Book Title: Jain Ramayan Part 02
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan

View full book text
Previous | Next

Page 291
________________ પ્રમાદો પૈકીના કોઈ એક પ્રમાદને આધીન થઈ જાય છે તે આત્મા છે સ્વપરનું સાધવા યોગ્ય હિત નથી સાધી શકતો. કોઈ પણ આત્માથી હાર પર એવી જે કોઈ પણ વસ્તુને આધીન થવું, તેની વ્યવસ્થા આદિના વિચારો કરવા એ વગેરે સઘળું જ પ્રમાદમાં આવી જાય છે. આત્માથી પર વસ્તુને આધીન બનનારો આત્મા પોતાના મન, વચન કે કાયા ઉપર કાબૂ રાખી શકતો જ નથી. માટે કલ્યાણકાંક્ષી આત્માએ આત્મસ્વરૂપ ખીલવવાનું ધ્યાન રાખી આત્મસ્વરૂપને ખીલવવામાં સાક્ષાપણે સાધનરૂપ થનારી વસ્તુઓ સિવાયની વસ્તુને આધીન ન થઈ જવાય એવી જ દશામાં રહેવું જોઈએ. એ જ દશાનું નામ અંતરાત્મદશા કહેવાય છે. એ દશા આત્માને પરમાત્મા બનાવનારી દશા છે. અને એથી ઉલ્ટી દશા એ આત્માને અધમ બનાવનારી દશા છે. અંતરાત્મ દશાથી ઉલ્ટી દશા પોતાના આત્માની ન થઈ જાય એ વાતનો મુમુક્ષુ આત્માએ હરહંમેશા ખ્યાલ રાખવો જોઈએ. શ્રી રામચંદ્રજીની સલાહ આપણે એ જોઈ ગયા કે શ્રી દશરથમહારાજાનો ઘણો ઘણો આગ્રહ છતાં પણ શ્રી ભરત રાજ્ય લેવાને સંમત ન થયા તે ન જ થયા. શ્રી દશરથ મહારાજાએ ભરતને રાજ્ય લેવાની બાબતમાં છે. જેટલી જેટલી દલીલો કરી તે સઘળી જ દલીલોમાં શ્રીભરત સંમત ન થયા. એટલું જ નહિ પણ એ સઘળી જ દલીલોનો તેમણે સામનો કર્યો. શ્રીભરતને રાજ્યગાદી ઉપર આરૂઢ કરવા માટે અંતે શ્રીદશરથરાજાને એક આજ્ઞાનો જ અમલ કરવો પડ્યો અને એથી એ સંબંધમાં આજ્ઞા કરતાં શ્રી દશરથમહારાજાએ સ્પષ્ટ શબ્દમાં ? એમ જ ફરમાવ્યું કે હે પુત્ર ! તું મારી પ્રતિજ્ઞાને નિષ્ફળ ન કર, કારણકે મેં તારી માતાને એક વરદાન આપેલ અને તે તેના કહેવાથી મેં મારી પાસે રાખી મૂકેલ, તે આજે તારી માતાએ તને રાજ્ય આપવારૂપે માંગેલ છે અને મેં તે આપેલ છે. મારી અને તારી માતાની આજ્ઞાને અન્યથા આદર્શ પરિવારને આદર્શ વાત...૧૧

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358