________________
ઉઘાડું સત્ય પણ કેમ જ સમજાય ? આજે દુન્યવી હિત માટે જેટલું સહન થાય છે તેટલું જ જો સ્વ-પરના આત્મિક હિત માટે સહન થાય તો ધાર્યું કાર્ય સિદ્ધ થાય અને દુનિયા અનેક ખોટી આફતમાંથી બચે તથા તેનું ભવિષ્ય રૂડું બને પણ શુભોદય અને તથાવિધ ભવ્યતાનો પરિપાક થયા વિના એ બને જ શાનું ?
ભરતની એકાંતે અનુકરણીય અનુપમ દશા
જેનો શુભોદય હોય છે અને જેની તથાવિધ ભવ્યતાનો ૨૭ પરિપાક થયો હોય છે. તે આત્માની દશા જ કોઈ અનુપમ હોય છે. આ વાત સમજવા માટે શ્રી ભરતનું ઉદાહરણ અનુપમ છે. ખરેખર શ્રીભરતજીની દશા એકાંતે અનુકરણીય છે. જે શ્રીભરતજીને રાજ્ય અપાવવા માટે તેની માતા પોતાના વરદાનનો વ્યય કરે છે. તેના પિતા આજ્ઞા કરે છે અને રાજ્યના હાર મોટાભાઈ પણ આનંદ અને ઉલ્લાસથી સદ્ભાવપૂર્વક રાજ્ય લેવાની સલાહ આપે છે. આટલુંઆટલું છતાં પણ તેનું હૃદય રાજ્ય લેવા તરફ ઢળતું નથી. એટલું જ નહિ પણ જ્યારે તેણે પોતાના વડીલબંધુની પણ રાજ્ય લેવાની જ સલાહ સાંભળી ત્યારે તેનું હૃદય ભરાઈ આવે છે અને હૃદય ભરાઈ આવવાથી તેની આંખો પણ અશ્રુથી ઉભરાઈ જાય છે. એ અવસ્થામાં એ પોતાના વડીલબંધુના ચરણમાં ઢળી પડે છે અને તેની વાણી પણ ગદ્ગદ્ શબ્દોવાળી બની જાય છે.
સંત.... ભાગ-૨
........રામ-લક્ષ્મણ
ત્યારબાદ અશ્રુથી ભરેલી દષ્ટિવાળા શ્રી ભરતે પગમાં પડી અંજલી જોડી ગદ્ગદ્ અક્ષરે શ્રી રામચંદ્રજીને કહ્યું કે,
तातपादार्यपादानां, महेच्छानामदः खलु ઘિત હળતાં રાખ્ય-માલ્હાનસ્ય મે ન તુ રી तातस्य सुनुः किं नाहं, किं वा नार्यस्य चानुजः । सत्यं मातृमुखोऽस्म्येष, गर्वमेवं करोमि चेत् ॥ २ ॥
ܐ