Book Title: Jain Ramayan Part 02
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan

View full book text
Previous | Next

Page 327
________________ મળવાની ઉતાવળથી શ્રી લક્ષ્મણજી શ્રીમતી અપરાજિતા માતાને નમસ્કાર કરવા માટે ગયા. શ્રીમતી અપરાજિતા દેવી પાસે પહોંચી ગયેલા શ્રી લક્ષ્મણજીએ તે શ્રીમતી અપરાજિતા દેવીને નમીને કહ્યું કે, 'આર્ય : હવાજ્યાધ્દિરમ્ 66 त्वामाप्रष्टुमहं त्वागामार्यानुगमनोत्सुकः ।। " ‘પૂજ્ય શ્રી રામચંદ્રજી એકલા લાંબા સમયથી ગયા અને પૂજ્યની પાછળ જવાને ઉત્સુક એવો હું આપને પૂછવાને આવ્યો છું.' સપત્નીના પુત્ર પ્રત્યે પણ સમદ્રષ્ટિ ધ્યાનમાં રાખજો કે આ પૂછવા આવનાર શ્રી લક્ષ્મણજી શ્રીમતી અપરાજિતા દેવીના પુત્ર નથી પણ તેમની સપત્નીના પુત્ર છે અને તે પોતાના પુત્રની સેવામાં જવા માટે પૂછવા આવેલ છે. આથી તો શ્રીમતી અપરાજિતાદેવીને હર્ષ થવો જ જોઈએ, પણ એ ત્યારે જ બને કે જ્યારે શ્રીમતી અપરાજિતા દેવીની દૃષ્ટિમાં પોતાના પુત્ર પ્રત્યેની અને સપત્નીના પુત્ર પ્રત્યેની દૃષ્ટિમાં ફેર હોય. ઉત્તમ આત્માઓ એવી વિષમ દૃષ્ટિના ઉપાસક હોતા જ નથી. જેમ શ્રી રામચંદ્રજી વનમાં જવા માટે પૂછવા આવ્યા હતા અને શ્રીમતી અપરાજિતા દેવીને આઘાત થયો તેમ શ્રી લક્ષ્મણજીને પણ એ માટે આવેલા જોવાથી આઘાત થયો. ફરક એટલો જ કે આ વાત નવી ન હતી. નવી વાતના શ્રવણથી આઘાત થાય એ કારમો થાય અને એની એ વાત બીજીવાર-ત્રીજીવાર સાંભળવામાં આવે ત્યારે આઘાતની માત્રા અવશ્ય ઘટે જ. એટલો ફેરફાર શ્રીમતી અપરાજિતાદેવીના આઘાતમાં હતો એમ આપણને દેખાઈ આવે છે. શ્રી લક્ષ્મણજી પણ વનમાં જવાને તૈયાર થાય છે. એ જાણીને શ્રીમતી અપરાજિતાદેવી દેવીના નેત્રોમાંથી અશ્રુની ધારા વરસી. અશ્રુવાળા બનેલા શ્રીમતી કૌશલ્યાદેવીએ શ્રી લક્ષ્મણજી પ્રત્યે કહ્યું કે, X X X X X X X X X X X X ? મંઢાયાસ્મિ हा हता वत्स ત્વમવિ માં મુતૃત્વા, પ્રસ્થિતોસિ વનાય યંત્ ܐ શ્રી રામચન્દ્રજીન ૩૦૯ વનવાસ...૧૨

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358