્યેના સંશ્લેષને કારણે પ્રત્યક્ષથી દેખાતા પણ સ્વરૂપને વિચાર્યા વગર સંશ્લેષથી ખેંચાઈને જીવ પરપદાર્થમાં જ યત્ન કરે છે. આ યત્નના નિવારણ અર્થે મહાત્માઓ આત્માને અત્યંત ભાવિત કરવા અર્થે વિચારે છે કે દરેક જન્મમાં તેં ઘણા પ્રકારના ધન, ધાન્યાદિક પરિગ્રહને, શ્રમ કરીને એકઠા કર્યા અને વિશાળ કુટુંબને Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫, અન્યત્વભાવના-ગીત | બ્લોક-૩-જ પ્રાપ્ત કર્યું છતાં આયુષ્ય પૂર્ણ થાય છે ત્યારે તે સર્વ પદાર્થોમાંથી એક નાનામાં નાનું તણખલું પણ તને અનુસરતું નથી. માટે દરેક ભવમાં કરેલો તારો શ્રમ વ્યર્થ જાય છે. તારા આત્માનું હિત થાય તેવા પદાર્થનો સંચય કરવાનો યત્ન કર જે સદા પરભવમાં પણ તારી સાથે આવે. સુવર્ણઘટ સદશ સેવાયેલો ધર્મ, ઘટ ફૂટે તોપણ સુવર્ણ રહે છે, તેમ વર્તમાનમાં ઉત્તમ સંસ્કારો આધાન કરે તે રીતે સેવાતો ધર્મ સુવર્ણ જેવા ઉત્તમ સંસ્કારોરૂપે જન્માંતરમાં પણ સાથે રહે છે તેનું સમાલોચન કરી તેવા ધર્મને સેવવાનો તું યત્ન કર. ll શ્લોક :त्यज ममतापरितापनिदानं, परपरिचयपरिणामम् । भज निःसङ्गतया विशदीकृतमनुभवसुखरसमभिरामम् ।।विनय० ४।। શ્લોકાર્થ : મમતાના પરિતાપનું કારણ એવા પર પરિચયના પરિણામનો તું ત્યાગ કર, નિઃસંગપણાથી વિશદીકૃત અભિરામ=સુંદર, એવા અનુભવ-સુખના રસને તું ભજ. llll ભાવાર્થ : મહાત્માઓ આત્માને અન્યત્વભાવનાથી ભાવિત કરવા માટે વિચારે છે કે આત્માથી ભિન્ન એવા બાહ્ય પદાર્થો આત્મા સાથે ક્યારેય એકત્વભાવને પામતા નથી અને જીવ તેના પ્રત્યે મમતા કરીને પરિતાપને પ્રાપ્ત કરે છે, કેમ કે જે વસ્તુ પ્રત્યે મમતા કરી હોય તે વસ્તુ ચાલી જાય ત્યારે પરિતાપ થાય છે. વળી બાહ્ય પદાર્થો પ્રત્યે મમતા કરવાને કારણે આત્મામાં કર્મબંધ થાય છે જે કર્મને કારણે સંસારમાં પરિભ્રમણની વિડંબના પ્રાપ્ત થાય છે. વળી, બાહ્ય પદાર્થ પ્રત્યે મમતા થવાને કારણે તેની પ્રાપ્તિ માટે જીવ અનેક પ્રકારના આરંભો કરે છે, પ્રાપ્ત થયેલા તેના રક્ષણ માટે અનેક ફ્લેશો કરે છે અને તેના દ્વારા અનેક પ્રકારનાં ક્લિષ્ટ કર્મો બાંધીને દુર્ગતિમાં જાય છે. તેથી મમતા પરિતાપનું કારણ છે અને તેવી મમતા પરપદાર્થના પરિચયના પરિણામવાળી છે અર્થાત્ આત્માથી ભિન્ન એવા બાહ્ય પદાર્થો સાથે સંગના પરિણામરૂપ છે માટે તેના પરપદાર્થના પરિચયના પરિણામનો તું ત્યાગ કર. એ પ્રકારે આત્માને ઉદ્દેશીને ભાવન કરવાથી મમતાના પરિણામના ત્યાગને અનુકૂળ એવા ભાવની નિષ્પત્તિને અનુકૂળ કરાયેલા આત્માથી ભિન્ન એવા બાહ્ય પદાર્થ પ્રત્યેના સંગનો પરિણામ અલ્પ-અલ્પતર થાય છે. વળી, મમતાત્યાગના પરિણામને જ અત્યંત સ્થિર કરવા અર્થે મહાત્મા ભાવન કરે છે કે નિઃસંગપણાથી વિશદીકૃત એવા અનુભવસુખનો તું સ્વીકાર કર, જે અનુભવસુખ આત્મા માટે અત્યંત આલ્હાદ કરનાર છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જેમ જેમ આત્મા નિઃસંગ પરિણામ પ્રત્યે રાગનો પરિણામ મેળવે છે તેમ તેમ બાહ્ય પરિણામ પ્રત્યેનો કાંઈક નિઃસંગ ભાવ પ્રગટ થાય છે અને જેમ જેમ નિઃસંગ ભાવ વધે છે તેમ તેમ મોહના પરિણામના સ્પર્શ વગરનું અનુભવસુખ પ્રગટે છે જે આત્મા માટે અત્યંત આસ્લાદકારક છે. આ અનુભવસુખ વર્તમાનમાં સુખરૂપ છે, કર્મબંધના નાશને અનુરૂપ છે અને અનુભવસુખમાં ઉપયુક્ત મહાત્મામાં Page #81 -------------------------------------------------------------------------- ________________ ઉ૪ શાંતસુધારસ અંશથી પણ જે સંગનો પરિણામ છે તે પણ અસંગભાવ પ્રત્યેના સંગના પરિણામરૂપ હોવાથી તેની પ્રાપ્તિનું કારણ બને તેવા પ્રકારના ઉત્તમ પુણ્યબંધનું કારણ છે. જેથી મહાત્મા આ ભવમાં આત્માના નિરાકુળ સ્વભાવના અનુભવસુખના પ્રકર્ષને પ્રાપ્ત ન કરી શકે તોપણ ફરી તે સુખના માટે ઉદ્યમ કરે તેવા ઉત્તમ સામગ્રીવાળા ભવને પ્રાપ્ત કરે છે, જેથી તે અનુભવસુખનો રસ આત્મા માટે અત્યંત સુંદર છે તેનું તું સેવન કર. આ પ્રકારના ભાવન દ્વારા મહાત્માઓ સ્વશક્તિ અનુસાર તે ભાવને અભિમુખ ઉદ્યમ કરે છે. I૪ શ્લોક : पथि पथि विविधपथैः पथिकैः सह, कुरुते कः प्रतिबन्धम् । निजनिजकर्मवशैः स्वजनैः सह किं कुरुषे ममताबन्धम् ।।विनय० ५।। શ્લોકાર્ચ - જુદા જુદા, પથમાં જુદા જુદા માર્ગે જનારા પથિકોની સાથે કોણ પ્રતિબંધને કરે કોણ સ્નેહના સંબંધને કરે? અર્થાત્ કોઈ વિચારક કરે નહીં, તેમ પોતપોતાના કર્મને વશ એવા સ્વજનોની સાથે મમતાના બંધને સ્નેહના સંબંધને, કેમ કરે છે? અર્થાત્ એમ કરવું ઉચિત નથી. આપણે ભાવાર્થ - - જીવને અનાદિના ભવનો અભ્યાસ હોવાથી સ્નેહના સંબંધોને તોડવા અતિ દુષ્કર છે. તેથી તે સ્નેહના સંબંધોને ક્ષીણ કરવા માટે મહાત્માઓ અનુભવને અનુરૂપ દષ્ટાંતથી તે સ્નેહસંબંધ અનુચિત છે તેમ ભાવન કરે છે. જેમ જુદા જુદા નગરના જુદા જુદા માર્ગોના કોઈક સ્થાનમાં ભિન્ન ભિન્ન દેશથી ભિન્ન ભિન્ન દેશમાં જનારા પથિકો એકત્ર થાય ત્યારે તે ક્ષેત્રમાં તેઓનો ક્ષણભર સંબંધ થાય છે છતાં તે પથિકો સાથે સ્નેહસંબંધ કોઈ કરતું નથી, કેમ કે તે જાણે છે કે તે પોતાને સ્થાને જવા માટે નીકળેલા છે અને વચમાં એક સ્થાનમાં ક્ષણભર આ રીતે બધા ભેગા થયા છે. આ રીતની બુદ્ધિ સ્થિર હોવાને કારણે કોઈને પથિકો સાથે સ્નેહનો પરિણામ પ્રાયઃ થતો નથી. તેમ સંસારીજીવો પોતપોતાના કર્મના વશથી તે તે ભવમાંથી મનુષ્યભવરૂપ એક પથમાં, કોઈક એક ગૃહના સ્થાનમાં, કુટુંબના સંબંધથી ભેગા થાય છે અને પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને પોતપોતાનાં કર્મો પ્રમાણે અન્ય ભવમાં જાય છે. આ રીતે સંસારના પરિભ્રમણમાં મુસાફરો એક સ્થાનમાં કોઈક સંબંધથી એકત્રિત થાય એટલા માત્રથી તેઓના પ્રત્યે તું મમતાનું બંધન કેમ કરે છે અર્થાત્ તે મમતા ક્લેશનું જ કારણ બને છે. જેમ એક પથમાં કોઈક રીતે એકઠા થયેલા મુસાફર સાથે સ્નેહનો સંબંધ થાય અને તેઓ વિખૂટા પડી જાય તો તે સ્નેહ કરનારને ક્લેશ જ પ્રાપ્ત થાય છે; કેમ કે તેના વિરહથી સદા દુઃખી રહેવું પડે છે તે રીતે કર્મને વશ કોઈક રીતે કુટુંબ સંબંધથી એકત્રિત થયેલા પ્રત્યે સ્નેહ કરવાથી જ્યારે તેઓનો વિયોગ વગેરે થાય છે ત્યારે ક્લેશની જ પ્રાપ્તિ થાય છે માટે ક્લેશના કારણરૂપ મમતાનો પ્રતિબંધ ક્યાંય કરવો જોઈએ નહીં. આ પ્રમાણે ભાવન કરીને ચિર રૂઢ થયેલાં સ્વજનના સંબંધના સંસ્કારો નાશ કરવા અર્થે મહાત્માઓ યત્ન કરે છે. પા. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૫. અભ્યત્વભાવના-ગીત / બ્લોક-૬-૭ Կ શ્લોક : प्रणयविहीने दधदभिषङ्गं सहते बहुसन्तापम् । त्वयि निःप्रणये पुद्गलनिचये, वहसि मुधा ममतातापम् ।।विनय० ६।। શ્લોકાર્ચ - પ્રીતિવિહીનમાં અભિવંગને ધારણ કરનાર પુરુષ બહુ સંતાપને ધારણ કરે છે, તારા વિષયક પ્રીતિવિહીન એવા પુદ્ગલ નિચયમાં વ્યર્થ મમતાના તાપને તું વહન કરે છે. III ભાવાર્થ : પુદ્ગલનો સંગ જીવને અનાદિનો છે તેથી અનેક પ્રકારે, તે સંગને કાઢવા માટે તત્ત્વને ભાવન કરવા છતાં સ્થિર થયેલી સંગની વાસના દૂર કરવી અતિદુષ્કર છે. તેથી મહાત્માઓ સ્વાનુભવને અનુરૂપ પદાર્થોનું ભાવન કરીને પુદ્ગલ પ્રત્યેની સંગની પરિણતિને દૂર કરવા અર્થે ભાવન કરે છે. સંસારમાં જે પુરુષને પ્રીતિવિહીન એવી પત્ની આદિ પ્રત્યે રાગ હોય તો તે પુરુષને તે પત્ની આદિ તરફથી અનેક પ્રકારના સંતાપની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારે સંસારમાં સામાન્યથી સર્વ જનોને પ્રત્યક્ષ દેખાય છે, તેમ પુદ્ગલનો સમૂહ પોતાના વિષે લેશ પણ પ્રીતિ ધારણ કરતો નથી છતાં પુદ્ગલના સમૂહરૂપ દેહ, ધનાદિ પ્રત્યે જીવ વ્યર્થ મમતાના તાપને વહન કરે છે. જેના ફળરૂપે અંદરમાં અંતસ્તાપ પ્રગટે છે જેનાથી કર્મબંધ થાય છે અને અંતે અનેક અનર્થોની પરંપરાની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારે વારંવાર ભાવન કરવાથી મૂઢની જેમ પુદ્ગલના સમૂહ પ્રત્યે રાગાંશ ઉલ્લસિત થાય છે તે કાંઈક અંશે મંદ-મંદતર થાય છે અને તદર્થે જ મહાત્માઓ અન્યત્વભાવના કરે છે. IIકા શ્લોક :. त्यज संयोगं नियतवियोगं, कुरु निर्मलमवधानम् । नहि विदधानः कथमपि तृप्यसि, मृगतृष्णाघनरसपानम् ।।विनय० ७।। શ્લોકાર્ચ - | નિયત વિયોગવાળા સંયોગનો તું ત્યાગ કરી નિર્મલ અવધાનને અસાંયોગિક સુખની પ્રાપ્તિરૂપ નિર્મલ અવધાનને, કર. મૃગતૃષ્ણા જેવા ઘન (ગાઢ) રસના પાનને કરતો એવો તું કોઈપણ રીતે તૃપ્ત થતો નથી. III ભાવાર્થ :અહીં મહાત્માઓ આત્માથી અન્ય પદાર્થોથી પોતે પૃથફ છે તેમ ભાવન કરીને આત્માના મૂળભૂત Page #83 -------------------------------------------------------------------------- ________________ ઉ૬ શાંતસુધારસ સ્વભાવમાં સ્થિરતા પ્રાપ્ત કરવા અર્થે ભાવન કરે છે કે સંસારવર્તી જે કાંઈ સાંયોગિક સુખ છે તે નિયત વિયોગવાળું છે તેથી સંયોગકાળમાં તને આહ્વાદ આપશે તોપણ અંતે વિયોગકાળમાં દુઃખ જ ઉત્પન્ન કરશે. માટે તેવા નિયત વિયોગવાળા સંયોગનો તું ત્યાગ કર અર્થાત્ તે સાંયોગિક સુખની આસ્થાનો તું ત્યાગ કર. અને નિર્મલ પ્રણિધાન કર અર્થાત્ અસાંયોગિક જીવની અવસ્થા જ જીવ માટે સુખરૂપ છે માટે સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ, અને સર્વ ભાવો પ્રત્યે પ્રતિબંધ વગરના નિર્મળ ચિત્તને પ્રગટ કરવા માટે યત્ન કર. અહીં પ્રશ્ન થાય કે સાંયોગિક સુખમાં પણ સુખની પ્રતીતિ થાય છે અને તેની પ્રાપ્તિ વર્તમાનમાં થઈ રહી છે અને જે અસાંયોગિક સુખ છે તે વર્તમાનમાં પ્રાપ્ત થતું નથી તેથી પ્રાપ્ત એવા સુખને છોડીને અપ્રાપ્તમાં પ્રયત્ન કઈ રીતે થઈ શકે ? એથી મહાત્મા વિચારે છે કે મૃગતૃષ્ણાના ઘનરસપાન જેવા સાંયોગિક સુખમાં યત્ન કરતો એવો તું કોઈ રીતે તૃપ્ત થતો નથી. તેથી સંયોગનું સુખ તૃપ્તિને આપીને તેને સુખી કરતું નથી પરંતુ સદા અતૃપ્તિની જ વૃદ્ધિ કરે છે. જેમ કોઈ તરસ્યો પુરુષ દૂર દૂર ઝાંઝવાના જલને મેળવવાની ઇચ્છાથી પ્રયત્ન કરે તો પણ તેના પ્રયત્નથી તેને તૃપ્તિ થતી નથી. તેમ સંસારીજીવોનાં આ સાંયોગિક સુખો પ્રાયઃ તૃપ્તિ કરાવતાં નથી પરંતુ અતૃપ્તિની જ વૃદ્ધિ કરે છે. તેથી સંયોગકાળમાં પણ અતૃપ્તિથી જીવ વિહ્વળ છે અને જ્યારે વિયોગની પ્રાપ્તિ થશે ત્યારે પણ અત્યંત વિહ્વળ થશે માટે અતૃપ્તિને કરનાર, નિયત વિયોગના દુઃખને પ્રાપ્ત કરાવનાર એવા સાંયોગિક સુખનો તું ત્યાગ કર અને અસાંયોગિક સુખને પ્રગટ કરવાનો નિર્મળ એવધાન કર. અહીં વિશેષ એ છે કે ભોગાદિથી જીવોને તૃપ્તિનું સુખ થાય છે છતાં ઇષ્ટ પદાર્થોની પ્રાપ્તિ થાય અને તેનાથી ક્ષણભર તૃપ્તિ થાય તે સાથે જ અધિક અધિક પ્રાપ્તિની ઇચ્છા થાય તો ગૃદ્ધિને કારણે ભોગથી પણ તેઓને સુખ થતું નથી. અને જ્યારે તે સુખની સામગ્રીનો વિયોગ થાય છે ત્યારે તેઓ અત્યંત દુઃખી થાય છે. પરંતુ જેઓને પુણ્યના ઉદયથી ઉત્તમ સાંયોગિક સુખ મળેલું છે અને તેમાં પણ ગાઢ આસક્તિ થતી નથી તેઓને તેની પ્રાપ્તિમાં ક્ષણભર સુખ થાય છે અને અતૃપ્તિની વૃદ્ધિ થતી નથી તોપણ તે સાંયોગિક અનુકૂળ પદાર્થોથી જન્ય તૃપ્તિ સદા માટેની તૃપ્તિનું કારણ નથી. તેમ ભાવન કરીને તે મહાત્માઓ જે કોઈ અલ્પ પણ ભોગની ઇચ્છા છે તેને શાંત કરવા જ યત્ન કરે છે. અને તેવા જીવોને જ્યારે તે સંયોગનો વિયોગ થાય છે ત્યારે પણ સંસારની વાસ્તવિકતાનું અવલોકન હોવાથી ક્યારેય અન્ય જીવોની જેમ દુઃખ થતું નથી પરંતુ વૈરાગ્ય થાય છે. વળી, અસાંયોગિક સુખ સદા તૃપ્ત અવસ્થા તુલ્ય હોવાથી ઇચ્છા અને શ્રમની વિહ્વળતારૂપ સાંયોગિક સુખની તૃપ્તિ જેવું નથી. પરંતુ અસાંયોગિક સુખમાં ઇચ્છાની અને શ્રમની વિહ્વળતા નથી અને સદા નિરાકુળ અવસ્થા હોવાને કારણે તૃપ્ત અવસ્થા છે. તેથી આત્માને અસાંયોગિક સુખ પરમાર્થથી અત્યંત ઇષ્ટ છે માટે તેને પ્રગટ કરવા અર્થે તું નિર્મળ પ્રણિધાન કર. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા બાહ્ય પદાર્થોથી પોતાનું સ્વરૂપ અન્ય છે તેને સ્થિર કરવા અર્થે યત્ન કરે છે. Iળા Page #84 -------------------------------------------------------------------------- ________________ ૫. અશ્વત્વભાવના-ગીત / શ્લોક-૮ શ્લોક - भज जिनपतिमसहायसहाय, शिवगतिसुगमोपायम् । पिब गदशमनं परिहतवमनं, शान्तसुघारसमनपायम् ।।विनय० ८।। શ્લોકાર્થ : શિવગતિના સુગમ ઉપાયરૂપ, અસહાય એવા આત્માને સહાયરૂપ જિનપતિને તું ભજ, વળી ગદના શમનરૂપ રોગના ઔષધરૂપ, પરિહત એવા વમન સ્વરૂપ અને અનપાય એવા શાંતસુધારસનું તું પાન કર. llcil ભાવાર્થ : અત્યારસુધી ગ્રંથકારશ્રીએ બાહ્ય સર્વ પદાર્થોથી પોતાનો આત્મા અન્ય છે તેમ બતાવ્યું અને અન્ય અન્ય સંયોગથી આત્માને શું શું કરર્થના થાય છે એ બતાવ્યું. તેથી તે કદર્થનાવાળી સંસાર અવસ્થામાં આત્માને શું કરવું ઉચિત છે ? તે બતાવવા કહે છે – સંસારવર્તી જીવો આત્માથી ભિન્ન કર્મના સંયોગવાળા છે અને કર્મને પરતંત્ર જે તે ગતિમાં જાય છે અને અનેક પ્રકારની વિડંબના પ્રાપ્ત કરે છે. આ વિડંબનામાં જીવને કોઈ સહાયક નથી. તેથી તદ્દન અસહાયરૂપે જીવ તે તે ગતિમાં જન્મે છે અને મરે છે તે અવસ્થામાં કર્મોની વિડંબનાથી આત્માનું રક્ષણ કરવા માટે જિનપતિ જ સહાય છે; કેમ કે ભગવાનની ભક્તિ કરવાથી અને ભગવાનના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવાથી કર્મ પણ જીવને બહુ કદર્થના કરી શકતું નથી પરંતુ જીવને અનેક પ્રકારની અનુકૂળતાનું જ આપાદાન કરે છે. તેથી સંસારીજીવોને ભગવાન જ સહાય છે. વળી, કર્મના સકંજામાંથી છૂટીને મોક્ષરૂપ શિવગતિની પ્રાપ્તિનો સુગમ ઉપાય ભગવાન જ છે; કેમ કે ભગવાનની ભક્તિમાં તન્મય થયેલા જીવો ભગવાન તુલ્ય વીતરાગ, સર્વજ્ઞ બને છે અને અંતે સર્વકર્મનો નાશ કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે માટે સંસારમાં પરિભ્રમણ કરતા એવા તારા માટે જિનપતિ એવા ભગવાનની ઉપાસના કરવી જ ઉચિત છે. આવું કહીને મહાત્માઓ સંસારના ભાવોથી પર થવા માટે અને ભગવાનના ગુણમાં તન્મય થવા માટે ઉદ્યમ કરે છે. વળી, અન્યત્વભાવનાના સારરૂપે વિચારે છે કે હે આત્મન્ ! શાંતરૂપ અમૃતરસનું તું પાન કર અર્થાત્ ચિત્તવૃત્તિમાં બાહ્ય પદાર્થો વિષયક ઉત્સુકતાના અભાવરૂપ જે શાંતરસ છે તે આત્મા માટે અમૃત જેવો રસ છે; કેમ કે તે મોહની આકુળતા વગરનો મોક્ષપ્રાપ્તિના કારણભૂત એવો આત્માનો પરિણામ છે તેનું તું પાન કર. વળી, તે અમૃતરસ કેવો છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે કે આત્માના વિકારોરૂપી જે રોગ છે તેનું શમન કરનાર છે; કેમ કે આત્મા જેમ જેમ તત્ત્વથી ભાવિત થઈ શાંતરસમાં જાય છે, તેમ તેમ રતિ, અરતિ, હર્ષ, શોકાદિ વિકારોનું શમન થાય છે તેથી શાંતરસ જ વિકારરૂપ રોગનું ઔષધ છે. વળી, કેટલાંક ઔષધો રોગનાં નાશક હોવા છતાં જીવને સેવનકાળમાં અરોચક હોવાથી વમનાદિ પણ કરાવે છે પરંતુ શાંત એવો Page #85 -------------------------------------------------------------------------- ________________ ઉ૮ શાંતસુધારસ અમૃતનો રસ તેવા દોષવાળો નથી. વળી, કેટલાંક ઔષધો ક્વચિત્ રોગને શમન કરતાં હોય તોપણ કોઈકની પ્રકૃતિને, કોઈક રીતે, કોઈક અંશથી વાતાદિના ઉપદ્રવને કરનારાં બનતાં હોય છે તેથી રોગના નાશનું કારણ હોવા છતાં કંઈક અંશથી અપાયને પણ કરનારાં હોય છે. જ્યારે શાંતરસ તો જીવની મૂળભૂત પ્રકૃતિરૂપ હોવાથી રતિ-અરતિરૂપ વિકારોનું શમન કરે છે તે વખતે કોઈ લેશ પણ અનર્થને કરતું નથી માટે અનપાય છે. એવા અનપાયરૂપ શાંત અમૃતના રસનું તું પાન કર એમ કહીને મહાત્માઓ નિર્વિકારી અવસ્થાના પ્રાપ્તિના ઉપાયભૂત શાંતરસના પ્રવાહને ઉત્પન્ન કરનાર ભગવાનના વચનરૂપ સદ્ગાસ્ત્રોથી આત્માને વાસિત કરવા ઉદ્યમ કરે છે. દા. II પાંચમો પ્રકાશ પૂર્ણ | Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬. અશુચિભાવના | શ્લોક-૧ ( ઉ. અશચિભાવના ) શ્લોક : सच्छिद्रो मदिराघटः परिगलत्तल्लेशसङ्गाशुचिः, शुच्यामृद्य मृदा बहिः स बहुशो धौतोऽपि गङ्गोदकैः । नाधत्ते शुचितां यथा तनुभृतां, कायो निकायो महाबीभत्सास्थिपुरीषमूत्ररजसां, नायं तथा शुद्ध्यति ।।१।। શ્લોકાર્ચ - છિદ્રવાળો મદિરાનો ઘડો, પરિગલતા તેના લેશના સંગની અશુચિવાળો પરિગલતા મદિરાના લેશના સંગની અશુચિવાળો, બહારથી પવિત્ર માટી વડે માંજીને ગંગાના જળ વડે અનેક વખત ધોવાયેલો પણ, તે=મદિરાનો ઘટ, જે પ્રમાણે શુચિતાને ધારણ કરતો નથી, તે પ્રમાણે મહાબીભત્સ એવાં હાડકાં, મળમૂત્ર અને રક્તના નિકાયરૂપ સમૂહરૂપ પ્રાણીઓની આ કાયા શુદ્ધ થતી નથી. II૧II ભાવાર્થ: આત્માને અનાદિથી પોતાના દેહ પ્રત્યે મમત્વ છે. તેથી તેને બહારથી પવિત્ર રાખવા માટે જીવ યત્ન કરે છે અને દેહનું અશુચિ સ્વરૂપ પ્રત્યક્ષથી દેખાવા છતાં તેના પ્રત્યે ઉપેક્ષા કરીને બહારની સુંદરતાથી જ તેના પ્રત્યે મમત્વને ધારણ કરે છે અને દેહ પ્રત્યેના મમત્વને કારણે જ સર્વ પાપો કરીને દુરંત સંસારના પરિભ્રમણને પ્રાપ્ત કરે છે. તે અનર્થોના નિવારણ માટે દેહ પ્રત્યેનું મમત્વ દૂર કરવું આવશ્યક છે. તેથી દેહના મમત્વને દૂર કરવા અર્થે મહાત્માઓ દેહના અશુચિ સ્વરૂપને તે રીતે વારંવાર ઉપસ્થિતિ કરે છે કે જેથી જેમ વિષ્ટાની અશુચિતાને જોઈને તેના ઉપર રાગ થાય નહીં તેમ દેહ પ્રત્યેનું મમત્વ થાય નહીં. કઈ રીતે અશુચિભાવનાનું ભાવન કરે છે તે બતાવે છે. જેમ માટીનો મદિરાનો ઘડો હોય અને તે માટીનો હોવાથી તેનાં છિદ્રોમાંથી સદા મદિરા ગળતી હોય અને તે મદિરાના લેશના સંગથી તે મદિરાનો ઘટ સદા અશુચિવાળો હોય છતાં કોઈ વ્યક્તિ પવિત્ર માટીને ગ્રહણ કરીને તે ઘડાને બહારથી ચોખ્ખો કરે અને ગંગાના પાણીથી અનેક વખત ધોઈને તે ઘડાને ચોખ્ખો બનાવે તો પણ તેનાથી ગળતા મદિરાના અંશોને કારણે અલ્પકાળમાં જ તે મદિરાનો ઘડો અશુચિવાળો બને છે પરંતુ શુચિતાને ધારણ કરતો નથી. તેમ સંસારીજીવોની કાયા અતિ બીભત્સ એવાં હાડકાં, મળમૂત્ર, લોહી આદિના સમૂહરૂપે છે અને તેનાં છિદ્રોમાંથી સતત અશુચિ નીકળે છે તેથી શુદ્ધ કરવાના યત્ન કરવા છતાં પણ કાયા શુદ્ધ થતી નથી પરંતુ અલ્પકાળમાં જ બહાર નીકળતા અશુચિ પદાર્થોથી અશુચિમય બને છે. માટે અશુચિમય એવી આ કાયા પ્રત્યે વિવેકીને મમત્વ થાય નહીં પરંતુ જુગુપ્સા જ થાય. આ રીતે અશુચિભાવનાથી આત્માને જાગ્રત કરીને Page #87 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ યોગીઓ અશુચિમય કાયાના સમૂહને છોડવા માટે કાયા પ્રત્યેના રાગભાવરૂપ સંગના પરિણામનો ત્યાગ કરીને, ફરી કાયાનો સંગ ન થાય તેવા આત્માના અસંગ ભાવ માટે ઉદ્યમશીલ થાય છે જે અશુચિભાવનાનું પારમાર્થિક તાત્પર્ય છે. શા શ્લોક : स्नायं स्नायं, पुनरपि पुनः स्नान्ति शुद्धाभिरद्भिः, वारं वारं बत मलतनुं चन्दनैरर्चयन्ते । मूढात्मानो वयमपमलाः प्रीतिमित्याश्रयन्ते, नो शुध्यन्ते कथमवकरः शक्यते शोद्धमेवम् ।।२।। શ્લોકાર્ચ - સ્નાન કરી કરીને, ફરી ફરી પણ, શુદ્ધ પાણી વડે સ્નાન કરે છે, ખેદની વાત છે કે, મળવાળા શરીરને વારંવાર ચંદનથી અર્ચન કરે છે અને મૂઢાત્માઓ અમે અપમળવાળા-ગંદકી રહિત, એ પ્રમાણે પ્રીતિનો આશ્રય કરે છે, પરંતુ તેઓ શુદ્ધ થતા નથી. કેમ શુદ્ધ થતા નથી ? તેથી કહે છે – આ રીતે વારંવાર સ્નાન કરીને, ચંદનનો લેપ કરવામાં આવે છે એ રીતે, અવકર કચરાના સમૂહવાળો દેહ, શુદ્ધ કરવા માટે શકય નથી. liા ભાવાર્થ - દેહના મમત્વને કારણે કલ્યાણના અર્થી જીવોને પણ વારંવાર દેહને સ્વચ્છ રાખવાનો અભિલાષ થાય છે, ચંદનથી અર્ચન કરવાનું મન થાય છે, તેટલું જ નહીં પણ પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોવામાં પણ મૂઢ એવા તેઓ વિચારે છે કે સ્નાન કરીને અને ચંદનના લેપને કરીને અમે સ્વચ્છ શરીરવાળા થયા છીએ. તેમ માનીને સ્નાનાદિ કર્યા પછી પ્રીતિનો આશ્રય કરે છે. આ સર્વ પ્રવૃત્તિ દેહના અશુચિમય સ્વરૂપથી અભાવિત આત્મા જ કરે છે. ક્વચિત્ સંસારથી ભય પામેલા અને યોગમાં પ્રયત્ન કરતા જીવોને પણ દેહ પ્રત્યે તે પ્રકારનું મમત્વ હોવાથી સ્નાનાદિ કરવાનો અભિલાષ અને ચંદનાદિથી વિલેપન કરવાનો અભિલાષ થાય છે અને તે પ્રમાણે કરીને અમે સ્વચ્છ દેહવાળા થયા છીએ એ પ્રકારે પ્રીતિને ધારણ કરે છે. આ મમત્વને દૂર કરવા અર્થે જ મહાત્માઓ ભાવન કરે છે કે આ રીતે શુચિ કરાયેલો દેહ ક્યારે પણ શુદ્ધ થતો નથી; કેમ કે અંદરમાં અશુચિથી ભરાયેલો કેવી રીતે શુચિ થઈ શકે અર્થાત્ થઈ શકે નહીં! માટે મહાત્માઓ વિચારે છે કે “દેહ પ્રત્યેના મમત્વને વશ થઈને તેને શુચિ કરવાના યત્નને છોડીને ફરી દેહનો સંગ જ ન થાય તેવા અસંગભાવ માટે જ મારે ઉદ્યમ કરવો જોઈએ. તેથી દેહના લાલનપાલનનો ત્યાગ કરીને ધર્મના ઉપકરણ સ્વરૂપ દેહ ધર્મમાં ઉપયોગી થાય તે રીતે જ મારે તેનું રક્ષણ કરવું જોઈએ, પાલન કરવું જોઈએ પરંતુ આરંભ-સમારંભ કરીને મોહધારાની વૃદ્ધિ કરવી જોઈએ નહીં.” III Page #88 -------------------------------------------------------------------------- ________________ ૬. અશુચિભાવના | શ્લોક-૩ શ્લોક : कर्पूरादिभिरचितोऽपि लशुनो, नो गाहते सौरभं, नाजन्मोपकृतोऽपि हन्त पिशुनः सौजन्यमालम्बते । देहोऽप्येष तथा जहाति न नृणां स्वाभाविकी विस्रतां, नाभ्यक्तोऽपि विभूषितोऽपि बहुधा, पुष्टोऽपि विश्वस्यते ।।३।। શ્લોકાર્થ : કર્પરાદિ સુગંધી પદાર્થોથી આર્ચિત પણ લસણ સૌરભને પ્રાપ્ત કરતો નથી. ખેદની વાત છે કે જન્મથી માંડીને સદા ઉપકાર કરાયેલો પણ દુર્જન સૌજન્યનું આલંબન કરતો નથી. તે પ્રમાણે મનુષ્યનો આ દેહ પણ સ્વાભાવિકી વિસ્ત્રતાને દુર્ગધિતાને, ત્યજતો નથી. અવ્યક્ત પણ= સુગંધી દ્રવ્યોથી વિલેપન કરાયેલો પણ, વિભૂષિત કરાયેલો પણ અને અનેક વખત પુષ્ટ કરાયેલો પણ વિશ્વસનીય નથી. III ભાવાર્થ દેહ પ્રત્યેના મમત્વનો ત્યાગ કરવા અર્થે અનુભવસિદ્ધ દષ્ટાંતના બળથી મહાત્માઓ ભાવન કરે છે. જેમ લસણ સ્વભાવથી પોતાની દુર્ગધને વિસ્તારે છે, તે લસણને કર્પરાદિ સુગંધી દ્રવ્યથી અર્ચિત કરવામાં આવે તોપણ જેવું કર્પરાદિ દ્રવ્ય ઊડી જાય કે તરત લસણ પોતાની દુર્ગધનો જ વિસ્તાર કરે છે અને કપૂરની સૌરભને પ્રાપ્ત કરતું નથી તેમ મનુષ્યનો દેહ ઉત્તમ દ્રવ્યોથી અર્ચિત કરવામાં આવે તોપણ જેવા તે દ્રવ્યોની સૌરભ ઊડી જાય કે તરત દેહ પોતાની દુર્ગધતાનો વિસ્તાર કરે છે પરંતુ દુર્ગધતાનો ત્યાગ કરતો દેખાતો નથી. લસણ જેવો જ જુગુપ્સનીય આ દેહ છે. એમ વિચારીને મહાત્માઓ દેહ પ્રત્યેના મમત્વના પરિહાર માટે યત્ન કરે છે. વળી, અન્ય દૃષ્ટાંતથી દેહની અસારતાનું ભાવન કરે છે. જેમ કોઈ દુર્જન હોય અને તેના ઉપર કોઈએ આખા જન્મ સુધી ઉપકાર કર્યો હોય તોપણ દુર્જન પ્રસંગે ઉપકાર કરનાર પ્રત્યે કૃતજ્ઞતાને બતાવતો નથી પરંતુ તે ઉપકાર કરનારને જ અનર્થ કરવા તત્પર બને છે અને તે ક્યારેય સૌજન્યનું આલંબન કરતો નથી. તેમ સંસારીજીવો દેહને અનેક સુગંધી પદાર્થોથી વિલેપન કરે, ઉત્તમ વસ્ત્રો, અલંકારોથી વિભૂષિત કરે અને તેને અનેક પ્રકારના સુંદર આહાર આપીને પુષ્ટ કરે, તે રીતે પ્રારંભથી માંડીને અત્યારસુધી દેહને અનેક પ્રકારના ઉપકારો કર્યા હોય તોપણ દુર્જન પુરુષની જેમ તેનો વિશ્વાસ રાખી શકાતો નથી; કેમ કે ગમે ત્યારે દેહ રોગથી આક્રાન્ત થઈને જીવને કદર્થના કરે છે, અનેક પ્રકારનાં દુઃખો ઉત્પન્ન કરે છે અને તેના લાલનપાલન માટે જે કાંઈ આરંભ-સમારંભ કરેલ, એનાથી બંધાયેલાં પાપકર્મોનાં અનર્થકારી ફળોને આપે છે. આ રીતે દુર્જન પુરુષની જેમ દેહ પણ વિશ્વાસ કરવા યોગ્ય નથી. તેમ ભાવન કરીને અતિદુષ્કર એવા પણ દેહના મમત્વને દૂર કરવા અર્થે મહાત્માઓ યત્ન કરે છે. આવા Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શાંતસુધારસ શ્લોક : यदीयसंसर्गमवाप्य सद्यो, भवेच्छुचीनामशुचित्वमुच्चैः । अमेध्ययोनेर्वपुषोऽस्य शौचसङ्कल्पमोहोऽयमहो महीयान् ।।४।। શ્લોકાર્ચ - જેના સંસર્ગને પામીને જે મનુષ્યના દેહના સંસર્ગને પામીને, સધરતરત, શુચિ પદાર્થોનું અત્યંત અશુચિપણું થાય છે. આશ્ચર્ય છે કે આ અમેધ્ય યોનિ એવા શરીરનોદેખાતા એવા ગંદકીના ઉત્પત્તિના સ્થાનરૂપ શરીરનો, આ શૌચના સંકલ્પરૂપ મોહ મહાન છે=મોટો છે. Il8II ભાવાર્થ : આત્માને દેહ પ્રત્યેનું મમત્વ છોડવું અતિદુષ્કર છે; કેમ કે જન્મ-જન્મથી તેના પ્રત્યેનો પ્રીતિનો સંબંધ ચાલ્યો આવે છે. તેથી દેહ પ્રત્યેની પ્રીતિને કારણે તેને શુચિ કરવામાં જ સર્વ જીવો યત્ન કરે છે. અને જે મહાત્માઓને વિવેકચક્ષુ પ્રગટ થયેલ છે તેઓ અશુચિભાવના કરીને દેહનું મમત્વ ત્યાગ કરવા અર્થે વિચારે છે – જે શરીરના સંસર્ગને પામીને ચંદનાદિ પદાર્થો પણ તરત અત્યંત અશુચિપણાને પામે છે અર્થાત્ સુગંધમયને બદલે દુર્ગંધમય બને છે. આમ છતાં મૂઢ જીવોને અશુચિ પદાર્થોને બહાર કાઢનાર એવા દેહ પ્રત્યે સ્નાનાદિથી શૌચ કરીને શુદ્ધ કરવાનો જે સંકલ્પ છે એ મહાન મોહના પરિણામરૂપ છે. મહાત્મા વિચારે છે કે આશ્ચર્ય છે કે પ્રત્યક્ષથી જે પવિત્ર થઈ શકે તેવું નથી તેને પવિત્ર કરવાનો સંકલ્પ મોહના કારણે જ જીવોને થાય છે અર્થાત્ અનુભવથી દેખાય છે કે પવિત્ર થાય તેમ નથી તેને શુચિ કરવાના સંકલ્પનો મોહ જીવો દૂર કરી શકતા નથી. આ પ્રમાણે ભાવન કરીને દેહ પ્રત્યેના પવિત્ર કરવાના પરિણામને શિથિલ કરીને આત્માના નિર્મળ ભાવને પ્રગટ કરવા અર્થે મહાત્માઓ ઉદ્યમ કરે છે. IIII શ્લોક :इत्यवेत्य शुचिवादमतथ्यं, पथ्यमेव जगदेकपवित्रम् । शोधनं सकलदोषमलानां, धर्ममेव हृदये निदधीथाः ।।५।। શ્લોકાર્ચ - આ પ્રમાણે=શ્લોક-૧થી ૪ સુધીમાં બતાવ્યું તે પ્રમાણે, શુચિવાદને અતથ્ય જાણીને, જગતમાં એક પવિત્ર, સકલ દોષ મળોનું શોધન સકલ દોષરૂપી મળોનું શોધન કરનાર, પથ્ય જ, એવા ધર્મને જ હૃદયમાં સ્થાપન કરો. III ભાવાર્થ :મહાત્માઓ વિચારે છે કે આત્માને શુચિ કરે તે શૌચ કહેવાય અને શરીરનું જે શૌચ છે તે અતથ્ય છે; Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૩ ૬. અશુચિભાવના-ગીત | શ્લોક-૧ કેમ કે અનેક વખત શરીરને શુચિ કરવા છતાં તે સદા અશુચિમય જ પ્રાપ્ત થાય છે અને આત્માના પોતાના સ્વભાવરૂપ જે ધર્મ છે તે સમભાવના પરિણામરૂપ છે માટે જીવ માટે પથ્ય જ છે=ભાવ આરોગ્યને પ્રાપ્ત કરાવનારું જ છે. વળી, જગતમાં પવિત્ર એક ધર્મ જ છે; કેમ કે જગતમાત્રનું કલ્યાણનું એક કારણ છે; કેમ કે જે જે જીવો ધર્મનું સેવન કરે છે તે તે જીવોનું અવશ્ય કલ્યાણ થાય છે. વળી, જીવવર્તી સકલ દોષારૂપી મળોનું શોધન કરનાર ધર્મ જ છે; કેમ કે જેમ જેમ જીવ ધર્મની ઉચિત આચરણાઓ કરે છે તેમ તેમ ચિત્તમાં સમભાવનો પરિણામ પ્રગટે છે. તેથી ચિત્તમાં વિષમભાવના પરિણામને કારણે જે દોષરૂપ મળો પ્રગટ થયેલા તે સર્વ સમભાવના પરિણામથી ક્ષીણ થાય છે. માટે સમભાવના પરિણામસ્વરૂપ એવા ધર્મને તમે હૃદયમાં સ્થાપન કરો, દેહના શૌચને ચિત્તમાં સ્થાપન કરવું ઉચિત નથી. આ પ્રમાણે ભાવન કરીને મહાત્માઓ અંતરંગ ધર્મની નિષ્પત્તિને અનુકૂળ મહાવ્યાપારવાળા થાય છે. આપણા ૬. અશુચિભાવના-ગીત) શ્લોક : भावय रे वपुरिदमतिमलिनं, विनय विबोधय मानसनलिनम् । पावनमनुचिन्तय विभुमेकं, परममहोदयमुदितविवेकम् ।।भावय० १।। શ્લોકાર્ચ - આ શરીર અતિમલિન છે એમ તું ભાવન કર. હે વિનય ! કર્મના વિનયન કરવાની ઈચ્છાવાળા જીવ!તું માનસરૂપી કમળને વિબોધન કર=મોહની નિદ્રામાંથી જાગ્રત કર અને પરમમહોદયવાળો, ઉદિત વિવેકવાળો, વિભુ એવો એક આત્મા પાવન=પવિત્ર છે, એ પ્રમાણે અનુચિંતવન કર. III ભાવાર્થ અશુચિભાવનાને સ્થિર કરવા માટે પોતાના આત્માને ઉદ્દેશીને મહાત્માઓ કહે છે – આ શરીર અતિમલિન છે તેમ તું ભાવન કર. જેથી અતિઅશુચિમય એવા દેહ પ્રત્યે મમત્વને ધારણ કરીને તારો મનુષ્યભવ વ્યર્થ જઈ રહ્યો છે તે નિષ્ફળ જાય નહીં અને તારા માનસરૂપી કમળને તું જાગ્રત કર જેથી દેહનું મલિનભાવ સદા તને અત્યંત સ્પષ્ટ-સ્પષ્ટતર જણાય, જેથી દેહ પ્રત્યે સંગની વૃદ્ધિ થાય નહીં. અહીં પ્રશ્ન થાય કે જન્મથી માંડીને દેહનો સંગ છે અને તેના લાલનપાલનમાં જીવને સ્વસ્થતાનો અનુભવ થાય છે તેને અતિમલિન છે તેમ વિચારીને તેના પ્રત્યે જુગુપ્સા કરે તો શેના પ્રત્યે આસ્થા રાખીને પોતે સ્વસ્થ રહી શકે ? તેથી આત્માને ઉદ્દેશીને મહાત્મા કહે છે -- પરમ મહોદયવાળો અને ઉદિતવિવેકવાળો એવો એક વિભ=આત્મા જ, પાવન છે એમ ચિંતવન કર. Page #91 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસા આશય એ છે કે આત્માને સુખ જોઈએ છે અને આત્મા સર્વ કર્મોથી રહિત થાય ત્યારે આત્મા પરમ મહોદયવાળો બને છે અર્થાત્ પરમ જ્ઞાનમય બને છે અને જીવની તે જ્ઞાનમય અવસ્થા પરમ સુખરૂપ છે. વળી, શુદ્ધાત્માની અવસ્થા ઉદિતવિવેકવાળી છે=પ્રગટ વિવેકવાળી છે પરંતુ સંસારીજીવોની જેમ અવિવેકવાળી નથી. વળી, વિભુ એવો આત્મા એક પાવન છે; કેમ કે પોતાના ઉપર પોતાનું પ્રભુત્વ હોવાથી વિભુ છે અને એવો આત્મા કર્મના કલંક વગરનો હોવાથી પાવન છે એમ ચિંતવન કરીને એવા આત્મામાં લીન થવા તું પ્રયત્ન કર, અસાર એવા દેહમાં લીન થઈને તારો મનુષ્યભવ વ્યર્થ કર નહીં. એ પ્રકારે આત્માને જાગ્રત કરવા માટે મહાત્માઓ ભાવન કરે છે. આવા શ્લોક : दम्पतिरेतोरुधिरविवर्ते, किं शुभमिह मलकश्मलगर्ने । भृशमपि पिहितः स्रवति विरूपं, को बहु मनुतेऽवस्करकूपम् ।।भावय० २।। શ્લોકાર્ય : દંપતિના વીર્ય અને રુધિરના વિવર્ત સ્વરૂપ મલકશ્મલ ગર્તાવાળા=મલના કાદવરૂપ ગર્તાવાળા, અહીં આ શરીરમાં, શું શુભ છે? અર્થાત્ કાંઈ શુભ નથી. અત્યંત પણ પિધાન કરાયેલ શરીરના યત્નપૂર્વક અશુચિ બહાર ન આવે તે રીતે ઢાંકીને રાખેલ શરીર વિરૂપનેઅશુચિ પદાર્થને, ઝરે છે=બહાર કાઢે છે. તે અવકર કૂપને ગંદકીના સ્થાનને, કોણ બહુ માને ? અર્થાત્ કોઈ વિચારક તેના પ્રત્યે રાગ કરે નહીં. શા ભાવાર્થ - મનુષ્યના ભોગોની ક્રિયા અત્યંત અસાર છે અને વિચારકને લજ્જા ઉત્પન્ન થાય તેવી છે તે પ્રકારે ભાવન કરીને મહાત્મા વેદના ઉદયને અત્યંત શમન કરવા અર્થે સ્ત્રીના ભોગના સ્થાનને અત્યંત અશુચિમય છે તેમ ભાવન કરે છે અને વિચારે છે કે મલરૂપી કાદવની ગર્તા જેવું તે અશુચિ સ્થાન છે. જેમાં પુરુષ અને સ્ત્રીના શુક્ર અને લોહીના વિવર્તે વર્તે છે, તેમાં શુભ એવી કોઈ વસ્તુ નથી કે જેથી તેના પ્રત્યે જીવને મોહ થાય. આમ છતાં તત્ત્વને જોવામાં મતિને પ્રછન્ન કરે તેવા કામના ઉદયને કારણે જ જીવ વાસ્તવિક રીતે સ્પષ્ટ દેખાતા પણ તે પદાર્થને તે રીતે જોઈ શકતો નથી તેથી તેવા અશુચિમાં સ્થાનો પ્રત્યે પણ રાગ કરે છે. વળી મહાત્મા વિચારે છે કે તે સ્ત્રીનું અશુચિ સ્થાન અત્યંત પિધાન કરવામાં આવે તોપણ વિકૃત એવા અશુચિય પ્રવાહીને ઝરાવે છે તેથી પણ તે અત્યંત અશોભન છે. તેવા ગંદા પદાર્થના ફળને કોણ વિવેકી પુરુષ બહુમાને ? અર્થાત્ સુખનું કારણ છે તેમ માને ? ફક્ત વેદના ઉદયને કારણે જ અસાર એવા ભાવમાં પણ જીવને તે પ્રકારની પ્રવૃત્તિ કરવાનો અભિલાષ થાય છે. આ પ્રકારે ભાવન કરીને મહાત્માઓ સ્ત્રીના દેહ પ્રત્યે મમત્વના ત્યાગ માટે યત્ન કરે છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૬. અશુચિભાવના-ગીત | શ્લોક-૨-૩-૪ ૫ અથવા પોતાનું અને પરનું શરીર દંપતિના વીર્ય અને રુધિરથી બનેલું છે તેથી મલના કાદવરૂપ ગર્તાવાળું છે તેને ગમે તે રીતે ઢાંકવામાં આવે તોપણ ગંદકી બહાર કાઢે છે તેવા દેહને કોણ બહુમાને ? અર્થાત્ તેવા દેહ પ્રત્યે કોઈ વિચારક રાગ કરે નહીં. ॥૨॥ શ્લોક ઃ भजति सचन्द्रं शुचिताम्बूलं कर्तुं मुखमारुतमनुकूलम् । तिष्ठति सुरभि कियन्तं कालं, मुखमसुगन्धि जुगुप्सितलालम् । । भावय० ३ ।। શ્લોકાર્થ : મુખના પવનને અનુકૂળ કરવા માટે સંસારીજીવો સચંદ્ર શુચિતાંબૂલને ચાવે છે. (તેનાથી) જુગુપ્સિત લાળવાળું, અસુગંધી, એવું મુખ કેટલોક=થોડો કાળ, સુરભિ રહે છે. II3|| ભાવાર્થ: સંસારીજીવો પોતાના જ મુખમાંથી આવતી દુર્ગંધને દૂર કરીને સુગંધમય પવન મુખમાંથી નીકળે તેના માટે સુગંધી ખાદ્ય પદાર્થોથી યુક્ત પાનનાં બીડાંઓ આદિ ચાવે છે. તેનાથી પણ જુગુપ્સિત લાળવાળું અસુગંધી એવું મુખ અલ્પકાળ માટે જ સુરભિત રહે છે, તેથી જીવનું મુખ પણ દુર્ગંધને જ બહાર કાઢનાર છે. માટે વિચારકને માટે દેહની સુંદરતાને બતાવનાર મુખ પણ પરમાર્થથી અશુચિમય છે માટે કોઈના સુંદર મુખને જોઈને વિવેકી પુરુષને રાગ થાય નહિ, મૂઢ જીવોને જ રાગ થાય છે. આ પ્રકારે અશુચિભાવનાનું ભાવન કરીને મહાત્માઓ અનાદિની મૂઢતાને કા૨ણે સ્વપરના દેહમાં મોહ ક૨વાની વૃત્તિ છે તેને દૂર કરવા અર્થે યત્ન કરે છે. IIII શ્લોક ઃ असुरभिगन्धवहोऽन्तरचारी आवरितुं शक्यो न विकारी । वपुरुपजिघ्रसि वारंवारं हसति बुधस्तव शौचाचारम् ।। भावय० ४।। શ્લોકાર્થ : શરીરની અંદરમાં ફરનાર, વિકારી એવો અસુરભિ ગંધને વહન કરનાર, વાયુ આવરણ કરવા માટે શક્ય નથી=શરીરમાંથી દુર્ગંધ કરે છે તેને ઉત્તમ દ્રવ્યના વિલેપન દ્વારા આવરણ કરવો શક્ય નથી, તેવા શરીરને તું વારંવાર સુંઘે છે=ઉત્તમ દ્રવ્યોનું વિલેપન કરીને તેની સુવાસ લેવા પ્રયત્ન કરે છે, તારા (આ) શૌચાચાર પર બુધ પુરુષો હસે છે. ૪ ભાવાર્થ: સંસારીજીવોના શરીરમાંથી નીકળતો અંતઃચારી વિકારી વાયુ અસુરભિ ગંધને વહન કરનાર છે માટે • " Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શાંતસુધારસ પરસેવાથી પણ બહાર અસુરભિ ગંધ આવે છે. તે અસુરભિ ગંધને આવરણ કરવા માટે સંસારીજીવો સુગંધી પદાર્થોનું વિલેપન શરીર ઉપર કરે છે તો પણ તે અસુરભિ ગંધ આવૃત થઈ શક્તી નથી. તેથી વિલેપન કર્યા પછી કંઈક કાળ રહીને દેહમાંથી અસુરભિ ગંધ બહાર નીકળે છે છતાં સુગંધનો અર્થી જીવ વારંવાર સુગંધી પદાર્થોને દેહ ઉપર લગાડીને દેહને સુંઘે છે. તેની આ પ્રકારની ચેષ્ટા જોઈ બુધ પુરુષ તેના શૌચાચાર પ્રત્યે હસે છે. આશય એ છે કે, શરીર અશુચિમય જ છે તેને આ રીતે શુચિ કરી શકાતું નથી. તથી જેઓ દેહ પ્રત્યેના મમત્વનો ત્યાગ કરીને દેહથી ભિન્ન એવા આત્માને દેહ પ્રત્યે નિર્મમ કરીને શુચિ કરે છે તેનો આત્મા જ મોહનો સંક્લેશ વગરનો હોવાથી શુચિ છે. પરંતુ સંસારીજીવા આત્માને શુચિ કરવાની ઉપેક્ષા કરીને અશુચિ એવા દેહને જ ઉત્તમ પદાર્થોથી શુચિ કરવા યત્ન કરે છે. તેઓની તે મૂર્ખતાભરી ચેષ્ટા બુધ પુરુષો માટે હાસ્યસ્પદ છે. એમ વિચારીને મહાત્માઓ અશુચિભાવનાને સ્થિર કરીને શુચિ એવા આત્મા પ્રત્યે પક્ષપાતવાળા બને છે અને દેહ પ્રત્યેના પક્ષપાતનો ત્યાગ કરે છે. જા. શ્લોક : द्वादशनवरन्ध्राणि निकामं, गलदशुचीनि न यान्ति विरामम् । यत्र वपुषि तत् कलयसि पूतं, मन्ये तव नूतनमाकूतम् ।।भावय० ५।। શ્લોકાર્ચ - જે શરીરમાં અત્યંત ગળતી અશુચિવાળાં ૧૨ અને ૯ છિદ્રો વિરામને પામતાં નથી. તેને તે શરીરને, તું પવિત્ર માને છે. આ તારો નવીન આકૂત-નવીન વિચાર છે એમ હું માનું છું. આપણા ભાવાર્થ : સ્ત્રીઓના શરીરનાં ૧૨ છિદ્રોમાંથી અને પુરુષના શરીરનાં ૯ છિદ્રોમાંથી સતત અશુદ્ધિ ઝરે છે તેથી જ શરીરને સ્નાન, વિલેપનાદિ કંઈ ન કરવામાં આવે તો બહારથી પણ દુર્ગધમય જ પ્રતીત થાય છે અને આ ૧૨૯ છિદ્રોમાંથી નીકળતી અશુચિ ક્યારે પણ વિરામ પામતી નથી. ગમે તેટલાં ઉત્તમ દ્રવ્યોનો સંગ કરવામાં આવે તોપણ તે છિદ્રોમાંથી સતત અશુચિ નીકળે છે છતાં મોહને વશ જીવો ઉત્તમ દ્રવ્યોથી તેનું વિલેપન કરીને પોતાનું તે શરીર પવિત્ર છે તેમ જાણે છે અને બીજાના પણ સુંદર દેહને જોઈને એ પવિત્ર છે એમ માને છે. તેને ગ્રંથકારશ્રી કટાક્ષમાં કહે છે કે – તારો આ નવો સંકલ્પ છે એમ હું માનું છું અર્થાત્ તારો આ વિચાર અનુભવથી વિરુદ્ધ છે પરંતુ અનુભવને અનુરૂપ નથી; કેમ કે શરીર પવિત્ર નથી એ અનુભવસિદ્ધ પદાર્થ છે. આ પ્રકારે ભાવન કરીને દેહ સર્વથા અશુચિય છે માટે કોઈના દેહ પ્રત્યે કે પોતાના દેહ પ્રત્યે પણ મમત્વ કરવું જોઈએ નહીં. પરંતુ પવિત્ર એવા શુદ્ધ આત્મા પ્રત્યે મમત્વ કરીને તેના હિત માટે ઉદ્યમ કરવો જોઈએ. આ પ્રકારે ભાવન કરીને મહાત્માઓ અંતરંગભાવોને અભિમુખ આત્માને બનાવે છે. આપણા Page #94 -------------------------------------------------------------------------- ________________ S ૬. અચિભાવના-ગીત | શ્લોક-૬-૭ શ્લોક : अशितमुपस्करसंस्कृतमन्नं, जगति जुगुप्सां जनयति हनम् । पुंसवनं धनवमपि लीढं, भवति विगर्हितमति जनमीढम् ।।भावय० ६॥ .. શ્લોકાર્ય : ઉપકરથી સંસ્કૃત કરી ખાધેલું અન્ન હન્ન થાય છે અને લીઢ-પીવાયેલું, ગાયનું પણ પુંસવનું દૂધ, અતિવિગહિત જનમીઢ-પુરુષનું મૂત્ર, થાય છે જે જગતમાં જુગુપ્સાને ઉત્પન્ન કરે છે. Iકા ભાવાર્થ : વળી, મહાત્માઓ અશુચિ નિષ્પાદક આ શરીર કેવું છે તેનું ભાન કરીને શરીર પ્રત્યેના મોહને દૂર કરવા વિચારે છે કે સુંદર દ્રવ્યોથી સંસ્કૃત એવું અન્ન પણ કોઈ પુરુષ ખાય તો તે દહના સંગથી હનરૂપ=વિષ્ટારૂપ. થાય છે. વળી, પીવાયેલું ગાયનું સુંદર દૂધ પણ અતિવિગહિત એવું પુરુષનું મૂત્ર થાય છે જેને જોઈને પણ લિોકોને જુગુપ્સા થાય છે. આ રીતે સુંદર ભોજન અને સુંદર એવા દૂધને પણ જે અશુચિરૂપે બનાવે છે તેવા આ મનુષ્યનો દેહ અત્યંત અશુચિમય છે, માટે વિચારક પુરુષે દેહ પ્રત્યે લેશ પણ રાગ કરવા જેવો નથી. પરંતુ તેના મમત્વનો ત્યાગ કરીને અસંગ પરિણતિ દ્વારા શુદ્ધ આત્મા પ્રત્યે જ રાગ કરવા જેવો છે જે શુચિસ્વરૂપ છે. જા શ્લોક :केवलमलमयपुद्गलनिचये, अशुचीकृतशुचिभोजनसिचये । वपुषि विचिन्तय परमिह सारं, शिवसाघनसामर्थ्यमुदारम् ।।भावय० ७।। શ્લોકાર્ચ - જ અહીંસંસારમાં, કેવલ મલમય પુગલના નિયયરૂપ સમૂહરૂ૫, શુચિ ભોજન અને શુચિ વસ્ત્રને અશુચિ કરનાર એવા શરીરમાં ઉદાર એવું શિવસાધનાનું સામર્થ્ય જ પરમ સાર છે તે તું વિચાર કર પરમ સારરૂપ ઉદાર એવા શિવસાધનનું સામર્થ્ય તું વિચાર. IIછો. ભાવાર્થ : મહાત્માઓ શરીરની અશુચિભાવના ભાવન કર્યા પછી તત્ત્વની મર્મદ્રષ્ટિથી શું ભાવન કરે છે ? તે બતાવતાં કહે છે -- આ આપણું શરીર કેવલ મલમય એવા પુદ્ગલના સમૂહરૂપ છે એટલું જ નહીં પણ સુંદર એવું ભોજન અને સુંદર એવા વસ્ત્રને પણ અશુચિ કરે એવું છે માટે આવા શરીરમાં રાગ કરવો તે અશુચિ પ્રત્યે જ રાગ કરવા તુલ્ય છે. આમ છતાં પૂર્વના પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલો મનુષ્યભવ છે તેમાં મોક્ષના સાધનનું સામર્થ્ય છે તે જ ઉદાર છે=શ્રેષ્ઠ છે, અને પરમ સાર છે અર્થાત્ આત્માના સર્વહિતનું Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શાંતસુધારૂ કારણ હોવાથી પરમ સારરૂપ છે અને તેનું ભાવન કરીને મોક્ષનું કારણ બને તેવા સામર્થ્યને મેળવવા માટે જ પોતાનું સદ્વર્ય ઉલ્લસિત થાય તે રીતે મહાત્મા તેનું ભાવન કરે છે જેથી એ સામર્થ્યના બળથી જ મહાત્મા અશુચિ એવા દેહ પ્રત્યે અસંગભાવને કેળવે છે અને અંતરંગ ગુણસંપત્તિ પ્રત્યે સંગભાવને વધારે છે જેથી ગુણસંપત્તિની વૃદ્ધિ દ્વારા સર્વથા અસંગની અવસ્થા શીધ્ર પ્રાપ્ત થાય. llણા શ્લોક : येन विराजितमिदमतिपुण्यं, तच्चिन्तय चेतन ! नैपुण्यम् । विशदागममधिगम्य निपानं, विरचय शान्तसुधारसपानम् ।।भावय०८।। શ્લોકાર્થ : જેના વડે શિવસાધનના ઉદાર સામર્થ્ય વડે, શોભતું એવું આ શરીર, અતિપુણ્યવાળું છે. હે ચેતન ! તેને=ઉદાર એવા શિવસાધનના સામર્થ્યને, તું નિપુણતાપૂર્વક ચિંતવન કર અને વિશદ આગમના નિપાનને પ્રાપ્ત કરીને શાંતસુધારસના પાનને તું કર. llciા. ભાવાર્થ : અત્યારસુધી મહાત્માએ આ શરીર કઈ કઈ રીતે અશુચિરૂપ છે તેનું અનુભવ અનુસાર ચિંતવન કર્યું અને શ્લોક-૭માં વિચાર્યું કે, આવું અશુચિમય શરીર પણ ઉદાર એવા શિવસાધનના સામર્થ્યવાનું છે જે આ શરીરનું પરમ સાર તત્ત્વ છે. હવે, દેહના તે પરમ સાર તત્ત્વને નિપુણતાથી આત્મામાં સ્થિર કરવા અર્થે મહાત્મા વિચારે છે કે અશુચિવાળું પણ આ શરીર ઉદાર એવા શિવસાધનના સામર્થ્યથી શોભતું અતિપુણ્યવાળું છે; કેમ કે આ દેહના બળથી જ મહાત્માઓ અનંત સંસારના પરિભ્રમણના અનર્થનું નિવારણ કરી શકે છે અને તે નિવારણ કરવામાં મનુષ્યભવનો દેહ અતિ ઉપકારક છે. માટે પુણ્યથી પ્રાપ્ત થયેલા અને ભવના ઉચ્છેદના કારણરૂપ એવા દેહને હે ચેતન ! તું નિપુણતાથી વિચાર કરે જેથી પ્રાપ્ત થયેલી મનુષ્યભવની ક્ષણો એકાંતે હિતની પરંપરાનું કારણ બને. કઈ રીતે મનુષ્યભવ હિતની પરંપરાનું કારણ બને તે શ્લોકના ઉત્તરાર્ધથી મહાત્મા વિચારે છે કે ભગવાનના શાસનને પ્રાપ્ત કરીને તેં વિશદ આગમના જળાશયને પ્રાપ્ત કર્યો છે. હવે, ક્ષણભર પણ પ્રમાદ કર્યા વગર, તે જળાશયમાંથી શાંતરૂપી અમૃતરસનું પાન કર અર્થાતુ ભગવાનના શાસનના તત્ત્વને સર્વ શક્તિથી જાણવા, જાણીને તેને સ્થિર કરવા અને સ્થિર કરીને તેનાથી આત્માને અત્યંત ભાવિત કરવા યત્ન કર કે જેથી મોહની આકુળતા શાંત થાય એવા શાંતરૂપી અમૃતરસનું આસ્વાદન -તને પ્રાપ્ત થાય અને તે રીતે ભગવાનના વચનનું પાન કર જેથી અશુચિમય એવો પણ દેહ સર્વ કલ્યાણનું કારણ બને. દા. II છઠ્ઠો પ્રકાશ પૂર્ણ II Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭. આઝાવભાવના | શ્લોક-૧-૨ ( ૭. આઝવભાવના શ્લોક : यथा सर्वतो निर्झरेरापतद्भिः, प्रपूर्येत सद्यः पयोभिस्तटाकः । तथैवाश्रवैः कर्मभिः सम्भृतोऽङ्गी, भवेद् व्याकुलश्चञ्चलः पकिलश्च ।।१।। શ્લોકાર્ચ - જે પ્રમાણે સર્વ બાજુથી પડતા એવા પાણી વડે તળાવો તરત પુરાય છે, તે પ્રમાણે જ આશ્રવણ પામતાં એવાં કમોં વડે ઝરતાં એવાં કમોં વડે, સંત થયેલો જીવ વ્યાકુળ-કર્મથી વ્યાકુળ, ચંચળ અને પંકિલ કાદવવાળો, થાય છે. ll૧II. ભાવાર્થ : મહાત્માઓ વિચારે છે કે ધોધમાર વરસાદ પડતો હોય ત્યારે ચારેબાજુ પાણી વરસતું હોય છે અને તે પાણી સર્વ બાજુથી તળાવમાં આવીને પડતું હોય છે, તેથી તે તળાવ પાણીથી શીધ્ર પુરાય છે. તે જ પ્રમાણે જીવરૂપી તળાવ સર્વ બાજુથી પડતા એવા આશ્રવરૂપી પાણીથી ભરાય છે અર્થાતુ બધી ઇન્દ્રિયો અને મન દ્વારા કર્મોનું આત્મામાં આગમન થાય છે તેથી જીવ તે કર્મોથી સંભૂત થાય છે અને ઘણાં કર્મો ભરાવાથી તે વ્યાકુળ થાય છે, ચંચળ થાય છે અને કાદવવાળો થાય છે. જેમ ઘણું પાણી ભરાવાથી તે તળાવ ઉપરથી પણ પાણી વહેવા માંડે છે ત્યારે તળાવનું પાણી ચંચળ=અસ્થિર, દેખાય છે અને કાદવવાળું દેખાય છે તેમ જીવની પણ સ્થિતિ થાય છે. આશય એ છે કે – મનુષ્યભવ પામેલા જીવોને પાંચ ઇન્દ્રિયો અને મન છે. તે ઇન્દ્રિયો અને મન પોતપોતાના વિષયો સાથે સંશ્લેષ પામીને જુદા જુદા પ્રકારના રાગાદિભાવો કરે છે. તે રાગાદિભાવોની વૃદ્ધિને અનુકૂળ જુદા જુદા આરંભ-સમારંભરૂપ કૃત્યો કરે છે અને તેનાથી આત્મામાં કર્મોનો સંશ્લેષ થાય છે. કર્મોનું આ આગમન આશ્રવ છે અને તે આશ્રવથી અતિશય ભરાયેલો જીવ દુર્ગતિઓમાં ભમે છે, અનેક કદર્થનાઓ પામે છે અને વ્યાકુળ, ચંચળ અને મલિનભાવોથી યુક્ત એવા કાદવવાળો બને છે. આ રીતે આશ્રવના સ્વરૂપનું ચિંતવન કરીને આશ્રવના પરિણામથી આત્માનું રક્ષણ કરવા અર્થે મહાત્માઓ આશ્રવભાવનાનું ભાવન કરે છે. દઢ પ્રણિધાનપૂર્વક કરાયેલ આશ્રવભાવનાથી ભાવિત થયેલો જીવ આશ્રવના અનર્થોનો વિચાર કરીને આશ્રવના કારણભૂત સંગના પરિણામ પ્રત્યે દ્વેષવાળો થાય છે જેનાથી આત્મામાંથી સંગની પરિણતિ જીવના ઉપયોગ અનુસાર તિરોધાન પામે છે જે આશ્રવભાવનાનું ફળ છે. ITI શ્લોક :यावत्किञ्चिदिवानुभूय तरसा, कर्मेह निमर्यते, तावच्चाश्रवशत्रवोऽनुसमयं, सिञ्चन्ति भूयोऽपि तत् । Page #97 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ हा कष्टं कथमाश्रवप्रतिभटाः शक्या निरोद्धं मया, संसारादतिभीषणान्मम हहा, मुक्तिः कथं भाविनी ।।२।। શ્લોકાર્થ : અહીં=સંસાર અવસ્થામાં, જ્યાં સુધી કંઈક એવું કંઈક માત્રામાં કર્મનો અનુભવ કરીને ઉદયમાન કર્મનું વેદન કરીને, શીઘ કર્મની નિર્જરા કરાય છે ત્યાંસુધી આશ્રવ શત્રુઓ ફરી પણ તેને તે કર્મને, અનુસમય પ્રત્યેક સમયે, સિંચન કરે છે. હા=બેદની વાત છે અને કષ્ટ છે કે આશ્રવરૂપ પ્રતિભટો મારા વડે નિરોધ કરવા માટે કેવી રીતે શક્ય થાય. હહા અત્યંત ખેદની વાત છે કે અતિભીષણ એવા સંસારથી મને કેવી રીતે મુક્તિ થવાની ? III ભાવાર્થ : મહાત્માઓ આશ્રવના અનર્થોન વિચારીને આશ્રવના રોધની શક્તિના સંચય અર્થે વિચારે છે કે કર્મો ઉદયમાં આવીને નિર્જરા પામે છે તેથી જીવ કંઈક કર્મોથી હળવો થાય છે. તોપણ અનુભવમાં આવીને શીધ્ર કંઈક કર્મનિર્જરા પામે તેટલામાં તો આશ્રવરૂપ શત્રુઓ ફરી પણ તે કર્મને પ્રતિસમય આત્મામાં સિંચન કરે છે. તેથી નિર્જરાથી જે કર્મો અલ્પ થાય છે તે ગણનામાં આવતાં જ નથી; કેમ કે આશ્રવ દ્વારા જ સદા જીવ કર્મોથી ઘેરાય છે. આ પ્રકારની આશ્રવની સ્થિતિનો વિચાર કરીને મહાત્મા વિચારે છે કે આશ્રવરૂપી શત્રુનો મારા વડે કઈ રીતે રોધ કરવો શક્ય છે ? આ પ્રકારનો માર્ગાનુસારી ઊહ કરીને આશ્રવ પ્રત્યેની દ્વેષબુદ્ધિથી જ મહાત્મા આશ્રવના નિરોધને અનુકૂળ સદ્વર્યને ઉલ્લસિત કરે છે. વળી, આશ્રવ પ્રત્યેના દ્વેષને અતિશય કરીને મુક્તિ પ્રત્યેના રાગને અતિશયિત કરવા અર્થે વિચારે છે કે અતિભીષણ એવા આ સંસારથી મારી મુક્તિ કઈ રીતે થશે અર્થાતું જ્યાં સુધી હું આશ્રવના નિરોધ માટે મહાપરાક્રમ નહીં ફોરવું ત્યાંસુધી અતિભીષણ એવા સંસારથી મુક્ત થવું શક્ય નથી. તેમ વિચારીને સંસાર પ્રત્યેનો ભય અને મોક્ષ પ્રત્યેનો રાગ જાગ્રત કરીને અને આશ્રવ નિરોધને અનુકૂળ સદ્વર્ય પ્રત્યે પક્ષપાત કરીને આશ્રવરોધ માટે મહાત્મા યત્નશીલ થાય છે. આવા શ્લોક :मिथ्यात्वाविरतिकषाययोगसंज्ञाश्चत्वारःसुकृतिभिराश्रवाः प्रदिष्टाः, कर्माणि प्रतिसमयं स्फुटरमीभिर्बध्नन्तो भ्रमवशतो भ्रमन्ति जीवाः ।।३।। શ્લોકાર્ચ - મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગની સંજ્ઞાવાળા ચાર આશ્રવો બુદ્ધિમાનો વડે કહેવાયા છે. સ્પષ્ટ એવા આના વડે=આ ચાર આશ્રવો વડે, પ્રતિસમય કમને બાંધતા અને ભ્રમને વશાથી જીવો ભમે છે સંસારમાં ભમે છે. Ilal Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭. આશ્વવભાવના | શ્લોક-૩-૪ ભાવાર્થ : આશ્રવનું પારમાર્થિક સ્વરૂપ શું છે તેને સ્પષ્ટ ઉપસ્થિત કરવા અર્થે મહાત્માઓ વિચારે છે કે – જીવ પ્રતિસમય કાંઈ ને કાંઈ ઉપયોગના પરિણામવાળો છે અને તે ઉપયોગને અનુરૂપ તેના મન, વચન અને કાયાના યોગો પ્રવર્તે છે, જે કર્મબંધનાં કારણ છે. તે મન, વચન અને કાયાના યોગો વિપર્યાસ કૃત મિથ્યાત્વ, અવિરતિ અને કષાય યુક્ત હોય ત્યારે સર્વ પ્રકારના આશ્રવો સતત ચાલુ છે. જ્યારે એ ચારે આશ્રવવાળો જીવ કોઈક નિમિત્તે તત્ત્વને અનુકૂળ સંસારના વાસ્તવિક સ્વરૂપને જોવાના ઉપયોગવાળો થાય છે ત્યારે તે જ આશ્રવ અંશમાંથી મિથ્યાત્વ અંશ કાંઈક કાંઈક ન્યૂન થાય છે અને જીવ સમ્યક્તને સન્મુખ થાય છે, તેટલા અંશમાં તે આશ્રવનો રોધ થાય છે. વળી, સંસારના વાસ્તવિક સ્વરૂપને જોવાની નિર્મળ પ્રજ્ઞા જિનવચનાનુસાર સ્પષ્ટ પ્રગટ થાય ત્યારે મિથ્યાત્વ અંશ સર્વથા જાય છે, તોપણ અવિરતિ, કષાય અને યોગરૂપ આશ્રવ વર્તે છે અને જ્યારે જીવ સમ્યક્તના અવલંબનથી જેટલા જેટલા અંશથી અવિરતિને ન્યૂન કરવા પ્રયત્ન કરે છે, ત્યારે તેટલા તેટલા અંશથી અવિરતિરૂપ આશ્રવ પણ ક્ષણ-ક્ષીણતર થાય છે. જ્યારે સંપૂર્ણ અવિરતિરૂપ આશ્રવ દૂર થાય છે ત્યારે તે મહાત્મામાં વર્તતા રાગ-દ્વેષના પરિણામો જિનવચનથી નિયંત્રિત થાય છે તેથી તે મહાત્માઓનો રાગ વીતરાગ પ્રત્યે છે, વીતરાગ થવાના ઉપાયો પ્રત્યે છે, દ્વેષ અવીતરાગ પ્રત્યે અને અવીતરાગ થવાના ઉપાયો પ્રત્યે છે અને બાહ્યપદાર્થો પ્રત્યે સંશ્લેષ નહીં હોવાથી જગતના ભાવો પ્રત્યે ઉપેક્ષા છે. આ રીતે અપ્રમત્તપણે યત્ન કરીને જ્યારે મહાત્મા વિતરાગ થાય છે ત્યારે કષાયરૂપ આશ્રવનો છેદ થાય છે તેથી તે મહાત્મા વીતરાગ થઈને શેષ ઘાતિકર્મોનો ક્ષય કરે છે અને કેવલી થાય છે અને ઉચિત કાળે યોગ નિરોધ કરીને સર્વથા આશ્રવ રહિત બને છે. માટે આશ્રવના નિરોધના અર્થીએ તત્ત્વાતત્ત્વનો માર્ગાનુસારી ઊહ કરીને સદા તત્ત્વને સન્મુખ ચિત્તવૃત્તિ પ્રવર્તે તે રીતે સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરવી જોઈએ. જેથી ક્રમસર આશ્રવનો ઉચ્છેદ થાય અને આ આશ્રવો જ પ્રતિસમય સ્પષ્ટ રીતે કર્મને બાંધીને જીવને સંસારમાં ભમાવે છે. તેથી સંસારના પરિભ્રમણના નિવર્તનના અર્થી જીવે સર્વ યત્નથી મિથ્યાત્વાદિ આશ્રવોના નિરોધને અનુકૂળ ક્રમસર યત્ન કરવો જોઈએ. તેમ ભાવન કરીને મહાત્માઓ આશ્રવરોધને અનુકૂળ સદ્વર્યને ઉલ્લસિત કરે છે. Ilal અવતરણિકા : પૂર્વમાં એક દૃષ્ટિકોણથી ચાર પ્રકારનો આશ્રવ છે તેમ બતાવ્યું, હવે અન્ય દૃષ્ટિથી આશ્રવને તેના ઉત્તરભેદો સહિત બતાવે છે – શ્લોક - इन्द्रियाव्रतकषाययोगजाः, पञ्चपञ्चचतुरन्वितास्त्रयः । पञ्चविंशतिरसत्क्रिया इति, नेत्रवेदपरिसङ्ख्ययाऽप्यमी ।।४।। Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શાંતસુધારસ શ્લોકાર્ય : ઈન્દ્રિય, અવત, કષાય અને યોગથી થનારા, પાંચ, પાંચ, ચારથી અન્વિત ત્રણ=૧૭ ભેદો, અને પચીશ અસક્રિયા એ પ્રમાણે નેત્ર અને વેદની પરિસંખ્યાથી નેત્ર-૨ અને બ્રાહ્મણોને અભિમત ચાર પ્રકારના વેદ=૪ તેમાં પ્રથમ વેનો આંકડો ૪ લેવો અને નેત્રનો આંકડો ૨ લેવો એ રીતે ૪ર પરિસંખ્યાથી, પણ આ છે=પૂર્વના શ્લોકમાં બતાવ્યા તે ભેદથી તો આશ્રવ છે પણ ૪૨ પરિસંખ્યાથી પણ આશ્રવના ભેદો છે. IIII. ભાવાર્થ : ભગવાનના શાસનમાં સ્યાદ્વાદની દૃષ્ટિથી પદાર્થને અનેક દૃષ્ટિથી જે સ્વરૂપે રહેલ છે તે સ્વરૂપે જોવામાં આવે છે તે અનુસાર કર્મોના આગમનના કારણભૂત જીવની પરિણતિરૂપ આશ્રવ પૂર્વના શ્લોકમાં મિથ્યાત્વાદિ ચાર ભેદથી બતાવ્યા. હવે, અન્ય દૃષ્ટિએ આશ્રવની પરિણતિને જ બતાવે છે કે આશ્રવ ઇન્દ્રિય, અવ્રત, કષાય અને યોગ સ્વરૂપ છે અને તેના ઉત્તરભેદો ઇન્દ્રિયોના પાંચ, અવ્રતના પાંચ, કષાયના ચાર અને યોગના ત્રણ છે, અને પચ્ચીશ અસલ્કિયાઓ છે, એમ કુલ મળીને આશ્રવના ૪૨ ભેદ છે. આનાથી, એ પ્રાપ્ત થાય છે, જે જીવોની પાંચ ઇન્દ્રિયો તે તે વિષય સાથે સંબંધ કરીને અનુકૂળ અને પ્રતિકૂળ ભાવો કરે છે, તે ભાવોથી આત્મામાં કર્મબંધની પરિણતિ થાય છે તેથી પાંચ ઇન્દ્રિયો કર્મોના આગમનના કારણભૂત એવી આશ્રવરૂપ છે અને જે જીવો તત્ત્વથી ભાવિત થઈને ઇન્દ્રિયોને વિષયથી ઉભુખ ભાવવાળી કરે છે તેઓને તે ઇન્દ્રિયોના આશ્રવનો રોધ થાય છે. જેમ કોઈક ને કોઈક ઇન્દ્રિયોની વૃત્તિ અતિશય હોય તેથી તે ઇન્દ્રિય તે વિષય પ્રત્યે અત્યંત વેગથી જતી હોય તેના નિરોધ અર્થે તે તે ઇન્દ્રિયોના અનર્થનું ભાવન કરીને તે વેગને શાંત કરવામાં આવે તો શાંત કરવાને અનુકૂળ વ્યાપારકાળમાં જેટલા અંશથી આત્મા તે ભાવનાથી ભાવિત થાય છે તેટલા અંશથી તેના આશ્રવનો રોધ થાય છે. અથવા કોઈ શ્રાવક ભગવાનની પૂજામાં ભગવાનના ગુણોને અવલંબીને ઉપયોગપૂર્વક યત્ન કરે, ત્યારે તેનું દ્રવ્યસ્તવભાવસ્તવની શક્તિના સંચયનું કારણ હોવાથી તેના તે ઉપયોગ દ્વારા પાંચ ઇન્દ્રિયો સંવર તરફ જાય છે; કેમ કે યોગનિરોધરૂપ જિનમુદ્રાને અવલંબીને યોગનિરોધને અનુકૂળ શક્તિનો સંચય થાય તે રીતે વિવેકી શ્રાવક પૂજાકાળમાં યત્ન કરે છે. વળી, પાંચ અવ્રતો આશ્રવરૂપ છે અને તે હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહરૂપ છે. તે અવ્રતોનું પારમાર્થિક સ્વરૂપ ચિંતવન કરીને, જે જે અવ્રતને નિરોધ કરવાની પોતાની શક્તિ જણાય તે તે અવ્રતને તે તે ઉચિત ક્રિયા દ્વારા કે પ્રતિપક્ષ ભાવન દ્વારા નિરોધ કરવામાં આવે તો તે તે અવ્રતથી થતા આશ્રવનો નિરોધ થાય છે. અહીં ભગવાનની પૂજાકાળમાં કે સામાયિકકાળમાં તે તે કૃત્યોને અનુરૂપ દઢ ઉપયોગ વર્તતો હોય તો પાંચે આશ્રવો સ્વભૂમિકાને અનુસાર નિરોધ પામે છે તેથી જેટલા અંશમાં અવ્રતનો આશ્રવ છે તેટલા અંશમાં કર્મબંધ છે અને જેટલા અંશમાં અવ્રતના નિરોધનો વ્યાપાર છે તેટલા અંશથી તે આશ્રવ અલ્પઅલ્પતર થાય છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૩ ૭. આશ્વવભાવના | શ્લોક-૪-૫ વળી, પાંચ ઇન્દ્રિયોને સંવૃત કરી અહિંસાદિ પાંચ વ્રતોમાં સ્થિર થયેલા હોય એવા સર્વવિરતિધર સાધુ ઇન્દ્રિય અને અવ્રત રૂપ આશ્રવના વ્યાપારવાળા નથી તોપણ ચાર કષાયથી મુક્ત નથી. તેથી તેઓના વિદ્યમાન કષાયો વીતરાગના વચનને અવલંબીને પ્રવર્તતા હોય તો વીતરાગના વચનમાં રાગ હોવાથી તે કષાયો ઉત્તર-ઉત્તર ક્ષીણ થઈ રહ્યા છે. આમ છતાં નિમિત્તને પામીને શાતા-અશાતામાં પણ કે અનુકૂળપ્રતિકૂળ ભાવોમાં પણ ક્યારેક તે તે કષાય ઇષદ્ પ્રવર્તે છે ત્યારે તે કષાય દ્વારા આશ્રવ વૃદ્ધિ પામે છે અને જિનવચનને અનુસાર પ્રવર્તે છે ત્યારે આશ્રવ ઉત્તરોત્તર ક્ષીણ થાય છે. વળી, જે મહાત્મા જિનવચનાનુસાર કષાયને નિયંત્રિત કરીને અપ્રમાદભાવથી કષાયોને કષાયના જ ઉચ્છેદમાં પ્રવર્તાવે છે તે મહાત્મા વીર્યના પ્રકર્ષવાળા થાય તો ક્ષપકશ્રેણીને પ્રાપ્ત કરીને અકષાયવાળા થાય છે ત્યારે ઇન્દ્રિય, અવ્રત અને કષાયના આશ્રવનો સર્વથા ઉચ્છેદ થાય છે અને માત્ર યોગરૂપ આશ્રવ રહે છે. હવે, કેવલી થયા પછી ઉચિતકાળે યોગનો નિરોધ કરે ત્યારે સર્વથા આશ્રવ નિરોધ કરીને તે મહાત્મા સર્વસંવરની પ્રાપ્તિ કરે છે. વળી, ઇન્દ્રિય, અવ્રત, કષાય અને યોગના આશ્રવકાળમાં સ્વ-સ્વભૂમિકાને અનુસાર ૨૫ પ્રકારની અસન્ક્રિયાઓ જીવો કરે છે અને જેઓ તે ૨૫ પ્રકારની અસલ્કિયાના પારમાર્થિક સ્વરૂપને જાણીને સ્વભૂમિકાને અનુસાર તે તે ક્રિયાની જે જે અંશથી નિવૃત્તિ કરે છે તે તે અંશથી આશ્રવનો નિરોધ કરે છે. આ રીતે સંસારના કારણભૂત આશ્રવના ૪૨ ભેદોની પ્રાપ્તિ થાય છે તેનું સમ્યક સમાલોચન કરીને સ્વશક્તિ અનુસાર તેના નિરોધ માટે યત્ન કરવો જોઈએ.Iઝા શ્લોક :इत्याश्रवाणामधिगम्य तत्त्वं, निश्चित्य सत्त्वं श्रुतिसन्निधानात् । एषां निरोधे विगलद्विरोधे,सर्वात्मना द्राग् यतितव्यमात्मन् ! ।।