Book Title: Jain Ramayan Part 02
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan

View full book text
Previous | Next

Page 344
________________ &-0:00 ? આત્માઓની ઉત્તમતા ખરેખર, હેરત પમાડનારી હોય છે. પોતાની ભૂલનું પરિણામ આવું જ આવશે એમ જો કૈકેયી જાણત તો તે આવું આચરત જ નહિ, પણ નહિ જાણવાથી આચરાઈ ગયું છે. અને જ પરિણામ જોવાથી ભૂલ સમજાઈ. સમજાવાની સાથે જ પશ્ચાતાપ થયો અને એના પરિણામે તેણે હું વગર વિચાર્યું કરનારી અને પાપિણી છું. એવો એકરાર પણ કર્યો. એ એકરાર બનાવટી નહોતો પણ સાચો હતો. કારણકે તે પોતે ભરતની સાથે જઈ રામ-લક્ષ્મણને પાછા લાવવાની આજ્ઞા માંગે છે. આવી ઉત્તમતા પણ જો માનવીમાં આવી જાય તો યે ઘણો લાભ થાય. પણ આવી ઉત્તમતા આવવી એ ૩૨૩ સહજ નથી. પરના દુઃખે સુખી થવાની ઈચ્છા એ કારમી અધમતા છે. અને એ અધમતા કૈકેયીદેવીમાં ન જ હતી. પોતાની માંગણી અનેકને 'S દુ:ખરૂપ થઈ એ જોઈને એ કૈકેયીદેવીનું હદય પીડાવા લાગ્યું. અને એ પીડાથી તે પોતાની ભૂલને જાતે જ સુધારવા તૈયાર થયા. આ ઉત્તમતા પણ કાંઈ સામાન્ય કોટીની નથી. આવી ઉત્તમતા પણ જગતના માનવીઓમાં આવી જાય તો અનાયાસે અનેક ઉપાધિઓ ટળી જાય. પરસ્પરનું વાત્સલ્ય અને અપૂર્વ સદ્દભાવ પોતાની ધર્મપત્ની શ્રીમતી કૈકેયીને આ પ્રકારની માંગણી કરતી જોઈને શ્રી દશરથમહારાજા ઘણા જ ખુશ થયા. ખુશ થયેલા મહારાજાએ શ્રીમતી કૈકેયીદેવીને માંગણી મુજબ કરવાની આજ્ઞા આપી. પતિની આજ્ઞા પામીને અતિશય ઉતાવળ કરીને શ્રીમતી કૈકેયીદેવીએ પોતાના પુત્ર શ્રી ભરત અને અન્ય મંત્રીઓની સાથે શ્રી રામચંદ્રજી પાસે જવાને માટે ચાલી નીકળ્યા. વેગબંધ પ્રયાણ કરતાં શ્રીમતી કૈકેયીદેવી અને શ્રી ભરત બંનેય, છ દિવસની અંદર જે વનમાં શ્રી રામચંદ્રજી છે તે વનમાં પહોંચી ગયા અને એક વૃક્ષના મૂળમાં બેઠેલ શ્રીમતી સીતાદેવીને, શ્રીરામચંદ્રજી અને શ્રી લક્ષ્મણજીને એમ રિમ-લઢમણને છે ત્રણેયને જોયાં. શ્રીમતી કૈકેયીમાતાને શ્રી રામચંદ્રજી પ્રત્યે કેટલું વાત્સલ્ય છે? UP અને શ્રી રામચંદ્રજીને શ્રીમતી કૈકેયીમાતા પ્રત્યે કેટલો સદ્ભાવ છે ? R એ બેય વસ્તુ આ પ્રસંગે ખાસ જોવા જેવી છે. શ્રીમતી કૈકેયીદેવીએ E વૃક્ષ નીચે બેઠેલા શ્રી રામચંદ્રજીને જોયા કે તરત જ તે 'હે વત્સ ! હે B વત્સ !” આ પ્રમાણે બોલતાં એકદમ રથમાંથી ઉતરીને શ્રી રામચંદ્રજી

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358