Book Title: Jain Ramayan Part 02
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan

View full book text
Previous | Next

Page 325
________________ સમયે ધીરતા ધરીને સ્પષ્ટ શબ્દમાં અનુમતિ આપી પોતાના પુત્રને છે તેની ફરજમાં ઉત્સાહિત બનાવે છે. જ્યારે સમજુ પણ કાયર માતા હતી, મૂંગી થઈ પુત્રની ફરજના પાલનમાં સહમત નથી થતી પણ આડે તો છે નથી જ આવતી ત્યારે કાયર અને અજ્ઞાન માતા ફરજના પાલનની આડે આવવાને પણ ઉધમાત અવશ્ય કરે છે. પણ એથી સુપુત્ર કદી જ પોતાની ફરજ બજાવવામાં પાછો પડતો નથી. કાયર અને અજ્ઞાન માતાના ઉધમાતથી ફરજ બજાવવામાં પાછું હઠવું એ પુત્રની સુપુત્રતા નથી. પણ કાયરતા છે. આ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે ઉંમરલાયક થયા પછી હિતની પ્રવૃત્તિ માટે માતા-પિતા સમક્ષ આવા પ્રકારની જ પ્રાર્થના કરવાની છે. અને સમજે તો સમજાવીને કાર્ય કરવાનું છે. પણ ન જ સમજે તો પોતાની પવિત્ર ફરજથી ચૂકવાનું નથી. આજ હેતુથી શ્રી લક્ષ્મણજી પોતાની માતા સમક્ષ માત્ર પોતાની સ્થિતિનું જ સ્પષ્ટીકરણ કરે છે. ઉત્તમ માતાનું પુત્રને પ્રોત્સાહન પોતાના પુત્રની સ્થિતિ અને ફરજને સમજનારી માતા શ્રીમતી સુમિત્રા પણ આવા દુઃખદ પ્રસંગે ધીરતાનું જ અવલંબન કરે છે. શ્રી રામચંદ્રજીના ગયા પછી શ્રી લક્ષ્મણજીને પણ જવા તૈયાર થયેલ જોઈને શ્રીમતી સુમિત્રા માતાને આઘાત તો ઘણો જ , થાય છે, પણ એ આઘાતને સમાવીને અને ધીરતાને અવલંબીને શ્રીમતી સુમિત્રામાતાએ પણ શ્રી લક્ષ્મણજી પ્રત્યે એમ જ કહ્યું. XXXXXXXXXXXXXXXX ? साधु वत्साऽसि मे वत्सो, ज्येष्ठं, यहनुगच्छसि ॥१॥ मां नमस्कृत्य वत्सोऽद्य रामभश्चीरं गतः । अतिरे भवति ते, मा विलंबस्व वत्स ! तत् ॥२॥ “હે વત્સ ! સાચે જ તું મારો સુપુત્ર છે કારણકે તું જ્યેષ્ઠની પાછળ જાય છે. હે વત્સ ! લક્ષ્મણ ! પુત્ર રામભદ્ર આજે મને નમસ્કાર કરીને ગયો 8 અને તેને ગયાને ઘણીવાર થઈ માટે તે તારાથી અતિ દૂર થઈ જશે તે કારણથી તું હવે વિલંબ ન કર ઝટ જા.” શ્રી રામચન્દ્રજીતે છે વાવ...૧૨

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358