________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
સુમતિ મત્રીના આવા વચનથી, નદીના બંધ છૂટો મૂકતાં જેમ જળના ધેાધ વહેવા લાગે તેમ રાજાના હૃદયરૂપી નદીમાં વનમાળારૂપી રહેલા ધેાધ વહી નીકળ્યો. તેણે પેાતાની સવ સ્થિતિ ને પરવશતા સુમતિ મત્રીને જણાવી દીધી, કારણ કે તેની સહાયની અપેક્ષા વિના આ કાર્ય સિદ્ધ થવાની તેને સભાવના નહેાતી. તેણે કાઈ પણ ઉપાયે પેાતાના વનમાળા સાથે મેળાપ કરી આપવાની મત્રી પાસે માગણી કરી અને વિશેષમાં જણાવ્યું કે—“વનમાળા સિવાયની એક પળ પણ મને વષ જેવડી માટી જણાય છે માટે બનતા પ્રયાસે પહેલામાં પહેલી તકે તે મને પ્રાપ્ત થાય તેવા પ્રયાસ કર. ” છેવટે મંત્રીના આશ્વાસનજનક વાર્તાલાપથી રાજાના કામવર કઇક અશે શાંત થયા. સધ્યાકાળ થતાં રાજા પોતાના પરિવાર સાથે રાજમહેલે પા ફર્યાં.
ખરેખર કામ-પીડા દુઃસહ્ય છે. ભલભલા ચેાગીએ અને મહાન તપસ્વીઓને પણ પુષ્પધન્વાએ પાતાના ધનુષ્યના એક ટંકાર માત્રથી વશીભૂત કર્યાં છે તે સુમુખ જેવા રાજવીનું તેની પાસે શુ' ગજું' ? ખરેખર કામીપુરુષ માટે એક કવિએ યથાથ જ કહ્યુ છે કે—
=
८
दिवा पश्यति नेा घूकः काकः नक्तं न पश्यति । अपूर्वः केाऽपि कामान्धः, दिवानक्तं न पश्यति ॥ અર્થાત્ ઘૂવડ દિવસે જોઈ શકતા નથી, કાગડા રાત્રિએ જોઇ શકતા નથી પણ કામી પુરુષ તા એવા અપૂર્વ અંધ બની ગયા હાય છે કે તે દિવસે અગર તે રાત્રિને વિષે પણ જોઈ શકતા નથી (અર્થાત્ સારાસારના વિચાર કરી શકતા નથી. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com