Book Title: Jain Ramayan Part 02
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan

View full book text
Previous | Next

Page 338
________________ 8-20). રિમ-લક્ષમણને પ્રયાણ ચાલુ જ રાખ્યું. અને તેઓએ કોઈ પણ સ્થાને પોતાની સ્થિરતા કરી નહિ. એ જ કારણે ચરિત્રકાર પરમર્ષિ ફરમાવે છે ग्रामे ग्रामे ग्रामवृ? - महेभ्यैश्च पुरे पुरे । प्रार्थ्यमानोऽप्यवस्थातुं, काकुत्स्थो न ह्यवास्थित ॥ અર્થાત્ ગામમાં વૃદ્ધ પુરુષો દ્વારા, દરેકે દરેક, ગામમાં, અને મહેલો દ્વારા દરેકે દરેક પુરમાં રહેવાને માટે પ્રાર્થના કરાતા એવા પણ શ્રી રામચન્દ્રજીએ, કોઈપણ ગામમાં કે કોઈપણ પુરમાં અવસ્થિતિ કરી નહિ.” ભરતજીનો આક્રોશ આ પ્રમાણે શ્રી રામચંદ્રજીના ચાલ્યા જવા પછી શ્રી દશરથ ૩૨૦ મહારાજાએ શ્રી ભરતને રાજ્ય દેવા માંડ્યું પણ શ્રી ભરતે રાજ્યને ગ્રહણ ન કર્યું. इतश्च भरतो राज्यं, नाढढे किंतु प्रत्युत । कैकेयी स्वं च चुक्रोश, स्वभ्रातृविरहासहः ॥ “અર્થાત્ એકબાજુએ શ્રી રામચન્દ્રજી, શ્રી સીતાજી અને શ્રી લક્ષ્મણજીની સાથે વનવાસ સીધાવી ગયા અને બીજી બાજુએ શ્રી ભરતે, રાજ્યને ગ્રહણ ન કર્યું. કિંતુ પોતાના બંધુના વિરહને નહિ સહી શકતા તે ઉલટા પોતાની માતા કૈકેયી ઉપર અને પોતાની જાત ઉપર આક્રોશ કરવા લાગ્યા.” શ્રી ભરતજીની આ દશા ઉપર ખૂબ જ વિચાર કરવાની આવશયકતા છે. આ રીતે પોતાના પૂજ્ય પિતાશ્રીની આજ્ઞાથી રાજ્યનો સ્વીકાર નહિ કરતા અને પોતાની માતા ઉપર આક્રોશ કરતા શ્રી ભરતજી ઉપર આજ્ઞાભંજકપણાનો કે અવિનિતપણાનો આરોપ કોઈ મૂકી શકે તેમ છે? અજ્ઞાન આત્માઓ ભલે જ એવો આરોપ મૂકવાની ઉતાવળ કરે. પણ વસ્તુમાત્રનો વિવેકબુદ્ધિથી વિચાર કરનારા વિચક્ષણ આત્માઓએ શ્રી ભરતજી ઉપર એવી જાતનો આરોપ મૂક્યો પણ નથી, મૂકતા પણ નથી અને મૂકશે પણ નહિ. અકર્તવ્ય કરવામાં તત્પર થયેલી માતા ઉપર સુપુત્રને આક્રોશ ” કરવાનું મન થાય એ સહજ છે. સુપુત્ર જેમ માતાની યોગ્ય આજ્ઞાના 22 પાલન માટે મરી ફીટવાને તૈયાર હોય તેમ અયોગ્ય આજ્ઞાનું પાલન 8 તાકાત હોય તો પ્રાણાંતે પણ ન કરે. સાચી સુપુત્રતા ત્યારે જ બને છે છે કે માતા-પિતાની હિતકર આજ્ઞાનું પાલન કરવું અને અહિતકર હું આજ્ઞાથી બચતા રહેવું. પુત્રોએ સુપુત્ર બનવા માટે શ્રી ભરતજીનું - દૃષ્ટાંત પણ હૃધ્યપટ ઉપર કોતરી રાખવા જેવું છે. ભરતજી સુપુત્ર

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358