५।। શ્લોકાર્ચ - હે આત્મન્ ! આ પ્રમાણે શ્લોક-૩ અને શ્લોક-૪માં બતાવ્યું તે પ્રમાણે, આશ્રયોના તત્વને જાણીને, શ્રુતિના સન્નિપાનથી શાસ્ત્રના યથાર્થ બોધના બળથી, સત્ત્વનો નિર્ણય કરીને કયા પ્રકારના આશ્રવના નિરોધને અનુકૂળ પોતાનામાં શક્તિ છે તે રૂ૫ સત્ત્વનો નિર્ણય કરીને, આમના=આશ્રવોના, વિગલદ્ વિરોધવાળા નિરોધમાંકમાત્ર બાહ્યથી નહીં પરંતુ જે પ્રકારના આશ્રવ નિરોધની ક્રિયા કરવામાં આવે તે ક્રિયા તે પ્રકારના બંધ પ્રત્યે અકારણ બને એવા વિગલ વિરોઘવાળા નિરોધમાં, સર્વ આત્માથી સર્વ ઉધમથી, શીઘ યત્ન કરવો જોઈએ=લેશપણ કાળ ક્ષેપ કર્યા વગર યત્ન કરવો જોઈએ. આપII ભાવાર્થ : - શ્લોક-૧માં આશ્રવો કઈ રીતે આવે છે તે બતાવ્યું, શ્લોક-૨માં આશ્રયોનો નિરોધ અતિદુષ્કર છે તે Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શાંતસુધારસા બતાવ્યું, શ્લોક-૩-૪માં આશ્રવોના ભેદ પ્રભેદ દ્વારા આશ્રવનું કંઈક સ્વરૂપ બતાવ્યું. તે પ્રકારે આશ્રવોનું પારમાર્થિક સ્વરૂપ જાણવા યત્ન કરવો જોઈએ. જેથી શબ્દ માત્રથી આશ્રવનો બોધ ન થાય પરંતુ જીવમાં વર્તતા તે તે આશ્રવના તે તે પરિણામ સ્વરૂપે આશ્રવનો બોધ થાય. અને પોતાનામાં વર્તતા તે તે આશ્રવના સ્વરૂપને યથાર્થ જાણ્યા પછી શાસ્ત્રવચનના બળથી, કયા પ્રકારના આશ્રવના નિરોધને અનુકૂળ પોતાનામાં શક્તિ છે અને કયા પ્રકારના આશ્રવના નિરોધને અનુકૂળ પોતાનામાં શક્તિ નથી તેનો યથાર્થ નિર્ણય કરવો જોઈએ. આ રીતે આશ્રવના સ્વરૂપનો યથાર્થ બોધ થાય, પોતાની શક્તિનો યથાર્થ નિર્ણય થાય પછી સર્વ ઉદ્યમથી તે આશ્રવના નિરોધમાં યત્ન કરવો જોઈએ. તેના નિરોધમાં કેવા પ્રકારના યત્ન કરવો જોઈએ ? તેથી કહે છે – વિગલ વિરોધવાળા નિરોધમાં યત્ન કરવો જોઈએ. આશય એ છે કે તે તે આશ્રવ નિરોધને અનુકૂળ તે તે સંયમ ક્રિયાઓ છે. આમ છતાં તે તે સંયમની ક્રિયાઓ તે તે ભાવોની નિષ્પત્તિને અનુકૂળ વ્યાપારવાળી ન થાય તે રીતે કરવામાં આવે તો તે આશ્રવ નિરોધનો વ્યાપાર વિગલદ્ વિરોધવાળો નથી પરંતુ વિરોધયુક્ત છે; કેમ કે બહારથી આશ્રવનો નિરોધ છે પરંતુ અંતરંગ રીતે આશ્રવનો યત્ન છે. જેમ જ આવશ્યકની ક્રિયા જે ગુણોથી અને જે ભાવોથી ભગવાને કહી છે તે ગુણોમાં અને તે ભાવોમાં કઈ રીતે યત્ન કરવો જોઈએ તેનો બોધ કરીને જેઓ સ્વશક્તિ અનુસાર તે ગુણોની અને તે ભાવોની નિષ્પત્તિનું કારણ બને તે પ્રકારે છ આવશ્યકની ક્રિયાઓ કરે છે તેઓની તે ક્રિયા વિગલદ્ વિરોધવાળી આશ્રવના નિરોધનું કારણ બને છે અને જે તે પ્રકારે લેશ પણ યત્ન કરતા નથી પરંતુ માત્ર બાહ્ય ક્રિયા કરે છે તેઓની તે ક્રિયા બહારથી આશ્રવના નિરોધરૂપ હોવા છતાં અંતરંગ રીતે તો આશ્રવના જ યત્ન સ્વરૂપ છે. તેથી આશ્રવભાવના કરનાર મહાત્મા આત્માને સંબોધીને કહે છે. તે આત્મા ! તું સર્વ પ્રકારે શીધ્ર સ્વશક્તિ અનુસાર આશ્રવના નિરોધમાં યત્ન કર. જેથી કર્મબંધની પ્રાપ્તિની કદર્થનાથી તારું રક્ષણ થાય. આપા ૭. આશ્વવભાવના-ગીત) શ્લોક - परिहरणीया रे, सुकृतिभिराश्रवा, हृदि समतामवधाय । प्रभवन्त्येते रे, भृशमुच्छृङ्खला, विभुगुणविभववधाय ।।परि० १।। શ્લોકાર્ચ - સુકૃતિવાળા પુરુષે હૃદયમાં સમતાનું અવધારણ કરીને આશ્રવથી વિરુદ્ધ એવા સમભાવના પરિણામનો પક્ષપાત કરીને, આશ્રવોનો પરિહાર કરવો જોઈએ, કેમ આવ્યવોનો પરિહાર કરવો Page #102 -------------------------------------------------------------------------- ________________ ૭. આશ્રવભાવના-ગીત | શ્લોક-૧-૨ જોઈએ ? તેથી કહે છે – ઉશૃંખલ એવા આ=આશ્રવો, વિભુગુણના વૈભવના વધ માટે વિભુ એવા આત્માના પારમાર્થિક ગુણરૂપ જે વૈભવ તેના વધ માટે, અત્યંત સમર્થ થાય છે. ll૧II ભાવાર્થ : આશ્રવના પરિણામના ત્યાગથી આત્માને પ્રગટ કરવા અર્થે મહાત્મા ભાવન કરે છે કે આશ્રવનો વિરોધી એવો સમતાનો પરિણામ આત્મા માટે વર્તમાનમાં સુખાકારી છે અને ભાવિની સુખની પરંપરાનું બીજ છે તેના વધ માટે આત્મામાં આશ્રવ પ્રવર્તે છે. તેથી બુદ્ધિમાન પુરુષોએ સર્વ ઉદ્યમથી આશ્રવનો પરિહાર કરવો જોઈએ. વળી, જેમ આશ્રવ સમતાના નાશનું કારણ છે તેમ વિભુ એવા આત્માના ઉત્તમગુણોરૂપી જે વૈભવ છે તેના વધ માટે અત્યંત પ્રવર્તે છે તેથી આશ્રવ આત્મા માટે ઉશૃંખલ જેવો છે. અર્થાત્ દુષ્ટપુરુષ જેવો છે; કેમ કે દુષ્ટપુરુષ આત્માના બાહ્ય વૈભવનો નાશ કરે છે તેમ આશ્રવો આત્માના અંતરંગ વૈભવનો નાશ કરે છે. આ રીતે ભાવન કરીને દુષ્કર એવું પણ આશ્રવના નિરોધ માટેનું સદ્વર્ય મહાત્માઓ ઉલ્લસિત કરે છે. આવા શ્લોક - कुगुरुनियुक्ता रे, कुमतिपरिप्लुताः, शिवपुरपथमपहाय । प्रयतन्तेऽमी रे, क्रियया दुष्टया, प्रत्युत शिवविरहाय ।।परि० २।। શ્લોકાર્ચ - કુગુરુથી નિયોજન કરાવેલા, કુમતિથી પરિપ્લત કરાયેલા પરિપુષ્ટ કરાયેલા, શિવનગરના પથને છોડીને આ મિથ્યાત્વની પરિણતિવાળા જીવો, દુષ્ટ એવી ક્રિયાથી ઊલટું શિવના વિરહ માટે પ્રયત્ન કરે છેઃશિવની, પ્રાપ્તિ માટે યત્ન કરતા નથી પરંતુ શિવના વિરહ માટે યત્ન કરે છે. III ભાવાર્થ : આત્મામાં વર્તતી મિથ્યાત્વની પરિણતિવાળા જીવો કુગુરુથી નિયુક્ત છે તેથી જેઓ ભગવાનના શાસનને પામ્યા નથી અથવા ભગવાનનું શાસન બાહ્યથી પામવા છતાં તેના મર્મને પામ્યા નથી તેવા કુગુરુઓ વિપરીત બોધવાળા હોવાથી તેઓના ઉપદેશથી વિપરીત બોધ પામેલા જીવોમાં અતિશયથી આશ્રવ પ્રવર્તે છે; કેમ કે વિપરીત બોધ વિપરીત રુચિ કરાવીને વિપરીત પ્રવૃત્તિ કરાવે છે અને જિનવચનના ઉપદેશથી વિપરીત બોધના બળથી જ આશ્રવો પુષ્ટ, પુષ્ટતર થાય છે. તેથી કુગુરુના ઉપદેશથી નિયુક્ત એવા મિથ્યાત્વની પરિણતિવાળા જે જીવો છે તે જીવો આશ્રવના નિરોધના અર્થી હોય તોપણ વિપરીત બોધથી તે પ્રકારે ધર્મપ્રવૃત્તિ કરીને આશ્રવની જ વૃદ્ધિ કરે છે. વળી, જે જીવોની બુદ્ધિ માર્ગાનુસારી નહીં હોવાથી પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોવાને બદલે વિપરીત સ્વરૂપને જોનારા છે તેઓ કુમતિથી પરિપુષ્ટ થયેલા Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૧ શાંતસુધારસ મિથ્યાપરિણતિવાળા છે. તે જીવો પોતે સંસારના ઉચ્છેદ માટે પ્રવૃત્તિ કરે છે તેમ માનીને ધર્મની પ્રવૃત્તિ કરતા હોય તોપણ શિવપુરના પથ છોડીને મોક્ષ પ્રાપ્તિના કારણભૂત રત્નત્રયીને છોડીને, મોક્ષનું કારણ ન બને તેવી જ દુષ્ટક્રિયાથી બાહ્ય ધર્મના અનુષ્ઠાનમાં પ્રવર્તે છે. આથી જ કેટલાક જીવો મોક્ષના અર્થે સંયમ ગ્રહણ કરે છે, શ્રાવક આચાર પાળે છે આમ છતાં માર્ગાનુસારી મતિ નહીં હોવાને કારણે સ્વમતિ અનુસાર લોકસંજ્ઞાથી ક્રિયાઓ કરીને મોક્ષનું અકારણ બને તે પ્રકારે જ ક્રિયાઓમાં યત્ન કરે છે. તેથી તેઓની તે ક્રિયાઓ પણ સંસારના કારણભૂત આશ્રવરૂપ જ બને છે. તેથી વિવેકી પુરુષે સર્વ ઉદ્યમથી જિનવચનના પરમાર્થને જાણીને અને સ્વશક્તિનું સમાલોચન કરીને સ્વશક્તિ અનુસાર આશ્રવનો નિરોધ થાય તે પ્રકારે ઉચિત ક્રિયાઓ કરવી જોઈએ. આશા અવતરણિકા : શ્લોક-રમાં મિથ્યાત્વ આશ્રવ કઈ રીતે અનર્થકારી છે તેનું ભાન કર્યું. હવે અવિરતિ આશ્રવ કઈ રીતે અનર્થકારી છે તેનું ભાવન કરે છે – શ્લોક : अविरतचित्ता रे, विषयवशीकृता, विषहन्ते विततानि । इहपरलोके रे, कर्मविपाकजान्यविरलदुःखशतानि ।।परि० ३।। શ્લોકાર્થ : વિષયને વશ કરાયેલા અવિરત ચિત્તવાળા જીવો આ લોકમાં અને પરલોકમાં કર્મવિપાકજન્ય વિસ્તારવાળાં અવિરલ સેંકડો દુઃખો સહન કરે છે. Il3II ભાવાર્થ: જે જીવો હિંસા, મૃષા, અદત્તાદાન, અબ્રહ્મ અને પરિગ્રહરૂપ આશ્રવના પરિણામવાળા છે તે અવિરત ચિત્તવાળા છે. તેઓ બાહ્ય ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થોને પરવશ થયેલા છે અને તેને પરવશ થઈને સતત આરંભ-સમારંભની પ્રવૃત્તિઓ કરે છે. જેનાથી આ લોકમાં અને પરલોકમાં કર્મના વિપાકજન્ય સતત સેંકડો દુ:ખોના વિસ્તારને પામે છે; કેમ કે અવિરતિના પરિણામવાળા જીવોનું ચિત્ત હંમેશાં વિષયોની ઇચ્છાથી આકુળ હોવાને કારણે સતત અંતરમાં સંતપ્ત રહે છે તે સુખરૂપ નથી પણ દુઃખરૂપ છે અને વિષયોની ઇચ્છાના અતિશયને કારણે અનેક પ્રકારના શ્રમો કરે છે, જે ક્લેશ સ્વરૂપ છે અને તેનાથી અનેક પ્રકારનાં કર્મોને બાંધીને જન્મ-જન્માંતરમાં પણ સતત દુઃખની પરંપરાને પ્રાપ્ત કરે છે તે અવિરતિનું ચિત્ત દુઃખના મૂળવાળું છે અને દુઃખની પરંપરાને સર્જનારું છે. માટે સુખના અર્થી જીવોએ અવિરતિરૂપ આશ્રવની અનર્થકારિતાનો વિચાર કરીને સદા તેના નિરોધ માટે ઉદ્યમ કરવો જોઈએ. Il3II Page #104 -------------------------------------------------------------------------- ________________ ૭. આશ્વવભાવના-ગીત | શ્લોક-૪-૫ * ૮૭ શ્લોક - करिझषमधुपा रे, शलभमृगादयो, विषयविनोदरसेन । हन्त लभन्ते रे, विविधा वेदना, बत परिणतिविरसेन ।।परि० ४।। શ્લોકાર્ય : હાથી, માછલી, ભ્રમર, પતંગિયું અને હરણ વગેરે પરિણતિથી વિરસ એવા વિષયના આનંદના રસથી ખરેખર, ખેદની વાત છે કે વિવિધ વેદનાઓ પ્રાપ્ત કરે છે. જો ભાવાર્થ - સંસારીજીવોને વિષયો પ્રત્યેના અતિ આકર્ષણને કારણે વર્તમાનમાં જ કેવી કદર્થના પ્રાપ્ત થાય છે તે દૃષ્ટાંતથી ભાવન કરે છે અને વિચારે છે કે સંસારીજીવોને જે વિષયોનો આનંદ છે તે પરિણતિથી વિરસ છે; કેમ કે ઉત્સુક્તાને વશ તે તે ઇન્દ્રિયોના આનંદમાં યત્ન કરવાથી અંતે તેના ફળરૂપે જીવને વિનાશ જ પ્રાપ્ત થાય છે. સ્પર્શેન્દ્રિયને વશ હાથી મૃત્યુની વેદનાને પ્રાપ્ત કરે છે. આહારસંજ્ઞાને=જિલ્વેન્દ્રિયને વશ માછલી જાળમાં ફસાઈને મૃત્યુને પ્રાપ્ત કરે છે. ધ્રાણેન્દ્રિયને વશ ભમરાઓ પુષ્પના સ્વાદમાં અતિ લંપટ થયેલા હોય ત્યારે બીડાતા એવા કમળને જાણવા છતાં, હમણાં નીકળું છું હમણાં નીકળું છું એ પ્રકારના પરિણામથી કમળમાં બીડાઈને અંતે મૃત્યુને પામે છે. વળી, પતંગિયું ચક્ષુરિન્દ્રિયના વશથી પ્રકાશની પાછળ ખેંચાઈને અગ્નિમાં પડી બળી મરે છે અને મૃગલાઓ શ્રોત્રેન્દ્રિયને વશ શિકારનો વિષય બને છે. આ સર્વ વિષયોની પરવશતાથી દેખાતા પ્રત્યક્ષ અનર્થોનું ભાવન કરીને મહાત્માઓ વિષયોના આવેગને શાંત-શાંતતર કરવા અર્થે ઇન્દ્રિયના આશ્રવકૃત અનર્થોનું ભાવન કરે છે. III શ્લોક : उदितकषाया रे, विषयवशीकृता, यान्ति महानरकेषु । परिवर्तन्ते रे, नियतमनन्तशो, जन्मजरामरणेषु ।।परि० ५।। શ્લોકાર્ચ - ઉદિત કષાયવાળા, વિષયને વશ કરાયેલા, જીવો મહાનરકમાં જાય છે, જન્મ, જરા, મરણોમાં નિયત અનંતી વખત પરિવર્તન પામે છે. આપો. ભાવાર્થ : જે જીવો અત્યંત કષાયના ઉદયવાળા છે અને વિષયને પરવશ છે તેઓ અતિશય આરંભ-સમારંભ કરીને, ઘણાં પાપો કરીને મહાનરકમાં જાય છે અને ચારગતિઓમાં અનંતી વાર સતત પરાવર્તન પામે છે જ્યાં જન્મ, જરા મૃત્યુનાં અનેક દુઃખોને પ્રાપ્ત કરે છે. તે સર્વ કષાયરૂપ આશ્રવનું કાર્ય છે. જોકે મિથ્યાત્વનો Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શાંતસુધારસ ઉદયકાળ હોય ત્યારે જ કષાયને વશ જીવો પાપો કરીને નરકમાં જાય છે તોપણ મિથ્યાત્વના પરિણામવાળા જીવો કેવા વિવેક વગરના છે તેનું સ્વરૂપ શ્લોક-રમાં બતાવેલ અને મિથ્યાત્વના ઉદયવાળા જીવો કષાયને વશ થઈને વિષયોને આધીન થઈને દુર્ગતિઓની પરંપરાને પ્રાપ્ત કરે છે. તેમ બતાવીને પ્રસ્તુત શ્લોકમાં કષાય આશ્રવને પ્રધાનરૂપે બતાવે છે. સામાન્યથી મિથ્યાત્વનો નાશ થાય પછી પ્રબળ પણ અવિરતિ, પ્રબળ પણ અન્ય આશ્રવો કે પ્રબળ પણ કષાયનો આશ્રવ સમ્યક્તના બળથી હણાયેલો બને છે. જેના કારણે ઉત્તરોત્તર વૃદ્ધિ પામે તેવા કષાયો સમ્યગ્દષ્ટિને થતા નથી અને સમ્યક્ત નાશ ન પામે તો અલ્પકાળમાં તે મહાત્મા અવશ્ય સંસારનો અંત કરે છે. તેથી કષાય આશ્રવ પણ પ્રધાનરૂપે મિથ્યાત્વના બળથી જ જીવે છે માટે ધર્મના અર્થીએ વિપર્યાસને દૂર કરીને કષાયોની અનર્થકારિતાનું ભાવન કરવું જોઈએ જેથી વિદ્યમાન કષાયો પણ ઉત્તરોત્તર ક્ષીણ થાય અને સંવરભાવની પ્રાપ્તિ થાય. આપા શ્લોક : मनसा वाचा रे, वपुषा चञ्चला, दुर्जयदुरितभरेण । उपलिप्यन्ते रे, तत आश्रवजये, यततां कृतमपरेण ।।परि० ६।। શ્લોકાર્ચ - મનથી, વાણીથી અને કાયાથી ચંચલ એવા જીવો, દુર્જય એવા દુરિતભરથી-કિષ્ટ એવાં પાપોના ભરાવાથી ઉપલેપને પામે છે–પાપોથી ખરડાયેલા થાય છે તેથી આશ્રવજયમાં યત્ન કરવો જોઈએ. અપર વડે=આશ્રવજયથી અપર વડે કર્મના બંધના કારણભૂત એવા આશ્રવ વડે, સર્યું. કાાં ભાવાર્થ : સામાન્યથી સંસારીજીવોના મન, વચન, અને કાયાના યોગો અત્યંત ચંચલ હોય છે તેથી તેવા યોગો જેને જીતવા અતિદુષ્કર છે તેવા યોગોવાળા જીવો પાપોથી સતત ભરાય છે અને પાપરૂપી કર્મથી લેપાયેલા એવા તેઓ ચારગતિમાં ભટકે છે. તેથી કલ્યાણના અર્થી જીવે મિથ્યાત્વથી માંડીને યોગરૂપ આશ્રવના જય માટે સતત યત્ન કરવો જોઈએ. જેથી ચંચલ યોગો દ્વારા પાપની વૃદ્ધિ ન થાય, કષાયને વશ નરકની પ્રાપ્તિ ન થાય, ઇન્દ્રિયોને વશ અને અવિરતિને વશ કર્મબંધની પ્રાપ્તિ ન થાય અને મોક્ષ અર્થે કરાતી ક્રિયા પણ મિથ્યાત્વને વશ વિપરીત ક્રિયારૂપ ન બને તે રીતે માર્ગાનુસારી ઊહ કરીને આશ્રવનો જય કરવો જોઈએ અને બંધના હેતુ એવા આશ્રવથી સર્યું. અર્થાતુ અત્યાર સુધી જે આશ્રવ સેવન કર્યું તે હવે સેવવા જેવું નથી. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા આશ્રવના નિરોધને અનુરૂપ શક્તિનો સંચય કરે છે. બ્રા Page #106 -------------------------------------------------------------------------- ________________ ૭. આશ્વવભાવના-ગીત | શ્લોક-૭-૮ શ્લોક : शुद्धायोगा रे, यदपि यतात्मनां, स्रवन्ते शुभकर्माणि । काञ्चननिगडांस्तान्यपि जानीयात्, हतनिर्वृतिशर्माणि ।।परि० ७।। શ્લોકાર્ચ - યતાત્માઓના સંયમમાં યત્ન કરનારા મહાત્માઓના, શુદ્ધયોગો જે પણ શુભ કર્મોનું આશ્રવણ કરે છે તે પણ શુભ કર્મો પણ, હણાયેલા નિવૃતિના સુખવાળા સુવર્ણની બેડી જેવા જાણવા. IIછા આ શ્લોકમાં ‘ય' છે તેના સ્થાને ‘થાપિ' જોઈએ. ભાવાર્થ શ્લોક-કમાં અશુભ મન, વચન અને કાયાના યોગો અશુભ કર્મબંધને કરે છે તેમ બતાવીને તે આશ્રવના જય માટે યત્ન કરવાનો ઉદ્દેશ આપ્યો. હવે, જે મહાત્માઓ જિનવચન અનુસાર સંયમમાં યત્ન કરી રહ્યા છે તેઓના મન, વચન ને કાયાના શુદ્ધયોગો શુભકર્મનું આશ્રવણ કરે છે તેનાથી બંધાયેલાં શુભકર્મો તે મહાત્માને સુદેવત્વ અને સુમાનુષત્વની પ્રાપ્તિ કરાવીને પરંપરાએ મોક્ષનાં કારણ છે, તોપણ તે શુભકર્મોના ઉદયથી જે નવા જન્મની પ્રાપ્તિ થાય છે તેથી મોક્ષનું સુખ હણાય છે માટે તે શુભકર્મો પણ જીવને માટે સોનાની બેડી જેવાં જાણવાં અર્થાત્ અશુભ કર્મો તો જીવને એકાંતે કદર્થના કરતાં હોવાથી અને જીવને સંસારમાં બાંધી રાખનારાં હોવાથી લોખંડની બેડી જેવાં છે જ. પરંતુ શુભકર્મો સંસારમાં સર્વ પ્રકારે અનુકૂળતા આપનાર હોવા છતાં મોક્ષસુખનાં વિજ્ઞભૂત છે અને જીવને સંસારના બંધનમાં રાખનારાં છે. તેથી સુવર્ણની બેડી જેવાં છે. આ રીતે ભાવન કરીને મહાત્માઓ સર્વસંવર પ્રત્યેના બદ્ધરાગને કેળવીને તેના માટે શક્તિનો સંચય થાય તે રીતે આશ્રવભાવનાનું ભાવન કરે છે – - જેથી ઉત્તરોત્તર સંયમની વૃદ્ધિને પામીને સંપૂર્ણ આશ્રવના ત્યાગ સ્વરૂપ યોગનિરોધની અવસ્થા આત્માને શીધ્ર પ્રાપ્ત થાય. ll૭ના શ્લોક : मोदस्वैवं रे, साश्रवपाप्मनां, रोधे धियमाधाय । शान्तसुधारसपानमनारतम्, विनय विधाय विधाय ।।परि० ८।। શ્લોકાર્ય : આ રીતે પૂર્વના સાત શ્લોકોમાં વર્ણન કર્યું એ રીતે, આશ્રવવાળા એવા પાપી આત્માના રોધમાં બુદ્ધિનું આધાન કરીને, હે વિનય ! તું સતત શાંતસુધારસના પાનને કર કર અત્યંત કર. IIkI. Page #107 -------------------------------------------------------------------------- ________________ GO શાંતસુધારસ ભાવાર્થ : અત્યારસુધી આશ્રવથી થતી વિડંબનાનું સ્વરૂપ બતાવ્યું. એ રીતે આશ્રવના સ્વરૂપનું ચિંતવન કરીને મહાત્મા પોતાના આત્માને ઉદ્દેશીને કહે છે – સાશ્રવ એવા પાપી આત્માના રોધમાં બુદ્ધિનું આધાર કરીને તું આનંદ પામ અર્થાત્ તારી શક્તિને ગોપવ્યા વગર સાશ્રવવાળા એવા તારા આત્માના રોલમાં જેટલી તારી બુદ્ધિ યત્ન કરી શકે એ પ્રમાણે યત્ન કરીને જેટલો આશ્રવ વગરનો થયો છે તેનું સ્મરણ કરીને તું આનંદિત થા; કેમ કે આશ્રવરોધ જ તારા માટે આનંદનું સ્થાન છે. અહીં પ્રશ્ન થાય છે કે આશ્રવનો રોધ કરીને અંતે જીવે શું કરવું જોઈએ? તેથી કહે છે – હે વિનય ! શાંત એવા અમૃતરસનું પાન તું સતત કર. જેથી તારું ચિત્ત મોહની આકુળતાનો ત્યાગ કરીને શાંત પરિણામના સુખને પ્રાપ્ત કરે. જે સુખ જ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને પૂર્ણ સુખમય એવા મોક્ષસુખને પ્રાપ્ત કરશે. Iટા II સાતમો પ્રકાશ પૂર્ણ II Page #108 -------------------------------------------------------------------------- ________________ ૮. સંવરભાવના | શ્લોક-૧-૨ ૮. સંવરભાવના શ્લોક ઃ येन येन य इहाश्रवरोधः सम्भवेन्नियतमौपयिकेन । आद्रियस्व विनयोद्यतचेतास्तत्तदान्तरदृशा परिभाव्य । । १ । । શ્લોકાર્થ : જે જે ઉપાયો વડે અહીં=સંસારમાં, જે આશ્રવનો રોધ નિયત સંભવે છે તે તે ઉપાયોનું આંતરદૃષ્ટિથી પરિભાવન કરીને ઉદ્યત ચિત્તવાળા એવા હે વિનય ! તું સ્વીકાર કર=તે તે ઉપાયોનું સેવન કર. ॥૧॥ ભાવાર્થ: આત્મામાં સંવરભાવનું સીર્ય ઉલ્લસિત કરવા અર્થે મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે હે વિનય ! અર્થાત્ કર્મોના વિનયનના અર્થી એવા આત્મા ! આશ્રવરોધ માટેના જે જે નિયત ઉપાયો છે તે તે નિયત ઉપાયોનું પારમાર્થિક સ્વરૂપ જાણીને તે તે નિયત ઉપાયો પ્રત્યે આંતરદૃષ્ટિથી ઉદ્યમ થાય તે પ્રકારે યત્ન કર. આનાથી એ પ્રાપ્ત થાય છે કે જીવની પોતાની જે ભૂમિકા હોય તે ભૂમિકા અનુસાર પોતે આશ્રવરોધના કયા ઉપાયોને સમ્યક્ સેવી શકે છે તેનું જ્ઞાન કરીને તે ઉપાયોને તે રીતે સેવવા જોઈએ જેથી આશ્રવની વિરુદ્ધ એવી સંવરની પરિણતિ આત્મામાં પ્રગટ થાય, જે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને સર્વસંવરમાં વિશ્રાંત થાય. જેથી સંસારનો અંત પ્રાપ્ત થાય, આ પ્રકારે સમાલોચન કરીને મહાત્માઓ સંવરભાવનાથી આત્માને ભાવિત કરીને સ્વશક્તિ અનુસાર સંવરમાં ઉદ્યમવાળા થાય છે. III અવતરણિકા - કઈ રીતે આશ્રવનો રોધ કરવો જોઈએ તે બતાવે છે હવ 1 શ્લોક ઃ संयमेन विषयाविरतत्वे, दर्शनेन वितथाऽभिनिवेशम् । ध्यानमार्तमथ रौद्रमजस्त्रं, चेतसः स्थिरतया च निरुन्ध्याः । । २॥ શ્લોકાર્થ ઃ વિષયોને અને અવિરતપણાને=પાંચે ઇન્દ્રિયોના વિષયોનો અને અવિરતપણાનો, તું સંયમથી નિરોધ કર. વિતથાભિનિવેશનો દર્શનથી=પદાર્થના યથાર્થ દર્શનથી, તું નિરોધ કર અને આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો સતત ચિત્તના સ્થિરપણાથી તું નિરોધ કર. IIII Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શાંતસુધારસ ભાવાર્થ : સંવરભાવનાને આત્મામાં પ્રગટ કરવા અર્થે મહાત્મા આત્માને ઉદ્દેશીને કહે છે કે પાંચ ઇન્દ્રિયોના વિષયોનો અને અવિરતિનો તું સંયમ દ્વારા નિરોધ કર. આનાથી એ પ્રાપ્ત થાય કે સંવરભાવના અર્થી સાધુએ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં પ્રવર્તતી ઇન્દ્રિયોને તેમાં પ્રવર્તતી બંધ કરીને પાંચ ઇન્દ્રિયો અને મનને જિનવચનાનુસાર સંયમયોગમાં પ્રવર્તાવીને મોહના સંસ્કારો નાશ થાય અને સંવરભાવનાના સંસ્કારોનું આધાન થાય એ રીતે સદા યત્ન કરવો જોઈએ. જેથી પાંચ ઇન્દ્રિયો અને મનના સમ્યફ પ્રવર્તનથી સુભટની જેમ મોહના સંસ્કારોનો નાશ થાય અને પકાયના સમ્યક્ પાલનના યત્નથી અવિરતિનો રોધ થાય. વળી, જિનવચનાનુસાર તત્ત્વનું યથાર્થ દર્શન કરવા દ્વારા સ્વમતિ અનુસાર પદાર્થને જોવાને અનુરૂપ જે વિતથાભિનિવેશ છે તેનો તું રોધ કર. આશય એ છે કે અનાદિકાળથી જીવ પદાર્થ જે સ્વરૂપે છે તે સ્વરૂપે જોવા માટે પ્રવૃત્ત દૃષ્ટિવાળો નથી. પરંતુ મોહને વશ વિપરીત અભિનિવેશને કારણે પદાર્થ જે રીતે હોય છે તેનાથી અન્ય પ્રકારે જોઈને પોતાનું જ અહિત થાય તે રીતે પ્રવૃત્તિ કરે છે તે વિતથાભિનિવેશને દૂર કરવા અર્થે મહાત્મા વિચારે છે કે જિનવચનાનુસાર માર્ગાનુસારી દૃષ્ટિથી તત્ત્વને જોવાની દૃષ્ટિમાં દઢ યત્ન કરીને અનાદિકાળથી વર્તતા વિતથ અભિનિવેશના સંસ્કારનો તું રોધ કર જેથી મિથ્યાત્વ આશ્રવનો રોધ થાય. વળી, આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ચિત્તના સ્થિર પરિણામ દ્વારા તું સતત નિરોધ કર. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા વીતરાગના વચનાનુસાર ચિત્તને સતત સ્થિર કરીને આત્માને અનુપયોગી એવા બાહ્ય પદાર્થને અવલંબીને થતી વિચારધારામાંથી ઉત્પન્ન થયેલાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો રોધ કરવા યત્ન કરે છે. જેના બળથી જિનવચનાનુસાર તત્ત્વચિંતન કરીને ધર્મધ્યાનમાં યત્ન થાય છે અને ધર્મધ્યાનના બળથી વીર્યનો પ્રકર્ષ થાય તો શુક્લધ્યાનના અંશરૂપ શુદ્ધ આત્મામાં જવા માટેના યત્ન રૂપ નિરાલંબન ધ્યાન પ્રગટે છે. આ પ્રકારે આત્માને ઉદ્દેશીને સંવરભાવના કરતાં મહાત્મા સંવરભાવને અનુકૂળ પોતાના સદ્વર્યનો સંચય કરે છે. આવા શ્લોક : क्रोधं क्षान्त्या मार्दवेनाभिमानं, हन्या मायामार्जवेनोज्ज्वलेन । लोभं वारांराशिरौद्रं निरुन्ध्याः सन्तोषेण प्रांशुना सेतुनेव ।।३।। શ્લોકાર્ય : ક્ષત્તિથી તું ક્રોધને હણ, માર્દવથી અભિમાનને હણ, ઉજ્વલ એવા આર્જવ વડે માયાને હણ, ઊંચા સેતુ જેવા સંતોષ વડે સમદ્ર જેવા રોદ્ધ લોભનો તું નિરોધ કર. ||all Page #110 -------------------------------------------------------------------------- ________________ ૮. સંવરભાવના / શ્લોક-૩ ભાવાર્થ : ચાર કષાયોને વશ થઈને આત્મા પોતાના સમભાવના પરિણામનો નાશ કરે છે માટે સમભાવના અર્થી એવા મહાત્મા સમભાવના વિજ્ઞભૂત એવા ચાર કષાયોના નિરોધની ભાવનાના બળથી સંવરભાવમાં જવા યત્ન કરવા આત્માને ઉદ્દેશીને કહે છે : હે આત્મા ! ક્ષમાના પરિણામ દ્વારા તું ક્રોધનો નાશ કર. આ પ્રકારે કહીને આત્મામાં કોઈ નિમિત્તને પામીને ઇષદ્ દ્વેષ, જવલન, અરુચિ, અસૂયા આદિ ભાવો ઉલ્લસિત ન થઈ શકે તેવા ઉત્તમવીર્યને સ્થિર કરવા માટે મહાત્મા યત્ન કરે છે. વળી, અનાદિકાળથી જીવને બાહ્ય સમૃદ્ધિ આદિને પામીને કે વિદ્વત્તા આદિને પામીને અથવા લોકપ્રતિષ્ઠા આદિને પામીને માનનો પરિણામ થાય એવો અભ્યાસ છે. તેથી તે માનના પરિણામને નિરોધ કરવા અર્થે માર્ગાનુસારી સૂક્ષ્મબુદ્ધિપૂર્વક માર્દવ પરિણામ ઉસ્થિત કરવા અર્થે સંવરભાવના અર્થી મહાત્મા આત્માને કહે છે – પૂર્વના ઉત્તમપુરુષો આગળ નમ્રતાના પરિણામ રૂપ માર્દવભાવથી તું અભિમાનને હણ. આ પ્રકારે કહીને સતત પૂર્વના ઋષિઓ, મહર્ષિઓ, કેવલીઓ આદિની ગુણસંપત્તિ આગળ પોતે તુચ્છ બુદ્ધિવાળા છે તે પ્રકારે ભાવન કરીને તેવા મહાત્મા પ્રત્યે નમ્રભાવને ઉલ્લસિત કરીને કોઈ નિમિત્તને પામીને લેશ પણ પોતાની શક્તિનો અહંકાર ઊભો ન થાય તે રીતે આત્માને ભાવિત કરે છે. અનાદિકાળથી જીવ કોઈ પ્રકારના સ્વાર્થને વશ થઈને માયાભાવને ધારણ કરે છે. આથી જ સંસારીજીવો લોભને વશ માયા કરે. કોઈને માન-ખ્યાતિની ઇચ્છા થાય તો તેને વશ માયા કરે. વળી કોઈ મહાત્મા પાપની શુદ્ધિ અર્થે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવા પ્રયત્ન કરે ત્યારે પોતાનું ખરાબ ન દેખાય તે પ્રકારના અધ્યવસાયથી માયા કરે. આમ અનેક નિમિત્તો પામી માયાનો પરિણામ જીવમાં વર્તે છે. જે જીવના સમભાવના સ્વાથ્યનો નાશ કરીને જીવને આશ્રવની પ્રાપ્તિ કરાવે છે. તેના નિરોધ અર્થે મહાત્મા વિચારે છે – હે આત્મા ! ઉજ્વલ એવા આર્જવભાવથી તું માયાને હણ. એમ કહી પ્રકૃતિને અત્યંત સરળ કરવા પ્રયત્ન કરે છે જેથી કોઈ નિમિત્તને પામીને આત્મામાં વક્રતા-કુટિલતા વગેરે ભાવો હેજ પણ ઉલ્લસિત ન થાય. વળી, આત્માને બાહ્ય પદાર્થોમાં જ સુખ-સમૃદ્ધિની વૃત્તિઓ હોવાથી બાહ્ય સુખની સામગ્રીમાં જ લોભનો પરિણામ થાય છે જે સમુદ્ર જેવો અતિ રૌદ્ર છે અને ક્યારેય પુરાતો નથી. આથી જ ગૃહસ્થ અવસ્થામાં હોય તો ધન આદિ કે રાજ્ય આદિનો લોભ વર્તે છે અને સાધુવેશમાં હોય અને વિવેકદૃષ્ટિ ખૂલી ન હોય તો શિષ્ય પરિવાર, પર્ષદા, વગેરે બાહ્ય પદાર્થોનો લોભ વર્તે છે. તે લોભને વશ જીવ આત્માને ઠગી માયા કરે છે અને વિચારે છે કે હું લોકો પર ઉપકાર કરું છું પરંતુ પરમાર્થથી તો લોભથી પ્રેરાઈને જ તે તે પ્રવૃત્તિ કરે છે અને લોભના પ્રાચર્યને કારણે ઉત્પન્ન થયેલી માયાથી પોતાના આત્માને ઠગે છે. આ રીતે અનેક પ્રકારના રૌદ્ર એવા લોભના પરિણામથી પોતાના આત્માને સંસાર-સમુદ્રમાં ડુબાડે છે. તેનું પારમાર્થિક સ્વરૂપ વિચારી મહાત્મા વિચારે છે કે આત્માની અંતરંગ વીતરાગતાની પરિણતિ સિવાય કોઈ પરિણતિ આત્મા માટે ઇચ્છનીય નથી. માટે વીતરાગતાની પ્રાપ્તિના ઉત્કટ પરિણામના બળથી પ્રાપ્ત થયેલા Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શાંતસુધારસ રત્નત્રયીના પરિણામ રૂપ અંતરંગ સમૃદ્ધિ પ્રત્યે સંતોષ ધારણ કરે અને તે સંતોષ રૂપ મોટા સેતુ વડે અનાદિથી ધસમસતા લોભના પ્રવાહનો તું નિરોધ કર. આ રીતે ભાવન કરીને રત્નત્રયીના પરિણામમાં જ સંતોષ ધારણ કરવા માટે મહાત્મા ઉદ્યમશીલ થાય છે. આ પ્રકારની ભાવનાથી જે જે પ્રકારના ઉપયોગનો પ્રકર્ષ થાય છે તે તે પ્રકારે ક્રોધ આદિ ચાર કષાયથી વિરોધી એવા ક્ષમાદિ પ્રત્યેના પક્ષપાતના સંસ્કારોનું આધાન થાય છે જેના બળથી તે તે અંશથી તે મહાત્મા સંવરભાવને પ્રાપ્ત કરે છે. IIaI શ્લોક : गुप्तिभिस्तिसृभिरेवमजय्यान, त्रीन् विजित्य तरसाऽधमयोगान् । साधुसंवरपथे प्रयतेथा, लप्स्यसे हितमनीहितमिद्धम् ।।४।। શ્લોકાર્ધ : આ રીતે જેમ શ્લોક-૩માં ક્રોધાદિના વિરોધ માટે કહ્યું એ રીતે, જીતવા માટે અશક્ય એવા અધમ ત્રણ યોગોનો ત્રણ ગુતિઓ વડે શીઘ વિજય કરીને સુંદર સંવરપથમાં તું યત્ન કર. જેથી અનીતિ નહિ ધારેલું, ઈદ્ધપ્રકાશમાન, એવું હિત તું પ્રાપ્ત કરીશ. ll૪|| ભાવાર્થ - સંવરભાવનાની વિશેષ પ્રકારની નિષ્પત્તિ અર્થે મહાત્મા વિચારે છે કે આત્માના ત્રણ પ્રકારના અધમયોગોને જીતવા અતિ દુષ્કર છે. આથી જ તે યોગો દ્વારા જીવ અનેક પાપો કરીને દુર્ગતિઓની પરંપરા પ્રાપ્ત કરે છે. તે અધમયોગોની અધમતાનું સમ્યગુ સમાલોચન કરીને જિનવચનાનુસાર મન-વચન-કાયાને પ્રવર્તાવવા રૂપ ત્રણ ગુપ્તિઓથી તું તે અધમયોગોનો જય કર. જેથી તને સુંદર સંવરપથ પ્રાપ્ત થાય; કેમ કે જિનવચનથી નિયંત્રિત થયેલા ત્રણે યોગો ઉત્તરોત્તર સંવરની વૃદ્ધિ કરીને વીતરાગભાવની અભિમુખ જનારા બને છે અને તેવા સંવરપથમાં જો તું યત્ન કરીશ તો ધાર્યું નથી એવું શ્રેષ્ઠકોટિનું હિત તને પ્રાપ્ત થશે; કેમ કે જેમ જેમ સંવરની વૃદ્ધિ થાય છે તેમ તેમ આત્માની મોહની આકુળતા દૂર થાય છે, અંદરની સ્વસ્થતાની વૃદ્ધિ થાય છે અને દેશસંવરથી પુણ્યાનુબંધી પુણ્યનો સંચય થાય છે. જેના વડે ઉત્તમ એવા દેવભવની અને માનવભવની પ્રાપ્તિ કરીને અંતે પૂર્ણ સંવરની પ્રાપ્તિ થાય છે. જેથી જીવ સર્વકર્મ રહિત થઈને પરમસુખી બને છે માટે હિતનો અર્થ એવો તું દુર્જય એવા યોગોને જીતવા માટે સતત ઉદ્યમશીલ થા. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા સંવરની ધારાને તીક્ષ્ણ કરે છે. Iકા શ્લોક : एवं रुद्धष्वमलहृदयैराश्रवेष्वाप्तवाक्यश्रद्धाचञ्चत्सितपटपटुः सुप्रतिष्ठानशाली । शुद्धोगैर्जवनपवनैः प्रेरितो जीवपोतः, स्रोतस्तीवा॑ भवजलनिधेर्याति निर्वाणपुर्याम् ।।५।। Page #112 -------------------------------------------------------------------------- ________________ ૮. સંવરભાવના બ્લોક-૫ પ શ્લોકાર્ધ : આ રીતે પૂર્વ શ્લોકોમાં કહ્યું તે રીતે સંવરભાવમાં યત્ન કરીને, અમલ હૃદય વડે નિર્મલ પરિણતિ વડે, આશ્રવનો રોધ થયે છતે સર્વજ્ઞના વાક્યમાં શ્રદ્ધારૂપી ફરકતા સિતપટથી પટુ, સુપ્રતિષ્ઠાનશાલી=સુંદર સામગ્રીથી ભરપૂર, શુદ્ધ યોગરૂપ ગતિમાન પવનથી પ્રેરિત, જીવનરૂપી નાવ, ભવસમુદ્રના પ્રવાહને તરીને નિર્વાણપુરીમાં જાય છે. પII ભાવાર્થ : દરિયામાં વર્તતું વહાણ સુંદર સામગ્રીથી ભરપૂર હોય અને સુંદર પવનથી પ્રેરિત હોય તો સુખપૂર્વક ઇચ્છિત સ્થાને પહોંચે છે તેમ સંસારરૂપી સમુદ્રમાં જીવરૂપ નાવને નિર્વાણનગરી તરફ લઈ જવી હોય તો તે નાવને ઇષ્ટસ્થાનમાં જવા માટે વિદ્ધભૂત એવા આશ્રવોનો મહાત્મા રોધ કરે છે; કેમ કે આશ્રવોથી આત્મામાં ઘણો મલ સંચય થાય છે જેથી જીવનરૂપી નાવ દરિયામાં ડૂબે છે અને નાશ પામે છે. તેથી દરિયામાં ડૂબતી પોતાની જીવનરૂપી નાવનું રક્ષણ કરવા અર્થે મહાત્મા પ્રથમ નિર્મલ દૃષ્ટિથી સંસારનું સ્વરૂપ વિચારે છે કે આ સંસાર ચારગતિમાં પરિભ્રમણ રૂ૫ વિષમ સ્થિતિવાળો છે. વળી, કર્મથી મુક્ત થયેલા આત્માઓ કેવી સુંદર અવસ્થામાં છે તેનો વિચાર કરે છે અને કર્મથી મુક્ત થવા માટે જિનવચન સિવાય કોઈ ઉપાય નથી તેનો માર્ગાનુસારી પ્રજ્ઞાથી નિર્ણય કરે છે. જે મહાત્માઓ જિનવચનનું દૃઢ અવલંબન લઈને મોક્ષમાર્ગમાં જઈ રહ્યા છે તેઓ સંસારમાં હોવા છતાં કઈ રીતે સુખી છે તેનું સમ્યકુ સમાલોચન કરીને નિર્મલ હૃદયથી પૂર્વમાં વર્ણન કર્યું તે પ્રકારથી તે મહાત્મા આશ્રવના રોધમાં યત્ન કરે છે ત્યારે ભગવાનના વચનરૂપ શ્રદ્ધાસ્વરૂપ ફરકતા સિતપટથી શોભતી તેની જીવરૂપી નાવ દેખાય છે. જેમ તે સિતપટના બળથી નાવ દરિયાના પારને પામી શકે છે તેમ તે મહાત્મા પણ ભગવાનના વચનના શ્રદ્ધાના બળથી સુખપૂર્વક નિર્વાણનગર તરફ જવા સમર્થ બને છે. વળી, નિર્વાણનગર તરફ જવા માટે ઉત્તમગુણો રૂપ સુંદર સામગ્રીથી આત્માને ભરપૂર કરેલ છે તેથી ગુણરૂપી રત્નોથી ભરાયેલી તેઓની જીવનરૂપી નાવ છે. વળી, તે મહાત્મા જિનવચનના અવલંબનથી નિયંત્રિત શુદ્ધયોગો પ્રવર્તાવે છે તેથી જેમ ગતિમાન પવનના યોગથી પ્રેરિત નાવ શીધ્ર ગમન કરી શકે છે તેમ શુદ્ધયોગોરૂપી ગતિમાન પવનથી પ્રેરિત તે મહાત્માની જીવનરૂપી નાવ ભવસમુદ્રના પ્રવાહમાંથી નિર્વાણનગર તરફ જવા સમર્થ બને છે. આનાથી એ પ્રાપ્ત થાય કે આત્મામાં અનાદિકાળથી ભવની વૃદ્ધિ કરે એવા પાણીનો પ્રવાહ વર્તે છે, તે પ્રવાહથી તરવું અતિદુષ્કર છે તોપણ જે મહાત્મા મન-વચન-કાયાના ત્રણે યોગો જિનવચનથી નિયંત્રિત કરીને સદા ઉદ્યમશીલ છે તેઓ સુખપૂર્વક ભવરૂપી સમુદ્રના પ્રવાહને તરી જાય છે અને નિર્વાણનગરીને અભિમુખતર થાય છે. આથી જ મોક્ષપ્રાપ્તિનું અનન્ય કારણ એવી જે યોગનિરોધ અવસ્થા છે તેને અનુકૂલ મહાશક્તિનો સંચય કરવા અર્થે જિનવચનનું દઢ અવલંબન લઈને મહાત્માઓ સદા ઉદ્યમ કરે છે. પણ Page #113 -------------------------------------------------------------------------- ________________ લક શાંતસુધારસ (૮. સંવરભાવના-ગીત) શ્લોક : शृणु शिवसुखसाधनसदुपायम् शृणु शिवसुखसाधनसदुपायम् । ज्ञानादिकपावनरत्नत्रयपरमाराधनमनपायम् ।।शृणु० १।। શ્લોકાર્ચ - અનપાય એવા જ્ઞાનાદિક રૂપ પવિત્ર રત્નત્રયીના પરમઆરાધન સ્વરૂપ શિવસુખના સાધનના સદુપાયને તું સાંભળ! શિવસુખના સાધનના સદુપાયને તું સાંભળ!IIII ભાવાર્થ મહાત્મા પોતાના આત્માને ઉદ્દેશીને કહે છે ! આત્માનું પારમાર્થિક સુખ મોક્ષમાં છે અને તે સુખને નિષ્પન્ન કરવાનો સદુપાય તું સાંભળ. આ પ્રકારે બે વાર ગેયને કહીને પોતાના આત્માને તે સાંભળવા અત્યંત અભિમુખ કરે છે. હવે, મોક્ષપ્રાપ્તિનો શું ઉપાય છે ? તો કહે છે – અપાય રહિત – કોઈ પ્રકારના અનર્થ વગરનું, જ્ઞાનાદિકથી પવિત્ર એવું રત્નત્રયીનું પરમ આરાધન એ મોક્ષનો ઉપાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જે મહાત્માઓ જિનવચનના પારમાર્થિક અર્થનો બોધ પ્રાપ્ત કરે છે તે સમ્યજ્ઞાન છે અને તે જ્ઞાન જે અર્થને બતાવે છે તે અર્થમાં તે પ્રકારે સેવવાની જેને રુચિ છે તે સમ્યગ્દર્શન છે અને જે પ્રકારે બોધ થયો છે તે પ્રકારે શક્તિના ઉત્કર્ષથી જેઓ પ્રયત્ન કરે છે તે સચ્ચારિત્ર છે અને તે પવિત્ર રત્નત્રયીનું પરમઆરાધન અર્થાત્ શક્તિના પ્રકર્ષથી સમ્યજ્ઞાનમાં ઉદ્યમ કરવો. તે પ્રકારે જ રુચિને ધારણ કરવી અને રૂચિને દઢ કરી તે પ્રકારે શક્તિના પ્રકર્ષથી યત્ન કરવો તે રૂપ પરમારાધન મોક્ષનો ઉપાય છે. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા પોતાના સદ્વર્યને જિનવચનથી નિયંત્રિત કરીને વીતરાગતુલ્ય થવા માટે ઉદ્યમશીલ થાય છે; કેમ કે તે જ મોક્ષપ્રાપ્તિનો પરમ ઉપાય છે. ITI અવતરણિકા - હવે, રત્નત્રયીના આરાધનના ઉપાયને બતાવે છે – શ્લોક - विषयविकारमपाकुरु दूरं, क्रोधं मानं सह मायम् । लोभरिपुं च विजित्य सहेलं, भज संयमगुणमकषायम् ।।शृणु० २।। શ્લોકાર્થ :વિષયના વિકારને દૂર કર, માયા સહિત ક્રોધ-માનને દૂર કર, અને લીલાપૂર્વક લોભરિપુને જીતીને અકષાય એવા સંયમગુણનો તું આશ્રય કર. IIT. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૮. સંવરભાવના-ગીત | શ્લોક-૨-૩ ભાવાર્થ: આત્માને સંબોધીને મોક્ષના ઉપાયને સેવવા અર્થે મહાત્મા જિનવચનાનુસાર તત્ત્વનું ભાવન કરવા કહે છે – વિષયોના વિકારને તું દૂર કર. આ પ્રમાણે કહીને પોતાની પાંચે ઇન્દ્રિયોને વિષયોથી દૂર કરીને જિનવચનથી નિયંત્રિત કરી પ્રવર્તાવવા યત્ન કરે છે; કેમ કે માત્ર બાહ્ય વિષયોનો ત્યાગ કરીને ઊંઘી જવાથી મોક્ષની પ્રાપ્તિ થવાની નથી. પરંતુ વિષયોના વિકારનું ઉન્મૂલન થાય તે પ્રકારે ઉત્તમ સંસ્કારોથી આત્માને વાસિત કરવા માટે જિનવચનનું આલંબન જ પ્રબળ કારણ છે અને તેમ કરવાથી જ મોક્ષને અનુકૂળ એવા નિર્મલ આત્માની નિષ્પત્તિ થાય છે. વળી, માયા સહિત આત્માના અંતરંગ શત્રુ એવા ક્રોધમાનને તું દૂર કર. આ રીતે ભાવન કરીને મહાત્મા આત્માને કષાયથી પરામુખ કરવા તત્પર થાય છે. વળી, આત્માનો સૌથી મોટો શત્રુ લોભ છે જેનામાંથી જ ચારેય કષાયો ઊઠે છે તેને સહેલાઈથી જીતીને તું અકષાયરૂપી સંયમ ગુણનો સ્વીકાર કર. આ પ્રમાણે ભાવન કરીને મહાત્મા ચાર કષાયોથી પર એવા વીતરાગભાવને અભિમુખ ઉત્તમ ભાવોથી આત્માને ભાવિત કરે છે જેથી મોક્ષની પ્રાપ્તિને અનુકૂળ એવી રત્નત્રયીની આરાધનાની પ્રાપ્તિ થાય. III શ્લોક ઃ उपशमरसमनुशीलय मनसा, रोषदहनजलदप्रायम् । कलय विरागं धृतपरभागं, हृदि विनयं नायं नायम् । । शृणु० ३ ।। 05 શ્લોકાર્થ : રોષ રૂપી અગ્નિને નાશ કરવા માટે જલદપ્રાય=મેઘવૃષ્ટિ તુલ્ય, એવા ઉપશમરસનું મનથી તું અનુશીલન કર, હ્રદયમાં વિનયને વારંવાર લાવીને=પ્રાપ્ત કરીને=અત્યંત પ્રાપ્ત કરીને, ધૃતપરભાગ એવા વિરાગને=ધારણ કર્યો છે શ્રેષ્ઠભાગ એવા વિરાગને તું જાણ. II3II ભાવાર્થ: આત્માને શાંતરસમાં લઈ જવા અર્થે મહાત્મા વિચારે છે કે જીવ સ્વભાવથી જ પ્રતિકૂળભાવોમાં અતિરોષ-ક્રોધ, વગેરે ભાવો કરીને આત્માને સતત બાળે છે તેથી રોષનો પરિણામ જીવ માટે અગ્નિ તુલ્ય છે તેને મેધવૃષ્ટિ સમાન ઉપશમરસથી શાંત કરી શકાય. તેથી આત્માને સંબોધીને કહે છે, તું મનથી ઉપશમરસનું અનુશીલન કર જેથી રોષરૂપી પીડાનું શમન થાય. વળી, મોક્ષમાર્ગને અનુકૂળ કર્મનું વિનયન થાય તેવા ગુણરૂપ વિનય સ્વભાવને સારી રીતે હૃદયમાં વિચાર કરીને ધૃતપરભાગવાળા વિરાગને તું જાણ અર્થાત્ આત્માને વિનય-સંપન્ન કરીને આત્માને મોક્ષને અનુકૂળ બનાવે એવા ઉપશમભાવોવાળા વિરાગને તું પરમાર્થથી વિચા૨, જેથી તારું ચિત્ત સદા વિરક્ત ૨હે. આમ કરવાથી કર્મની કદર્થના પ્રાપ્ત થાય નહિ અને સંયમભાવની વૃદ્ધિ દ્વારા સુખપૂર્વક મોક્ષમાર્ગનું સેવન થઈ શકે. II3II Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્લોક ઃ आर्तं रौद्रं ध्यानं मार्जय, दह विकल्परचनानायम् । यदियमरुद्धा मानसवीथी, तत्त्वविदः पन्था नाऽयम् । । शृणु० ४ । શાંતસુધારસ શ્લોકાર્થ : આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનું તું માર્જન કર, વિકલ્પરચનાની જાળનું તું દહન કર, જે કારણથી અરુદ્ધ એવી આ માનસવીથી યં=એ, તત્ત્વના જાણનારાઓનો પંથ નથી. ૪ ભાવાર્થ: મહાત્મા પોતાના આત્માને ઉદ્દેશીને કહે છે કે અનિરુદ્ધ એવો માનસપંથ એ ખરેખર તત્ત્વના જાણનારાઓનો માર્ગ નથી અને તેં સંસારનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યું છે તેથી તું તત્ત્વનો જાણનાર છે માટે અરુદ્ધ એવી માનસવીથીના રોધ માટે ઉદ્યમ કર. અરુદ્ધ એવી માનસવીથીના રોધ માટે કેવી રીતે ઉદ્યમ કરવો જોઈએ તેથી કહે છે આર્તધ્યાનનું અને રૌદ્રધ્યાનનું માર્જન કર અને બાહ્ય પદાર્થોને આશ્રયીને “આ મને ઇષ્ટ છે, આ મને અનિષ્ટ છે” ઇત્યાદિ વિકલ્પરૂપ જાળાંઓને તું ભસ્મ કર જેથી તારું મન રોધઅવસ્થાને પામે જેનાથી સંવરભાવની પ્રાપ્તિ થાય. આશય એ છે કે આત્મા પોતાના આત્મગુણોને અવલંબીને તેને પ્રગટ કરવાના ઉપાયોનો વિચાર કરે અને ત્યાર પછી તે ઉપાયોને સ્વશક્તિ અનુસાર સેવવામાં યત્ન કરે તો આર્તધ્યાનરૌદ્રધ્યાનનો રોધ થાય, તે સિવાય જે કોઈ વિચારણા કરે છે કે શૂન્યમનસ્કતાથી બેસે છે તે સર્વ આર્ત્તધ્યાનરૌદ્રધ્યાન કે તેની પૂર્વભૂમિકાની જીવની પરિણતિ છે. તેનું સમાલોચન કરીને તેનો રોધ કરવા અર્થે સદા આત્માના ગુણવૃદ્ધિના ઉપાયોને તું સેવ. એ પ્રકારે મહાત્મા ભાવન કરીને આર્તધ્યાન-રૌદ્રધ્યાનના નિરોધ માટે યત્ન કરે છે. વળી, આત્માના ગુણોની પ્રાપ્તિનું કારણ ન બને તેવા કોઈપણ પદાર્થ વિષયક જે વિચારોના વિકલ્પો થાય છે તે સર્વ વિકલ્પોનાં જાળાંઓથી આત્માનો માનસપથ અરુદ્ધ બને છે તેના નિવર્તન અર્થે મહાત્મા વિચારે છે કે પ્રયોજન વગરના વિકલ્પનાં અનેક પ્રકારના જાળાંઓને તું દહન કર અને આત્માના પ્રયોજનને સિદ્ધ કરે તે પ્રકારના માર્ગાનુસારી ઊહથી તું યત્ન કર. જે તત્ત્વના જાણનારાઓનો માર્ગ છે. આ પ્રકારે આત્માને ઉદ્દેશીને ભાવન કરવા દ્વારા મહાત્મા સંવરનું સીર્ય ઉલ્લસિત કરે છે. II૪ શ્લોક ઃ संयमयोगैरवहितमानसशुद्ध्या चरितार्थय कायम् । नानामतरुचिगहने भुवने, निश्चिनु शुद्धपथं नायम् । । शृणु० ५ ।। Page #116 -------------------------------------------------------------------------- ________________ ૮. સંવભાવના-ગીત | શ્લોક-પ-૬ શ્લોકાર્ચ - સંયમના યોગો વડે અવધાનવાળા માનસની શુદ્ધિથી કાયાને ચરિતાર્થ કર, જુદા જુદા મતની રુચિથી, ગહન એવા ભુવનમાં=જગતમાં, નાય એવા શુદ્ધપથનો-નીતિયુક્ત એવા શુદ્ધપથનો, તું નિશ્ચય કર શાસ્ત્રવચનથી યુક્તિથી અને અનુભવથી તું યથાર્થ નિર્ણય કર.IN ભાવાર્થ : વળી, મહાત્મા સંવરભાવને અતિશય કરવા અર્થે પોતાના આત્માને ઉદ્દેશીને કહે છે કે સંયમના યોગોથી દઢ પ્રણિધાનવાળા એવા માનસની શુદ્ધિ કરીને તું તારી કાયાને ચરિતાર્થ કર. આશય એ છે કે સંસારીજીવોને જે કાયા પ્રાપ્ત થઈ છે તેના બળથી જ તેઓ અનેક પ્રકારના આરંભ-સમારંભ કરીને ક્લિષ્ટ કર્મો બાંધે છે. તેના બદલે કાયાને સફળ કરવા અર્થે ભગવાનના વચન અનુસાર જે સંયમના યોગો છે તેના સ્વરૂપને જાણીને તે યોગોમાં દઢ રીતે મનોયોગ પ્રવર્તે તે પ્રકારે કાયાની ઉચિતક્રિયા કરવામાં આવે તો જે કાયા કર્મબંધનું કારણ છે તે જ કાયા આત્મિક ગુણોની પ્રાપ્તિ દ્વારા કલ્યાણનું કારણ બને છે. તેથી મહાત્મા પોતાના આત્માને કહે છે કે તે રીતે કાયામાં દઢ યત્ન કરીને પૂર્વના પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલી કાયાને તું સફળ કર. વળી, સંસારમાં ધર્મના ક્ષેત્રમાં પણ સ્વમતિ અનુસાર જુદા જુદા મતોની રુચિ પ્રવર્તે છે. તેથી જુદા જુદા મતોની રુચિથી ધર્મનું ક્ષેત્ર પણ અતિગહન બને છે. આથી કલ્યાણના અર્થી જીવો પણ શુદ્ધપથને પામે નહીં તો સ્વમતિથી કલ્પાયેલા કોઈક પથમાં ધર્મબુદ્ધિથી પ્રવૃત્તિ કરી પોતાનો મનુષ્યભવ નિષ્ફળ કરે છે. તેથી બુદ્ધિમાન પુરુષે તત્ત્વના નિર્ણય અર્થે પ્રાજ્ઞ થવું જોઈએ. તેથી આત્માને ઉદ્દેશીને મહાત્મા કહે છે કે જુદા જુદા મતોની રુચિથી ધર્મનું ક્ષેત્ર ગહન હોવાને કારણે નીતિથી યુક્ત એવા શુદ્ધપથનો તે નિર્ણય કર. જેથી સર્વજ્ઞકથિત ઉચિતમાર્ગની પ્રાપ્તિ થાય. અન્યથા કલ્યાણ અર્થે ધર્મની પ્રવૃત્તિ કરીને પણ અકલ્યાણની પ્રાપ્તિ થશે. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા શુદ્ધપથને જાણવા માટે પોતાની રુચિને અતિશય કરે છે. પા શ્લોક - ब्रह्मव्रतमङ्गीकुरु विमलं, बिभ्राणं गुणसमवायम् । उदितं गुरुवदनादुपदेशं, सङ्ग्रहाण शुचिमिव रायम् ।।शृणु० ६।। શ્લોકાર્ધ - ગુણસમુદાયને ધારણ કરનાર પવિત્ર એવા બ્રહ્મવતને અંગીકાર કર, પવિત્ર એવા રત્નના સમૂહની જેમ ગુરુના મુખથી કહેવાયેલા ઉપદેશનો સંગ્રહ કર. IIકા. ભાવાર્થ :આત્માના સંવરભાવને અતિશય કરવા અર્થે પોતાના આત્માને ઉદ્દેશીને મહાત્મા કહે છે – ગુણોના Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦. શાંતસુધારસ સમુદાયને ધારણ કરનાર પવિત્ર એવા બ્રહ્મવ્રતને તું અંગીકાર કર. આ પ્રકારે આત્માને ઉદ્દેશીને ભાવન કરવાથી અનાદિની કામસંજ્ઞાની વૃત્તિ પર આત્માનો વિજય થાય છે. જેથી સંવરની પ્રાપ્તિ થાય છે. વળી, બ્રહ્મચર્યવ્રત જેઓને પ્રકૃતિગત થયેલું છે, એવા મહાત્માઓને અન્ય સર્વ ઇન્દ્રિયો વશ કરવી અતિસુગમ પડે છે તેથી બ્રહ્મચર્યવ્રત ગુણોના સમુદાયને કરનાર છે તેવા બ્રહ્મવ્રતને તું ધારણ કર. વળી, જેઓનું ચિત્ત વિકાર વગરનું છે તેવા મહાત્માઓ યોગમાર્ગમાં સુખપૂર્વક યત્ન કરી શકે છે, માટે બ્રહ્મવ્રત પ્રત્યેના પક્ષપાતને અતિશય કરવા અર્થે મહાત્મા ભાવન કરે છે કે તું વિમલ એવા બ્રહ્મવ્રતને ધારણ કર. વળી, જેમ રત્નનો સમુદાય સુખનું કારણ છે તેમ ગુરુના વંદનથી કહેવાયેલો ઉપદેશ સુખનું કારણ છે માટે તે તેનો સંગ્રહ કર. આ પ્રકારે ભાવન કરીને ગુણવાન ગુરુના જિનવચનાનુસાર ઉપદેશને સાંભળીને તેને સ્થિર કરવા માટેનો દઢ યત્ન થાય તેવું સદ્વર્ય ઉલ્લસિત કરવા માટેમહાત્માઓ યત્ન કરે છે. આવા બ્લોક : संयमवाङ्मयकुसुमरसैरतिसुरभय निजमध्यवसायम् । चेतनमुपलक्षय कृतलक्षणज्ञानचरणगुणपर्यायम् ।।शृणु० ७।। શ્લોકાર્ચ - સંયમરૂપ વાણીમય કુસુમના રસ વડે પોતાના અધ્યવસાયને તું અતિ સુગંધિત કર. કરાયેલા જીવના લક્ષણવાળા એવા જ્ઞાન, ચારિત્રરૂપ ગુણના પર્યાયવાળા ચેતનને તું જાણ. IIછના ભાવાર્થ વળી, મહાત્મા સંવરભાવને અતિશય કરવા અર્થે આત્માને કહે છે –સંયમરૂપી વાણીના કુસુમરસ વડે તું તારા અધ્યવસાયને અતિ સુગંધિત કર. તેથી એ પ્રાપ્ત થાય કે મન-વચન-કાયાના યોગોને સંવરભાવથી સંવૃત કરીને આત્માના અસંગભાવની વૃદ્ધિ થાય એ પ્રકારના સંયમના પરિણામના સ્વરૂપને કહેનાર જે શાસ્ત્રવચન છે તે ઉત્તમ કુસુમની જેમ સુંગધને આપવાવાળાં છે. તેના રસથી તું આત્માને તે રીતે વાસિત કર કે જેથી તારો અધ્યવસાય સદા મોહના મલિન ભાવોને છોડી અતિ સુંગધમય આત્માના સંવરભાવને પ્રાપ્ત કરે. આમ કહીને મહાત્મા પોતાનું સર્વીર્ય મુક્તિને અભિમુખ ઉલ્લસિત કરે છે. વળી, પોતાને ઉદ્દેશીને કહે છે કે તારો જ્ઞાન, ચારિત્ર સ્વરૂપ જે ગુણપર્યાય છે તે સ્વરૂપ તારો આત્મા છે. તેને તું સ્મૃતિમાં લાવ જેથી જ્ઞાન અને ચારિત્રના પરિણામ સ્વરૂપ આત્માને છોડીને અસાર એવા પુદગલના ભાવમાં તારું ચિત્ત જાય નહીં. આ પ્રમાણે આત્માને કહીને પોતાના જ્ઞાનસ્વભાવને અને જ્ઞાનસ્વભાવમાં વિશ્રાંતિ કરવા સ્વરૂપ ચારિત્રસ્વભાવને સ્મૃતિમાં લાવીને તેમાં તન્મય થવા મહાત્મા યત્ન કરે છે. જેથી ચિત્ત સંવરસંવરતર અવસ્થાને પામે. IIળા Page #118 -------------------------------------------------------------------------- ________________ ૮ સંવરભાવના-ગીત | શ્લોક-૮ ૧૦૧ શ્લોક : वदनमलकुरु पावनरसनं, जिनचरितं गायं गायम् । सविनय शान्तसुधारसमेनं, चिरं नन्द पायं पायम् ।।शृणु० ८।। શ્લોકાર્ચ - ભગવાનના ચરિતને ગાઈ ગાઈને પવિત્રરસનાવાળા વદનને પવિત્ર જિલ્લાવાળા મુખને, અલકૃત કર. હે સવિનય આત્માકર્મના વિનયન કરવાના આર્થી એવા આત્મા, આ શાંતસુધારસનું ફરી ફરી પાન કરીને તું લાંબા સમય સુધી આનંદને પ્રાપ્ત કર. llci. ભાવાર્થ - વળી, મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે તીર્થકરોના ચરિત્રને ફરી ફરી ગાઈને તું તારા મુખમાં રહેલી પવિત્ર જિલ્લાને સફળ કર અર્થાત્ નિરર્થક જે તે વસ્તુ વિષયક વચનયોગથી આત્માને સંવૃત કરીને, તીર્થકરોના ચરિત્રને સૂક્ષ્મ પ્રજ્ઞાથી અવલોકન કરીને તેઓના જીવનમાં વર્તતી ઉત્તમ પરિણતિનું વારંવાર ગાન કરીને તારી જિલ્લાને તું સફળ કર. આમ કહેવાથી પોતાનો આત્મા સદા તીર્થકરોના સાત્ત્વિક જીવન સાથે તન્મય રહે જેથી તેઓના જેવું ઉત્તમ સત્ત્વ પોતાનામાં પ્રગટ થાય તે પ્રકારનો યત્ન મહાત્મા કરે છે. વળી, પોતાના આત્માને ઉદ્દેશીને કહે છે કે આત્મામાં વિકારો શાંત થાય તેવા શાંતરસને પી પીને તું ચિરકાળ સુધી આનંદવાળો થા. સામાન્યથી જીવે વિકારોના રસમાંથી જ આનંદ લીધેલો છે તેથી તત્ત્વના ભાવનથી થનારા શાંતરસનું આસ્વાદન જીવે પ્રાપ્ત કર્યું નથી; છતાં જે મહાત્માને જ્ઞાન થાય કે સર્વ રસોમાં શાંતરસ જ શ્રેષ્ઠ રસ છે અને તેનાથી થનારો આનંદ જગતમાં સર્વ આનંદ કરતાં અતિશયવાળો આનંદ છે તે મહાત્મા પોતાના આત્માને અન્યરસોથી વિમુખ કરીને શાંતરસમાં જવા માટે પ્રેરણા કરે છે, જેના બળથી શાંતરસના આસ્વાદના પાનના બળનો સંચય થાય તો દીર્ઘકાળ સુધી શાંતરસના આનંદને પ્રાપાર કરી શકે. આ શાંતરસ સંવરવાળો હોવાથી કર્મબંધના અનર્થથી આત્માનું રક્ષણ કરનાર છે અને આત્માના હિતની પરંપરાને કરનાર છે, માટે પોતાના હિતના અર્થી જીવે અપ્રમાદભાવથી શાંતરસમાં ઉદ્યમ કરવો જોઈએ. III II આઠમો પ્રકાશ પૂર્ણ II Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શાંતલાસ G ૯. નિર્જરાભાવના છે શ્લોક : यनिर्जरा द्वादशधा निरुक्ता, तद् द्वादशानां तपसां विभेदात् । हेतुप्रभेदादिह कार्यभेदः, स्वातन्त्र्यतस्त्वेकविधैव सा स्यात् ।।१।। શ્લોકાર્ચ - જે નિર્જરા બાર પ્રકારની કહેવાઈ છે તે બાર પ્રકારના તપના ભેદથી છે. અહીં=નિર્જરામાં, હેતુના ભેદથી કાર્યભેદ છે. સ્વતંત્રપણાથી એકવિધ જ=એક પ્રકારની જ, તે નિર્જરા, છે. જો ભાવાર્થનિર્જરાના સ્વરૂપને સ્પષ્ટ કરવા અર્થે કહે છે – શાસ્ત્રમાં જે બાર પ્રકારની નિર્જરા કહેવાઈ છે તે નિર્જરા તેના કારણરૂપ તપના ભેદથી છે. તેથી એ પ્રાપ્ત થાય કે આત્મા પરથી જે કર્મ પૃથફ થાય છે તે પૃથફ થવાની ક્રિયા નિર્જરા છે. તે કર્મના પૃથક થવામાં કારણ બાર પ્રકારનો તપ છે. તેથી નિર્જરાના કારણ રૂપ બાર પ્રકારના તપના ભેદથી નિર્જરા બાર પ્રકારે છે એમ કહેલ છે. વસ્તુતઃ નિર્જરાના કારણ એવા તારૂપ હેતુના પ્રભેદથી નિર્જરા રૂપ કાર્યનો ભેદ છે. હેતુના ભેદનો આશ્રય કર્યા વગર સ્વતંત્રથી વિચારીએ તો નિર્જરા એક પ્રકારની જ છે. અહીં વિશેષથી એ છે કે જીવ જેમ પ્રતિક્ષણ કર્મ બાંધે છે તેમ કર્મ પ્રતિક્ષણ ઉદયમાં આવીને આત્માથી પૃથક થાય છે. તેથી દરેક જીવોને સતત નિર્જરા પ્રાપ્ત થાય છે. આમ છતાં સામાન્યથી નિર્જરાના બે ભેદ છે. સકામનિર્જરા અને અકામનિર્જરા. તેમાં અકામનિર્જરા દરેક જીવોને તે તે નિમિત્ત પામીને જે કર્મો ઉદયમાં આવે છે તે કર્મની નિર્જરા થાય છે અને કર્મોને નિર્જરા કરવાના આશયથી તેના ઉપાયરૂપ બાર પ્રકારના તપનું સેવન કરવાથી જે નિર્જરા થાય છે તે સકામનિર્જરા છે તેથી નિર્જરાના અર્થી મહાત્માઓ નિર્જરાના ઉપાયભૂત સ્વશક્તિ અનુસાર બાર પ્રકારના તપમાંથી યથાયોગ્ય તપ કરીને જે કર્મોની નિર્જરા કરે છે તે સકામનિર્જરા છે. આ સકામનિર્જરા થવાનું કારણ એ છે કે જીવ જે અધ્યવસાયથી કર્મો બાંધે છે તેના વિરુદ્ધ અધ્યવસાયથી કર્મ જીવથી પૃથક થાય છે. સામાન્યથી સંસારી જીવ અણસણ આદિ છ પ્રકારના બાહ્યતા અને વિનય વૈયાવચ્ચ આદિ છ પ્રકારના અત્યંતરતપથી વિરુદ્ધ સંસારના ભાવોને કરીને કર્મ બાંધે છે અને તે કર્મબંધનના ભાવથી વિરુદ્ધ તેવા વિવેકપૂર્વકના કરાયેલા બાર પ્રકારના તપોથી જે ભાવો થાય છે તે ભાવોથી કર્મોની નિર્જરા થાય છે માટે સકામનિર્જરાનાં બાર કારણોને આશ્રયીને નિર્જરાના બાર ભેદો થાય છે. આવા Page #120 -------------------------------------------------------------------------- ________________ અ. જિસભાવના | શ્લોક-૨-૩ ૧૦૩ અવતરણિકા : પૂર્વ શ્લોકમાં કહ્યું કે નિર્જરા એકરૂપ હોવા છતાં નિર્જરા હેતુભૂત રૂપના ભેદથી નિર્જરાના બાર ભેદ છે. તે કથનને જ દાંતથી સ્પષ્ટ કરે છે – શ્લોક : काष्ठोपलादिरूपाणां, निदानानां विभेदतः । वह्निर्यथैकरूपोऽपि, पृथग्रूपो विवक्ष्यते ।।२।। निर्जरापि द्वादशधा, तपोभेदैस्तथोदिता । कर्मनिर्जरणात्मा तु, सैकरूपैव वस्तुतः ।।३।। શ્લોકાર્ચ - કાષ્ટ, ઉપલાદિરૂપ કારણોના ભેદથી જે પ્રમાણે એકરૂપ અગ્નિને પણ પૃથક રૂપ કહેવાય છે, તે પ્રમાણે તપના ભેદથી નિર્જરા પણ બાર પ્રકારની કહેવાય છે. વસ્તુતઃ વળી, કર્મ નિર્જરણ સ્વરૂપ તે નિર્જરા, એકરૂપ જ છે. ||ર-3II ભાવાર્થ : કર્મોનું આત્માથી પૃથફ થવું એ સ્વરૂપ નિર્જરા એક પ્રકારની જ છે. ફક્ત અલ્પકર્મ નિર્જરા થાય, ઘણાં કર્મોની નિર્જરા થાય તે રૂપ નિર્જરામાં તરતમાતાની પ્રાપ્તિ છે. આમ છતાં જે સકામનિર્જરા થાય છે તે બાર પ્રકારના તપથી થાય છે. તેથી તપના ભેદથી નિર્જરાના બાર ભેદ છે. તેમાં દૃષ્ટાંત સ્પષ્ટ કરે છે કે જેમ અગ્નિ કાષ્ઠથી પણ થાય અને સૂર્યકાંત મણિ આદિ રૂપ પાષણથી પણ થાય છે કે અન્ય કોઈ ઇંધણથી પણ થાય છે. તે સર્વથી થનારો અગ્નિ અગ્નિ સ્વરૂપે એક જ છે. તોપણ તેઓના હેતુના ભેદથી ભિન્ન છે અને તે પ્રમાણે નિર્જરાના અનેક હેતુઓ છે. તે બોધ કરાવવા અર્થે શાસ્ત્રકારો નિર્જરાના સર્વ હેતુઓને બાર પ્રકારના તપમાં સંવૃત કરીને બાર ભેદવાળી નિર્જરા કહે છે. પરમાર્થથી તો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ કર્મબંધનાં કારણો છે. તેનાથી પ્રતિપક્ષરૂપ જે જે ભાવો થાય છે તેનાથી સકામનિર્જરા થાય છે. આથી જ મેઘકુમારના જીવને હાથીના ભવમાં દુઃખી જીવો પ્રત્યે અત્યંત દયાના પરિણામો થયા જે મિથ્યાત્વની મંદતાજન્ય સમ્યક્તને સન્મુખભાવ હતો તેનાથી તે હાથીના જીવને સકામનિર્જરાની પ્રાપ્તિ થઈ. તેથી જે જીવો કર્મબંધના કારણભૂત મિથ્યાત્વાદિ ભાવોના નાશને અનુકૂળ જે જે ઉચિતક્રિયાઓ કરે છે, તે સર્વ બાર પ્રકારના તપમાં અન્તર્ભાવ પામે છે. અને તેનાથી જ સકામનિર્જરા થાય છે અને અકામનિર્જરા તો સર્વ જીવોને કર્મના ઉદયને આશ્રયીને સદા વર્તે છે. ર-૩મા Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શાંતસુધારસ શ્લોક - निकाचितानामपि कर्मणां यद्, गरीयसां भूधरदुर्धराणाम् । विभेदने वज्रमिवातितीव्र, नमोऽस्तु तपसेऽद्भुताय ।।४।। શ્લોકાર્ધ : ભૂધર પર્વત, જેવા દુર્ધર, મહાન, એવા નિકાચિત પણ કર્મોના વિભેદનમાં વજની જેમ જે અતિ તીવ્ર છે=જે તપ અતિ તીવ્ર છે, અભુત એવા તે તપને નમસ્કાર થાઓ. ||૪| ભાવાર્થ - પૂર્વના શ્લોકમાં કર્મોનો નાશ કરનાર બાર પ્રકારનો તપ છે તેમ સ્થાપન કર્યું. તે બાર પ્રકારના તપમાં પણ જે પ્રકર્ષવાળો તપ છે જેનાથી અનિકાચિત એવાં કર્મો તો નાશ પામે જ છે પરંતુ નિકાચિત કર્મો પણ નાશ પામે છે તે તપને નમસ્કાર થાઓ. તેમ કહીને મહાત્મા તે તપને અનુકૂળ તીવ્ર પક્ષપાત કરીને તેવા તપની નિષ્પત્તિ અર્થે તેવા પ્રકારનો બલસંચય કરવા પ્રયત્ન કરે છે. સામાન્યથી જે જે અધ્યવસાયથી જે જે કર્મ બંધાય છે તેનાથી વિરુદ્ધ મોક્ષને અનુકૂળ એવા અધ્યવસાયના બળથી તે કર્મો નાશ પામે છે, તોપણ જે અધ્યવસાયથી કર્મો બંધાયેલાં હોય તેનાથી મંદ-મંદતર એવો મોક્ષને અનુકૂળ તે અધ્યવસાય હોય તો તે કર્મ નાશ પામે નહિ. પરંતુ કર્મબંધ સમયના અધ્યવસાય કરતાં બલિષ્ઠ એવો મોક્ષને અનુકૂળ અધ્યવસાય હોય તો તે કર્મ નાશ પામે. તેથી જે જે પ્રકારના મોક્ષને અનુકૂળ ભાવો થાય છે તેના દ્વારા તેનાથી વિરુદ્ધ મંદભાવના પૂર્વના અધ્યવસાયથી બંધાયેલાં કર્મો નાશ પામે છે. પ્રકૃષ્ટભાવોથી બંધાયેલાં નિકાચિત કર્મો ક્ષપકશ્રેણી કાલભાવી વિશિષ્ટ પ્રકારના તત્ત્વચિંતનના અધ્યવસાયથી જ નાશ પામે છે; કેમ કે કર્મની જે કાંઈ શક્તિ છે તે સર્વ શક્તિ કરતાં અતિશયિત આત્માની નિર્મલ શક્તિથી જ જીવ ક્ષપકશ્રેણી માંડે છે. તેથી એ વખતના તત્ત્વચિંતનનો અધ્યવસાય નિકાચિત કર્મનો નાશ કરવા પણ સમર્થ છે. અને તેવા ઉત્તમ તપને નમસ્કાર કરીને મહાત્મા તેને અનુકૂળ શક્તિ સંચય કરવા યત્ન કરે છે. જો શ્લોક :. किमुच्यते सत्तपसः प्रभावः कठोरकर्मार्जितकिल्बिषोऽपि । दृढप्रहारीव निहत्य पापं, यतोऽपवर्गं लभतेऽचिरेण ।।