________________
શત... ભાગ-૨
રિઅમ-લક્ષ્મણને
“ જેમ પ્રાણો નીકળતા હોય તે વખતે પ્રાણીઓ જેવી કષ્ટકારી દશાને પામે છે, તેવી દશાને અયોધ્યાનગરીના પુરુષો અને સ્ત્રીઓ શ્રી સીતાજી, શ્રી રામચંદ્રજી અને શ્રી લક્ષ્મણજીના નીકળવાથી પામ્યા."
ખરેખર, આવા પુણ્યાત્માઓના આવી રીતના પ્રયાણથી નગરીના લોકો આવી દશાને પામે એ કાંઈ આશ્ચર્યરૂપ નથી. સજ્જન આત્માઓનો વિરહ સૌ કોઈને સાલે એ સ્વાભાવિક છે. આવા આત્માઓનું આવી રીતનું પ્રયાણ કોઈને પણ સાલ્યા વિના રહે જ નહીં. જે ત્રિપુટીને સૌ કોઈ માને તે ત્રિપુટી આ રીતે ચાલી
નીકળે એ સૌથી કેમ જ ખમાય ? શ્રીમતી સીતાદેવી જેવી મહાસતી ૩૧છે અને શ્રી રામચંદ્રજી અને શ્રી લક્ષ્મણજી જેવું અજોડ બાંધવયુગલ
એકાકીપણે સર્વસ્વ તજીને વનવાસ માટે નીકળે એ જોઈને પાષાણ હદય પણ પીગળ્યા વિના કેમ જ રહે ? નગરીના પ્રત્યેક નાનું અને પ્રત્યેક નારીનું હૃદય આ ત્રણેય પુણ્યાત્માઓના આ જાતના પ્રયાણથી કારમી રીતે ઘવાયું અને એથી નગરના નરો અને બારીઓ કષ્ટમય દશાનો અનુભવ કરવા લાગ્યા અને આ રીતે અયોધ્યા નગરીના લોકો એ ત્રણ શ્રી રામચંદ્રજી, શ્રી લક્ષ્મણજી અને શ્રીમતી સીતાદેવીના પ્રયાણથી કષ્ટમય દશાને પામીને બેસી જ રહી એમ ન બન્યું પણ
વેચાત્તાનત્ત્વઘાવ-ગુરાવા વારીયસ ? નારા: odય-વિધ્યોરાશાય: ૪
ફર શ્રીમતી કૈકેયી અને વિધિ ઉપર આક્રોશ કરતા થકા તે લોકો ભારે રાગથી તે ત્રણેની પૂંઠે વેગપૂર્વક ઘડવા લાગ્યા.”
લોકોનો સ્વભાવ છે કે દુઃખી થવાના પ્રસંગે વસ્તુસ્થિતિનો વિચાર નહિ કરતા દુઃખમાં નિમિત્તરૂપ થયેલી વસ્તુ અને વિધિ પ્રત્યે ગુસ્સે થવું એ સ્વભાવને અનુસરીને અયોધ્યા નગરીના લોકો પણ છે આ બનાવમાં તો તે આત્માઓના પૂર્વે પ્રમાદ આદિ તરફ લક્ષ્ય નહિ ( પી. દેતા સીધા જ નિમિત્તરૂપ બનેલી શ્રીમતી કૈકેયી ઉપર પણ આક્રોશ અન્ન કરવા લાગ્યા. આક્રોશ કરવા છતાં પણ એ ત્રણે પુણ્યાત્મા ઉપરના આ ભારે અનુરાગે તેઓને બેસવા ન દીધા પણ વેગપૂર્વક તે ત્રણેની પૂંઠે
દોડતા બનાવ્યા. આથી નગરીના લોકો ક્રૂર શ્રીમતી કૈકેયી અને વિધિ હૈઉપર આક્રોશ કરતાં કરતાં વેગપૂર્વક એ ત્રણેની પાછળ દોડ્યાં.