________________
સુખ દુખની
ઘટમાળ આવે. વિરક્ત શ્રી દશરથ
૧૦ શ્રી રામચન્દ્રજીને આપવા ધારેલી શ્રીમતી સીતાદેવી માટે, જનકરાજાને શ્રીચન્દ્રગતિના ઉપરોધથી સ્વયંવરમંડપ રચવો પડ્યો. દિકરી દેવામાં પણ પોતાની ઇચ્છા મુજબ ન કરી શક્યા તેથી જનક-વિદેહા દુ:ખી હતાં પણ જનકને શ્રી રામચન્દ્રજીના પરાક્રમથી વિશ્વાસ હતો. છેવટે સ્વયંવરની વર્ણવાયેલી ઘટનામાં શ્રીરામ-લક્ષ્મણના પરાક્રમો અને જનકકનકરાજાએ પોતાની કન્યાઓના દાન કર્યા આદિ વાતો આવો છે.
શ્રીદશરથ મહારાજા પોતાના પુત્રોના પરાક્રમથી અને કુલીન પરિવારોની વધૂઓની પ્રાપ્તિથી સુખમાં છે, અયોધ્યા પહોંચીને તેઓએ ચૈત્ય મહોત્સવ કર્યો. જેમાં શાંતિજળની ઘટનાએ નવો જ પ્રશ્ન ઉભો કર્યો. શ્રી દશરથમહારાજા વૈરાગ્ય પામ્યાં. થોડા જ વખતમાં શ્રી સત્યભૂતિ નામના સૂરિવરનો યોગ, ધર્મદેશનાનું શ્રવણ, પૂર્વભવોની વાતો, ભામંડલના સંતાપનો વિરામ આદિ અનુપમ ઘટનાઓ આ પ્રકરણમાં આપણે વાંચીએ.
-શ્રી
૨૨૩