५।। શ્લોકાર્ય : સત્ તપના પ્રભાવને શું કહીએ ? કઠોર કર્મથી અર્જિત એવા કિલ્બિષિક પણ જીવ કઠોર કર્મને કરાવનાર એવા પાપવૃત્તિવાળો પણ જીવ દઢપ્રહારીની જેમ જેનાથી જે તપથી, પાપને હણીને અલપકાળમાં અપવર્ગને પ્રાપ્ત કરે છે. પI Page #122 -------------------------------------------------------------------------- ________________ ૯. નિર્જરાભાવના | શ્લોક-૫-૬ ભાવાર્થ: દૃઢપ્રહારી જેવા કેટલાક જીવો ધર્મની પ્રાપ્તિ પૂર્વ ઘણા ક્લિષ્ટભાવો પૂર્વક પાપકર્મોનો બંધ કર્યો હોય છે તેના કારણે તેઓને દુર્ગતિની પરંપરાની પ્રાપ્તિ થાય તેવી તેઓની કર્મ પરિણતિ હોય છે. તોપણ ભગવાને કહેલ બાર પ્રકારના તપમાંથી પોતાની ભૂમિકાને ઉચિત જેઓ તપ કરે છે તેઓ તપના સેવનથી થયેલા ઉત્તમ અધ્યવસાયથી પૂર્વમાં બાંધેલા પાપકર્મને હણે છે, એટલું જ નહિ પણ સંસારના પ્રવાહને ચલાવનાર મોહનીયકર્મનો નાશ કરીને શીઘ્ર મોક્ષને પ્રાપ્ત કરાવે તેવા મહાપ્રભાવવાળો આ તપ છે. માટે કલ્યાણના અર્થી જીવે સ્વભૂમિકા અનુસાર ઉચિત બાહ્ય અને અત્યંતરતપ કરીને વીતરાગભાવને અનુકૂળ અંતરંગ દઢ યત્ન થાય તે પ્રકારે તપમાં ઉદ્યમ કરવો જોઈએ જેથી સંસારનો શીઘ્ર અંત થાય. III ૧૦૫ શ્લોક ઃ यथा सुवर्णस्य शुचिस्वरूपं दीप्तः कृशानुः प्रकटीकरोति । तथात्मनः कर्मरजो निहत्य, ज्योतिस्तपस्तद्विशदीकरोति । । ६ । । શ્લોકાર્થ : જે પ્રમાણે સુવર્ણનું શુચિસ્વરૂપ=નિર્મલ સ્વરૂપ, દીપ્ત એવો અગ્નિ પ્રગટ કરે છે તે પ્રમાણે આત્માની કર્મરજને હણીને જ્યોતિસ્વરૂપ એવું તપ આત્માને વિશદ કરે છે=આત્માને શુદ્ધ કરે 99. 11911 ભાવાર્થ : સુવર્ણ જમીનમાંથી નીકળે છે ત્યારે મલથી યુક્ત હોય છે અને પ્રજ્વલિત અગ્નિમાં નાંખીને તે સુવર્ણને શુદ્ધ કરવામાં આવે છે તેથી અતિ દીપ્ત અગ્નિના બળથી સુવર્ણનું નિર્મલ સ્વરૂપ પ્રગટ થાય છે. તે રીતે જીવ અનાદિથી સંગની વાસનાને કારણે સંગના પરિણામો કરીને કર્મરજથી આત્માને મલિન કરે છે અને સંસારાવસ્થામાં સદા મલિનભાવોથી મલિન પરિણામને વહન કરે છે. તોપણ જે મહાત્માઓને જિનવચનાનુસાર તત્ત્વનો બોધ થયો છે તેઓ મોહના ઉન્મૂલનનું કારણ બને તેવા તીક્ષ્ણજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ અંતરંગતપથી સંવલિત બાર પ્રકારના તપની ઉચિતક્રિયાઓ કરે છે. તે ક્રિયાના બળથી પ્રજ્વલિત થયેલો મોહથી વિરુદ્ધ એવા જ્ઞાનના પરિણામરૂપ તપ કર્મરજનો નાશ કરીને આત્માના શુદ્ધ સ્વરૂપને વિશદ કરે છે અર્થાત્ અશુદ્ધ સ્વરૂપને દૂર કરીને શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે આથી જ શાસ્ત્રમાં જ્ઞાન સ્વરૂપ તપ કહેલ છે. તેથી ફલિત થાય છે કે મોહના સ્પર્શ વગરનો જ્ઞાનનો તીવ્ર ઉપયોગ પ્રવર્તતો હોય તે તપ જ કર્મનો નાશ કરીને આત્માને નિર્મલ કરે છે. માત્ર ક્રિયાત્મક બાહ્યતપ કે ક્રિયાત્મક સ્વાધ્યાયાદિ રૂપ અત્યંત૨તપ પણ આત્માને નિર્મલ કરતો નથી. માટે નિર્જરાના અર્થી સાધુએ મોહના નાશનું કારણ બને તેવા તીક્ષ્ણજ્ઞાનના ઉપયોગપૂર્વક તપાચા૨નું સેવન કરવું જોઈએ. ॥૬॥ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શાંતસુધારસ શ્લોક :बाह्येनाभ्यन्तरेण, प्रथितबहुभिदा, जीयते येन शत्रुश्रेणी बाह्यान्तरङ्गा, भरतनृपत्तिवद् भावलब्धद्रढिम्ना । यस्मात् प्रादुर्भवेयुः प्रकटितविभवा, लब्धयः सिद्धयश्च, वन्दे स्वर्गापवर्गार्पणपटु सततं, तत्तपो विश्ववन्धम् ।।७।। શ્લોકાર્થ : બાહ્યથી અને અત્યંતરથી વિસ્તાર કરાયેલા, બહુભેટવાળા, ભાવથી પ્રાપ્ત થયેલ દઢતાવાળ, એવા, જેના વડે જે તપ વડે, ભરતરાજાની જેમ બાહ્ય અને અંતરંગ શત્રશ્રેણી જિતાય છે અને જેનાથી=જે તપના સેવનથી, પ્રગટ થયેલા વિભવવાળી લબ્ધિઓ અને સિદ્ધિઓ પ્રાદુર્ભાવ થાય છે, સ્વર્ગ અને મોક્ષને અર્પણ કરવામાં પટુ વિશ્વવંધ એવા તે તપને હું સતત વંદન કરું છું. IIછો. ભાવાર્થ - નિર્જરાના કારણભૂત તપ પૂલથી છ બાહ્ય અને છ અત્યંતર મેદવાળો છે અને અવાંતર દૃષ્ટિથી વિચારીએ તો ઘણા ભેદવાળો છે. તેવા ભેદવાળો તપ જિનવચનાનુસાર કરવામાં આવે તો જિનનું સર્વ વચન વીતરાગતાને ઉલ્લસિત કરે તે પ્રકારે તે તે ક્રિયા કરવાનું વિધાન કરનાર હોવાથી વીતરાગતાને અનુકૂળ ભાવોથી નિયંત્રિત બને છે અને તેવા ભાવોથી પ્રાપ્ત થયેલ દઢતાવાળા એવા જે તપ વડે અંતરંગ અને બાહ્ય શત્રુશ્રેણી નાશ થાય છે. જેમ ભરતરાજાએ ભૂતકાળમાં સંયમનું સેવન કરી મહાતપ કર્યો તેના કારણે આ ભવમાં બાહ્ય શત્રુની શ્રેણી નષ્ટપ્રાય થઈ. તેથી સુખપૂર્વક ચક્રવર્તીપણાને પામ્યા અને અંતરંગ શત્રુની શ્રેણી પણ નષ્ટપ્રાયઃ થઈ, તેથી નિમિત્તને પામીને સુખપૂર્વક અરીસાભવનમાં કેવલજ્ઞાનને પામ્યા. આ રીતે ઉત્તમભાવોથી પ્રાપ્ત થયેલા દઢતાવાળા જે તપથી બાહ્ય અને અત્યંતર શત્રુશ્રેણી નાશ થાય છે તે તપને હું વંદન કરું છું એમ કહીને મહાત્મા તે તપ પ્રત્યેના પોતાના રાગભાવને અતિશયિત કરે છે. વળી, તે તપના સેવનથી પ્રગટ થયેલા વૈભવવાળી લબ્ધિઓ અને સિદ્ધિઓ પ્રગટ થાય છે જેમ ગૌતમસ્વામીને અનેક લબ્ધિઓ પ્રગટ થયેલી. વળી, તે તપ સ્વર્ગ અને મોક્ષ આપવામાં સમર્થ છે અને વિશ્વવંદ્ય છે; કેમ કે આત્માની નિર્મલ પરિણતિ સ્વરૂપ છે તેવા તપને હું નમસ્કાર કરું છું. આ પ્રમાણે કહીને મહાત્મા ઉત્તમફલને આપવા સમર્થ એવા ઉત્તમ અધ્યવસાયોથી સંવલિત બાર પ્રકારના તપ પ્રત્યેના પોતાના પક્ષપાતની વૃદ્ધિ કરે છે જેથી પોતે પણ તેવા ઉત્તમફલને આપનારા નિર્મલ તપને સેવીને સંસારસાગરના પારને શીધ્ર પ્રાપ્ત કરે. આવા Page #124 -------------------------------------------------------------------------- ________________ ૯. નિર્જરાભાવના-ગીત | શ્લોક-૧-૨ ૧૦૭ ૯. નિર્જરાભાવના-ગીત) શ્લોક :विभावय विनय! तपोमहिमानं, विभावय विनय! तपोमहिमानम्, बहुभवसञ्चितदुष्कृतममुना, लभते लघु लघिमानम् ।।विभावय० १।। શ્લોકાર્થ : હે વિનય =કર્મના વિનયના અર્થી જીવ, તું તપના મહિમાનું વિભાવન કર. હે વિનય !=કર્મના વિનયના અર્થી જીવ, તું તપના મહિમાનું વિભાવન કર. તપનો મહિમા કેવો છે તે બતાવે છે – ઘણા ભવોથી સંચિત દુષ્કૃત આના વડે તપ વડે, શીઘ લઘુપણાને પામે છે. [૧] ભાવાર્થ : નિર્જરાભાવનાના અર્થી મહાત્મા નિર્જરાના ઉપાયભૂત બાર પ્રકારના તપ પ્રત્યે પોતાનો તીવ્ર પક્ષપાત થાય તે અર્થે આત્માને સંબોધીને કહે છે=હે કર્મના વિનયના અર્થી જીવ, તું તપના મહિમાનું વિભાવન કર જેથી તપ સેવવાનો તારો તીવ્ર પક્ષપાત પ્રગટ થાય. કેવા પ્રકારનો તપનો મહિમા છે તે ઉપસ્થિત કરતાં મહાત્મા વિચારે છે કે ઘણા ભવથી સંચિત દુષ્કૃત શીધ્ર લઘુપણાને પામે છે તેવા મહિમાવાળો આ તપ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ઘણા ભવોના મોહના અધ્યવસાયથી જીવે ઘણાં કર્મો બાંધ્યાં છે અને આત્મામાં ઘણા મોહના સંસ્કારો નાંખ્યા છે તેથી તે મોહના સંસ્કારોથી પોતાનો આત્મા વાસિત થયો છે અને ઘણાં કર્મોથી પોતાનો આત્મા ભારી થયેલો છે. આમ છતાં કોઈક રીતે વિવેક પ્રગટે અને જિનવચનના દઢ આલંબનપૂર્વક અંતરંગ વીર્યને ઉલ્લસિત કરીને ઉચિત તપમાં યત્ન કરે તો જે મોહના પરિણામને કારણે ઘણાં કર્મોનો સંચય થયો હતો તેનાથી વિરુદ્ધ એવા તપના પરિણામથી જીવ કર્મોનો નાશ કરે છે અને આત્મામાં પડેલ મોહના સંસ્કારો પણ ઘણા ક્ષય કરે છે. તેથી ઘણા કાળથી સંચિત પણ કર્મો તપથી લઘુપણાને પામે છે. માટે તપના મહિમાનો વિચાર કરીને સર્વ ઉદ્યમથી તપને અનુકૂળ શક્તિને તું ફોરવ જેથી તારું આત્મહિત થાય તે પ્રકારે મહાત્મા ભાવન કરે છે. આવા શ્લોક :याति घनाऽपि घनाघनपटली, खरपवनेन विरामम् । भजति तथा तपसा दुरिताली, क्षणभङ्गुरपरिणामम् ।।विभावय० २।। . Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શાંતસુધારસા શ્લોકાર્ચ - ઘન પણ ઘનાઘનપટલી=ઘન પણ મેઘની ઘટા, ખરપવનથી ઉગ્ર પવનથી, વિરામને પામે છે. તે પ્રમાણે તપ વડે દુરિતની શ્રેણી=પાપોની શ્રેણી, ક્ષણભંગુર પરિણામને પ્રાપ્ત કરે છે. રા. ભાવાર્થ : વળી, મહાત્મા તપનો મહિમા વિભાવન કરતાં વિચારે છે કે જેમ નિબિડ એવા મેઘનો સમૂહ જે તત્કાલ વર્ષા કરવા માટે સમર્થ હોય તેવો મેઘ પણ ઉગ્ર ગતિમાન પવન વાવા માંડે તો વિખરાઈ જાય છે તેમ અનાદિકાળથી જીવે ઘણાં પાપો બાંધીને પાપોના પ્રવાહને ચલાવે તેવી પાપોની શ્રેણી ઊભી કરેલ છે. છતાં જો અંતરંગ વિવેક જાગ્રત થાય તો વિવેકપૂર્વકનો તપ તે પાપની શ્રેણીને ક્ષણભંગુર પરિણામવાળી કરે છે. માટે સંચિત થયેલાં પાપોથી ભાવિમાં થવાની કદર્થનાનો વિચાર કરીને તેના નિવર્તનનાં એક ઉપાયરૂપ માર્ગાનુસારી તપમાં તું પ્રયત્ન કર, જેથી ભાવિના અનર્થની પરંપરાનું વિસર્જન થાય. આ રીતે ભાવન કરીને મહાત્મા માર્ગાનુસારી તપને અનુકૂળ પોતાનું બલ સંચય થાય તેવો યત્ન કરે છે. શા શ્લોક :'वाञ्छितमाकर्षति दूरादपि, रिपुमपि व्रजति वयस्यम् । तप इदमाश्रय निर्मलभावादागमपरमरहस्यम् ।।विभावय० ३।। શ્લોકાર્ચ - જે તપ દૂરથી પણ વાંછિતનું આકર્ષણ કરે છે, જે તપથી શત્રુ પણ મિત્રપણાને પામે છે, આગમના પરામરહસ્યરૂપ આ તપનો નું નિર્મલ ભાવથી આશ્રય કર. II ભાવાર્થ-, સમ્યગુ રીતે સેવાયેલો તપ પુણ્યાનુબંધી પુણ્ય અને નિર્જરાની પ્રાપ્તિ કરાવે છે તેથી તે તપ દૂરથી પણ વાંછિતનું આકર્ષણ કરે છે અર્થાતુ જે વાંછિત ફળની પ્રાપ્તિની સંભાવના પણ દેખાતી ન હોય તેવા પણ વાંછિત ફલને તે તપ શીધ્ર ખેંચી લાવે છે, કેમ કે ઉત્તમ અધ્યવસાયથી બંધાયેલા પુણ્યને માટે કોઈ વસ્તુ અસાધ્ય નથી. જેમ તે તપથી મહાત્માને નિર્જરા થાય છે તેમ મોક્ષની પ્રાપ્તિ સુધી ઉત્તમ સામગ્રીનું આકર્ષણ કરે તેવું પુણ્ય પણ બંધાય છે તેથી તે ઉત્તમ પુણ્યના બળથી સુખપૂર્વક સર્વ વાંછિતની પ્રાપ્તિ થાય છે. વળી, તે તપના સેવનથી બંધાયેલા ઉત્તમકોટીના પુણ્યથી પૂર્વમાં જે પોતાનો શત્રુ હોય છે તે પણ મિત્રભાવને પામે છે. આથી જ ભૂતકાળમાં બંધાયેલી પાપપ્રવૃત્તિ પણ તે તપના સેવનથી પુણ્યરૂપે રૂપાંતર થઈને આવે છે તેથી શત્રુરૂપ જ તે પાપ મિત્રનું કાર્ય કરે છે. વળી તપ એ ભગવાનના આગમનું પરમરહસ્ય છે; કેમ કે કર્મનિર્જરાની પ્રાપ્તિ દ્વારા કર્મની વિડંબનાથી આત્માને મુક્ત કરવો એ જ ભગવાને જે કાંઈ ઉપદેશ આપ્યો છે તેનું રહસ્ય છે. તેથી કર્મથી મુક્ત કરનાર એવો તપ ભગવાનના આગમનું પરમરહસ્ય Page #126 -------------------------------------------------------------------------- ________________ ૯. નિર્જરાભાવના-ગીત | શ્લોક-૩-૪ ૧૦૯ છે અને તેવા તપને તે નિર્મલભાવથી સેવ=જે પ્રકારે ભગવાનનું આગમ તે તપ કરવાનું કહે છે તે પ્રકારના નિર્મલભાવથી તે તપનું તું સેવન કર જેથી સર્વ ઇષ્ટની પરંપરાની પ્રાપ્તિ થાય. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા શુદ્ધતપ પ્રત્યેનો તીવ્ર પક્ષપાત પોતાના આત્મામાં પ્રગટ કરવા અર્થે યત્ન કરે છે. Jai શ્લોક : अनशनमूनोदरतां वृत्तिहासं रसपरिहारम् । भज सांलीन्यं कायक्लेशं, तप इति बाह्यमुदारम् ।।विभावय० ४।। શ્લોકાર્ચ - અનશન, ઊનોદરતા=ઊણોદરી, વૃતિનો હાસ, રસનો પરિહાર, સંલીનતા સંતીનપણું, કાયક્લેશ, એ પ્રકારનો ઉદાર એવો બાહ્યતપsઉત્તમ આશયવાળો એવો બાહ્યતપ. તું ભજનસેવન કર, IIII ભાવાર્થ : પૂર્વમાં તપ કેવા માહાસ્યવાળો છે તેનું ભાવન કરીને મહાત્મા શુદ્ધતપ પ્રત્યે પક્ષપાતવાળા થાય છે. ત્યાર પછી ભગવાનના શાસનમાં કહેલા બાહ્યતાને સ્મૃતિમાં લાવીને તે તપ કરવા માટે આત્માને ઉત્સાહિત કરે છે અને વિચારે છે કે અનશન આદિ છ પ્રકારરૂપ બાહ્યતપ ભગવાને કહ્યો છે, જેમાંથી બાહ્ય આહારનો ત્યાગ કરીને ઉપવાસ આદિ દ્વારા અનશન તપ કરે છે ત્યારે આત્માનો અણાહારી સ્વભાવ છે તે પ્રકારે ભાવન કરે છે અને ક્ષુધા લાગે કે તરત જીવને સ્વભાવથી જ આહાર ગ્રહણ કરવાની વૃત્તિ થાય છે તે વૃત્તિના ઉચ્છેદને અનુકૂળ સર્વીર્યનો સંચય કરે છે જેથી સુધારૂપ નિમિત્તને પામીને આહાર કરવાના અભિલાષરૂપ સંજ્ઞા ઉલ્લસિત થાય નહિ. અને સુધા-અક્ષુધા પ્રત્યે સમભાવનો પરિણામ ઉલ્લસિત થાય તે પ્રકારે મહાત્મા અનશન તપ દ્વારા આત્માને ભાવિત કરે છે. વળી, જીવ સ્વભાવે જ અનશન તપ કરવાની વૃત્તિથી તપ કરે છે છતાં આહાર વાપરવા બેસે ત્યારે સુધા અનુસાર આહાર કરીને તૃપ્તિનો અનુભવ કરે છે ત્યારે પુગલની પુષ્ટિથી આનંદ થાય તે પ્રકારના મોહનો પરિણામ થાય છે તે પ્રકારના મોહના પરિણામનાં પરિવાર અર્થે મહાત્મા દેહના પાલન અર્થે પણ આહાર આવશ્યક જણાય ત્યારે શરીર માટે ઉપકારક થાય એટલો પરિમિત આહાર ગ્રહણ કરીને ઊણોદર તપ કરે છે. આથી જ સાધુને સંયમના યોગો સીદાતા ન હોય તો સુધાની અપેક્ષાએ ચોથાભાગનો આહાર કરીને પણ એટલા પરિમિત આહારથી ભોજન કરીને ઊણોદરીતપમાં યત્ન કરવાની વિધિ છે અને અંતે શક્તિ અનુસાર કાંઈક અલ્પ આહાર ગ્રહણ કરીને મહાત્મા ઊણોદરીતપ પ્રત્યે પક્ષપાત કરે છે જેથી અલ્પ આહારને કારણે દેહ કાંઈક શિથિલ જણાય તોપણ અંતરંગવીર્યના બળથી સર્વ ક્રિયાઓમાં ઉદ્યમ કરીને આહાર પ્રત્યેના અને આહારજન્ય શાતા પ્રત્યેના નિર્મમભાવને પ્રગટ કરવાનો યત્ન કરે છે. વળી, આહાર વાપરવાનો પ્રસંગ હોય ત્યારે જે જે ઉપલબ્ધ હોય તેમાંથી પોતાને અનુકૂળ છે તે બુદ્ધિથી Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શાંતધારાસ ગ્રહણ કરવાની વૃત્તિ જીવમાં રહે છે. તે વૃત્તિના પરિહાર અર્થે અને ગ્રહણ કરાયેલા આહાર પ્રત્યે ક્યાંય રાગ ન થાય પરંતુ સંયમની વૃદ્ધિ થાય તે અર્થે નિર્મમભાવને પ્રગટ કરવા અર્થે આહાર વાપરતી વખતે પણ આહારના વિષયરૂપ વસ્તુઓમાં વૃત્તિઓનો સંકોચ કરે છે. અર્થાત્ જે વસ્તુ પોતાને પક્ષપાત કરે તેવી જણાય તેનો ત્યાગ કરે છે. વળી સ્વભાવથી જ દૂધ આદિ વિગઈઓ જીવને અનુકૂલ જણાય છે તેથી પરિમિત આહાર ગ્રહણ કાલમાં પણ તે તે વિગઈઓ અનુસાર રુચિના પરિણામ થાય છે તેના નિવારણ અર્થે રસની વૃદ્ધિ કરે તેવી વિગઈઓની શક્તિ અનુસાર મહાત્મા પરિહાર કરે છે જેથી વૃદ્ધિના કારણે આહાર સંજ્ઞા સહેજ પણ પુષ્ટ ન બને. વળી, જીવને સ્વભાવથી જ દેહને અનુકૂળ હોય તે પ્રમાણે દેહને પ્રવર્તાવવાની વૃત્તિ થાય છે. તેથી દેહની તે તે પ્રવૃત્તિ દ્વારા પણ શાતાનો અર્થી જીવ શાતા પ્રત્યે પક્ષપાત અને અશાતા પ્રત્યે દ્વેષભાવને પોષે " છે તેના નિવારણ અર્થે મહાત્માઓ દેહને સ્થિર રાખીને સ્વાધ્યાય આદિથી આત્માને વાસિત કરવા પ્રયત્ન કરે છે. માત્ર સ્વાધ્યાય આદિ ઉચિત પ્રવૃત્તિમાં દેહની સંસીનતા વ્યાઘાતક જણાય તો યતનાપૂર્વક સ્વાધ્યાય આદિ અર્થે કાયાને પ્રવર્તાવે છે. આ રીતે દેહની સંલીનતા રાખવાથી પણ શાતાનો પક્ષપાત અને અશાતોનો દ્વેષ દૂર થાય માટે તે સંલીનતા તપ છે. વળી, કાયાને જે અનુકૂળ સંયોગો હોય તે જીવને પ્રિય લાગે છે તેથી કાયાની અનુકૂળતા પ્રત્યે રાગ અને કાયાની પ્રતિકૂળતા પ્રત્યે દ્વેષના પરિહાર અર્થે કાયાને કષ્ટ પડે તેવી આતાપના, લોચ, આદિ પ્રવૃત્તિથી પણ મહાત્મા કાયજન્ય શાતા પ્રત્યેના પક્ષપાતનો પરિહાર કરીને સમભાવમાં વૃદ્ધિ કરે છે. આ રીતે સમભાવની વૃદ્ધિ અર્થે સેવાયેલો છયે પ્રકારનો બાહ્યતા નિર્જરાનું કારણ બને છે તે પ્રકારે સ્મૃતિમાં લાવીને તે તપ પ્રત્યેના પક્ષપાતને કરવા અર્થે મહાત્મા ભાવન કરે છે કે ઉદાર= શ્રેષ્ઠ એવા બાહ્ય તપને તું કર અર્થાત્ ઉદાર આશયને પ્રગટ કરે તેવા બાહ્યતાને તું કર જેથી નિર્જરાની પ્રાપ્તિ થાય. જા શ્લોક : प्रायश्चित्तं वैयावृत्त्यं, स्वाध्यायं विनयं च । कायोत्सर्ग शुभध्यानमाभ्यन्तरमिदमञ्च ।।विभावय० ५।। શ્લોકાર્ચ - પ્રાયશ્ચિત, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વિનય, કાયોત્સર્ગ, શુભધ્યાન એ આત્યંતરરૂપ છે. પII ભાવાર્થ : પૂર્વમાં મોક્ષના કારણભૂત એવા બાહ્યતાને સેવવાનો અભિલાષ મહાત્માએ કર્યો અને મોક્ષના કારણીય એવા છ પ્રકારના અત્યંતરતપ પ્રત્યેનો પોતાનો પક્ષપાત વધે એ પ્રકારે ભાવન કરવા અર્થે કહે છે. તે આત્મનું, તું પ્રાયશ્ચિત્ત તપને કર. પ્રાયશ્ચિત્ત એટલે પૂર્વમાં કરાયેલા પાપની શુદ્ધિને અનુકૂળ અંતરંગ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ નિર્જરાભાવના-ગીત | શ્લોક-પ પરિણતિ ઉલ્લસિત થાય એવી ઉચિત ક્રિયા જેમ જે ભાવોથી જે પાર્ષો થયાં છે તે ભાવોથી વિરુદ્ધભાવો કરવા અર્થે તે તે પાપોની સમ્યફ આલોચના કરવામાં આવે છે. જે પ્રાયશ્ચિત્ત રૂપ છે. જેનાથી તે ભાવો પ્રત્યે જુગુપ્સા થાય છે. અને તે જુગુપ્સા તે પાપસેવનકાળમાં થયેલા પરિણામથી અધિક તીવ્ર થાય તો આલોચનાકાળમાં જ તે પાપ નાશ પામે છે. કદાચ આલોચનાથી તેવો તીવ્ર પરિણામ ન થયો હોય તો ગુરુ આગળ ઉચિત વિધિથી તેનું પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવાથી જો તીવ્ર પરિણામ થાય તો તે પાપ નાશ પામે છે. તેથી પાપનાશના અર્થી એવા મહાત્મા પોતાના આત્માને ઉદ્દેશીને કહે છે કે અનંતકાળમાં તેં જે કંઈ પાપો કર્યા છે તે સર્વ પાપોની શુદ્ધિ અર્થે તું પ્રાયશ્ચિત્ત કર, જેથી તે પાપો નાશ પામે. વળી, વિશેષ નિર્જરા અર્થે આત્માને ઉદ્દેશીને મહાત્મા કહે છે કે તું વૈયાવચ્ચ તપ કર. વૈયાવચ્ચ એટલે ગુણવાન પુરુષની ઉચિત ભક્તિ કરીને ગુણવૃદ્ધિને અનુકૂળ અંતરંગ વ્યાપાર. જેનાથી ગુણવૃદ્ધિ થવાને કારણે સંવરભાવ પ્રાપ્ત થાય છે. આ પ્રકારે વૈયાવચ્ચ તપ કરવાની ભાવનાથી મહાત્માને ગુણસંપન્ન એવા તીર્થંકર આદિની ભક્તિ કરવાને અનુકૂળ સદ્વર્ય ઉલ્લસિત થાય છે. વળી, મહાત્મા ભાવના કરે છે કે તું સ્વાધ્યાય કર. સ્વાધ્યાય એટલે સુંદર અધ્યયન જેનાથી આત્મા ઉત્તમભાવોથી વાસિત બને છે. ઉચિત સ્વાધ્યાય કરવા અર્થે મહાત્મા વાચના, પૃચ્છના, આદિ પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં ઉચિત યત્ન કરે છે જેનાથી મોક્ષને અનુકૂળ એવો સંવરભાવ પ્રગટે છે. જેનાથી કર્મની નિર્જરા થાય છે. વળી, મહાત્મા ભાવન કરે છે કે તું વિનય કર. વિનય એટલે જેનાથી કર્મનું વિનયન થાય તે વિનય, તેને તું કર. વિનય એ અંતરંગ ગુણવૃદ્ધિને અનુકૂળ વ્યાપારવાળો જીવનો પરિણામ છે જેનાથી કર્મનો હ્રાસ થાય છે. આથી જ જ્ઞાનવિનય, દર્શનવિનય ચારિત્રવિનય અને ઉપચારવિનય એમ વિનયના ચાર ભેદો છે. તેથી જે મહાત્મા શક્તિ અનુસાર સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્યારિત્રમાં યત્ન કરે છે તે વિનયની પરિણતિ છે અને રત્નત્રયીની પરિણતિવાળા મહાત્માઓ પ્રત્યે ભક્તિને અભિવ્યક્ત કરે તેવી ઉચિત પ્રવૃત્તિ કરે તે ઉપચારવિનય છે. જેનાથી કર્મનો હ્રાસ થાય છે. આ પ્રકારે વિનય કરવાની આત્માને પ્રેરણા કરીને મહાત્મા નિર્જરાને અનુકૂળ પોતાનું સદ્વર્ય ઉલ્લસિત કરે છે. વળી, મહાત્મા આત્માને કહે છે કે તું કાયોત્સર્ગ કર. કાયોત્સર્ગ એટલે કાયાને સ્થિર રાખીને મન-વચન-કાયાના યોગો દ્વારા આત્માને શુભ ચિંતવનમાં વ્યાપારવાળો કરવો તે કાયોત્સર્ગ છે. આ રીતે કામ પ્રત્યેના મમત્વનો ત્યાગ કરીને સ્થિરમુદ્રામાં રહીને કાયોત્સર્ગને અનુકૂળ શક્તિ સંચય કરવા અર્થે આત્માને ઉદ્દેશીને મહાત્મા કહે છે કે કાયોત્સર્ગ કર. જેથી નિર્જરાની પ્રાપ્તિ થાય. વળી, મહાત્મા ભાવન કરે છે કે તું શુભધ્યાન કર. શુભધ્યાન એટલે સંસારના વાસ્તવિક સ્વરૂપને એકાગ્રતાપૂર્વક અવલોકનનો વ્યાપાર અથવા સર્વકર્મ રહિત શુદ્ધ આત્માના પારમાર્થિક સ્વરૂપને જોવાને અનુકૂળ એકાગ્રતાપૂર્વકનો વ્યાપાર. આ પ્રકારના શુભધ્યાનના શુદ્ધસ્વરૂપનો વિચાર કરીને મહાત્મા પોતાની શક્તિ અનુસાર શુભધ્યાન કરવા માટે આત્માને ઉત્સાહિત કરે છે જેથી નિર્જરાની પ્રાપ્તિ થાય. આ છ પ્રકારના પ્રાયશ્ચિત્ત આદિ તપ જો કે આચરણાત્મક હોવાથી બાહ્યતપ રૂપ છે તો પણ સામાન્ય રીતે અન્યદર્શનમાં આ આચરણા તરૂપે પ્રસિદ્ધ નથી, માત્ર ભગવાનના શાસનમાં જ તારૂપે પ્રસિદ્ધ છે તેથી Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧ર શાંતસુધારણા તે અત્યંતરતા છે. અનશન આદિ છે પ્રકારના તપ જૈનદર્શનમાં પ્રસિદ્ધ છે તેમ અન્યદર્શનમાં પણ તારૂપે પ્રસિદ્ધ છે તેથી તે બાહ્યતા છે અને આ બાહ્યતપ અને અત્યંતરતા આત્માના મોહનાશને અનુકૂળ વ્યાપારવાળા થાય તો નિર્જરાનું કારણ બને છે અને મોહવૃદ્ધિને અનુકૂળ વ્યાપારવાળા થાય તો આશ્રવરૂપ બને છે. માટે વિવેકી પુરુષે અંતરંગ રીતે મોહનાશમાં વિર્ય ઉલ્લસિત થાય તે રીતે બાર પ્રકારના તપમાં યત્ન કરવો જોઈએ જેથી તે તપ નિર્જરાનું કારણ બને. IFપા શ્લોક : शमयति तापं गमयति पापं, रमयति मानसहंसम् । हरति विमोहं दरारोह, तप इति विगताशंसम् ।।विभावय०६।। શ્લોકાર્થ : દુઃખે કરીને આરોહણ થઈ શકે તેવો આશંસા વગરનો તપ, તાપનું શમન કરે છે, પાપનું ગમન કરે છે પાપનો નાશ કરે છે. મનરૂપી હસને રમાડે છે=આત્મસરોવરમાં રમાડે છે (અને વિમોહને હરે છે=મોહનું હરણ કરે છે. IIકા. ભાવાર્થ - જીવ બાહ્ય આચરણાત્મક બાર પ્રકારનો તપ કરી શકે છે પરંતુ તે તે તપની ક્રિયા દ્વારા નિર્જરાને અનુકૂળ એવા આત્માભાવોને સ્પર્શીને તપના પરિણામ ઉપર આરોહણ કરવા સમર્થ બનતો નથી, પરંતુ જે મહાત્માઓ અંતરંગ ઉપયોગપૂર્વક તે તે તપમાં યત્ન કરે છે તેઓ જ નિર્જરાના કારણભૂત એવા તપ ઉપર આરોહણ કરી શકે છે. જેમ કોઈક અતિવિષમ પર્વત હોય તો તેના ઉપર બધા જીવો ચઢી શકતા નથી છતાં કોઈક વૈર્યપૂર્વક ચઢનારો તે પર્વત ઉપર ચઢી શકે છે. તેમ જે જીવો પૂર્વમાં વર્ણન કરાયેલા બાર પ્રકારના તપમાંથી પોતાની ભૂમિકાને અનુરૂપ તપ સેવતા હોય અને ધૃતિ પૂર્વક તે તપની ક્રિયા દ્વારા અંતરંગ સદ્વર્ય ઉલ્લસિત કરતા હોય તો તે તારૂપી પર્વત ઉપર આરોહણ કરી શકે છે અને તેવો તપ સંસારની સર્વ આશંસાથી રહિત હોય છે અને ગુણના પક્ષપાતપૂર્વક કરાયેલો હોય છે. તેવો તપ કેવા ઉત્તમ ફળવાળો છે તે બતાવતાં કહે છે – જે મહાત્માઓ દુરારોહ તેવા તપનું સેવન કરે છે તેમનો તે તપ અંતસ્તાપનું શમન કરે છે=કષાયરૂપી તાપનું શમન કરે છે. પાપનો નાશ કરે છે–પૂર્વમાં બાંધેલાં ક્લિષ્ટ એવાં પાપોનો નાશ કરે છે અને તપ સેવનાર મહાત્માના મનરૂપી હંસને આત્મારૂપી સરોવરમાં રમાડે છે. અર્થાત્ તેનું મન આત્માના નિર્વિકારક સ્વરૂપમાં રમે છે. વળી, તે તપ મોહનું હરણ કરે છે; કેમ કે તે તપના સેવનથી પ્રગટ થયેલી નિર્મલ પ્રજ્ઞાને કારણે મહાત્માને મોહ વગરની આત્માની રમ્ય અવસ્થા જ સારરૂપ જણાય છે. તેથી ભવના પારમાર્થિક સ્વરૂપનું સમાલોચન કરીને શક્તિ અનુસાર ઉત્તમ સદુદ્દીર્ય ઉલ્લસિત થાય તે રીતે તપમાં યત્ન કરવો જોઈએ. છા Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ૯. નિર્જરાભાવના-ગીત | શ્લોક-૭-૮ શ્લોક :. संयमकमलाकार्मणमुज्ज्वलशिवसुखसत्यङ्कारम् । चिन्तितचिन्तामणिमाराधय, तप इह वारंवारम् ।।विभावय० ७।। શ્લોકાર્ય : સંયમરૂપી કમલાનું=સંયમરૂપી સંપતિના વિસ્તારનું, કાર્મણ વશ કરનાર, ઉજ્વલ એવા શિવસુખનો સત્યકાર કરાવનાર, ચિંતિત વસ્તુને આપે એવા ચિંતામણિરૂપ તપનું અહીં સંસારમાં, તું વારંવાર આરાધન કર. પછી ભાવાર્થ : પોતાના આત્માને સંબોધીને મહાત્મા કહે છે કે તું સંસારમાં વારંવાર તપનું આરાધન કરે જેથી નિર્જરાની પ્રાપ્તિ થાય. તે તપ કેવું સુંદર છે તે બતાવવા અર્થે કહે છે – આત્માની સંયમરૂપી સંપત્તિના વિસ્તારને વશ કરનાર આ તપ છે. આશય એ છે કે જે મહાત્મા વીતરાગતાને અનુકૂળ એવા ગુણો ઉલ્લસિત થાય તે પ્રકારે તપ કરે છે તે મહાત્માનો આત્મા વીતરાગભાવનાથી અત્યંત ભાવિત બને છે. તેથી તે મહાત્માનું કર્મો પરનું પ્રભુત્વ વધતું જાય છે અને અત્યારસુધી આત્મા ઉપર કર્મોનું પ્રભુત્વ હતું તે ઓછું થાય છે. તેથી પોતાના આત્મા ઉપર પોતાના સંયમને અનુકૂળ વીર્યને પ્રગટ કરાવનાર તપ છે. વળી, ઉજ્વલ એવા મોક્ષસુખનું સાક્ષાત્કાર કરાવનાર આ તપ છે; કેમ કે મોક્ષની અવસ્થા સર્વ વિકાર વગરની છે. અને તપના સેવનથી જેટલા અંશથી વિકારો શમે છે તેટલા અંશથી સ્વસ્થતાનું સંવેદન થાય છે અને મહાત્માને સાક્ષાત્ અંતરંગ પ્રતીતિ થાય છે કે જો તપના સેવનથી આ રીતે વિકાર વગરનું સુખ પ્રગટ થતું હોય તો સર્વકર્મ રહિત એવા મોક્ષમાં કેવું અનુપમ સુખ હશે ? આવો કંઈક નિર્ણય તે મહાત્માને થાય છે માટે તપ મોક્ષના સુખને સત્યકાર કરાવનાર છે. વળી, આ તપ ઇચ્છાયેલા ફળને આપનાર ચિંતામણિરત્ન જેવું છે; કેમ કે તપથી બંધાયેલા ઉત્તમ કોટિના પુણ્યના બળથી સદ્ગતિઓની પરંપરા દ્વારા અંતે પૂર્ણ સુખમય એવા મોક્ષસુખને આપનાર આ તપ છે. માટે પ્રમાદ વગર વારંવાર આ તપનું આરાધન કર. એમ કહીને મહાત્મા પોતાનું સર્વીર્ય તપ કરવા માટે ઉલ્લસિત કરે છે. llણા શ્લોક : कर्मगदौषधमिदमिदमस्य च, जिनपतिमतमनुपानम् । विनय समाचर सौख्यनिधानं, शान्तसुधारसपानम् ।।विभावय० ८॥ શ્લોકાર્થ :હે વિનય ! કર્મરૂપી રોગનું ઔષધ એવું આ છે શાંતસુધારસનું પાન છે અને આનું ઔષધનું, Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શાંતસુધારસ, આ જિનપતિના મતરૂપ અનુપાન છે અને સૌખ્યનું નિધાન સુખની ખાણ, એવા શાંતસુધારસનું પાન તું કર. llcil ભાવાર્થ : મહાત્મા આત્માને સંબોધીને કહે છે કે હે કર્મનાશના અર્થી એવા આત્મા ! તું શાંતસુધારસનું પાન કર જે શાંતસુધારસનું પાન સુખનું નિધાન છે. વળી, તે શાંતસુધારસનું પાન કર્મરૂપી રોગનું ઔષધ છે તેનું અનુપાન ભગવાનનો મત છે. તેથી અનુપાનથી યુક્ત એવા શાંતસુધારસનું પાન કરીને તે કર્મરૂપ રોગનો નાશ કરે. આશય એ છે કે આત્મામાં કર્મરૂપી રોગ વર્તે છે અને તેમાં પણ મુખ્ય મોહનીય કર્મરૂપ ભાવકર્મ જીવોને અનેક પ્રકારની વિડંબના કરે છે. એ ભાવકર્મ રૂપ રોગનું ઔષધ શાંતસુધારસનું પાન છે. તેથી શાંતસુધારસના અર્થી મહાત્માઓ પોતાના વિદ્યમાન એવા રાગાદિ ભાવોને વીતરાગના ગુણમાં યોજન કરીને વીતરાગભાવ તરફ જવા યત્ન કરે છે. જેનાથી મોહના વિકારો કંઈક શાંત થાય છે જે શાંતસુધારસના પાન સ્વરૂપ છે. વળી આ શાંતસુધારસ કટુ ઔષધ જેવું નથી. પરંતુ મધુર ઔષધ જેવું છે તેથી સેવનકાળમાં પણ સુખ ઉત્પન્ન થાય છે. વળી, તે શાંતરસના પાનને રોગ મટાડવા માટે અતિશય કરવા અર્થે અનુપાનરૂપ ભગવાનનો મત છે. એથી મહાત્માઓ ભગવાનના વચનાનુસાર સંસારનું સ્વરૂપ, સિદ્ધનું સ્વરૂપ વગેરેનું વારંવાર સૂક્ષ્મબુદ્ધિથી પર્યાલોચન કરે અને શાસ્ત્રો દ્વારા વિશેષ-વિશેષરૂપે જાણવા યત્ન કરે તો તે શાંતસુધારસનું પાન જ ભાવરોગને મટાડવામાં બળવાન નિમિત્ત બને છે. જેમ અનુપાનથી યુક્ત ઔષધ શીધ્ર રોગનાશનું કારણ બને છે. અદા II નવમો પ્રકાશ પૂર્ણ II Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦. ધર્મ સ્વાખ્યાતભાવના, શ્લોક-૧ ૧૧૫ ( ૧૦. ધર્મ સ્વાખ્યાતભાવના છે શ્લોક :. दानं च शीलं च तपश्च भावो, धर्मश्चतुर्धा जिनबान्धवेन । निरूपितो यो जगतां हिताय, स मानसे मे रमतामजस्रम् ।।१।। શ્લોકાર્ય : દાન, શીલ, તપ, અને ભાવ એ ચાર પ્રકારનો ધર્મ જિનબાન્ધવ વડે કહેવાયેલો છે. જે જગતના હિત માટે છે, તે-તે ધર્મ, મારા માનસમાં સતત રમો. IIII ભાવાર્થ(૧) દાનધર્મ : જે ધર્મમાં ધનવ્યયથી આત્મામાં મોક્ષને અનુકૂળ ભાવો પ્રગટે તે દાનધર્મ છે. શ્રાવકો ઉત્તમ દ્રવ્યોથી જે પ્રકારની ભગવાનની ભક્તિ કરે છે, સુપાત્રને અને અનુકંપાપાત્ર જીવોને જે અન્નાદિ આપે છે તે સર્વ દ્વારા આત્મામાં ઉત્તમભાવો થાય છે તે દાનધર્મ છે. પૂજાની ઉત્તમ સામગ્રીથી ભગવાનની પૂજા કરવાથી શ્રાવકનું ચિત્ત ભગવાનના ગુણોથી રંજિત બને છે. તે ભગવાનના ગુણોથી રંજિત થયેલું ચિત્ત દાનથી થયેલું હોવાથી અર્થાત્ ધનના વ્યયથી થયેલું હોવાથી તે દાનધર્મ કહેવાય છે. વળી, જેમ ગુણવાન એવા સુસાધુના ગુણોને જોઈને જે શુદ્ધ અન્નાદિનું દાન વિવેકી જીવ આપે છે તેનાથી સુસાધુના સંયમની વૃદ્ધિ કરવાના અભિલાષરૂપ જે ભાવ થાય છે તે દાનથી થયેલો હોવાથી દાનધર્મ કહેવાય છે. વળી, અનુકંપાપાત્ર જીવોને જોઈને તેઓનાં દુઃખોને દૂર કરવાના સુંદર અધ્યવસાયથી જે અન્નાદિ અપાય છે, તે અન્નાદિના દાનથી જે દયાળુ સ્વભાવ પુષ્ટ-પુષ્ટતર થાય છે તે દાનથી થયેલો હોવાથી દાનધર્મ કહેવાય છે. આ દાનધર્મ જ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને શીલાદિના ક્રમથી ભાવધર્મ રૂપે પ્રગટ થાય છે, અને પ્રકર્ષને પામેલો ભાવધર્મ જ સિદ્ધ અવસ્થામાં રહેલા આત્માના સ્વભાવરૂપ શુદ્ધધર્મની પ્રાપ્તિનું કારણ છે. (૨) શીલધર્મ - દાનધર્મ કરનાર શ્રાવક પણ જે દેશવિરતિ આદિ પાળે છે તે શીલધર્મ છે, તપાદિ કરે છે તે તપધર્મ છે, ઉત્તમભાવો કરે છે તે ભાવધર્મ છે. છતાં પણ શ્રાવકને પ્રધાનરૂપે દાનધર્મ હોય છે તેથી ઉત્તમ સામગ્રીથી શ્રાવક ભગવાનની ભક્તિ આદિ કરે છે. આમ છતાં, શ્રાવક મોક્ષના અર્થી છે તેથી દાન કરીને જેમ ધર્મ નિષ્પન્ન કરે છે તેમ સ્વશક્તિ અનુસાર શીલાદિ પાળીને પણ આત્મામાં ધર્મ નિષ્પન્ન કરે છે અને તે શીલધર્મ શ્રાવકનાં બાર વ્રતો રૂપ છે અને સાધુનો શીલધર્મ પાંચ મહાવ્રત રૂપ છે. સાધુ પ્રધાનરૂપે શીલધર્મ પાળે છે Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શાંતસુધારસ તોપણ ગૌણરૂપે સાધુને પણ દાનધર્મ છે. આથી જ શ્રાવક દ્વારા વિવેકપૂર્વક સેવાયેલા દાનધર્મની સાધુ અનુમોદના કરે છે તેથી અનુમોદનારૂપે સાધુને દાનધર્મ પણ છે. છતાં પ્રધાનપણે પાંચ ઇન્દ્રિયોના સંવરપૂર્વક પાંચ મહાવ્રતોના પાલન રૂપ શીલધર્મને જ સુસાધુ સેવે છે. (૩) તપધર્મ - કર્મને તપાવવાનું પ્રબળ કારણ બાહ્ય અને અત્યંતરતપ રૂપ બાર પ્રકારનો તપ છે. જે શીલધર્મ કરતાં પણ વિશેષ પ્રકારનો ધર્મ છે. મુખ્યરૂપે દાનધર્મ સેવનારા શ્રાવકો પ્રસંગે પ્રસંગે શીલ પાળે છે તેમ સ્વશક્તિ અનુસાર સ્વાધ્યાય, ઉપવાસ આદિ તપ પણ કરે છે અને શીલધર્મ પાળનારા પાંચ મહાવ્રતવાળા મુનિઓ પણ સ્વશક્તિ અનુસાર સ્વાધ્યાયાદિ કે ઉપવાસ આદિ તપ કરે છે. તોપણ જે મહાત્માઓ શીલ પાળીને અતિસંપન્ન થયેલા છે તેઓ શક્તિના પ્રકર્ષથી છઠ-આઠમ આદિ તપ કે સ્વાધ્યાય તપ કરીને આત્માને અત્યંત ભાવિત કરે છે. તેઓને પ્રધાનરૂપે તપધર્મ હોય છે. વળી, શ્રાવક જે સ્વાધ્યાય તપ કરે છે તે આદ્યભૂમિકાનો છે; કેમ કે હજી ભોગાદિના પરિણામ છે. તેથી સર્વથા ભોગના ત્યાગ સ્વરૂપ શીલનો પરિણામ નથી અને દેહ પ્રત્યે મમત્વ હોવાથી દેહનું લાલનપાલન કરે છે. તેથી શ્રાવક જે પણ તપ સેવે છે તે પ્રાથમિક ભૂમિકાની નિર્લેપ પરિણતિનું કારણ હોવાથી ગૌણતપ છે. મુખ્યતપ તો નિર્લેપ પરિણતિન અતિશયિત કરનારા, તપથી આત્માને ભાવિત કરનારા, મહાત્માઓ જ કરી શકે છે. (૪) ભાવધર્મ - મોક્ષને અનુકૂળ એવા નિર્લેપ પરિણામો પ્રગટ કરવા માટે અનિત્યાદિ બાર પ્રકારની ભાવના કરવામાં આવે છે જેનાથી પ્રગટ થતો નિર્લેપ પરિણામ તે ભાવધર્મ છે. જેમ અશરણભાવનાનો વિચાર કરીને કોઈ મહાત્મા વિચારે કે સંસારવર્તી જીવો કર્મને પરવશ જન્મે છે, જીવે છે અને મૃત્યુ પામે છે તેઓને કોઈ શરણ નથી, માત્ર ભગવાને કહેલો ધર્મ જ શરણ છે. તે પ્રકારે અત્યંત ભાવન કરીને ભગવાને બતાવેલો, નિર્લેપ પરિણતિને પ્રગટ કરનારો, ધર્મ સેવવાનો જે પરિણામ થાય છે તે ભાવધર્મ છે અને શ્રાવક પણ પ્રસંગેપ્રસંગે બાર ભાવનાઓનું ભાવન કરીને આત્માને ભાવિત કરે છે જેનાથી ભાવિત થયેલો આત્મા સંસાર પ્રત્યેના ભાવોથી કંઈક પર થાય છે. તે અંશથી શ્રાવકમાં પણ ભાવધર્મ છે તોપણ શ્રાવક મુખ્યરૂપે દાનધર્મથી જ ઉત્તમભાવો કરી શકે છે. માટે શ્રાવકને પ્રધાનરૂપે દાનધર્મ છે અને સાધુ પણ મુખ્યરૂપે શીલધર્મ પાળે છે અને પ્રસંગે અશરણ આદિ ભાવનાઓ ભાવીને ભાવધર્મ પણ પ્રગટ કરે છે, તોપણ પ્રથમ ભૂમિકાવાળા સાધુને ભાવધર્મ અલ્પ હોય છે અને શીલધર્મ મુખ્ય હોય છે. વળી, જે સાધુઓ અત્યંત તપ સેવીને આત્માને ભાવિત કરે છે તેમાં મુખ્યરૂપે તપધર્મ છે તોપણ તે મહાત્માઓ અનિત્યાદિ ભાવનાઓથી આત્માને ભાવિત કરે છે ત્યારે ભાવધર્મ પણ સેવે છે અને જે મહાત્માઓ અત્યંત ભાવધર્મને સેવનારા છે તેઓ પ્રધાનરૂપે ભાવધર્મ સેવીને ક્ષપકશ્રેણીના બળનો સંચય કરે છે અને ભાવધર્મના પ્રકર્ષથી જ જીવ વીતરાગ, સર્વજ્ઞ બને છે જેના ફળરૂપે આત્માના પારમાર્થિક સ્વરૂપ રૂપ ધર્મ સિદ્ધ અવસ્થામાં પ્રાપ્ત થાય છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ૧૦. ધર્મ સ્વાખ્યાતભાવના | શ્લોક-૧-૨ આ રીતે ચાર પ્રકારનો ધર્મ જગતના બંધુ એવા ભગવાને બતાવ્યો છે. ભગવાન જગતના બંધુ હોવાથી જે ધર્મ બતાવ્યો છે તે જગતના જીવોના હિતનું કારણ છે; કેમ કે ચાર પ્રકારના ધર્મમાંથી સ્વ-સ્વ ભૂમિકા અનુસાર ધર્મ સેવીને જીવો સુદેવ/સુમાનુષત્વની પ્રાપ્તિ કરી પૂર્ણ સુખમય એવા મોક્ષને પ્રાપ્ત કરે છે અને તેવા ઉત્તમધર્મમાં મારું મન સતત ૨મો, એ પ્રકારની ભાવના કરીને મહાત્મા ધર્મ સેવવાને અનુકૂળ બળનો સંચય કરે છે. III/ અવતરણિકા : વળી, અન્ય પ્રકારે ચારિત્રધર્મને સામે રાખીને ધર્મના ભેદો બતાવે છે શ્લોક ઃ सत्यक्षमामार्दवशौचसङ्गत्यागाऽऽर्जवब्रह्मविमुक्तियुक्तः । यः संयमः किं च तपोऽवगूढश्चारित्रधर्मो दशधाऽयमुक्तः ।।२।। શ્લોકાર્થ ઃ સત્ય, ક્ષમા, માર્દવ, શૌચ, સંગત્યાગ, આર્જવ, બ્રહ્મ=બહ્મચર્ય, વિમુક્તિથી=નિર્લોભતાથી । જે સંયમ અને તપથી અવગૂઢ=તપથી યુક્ત, એવો આ ચારિત્રધર્મ દસ પ્રકારનો કહેવાય યુક્ત છે. IIII ભાવાર્થ: સંસારથી પર થવા માટે ત્રણગુપ્તિઓથી ગુપ્ત થઈને જે મહાત્માઓ આત્માના શુદ્ધભાવમાં ચરણ ક૨વા રૂપ ચારિત્રધર્મને સેવે છે તેઓ દસ પ્રકારના ચારિત્રધર્મમાં ઉદ્યમ કરે છે. (૧) સત્ય : ભગવાનના વચનથી ક્યારેય અન્યથા ભાષણ ન થાય તે પ્રકારે વાગુગુપ્તિથી યુક્ત, ઉચિત વચન સ્વરૂપ જે ભાષણ તે સત્યભાષણ છે. તે સત્યભાષણ એકાંતે સ્વપરના કલ્યાણના કારણભૂત એવા વચનપ્રયોગરૂપ છે. (૨) ક્ષમા : સાધુ ભગવાનના વચનથી ભાવિત થઈને ભગવાનના વચનાનુસાર મન-વચન-કાયાને પ્રવર્તાવે છે અને ભગવાનનું વચન કહે છે કે ‘આસુરીવૃત્તિ થયેન્ના’ તે વચનથી ભાવિત થઈને સાધુનો ઉપયોગ વર્તે છે તેથી કોઈ નિમિત્તને પામીને દ્વેષ, ક્રોધ, જુગુપ્સા, અરતિ આદિ ભાવો થતા નથી; કેમ કે ક્રોધ આદિ ભાવો આસુરીવૃત્તિરૂપ છે અને તેના ત્યાગના ભાવનથી થયેલો સંવરનો પરિણામ ક્ષમાના પરિણામ સ્વરૂપ છે. (૩) માર્દવ : સાધુ પૂર્ણ ગુણવાળી સિદ્ધ અવસ્થાને સ્મરણમાં રાખીને તેઓ પ્રત્યે નમ્ર પરિણામવાળા હોય છે. તેથી Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શાંતસુધારસ પોતાના અલ્પજ્ઞાનમાં, અલ્પચારિત્રમાં, અલ્પતપાદિમાં મદ કરતા નથી પરંતુ સદા પૂર્ણગુણને અભિમુખ નમ્રભાવવાળા રહે છે જેથી લોકોના આદર-સત્કાર ન સ્પર્શે તેવો સંવરનો ભાવ થાય છે જે માર્દવના પરિણામરૂપ છે. (૪) શૌચઃ વળી, પરમાર્થથી આત્મા, ગુણોથી પવિત્ર છે દેહની શુદ્ધિથી પવિત્ર નથી. તેથી આત્માના શુદ્ધભાવોને પ્રગટ કરવા અર્થે શૌચભાવનાથી સાધુ ભાવિત રહે છે. સંસારીજીવોની જેમ બાહ્યશૌચથી શુદ્ધ થવાનો પ્રયત્ન કરતા નથી. તેથી ચાર પ્રકારના અદત્તાદાનનું સૂક્ષ્મ સ્વરૂપ જાણીને તેના પરિહાર માટે યત્ન કરે છે જે શૌચના પરિણામરૂપ છે. (૫) સંગત્યાગ : સાધુ દ્રવ્યસંગનો અને ભાવસંગનો ત્યાગ કરીને આત્માને અસંગભાવથી સદા વાસિત રાખે છે. આથી જ સમુદાયમાં અનેક સાધુ હોવા છતાં પરસ્પર ગુણકૃત પ્રીતિથી અન્ય સંગકૃત પ્રીતિ ક્યાંય ન થાય તે પ્રકારે સદા આત્માને ભાવિત કરે છે. આથી જ સાધુ દ્રવ્યથી અનેક હોય તોપણ ભાવથી સદા એક હોય છે; કેમ કે કોઈની સાથે સંસર્ગકૃત પ્રીતિને ધારણ કરતા નથી, પરંતુ ગુણને કારણે જ ગુણવાન સાથે પ્રીતિનો પરિણામ ધારણ કરે છે. આ પરિણામ ગુણવૃદ્ધિનું કારણ છે અને પરિચયાદિને કારણે કોઈના પ્રત્યે પ્રીતિ થાય તે અંગેનો પરિણામ છે અને સંગનો ત્યાગ એ ચારિત્રધર્મ છે. ' (૧) આર્જવ - સાધુ આર્જવ પરિણામવાળા હોય છે. જે સરળતાનો પરિણામ છે અને સાધુમાં સરળતાનો પરિણામ હોવાને કારણે ગુણવાન ગુરુને સમર્પિત થઈ પોતાની નાનામાં નાની સ્કૂલનાને ભૂલ્યા વગર સરળભાવથી ગુરુ આગળ પ્રકાશન કરીને શુદ્ધિ કરે છે અને આર્જવનો પરિણામ એ માયાના પરિણામના અભાવ સ્વરૂપ છે તેથી ચારિત્રધર્મ છે. (૭) બ્રહ્મચર્ય : સાધુ વેદના ઉદય વગરના નથી; કેમ કે નવમાં ગુણસ્થાનકના અમુક ભાગ સુધી સર્વ જીવોને વેદનો ઉદય હોય છે. તોપણ વેદના ઉદયથી વિરુદ્ધ એવા આત્માના બ્રહ્મચર્યના પરિણામથી આત્માને ભાવિત કરીને સાધુ સંવરભાવમાં રહે છે. જેથી ઉદયમાન એવું વેદકર્મ ક્ષીણ-ક્ષીણતર થાય છે. આ પ્રકારનો બ્રહ્મચર્યનો પરિણામ એ ચારિત્રધર્મ છે. (૮) વિમુક્તિ - વિમુક્તિ એટલે લોભનો ત્યાગ. સાધુને ધનનો, શિષ્યનો લોભ નથી, માન-ખ્યાતિનો પણ લોભ નથી. કેવલ આત્મામાં અનાદિના લોભના સંસ્કારો પડ્યા છે તેનો નાશ કરવા માટે પોતાના અલોભ સ્વભાવથી Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ૧૦, ધર્મ સ્વાખ્યાતભાવનાશ્લોક-૨-૩ આત્માને ભાવિત કરીને લોભના સંસ્કારો ક્ષીણ-ક્ષીણતર કરે છે. સાધુનો આ પરિણામ વિમુક્તિ છે જે ચારિત્રધર્મ છે. (૯) સંયમ : સાધુ ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત થઈને સદા આત્માને સંવરભાવનાથી ભાવિત કરે છે. દેહના પાલન આદિ માટે કે અન્ય કોઈ સંયમની વૃદ્ધિ અર્થે ચેષ્ટા કરવી આવશ્યક જણાય ત્યારે સમિતિપૂર્વક પ્રવૃત્તિ કરે છે તે સંયમનો પરિણામ છે અર્થાત્ આત્મા ઉપર પોતાના આત્માનો સંયમ છે. તેથી વિદ્યમાન પણ કર્મને પરતંત્ર થઈને મહાત્મા જીવતા નથી પરંતુ ભગવાનના વચનને પરતંત્ર થઈને જીવે છે. તે સંયમનો પરિણામ ચારિત્રધર્મ છે. (૧૦) તા : સાધુ કર્મને ખપાવવા અર્થે સ્વશક્તિ અનુસાર બાહ્ય અને અત્યંતરતા સેવીને આત્માને તે તે પ્રકારના તપના ભાવોથી ભાવિત કરે છે જેથી આત્મા ઉપર લાગેલાં અનાદિનાં કર્મોનો નાશ થાય છે. તે તપ ચારિત્રધર્મ છે. આ રીતે મોક્ષપ્રાપ્તિના કારણભૂત જેમ દાન, શીલ આદિ ધર્મ છે તેમ અપેક્ષાએ દસ પ્રકારનું ચારિત્ર પણ ધર્મરૂપ છે. આશા શ્લોક : यस्य प्रभावादिह पुष्पदन्ती, विश्वोपकाराय सदोदयेते । ग्रीष्मोष्प्रभीष्मामुदितस्तडित्वान्, कालेसमाश्वासयति क्षितिं च ।।३।। શ્લોકાઈ : - જેના પ્રભાવથી=જે ધર્મના પ્રભાવથી, અહીં જગતમાં, સૂર્ય ચંદ્ર વિશ્વના ઉપકાર માટે સદા ઉદયને પામે છે. અને જેના પ્રભાવથી) ગ્રીષ્મની ઉષ્માથી અતિતપ્ત થયેલી એવી પૃથ્વીને કાલેઃ ઉચિતકાળે, ઉદિત એવો મેઘ સમાપ્પાસન કરે છે અને પૃથ્વીને શીતલતા અર્પે છે. Il3II ભાવાર્થ શ્લોક-૧ અને શ્લોક-રમાં ધર્મનું સ્વરૂપ બતાવ્યું. હવે, તે ધર્મના પ્રભાવથી જગતમાં શું શું સુંદર કાર્ય થાય છે તે બતાવવા અર્થે કહે છે. સામાન્યથી જે જીવો ધર્મનું સેવન કરે તેમના આત્મામાં જેમ સંસ્કારરૂપ ધર્મ નિષ્પન્ન થાય છે તેમ તે ધર્મના સેવનકાળમાં બંધાયેલું પુણ્યાનુબંધી પુણ્ય પણ તે તે જીવોને પ્રાપ્ત થાય છે જેના પ્રભાવે તે જીવોને સદ્ગતિની પરંપરા પ્રાપ્ત થાય છે અને ત્યાં અનેક પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે. વળી, આ જગતમાં કોઈક એક ક્ષેત્રમાં જે જીવો જન્મ્યા છે તે જીવોના સમષ્ટિગત પુણ્યના પ્રભાવથી સૂર્ય અને ચંદ્ર સદા ઉદયમાં વર્તે છે જેનાથી દિવસની અને રાતની વ્યવસ્થા વર્તે છે અને તે પ્રમાણે સૂર્ય Page #137 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ ૧૨૦ ચંદ્રના ઉદયથી થતા ઉપકારની જગતના જીવોને પ્રાપ્તિ થાય છે. વળી, ઉનાળાના કાળમાં પૃથ્વી અત્યંત ઉષ્ણ બને છે તે વખતે ઉચિતકાળે મેઘ વરસીને પૃથ્વીને શીતલ કરે છે તે પણ તે ક્ષેત્રમાં વર્તતા જીવોના પુણ્યનો પ્રભાવ છે. અહીં વિશેષ એ છે કે જે ક્ષેત્રમાં જે જીવો હોય તે ક્ષેત્રવર્તી ઘણા જીવોનું તે પ્રકારનું પુણ્ય વર્તતું હોય જેના દ્વારા જગતની સુવ્યવસ્થા ચાલતી હોય છે. તે વખતે કેટલાક જીવોનું તેવું તીવ્ર પુણ્ય ન હોય તોપણ અન્ય પુણ્યશાળી જીવો તે ક્ષેત્રમાં વર્તતા હોય તેના કારણે તેમનું નબળું પુણ્ય પણ તે પુણ્યશાળી જીવોના પુણ્યના બળથી તીવ્ર બને છે તેથી તેઓને પણ તે પુણ્યનું ફળ મળે છે. જેમ અતિ પુણ્યશાળી તીર્થંકરો વિચરતા હોય ત્યારે તેઓની વિહારભૂમિમાં રોગાદિ સર્વ ઉપદ્રવો દૂર થાય છે. તીર્થંકરના પુણ્યથી થયેલા કાર્યનું ફળ તે ક્ષેત્રમાં વર્તતા જીવોને મળે છે. તેથી જગતમાં જે કંઈ સુંદર છે તે સર્વ ધર્મના પ્રભાવથી છે અને જે કંઈ અસુંદર છે તે અધર્મના પ્રભાવથી છે. માટે સુંદર ફળના અર્થી જીવોએ શ્લોક-૧-૨માં બતાવ્યા પ્રમાણે ધર્મમાં ઉદ્યમ કરવો જોઈએ. II3II શ્લોક ઃ उल्लोलकल्लोलकलाविलासैर्नाप्लावयत्यम्बुनिधिः क्षितिं यत् । न घ्नन्ति यद् व्याघ्रमरुद्दवाद्या, धर्मस्य सर्वोऽप्यनुभाव एषः ।।४।। શ્લોકાર્થ ઃ ઉલ્લોલકલ્લોલના વિલાસથી સમુદ્ર પૃથ્વીને જે વિનાશ કરતો નથી, વાઘ, પવન, કે દાવાનળ આદિ જે જગતનો વિનાશ કરતા નથી એ સર્વ પણ ધર્મનો અનુભાવ છે=ધર્મનું કાર્ય છે. ।।૪। ભાવાર્થ -- જગતની વ્યવસ્થા સુરક્ષિત ચાલે છે તે પણ તે ક્ષેત્રમાં વર્તતા જીવોનું પુણ્ય છે, આથી જ જ્યારે તે ક્ષેત્રમાં વર્તતા જીવોનું પુણ્ય વિદ્યમાન નથી હોતું ત્યારે સમુદ્ર ઘણા નગરોનો વિનાશ કરે છે. વળી, હિંસક એવા વાઘાદિ પશુઓ કે ભયાનક પવન કે દાવાનળ ઘણા નગરોનો નાશ કરે છે, છતાં વર્તમાનમાં લોકો ઉપદ્રવ રહિત થઈ જીવે છે તે સર્વ તે ક્ષેત્રમાં વર્તતા જીવોના ધર્મનો જ પ્રભાવ છે. જગતમાં જે કાંઈ અનુકૂળ સંયોગો પ્રાપ્ત થાય છે તે સર્વ પુણ્યનું જ કારણ છે અને પુણ્ય ધર્મના સેવનથી થાય છે માટે તે ધર્મનો જ પ્રભાવ છે તેમ કહેવાય છે. તેથી સુખના અર્થી જીવે સર્વ પ્રયત્નથી ધર્મને સેવવા યત્ન કરવો જોઈએ. II૪ શ્લોક ઃ यस्मिन्त्रैव पिता हीताय यतते, भ्राता च माता सुतः, सैन्यं दैन्यमुपैति चापचपलं, यत्राऽफलं दोर्बलम् । तस्मिन् कष्टदशाविपाकसमये, धर्मस्तु संवर्मितः सज्जः सज्जन एष सर्वजगतस्त्राणाय बद्धोद्यमः । । ५ ।। Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ ૧૦. ધર્મ સ્વાખ્યાતભાવના / શ્લોક-૫-૬ શ્લોકાર્થ : જે કષ્ટદશામાં જ પિતા, માતા, ભ્રાતા કે પુત્ર હિત માટે યત્ન કરતાં નથી અને જેમાં=જે કષ્ટદશામાં, ધનુષ્યની ચાલતાવાળું, દુર્બલતાવાળું અફલ એવું સૈન્ય દેવને ધારણ કરે છે તે કષ્ટદશાના વિપાક સમયમાં બખ્તર પહેરી સજ્જ થયેલો સન એવો આ ધર્મ સર્વ જગતના કાણ માટે બદ્ધઉધમવાળો છે=અત્યંત ઉધમવાળો છે. પI ભાવાર્થ: સંસારમાં જીવોને કોઈ આપત્તિ આવે ત્યારે પિતા, ભ્રાતા, માતા, પુત્ર આદિ તેના હિત માટે યત્ન કરે છે તો પણ કેટલીક વખત તે પિતા આદિ જ તે આપત્તિમાં તેની ઉપેક્ષા પણ કરે છે. આવી કષ્ટદશાને આપે તેવું કર્મ વિદ્યમાન હોય ત્યારે પણ તે કષ્ટદશામાંથી બહાર કાઢે તેવો ધર્મ અર્થાત્ પૂર્વમાં લેવાયેલા ધર્મથી બંધાયેલું પુણ્ય, વિદ્યમાન હોય તો તે આપત્તિ પિતાદિની સહાયતા વગર જ સુખપૂર્વક દૂર થાય છે. વળી કોઈ મોટો રાજવી હોય અને યુદ્ધના પ્રસંગમાં તેનું સૈન્ય યુદ્ધમાં નિરુત્સાહી થઈને આમતેમ જવા માટે ચપળતાને ધારણ કરતું હોય અને યુદ્ધ કરવા માટે અનુત્સાહી હોય એટલું જ નહીં સૈન્ય દુર્બલતાવાળું હોય અને શત્રુના સૈન્યને જોઈને દીનતાને ધારણ કરનારું હોય તેવા સમયે પણ તે રાજાને પૂર્વમાં સેવાયેલા ધર્મજન્ય ઉત્તમપુણ્ય તપતું હોય તો તે તેનું રક્ષણ કરે છે. તેથી જગતની સર્વ આપદ્દશામાં ધર્મ જ જીવનું રક્ષણ કરનાર છે. માટે ધર્મના ઉત્તમફળનો વિચાર કરીને સમ્યગુ રીતે ધર્મ સેવવા માટે ઉત્સાહિત થવું જોઈએ જેથી જગતમાં હિતની અખંડ પરંપરા પ્રાપ્ત થાય. આપા શ્લોક - त्रैलोक्यं सचराचरं विजयते, यस्य प्रसादादिदं, योऽत्रामुत्र हितावहस्तनुभृतां, सर्वार्थसिद्धिप्रदः । येनानर्थकदर्थना निजमहःसामर्थ्यतो व्यर्थिता, तस्मै कारुणिकाय धर्मविभवे, भक्तिप्रणामोऽस्तु मे ।।६।। શ્લોકાર્ચ - જેના પ્રસાદથી જે ધર્મના પ્રસાદથી, સચરાચર એવો આ ત્રણલોક વિજયને પામે છે સ્વસ્થતાને પ્રાપ્ત કરે છે, સર્વાર્થસિદ્ધિને દેનારો એવો સર્વ પ્રયોજનની પ્રાપ્તિને કરાવનારો એવો, જે ધર્મ સંસારીજીવોને આ ભવમાં અને પરભવમાં હિતને કરનાર છે. જેના વડે=જે ધર્મ વડે, પોતાના તેજના સામર્થ્યથી અનર્થની કદર્થના વિનાશ કરાઈ છે તે કારુણિક એવા ધર્મવૈભવને મારો ભક્તિપૂર્વક પ્રણામ થાઓ. llll Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શાંતસુધારસ ભાવાર્થ: મહાત્મા ધર્મના માહાત્મ્યને સ્મૃતિમાં રાખીને ધર્મ પ્રત્યે પોતાનો પૂજ્યભાવ અધિક થાય તે અર્થે ભાવન કરે છે કે જે ધર્મના પ્રસાદથી=ધર્મની કૃપાથી, સચરાચર એવો આ ત્રણલોક સુખપૂર્વક વર્તે છે. આશય એ છે કે જગતમાં કેટલાક જીવો સ્થિર અવસ્થામાં રહેલા છે અને કેટલાક જીવો અહીં તહીં ગમન કરનારા છે. જેમ અનુત્ત૨વાસી આદિ દેવો એક સ્થાને સ્થિર રહેનારા છે તો અન્ય દેવો એક સ્થાનથી અન્ય સ્થાને જનારા છે. તે સર્વ દેવો પોતાની ઇચ્છા અનુસાર જે કંઈ પણ સુખને પ્રાપ્ત કરે છે તેમાં તેઓએ સેવેલા ધર્મનો જ પ્રભાવ છે. આથી જે જીવે, જે ભવમાં જે અંશથી ધર્મનું સેવન કર્યું હોય તે અંશથી તેને ઉત્તમ પ્રકૃતિ અને ઉત્તમ પુણ્ય પ્રાપ્ત થાય છે જેના પ્રસાદથી તે તે ભવમાં તે તે પ્રકારના સુખને તે તે જીવો ભોગવે છે તેથી જગતવર્તી સર્વ જીવોને સુખની પ્રાપ્તિનું એક માત્ર કારણ સમ્યક્ રીતથી સેવાયેલો ધર્મ છે. વળી, સંસારવર્તી જીવોને અર્થ, કામ અને પૂર્ણ સુખમય મોક્ષ ઇષ્ટ છે, આ ત્રણેયની પ્રાપ્તિ કરાવનાર ધર્મ છે. માટે જ જે જીવો સમ્યગ્ રીતે ધર્મનું સેવન કરે છે તેઓ વડે સેવાયેલો તે ધર્મ તેમને ધનની પ્રાપ્તિ કરાવે છે, ભોગની પ્રાપ્તિ કરાવે છે, અને અંતે પૂર્ણ સુખમય મોક્ષને પણ આપે છે. તેથી સંસારવર્તી જીવોને આ લોકમાં અને પરલોકમાં હિતાવહ ધર્મ છે. વળી, કેટલાક જીવો ભૂતકાળમાં સેવાયેલા અધર્મને કારણે વર્તમાનમાં અનેક કદર્થનાઓ પામતા હોય છે. આવા જીવોને પણ સમ્યગ્ સેવાયેલા ધર્મથી બંધાયેલું પુણ્ય જ્યારે વિપાકમાં આવે છે ત્યારે તે ધર્મ પોતાના સામર્થ્યથી તે તે જીવોની તે તે કદર્થનાઓ દૂર કરે છે. આથી જ કોઈ જીવે ભૂતકાળમાં લાભાંતરાય કર્મ બાંધેલું હોય તેના ઉદયથી વર્તમાન ભવમાં દરિદ્રતાની જ પ્રાપ્તિ થઈ હોય છતાં તે જીવ સમ્યગ્ રીતે ધર્મનું સેવન કરે તો તે લાભાંતરાયની કદર્થનાથી મુક્ત બને છે. દા.ત. સંકાશશ્રાવકને ભૂતકાળમાં બાંધેલા લાભાંતરાયકર્મના કારણે વર્તમાન ભવમાં દ્રરિદ્રતાની પ્રાપ્તિ થઈ. કેવલી ભગવંતને તેનું કારણ પૂછ્યું ત્યારે તેમણે ‘ભૂતકાળમાં દેવદ્રવ્યનું ભક્ષણ કરેલું તેના કારણે તને અનેક ભવોમાં કદર્થનાની પ્રાપ્તિ થઈ છે.' એમ કહ્યું આ સાંભળી સંકાશશ્રાવકે અભિગ્રહ કર્યો કે પોતાના જીવનનિર્વાહ માટે આવશ્યકથી જે કાંઈ અધિક પ્રાપ્ત થશે તે ભગવાનની ભક્તિમાં વાપરીશ. તે પ્રકારના ઉત્તમ અધ્યવસાયથી તેના લાભાંતરાયકર્મનો ક્ષય થતાં સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ અને અંતે સંયમ ગ્રહણ કર્યું. તેથી અનર્થની કદર્થનાથી આત્માનું રક્ષણ કરનાર ધર્મ જ છે; કેમ કે ધર્મ સેવનાર પ્રત્યે કરુણા કરીને ધર્મે જ સચરાચર જગતને સુખી કર્યો છે. આ લોકમાં કે પરલોકમાં સંસારીજીવોનું હિત ક૨ના૨ ધર્મ જ છે. વળી ધર્મ કરુણા કરનાર હોવાથી અનર્થની કદર્થનામાંથી જીવનું રક્ષણ કરે છે માટે જીવ પ્રત્યે અત્યંત કરુણા કરનાર એવા ધર્મને ભક્તિપૂર્વક મારો પ્રમાણ થાઓ. એ પ્રમાણે વિચારીને મહાત્મા ધર્મને અનુકૂળ આત્માની સ્થિરતામાં યત્ન કરે છે. જેથી શ્ર્લોક-૧માં જે દાનાદિ ચાર પ્રકારનો ધર્મ કહ્યો અથવા શ્લોક-૨માં જે દસ પ્રકારનો ચારિત્રધર્મ કહ્યો તે સેવવા માટે દૃઢ ઉદ્યમ થાય છે. II9II અવતરણિકા - વળી, ધર્મથી કેવાં કેવાં ઉત્તમ ફળ મળે છે તે બતાવતાં સ્તુતિ કરવા અર્થે કહે છે – Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ૧૦. ધર્મ સવાખ્યાતભાવના-ગીત / શ્લોક-૧ શ્લોક : प्राज्यं राज्यं सुभगदयिता नन्दना नन्दनानां, रम्यं रूपं सरसकविताचातुरी सुस्वरत्वम् । नीरोगत्वं गुणपरिचयः सज्जनत्वं सुबुद्धिं, किंनु ब्रूमः फलपरिणति, धर्मकल्पद्रुमस्य ।।७।। શ્લોકાર્ચ - વિશાળ રાજ્ય, સુંદર સ્ત્રી, પુત્રોના પુત્રો, રમ્યરૂપ, સુંદર કવિતાની ચતુરાઈ, સુસ્વરત્વપણું, નીરોગીપણું, ગુણનો પરિચય, સજ્જનપણું, સુબુદ્ધિ, ધર્મરૂપ કલ્પદ્રુમની ફળપરિણતિ, અમે શું કહીએ=શું સ્તુતિ કરીએ ? અર્થાત્ સ્તુતિ કરવા યોગ્ય છે. પણ ભાવાર્થ : જે મહાત્માઓ શ્લોક-૧ અને શ્લોક-રમાં બતાવેલ દસ પ્રકારનો ધર્મ નિરાશસભાવથી સેવે છે તે ધર્મના અંતિમફળ રૂપે મોક્ષને પ્રાપ્ત કરે છે અને મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાંસુધી સુદેવ અને સુમાનુષત્વમાં જાય છે. વળી, તેવા જીવો ધર્મસેવનના ફળ રૂપે મનુષ્યભવમાં વિશાળ રાજ્યની, સંપદા, કુલશીલસંપન્ન વગેરે અનેક ગુણોથી યુક્ત સુંદર સ્ત્રીની પ્રાપ્તિ કરે છે. વળી, તેને ઘણા પુત્રોના પુત્રો થાય છે. વળી સુંદર રૂપ, સુંદર કવિતાની ચતુરાઈ, સુસ્વરત્વપણું, આરોગ્યવાળો દેહ, પ્રકૃતિથી ગુણોને સેવવાની મનોવૃત્તિ, સજ્જનપણું, નિર્મલબુદ્ધિ, વગેરે ધર્મ-કલ્પવૃક્ષના ફળ રૂપે તે જીવોને પ્રાપ્ત થાય છે અને અંતે ઉત્તરોત્તર સદ્ગતિઓની પરંપરાથી મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. આવા સુંદર ફળવાળા ધર્મની અમે શું સ્તુતિ કરીએ ? એ પ્રમાણે કહીને મહાત્મા ધર્મ પ્રત્યેનો પોતાનો આદર અતિશયિત કરે છે જેથી અત્યંત પ્રણિધાનપૂર્વક ધર્મ સેવવાને અનુકૂળ સદ્વર્ય ઉલ્લસિત થાય છે. શા ૧૦. ધર્મ સ્વાખ્યાતભાવના-ગીત) શ્લોક : पालय पालय रे पालय मां जिनधर्म ! मङ्गलकमलाकेलिनिकेतन, करुणाकेतन धीर । शिवसुखसाधन, भवभयबाधन, जगदाधार गंभीर ।।