________________
છેTI)
આત્માઓ એક ચારિત્રમોહનીય કર્મના ઉદયથી જ સંસારમાં રહે છે છે પણ હૃદયથી નહિ. એવા આત્માઓનું હદય સંસારથી પર જ હતી રહે છે એવા આત્માઓને સંસારમાં એક ક્ષણ પણ કાઢવી એ ભારે થઈ પડે છે. એ જ કારણે ચંદ્રગતિ મહારાજાએ એકદમ સંસાર છોડીને સંયમનો સ્વીકાર કર્યો.
આ રીતે સત્યભૂતિ નામના સૂરિવરના પ્રતાપે ચંદ્રગતિ મહારાજાનો સંપૂર્ણ આત્મોદ્ધાર થયો અને શ્રી ભામંડલનો આત્મા પણ કામાગ્નિથી સળગતો હતો તે શાંત થયો. પોતાના પિતાની દીક્ષા થયા પછી, ભામંડલ સત્યભૂતિ નામના સૂરિવરને, ચંદ્રગતિ નામના રાજર્ષિને પોતાના માતા-પિતા શ્રી જનકરાજા તથા શ્રી વિદેહારાણીને, શ્રી દશરથ મહારાજાને અને શ્રીમતી સીતાદેવીને તથા શ્રી રામચંદ્રજીને નમસ્કાર કરી પોતાના નગર પ્રત્યે ચાલ્યા ગયા.
દશરથમહારાજાના પૂર્વભવો ચંદ્રગતિ નામના રાજાને સંસારથી ઉદ્વિગ્ન બની સંયમધર બનતા જોઈને શ્રી દશરથમહારાજાએ પણ તે સત્યભૂતિ નામના મહર્ષિને નમસ્કાર કરીને પોતાના પૂર્વભવોને પૂછ્યા અને તે મુનિવરે તેમના પૂર્વભવોને કહાં.
હે રાજન્ ! આ સંસારમાં પરિભ્રમણ કરતો તું સેનાપુરમાં મહાત્મા ભાવન નામના વણિકની દીપિકા નામની પત્નીથી ઉપાસ્તિ નામની કન્યા તરીકે ઉત્પન્ન થયો હતો. એ ઉપાસ્તિ તે ભવમાં સાધુઓની ટ્રેષિણી થઈને ઘણા કાળ સુધી કષ્ટપૂર્વક તિર્યંચ આદિ યોનિઓમાં ભટકી. તેના જીવરૂપ તું ભવમાં ભ્રમણ કરીને તે પછી ચંદ્રપુર નામના પુરમાં ધન નામનાં ગૃહસ્થની સુંદરી નામની પત્નીથી વરુણ નામના પુત્ર તરીકે ઉત્પન્ન થયો. તે ભવમાં તું પ્રકૃતિએ કરીને ઉઘર થયો અને તે ઉદારતાના યોગે તે ભવમાં તું શ્રદ્ધાપૂર્વક નિરંતર સાધુઓને અધિક દાન આપતો હતો. એ રીતે એ ભવમાં ધર્મનું આરાધન કરીને ત્યાંથી તું કાળધર્મ પામ્યો. અને તું ઘાતકીખંડ
સુખ દુઃખની ઘટમાળ
અને વિરકત શ્રી દશરથ.૧૦