________________
સત... ભાગ-૨
વિચારો ! આ સુમાતાની ધીરતા અને વિવેકભરી વાણી તથા પ્રેરણાભરી આજ્ઞા. આવી માતા ઉત્તમ પુણ્ય વિના નથી મળતી. આવે સમયે સપત્નીના પુત્રની પાછળ જવા માટે આ પ્રમાણે બોલનારી માતા લાવવી ક્યાંથી ? પ્રભુમાર્ગે જતા આત્માના જીવનને પણ બરબાદ કરવા સજ્જ થયેલા આ જમાનામાં આવા પ્રકારની માતાઓ પ્રાય: ન મળી શકે એમાં કશી જ શંકા નથી. જે સમયમાં ધર્મગુરુઓ પણ પોતાની ફરજને માન આદિના કારણે ભૂલે તે સમયમાં સૌ કોઈ પોતાની ફરજ ભૂલે એમાં આશ્ચર્ય શું છે ? ખરેખર, મોહનું સામ્રાજ્ય જ કોઈ અજબ છે, ધર્મગુરુઓ પણ ત્યાગજીવનથી વિરુદ્ધ બોલે અને આચરે એ પણ મોહનો જ ચાળો છે. એવાઓને પણ એવો મોહનો ચાળો કરવાનું મન થાય તો પછી માતા-પિતા આદિને થાય એમાં નવાઈ પણ શી છે? ખરેખર, જેઓ પ્રભુશાસનથી પરવારી બેસે છે તેઓ સઘળી જ સુંદર વસ્તુઓથી પરવારી બેસે છે. માતા સુમિત્રા પ્રભુશાસનથી સુવાસિત હતા એટલે કોઈપણ ઉચિત આચારને કેમ જ લંઘે ? વડીલ બંધુ વનવાસ સ્વીકારે એ વખતે લઘુબંધુઓ પણ તેની સેવા માટે વનવાસ સ્વીકારવો જોઈએ, આવી વ્યવહારિક ફરજને પણ શ્રીમતી સુમિત્રામાતા ન સમજે એ બને જ કેમ?
સભા : ન જ બને.
આ ઉત્તર બરાબર હદયમાં કોતરી રાખજો. જે વિવેકપૂર્વક વ્યાવહારિક ફરજને પણ ન ભૂલે તે ધાર્મિક ફરજ તો ભૂલે જ કેમ? પોતાના કર્તવ્યને સમજતાં શ્રીમતી સુમિત્રામાતાએ પોતાના પુત્રને તેની ફરજના પાલન માટે પૂરતું પ્રોત્સાહન સમપ્યું.
માતા તરફથી મળેલ પ્રોત્સાહનના પ્રતાપે શ્રી લક્ષ્મણજીના છે અંતરમાં પરિપૂર્ણ તોષ થયો. એ તોષને લઈને શ્રી લક્ષ્મણજીના
હતોમુખમાંથી
“$ઢ સાધ્વવ સાáë ! મäવાસ ” હે માતા ! આ આપ સારું બોલ્યાં ખરેખર, આપ મારા માતાજી છો !”
આ પ્રમાણેના ઉદ્ગારો નીકળી પડ્યા. આવા પ્રકારના છ ઉદ્દગારો પોતાની માતાને સંભળાવીને અને નમસ્કાર કરીને ભાઈને