पालय० १।। શ્લોકાર્ચ - હે જિનધર્મ! તું મારું પાલન કર અર્થાત્ અત્યંત પાલન કર. તે જિનધર્મ કેવો છે એ સ્પષ્ટ કરે Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શાંતસુધારસ છે. મંગલકમલાકેલિનું નિકેતન છે, કરુણાનું કેતન છે. ધીર છે, શિવસુખનું સાધન, ભવભયનું બાધન કરનાર છે, જગતનો આધાર છે, અને ગંભીર છે. ૧૯ ભાવાર્થ : - મહાત્મા જિનધર્મ પ્રત્યે અત્યંત ભક્તિવાળા થાય છે અને જિનધર્મને સંબોધીને કહે છે – ભગવાને કહેલા ધર્મરૂપ કે જિનધર્મ ! તું મારું પાલન કર અર્થાત્ અત્યંત પાલન કર. આમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે ભગવાને કહેલો ધર્મ શ્રુત અને ચારિત્રરૂપ છે અને તે શ્રુત અને ચારિત્રરૂપ ધર્મ જેમ જેમ મારામાં નિષ્પન્ન થાય તેમ તેમ મારું પાલન થાય અર્થાત્ મારું કર્મની કદર્થનાથી રક્ષણ થાય. આ પ્રકારની ભાવના કરીને મહાત્મા પોતાનામાં શ્રુતને અને ચારિત્રને અનુરૂપ દૃઢવીર્ય ઉલ્લસિત કરવા યત્ન કરે છે. વળી, તે જિનધર્મ કેવો રમ્ય છે તે સ્પષ્ટ કરવા અર્થે તે મહાન ધર્મને વિશેષણોથી વિશેષિત કરે છે. (૧) મંગલકમલાકેલિનિકેતન: મંગલરૂપી જે કમલાલક્ષ્મી તેની કેલિનું નિકેતન છે=વિલાસનું સ્થાન છે. આનાથી એ પ્રાપ્ત થાય કે સમ્યગ્ રીતે સેવાયેલો ધર્મ જીવને કલ્યાણરૂપી મહાલક્ષ્મીને પ્રાપ્ત કરાવીને સુખ–વિલાસમાં મગ્ન કરે છે. આથી જ મહાત્માઓ સમ્યગ્ રીતે ધર્મ સેવીને સુદેવત્વ, સુમાનુષત્વની પ્રાપ્તિ દ્વારા ક્રમે કરીને પૂર્ણ સુખમય મોક્ષને પ્રાપ્ત કરે છે. તે સર્વ કલ્યાણની પરંપરારૂપ, લક્ષ્મીના સ્થાનભૂત આ ધર્મ છે. (૨) કરુણાકેતન : ભગવાનનો ધર્મ કરુણાનું નિકેતન છે=કરુણા સ્વરૂપ છે; કેમ કે જે જીવોમાં જેટલા અંશમાં ભગવાનનો ધર્મ પ્રગટે તેટલા અંશમાં તે જીવો સર્વ જીવો પ્રત્યે દયાના પરિણામવાળા થાય છે. તેથી સ્વશક્તિ અનુસા૨ અન્ય જીવોને પોતાનાથી કોઈ સંત્રાસ ન થાય, પીડા ન થાય તે પ્રકારે ઉચિત યત્ન કરે છે. અને પોતાનો આત્મા પણ કષાયોથી પીડા ન પામે તે પ્રકારે શક્તિ અનુસાર પોતાની પણ કરુણા કરે છે. (૩) ધીર : વળી, ભગવાનનો ધર્મ ધીર છે. આશય એ છે કે અલ્પસત્ત્વવાળા જીવો બહારથી ધર્મ સેવે તોપણ ૫રમાર્થથી ભગવાનના ધર્મનું સેવન કરી શકતા નથી પરંતુ મોહને પરવશ થઈને ચાલે છે. જેઓમાં કર્મની સામે યુદ્ધ ક૨વાનું ધૈર્ય પ્રગટ્યું છે તેઓ જ પોતાના આત્માને મોહથી રક્ષિત કરીને ધીરતાપૂર્વક ધર્મનું સેવન કરી શકે છે. આથી જ જેઓમાં ધૈર્ય નથી તેઓ તપ કરીને પણ તપસ્વી તરીકેની ખ્યાતિને પ્રાપ્ત કરી આનંદ લેનારા બને છે પરંતુ ધીરતાપૂર્વક મોહના ઉન્મૂલન માટે યત્ન કરતા નથી, જ્યારે જેઓ ધીર છે તેઓ તપાદિ જે કોઈ ઉચિત અનુષ્ઠાન કરે છે તેના દ્વારા અંતરંગ નિર્લેપ પરિણતિ પ્રગટ થાય તે પ્રકારનો પ્રયત્ન અવશ્ય કરે છે. તેથી ધીરપુરુષોથી સેવાયેલો એવો ભગવાનનો ધર્મ ધી છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૦. ધર્મ સ્વાખ્યાતભાવના-ગીત / બ્લોક-૧-૨ ૧૫ (૪) શિવસુખસાધન : વળી, ભગવાનનો કહેલો ધર્મ મોક્ષરૂપી સુખનું સાધન છે; કેમ કે મોક્ષ એ જીવની સ્વભાવરૂપ પરિણતિ છે અને તે સ્વભાવરૂપ પરિણતિને પ્રગટ કરવાનો અંતરંગ ઉચિત વ્યાપાર તે જિનધર્મ છે. માટે જિનધર્મ મોક્ષના સુખનું સાધન છે. (૫) ભવભયબાધનઃ વળી, ધર્મ ભાવભયને બાધન કરે છે. આશય એ છે કે એ ચારગતિના પરિભ્રમણ સ્વરૂપ આ સંસાર છે. નિર્વિચારક જીવો ભવના વાસ્તવિક સ્વરૂપને જોતા નથી. તેથી માત્ર જે ઇન્દ્રિયોને સન્મુખ અનુકૂળ ભાવો છે તેને મેળવવા યત્ન કરે છે અને ઇન્દ્રિયોને પ્રતિકૂળ ભાવોને દૂર કરવા યત્ન કરે છે. આ રીતે પ્રાપ્ત થયેલો મનુષ્યભવ વ્યર્થ પૂર્ણ કરે છે. પરંતુ જેઓ સંસારનું વાસ્તવિક સ્વરૂપ જોનારા છે તેઓને દેહમાં રહેલો પોતાનો આત્મા શાશ્વત દેખાય છે અને શાશ્વત એવો પોતાનો આત્મા એક ભવમાંથી બીજા ભવમાં ભમીને અનેક કદર્થનાઓ પામે છે તે પણ બુદ્ધિથી દેખાય છે. તેથી ભવના ભ્રમણથી તેઓ ભય પામે છે અને જેઓ ભવના ભ્રમણથી ભય પામેલા છે તેઓના “ભવભ્રમણનું નિવારણ કરનાર ભગવાનનો ધર્મ છે,” તેવો બોધ થાય ત્યારે ભવથી ભય પામેલા એવા તેઓ જિનધર્મને સંવેગપૂર્વક સેવે છે ત્યારે તેઓને અંતરંગ વિશ્વાસ પ્રગટે છે કે હવે મારા માટે ભવનું ભ્રમણ નથી. તેથી તે જીવમાં રહેલ ભવના ભ્રમણનું બાધન કરનાર જિનધર્મ બને છે. (૧) જગદાધાર : વળી, જિનધર્મ જગતનો આધાર છે; કેમ કે જગતવર્તી જીવો કર્મને પરવશ ચારે ગતિઓમાં વિડંબના પામે છે અને તે વિડંબનામાંથી રક્ષણ કરનાર કોઈ નથી. પરંતુ સમ્યગુ રીતે સેવાયેલો ભગવાનનો ધર્મ જ તેઓનું રક્ષણ કરનાર છે માટે ભગવાનનો કહેલો ધર્મ દુર્ગતિમાં પડતા જગતના જીવોનું રક્ષણ કરીને આધાર બને છે. (૭) ગંભીરઃ વળી, ભગવાનનો ધર્મ ગંભીર છે આથી જ તેનું પારમાર્થિક રહસ્ય બુદ્ધિમાન પુરુષો પ્રાપ્ત કરી શકે છે. સ્થૂલ દૃષ્ટિવાળા જીવો તો સ્થૂલ આચરણાત્મક બાહ્ય ધર્મને જોનારા છે. વસ્તુતઃ બાહ્ય આચરણા જિનધર્મ નથી પરંતુ બાહ્ય આચરણાના અવલંબનથી અંતરંગ રીતે ભગવાનનું વચન અને ભગવાનના ગુણો પ્રત્યે પ્રગટ થતો રાગનો પરિણામ જિનધર્મ છે અને તે પદાર્થ અતિ સૂક્ષ્મ બુદ્ધિથી ગ્રાહ્ય છે. તેથી ભગવાનનો ધર્મ ગંભીર છે. આવા શ્લોક - सिञ्चति पयसा जलधरपटली भूतलममृतमयेन । सूर्याचन्द्रमसावुदयेते, तव महिमातिशयेन ।।पालय० २।। Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શાંતસુધારસ શ્લોકાર્ચ - હે જિનધર્મ!તારા મહિમાના અતિશયથી વાદળાંઓ અમૃતમય પાણીથી જમીનને સિંચન કરે છે. સૂર્ય અને ચંદ્ર ઉચિતકાળે ઊગે છે. આશા ભાવાર્થ : જગતવર્તી તે તે ક્ષેત્રમાં વર્તતા જીવોના તે પ્રકારના ઉચિત પુણ્યરૂપ ધર્મના પ્રભાવથી વર્ષાકાળમાં વાદળાંઓ શીતલતાનું અર્પણ કરે તેવા પાણીનું સિંચન કરે છે તેથી તે ક્ષેત્રવર્તી જીવોને શાતાની પ્રાપ્તિ થાય છે. તે પ્રકારની શાતાની પ્રાપ્તિને અનુકૂળ તે જીવોનું જે પુણ્ય છે તે ધર્મના જ પ્રભાવે છે. વળી, મનુષ્યક્ષેત્રમાં ઉચિતકાળે સૂર્યનો ઉદય થાય છે. જેથી તે તે પ્રકારના રોગોના ઉપદ્રવ થતા નથી અને અનેક પ્રકારની અનુકૂળતાઓ પ્રગટે છે અને રાત્રે શીતલતાને અર્પણ કરે તેવા ચંદ્રનો ઉદય થાય છે તે સર્વ પણ તે જીવોના ધર્મનો જ પ્રભાવ છે. તેથી જગતમાં જે કંઈ સુંદર પ્રાપ્ત થાય છે તે સર્વ ધર્મનું જ ફળ છે માટે સુખના અને કલ્યાણના અર્થી જીવે સર્વ ઉદ્યમથી ધર્મને જ સેવવા યત્ન કરવો જોઈએ. શા શ્લોક :निरालम्बमियमसदाधारा, तिष्ठति वसुधा येन । तं विश्वस्थितिमूलस्तम्भं, तं सेवे विनयेन ।।पालय० ३।। શ્લોકાર્ચ - જેના વડે જે ધર્મ વડે, અસદ્ આધારવાળી પૃથ્વી નિરાલંબન રહે છે તેને, વિશ્વચિતિના મૂલસ્તંભ એવા તેને ધર્મને, વિનયથી અત્યંત બહુમાનથી, હું એવું છું. Ila ભાવાર્થ વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. એ અનુસાર આત્માનો સ્વભાવ આત્માનો ધર્મ છે અને પુદ્ગલનો સ્વભાવ એ પુદ્ગલનો ધર્મ છે. આ પૃથ્વી કોઈ પણ આધાર વગર નિરાલંબન રહે છે તેનું કારણ તેના નીચે ઘનવાત, તનવાત આદિ તે તે પ્રકારના સ્વભાવવાળા પુલો સ્વભાવિક રહેલા છે. તેથી તે પુદ્ગલોના તેવા સ્વભાવને કારણે આધાર વગરની આ પૃથ્વી ટકી રહી છે. વળી, તે સ્થાનમાં તેવા ઘનવાત, તનવાત આદિ પગલો તે પ્રમાણે સદા રહે છે તેનું કારણ તે પૃથ્વી પર વર્તતા જીવોનું તથા પ્રકારનું પુણ્ય છે જેના માહાભ્યથી ઘનવાત આદિ પુદ્ગલો પૃથ્વી નીચે સદા અવસ્થિત રહે છે અને પૃથ્વી ક્યારે પણ અધોલોકમાં જઈને પડતી નથી. વળી, વિધ્વંસ્થિતિનો મૂલસ્તંભ ધર્મ છે; કેમ કે તે તે પદાર્થનો તે તે પ્રકારનો ધર્મ હોવાથી વિશ્વમાં વર્તતા પુદ્ગલો તે તે ભાવરૂપે પરિણમન પામે છે અને તે તે ભાવરૂપ પરિણમન પામેલા પુદ્ગલો તે તે જીવ દ્વારા ગ્રહણ થઈને શરીરાદિની રચના વગેરે થાય છે. સર્વ તે પુદ્ગલો અને તે જીવોનો તે પ્રકારનો સ્વભાવ છે. તેથી વિશ્વની સર્વ વ્યવસ્થા તે તે પદાર્થોના, તે તે પ્રકારના ધર્મના કાર્યથી થાય છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૦. ધર્મ સ્વાખ્યાતભાવના-ગીત | શ્લોક-૩-૪-૫ ૧૨૭ આનાથી વિશ્વની સર્વ વ્યવસ્થાનો મૂલસ્તંભ તે પદાર્થનો ધર્મ છે. તેમ આત્માનું પણ પૂર્ણ સુખમય અવસ્થાની પ્રાપ્તિનું કારણ આત્માનો ધર્મ છે. તેથી તેવા ધર્મને હું અત્યંત બહુમાનપૂર્વક સેવું કે જેથી મારા આત્માના પારમાર્થિક સ્વરૂપની પ્રાપ્તિ થાય તે પ્રકારે મહાત્મા ભાવન કરે છે. IIII અવતરણિકા : વળી તે ધર્મ કેવા સ્વરૂપવાળો છે તે બતાવે છે શ્લોક ઃ दानशीलशुभभावतपोमुखचरितार्थीकृतलोकः । शरणस्मरणकृतामिह भविनां दूरीकृतभयशोकः । । पालय० ४ ।। શ્લોકાર્થ : દાન, શીલ, શુભભાવ, તપરૂપી મુખથી ચરિતાર્થ કર્યો છે લોકને જેણે એવો, અહીં=સંસારમાં, શરણ અને સ્મરણ કરનારા ભવ્ય જીવોના ભય અને શોક દૂર કર્યા છે જેમણે એવો, ધર્મ છે. એવા બાંધવને છોડીને જીવો સંસારમાં ભમે છે એમ શ્લોક-૬ સાથે સંબંધ છે. ૪ ભાવાર્થ -- ભગવાનનો ધર્મ દાન, શીલ, તપ અને શુભભાવ રૂપ છે તેથી તે ચાર ભાવોથી ભગવાનનું વચન જગતને સતત ધર્મનો ઉપદેશ કરે છે અને તેના કારણે તેને સેવનારા જીવોને તે ધર્મ કલ્યાણની પરંપરાનું કારણ બને છે. આ રીતે ધર્મ ચારમુખથી ચરિતાર્થ કરાયેલા લોકવાળો છે. વળી, જે ભવ્ય જીવો સંસારમાં છે તેઓ ભગવાને બતાવેલ ધર્મનું શરણ સ્વીકારે તથા શક્તિ અનુસાર ધર્મનું સેવન કરવા યત્ન કરે અને સદા તે ધર્મનું સ્મરણ કરતા રહે તો તે ધર્મ શ૨ણ કરનારા અને તે ધર્મનું સેવન કરનારા તે જીવોના ભય અને શોકને દૂર કરે છે; કેમ કે જેઓ આ ધર્મનું શરણું સ્વીકારે છે અને નિત્ય તે ધર્મના ગુણોનું સ્મરણ કરે છે તેઓનું તે ધર્મ સદા રક્ષણ કરે છે તેથી તેઓને દુર્ગતિમાં જવાનો ભય દૂર થતો જાય છે અને સંસારમાં શોક ઉત્પન્ન કરે તેવી સામગ્રીનો પણ અભાવ થાય છે. એટલું જ નહીં પણ સમ્યગ્ રીતે સેવાયેલા તે ધર્મના બળથી તે મહાત્માઓને સર્વ પ્રકારની શારીરિક, માનસિક, સાંયોગિક અનુકૂળતાની પ્રાપ્તિ થાય છે અને હૈયામાં ભગવાને કહેલો ધર્મ જ સદા આનંદદાયી થાય છે તેથી તેઓ ભય-શોકથી પર બને છે. ૪ શ્લોક ઃ क्षमासत्यसन्तोषदयादिकसुभगसकलपरिवारः । देवासुरनरपूजितशासनः कृतबहुभवपरिहारः । । पालय० ५ ।। Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શાંતસુધારણા શ્લોકાર્ચ - ક્ષમા, સત્ય, સંતોષ, દયાદિક એવા સુભગ સકલ પરિવારવાળો, દેવ, અસુર, નરથી પૂજિત શાસનવાળો, કૃતબકુભવપરિહાર કર્યો છે ઘણા ભવનો પરિહાર જેણે એવો ધર્મ છે. પII ભાવાર્થ : ભગવાને બતાવેલો ધર્મ કેવા સ્વરૂપવાળો છે ? તે બતાવવા પ્રસ્તુત ત્રણ વિશેષણો ભગવાનના ધર્મમાં બતાવેલ છે – (૧) ધર્મ ક્ષમા, સત્ય, સંતોષ, દયા આદિ સકલ સુભગ પરિવારવાળો છે: જે મહાત્માઓ ભગવાને બતાવેલા ધર્મનું દઢ પ્રણિધાનપૂર્વક સેવન કરે છે તેમાં ક્રોધની પરિણતિ ક્ષયોપશમ ભાવે પરિણમન પામતી જાય છે તેથી સેવાયેલા અનુષ્ઠાનના બળથી ક્ષમાની પરિણતિ પ્રગટે છે. વળી, જીવ લોભાદિને વશ અસત્યવચન બોલે છે પરંતુ શુદ્ધ ધર્મના સેવનને કારણે તે અસત્ય બોલવાની મનોવૃત્તિ ક્ષણ-ક્ષીણતર થાય છે તેથી સત્ય નામનો ગુણ પ્રગટ થાય છે. વળી, અનાદિકાળથી જીવને બાહ્ય પદાર્થોમાં અસંતોષ વર્તે છે અને ધર્મના સેવનના કારણે તે અસંતોષની પરિણતિ ક્ષીણ-ક્ષીણતર થાય છે તેથી આત્મામાં સંતોષનો પરિણામ વર્તે છે. વળી, સંસારીજીવોને પોતાના સ્વાર્થ ખાતર બીજાને પીડા કરવાની પરિણતિ વર્તે છે અથવા બીજાની પીડા પ્રત્યે ઉપેક્ષા વર્તે છે જેથી હૈયું કઠોર રહે છે અને ધર્મના સેવનથી તે કઠોરભાવ ક્ષીણ-ક્ષીણતર થાય છે જેથી જીવનું ચિત્ત દયાની પરિણતિવાળું બને છે. આ રીતે ક્ષમાદિ સર્વ સુભગ પરિવાર ધર્મની પરિણતિનો છે તેથી જીવમાં ક્ષમાદિ ઉત્તમ પરિણતિઓ સદા વર્તે છે તેથી ધર્મને તેવા ઉત્તમ સુંદર પરિણામવાળો કહેલ છે. (૨) દેવ, સુર, નરપૂજિત શાસનવાળો છે: ધર્મ એ ભગવાને પ્રરૂપેલ શ્રુતચારિત્રરૂપ છે અને તેવા ધર્મને દેવો, અસુરો અને મનુષ્યો પૂજે છે તેથી દેવ, નર, અસુરથી પૂજિત શાસનવાળો ધર્મ છે. આથી જ મહાત્માઓમાં વર્તતા શ્રત અને ચારિત્રરૂપ ધર્મને જોઈને દેવતાઓ વગેરે તેઓની પૂજા કરે છે. વળી, તીર્થકરોમાં પણ શ્રત અને ચારિત્ર ધર્મ પ્રકર્ષવાળો થયેલો છે. આથી જ કેવલજ્ઞાન અને ક્ષાયિક ચારિત્રવાળા છે અને તેને કારણે દેવતાઓ તેમને પૂજે છે. માટે ભગવાનનો ધર્મ દેવ, અસુર, નરથી પૂજિત શાસનવાળો છે. (૩) કૃત બહુભવ પરિહારવાળો છે: જે મહાત્માઓ સ્વસ્વભૂમિકા અનુસાર ભગવાને બતાવેલ શ્રત અને ચારિત્રરૂપ ધર્મનું સેવન કરે છે તેઓમાં ઘણા ભવની પરંપરા ચલાવે તેવી શક્તિવાળાં કર્મો હતા તે કર્મોમાં રહેલી ઘણા ભવો ચલાવવાની શક્તિનો પરિહાર ભગવાનનો ધર્મ કરે છે. તેથી તે મહાત્મા જેમ જેમ તે ધર્મનું સેવન કરે છે તેમ તેમ તેઓમાં ભવની પરંપરાને ચલાવવા અનુકૂળ જે સંગની પરિણતિ છે તે સંગની પરિણતિ ક્ષીણ-ક્ષીણતર થાય Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ૧૦. ધર્મ સ્વાખ્યાતભાવના-ગીત | શ્લોક-૫-૬-૭ છે. તેથી તેઓની આગામી ભવની પરંપરા અલ્પ-અલ્પતર થાય છે એટલું જ નહીં પણ તે આગામી ભવપરંપરા પણ પ્રાયઃ સુદેવ, સુમનુષ્યરૂપ ઉત્તમભવવાળી જ રહે છે. III શ્લોક ઃ बन्धुबन्धुजनस्य दिवानिशमसहायस्य सहाय । भ्राम्यति भीमे भवगहनेऽङ्गी, त्वां बान्धवमपहाय । । पालय० ६ ।। શ્લોકાર્થ : અબન્ધુ જીવનો બન્ધુ છે=ધર્મ બન્ધુ છે, અસહાય જીવને દિવસ-રાત સહાય છે=ધર્મ સહાય કરનારો છે, બાન્ધવ એવા તને છોડીને=ધર્મને છોડીને, અલ્ગી=જીવ, ભયંકર ભવગહનમાં ભમે છે. IIII ભાવાર્થ: આપત્તિમાં જે સહાયક થાય તે બન્ધુ કહેવાય. સંસારીજીવો નરકાદિ ગતિમાં ઘણી કદર્થના પામે છે ત્યારે તેઓને સહાય કરનાર કોઈ નથી. તેથી સંસારી જીવ પરમાર્થથી બન્ધુ રહિત છે. વળી, મનુષ્યાદિભવમાં વ્યવહારથી તેના બન્ધુ આદિ હોય તોપણ જ્યારે અતિવિષમ સ્થિતિના તેના કર્મો વર્તે છે ત્યારે તે બન્ધુઓ તેને સહાય ક૨વા ઇચ્છે તોપણ કંઈ કરી શકતા નથી. તેથી સંસારી જીવ આપત્તિમાં સહાય કરે તેવા બન્ધુથી રહિત છે. એવા જીવનો ૫રમાર્થથી બન્ધુ ધર્મ છે; કેમ કે જે જીવ સમ્યક્ પ્રકારે ધર્મનું સેવન કરે છે તેનાથી પુણ્યાનુબંધીપુણ્ય બંધાય છે. જે તે જીવને દરેક ભવમાં સહાય કરી શકે છે માટે બન્ધુ રહિત જીવનો ધર્મ જ ૫૨માર્થથી બન્ધુ છે. વળી, સંસા૨વર્તી જીવો કર્મને પરવશ છે તેથી તદ્દન અસહાયરૂપ જન્મે છે, જીવે છે અને મૃત્યુ પામે છે. આવા અસહાય જીવને દિવસ રાત સહાય કરનારો ધર્મ છે. આથી જ ગમે તેવી વિષમ સ્થિતિમાં પડેલો જીવ હોય પરંતુ ધર્મના સેવનથી બંધાયેલું પુણ્ય વિપાકમાં આવે તો તે સર્વ વિષમ સ્થિતિમાં પણ તે જીવ સુરક્ષિત બને છે. તેથી સહાય વગરના જીવોને દિવસરાત સહાય કરનાર ધર્મ છે. તેથી જીવે સર્વ ઉદ્યમથી ધર્મનું જ સેવન કરવું જોઈએ. વળી ધર્મરૂપી બાન્ધવ વગર આ જીવ ભયંકર એવા ભવરૂપી વનમાં ભમે છે. તેથી કોઈક રીતે પ્રાપ્ત થયેલા મનુષ્યભવવાળો પણ જીવ ફરી નક, તિર્યંચ આદિ ગતિમાં અટવાઈને વિડંબના પામે છે. તેથી તે સર્વમાં જો ધર્મરૂપી બન્ધુની સહાય મળે તો જીવ સુરક્ષિત થાય છે. તેથી ભવની કદર્થનાથી આત્માનું રક્ષણ ક૨વા અર્થે જીવે સર્વ ઉદ્યમથી ધર્મને જ સેવવો જોઈએ. IIII શ્લોક ઃ द्रङ्गति गहनं जलति कृशानुः, स्थलति जलधिरचिरेण । तव कृपयाखिलकामितसिद्धिर्बहुना किं नु परेण ? । । पालय० ७ । । Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શાંતસુધારસ શ્લોકાર્ય : તારી કૃપાથી=ધર્મની કૃપાથી, ગહન એવું વન દ્રગતિસમૃદ્ધ એવું નગર થાય છે, કૃશાનુ=અગ્નિ, જલ થાય છે અને સમુદ્ર શીધ્ર સ્થલ થાય છે. સર્વ કામિત સિદ્ધિને આપનાર સર્વ ઈચ્છિત ફળને આપનાર, ધર્મ છે. પર એવા બહુ વડે ધર્મથી અતિરિક્ત બાહ્ય એવી ધનધાન્યાદિ એવી બહુ સામગ્રી વડે શું ? IIછા ભાવાર્થ ધર્મની કૃપાથી ગહન એવું વન પણ સમૃદ્ધ નગર બને છે. આથી જ કોઈ પુણ્યશાળી જીવ કોઈક રીતે જંગલમાં એકલો પડી જાય અને રક્ષણની જરૂર હોય તો તેના તપતા પુણ્યના કારણે આવર્જિત થયેલા કોઈક દેવને પણ તેને સહાય કરવાનું મન થાય છે અને તે અટવીમાં પણ મહાસમૃદ્ધિવાળું નગર કરી આપે છે તે ધર્મની જ કૃપા છે. વળી અગ્નિ જીવને બાળીને ભસ્મ કરે છે છતાં કોઈક પુણ્યશાળી જીવ દાવાનળમાં ફસાયેલો હોય તો તેના તપતા પુણ્યને કારણે તે દાવાનળ જ જલરૂપે થાય છે તે ધર્મની જ કૃપા છે. વળી મોટા સમુદ્રને પણ ક્ષણમાં ધર્મ કોઈક દેવતાદિની સહાય પ્રાપ્ત કરાવીને સ્થલ રૂપે કરે છે તેથી તે જીવના તપતા પુણ્યથી તે જીવની સુરક્ષા અર્થે દેવાદિ કોઈક સ્થલ ઊભું કરે છે. જે ધર્મની જ કૃપા છે. માટે સર્વ કામિત વસ્તુની સિદ્ધિને દેનાર ધર્મ છે. તેથી બહુ એવા અપર વડે=ધનધાન્યાદિ વડે શું? અર્થાત્ વિચારક જીવે ધનધાન્યાદિમાં રાગને ધારણ કરીને તેને જ પ્રાપ્ત કરવા ઉદ્યમ કરવો જોઈએ નહીં પરંતુ સર્વ ઇષ્ટ વસ્તુને આપનાર એવા ધર્મમાં જ યત્ન કરવો જોઈએ. સમ્યગુ રીતે સેવાયેલો ધર્મ ધનના અર્થી જીવોને ધન આપે છે, કામના અર્થી જીવોને કામ આપે છે અને સુંદર રીતે સેવાયેલો ધર્મ જે અર્થ, કામ આપે છે તે અર્થકામ પણ જીવને આ લોકમાં અને પરલોકમાં સુંદર ફળ પ્રાપ્ત કરાવે તેવા હોય છે અને અંતે પૂર્ણ સુખરૂપ મોક્ષને આપે છે. આમ, સર્વ ઇષ્ટ વસ્તુને આપનાર એવા ધર્મમાં જ યત્ન કરવો જોઈએ. આવા શ્લોક : इह यच्छसि सुखमुदितदशाङ्ग, प्रेत्येन्द्रादिपदानि । क्रमतो ज्ञानादीनि च वितरसि, निःश्रेयससुखदानि ।।पालय० ८।। શ્લોકાર્ચ - હે ધર્મ ! તું અહીં મનુષ્યના ભવમાં, ઉતિ દશાંગવા[=પ્રગટ થયેલા દશ અંગવાળું, સુખ આપે છે. પ્રત્ય=જન્માંતરમાં, ઈન્દ્રાદિ પદોને આપે છે અને ક્રમથી નિઃશ્રેયસ સુખ દેનારા એવા જ્ઞાનાદિ=સમ્યફ દર્શન, જ્ઞાન, ચારિત્રને, આપે છે. IIkI ભાવાર્થમહાત્માઓ પોતાના ચિત્તમાં ધર્મનું માહાત્મ અત્યંત સ્થિર કરવા અર્થે ધર્મને ઉદ્દેશીને કહે છે હે ધર્મ ! Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ૧૦. ધર્મ સ્વાખ્યાતભાવના-ગીત | શ્લોક-૮-૯ આ ભવમાં સમ્યગ્ રીતે સેવાયેલો એવો તું સુખના અંગભૂત ધન, આરોગ્ય આદિ પૂર્ણ દશ અંગોને તું આપે છે. જેથી ધર્મ સેવનારા જીવોને વર્તમાન ભવમાં જ અનેક પ્રકારના સુખનું વેદન થાય છે. વળી, જેઓ વિવેકપૂર્વક ધર્મ સેવે છે તેઓ મનુષ્યભવ પૂર્ણ કરીને જન્માંતરમાં ઇન્દ્ર આદિનાં ઉત્તમસ્થાનોવાળા દેવભવને પ્રાપ્ત કરે છે જ્યાં તેઓને ઉત્તમસુખનો અનુભવ થાય છે. વળી, ધર્મ સેવનારા મહાત્માઓને દરેક ભવમાં ક્રમસર વધતા વધતા એવા મોક્ષના સુખને આપનારા એવા જ્ઞાનાદિને તું આપે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે.જીવો સમ્યગ્ પ્રકારે ધર્મનું સેવન કરે છે તે જીવોની વર્તમાનભવમાં ઉત્તમ પુણ્યપ્રકૃતિઓ જાગ્રત થાય છે. તેથી વર્તમાનભવમાં જ અનેક પ્રકારનાં સુખો પ્રાપ્ત થાય છે. વળી ધર્મસેવનના બળથી ભગવાનના વચનનો સૂક્ષ્મ બોધ, તત્ત્વની રુચિ અને તત્ત્વના સેવનરૂપ ચારિત્રની પરિણતિ વર્તમાનના ભવમાં ક્રમસર વૃદ્ધિ પામે છે. દેવભવમાં પણ સાક્ષાત્ ચારિત્રની પરિણતિ નહીં હોવા છતાં ચારિત્ર પ્રત્યે અત્યંત પક્ષપાત વર્તે છે અને દેવભવને પામીને તે મહાત્મા ચાર બુદ્ધિના નિધાન બને છે, જેથી તે ભવમાં મોક્ષને અનુકૂળ એવા જ્ઞાનાદિભાવોની વૃદ્ધિ કરે છે અને દેવભવમાંથી ચ્યવીને મનુષ્યભવમાં આવે ત્યારે ત્યાં પણ પૂર્વપૂર્વ કરતાં અધિક જ્ઞાનાદિને પ્રાપ્ત કરીને અલ્પકાળમાં મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. II શ્લોક ઃ सर्वतन्त्रनवनीत ! सनातन ! सिद्धिसदनसोपान ! जय जय विनयवतां प्रतिलम्भितशान्तसुधारसपान ! ।। पालय० ९ ।। શ્લોકાર્થ : સર્વતંત્રના નવનીત, સનાતન, સિદ્ધિસદનના સોપાન, વિનયવાન પુરુષોને પ્રતિલમ્ભિત થયું છે શાંતસુધારસનું પાન જેનાથી એવા હે જિનધર્મ તું જય પામ, જય પામ. IIII ભાવાર્થ: ભગવાનનો ધર્મ કેવો ઉત્તમ છે તેની ઉપસ્થિતિ ક૨વા અર્થે અને તેના પ્રત્યે પોતાનો પૂજ્યભાવ અતિશય કરવા અર્થે મહાત્મા કહે છે – હે સર્વતંત્રના નવનીત એવા ધર્મ ! તું જય પામ. આનાથી એ પ્રાપ્ત થાય કે સર્વદર્શનકારો પોતાના અનુયાયીઓને અહિંસાધર્મ, સત્યધર્મ, આદિનું પાલન કરવાનો ઉપદેશ આપે છે. પરંતુ કોઈ દર્શનકાર હિંસા ચોરી આદિ કરવાનું કહેતું નથી અને તેવા સર્વદર્શનમાં સારભૂત નવનીત રૂપ ભગવાનના ધર્મથી સેવાયેલો જીવનો પરિણામ પ્રગટે છે; કેમ કે સમ્યગ્ રીતે સેવાયેલો ભગવાનનો ધર્મ જીવને નિર્લેપ નિર્લેપતર બનાવે છે જે ધર્મ સર્વ દર્શનને માન્ય એવી સારભૂત પરિણતિરૂપ છે. વળી, ભગવાનનો ધર્મ જગતમાં સનાતન વર્તે છે; કેમ કે કોઈ એવો કાળ નથી જ્યારે ભગવાનનો ધર્મ સેવનાર પુરુષોનો સર્વથા વિચ્છેદ થાય. ક્વચિત્ ભરતાદિક ક્ષેત્રમાં ધર્મનો વિચ્છેદ થાય તોપણ મહાવિદેહક્ષેત્રમાં ઉત્તમપુરુષોથી સેવાયેલો ધર્મ સા વિદ્યમાન છે. વળી, દેવો દ્વારા પણ સદા ભગવાનનો ધર્મ સેવાતો હોય છે. તેથી હે સનાતન એવા ધર્મ ! તું જય પામ. એ પ્રકારે મહાત્મા ભાવના કરે છે. મોક્ષરૂપ એવા સ્થાનનું Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શાંતસુધારસ સોપાન ભગવાને બતાવેલો ધર્મ છે. તેથી જે જીવો ભગવાને બતાવેલા ધર્મને સમગુ રીતે સેવે છે તેઓ મોક્ષરૂપી નિવાસ્થાનને અભિમુખ સતત જઈ રહ્યા છે અને જ્યારે પૂર્ણરૂપે તે ધર્મનું સેવન કરશે ત્યારે મોક્ષને પ્રાપ્ત કરશે. તેવા ધર્મને ઉદ્દેશીને મહાત્મા ભાવન કરે છે કે હે સિદ્ધિ-સદનના સોપાન એવા ધર્મ તું જય પામ. વળી, વિનયવાન પુરુષો દ્વારા સેવનથી શાંતસુધારસનું પાન પ્રાપ્ત થાય છે જેનાથી તેવા હે ધર્મ તું જય પામ અર્થાતું જેઓને ભગવાને બતાવેલા ધર્મ પ્રત્યે અત્યંત ભકિત છે, તેથી સદા તે ધર્મ પ્રત્યે વિનયયુક્ત થઈને તેને સેવવા યત્ન કરે છે અને ધર્મના સેવનકાળમાં વિનયને અભિવ્યક્ત કરે તેવી મુદ્રામાં બેસે છે, તેથી ધર્મ પ્રત્યેનો અત્યંત બહુમાનભાવ ઉલ્લસિત થાય છે. વળી વિધિશુદ્ધ ધર્મને સેવનારા મહાત્માઓને પ્રણામ કરે છે જેથી વિધિશુદ્ધ ધર્મ સેવવાનું બળ સંચય થાય છે અને વિધિશુદ્ધ સ્વભૂમિકા અનુસાર ધર્મ સેવવા માટે બદ્ધ પરિણામવાળા થઈને ઉપયોગપૂર્વક તે તે ધર્મની ક્રિયા કરે છે, તેઓને તે ધર્મનું સેવન શાંતસુધારસનું પાન કરાવું છે. જેમ કોઈ મહાત્મા ભગવાનની ભક્તિ કરવા અર્થે વિનયપૂર્વક યત્ન કરે ત્યારે તે ભગવાનની ભક્તિ વિષયક બાહ્ય ઉચિત વિધિ શું છે અને તે બાહ્યવિધિ દ્વારા અંતરંગ રીતે ભગવાનના ગુણોનું પ્રતિસંધાન કરીને વીતરાગગામી ઉપયોગને કઈ રીતે ઉલ્લસિત કરવો જોઈએ તેને સ્મૃતિમાં લાવે અને જે શ્રાવકો તે વિધિપૂર્વક ભગવાનની ભક્તિ કરે છે તેઓને સ્મૃતિમાં લાવીને નમસ્કાર કરે છે અને વિચારે છે કે જે રીતે આ મહાત્માઓ વિધિશુદ્ધ દ્રવ્યસ્તવને કરીને ભાવસ્તવને અનુકૂળ અંતરંગ શક્તિનો સંચય કરી શક્યા તેમ હું પણ તેમના પ્રત્યેના ભક્તિના પરિણામથી અંતરંગ શક્તિનો સંચય કરી શકું એ પ્રકારના સંકલ્પપૂર્વક પૂજાની વિધિમાં દઢ માનસ વ્યાપારવાળા થઈને પૂજાની ક્રિયાઓ કરે છે. તેઓની તે વિનયપૂર્વકની ભક્તિની ક્રિયાથી ઘણા પ્રકારના મોહના સંસ્કારો શાંત થવાથી તેઓના ચિત્તમાં શાંતસુધારસનું પાન પ્રાપ્ત થાય છે. તેવા શાંતસુધારસના પાનને કરાવનારા એવા હે ધર્મ, તું જય પામ. આ પ્રકારે કહીને મહાત્મા તે ધર્મ પ્રત્યેનો પોતાના આદરનો અતિશય કરે છે. ICTI II દસમો પ્રકાશ પૂર્ણ II Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧. લોકસ્વરૂપભાવના | શ્લોક-૧-૨ ૧૧. લોકસ્વરૂપભાવના શ્લોક ઃ सप्ताrisar विस्तृतायाः पृथिव्यश्छत्राकाराः सन्ति रत्नप्रभाद्याः । ताभिः पूर्णो योऽस्त्यधोलोक एतौ पादौ यस्य व्यायतौ सप्तरज्जू ।।१।। શ્લોકાર્થ : સાત નીચે નીચે વિસ્તારવાળી, જે છત્ર આકારવાળી રત્નપ્રભાદિ પૃથ્વી છે. તેના વડે=સાતરજ્જુ વિસ્તારવાળી પૃથ્વી વડે, જે અધોલોક, પૂર્ણ છે. જેના=લોકરૂપ પુરુષના, આ બે=અધોલોકવર્તી એવા આ બે પગો, સપ્તરજ્જુ વિસ્તારવાળા છે. ।।૧।। ભાવાર્થ: ૧૩૩ લોકસ્વરૂપભાવનાનું ભાવન કરતાં મહાત્મા પ્રથમ અધોલોકનું સ્વરૂપ ઉપસ્થિત કરે છે. મનુષ્યલોકથી નીચે સાત એવા ૨જ્જુ પ્રમાણ નીચે નીચે વિસ્તૃત છત્ર આકારવાળી રત્નપ્રભાદિ નામવાળી સાત પૃથ્વીઓ છે. જે સાત પૃથ્વીઓથી પૂર્ણ એવો અધોલોક છે અને તેને સ્પષ્ટ ઉપસ્થિત કરવા અર્થે કહે છે કે પુરુષરૂપ લોક બે પગ પહોળા કરીને ઊભેલો હોય ત્યારે તેના તે પગ વચ્ચેનો વિસ્તાર નીચેના ભાગમાં સાત રજ્જુ હોય છે અને તે ક્રમસ૨ ઉપર ઉ૫૨માં ઘટતો ઘટતો મનુષ્યલોકના પાસે એક ૨જ્જુ પ્રાપ્ત થાય છે. આ રીતે અધોલોકની ઉપસ્થિતિ કરવાથી લોક કેવા સ્વરૂપવાળો છે તેના એક અવયવરૂપ અધોલોકનું સ્વરૂપ ઉપસ્થિત થાય છે. ૧ શ્લોક ઃ तिर्यग्लोको विस्तृतो रज्जुमेकां, पूर्णो द्वीपैरर्णवान्तैरसंख्येः । यस्य ज्योतिश्चक्रकाञ्चीकलापं, मध्ये कार्श्य श्रीविचित्रं कटित्रम् ।।२ ।। શ્લોકાર્થ -: તિર્યશ્લોક એક રજજુ વિસ્તૃત છે. અસંખ્યા દ્વીપ અને સમુદ્રના અંતથી પૂર્ણ છે. જેના=જે લોકરૂપી પુરુષના, મધ્યમાં જ્યોતિશ્યના કાચ્ચીકલાપવાળું=મંડલના સમૂહવાળું કૃશભાગવાળું, શ્રીવિચિત્ર=લક્ષ્મીથી વિચિત્ર, કટિત્ર છે=કેડનો ભાગ છે. ।।૨।। ભાવાર્થ : પુરુષ આકારવાળું જે લોકનું સ્વરૂપ છે એમાં કટિત્રથી=કેડથી નીચે સાતરજ્જુ પ્રમાણ અધોલોક છે તેમ પૂર્વમાં બતાવ્યું. હવે, કેડના ભાગમાં જે મધ્યલોક છે તેનું સ્વરૂપ બતાવતાં કહે છે કે પુરુષરૂપે લોકના Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શાંતસુધારસ મધ્યભાગમાં જે તિર્યશ્લોક છે તે એક રજુ વિસ્તારવાળો છે અને તે એક રજુ અસંખ્યાત દ્વીપ સમુદ્રથી પૂર્ણ છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે પુરુષના કેડના સ્થાનમાં રહેલ જે તિર્યશ્લોક છે તેના મધ્યભાગમાં જંબૂઢીપ છે જે એક લાખ યોજન વિસ્તારવાળો છે. તેના પછી સમુદ્ર છે જે તેનાથી દ્વિગુણ પરિણામવાળો છે, એ રીતે એક દ્વીપ અને એક સમુદ્રના ક્રમથી દ્વિગુણ દ્વિગુણ અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો છે અને સર્વના અંતે સ્વયંભૂરમણ સમુદ્ર છે. તે દ્વીપ સમુદ્રવાળા તિર્યશ્લોકનો વિસ્તાર એક રજ્જુ પ્રમાણવાળો થાય છે અને આ તિર્યશ્લોક પુરુષના મધ્યભાગમાં આવેલો છે જેમાં જ્યોતિચ્ચક્રના મંડલોનો સમૂહ છે. વળી, આ મધ્યભાગ કૃશ છે; કેમ કે માત્ર એક જ રજુ વિસ્તારવાળો છે. જ્યારે ઉપર અને નીચેનો અધિક વિસ્તારવાળો છે. તેથી મધ્યભાગ કૃશભાગવાળો છે એમ કહેલ છે. વળી, આ તિર્યશ્લોકમાં જે દ્વીપ, સમુદ્ર છે ત્યાં વિવિધ પ્રકારની લક્ષ્મી છે. તેથી ઘણા દ્વીપોમાં ઘણા પ્રકારનાં રત્નો, સુવર્ણ, અનેક પ્રકારની ઔષધિઓ છે અને આ તિર્યશ્લોક પુરુષરૂપ લોકના કેડના સ્થાનમાં રહેલા ઉદરના ભાગમાં છે. શા શ્લોક : लोकोऽथोचे ब्रह्मलोके धुलोके, यस्य व्याप्तौ कूर्परौ पञ्चरज्जू । लोकस्याऽन्तो विस्तृतो रज्जूमेकां, सिद्धज्योतिश्चित्रको यस्य मौलिः ।।३।। શ્લોકાર્ચ - અથ ત્યાર પછી, ઊર્ધ્વલોકમાં અધોલોક અને તિર્યશ્લોકથી ઉપર રહેલા ઊર્ધ્વલોકમાં, જેની=જે પુરુષરૂપ લોકની, બે કૂર્પરા કેડે હાથ રાખીને ઊભેલા પુરુષની બે કોણીઓ, બ્રહ્મલોક અને યુલોકમાં પાંચ રજુ વ્યાપ્ત છે. અને લોકનો અંત બ્રહ્મલોકમાં પાંચ રજુ પછી ઉપર ઉપરમાં જતાં જે લોકનો અંત ભાગ આવે છે ત્યાં એક રજુથી વિસ્તૃત લોક છે. જેનો જે પુરુષરૂપ લોકનો, મૌલિ મુગટ, ચિત્રક સિદ્ધ જ્યોતિ છે=અનેક સિદ્ધના જીવો છે. III ભાવાર્થ - મધ્યલોકનું વર્ણન કર્યા પછી તે મધ્યલોકથી ઉપર ઊર્ધ્વલોક શરૂ થાય છે અને કેડે હાથ રાખીને ઊભેલા પુરુષના આકારવાળો લોક હોવાથી કેડના ભાગથી ઉપરના ભાગમાં ઊર્ધ્વલોક શરૂ થાય છે અને તે પુરુષની કેડે રાખેલા હાથની જે બે કોણીઓ છે તે સ્થાનમાં બ્રહ્મલોક અને ઘુલોક ત્રસનાડીમાં આવે છે તે સ્થાને લોક પાંચ રજુ વ્યાપ્ત છે અને ત્યાર પછી ઊર્ધ્વમાં ઘટતા ઘટતા લોકના અંતમાં તે પુરુષરૂપલોક એક રજુ પ્રમાણ બને છે. તે એક રજુના ભાગમાં સિદ્ધના જીવો તે પુરુષના મુગટ સ્થાને છે. II3II શ્લોક : यो वैशाखस्थानकस्थायिपादः, श्रोणीदेशे न्यस्तहस्तद्वयश्च । कालेऽनादौ शश्वदूर्ध्वं दमत्वाद्, बिभ्राणोऽपि श्रान्तमुद्रामखिन्नः ।।४।। Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૧. લોકસ્વરૂપભાવના | શ્લોક-૪-૫ શ્લોકાર્ચઃ જે લોકરૂપ પુરુષ વૈશાખ સ્થાનક સ્થાયીપાદવાળો=સમાનપણાથી સ્થાપન કરાવેલા પહોળા બે પગવાળો, શ્રોણીદેશમાં=કટિપ્રદેશમાં=કેડના સ્થાનમાં, સ્થાપન કરાયેલા બે હાથવાળો અનાદિકાળમાં શાશ્વત ઊર્ધ્વ રહેલો શ્રાંતમુદ્રાને ધારણ કરતો પણ દમપણાથી=પોતાના ઉપર સંયમ હોવાથી અખિન્ન છે, II૪ ભાવાર્થ: ઉપરના ત્રણ શ્લોકમાં અધોલોક, તિર્યશ્લોક અને ઊર્ધ્વલોકમાં લોકરૂપ પુરુષ કેવા સ્વરૂપવાળો છે તેનું સ્વરૂપ બતાવ્યું. હવે, તે લોકરૂપ પુરુષ પૂર્ણ કયા આકારથી પુરુષ મુદ્રાવાળો દેખાય છે તે સ્પષ્ટ કરે છે. જેમ કોઈ પુરુષ પોતાના બે પગને પહોળા રાખીને અને કેડ ઉપર બે હાથને સ્થાપન કરેલો પણ શાશ્વત ઊર્ધ્વ ઊભો રહેલો હોય તેના જેવો લોકરૂપ પુરુષ છે તેથી તેના અધોલોકનો ભાગ બે પગ પહોળા કરાયેલી અવસ્થાવાળો દેખાય છે. મધ્યમલોકનો ભાગ કટિતટ પાસે દેખાય છે અને કટિતટના ઉપરના ભાગમાં ઊર્ધ્વલોક દેખાય છે. જે કેડ ઉપર હાથ રાખેલ ઊભેલા પુરુષ જેવો છે. તેથી કટિતટ પર હાથ રાખેલા ભુજાની બે કોણીઓ પાસે પાંચ રજ્જુ પ્રમાણ બને છે. ત્યાંથી ઊર્ધ્વમાં ઘટતાં ઘટતાં મસ્તક પાસે એક રજ્જુ પ્રમાણ બને છે અને અનાદિકાળથી શાશ્વત ઊર્ધ્વ ઊભેલો પુરુષ હોવાથી શ્રાંતમુદ્રાને ધારણ કરતો હોય એવો દેખાય છે. તોપણ લોકરૂપ પુરુષ ક્યારેય થાકને કારણે ખિન્ન થઈને બેસતો નથી પરંતુ કાયમ માટે સદા ઊભો રહે છે. ૪ શ્લોક ઃ सोऽयं ज्ञेयः पूरुषो लोकनामा, षड्द्रव्यात्माऽकृत्रिमोऽनाद्यनन्तः धर्माधर्माकाशकालात्मसंज्ञैर्द्रव्यैः पूर्णः सर्वतः पुद्गलैश्च ।।५।। ૧૩૫ શ્લોકાર્થ : તે આ=શ્લોક-૪માં બતાવ્યું તે આ, છ દ્રવ્યાત્મક અકૃત્રિમ અનાદિ અનંતલોક નામનો પુરુષ જાણવો. તે કઈ રીતે છ દ્રવ્યથી પૂર્ણ છે ? તે સ્પષ્ટ કરે છે ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને આત્મા સંજ્ઞાવાળા દ્રવ્યથી અને પુદ્ગલથી સર્વ બાજુથી પૂર્ણ છે=આ લોકપુરુષ પૂર્ણ છે. પા ભાવાર્થ: મહાત્મા લોકસ્વરૂપભાવનાનું ભાવન કઈ રીતે કરે છે તે બતાવવાનો પ્રારંભ પ્રસ્તુત પ્રકાશમાં કરેલ છે. તે પુરુષ આકારની કલ્પના દ્વારા ચૌદ રજ્જુ સ્વરૂપ લોકને મહાત્મા ઉપસ્થિત કરે છે અને પૂર્વના - Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩s. શાંતસુધારસ શ્લોક-૪માં બતાવ્યું તે પ્રકારે ઊભેલા પુરુષ જેવો લોક છે અને તે અકૃત્રિમ=વાસ્તવિક, એવા છ દ્રવ્યાત્મક છે અને તે છ દ્રવ્ય તે લોકમાં અનાદિકાળના છે અને અનંતકાળ સુધી રહેવાના છે. તેથી જ્યારે જ્યારે લોકને જોવામાં આવે ત્યારે ત્યારે તે લોક પૂર્ણ છે. કયાં છ દ્રવ્યથી લોક પૂર્ણ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય એ ત્રણ એક એક દ્રવ્ય છે, આત્મા, કાલ અને પુદ્ગલ એ ત્રણ અનંત દ્રવ્યો છે અને તે છએ દ્રવ્યોથી લોક સર્વ બાજુથી પૂર્ણ છે અર્થાત્ છ દ્રવ્યમય આખો લોક છે. આપણા શ્લોક :रङ्गस्थानं पुद्गलानां नटानां, नानारूपैर्नृत्यतात्मनां च । कालोद्योगस्वस्वभावादिभावैः, कर्मातोद्यैर्नतितानां नियत्या ।।६।। શ્લોકાર્ચ - કાળ, ઉધોગ, સ્વ-સ્વભાવ આદિ ભાવો વડે કર્મ આતોધથી કર્મરૂપી વાજિંત્રોથી, નિયતિ દ્વારા નર્તિત એવા નચાવાયેલા એવા, પુગલરૂપી નટોનું અને વિવિધરૂપો વડે નૃત્ય કરતા એવા આત્માઓનું, રંગસ્થાન છે નૃત્ય કરવાનું સ્થાન, આ લોક નામનો પુરુષ છે. IIslI ભાવાર્થ સંસારવર્તી જીવો અને પુદ્ગલો બે ભેગા થઈ લોકરૂપી પુરુષના રંગમંડપમાં અનેક પ્રકારનાં નાટકો કરે છે. પુદ્ગલો ક્યારેક સ્કંધ થાય છે તો ક્યારેક પરમાણુરૂપે થાય છે, ક્યારેક તેના તે જ પરમાણુ નાના સ્કંધ બને છે અને ક્યારેક તે જ પરમાણુઓ મોટા સ્કંધ થાય છે. વળી, તે સ્કંધો અને પરમાણુઓ જુદા જુદા વર્ણાદિ પરિવર્તન કરતા લોકમાં ફરતા દેખાય છે. વળી, પરમાણુઓના સ્કંધોને ગ્રહણ કરીને અને અનેક પ્રકારના નૃત્યને કરતા જીવો પણ જુદા જુદા રૂપોને ધારણ કરતા દેખાય છે. તેથી કોઈક જીવ ક્યારેક મનુષ્ય થાય છે તો તે જ જીવ કયારેક તિર્યંચ થાય છે, ક્યારેક નારક થાય છે તો ક્યારેક દેવ થાય છે. આ રીતે અનેક પ્રકારે પુદગલોના અને આત્માના નુત્યનું સ્થાન આ લોકરૂપી પરષ છે. કઈ રીતે પુદગલો અને આત્માઓ લોકમાં નૃત્ય કરે છે ? તે બતાવવા માટે કહે છે – કાળ, ઉદ્યોગ, સ્વ-સ્વભાવાદિથી પુદ્ગલો અને જીવો નૃત્ય કરે છે અર્થાત્ જે જીવનો જે નટ રૂપે ભાગ ભજવાનો જે કાળ હોય તે કાળમાં તે જીવ તે ભાગ ભજવે છે. તે જ રીતે જે પુદ્ગલોનો જે કાળમાં જે ભાગ ભજવાનો અવસર હોય તે કાળમાં તે પુદ્ગલો તે રૂપે નાટકનો ભાગ ભજવે છે. વળી, જીવો અને પુદ્ગલો તે તે પ્રકારના ઉદ્યમ કરવા સ્વરૂપ ઉપયોગથી તે તે પ્રકારનાં નાટકો કરે છે તેથી જે જીવ મનુષ્યરૂપે નાટક કરવાનો કાળ થાય ત્યારે તે પ્રકારનો ઉદ્યમ કરીને મનુષ્યદેહ ધારણ કરે છે, નારકયોગ્ય નાટક કરવાનો કાળ આવે ત્યારે તે પ્રકારનો ઉદ્યમ કરીને નારકનું રૂપ ધારણ કરે છે, તિર્યંચયોગ્ય નાટક કરવાનો કાળ આવે ત્યારે તે પ્રકારનો ઉદ્યમ કરીને તિર્યંચરૂપ ધારણ કરે છે. તે રીતે પુદ્ગલો પણ જે વખતે જે પુદ્ગલોનો જે પ્રકારે નાટક કરવાનો Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ૧૧. લોકવરૂપભાવના / બ્લોક--૭. કાળ આવે ત્યારે તે પ્રકારે તે પુદ્ગલો ઉદ્યમ કરીને તે તે ભાવથી પરિણમન પામે છે. વળી, જીવો અને પુદ્ગલો આ નાટક પોતપોતાના સ્વભાવ અનુસાર કરે છે અને તેથી જે કાળમાં જે પ્રકારનો નાટક કરવાનો સ્વભાવ તે તે જીવમાં અને તે તે પુલમાં વર્તે છે તે કાળમાં તે પ્રકારના સ્વભાવને વશ થઈને તે તે જીવ અને તે તે પુદ્ગલ તે તે ભાવને ભજવે છે. વળી, જીવો પુદ્ગલોને ગ્રહણ કરીને આ નાટક કરવા માટે કર્મરૂપી વાજિંત્રોને ગ્રહણ કરીને જે જે પ્રકારની નિયતિ હોય તે તે પ્રકારની નિયતિ અનુસાર તે તે નાટકો કરે છે. તેથી જે પ્રકારનું નાટક કરવાની જે જીવની જે પ્રકારની નિયતિ છે તે અનુસાર તે પ્રકારનાં કર્મોને બાંધીને તે જીવ તે પ્રકારની નાટકની ક્રિયા સંસારમાં કરે છે. આ રીતે ચૌદરાજલોકરૂપી નાટકની ભૂમિમાં પુદ્ગલો અને જીવો અનેક પ્રકારનાં નાટકો કરે છે તે પ્રકારે તેનું સ્વરૂપ વિચારીને મહાત્માઓ ભવભ્રમણરૂપી નાટકથી ખિન્ન થઈને તેમાંથી નીકળવા માટે બદ્ધ પરિણામવાળા થાય છે. તેથી તે ભવરૂપી નાટકક્ષેત્રમાંથી નીકળવાનો ઉપાય બતાવનાર સર્વજ્ઞનું વચન છે તેમ નિર્ણય કરીને સર્વજ્ઞના વચનના રહસ્યને જાણવા સર્વશક્તિ ઉદ્યમ કરે છે અને જાણીને પોતાની શક્તિ અનુસાર જિનવચનને સેવીને સંસારસાગરથી પાર ઊતરવા માટે માર્ગાનુસારી યત્ન કરે છે. IIકા શ્લોક : एवं लोको भाव्यमानो विविक्त्या, विज्ञानां स्यान् मानसस्थैर्यहेतुः । स्थैर्य प्राप्ते मानसे चात्मनीना, सुप्राप्यैवाध्यात्मसौख्यप्रसूतिः ।।७।। શ્લોકાર્ય : આ રીતે=પૂર્વ શ્લોકમાં કહ્યું, એ રીતે, વિવિક્તિથી=વિભાગથી=જીવ અને પુગલના નાટકના વિભાગથી, ભાવન કરાતો એવો લોકવિજ્ઞાન પુરુષોના બુદ્ધિશાળી એવા પુરુષોના, માનસન્થર્યનો હેતુ છે અને માનસમાં શૈર્ય પ્રાપ્ત થયે છતે આત્મનીના આત્માના હિતને કરે એવી, અધ્યાત્મના સૌષ્યની પ્રસૂતિ અધ્યાત્મના સુખની પ્રાપ્તિ, સમાય જ છે. છતા ભાવાર્થ પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે કોઈ મહાત્મા મુગલો અને જીવોનું લોકરૂપી રંગમંડપમાં કઈ રીતે નૃત્ય થાય છે તેનું ભાવન કરે તો સંસારના વાસ્તવિક સ્વરૂપનો સ્પષ્ટ બોધ થાય છે અને તેના કારણે બુદ્ધિમાન એવા તે પુરુષોને બાહ્ય પદાર્થો પ્રત્યેનું આકર્ષણ ઘટે છે અને આત્માના પારમાર્થિક સ્વરૂપને જાણવા માટે ઉત્કટ ઇચ્છા થાય છે. તેથી લોકસ્વરૂપભાવનાથી ભાવિત થવાના કારણે તે મહાત્માઓનું માનસ લોકના વાસ્તવિક સ્વરૂપના અવલોકનથી આત્મભાવને અભિમુખ સ્થિરભાવવાળું બને છે અને ચિત્ત લોકના વાસ્તવિક સ્વરૂપમાં સ્થિરભાવને પામે તો મોહજન્ય આકર્ષણ ઓછાં થાય છે. તેથી આત્માના હિતને કરનારી અધ્યાત્મના સુખની પ્રસૂતિ તે મહાત્મા માટે સુપ્રાપ્ય બને છે. સામાન્ય રીતે સંસારીજીવોને બાહ્ય પદાર્થો પ્રત્યે જ આકર્ષણ થાય છે તેથી પુદ્ગલનાં સુખોમાં જ રમનારા હોય છે. અધ્યાત્મસુખથી તેઓ સદા Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શાંતસુધારસ વિમુખ છે. જ્યારે લોકસ્વરૂપભાવનાથી ભાવિત થયેલા મહાત્મા લોકની નિઃસારતાના બળથી આત્માના શાંતરસમાં પ્રયત્ન કરનારા બને છે જે પ્રયત્નથી તેઓને સ્વાભાવિક સ્વસ્થતારૂપ આત્માના સુખની પ્રાપ્તિ થાય છે. IIણા ૧૧. લોકસ્વરૂપભાવના-ગીત) અવતરણિકા:- . આત્માને સંબોધીને લોકસ્વરૂપભાવના કરવા અર્થે પોતાના આત્માને કહે છે – શ્લોક :विनय विभावय शाश्वतं हृदि लोकाकाशम् । सकलचराचरधारणे, परिणमदवकाशम् ।।विनय० १।। શ્લોકાર્ધ : હે વિનય! સકલ ચર-અચરને ધારણ કરવામાં પરિણમન પામતું અવકાશ છે જેને અવકાશ દાનગુણ છે જેને એવા, શાશ્વત લોકાકાશને તું હૃદયમાં વિભાવન કર. III ભાવાર્થ - કર્મનું વિનયન કરે તેવી ક્રિયા વિનય છે અને તેવી ક્રિયા કરનારો આત્મા પણ વિનય કહેવાય. પોતે કર્મના વિનયનને કરવા માટે અભિમુખ થયેલો છે તેવી ઉપસ્થિતિ કરવા અર્થે પોતાના આત્માને સંબોધીને લોકસ્વરૂપભાવના કરનાર પુરુષ કહે છે કે હે વિનય ! તું આત્માને ભાવન કર જેથી કર્મના વિનયને અનુકૂળ એવું તારું સદ્વર્ય ઉલ્લસિત થાય. શું ભાવન કર જેથી કર્મનું વિનયન થાય તેથી કહે છે – પંચાસ્તિકાય સ્વરૂપ લોકમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણ અચર દ્રવ્ય છે; કેમ કે સ્થાનાંતરને પ્રાપ્ત કરતાં નથી, જ્યારે જીવ અને પુદ્ગલ ચર છે. તેમાંથી પણ જે જીવો સાધના કરીને મુક્ત થયા છે તેઓ સંસારઅવસ્થામાં ચર હોવા છતાં સિદ્ધઅવસ્થામાં અચર છે. ચર એવા સંસારીજીવો, પુદ્ગલો તથા અચર એવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને સિદ્ધના જીવોને ધારણ કરવામાં આકાશ પરિણમન પામી રહ્યું છે. આ પરિણમન દ્વારા લોકાકાશ તેઓને પોતાના અવકાશનું દાન કરે છે. આ રીતે આ લોક શાશ્વત વર્તી રહ્યો છે. આવા લોકમાં પુદ્ગલો પોતાની પ્રકૃતિ અનુસાર પરમાણુઓ અને સ્કંધરૂપે સદા અન્ય અન્ય પ્રકારે પરિણમન પામતા હોય છે. આ પુદ્ગલોના સુંદરભાવો પ્રત્યે સંસારીજીવોને રાગ થાય છે અને અસુંદરભાવો પ્રત્યે દ્વેષ થાય છે અને તે પ્રકારે સંસારીજીવો તે તે ભાવો કરીને કર્યો સાથે સંશ્લેષ પામે છે અને પોતાના સંશ્લેષના પરિણામને અનુરૂપ કર્મબંધ કરી તે તે ભવોની પ્રાપ્તિ કરે છે. આ રીતે સંસારમાં પરિભ્રમણ કરતા જીવોમાંથી પણ જે જીવોમાં વિવેકરૂપી ચક્ષુ પ્રગટ્યાં છે તેઓ તીર્થકર Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ૧૧. લોકસ્વરૂપભાવના-ગીત | શ્લોક-૧-૨ આદિના ઉપદેશના બળથી સંસારના વાસ્તવિક સ્વરૂપનું અવલોકન કરે છે. સાધના કરીને મુક્ત થયેલા સિદ્ધના જીવો સર્વ ઉપદ્રવોથી પર છે તેમ દેખાય છે. તેથી સર્વ ઉપદ્રવોથી પર એવી સિદ્ધઅવસ્થાના અર્થી જીવો વારંવાર લોકના સ્વરૂપનું ભાવન કરીને પોતાના આત્માને સંસારના ભાવોમાં થતા સંશ્લેષથી પર કરવા યત્ન કરે છે. “જેઓ સાધના કરીને પર થાય છે તેઓ શાશ્વત સુખમાં વર્તે છે” તે પ્રકારના સ્વરૂપનું હે વિનય એવા આત્મા ! તું ભાવન કર. એમ કહીને જગતના વાસ્તવિક સ્વરૂપના અવલોકનની નિર્મળ ચક્ષુને પ્રગટ કરવા અર્થે મહાત્મા યત્ન કરે છે. અહીં વિશેષ એ છે કે જીવ સંસારઅવસ્થામાં કર્મવાળી અવસ્થાવાળો છે અને તે અવસ્થામાં જે જે પ્રકારનાં નિમિત્તોથી, જે જે પ્રકારના ભાવો કરે છે, તે પ્રકારે પરિણમન પામવાવાળો સ્વભાવ છે. તેથી ભાવુક દ્રવ્ય છે. આથી જ સંસારમાં તે તે ભાવો ગ્રહણ કરીને તે તે ભાવોથી ભાવિત થઈને તે તે પ્રકારનાં કર્મો બાંધે છે. જ્યારે સિદ્ધઅવસ્થાની સાધના કરનારા મહાત્માઓના ગુણોથી ભાવિત થાય અથવા સંસારના વાસ્તવિક સ્વરૂપથી ભાવિત થાય ત્યારે ગુણ-નિષ્પત્તિને અનુકૂળ એવા ભાવોથી ભાવિત થાય છે અને સર્વકર્મથી રહિત થાય છે ત્યારે તે જ જીવ કોઈ ભાવોથી ભાવિત થતા નથી, પરંતુ અભાવુકદ્રવ્ય બને છે. તેથી જગતના કોઈ ભાવોને સ્પર્શે નહીં તેવા અસંગપરિણામવાળા બને છે. તેથી જ સિદ્ધમાં ગયેલા જીવો સદા એક પરિણામવાળા હોવાથી કોઈ પ્રકારના કર્મને બાંધતા નથી. III અવતરણિકા - પૂર્વ શ્લોકમાં આત્માને સંબોધીને લોકાકાશનું ભાવન કરવાનું કહ્યું. તે લોકાકાશ કેવા સ્વરૂપવાળું છે તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : लसदलोकपरिवेष्टितं गणनातिगमानम् । पञ्चभिरपि धर्मादिभिः सुघटितसीमानम् ।।विनय० २।। શ્લોકાર્ચ - અલોકથી પરિવેષ્ટિત દેખાતો લોક સર્વ દિશાઓથી અલોકાકાશથી વીંટળાયેલો, ગણનાથી અતિગમાનવાળો-લોકાકાશ અસંખ્યાત યોજનના પ્રમાણવાળો હોવાથી ગણનાથી અતીત પ્રમાણવાળો, વળી ધર્માસ્તિકાય આદિ પાંચથી સુઘટિત સીમાવાળો ના=વિલાસ કરતો લોકાકાશ છે અને તેવા શાશ્વત લોકાકાશનું તું વિભાવન કર એમ શ્લોક-૧ સાથે સંબંધ છે. III ભાવાર્થ : શ્લોક-૧માં લોકાકાશના વિભાવનનું સામાન્યથી કથન કર્યું. હવે તે લોકાકાશ કેવા સ્વરૂપવાળું છે તેની કાંઈક સ્પષ્ટતા પ્રસ્તુત શ્લોકમાં કરે છે. અલોકથી પરિવેષ્ટિત લોકાકાશ છે અને તે લોકાકાશ ગણનાથી અતીત પ્રમાણવાળું છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ચૌદ રાજલોકનું જે પુરુષ આકારરૂપે શાસ્ત્રમાં વર્ણન મળે Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શાંતસુધારસ છે તે લોકાકાશ અસંખ્યાતા યોજન પ્રમાણ હોવાથી ગણનાથી અતીત પ્રમાણવાળો છે અને તે લોકાકાશની બહાર અલોકાકાશ છે તેથી અલોકાકાશથી ચારેબાજુથી વીંટળાયેલો લોકાકાશ છે. વળી, તે લોકાકાશ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એ પાંચથી સુટિત સીમાવાળો છે અર્થાત્ તે પાંચ દ્રવ્યમય છે અને જગતમાં તે સ્વરૂપે શોભી રહ્યો છે. તેવા લોકાકાશને તું હૃદયમાં ઉપસ્થિત કર. બુદ્ધિરૂપી ચક્ષુ સામે પાંચ પદાર્થોમય અલોકાકાશથી વેષ્ટિત લોકાકાશને જિનવચનાનુસાર જોવાની નિર્મલ પ્રજ્ઞા પ્રગટે છે. તેથી શ્રુતવચનાનુસાર લોકસ્વરૂપથી પોતાનો આત્મા ભાવિત બને છે. III અવતરણિકા : વળી, તે લોકાકાશ કેવા સ્વરૂપવાળો છે તેનું વિશેષ સ્વરૂપ સ્પષ્ટ કરતાં કહે છે શ્લોક ઃ समवघातसमये जिनैः, परिपूरितदेहम् । असुमदणुकविविधक्रियागुणगौरवगेहम् । । विनय० ३ ॥ શ્લોકાર્થ : - સમુદ્ઘાતના સમયે જિનો વડે પરિપૂરિત દેહવાળું લોકાકાશ છે. અસુમ=જીવ અને અણુક= પરમાણુ આદિ, તેઓની વિવિધ ક્રિયા, તેના ગુણો અને ગૌરવ=હાનિ વૃદ્ધિનું પ્રાચર્ય, તેનું ગેહ=નિવાસસ્થાન, એવા લોકાકાશને હે વિનય ! તું હૃદયમાં શાશ્વત વિભાવન કર. II3II ભાવાર્થ: વળી, પોતાના આત્માને સંબોધીને તે મહાત્મા કહે છે કે હે વિનય ! તું લોકાકાશનું હૃદયમાં ભાવન કર જે લોકાકાશ જિનેશ્વર ભગવંતો કેવલીસમુદ્દાત કરે છે ત્યારે તેમના આત્મપ્રદેશોથી પૂર્ણ ભરાયેલો છે વળી, તે લાંકાકાશ સંસારીજીવો અને અણુ આદિ પુદ્ગલોની વિવિધ પ્રકારની ક્રિયાઓથી થતા ગુણોના ગૌરવનું સ્થાન છે. આનાથી એ પ્રાપ્ત થાય કે કેવલીસમુદ્દાત વખતે ચૌદરાજલોક કેવલીના આત્મપ્રદેશોથી પુરાયેલું છે તે સ્વરૂપે લોકસ્વરૂપનું ભાવન કરનાર મહાત્માને બુદ્ધિ સન્મુખ દેખાય છે. વળી, સૂક્ષ્મ નિગોદ આદિ જીવોથી માંડીને પંચેન્દ્રિય સુધીના ચારેય ગતિના જીવોથી અત્યંત ભરાયેલો દેખાય છે. નિર્ગોદમાં અનંતાનંત જીવો છે. તે સિવાય પણ અન્યગતિઓમાં અસંખ્યાતા જીવો છે તે સર્વથી લોક ભરાયેલો દેખાય છે. વળી જેમ જીવોથી લોક ભરાયેલો છે તેમ પરમાણુ આદિ અનંત પુદ્ગલોથી પણ લોક ભરાયેલો દેખાય છે. વળી જીવો અને પુદ્ગલો વિવિધ પ્રકારની ક્રિયાઓ કરીને સંસારમાં અનેક પ્રકારના ભાવો રૂપે પરિવર્તન થતા દેખાય છે. તેથી જે સંસારીજીવો એકેન્દ્રિયાદિમાં પડેલા દેખાય છે તે જ જીવો બેઇન્દ્રિયાદિ ભાવોને પામીને પંચેન્દ્રિય આદિ સુધીના ભાવોને પામતા પણ દેખાય છે અને વિવેક પ્રગટેલા જીવો સાધના કરતા પણ દેખાય છે. એટલું જ નહીં, સાધના કરતા જીવો પ્રમાદને પામીને નિગોદમાં કે નરકમાં પણ જતા દેખાય છે. આથી જ અનંતા ચૌદ પૂર્વધરો પણ પ્રમાદને વશ નિગોદમાં વિદ્યમાન છે તે શાસ્ત્રવચનથી દેખાય Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૧. લોકસ્વરૂપભાવના-ગીત | શ્લોક-૩-૪ ૧૪૧ છે. વળી, પુદ્ગલોના અનેક પ્રકારના ભાવો દેખાય છે. જેથી જે પુદ્ગલો અત્યારે અત્યંત સુંદર દેખાય છે તેના તે પુદ્ગલો ક્યારેક અત્યંત ખરાબ પરિણામવાળા થતા પણ દેખાય છે અને જે પુદ્ગલો અત્યારે અત્યંત ખરાબ પરિણામવાળા છે તેના તે જ પુદ્ગલો ક્યારેક અત્યંત સુંદર પરિણામવાળા થતા પણ દેખાય છે. આ પ્રકારે ભાવન કરવાથી પદાર્થને યથાર્થ જોવાની મધ્યસ્થબુદ્ધિ પ્રગટે છે જેનાથી ઘણા કર્મોની નિર્જરા થાય છે. II3II શ્લોક ઃ एकरूपमपि पुद्गलैः कृतविविधविवर्तम् । काञ्चनशैलशिखरोन्नतं क्वचिदवनतगर्तम् । । विनय० ४ । । શ્લોકાર્થ : એકરૂપવાળો પણ=પંચાસ્તિકાયમય સ્વરૂપે એક સ્વરૂપવાળો પણ પુદ્ગલોથી કરાયેલા વિવિધ વિવર્તવાળો=વિવિધ આકારવાળો, કાંચનપર્વતરૂપ, મેરુપર્વતના શિખરથી ઉન્નત અને કોઈક સ્થાનમાં અવનતગર્તાવાળો=ઊંડા ખાડાવાળો એવો શાશ્વત લોકાકાશ છે તેનું હે વિનય ! તું હૃદયમાં ભાવન કર. ૪ ભાવાર્થ: જિનવચન અનુસાર લોકના સ્વરૂપને ભિન્ન ભિન્ન પ્રકારે ભાવન ક૨વા અર્થે મહાત્મા વિચારે છે કે ધર્માસ્તિકાય આદિ પાંચના સમુદાયરૂપ અને અલોકથી વીંટળાયેલો એવો લોકાકાશ એક સ્વરૂપવાળો છે તોપણ તે લોકાકાશમાં વર્તતા ૫૨માણુ વ્યણુક આદિ માંડીને અનંત ૫૨માણુઓના સ્કંધોથી કરાયેલા વિવિધ પ્રકારના સ્વરૂપવાળો છે. વળી, લોકના મધ્યભાગમાં મનુષ્યલોક તેની મધ્યમાં જંબુદ્વીપ છે અને તે જંબુદ્વીપના મધ્યભાગમાં સુવર્ણના પુદ્ગલો છે પ્રચુર પ્રમાણમાં જેમાં તેવા માટી અને પત્થ૨ના પુદ્ગલોથી બનેલો મેરુપર્વત છે જેનાં ઊંચાં શિખરો છે. તે સિવાય અન્ય ખંડોમાં પણ ચાર મેરુ છે એ રીતે પાંચ મેરુથી શોભતો એવો આ લોકાકાશ છે. તો વળી, અન્ય ઘણાં સ્થાનોમાં ઊંડા ઊંડા ખાડાઓ પણ છે. આવા વિચિત્ર સ્વરૂપવાળો લોકાકાશ છે. આ પ્રકારના ભાવનથી પુદ્ગલોની વિવિધતા દેખાય છે. કોઈક સ્થાનમાં સુવર્ણ આદિ પરિણમનવાળા પુદ્ગલો દેખાય છે અને ઊંચાં શિખરો દેખાય છે. તો વળી કોઈક સ્થાનમાં અશુભ પુદ્ગલો અને ઊંડા ઊંડા ખાડાઓ દેખાય છે. જેથી પુદ્ગલની અત્યંત વિચિત્રતા જોઈ પુદ્ગલ પ્રત્યેના અનાદિના જે રાગાદિ ભાવો છે તે ક્ષીણ થાય છે અને જગતના યથાર્થ સ્વરૂપના ભાવનને કારણે પુદ્ગલના પક્ષપાતથી જોવાની અનિર્મળમતિ ક્ષીણ થાય છે અને પદાર્થનું જેવું સ્વરૂપ છે તે સ્વરૂપે જ જોવાની નિર્મળમતિ પ્રગટે છે. તેથી નિર્જરાના અર્થી એવા મહાત્મા પોતાના આત્માને હે વિનય ! એ પ્રમાણે સંબોધન કરીને લોકાકાશનું યથાર્થ સ્વરૂપ ભાવન ક૨વા અર્થે પ્રેરણા કરે છે. જેથી તે પ્રકારે લોકાકાશના ભાવન દ્વારા પોતાના આત્માને નિર્મળ કરીને કર્મોના વિનયનને પોતે પ્રાપ્ત કરી શકે. II૪l Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્લોક ઃ क्वचन तविषमणिमन्दिरैरुदितोदितरूपम् । घोरतिमिरनरकादिभिः क्वचनातिविरूपम् । । विनय० ५ । । શ્લોકાર્થ ઃ વળી, તે લોકાકાશ કોઈક સ્થાનમાં દેવલોકમાં રહેલા મણિઓથી બનેલા શાશ્વત જિનાલય આદિથી અત્યંત સુંદર શોભાવાળું છે. તો કોઈક સ્થાનમાં ગાઢ અંધકારવાળા નરકાદિ સ્થાનો વડે અતિ વિરૂપ છે. એવા શાશ્વત લોકાકાશને હે વિનય ! તું હૃદયમાં ભાવન કર. પા ભાવાર્થ: વળી, તે મહાત્મા લોકાકાશના યથાર્થ સ્વરૂપના ભાવન અર્થે વિચારે છે કે આ લોકાકાશમાં દેવલોકનાં સ્થાનો છે જ્યાં ઉત્તમ મણિઓથી બનેલાં શાશ્વત જિનાલયો છે. તે સર્વ અત્યંત દેદીપ્યમાન સ્વરૂપવાળાં, ઇન્દ્રિયોને આકર્ષણ કરે તેવા રમ્ય સ્વરૂપવાળાં છે. વળી તે લોકાકાશમાં ઘોર અંધકારમયવાળાં નરકાદિ સ્થાનો પણ છે. જ્યાંનું મલિન, દુર્ગંધમય, અંધકારમય અતિ વિકૃત સ્વરૂપ જોઈને પણ અત્યંત ભય પેદા થાય તેવું છે. જેથી પુદ્ગલની માયારૂપ સુંદરતા અને અસુંદરતાથી બનેલો આ લોકાકાશ છે. તેથી વિવેકી પુરુષે તે સ્વરૂપનું યથાર્થ ભાવન કરીને સંસારના ચક્રની વિટંબણામાંથી ચિત્તને બહાર કાઢીને મોક્ષની પ્રાપ્તિ અર્થે નિર્મળ ચિત્ત થાય તે રીતે વારંવાર લોકાકાશનું સ્વરૂપ ભાવન ક૨વું જોઈએ જેથી આત્મામાંથી અશુભ કર્મનો વિનયન થાય. શુભકર્મનું આધાન થાય, આત્માની ગુણસંપત્તિને વિકસાવવાને અનુકૂળ બળશક્તિનું આધાન થાય, જેથી સુખપૂર્વક કર્મોનો નાશ કરીને પોતાનો આત્મા કર્મની વિડંબણાથી મુક્ત થાય. IIII શ્લોક ઃ क्वचिदुत्सवमयमुज्ज्वलं, जयमङ्गलनादम् क्वचिदमन्दहाहारवं, पृथुशोकविषादम् । । विनय० ६ । । શાંતસુધારસ શ્લોકાર્થ વળી, લોકાકાશનું સ્વરૂપ કોઈક સ્થાનમાં ઉત્સવમય ઉજ્વલ એવા જયમંગલ નાદવાળું છે. અને કોઈક ઠેકાણે અત્યંત હાહારવવાળું વિસ્તાર પામતા શોકવિષાદવાળું છે. તેનું તું ભાવન $2. 11911 : ભાવાર્થ: વળી, મહાત્મા લોકસ્વરૂપનું ભાવન ક૨વા અર્થે વિચારે છે કે સંસારનું આ વિચિત્ર સ્વરૂપ છે. જુદાં જુદાં કર્મોને વશ જુદા જુદા જીવો જુદા જુદા પ્રકારના સંયોગોને પ્રાપ્ત કરે છે જેથી જે જીવોને જે Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૧. લોકસ્વરૂપભાવના-ગીત / બ્લોક-૬-૭ ૧૪૩ પ્રકારના અનુકૂળ સંયોગો પ્રાપ્ત થયા છે તે જીવો તે સંયોગો અનુસાર આનંદ લેવા માટે ઉત્સવો કરે છે અને તેના કારણે તે લોકાકાશ જયમંગલના નાદોથી ઉજ્વલ દેખાય છે. આથી પુન્યના ઉદયવાળા જીવો અનેક પ્રકારના ઉત્સવો દ્વારા જયમંગલના નાદને કરતા દેખાય છે. વળી પુન્યના ઉદયથી જન્મેલા દેવોનાં સ્થાનોમાં પણ જયમંગલના નાદ થતા દેખાય છે. તો વળી, કોઈક સ્થાનોમાં આ લોકાકાશ અત્યંત હાહારવવાળું અને વિસ્તાર પામતા શોકના વિષાદવાળું દેખાય છે. આથી મનુષ્યલોકમાં પણ જેઓ અતિદુઃખી જીવો છે તેઓ સદા પોતાને પ્રાપ્ત થયેલાં દુ:ખોથી સદાય “હું ત્રાસેલો છું” એ પ્રકારનો અત્યંત હાહારવ કરતા હોય છે અને અત્યંત વિસ્તાર પામતા શોકના વિષાદવાળા હોય છે. વળી, પશુઓ પણ અન્ય પશુઓથી મનુષ્યોથી ત્રાસ પામતાં હોય છે ત્યારે અત્યંત હાહારવ કરતાં હોય છે અને અત્યંત વિસ્તાર પામતા શોકવાળાં હોય છે. વળી, નારકીઓ તો સદા અનેક પ્રકારના દુઃખોથી સતત હાહારવ કરતા જ હોય છે અને અત્યંત લોકવિષાદથી સમય પસાર કરતા હોય છે. દેવો પણ અકસ્માતું કોઈક દેવી આદિનો વિયોગ થાય છે ત્યારે અત્યંત હાહારવ કરે છે. જેમ ઋષભદેવ ભગવાનનો આત્મા લલિતાંગ દેવના ભવમાં સ્વયંપ્રભાદેવી આવી જતાં આખો દેવલોક તેમને વિષાદયુક્ત દેખાય છે. દિવસરાત અત્યંત હાહારવ કરે છે અને તેમની તે પ્રકારની સ્થિતિ જોઈને પૂર્વભવનો મંત્રી એવો દેવ સ્વયંપ્રભાદેવીના સ્થાને દેવી મેળવવાનો ઉપાય તે લલિતાંગ દેવને બતાવે છે. તે વચન પ્રમાણે તે દેવ અનશનને ગ્રહણ કરેલ એવી નિર્નામિકા પાસે પોતાનું રૂપ બતાવે છે અને તે નિર્નામિકાનો જીવ મરીને સ્વયંપ્રભાદેવી થાય છે. ત્યારે તે દેવ કાંઈક સ્વસ્થ થાય છે તોપણ સ્વયં-પ્રભાદેવીની અપ્રાપ્તિકાળ સુધી અત્યંત વિશાદમય સમય પસાર કરે છે. તેથી સંસારનાં દરેક સ્થાનોમાં હાહારવ અને શોકની પ્રાપ્તિ દેખાય છે. માટે સંસારનું આ સ્વરૂપ અત્યંત વિષમ છે તેમ ભાવન કરવાથી પિત્ત સંસારના ભાવો પ્રત્યેના સંશ્લેષ વગરનું બને છે અને તેનું નિર્મળ ચિત્ત કરવા અર્થે મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે કે હે વિનય ! તું શાશ્વત એવા લોકાકાશનું સ્વરૂપ ભાવન કર. જેથી લોકસ્વરૂપભાવનાથી નિર્મળ થયેલું ચિત્ત સંસારના ભાવોથી પરામુખ બને. IIકા શ્લોક : बहुपरिचितमनन्तशो, निखिलैरपि सत्त्वैः । जन्ममरणपरिवर्तिभिः कृतमुक्तममत्वैः ।।विनय०७।। શ્લોકાર્ચ - જન્મ મરણના પરિવર્તન કરનારા, કૃતમુક્ત મમત્વવાળા એવા કર્યું છે દેહ આદિમાં મમત્વ જેમણે અને ત્યાર પછી મરણ વખતે મમત્વના વિષયભૂત દેહનો ત્યાગ કર્યો છે જેમણે એવા, સર્વ પણ જીવો વડે અનંતી વખત બહુ પરિચિત એવા શાશ્વત લોકાકાશને હે વિનય ! તું હૃદયમાં ભાવન કર. IIછા Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શાંતસુધારસ ભાવાર્થ: વળી, લોકસ્વરૂપનું ભાવન કરવા અર્થે શાસ્ત્રાનુસારી મતિવાળા મહાત્મા વિચારે છે કે સંસારના બધા જીવો અનાદિકાળથી છે. કોઈ જીવની આદિ નથી તેથી ભૂતકાળમાં તે જીવો પોતપોતાના તે તે પ્રકારના અધ્યવસાયને અનુસાર કર્મ બાંધીને ચારેય ગતિઓના પ્રાયઃ સર્વ સ્થાનોમાં જન્મ મરણ દ્વારા પરિવર્તન કરે છે અને દરેક ભવમાં જે જે સામગ્રી પામે છે તે તે સામગ્રીમાં સુંદર સામગ્રીની પ્રાપ્તિ થાય ત્યારે તેના પ્રત્યે મમત્વ કરે છે. આમ છતાં તે મમત્વના વિષયભૂત દેહ આદિ સુંદર સામગ્રીને પણ મરણાદિ વખતે છોડી દે છે. તેથી દરેક ભવોમાં મમત્વ કરીને વસ્તુનો સંગ્રહ કરવો અને અસહાયરૂપે તેનો ત્યાગ કરવો એ પ્રકારે સર્વ પણ જીવોએ અનંતી વખત દરેક સ્થાનોમાં ભમીને તે દરેક સ્થાનોને અત્યંત પરિચિત કર્યા છે તોપણ તેની વિડંબનાથી સંસારીજીવો ઉદ્વેગ પામતા નથી. તેથી મોહને પરવશ જીવોને ક્યારેક જ પ્રાપ્ત થાય તેવા દેવભવો પણ અનંતી વખત પ્રાપ્ત કરે છે, નવરૈવયક પણ અનંતી વખત પ્રાપ્ત કરે છે અને પ્રાયઃ કરીને વધારે ભાગના ભવો નરકગતિ, તિર્યંચગતિ અને એકેન્દ્રિય આદિમાં પસાર કરે છે. આ રીતે આ દેખાતું લોકાકાશ પોતે અનંતી વખતે તે તે ભવોમાં જન્મ-મરણ કરીને બહુ પરિચિત કર્યું છે એ પ્રમાણે વિનય! તું હૃદયમાં ભાવન કર. જેથી પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોઈને ભવના ઉચ્છેદને અનુકૂળ સર્વીર્ય ઉલ્લસિત થાય. આના શ્લોક - इह पर्यटनपराङ्मुखाः, प्रणमत भगवन्तम् । शान्तसुधारसपानतो, धृतविनयमवन्तम् ।।