________________
-cી
રિમ-લક્ષ્મણને
પણ તારું મન ન હોય તો પણ તે પુત્ર ! તારે મારા વચન મુજબ જ કરવું એ જ યોગ્ય છે. કારણકે સંગ્રામમાં તારી માતાના સારથીપણાથી તુષ્ટમાન થયેલાં મેં તારી માતાને એક વરદાન આપેલ અને એ વરદાન આજે તારી માતાએ મારી પાસે માંગતાં તને રાજ્ય ઉપર સ્થાપન કરવાનું માંગેલ છે. એ કારણે હું તને કહું છું કે તું રાજ્યગાદી ઉપર બેસીને આ પૃથ્વીને પાલન કર."
સંવાદ ઉપરથી સમજવા યોગ્ય વાતો ર૦ આ આખોએ પિતા-પુત્રનો સંવાદ ઘણી-ઘણી વાતો સમજાવે છે જેમકે
૧. પ્રથમ તે સંવાદ : વડીલો, પોતાના વડીલપણાને કઈ રીતે સાચવે છે? એ સમજાવે છે. વડીલોએ વડીલપણાના મદને આધીન થઈ જઈને આશ્રિતો ઉપર કારમાં હુકમો ફરમાવવા એ પોતાના વડીલપણાનો નાશ પોતાના હાથે જ કરવાની કારવાઈ છે. એવી કારવાઈ ખાસ કારણ વિના કોઈપણ વિવેકી વડીલ કરે જ નહિ. શ્રી દશરથ મહારાજા શ્રી રામચંદ્રજીને ફરમાવી શકતા હતા કે આ રાજ્ય તને આપવાનું નથી પણ શ્રી ભરતને આપવાનું છે. પણ આ પ્રમાણે નહિ કહેતા શું કરવું એ કહેવાની ફરજ શ્રી રામચંદ્રજી ઉપર જ નાંખી. આવી સ્થિતિમાં ઔચિત્યવાદી, આશ્રિત, વડીલની ઇચ્છાથી વિપરીત તો બોલી શકતો જ નથી અને બન્યું પણ તેમ જ. વડીલ જો વિવેકી અને વિચક્ષણ બને તો આશ્રિતોને મોટે ભાગે નમ્ર તથા આજ્ઞાપાલક બચે જ છૂટકો છે. આજ્ઞા કરનારે આજ્ઞા પાળવા ઇચ્છનારને આજ્ઞાપાલનની સામગ્રી પૂરી પાડવી જ જોઈએ. પ્રભુનું શાસન જો બરાબર સમજવામાં આવે તો સમજી શકાય તેમ છે કે પ્રભુનું શાસન એટલે કલ્યાણના અથ આત્માઓને આજ્ઞાપાલનની અનુપમ સામગ્રી. પ્રભુએ સૌ સૌની ભૂમિકાને
ઉચિત જ આજ્ઞા ફરમાવી છે. કોઈપણ આત્મા અશક્તિના યોગે ૯ આજ્ઞાનો વિરાધક બને એવી એક પણ આજ્ઞા પ્રભુએ ફરમાવી નથી.