________________
->c)
"))
રામ-લક્ષ્મણને
જતો હોય તો પત્ની બધું કરે અને જો પતિ સન્માર્ગે જતો હોય તો જો તાકાત હોય તો પૂંઠે જાય, નહિ તો તિલક કરી ઘેર આવે. આ બધી જૈનકુળની મર્યાદા છે. મર્યાદા માનનાર માટે આ બધી વાત છે. મર્યાદાહીન માટે તો કાયદો જ હોતો નથી. આવા પ્રકારની મર્યાદાને સમજનાર શ્રીમતી સીતાદેવી આવા પતિથી આનંદ પામ્યાં અને એથી જ શ્રી દશરથમહારાજાને નમીને શ્રીમતી કૌશલ્યાદેવી પાસે આવ્યા અને પોતાના પતિદેવ શ્રી રામચંદ્રજીની પાછળ જવાની રજા માંગી.
શ્રીમતી સીતાદેવીએ રજા માંગી એટલે શ્રીમતી કૌશલ્યાને શું થાય ? એમને તો ઘા પર ઘા છે. પણ રામ કહી ગયા છે કે, શ્રી દશરથ મહારાજાની પત્નીથી કાયર સ્ત્રી જેવી આચરણા ન કરાય.' એટલે શ્રીમતી કૌશલ્યાદેવીએ શ્રીમતી સીતાદેવીને ના તો ન કહી પણ પોતાના ખોળામાં બેસાડી આંસુથી નિતરતી આંખે કહ્યું કે, “હે વત્સ! શ્રી રામચંદ્ર તો વિનીત પુત્ર છે એટલે પિતાના વચનનું પાલન કરવા ખાતર અને પિતાનું ઋણ ફેડવા ખાતર એ વનવાસ જાય છે. પણ એ તો પુરુષસિંહ છે. એને માટે કશું જ દુષ્કર નથી. એને તો અટવી તથા નગર બેય સમાન છે. એની સામે કોઈ ઉંચી આંખ કરી શકે તેમ નથી. પણ તું જન્મથી માંડીને ઉત્તમ રીતે લાલનપાલન થયેલી છો. વાહન વિના તું એક કદમ પણ ચાલી નથી. એવી તું શ્રી રામચંદ્રજીની સાથે અટવીના પ્રયાણની વ્યથા કઈ રીતે સહીશ. તારા યોગે ઉલટી શ્રી રામચંદ્રને પણ તકલીફ થશે. પણ તે પતિની પાછળ જાય છે. માટે હું નિષેધ કરી શકતી નથી. અને અનિષ્ટ કષ્ટની ક્રિયા તરફ હું હા પણ પાડી શકતી નથી.'
વિચારો આ મર્યાદા ! જો ના કહે તો પતિ પાછળ પત્ની જાય
એ ફરજનો નિષેધ કરવાનું કલંક લાગે અને હા કહે તો સાસુ તરીકે _RA ખોટું થાય છે કે આવી નાની વહુને અટવીમાં કાઢી, એટલે ના તથા
હા ન કહેતાં શ્રીમતી કૌશલ્યાદેવી મૌન જ રહતાં. આવું કરતાં તો શીખો. પ્રભુના માર્ગે જતાને ના ન કહેવાય માટે ના ન કહો, અને
મોહવશાત્ હા ન કહી શકો તો મૌન રહો. શ્રીમતી સીતાદેવી સમજી કે ગયાં કે સાસુજી હા ન કહે એ વ્યાજબી છે. અને ના ન કહે એ પણ