________________
-c)
મહારાણી વિદેહાનો વિલાપ
જનકરાજાનું આશ્વાસન आचख्यौ जनकस्तच्च, वृत्तं निशि तदैव हि । महादेव्या विदेहायाः सद्यो हृदयशल्यदम् ॥१॥
ત્યારબાદ વિદેહા મહાદેવીના હૃદયમાં એકદમ શલ્ય દેનારું જે વૃત્તાંત રાત્રિમાં બન્યું હતું તે સઘળુંય શ્રી જનક મહારાજાએ તે જ સમયે શરૂથી માંડીને અંત સુધી કહી શૈધું.”
એ હૃદયમાં શલ્ય નાખનારું વૃત્તાંત સાંભળતાની સાથે જ દૈવ | ૨૨ર પ્રત્યે ઉપાલંભ આપતાં વિદેહાદેવીએ એ પ્રમાણે રોવા માંડ્યું કે હે
અત્યંત ઘાતકી દેવ શું તને મારા પુત્રનું હરણ કરવા છતાં પણ તૃપ્તિ નથી થઈ કે જેથી તું મારી પુત્રીનું હરણ કરશે ? લોકમાં પુત્રી માટે વરનો સ્વીકાર પોતાની ઈચ્છાથી કરવામાં આવે છે. પણ પારકાની ઈચ્છાથી નહિ, પરંતુ મારે માટે તો દેવયોગે પારકી ઇચ્છાથી વરનો સ્વીકાર કરવાનો અવસર આવ્યો છે. બીજાની ઈચ્છાથી પ્રતિજ્ઞાત કરેલ આ ધનુષ્યનું આરોપણ જો રામ કરી શકે નહિ અને અન્ય કોઈ કરે તો જરૂર મારી પુત્રીને અનિષ્ટ વરની પ્રાપ્તિ થાય. આ દશામાં મારું અને મારી પુત્રીનું શું થાય ?'
આ પ્રમાણે કરુણાજનક વિલાપ કરતી વિદેહાદેવીને આશ્વાસન આપતાં જનક મહારાજાએ નિશ્ચયાત્મક શબ્દોમાં કહો કે “હે દેવી ! તું એક લેશ પણ ભયને ન પામ. કારણકે મેં શ્રી રામચંદ્રજીનું બળ જોયું છે. એટલે હું કહું છું કે તે ધનુષ્ય શ્રી રામચંદ્રજીને એક સામાન્ય લતા જેવું છે. અર્થાત્ શ્રી રામચંદ્રજી એવા પરાક્રમી છે કે એક લતાને જેમ સહેલાઈથી વાળી શકાય તેમ તે ધનુષ્યને વાળી શકશે. એટલે હે દેવી ! તારે તે સંબંધમાં કશી જ ભીતી રાખવાની નથી.'
આ પ્રમાણે શ્રી રામચંદ્રજીના પરાક્રમનો ખ્યાલ આપીને જનક મહારાજાએ શ્રીમતી વિદેહાદેવીને સમજાવીને શાંત કરી દીધી.
રિામ-લક્ષમણ
INDI