________________
8-cd ""P???
૩૩૨
.........મ-લક્ષ્મણન
૩. આ જે કારમો બનાવ બની ગયો તેમાં તારા પિતાનો કે ભરતનો દોષ નથી, પણ સ્ત્રીસ્વભાવથી સુલભ એવો આ દોષ આ તારી માતા કૈકેયીનો જ છે.
૪. ખરેખર, હું દોષની ખાણ જ છું. એ જ કારણે એક કુલટાપણાના દોષને છોડીને જેટલા ઘેષો ભિન્ન ભિન્નપણે સ્ત્રીઓમાં રહેલા હોય છે. તે સઘળાં દોષો મારા પોતામાં પણ વાસ કરીને રહેલાં છે.
૫. પતિને, પુત્રોને અને માતાઓને આ અતિશય દુ:ખ ને કરનારું જે કાર્ય છે, તે હે વત્સ ! તું સહન કર, કારણકે તું સમજુ ને ઉઘર છે.
શાન્તિ અને સદ્ભાવભર્યો જવાબ
નીતરતી આંખે એવું-એવું બોલતાં શ્રીમતી કૈકેયીમાતા પ્રત્યે એક સુપુત્રને છાજતો શાંત અને સદ્ભાવપૂર્વક જવાબ આપતા શ્રી રામચંદ્રજીએ કહ્યું કે,
X X X X X X X X X X X X X ?
તાતસ્ય સુનુ મ્રૂત્વાä, પ્રતિજ્ઞાત ત્યનાભિ વમ્ શ્ર तातेन दत्तमेतस्मै, राज्यं हानुमतं मया अस्त्वन्यथा कथंकारं, वाग् द्वयोर्जीवतोरपि ॥२॥
‘હે માતાજી ! હું શ્રી દશરથમહારાજા જેવા પિતાનો પુત્ર થઈને મેં સ્વીકારેલી પ્રતિજ્ઞાને કેમ ત્યજું ? પિતાજીએ આ શ્રી ભરતને રાજ્ય આપ્યું છે અને મેં વનવાસ માંગેલ છે. તો એ વાણી અમારા બેના જીવતાં છતાં અન્યથા કઈ રીતે થાય ?
ܐ
શ્રી રામચંદ્રજીએ આવા પ્રકારનો જવાબ દઈ પોતાને લેવા માટે આવેલા માતા અને ભાઈને એકદમ મૂક જ બનાવી દીધા. આ જવાબમાં શ્રીરામચંદ્રજીએ સાફ-સાફ સૂચવી દીધું કે, દશરથ રાજાનો દીકરો પોતાની પ્રતિજ્ઞાને તજે એ કલંક છે. અને શ્રી દશરથમહારાજાની અને પુણ્ય પિતાના પુત્ર રામની વાણી એ ઉભયના જીવતાં તો અન્યથા ન જ થાય.
પોતાની પ્રતિજ્ઞા અને પોતાની વાણીનો જેને ખ્યાલ હોય એવા આત્માઓ પ્રાણાન્તે પણ પોતે જ સ્વીકારેલું હોય તેને અન્યથા નથી કરી શકતાં. પિતાનું વચન સફળ કરવા માટે વનવાસ સ્વીકારવાનું બોલીને ચાલી નીકળેલા શ્રીરામચંદ્રજી અયોધ્યામાં પાછા ફરીને