Book Title: Jain Ramayan Part 02
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan

View full book text
Previous | Next

Page 333
________________ પરિવાર સાથે મહારાજા પણ પાછળ રિ વાપ્પાથમાળો રાના, સાંત:પુરવરિષ્ઠ 2 द्रुतमन्वसरदाम-माकृष्टः स्नेहरज्जुभिः ।। આ બનાવ બનવાથી અશ્રુ ઝરતા શ્રી દશરથમહારાજા પણ પોતાના અંત:પુરને પરિવારની સાથે સ્નેહરૂપ રજુથી ખેંચાયા અને એકદમ શ્રી 8 રામચંદ્રજી પાછળ ચાલ્યા. ખરેખર મોહનું સામ્રાજ્ય ભયંકર છે. સંયમને સાધવા માટે સંવેગરસમાં ઝીલતા બનેલા શ્રી દશરથ મહારાજા પણ વ્યવસ્થા કરવાની કારવાઈમાં આ દશાને પામ્યા. પોતાના વચન પાલન ખાતર બંને પુત્રોને અને પુત્રવધૂને વનમાં જવું પડે છે, એ બનાવને સ્નેહવશ નહિ જોઈ શકવાથી એમનાં નેત્રોમાંથી પણ નીરધારા વહી રહી છે. સ્નેહરજ્જુના કારમાં આકર્ષણથી એ પણ નીતરતી આંખે શ્રી રામચંદ્રજીની પાછળ નીકળ્યાં. ખુદ શ્રી દશરથ મહારાજાને પણ શ્રી રામચંદ્રજીની પાછળ ચાલતા જોઈને તે મહારાજાનું અંતઃપુર અને પરિવાર પણ તેમની સાથે શ્રી રામચંદ્રજીની પાછળ જવા નીકળ્યો. આ રીતે સૌ કોઈ શ્રી રામચંદ્રજીની પાછળ ચાલી નીકળવાથી અયોધ્યાનગરીનો દેખાવ કેવો થઈ ગયો એનું વર્ણન કરતાં પણ ચરિત્રકાર પરમર્ષિ ફરમાવે છે કે : द्रुतं राजि जने चापि, रामभदानुगामिनि । नगर्ययोध्या समभू- दुद्धसेव समंततः ।। એકદમ રાજા અને લોક પણ રામભદ્ર એટલે શ્રી રામચંદ્રજીની પાછળ ચાલી નીકળવાથી ચારે બાજુથી અયોધ્યા નગરી જનરહિત ઉજ્જડ જેવી બની ગઈ.” ૩૧૫ વિચારો કે આ સમયે એ આખીય મનોહર નગરી કેવી અને કેટલી ભયાનક ભાસતી હશે ? બિચારી શ્રીમતી કૈકેયીને તો ખબર પણ નહિ હોય કે મારી એક માગણીથી આવું ભયંકર પરિણામ આવશે ? આખી નગરીની હાલત ખાવા ધાય એવી બની ગઈ છે. આખી અયોધ્યા નગરીમાં કોઈ પણ આદમી દૃષ્ટિગોચર ન થાય એટલે એ સુંદર નગરી પણ ખાવા ન થાય તો કરે પણ શું? શ્રી રામચન્દ્રજીતે ? વનવસ...૧૨

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358