विनय० ८।। શ્લોકાર્ચ - અહીં લોકાકાશના પર્યટનમાં, પરામુખ થયેલા હે જીવો ! શાંત-સુધારસના પાનથી ધૃતવિનયવાળા જીવનું રક્ષણ કરતા એવા ભગવાનને તમે પ્રણામ કરો. IIcil ભાવાર્થ : ગ્રંથકારશ્રીએ લોકસ્વરૂપની ભાવના બતાવવા અર્થે પોતાના આત્માને સંબોધીને કહ્યું કે હે વિનય ! તું હૃદયમાં શાશ્વત એવા લોકાકાશનું સ્વરૂપ ભાવન કર. ત્યાર પછી તે લોકાકાશનું સ્વરૂપ કેવું છે તે અનેક દૃષ્ટિકોણથી બતાવ્યું અને તેનું સ્વરૂપ બતાવ્યા પછી શ્લોક-૭માં કહ્યું કે દરેક જીવોએ પ્રાય: અનંતી વાર આ લોકાકાશને બહુ પરિચિત કર્યો છે તેથી તેનું સ્વરૂપ જાણીને તે ચારગતિઓના ભ્રમણથી જેઓ પરાક્ષુખ થયા છે તેવા જીવોને સંબોધીને ગ્રંથકારશ્રી કહે છે - લોકાકાશના પર્યટનથી પરામુખ થયેલા જીવો તમે ભગવાનને પ્રણામ કરો. જેથી તેમને કરાયેલા નમસ્કારના બળથી તમારા ભવભ્રમણનો ઉચ્છેદ થાય. હવે, તે ભગવાન કેવા છે તે બતાવતાં કહે છે – જે જીવો શાંતસુધારસના પાનથી ધૃતવિનયવાળા, સમ્યગૂ રીતે પરિણમન પામેલા વિનયના પરિણામવાળા થયા છે તેવા જીવોને ભવભ્રમણથી રક્ષણ કરનારા Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ૧૧. લોકસ્વરૂપભાવના-ગીત | શ્લોક-૮ ભગવાન છે તેથી તમે તેમને પ્રણામ કરીને તમારા ભવનો ઉચ્છેદ કરો. આશય એ છે કે બાર ભાવનાઓ આત્મામાં શાંત એવા અમૃતરસને પ્રગટ કરનાર છે તેથી જે મહાત્મા ભાવનાઓના પરમાર્થને સ્પર્શે તે રીતે બાર ભાવનાઓથી આત્માને ભાવિત કરે છે તેનું ચિત્ત મોહના વિકારથી પર થઈને શાંતરસના પરિણામવાળું બને છે. એટલું જ નહિ તે જીવો ભગવાનના પારમાર્થિક ગુણને અભિમુખ ધારણ કરાયેલા વિનયના પરિણામવાળા બને છે તેથી તેઓનું ચિત્ત સદા ભગવાનના પારમાર્થિક ગુણોને અભિમુખ જ પ્રવર્તતું હોય છે. આવા જીવોનું ભગવાન અવશ્ય ભવભ્રમણથી રક્ષણ કરે છે. તેથી તેવા ગુણસંપન્ન એવા તીર્થંકરોના સ્વરૂપને સ્મૃતિમાં રાખીને તેમના ગુણો પ્રત્યે ચિત્ત અત્યંત અભિમુખભાવ થાય તે રીતે તેમને તમે નમસ્કાર કરો કે જેથી શીઘ્ર ભવભ્રમણનો નાશ થાય. ભગવાનને કરાયેલી નમસ્કારની ક્રિયા ભગવાનના ગુણો પ્રત્યેના આકર્ષણને કારણે જીવને વીતરાગતુલ્ય બનવાનું કારણ બને છે અને વીતરાગ થયેલો જીવ ફરી જન્મને પ્રાપ્ત કરતો નથી અને ભવભ્રમણની કદર્થનાથી સદા મુક્ત થાય છે. III II અગિયારમો પ્રકાશ પૂર્ણ ॥ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શાંતસુધારસ G ૧૨. બોધિદુર્લભભાવના છે શ્લોક : यस्माद्विस्मापयितसुमनःस्वर्गसम्पद्विलासप्राप्तोल्लासाः पुनरपि जनिः सत्कुले भूरिभोगे । ब्रह्माद्वैतप्रगुणपदवीप्रापकं निःसपत्नं, तद् दुष्प्रापं भृशमुरुधियः सेव्यतां बोधिरत्नम् ।।१।। શ્લોકાર્થ: જેનાથી જે બોધિલાભથી, વિમાપતિ, સુંદર મનવાળી, સ્વર્ગ-સંપત્તિના વિકાસને પ્રાપ્ત થયેલા ઉલ્લાસવાળા જીવો ફરી પણ ભૂરિભોગવાળા સત્કુલમાં જન્મે છે. બ્રહ્માદ્વૈતપ્રગુણપદવીનું પ્રાપક, નિઃસપત્ન, દુઃખે કરીને પ્રાપ્ત થાય એવા તે બોધિરત્નને ઉત્તમબુદ્ધિવાળા જીવો તમે અત્યંત સેવન કરો. III ભાવાર્થ જે બોધિની પ્રાપ્તિના કારણે બંધાયેલા પુણ્યાનુબંધી પુણ્યના ઉદયને કારણે જીવો દેવગતિમાં જાય છે ત્યાં ચિત્તને વિસ્મય ઉત્પન્ન કરે તેવી સુંદર મનને કરનારી, સ્વર્ગસંપત્તિની પ્રાપ્તિ થાય છે અને તે સ્વર્ગસંપત્તિના વિલાસને કારણે પ્રાપ્ત થયેલા ઉલ્લાસવાળા તે જીવો સદા વિચારે છે કે ભગવાનના શાસનની પ્રાપ્તિના કારણે જે મારું ઉત્તમ ચિત્ત થયું છે તેના ફળરૂપે જ મનને આસ્લાદ કરે તેવી સ્વર્ગસંપત્તિના વિલાસો મને પ્રાપ્ત થયા છે. માટે જે બોધિના ફળરૂપે મને આવું ઉત્તમસુખ મળ્યું છે તે બોધિનું પાલન કરવું, રક્ષણ કરવું અને તેની વૃદ્ધિ કરવી એમાં જ મારું હિત છે. આવી ભાવનાથી, દેવભવમાં પણ તે મહાત્માઓ ધર્મવ્યવસાયસભામાં સતુશાસ્ત્રનું અધ્યયન કરીને ભગવાનના વચનથી આત્માને ભાવિત કરે છે, તીર્થંકર આદિ ઉત્તમપુરુષોની દેશના સાંભળે છે, દેવલોકમાં વર્તતી શાશ્વતજિનપ્રતિમાની સદા ભક્તિ કરે છે અને તીર્થંકર આદિ ઉત્તમપુરુષોનાં ચરિત્રો પ્રત્યેના બદ્ધરાગવાળા એવા તેઓ તીર્થકર આદિનાં ચરિત્રને બતાવનાર નાટકોને જુએ છે. આ રીતે સર્વ પ્રવૃત્તિકાળમાં તેઓનું પ્રાપ્ત થયેલું સમ્યગ્દર્શન નિર્મળ, નિર્મળતર થાય છે અને અત્યંત સુખપૂર્વક દેવલોકોનાં સુખોને ભોગવીને તે મહાત્માઓ નિર્મળબોધિના કારણે ફરી પણ ઘણાં ભોગવાળાં ઉત્તમકુળોમાં જન્મ લે છે અને પૂર્વમાં પ્રાપ્ત થયેલું બોધિ જેમ દેવલોકમાં પુષ્ટ-પુષ્ટતર કરેલું તેના બળથી ફરી મનુષ્યભવમાં ઉલ્લસિત થયેલા બોધિવાળા એવા તેવો આત્મકલ્યાણ અર્થે યોગમાર્ગને સેવે છે. આવા જીવોનું તે નિર્મળબોધિ બ્રહ્માદ્વૈતપ્રકૃષ્ટગુણવાળી પદવીનું પ્રાપક બને છે=આત્માનું શુદ્ધસ્વરૂપ જે મોક્ષમાં વિદ્યમાન છે તે બ્રહ્મસ્વરૂપ છે અને તે બ્રહ્મસ્વરૂપ સાથે અદ્વૈત અવસ્થા મુક્ત અવસ્થામાં પ્રાપ્ત થાય છે તેવી બ્રહ્માદ્વૈતરૂપ અવસ્થા પ્રકૃષ્ટ ગુણવાળી આત્માની અવસ્થા છે અને તેવી ઉત્તમ પદવીનું પ્રાપક તેઓનું નિર્મળબોધિ છે; કેમ કે જેઓની પાસે નિર્મળબોધિ છે તેઓ સંસારનું વાસ્તવિક સ્વરૂપ સદા યથાર્થ જોનારા હોય છે તેથી તેઓને આત્માની મુક્ત અવસ્થા જે સારભૂત દેખાય છે. વળી, પોતાના નિર્મળબોધિના Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૨. બોધિદુર્લભભાવના | શ્લોક–૧–૨ 929 બળથી સદા સ્વભૂમિકા અનુસાર યોગમાર્ગને સેવીને અવશ્ય મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરવા માટે સદા ઉદ્યમ કરે છે તેથી તેઓનું બોધિ મુક્ત અવસ્થાનું પ્રાપક છે. વળી, તે બોધિ આત્મામાં જે દ્વંદ્વો છે તેને શાંત કરનાર છે તેથી નિઃસપત્ન છે. વળી, તે બોધિ અત્યંત દુઃપ્રાપ્ય છે; કેમ કે અનંતકાળથી સંસારમાં ભટકતા જીવને અનંતી વખત બાહ્યથી તીર્થંકરનો યોગ કે દેવભવની પ્રાપ્તિ થઈ છે તોપણ પોતાનો જીવ ત્યારે ભારેકર્મી હોવાથી અત્યારસુધી બોધિની પ્રાપ્તિ થઈ નહીં આથી જ જીવ સંસારમાં ચારેય ગતિઓમાં ભટક્યા કરે છે. તેમાં દુષ્પ્રાપ્ય એવું બોધિ કોઈક રીતે પ્રાપ્ત થયું હોય કે બોધિ સન્મુખભાવ પ્રાપ્ત થયો હોય તેવા જીવોને ઉદ્દેશીને ગ્રંથકારશ્રી કહે છે – હે ઉત્તમબુદ્ધિવાળા જીવો ! તમે એવા બોધિરત્નનું અત્યંત સેવન કરો. આ પ્રકારે કોઈ મહાત્મા વારંવાર ભાવન કરે તો તેને બોધિ પ્રત્યેનો પક્ષપાત થાય છે અને બોધિ પ્રત્યેના પક્ષપાતવાળા જીવો જિનવચનઅનુસાર તેની પ્રાપ્તિના ઉપાયો જાણે અને તેમાં સમ્યગ્ યત્ન કરે તો બોધિ પ્રાપ્ત ન થયુ હોય તોપણ અવશ્ય પ્રાપ્ત થાય છે અને પ્રાપ્ત થયું હોય તો નિર્મળ-નિર્મળતર થાય છે. II શ્લોક ઃ अनादौ निगोदान्धकूपे स्थितानामजस्त्रं जनुर्मृत्युदुःखार्दितानाम् । परिणामशुद्धिः कुतस्तादृशी स्याद्, यया हन्त तस्माद्विनिर्यान्ति जीवाः ।।२।। શ્લોકાર્થ : ખેદની વાત છે કે અનાદિ નિગોદરૂપી અંધકૂવામાં રહેલા અને સતત જ્ન્મમૃત્યુના દુઃખથી દુખિત એવા જીવોને તેવા પ્રકારની પરિણામની શુદ્ધિ ક્યાંથી થાય જેના વડે=જે પરિણામની શુદ્ધિ વડે, તેનાથી=નિગોદરૂપી અંધકૂવામાંથી, જીવો બહાર નીકળે ? ।।૨।। ભાવાર્થ: પૂર્વ શ્લોકમાં કહ્યું કે બોધિની પ્રાપ્તિ દુષ્પ્રાપ્ય છે. કેમ દુષ્પ્રાપ્ય છે ? તેને સ્પષ્ટ ક૨વા અર્થે કહે છે સંસારીજીવોનો આત્મા અનાદિકાળથી નિગોદરૂપી અંધકૂવામાં હોય છે જ્યાં ગાઢ જ્ઞાનાવરણીયકર્મના ઉદયને કારણે જીવની ચેતના અત્યંત મંદ મંદ વર્તે છે. વળી, દર્શનમોહનીયકર્મના ઉદયને કારણે તત્ત્વના સન્મુખ઼ભાવની પણ પ્રાપ્તિ ત્યાં થઈ શકે તેમ નથી. સતત જન્મ અને મરણનાં દુ:ખોથી દુઃખી તેઓ સદા અસ્વસ્થતાના પરિણામમાં વર્તે છે. માટે નિગોદમાંથી બહાર નીકળી શકાય તેવી કંઈક પણ પરિણામની શુદ્ધિ તેઓને પ્રાયઃ થતી નથી. તેથી જ અનંત અનંત પુદ્ગલપરાવર્તથી નિગોદમાં જન્મે છે, નિગોદમાં જ મરે છે. આપણો પણ આત્મા આ રીતે અનંત અનંત પુદ્ગલપરાવર્તી નિગોદમાં પસાર કરીને આવેલ છે. જ્યાંસુધી તેવા પ્રકારની પરિણામની શુદ્ધિની પ્રાપ્તિ ન થઈ ત્યાંસુધી આપણો પણ આત્મા નિગોદમાંથી બહાર નીકળી શક્યો નહિ અને જે જીવો હજી પણ તેવી પરિણામની શુદ્ધિ પામ્યા નથી તે નિગોદમાંથી બહાર નીકળતા નથી. આ રીતે ભગવાનના શાસનના રહસ્યની પ્રાપ્તિને અનુકૂળ તેવી સામગ્રી પણ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શાંતસુધારસ નિગોદમાં દુર્લભ છે તો બોધિની પ્રાપ્તિ તો કેવી રીતે થઈ શકે ? બોધિની પ્રાપ્તિ વગર સંસારની આ કદર્થનાનો અંત કેવી રીતે થઈ શકે ? માટે આત્માએ સતત ભાવન કરવું જોઈએ કે બોધિની પ્રાપ્તિ અતિ દુર્લભ છે અને જો હું સમ્યગુ યત્ન નહીં કરું તો ફરી નિગોદમાં જવાનો પ્રસંગ આવશે જ્યાંથી બહાર નીકળવા અનુકૂળ પરિણામની શુદ્ધિ પણ દુર્લભ થશે. માટે દુર્લભ એવા બોધિની પ્રાપ્તિ કર્યા પછી મારે તેના રક્ષણ માટે સતત જાગ્રત રહેવું જોઈએ અને કોઈક રીતે બોધિ પ્રાપ્ત ન થયું હોય તો પણ વારંવાર તેની પ્રાપ્તિના ઉપાયનું સેવન કરીને તેને પ્રાપ્ત કરવા માટે સમ્યમ્ યત્ન કરવો જોઈએ. llણા શ્લોક : ततो निर्गतानामपि स्थावरत्वं, त्रसत्वं पुनर्दुर्लभं देहभाजाम् । त्रसत्वेऽपि पञ्चाक्षपर्याप्तसंजिस्थिरायुष्यवद् दुर्लभं मानुषत्वम् ।।३।। શ્લોકાર્ચ - વળી, ત્યાંથી નિગોદથી, નિર્ગત પણ દેહધારી જીવોને સ્થાવરપણું-નિગોદથી અન્ય સ્થાવરપણું અને બસપણું દુર્લભ છે. મસાણામાં પણ પંચેન્દ્રિય પર્યાપ્ત એવા સંજ્ઞીનું, સ્થિર આયુષ્યવાળું મનુષ્યપણું દુર્લભ છે. ll3II ભાવાર્થ સંસારમાં ભટકતા જીવને ભગવાનના વચનાનુસાર તત્ત્વની રુચિ અત્યંત દુર્લભ છે તેવું ભાવન કરવા અર્થે મહાત્મા વિચારે છે – અનંત-અનંત જુગલપરાવર્તન સુધી સર્વ જીવો નિગોદમાં રહેલા હોય છે. ત્યાંથી કોઈક રીતે નીકળીને વ્યવહારરાશિમાં આવેલા જીવોને અનાભોગ આદિથી કાંઈક શુભઅધ્યવસાય થાય ત્યારે તેઓ પૃથ્વીકાય આદિ અન્ય સ્થાવરને અનુકૂળ આયુષ્યબંધ કરે છે અને તે ભાવોમાં અતિ નષ્ટપ્રાયઃ ચેતના હોય છે, મૂઢતા આપાદક કર્મો પ્રચુર હોય છે, તેથી ફરી-ફરી તે જીવો સ્થાવરને અનુકૂળ અધ્યવસાયો કરીને અનંતો કાળ પૃથ્વી, પાણી આદિ ભાવોમાં જ ફર્યા કરે છે. આ રીતે ભટકતાં-ભટકતાં કર્મની કંઈક નિર્જરા થવાથી કોઈક જીવને, કોઈક વખતે, અનાભોગથી કંઈક શુભઅધ્યવસાય થાય છે, જેના બળથી તે જીવ સ્થાવરભાવમાંથી નીકળી ત્રસભાવને પામે છે. ત્રસભાવમાં પણ બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિયના ઉત્તરોત્તર ભાવને અનુકૂળ કંઈક શુભઅધ્યવસાય તે જીવને થાય છે ત્યારે તે જીવ બેઇન્દ્રિય આદિ ક્રમથી ચઉરિદ્રિય ભાવ સધી ઘણા કાળે આવે છે. વળી, તે ત્રસપણામાં પણ ફરી મૂઢતા આદિની પ્રાપ્તિ થાય તો તે જીવ ફરી-ફરી સ્થાવરભાવને પ્રાપ્ત કરે છે અને ઘણો સમય સ્થાવરભાવમાં ફરીને ઘણી મુશ્કેલીથી બેન્દ્રિય આદિના ક્રમથી પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરે છે. ત્યાં પણ ક્લિષ્ટ ભાવોને કરી નરક આદિમાં ફર્યા કરે છે. આ રીતે તે તે ભવોમાં પંચેન્દ્રિયપણું દુર્લભ છે. હવે પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કર્યા પછી પણ પર્યાપ્ત સંજ્ઞીપણું દુર્લભ છે અને તેમાં પણ સ્થિર આયુષ્યવાળું મનુષ્યપણું દુર્લભ છે. તેથી બોધિની પ્રાપ્તિનું પ્રબળ અંગ બને તેવું મનુષ્યપણું તો દૂર રહો પરંતુ સામાન્ય મનુષ્યપણું પણ અતિ દુર્લભ છે અને Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૨. બોધિદુર્લભભાવના | શ્લોક-૩-૪ ૧૪૯ આ ભવમાં પોતે કોઈક રીતે તેવા મનુષ્યભવને પામેલો છે. આ રીતે ભાવન કરીને મહાત્મા બોધિદુર્લભતાને વારંવાર ભાવન કરે છે જેથી દુર્લભ એવા બોધિને પ્રાપ્ત કરવાની ઉત્કટ ઇચ્છા થાય. વળી પ્રથમ શ્લોકમાં બતાવ્યા પ્રમાણે બોધિની પ્રાપ્તિ સર્વ કલ્યાણની પરંપરાનું કારણ છે એવું જેની સ્મૃતિમાં છે તે જીવને પ્રસ્તુત શ્લોકમાં કહ્યું તે પ્રમાણે સંસારના પરિભ્રમણના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય અને તે પ્રમાણે તે સ્વરૂપથી આત્માને ભાવિત કરે તો તેને મનુષ્યપણું અત્યંત દુર્લભ જણાય છે. અને પ્રાપ્ત થયેલા મનુષ્યપણાને કલ્યાણની પરંપરાનું કારણ બનાવવા અર્થે તેના ઉપાયરૂપ બોધિ પ્રત્યે અત્યંત પક્ષપાત થાય છે. જે જીવને બોધિ પ્રત્યે અતિપક્ષપાત થાય તે જીવ તેની પ્રાપ્તિના ઉપાયોને જાણીને યત્ન કરે તો અવશ્ય બોધિની પ્રાપ્તિ કરી શકે છે. I3II શ્લોક :तदेतन्मनुष्यत्वमाप्यापि मूढो, महामोहमिथ्यात्वमायोपगूढः । भ्रमन् दूरमग्नो भवागाधगर्ने, पुनः क्व प्रपद्येत तद्बोधिरत्नम् ? ।।४।। શ્લોકાર્ચ - તે, આ મનુષ્યપણાને પામીને પણ, મહામોહ, મિથ્યાત્વ માયાથી ઉપગૂઢ, મૂઢ એવો જીવ ભમતો સંસાર ચક્રમાં ફરતો, ભવના અગાધ ગર્તામાં=ભવરૂપી ઊંડા ખાડામાં, દૂરમગ્ન દુરંત એવા એકેન્દ્રિયાદિમાં જઈને પડેલો, ફરી તે બોધિરત્નને ક્યાં પ્રાપ્ત કરશે ? અર્થાત્ આ મનુષ્યભવમાં જો પ્રાપ્ત નહીં કરે તો ક્યાંય પ્રાપ્ત કરશે નહિ. IIII. ભાવાર્થ શ્લોક-૩માં મનુષ્યપણું કઈ રીતે દુર્લભ છે તેનું ભાવન કર્યા પછી મહાત્મા બોધિની દુર્લભતા કઈ રીતે છે તે સ્પષ્ટ કરવા અર્થે વિચારે છે કે આવું દુર્લભ મનુષ્યપણું પામીને પણ જીવ બાહ્ય પદાર્થો પ્રત્યેના માહવાળો હોય છે તેથી બાહ્ય ભોગાદિ જ તેને સાર જણાય છે. વળી, જીવ મિથ્યાત્વના ઉદયને કારણે તત્ત્વને અભિમુખ વિચારણા કરતો નથી પરંતુ તત્કાલ દેખાતા વિષયોના સુખમાં જ સારબુદ્ધિ કરીને પ્રવર્તે છે. કોઈક રીતે ધર્મ કરવાને અભિમુખ થાય તોપણ સંસારની વ્યવસ્થા શું છે ? પોતાના આત્માનું હિત શું છે ઇત્યાદિ વિષયક જિજ્ઞાસા કર્યા વગર મિથ્યાત્વ અવસ્થાને જ પોષતો બાહ્યધર્મ કરીને સંતોષ માનતો વર્તે છે. વળી, સંસારના ક્ષેત્રમાં પણ જીવ પ્રાયઃ માયાથી પ્રવૃત્તિઓ કરનારો હોય છે અને ધર્મના ક્ષેત્રમાં પણ પોતાની જાતને ઠગીને જ પ્રવૃત્તિ કરનારો હોય છે. આવા પરિણામવાળો મૂઢ જીવ સંસારની ચારેય ગતિઓમાં પરિભ્રમણ કર્યા કરે છે અને નરકગતિ, તિર્યંચગતિ કે એકેન્દ્રિય આદિ ગતિને પામીને ભવના અગાધ ખાડામાં પડે છે. તેવા જીવને કયા ભવમાં બોધિરત્નની પ્રાપ્તિ થઈ શકશે ? અર્થાતું ક્યાંય બોધિની પ્રાપ્તિ થશે નહિ. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા પોતાની મૂઢતાને દૂર કરવા અને મહામોહને શિથિલ કરવા પ્રયત્ન કરે છે. કોઈક રીતે મિથ્યાત્વ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ શાંતસુધારસ વર્તતું હોય તો તેનો પણ નાશ કરીને બોધિપ્રાપ્તિ અર્થે તત્ત્વ-અતત્ત્વની વિચારણા કરવાના પરિણામવાળો થાય છે અને આત્માને ઠગ્યા વગર પોતાની શક્તિનું સમાલોચન કરીને પિતાનુકૂલ ઉચિત પ્રવૃત્તિ એ રીતે કરે છે કે જેથી બોધિ પ્રાપ્ત ન થયું હોય તો બોધિ પ્રાપ્ત થાય. આવા જીવને બોધિ પ્રાપ્ત કરવાનો માર્ગાનુસારી બોધ ન હોય તો તે કલ્યાણમિત્રો કે સગુરુ આદિને પૂછીને પણ તેના ઉપાયોને સમ્યફ સેવે છે. આ રીતે યત્ન કરવાથી બોધિની પ્રાપ્તિ ન થઈ હોય તો બોધિની પ્રાપ્તિ થાય છે અને પ્રાપ્ત થયેલું બોધિ ફૂરી મૂઢતા આદિ ભાવોના કારણે નાશ ન થાય તેવા બળનો સંચય થાય છે જેથી દુર્લભ એવા બોધિને પામીને અને પ્રાપ્ત થયેલા બોધિને સુરક્ષિત કરીને મહાત્મા પ્રથમ શ્લોકમાં કહ્યા તેવા પ્રકારના ઉત્તમ ફળની પરંપરાને પ્રાપ્ત કરે છે. IIકા શ્લોક - विभिन्नाः पन्थानः प्रतिपदमनल्पाश्च मतिनः, कुयुक्तिव्यासनैर्निजनिजमतोल्लासरसिकाः । न देवाः सांनिध्यं, विदधति न वा कोऽप्यतिशय स्तदेवं कालेऽस्मिन्, य इह दृढधर्मा स सुकृती ।।५।। શ્લોકાર્થ : પ્રતિપદ દરેક સ્થાનોમાં, અનામતિવાળા ઘણી બુદ્ધિવાળા, કુણ્યક્તિઓના વણથી, પોતપોતાના મતના ઉલ્લાસમાં રસિક એવા ઘણા પંથો છે ધર્મના ઘણા માગે છે તેથી બોધિની દુર્લભતા છે). દેવતાઓ સાબ્રિાધ્યને કરતા નથી અથવા કોઈપણ અતિશયવાળા તીર્થકરો આદિ નથી (તેથી બોધિ દુર્લભ છે) તે કારણથી આવા પ્રકારના આ કાળમાં જે પુરુષ અહીં=ભરતક્ષેત્રમાં, દઢ ધર્મવાળો છે તે બુદ્ધિમાન છે. IFપા ભાવાર્થ: વર્તમાનના કાળમાં બોધિની પ્રાપ્તિ કેમ દુર્લભ છે તે બતાવીને આ કાળમાં પણ બુદ્ધિમાન પુરુષ વિવેકપૂર્વકની ઉચિત પ્રવૃત્તિ કરીને અવશ્ય બોધિની પ્રાપ્તિ કરી શકે છે તે ભાવન કરવા અર્થે કહે છે. વર્તમાનકાળમાં દરેક સ્થાનોમાં કુયુક્તિઓના વશથી પોતપોતાના મત વિસ્તાર કરવામાં તત્પર થયેલા ઘણા બુદ્ધિશાળી પુરુષોથી ઘણા માર્ગો પ્રવર્તે છે. એટલું જ નહિ પણ જૈનદર્શનમાં પણ ભગવાનના વચનના મર્મને સ્પર્યા વગર અને પોતાની બુદ્ધિના બળથી કુયુક્તિઓને વિસ્તારીને પોતપોતાના મતને સ્થિર કરવામાં રસિક એવા ઘણા સાધુઓ વર્તે છે. આવા કાળમાં કલ્યાણના અર્થી પણ જીવો જે તે ઉપદેશકના સાન્નિધ્યથી ઉન્માર્ગમાં પ્રવૃત્તિ કરીને બોધિની પ્રાપ્તિ તો દૂર રહો પણ બોધિથી દૂર અવસ્થાને પ્રાપ્ત કરે છે. વળી, કાળ વિષમ હોવાને કારણે દેવતાઓ પણ સાન્નિધ્ય કરતા નથી જેથી દેવતાના બળથી પણ માર્ગની Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૨. બોવિદુર્લભભાવના | શ્લોક-પ-૬ ૧૫૧ પ્રાપ્તિ સુલભ બને. વળી, તીર્થંકર આદિના કાળમાં જેમ ચૌદ પૂર્વધર આદિ અતિશયવાળા સાધુઓ હતા તેવા અતિશયવાળા સાધુઓ પણ વર્તમાનમાં કોઈ નથી તેથી ઉન્માર્ગ પ્રવર્તકોના ફંદામાં ફસાઈને ઘણા યોગ્ય જીવો પણ વિનાશ પામે છે. આવો વિષમકાળ વિદ્યમાન હોવા છતાં જે પુરુષ દઢ ધર્મવાળો છે તે હંમેશાં વિચારે છે કે જે ધર્મ સંસારના ઉચ્છેદનું કારણ ન હોય તે ક્યારેય પણ પરમાર્થથી ધર્મ કહી ન શકાય અને સંસારના ઉચ્છેદનો ઉપાય વીતરાગતાની પ્રાપ્તિ છે માટે જે ધર્મના સેવનથી રાગાદિ ભાવો ક્ષીણ થતા હોય અને વીતરાગતાને અનુકૂળ દૃઢ સંસ્કારો આધાન થતા હોય તેવો જ ધર્મ પરમાર્થથી ધર્મ છે. તેથી તેવા ધર્મને બનાવનારા મહાત્માને માટે પ્રયત્નપૂર્વક પ્રાપ્ત કરવા જોઈએ અને તેમના વચનાનુસાર દૃઢ ધર્મ સેવવો જોઈએ તે પુરુષ સુબુદ્ધિમાન છે. આવા બુદ્ધિમાન પુરુષો કોઈનાથી ઠગાયા વગર સુખપૂર્વક બોધિને પ્રાપ્ત કરી શકે છે તેથી મારે પણ વિવેકપૂર્વક તેવો પ્રયત્ન કરવો જોઈએ તે આશયને સ્થિર કરવા માટે મહાત્માઓ પ્રસ્તુત શ્લોકથી યત્ન કરે છે. આપણા શ્લોક - यावद् देहमिदं गदैर्न मृदितं, नो वा जराजर्जरं, यावत्त्वक्षकदम्बकं स्वविषयज्ञानावगाहक्षमम् । यावच्चायुरभङ्गुरं निजहिते, तावद् बुधैर्यत्यतां, कासारे स्फुटिते जले प्रचलिते, पालिः कथं बध्यते ।।६।। શ્લોકાર્ય : જ્યા સુધી આ દેહ=પોતાને પ્રાપ્ત થયેલું શરીર, રોગોથી ઘેરાયેલું નથી અથવા જરાથી જર્જરિત થયું નથી, વળી જ્યાં સુધી પાંચેય ઈયિોનો સમૂહ પોતાના વિષયનો બોધ કરવા માટે સમર્થ છે અને જ્યાં સુધી આયુષ્ય વિનાશ પામ્યું નથી ત્યાં સુધી બુદ્ધિમાન પુરુષે પોતાના હિતમાં ચિત્ન કરવો જોઈએ=જિનવચનાનુસાર તત્વાતત્વનો નિર્ણય કરવામાં અને તત્ત્વાતત્ત્વનો નિર્ણય કરીને તત્ત્વાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવામાં યત્ન કરવો જોઈએ. તળાવની પાળ તૂટે અને જળ વહેવા માંડે ત્યારે પાળ કેવી રીતે બાંધી શકાય ? અર્થાતુ બાંધી શકાય નહિ, તેમ રોગાદિનો ઉપદ્રવ થાય ત્યારે નિજહિતમાં પ્રવૃત્તિ થઈ શકે નહિ એમ પૂર્વ સાથે સંબંધ છે. IIII. ભાવાર્થ - બોધિદુર્લભનું ભાવન કરનાર મહાત્મા બોધિ માટે પોતાના આત્માને ઉલ્લસિત કરવા અર્થે ભાવન કરે છે કે તે આત્મન ! જ્યાં સુધી તારો દેહ રોગોથી ઘેરાયેલો નથી અથવા જરાથી જર્જરિત થયો નથી ત્યાં સુધીમાં તારા આત્માના હિતમાં તારે પ્રવૃત્તિ કરવી જોઈએ. જો અત્યારે પ્રવૃત્તિ કરીશ નહિ અને વિચારીશ કે આ યૌવનવય છે, અત્યારે હું ભોગાદિ ભોગવી લઉં પછી નિજહિતમાં પ્રવૃત્તિ કરીશ અને કોઈક એવા કર્મના ઉદયથી દેહ આદિમાં રોગો પ્રાપ્ત થશે તો ભાવિના અનંતકાળના હિતની ઉપેક્ષા થશે Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શાંતસુધારસ અને તારો મનુષ્યભવ નિષ્ફળ જશે. વળી કદાચ રોગાદિ ન આવે તોપણ આ દેહ જરાથી જર્જરિત થશે ત્યારે તું કઈ રીતે આત્મહિત સાધી શકીશ અર્થાત્ પરલોકની ચિંતા થશે અને ધર્મ ક૨વાનું મન થશે તોપણ બાહ્ય કૃત્ય કરીને જ તારે સંતોષ માનવો પડશે. પરંતુ અંતરંગ ગુણસંપત્તિ નિષ્પન્ન થઈ શકે તેવો ધર્મ તું સેવી શકીશ નહીં, માટે ભાવિમાં ધર્મ સેવીશ તેવો વિચાર કર્યા વગર વર્તમાનમાં જ આત્મહિત માટે તું ઉદ્યમ કર. વળી તારી પાંચેય ઇન્દ્રિયો નાની ઉંમર હોવાને કારણે વિષયો ગ્રહણ કરવામાં પટુ છે ત્યારે શાસ્ત્રઅધ્યયન આદિમાં તું યત્ન કરીશ તો તત્ત્વનો સૂક્ષ્મ બોધ થશે અને શાસ્ત્રાનુસારી ઉચિત પ્રવૃત્તિ કરીશ તો નિપુણતાપૂર્વક ધર્મને સેવી શકીશ. જ્યારે આ ઇન્દ્રિયો વિષય ગ્રહણ કરવા માટે અસમર્થ બનશે ત્યારે ઇન્દ્રિયોથી થતી સ્ખલનાને કારણે જ તું તત્ત્વને જાણવા માટે ઉદ્યમ કરી શકીશ નહિ અને ધર્મને પણ સમ્યક્ રીતે સેવી શકીશ નહીં. વળી, આ આયુષ્ય ગમે ત્યારે વિનાશ પામે તેમ છે તેથી વૃદ્ધાવસ્થામાં હું ધર્મ સેવીશ 1 તેવો સંકલ્પ કરીને ધર્મ સેવવાના કાળની રાહ જોવામાં જ આયુષ્ય પૂરું થશે તો ભાવિના અનંત સંસારની કદર્થના તને પ્રાપ્ત થશે. માટે આયુષ્ય નાશ પામે તે પહેલાં જ તું આત્મહિત સાધવા માટે યત્ન કર. વળી, પોતાના ભાવને દઢ કરવા અર્થે તે મહાત્મા દૃષ્ટાંતથી ભાવન કરે છે કે કોઈક તળાવની પાળ તૂટે તેવી સંભાવના હોય છતાં તેની ઉપેક્ષા ક૨વામાં આવે અને તે પાળ તૂટે અને ધસમસતું પાણી આવે ત્યારે પાળ બાંધી શકાય નહીં, તેમ કોઈક કર્મના ઉદયથી રોગાદિ આવે કે દેહ જરાથી જર્જરિત થાય ત્યારે ધર્મનો વિચાર કરવામાં આવે તોપણ ધર્મ થઈ શકે નહિ. માટે જર્જરિત પાળ તૂટે તે પૂર્વે તેને મજબૂત કરવી જોઈએ તેમ દેહ રોગાદિથી ઘેરાયેલો થાય તે પૂર્વે જ તે દેહના બળથી તત્ત્વને જાણવા માટે, જાણીને સ્થિર કરવા માટે અને સ્થિર કરાયેલા તત્ત્વને શક્તિ અનુસાર જીવનમાં સેવવા માટે સદા મારે ઉદ્યમ કરવો જોઈએ આ પ્રમાણે મહાત્મા આત્માને હિતશિક્ષા આપે છે, જેના બળથી દુર્લભ એવા બોધિને પોતે પ્રાપ્ત કરી મનુષ્યભવ સફળ કરે. ॥૬॥ શ્લોક ઃ विविधोपद्रवं देहमायुश्च क्षणभङ्गुरम् । कामालम्ब्य धृतिं मूढैः, स्वश्रेयसि विलम्ब्यते ।।७।। *→ શ્લોકાર્થ : વિવિધ ઉપદ્રવવાળો દેહ છે અને આયુષ્ય ક્ષણભંગુર છે=ગમે તે ક્ષણે નાશ પામે તેવું છે. કઈ ધૃતિનું અવલંબન લઈને મૂઢ જીવો વડે પોતાના શ્રેયમાં વિલંબન કરાય છે ? II૭।। ભાવાર્થ : વળી મહાત્મા અપ્રમત્તભાવથી તત્ત્વને જાણવાને અભિમુખ ઊહાપોહ સતત પ્રવર્તે તેવા નિર્મળ બોધિને માટે ઉદ્યમ ક૨વા અર્થે પોતાના આત્માને પ્રેરણા કરતાં કહે છે – આ દેહ વિવિધ ઉપદ્રવવાળો છે તેથી ગમે ત્યારે રોગ આદિથી અસમર્થ બની શકે છે. વળી આયુષ્ય પણ ગમે તે ક્ષણે નાશ થઈ શકે તેમ છે માટે Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૨. બોધિદુર્લભભાવના-ગીત / શ્લોક-૧ ૧૫૩ અત્યારે હું યુવાન છું, ભોગો ભોગવી લઈ પછી આત્મહિતની ચિંતા કરીશ એ પ્રકારની અર્થ વગરની ધૃતિનું અવલંબન લઈને મૂઢ જીવો પોતાના કલ્યાણમાં વિલંબન કરે છે. માટે મારે ક્ષણભર પણ પ્રમાદ કર્યા વગર સ્વશક્તિ અનુસાર તત્ત્વને જાણવા માટે સદા ઉદ્યમશીલ રહેવું જોઈએ. કેમ કે તત્ત્વની અત્યંત જિજ્ઞાસા જ બોધિ સ્વરૂપ છે. આથી સમ્યફ બોધને પામેલા સમ્યગ્દષ્ટિ જીવો સદા સ્વશક્તિ અનુસાર અપ્રમત્તભાવથી જિનવચનના પરમાર્થને જાણવા યત્ન કરે છે અને જાણીને સદા તેનાથી આત્માને વાસિત કરવા યત્ન કરે છે. જેથી સંસારની શક્તિનો ઉચ્છેદ થાય તેવી માર્ગાનુસારી બુદ્ધિરૂપ બોધિ મારે પ્રાપ્ત કરવી હોય તો મારે પણ મૂઢતાનો ત્યાગ કરીને સદા બોધિની પ્રાપ્તિ માટે અને પ્રાપ્ત થયેલા બોધિને નિર્મળ-નિર્મળતર કરવા અર્થે ઉદ્યમ કરવો જોઈએ. llણા ૧૨. બોધિદુર્લભભાવના-ગીત, શ્લોક : बुध्यतां बुध्यतां बोधिरतिदुर्लभा, जलधिजलपतितसुररत्नयुक्त्या सम्यगाराध्यतां स्वहितमिह साध्यतां, बाध्यतामधरगतिरात्मशक्त्या ।।बुध्यतां० १।। શ્લોકાર્ધ : સમુદ્રના પાણીમાં પડેલા, દેવતાથી અધિષ્ઠિત રત્નની યુક્તિથી બોધિ અતિદુર્લભ છે એ પ્રમાણે બોધ કરો, બોધ કરો=હે આત્મન્ ! તું બોઘ કર, તું બોધ કર. સમ્યક આરાધના કરોબોધિરત્નની સમ્યફ આરાધના કરોઆત્મન તું સમ્યક આરાધન કર. અહી=સંસારમાં, સ્વહિતને સિદ્ધ કરો=હે આત્મન્ તું બોધિનું રક્ષણ કરીને તેના દ્વારા પોતાના આત્માનું હિત સિદ્ધ કર. આત્મશક્તિથી કર્મને પસ્વશ થયા વગર કરાયેલા સ્વપરાક્રમથી, અધર ગતિને=નરકાદિ પરાબ ગતિઓને, બાધ કરો=હે આત્મન ! તું માર્ગાનુસારી સ્વપરાક્રમ ફોરવીને સંસારના પરિભ્રમણનું કારણ બને એવી નરકાદિ ખરાબ ગતિઓનું તું નિવારણ કર. III ભાવાર્થ - મહાત્મા પોતાના આત્માને કર્મને પરવશ રહેલો જોઈ તેની પરતંત્રતાથી પોતાનું રક્ષણ કરવા અર્થે પોતાના આત્માના સદ્વર્યને ઉલ્લસિત કરવા અર્થે કહે છે કે જેમ કોઈને દેવાધિષ્ઠિત એવું ચિંતામણિ રત્ન પ્રાપ્ત થયું હોય અને સમુદ્રના તટે બેઠો-બેઠો તે રત્નને જોતો હોય અને અચાનક સમુદ્રના પાણીમાં તે ચિંતામણિ રત્ન પડી જાય તો તેને ફરી પ્રાપ્ત કરવું દુર્લભ બને છે તેમ બોધિ એ જીવનો મૂળ સ્વભાવ છે અને જીવના પ્રમાદને વશ કર્મથી તે ગુણઆવૃત્ત થયેલો છે. જેમ સમુદ્રમાં પડેલું ચિંતામણિ રત્ન પ્રાપ્ત કરવું દુર્લભ છે તેમ આત્માનો બોધિ ગુણ પણ જીવને માટે પ્રાપ્ત કરવો અતિદુર્લભ છે. આથી જ અનાદિકાળથી પોતે તેને પ્રાપ્ત કરી શક્યો નથી. હવે કોઈક રીતે મનુષ્યભવને પામીને કંઈક વિવેકચક્ષુ પ્રગટ્યા હોય અને Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શાંતસુધારસ તે બોધિ મારા પ્રયત્નથી સાધ્ય છે તેવું વિવેકી પુરુષને દેખાય છે અને તે પ્રાપ્ત થયેલું બોધિ અતિદુર્લભ છે તેમ અત્યંત ભાવન કરવા અર્થે કહે છે – બોધિ અતિદુર્લભ છે તેમ હે આત્મન્ ! તું બોધ કર. તું બોધ કર. જેથી પ્રમાદ કર્યા વગર તત્ત્વને જોનારી નિર્મળ દૃષ્ટિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે તેવો યત્ન કરીને તેના રક્ષણ માટે યત્ન થાય. આથી જ કહે છે કે સમ્યક્ આરાધના કરો અર્થાત્ જેમ ચિંતામણિ રત્ન મળે તો તેની સમ્યક આરાધના ક૨વાથી સર્વ હિતની પ્રાપ્તિ થાય છે તેમ પ્રાપ્ત થયેલા નિર્મળ દૃષ્ટિરૂપ બોધિની હે આત્મન ! તું સમ્યક્ આરાધના કર. અર્થાત્ સતત જિનવચનના ૫૨માર્થને જાણવા માટે ઉદ્યમ કરીને તેનાથી આત્માને ભાવિત કરવા માટે યત્ન કરવા સ્વરૂપ બોધિની સમ્યક્ આરાધના કર અને આ પ્રકારની સમ્યક્ આરાધના કરીને સદ્ગતિઓની પરંપરાની પ્રાપ્તિ થાય અને અંતે સર્વકર્મનો નાશ થાય તેવા સ્વહિતને તું સાધ. આમ તે સાધના કરવા માટે સંસારના કારણભૂત મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, અને યોગ કઈ રીતે જીવને વિડંબના કરનારા છે તેનું સૂક્ષ્મ-સૂક્ષ્મતર પારમાર્થિક સ્વરૂપ જાણવા સદા યત્ન કર અને તે પાંચેય ભાવોથી વિરુદ્ધ એવા સમ્યક્ત્વ, વિરતિ, અપ્રમાદ, અકષાયરૂપ વીતરાગતા અને યોગ-નિરોધરૂપ ભાવો ક્રમસર કઈ રીતે પ્રાપ્ત થાય તેનું પારમાર્થિક સ્વરૂપ વિચાર, જેથી સ્વહિતની સિદ્ધિ થાય. આ રીતે તત્ત્વના અવલોકનમાં દૃઢ આત્મશક્તિને પ્રવર્તાવીને દુર્ગતિરૂપ, નરકગતિ, તિર્યંચગતિ, કુમાનુષ્યત્વ અને કુદેવત્વનો તું બાધ કર કે જેથી સુદેવત્વ અને સુમાનુષ્યત્વની પ્રાપ્તિ દ્વારા સુખપૂર્વક સર્વ દુઃખોનો અંત થાય. III શ્લોક ઃ चक्रिभोज्यादिरिव नरभवो दुर्लभो, भ्राम्यतां धोरसंसारकक्षे । बहुनिगोदादिकायस्थितिव्यायते, मोहमिथ्यात्वमुखचोरलक्षे । । बुध्यतां० २ ।। શ્લોકાર્થ ઃ મોહ અને મિથ્યાત્વરૂપી મુખ છે જેના એવા ચોરના નિવાસ્થાનરૂપ અને બહુનિગોદ આદિ કાયસ્થિતિ વિશેષરૂપે વિસ્તૃત છે જેમાં એવા ઘોર સંસારકક્ષમાં=ઘોર સંસારરૂપ જંગલમાં, ભમતા જીવોને ચક્રીના ભોજન આદિની જેમ નરભવ દુર્લભ છે. IIII ભાવાર્થ: બ્રહ્મદત્ત ચક્રવર્તી કોઈક બ્રાહ્મણ ઉ૫૨ કોઈક પ્રસંગે ખુશ થઈને તેને કહે છે કે તારે જે જોઈએ તે તું માંગ. તે બ્રાહ્મણે સ્ત્રીને પૂછીને માંગ્યું કે મને ચક્રવર્તીના રાજ્યમાં પ્રતિદિન ભોજન મળે અને એક સુવર્ણમુદ્રા મળે. તે પ્રમાણે તે બ્રાહ્મણને તેની પત્ની સહિત ચક્રવર્તીના ઘરેથી ભોજનના ક્રમથી છએ ખંડોના દરેક ગામોમાંથી દરેકના ઘરે પ્રતિદિન ભોજન મળે તેવી વ્યવસ્થા ચક્રવર્તીના આદેશથી કરાઈ. તે બ્રાહ્મણને ચક્રવર્તીના ઘરેથી ભોજન કર્યા પછી અન્ય-અન્ય ઘરે ભોજનની પ્રાપ્તિ થાય છે તે ભોજન ચક્રવર્તીના ભોજન તુલ્ય જણાતું નથી તેથી તેને ચક્રવર્તીના ઘરનું ભોજન રોજ યાદ આવે છે. છતાં ચક્રવર્તીના ઘરે ફરી ભોજન પ્રસંગ જેમ તેના માટે અતિદુર્લભ છે તેમ સંસારમાં ભમતા જીવો માટે નરભવ અતિદુર્લભ છે. કેમ દુર્લભ છે ? તેથી Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૨. બોધિદુર્લભભાવના-ગીત | શ્લોક-૨-૩ ૧૫મ કહે છે ઘોર એવો આ સંસાર બહુ નિગોદ આદિ કાયસ્થિતિથી વિસ્તૃત છે તેથી કોઈ જીવ નિગોદમાં જાય તો ત્યાં જ અનંતો કાળ પસાર થાય છે. વળી, પૃથ્વીકાય આદિ દરેકની કાયસ્થિતિ પણ ઘણી લાંબી છે. તેથી પૃથ્વીકાય અને પૃથ્વીકાયમાં જ જીવ ઘણો સમય ભમે છે. તે રીતે અપ્લાય આદિ ભવોમાં પણ ઘણો સમય ભમે છે. તેથી મનુષ્યભવ દુર્લભ થાય છે. વળી, આ ઘોર સંસાર મોહ અને મિથ્યાત્વ બે મુખો છે જેને તેવા ચોરોનું નિવાસસ્થાન છે. તેથી આ ઘોર સંસારમાં જીવ મોહ અને મિથ્યાત્વના કારણે પણ દુર્ગતિઓમાં જ ફર્યા કરે છે અને પ્રાયઃ મનુષ્યભવને પામતો નથી. છતાં જેમ તે બ્રાહ્મણ સર્વ ઘરોમાં પ્રતિદિન ભોજન કરીને કોઈક રીતે ફરી ચક્રવર્તીના ઘરનું ભોજન પ્રાપ્ત કરે છે તેમ આ જીવ પણ ઘોર સંસારમાં ભમતાંભમતાં કોઈક રીતે ફરી મનુષ્યભવ પામે છે. હવે, અતિદુર્લભ એવો મનુષ્યભવ મને પ્રાપ્ત થયો છે તેમ વિચારીને તે નિષ્ફળ ન થાય તે અર્થે મહાત્મા મનુષ્યભવની દુર્લભતાનું ચિંતન કરે છે. તેથી વિચારે છે કે જેઓ મનુષ્યભવની દુર્લભતાને સમજ્યા નથી તેઓ જ પશુની જેમ ખાવા-પીવા-ભોગવિલાસમાં મનુષ્યભવ પૂરો કરે છે પરંતુ પ્રાપ્ત થયેલા મનુષ્યભવમાં મારા માટે હિત શું છે અહિત શું છે તેનો સમ્યક્ વિચાર બહુધા કરતા નથી. ક્વચિત્ ધર્મ કરે છે તોપણ માત્ર મૂઢની જેમ યત્કિંચિત્ ધર્મ કરીને સંતોષ માને છે પરંતુ મારે તો બોધિ સુલભ થાય તેવો જ યત્ન કરવો જોઈએ આમ વિચારીને મહાત્મા આત્મામાં વિવેક જાગ્રત ક૨વા યત્ન કરે છે. III અવતરણિકા : વળી નરભવની દુર્લભતાનું ભાવન કર્યા પછી કોઈક રીતે પ્રાપ્ત થયેલો પણ મનુષ્યભવ અનેક વખત નિષ્ફળ થાય છે. તેનું ભાવન કરે છે – શ્લોક ઃ लब्ध इह नरभवोऽनार्यदेशेषु यः, स भवति प्रत्युतानर्थकारी । जीवहिंसादिपापाश्रवव्यसनिनां, माघवत्यादिमार्गानुसारी ||बुध्यतां० ३ ॥ • શ્લોકાર્થ : અહીં=સંસારમાં, અનાર્ય દેશોમાં પ્રાપ્ત થયેલો જે મનુષ્યભવ તે હિતને બદલે અનર્થકારી થાય છે. તે મનુષ્યભવ કેવો છે. જેથી અનર્થકારી થાય છે તે સ્પષ્ટ કરે છે જીવહિંસાદિ પાપઆશ્રવના વ્યસની જીવોને માઘવતી આદિ નરકોના માર્ગને અનુસરનાર નરભવ પ્રાપ્ત થાય છે. II3II ભાવાર્થ: સંસારમાં ભટકતા જીવને કોઈક રીતે મનુષ્યભવ પ્રાપ્ત થયો તોપણ અનાર્ય દેશમાં પ્રાપ્ત થયો. જ્યાં Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શાંતસુધારસ્સા આત્મહિત વિષયક કંઈ સાંભળવા જ મળે નહિ, કેવલ યથા-તથા તે ભવ પૂરો થાય છે. એટલું જ નહીં પણ બુદ્ધિમત્તા અને શક્તિ જેટલી અધિક હોય એટલાં હિંસાદિ પાપો કરીને તે જીવો પાપઆશ્રવરૂપ વ્યસનોને જ સેવ્યા કરે છે. જેના ફળરૂપે માઘવતી નામની સાતમી નરક કે અન્ય નરકમાર્ગને જ તેઓ પ્રાપ્ત કરે છે. આથી જે જીવો અતિહિંસાદિ કરતા હોય કે અતિ ધનસંચયમાં મૂઢ હોય તેઓ સહજ રીતે સાતમી નરકમાં જાય છે. જેમ મમ્મણ શેઠ ધનસંચય કરીને સાતમી નરકમાં ગયેલ. વળી, કેટલાક જીવોને ધનસંચય આદિની શક્તિ મળેલી ન હોય તોપણ ધનના લોભમાં સ્વભૂમિકા અનુસાર સદા પ્રવર્તે છે. તેઓ પણ મૂઢતાના બળથી નરકમાં જાય છે. તેથી દુર્લભ પણ મનુષ્યભવ આર્યદેશમાં મળે તો કદાચ સફળ થઈ શકે અન્યથા અનર્થનું જ કારણ બને છે તેમ ભાવન કરીને મનુષ્યભવને સફળ કરવાનું સદ્વર્ય મહાત્મા ઉલ્લસિત કરે છે. Imall શ્લોક : आर्यदेशस्पृशामपि सुकुलजन्मनां, दुर्लभा विविदिषा धर्मतत्त्वे । रतपरिग्रहभयाहारसंज्ञातिभिर्हन्त मग्नं जगद् दुःस्थितत्वे ।।बुध्यतां० ४।। શ્લોકાર્ચ - સુકુળમાં જન્મેલા, આર્યદેશમાં ઉત્પન્ન થયેલા, પણ જીવોને ધર્મતત્વના વિષયમાં વિવિદિષા= તત્વના પરમાર્થને યથાર્થ જાણવા માટેની ઉત્કટ ઈચ્છારૂપ વિવિદિષા, દુર્લભ છે. કેમ દુર્લભ છે? તેથી કહે છે રતકામમાં રત, પરિગ્રહ પરિગ્રહસંજ્ઞા, ભય=ભયસંજ્ઞા અને આહાર સંજ્ઞાની પીડાથી દુઃસ્થિતપણામાં=આત્માના પારમાર્થિક હિતની વિચારણાના દરિદ્રપણામાં, આખું જગત મગ્ન છે. III. ભાવાર્થ : વળી, મહાત્મા પોતાના આત્માને બોધિને અભિમુખ ઉલ્લસિત કરવા અર્થે ભાવન કરે છે કે અનંતકાળમાં ભટકતાં-ભટકતાં આર્યદેશમાં અને ઉત્તમકુળમાં પણ જીવો જન્મે છે. તેથી દુર્લભ પણ મનુષ્યપણું જે આર્યદેશ અને ઉત્તમકુળમાં અતિ દુર્લભ છે તેવું પણ મનુષ્યપણું કોઈક રીતે જીવો પ્રાપ્ત કરે છે તોપણ ઘણા જીવોને ધર્મતત્ત્વમાં વિવિદિષાની પ્રાપ્તિ દુર્લભ છે. આશય એ છે કે સંસારની વ્યવસ્થા કયા પ્રકારની છે તેના પરમાર્થને જાણીને આત્માની ગુણસંપત્તિની પ્રાપ્તિનો ઉચિત ઉપાય શું છે તેને જાણીને પોતાનામાં ગુણસંપત્તિની વૃદ્ધિ થાય તેના પરમાર્થને બતાવનાર ધર્મતત્ત્વના વિષયમાં વિશેષ પ્રકારની જાણવાની ઇચ્છા અર્થાતુ શાસ્ત્રવચનથી, યુક્તિથી અને અનુભવથી પદાર્થનો નિર્ણય કરવાની ઉત્કટ ઇચ્છા, દુર્લભ છે. વસ્તુતઃ આ વિવિદિષા જ સમ્યક્તની પ્રાપ્તિનું પ્રબળ કારણ છે. છતાં સુકુળમાં જન્મેલા પણ જીવો આહાર સંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને ભયસંજ્ઞામાં રત હોવાથી આત્માની વિચારણામાં દરિદ્રતુલ્ય હોય છે અને સંજ્ઞાઓમાં જ મગ્ન હોય છે. તેથી ધર્મતત્ત્વના વિષયમાં વિવિદિષા થતી નથી માટે પ્રાપ્ત થયેલા Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧પ૭ ૧૨. બોધિદુર્લભભાવના-ગીત | શ્લોક-૪-૫ મનુષ્યજન્મને નિષ્ફળ કરે છે. આ પ્રકારે ભાવન કરીને ધર્મતત્ત્વ વિષયક ઉચિત નિર્ણય કરવાને અભિમુખ વિવિદિષાને ઉલ્લસિત કરવા માટે મહાત્મા યત્ન કરે છે અને જે મહાત્મા પ્રસ્તુત શ્લોકના મર્મને સ્પર્શે તે રીતે તેનું ભાવન કરે તો પોતાની શક્તિના પ્રકર્ષથી તત્ત્વને જાણવાની ઉત્કટ ઇચ્છા થાય છે જેથી તે મહાત્મા અવશ્ય સમ્યક્તને પ્રાપ્ત કરી શકે છે. એટલું જ નહિ પણ સમ્યક્ત પ્રાપ્ત કર્યા પછી પણ વિશેષવિશેષ પ્રકારની ધર્મતત્ત્વના વિષયની વિવિદિષાના બળથી ભગવાનના શાસનનાં ઘણાં રહસ્યોને પ્રાપ્ત કરીને સુખપૂર્વક અનર્થકારી એવા સંસારનો ઉચ્છેદ કરી શકે છે. III અવતરણિકા: વળી, જીવને કોઈક રીતે ધર્મતત્વના વિષયમાં વિવિદિષા થાય તો પણ શ્રવણ આદિ પ્રાપ્ત ન થાય તો પ્રગટ થયેલી વિવિદિષા વિનાશ પણ પામી જાય અને જીવ આત્મહિત સાધી શકે નહિ. તેથી વિવિદિષા પછી શ્રવણગુણની પ્રાપ્તિ અર્થે મહાત્મા ભાવન કરે છે – બ્લોક : विविदिषायामपि श्रवणमतिदुर्लभं, धर्मशास्त्रस्य गुरुसन्निधाने । वितथविकथादितत्तद्रसावेशतो, विविधविक्षेपमलिनेऽवधाने ।।बुध्यतां० ५।। શ્લોકાર્ય : વિવિદિષા પ્રાપ્ત થયે છતે પણ નિરર્થક એવી વિકથા આદિના તે-તે રસના આવેશથી, વિવિધ વિક્ષેપથી, મલિન અવધાન હોતે છતે ઉપયોગ હોતે છતે, ગુરુના સાન્નિધ્યમાં ધર્મશાસ્ત્રનું શ્રવણ અતિ દુર્લભ છે. આપા ભાવાર્થ : મહાત્મા વિચારે છે કે કોઈક રીતે સંસારના સ્વરૂપનો બોધ થાય તેવા જીવો ધર્મતત્ત્વના જાણવાની ઉત્કટ ઇચ્છાવાળા થાય છે તેથી દુર્લભ એવી વિવિદિષા કોઈક રીતે તેઓને પ્રાપ્ત થઈ છતાં નિરર્થક એવા વિકથા આદિના તે તે રસના આવેશને કારણે ચિત્ત અનેક પ્રકારના વિક્ષેપોથી મલિન બને છે. આશય એ છે કે સંસારના સ્વરૂપને જાણ્યા પછી ધર્મના પરમાર્થને જાણવું જોઈએ તેવી બુદ્ધિ થયા પછી પણ કેટલાક જીવોને કુટુંબની ચિંતા, વ્યાપાર આદિની ચિંતા કે અન્ય કાર્યો કરવાની વૃત્તિ વિષયક તે તે રસના આવેશો ઉત્પન્ન થતા હોય છે અને તે આવેશને વશ તેનું ચિત્ત હંમેશાં તે તે રસના વિક્ષેપથી મલિન વર્તે છે. તેથી ઉચિત ગુરુની ગવેષણા કરીને તેવા મહાત્મા પાસે ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરવાની ઇચ્છા થવા છતાં ઉદ્યમ કરી શકતા નથી. જો કે ધર્મશાસ્ત્રનું શ્રવણ કરનાર વર્ગ સામાન્યથી દેખાય છે પરંતુ તત્ત્વની ઉત્કટ જિજ્ઞાસાથી ધર્મશાસ્ત્રના પરમાર્થને જાણવો છે તેવી રુચિ કરીને અને ધર્મના પરમાર્થને બતાવનારા ગીતાર્થગુરુની ગવેષણા કરીને Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શાંતસુધારણા માર્ગાનુસારી બુદ્ધિના બળથી તેઓ દ્વારા બનાવાયેલાં શાસ્ત્રવચનો જિનવચનાનુસારી છે કે નહિ તેનો નિર્ણય કરવા માટે ઉદ્યમ કરે એવા જિજ્ઞાસુ જીવો પ્રાયઃ હોતા નથી. ધર્મી જીવો માત્ર કંઈક સાંભળવાની બુદ્ધિથી ધર્મ સાંભળવા જાય છે અને પોતે ધર્મનું શ્રવણ કર્યું છે તેમ માનીને સંતોષ માને તેવા ઘણા જીવો હોય છે. આવા જીવોને પરમાર્થથી વિવિદિષાની પણ પ્રાપ્તિ નથી તેથી પરમાર્થથી ધર્મનું શ્રવણ પણ નથી. પરંતુ જે જીવોને નિર્મળ કોટીની વિવિદિષા પ્રગટી છે તે જીવો અવશ્ય યોગ્ય ગુરુની ગવેષણા કરે છે અને તે રીતે જ તેમની પાસેથી ધર્મશાસ્ત્ર પણ સાંભળે છે કે જેના બળથી શાસ્ત્રવચન, યુક્તિ અને સ્વઅનુભવ અનુસાર તેઓને હાથમાં રહેલા પદાર્થની જેમ સર્વજ્ઞનાં વચનોનું રહસ્ય સ્પષ્ટ દેખાય છે. જેના બળથી હિતાહિતની ઉચિત પ્રવૃત્તિ વિષયક નિર્મળ બોધ થાય છે જે બોધ જ સર્વ કલ્યાણની પરંપરાનું કારણ છે. આ પ્રકારે પ્રસ્તુત શ્લોકથી ભાવન કરીને મહાત્મા પોતાનામાં વર્તતા નિરર્થક વિકથાદિના રસના આવેશશાંત કરવા યત્ન કરે છે. ચિત્તના વિક્ષેપોને દૂર કરવા યત્ન કરે છે અને યોગ્ય ગુરુ પાસેથી ધર્મશાસ્ત્ર શ્રવણ કરવા માટે ઉચિત યત્ન કરે તેવી દઢશક્તિનો સંચય કરે છે. આ પ્રકારના ભાવનના બળથી જ તે મહાત્મા પોતાને પ્રાપ્ત થયેલી વિવિદિષાને સફળ કરવા યત્ન કરે છે. પણ અવતરણિકા - વળી, તે મહાત્મા ધર્મના શ્રવણ પછી પણ અતિ દુર્લભ શું છે તેનું ભાન કરીને તેના માટેનું સદ્દવીર્ય ઉલ્લસિત કરવા યત્ન કરે છે – બ્લોક : धर्ममाकर्ण्य सम्बुध्य तत्रोद्यम, कुर्वतो वैरिवर्गोऽन्तरङ्गः । रागद्वेषश्रमालस्यनिद्रादिको, बाधते निहतसुकृतप्रसङ्गः ।।बुध्यतां० ६॥ શ્લોકાર્ચ - ધર્મને સાંભળીને, સંબોધ પામીને ત્યાં=સ્વભૂમિકા અનુસાર ઉચિત ધર્મના સેવનમાં. ઉધમને કરતા જીવને નિત કર્યો છે સુકૃતનો પ્રસંગ જેણે એવો રાગ, દ્વેષ, શ્રમ, આળસ, અને નિદ્રાદિકરૂપ અંતરંગ વેરી વર્ગ બાધ કરે છે. IIકા ભાવાર્થ કોઈક મહાત્માને દુર્લભ એવી વિવિદિષા પ્રગટે અને વિકથા આદિના રસોના આવેશનો પરિહાર કરીને સ્થિરતાપૂર્વક ગુણવાન ગુરુ પાસે અતિ દુર્લભ એવા તત્ત્વનું શ્રવણ કરે અને તત્ત્વનો સ્થિર નિર્ણય થાય ત્યાંસુધી પૃચ્છા આદિ કરીને પણ તત્ત્વને જાણવા યથાર્થ પ્રયત્ન કરે તો સ્વભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાન કરવાથી પોતાના આત્મામાં ગુણોનું આધાર કઈ રીતે થાય તેનો યથાર્થ નિર્ણય તે મહાત્માને થાય છે. આવો નિર્ણય થવાને કારણે તે મહાત્મા વિચારે કે હવે ધર્મશાસ્ત્રના પરમાર્થને હું જાણનાર છું Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૨. બોવિદુર્લભભાવના-ગીત | શ્લોક-૬-૭ ૧૫૯ માટે શક્તિનું સમાલોચન કરીને સ્વશક્તિ અનુસાર ઉચિત અનુષ્ઠાન લેવું કે જેથી મારામાં ઉત્તરોત્તર ધર્મની વૃદ્ધિ થાય જેના પ્રકર્ષથી હું સુખપૂર્વક આ સંસારસાગરને તરી શકું. આમ છતાં તેવા મહાત્માને પણ અનાદિના અભ્યાસને કારણે બાહ્ય પદાર્થો પ્રત્યેનો રાગ, અશાતા આદિ પ્રત્યેનો દ્વેષ, શાતાનો રાગ, ધર્મ અનુષ્ઠાન માટે કરાતો શ્રમ બાધ કરનાર બને છે. અર્થાતુ ધર્મ અનુષ્ઠાનમાં શ્રમ લાગે છે, આળસ આવે છે, પ્રસંગે નિદ્રાદિ હેરાન કરે છે અને તે સર્વ દોષો ધર્મ અનુષ્ઠાનમાં કરાતા સમ્યક યત્નને હણે છે અને દઢ ઉદ્યમ કરવા માટે બાધ કરે છે. માટે દુર્લભ એવા તત્ત્વની પ્રાપ્તિ પછી પણ યોગમાર્ગને સમ્યક રીતે સેવીને યત્ન કરવામાં અનાદિનો પ્રમાદ જીવને વિન્ન કરનાર બને છે. તેનું સ્મરણ કરીને મહાત્મા પોતાનો શાતા પ્રત્યેનો રાગ, અશાતા પ્રત્યેનો દ્વેષ દૂર કરવા યત્ન કરે છે. ધર્મ માટેનો શ્રમ પરમાર્થથી મહાકલ્યાણનું કારણ છે તેમ વિચારીને તે મહાત્મા ધર્મ કરવા માટે વિજ્ઞભૂત આળસનો પરિહાર કરે છે, ઉચિત આહાર આદિ પ્રવૃત્તિ દ્વારા નિદ્રાદિનો અવરોધ કરે છે અને સદા પારમાર્થિક ધર્મ વિષયક ઉદ્યમ કેમ સફળ થાય તેની ચિંતા કરે છે જેથી યથાર્થ બોધ કર્યા પછી પણ સેવાયેલો ધર્મ પ્રમાદને વશ નિષ્ફળ ન બને. IIકા શ્લોક : चतुरशीतावहो योनिलक्षेष्वियं, क्व त्वयाऽऽकर्णिता धर्मवार्ता । प्रायशो जगति जनता मिथो विवदते, ऋद्धिरसशातगुरुगौरवार्ताः ।।बुध्यतां० ७।। શ્લોકાર્ચ - અહો આશ્ચર્ય છે કે ચોર્યાસી લાખ જીવયોનિમાં હે જીવ! તારા વડે આ ધર્મની વાતો-પૂર્વમાં વર્ણન કર્યું છે એ ધર્મની વાતો, ક્યાં સાંભળી છે ? અર્થાત્ ક્યાંય સાંભળી નથી. કેમ સાંભળી નથી તે બ્લોકના ઉત્તરાર્ધથી કહે છે. ઋદ્ધિના મહત્વ ગૌરવથી, રસના મહત્વ ગૌરવથી, શાતાના મક ગૌરવથી, આર્ત થયેલા જીવો જગતમાં પ્રાયઃ પરસ્પર વિચારણા કરે છે. ll ભાવાર્થ - મહાત્મા આત્મામાં બોધિદુર્લભતાને સ્થિર કરવા અર્થે વિચારે છે કે સંસારમાં જીવોનાં ઉત્પતિસ્થાનો ચોર્યાસી લાખ છે અને તે દરેક સ્થાનોમાં જીવ અનંતકાળથી અનંતીવાર જન્મ લે છે, મરે છે, ફરી ફરી જન્મ લે છે, તોપણ ગ્રંથકારશ્રીએ અત્યારસુધી પૂર્વમાં વર્ણન કર્યું=નિગોદ કરતાં પૃથ્વીકાય આદિ અવસ્થા દુર્લભ છે, તેના કરતાં ત્રસપણું દુર્લભ છે ઇત્યાદિ જે કાંઈ પણ વર્ણન કર્યું, તે સર્વ=તત્ત્વચિંતન કરીને ધર્મ નિષ્પન્ન કરવાની ઉચિત વિચારણા કરી તે સર્વ, હૃદયને સ્પર્શે તે રીતે હે જીવ! તેં ક્યાં સાંભળી છે ? અર્થાત્ ક્યાંય સાંભળી નથી. જો તે વિચારણા પોતાના આત્માએ પૂર્વમાં ક્યાંય કરી હોય તો અવશ્ય દુર્લભ એવા બોધિની પ્રાપ્તિને માટે ઉદ્યમ કરીને સંસારનો અંત કર્યો હોત પણ હજી સુધી પોતાના સંસારનો અંત થયો નથી તે જ બતાવે છે કે હૃદયમાં ધર્મ ઉત્પન્ન થાય તેવી ધર્મની વાતો જીવે અનંતકાળમાં ક્યાંય સાંભળી નથી. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શાંતસુધારસ અહીં પ્રશ્ન થાય કે સંસારમાં ભટકતાં આ જીવે અનંતીવાર મનુષ્યાદિ ભવો પ્રાપ્ત કર્યા છે અને જગતમાં ભટકતા આ જીવને મહાત્માનો યોગ પણ મનુષ્યાદિ ભવમાં અનેક વખત થયો છે, આમ છતાં પોતાના આત્માએ ધર્મની વાતો કેમ સાંભળી નથી ? તેથી કહે છે જગતમાં પ્રાયઃ જીવો ઋદ્ધિના અને શાતાના મહત્ત્વને ધારણ કરનારા એવા ગૌરવથી આ હોય છે અર્થાત્ તેની વિચારણામાં આકુળ હોય છે. તેથી મનુષ્યભવ પામીને સમૃદ્ધિ કેમ મેળવવી, ઇન્દ્રિયોના સુંદર રસોનું આસ્વાદન કેમ કરવું, શાતાની પ્રાપ્તિ કેમ કરવી તે સંબંધી વિચારણામાં પરસ્પર આલાપસંલાપ કરતા હોય છે. તેથી પોતે અનંતકાળથી શાશ્વત છે. આ રીતે કર્મ બાંધીને જ ચારગતિમાં ભટકે છે, અનેક કદર્થના પામે છે તેના નિસ્તારનો ઉચિત ઉપાય ધર્મ છે માટે હું તેના રહસ્યને પ્રાપ્ત કરું એ પ્રકારની પારમાર્થિક જિજ્ઞાસાથી મહાત્મા પાસે પ્રાયઃ ધર્મ સાંભળતા નથી પરંતુ મુગ્ધતાથી જ ક્વચિત્ ક્યારેક બાહ્ય ધર્મ સેવે છે. પારમાર્થિક ધર્મના સ્વરૂપને જાણીને સંસારનો અંત કરવાના અર્થી થઈને તત્ત્વની વિચારણા કરનારા જીવો પ્રાયઃ જગતમાં નથી. તેથી જ અનંતકાળમાં અત્યાર સુધી પોતાને પારમાર્થિક ધર્મની પ્રાપ્તિ થઈ નહીં. આ પ્રકારે પ્રસ્તુત શ્લોકથી ભાવન કરીને મહાત્મા પારમાર્થિક ધર્મને જાણવા, જાણીને તેના ભાવાને આત્મામાં સ્થિર કરવા, ઉદ્યમ કરે છે જેના બળથી ક્ષણ પણ પ્રમાદ કર્યા વગર શક્તિના પ્રકર્ષથી અપ્રમાદભાવપૂર્વક ધર્મની નિષ્પત્તિને અનુકૂળ સદા ઉદ્યમ થાય. આવા શ્લોક :एवमतिदुर्लभात् प्राप्य दुर्लभतमं, बोधिरत्नं सकलगुणनिधानम् । कुरु गुरुप्राज्यविनयप्रसादोदितं, शान्तरससरसपीयूषपानम् ।।बुध्यतां०८।। શ્લોકાર્ચ - આ રીતે અત્યારસુધી વર્ણન કર્યું એ રીતે, અતિદુર્લભથી પણ દુર્લભતમ એવા સકલ ગુણના નિધાન બોધિરત્નને પ્રાપ્ત કરીને હે જીવ! તું ગુરુના પ્રાજ્યવિનયના પ્રસાદથી પ્રાપ્ત થયેલા શાંતરસના સુંદર રસરૂપ અમૃતના પાનને કર. III ભાવાર્થ - અત્યારસુધી સંસારસમુદ્રમાં શું શું દુર્લભ છે એ ગ્રંથકારશ્રીએ બતાવ્યું. તેમાં કહ્યું કે પંચેન્દ્રિયપણું દુર્લભ છે તેના કરતાં મનુષ્યપણું અતિ દુર્લભ છે અને તે સર્વ કરતાં પણ દુર્લભતમ બોધિરત્ન છે; કેમ કે જિનવચન અનુસાર પદાર્થ હૈયાને સ્પર્શે તેવી સંસારની વ્યવસ્થાના સ્વરૂપનો બોધ અને સંસારથી પર એવી મુક્તઅવસ્થાનો પારમાર્થિક બોધ અને મોક્ષના ઉપાયભૂત જિનવચનના તાત્પર્યને સ્પર્શે તેવો બોધ બોધિરત્ન છે અને આ બોધિરત્ન પ્રાપ્ત થયા પછી આત્મામાં સર્વ ગુણો ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા હોય છે. તેવા બોધિરત્નને પામીને હે આત્મા ! તું બોધિના બળથી મોહની અનાકુળતા રૂપ શાંતરસના સુંદર અમૃતના પાનને કર. જે શાંતરસ ગુણવાન ગુરુ પ્રત્યેના વિશાળ વિનયને કારણે ગુરુના પ્રસાદથી પ્રાપ્ત થાય તેવો છે અને તેવા શાંતરસનું જો Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૨. બોધિદુર્લભભાવના-ગીત | શ્લોક-૮ ૧૬૧ તું પાન કરીશ તો અનાદિની મોહવાસના સુખપૂર્વક નાશ થશે અને સંસારના પરિભ્રમણનો સુખપૂર્વક અંત આવશે. આનાથી એ પ્રાપ્ત થાય કે જે જીવોમાં તત્ત્વને જોવાની નિર્મળદૃષ્ટિ પ્રગટી છે તે જીવો સમ્યગુદર્શનરૂપ બોધિરત્નને પામ્યા છે અને તેઓ ઉચિત વિવેકપૂર્વક ગુણવાન ગુરુ પાસેથી શાસ્ત્રોના રહસ્યને વિશેષ વિશેષ જાણવા યત્ન કરે છે અને વિનયપૂર્વક શાસ્ત્રના અધ્યયનને કારણે તેઓને તે શાસ્ત્રવચનો હૈયાને સ્પર્શે તે પ્રકારનો બોધ ઉત્પન્ન કરે છે. તે બોધ આત્મામાં મોહની અનાકુળતા રૂપ શાંતરસ ઉત્પન્ન કરે છે અને તે શાંતરસને પ્રાપ્ત કર્યા પછી જે મહાત્મા તે શાસ્ત્રવચનોનું વારંવાર હૈયાને સ્પર્શે તે રીતે પરાવર્તન કરીને આત્માને તે વચનોથી અત્યંત ભાવિત કરે છે તેમ તેમ તેમના આત્મામાં મોહના વિકારો શાંત થાય છે અને મોહનો ઉન્માદ જેમ જેમ શાંત થાય તેમ તેમ વીતરાગભાવને આસન્નતર એવા શાંતરસનું પાન તે મહાત્માને થાય છે. તેવા અમૃતનું પાન કરવા માટે મહાત્મા પ્રસ્તુત શ્લોકથી પોતાના આત્માને અભિમુખ કરે છે જેથી પ્રમાદ વગર શક્તિ અનુસાર શ્રુતવચનોથી આત્માને ભાવિત કરીને પોતે શાંતરસના પ્રકર્ષને પામે. IIટા I બારમો પ્રકાશ પૂર્ણ II Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શાંતાવાસ ૧૩. મૈત્રીભાવના છે શ્લોક : सद्धर्मध्यानसन्धानहेतवः श्रीजिनेश्वरैः । રિઝમૃતવઃ પ્રાશ્વતારો માવનાર પર: Tiા શ્લોકાર્ચ - સદ્ધર્મના ધ્યાનના સન્ધાનના હેતુ એવી મૈત્રી વગેરે ચાર શ્રેષ્ઠ ભાવના ભગવાને બતાવેલી છે. ૧ ભાવાર્થ : આત્માને સંસારથી પર અવસ્થામાં જવા માટે ધર્મધ્યાન અને શુક્લધ્યાન બે ધ્યાનો કારણ છે. ધર્મધ્યાનથી કરેલી શક્તિના સંચયવાળા મહાત્માઓ શુક્લધ્યાન કરી શકે છે અને શુક્લધ્યાનની શક્તિના સંચય અર્થે મહાત્માઓ ધર્મધ્યાનમાં પ્રવૃત્તિ કરે છે. વળી, આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના નિવારણપૂર્વક ધર્મધ્યાન સંસારના ઉચ્છેદનું કારણ બને છે અને ધર્મધ્યાનના અર્થી મહાત્મા પણ ધર્મધ્યાન કરવા માટે સમર્થ ન થાય ત્યારે ધર્મધ્યાનને અનુકૂળ શક્તિસંચય અર્થે મૈત્રી આદિ ચાર ભાવનાઓ ભગવાને બતાવેલ છે. જે ચાર ભાવનાઓથી નિર્મળ થયેલું ચિત્ત સંસારના ભાવોને સ્પર્શીને થતા આર્તધ્યાનથી અને રૌદ્રધ્યાનથી આત્માનું રક્ષણ કરે છે. જે મહાત્માઓનું ચિત્ત મૈત્રી આદિ ચાર ભાવનાથી અત્યંત વાસિત છે તે મહાત્માઓ સર્વ જીવો સાથે ઉચિત પ્રવૃત્તિ કરીને કોઈ અન્ય જીવના નિમિત્તે કોઈ પ્રકારના ક્લેશને પામતા નથી અર્થાત્ ઉત્તમપુરુષોને પામીને તો કલ્યાણ કરે જ છે પરંતુ મૈત્રી આદિ ભાવનાથી ભાવિત થયેલું ચિત્ત હોવાના કારણે અયોગ્ય જીવને પામીને પણ તે જીવોના હિતની જ વિચારણા તે મહાત્મા કરે છે તેથી કોઈપણ ક્લેશની પ્રાપ્તિ થતી નથી. માટે ભગવાને શ્રેષ્ઠ એવી આ ચાર ભાવનાઓથી આત્માને સદા ભાવિત રાખવા માટે ઉપદેશ આપેલો છે. આવા અવતરલિકા : - પૂર્વ શ્લોકમાં કહ્યું કે સધર્મધ્યાનને પ્રગટ કરવાનો હેતુ મૈત્રી આદિ ભાવના છે, તેથી એ ચાર ભાવનાઓ કઈ રીતે ધર્મધ્યાનને પ્રગટ કરે છે તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि नियोजयेत् । धर्मध्यानमुपस्कर्तुं तद्धि तस्य रसायनम् ।।२।। Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૩. મૈત્રીભાવના | શ્લોક-૨-૩ શ્લોકાર્થ ઃ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય એવી ચાર ભાવનાઓને આત્મામાં નિયોજન કરવી જોઈએ. =િજે કારણથી, ધર્મધ્યાનને ઉપકાર કરવા માટે તે=ચાર ભાવનાઓ, તેનું=ધર્મધ્યાનનું, રસાયન છે=પરમ ઔષધ છે. IIરા ભાવાર્થ: મહાત્મા ભાવન કરે છે કે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્યરૂપ ચાર ભાવનાને તું આત્મામાં અત્યંત નિયોજિત ક૨. અર્થાત્ તે ભાવનાઓના મર્મને સ્પર્શે તે પ્રકારના ઉપયોગપૂર્વક તે ભાવનાઓથી આત્માને ભાવિત કર. આ ચાર ભાવનાઓ સંસારના ઉચ્છેદના પ્રબળ કારણ એવા ધર્મધ્યાનને ઉપકાર કરવા માટે પરમ ઔષધ છે. તેથી તે ભાવનાઓથી ભાવિત થયેલું ચિત્ત જગતના જીવમાત્ર સાથે ઉચિત પ્રવૃત્તિ કરનારું બને છે જેથી કોઈ જીવો પ્રત્યે પોતાને દ્વેષ કે ક્લેશ ન થાય અને કોઈ જીવના નિમિત્તે પોતાને ક્લેશ ન થાય તેવું ઉત્તમ ચિત્ત બને છે. જેનો આત્મા આ મૈત્રી આદિ ભાવનાથી અત્યંત ભાવિત થયેલ હોય તેને તુચ્છ એવા બાહ્ય પદાર્થોને આશ્રયીને જીવો સાથે જે ક્લેશાદિ થાય છે તે સર્વ નિવર્તન પામે છે અને તેના કારણે બાહ્ય પદાર્થો પ્રત્યે પણ તેવો તીવ્ર સંગનો પરિણામ થતો નથી. આ રીતે અક્લેશવાળું ચિત્ત ધર્મધ્યાનમાં યત્ન કરીને સુખપૂર્વક અસંગ પરિણામને અનુકૂળ શક્તિનો સંચય થાય એવો યત્ન કરી શકે છે. III અવતરણિકા : 993 પૂર્વ શ્લોકમાં કહ્યું કે મહાત્માએ મૈત્રી આદિ ચાર ભાવનાઓ આત્મામાં નિયોજિત કરવી જોઈએ તેથી હવે તે મૈત્રી આદિ ચાર ભાવનાઓનું સ્વરૂપ જ સંક્ષેપથી બતાવે છે શ્લોક ઃ मैत्री परेषां हितचिन्तनं यद् भवेत् प्रमोदो गुणपक्षपातः । कारुण्यमार्ताङ्गिरुजां जिहीर्षेत्युपेक्षणं दुष्टधियामुपेक्षा ||३|| શ્લોકાર્થ પરના હિતનું જે ચિંતવન તે મૈત્રી છે, ગુણનો પક્ષપાત તે પ્રમોદ છે, પીડિત અંગવાળા જીવોના રોગોને દૂર કરવાની ઈચ્છા કારુણ્ય છે અને દુષ્ટ બુદ્ધિવાળા જીવોનું ઉપેક્ષણ=ઉપેક્ષા કરવી તે ઉપેક્ષાભાવના છે. II3II ભાવાર્થઃ - જગતવર્તી સર્વ જીવો પોતાના તુલ્ય છે તેથી સર્વ જીવોનું પોતાનાથી જે પ્રકારે હિત થઈ શકે તે પ્રકારે હિત કરવા યત્ન કરે અને હિત ન કરી શકે તોપણ હૈયામાં તે જીવના હિત ક૨વાને અનુકૂળ ઉત્તમભાવ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪. શાંતસુધારસા ધારણ કરે તે મૈત્રીભાવના છે. આ મૈત્રીભાવનાનો વિષય જગતના તમામ જીવો છે; કેમ કે જગતના સર્વ જીવોનું હિત થાય તેવી બુદ્ધિ હૈયામાં સદા વર્તતી હોય તો જીવ માત્ર પ્રત્યે મૈત્રીભાવ થઈ શકે અને મૈત્રીભાવનાથી વાસિત જીવોને કોઈની ખરાબ પ્રવૃત્તિથી ક્લેશની પ્રાપ્તિ થતી નથી. પરંતુ તેઓ તેવા સંયોગને પામીને વિચારે છે કે હું કેવા પ્રકારનો યત્ન કરું કે જેથી તેનું પારમાર્થિક હિત થાય. વળી, કેટલાક જીવો યોગમાર્ગમાં પ્રવૃત્ત થયેલા હોય છે તેઓની યોગમાર્ગની પ્રવૃત્તિ જોઈને તે પ્રવૃત્તિમાં જે જે પ્રકારના મોક્ષને અનુકૂળ ગુણો દેખાય છે તે તે ગુણોને અનુસાર તે જીવો પ્રત્યે બહુમાનનો ભાવ તે પ્રમોદભાવના છે. પ્રમોદભાવનાનો વિષય સર્વ જીવો નથી પરંતુ મોક્ષમાર્ગમાં પ્રસ્થિત એવા ગુણસંપન્ન જીવો છે. જે મહાત્મા મોક્ષમાર્ગના ગુણોના પરમાર્થને જાણવા માટે સદા યત્ન કરે છે તે મહાત્માને ઘણા દોષોથી યુક્ત પણ કોઈક જીવમાં મોક્ષમાર્ગને અનુકૂળ અલ્પ પણ ગુણ દેખાય તો પ્રમોદભાવનાને કારણે તેના ગુણોને આશ્રયીને તેના પ્રત્યે બહુમાન થાય છે અને તેના અન્ય દોષોને જોઈને અસહિષ્ણુતા થતી નથી. તેથી પ્રમોદભાવનાથી આત્માને ભાવિત કરવા અર્થે મોક્ષને અનુકૂળ પારમાર્થિક ગુણોનો બોધ કરવા માટે મહાત્માએ સદા યત્ન કરવો જોઈએ. મોક્ષને અનુકૂળ અલ્પ પણ ગુણોથી યુક્ત કોઈ મહાત્મા દેખાય તો તેના પ્રત્યે બહુમાન ભાવ કરવો જોઈએ જેનાથી પોતાનામાં પણ તેવા ગુણો પ્રગટે. આ રીતે મહાત્મામાં રહેલા અલ્પગુણોને જોવાથી ગુણગ્રાહી દૃષ્ટિનો સદા વિકાસ થાય છે. પીડાથી આર્ત દેહવાળા રોગી જીવોના રોગોને દૂર કરવાની ઇચ્છા તે કરુણાભાવના છે. કરુણાભાવનાથી ભાવિત મહાત્મા પોતાની ભૂમિકા અનુસાર શારીરિક રોગવાળા, માનસિક રોગવાળા કે માર્ગ અપ્રાપ્તિને કારણે ભાવરોગવાળા દુઃખી જીવોને જોઈને હૈયામાં કરૂણાવાળા થાય છે અને તેઓના તે તે પ્રકારના દુઃખને દૂર કરવાના અભિલાષવાળા થાય છે અને પોતાની જે પ્રકારની શક્તિ હોય તેને અનુરૂપ ઉચિત યત્ન કરીને તેઓના દુઃખને દૂર કરવા યત્ન કરે છે. સુસાધુ પોતાના સંયમની મર્યાદા અનુસાર ગૃહસ્થનો ભાવરોગ દૂર કરવા અર્થે ઉચિત યત્ન કરે છે. આમ છતાં કોઈ જીવને દેહાદિ રોગ વર્તતો હોય અને શાસનપ્રભાવના આદિ વિશેષલાભનું કારણ જણાય તો તેના રોગના નાશનો ઉપાય પણ મહાત્મા બતાવે છે. જેમ મુનિસુંદર મ.સા.