________________
સિત... ભાગ-૨
રિઅમ-લક્ષ્મણને
૩. ત્રીજી વાત એ સમજાવે છે કે જેમ સંસારને નહિ ત્યજી શકનાર પુત્ર, પૌદ્ગલિક અનુકૂળતા ખાતર માતા-પિતાના અંતરને આઘાત નહિ પહોંચાડવો જોઈએ તેમ સંસારથી વિરક્ત બનેલા આત્માએ પણ મોહવશ બની માતા-પિતાની મોહક આજ્ઞાને આધીન બનીને પ્રભુધર્મને અગર તો પ્રભુધર્મની આરાધનાને બાધ પહોંચે એવી કારવાઈ કોઈપણ પ્રકારે ન કરવી જોઈએ. પ્રભુશાસનને પામેલા આત્માએ, મોહવશપણાના પ્રતાપે માતા-પિતાની મોહજન્ય
આજ્ઞાને આધીન બનીને પ્રભુધર્મને અગર તો પ્રભુધર્મની ૨૭૨
આરાધનાને બાધ પહોંચે એવી કારવાઈ કોઈપણ પ્રકારે ન કરવી જોઈએ. પ્રભુશાસનને પામેલા આત્માઓએ પોતાના વડીલો પણ ધર્મ પામે અથવા તો ધર્મની સામે ન થાય એ માટે કરવા જોઈતા સઘળાં જ ઉચિત પ્રયત્નો નિર્ભીકપણે કરવા જોઈએ. ખોટી ભીતિ, ખોટી મર્યાદા કે ખોટી નમ્રતા અગર અયોગ્ય વિનયને આધીન થઈ જઈને વડીલોની ધર્મ અને નીતિથી વિપરીત કારવાઈઓને અનુકૂળતા કરી આપવી એ વિવેકી આત્મા માટે કોઈપણ પ્રકારે ઉચિત નથી. વિવેકી આત્માએ વડીલોનું પણ હિત જ કરવાનું છે. એ કારણે મોહવશ વડીલોની અહિતકર આજ્ઞાઓને મોહના કારણે આધીન થઈ જવું એ પણ વડીલોનું અહિત કરવા બરાબર છે. માટે એમ ન બની જાય એની કલ્યાણકાંક્ષી આત્માએ પૂરેપૂરી સાવચેતી રાખવી જોઈએ.
૪. ચોથી વાત એ સમજાવે છે કે મોહવશ બનેલો આત્મા વિવેકી હોવા છતાં પણ જો સાવધ ન રહે તો તે અવિવેકી આત્મા થી કરતાં પણ સ્વપરનું કઈગણું અહિત કરી નાંખે છે. એ કારણે વિવેકી (8 આત્માએ મોહવશ ન બની જવાય એ માટે પૂરતા સાવધ રહેવું
જોઈએ. અસાવધ આત્મા પામેલા ગુણોને પણ કારમી રીતે હારી હું જાય છે. એ જ કારણે જ્ઞાની પુરુષોએ પાંચ પ્રકારના પ્રમાઘને 8 આત્માના પરમરિપુ તરીકે ઓળખાવ્યા છે. જે આત્મા પાંચ પ્રકારના
[(CCCOUR TRUS