________________
સીત. ભાગ-૨
રામ-લક્ષમણને
रेजे राजा दशरथ - श्चतुभिरपि तैः सुत्तैः । गजढन्ताकृतिनगै - रिव मेरुमहीधरः ॥
“ગજદૂતોની આકૃતિવાળા પર્વતોથી જેમ શ્રી મેરુ નામનો મહિધર શોભે છે તેમ તે ચારે પણ પુત્રોથી શ્રી દશરથ મહારાજા શોભે છે. અર્થાત્ શ્રી દશરથ મહારાજા શ્રી મેરુ પર્વતની જેમ દીપે છે.”
કામાતુર અધમ આત્માની કરપીણ વૃત્તિ આ શ્રી જંબુદ્વિપમાં આવેલા આ જ ભરતક્ષેત્રમાં એક ઘરૂ નામનું ગામ હતું. એ ગામમાં વસુભૂતિ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે | ૧૮૦
બ્રાહ્મણને અનુકોશા નામની પત્ની હતી. અનુકોશા નામની પત્નીથી વસુભૂતિ બ્રાહ્મણને અતિભૂતિ નામનો પુત્ર થયો. એ અતિભૂતિ અને સરસા નામની પત્ની થઈ. અતિભૂતિની પત્ની સરસાની ઉપર કયા નામના એક બ્રાહ્મણને રાગ ઉત્પન્ન થયો એ રાગના પ્રતાપે તેણે છળથી એક દિવસે તેનું અપહરણ કર્યું. આ બનાવને ઉદ્દેશીને જ કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે, 'હિં ન Qર્થાત્ ઐરતુર” કામદેવથી પીડાતો આત્મા શું ન કરે? અર્થાત્ કામદેવથી પીડાતો આત્મા સઘળાંય પાપો કરવા માટે નિર્લજ્જ હોય છે.
કામાતુર આત્માની આવી પ્રવૃત્તિથી સમજી શકાશે કે કામાતુર આત્માની વૃત્તિને કરપીણ થતાં વાર નથી લાગતી. કામાતુર આત્માઓ પોતાની કામ લાલસાઓને સંપૂર્ણ કરવા માટે સામાં આત્માનું શું થશે? તેની એક લેશ પણ ચિંતા નથી કરતા. એ
ચિંતાના અભાવે તેઓને અકરણીય કરવામાં કશો જ સંકોચ નથી જી થતો. અન્યથા પરસ્ત્રીઓનું હરણ એ શું ઓછી ભયંકર વસ્તુ છે ? હતીએ ગમે તેવી ભયંકર વસ્તુ હોય પણ કામાતુર આત્માઓ પોતાની
તેવી વૃત્તિને યોગે એક ક્ષણમાં અકાર્ય કરી નાંખે છે. એ જ રીતે કયા નામના બ્રાહ્મણે અતિભૂતિની સરસા નામની પત્નીનું છળપૂર્વક અપહરણ કર્યું.