એ શ્રીપાળ રાજાના કોઢ રોગને દૂર કરવાનો ઉચિત ઉપાય બતાવ્યો. વળી, જેઓ કરુણાભાવનાથી આત્માને ભાવિત કરે છે તેઓ તે ભાવનાના બળથી પોતાના આત્મામાં વર્તતા કઠોર પરિણામનો સતત નાશ કરે છે. આથી વિશેષ પ્રકારની કરુણાભાવના જેના હૈયામાં સ્થિર થાય તેવા જીવો મોક્ષમાં ન જાય ત્યાં સુધી તિર્યંચગતિમાં કે નરકગતિમાં જાય તેવા પરિણામની યોગ્યતાનો પણ નાશ કરે છે. તેથી તેવા જીવો દેવગતિ મનુષ્યગતિ પામીને અલ્પકાળમાં અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે. આ કરુણાભાવનાનો વિષય સર્વ જીવો નથી પરંતુ શારીરિક, માનસિક દુઃખી જીવો છે. શારીરિક અને માનસિક સુખી હોવા છતાં મોહને વશ સંસારના ભાવોમાં રચ્યાપચ્યા રહેનારા જીવો સુધરી શકે તેવા જણાય ત્યારે તે જીવો પણ મહાત્માની કરુણાભાવનાનો વિષય બને છે. ગુણસંપન્ન જીવો કરુણાનો વિષય બનતા નથી પરંતુ પ્રમોદભાવનાનો વિષય બને છે. આમ છતાં ગુણસંપન્ન જીવો પણ ક્યારેક શારીરિક આદિ પીડાવાળા હોય તો કરુણાભાવનાનો વિષય બને છે એટલું જ નહિ પણ કોઈ ગુણસંપન્ન જીવ કોઈક નિમિત્તે પ્રમાદને વશ થઈને પતનને Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૩. મૈત્રીભાવના, શ્લોક-૩-૪ ૧૬૫ અભિમુખ હોય તો તે પણ મહાત્માની કરુણાનો વિષય બને છે. ત્યારે મહાત્મા વિચારે છે કે વિચિત્ર એવા કર્મના કારણે જ આ જીવો તે પ્રકારના અનુચિત પરિણામ કરે છે, વસ્તુતઃ તે જીવોનો તેમાં દોષ નથી પરંતુ કર્મનો જ દોષ છે. કેટલાક જીવો ક્લિષ્ટ પ્રકૃતિવાળા હોય છે અને તેવા જીવોની ક્લિષ્ટ પ્રકૃતિ ઉચિત ઉપાયથી સુધરી શકે તેમ જણાય તો મહાત્મા કરુણાથી તેમને સુધારવા યત્ન કરે છે. પરંતુ જેઓ યત્નથી સુધરી શકે તેમ નથી તેવા અયોગ્ય જીવોના અનુચિત વર્તનને જોઈ પોતાના હૈયામાં દ્વેષ ઉત્પન્ન ન થાય માટે મહાત્મા ઉપેક્ષાભાવનાથી આત્માને ભાવિત કરે છે. વળી, જે મહાત્માનું ચિત્ત ઉપેક્ષાભાવનાથી અત્યંત ભાવિત છે તેવા મહાત્માઓની કોઈ નિંદા કરે, પ્રતિકૂળ વર્તન કરે તો તે મહાત્મા વિચારે છે કે વિચિત્ર એવા કર્મના કારણે જ આ જીવો તે પ્રકારના અનુચિત પરિણામો કરે છે. આમ ચિંતવન કરીને તેઓના અનુચિત વર્તનમાં પણ મહાત્મા પોતાના ચિત્તની સ્વસ્થતાને ધારણ કરે છે તે ઉપેક્ષાભાવના છે. ઉપેક્ષાભાવનાનો વિષય સર્વ જીવ નથી, ગુણસંપન્ન જીવો નથી પરંતુ જેઓ યત્નથી સુધરી શકે એમ નથી તેવા જીવો છે. આથી જ પૂર્વમાં ગુણસંપન્ન પણ સાધુ કોઈક નિમિત્તથી અસથ્રહથી દૂષિત મતિવાળા થાય અને પ્રયત્નથી સુધરી શકે તેમ ન જણાય ત્યારે તેવા જીવો પ્રત્યે પણ મહાત્માઓ દ્વેષ કરતા નથી પરંતુ ઉપેક્ષા કરે છે. I3II અવતરણિકા - મૈત્રીભાવના આત્મામાં કઈ રીતે સ્થિર કરવી જોઈએ તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : सर्वत्र मैत्रीमुपकल्पयात्मन् ! चिन्त्यो जगत्यत्र न कोऽपि शत्रुः । कियदिनस्थायिनि जीवितेऽस्मिन्, किं खिद्यते वैरिधिया परस्मिन् ।।४।। શ્લોકાર્ચ - આત્મા! તું સર્વ જીવરાશિમાં મિત્રપણાની કલ્પના કર. આ જગતમાં, કોઈપણ બુ છે એ પ્રમાણે ચિંતવન કરવું જોઈએ નહિ. કેમ કોઈનામાં શત્રુપણાનું ચિંતવન કરવું જોઈએ નહિ ? તેથી કહે છે – કેટલાક દિવસ સ્થાયી આ જીવિત હોતે છતે પરમાં વૈરબુદ્ધિથી કેમ ખેદ કરાય છે? Ill ભાવાર્થ - મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે કે તું બધા જીવોમાં મૈત્રીભાવનાની કલ્પના કર; કેમ કે અનાદિકાળથી જીવે મારાતારાની બુદ્ધિ કરી અનેક પ્રકારના જીવો સાથે શત્રુપણાની બુદ્ધિથી આત્માને વાસિત કર્યો છે અને તે સંસ્કારને કારણે વર્તમાનમાં પણ જે જે જીવો સાથે વસવાથી ઘણા પ્રકારના ઉપદ્રવોની પ્રાપ્તિ થાય છે તેને આશ્રયીને તે તે જીવો પ્રત્યે શત્રુબુદ્ધિ થાય તેવા સંસ્કારો જાગ્રત થાય છે. જેમ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શાંત વારસ અનાદિકાળથી જીવે શાતા માટે યત્ન કર્યો છે તેથી વિચારીને કે વિચાર્યા વગર પણ શાતા પ્રત્યેનો રાગભાવ થાય છે અને પ્રયત્ન કરવા છતાં સમભાવ પ્રત્યેનો રાગ મહાત્માઓ પણ પ્રાયઃ ઉલ્લસિત કરી શક્તા નથી. ક્વચિત્ ક્ષણભર મહાત્મા સમભાવ પ્રત્યેનો રાગ કરવા પ્રયત્ન કરે ત્યારે શાતા પ્રત્યેનો રાગ કંઈક અલ્પ થાય છે અને સમભાવ પ્રત્યેનો રાગ ક્ષણભર થાય છે તોપણ મહાત્માને પણ સમભાવ પ્રત્યેનો રાગ સ્થિર કરવો દુષ્કર બને છે. વળી, તે મહાત્મા યત્નપૂર્વક શાતા પ્રત્યેનો રાગ દૂર કરે તોપણ નિમિત્તને પામીને શાતા પ્રત્યેનો રાગ સહજ આવિર્ભાવ થાય છે તેમ સર્વ જીવોમાં મૈત્રીભાવની વિચારણા કરતી વખતે ક્ષણભર મૈત્રીભાવ પ્રત્યેનો રાગ ઉલ્લસિત થાય છે તોપણ જે જે પોતાની સાથે પ્રતિકૂળભાવવાળા છે તે તે જીવો પ્રત્યે શત્રુભાવ સહજ ઉલ્લસિત થાય છે. તેથી કોઈ જીવો પ્રત્યે શત્રુભાવ ઉલ્લસિત ન થઈ શકે તેવા મૈત્રીભાવના દૃઢ સંસ્કારના આધાન અર્થે મહાત્માએ અત્યંત ઉપયોગપૂર્વક મૈત્રીભાવથી આત્માને વાસિત કરવો જોઈએ અને પોતાના ચિત્તના પ્રવાહનું સૂક્ષ્મ અવલોકન કરવું જોઈએ કે પોતાના પ્રત્યે જેઓ શત્રુભાવવાળા છે તેઓ પ્રત્યે મારા ચિત્તમાં મૈત્રીભાવ જીવે છે કે નહિ ? જ્યાં સુધી શત્રુભાવનો અત્યંત નાશ ન થાય ત્યા સુધી વારંવાર સૂક્ષ્મ ઉપયોગપૂર્વક મહાત્માએ મૈત્રીભાવથી આત્માને વાસિત કરવો જોઈએ અને વિચારવું જોઈએ કે કેટલાક દિવસ એવું આ મારું જીવિત છે તેથી પરિમિતકાળના મારા જીવિતમાં બીજા જીવો પ્રત્યે વૈરબુદ્ધિ કરીને ક્લેશના સંતાપને પ્રાપ્ત કરવાથી શું ? આ પ્રકારે પુનઃ પુનઃ ભાવન કરીને કોઈના પણ, કોઈપણ પ્રકારના વર્તનને, આશ્રયીને શત્રુબુદ્ધિ ન થાય પરંતુ તેના હિતના ચિંતવનને અનુકૂળ જ પોતાનું ચિત્ત વર્તે તેવો દઢ યત્ન મહાત્માએ કરવો જોઈએ. જેથી મૈત્રીભાવના સ્થિર પરિણામવાળી બને, અન્યથા મૈત્રીભાવથી આત્માને ભાવિત કરતી વખતે કંઈક શુભઅધ્યવસાય થવા છતાં ચિત્ત હંમેશાં અમૈત્રીભાવનાથી ભાવિત રહે છે અને અમૈત્રીભાવથી ભાવિત થયેલ ચિત્ત ધર્મધ્યાનમાં જવા સમર્થ બનતું નથી માટે કલ્યાણના અર્થીએ સૂક્ષ્મબુદ્ધિથી મૈત્રીભાવનાને સ્થિર કરવા યત્ન કરવો જોઈએ. જો શ્લોક : सर्वेऽप्यमी बन्धुतयाऽनुभूताः, सहस्रशोऽस्मिन् भवता भवाब्यौ । जीवास्ततो बन्धव एव सर्वे, न कोऽपि ते शत्रुरिति प्रतीहि ।।५।। શ્લોકાર્ચ - . આ ભવરૂપી સમુદ્રમાં સર્વ પણ આ જીવો, તાસ વડે હજારો વખત બંધુપણાથી અનુભવ કરાયા છે તેથી સર્વ પણ જીવો બંધુ જ છે. તારો કોઈપણ શત્રુ નથી તે પ્રમાણે તું જાણ. પII ભાવાર્થ : વળી, આત્મામાં મૈત્રીભાવ સ્થિર કરવા અર્થે મહાત્મા વિચારે છે કે આ સંસારસમુદ્રમાં પોતાનો આત્મા અનંતકાળથી ભમે છે તેથી જે જીવો અત્યારે પોતાને પ્રતિકૂળ વર્તન કરે છે તેઓ બંધુ નથી તેવી બુદ્ધિ થાય છે. વસ્તુતઃ અનંતકાળમાં તે સર્વ હજારો વખત બંધુપણાથી સાથે જન્મ્યા છે એટલું જ નહિ અત્યંત Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ ૧૩. મૈત્રીભાવના | શ્લોક-પ-૬ આત્મીયતાથી તેઓની સાથે બંધુભાવ હતો. તેથી જગતમાં કોઈ એવો જીવ નથી જેની સાથે પોતે ભૂતકાળમાં બંધુભાવ ન કર્યો હોય. આ રીતે વિચારીને પોતાનો કોઈ શત્રુ નથી તે પ્રકારે તું ભાવન કર. જેથી સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ સ્થિર થાય અને તે તે નિમિત્તને પામીને કોઈકના તેવા વર્તનથી તેના પ્રત્યે દ્વેષબુદ્ધિ, શત્રુબુદ્ધિ આદિ ભાવો થાય નહીં અને ચિત્ત હંમેશાં પોતાના આત્માના હિતની ચિંતા માટે ઉચિત વિચારણા કરે છે તેમ જગતના જીવ માત્રના હિતની ચિંતાનો પરિણામ તું ધારણ કરી અને જે જીવ પ્રત્યે જે પ્રકારનું હિત તારાથી સંભવે તે પ્રકારે ઉચિત પ્રયત્ન કરે જેથી અન્ય જીવો પ્રત્યે દ્વેષાદિ બુદ્ધિના કારણે થતા ક્લેશોનો પરિહાર થાય. પા અવતરણિકા - વળી, મૈત્રીભાવને અત્યંત સ્થિર કરવા અર્થે મહાત્મા ભાવન કરે છે – શ્લોક : सर्वे पितृभ्रातृपितृव्यमातृपुत्राङ्गजास्त्रीभगिनीस्नुषात्वम् । जीवाः प्रपन्ना बहुशस्तदेतत्, कुटुंबमेवेति परो न कश्चित् ।।६।। શ્લોકાર્ચ - સર્વ જીવો પિતૃપણું, ભ્રાતૃપણું, દાદાપણું, માતાપણું, પુત્રપણું, પુત્રીપણું, સ્ત્રીપણું, ભગિનીપણું, પુત્રવધૂપણું, અનેકવાર પામેલા છે. તે કારણથી આ=સર્વ જીવોનો સમૂહ, કુટુંબ જ છે એથી પર કોઈ નથી=પોતાના માટે જગતનો કોઈ જીવ પર નથી. III ભાવાર્થ : વળી, મહાત્મા શાસ્ત્રવચનથી અને યુક્તિથી સંસારનું સ્વરૂપ અવલોકન કરીને વિચારે છે કે જગતના સજીવો કોઈક ભવમાં પોતાની સાથે પિતાના સંબંધને પામ્યા છે તો કોઈક ભવમાં ભાઈના સંબંધને પામ્યા છે, કોઈક ભવમાં દાદાના સંબંધને પામ્યા છે તો અન્ય કોઈક ભવમાં માતાના સંબંધને પામ્યા છે. કોઈક ભવમાં પુત્રના સંબંધને પામ્યા છે તો કોઈ અન્ય ભવમાં પુત્રીના સંબંધને પામ્યા છે. અન્ય ભવમાં સ્ત્રીના સંબંધને પામ્યા છે તો કોઈક અન્ય ભવમાં ભગિનીના સંબંધને પામ્યા છે તો અન્યભવમાં પુત્રવધૂના સંબંધને પામ્યા છે. એટલું જ નહિ આ સર્વ સંબંધો અનંતકાળમાં એક વાર નહિ પણ અનંતી વાર પ્રાપ્ત થયા છે. તેથી જેમ સંસારી જીવને પોતાના કુટુંબ પ્રત્યે પોતાપણાની બુદ્ધિ વર્તે છે તેમ સર્વ જીવો પોતાનું કુટુંબ જ છે કુટુંબથી પર કોઈ નથી. માટે પોતાના કુટુંબથી ભિન્ન તે તે જીવોનાં તે તે વર્તનો જોઈને શત્રુબુદ્ધિ, લેષબુદ્ધિ, વગેરે કરવી વિવેકી પુરુષને ઉચિત નથી. જેઓની પદાર્થને જોનારી નિર્મળદૃષ્ટિ નથી તેઓ જ વર્તમાનના પોતાના કુટુંબને કુટુંબ તરીકે સ્વીકારીને અન્ય જીવો પર છે તેમ સ્વીકારે છે અને તેના કારણે તેઓ પ્રત્યે ઉપેક્ષાની બુદ્ધિ થાય છે કે શત્રુની બુદ્ધિ થાય છે, પરંતુ તે સર્વેની હિતની ચિંતાનો પરિણામ થતો Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શાંતસુધારણા નથી. પરમાર્થને જોનારાને તો જેમ પોતાના વર્તમાનના કુટુંબ પ્રત્યે તેઓના હિતની ચિંતા થાય છે તેથી શક્તિ અનુસાર જે જે જીવોનું જે જે પ્રકારે હિત સંભવે તે પ્રકારે હિત માટે યત્ન કરે છે, તેમ જગતના સર્વે જીવો પ્રત્યે હિતચિંતાનો પરિણામ હૈયામાં સ્કુરણ થાય તેવો યત્ન કરવો જોઈએ અને જ્યાં જે પ્રકારનું હિત સંભવે તે પ્રકારે ઉચિત યત્ન કરવો જોઈએ જેથી ચિત્ત સદા મૈત્રીભાવથી વાસિત રહે. આવા અવતરણિકા : અત્યારસુધી સર્વ જીવો સાથે મૈત્રીભાવ ભાવન કરવા અર્થે કઈ રીતે મહાત્માઓએ વિચારવું જોઈએ તે સ્પષ્ટ કર્યું છે અને આ પ્રકારે ભાવતથી જયારે ચિત સર્વ જીવો સાથે મૈત્રીભાવનાથી ભાવિત બને છે ત્યારે સર્વ જીવોની કેવા પ્રકારની હિતચિંતા કરવી જોઈએ, જેથી પરિણમન પામેલી મૈત્રીભાવના પારમાર્થિક તત્વને સ્પર્શતારી બને તે બતાવવા અર્થે કહે છે – શ્લોક - एकेन्द्रियाद्या अपि हन्त जीवाः, पञ्चेन्द्रियत्वाद्यधिगम्य सम्यक् । बोधिं समाराध्य कदा लभन्ते, भूयो भवभ्रान्तिभियां विरामम् ।।७।। શ્લોકાર્થ : એકેન્દ્રિયાદિ પણ જીવો ખરેખર પંચેન્દ્રિયપણાદિને પામીને સમ્યફ બોધિની આરાધના કરીને ફરી ભવભ્રમણના ભયના વિરામને ક્યારે પામશે ? ક્યારે મોક્ષને પામશે? ના. ભાવાર્થ મહાત્માને બોધિની પ્રાપ્તિ અને તેના દ્વારા ભવનો ઉચ્છેદ જ હિત દેખાય છે, અન્ય કંઈ હિત દેખાતું નથી. તેથી જગતના જીવો સાથે મૈત્રીભાવનાથી ભાવિત કરેલું પોતાનું અંતઃકરણ કર્યા પછી તે જીવો માટે જે પ્રકારનું હિત પરમાર્થથી પોતાને દેખાય છે તે પ્રકારનું હિત જગતના જીવોને પ્રાપ્ત થાય તેવો નિર્મળ અધ્યવસાય કરવા અર્થે વિચારે છે – સંસારવર્તી જીવો એકેન્દ્રિયભાવથી માંડીને પંચેન્દ્રિયભાવ સુધી વર્તે છે. તે સર્વ જીવો પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું, પામે, ઉત્તમકુળજાતિપણું પામે અને તત્ત્વજિજ્ઞાસા પ્રાપ્ત કરીને ભગવાનના શાસનના પરમાર્થને પ્રાપ્ત કરી તેની સમ્યગુ આરાધના કરીને ભવભ્રમણના ભયનો અંત ક્યારે પ્રાપ્ત કરશે જેથી તે સર્વનું હિત થાય. આ પ્રકારનું ભાવન કરવાથી પોતાને પણ મોક્ષમાર્ગનો અત્યંત પક્ષપાત પ્રગટે છે અને જગતના સર્વ જીવોને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય તેવો દૃઢ પરિણામ સ્થિર થાય છે. ' જેથી સર્વ જીવોના પારમાર્થિક કલ્યાણની પ્રાપ્તિનો ઉત્તમ અધ્યવસાય પોતાને પારમાર્થિક કલ્યાણ પ્રાપ્તિને અનુકૂળ ઉત્તમ પુણ્ય બંધાવીને શીધ્ર સંસારના અંતનું કારણ બને છે. તેથી જે મહાત્મા દૃઢ પ્રણિધાનપૂર્વક આ પ્રકારની ઉત્તમભાવનાથી આત્માને વાસિત કરે છે તે અલ્પકાળમાં અવશ્ય સંસારના અંતને પામે છે. તેથી વિવેકી પુરુષે પૂર્વમાં બતાવેલ સર્વદુર્લભ વસ્તુઓ અને તેમાં પણ વિવિદિષા, શાસ્ત્રશ્રવણ અને ધર્મની Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૩. મૈત્રીભાવના | શ્લોક-૭-૮ 1 ૧૬૯ પ્રાપ્તિ આદિ કઈ રીતે દુર્લભ છે તેના મર્મને સ્થિર કરીને તેવા ઉત્તમબોધિને સદા સ્મૃતિમાં રાખીને તેવા બોધિની પ્રાપ્તિ સર્વ જીવોને થાય તેવો નિર્મળ અધ્યવસાય કરવો જોઈએ. II૭II અવતરણિકા - વળી, કેવા પ્રકારની સર્વ જીવોની હિતચિંતા કરવી તેનું જ વિશેષ પ્રકારનું સ્વરૂપ બતાવવા અર્થે કહે છે શ્લોક ઃ या रागरोषादिरुजो जनानां, शाम्यन्तु वाक्कायमनोगुहस्ताः । सर्वेऽप्युदासीनरसं रसन्तु, सर्वत्र सर्वे सुखिनो भवन्तु ||८|| શ્લોકાર્થ : જીવોને વાણી, કાય અને મનના દ્રોહને કરનારા જે રાગ-રોષાદિ રોગો છે તે શાંત થાય, સર્વપણ જીવો ઉદાસીન રસનું આસ્વાદન કરો. સર્વત્ર=સર્વસ્થાનોમાં, સર્વ જીવો સુખી થાવ. IIII ભાવાર્થ: વળી, મૈત્રીભાવનાથી ભાવિત થયેલા ચિત્તવાળા મહાત્માઓએ જગતના સર્વ જીવોની કયા પ્રકારની હિતચિંતા ક૨વી જોઈએ તેનું સ્મરણ કરીને તે ભાવો પ્રત્યેના તીવ્ર પક્ષપાતપૂર્વક તેવા ઉત્તમભાવો જગતના સર્વ જીવોને પ્રાપ્ત થાય તેવો અભિલાષ કરે છે. તે અભિલાષામાં ત્રણ પ્રકારના ભાવો કરે છે. (૧) સંસારીજીવોને અંતરંગ ઉપદ્રવ કરનારા રાગ-રોષાદિ રોગો છે તે જીવોની વાણી, કાયા અને મનને દ્રોહ કરનારા છે તેથી સંસારીજીવો રાગાદિથી આકુળ થઈને મન-વચન-કાયાના યોગો પોતાના અહિત માટે પ્રવર્તાવે છે અને તેનાથી જ અનેક પ્રકારનાં કર્મો બાંધીને સંસારચક્રમાં અનેક પ્રકારની કદર્થના પામે છે. સંસારાજીવોમાં વર્તતા મન-વચન-કાયાના દ્રોહને કરનારા એવા રાગાદિ રોગો શાંત થાય તે પ્રકારની ઉત્તમ ભાવના મહાત્મા કરે છે જેથી પોતાને પણ તે રાગાદિ રોગો અત્યંત અહિતકારી છે તેવી બુદ્ધિ સ્થિર થાય છે અને જગતના જીવોના તે અહિતકારી ભાવો શાંત થાય તે પ્રકારના નિર્મળ અધ્યવસાય દ્વારા જગતના જીવોના કલ્યાણની ઉત્તમ ભાવના મહાત્મા પોતાના આત્મામાં સ્થિર કરે છે. (૨) વળી, મહાત્મા વિચારે છે કે જગતના ભાવો પ્રત્યેનો ઉદાસીનભાવનો રસ એ જ આત્માને શાંતરસના આસ્વાદનને આપનાર છે. પરંતુ સંસારીજીવોનું ચિત્ત જગતના ભાવો પ્રત્યે ઉદાસીન નથી, તેથી અન્ય અન્ય રસોમાં જ આનંદ આવે છે અને તે રસોનો આનંદ લઈને સંસારી જીવો ક્લિષ્ટભાવો કરે છે અને સર્વ પ્રકારની વિડંબનાઓને પ્રાપ્ત કરે છે તેવો સ્પષ્ટ બોધ છે તેવા મહાત્મા નિપુણ પ્રજ્ઞાપૂર્વક ઉદાસીન૨સ પ્રત્યેનો દૃઢ રાગ થાય અને તેવો ઉદાસીનરસ જગતના જીવોને પ્રાપ્ત થાય તેવી ભાવના કરે છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦. શાંત ધારસ છે. અહીં વિશેષ એ છે કે સંસારીજીવોને કોઈક પ્રકારના વિષમ સંયોગ પ્રાપ્ત થાય ત્યારે ચિત્ત ઉદાસીન બને છે. તે ઉદાસીનતા મોહના પરિણામ રૂપ છે અને તેનાથી ખિન્ન થયેલા તે જીવો વિષયોમાંથી રસ લઈ શક્તા નથી તોપણ તે ઉદાસીનતાથી આર્તધ્યાન જ કરે છે પરંતુ શાંતરસનો અનુભવ કરતા નથી. જ્યારે વિવેકી પુરુષ તો વિચારે કે આત્મા માટે જગતના પદાર્થો આનંદપ્રદ નથી પરંતુ જગત પ્રત્યે નિરપેક્ષભાવવાળું ચિત્ત જ શાંતરસનો આનંદ દેનારું છે તેથી તત્ત્વનું ભાવન કરીને બાહ્યવિષયો પ્રત્યે મહાત્માઓ ઉદાસીનતા કવીને મોહની અનાકુળતારૂપ સ્વસ્થતાને પ્રાપ્ત કરીને શાંતરસનું આસ્વાદન કરે છે તે ઉદાસીનરસ છે. આવો ઉદાસીનરસ જે મહાત્માને હિતરૂપ દેખાય છે તે મહાત્મા ભાવન કરે છે કે જેમ હું ઉદાસીનરસથી આત્માને વાસિત કરીને સ્વસ્થતાનો અનુભવ કરું છું તેમ જગતના સર્વ જીવો તેવા ઉદાસીનરસને પામીને સ્વસ્થતાને પ્રાપ્ત કરનારા થાવ. (૩) વળી, મહાત્મા વિચારે છે કે જીવ માત્ર સુખના અર્થી છે અને જીવનું પારમાર્થિક સુખ અંતરંગ રીતે વીતરાગભાવ છે. દેહકૃત સુખ શાતાનું સુખ છે અને શાતાને અનુકૂળ એવી ધનાદિની સામગ્રી તે બાહ્યસુખ છે. પુણ્યાનુબંધી-પુણ્યવાળા જીવો સ્વભૂમિકાનુસાર આ ત્રણે પ્રકારે સુખને પ્રધાન કરીને વિશેષ પ્રકારના સમભાવના સુખને પ્રાપ્ત કરવા સમર્થ બને છે ત્યારે સંયમ ગ્રહણ કરે છે અને જ્યાં સુધી તેવા પ્રકારના અંતરંગ વિશેષ સુખની શક્તિનો સંચય થયો નથી ત્યાં સુધી ઉચિત રીતે દેહાદિનું પાલન કરીને શાતાના સુખમાં પણ યત્ન કરે છે. છતાં શાતાના સુખ કરતાં અંતરંગ સમભાવના સુખનું મહત્ત્વ તેઓને અધિક છે તેથી વિશેષ શક્તિ આવે તો શાતા-અશાતા પ્રત્યે સમભાવને કેળવીને સંયમના સુખનું વેદન કરે છે. પ્રસ્તુત ભાવના કરનાર મહાત્મા વિચારે છે કે સંસારી જીવમાત્રને બાહ્ય સામગ્રીનું સુખ, શાતાનું સુખ અને સમભાવનું સુખ પ્રાપ્ત થાય અને વિવેકપૂર્વક અંતરંગ સુખની વૃદ્ધિમાં યત્ન કરનાર થાય. આ પ્રકારની ભાવનાથી જગતના જીવ માત્રના પારમાર્થિક સુખના ઉત્તમભાવવાળું ચિત્ત બને છે. તેથી પોતાને પણ સંસારચક્રમાં સુખની પરંપરા દ્વારા પ્રકૃષ્ટ સુખરૂપ મોક્ષ શીધ્ર પ્રાપ્ત થાય છે. દા ૧૩. મૈત્રીભાવના-ગીત) શ્લોક - विनय विचिन्तय मित्रता, त्रिजगति जनतासु । कर्मविचित्रतया गति, विविधां गमितासु ।।विनय० १।। શ્લોકાર્થ : હે વિનય ! ત્રણ જગતમાં રહેલા કર્મના વિચિત્રપણાથી વિવિધ ગતિમાં જનારા જીવોના વિષયમાં મિત્રતાનું ચિંતવન કર. III Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૩. પૈત્રીભાવના-ગીત / બ્લોક-૧-૨ G ભાવાર્થ :- . મહાત્મા મૈત્રીભાવનાને સ્થિર કરવા અર્થે પોતાના આત્માને સંબોધીને કહે છે – હે વિનય ! કર્મનાશ માટે તત્પર થયેલા એવા હે જીવ ! તું ત્રણે જગતમાં રહેલા જીવો પ્રત્યે મિત્રતાનું ભાવન કર. તે ત્રણ જગતમાં રહેલા જીવો કેવા છે? તેને સ્પષ્ટ કરવા અર્થે કહે છે – કર્મની વિચિત્રતાને કારણે વિવિધ ગતિઓમાં જનારા છે તે સર્વ જીવો પ્રત્યે મિત્રતાનો પરિણામ થાય તે રીતે આત્માને અત્યંત ભાવિત કર, જેથી નિર્મળ થયેલા એવા તારા ચિત્તથી કર્મનું વિનયન થાય. આ પ્રકારનું ભાવન કરવાથી કર્મોની વિચિત્રતાને કારણે જીવો કઈ રીતે ચારગતિમાં વિડંબના પામે છે તેની ઉપસ્થિતિ થાય છે અને પુણ્યકર્મના ઉદયવાળા જીવો પ્રત્યે પક્ષપાત અને પુણ્યહીન તેવા પાપપ્રકૃતિવાળા જીવો પ્રત્યે દ્વેષ કરીને જે ભાવો કરવાની વૃત્તિ છે તે દૂર થાય છે અને જગતના જીવોના પારમાર્થિક હિતના ચિંતવનનું કારણ બને તેવો મૈત્રીભાવ સ્થિર થાય છે. આવા શ્લોક : सर्वे ते प्रियबान्धवा, न हि रिपुरिह कोऽपि । मा कुरु कलिकलुषं मनो, निजसुकृतविलोपि ।।विनय० २।। શ્લોકાર્ચ - સર્વ જીવો તારા પ્રિયબંધુઓ છે. અહીં સંસારમાં કોઈ તારો શત્રુ નથી જ. તેથી પોતાના સુકૃતનું વિલોપન કરે એવું કલિથી કલુષ=બીજા જીવો સાથે કલહ કરાવે એવું કલુષ, મન તું કર નહિ. IIT. ભાવાર્થ : - વળી, મહાત્મા પોતાના આત્માને ઉદ્દેશીને કહે છે કે આ સંસારચક્રમાં ભમતા બધા જીવો તારા પ્રિયબંધુઓ છે; કેમ કે સંસારચક્રમાં બધા જીવો સાથે રહેલા છે. જેમ એક મકાનમાં વસતા જીવો સાથે પરસ્પર બંધુબુદ્ધિ થાય છે તેમ સર્વ જીવો સંસારરૂપી એક સ્થાનમાં વસતા હોવાથી તેઓ તારા પ્રિયબંધુઓ છે. આ સંસારમાં તારો કોઈ શત્રુ નથી. આ પ્રકારે અત્યંત ભાવન કરીને આત્માને અનુશાસન આપતા મહાત્મા કહે છે કે તું જે સુકૃત કરી રહ્યો છે તેનો વિલોપ કરવાનું કારણ બને અને લોકો સાથે કલહ કરાવે એવા કલુષિત મનને તું કર નહીં. આ પ્રકારે ભાવન કરવાથી પોતાને ન ફાવે તેવી છે તે જીવોની વિલક્ષણ પ્રકૃતિને કારણે ચિત્તમાં જે કાલુષ્ય થાય છે તે કાલુષ્ય પરમાર્થથી તો પોતે સુકૃત સેવીને જે ઉત્તમ સંસ્કાર નાખ્યા છે તેનો નાશ કરનાર છે, તેવી સ્થિર બુદ્ધિ થાય છે. તેથી પોતાના સેવાયેલા સુકૃતના ઉત્તમ સંસ્કારના રક્ષણ અર્થે પણ મારે કોઈની સાથે કલહ થાય તેવું કલુષિત મન કરવું નથી એવો નિર્ણય થાય છે અને જીવોની હિત કરવાની પરિણતિરૂપ મૈત્રીભાવના સ્થિર થાય છે. શા Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શાંતસુધાસ અવતરણિકા :વળી, મહાત્મા પોતાના આત્માને તત્વથી ભાવિત કરવા અર્થે શું ભાવન કરે છે તે બતાવે છે – શ્લોક - यदि कोपं कुरुते परो, निजकर्मवशेन । अपि भवता किं भूयते हृदि रोषवशेन ।।विनय० ३।। શ્લોકાર્ચ - જો પર પર વ્યક્તિ, પોતાના કર્મના વણથી કોપ કરે છે તો તારા વડે હૃદયમાં રોષવશ કેમ થવાય છે અર્થાત્ તારે હૃદયમાં રોષ કરવો જોઈએ નહીં. ll3II ભાવાર્થ : મહાત્મા પોતાના આત્માને મૈત્રીભાવનાથી ભાવિત કરીને અન્યના વર્તનના બળથી ચંડ થવાની પોતાની પ્રકૃત્તિને અત્યંત તિરોધાન કરવા અર્થે ઉપયોગપૂર્વક ભાવન કરે છે કે કોઈ જીવ પોતાના કર્મને વશ સકારણ કે નિષ્કારણ પોતાના ઉપર કોપ કરે તો તેના કોપને જોઈને તું હૈયામાં રોષવાળો કેમ થાય છે ? કોઈ જીવ કર્મને પરવશ હોય ત્યારે તેના પ્રત્યે દયા આવવી જોઈએ અને વિચારવું જોઈએ કે હું શું કરું કે જેથી તેનો કોપ શાંત થાય અને તે જીવને અનર્થની પ્રાપ્તિ ન થાય? આ પ્રકારે વિચારીને પોતાના સંયોગો અનુસાર કુપિત જીવ સાથે તે રીતે વર્તન કરવું જોઈએ કે જેથી તે જીવનું પણ હિત થાય અને કદાચ પ્રબળ કર્મવશ તે જીવ પોતાના કોપને શાંત કરવા માટે તત્પર ન થાય તોપણ મહાત્માએ વિચારવું જોઈએ કે વિચિત્ર પ્રકારનાં કર્મો તે આત્માને પોતાના હિતનો પણ વિચાર કરવા દેતાં નથી, માટે તેના કોપની ઉપેક્ષા કરીને આત્માને તે નિમિત્તે લેશ પણ દ્વેષ ન થાય તે પ્રકારે આત્માને અત્યંત ભાવિત કરવો જોઈએ. આ રીતે ભાવન કરવાથી તે તે નિમિત્તોને પામીને ક્યારેય સહસા પણ રોષને વશ પોતાનો આત્મા પોતાના અહિતમાં પ્રયત્ન ન કરે પરંતુ મૈત્રીભાવને અતિશય કરીને કોપ કરનારના હિતની ચિંતા કરે તેવા ઉત્તમ સંસ્કારવાળો બને છે. IBI શ્લોક - अनुचितमिह कलहं सतां, त्यज समरसमीन !। भज विवेककलहंसतां, गुणपरिचयपीन ! ।।विनय० ४।। શ્લોકાર્ચ - અહીં=સંસારમાં, સંતપુરુષોને અનુચિત એવા કલહનો હે સમરસ મીન =સમરસરૂપી સમુદ્રમાં રહેનાર માછલી તુલ્ય હે જીવ! તું ત્યાગ કર. હે ગુણપરિચયપીન ! ગુણનો પરિચય કરવામાં Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ૧૩. ત્રિીભાવના-ગીત | શ્લોક-૪-૫ પુષ્ટ એવા હે જીવ!તું, વિવેકરૂપી કલહંસતાને તત્ત્વાતત્ત્વના વિભાગને પૃથફ કરવા રૂપ હંસતાને, ધારણ કર. ll૪ll ભાવાર્થ : વળી, મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે – જેમ સમુદ્રમાં રહેલી માછલી સમુદ્રને છોડીને બહાર આવવા યત્ન કરતી નથી તેમ તત્ત્વના ભાવનથી ભાવિત થયેલ એવો તું પણ સમરસમાં અવગાહન કરનાર બનેલો છે તેથી સદા ચિત્તને તત્ત્વથી ભાવિત કરીને સમતાની વૃદ્ધિને અનુકૂળ વ્યાપારવાળો થયો છે છતાં કોઈક તેવા પ્રકારના બાહ્ય નિમિત્તને પામીને કોઈક જીવના કોઈક વર્તનને જોઈને કલહ પરિણામવાળો બને છે. વસ્તુતઃ સંતપુરુષોને માટે અન્ય જીવોના અનુચિત વર્તનને જોઈને ચિત્તમાં ક્લેશ કરવો ઉચિત નથી માટે તું આત્માને તે રીતે ભાવિત કર કે જેથી કોઈ જીવોના, કોઈ પ્રકારના વર્તન આદિના નિમિત્તને પામીને ચિત્તમાં કલહનો પરિણામ ન થાય. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ સ્થિર થાય તેવો દઢ યત્ન કરે છે; કેમ કે અન્ય જીવોના તે પ્રકારના વર્તન આદિના નિમિત્તને પામી જો ચિત્તમાં કલહનો પરિણામ થાય તો સર્વ જીવોના હિતને અનુકૂળ જે મૈત્રીભાવના કરી છે તે નાશ પામે છે. તેથી તે મૈત્રીભાવનાના રક્ષણ માટે અને વૃદ્ધિ માટે પણ તું તેવા કલહપરિણામનો ત્યાગ કર. વળી, મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે કે મોક્ષને અનુકૂળ એવા ઉત્તમ પરિણામરૂપ ગુણનો પરિચય કરીને તેં તારા આત્માને પુષ્ટ કર્યો છે તેથી ગુણ પ્રત્યેના પક્ષપાતના પરિણામથી પુષ્ટ થયેલા હે આત્મન ! તું વિવેકરૂપી કલહંસતાનો સ્વીકાર કર. અર્થાત્ વિચાર કર કે જગતમાં સર્વ જીવો સ્વરૂપથી સમાન જ છે. કર્મના ઉપદ્રવથી જીવોમાં જે કોઈ વિકૃતિઓ થયેલી છે તેને વશ જ તે તે જીવો તે તે પ્રકારનાં અનુચિત વર્તન કરે છે અને તે અનુચિત વર્તન કરીને વર્તમાનમાં ચિત્તના કાલુષ્યને પામે છે જેનાથી ક્લિષ્ટ કર્મો બાંધી ફળરૂપે દુર્ગતિઓના અનર્થોને પ્રાપ્ત કરે છે. જે જીવો આ રીતે દુઃખી થતા હોય તેઓ પ્રત્યે તારે કરૂણા કરવી જોઈએ તેના બદલે તું ક્લેશ કરે છે તે કઈ રીતે ઉચિત કહેવાય ? એ પ્રકારના વિવેકને પ્રગટ કરાવે તેથી નિર્મળ દૃષ્ટિનો તું આશ્રય કર. જેથી તું જે ગુણના પરિચયથી પુષ્ટ થયો છે તે ગુણનો પરિચય અતિશય-અતિશયતર થાય. પરંતુ અન્ય જીવોના વર્તનને જોઈને પ્રાપ્ત કરાયેલી ગુણસંપત્તિનો નાશ કરનાર તું ન બન. IIઝા શ્લોક - शत्रुजनाः सुखिनः समे, मत्सरमपहाय । सन्तु गन्तुमनसोऽप्यमी, शिवसौख्यगृहाय ।।विनय० ५।। શ્લોકાર્ચ - શત્રુ લોકો મત્સરનો ત્યાગ કરીને મારા પ્રત્યેના મત્સરભાવનો ત્યાગ કરીને, સમપરિણામમાં Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શાંતસુધારસ સુખી થાઓ. અર્થાત્ સમપરિણામમાં વર્તનારા થાઓ. આ=બુ લોકો, શિવરૂપી સુખના ગૃહમાં જવાના મનવાળા પણ થાઓ. Jપા. ભાવાર્થ : વળી, મહાત્મા આત્મામાં વિવેકપૂર્વકના મૈત્રીભાવને નિષ્પન્ન કરવા અર્થે અને નિષ્પન્ન થયેલા મૈત્રીભાવને સ્થિર કરવા ભાવન કરે છે કે જે જીવો તેમના સ્વભાવથી મારા પ્રત્યે શત્રુબુદ્ધિને ધારણ કરનારા છે તે જીવોને તે પ્રકારના વિવેકચક્ષુ પ્રાપ્ત થાય કે જેથી મારા પ્રત્યેનો મત્સરભાવનો ત્યાગ કરીને જેમ હું સમભાવના સુખમાં અંતરંગ યત્ન કરીને સદા સુખી વર્તુ છું તેમ તેઓ તેવા ઉત્તમ સુખને પામનારા થાઓ. આ પ્રકારની નિર્મળ ભાવના કરવાથી પોતાના આત્મામાં સમભાવ પ્રત્યેનો પક્ષપાત વધે છે અને શત્રુ પ્રત્યે લેશ પણ શત્રુબુદ્ધિ રહેતી નથી. જેથી સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ સ્થિર થાય છે અને તે જીવોની હિતચિંતા પણ અત્યંત વિવેકવાળી બને છે. તેથી તે મહાત્મા વિચારે છે કે હું શું કરું કે જેથી તેઓમાં મારા પ્રત્યે વર્તતો મત્સરભાવ દૂર થાય અને તેઓ પણ સમભાવના પરિણામના રહસ્યને જાણનારા બને અને તેવા સમભાવના પરિણામને પામીને સુખી થાય? વળી, મહાત્મા ચિત્તને અત્યંત મૈત્રીભાવનાથી વાસિત કરવા અર્થે ભાવન કરે છે કે ખરેખર મને મોક્ષનું સુખ જ અત્યંત સાર જણાય છે તેથી સદા મોક્ષસુખની પ્રાપ્તિનું કારણ બને તે પ્રકારે ઉચિત યોગોમાં પ્રવૃત્તિ કરીને મોક્ષને અનુકૂળ એવા ઉત્તમ ભાવોથી આત્માને ભાવિત કરી રહ્યો છું તેમ મારા પ્રત્યે શત્રુબુદ્ધિને ધારણ કરનારા આ જીવો મોક્ષના સુખનાં રહસ્યોને પણ જાણે. તે સ્થાનની પ્રાપ્તિની ઇચ્છાવાળા બને જેથી મારી જેમ તેઓ પણ સંસારની વિડંબનાથી પોતાના આત્માને સુરક્ષિત કરીને શીધ્ર મોક્ષસુખને પામે. આ પ્રકારે ઉત્તમભાવનાથી આત્માને ભાવિત કરીને મહાત્મા પોતાનો મોક્ષ પ્રત્યેનો પક્ષપાત દઢ કરે છે. જગતના જીવો પ્રત્યેનો મૈત્રીભાવ પોતાના આત્મામાં સ્થિર કરે છે અને ઉત્તમ એવા મોક્ષસુખની કામનાવાળા તેઓ થાય એ પ્રકારની નિર્મળ ભાવનાના બળથી પોતાને જન્મજન્માંતરમાં અવિચ્છિન્ન મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય તેવું શ્રેષ્ઠ કોટિનું પુણ્ય બાંધે છે જેથી પોતે સુખપૂર્વક થોડાક જ ભવોના સંસારસાગરથી પાર પામી શકે. પા , શ્લોક : सकृदपि यदि समतालवं, हृदयेन लिहन्ति । विदितरसास्तत इह रतिं, स्वत एव वहन्ति ।।विनय० ६।। શ્લોકાર્થ : સંસારીજીવો એક વખત પણ જે હૃદયથી સમતાલવના=સમતાના અંશના, રસાસ્વાદને પામે તો વિદિત રસવાળા એવા તેઓ સમતાના સુખના રસાસ્વાદને જાણનારા એવા તેઓ, સ્વતઃ જ=અન્યની પ્રેરણા વગર, સતત સમતામાં રતિને વહન કરે છે. IIકા Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૩. મૈત્રીભાવના-ગીત | શ્લોક-૬-૭ ભાવાર્થ: મહાત્માએ સર્વ જીવોના મૈત્રીભાવને સ્થિર કરવા અર્થે અને તેઓની પારમાર્થિક હિતચિતાને પ્રગટ ક૨વા અર્થે પૂર્વશ્લોકમાં ભાવન કર્યું કે સર્વ જીવો મોક્ષમાં જવાના પરિણામવાળા થાઓ. હવે તે જ ભાવને અત્યંત સ્થિર કરવા અર્થે મહાત્મા વિચારે છે કે મોહની અનાકુળતા રૂપ સમતાના પરિણામમાં જગતનાં સર્વ સુખો કરતાં અતિશિયત સુખ છે. આ સમતાના સુખનું બિંદુ માત્ર પણ જો સંસારીજીવોને એક વખત પણ હૈયાને સ્પર્શે તે રીતે પ્રાપ્ત થાય તો તે જીવોને અન્ય સર્વ સુખો કરતાં અતિશયિત એવા સમતાના સુખ પ્રત્યેનો સહજ તેવા પ્રકારનો રાગ થાય. સમતાનો રાગ થાય પછી જીવો અન્ય સર્વ સુખોને છોડીને સદા સમતાના સુખ' પ્રત્યે જ રાગને વહન કરનારા બને છે. તેથી જો સંસારીજીવોને ભગવાનના વચનના પરમાર્થનો બોધ થાય અને તેઓને જ્ઞાન થાય કે ભગવાનનું વચન વર્તમાનમાં પણ સુખની પ્રાપ્તિ અર્થે છે અને ૫૨લોકમાં પણ સુખની પરંપરાને પ્રાપ્ત કરાવીને અંતે પૂર્ણ સુખમય મોક્ષને પ્રાપ્ત કરાવના૨ છે અને મોક્ષના સુખના એક અંશરૂપ જ સમતાના સુખનું આસ્વાદન છે જેને પામીને સંસારીજીવો સ્વતઃ જ સદા મોક્ષ અર્થે ઉદ્યમવાળા બનં. આ પ્રકારે ભાવના કરીને મહાત્મા પોતાનો સમતા પ્રત્યેનો રાગ અતિશયિત કરે છે. જગતના જીવોની પારમાર્થિક હિતચિંતા થાય તેવું નિર્મળ ચિત્ત નિષ્પન્ન કરે છે જેના ફળરૂપે તે મહાત્માને ભવપરંપરામાં અવશ્ય અવિચ્છિન્ન સમતાની પ્રાપ્તિ થશે અને સુખપૂર્વક મોક્ષને પામશે. માટે સુખના અર્થી જીવોએ તે પ્રકારે સર્વ જીવોની હિતચિંતા કરવી જોઈએ કે જેથી તેનાથી થયેલું નિર્મલ ચિત્ત સદા પોતાના હિતની પ્રાપ્તિનું જ કારણ બને. IIII અવતરણિકા : વળી, અન્ય જીવોની કેવા પ્રકારની હિતચિંતા મહાત્માએ કરવી જોઈએ જેથી પરહિતચિતારૂપ મૈત્રી સ્થિર ભાવને પામે તે બતાવે છે શ્લોક ઃ किमुत कुमतमदमूर्छिता, दुरितेषु पतन्ति । जिनवचनानि कथं हहा, न रसादुपयन्ति । । विनय० ७ ।। ૧૭૫ શ્લોકાર્થ ઃ વળી શું આશ્ચર્ય છે કે કુમતના મદથી મૂર્છિત જીવો દુરિત એવાં પાપોમાં પડે છે. હા, ખેદની વાત છે કે કોઈ રીતે રસથી જિનવચનોને પામતા નથી. 11911 ભાવાર્થ : સંસારવર્તી કેટલાક જીવો આત્મકલ્યાણ અર્થે ધર્મ કરવા તત્પર થયા છે પરંતુ ધર્મના વિષયમાં પણ મૂઢતાથી વિચારનારા હોવાથી સાર વગરના એવા કુમતોને જ ધર્મરૂપે માને છે. આવા કુમતોને અનુસરનારા Page #193 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ ૧૭૬ જીવો અન્ય દર્શનમાં પણ હોઈ શકે અને જૈન દર્શનમાં પણ સ્વમતિ અનુસાર પ્રવૃત્તિ કરનારા હોઈ શકે. આવા જીવો કુમતને સેવીને તેના નશાથી એવા મૂર્છિત થયેલા છે કે બાહ્યથી પોતે ધર્મ સેવે છે તેમ માને છે છતાં પરમાર્થથી તો પોતાના સ્વમતિ અનુસાર વિકલ્પોથી જ આત્માને મલિન કરે છે અને જેના ફળરૂપે દુર્ગતિઓમાં પડે છે. આથી જ શિથિલ આચારવાળા પ્રમાદી સાધુઓ પોતાની મતિ અનુસાર યથા-તથા પ્રવૃત્તિઓ કરીને અને યથા-તથા પ્રરૂપણા કરીને ભગવાનના માર્ગનો વિલોપ કરે છે અને સ્વમતિ અનુસાર મદથી વિચારે છે કે અમે ભગવાનના માર્ગનું સેવન કરીએ છીએ. આ પ્રકારના વિપરીત સેવન અને ભાવનના બળથી તેઓ દુરંત સંસારમાં પડે છે જે અત્યંત ખેદજનક છે. આ પ્રકારની ભાવના કરીને મહાત્મા તેઓને પણ સન્મતિ પ્રાપ્ત થાય તેવો અભિલાષ કરે છે અને તેથી વિચારે છે કે હહા ખેદની વાત છે કે તેવા જીવો કોઈક રીતે ભગવાનના વચનને રસપૂર્વક પ્રાપ્ત કરતા નથી. જો તેઓને વીતરાગ પ્રત્યેનો રસ ઉત્પન્ન થાય અને વીતરાગનાં વચનો કઈ રીતે વીતરાગતુલ્ય થવાનું કારણ છે તેમ રસપૂર્વક જાણવા યત્ન કરે તો અવશ્ય જિનવચનને પામીને તેઓનું હિત થાય. આ પ્રકારની ભાવના કરીને મહાત્માઓ કુમતના મદથી મૂર્ચ્છિત જીવોને જોઈને પણ તેમના પ્રત્યે દ્વેષભાવ કરતા નથી પરંતુ તેઓને કઈ રીતે હિતની પ્રાપ્તિ થાય તેની ચિંતા કરે છે અને સ્વપ્રયત્નથી તેવા કોઈ જીવને હિતની પ્રાપ્તિ થઈ શકે તેમ જણાય તો અતિવિવેકપૂર્વક ઉચિત પ્રવૃત્તિ કરીને તેવા જીવોને માર્ગમાં લાવવા માટે પણ યત્ન કરે છે. વળી, જે જીવો માર્ગમાં આવી શકે તેવા નથી તેઓ પ્રત્યે પણ તેઓના હિતની ચિંતાનો જ પરિણામ ધારણ કરે છે, પરંતુ દ્વેષ કરતા નથી. આ રીતે તે મહાત્માનું ચિત્ત સદા અયોગ્ય જીવોના વિષયમાં પણ હિતચિંતાને અનુકૂળ પરિણામ વહન કરે છે અને તેના દ્વારા પોતાના આત્માનું જ હિત સાધે છે. IIII અવતરણિકા : વળી, મહાત્મા અન્ય જીવો વિષયક અન્ય પણ કેવા પ્રકારની હિતચિંતાની ભાવના કરે છે. તે બતાવે છે શ્લોક ઃ परमात्मनि विमलात्मनां परिणम्य वसन्तु । વિનય ! સમામૃતપાનતો, નનતા વિનસન્તુ વિનવ૦ ૮।। શ્લોકાર્થ : - વિમલ આત્માને પરિણમન પમાડીને સંસારીજીવો પરમાત્મામાં વસો. જનતા=જીવો, સમતારૂપી અમૃતના પાનથી વિલાસ કરો. હે વિનય ! તું એ પ્રમાણે ચિંતવન કર. IIII ભાવાર્થ: મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે કર્મના વિનયનના અર્થી એવા હે જીવ ! તું જગતના Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૩. મૈત્રીભાવના-ગીત / શ્લોક-૮ ૧૭૭ જીવોની ઉચિત હિતચિંતા કર. કેવા પ્રકારની ઉચિત હિતચિંતા કર, તે કહે છે – સંસારવર્તી જીવો તત્ત્વના અવલોકન દ્વારા આત્માને વિમલ કરે જેથી નિર્મલ થયેલો એવો તેમનો આત્મા સદા પરમાત્મામાં વાસ પામે. આશય એ છે કે જે મહાત્માઓ સંસારના યથાર્થ સ્વરૂપનું ભાવન કરીને સંસારથી અત્યંત ભય પામ્યા છે અને સંસારથી વિસ્તારનો ઉપાય જિનવચન જ છે તેવી સ્થિર બુદ્ધિવાળા છે અર્થાત્ જિનનું વચન જીવને જિનતુલ્ય કરીને સંસારથી આત્માનો અવશ્ય નિસ્તાર કરે છે તેવી સ્થિર બુદ્ધિવાળા છે, તેવા નિર્મલ પરિણામવાળા મહાત્માઓ દિવસરાત ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈને જિનવચનાનુસાર સર્વ પ્રવૃત્તિઓ કરે છે, જેથી તેઓનો આત્મા વીતરાગતા રૂપ પરમાત્મભાવમાં સદા વર્તે છે અને જગતના જીવો તેવા પરિણામવાળા થાઓ એમ મહાત્મા ભાવન કરે છે. વળી, મહાત્મા ભાવન કરે છે કે સંસારીજીવો જિનવચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને સમતારૂપી અમૃતના પાનના વિલાસને કરનારા થાઓ, જેથી તે જીવો સદા સંયમના સુખના આસ્વાદનને પામીને પરમાત્માતુલ્ય થાય અને અંતે મોક્ષસુખને પામે. આ પ્રકારની ઉત્તમ ભાવના કરીને મહાત્મા શુદ્ધ ચારિત્રપાલન પ્રત્યેનો દઢ રાગ કેળવે છે જેથી તે મહાત્માનું ચિત્ત સદા પરમાત્મામાં વસે છે અને ચારિત્રના પાલનના બળથી તે મહાત્મા સમતાના સુખનો વિલાસ કરે છે જેથી મનુષ્યભવમાં પણ શ્રેષ્ઠ કોટીના સુખના અનુભવવાળા બને છે અને જગતના જીવોને પણ તેવા પ્રકારના ચારિત્રનો પરિણામ પ્રાપ્ત થાય તેવી ભાવના કરીને તે મહાત્મા એવું શ્રેષ્ઠ પુણ્ય અર્જન કરે છે જેથી સંસારમાં દરેક ભવોમાં ઉત્તમોત્તમ ચારિત્રને પ્રાપ્ત કરીને અલ્પભવમાં મોક્ષને પ્રાપ્ત કરે છે. IIટા II તેરમો પ્રકાશ પૂર્ણ II Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શાંતધારસ ૧૪. પ્રમોદભાવના અવતરણિકા - આત્માને ગુણ પ્રત્યેનો પક્ષપાત નિષ્પન્ન કરવા અર્થે મહાત્માઓ ગુણવાનના ગુણોનું સ્મરણ કરીને તેમના ગુણો પ્રત્યે હૈયામાં પ્રમોદ થાય તે રીતે આત્માને ભાવિત કરવા અર્થે પ્રમોદભાવતા કરે છે. જેનાથી ગુણનિષ્પતિનાં પ્રતિબંધક કર્મો શિથિલ-શિથિલતર થાય છે અને ગુણ પ્રત્યેનો વધતો જતો રાગ પોતાનામાં તે પ્રકારના ગુણલા આવિર્ભાવનું પ્રબળ કારણ બને છે. તેથી ગ્રંથકારશ્રી તીર્થકરના ગુણોનું સ્મરણ થાય તે રીતે પ્રમોદભાવનાનું ભાવન કરે છે – શ્લોક : धन्यास्ते वीतरागाः क्षपकपथगतिक्षीणकर्मोपरागास्त्रैलोक्ये गन्धनागाः सहजसमुदितज्ञानजाग्रद्विरागाः । अध्यारुह्यात्मशुद्ध्या सकलशशिकलानिर्मलध्यानधारामारान्मुक्तेः प्रपन्नाः कृतसुकृतशतोपार्जितार्हन्त्यलक्ष्मीम् ।।१।। શ્લોકાર્ધ : ક્ષપકશ્રેણીના પથમાં ગમનથી ક્ષીણ કર્યો છે કર્મનો ઉપરાગ જેમણે એવા, ત્રણ લોકમાં ગંધનાગ જેવા, સહજ સમુદિત થયેલા જ્ઞાનને કારણે જાગ્રત વૈરાગ્યવાળા, સકલ શશિકલાથી અધિક નિર્મલ ધ્યાનધારા પર આત્મશુદ્ધિથી અધ્યારોહણ કરીને, કરાયેલા સુકૃતશતથી ઉપાર્જિત અરિહંતલક્ષ્મીને પામેલા, મુક્તિના કિનારા પર રહેલા, એવા તે વીતરાગ ધન્ય છે. આવા ભાવાર્થ - તીર્થકરો અંતિમભવમાં ગુણના, પુણ્યના, અને ઉપકારકતાના પ્રકર્ષવાળા હોય છે અને તેઓ કઈ રીતે સાધના કરીને મોક્ષના કિનારાને પામ્યા છે તેવા સ્વરૂપે તીર્થકરોનું સ્મરણ કરીને “આવા તીર્થકરો ધન્ય છે” એ પ્રકારે મહાત્મા પ્રસ્તુત શ્લોકથી ભાવન કરે છે. તીર્થકરો સાધનાકાળમાં કેવા પ્રકારના છે તે બતાવતાં કહે છે – જેઓએ ભૂતકાળની આરાધનાને કારણે જન્મથી માંડીને સહજ નિર્મલ કોટિનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે જે જ્ઞાન આત્માને સતત હિતમાં જાગ્રત રાખે તેવી કોટિનું નિર્મલ છે તેથી તીર્થકરો જન્મથી જ વિરાગવાળા છે અને સંયમગ્રહણ કરે છે ત્યારે તેમનો વૈરાગ્ય વિશેષ પ્રકારનો ઉલ્લસિત થાય છે તેવા ઉત્તમપુરુષ છે. વળી ત્રણ લોકમાં ગંધનાગ જેવા છે અર્થાત્ ગંધહસ્તિને જોઈને અન્ય હાથીઓના મદો ઝરી જાય છે તેમ પ્રબળ પણ કર્મનો મદ ભગવાનના પરાક્રમ આગળ ઝરી જાય છે તેથી પ્રબળ કર્મોને પણ જેઓએ ગંધહસ્તિની જેમ લીલાપૂર્વક નિર્બળ કર્યો છે તેથી ત્રણ લોકમાં ગંધનાગ જેવા છે. વળી, સંયમની Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૪. પ્રમોદભાવના | શ્લોક-૧-૨ ૧૭૯ સાધનાકાળમાં ક્ષપકશેણીના પથ પર ગમન કરીને જેઓએ કર્મનો ઉપરાગ ક્ષીણ કરી નાંખ્યો છે અર્થાત્ અત્યારસુધી પોતાના આત્મા ઉપર જે ઘાતિકર્મનો પ્રભાવ વર્તતો હતો તેનો જેમણે નાશ કર્યો છે તેવા સમર્થ પુરુષ છે. વળી, ભગવાને સાધનાકાળમાં પૂર્ણ ખીલેલા ચંદ્ર જેવા નિર્મળધ્યાનને આત્મશુદ્ધિથી અધ્યારોહણ કર્યું છે અર્થાત્ સંયમકાળમાં સતત સર્વવિકલ્પોથી પર એવા નિર્મળ કોટિના શુદ્ધ આત્માના ધ્યાનની ધારાને આત્માના પરાક્રમ દ્વારા અધ્યારોહણ કર્યું છે તેવા ઉત્તમપુરુષ છે. વળી, ભૂતકાળમાં ઘણાં સુકૃતો સેવીને તીર્થંકર નામકર્મની લક્ષ્મીને પામેલા છે. ભગવાન કેવલજ્ઞાન પામે છે ત્યારે અપાયાપગમઅતિશય આદિ ચાર અતિશયોથી શોભી રહ્યા છે અને મુક્તિના કિનારાને પામેલા છે; કેમ કે ઘાતિકર્મોનો ક્ષય કરેલો હોવાથી અને અઘાતિકર્મો દગ્ધ રજ્જુ જેવા થયેલા હોવાથી ભવની પરંપરા ચલાવવા માટે અસમર્થ છે તેથી અલ્પકાળમાં યોગ-નિરોધ કરીને મોક્ષને પામવાના છે તેવા તે વીતરાગ ધન્ય છે. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા વિતરાગનું જન્મથી માંડીને મોક્ષપ્રાપ્તિ સુધીના કાળનું મહાસત્ત્વ સ્મૃતિમાં લાવી તેઓ પ્રત્યેના પૂજ્યભાવને અતિશયિત કરે છે અને તેઓના તેવા ઉત્તમભાવ પ્રત્યે હૈયાથી પ્રમુદિત થઈને જાણે તીર્થકરતુલ્ય થવા યત્ન ન કરતા હોય તે પ્રકારે પ્રમોદભાવનાથી આત્માને વાસિત કરે છે. આવા શ્લોક :तेषां कर्मक्षयोत्थैरतनुगुणगणैर्निर्मलात्मस्वभावै यं गायं पुनीमः स्तवनपरिणतैरष्टवर्णास्पदानि । धन्यां मन्ये रसज्ञां जगति भगवतः स्तोत्रवाणीरसज्ञा मज्ञां मन्ये तदन्यां वितथजनकथाकार्यमौखर्यमग्नाम् ।।२।। શ્લોકાર્થ : તેઓના પ્રથમ શ્લોકમાં વર્ણન કરાયેલા તીર્થકરોના, કર્મક્ષયથી ઉત્પન્ન થયેલા વિશાળ ગુલના સમુદાયવાળા સ્તવન પરિણત એવા નિર્મલ આત્મસ્વભાવ વડે ગાઈ-ગાઈને આઠ વર્ણનાં સ્થાનોને હું પવિત્ર કરું છું. ભગવાનના સ્તોત્રની વાણીના રસને જાણનાર એવી રસનાને જગતમાં હું ધન્ય માનું છું. તેનાથી અન્ય એવી કાર્યના મૌખર્યમાં મગ્ન વિતથ જનકથાને નિરર્થક જનકથાને, હું અજ્ઞ માનું છું-અજ્ઞાનનો વિલાસ માનું છું. llll ભાવાર્થ : પ્રમોદભાવનાના અર્થી મહાત્માએ પ્રથમ શ્લોકમાં વીતરાગના જન્મથી માંડીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધીના સ્વરૂપને સ્મૃતિમાં લાવીને તેમની પ્રશંસા કરી. હવે તે ભાવને જ અતિશયિત-અતિશયિત કરવા અર્થે ભાવન કરે છે કે કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલા ઘણા ગુણવાળા મારા સ્તવનના પરિણામથી પરિણત એવા ભગવાનના નિર્મળ આત્મસ્વભાવોથી ફરી-ફરી તેઓના ગુણગાનને કરીને મારાં આઠ વર્ણસ્થાનોને હું પવિત્ર કરું છું. આ પ્રકારે ભાવન કરીને ભગવાનની સિદ્ધ અવસ્થાને મહાત્મા સ્મૃતિમાં લાવે છે અને Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦. શાંતસુધારસ વિચારે છે કે કર્મોના નાશને કારણે ભગવાને જીવની પૂર્ણ સુંદર અવસ્થા પ્રાપ્ત કરી છે અને આજ ઉત્તમ અવસ્થા પ્રત્યેનો રાગભાવ અતિશય કરવા અર્થે સતત તેના જ ગુણગાન કરવા જોઈએ જેથી પૂર્વના પુણ્યના ઉદયથી પોતાને પ્રાપ્ત થયેલાં આઠેય ઉચ્ચારણ-સ્થાનો પવિત્ર બને; કેમ કે ઉત્તમપુરુષોના ગુણગાનમાં જ પોતાની વચનશક્તિનું સાફલ્ય છે. વળી, મહાત્મા વિચારે છે કે ભગવાનના ગુણગાનના રસને જાણનાર જીવોની જિલ્વેન્દ્રિય ધન્ય છે તેમ હું માનું છું. જેઓને ભૂતકાળમાં તેવા પ્રકારના પુણ્યથી જીભ મળેલી છે છતાં મુખપણામાં તેઓની જીભ મગ્ન છે અને નિરર્થક લોકોની કથા કરી રહ્યા છે તેઓ અજ્ઞ જીવો છે; કેમ કે પૂર્વના પુણ્યથી પ્રાપ્ત થયેલી જિલ્વેન્દ્રિય નિરર્થક વચનપ્રયોગો કરીને કર્મ બાંધવામાં જ વ્યાપારવાળી છે. આ રીતે ભાવન કરીને મહાત્મા ભગવાનના ગુણગાન કરવા પ્રત્યેનો પોતાનો દઢ રાગ અતિશયિત કરે છે. જેથી પ્રમોદભાવના તે રીતે પરિણમન પામે કે જેથી સુખપૂર્વક ગુણવૃદ્ધિને અનુકૂળ પોતાને મહાબળ પ્રાપ્ત થાય, પોતે શ્રેષ્ઠ પુણ્ય બાંધીને અને આત્મામાં ગુણ પ્રત્યેના પક્ષપાતના સંસ્કારો આધાન કરીને તીર્થકરોની જેમ પોતે પણ અલ્પકાળમાં સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે.રા શ્લોક - निर्ग्रन्थास्तेऽपि धन्या गिरिगहनगुहागह्वरान्तर्निविष्टा, धर्मध्यानावधानाः समरससुहिताः पक्षमासोपवासाः । येऽन्येऽपि ज्ञानवन्तः श्रुतविततधियो दत्तधर्मोपदेशाः, शान्ता दान्ता जिताक्षा जगति जिनपतेः शासनं भासयन्ति ।।३।। શ્લોકાર્થ : નિગ્રંથો તે પણ ધન્ય છે જેઓ પર્વતોની ગહન ગુફાના અંતરાલમાં નિર્વિષ્ટ છે, ધર્મધ્યાનમાં સ્થિરચિતવાળા છે, સમરસમાં સુહિત છે=સમરસના અનુભવ દ્વારા સુંદર હિત કરનારા છે, પખવાડિયા અને મહિનાના ઉપવાસને કરનારા છે. વળી, જે અન્ય પણ જ્ઞાનવાળા, શ્રતની વિસ્તાર બુદ્ધિવાળા, આપ્યો છે ધર્મનો ઉપદેશ જેમણે એવા શાંત, દાન, જિતેલી ઈન્દ્રિયોવાળા જગતમાં ભગવાનના શાસનને ઉભાસન કરે છે તેઓ પણ ધન્ય છે. III ભાવાર્થ : શ્લોક-૧ અને શ્લોક-રમાં સર્વોત્તમ પુરુષ એવા તીર્થંકરના ગુણોનું સ્મરણ કરીને તેઓના ગુણોની અનુમોદના કરીને મહાત્માએ પ્રમોદભાવનાથી આત્માને ભાવિત કર્યો. હવે જેઓ તીર્થકર થયા નથી પરંતુ મહાસત્ત્વથી સંસારના ઉચ્છેદ માટે યત્ન કરનારા છે તેવા જિનકલ્પી આદિ ઋષિઓના સ્વરૂપને ઉપસ્થિત કરીને તેઓના ગુણોની અનુમોદના કરે છે જેથી ગુણના પક્ષપાતરૂપ પ્રમોદભાવના અતિશયિત થાય. તે Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૪. પ્રમોદભાવના | શ્લોક-૩-૪ ૧૮૧ ભાવના અર્થે મહાત્મા વિચારે છે કે જે ઋષિઓ શાસ્ત્ર-અધ્યયન કરીને મૃતથી સંપન્ન થયા છે અને આત્માને અસંગભાવથી અત્યંત વાસિત કરવા માટે પર્વતોની ગહનગુફામાં જઈને સ્વશક્તિ અનુસાર વિશિષ્ટ આસનમાં બેસેલા છે, ધર્મધ્યાનમાં સ્થિર માનસવાળા છે અને ધર્મધ્યાનની વૃદ્ધિ દ્વારા સમભાવના કંડકોની વૃદ્ધિ કરે છે અને તેના દ્વારા આત્માના સહિતને સાધી રહ્યા છે સુંદર રીતે સાધી રહ્યા છે અને દેહ પ્રત્યે મમત્વ વગરના હોવાથી શક્તિ અનુસાર પક્ષના કે મહિનાના ઉપવાસ કરનારા છે એવા ઉત્તમ પુરુષોને તે તે ગુણોથી સ્મૃતિમાં લાવીને તેવા નિગ્રંથ મુનિઓ ધન્ય છે અર્થાતુ જેમણે સંપૂર્ણ રાગદ્વેષની પરિણતિ નષ્ટપ્રાયઃ કરી છે એવા નિગ્રંથ મુનિઓ ધન્ય છે. આ રીતે ભાવન કરીને મહાત્મા આત્માને પ્રમોદભાવનાથી વાસિત કરે છે. વળી, વિચારે છે કે અન્ય પણ સુસાધુઓ જે ભગવાનના વચનાનુસાર યથાર્થ બોધવાના છે, શ્રુત ભણીને વિસ્તૃત નિર્મળ બુદ્ધિવાળા થયા છે અને જગતના જીવોને સન્માર્ગનો ઉપદેશ આપી રહ્યા છે, પ્રકૃતિથી કષાયો અત્યંત શાંત થયેલ હોવાથી શાંત દેખાય છે. ઇન્દ્રિયોને તે રીતે દમન કરેલી હોવાથી તેઓ દાંત છે. અર્થાત્ સર્વ ઇન્દ્રિયોના વિષયોની ઉત્સુકતા વગરના છે અને ઇન્દ્રિયોને તે રીતે જીતી લીધેલી છે કે તે મહાત્મા પોતાના ચિત્તને જ્યાં પ્રવર્તાવે તેમાં ઇન્દ્રિયો વ્યાઘાત કરતી નથી. પરંતુ તે મહાત્માનું ચિત્ત સહજ રીતે તત્ત્વને સ્પર્શીને આત્મભાવમાં જાય છે અને જેઓ ભગવાનના શાસનની પ્રભાવના કરી રહ્યા છે તેવા સુસાધુઓ ધન્ય છે. આ પ્રકારે મહાત્માઓના ઉત્તમગુણો પ્રત્યેના બહુમાનભાવની વૃદ્ધિ કરીને મહાત્મા પોતાની પ્રમોદભાવનાને સ્થિર કરે છે. જેના કારણે તેવા ઉત્તમગુણોની પ્રાપ્તિમાં બાધક કર્મોનો ક્ષય થાય છે. રા શ્લોક : दानं शीलं तपो ये विदधति गृहिणो भावनां भावयन्ति, धर्मं धन्याश्चतुर्धा श्रुतसमुपचितश्रद्धयाऽऽराधयन्ति । साध्व्यः श्राद्ध्यश्च धन्याः श्रुतविशदधिया शीलमुद्भावयन्त्यस्तान् सर्वान् मुक्तगर्वाः प्रतिदिनमसकृद् भाग्यभाजः स्तुवन्ति ।।४।। શ્લોકાર્ચ - વળી, જે ગૃહસ્થો દાન, શીલ, તપધર્મને કરે છે અને બાર પ્રકારની ભાવનાઓથી આત્માને ભાવિત કરે છે અને શ્રુતજ્ઞાનથી સમુપચિત શ્રદ્ધા વડે ચાર પ્રકારના ધર્મને આરાધે છે તેઓ ધન્ય છે. સાધ્વીઓ, શ્રાવિકાઓ કે જેઓ મૃતથી વિશદ બુદ્ધિવાળી છે અને શીલનું ઉભાવન કરનારી છે શીલનું સમ્યફ પાલન કરવાવાળી છે, તેઓ પણ ધન્ય છે. પ્રમોદભાવના કરનાર, મુક્તગર્વવાળા, ભાગ્યશાળી, એવા મહાત્મા પ્રતિદિવસ વારંવાર તે સર્વની=પૂર્વમાં વર્ણન કર્યું એવા તીર્થકર આદિ સર્વની, સ્તુતિ કરે છે. llll. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ભાવાર્થ: શુદ્ધધર્મના પક્ષપાતી, પ્રમોદભાવનાના અર્થ, મહાત્મા ભાવન કરે છે કે જે શ્રાવકો સંસારના સ્વરૂપને જાણનારા છે અને સંસારથી પર મુક્ત અવસ્થાના અત્યંત અર્થી છે, મુક્ત અવસ્થાનો એક ઉપાય વીતરાગતા જ છે તેથી વીતરાગ થવા માટે સર્વવિરતિની શક્તિના સંચયના અત્યંત અર્થી છે તેવા શ્રાવકો પોતાની ચિત્તની ભૂમિકાનું અવલોકન કરીને પોતાની ભૂમિકા અનુસાર દાન, શીલ, તપધર્મને સેવે છે. જેના બળથી સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે અને પ્રસંગે-પ્રસંગે બાર ભાવનાથી આત્માને અત્યંત વાસિત કરે છે જેથી સંસારના સંગના પરિણામથી વિમુખ થઈને સર્વવિરતિને અનુકૂળ શક્તિનો અત્યંત સંચય થાય તેવું વીર્ય ઉલ્લસિત થાય છે. વળી, તે શ્રાવક પ્રતિદિન નવું-નવું શ્રુત ભણીને, ભગવાનના વચનના સૂક્ષ્મ રહસ્યને જાણીને, સ્થિર શ્રદ્ધાવાળા થયેલા દાન-શીલ-તપ-ભાવરૂપ ચાર પ્રકારનો ધર્મ સતત આરાધે છે તેઓ ધન્ય છે. આ પ્રકારે ભાવન કરીને મહાત્માઓ જિનવચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિઓ પ્રત્યે દૃઢ પક્ષપાતવાળા બને છે જેથી તેઓમાં પ્રમોદભાવના અત્યંત સ્થિર થાય છે. શાંતસુધારસ વળી, તેઓ વિચારે છે કે શ્રુત-અધ્યયનથી વિશદ બુદ્ધિવાળી સાધ્વીઓ અને શ્રાવિકાઓ જેઓ શીલનું સમ્યક્ પાલન કરીને પોતાનું આત્મહિત સાધી રહી છે તેઓ પણ ધન્ય છે. આ રીતે પ્રમોદભાવના કરનાર મહાત્મા ગુણવાન પ્રત્યેના અહોભાવવાળા બને છે તેથી મુક્તગર્વવાળા થાય છે; કેમ કે ગુણવાન પ્રત્યે સમર્પણભાવથી જ માનકષાય ક્ષીણ-ક્ષીણતર થાય છે. વળી ગુણોના પક્ષપાતને કરનારા ભાગ્યશાળી એવા તે મહાત્માઓ તીર્થંક૨થી માંડીને અત્યારસુધી વર્ણન કર્યું તે સર્વ જીવોની પ્રતિદિવસ અનેક વખત સ્તુતિ કરે છે, જેથી પોતાના ચિત્તમાં ગુણોનો રાગ સતત વૃદ્ધિ પામે છે. ગુણનો રાગ જ ગુણવૃદ્ધિ દ્વારા વીતરાગતાનું કારણ છે માટે પ્રમોદભાવનાના અર્થીએ દરેક જીવોના જિનવચનાનુસાર ઉચિત ગુણોનું સ્મરણ કરીને વારંવાર તેમની સ્તુતિ કરવી જોઈએ અને શક્તિ અનુસાર ગુણના સંચયમાં ઉદ્યમ કરવો જોઈએ. III અવતરણિકા : વળી, મહાત્મા મિથ્યાદૅષ્ટિ જીવોમાં પણ મોક્ષમાર્ગને અનુકૂળ, જિનવચનાનુસાર જે ગુણો છે તેનું સ્મરણ કરીને તેની અનુમોદના કરે છે શ્લોક ઃ = मिथ्यादृशामप्युपकारसारं, संतोषसत्यादिगुणप्रसारम् । वदान्यतावैनयिकप्रकारं, मार्गानुसारीत्यनुमोदयामः ।।५।। શ્લોકાર્થ : મિથ્યાર્દષ્ટિઓના પણ ઉપકારસાર=પરોપકાર પ્રધાન, સંતોષ, સત્યાદિ ગુણોનો પ્રસાર, વદાન્યતા=ઉદાર પ્રકૃતિ, અને વૈનયિક પ્રકાર, માર્ગાનુસારી છે તેની અમે અનુમોદના કરીએ છીએ. IIII Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૪. પ્રમોદભાવના | શ્લોક-૫-૬ ૧૮૩ ભાવાર્થ : પ્રમોદભાવનાના અર્થી મહાત્માઓ અત્યંત ગુણગ્રાહી દૃષ્ટિવાળા હોય છે. તેથી અત્યંત ગુણસંપન્ન એવા તીર્થકરથી માંડીને શ્રાવક-શ્રાવિકા આદિ સર્વના ગુણોની અનુમોદના કર્યા પછી પણ ગુણના પક્ષપાતના ભાવની વૃદ્ધિ કરવા વિચારે છે કે સ્વદર્શનમાં કે અન્યદર્શનમાં જેઓ સમ્યક્ત પામ્યા નથી પરંતુ પ્રકૃતિથી ભદ્રક છે તેમાં પણ જે પરોપકારનો પરિણામ વર્તે છે તે તેમનો માર્ગાનુસારી ભાવ છે. જેમ મેઘકુમારના જીવને હાથીના ભવમાં મિથ્યાત્વ અવસ્થામાં પણ સસલાના પ્રાણરક્ષણનો સુંદર પરિણામ થયો. વળી, કેટલાક મિથ્યાદૃષ્ટિ જીવો પણ ભદ્રક પ્રકૃતિને કારણે સંતોષ પરિણામવાળા, સત્યભાષી અને સ્વભૂમિકા અનુસાર તત્ત્વને જાણવા માટે યત્ન કરનારા હોય છે. તે સર્વ ગુણોનો પ્રસાર માર્ગાનુસારી છે. વળી, મિથ્યાદૃષ્ટિ જીવોમાં પણ કેટલાકમાં વદાન્યતા અર્થાત્ ઉદાર પ્રકૃતિ હોય છે તેથી તેઓમાં ક્ષુદ્રતા આદિ ભાવો નાશ પામતા હોય છે તે તેઓનું માર્ગાનુસારીપણું છે. વળી, કેટલાક મિથ્યાદૃષ્ટિ જીવો પ્રકૃતિથી વિનયના પરિણામવાળા હોય છે તેથી ત્યાગી, તપસ્વી પ્રત્યે બહુમાનભાવ ધરાવે છે તે તેઓનો માર્ગાનુસારીભાવ છે. તેથી મિથ્યાત્વ અવસ્થામાં પણ મિથ્યાત્વની મંદતાને કારણે તેઓમાં જે ઉત્તમગુણો પ્રગટ થયા છે તે ધર્મ-પ્રાપ્તિનું પ્રબળ કારણ છે માટે અમે તેની અનુમોદના કરીએ છીએ. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા મોક્ષમાર્ગને અનુકૂળ પ્રારંભિક કક્ષાના ગુણોથી માંડીને તીર્થંકર સુધીના સર્વ ગુણોનું પ્રસંગે પ્રસંગે સ્મરણ કરીને તેઓની સ્તુતિ કરે છે જેથી ગુણગ્રાહી દૃષ્ટિનો સતત વિકાસ થાય અને પોતાનામાં પ્રગટ થયેલો ગુણોનો પક્ષપાત સદા પોતાના આત્માને તેવા ગુણોની પ્રાપ્તિ માટે ઉદ્યમશીલ બનાવે. માટે કલ્યાણના અર્થી જીવે તે તે ગુણોના સૂક્ષ્મ ઉપયોગપૂર્વક તે તે ગુણોની અનુમોદના કરવી જોઈએ. જેથી પ્રમોદભાવના માત્ર શબ્દ રૂપ ન બને પરંતુ કલ્યાણની પરંપરાનું કારણ બને. આપણા શ્લોક - "जिवे प्रवीभव त्वं सुकृतिसुचरितोच्चारणे सुप्रसत्रा, भूयास्तामन्यकीर्तिश्रुतिरसिकतया मेऽद्य कर्णो सुकर्णो । वीक्ष्यान्यप्रौढलक्ष्मी द्रुतमुपचिनुतं लोचने रोचनत्वं, संसारेऽस्मिन्नसारे फलमिति भवतां जन्मनो मुख्यमेव ।।६।। શ્લોકાર્થ : હે જિલ્લા, સુપ્રસન્ન એવી તું સુકૃતિના સુચરિતના ઉચ્ચારણમાં સુંદર કૃતિવાળા પુરુષોના ઉત્તમ ચરિત્રના ઉચ્ચારણમાં વલણવાળી થાઓ, મારા બે કણ અન્યની કીર્તિને સાંભળવાના રસિકપણાથી આજે સુકર્ણ થાઓ. મારાં બે લોચનો અન્યની પ્રોઢ લક્ષમીને જોઈને શીઘ રોચનપણાને પ્રાપ્ત કરો. એ આ અસાર સંસારમાં તારા જન્મનું મુખ્ય જ ફલ છે. IIકા. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શાંતસુધારસ ભાવાર્થ : મહાત્મા પ્રમોદભાવનાને અત્યંત સ્થિર કરવા અર્થે વિચારે છે કે આ દેખાતો સંસાર અત્યંત અસાર છે અને તેમાં પોતાને જે મનુષ્યજન્મ પ્રાપ્ત થયો છે તેનું મુખ્ય ફળ જ એ છે કે તેમની જિલ્લા, કાનો, અને ચક્ષુ ઉત્તમપુરુષોના ગુણોના ગાન કરવાના, શ્રવણ કરવાના અને જોવાના વ્યાપારવાળાં બને. પોતાની જિલ્લાને સંબોધીને કહે છે – હે જિલ્લા ! તું સદા મારા ઉપર સુપ્રસન્ન થઈને મારું હિત થાય તે રીતે પ્રવૃત્તિવાળી થા. કઈ રીતે પોતાનું હિત થાય ? તેથી કહે છે – સુંદર કૃત્યોવાળા એવા તીર્થકર, ઋષિઓ, મહર્ષિઓનાં ઉત્તમ ચરિત્રને ઉચ્ચારીને તેઓનાં ગુણગાન કરવાથી જ પોતાનું હિત થાય માટે પ્રસન્ન થયેલી હે જિલ્લા ! તું તેવા ઉત્તમપુરુષોનાં ગુણગાન કરવામાં તત્પર થા. આ પ્રકારે જિલ્લાને ઉદ્દેશીને વસ્તુતઃ તે મહાત્મા સતત ઉત્તમપુરુષોના ગુણગાનમાં વ્યાપારવાળા થઈને પોતાના આત્માને તેવા ઉત્તમપુરુષોના ગુણોથી વાસિત કરે છે. વળી, મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે કે મારા બે કાનો ઉત્તમ પુરુષોની કીર્તિના શ્રવણના રસિકપણાથી સુકર્ણ થાઓ. આ પ્રકારે ભાવન કરીને તે મહાત્મા પોતાના શ્રવણની પ્રવૃત્તિને પણ ઉત્તમ પુરુષોની કીર્તિને સાંભળવા માટે અભિમુખ કરે છે. તીર્થકરો, ગણધરો, સુવિહિત સાધુઓ કઈ રીતે સન્માર્ગનું સ્થાપન કરીને અનેક જીવોના હિતનું કારણ બન્યા અને પોતાના આત્માનું પણ કલ્યાણ કર્યું તેનું વર્ણન કરતાં તેઓનાં ઉત્તમ ચરિત્રોને શ્રવણ કરીને પ્રમોદભાવના કરનાર મહાત્મા પોતાના આત્માને અત્યંત ભાવિત કરે છે, જેથી જીભની જેમ કાન પણ ગુણવિકાસનું અને નિર્જરાની પ્રાપ્તિ દ્વારા કલ્યાણની પ્રાપ્તિનું કારણ બને છે. વળી, મહાત્મા વિચારે છે કે મારાં બે ચક્ષુ પણ ઉત્તમ પુરુષોની પ્રૌઢ લક્ષ્મીને જોઈને તેઓના તે ગુણો પ્રત્યે શીધ્ર રુચિવાળાં થાઓ. