________________
-c)).
૨ ૬૨
રામ-લઢમણને
માટે ઠીક નથી કારણ કે વાત વાતમાં પિતાજીએ મને પૂછવાનું હોય જ નહિ ! માલિક પિતાજી છે કે હું? પિતાજી મને આ પ્રમાણે પૂછે એમાં જ મારી અવિનયશીલતાનું દર્શન થઈ જાય છે. આવી આવી અનેક ભાવનાઓ શ્રી રામચંદ્રજીના હૃદયમાં ઉત્પન્ન થાય છે. એ જ હેતુથી પિતાજી દ્વારા, પોતાની અપરમાતાએ વરઘનના બદલામાં કરેલી માંગણીને જાણીને શ્રી રામચંદ્રજી એકદમ હર્ષ પામ્યા અને એકદમ બોલ્યા કે
रामोऽपिः हृष्टोऽभाषिष्ट, मात्रेढं साधु याचितं । यन्मदात्रे भरताय, राज्यदानं महौजसे ॥१॥ માપuછે પ્રસાન્નિા-મદ્રે તતિસ્તથાથä ? दुनोति मामविनय - सूचनाकारणं जने ॥२॥ अप्येकबंदिने राज्यं, तुष्टस्तातो ढढात्यदः । निषेधेऽनुमतौ वा मे, न स्वाम्यं पत्तिमानिनः ॥३॥ મરતોડગ્યમેવાગ્નિ, નિર્વિઘોષવુિ તવ ? अतोऽभिषिच्यतां राज्ये, भरतः परया मुढा ॥४॥
“હે પિતાજી ! મારી માતાએ મહાપ્રરાક્રમી એવા મારા ભાઈ ભરતને રાજ્ય આપવાની જે માંગણી કરી તે ઘણી જ સારી માગણી કરી છે. વળી પિતાજી ! આપ તો મને આ વાતમાં મારી ઉપર રહેલાં આપના પ્રસાદથી પૂછો, છો પણ આ પ્રમાણે આપનું મને પૂછવું એ લોકમાં મારા અવિનયને સૂચવવાનું કારણ થાય છે અને એ મને ખૂબ દુઃખ કરે છે. તુષ્ટમાન થયેલા પિતાજી આ રાજ્ય એક બંધને પણ આપી શકે છે. એમાં નિષેધ કરવાનો કે અનુમતિ આપવાનો પોતાને આપના એક સેવક તરીકે માનતા મને અધિકાર નથી. ભરત પણ હું જ છું અને આપને મન હું અને ભરત બેય સરખા છીએ એ કારણથી આપ અતિહર્ષપૂર્વક ભરતનો રાજ્ય ઉપર અભિષેક કરો.”
ભાગ્યવાનો ! વિચારો શ્રી રામચંદ્રજીનો ઉત્તર ! આ ઉત્તરમાં કેટલા-કેટલા અને કયા-કયા ગુણો આવિર્ભાવ પામી રહ્યા છે? એ પણ વિચારો અને એ પણ વિચારો કે આવા ઉમદા ગુણોથી ભરેલ પુત્ર કેવા કુળમાં હોઈ શકે ? પોતાની અપરમાતા પ્રત્યે પણ પોતાના
ETTIOD)