________________
ખરેખર, દુનિયા ને અપૂર્વ સુખનું સાધન માને તે રમણીરત્ન છે પોતાની પાસે હોય, એટલું જ નહિ પણ જેની સાથે તાજો જ યોગ હરિ છે થયો હોય તેની હાજરીમાં પર્વત ઉપર રહેલા એક મુનિવરના દર્શન * માત્રથી જેને તે મુનિવરના ચરણકમલમાં શિર ઝુકાવવાનું મન થાય, તે આત્મા કેવો ઉચ્ચ કોટિનો હોવો જોઈએ ? એ વિચારો ! અને હું સાથે-સાથે એ પણ વિચારો કે મશ્કરીમાં પણ “શું આપનું મન દીક્ષા છે લેવાનું છે ? અને જો એમ જ હોય તો તે કાર્ય આજે જ કરો, પણ વિલંબ ન કરો ! કારણકે એ કાર્યમાં હું સહાયક છું.' આ પ્રમાણેના ઉદ્ગારો કેવા આત્માના અંતરમાંથી નીકળે !
આજે તો પ્રાય: આવો પ્રસંગ કર્મબંધનું જ કારણ થઈ પડે, કારણ કે પ્રથમતો આવા પ્રસંગે સામે આવતા મુનિવર તરફ દૃષ્ટિ જાય જ નહિ અને કદાચ અચાનક દૃષ્ટિ મુનિવર તરફ પહોંચી જાય અથવા તો મુનિવર જ દૃષ્ટિ સામે આવી જાય તો પણ અંતરમાં દર્શન કે વંદન કરી લેવાની ભાવના જ પ્રાયઃ નહીં થાય, પણ ઉલટું એમ જ થશે કે આ તો સંસારીઓના ઘર ભેગાવનારા અને લોકોને મુંડી- ૨ મુંડીને વસતિ ઘટાડનારા. ખરેખર, આ સાધુઓ જ દુનિયામાં ઉપદ્રવ ? મચાવનારા છે અને આમ થવાથી હદયમાં રહેલા અને વચન દ્વારા છે, બહાર નીકળી પડતાં ભયંકર ઉદ્ગારોના પરિણામે આજુ-બાજુની જનતામાં કેવળ મુનિનિંદાનું જ કારમું વાતાવરણ પ્રસરી જશે, ત્યાં પછી મુનિદર્શન, દીક્ષા ગ્રહણ અને તેમાં સહાય વગેરેની વાતો તો છે. સાંભળવાની નીકળે જ શાની ?
સાચે જ શ્રી વજુબાહુ અને શ્રી ઉદયસુંદર જેવા પુણ્યશાળીઓની વચમાં ઉપસ્થિત થયેલા મશ્કરીના નિમિત્તનો અને થયેલી મશ્કરીના પ્રકારનો આજના ભણેલા ગણાતાઓએ ખાસ અભ્યાસ કરવા જેવો છે, અને એ અભ્યાસ દ્વારા પોતાની જબાન ઉપર અને લેખિની ઉપર ભારેમાં ભારે અંકુશ મૂકવા જેવો છે, અન્યથા એ બિચારાઓ ચારિત્રભેદિની' વિકથા કરી-કરીને આ અતિશય દુર્લભ એવા માનવજીવનને કારમી રીતે હારી જવાના છે,
ઉત્તમ કુળ
જ અનુપમ મહિમા....૧