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા ચક્ષુને ઉત્તમ પુરુષોના ગુણસમુદાયરૂપ પ્રૌઢ લક્ષ્મીને જોવા માટે અભિમુખ કરે છે. જેથી ચક્ષુ પણ નિરર્થક પદાર્થોને જોઈને વિકારોને પ્રાપ્ત ન કરે પરંતુ ગુણવૃદ્ધિનું જ કારણ બને. આ પ્રકારે તે મહાત્મા અંતરંગ રીતે પ્રમોદભાવના દ્વારા ગુણવૃદ્ધિને અનુકૂળ વ્યાપારવાળા થાય છે. આથી જ પ્રમોદભાવનાની વૃદ્ધિના અર્થી ઉત્તમ સંયમ પાળીને દેવલોકમાં ગયેલા દેવો પણ તીર્થકર આદિનાં ઉત્તમ ચરિત્રોનાં નાટકો જુએ છે જેનાથી ઉત્તમપુરુષોના ગુણ પ્રત્યેનો રાગ વૃદ્ધિ પામે છે. આ પ્રકારે જીભ, કાન અને ચક્ષુને સન્માર્ગમાં પ્રવર્તાવવાથી ગુણો પ્રત્યેના પક્ષપાતરૂપ પ્રમોદભાવના સ્થિરપણાને પામે છે. IIકા શ્લોક - प्रमोदमासाद्य गुणैः परेषां, येषां मतिर्मज्जति साम्यसिन्धौ । देदीप्यते तेषु मनःप्रसादो गुणास्तथैते विशदीभवन्ति ।।७।। શ્લોકાર્ચ - પરના ગુણોથી પ્રમોદને પ્રાપ્ત કરીને જેઓની મતિ સામ્યરૂપી નદીમાં મજ્જન કરે છે, તેઓમાં પના Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ૧૪. પ્રમોદભાવના-ગીત | શ્લોક-૧ ગુણોને જોનારા મહાત્માઓમાં, મનનો પ્રસાદ દેદીપ્યમાન થાય છે અને આ પરના અનુમોદન કરાયેલા ગુણો, વિશદ થાય છે=પોતાનામાં અધિક અધિક પ્રગટ થાય છે. પછી ભાવાર્થ પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે જે મહાત્માઓ પરના ગુણોથી પ્રમોદભાવને પ્રાપ્ત કરે છે અર્થાત્ તે ગુણોના સૂક્ષ્મ-સૂક્ષ્મતર પરમાર્થનું અવલોકન કરીને તે ગુણો પ્રત્યે પ્રીતિ વિશેષ ઉલ્લસિત થાય તે પ્રકારે અંતરંગ વ્યાપાર કરે છે તેઓની પરના ગુણોથી વાસિત થયેલી નિર્મળ મતિ સમભાવના પરિણામમાં મગ્ન થાય છે; કેમ કે ભગવાને બતાવેલો મોક્ષમાર્ગ આદ્યભૂમિકાના સમભાવથી માંડીને વીતરાગતા સુધીના પરાકાષ્ઠાના સમભાવને વહન કરનારો છે અને તે સમભાવની નિષ્પત્તિ અને વૃદ્ધિ માટે જ મહાત્માઓ સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરતા હોય છે. જેઓનું ચિત્ત મહાત્માઓના તેવા ગુણોથી જે જે અંશથી ભાવિત થાય છે તે તે અંશથી તેઓમાં અવશ્ય સામ્યભાવ પ્રગટ થાય છે અને જેઓમાં જે અંશથી સામ્યભાવ આવિર્ભાવ પામે છે તે અંશથી તેઓનું મન પ્રસન્નતાને અનુભવતું શોભાયમાન બને છે. જેમ જેમ પ્રમોદભાવના કરનાર મહાત્માનું મન ગુણોથી પ્રસન્નતાવાળું બને છે તેમ તેમ તે મહાત્મામાં અનુમોદનાના વિષયભૂત ગુણો વિશદ બને છે અર્થાત્ પૂર્વમાં તે ગુણો પ્રત્યે સામાન્ય રાગ પ્રવર્તતો હતો તે રાગ અતિશય અતિશયતર થવાથી તે મહાત્માને તે ગુણોની પ્રાપ્તિ અધિક-અધિક થાય છે. તેથી સૂક્ષ્મબુદ્ધિપૂર્વક ગુણસંપન્ન એવા તીર્થંકર આદિ ઉત્તમપુરુષોના ગુણોનું અવલોકન કરીને તેઓના ગુણો પ્રત્યે પ્રમોદભાવ વૃદ્ધિ પામે તે પ્રકારે યત્ન કરવો જોઈએ જેથી પોતાનામાં પણ તે તે ગુણો શીધ્ર પ્રાપ્ત થાય. lણા ૧૪. પ્રમોદભાવના-ગીત) શ્લોક :• विनय विभावय गुणपरितोषं विनय विभावय गुणपरितोषम् । निजसुकृताप्तवरेषु परेषु परिहर दूरं मत्सरदोषम् ।।विनय० १।। શ્લોકાર્ચ - હે વિનય ! હે કર્મના નાશના અર્થી જીવ ! પોતાના સુકૃતથી પ્રાપ્ત કર્યું છે શ્રેષ્ઠપણે જેમણે એવા પરના વિષયમાં તું ગુણપરિતોષનું વિભાવન કર, મત્સરદોષનો પરિહાર કર. હે વિનય!તું ગુણપરિતોષનું વિભાવન કર. III ભાવાર્થ: પ્રમોદભાવનાને સ્થિર કરવા અર્થે મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે કે કર્મના વિનયના અર્થી એવા હે આત્મન ! તું ગુણ પ્રત્યે પરિતોષ થાય=બીજાના ગુણોને જોઈને આત્મામાં પ્રીતિ થાય, તે પ્રકારે Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શાંતસુધારસ વિભાવન કર. શું વિભાવન કર ? તેથી કહે છે જે મહાત્માઓએ પોતાના સુકૃતના સેવનથી પ્રાપ્ત કર્યા છે શ્રેષ્ઠ ગુણો એવા પરના વિષયમાં વર્તતા ગુણોને જોઈને તું પરિતોષનું વિભાવન કર અને બીજાના ગુણોને જોઈને મત્સરદોષનો પરિહાર કર. આશય એ છે કે જે મહાત્મા તીર્થંકર આદિના ગુણોનું સ્મરણ કરીને તેઓના ગુણો પ્રત્યે પ્રમોદ થાય એ પ્રકારે ભાવના કરે છે આમ છતાં પોતાની સાથે વસતા અન્ય ગુણવાન પુરુષો લોકોમાં વિશેષ પૂજાતા હોય તો તેમને જોઈને ગુણસંપન્ન આત્માઓને પણ અનાદિના સ્વભાવને કારણે મત્સરદોષ થાય છે. બ્રાહ્મી સુંદરીના જીવોએ પૂર્વભવમાં ઉત્તમ ચારિત્ર પાળીને સર્વાર્થસિદ્ધિની પ્રાપ્તિ કરેલી છતાં નિમિત્તને પામીને તેમણે ભારત-બાહુબલીના પૂર્વભવના જીવોના ગુણની પ્રશંસા સાંભળીને ક્ષણભર અલ્પ મત્સર થયો. જેથી સ્ત્રીભવની પ્રાપ્તિ થઈ. તેથી અત્યંત નિર્મળ બુદ્ધિપૂર્વક અન્ય જીવોનાં ઉત્તમ કૃત્યોને જોઈને તેઓની લોકમાં થતી પ્રશંસા સાંભળીને લેશ પણ મત્સરદોષ ન થાય એ પ્રકારે યત્ન કર; કેમ કે ગુણ પ્રત્યેનો અલ્પ પણ મત્સરભાવ મહાઅનર્થનું કારણ છે. વળી, પોતાના ગુણ પ્રત્યેના પરિતોષને સ્થિર કરવા અર્થે મહાત્મા ફરી પોતાના આત્માને સંબોધીને કહે છે કે હે આત્મા ! તું ગુણપરિતોષનું ભાવન કર કે જેથી પરના ગુણનું અવલંબન લઈને ગુણવૃદ્ધિને અનુકૂળ જ આત્માનો વ્યાપાર સદા પ્રવર્તે. IIII. બ્લોક : दिष्ट्यायं वितरति बहुदानं, वरमयमिह लभते बहुमानम् । किमिति न विमृशसि परपरभागं, यद्विभजसि तत्सुकृतविभागम् ।।विनय० २।। શ્લોકાર્ચ - દિષ્ટિથી=પૂર્વના પુણ્યના પસાયથી, કોઈ પુરુષ બહુદાન કરે છે. તે પુરુષ અહીં=જગતમાં, બહુમાનને પ્રાપ્ત કરે છે તે સારું છે એ પ્રમાણે કેમ વિચારતો નથી. જેનાથી તેના સુકૃતના વિભાગરૂપ પ્રકૃષ્ટભાગને તું પ્રાપ્ત કરે. ||રા ભાવાર્થ : જે મહાત્માઓ સૂક્ષ્મબુદ્ધિથી આત્માનું અવલોકન કરે છે તેઓને પોતાનામાં વર્તતાં તે તે નિમિત્તોને પામીને થતા ભાવો દેખાય છે. તેથી વિચારે છે કે કોઈ મહાત્મા જિનવચનાનુસાર વિવેકપૂર્વક બહુદાન આપતા હોય તો તે તેમના ઉત્તમભાગ્યના કૃત્ય સ્વરૂપ છે અને તેના કારણે આવા મહાત્માઓ જગતમાં બહુમાન પામતા હોય છતાં તે જોઈને પોતાના અસહિષ્ણુ સ્વભાવના નિમિતે ક્યારેક ઇર્ષા થવાનો પ્રસંગ પોતાને પ્રાપ્ત થાય છે અને જો પોતાનો તે પ્રકારનો સ્વભાવ હોય તો તેને દૂર કરવો અતિદુષ્કર હોય છે તેથી પોતાના તે પ્રકારના સ્વભાવનું અવલોકન કરીને પોતાના આત્માને સંબોધીને મહાત્મા કહે છે – આવાં ઉત્તમ કૃત્યો કરનારા જીવોને જગતમાં માન મળે તે ઉચિત જ છે એવું તું કેમ વિચારતો નથી ? અને તેને પ્રાપ્ત થતા બહુમાનને જોઈને ઇર્ષ્યા કેમ કરે છે? વસ્તુતઃ તેવા જીવોને પ્રાપ્ત થતા બહુમાનને જોઈને Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૪. પ્રમોદભાવના-ગીત | શ્લોક-૨-૩-૪ ૧૮૭ તું હર્ષ કરીશ તો તેઓના સુકૃતમાં તને પણ શ્રેષ્ઠભાગ મળશે; કેમ કે તે મહાત્માઓ તે કૃત્ય સેવીને જેમ ઉત્તમભાવો કરે છે તેમ તેઓનાં ઉત્તમ કૃત્યોને જોઈને જો તું હર્ષ કરીશ તો તે ઉત્તમ કૃત્યને જોવાથી થયેલા શુભભાવને અનુરૂપ ફળ તને પણ મળશે. આ પ્રકારે આત્માને ઉત્સાહિત કરીને અનાદિના સંસ્કાર અનુસાર થતા મત્સરદોષને દૂર કરવા અર્થે મહાત્મા ઉદ્યમ કરે છે. શા શ્લોક : येषां मन इह विगतविकारं, ये विदधति भुवि जगदुपकारम् । तेषां वयमुचिताचरितानां नाम जपामो वारंवारम् ।।विनय० ३।। શ્લોકાર્ચ - જેઓનું મન અહીં સંસારમાં, વિકાર વગરનું છે, જગતમાં જેઓ જગતના જીવો ઉપર ઉપકાર કરે છે એવા ઉચિત આચારવાળા તેઓનું નામ અમે વારંવાર જપીએ છીએ. ll3II ભાવાર્થ : મહાત્મા પોતાના પ્રમોદભાવને અત્યંત સ્થિર કરવા અર્થે વિચારે છે કે સંસારમાં નિમિત્તો અનુસાર જેઓનું મન વિકારને પામતું નથી તેઓ જ સતત ઉત્તરોત્તર ગુણવૃદ્ધિ કરી રહ્યા છે માટે ગુણસંપન્ન છે. વળી જેઓ અતિવિવેક-સંપન્ન હોવાથી જગતના જીવો ઉપર ઉપકાર કરીને લોકોને તત્ત્વનો બોધ કરાવે છે તેવા મહાત્માઓ ગુણના નિધાન છે અને તેવી ઉચિત આચરણ કરનારા મહાત્માઓને સ્મૃતિમાં લાવીને અમે વારંવાર તેઓનું નામ જપીએ છીએ. જેથી તેવા ગુણવાન પુરુષો પ્રત્યેના પક્ષપાતની વૃદ્ધિ થાય અને જેના કારણે આત્મામાં ગુણના પક્ષપાતરૂપ પ્રમોદભાવ સ્થિરભાવને પામે. III શ્લોક : अहह तितिक्षागुणमसमानं, पश्यत भगवति मुक्तिनिदानम् । येन रुषा सह लसदभिमानं, झटिति विघटते कर्मवितानम् ।।विनय० ४।। શ્લોકાર્ચ - અહe=આશ્ચર્ય છે કે મુક્તિના કારણ રૂપ અસમાન એવા ભગવાનના તિતિક્ષાગુણને તું જો. જેનાથી=જે તિતિક્ષાણથી, વૃદ્ધિ પામતા અભિમાનવાળો કર્મનો વિસ્તાર રોષ સહિત શીઘ વિઘટન પામે છે. II૪l. ભાવાર્થ : આત્માને પ્રમોદભાવનાથી ભાવિત કરવા અર્થે મહાત્મા આત્માને સંબોધીને કહે છે – તીર્થકરમાં અસાધારણ તિતિક્ષાગુણ વર્તતો હોય છે. કોઈપણ નિમિત્તને પામીને લેશ પણ દ્વેષ કે અરતિનો પરિણામ ન Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શાંતસુધારસ થાય તે પ્રકારે તીર્થંકર પોતાના આત્માને સંપન્ન કરે છે તેથી કોઈપણ ઉપસર્ગો કે પરિષહો તેઓના ચિત્તને સ્પર્શતા નથી. આ તિતિક્ષાગુણને કા૨ણે વૃદ્ધિ પામતા અભિમાનવાળો જે કર્મનો વિસ્તાર હતો એ પણ ક્રોધ કષાય સહિત તેમનામાંથી શીઘ્ર નાશ પામ્યો. આશય એ છે કે કર્મના સમૂહને જાણે તે પ્રકારનું અભિમાન છે કે મારો ક્ષય કોઈ કરી શકે તેમ નથી. આથી જ જીવોમાં સતત વધતા જતા કર્મના વિસ્તારનો નાશ કરવો અતિ દુષ્કર છે. છતાં એક તિતિક્ષાગુણના બળથી ભગવાને પોતાના તે રોષનો તો નાશ કર્યો, પરંતુ કર્મના સમૂહનો પણ નાશ કર્યો. માટે હે આત્મા ! તું તિતિક્ષાગુણને કેળવ કે જેથી કોઈના ગુણને જોઈને મત્સરભાવ ન થાય. જો તું તિતિક્ષાગુણને વિશેષ પ્રકારે કેળવીશ તો અન્ય જીવો પ્રત્યે તો મત્સર નહિ થાય પરંતુ પોતાને કોઈક પ્રતિકૂળ સંયોગો આવશે તોપણ રોષ કે અરિત થશે નહિ અને સુખપૂર્વક કર્મના સમૂહનો નાશ કરી શકીશ. I૪l શ્લોક ઃ अदधुः केचन शीलमुदारं, गृहिणोऽपि परिहृतपरदारम् । यश इह सम्प्रत्यपि शुचि तेषां विलसति फलिताफलसहकारम् । । विनय० ५ ।। શ્લોકાર્થ ઃ કેટલાક ગૃહસ્થો પણ પરિહાર કરેલા પરદારાવાળું ઉદાર એવું શીલ ધારણ કરે છે. અહીં= સંસારમાં, વર્તમાનમાં પણ તેઓનો ફલિત અફલના સહકારવાળો=પૂર્વમાં જેનું ફળ ન હતું એવું પણ ફળ ખીલ્યું છે જેમાં એવા આમ્રવૃક્ષવાળો, પવિત્ર યશ વિલાસ પામે છે. પ ભાવાર્થ: વળી, મહાત્મા પ્રમોદભાવનાને અતિશય કરવા અર્થે વિચારે છે કે કેટલાક ઉત્તમ શ્રાવકો પણ પરસ્ત્રીનો ત્યાગ કરીને મન, વચન, કાયાથી સુવિશુદ્ધ એવું ઉદાર શીલ ધારણ કરનારા છે જે તેઓમાં વર્તતી સાત્ત્વિક પ્રકૃતિનું પ્રતિબિંબ છે અને તેવા ઉત્તમપુરુષોનો પવિત્ર યશ વર્તમાનમાં પણ વિસ્તાર પામે છે. જેમ પૂર્વમાં નહિ ફળેલું એવું આમ્રવૃક્ષ ફળદ્રુપ બને છે ત્યારે લોકો તે આમ્રવૃક્ષને જોઈને પ્રમુદિત થાય છે તેમ તે મહાત્માઓએ પૂર્વમાં નહિ સેવેલ એવું પણ ઉત્તમ શીલ આ ભવમાં સુવિશુદ્ધ પાળે છે જેનાથી તેઓનો યશ જગતમાં વિસ્તાર પામે છે. આ પ્રકારે શીલસંપન્ન શ્રાવકોના ગુણની અનુમોદના કરીને મહાત્મા ગુણ પ્રત્યેનો પક્ષપાતનો ભાવ દૃઢ કરે છે. INI શ્લોક ઃ या वनिता अपि यशसा साकं, कुलयुगलं विदधति सुपताकम् तासां सुचरितसञ्चितराकं, दर्शनमपि कुतसुकृतविपाकम् । । विनय० ६ । । Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૪. પ્રમોદભાવના-ગીત / બ્લોક-૬-૭ ૧૮૯ શ્લોકાર્થ : વળી, જે સ્ત્રીઓ પણ યશથી યુક્ત એવા કુલયુગલને સસરા અને પિતાના કુલને, સુપતાકાવાળું કરે છે તેઓના સુચરિતથી સંચિત એવું સુવર્ણ જેવું દર્શન પણ કરાયેલા સુકૃતના વિપાકવાળું છે. IIII. ભાવાર્થ : ગુણ પ્રત્યેના પ્રમોદભાવને આત્મામાં સ્થિર કરવા અર્થે મહાત્મા સંસારવર્તી જીવોમાં વર્તતા માર્ગાનુસારી ગુણોનું સ્મરણ કરે છે અને વિચારે છે કે જેઓ પૂર્વના તથા પ્રકારના કર્મદોષને કારણે સ્ત્રીપણું પામેલ છે તેવી સ્ત્રીઓ પણ દુષ્કર એવું અણુશુદ્ધ શીલ પાળે છે અર્થાત્ જે બ્રહ્મચર્ય વ્રત પાળે છે અને સ્વાતિ સિવાય અન્યત્ર લેશ પણ વિકારવાળી થતી નથી. તેના આ શીલગુણના કારણે તેના પિતાનું કુલ અને પતિનું કુલ સુપતાકાવાળું બને છે અર્થાત્ આ ઉત્તમકુલ છે જ્યાં આવા ઉત્તમગુણવાળી સ્ત્રીઓ છે અને તેઓના સુચરિત્રનો વિચાર કરીને મહાત્મા વિચારે છે કે શીલગુણના સ્મરણપૂર્વક તેઓનું દર્શન પણ મહાકલ્યાણનું કારણ છે. આવી શીલવર્તી સ્ત્રીઓનું પ્રાતઃકાળમાં મહાત્માઓ પણ સ્મરણ કરે છે; કેમ કે અનાદિથી મોહવાસિત આત્મા છે તેથી તત્ત્વમાર્ગને પામીને સુવિશુદ્ધ શીલ પાળવાને અભિમુખ બને છે તોપણ સુવિશુદ્ધ શીલ પાળવા સમર્થ બનતો નથી તેથી શીલસંપન્ન સ્ત્રીઓના શીલગુણનો વિચાર કરીને તેમના નામનું સ્મરણ કરે છે જેનાથી ઉત્તમ કોટીના પુણ્યને તેઓ પ્રાપ્ત કરે છે અને સુવિશુદ્ધ શીલપાલનની શક્તિનો સંચય કરે છે; કેમ કે ગુણના રાગથી જ ગુણની નિષ્પત્તિને અનુકૂળ સદ્વર્યનો સંચય થાય છે. આવા શ્લોક : तात्त्विकसात्त्विकसुजनवतंसाः केचन युक्तिविवेचनहंसाः । अलमकृषत किल भुवनाभोग, स्मरणममीषां कृतशुभयोगम् ।।विनय० ७।। શ્લોકાર્ધઃ ખરેખર ભુવનના આભોગને અત્યંત આકર્ષણ કરનારા=જગતના પદાર્થોને અત્યંત યથાર્થ જાણનારા, યુક્તિવિવેચનમાં હંસ જેવાસર્વાના વચનને યુક્તિ અનુસાર ઉચિત રીતે યોજન કરનારા, તાત્વિક અને સાત્વિક એવા ઉત્તમપુરુષોમાં વાંસવાળા=મૂર્ધન્ય સ્થાનવાળા, તેવા કેટલાક જીવો છે એઓનું સ્મરણ કૃતશુભયોગવાળું છે. llી ભાવાર્થ : મહાત્મા પ્રમોદભાવનાનું ભાવન કરતાં વિચારે છે કે સંસારવર્તી જીવોમાં કેટલાક ઉત્તમપુરુષો છે જેઓ હંમેશાં તત્ત્વ તરફ જનારા હોય છે અને ગુણોને વિકસાવવા માટે સાત્ત્વિક હોય છે. આવા તાત્ત્વિક, સાત્ત્વિક ઉત્તમપુરુષોમાં જે મૂર્ધન્ય સ્થાન પામેલા છે તેઓએ ભૂતકાળમાં આરાધના કરીને આ ભવમાં ઉત્તમ Page #207 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ પ્રકૃતિઓને પ્રાપ્ત કરી છે અને જન્માંતરમાં અધિક ઉત્તમ થવા માટે સતત ભગવાનના વચનના પરમાર્થને જાણવા માટે ઉદ્યમવાળા છે. વળી, તેઓ શાસ્ત્રને પણ તે રીતે ભણે છે કે જેથી યુક્તિનાં વિવેચન કરવામાં હંસ જેવા છે અર્થાત્ જેમ હંસ દૂધ અને પાણીનું સહજ રીતે વિભાજન કરી પાણીનો ત્યાગ કરી દૂધનું પાન કરે છે તેમ તત્ત્વ-અતત્ત્વનો વિભાગ કરવામાં કુશળ એવા તે મહાત્માઓ યુક્તિઓથી સત્શાસ્ત્રોના વચનનો યથાર્થ રીતે વિભાગ કરે છે. વળી, જગતની વ્યવસ્થાને યથાર્થ જાણીને ઉચિત તત્ત્વનું આકર્ષણ કરે છે જેથી તેઓના વચનથી ઘણા જીવોને સન્માર્ગની પ્રાપ્તિ થાય છે. આવા ઉત્તમપુરુષોનું સ્મરણ પણ કૃતશુભયોગવાળું છે અર્થાત્ તેવા ગુણોપૂર્વક તેઓનું સ્મરણ કરવામાં આવે તો તેમનામાં વર્તતા તે ઉત્તમગુણો પ્રત્યે બહુમાનભાવ થાય છે. પ્રમોદભાવના કરનારા જીવો માટે આ બહુમાનભાવ મહાકલ્યાણના કા૨ણભૂત શુભયોગરૂપ બને છે. આવા ઉત્તમપુરુષો અત્યારે દેખાતા ન હોય તોપણ “બહુરત્ના વસુંધરા” એ ન્યાયનું સ્મરણ કરીને આવા ઉત્તમગુણોવાળા જે કોઈ જીવો જગતમાં વર્તે છે તેઓનું સામાન્યથી સ્મરણ કરીને તેઓ પ્રત્યે બહુમાનભાવ ક૨વાથી તેવા ઉત્તમપુરુષ તુલ્ય થવાની શક્તિના બળનું આધાન થાય છે માટે વારંવાર તે તે ગુણો રૂપે ઉત્તમપુરુષોનું સ્મરણ કરવું જોઈએ. ॥૭॥ ૧૯૦ શ્લોક ઃ इति परगुणपरिभावनसारं, सफलय सततं निजमवतारम् । कुरु सुहिवितगुणनिधिगुणगानं, विरचय शान्तसुधारसपानम् ।।विनय० ८।। શ્લોકાર્થ ઃ આ પ્રમાણે અત્યારસુધી=પૂર્વના શ્લોકોમાં વર્ણન કર્યું એ પ્રમાણે, પરગુણના પરિભાવનમાં સારવાળો એવો પોતાનો અવતાર તું સતત સફળ કર. સુવિહિતના=સુંદર વિધિ અનુસાર પ્રવૃત્તિ કરનારા, ઉત્તમપુરુષોના ગુણનિધિના=ગુણના નિધાનના ગુણગાનને તું કર. શાંતસુધારસના પાનને તું વિરચન કર=તું સ્વીકાર કર. III ભાવાર્થ = પ્રમોદભાવનાને પ્રકર્ષ કરવા મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે કે હે આત્મન્ ! પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે પૃથ્વી ઉપર વર્તતા ઉત્તમપુરુષોના ગુણોથી પોતાનો આત્મા વાસિત થાય તે પ્રકારે તેમના ગુણોનું ભાવન કરીને તારો પોતાનો અવતાર તું સતત સફલ કર. આનાથી એ પ્રાપ્ત થાય છે કે જેટલા કાળ સુધી ઉત્તમપુરુષના ગુણોનું સ્મરણ રહે એટલા કાળ સુધી તે ઉત્તમગુણોનાં આવા૨ક કર્મોનો નાશ થાય છે અને તેવા ગુણો પ્રગટ કરવાને અનુકૂળ ઉત્તમ સંસ્કારોનું આત્મામાં દૃઢ આધાન થાય છે. વળી, તેવા ગુણોના સ્મરણકાળમાં વર્તતો ગુણનો રાગ ઉત્તમ પુણ્યાનુબંધીપુણ્ય બંધાવીને ઉચ્ચગોત્ર, ઉચ્ચજાતિ આદિની પ્રાપ્તિ કરાવીને પોતાનામાં પણ તેવા ઉત્તમગુણો પ્રગટ કરવાનું મહાન બળ આધાન કરે છે. જેથી તે Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૪. પ્રમોદભાવના-ગીત | શ્લોક-૮ ૧૯૧ મહાત્માને સદ્ગતિઓની પરંપરાની પ્રાપ્તિ થશે અને અંતે પૂર્ણ ગુણયુક્ત મોક્ષ અવસ્થાની પ્રાપ્તિ થશે. માટે પ્રમાદ વગર સતત એવા ગુણોનું પરિભાવન કરીને જીવન સફળ કરવું જોઈએ તે પ્રકારે મહાત્મા પોતાના આત્માને પ્રેરણા કરે છે. વળી, મહાત્મા ભાવન કરે છે કે સુવિહિત એવા ગુણના નિધિ પુરુષોના ગુણગાનને તું ક૨. આનાથી એ પ્રાપ્ત થાય છે કે જેઓ ભગવાનના વચનાનુસાર સતત ઉચિત કૃત્યો કરે છે તેઓ સુંદર વિહિત એવી ઉચિત ક્રિયાઓ કરનારા છે અને તેવી ક્રિયા દ્વારા આત્મામાં ઉત્તમગુણો નિષ્પન્ન કરી રહ્યા છે. આવા ગુણના નિધિ એવા ઉત્તમપુરુષોના તું ગુણગાન કર. જે મહાત્માઓ પ્રતિદિન સવા૨થી સાંજ સુધી ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને તે આજ્ઞાથી જ સર્વ ઉચિત કૃત્યો કરે છે તેવા મહાત્માઓ સત્કૃત્યો દ્વારા આત્મામાં ઉત્તરોત્ત૨ના ગુણો પ્રગટ કરે છે તેથી ગુણના નિધાન બને છે તેઓના તું ગુણગાનને કર. આ પ્રકારે મહાત્મા આત્માને પ્રમોદભાવના ભાવવા પ્રેરણા કરે છે. વળી, આ પ્રમોદભાવનાથી શાંતસુધારસને તું તારા આત્મામાં પ્રગટ કર. અર્થાત્ ઉત્તમગુણોના ભાવનથી થયેલા કષાયોના શમનરૂપ શાંતરસ સ્વરૂપ અમૃતનું તું પાન કર. આ રીતે મહાત્મા પ્રમોદભાવના દ્વારા શાંતરસને ઉલ્લસિત કરવા માટે અંતરંગ યત્નવાળા બને છે. III II ચૌદમો પ્રકાશ પૂર્ણ ॥ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્લોક ઃ प्रथममशनपानप्राप्तिवाच्छाविहस्तास्तदनु वसनवेश्मालङ्कृतिव्यग्रचित्ताः । परिणयनमपत्यावाप्तिमिष्टेन्द्रियार्थान्, सततमभिलषन्तः स्वस्थतां क्वाऽनुवीरन् ॥ १ ॥ શ્લોકાર્થ ૧૫. કરુણાભાવના -: શાંતસુધારસ પ્રથમ=જીવનના પ્રારંભકાળમાં, આહાર, પાણીની પ્રાપ્તિની વાંછાથી વિહસ્ત થયેલા=વ્યાકુળ થયેલા, જીવો હોય છે. ત્યાર પછી વસ્ત્ર, ઘર, અલંકારોની પ્રાપ્તિમાં વ્યગ્નચિત્તવાળા હોય છે. લગ્ન, પુત્રની પ્રાપ્તિ, ઇષ્ટ એવા ઇન્દ્રિયોના અર્થોને સતત ઇચ્છા કરતા સંસારીજીવો સ્વસ્થતાને ક્યાં પ્રાપ્ત કરે ? અર્થાત્ સતત બાહ્ય પ્રવૃત્તિમાં વ્યાકુળ હોવાથી અત્યંત કરુણાપાત્ર છે. IIII ભાવાર્થ: કરુણાભાવનાનું ભાવન કરતાં મહાત્મા વિચારે છે કે સંસારીજીવો જન્મે છે ત્યારથી આકુલ-વ્યાકુલવ્યગ્ર જ હોય છે. જન્મ ધારણ કર્યા પછી પ્રથમ અવસ્થામાં તેને ભોજન, પાનની પ્રાપ્તિની વાંછા સતત વર્તે છે અને તેનાથી તેઓ સતત વ્યાકુળ હોય છે. પછી, કોઈક રીતે પગભર થાય, ધનાદિ કમાતા થાય ત્યારે પોતાનાં વસ્ત્રો, પોતાનું ઘર અને પોતાના અલંકારોને પ્રાપ્ત કરવામાં વ્યગ્નચિત્તવાળા તેના ઉપાયભૂત ધનઅર્જુન માટે મનુષ્યભવની સર્વ ક્ષણો પ્રાયઃ પસાર કરતા હોય છે. પરંતુ સ્વસ્થતાથી આત્માના પારમાર્થિક સુખની કલ્પના પણ કરી શકતા નથી. વળી, કોઈક રીતે પુણ્યના સહકારથી પ્રચુર ધન પ્રાપ્ત કરે અને સુંદર ઘ૨, અલંકારો વગેરે ધાર્યા પ્રમાણે પ્રાપ્ત કરે તોપણ લગ્નની ચિંતામાં વ્યગ્ર હોય છે અને કદાચ પુણ્યના સહકારથી ઉચિત સ્ત્રી આદિની પ્રાપ્તિ થાય તો પુત્રની પ્રાપ્તિમાં વ્યગ્નચિત્તવાળા હોય છે. વળી, તેની પણ પ્રાપ્તિ થાય ત્યારે સતત ઇન્દ્રિયોના ઇષ્ટ અર્થોના અભિલાષવાળા હોય છે તેથી સારાં સારાં ભોજન કરવાં, નાટકો જોવાં ઇત્યાદિ બાહ્ય પ્રવૃત્તિમાં જ તેઓ વ્યગ્ર હોય છે. આવી સ્થિતિમાં આત્માની સ્વસ્થતાને તે જીવો ક્યાં પ્રાપ્ત કરી શકે ? અર્થાત્ સંસારીજીવો દરિદ્ર અવસ્થામાં પણ વ્યાકુળ હોય છે અને ધનાઢ્ય અવસ્થામાં પણ કોઈક કોઈક બાહ્ય ઇચ્છાઓમાં સદા વ્યાકુળ હોય છે, પરંતુ ચિત્તની સ્વસ્થતારૂપ સુખ તો ક્યારેય પ્રાપ્ત કરી શકતા નથી. આ પ્રકારે ભાવન કરી મહાત્મા તેવા જીવોની અસ્વસ્થતા પ્રત્યે કરુણાયુક્ત હૃદયવાળા બને છે અને વિચારે છે કે જેઓ ભગવાનના શાસનના પરમાર્થને પામે છે તેઓ જ દરિદ્રઅવસ્થામાં હોય કે ધનાઢ્ય અવસ્થામાં હોય તોપણ ચિત્તની સ્વસ્થતાપૂર્વક આત્માના હિતનો વિચાર કરી શકે છે. તે સિવાય જગતના જીવો મહાત્મા માટે કરુણાપાત્ર છે. IIII Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૫. કરણાભાવના | શ્લોક-૨ ૧૯૩ શ્લોક :उपायानां लक्षैः कथमपि समासाद्य विभवं, भवाभ्यासात्तत्र ध्रुवमिति निबध्नाति हृदयम् । अथाकस्मादस्मिन् विकिरति रजः क्रूरहृदयो, रिपुर्वा रोगो वा भयमुत जरा मृत्युरथवा ।।२।। શ્લોકાર્ચ - લાખો ઉપાયો વડે કોઈક રીતે પણ વૈભવને પ્રાપ્ત કરીને ભવના અભ્યાસથી=દરેક ભવોમાં બાહ્યવૈભવમાં મૂચ્છ કરવાના અભ્યાસથી, ત્યાં=બાહ્યવૈભવમાં, ધ્રુવ હૃદયને બાંધે છે=ગાઢ રાગને ધારણ કરે છે. હવે અકસ્માત આમાં આ વૈભવમાં, ક્રૂર હૃદયવાળો કર્મરૂપ શત્રુ રજને નાંખે છે તેના ધન આદિનો નાશ કરે છે અથવા દેહમાં રોગ કરે છે અથવા કોઈક તેવા પ્રકારના સંયોગમાં ચિત્તમાં સતત ભય ઉત્પન્ન કરે છે અથવા જરાની પ્રાપ્તિ કરે છે અથવા મૃત્યુની પ્રાપ્તિ કરે છે. આ સર્વ અવસ્થામાં જીવ સદા વ્યાકુળ હોય છે. તેથી તેને ક્યાંય સ્વસ્થતા નથી. એ પ્રકારે મહાત્મા સંસારીજીવો પ્રત્યે કરુણાભાવનાનું ભાવન કરે છે. રા. ભાવાર્થ - સંસારીજીવો પુણ્યનો સહકાર હોય તો ઘણા ઉપાયો કરીને પણ વૈભવ પ્રાપ્ત કરે છે અને પ્રાપ્ત થયેલા વૈભવમાં ગાઢ રાગને ધારણ કરે છે; કેમ કે દરેક ભવમાં બાહ્ય સુંદર પદાર્થોમાં રાગ કરવાનો અભ્યાસ કર્યો છે. તેથી પુણ્યના સહકારથી મળેલા વૈભવમાં જીવોને રાગ થાય છે પરંતુ અંતરંગ ગુણ-સમૃદ્ધિમાં રાગ થતો નથી. આ રીતે બાહ્ય વૈભવને પામ્યા પછી કોઈક શત્રુ તેના પુણ્યને નાશ કરે ત્યારે તે જીવ અત્યંત વિહ્વળ થઈ જાય છે અને દયાપાત્ર સ્થિતિને પામે છે. વળી, ક્યારેક પુણ્યનો સહકાર હોય તો ધન નાશ ન પામે અને આરોગ્યનું પુણ્ય સમાપ્ત થાય તો કોઈ નિમિત્તને પામીને દેહમાં રોગ થાય છે ત્યારે તે જીવ અત્યંત વિહ્વળ થાય છે. વળી, આરોગ્યનું પુણ્ય હોય અને રોગ ન થાય તોપણ રોગનો, મૃત્યુનો કે અન્ય પ્રકારનો ભય તે જીવને સતત વિહ્વળ કરે છે. વળી જીવનના અંત સમયે જરા=વૃદ્ધાવસ્થા આવે ત્યારે બાહ્ય સમૃદ્ધિ હોવા છતાં જરાને કારણે જીવ સદા વિહ્વળ રહે છે અને અંતે મૃત્યુને પામે છે પરંતુ ક્યાંય સ્વસ્થ અવસ્થાને પ્રાપ્ત કરતો નથી. આ પ્રકારે સંસારીજીવોનું દયાપાત્ર સ્વરૂપ વિચારીને મહાત્મા વિચારે છે કે સંસારી જીવો ભગવાનના શાસનના રહસ્યને નહિ પામેલા હોવાથી આ પ્રકારે કરુણાપાત્ર સ્થિતિને પામે છે. જો કોઈક રીતે પણ આ જીવોને ભગવાનના શાસનનું રહસ્ય પ્રાપ્ત થાય તો દરિદ્રઅવસ્થામાં પણ સ્વસ્થતાપૂર્વક ભગવાનના વચનથી વાસિત થઈને સુખી થઈ શકે છે અને ધનાઢ્ય અવસ્થામાં પણ ધન પ્રત્યેની ગાઢ મૂછ નહીં હોવાથી ધનનો સદ્વ્યય કરીને પણ આત્માની સમૃદ્ધિ વધારી શકે છે. તેથી અજ્ઞાનને વશ જીવો આ રીતે સર્વ સંયોગોમાં કરુણાપાત્ર બને છે આમ ભાવન કરીને મહાત્મા પોતાના ચિત્તમાં સંસારીજીવો પ્રત્યે Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શાંતસુધારસ કરુણાવાળા બને છે અને પોતાના આત્માની પણ પારમાર્થિક કરુણા કરીને જિનવચનથી આત્માને વાસિત કરવા યત્ન કરે છે. આવા અવતરણિકા - વળી સંસારીજીવોને મોહને વશ કેવી કેવી પ્રવૃત્તિઓ છે તેનું ભાન કરીને મહાત્મા તે જીવોની પારમાર્થિક કરુણાભાવનાનું ભાન કરે છે – શ્લોક :स्पर्धन्ते केऽपि केचिद्दधति हृदि मिथो मत्सरं क्रोधदग्धा, युध्यन्ते केऽप्यरुद्धा धनयुवतिपशुक्षेत्रपद्रादिहेतोः । केचिल्लोभाल्लभन्ते विपदमनुपदं दूरदेशानटन्तः, किं कुर्मः किं वदामो भृशमरतिशतैर्व्याकुलं विश्वमेतत् ।।३।। શ્લોકાર્થ : કેટલાક સ્પર્ધાઓ કરે છે માનને વશ થઈને બીજા કરતાં અમે અધિક બનીએ તે પ્રકારની સ્પર્ધા કરે છે, ક્રોધથી દગ્ધ થયેલા કેટલાક જીવો પરસ્પર હૃદયમાં મત્સર ધારણ કરે છે, શત્રુઓથી અરુદ્ધા એવા શત્રુથી નહીં ઘેરાયેલા એવા, કેટલાક પણ રાજાઓ ધનના હેતુથી, સ્ત્રીના હેતુથી, પશુના હેતુથી અને ક્ષેત્રના હેતુથી, ગામ, પદ્રાદિના હેતુથી ગામનગર આદિના હેતુથી, યુદ્ધો કરે છે. કેટલાક જીવો લોભને વશ દૂરદેશાંતરમાં અટન કરતાં અનુપદસ્થાને સ્થાને, વિપતિઓને પ્રાપ્ત કરે છે. અમે શું કરીએ ? અર્થાત્ તેઓની આપત્તિના નિવારણ અર્થે અમે શું કરીએ અને શું કહીએ ? તે જીવોને દુઃખના નિવારણ માટે અમે શું ઉપદેશ આપીએ ? સેંકડો અરતિથી આ વિશ્વ અત્યંત વ્યાકુળ છે. II3I. ભાવાર્થ : કષાયોને વશ જીવો કઈ કઈ રીતે સ્વયં દુઃખી થાય છે તેનું યથાર્થ સ્વરૂપ ચિંતવન કરવા અર્થે મહાત્મા વિચારે છે કે જગતમાં પોતે બધા કરતાં મોટા બનવા માટે કેટલાક જીવો સ્પર્ધા કરતા હોય છે અને અનેક પ્રકારના ક્લેશને વેઠીને સતત દુઃખી થાય છે. આવા જીવો વર્તમાનમાં તો દુઃખી છે જ, પણ અંતરંગ ક્લેશના કારણે કર્મો બાંધીને ભવિષ્યમાં પણ દુઃખી થવાના છે. વળી, સંસારમાં કેટલાક જીવો ક્રોધથી દગ્ધ થયેલા સહવર્તી જીવો પ્રત્યે પરસ્પર મત્સરને ધારણ કરે છે. તેથી સદા અંતરંગ રીતે દુઃખથી પીડાય છે અને આત્માના સ્વસ્થતાના સુખને પ્રાપ્ત કરી શકતા નથી. વળી, તે મત્સરભાવને કારણે ક્લિષ્ટ કર્મો બાંધીને દુર્ગતિની પરંપરાને પ્રાપ્ત કરે છે. વળી, કેટલાક રાજવી હોય અને શત્રુ રાજાથી ઘેરાયેલા ન હોય છતાં ધન, સ્ત્રી, પશુ, ક્ષેત્રાદિના લોભને વશ નવા નવા રાજ્યની પ્રાપ્તિ અર્થે કે ધનાદિની પ્રાપ્તિ અર્થે કે સ્ત્રી Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૧૫. કરુણાભાવના | શ્લોક-૩-૪ આદિની પ્રાપ્તિ અર્થે યુદ્ધો કરીને અનેક પ્રકારના ક્લેશો પ્રાપ્ત કરે છે. આવા જીવો ક્લિષ્ટ કર્મો બાંધીને દુર્ગતિને પ્રાપ્ત કરીને મહા વિડંબના પામવા છતાં મૂઢતાને કારણે તત્ત્વનો વિચાર કરી આત્માની સ્વસ્થતા માટે કોઈ યત્ન કરતા નથી. વળી કેટલાક જીવો ધનના લોભને વશ દૂરદેશાટન કરે છે તે વખતે અનેક પ્રકારની આપત્તિઓ વારંવાર પ્રાપ્ત કરે છે તોપણ ધનની લાલસાનો ત્યાગ કરીને સ્વસ્થતાથી આત્મહિત સાધવા માટે કોઈ યત્ન કરતા નથી. આ પ્રકારની અંતરંગ કષાયોની પીડાને વશ જગતના જીવોની વિષમ સ્થિતિ જોઈને તેઓ પ્રત્યે કરુણાÁ હૃદયવાળા મહાત્મા વિચારે છે કે અમે શું કરીએ જેથી આ પ્રકારના ક્લેશોથી તેઓનું રક્ષણ થાય અથવા અમે તેઓને શું ઉપદેશ આપીએ જેથી તેમને સન્માર્ગની પ્રાપ્તિ થાય તેવો પ્રયત્ન કરવાનો પરિણામ થાય ? કરુણાÁ હૃદયવાળા જીવો કરુણાવશ એવી પીડાને પામતા જીવોનો ઉદ્ધાર કરવા અવશ્ય યત્ન કરે છે. જેમ છમસ્થ અવસ્થામાં વિરભગવાન ક્રોધથી દગ્ધ એવા ચંડકૌશિક પ્રત્યે કરુણા લાવીને તેના ઉપકાર અર્થે ત્યાં જાય છે અને તેને માર્ગનો બોધ કરાવી દુર્ગતિમાં પડતાં અને વિનાશને પામતાં તેનું રક્ષણ કર્યું. જે મહાત્મા સંસારની આવી સ્થિતિનું વારંવાર અવલોકન કરે છે અને વિચારે છે કે આ આખું જગત સેંકડો અરતિઓથી અત્યંત વ્યાકુળ છે તેથી હું શું કરું જેથી જગતના જીવોને મોતને પરવશ આ પ્રકારની વિડંબના થાય નહિ. જે મહાત્મા આ રીતે કરુણાભાવનાનું ભાવન કરે છે તેને પોતાના આત્માની પણ સતત કરુણા રહે છે તેથી તે તે નિમિત્તોને પામીને કષાયોને પરવશ પોતાના આત્માની વિડંબના ન થાય તે રીતે પોતાના આત્માનું રક્ષણ કરે છે. III બ્લોક - स्वयं खनन्तः स्वकरण गर्ता, मध्ये स्वयं तत्र तथा पतन्ति । . यथा ततो निष्क्रमणं तु दूरेऽधोऽधःप्रपाताद्विरमन्ति नैव ।।४।। શ્લોકાઃ સ્વયં પોતાના હાથે ગર્તાનેeખાડાને ખોદતા સંસારી જીવો તે ખાડામાં સ્વયં તે રીતે પડે છે કે તેનાથીeતે ખાડામાંથી નીકળવાનું તો દૂર રહો પરંતુ નીચે નીચે પડવાથી વિરામ જ પામતા નથી. III ભાવાર્થ : સંસારીજીવો તે તે કષાયો કરીને સ્વયં જ મોહરૂપી ખાડાને સતત વધારે છે અને સ્વયં જ તેમાં તે રીતે પડે છે કે તે મોહના ભાવમાંથી બહાર નીકળવાની પ્રવૃત્તિ તો દૂર રહો પરંતુ તે તે પ્રકારના મોહને વશ તે તે કષાયો કરીને નીચે નીચેના પાતથી વિરામ જ પામતા નથી. આથી જ સંસારીજીવો આરંભ સમારંભ કરીને નરકના ઊંડા ખાડામાં જાય છે. ક્યારેક અત્યંત મૂઢ થઈને જીવે છે ત્યારે એકેન્દ્રિય અવસ્થાને પામે છે જ્યાં અનંતકાલ સુધી તે ખાડામાંથી બહાર નીકળવાનો સંયોગ જ પ્રાપ્ત થતો નથી. આ રીતે કષાયોને પરવશ જીવો પોતાના અધઃપતનથી કોઈ રીતે વિરામ પામી શક્તા નથી. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શાંતસુધારસ સંસારીજીવોની તે તે પ્રકારની કરુણાજનક સ્થિતિ પ્રત્યે કરુણાÁ હૃદયવાળા થાય છે અને વિચારે છે કે હું શું કરું જેથી આ જીવોને ભગવાને બતાવેલા માર્ગની પ્રાપ્તિ થાય અને પોતાના હાથે જ પોતાનો વિનાશ કરતા, દુઃખી થતા તેઓનું રક્ષણ થાય. આ પ્રકારના ભાવનથી મહાત્મા પોતાના આત્માની પણ એ પ્રકારની કરુણા કરે છે જેથી કષાયોને વશ થઈને પોતાનો આત્મા પણ અધઃપતનના ખાડામાં જઈને પડે નહીં. III શ્લોક : प्रकल्पयन्नास्तिकतादिवादमेवं प्रमादं परिशीलयन्तः । मग्ना निगोदादिषु दोषदग्धा, दुरन्तदुःखानि हहा सहन्ते ।।५।। શ્લોકાર્ચ - આ રીતે પ્રમાદનું પરિશીલન કરતાં, નાસ્તિકવાદ આદિનું પ્રકલ્પયન કરતાં, દોષથી દગ્ધ જીવો, નિગોદાદિમાં મગ્ન થયેલા, દુરંત દુખોને હાહા સહન કરે છેઃખેદની વાત છે કે તેઓ દુઃખોને પ્રાપ્ત કરે છે. આપી ભાવાર્થ પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે સંસારવર્તી જીવો નાસ્તિકવાદનો આશ્રય કરે છે તો વળી કેટલાક સ્વમતિ અનુસાર સંસારની વ્યવસ્થાની વિચારણા કરે છે, તો વળી કેટલાક જીવો ભોગાદિમાં મગ્ન થઈને મૂઢની જેમ વર્તે છે. આ સર્વ રીતે સંસારી જીવો પ્રમાદનું પરિશીલન કરે છે અર્થાતુ આત્માના હિતાહિતનો વિચાર કર્યા વગર પ્રમાદને જ સ્થિર સ્થિરતર કરે છે અને પોતાના વિપર્યાસદોષથી દગ્ધ થયેલા નિગોદાદિમાં મગ્ન રહે છે. અને ત્યાં ખેદની વાત છે કે ખરાબ અંતવાળાં દુઃખોને સહન કરે છે. વળી, મહાત્મા વિચારે છે કે આ રીતે અન્યદર્શનમાં કે જૈનદર્શનમાં રહેલા શ્રાવક આચાર પાળનારા કે સાધુ આચાર પાળનારા પણ વિવેક વગરના જીવો સ્વમતિ અનુસાર ભગવાને કહેલા પદાર્થોને યોજન કરીને પોતાની માર્ગાનુસારી મતિનો નાશ કરે છે અને બાહ્યથી તપ, ત્યાગ આદિ કરતા હોય તોપણ કર્મનાશને અનુકૂળ યત્ન કરનારા નહિ હોવાથી અનાદિથી મોહને વશ પ્રવર્તતી પ્રમાદની પ્રકૃતિનું જ પરિશીલન કરે છે. વળી, પોતાના કદાગ્રહોથી ગ્રસ્ત એવી દોષરૂપી મતિથી દગ્ધ થયેલા જીવો નિગોદ, નરકગતિ, તિર્યંચગતિ આદિમાં ફરે છે. ચૌદપૂર્વધરો પણ જો રસગારવ, ઋદ્ધિગારવ કે શાતાગારવને વશ થાય તો દુર્ગતિઓમાં પડે છે અને નિગોદમાં પણ જાય છે. અને ખરાબ અંતવાળાં દુઃખોને સહન કરે છે. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા તેવા જીવો પ્રત્યે પોતાનું હૈયું કરૂણાવાળું બને તેવો યત્ન કરે છે અને વિચારે છે કે આ જીવોને માર્ગાનુસારી મતિ મળે તો સારું, જેથી આ રીતે દુઃખોને પામે નહિ. વળી, આ પ્રકારની ભાવનાથી પોતાના આત્માની પણ કરુણા કરે છે અને વિચારે છે કે કોઈક રીતે ભગવાનનું શાસન પામ્યા પછી જો હું પ્રમાદ કરીશ તો મારો આત્મા પણ આ રીતે દોષોથી દગ્ધ થઈને નિગોદ આદિમાં પડશે Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૫. કરુણાભાવના | શ્લોક-૫-૬ ૧૯૭ અને અનંત દુઃખોને સહન કરશે. માટે તેવો પ્રમાદ પોતાના આત્મામાં પ્રગટ ન થાય તે પ્રકારે પોતાના આત્માની કરુણા થાય તે પ્રકારે ભાવનાથી પોતાને ભાવિત કરે છે. જેઓ આ રીતે ઉપયોગપૂર્વક રોજ આત્માને ભાવિત કરતા હોય તેઓને ભગવાનના શાસનથી વિપરીત પ્રવૃત્તિ કરાવીને દુરંત સંસારમાં નાખે તેવો પ્રમાદ થવાની સંભાવના ઓછી થાય છે; કેમ કે પ્રતિદિન તે પ્રકારની ભાવનાથી થયેલા ઉત્તમ સંસ્કારને કારણે પ્રમાદ આપાદક કર્મની શક્તિ અને પ્રમાદ આપાદક અનાદિના સંસ્કારો ક્ષીણ-ક્ષીણત૨ થાય છે. III શ્લોક ઃ श्रुवन्ति ये नैव हितोपदेशं न धर्मलेशं मनसा स्पृशन्ति । रुजः कथङ्कारमथापनेयास्तेषामुपायस्त्वयमेक एव ।।६।। શ્લોકાર્થ : જેઓ હિતોપદેશને સાંભળતા નથી, જેઓ મનથી ધર્મલેશને સ્પર્શતા નથી, તેઓના રોગો=ભાવરોગો, કઈ રીતે દૂર કરી શકાય ? અર્થાત્ કરી શકાય નહિ. વળી, ભાવરોગોને દૂર કરવાનો ઉપાય આ એક જ છે=જિનવચનાનુસાર હિતોપદેશને શ્રવણ કરીને ચિત્તને ધર્મમય કરવું, એ જ એક ઉપાય છે. ।।૬।। ભાવાર્થ: વળી, મહાત્મા કરુણાભાવનાથી આત્માને ભાવિત કરવા વિચારે છે કે કેટલાક જીવો સર્વજ્ઞએ કહેલા હિતોપદેશને સાંભળતા નથી અને સ્વરુચિ અનુસાર જીવન જીવે છે, કેટલાક જીવો હિતોપદેશ સાંભળે છે તોપણ મનથી ધર્મના લેશને સ્પર્શતા નથી પરંતુ સ્વરુચિ અનુસાર ધર્મ કરી સંસારના અન્ય કૃત્ય તુલ્ય ધર્મકૃત્યને નિષ્ફળ કરે છે. આવા પ્રમાદી પાસસ્થા આદિ સાધુઓ કંઈક અંશથી ધર્મકૃત્યો કરતા હોય તોપણ અસદૂગ્રહથી દૂષિત મતિવાળા હોવાથી મોહની મંદતાને સ્પર્શે તેવો લેશ પણ ધર્મ મનથી ન કરતા હોવાથી તેઓનાં સર્વ કૃત્યો ભાવરોગની વૃદ્ધિનું કારણ બને છે. તેનું સ્મરણ કરીને મહાત્મા વિચારે છે કે તેવા જીવોના મોહના ઉન્માદથી થયેલા ભાવરોગો કઈ રીતે દૂર થઈ શકે ? અર્થાત્ દૂર થઈ શકે નહિ; કેમ કે ભાવરોગના નાશનો તો એક જ ઉપાય છે કે સરળતાથી તત્ત્વાતત્ત્વને જાણવાને અનુકૂળ માર્ગાનુસારી ઊહ પ્રગટે તે રીતે ભગવાનના વચનરૂપ હિતોપદેશ સાંભળવો, સાંભળ્યા પછી તે હિતોપદેશ આત્માને સ્પર્શે તે રીતે વારંવાર મનથી ભાવન કરવું, જેથી સ્વમતિ અનુસાર પ્રવૃત્તિ કરવાની રુચિ દૂર થાય અને સર્વજ્ઞના વચનને પરતંત્ર થવાની નિર્મળ મતિ પ્રાપ્ત થાય. આ પ્રકારે ભાવના કરીને મહાત્મા પોતાની માર્ગાનુસા૨ી મતિની વૃદ્ધિ કરીને આત્માની પારમાર્થિક કરુણાનું ભાવન કરે છે અને જગતના જીવોને તેથી નિર્મળ મતિ પ્રાપ્ત થાઓ તેવો શુભઅધ્યવસાય કરે છે જેથી દુઃખી એવા જગતના જીવો પ્રત્યે અને પોતાના આત્મા પ્રત્યે પણ પારમાર્થિક કરુણા પ્રગટ થાય. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૫. કરણાભાવના-ગીત | શ્લોક-૧-૨ ૧૯૯ સુંદર પુરુષો ! તમે પ્રમોદથી ભજો આશ્રય કરો, હે સુંદર પુરુષો ! તમે ભજો તેવા ભગવાનને પ્રમોદથી આશ્રય કરો. II૧II ભાવાર્થ : ભગવાન વીતરાગ થયા હોવાથી હવે અન્ય જીવોની કરુણા કરીને પણ કોઈ ફળની અપેક્ષા નથી તેથી ભગવાન નિષ્કારણ કરૂણાવાળા છે. મહાત્માઓ અન્ય જીવોની કરુણા કરે છે ત્યારે જાણે છે કે અન્ય જીવોની કરુણા કરવાથી પરમાર્થથી તો પોતાના આત્માની જ કરુણા થાય છે; કેમ કે કરુણાભાવનાથી ભાવિત થયેલું ચિત્ત પોતાના આત્માને જ દુર્ગતિનાં પાપોથી રક્ષણ કરે છે અને સુગતિમાં સ્થાપન કરે છે. પરંતુ ભગવાન તો વીતરાગ સર્વજ્ઞ થયેલા હોવાથી કોઈ ફળની અપેક્ષા વિના નિરપેક્ષપણે જગતના જીવોના ઉપકાર અર્થે પ્રવર્તે છે. વળી, જેઓ ભાવથી ભગવાનને શરણાગત થાય છે તેઓનું ભગવાન અવશ્ય રક્ષણ કરે છે; કેમ કે ભાવથી ભગવાનને શરણાગત જીવો ક્યારેય દુર્ગતિમાં જતા નથી, પરંતુ સદ્ગતિઓની પરંપરા દ્વારા ભગવાન તુલ્ય થાય છે. તેથી તેવા ઉત્તમપુરુષરૂપ ભગવાનને બે સુંદર બુદ્ધિવાળા જીવો ! તમે પ્રમાદપૂર્વક સેવો ! આ પ્રકારે બે વખત કહીને મહાત્મા તે ભાવને અત્યંત સ્થિર કરવા પ્રયત્ન કરે છે અને વિચારે છે કે જગતના જીવોની કરુણા પણ જિનવચનાનુસાર પ્રવૃત્તિ કરવાની પ્રેરણાથી થાય છે અને પોતાનો આત્મા પણ તે ઉપદેશથી પ્રેરાઈને જિનવચનાનુસાર પ્રવૃત્તિ કરે તો જ પોતાની કરુણા થાય છે. અહીં વિશેષ એ છે કે ભગવાન વીતરાગ છે અને વીતરાગનું દરેક વચન પોતપોતાની ભૂમિકા અનુસાર વીતરાગતાને અભિમુખ ઉદ્યમ કરાવે તે પ્રકારનું છે. આથી જેઓમાં માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટેલી છે તેઓ જિનવચન કઈ રીતે વીતરાગતામાં વિશ્રાંત થાય છે અને મારી ભૂમિકા અનુસાર કયું જિનવચન મારા માટે ઉપાદેય છે તેનો ઉચિત નિર્ણય કરવા યત્ન કરે તો આ વિષમકાળમાં પણ સચેતન એવો તે જીવ પોતાના હિતનો નિર્ણય કરી શકે છે અને જિનવચનનું દૃઢ અવલંબન લઈને અવશ્ય કલ્યાણને પ્રાપ્ત કરે છે. એવા શ્લોક : क्षणमुपधाय मनः स्थिरतायां, पिबत जिनागमसारम् । कापथघटनाविकृतविचारं, त्यजत कृतान्तमसारं रे ।।सुजना० २।। શ્લોકાર્ચ - સ્થિરતામાં ક્ષણભર મનન કરીને જિનાગમના સારનું તું પાન કર, કુત્સિતમાર્ગની રચનાથી વિકૃત થયેલા વિચારરૂપ અસાર એવા કૃતાંતનો પાપનો, તું ત્યાગ કર. રાાં ભાવાર્થ : વળી મહાત્મા પોતાની કરુણાને સ્થિર કરવા પોતાના આત્મા પ્રત્યે કહે છે કે હે આત્મન્ ! તું ક્ષણભર મનની સ્થિરતાને કર અને વિચાર કે આ જગતની સ્થિતિ શું છે ? અને જે સ્થિતિમાં ચારેય ગતિઓમાં તું Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શાંતસુધારસ શ્લોક : परदुःखप्रतीकारमेवं ध्यायन्ति ये हृदि । लभन्ते निर्विकारं ते, सुखमायतिसुन्दरम् ।।७।। શ્લોકાર્થ : જેઓ જે મહાત્માઓ, આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, પર દુઃખના પ્રતિકારનું હૃદયમાં ધ્યાન કરે છે તેઓ ભવિષ્યમાં સુંદર, નિર્વિકાર, એવું સુખ પ્રાપ્ત કરે છે. l૭ી ભાવાર્થ - પૂર્વમાં વર્ણન કર્યું તે રીતે સંસારીજીવો આહાર, પાણી, આદિની બાહ્ય ચિંતાઓમાં જ વ્યગ્ર રહે છે અને પુણ્યના ઉદયથી ધન આદિ મળે તોપણ બાહ્ય ભોગસામગ્રીમાં જ વ્યગ્ર રહે છે અને બાહ્ય પદાર્થોની ચિંતાથી જ સદા દુઃખી છે. વળી, જેઓ સંયમ ગ્રહણ કર્યા પછી પણ સ્વરુચિ અનુસાર પોતપોતાના મતાને પુષ્ટ કરે છે તેઓ પણ બાહ્ય પ્રવૃત્તિમાં જ વ્યગ્ર રહીને દુઃખી થાય છે. તે સર્વ દુઃખના પ્રતિકાર માટે જિનવચનાનુસાર હિતોપદેશ એ જ છે કે બાહ્ય સ્પૃહનો ત્યાગ કરી અંતરંગ ગુણસમૃદ્ધિ માટે સ્વભૂમિકા અનુસાર ઉદ્યમ કરો. આ પ્રકારના પરના દુઃખના પ્રતિકારને જે મહાત્માઓ હૈયામાં સદા ધ્યાન કરે છે અને વિચારે છે કે જગતના જીવોને આ જિનવચનાનુસાર ઉપદેશ પ્રાપ્ત થાઓ તેઓના હૈયામાં જિનવચનાનુસાર ઉપદેશનો રાગભાવ સ્થિર થાય છે અને જગતના જીવોને તે પ્રાપ્ત થાય તેવી નિર્મળ કામના થાય છે. આવી ભાવના કરનાર મહાત્માને નિર્વિકાર એવું અતિશય સુંદર સુખ ભવિષ્યમાં પ્રાપ્ત થાય છે, કેમ કે તે ભાવના દ્વારા તે મહાત્માએ અંતરંગ સ્વસ્થતા પ્રત્યેનો જ પક્ષપાત સ્થિર કર્યો છે અને અન્ય જીવોને પણ અંતરંગ સ્વસ્થતા પ્રાપ્ત થાય તેવી કરુણાભાવના કરી છે તેથી તે નિર્મળભાવને અનુરૂપ તેઓનું નિર્વિકારવાળું ચિત્ત સદા વૃદ્ધિ પામે છે અને ઉત્તરોત્તર નિર્વિકારી સુખને પ્રાપ્ત કરીને તે મહાત્મા સુખપૂર્વક સંસારસાગરથી પાર પામે છે. IIળા. ૧૫. કરુણાભાવના-ગીત) શ્લોક : सुजना भजत मुदा भगवन्तं, सुजना भजत मुदा भगवन्तम् । शरणागतजनमिह निष्कारणकरुणावन्तमवन्तं रे ।।सुजना० १।। શ્લોકાર્ચ - અહીં સંસારમાં, નિષ્કારણ કરુણાવંત શરણાગત જીવોનું રક્ષણ કરતા એવા ભગવાનને હે Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શાંતસુધારસ કદર્થનાને પામી રહ્યો છે તે કદર્થનાથી તારે તારા આત્માનું રક્ષણ કરવું હોય તો ભગવાનના વચનના સારનું તું સદા પાન કર. જેમ જેમ આત્મામાં ભગાવનનું વચન સ્થિર થશે તેમ તેમ તારું ચિત્ત સ્વસ્થતાને પામશે. જેથી મોહની આકુળતાની કદર્થનાથી અત્યાર સુધી તેં જે ચારગતિઓમાં અનર્થોને પ્રાપ્ત કર્યા છે તેવા ભાવિના અનર્થોની પ્રાપ્તિથી તારું રક્ષણ જિનઆગમના પાનથી જ થશે. વળી, સ્વમતિના વિકલ્પરૂપ કુત્સિત પથની જે ઘટમાળા છે તેનાથી વિકૃત એવા વિચારરૂપ અસાર પાપનો અર્થાત્ અસાર એવા કૃતાંતનો, તું ત્યાગ કર; કેમ કે આવી અસાર વિચારણાના બળથી જ તેં અત્યારસુધી સંસારની કદર્થના પ્રાપ્ત કરી છે અને તેનો અંત આ અસાર વિચારણાના ત્યાગ વગર થઈ શકશે નહિ. આ પ્રકારે આત્માને સંબોધીને ભાવન કરવા દ્વારા મહાત્મા જિનવચનાનુસાર નિર્મળમતિ પોતાનામાં ઉલ્લાસ પામે તેવી આત્માની કરુણા કરે છે. શા શ્લોક :परिहरणीयो गुरुरविवेकी, भ्रमयति यो मतिमन्दम् । सुगुरुवचः सुकृदपि परिपीतं, प्रथयति परमानन्दं रे ।।सुजना० ३।। શ્લોકાર્ચ - અવિવેકી ગુરુ પરિહાર કરવા યોગ્ય છે જે મંદમતિ જીવોને સંસારમાં પરિભ્રમણ કરાવે છે. એક વખત પણ સુગુરુનું વચનપાન કરીએ તો પરમાનંદને=પ્રકૃષ્ટ આનંદરૂપ મોક્ષને પ્રાપ્ત કરાવે છે. II3II ભાવાર્થ : મહાત્મા પોતાની ભાવકરુણાને સ્થિર કરવા અર્થે પોતાના આત્માને સંબોધીને કહે છે – હે આત્માનું ! તારે અવિવેકી ગુરુનો પરિહાર કરવો જોઈએ જે મંદ મતિ જીવોને સંસારમાં પરિભ્રમણ કરાવવામાં કારણ બને છે. આ પ્રકારે નિપુણતાપૂર્વક ભાવન કરીને મહાત્મા દક્ષતાપૂર્વક સુગુરુ અને કુગુરુના વિભાગને જાણવાની માર્ગાનુસારી મતિ ઉલ્લસિત થાય તેવો યત્ન કરે છે જેથી અનાભોગ આદિથી પણ અવિવેકી એવા ગુરુના વચનને શ્રવણ કરીને ધર્મબુદ્ધિથી અધર્મની પ્રવૃત્તિ ન થાય અને પોતાને દીર્ઘ સંસારની પ્રાપ્તિ ન થાય. વળી, તે મહાત્મા વિચારે છે કે જે સદ્ગુરુ ભગવાનના વચનના પરમાર્થને જાણનારા છે તેઓનું જિનવચનાનુસાર એક પણ વખત સાંભળેલું વચન પરિપૂર્ણ યોગમાર્ગને બતાવનાર હોવાથી મોક્ષની પ્રાપ્તિનું કારણ બને છે. આશય એ છે કે સદ્ગુરુ હંમેશાં જીવની યોગ્યતાનુસાર સંક્ષેપથી કે વિસ્તારથી તેને ભગવાનના વચનનો તે રીતે પારંમર્થિક બોધ કરાવે છે કે જેથી તે શ્રોતા જો સંસારથી ભય પામેલ હોય તો એક વખત પણ સાંભળેલું વચન સ્મરણમાં રાખીને તેને અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરે તો ગુણસ્થાનકની વૃદ્ધિ દ્વારા તે ભવમાં જ કે અન્ય થોડા ભવમાં પૂર્ણ યોગમાર્ગને આરાધીને અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. આથી જ ભગવાનના વચનના પરમાર્થને જાણનારા સદ્ગુરુઓ શ્રોતાની ભૂમિકાનો નિર્ણય કરીને તે શ્રોતા જે રીતે Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ ૧૫. કરુણાભાવના-ગીત | શ્લોક-૩-૪ હિત સાધી શકે તે રીતે જ તેને અવશ્ય દિશા બતાવે છે. તેથી આત્માની ભાવકરુણાના અર્થે મહાત્મા વિચારે છે કે જો તારા આત્માની હિતની ચિંતા હોય તો પ્રમાદ વગર સદ્ગુરુનો નિર્ણય કરી તેમના વચનાનુસાર તત્ત્વને જાણવા યત્ન કર અને ચારગતિની કદર્થનામાંથી તું સુખપૂર્વક સદા માટે મુક્તિને પ્રાપ્ત કર. II3II શ્લોક ઃ कुमततमोभरमीलितनयनं, किमु पृच्छत पन्थानम् । दधिबुद्ध्या नर जलमन्थन्यां, किमु निदधत मन्थानं रे । ।सुजना० ४।। શ્લોકાર્થ : કુમત રૂપી અંધકારથી ભરાયેલા મીલિત નયનવાળાને માર્ગનું શું પૂછવું અર્થાત્ ભગવાનના માર્ગમા રહેલા પણ અવિવેકી ગુરુ જ્યારે પરિહરણીય હોય ત્યારે જે માર્ગને બતાવનારા અન્ય દર્શનવાદીઓ છે તેઓને જિનવચનાનુસાર માર્ગાનુસારી બુદ્ધિ મળી નથી. તેઓના માર્ગના વિષયમાં શું પૂછવું ? અર્થાત્ તેઓનો માર્ગ અવશ્ય ત્યાજ્ય છે. મનુષ્યો જલમન્થનીમાં=જલથી ભરેલ ભાજનમાં દધિની બુદ્ધિથી મન્થાનને=રવૈયાને, શું સ્થાપન કરે ? અર્થાત્ કોઈ બુદ્ધિમાન કરે નહિ. [૪] ભાવાર્થ: વળી, મહાત્મા આત્માની ભાવકરુણાને અત્યંત સ્થિર ક૨વા અર્થે એ રીતે ભાવન કરે છે જેથી આ ભવમાં તો નહીં પરંતુ અન્ય ભવમાં પણ કોઈ કુમત પ્રત્યે પક્ષપાત ન થાય તેવા દૃઢસંસ્કારનું આધાન થાય. શું ભાવન કરે છે તે કહે છે જે દર્શનકારોને સર્વજ્ઞના વચનની જ પ્રાપ્તિ નથી તેથી દૃષ્ટ અનુભવથી વિરુદ્ધ એવા એકાંતવાદ સ્વરૂપ કુમતરૂપ અંધકારથી ભરાયેલા હોવાને કારણે તત્ત્વને જોવા ાટે જેમની ચક્ષુ બંધ થયેલી છે તેઓના માર્ગને ગ્રહણ કરવા વિષયક શું પૂછવું ? અર્થાત્ જેમ ભગવાનના શાસનને પામેલા પણ અવિવેકી ગુરુઓ પરિહ૨ણીય છે તેમ કુમાર્ગને પામેલા એવા તેઓના મતનો તો અત્યંત પરિહાર કરવો જોઈએ. જેઓના વિવેકરૂપી ચક્ષુ પ્રગટ થયેલ નથી તેથી પ્રત્યક્ષથી દેખાતા નિત્યાનિત્યરૂપ પદાર્થને પણ એકાંત અનિત્ય સ્વીકારીને ઉન્માર્ગમાં પ્રવર્તી રહ્યા છે તેવા ઉન્માર્ગગામી પુરુષો બુદ્ધિમાન હોય તોપણ તેમના પાસેથી ક્યારેય તત્ત્વની પ્રાપ્તિ થઈ શકે નહીં. માટે તેવા અન્યદર્શનીઓના માર્ગનો અત્યંત પરિહાર કરવો જોઈએ. આ પ્રકારે ભાવન કરીને અવિવેકી તેવા ગુરુની જેમ અન્યદર્શનના માર્ગ પ્રત્યે પણ તત્ત્વની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરવાને અભિમુખ પોતાનો ભાવ ન થાય તે પ્રકારે પરિણામને સ્થિર ક૨વા અર્થે દૃષ્ટાંતનું ભાવન કરે છે. જેમ કોઈ બુદ્ધિમાન મનુષ્ય જલથી ભરેલા ભાજનમાં દહીંની બુદ્ધિ કરીને રવૈયાનું વલોવણ કરે નહીં તેમ જે દર્શનના પથમાં એકાંતવાદ હોવાથી ધર્મ જ નથી તેવા ધર્મ વગરના પથમાં ધર્મની બુદ્ધિથી તત્ત્વને જાણવા માટેનો શ્રમ ક૨વાથી Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શાંતસુધાસ તત્ત્વની પ્રાપ્તિ થાય નહિ. અર્થાત્ જેમ જલને વલોવવાથી માખણની પ્રાપ્તિ થાય નહિ પણ દહીંને વલોવવાથી જ માખણની પ્રાપ્તિ થાય તેમ તત્ત્વની પ્રાપ્તિના અર્થીએ સુગુરુનાં વચનોને વલોવીને તત્ત્વની પ્રાપ્તિ કરવા અર્થે પ્રયત્ન કરવો જોઈએ. જા શ્લોક - अनिरुद्धं मन एव जनानां, जनयति विविधातकम् । सपदि सुखानि तदेव विधत्ते, आत्माराममशङ्क रे ।।सुजना० ५।। શ્લોકાર્ચ - જીવોનું અનિરુદ્ધ મન જ વિવિધ પ્રકારના રોગોને ઉત્પન્ન કરે છે. આત્મામાં વિશ્રાંત પામતું આશંક એવું તે જ=શંકા વગરનું એવું નિરુદ્ધ મન જ, શીધ્ર સુખોને આપે છે. આપા ભાવાર્થ : વળી, મહાત્મા ભાવકરુણાથી પોતાના આત્માને દૃઢ કરવા અર્થે ભાવન કરે છે કે જીવોનું અનિરુદ્ધ મન જ આત્મામાં વિવિધ પ્રકારના રોગોને ઉત્પન્ન કરે છે; કેમ કે જે મહાત્માઓએ સૂત્રનાં વચનોથી મનને નિરુદ્ધ કર્યું નથી તેઓનું મન ધર્માનુષ્ઠાનકાળમાં પણ તે તે ઇન્દ્રિયોના વિષયો સાથે સંપર્ક પામીને તે તે ભાવો કરે છે જેનાથી તે તે ઇન્દ્રિયોને આશ્રયીને રાગદ્વેષના સંસ્કારો વૃદ્ધિ પામે. ધર્મની બાહ્ય ક્રિયામાં પણ ક્વચિત્ યત્ન હોય તોપણ તેઓનું મન ક્રિયાથી અપેક્ષિત ભાવોને સ્પર્શીને પ્રાયઃ ક્રિયામાં પ્રવર્તતું નથી પણ સંમૂર્છાિમની જેમ જ પ્રવર્તે છે. જેથી ધર્મઅનુષ્ઠાનથી પણ સંમૂર્છાિમની જેમ જીવવાની વૃત્તિરૂપ રોગ જ વૃદ્ધિ પામે છે. માટે હે આત્માનું! જો તારે ભાવરોગનો નાશ કરી આત્માના આરોગ્યની પ્રાપ્તિની ઇચ્છા હોય તો ઉચિત ઉપાય દ્વારા મનને નિરુદ્ધ કરવા યત્ન કરવો જોઈએ. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા પોતાની ભાવકરુણાને સ્થિર કરવા યત્ન કરે છે. વળી, પોતાના આત્માના હિતને ઉલ્લસિત કરવા અર્થે કહે છે કે શાસ્ત્રવચનાનુસાર સૂત્ર-અર્થના પરાવર્તન દ્વારા નિરુદ્ધ કરાયેલું મન નિઃશંકપણે આત્મામાં વિશ્રાંત થનારું બને છે અને જેમ જેમ વિષયોથી નિવર્તન પામીને આત્માના ભાવોને સ્પર્શી નિર્મળ મન થશે તેમ તેમ તે મન જ શીધ્ર આત્માને સુખો આપશે. તેથી સુખના અર્થી એવા હે જીવ! તું પ્રમાદ વગર સૂત્ર-અર્થના પરાવર્તનાદિ ઉચિત ક્રિયા દ્વારા મનનો તે રીતે નિરોધ કર કે જેથી શાંતરસના અનુભવરૂપ સુખની પ્રાપ્તિ થાય. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા આત્માની ભાવકરુણાને અત્યંત સ્થિર કરે છે. આપણા શ્લોક - परिहरताऽऽश्रवविकथागौरवमदनमनादिवयस्यम् । क्रियतां सांवरसाप्तपदीनं, ध्रुवमिदमेव रहस्यं रे ।।सुजना० ६।। Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૫. કરુણાભાવના-ગીત | શ્લોક-૬ શ્લોકાર્થ : ૨૦૩ આશ્રવ, વિક્થા, ગૌરવ, મદન=કામ, રૂપ અનાદિ મિત્રોનો હે આત્મન્ ! તું પરિહાર કર. સંવરરૂપ સાપ્તપદીનરૂપ મિત્રને તું કર. આ જ ધ્રુવ રહસ્ય છે=કરુણાભાવનાનું પરમ રહસ્ય 9. 11911 ભાવાર્થ: મહાત્મા પોતાના આત્માની પારમાર્થિક કરુણા ક૨વા માટે પોતાના આત્માને ઉદ્દેશીને કહે છે કે હે આત્મન્ ! પરમાર્થથી શત્રુ હોવા છતાં અનાદિકાળથી મિત્રની જેમ પોતાની સાથે વસનારા એવા આશ્રવ, વિકથા, ગૌરવ=ગારવ અને મદનનો તું પરિહાર કર. જેમ સામાન્યથી મિત્ર પ્રાયઃ વારંવાર એકબીજાને મળતા હોય છે તેમ અનાદિકાળથી આશ્રવ આદિ ભાવો જીવ સાથે ગાઢ મિત્રતાથી સદા સાથે રહે છે છતાં તે આશ્રવ આદિ ભાવો મિત્રતાનું કાર્ય કરતા નથી પરંતુ આત્માના શત્રુનું જ કાર્ય કરે છે. આથી મહાત્મા ભાવન કરે છે કે આ ફૂટ મિત્રોનો તું પરિહાર કર. તે આશ્રવાદિ મિત્રોનું સ્વરૂપ આ પ્રમાણે છે. મિથ્યાત્વ, મન, પાંચ ઇન્દ્રિયોનો અસંવરભાવ તથા ષટ્કાયના અપાલનનો પરિણામ એ રીતે તેર આશ્રવો છે. આમાં મિથ્યાત્વનો પરિણામ જીવને સદા વિપરીત બુદ્ધિ આપે છે જેથી અહિતમાં જ હિતની બુદ્ધિ થાય છે. અને પારમાર્થિક હિતનો તો વિચાર પણ ઉદ્દભવ પામતો નથી. વળી પાંચ ઇન્દ્રિયો અને છઠું મન બાહ્ય પુગલ સાથે સંગ કરીને જીવમાં રતિ, અરતિની પરિણતિ પ્રગટ કરે છે અને પાંચ ઇન્દ્રિયોના આભાસિત સુખ ખાતર જીવ ષટ્કાયના મર્દનના પરિણામવાળો થાય છે. વળી, જીવે અનાદિકાળથી આત્માની હિતકારી કથાને છોડીને પુદ્ગલને આશ્રયીને કથા કરવાની વૃત્તિ કેળવી છે જે તેના માટે અહિતકારી હોવાથી વિકથારૂપ છે. આના કારણે જીવ કોઈ પ્રયોજન વગર તે તે પ્રકારની વિકથા કરીને સ્વપ્રયત્નથી સ્વનું જ અહિત કરે છે. તેથી મહાત્મા પોતાના આત્માને ઉદ્દેશીને કહે છે કે અનાદિથી મિત્ર જેવી આ વિકથાનો તું ત્યાગ કર. વળી, જીવ આત્માના સમભાવના સુખને છોડીને અનાદિકાળથી રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગા૨વને વશ થઈ પોતાનું અહિત કરે છે. વિવેકચક્ષુનો ઉઘાડ ન થવાથી તે બાહ્ય ઋદ્ધિથી જ પોતે ઋદ્ધિમાન છે તેમ માને છે, પરંતુ આત્માની સમૃદ્ધિથી પોતાને ઋદ્ધિમાન જોતો નથી. તે રીતે શરીરજન્ય શાતાથી પોતે સુખી છે તેમ માને છે પરંતુ મોહની અનાકુળતાથી થતી સ્વસ્થતાજન્ય સુખથી પોતે સુખી છે તેમ જોતો નથી અને રસેન્દ્રિયના રસોથી પોતે રસાસ્વાદને કરનાર છે તેમ માને છે, પરંતુ તત્ત્વના ભાવનથી થતા રસાસ્વાદને જોતો નથી. આ રીતે જીવ ત્રણ ગારવથી સદા વિડંબના પામે છે તેનું સ્મરણ કરીને મહાત્મા ભાવન કરે છે કે હે આત્મન્ ! તું ત્રણ ગારવનો પરિહાર કર. વળી, મહાત્મા વિચારે છે કે અનાદિકાળથી મૈથુનસંજ્ઞાને કારણે જીવમાં શિષ્યલોકોને ન શોભે તેવી કુત્સિત કામવૃત્તિ મિત્રરૂપે વર્તે છે જે ૫રમાર્થથી તો જીવની વિડંબનારૂપ છે. માટે હે આત્મન્ ! તું સદા મદનનો પરિહાર કર. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શાંતસુધાસ ઉપર પ્રમાણે આત્માના પારમાર્થિક અહિતથી પોતાનું રક્ષણ કરવાના ઉત્તમ પરિણામરૂપ કરુણાભાવનાને કરીને તે મહાત્મા હવે તે આશ્રવ આદિ ભાવોથી વિપરીત સંવરભાવનો યત્ન કરવા માટે આત્માને તત્પર કરે છે અને આત્માને સંબોધીને કહે છે – પૂર્વમાં બતાવેલા આશ્રવાદિ ભાવોના પરિહારપૂર્વક આત્માના શુદ્ધભાવોમાં આત્માને સ્થિર કરવા અર્થે તું સંવર મિત્રનો સ્વીકાર કર અર્થાત્ જિનવચનનું દઢ અવલંબન લઈને જિનતુલ્ય થવા માટે યત્ન થાય તે રીતે શાસ્ત્રવચનથી તું આત્માને ભાવિત કર. જેથી તારું ચિત્ત વીતરાગભાવમાં વિશ્રાંતિને અભિમુખ સ્વશક્તિ અનુસાર સંવરભાવને પામે અને કરુણાભાવનાનું આ જ પરમ રહસ્ય છે. IIકા શ્લોક :सह्यत इह किं भवकान्तारे, गदनिकुरम्बमपारम् । अनुसरताऽऽहितजगदुपकारं, जिनपतिमगदङ्कारं रे ।।