________________
મળવાની ઉતાવળથી શ્રી લક્ષ્મણજી શ્રીમતી અપરાજિતા માતાને નમસ્કાર કરવા માટે ગયા.
શ્રીમતી અપરાજિતા દેવી પાસે પહોંચી ગયેલા શ્રી લક્ષ્મણજીએ તે શ્રીમતી અપરાજિતા દેવીને નમીને કહ્યું કે, 'આર્ય : હવાજ્યાધ્દિરમ્
66
त्वामाप्रष्टुमहं त्वागामार्यानुगमनोत्सुकः ।। "
‘પૂજ્ય શ્રી રામચંદ્રજી એકલા લાંબા સમયથી ગયા અને પૂજ્યની પાછળ જવાને ઉત્સુક એવો હું આપને પૂછવાને આવ્યો છું.' સપત્નીના પુત્ર પ્રત્યે પણ સમદ્રષ્ટિ
ધ્યાનમાં રાખજો કે આ પૂછવા આવનાર શ્રી લક્ષ્મણજી શ્રીમતી અપરાજિતા દેવીના પુત્ર નથી પણ તેમની સપત્નીના પુત્ર છે અને તે પોતાના પુત્રની સેવામાં જવા માટે પૂછવા આવેલ છે. આથી તો શ્રીમતી અપરાજિતાદેવીને હર્ષ થવો જ જોઈએ, પણ એ ત્યારે જ બને કે જ્યારે શ્રીમતી અપરાજિતા દેવીની દૃષ્ટિમાં પોતાના પુત્ર પ્રત્યેની અને સપત્નીના પુત્ર પ્રત્યેની દૃષ્ટિમાં ફેર હોય. ઉત્તમ આત્માઓ એવી વિષમ દૃષ્ટિના ઉપાસક હોતા જ નથી. જેમ શ્રી રામચંદ્રજી વનમાં જવા માટે પૂછવા આવ્યા હતા અને શ્રીમતી અપરાજિતા દેવીને આઘાત થયો તેમ શ્રી લક્ષ્મણજીને પણ એ માટે આવેલા જોવાથી આઘાત થયો. ફરક એટલો જ કે આ વાત નવી ન હતી. નવી વાતના શ્રવણથી આઘાત થાય એ કારમો થાય અને એની એ વાત બીજીવાર-ત્રીજીવાર સાંભળવામાં આવે ત્યારે આઘાતની માત્રા અવશ્ય ઘટે જ. એટલો ફેરફાર શ્રીમતી અપરાજિતાદેવીના આઘાતમાં હતો એમ આપણને દેખાઈ આવે છે. શ્રી લક્ષ્મણજી પણ વનમાં જવાને તૈયાર થાય છે. એ જાણીને શ્રીમતી અપરાજિતાદેવી દેવીના નેત્રોમાંથી અશ્રુની ધારા વરસી. અશ્રુવાળા બનેલા શ્રીમતી કૌશલ્યાદેવીએ શ્રી લક્ષ્મણજી પ્રત્યે કહ્યું કે,
X X X X X X X X X X X X ? મંઢાયાસ્મિ हा हता वत्स ત્વમવિ માં મુતૃત્વા, પ્રસ્થિતોસિ વનાય યંત્
ܐ
શ્રી રામચન્દ્રજીન
૩૦૯
વનવાસ...૧૨