Book Title: Jain Ramayan Part 02
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan

View full book text
Previous | Next

Page 324
________________ ભાગ-૨ સત... રિામ-લઢમણને અને શક્તિ મુજબ તેની ઉપાસનામાં રક્ત બનો, કે જેથી જીવનમાં સાચી શાંતિનો અનુભવ થાય તથા પરિણામે શાશ્વતી શાંતિ પણ પ્રાપ્ત થાય. ધ્યાન રાખજો કે ધર્મના સ્વીકાર સિવાય કોઈ શાંતિ પામ્યું ય નથી. પામતું ય નથી. અને પામશે પણ નહીં. શાંતિ માટે તો એ જ એક શરણરૂપ છે. એનો ઈન્કાર કોઈ પણ સમજુથી થઈ શકે તેમ નથી. શ્રી લક્ષ્મણજીની પ્રાર્થના શ્રી રામચંદ્રજીની પાછળ જઈશ. એ પ્રમાણે વિચારીને શ્રી ૩૦) લક્ષ્મણજી શ્રી દશરથમહારાજાને નમીને અને તેમને પૂછીને પોતાની માતા શ્રીમતી સુમિત્રાદેવીને પૂછવા માટે ગયા. માતા પાસે જઈને તે નમી પડ્યા. માતાના નમસ્કાર કરીને તેમણે એ પ્રમાણે કહ્યું કે, "गमिष्यति वनं रामोऽनुगमिष्यामि तं त्वहम् । માધ્ધિવિના હ્યા, ન થતું ના હતી. રાજા “હે માતાજી ! આપ જાણો છો કે પિતાજીના વચનનું પાલન કરવા ખાતર શ્રી રામચંદ્રજી વનમાં જશે. એ વનમાં જશે એટલે હું પણ એમની પાછળ વનમાં જઈશ. કારણકે સાગર વિના જેમ મર્યાઘ રહેવાને સમર્થ નથી તેમ પૂજ્ય એવા શ્રી રામચંદ્રજી વિના રહેવાને હું પણ શક્તિમાન નથી.” જેમ સાગર વિના મર્યાદા નથી રહી શકતી તેમ શ્રી રામચંદ્રજી વિના શ્રી લક્ષ્મણ ન રહી શકે એવા છે. જેવો સંબંધ મર્યાદાનો સાગર સાથે છે. તેવો સંબંધ શ્રી લક્ષ્મણજીને શ્રી રામચંદ્રજી સાથે છે. એ ઉભયનો પ્રેમ અજબ કોટિનો છે. વાસુદેવ અને બળદેવનો પ્રેમ એવો જ હોય છે. જેમ શ્રી રામચંદ્રજીની પ્રાર્થના નિશ્ચયરૂપ હતી તેમ શ્રી છે લક્ષ્મણજીની પ્રાર્થના પણ નિશ્ચયરૂપ જ હતી. આવા નિશ્ચય પ્રાર્થના એટલા માટે જ કહેવાય છે કે એ માતાની આગળ જાહેર કરવામાં આવે છે. એ સિવાય બીજું કશું જ કારણ નથી. આ પ્રાર્થના આગળ માતાએ હા જ કહેવાની હોય અગર તો મૂંગી પણ અનુમતિ જ આપવાની હોય. આવી પ્રાર્થના સામે વાસ્તવિક રીતે છે મનાઈ કરવાની માતાને સત્તા જ નથી હોતી. સુજ્ઞ માતા આવા

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358