Book Title: Jain Ramayan Part 02
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan

View full book text
Previous | Next

Page 319
________________ ઉત્તમ આચારની ઉત્તમ અસર હોય છે ? ખરેખર, ફરજનું ભાન આત્માને ઉન્માર્ગે નહિ જવા દેતા નઈ ઘસડીને સન્માર્ગે લઈ જાય છે. ફરજના ભાવને લઈને શ્રીમતી રે સીતાદેવીએ સંસારદષ્ટિએ પોતાની ભક્તિનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું. પતિની પાછળ વિષયઘેલી બનીને ફરનારી તે ઘણીએ સ્ત્રી હોય છે. પણ ધર્મની રક્ષા અને ધર્મના પાલન માટે પતિની પાછળ જનારી તો કોઈક જ. શ્રીમતી સીતાદેવી તેમાંનું એક દૃષ્ટાંત છે. સતીપણાના આદર્શને નહિ જાણતી સ્ત્રીઓમાં, 'મને પૂછ્યા વિના કેમ ગયા ?' ઘેર ગયા એવા પતિ, મરશે ! મારે શું ? આવા પ્રકારની ભાવના હોય છે. પણ મહાસતીઓમાં એવી ભાવના નથી જ હોતી. એ જ કારણે તેઓ પોતાની ફરજનું ભાન કદી જ ગુમાવતી નથી અને એથી જ મહાસતીઓ હેરત પમાડે તેવી રીતે પોતાની ફરજનું પાલન કરી બતાવે છે. ફરજના ભાગના પ્રતાપે જ કષ્ટથી ભય નહિ પામેલા અને એ જ કારણે સતીજનમાં મુકુટ સમાન શ્રીમતી સીતાદેવી પોતાના ઉત્તમ શીલથી પિતા તથા શ્વસુર અને બેયના કુટુંબને પવિત્ર કરનારી બની શકી. આ બનાવથી આખી નગરીની સ્ત્રીઓ ચકિત થઈ ગઈ. અને ગદ્ગદ્ કંઠે તેઓથી બોલાઈ ગયું કે “અહો ! આ અત્યંત ભક્તિના પ્રતાપે શ્રીમતી સીતાદેવી આજે પતિને દેવ તરીકે માનનારી સ્ત્રીઓમાં આદ્ય ઉદાહરણરૂપ બન્યાં. કષ્ટથી નહિ ? ડરનારાં અને સતીજનોમાં શિરોમણી એવાં આ શ્રીમતી સીતાદેવી પોતાના સુંદરતર શીલથી પોતાના કુળને અને શ્વસુરના કુળને પવિત્ર કરે છે. આ રીતે ઉત્તમ આચાર દ્વારા ઉત્તમ છાપને પાડતા પિતૃભક્ત શ્રી રામચંદ્રજી અને પતિભક્તા શ્રીમતી સીતાદેવી એ બંનેય જણ વનવાસ માટે ચાલી નીકળ્યા. લક્ષ્મણજીની વિચારણા શ્રી લક્ષ્મણજીએ પણ તે જ ક્ષણે સાંભળ્યું કે મારા વડીલબંધુ શ્રી રામચંદ્રજી વનવાસ માટે ચાલી નીકળ્યા. આ સમાચાર રામચન્દ્રજીનો '૩૦૧ dGtવસ...૧૨

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358