________________
ભામંડલકુમારની કામાવસ્થાથી દુર્દશા શ્રી સીતાજીના અનુપમ રૂપદર્શનથી શ્રી ભામંડલકુમારની દશા હતા? કેવી થઈ એનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી રે હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા જણાવે છે કે,
सद्यो भामंडलो भूते - नेवाकामि मनोभुवा । लेभे न जातुचिबिढ़ां, विंध्याकृष्ट इव द्धिपः ॥११॥ વુમુને નહિ મોન્યાન, વૈયન્તિલ પવી ન જ अवतस्थे च मौनेन, योगीव ध्यानतत्परः ॥२॥
“શ્રીમતી સીતાના રૂપ દર્શનની સાથે જ એકદમ ભૂત જેમ આક્રમણ કરે તેમ કામદેવે શ્રી ભામંડલકુમાર ઉપર આક્રમણ કર્યું. કામદેવના આક્રમણથી આક્રમિત થયેલા શ્રી ભામંડલને, વિધ્યાચલ ઉપરથી ખેંચી લાવેલા હાથીને જેમ નિદ્રા ન આવે તેમ નિદ્રા પણ આવતી બંધ થઈ ગઈ. કામદેવના આક્રમણથી શ્રી ભામંડલકુમારે ખાવાનું પણ બંધ કર્યું, અને પીવાનું પણ બંધ કર્યું, એટલું જ નહિ પણ એક કામદેવથી પરવશ બનેલો શ્રી ભામંડલકુમાર ધ્યાનમાં તત્પર એવા યોગીની જેમ બિલકુલ ચાલવું પણ બંધ કરીને મૌનપૂર્વક જ રહેવા લાગ્યો.”
કામાવસ્થા આત્માની કેવી દુર્દશા કરે છે ! આ વાત આ બનાવ ઉપરથી સારી રીતે સમજી શકાય તેમ છે. વિષયના વિષમ વિપાકને નહિ સમજી શકનારા આત્માઓ સમક્ષ કામોત્પાદક વસ્તુઓનું પ્રદર્શન કેટલું કારમું નિવડે છે ? એ વાત પણ આ પ્રસંગ ઉપરથી વિચારી લેવી જોઈએ એવી વસ્તુઓનાં દર્શન માત્રથી આવા આત્માઓ એવા પરાધીન બની જાય છે કે એ પરાધીનતાના પ્રતાપે તેઓ સર્વ આત્મભાન વિસરી જાય છે. કામાવસ્થાની પરાધીનતાના પ્રતાપે આત્મા કોઈ જુદી જ જાતનો યોગી બની જાય છે. શાસ્ત્ર વર્ણવેલા યોગીઓ જેમ મુક્તિની આરાધનામાં અર્પિત થઈ ગયેલા હોય છે, તેમ કામને પરવશ બનેલા આત્માઓ રમણીય રૂપની આરાધનામાં જ અનુરક્ત બની જાય છે એવા આત્માઓને એ જ સિવાયનું બોલવું-ચાલવું પણ નથી ગમતું. ખાવું પીવું પણ નથી ગમતું અને નિદ્રા પણ તેઓનો ત્યાગ કરી જાય છે. ખરેખર, આવી જાતની દશા એ આત્માને કારમી રીતે દુર્ગતિમાં ઘસડી જાય છે.
કુલીન ઘરબાર
ખાનદાન ઝળકી ઉઠે છે....૯