________________
સીત.... ભાગ-૨
२१
રિામ-લક્ષ્મણને
પોતાના પુત્ર શ્રી ભામંડલકુમારને તેવા પ્રકારની કારમી અવસ્થામાં જોઈને દુ:ખી બની ગયેલા ચંદ્રગતિ નામના નરપતિએ પોતાના તે પુત્રને આવું દુઃખનું કારણ શું આવી પડ્યું છે એ જાણવા માટે પૂછ્યું કે
X X X X X X X X X X X X X X 1 किमाधिर्बाधते कोऽपि, त्वामथ व्याधिवोद्धतः ॥१॥ किमानाखंडनं केना - प्यकारि भवतोऽथवा । अन्यदा हि हे वत्स ! यत्ते दुःखस्य कारणम् ॥२॥
“હે વત્સ ! શું તને કોઈ આધિ એટલે માનસિક પીડા બાધિત કરે છે કે કોઈ પણ ઉદ્ધત વ્યાધિ બાધિત કરે છે ? અથવા તો કોઈએ પણ તારી આજ્ઞાનું ખંડન કર્યું છે કે કોઈ બીજું જ તારા દુઃખનું કારણ છે ? અર્થાત્ હે પુત્ર ! આ તારા દુઃખનું જે કંઈ કારણ હોય તે તું કહે.'
કુલીનની કુલીનતા પિતાના આ પ્રકારના પ્રશ્નથી શ્રી ભામંડલકુમાર લજ્જાથી બેય પ્રકારે અધોમુખ થઈ ગયો. પિતાના પ્રશ્નથી કુમારના મનમાં એક તો પોતાની આવી પરાધીનતાની પણ લજ્જા આવી અને પોતાના પિતા પોતાની આવી દશા જાણી ગયા એથી પણ લજ્જા આવી એટલે પિતાના પ્રશ્નનો ઉત્તર આપવાની તાકાત તો તેની હણાઈ જ ગઈ, પણ ઉંચુ મુખ કરીને પિતાના મુખ સામે જોવાની તાકાત પણ તેનામાં રહી શકી નહીં.
શ્રી ભામંડલકુમારની એવી સુલજ્જ દશાની પ્રશંસા કરતાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે -
ગુરુ તારવ્યd, jનીની:” કુલીન આત્માઓ ગુરુઓની, વડિલોની સમક્ષ તેવા પ્રકારની વાત કહેવાને કેમ જ સમર્થ થઈ શકે ? અર્થાત્ ન જ થઈ શકે.
055