सुजना० ७।। શ્લોકાર્ચ - આ ભવરૂપી અરણ્યમાં હે જીવ! તારા વડે અપાર એવા ભાવ રોગોના સમૂહને કેમ સહન કરાય છે? સંપાદન કર્યો છે જગતનો ઉપકાર જેમણે એવા અગદંકાર-વેધ રોગ રહિત કરનાર જિનપતિનું તું અનુસરણ કર. માં ભાવાર્થ : મહાત્મા પોતાની કરુણાભાવનાને સુસ્થિર કરવા અર્થે અન્ય પ્રકારે આત્માને અનુશાસન આપે છે અને કહે છે – આ ભવરૂપી જંગલમાં તે અનેક ભાવરોગોથી સતત પીડાયો છે અને તેના કારણે કર્મબંધ કરી ચારગતિના પરિભ્રમણની વિડંબનાને પ્રાપ્ત કરી રહ્યો છે. આ દુઃખોને મટાડવાનો ઉપાય વિદ્યમાન હોવા છતાં તું કેમ દુઃખોને સહન કરે છે? વસ્તુતઃ તે દુઃખો તારે સહન કરવો જોઈએ નહીં, પરંતુ ઉચિત ઔષધનું સેવન કરવું જોઈએ. ઉચિત ઔષધની પ્રાપ્તિ કઈ રીતે થાય તે બતાવવા કહે છે – જગતમાં ઘણા જીવોના રોગોને મટાડીને જગતનો ઉપકાર કર્યો છે તેવા અગદંકાર જિનપતિનું=રોગ રહિત કરનારા એવા જિનપતિનું તું અનુસરણ કર. આનાથી એ પ્રાપ્ત થાય કે જે જીવો પોતાની રોગિષ્ઠ અવસ્થાને જોતા નથી અને રોગની વૃદ્ધિના ઉપાયોને સેવે છે તેઓ સંસારમાં ભોગાદિ કરીને ભાવરોગથી સતત પીડાતા હોય છે અને જેઓને કંઈક વિવેકચક્ષુ પ્રગટ્યાં છે તેઓ તે રોગના નિવારણના ઉપાયોને જાણવા યત્ન કરે છે. તીર્થકરોએ ભાવરોગોના નિવારણના ઉપાયો બતાવીને જગતના જીવો ઉપર ઉપકાર કર્યો છે તેથી જેઓ તીર્થકરના વચનનું અવલંબન લઈને સદા તેઓના વચનાનુસાર ઔષધનું સેવન કરે છે અર્થાતુ ભાવરોગના નાશના ઉપાયોનું સેવન કરે છે તેઓ સદા વીતરાગભાવનાથી આત્માને ભાવિત કરીને ક્રમસર સર્વથા રોગ રહિત થાય છે. અહીં મહાત્મા પોતાના આત્માને અનુશાસન આપતાં કહે છે – આવા વૈદ્ય સમાન જિનપતિનું તું અનુસરણ કરે જેથી તારા ભાવરોગો દૂર થાય. llણા Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૫. કરુણાભાવના-ગીત | શ્લોક-૮ શ્લોક ઃ शृणुतैकं विनयोदितवचनं, नियतायतिहितरचनम् । रचयत कृतसुखशतसन्धानं, शान्तसुधारसपानं रे ।। सुजना० ८ ।। શ્લોકાર્થ : ૨૦૫ હે વિનય !=હે નિર્જરાના અર્થી એવા આત્મા ! તું નિયતઆયતિના હિતને કરનાર=નક્કી ભવિષ્યના હિતને કરનાર, એવું એક ઉદિતવચન=સર્વજ્ઞ વડે કહેવાયેલું વચન, સાંભળ, કર્યા છે સેંકડો સુખના સંધાનવાળા એવા=આત્મામાં સેંકડો સુખોના યોજનને કરે એવા, શાંતસુધારસના પાનને તું કર. તા ભાવાર્થ: - વળી, મહાત્મા પોતાના આત્માની કરુણાભાવનાને અત્યંત સ્થિર કરવા અર્થે પોતાના આત્માને સંબોધીને કહે છે – કર્મના વિનયનના અર્થી એવા હે આત્મન્ ! ભગવાન વડે કહેવાયેલું એક વચન તું સાંભળ અર્થાત્ તારી શ્રોત્રેન્દ્રિયને જગતના અન્યવચનને સાંભળવા પ્રત્યે ઉદાસીન કરીને માત્ર એક જિનવચનને તું સાંભળ; કેમ કે ભગવાનનું વચન નક્કી ભવિષ્યના હિતને કરનારું છે અર્થાત્ જેમ જેમ તું ભગવાનના વચનને સાંભળીશ અને તેનાથી આત્માને ભાવિત કરીશ તેમ તેમ તે ભગવાનના વચનથી નક્કી ભવિષ્યમાં કલ્યાણને ક૨ના૨ એવું પુણ્યાનુબંધીપુણ્ય અને આત્માના ગુણોનાં અવરોધક એવાં ઘાતિકર્મોનો નાશ થાય છે. આનાથી ભવિષ્યમાં ઉત્તમગુણોની પ્રાપ્તિપૂર્વક અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થશે માટે સર્વ શક્તિથી એક જિનવચનને તું સાંભળ. વળી, કહે છે કે સેંકડો સુખો પ્રાપ્ત થઈ શકે તેમાં પ્રબળ કારણ શાંતઅમૃતરસનું પાન છે. માટે હે આત્મન્ ! તું જિનવચનને તે રીતે સાંભળ કે જેથી તારા આત્મામાં શાંતરસ નિષ્પન્ન થાય જે શાંતરસ તારાં સેંકડો સુખોની પ્રાપ્તિનું કારણ બનશે. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા પોતાની ભાવકરુણાને તે પ્રકારે સ્થિર કરવા યત્ન કરે છે કે જેથી કરુણાભાવના જીવની પ્રકૃતિરૂપ બને. III II પંદરમો પ્રકાશ પૂર્ણ ॥ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શાંતસુધારસ ( ૧૬. માધ્યચ્ચભાવના ) બ્લોક : श्रान्ता यस्मिन् विश्रमं संश्रयन्ते, रुग्णाः प्रीतिं यत्समासाद्य सद्यः। लभ्यं रागद्वेषविद्वेषिरोधादौदासीन्यं सर्वदा तत् प्रियं नः ।।१।। શ્લોકાર્ચ - શ્રાન થયેલા સંસારમાં પરિભ્રમણથી શ્રાંત થયેલા અથવા મોહના પરિણામથી શ્રાત્ત થયેલા જીવો, જેમાં જે મધ્યસ્થભાવમાં, વિશ્રામનો આશ્રય કરે છે. જેને પ્રાપ્ત કરીને જે મધ્યસ્થભાવને પ્રાપ્ત કરીને, રોગવાળા જીવો=ભાવરોગવાળા જીવો અથવા દ્રવ્ય અને ભાવ ઉભયરોગવાળા જીવો, સૌ પ્રીતિને પ્રાપ્ત કરે છે. રાગદ્વેષરૂપી શત્રુઓના રોધથી લભ્ય પ્રાપ્તવ્ય, એવું તે ઔદાસીન્ય અમને સદા પ્રિય છે. IIII ભાવાર્થ : જે મહાત્માઓ ભગવાનના વચનના પરમાર્થને જાણનારા છે તેઓને તત્ત્વ દેખાય છે કે જગતના ભાવો પ્રત્યે ઉદાસીનતાને પામેલું ચિત્ત જ આત્માના વીતરાગભાવમાં વિશ્રાંત થવા માટે વ્યાપારવાળું બને છે અને વીતરાગભાવમાં વિશ્રાંત થયેલું ચિત્ત જ આત્માને સુખાકારી છે. આવા જીવો ભવભ્રમણથી શ્રાંત થયેલા હોય ત્યારે તેવા મધ્યસ્થભાવમાં વિશ્રામનો આશ્રય કરે છે. જેમ સંસારમાં બાહ્ય ઘણા વ્યાપારથી થાકેલો જીવ જેમ કોઈક છાયાદિમાં વિશ્રામ કરે છે તેમ સંસારના સ્વરૂપના વિચારને કારણે મહાત્માને દેખાય છે કે અંનતકાળથી કર્મને પરવશ હું ચારગતિઓમાં અનેક પ્રકારની કદર્થના ભોગવી રહ્યો છું. હવે આ પરિભ્રમણથી હું થાકેલો છું. અને તે થાકને દૂર કરવા માટે વિશ્રામનું સ્થાન જગત પ્રત્યેનો ઉદાસીનભાવ છે જે અમને સર્વદા પ્રિય છે. વળી, મહાત્મા વિચારે છે કે ભાવરોગવાળા જીવો પોતાની રાગાદિરૂપ રોગવાળી અવસ્થાને રોગરૂપે જાણે છે ત્યારે તે રોગ મટાડવાનો ઉપાય મધ્યસ્થભાવ છે તેથી તે મહાત્માઓ જિનવચનથી ભાવિત થઈને જ્યારે મધ્યસ્થભાવને પામે છે ત્યારે સદ્ય પ્રીતિ ઉત્પન્ન થાય છે. અર્થાત્ વિવેકચક્ષુવાળા મહાત્માને પોતાનામાં વર્તતા ભાવરોગને મટાડવાનો ઉપાય બાહ્ય પદાર્થો પ્રત્યે મધ્યસ્થભાવ છે તેવો નિર્ણય થાય છે ત્યારે તે મધ્યસ્થભાવને વિશેષ કરવા અર્થે જિનવચનનું દઢ અવલંબન લઈને આત્માને ભાવિત કરે છે, અને જેમ જેમ પોતાનામાં જેટલા જેટલા અંશે મધ્યસ્થભાવ પ્રગટ થાય છે તેટલા તેટલા અંશથી તેઓના ચિત્તમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે; કેમ કે આ મધ્યસ્થભાવથી ભાવિત થયેલું ચિત્ત પોતાના ભાવરોગને દૂર કરવાનું પ્રબળ કારણ છે. વળી, તેવું ઔદાસીન્ય કઈ રીતે પ્રગટ થઈ શકે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે આત્માના શત્રુ એવા Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૬. માધ્યસ્થ્યભાવના | શ્લોક-૧-૨-૩ ૨૦૭ રાગદ્વેષના રોધથી આ ઔદાસીન્ય જીવને લભ્ય છે. આથી જેમણે રાગદ્વેષ જીત્યા છે એવા તીર્થંકરનાં વચનોનું દૃઢ અવલંબન લઈને મહાત્મા આત્માને તે રીતે ભાવન કરે છે કે જેથી રાગદ્વેષરૂપી શત્રુઓ રોધ પામે અને પોતાને સર્વત્ર ઔદાસીન્ય પ્રાપ્ત થાય. III શ્લોક ઃ लोके लोका भिन्नभिन्नस्वरूपाः, भिन्नभिन्नैः कर्मभिर्मर्मभिद्भिः । रम्यारम्यैश्चेष्टितैः कस्य कस्य, तद्विद्वद्भिः स्तूयते रुष्यते वा ।। २ ।। શ્લોકાર્થ : મર્મને ભેદનારાં, ભિન્ન ભિન્ન કર્મોથી રમ્ય અરમ્ય ચેષ્ટાઓ દ્વારા ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા, લોકો લોકમાં છે. તે કારણથી વિદ્વાનો વડે=તત્ત્વને જાણનારાઓ વડે, કોની સ્તુતિ કરાય અથવા કોના ઉપર રોષ કરાય ? ૨ ભાવાર્થ: મહાત્મા પોતાનામાં મધ્યસ્થભાવ સ્થિર કરવા અર્થે વિચારે છે કે સંસારવર્તી જીવો પરમાર્થથી તો સિદ્ધના જીવો જેવા જ છે, ફક્ત અનાદિકાળથી કર્મને વશ હોવાથી સંસારમાં ભટકે છે. વળી, જીવના પારમાર્થિક સ્વરૂપના મર્મને ભેદી નાખે તેવાં ભિન્ન ભિન્ન પ્રકારનાં કર્મો ભિન્ન ભિન્ન જીવોએ પૂર્વમાં ઉપાર્જિત કર્યાં છે, તેથી જ્યારે તે પ્રકારનાં કર્મ ઉદયમાં આવે છે ત્યારે રમ્ય ચેષ્ટાઓ કરે છે અને વળી અન્ય પ્રકારનાં કર્મ ઉદયમાં આવે છે ત્યારે અરમ્ય ચેષ્ટા કરે છે. વૈયાવચ્ચી નંદિષણમુનિને પૂર્વભવમાં તે પ્રકારના કર્મને કા૨ણે અતિ કુરૂપતા હતી કે જેથી તેને કોઈ પરણવા તૈયાર ન હતું ત્યારે તેમની સર્વ ચેષ્ટાઓ જોનારને અરમ્ય જણાય તેવી હતી. વળી, તે જ નંદિષેણ મુનિ સાધના કરીને વસુદેવના ભવમાં અતિરૂપસંપન્ન થયા અને સ્ત્રીવલ્લભનામકર્મનો ઉદય હોવાથી તેમની પ્રવૃત્તિ સર્વને રમ્ય જણાતી હતી. આ રીતે જોતાં જીવોની ૨મ્ય અરમ્ય ચેષ્ટાઓ ભિન્ન ભિન્ન કર્મકૃત છે અને તે જીવનું સ્વરૂપ નથી તેમ જાણનાર બુદ્ધિમાન પુરુષ જીવના પારમાર્થિક સ્વરૂપની સ્તુતિ કરે છે, પરંતુ લોકોની રમ્ય ચેષ્ટાઓ જોઈને કોઈની સ્તુતિ કરતા નથી કે અરમ્ય ચેષ્ટા જોઈને કોઈ પ્રત્યે રોષ કરતા નથી. જેઓ તે પ્રકારની ભાવનાથી ભાવિત છે, તેઓને સંસારીજીવોની તે તે પ્રકારની સુંદર ચેષ્ટા કે અસુંદર ચેષ્ટા પ્રત્યે સદા મધ્યસ્થભાવ વર્તે છે અને આત્માના પારમાર્થિક સ્વરૂપ પ્રત્યે સદા પક્ષપાત રહે છે. આ રીતે ભાવન કરીને મહાત્મા પોતાના મધ્યસ્થભાવને સ્થિર કરવા યત્ન કરે છે. IIII શ્લોક ઃ मिथ्याशंसन् वीरतीर्थेश्वरेण, रोद्धुं शेके न स्वशिष्यो जमालिः । अन्यः को वा रोत्स्यते केन पापात् तस्मादौदासीन्यमेवात्मनीनम् ।।३।। Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શાંતસુધારસ શ્લોકાર્થ :મિથ્યાને કહેતા એવા સ્વશિષ્ય જમાવીને રોધ કરવા માટે વિરપ્રભુ સમર્થ થયા નહીં, તો અન્ય કોણ કોના વડે પાપથી રોધ કરી શકાશે? અર્થાત જ્યાં બીજાને પાપથી રોધ કરવું શક્ય ન હોય ત્યાં તેના માટે યત્ન કરવો ઉચિત નથી. તે કારણથી આત્મનીન=આત્માને હિતકારી એવું ઓદાસીન્થ જ શ્રેય છે આત્માના સ્વરૂપ રૂપ એવો મધ્યસ્થભાવ આશ્રય કરવો જ શ્રેય છે. II3II ભાવાર્થ : વળી, મહાત્મા આત્મામાં મધ્યસ્થભાવને સ્થિર કરવા અર્થે વિચારે છે કે ભગવાનના પોતાના શિષ્ય જમાલી પણ સ્વમતિથી મિથ્યાપ્રરૂપણા કરનારા થયા અને નિવર્તન પામે તેવી પ્રકૃતિવાળા ન રહ્યા ત્યારે ભગવાને અન્ય સાધુઓની જેમ તેમને સારણા વારણા આદિ કરી સુધારવા માટે કોઈ યત્ન કર્યો નહીં; કેમ કે જ્યારે અસદ્ગતને ઉત્પન્ન કરે તેવું કર્મ પ્રચુર હોય છે ત્યારે તેનું વારણ અશક્ય હોય છે. તેથી મહાસમર્થ એવા તીર્થકરો પણ સ્વશિષ્યનું વારણ ન કરી શકે ત્યારે સામાન્ય શક્તિવાળા જીવોએ એવા કોઈ જીવોને પાપથી વારવા શક્ય ન જણાય ત્યારે ક્લેશ કરવો ઉચિત નથી પરંતુ આત્માના મૂળ સ્વભાવરૂપ ઉદાસીનભાવને ધારણ કરવો જોઈએ. આવા સમયે પોતાનો અસહિષ્ણુ સ્વભાવ પ્રગટ થાય તે રીતે અનુચિત પ્રવૃત્તિ પ્રત્યે વૈષ કરવો જોઈએ નહીં. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા અયોગ્ય જીવોના અનુચિત વર્તન પ્રત્યે પોતાને દ્વેષ ન થાય પરંતુ મધ્યસ્થભાવ ટકી રહે તેવો પ્રયત્ન કરે છે. અહીં વિશેષ એ છે કે અજ્ઞાનને વશ કોઈ જીવ પાપપ્રવૃત્તિ કરતો હોય ત્યારે વિવેકપૂર્વક તેને સારણા વારણા કરવામાં આવે અને તે જીવ પાપથી નિવર્તન પામે તેવો હોય ત્યારે વિવેકી પુરુષો તેવા જીવો પ્રત્યે કરુણાભાવના કરે છે પણ મધ્યસ્થભાવ ધારણ કરતા નથી. વળી અપ્રજ્ઞાનનીય જીવો પાપ કરતા હોય ત્યારે તેઓ પ્રત્યે મધ્યસ્થભાવ રાખીને પોતાના આત્મામાં તેઓ પ્રત્યે દ્વેષ ન થાય તેવો યત્ન કરે છે. તેથી વિવેકીએ કરુણાભાવનાનું અને મધ્યસ્થભાવનાનું ઉચિત રીતે યોજન કરવું જોઈએ. III શ્લોક : अर्हन्तोऽपि प्राज्यशक्तिस्पृशः किं, धर्मोद्योगं कारयेयुः प्रसह्य ।। दधुः शुद्धं किन्तु धर्मोपदेशं, यत्कुर्वाणा दुस्तरं निस्तरन्ति ॥४॥ શ્લોકાર્ચ - પ્રાજ્યશક્તિને સ્પર્શનારા અરિહંત પણ શું ધર્મના ઉધોગને પ્રસા=બળાત્કારે, કરાવતા હતા? અર્થાત્ અન્ય જીવો પાસેથી ધર્મના બાહ્ય આચારો બળાત્કાર કરાવતા હતા? અર્થાત્ કરાવતા ન હતા, પરંતુ શુદ્ધ એવો ધર્મનો ઉપદેશ આપ્યો=ભગવાને આપ્યો, જેને જે ધર્મને, કરનારા જીવો દુસર એવા દુઃખે તરી શકાય એવા, સંસારસાગરથી વિસ્તારને પામે છે. III Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ ૧૬. માધ્યષ્યભાવના | શ્લોક-૪-૫ ભાવાર્થ મધ્યસ્થભાવનાને આત્મામાં સ્થિર કરવા અર્થે મહાત્મા વિચારે છે કે તીર્થકરો અતુલબળવાળા છે અને કેવલજ્ઞાન પામ્યા પછી મહાશક્તિથી યુક્ત છે છતાં પણ કોઈ જીવોને ધર્મ કરવાનો પરિણામ ન થાય તોપણ પોતાના શક્તિના બળથી તેના ઉપર દબાણ કરીને ધર્મ કરાવતા હતા ? અર્થાતુ ક્યારેય તીર્થકરોએ કોઈની પાસેથી તે પ્રકારે ધર્મ કરાવ્યો નથી. તેથી કોઈ જીવો પ્રમાદવશ ઉચિત ધર્મ ન કરતા હોય તે જોઈને મારે અસહિષ્ણુ સ્વભાવ ધારણ કરવો જોઈએ નહીં. અને તેને અનિચ્છાથી પણ ધર્મ કરાવવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં. પરંતુ જીવની ધર્મ કરવાને અભિમુખ ધર્મની પરિણતિ ન જણાય તો લેશ પણ દ્વેષ કર્યા વગર મધ્યસ્થભાવ ધારણ કરવો જોઈએ. વળી, તીર્થકરોએ પણ ધર્મનો શુદ્ધ ઉપદેશ આપ્યો અને યોગ્ય જીવો તે સાંભળીને સ્વઇચ્છાથી ધર્મને સેવીને દુસ્તર એવા સંસારથી નિસ્તારને પામે છે તેથી મારે પણ યોગ્ય જીવ જણાય તો તેને તેના હિત અર્થે ઉચિત ઉપદેશ આપવો ઉચિત છે. પરંતુ તેઓની ધર્મની અપ્રવૃત્તિ જોઈને પોતાનો અસહિષ્ણુ સ્વભાવ પુષ્ટ થાય તેવો યત્ન કરવો જોઈએ નહીં. પણ તે જીવોની તે પ્રકારની ભવસ્થિતિ છે જેથી હજી પણ ધર્મ કરવા માટે ઉત્સાહિત થતા નથી એવું ભાવન કરીને તે જીવો પ્રત્યે મધ્યસ્થભાવ ભાવન કરવો જોઈએ. અહીં કહ્યું કે ભગવાને બતાવેલા ધર્મને કરનારા જીવો દુસ્તર એવા સંસારના નિસ્તારને પામે છે તેથી એ પ્રાપ્ત થાય કે અનાદિકાળથી જીવે મોહની પ્રવૃત્તિ કરીને મોહનીયકર્મ દઢ કરેલાં છે, જ્ઞાનાવરણીયાદિ કર્મ દઢ બાંધેલાં છે જેને દૂર કરવાં અતિ દુષ્કર છે. છતાં ભગવાનના ઉપદેશને સાંભળીને સંસારથી ભય પામેલા યોગ્ય જીવો પોતાની શક્તિના પ્રકર્ષથી અપ્રમાદ સેવીને ગાઢ એવા તે કર્મને તોડવા માટે સદા પ્રયત્ન કરે છે જેથી અનાદિના મોહના સંસ્કારો હોવા છતાં તે મોહના સંસ્કારો તે જીવને પ્રેરણા કરી શકતા નથી. પરંતુ જિનવચનથી પ્રેરાઈને જ તે મહાત્માઓ સદા ઉદ્યમ કરે છે તેથી ધર્મને સેવીને દુસ્તર એવા સંસારસાગરથી તે મહાત્માઓ તરે છે. III શ્લોક - तस्मादौदासीन्यपीयूषसारं, वारं वारं हन्त सन्तो लिहन्त । आनन्दानामुत्तरङ्गत्तरङ्गीवद्भिर्यद् भुज्यते मुक्तिसौख्यम् ।।५।। શ્લોકાર્ધ : જે કારણથી જીવતા એવા સંસારવતી જીવો વડે=ઉદાસીનભાવના પરિણામને પામેલા સંસારવત જીવો વડે, આનંદના ઉત્તરગ એવા તરંગોથી-ઉચ્છળતા એવા તરંગોથી મુક્તિનું સુખ ભોગવાય છે તે કારણથી હે સતપુરુષો ! તમે વારંવાર ઔદાસીન્યરૂપી અમૃતના સારનું આસ્વાદન કરો. શ્લોકમાં હજ શબ્દથી સાપુરુષોને આમંત્રણ છે. પI Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૦. શાંતસુધારસ ભાવાર્થ : મહાત્મા મધ્યસ્થભાવ પ્રત્યે અત્યંત પક્ષપાત સ્થિર કરવા અર્થે આત્માને સંબોધીને કહે છે – જે જીવો મધ્યસ્થભાવથી આત્માને અત્યંત ભાવિત કરે છે અને વિચારે છે કે જગતના સર્વ પદાર્થો પ્રત્યે સંશ્લેષ ન પામે તેવો મારો મધ્યસ્થભાવ વર્તમાનમાં પણ મારા માટે હિતરૂપ છે ભવિષ્ય માટે પણ હિતરૂપ છે અને અંતે શાશ્વત સુખને પ્રાપ્ત કરાવનાર છે માટે અત્યંત હિતરૂપ છે. આ પ્રકારે ભાવન કરીને વારંવાર પોતાના અસંગભાવને દૃઢ કરવા અર્થે સર્વ ઉચિત અનુષ્ઠાન જિનવચનાનુસાર કરે છે. તેવા મહાત્માઓના ચિત્તમાં જેમ જેમ મોહના કલ્લોલો શાંત થાય છે તેમ તેમ શાંતરસમાં આનંદના ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા તરંગો વધે છે. જેનાથી તેઓને સંસાર અવસ્થામાં પણ મુક્તિનું સુખ અનુભવાય છે. અર્થાત્ મોક્ષમાં જે પ્રકારનું પૂર્ણ સુખ છે તેને અનુરૂપ કંઈક સ્વસ્થતારૂપ સુખનો અનુભવ થાય છે આથી જ આવા યોગીઓની “જીવનમુક્ત દશા છે” તેમ શાસ્ત્રકારો કહે છે અર્થાત્ સંસારમાં જીવતા હોવા છતાં સંસારથી મુક્ત દશાનો અનુભવ કરનારા છે તેમ શાસ્ત્રકારો કહે છે. તેથી તે આત્મા ! તું વારંવાર ઉદાસીનભાવને સ્પર્શે એવા અમૃતના પાનને સ્વાદ કરવા યત્ન કરી જેથી અંતરંગ રીતે મોહની વ્યાકુળતા દૂર થવાથી અહીં સુખની ધારાની વૃદ્ધિ થશે અને જન્મજન્માંતર પણ વિશેષ વિશેષ યોગમાર્ગને સેવીને વિશેષ સુખની પ્રાપ્તિ થશે અને અંતે પૂર્ણસુખમય મુક્ત દશા પ્રાપ્ત થશે માટે તેવી અવસ્થાની પ્રાપ્તિ અર્થે તું શક્તિ અનુસાર મધ્યસ્થ ભાવનાથી આત્માને ભાવિત કર. પા. C૧૬. માધ્યશ્મભાવના-ગીત) શ્લોક - अनुभव विनय! सदा सुखमनुभव औदासीन्यमुदारं रे । कुशलसमागममागमसारं, कामितफलमन्दारं रे ।।अनु० १।। શ્લોકાર્ચ - હે વિનય =કર્મના વિનયના અથી એવા હે આત્મન્ !તું સદા સુખનો=આત્માના સ્વસ્થતાના સુખનો, અનુભવ કર. ઉદાર એવા ઔદાસીજનો અનુભવ કર કોઈકના વિયોગ આદિથી થયેલા શોકાદિથી થયેલું ઔદાસીન્થ નહિ પરંતુ જગતના પદાર્થો આત્માને માટે અનુપયોગી છે તે પ્રકારના સૂક્ષ્મ પર્યાલોચનથી પ્રગટ થયેલું આત્માથી ભિન્નપદાર્થો પ્રત્યેનું ઔદાસીન્ય તેનો તું અનુભવ કર. એ ઔદાસીન્ય કેવું છે તેનું સ્વરૂપ શ્લોકના ઉત્તરાર્ધથી ભાવન કરે છે – કુશલના સમાગમવાળું, આગમના સારરૂપ, કામિત એવા ફળને દેનારામદાર જેવું કલ્પવૃક્ષ જેવું, ઉદાર એવું ઔદાસીવ તું અનુભવ કર. એમ પૂર્વાર્ધ સાથે સંબંધ છે. ||૧| Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ ૧૬. માણસચ્ચભાવના-ગીત | શ્લોક-૧ ભાવાર્થ : વળી, મહાત્મા મધ્યસ્થભાવનાને સ્થિર કરવા અર્થે આત્માને સંબોધીને કહે છે – હે કર્મના વિનયના અર્થી એવા આત્મા ! તું સદા મોહનીયની આકુળતાના પરિહારરૂપ સ્વસ્થતાના સુખનો અનુભવ કર. આ સુખ જગતના ભાવો પ્રત્યે ઔદાસીન્ય પરિણામવાળું છે અને આત્માની સ્વસ્થતારૂપ સમભાવના પરિણામરૂપ છે તેથી તે ઔદાસીન્ય ઉદાર છે અર્થાત્ સંસારીજીવોને સ્વજનાદિના વિયોગથી થનારા ઔદાસીન્ય જેવું નથી પરંતુ પરમાર્થથી જગતના પદાર્થો આત્મા માટે અનુપયોગી છે તેનું સમ્યગુ સમાલોચન કરીને ભાવન થયેલું ચિત્ત હોવાથી નિરર્થક પદાર્થ પ્રત્યે ઉપેક્ષા થાય તેવું ઉદાર ઔદાસીન્ય છે. તેવા ઔદાસીન્યનો તું અનુભવ કરે જેથી તને સ્વસ્થતાનું સુખ પ્રાપ્ત થાય. વળી, તત્ત્વની ભાવનાથી થયેલું ઔદાસીન્ય કુશલના સમાગમરૂપ છે અર્થાત્ જેમ આત્માને કુશળની પ્રાપ્તિ થાય તો પ્રમોદનો અનુભવ થાય છે તેમ તત્ત્વના ભાવનથી થયેલું ઔદાસીન્ય આત્માને કદર્થના કરનારા મોહનીયકર્મના વિગમનથી થયેલ હોવાને કારણે કુશળની પરંપરા પ્રાપ્ત કરાવે તેવું છે. વળી, તત્ત્વના ભાવનથી થયેલું ઔદાસીન્ય ભગવાનના વચનરૂપ આગમનો સાર છે; કેમ કે આગમ વીતરાગના વચનરૂપ છે અને વીતરાગનું વચન જીવોને વિતરાગતુલ્ય થવા માટે ઉચિત ઉપાયો બતાવનાર છે. વીતરાગના વચનથી સેવાતા ઉચિત ઉપાયો દ્વારા જીવને પ્રાપ્ત કરવા યોગ્ય એવી જે શાંતરસની પરિણતિ છે તે નિરર્થક ભાવો પ્રત્યે ઉદાસીનતાના પરિણામ સ્વરૂપ છે માટે તત્ત્વના પર્યાલોચનથી થયેલું ઔદાસીન્ય આગમનો સાર છે. વળી, આ ઔદાસીન્ય જીવને ઇચ્છિત એવા ફળને આપનારા કલ્પવૃક્ષ જેવું છે. કલ્પવૃક્ષ યુગલિયાઓને ઇચ્છિત ભોગસામગ્રી આપીને તેમના ચિત્તને સંતોષ ઉત્પન્ન કરે છે તેમ જે જીવો સ્વભૂમિકા અનુસાર તત્ત્વના ભાવનપૂર્વક ઔદાસીન્યભાવ પ્રત્યે રાગ ધારણ કરીને સ્વભૂમિકા અનુસાર ક્ષયોપશમભાવના ઔદાસીન્યભાવને પ્રાપ્ત કરે છે તેઓને જે અંશથી જેટલો ઔદાસીન્યભાવ સ્પર્શે છે તે અંશથી તત્કાળ સુખ થાય છે અર્થાત્ મોહની અનાકુળતાજન્ય તત્કાળ સુખ થાય છે. વળી, તત્ત્વના ભાવનકાળમાં વર્તતો ઔદાસીન્યભાવ પ્રત્યેનો રાગ તે પ્રકારનું શ્રેષ્ઠ પુણ્યબંધ કરાવે છે જે તે મહાત્માની જન્માંતરમાં જે કઈ અંશથી ભોગાદિની ઇચ્છા સર્વથા નાશ પામી નથી પરંતુ સુષુપ્ત સંસ્કારરૂપે પડેલી છે તેને અનુરૂપ ઉત્તમ ભોગસામગ્રી આપીને પણ ઉત્તમ ભોગસામગ્રીકાળમાં ભોગની ઇચ્છા હોવા છતાં ઔદાસીન્યભાવોના સંસ્કારોને જાગ્રત કરે છે. આથી પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલી ભોગસામગ્રીમાં પણ ગાઢ લિપ્સા થતી નથી અને ભોગ દ્વારા પણ તે ભોગની વૃત્તિ શાંત થાય છે, પારમાર્થિક ઔદાસીન્યભાવ પ્રત્યે પક્ષપાત થાય છે. જેમ કોઈને ક્ષણતર ખણજ થાય અને ખણજ કરવાથી એ ખણજ શમી જાય તેમ તે ભોગસામગ્રીથી પ્રાપ્ત થયેલા ભોગોને ભોગવીને પણ તેઓના વિકારો શાંત થાય છે અને ઔદાસીન્યભાવ પ્રત્યેનો પક્ષપાત જાગ્રત થયેલો હોવાથી ફરી ફરી વિશેષ ઔદાસીન્યભાવ કેળવવા માટે તે મહાત્મા ઉદ્યમ કરે છે. આ રીતે પ્રારંભિક કક્ષાનું સેવાયેલું પણ ઔદાસીન્ય સદ્ગતિઓની પરંપરા દ્વારા ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને તે મહાત્માને મોક્ષસુખની પ્રાપ્તિનું કારણ બને છે. માટે હે આત્મન્ ! ઇચ્છા કરાયેલા સુખની પરંપરારૂપ ફળને આપનાર કલ્પવૃક્ષ જેવા ઔદાસીન્યભાવનું તું સેવન કર. /વા Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શાંતધારસ શ્લોક :परिहर परचिन्तापरिवारं, चिन्तय निजमविकारं रे । वदति कोऽपि चिनोति करीरं, चिनुतेऽन्यः सहकारं रे ।।अनु० २।। શ્લોકાર્ચ - પરચિંતાના પરિવારને અન્ય જીવોની પ્રકૃતિના વિચારણાના સમુદાયને, હે આત્મન્ ! તું પરિહાર કર, પોતાના અવિકાર સ્વરૂપનું તું ચિંતવન કર જગત પ્રત્યેના ઉદાસીનભાવ સ્વરૂપ તારા અવિકાર સ્વરૂપનું ચિંતવન કર. કોઈક બોલે છે શ્લોકના પૂર્વાર્ધમાં કહ્યું છે તે પ્રમાણે કોઈક બોલે છે પરંતુ કરીને-કચરાને એકઠા કરે છે અર્થાત્ ઔદાસીવ્યભાવને અભિમખ અંતરંગભાવને કર્યા વગર શબ્દથી બોલે છે. અંતરંગ તો સંશ્લેષના ભાવને સ્થિર કરે છે, વળી અન્ય સહકારને વિસ્તારે છે શ્લોકના પૂર્વાર્ધમાં કહ્યું એ પ્રમાણે ભાવન કરીને તતદ્ભાવોથી આત્માને પરિણમન પમાડીને આમ્રફળ તુલ્ય ઉત્તમભાવોને વિસ્તારે છે. શા ભાવાર્થ : વળી, આત્મામાં મધ્યસ્થભાવનાને સ્થિર કરવા અર્થે મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે કે પરચિંતાના પરિવારનો તું પરિહાર કર=પોતાનાથી ભિન્ન એવા જીવોના વિષયક કે પોતાનાથી ભિન્ન એવા પુદ્ગલો વિષયક વિચારણાના સમુદાયરૂપ પ્રવાહનો તું પરિહાર કર. આ પ્રમાણે આત્માને સંબોધીને પોતાનાથી ભિન્ન તેવા અન્ય જીવોની તે તે પ્રકારની પ્રકૃતિને આશ્રયીને અનાભોગથી પણ કે સહસાત્કારથી પણ પોતાને જે કાંઈ રુચિ-અરુચિના ભાવો થાય છે તેનું સૂક્ષ્મ અવલોકન કરીને તેનાથી પોતાના આત્માનું રક્ષણ થાય તે પ્રકારના દઢ ઉપયોગપૂર્વક આત્માને તે ભાવોથી નિવર્તન કરવા માટે મહાત્મા યત્ન કરે છે. વળી, મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે કે તારું અવિકાર સ્વરૂપ છે તેનું તું ચિંતવન કર. આ પ્રકારે આત્માને સંબોધીને મહાત્મા પોતાની સૂક્ષ્મ પ્રજ્ઞાથી પરસ્પર પદાર્થોના ભાવો એકબીજામાં સંક્રમણ પામતા નથી પરંતુ પર પદાર્થોના ભાવોને જોઈને જીવ જ સ્વવિકલ્પથી તે તે પ્રકારની બુદ્ધિ કરીને પરિતાપને પામે છે અને પોતાના અસંશ્લેષ સ્વભાવરૂપ અવિકારભાવને જોતો નથી તેથી જ બાહ્ય પદાર્થોને આશ્રયીને વિકલ્પો કરે છે માટે હે આત્મન્ ! તું બાહ્ય પદાર્થોને અવલંબીને કરાતા વિકલ્પોનો ત્યાગ કરી અને બાહ્ય પદાર્થોના વિકારને નહિ સ્પર્શનારા પોતાના અધિકારી સ્વરૂપનું સૂક્ષ્મ ચિંતવન કર, જેથી તારા આત્મામાં બાહ્ય પદાર્થો પ્રત્યે મધ્યસ્થભાવ પ્રગટ થાય અને તારા અવિકારી સ્વરૂપ પ્રત્યે પક્ષપાતનો ભાવ પ્રગટ થાય તેવો તું યત્ન કર. વળી, પોતાનો યત્ન માત્ર સ્થૂલ શબ્દથી ન થાય પણ પરચિંતાના પરિવારના પરિહારનો યત્ન અને પોતાના અધિકાર સ્વરૂપ ચિંતવનનો યત્ન પારમાર્થિક બને તે માટે મહાત્મા આત્માને સંબોધીને કહે છે. કેટલાક જીવો શબ્દોથી પોતાના આત્માને કહે છે કે પરચિંતાના પરિવારનો તું ત્યાગ કર. અને પોતાના Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ ૧૬. માધ્યરચ્યભાવના-ગીત | શ્લોક-૨-૩ અવિકાર સ્વરૂપનું ચિંતવન કરે છે પરંતુ પારમાર્થિક તેઓ કરીરને=કચરાને એકઠો કરે છે; કેમ કે શબ્દો બોલવા માત્રથી તે ભાવો આત્મામાં એકમેકભાવ પરિણામ પામીને તે પ્રકારે અનુવિદ્ધ થતા નથી. તેથી શબ્દો બોલીને પણ તે જીવો પોતાની પ્રકૃતિ અનુસાર પરપદાર્થોનું ચિંતવન કર્યા કરે છે અને પોતાનું અવિકાર સ્વરૂપ શબ્દોથી અધિક તેને કંઈ દેખાતું નથી. વળી અન્ય કેટલાક જીવો સહકારને એકઠું કરે છે=આમ્રતુલ્ય ઉત્તમફળને એકઠું કરે છે, અર્થાત્ એવા જીવો આત્માને અનુશાસન આપીને કહે છે કે પરચિંતાના પરિવારનો પરિહાર કર. તે વખતે તે પ્રકારના તીક્ષ્ણ ઉપયોગથી તે ભાવોને તે મહાત્માઓ સ્પર્શે છે જેથી અનાદિથી પરિચિંતા કરવાનો સ્વભાવ જે સ્થિર દશામાં હતો તે ક્ષણ-ક્ષીણતર થાય છે અને પરચિંતાના પરિવારને અનુરૂપ જે ઉત્તમ સંસ્કારોને આધાન કર્યા તે સંસ્કારો સતત તેના આત્માને તેવી નિરર્થક પ્રવૃત્તિથી સદા વારણ કરે છે. વળી, પોતાના અધિકાર સ્વરૂપનું તું ચિંતવન કર એમ ભાવન કરે છે ત્યારે તે અવિકાર સ્વરૂપ પ્રત્યે પણ તે પ્રકારનો સૂક્ષ્મ ઉપયોગ હોવાથી પોતાનું અવિકાર સ્વરૂપ જીવની ઉત્તમ અવસ્થા છે તેના રહસ્યને તે મહાત્મા સ્પર્શે છે. જેથી દિવસ-રાત પોતાનું અવિકાર સ્વરૂપ જ સ્મૃતિમાં આવે છે. અને પોતાના વિકારી સ્વરૂપ પ્રત્યે અત્યંત તિરસ્કાર થાય છે. તેથી અવિકાર સ્વરૂપના પક્ષપાત દ્વારા પણ તે મહાત્મા તે પ્રકારનું પુણ્યાનુબંધી પુણ્ય, સકામનિર્જરાને પ્રાપ્ત કરે છે કે જેથી જેમ સહકાર વૃક્ષ=આમ્રવૃક્ષ, ઉત્તમ ફળને આપે છે તેમ તે મહાત્માનું પારમાર્થિક ચિંતવન ઉત્તરોત્તરના યોગમાર્ગની પ્રાપ્તિ દ્વારા અવશ્ય મોક્ષરૂપ ફળને આપે છે. આવા શ્લોક - योऽपि न सहते हितमुपदेशं, तदुपरि मा कुरु कोपं रे । निष्फलया किं परजनतप्त्या, कुरुषे निजसुखलोपं रे ।।अनु० ३।। શ્લોકાર્થ : વળી જે જીવ હિતઉપદેશને સહન કરતો નથી તેના ઉપર હે આત્મન્ ! તું કોપ કર નહીં. નિષ્ફળ એવી પરજન્ય તતિથી=અન્ય જીવ ઉપર નિષ્ફળ ગુસ્સો કરવાથી, નિજ સુખનો લોપ તું કેમ કરે છે? Itali ભાવાર્થ : વળી, મહાત્મા પોતાના આત્મામાં મધ્યસ્થભાવને અત્યંત સ્થિર કરવા અર્થે કહે છે કે હે આત્મનું! તને જિનવચનાનુસાર જે તત્ત્વ દેખાય છે તે કોઈ જીવના હિત અર્થે તે તેને સમજાવે છતાં કર્મની પ્રચુરતાને કારણે કે અન્ય કોઈ નિમિત્તે તે હિત-ઉપદેશને ગ્રહણ કરે નહિ પરંતુ સ્વમતિ અનુસાર જ કુવિકલ્પો કરે તેવા જીવ ઉપર પણ તું કોપ કર નહીં પરંતુ મધ્યસ્થભાવને ધારણ કર. અર્થાત્ તેમના તેવા વર્તન પ્રત્યે ઉપેક્ષાને ધારણ કર. તેનું અનુચિત વર્તન જોઈને કોપ કરવાનો પોતાના આત્માને નિષેધ કેમ કરે છે તેથી કહે છે – જેનું કોઈ ફળ ન હોય તેવા પરજન પ્રત્યેના કોપથી તારી સ્વસ્થતારૂપ સુખનો તું લોપ કેમ કરે Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શાંતસુધારસ છે ? વસ્તુતઃ કોઈના કોઈ વર્તનને જોઈને પોતાના આત્મપ્રદેશોમાં કોઈ પ્રકારની વિળતા ન થાય તે પ્રકારના શાંતરસથી જ આત્માને ભાવિત કરવો જોઈએ જેથી આત્માની સ્વસ્થતારૂપ સુખ ક્યારેય લોપ પામે નહીં. માત્ર યોગ્ય જીવનું હિત થાય તેવું જણાય તો બાહ્ય છાયાથી મહાત્મા ક્યારેક ઇષદ્ કોપ દેખાડે છે પરંતુ પરમાર્થથી તો તેઓનું ચિત્ત યોગ્ય જીવની કરુણાભાવનાથી જ ભાવિત હોય છે જેથી અન્ય યોગ્ય જીવની કરુણા કરીને પણ પરમાર્થથી તો તે મહાત્મા પોતાના આત્મામાં કરુણાભાવનાના પક્ષપાતને સ્થિર કરીને પોતાના આત્માની જ પારમાર્થિક કરુણા કરે છે. l3II શ્લોક : सूत्रमपास्य जडा भाषन्ते, केचन मतमुत्सूत्रं रे । किं कुर्मस्ते परिहतपयसो, यदि पिबन्ति मूत्रं रे ।।अनु० ४।। શ્લોકાર્ચ - કેટલાક જડ જીવો સૂત્રને છોડીને મત=સ્વમત એવું ઉસૂત્ર, બોલે છે. અમે શું કરીએ ? પરિહાર કર્યો છે દૂધ જેમણે એવા તેઓ જો મૂત્રને પીવે છે. ll ભાવાર્થ - મહાત્મા કોઈ અન્ય જીવોના ઉસૂત્રભાષણ સાંભળીને પોતાની અસહિષ્ણુ પ્રકૃતિના કારણે તેના પ્રત્યે દ્વેષ ન થાય તે અર્થે આત્માને તત્ત્વથી ભાવિત કરવા અર્થે વિચારે છે – કેટલાક જડ જીવો ભગવાનના વચનનો ત્યાગ કરીને સ્વમતિ અનુસાર સૂત્રના અર્થો કરે છે અને લોકો આગળ કહે છે. આવા જીવો જો અપ્રજ્ઞાપનીય હોય તો તેઓ પ્રત્યે ઉપેક્ષાનો ભાવ પ્રગટ થાય અને દ્વેષ ન થાય. તે અર્થે વિચારે છે કે દૂધ તુલ્ય ભગવાનના વચનનો ત્યાગ કરીને જો તે જીવો મૂત્રનું પાન કરે અને પોતાની વક્રતાને કારણે તે મૂત્રનું પાન છોડે તેમ ન હોય તો અમે શું કરી શકીએ ? અર્થાતુ અમારા માટે તો તેવા જીવો પ્રત્યે ઉપેક્ષા કરવી જ ઉચિત છે જેથી પોતાના ચિત્તમાં કાલુષ્ય પણ ન થાય અને તેઓના ઉત્સુત્ર પ્રત્યે રુચિનો પરિણામ પણ ન થાય. આ પ્રકારે વિચારવાથી ચિત્તમાં સર્વજ્ઞનાં વચનો દૂધ તુલ્ય ઉત્તમ અને આત્મારૂપ દેહને પુષ્ટ કરનારાં પોતાને જણાય છે અને ઉત્સુત્ર વચન અસાર એવા મૂત્ર તુલ્ય જણાય છે તેથી ઉત્સુત્ર વચનો પ્રત્યે સહેજ પણ રુચિ થતી નથી પરંતુ કર્મને વશ જડતાને કારણે જ આ જીવો પોતાનો વિનાશ કરે છે તેમ થાય છે. અન્ય જીવોના હિતના રક્ષણનો ઉપાય જણાય તો ઉસૂત્રભાષણ કરનારા જીવોના મતનું વિવેકપૂર્વક નિરાકરણ પણ મહાત્માઓ કરે છે અને તેમના પ્રત્યે દ્વેષ પણ કરતા નથી પરંતુ તે ઉસૂત્રભાષણથી અન્ય યોગ્ય જીવોનો વિનાશ ન થાય તેવી ચિંતા કરે છે અને ભગવાનનાં સર્વચનો પ્રત્યે પોતાના રાગને દૃઢ કરે છે. III શ્લોક : पश्यसि किं न मनःपरिणामं, निजनिजगत्यनुसारं रे । येन जनेन यथा भवितव्यं, तद् भवता दुर्वारं रे ।।अनु० ५।। Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૬. માધ્યસ્થ્યભાવના-ગીત | શ્લોક-૫-૬ શ્લોકાર્થ ઃ પોતપોતાની ગતિને અનુસાર મનના પરિણામને તું કેમ જોતો નથી ? અર્થાત્ હે આત્મન્ ! તારે તેના મનના પરિણામ જોવા જોઈએ. જે જીવ વડે જે પ્રમાણે થવા યોગ્ય છે=આગામી ગતિમાં થવા યોગ્ય છે, તે તારા વડે દુર્વાર છે=વારી શકાય તેમ નથી. I[૫] ભાવાર્થ ઃ ૨૧૫ વળી મહાત્મા ઉત્સૂત્ર ભાષણ બોલતા અન્યને જોઈને તેઓ પ્રત્યે પોતાના હૈયામાં દ્વેષ ન થાય તે અર્થે પોતાના આત્માને અનુશાસન આપતાં કહે છે – દરેક જીવોને પોતપોતાની આગામી ભવપરંપરાની પ્રાપ્તિ અનુસાર જ મનના પરિણામ થાય છે તેને તું કેમ જોતો નથી ? વસ્તુતઃ માર્ગાનુસા૨ી મતિથી તારે વિચારવું જોઈએ કે અપ્રજ્ઞાપનીય પરિણામવાળા ઉત્સૂત્ર બોલનારા જીવોની આગામી ભવપરંપરા ખરાબ છે તેથી તેમને તેને અનુરૂપ મનના પરિણામ થાય છે. આ મનના પરિણામને કારણે તેઓ ઉત્સૂત્રનું ભાષણ કરે છે તે તારે જોવું જોઈએ અને વિચારવું જોઈએ કે જે જીવોને આગામી ખરાબ ગતિમાં જવાનું હોય તે જીવોને તે જ પ્રકારે મનનો પરિણામ કરવો પડે અને તો જ તે પરિણામને અનુરૂપ આગામી ખરાબ ગતિમાં તેઓ જઈ શકે. જ્યારે તે જીવોમાં આગામી ખરાબ ગતિમાં લઈ જનાર મનના પરિણામને ઉદ્રેક કરે તેવાં કર્મો વિપાકમાં હોય ત્યારે તેઓનું વારણ તારા વડે થઈ શકે તેમ નથી. તેથી તું ઉત્સૂત્ર ભાષણ કરનારા જીવો પ્રત્યે દ્વેષનો પરિણામ ન કર પરંતુ ઉપેક્ષાનો ભાવ થાય તે પ્રકારે તારા પોતાના આત્માને ભાવિત કર. III શ્લોક ઃ रमय हृदा हृदयङ्गमसमतां, संवृणु मायाजालं रे । वृथा वहसि पुद्गलपरवशतामायुः परिमितकालं रे ।। अनु० ६ ।। શ્લોકાર્થ ઃ હૃદયથી હૃદયંગમ સમતાને=હૈયાને રમ્ય લાગે તેવી ઉત્તમ સમતાને, તું રમાડ. માયાજાળને સંવૃત કર. આયુષ્ય પરિમિતકાલવાળું છે. તેથી પુદ્ગલની પરવશતાને તું વૃથા વહન કરે છે. IIII ભાવાર્થ: આત્માને જગતના સર્વભાવો પ્રત્યે મધ્યસ્થ પરિણામવાળો કરવા અર્થે મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે – હે આત્મન્ ! તું હૈયાને અત્યંત મનોહર લાગે તેવી સમતાને ચિત્તમાં ૨માડ અર્થાત્ હે આત્મન્ ! તું સુખ-દુઃખ, શત્રુ-મિત્ર, જીવન-મૃત્યુ વગેરે સર્વભાવો પ્રત્યે સમાન પરિણામ થાય પ્રકારના સમતાના સ્વરૂપને સ્મૃતિમાં લાવીને તે સમતા પ્રત્યેનો રાગભાવ દૃઢ-દઢતર ઉલ્લસિત થાય તે પ્રકારના ચિત્તને નિષ્પન્ન કરવા યત્ન કર. વળી, સ્વભાવથી જ જીવને બાહ્ય પદાર્થો પ્રત્યે માયાનો=મમતાનો, પરિણામ વર્તે છે તે મમતાના સ્વરૂપને સ્મરણમાં લાવીને તેનાથી ચિત્ત નિવર્તન પામે તે પ્રકારે તું ચિત્તને સંવૃત કર; કેમ કે આયુષ્ય પરિમિતકાળવાળું છે અને તે કાળમાં જો તું આત્માની અત્યંત હિતકર એવી Page #233 -------------------------------------------------------------------------- ________________ શાંતસુધારસ ૨૧૬ સમતામાં યત્ન નહીં કરે અને માયાજાળને ચિત્તમાં ધારણ કરી રાખીશ તો આખા આયુષ્યકાળ દરમ્યાન પુદ્ગલની પરવશતાને તું વૃથા વહન ક૨ના૨ો થઈશ. વળી, પુદ્ગલની પરવશતાથી તને કંઈ પ્રાપ્ત થવાનું નથી, કેવલ તેને પરવશ થઈને જે આત્માના મલિનભાવો કરીશ, આરંભ-સમારંભ કરીશ તે સર્વથી બંધાયેલાં કર્મોની કદર્થનાને જ તું પામીશ. આથી સમતામાં યત્ન કરીને સર્વદ્રવ્ય, સર્વક્ષેત્ર, સર્વકાળ અને સર્વભાવો પ્રત્યે ૫૨મ મધ્યસ્થભાવ પ્રગટે તેવો યત્ન કર, જેથી તને સર્વકલ્યાણની પ્રાપ્તિ થશે. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા આત્મામાં મધ્યસ્થભાવ સ્થિર કરે છે. બ્રા શ્લોક ઃ अनुपमतीर्थमिदं स्मर चेतनमन्तः स्थितमभिरामं रे । विरतिभावविशदपरिणामं, लभसे सुखमविरामं रे ।। अनु० ७ ।। શ્લોકાર્થ ઃ હે આત્મન્ ! તું અંતરમાં સ્થિર એવું અભિરામ=રમણીય, ચેતનરૂપ એવા આ અનુપમ તીર્થને=પરમ મધ્યસ્થભાવરૂપ એવા આ અનુપમ તીર્થને, સ્મરણ કર. જેનાથી તું વિરતિભાવરૂપ વિશદપરિણામને અવિરામ=સતત, સુખપૂર્વક પ્રાપ્ત કરીશ. II૭II ભાવાર્થ: પ્રસ્તુતમાં ભાવનાનો વિષય માધ્યસ્થ્યભાવના છે અને માધ્યસ્થ્ય ભાવનાના પરમાર્થને સ્પર્શે તેવું સ્વરૂપ ગ્રંથકારશ્રીએ શ્લોક-૬માં બતાવ્યું અને કહ્યું કે તું માયાજાળનું સંવરણ કર અને હૃદયંગમ એવી સમતામાં આત્માને રમાડ. આ પ્રકારનો જે માધ્યસ્થ્ય ભાવ છે તે જીવ માટે અનુપમ તીર્થરૂપ છે; કેમ કે આત્માને સંસારસાગરથી તારે તે તીર્થ કહેવાય અને તેવા તારનાર સુસાધુ આદિ બાહ્ય જંગમતીર્થો છે અને આત્મામાં નિષ્પન્ન થયેલ રત્નત્રયીની પરિણતિરૂપ અંતરંગ તીર્થ છે અને સમતાનો પરિણામ એ રત્નત્રયી પરિણતિ સ્વરૂપ છે તેથી અન્ય સર્વ તીર્થો કરતાં આત્મામાં સ્ફુરાયમાન થતો સમતાનો પરિણામ એ અનુપમ તીર્થ છે. એ આ સમતાનો પરિણામ જ્ઞાન સ્વરૂપ હોવાથી ચેતનરૂપ છે અને મનના ઉપયોગરૂપે સમભાવને અનુકૂળ વ્યાપારરૂપ હોવાથી અંતરંગ રીતે આત્મામાં વર્તતા સ્થિર પરિણામરૂપ છે; કેમ કે સમતાના પરિણામમાં મોહની આકુળતા શાંત-શાંતતર થતી હોય છે તેથી આત્મામાં સ્વૈર્ય ઉત્પન્ન થાય છે. વળી, આ અનુપમ તીર્થરૂપ સમતાનો પરિણામ અભિરામ છે=અત્યંત રમણીય છે; કેમ કે આત્માને તત્કાળ સુખ ઉત્પન્ન કરે છે અને ઉત્તરોત્તર સુખની વૃદ્ધિ દ્વારા પૂર્ણસુખમય મોક્ષપ્રાપ્તિનું કારણ છે. વળી, જો તું સમતાના પરિણામરૂપ અનુપમ તીર્થને સદા સ્મૃતિમાં રાખીને પ્રયત્ન કરીશ તો સર્વ પાપોના વિરતિભાવરૂપ વિશદ પરિણામને અવિરામ=સતત, સુખપૂર્વક પ્રાપ્ત કરીશ; કેમ કે જે મહાત્મા સમતાના પારમાર્થિક સ્વરૂપને શબ્દો દ્વારા યથાર્થ જાણીને સદા તે ભાવોથી આત્માને વાસિત કરે છે તે મહાત્માનું ચિત્ત સતત સમતાને અભિમુખઅભિમુખત૨ થાય છે તેથી પ્રશમભાવના પરિણામથી જે પાપને અનુકૂળ ચિત્તવૃત્તિ હતી તેના વિરામ સ્વરૂપ આત્માના સુંદર પરિણામને તે મહાત્મા સુખપૂર્વક પ્રાપ્ત કરી શકે છે અને જે મહાત્માને તે પરિણામથી Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૬. માધ્યચ્યભાવના-ગીત | શ્લોક-૭-૮ ૨૦૧૭ થનારા સુખનો અનુભવ થાય છે તે મહાત્માનું ચિત્ત આત્માની સ્વસ્થતારૂપ સુખને છોડીને ક્યારેય અન્યત્ર જતું નથી. માટે ઉત્તમ એવા વિરતિભાવની પ્રાપ્તિના અર્થી એવા હે જીવ! તું સદા આ અનુપમ તીર્થને સ્મરણ કર.llણા અવતરણિકા : વળી, મહાત્મા સોળ ભાવનાના સારને પ્રસ્તુત શ્લોકમાં કહે છે – શ્લોક : परब्रह्मपरिणामनिदानं, स्फुटकेवलविज्ञानं रे । विरचय विनय ! विवेचितज्ञानं, शान्तसुधारसपानं रे ।।अनु० ८।। શ્લોકાર્ચ - હે વિનય! પરબ્રહ્મના પરિણામનું કારણ, સ્પષ્ટ કેવલવિજ્ઞાન સ્વરૂપEસ્વસંવેદન થતું મોહના સ્પર્શ વગરના જ્ઞાન સ્વરૂપ, વિવેચિત જ્ઞાનરૂપ=પોતાના આત્મદ્રવ્યના અને પારદ્રવ્યના વિભાગને સ્પર્શનારા જ્ઞાનરૂપ, એવા શાંતસુધારસના પાનને તું કર. llcil ભાવાર્થ : ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથનું નામ શાંતસુધારસ આપેલ છે; કેમ કે સોળ ભાવનાથી ભાવિત થયેલું ચિત્ત શાંત અમૃતરસના પાનને કરનારું બને છે. આ શાંતરસ આત્માના અને પુદ્ગલના વિભાગના જ્ઞાનને સ્પર્શનારું છે તેથી પોતાના આત્માથી ભિન્ન સર્વ પુદ્ગલ દ્રવ્ય અને સર્વ આત્માનો ભેદ કરીને પોતાના આત્મા સાથે અભેદ પરિણામવાળા શુદ્ધજ્ઞાનમાં તન્મય થવાને અનુકૂળ વ્યાપાર સ્વરૂપ છે. વળી, આ શાંતસુધારસના પાન સ્વરૂપ જ્ઞાનનો ઉપયોગ સ્પષ્ટ મોહના સ્પર્શ વગરના વિશેષ પ્રકારના જ્ઞાનના ઉપયોગ સ્વરૂપ છે; કેમ કે “નશ્યા નષ્ટ' એ ન્યાય પ્રમાણે જે ઉપયોગથી સમભાવને અનુકૂળ મનોવ્યાપાર થઈ રહ્યો છે તે ઉદ્યમથી વિદ્યમાન કષાયો સમભાવમાં રાગરૂપે કે અસમભાવમાં દ્વેષરૂપે પ્રવર્તે છે તેથી કષાયો નશ્યમાણ છે, તેથી તે જ્ઞાનનો ઉપયોગ સ્પષ્ટ કષાયના સ્પર્શ વગરના વિશેષજ્ઞાન સ્વરૂપ છે. વળી, આ જ્ઞાનનો ઉપયોગ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મોહના નાશનું કારણ હોવાથી મોહથી અનાકુળ એવા પરબ્રહ્મના પરિણામનું કારણ છે અર્થાત્ સંપૂર્ણ મોહથી અનાકુળ વિતરાગરૂપ જે પરબ્રહ્મનો પરિણામ છે તે પરિણામનું કારણ શાંતસુધારસનું પાન છે. માટે મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે – હે નિર્જરાના અર્થી આત્મા ! તું શક્તિને ગોપવ્યા વગર અત્યારસુધી વર્ણન કરાયેલી સોળ ભાવનાઓને અને તેમાં પણ સમતાના પરિણામને સ્પર્શનાર એવી મધ્યસ્થભાવનાને તે રીતે ભાવન કર જેથી તારા આત્મામાં શાંતસુધારસનો પરિણામ ઉત્પન્ન થાય જે સર્વકલ્યાણની પરંપરાનું કારણ છે. II૮ાા II સોળમો પ્રકાશ પૂર્ણ II Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧. વર્ષ ઃ ધ ઉપસંહાર-પ્રશસ્તિ છે statu શાંતસુધારસ શ્લોક ઃ एवं सद्भावनाभिः सुरभितहृदयाः संशयातीतगीतोनीतस्फीतात्मतत्त्वास्त्वरितमपसरन् मोहनिद्राममत्वाः । गत्वा सत्त्वाममत्वाऽतिशयमनुपमां चक्रिशक्राधिकानां, सौख्यानां मङ्क्षु लक्ष्मीं परिचितविनयाः स्फारकीर्ति श्रयन्ते । । १ । । શ્લોકાર્થ : આ રીતે=ગ્રંથકારશ્રીએ પૂર્વમાં સોળ ભાવનાઓ વર્ણન કરી એ રીતે, સદ્ભાવનાઓથી-હૈયાને સ્પર્શે તે પ્રકારે સર્વભાવનાઓના ભાવનથી, સુરભિત હૃદયવાળા=ગુણો પ્રત્યેના પક્ષપાતવાળા, સંશયથી અતીત, ગીતથી ઉન્નીત, એવા સ્મીત આત્મતત્ત્વવાળા=શુદ્ધઆત્મતત્ત્વના વિષયમાં સંશય નથી તે રીતે ભાવનાઓનું સમુત્કીર્તન કર્યું છે તેના કારણે ઉન્નીત થયેલા સ્મીત આત્મતત્ત્વવાળા, વળી શીઘ્ર દૂર કરતા મોહની નિદ્રાના મમત્વવાળા, પરિચિતવિનયવાળા=કર્મના વિનયને અનુકૂળ ઉચિત યત્નવાળા જીવો, અનુપમ એવા સત્ત્વ અને અમમત્વના અતિશયને પ્રાપ્ત કરીને ચક્રિ શથી અધિક એવા સુખની સ્મારકીર્તિવાળી લક્ષ્મીને શીઘ્ર આશ્રય કરે 9. 11911 ભાવાર્થ: પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સોળ ભાવનાઓનું કંઈક વિસ્તારથી વર્ણન કર્યું. જે મહાત્માઓ તે ભાવનાઓને તે રીતે ભાવિત કરે છે કે જેથી તેમના ચિત્તનો પ્રવાહ સદા તે ભાવોથી પ્લાવિત રહે છે તેઓ તે ઉત્તમ ભાવનાઓથી સુરભિત હૃદયવાળા છે; કેમ કે તે ઉત્તમ ભાવનાઓની સુવાસ તેઓના જીવનમાં સતત દેખાય છે. વળી, ભાવના ભાવન કરનાર મહાત્મા પૂર્વમાં બતાવી છે તે ભાવનાઓના યથાર્થ સ્વરૂપે શાસ્ત્રવચનથી, અનુભવથી અને યુક્તિથી જાણે છે તેઓને કોઈ પ્રકારના સંશય વગર સંસારમાં અનિત્યાદિ સ્વરૂપ જે જે પ્રકારે ભાવનામાં બતાવ્યું તે પ્રકારે જ ચિત્તમાં પ્રતિભાસિત થાય છે અને તે પ્રકારના પ્રતિભાસમાં ઉપયુક્ત થઈને જેઓ તે ભાવના ગાય છે તે ગાવાની ક્રિયાથી તેઓના આત્મામાં સ્મીત આત્મતત્ત્વ ઉન્નીત થાય છે=મોહના ઉન્મૂલનને અનુકૂળ દૃઢ પરિણામને સ્પર્શનારું તેવું આત્મતત્ત્વ આવિર્ભાવ પામે છે. વળી, તે મહાત્માઓ પ્રસ્તુત ભાવના કરીને શીઘ્ર દૂર થતી મોહનિદ્રાના મમત્વ વગરના થાય છે=જેમ જેમ તે મહાત્માઓ તે તે ભાવનાથી આત્માને ભાવિત કરે છે તેમ તેમ અનાદિકાળથી સ્થિર થયેલી મોહનિદ્રાનો મમત્વભાવ તેઓમાંથી દૂર થાય છે; કેમ કે ભાવનાઓથી અભાવિત ચિત્તને જ મોહની નિદ્રા મીઠી લાગે છે અને મોહની નિદ્રાને વશ થતા થતા સંસારની પ્રવૃત્તિઓ કરીને આત્માના હિતને જોનારા થતા નથી. પરંતુ Page #236 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર – પ્રશસ્તિ | શ્લોક-૧-૨ ૨૧૯ જે મહાત્માઓ સંશયને દૂર કરીને, તત્ત્વનો નિર્ણય ર્યા પછી તે તે ભાવનાઓથી જેમ જેમ આત્માને વાસિત કરે છે તેમ તેમ તેઓને અનાદિની મોહનિદ્રા મમત્વનું સ્થાન બનતી નથી પરંતુ પોતાના ભાવિના અહિતનું સ્થાન જણાય છે તેથી અત્યંત દૃઢ અવધાનપૂર્વક મોહનું ઉન્મેલન થાય તે પ્રકારે સદા યત્નવાળા બને છે. વળી, જે મહાત્માઓ આ રીતે ભાવનાઓથી આત્માને ભાવિત કરે છે તેઓ અનુપમ એવા સત્ત્વને અને અમમત્વને પ્રાપ્ત કરે છે અર્થાત્ ભાવના સમજવા માટે યત્ન કરે છે ત્યારે તે મહાત્માઓ તત્ત્વને કંઈક અભિમુખ થયેલા હોવાથી સંસાર પ્રત્યેના મમત્વને કંઈક અલ્પ કરે છે. તેથી આત્માને તે તે ભાવનાઓથી ભાવિત કરવાનું અનુપમ સત્ત્વ પ્રગટે છે અને જેમ જેમ તે પારમાર્થિક ભાવનાના સ્વરૂપને સંશય રહિત જાણે છે તેમ તેમ તુચ્છ એવા અસાર પદાર્થો પ્રત્યે તેમનું મમત્વ અલ્પ-અલ્પતર થાય છે અને મોહનાં નાશને અનુકૂળ સત્ત્વ અધિક અધિક પ્રગટ થાય છે. અને જ્યારે અત્યંત અવધાનપૂર્વક તે ભાવનાઓથી આત્માને ભાવિત કરે છે ત્યારે તેઓમાં ઉપમા ન આપી શકાય તેવો અતિશયવાળો અમમત્વ ભાવ પેદા થાય છે અને આત્માના હિતને સાધનારું અપૂર્વ એવું સત્ત્વ પ્રગટ થાય છે. જેના કારણે તે મહાત્માઓને ચક્રવર્તી કે શક્ર કરતાં પણ અધિક સુખનું સાક્ષાત્ વર્તમાનમાં સંવેદન થાય છે; કેમ કે ચક્રીને પણ ઉત્તમ ભોગસામગ્રીથી જ હું સુખી છું તેવી બુદ્ધિ થાય છે તેમ ભાવના કરનાર મહાત્માને પણ હું અંતરંગ સમૃદ્ધિથી સુખી છું તેવું સ્વસ્થતાનું સંવેદન પ્રગટે છે. વળી, ચક્રવર્તીની સમૃદ્ધિ કંઈક બાહ્ય પદાર્થ પ્રત્યેના રાગથી આકુળ છે તેથી બાહ્યસમૃદ્ધિથી ચક્રીની સ્વસ્થતા પણ રાગાંશથી આકુળ હોવાને કારણે તેવા ઉત્તમસુખને આપતી નથી તેના કરતાં પણ નિર્મળ ચિત્તવાળા મહાત્માને ઉમૂલન થતા રાગાંશથી વિશિષ્ટ એવી અંતરંગ સમૃદ્ધિ વિશિષ્ટ સુખને આપે છે. વળી, તેવા ભાવનાઓથી ઉત્પન્ન થયેલા નિર્વિકાર સુખવાળા તે મહાત્માઓ ચક્રવર્તી અને શક્રથી અધિક સુખવાળી અને વિસ્તાર પામતી કીર્તિવાળી લક્ષ્મીને શીધ્ર પ્રાપ્ત કરે છે; કેમ કે એવા મહાત્માઓ જેમ જેમ ભાવનાઓથી ભાવિત થાય છે તેમ તેમ ઉત્તમ ભાવોને સ્પર્શનાર તેમના ચિત્તથી વિશિષ્ટ પ્રકારનું પુણ્યાનુબંધી પુણ્ય અને વિશિષ્ટ પ્રકારની અંતરંગ રત્નત્રયીની પરિણતિનાં આવારક કર્મોની નિર્જરા થાય છે. આનાથી ઉત્તરોત્તરના ભાવોમાં તે મહાત્મા અધિક અધિક બાહ્ય અને અંતરંગ સમૃદ્ધિને પ્રાપ્ત કરશે તેથી વિસ્તારવાળી કીર્તિને કરનારી સમૃદ્ધિને તેઓ શીધ્ર પ્રાપ્ત કરે છે. વળી, આ મહાત્માઓ ભાવનાઓથી આત્માને ભાવિત કરીને તે રીતે પરિચિત વિનયવાળા થાય છે જેનાથી સિદ્ધભગવંતો, તીર્થકરો, ઉત્તમપુરુષો આદિ પ્રત્યે વિનયનો પરિણામ અધિક અધિક થાય છે, જેના કારણે તે સર્વ પુરુષોના અવલંબનથી તેઓમાં ગુણની વૃદ્ધિ સતત થયા કરે છે. આવા શ્લોક - दुर्ध्यानप्रेतपीडा प्रभवति न मनाक् काचिदद्वन्द्वसौख्यस्फातिः प्रीणाति चित्तं, प्रसरति परितः सौख्यसौहित्यसिन्धुः । क्षीयन्ते रागरोषप्रभृतिरिपुभटाः सिद्धिसाम्राज्यलक्ष्मीः, स्याद् वश्या यन्महिम्ना विनयशुचिधियो भावनास्ताः श्रयध्वम् ।।२।। Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શાંતસુધારણા શ્લોકાર્ધ : જેના મહિમાથી=અત્યંત દઢ પ્રણિધાનપૂર્વક સુસ્થિર કરાયેલી સોળ ભાવનાઓના મહિમાથી, થોડી પણ દુર્ગાનરૂપી ભૂતની પીડાપ્રભવ પામતી નથી. કોઈક અઢંઢના સૌષ્યની સ્ફાતિ=ચિત્તમાં ચાલતા રતિ અરતિ આદિના ભાવોરૂપ જે ઢંઢ તેના અભાવરૂપ જે અઢંઢનું સુખ તેનો કોઈક વિસ્તાર, ચિત્તને પ્રીતિ ઉત્પન્ન કરે છે. સુખના સોહિત્યનો સિંધુ ચારેબાજુથી પ્રસરણ પામે છે સુખને કારણે સ્વસ્થતાનો પ્રવાહ મન-વચન-કાયાની દરેક પ્રવૃતિઓમાં વૃદ્ધિ પામતો દેખાય છે, રાગરોષ વગેરે શત્રુના સુભટો ક્ષયપામી રહ્યા છે, સિદ્ધિના સામ્રાજ્યની લક્ષમી પૂર્ણ સુખમય મોક્ષના સામ્રાજ્યની લમી, વશ્ય થાય છે અર્થાત્ આસન-આસનતર થાય છે, વિનયથી પવિત્ર બુદ્ધિવાળા હે આત્મન્ ! તે ભાવનાઓનો તું આશ્રય કર. II ભાવાર્થ : પૂર્વના શ્લોકમાં સોળ ભાવનાઓને અંતરમાં ભાવિત કરવાથી કેવા પ્રકારના અંતરંગ પરિણામો પ્રગટ થાય છે તેની સ્પષ્ટતા કરી. હવે, તેને જ દઢ કરવા માટે તે ભાવનાઓથી અન્ય પણ શું શું પ્રાપ્ત થાય છે તે બતાવતાં કહે છે – જે મહાત્મા પ્રસ્તુત સોળભાવનાઓથી પોતાના આત્માને દઢતાથી વાસિત કરે છે તે મહાત્માને ક્યારેય દુર્ગાનરૂપી ભૂતની પીડા થતી નથી. આશય એ છે કે આત્માના ભાવોને સ્પર્યા વગર બાહ્ય પદાર્થોને અવલંબીને જે કંઈ વિચારણા છે તે દુર્બાન સ્વરૂપ છે. જેમ કોઈને ભૂત વળગેલું હોય તો ભૂતાવિષ્ટ તેવો તે પુરુષ યથાતથા બકવાદ કરે છે, કૂદાકૂદ કરે છે, પોતાનું માથું વગેરે કૂટે છે તેમ સંસારી જીવ મોહરૂપી ભૂતના વળગાડને કારણે આત્માને અત્યંત અનુપયોગી એવી શરીર, ધન, કે અન્ય કોઈ અસાર વિચારણા કરીને સતત પીડાય છે. પરંતુ જે મહાત્માઓ આ સોળ ભાવનાઓથી ભાવિત થયેલા છે તેઓને ક્યારેય પણ તે દુર્ગાનની પીડા થતી નથી પરંતુ સદા આત્માને સ્મરણમાં રાખીને ભાવનાઓથી વાસિત અંતઃકરણવાળા તે મહાત્માઓ દુર્ગાનની શક્તિના આપાદક મોહનો નાશ કરવા માટે જ પ્રયત્નશીલ હોય છે. વળી, જે મહાત્મા પ્રસ્તુત સોળ ભાવનાઓથી અત્યંત ભાવિત થાય છે તે મહાત્માના ચિત્તમાં તે તે નિમિત્તોને પામીને રતિ, અરતિ, હર્ષ, શોક આદિ ભાવોના દ્યો અત્યાર સુધી સદા પ્રવર્તતાં હતાં અને તેને કારણે વ્યાકુળ થયેલું ચિત્ત ક્યારેય સુખનો અનુભવ કરી શકતું ન હતું તે હવે ભાવનાઓના બળથી અઢંઢવાળું બને છે. આત્માનું પારમાર્થિક સ્વરૂપ સદા વંદ્વ વગરનું છે અને તે સ્વરૂપ પ્રત્યે જ તે મહાત્માને ભાવનાના બળથી દઢ રાગ ઉત્પન્ન થયેલો હોવાથી પૂર્વમાં વર્તતાં કંકો શિથિલ-શિથિલતર થાય છે અને અહંકના સુખનો વિસ્તાર ચિત્તમાં વૃદ્ધિ પામે છે જેથી તેનું ચિત્ત સદા સ્વસ્થતાના સુખનો અનુભવ કરે છે. વળી, જે મહાત્મા આ પ્રકારે દઢ પ્રણિધાનપૂર્વક ભાવનાઓ ભાવે છે તે મહાત્માને પૂર્વની પાપપ્રકૃતિઓ પુણ્યરૂપે રૂપાંતર થાય છે અને પૂર્વની પુણ્યપ્રકૃતિઓ અતિશયવાળી થાય છે. વળી, ચિત્તના સ્વાથ્યને Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ ઉપસંહાર - પ્રશસ્તિ | શ્લોક-૨, ૩-૪ કારણે આરોગ્ય પણ અતિશયિત થાય છે અને જન્માંતરમાં પણ પોતે સદ્ગતિઓની પરંપરા દ્વારા મોક્ષસુખને પ્રાપ્ત કરશે તેવો દઢ વિશ્લાસ થાય છે તેથી ચારેબાજુ સુખની સ્વસ્થતાનો દરિયો પ્રસર પામે છે. વળી, જે મહાત્મા પ્રસ્તુત ભાવનાઓથી આત્માને અત્યંત ભાવિત કરે છે તેઓને સંસારનું વાસ્તવિક સ્વરૂપ જે પ્રકારે છે તે પ્રકારે જ જણાય છે. આત્માની મુક્ત અવસ્થા જે પ્રકારે સુંદર છે તે પ્રકારે જ સદા જણાય છે અને તેની પ્રાપ્તિનો ઉપાય બોધિની પ્રાપ્તિ છે તેવો સ્થિર નિર્ણય થવાથી તે મહાત્મા બોધિની પ્રાપ્તિ માટે, બોધિની વૃદ્ધિ માટે અને બોધિને સ્થિર કરવા માટે જ યત્ન કરે છે. આના કારણે તેના આત્મામાં અનાદિથી સ્થિર થયેલા રાગ, દ્વેષ વગેરે શત્રુઓ સતત ભય પામતા હોય છે તેથી તે મહાત્મા અંતરંગ રીતે સતત શત્રુના ઉપદ્રવથી મુક્ત-મુક્તતર થઈ રહ્યા છે અને જ્યારે તે શત્રુઓનો નાશ થશે ત્યારે તેનાં કુપિત થયેલાં કર્મ સ્વયં તે મહાત્માનો ત્યાગ કરશે અર્થાત્ તે મહાત્માએ કર્મોની વૃદ્ધિને અનુકૂળ કોઈ યત્ન કર્યો નહીં તેથી તે કર્મ તે મહાત્મા પ્રત્યે કુપતિ થઈને સ્વયં તે મહાત્માનો ત્યાગ કરશે. અને સિદ્ધિના સામ્રાજ્યની લક્ષ્મી પ્રતિદિન વશ્ય થતી જાય છે. આવા ઉત્તમ મહિમાવાળી આ સોળ ભાવનાઓ હોવાથી મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે – ગુણો પ્રત્યેના વિનયના પરિણામથી થયેલ પવિત્રબુદ્ધિવાળા એવા હે આત્મા ! તું તે ઉત્તમ ભાવનાઓનો આશ્રય કર. આનાથી એ પ્રાપ્ત થાય કે જે મહાત્મા ગુણો પ્રત્યેના પક્ષપાતવાળા થયા છે અને આ સંસારનો અવશ્ય ઉચ્છેદ કરવો જોઈએ અને તેના માટે ગુણસંપન્ન મહાત્માઓનું અવલંબન લઈને ગુણની વૃદ્ધિ કરવી જોઈએ એવી નિર્મળ બુદ્ધિ થઈ છે તેવા મહાત્માઓ ગુણસંપન્ન પુરુષોનું અવલંબન લઈને જેમ ગુણોમાં યત્ન કરવો આવશ્યક છે, તેમ પ્રસ્તુત સોળ ભાવનાઓનો સતત આશ્રય કરવો આવશ્યક છે જેથી અનાદિની મોહશક્તિ ક્ષીણ-ક્ષીણતર થાય. આ કારણથી જ મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે – તું ભાવનાઓનો આશ્રય કર. આશા શ્લોક : श्रीहीरविजयसूरीश्वरशिष्यौ सोदरावभूतां द्वौ । श्रीसोमविजयवाचकवाचकवरकीर्तिविजयाख्यौ ।।३।। तत्र च श्री कीर्तिविजयवाचकशिष्योपाध्यायविनयविजयेन । शान्तसुधारसनामा संदृब्धो भावनाप्रबन्धोऽयम् ।।४।। શ્લોકાર્ચ - શ્રી હીરવિજય સૂરીશ્વરના શિષ્યો શ્રી સોમવિજય વાચક અને વાચકવર કીર્તિવિજય નામના સંસારી બે સગાભાઈઓ હતા. અને ત્યાં=સંસારી બે સગાભાઈ એવા હીરવિજયજી સૂરીશ્વરના બે શિષ્યોમાં, શ્રી કીર્તિવિજય વાચકના શિષ્ય ઉપાધ્યાય વિનયવિજય વડે શાંતસુધારસ નામનો આ ભાવનાનો પ્રબંધ પૂર્વમાં વર્ણન કર્યો એ ભાવનાનો વિસ્તાર, કહેવાય છે. ll૩-૪ll Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શાંતસુધારસ ભાવાર્થ : શ્રી હીરવિજયસૂરીશ્વર મહારાજના બે શિષ્યો હતા એક સોમવિજય વાચક અને બીજા વાચકવર કીર્તિવિજય. તે બન્ને એક માતાના સંસારી પુત્રો હોવાથી સગાભાઈ હતા. તેમાંથી જે શ્રી કીર્તિવિજયવાચક છે એમના શિષ્ય ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી થયા અને તે વિનયવિજયજી મહાત્માએ આ સોળ ભાવનાઓનો વિસ્તાર પ્રસ્તુત ગ્રંથમાં બતાવ્યો છે. ૩-જા શ્લોક : शिखिनयनसिन्धुशशिमितवर्षे हर्षेण गन्धपुरनगरे । श्रीविजयप्रभसूरिप्रसादतो यत्न एष सफलोऽभूत् ।।५।। શ્લોકાર્ધ : શિખિ=ણ, નયન=બે, સિન્ધ=૭, શશિ=૧ એનાથી મિતવર્ષમાં પસ્યાનુપૂર્વીના ક્રમથી અક્ષર દ્વારા મિતવર્ષમાં=૧૭૨૩મા વર્ષે ગંધપુરનગરમાં હર્ષથી=આનંદપૂર્વક, શ્રી વિજયપ્રભસૂરિના પ્રસાદથી આ ગ્રંથ પ્રસ્તુત ગ્રંથ, ચનાનો યત્ન સફલ થયો છે. આપી શ્લોક : यथा विधुः षोडशभिः कलाभिः, सम्पूर्णतामेत्य जगत् पुनीते । ग्रन्थस्तथा षोडशभिः प्रकाशैरयं समग्रैः शिवमातनोतु ।।६।। શ્લોકાર્ચ - જે પ્રમાણે સોળ કળાઓથી સંપૂર્ણતાને પામીને ચંદ્ર જગતને પવિત્ર કરે છે તે પ્રમાણે સમગ્ર એવા સોળ પ્રકાશો વડે આ ગ્રંથ શિવને કલ્યાણને, વિસ્તાર કરો. IIકા. ભાવાર્થ - ચંદ્ર જેમ બીજથી માંડીને પ્રતિદિન કલાની વૃદ્ધિને પામે છે અને પૂનમના દિવસે પૂર્ણ કળાને પ્રાપ્ત કરે છે ત્યારે રાત્રિના વિશે ચાંદનીના પ્રકાશમાં લોકોને શીતળતાનો અનુભવ થાય છે તેમ સોળ પ્રકાશોથી રચાયેલો પ્રસ્તુત શાંતસુધારસ ગ્રંથ યોગ્ય જીવો દ્વારા સમ્યગુ ભાવના કરાય જેનાથી પ્રતિ પ્રકાશ દ્વારા આત્મામાં યોગમાર્ગની વિશેષ કળાએ ખીલે જે યોગી હૈયાને સ્પર્શે તે રીતે આ સોળ પ્રકાશોથી આત્માને ભાવિત કરશે એવા યોગીના શિવનો કલ્યાણનો, મોહધારાના ઉન્મેલન દ્વારા અને પુણ્યાનુબંધી પુણ્યના સંચય દ્વારા આ ગ્રંથ વિસ્તાર કરો એ પ્રકારે ગ્રંથકારશ્રી ભાવના કરે છે. આવા Page #240 -------------------------------------------------------------------------- ________________ રર૩ ઉપસંહાર - પ્રશસ્તિ | શ્લોક-૭ બ્લોક :यावज्जगत्येष सहस्रभानुः, पीयूषभानुश्च सदोदयेते । तावत्सतामेतदपि प्रमोदं, ज्योतिःस्फुरद्वाङ्मयमातनोतु ।।७।। શ્લોકાર્થ : જ્યાંસુધી જગતમાં આ સહસ્રભાનુ સૂર્ય અને પીયૂષભાનુ ચંદ્ર, સદા ઉદય પામે છે ત્યાં સુધી જ્યોતિને ફુરણ કરતા વામય એવો આ પણ=પ્રસ્તુત ગ્રંથ, સંતોના પ્રમોદને વિસ્તારો. Iળા ભાવાર્થ : ગ્રંથકારશ્રી ભાવના કરે છે કે જગતમાં સૂર્ય અને ચંદ્ર સદા વિદ્યમાન છે તેથી તેનું અસ્તિત્વ શાશ્વતકાળ રહેનારું છે. સૂર્ય જેમ જગતમાં પ્રકાશનો વિસ્તાર કરે છે અને ચંદ્ર શીતલતાનો વિસ્તાર કરે છે તેવો વાણીમય આ ગ્રંથ છે. સૂર્યની જેમ આત્માની પારમાર્થિક જ્ઞાનરૂપ જ્યોતિને અને મોહના તિરોધાનરૂપ શીતલતાને આપે તેવો વાણીમય આ ગ્રંથ છે અને સંત પુરુષોને તેના ભાવનથી હંમેશાં આત્માનો પારમાર્થિક બોધ અને ચિત્તની સ્વસ્થતારૂપ શીતલતા પ્રાપ્ત થાય છે તેથી પ્રમોદ થાય છે. આ ગ્રંથ યોગ્ય જીવોને સદા તેવો પ્રમોદ પ્રાપ્ત કરનારો થાઓ. આ પ્રકારે ભાવના કરીને આ ગ્રંથનું અસ્તિત્વ લોકોના ઉપકાર અર્થે સદા વિદ્યમાન રહે તેવો ઉત્તમ અભિલાષ ગ્રંથકારશ્રી કરે છે. llણા શાંતસુધારસ સંપૂર્ણ Page #241 --------------------------------------------------------------------------  Page #242 -------------------------------------------------------------------------- ________________ सकलसंसारभयभेदकं, जिनवचो मनसि निबधान रे / विनय परिणमय निःश्रेयसं, विहितशमरससुधापान रे / / મનમાં સકલ સંસારના ભયના ભેદક એવા 'જિનવચનને નિબંધન કરનાર એવા હે જીવ ! અને કરાયેલા શમરસસુધાપાનવાળા હે વિનય ! તું નિઃશ્રેયસને પરિણમન પમાડ. : પ્રકાશક : કાતાથ ગઈ.' ‘મૃતદેવતા ભવન’, 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. 'ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : 32457410 | E-mail : gitarthganga@yahoo.co.in