________________
આત્માઓની મનોદશા જ જુદા પ્રકારની હોય છે. પ્રભુશાસનને પામેલા આત્માઓ કોઈ પણ પ્રસંગને આત્માના હિતમાં યોજીદે છે.
એક પોતાના કંચુકીના શરીરની દુ:ખદ દુર્દશાને દેખતાંની સાથે જ શ્રી દશરથ મહારાજાના હૃદયમાં એ ઊર્મિ ઉઠી કે જેટલામાં અમારી દશા આવા પ્રકારની ન થાય તેટલામાં અમારે ચોથા પુરુષાર્થની સાધના માટે સજ્જ થવું જોઈએ આ પ્રસંગની શ્રી દશરથ મહારાજાની ભાવનાને કંઈક વિસ્તારથી આલેખ શ્રી પઉમચરિયમ્ ના કર્તા શ્રી વિમલસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે,
પોતાના કંચુકી વિલમ્બથી આવી પહોંચવાનું કારણ જણાવતાં પોતાના શરીરની દુઃસ્થિતિનું જે વર્ણન કંચુકીએ કર્યું તેનું શ્રવણ કરીને શ્રી દશરથ મહારાજાએ પોતાના અંતરમાં એ ચિંતવ્યું
કે
" देहस्स कए पुरिसा, कुणन्ति पावं परिग्गहासत्ता । विसयविसमोहियमई, धम्मं दूरेण वज्जेन्ति ॥ ११ ॥ " पुण्णेण परिग्गहिया, ते पुरिसा जे गिहं पयहिऊणं । धम्मचरणोवएसं, कुणन्ति निच्चं दढधिईया ॥२॥ कइयाहं विसयसुहं, मोत्तूण परिग्वाहं च निस्संगो । काहामि નિતતં ટ્વિય,
સ્વસ્વયંવરગાહ}}}}
પરિગ્રહમાં આસક્ત અને વિષયોરૂપ વિષથી મોહિત મતિવાળા બનેલા કેટલાય પુરુષો દેહને માટે પાપ કરે છે ! અને ધર્મને દૂર ત્યજી દે છે. ખરેખર, તે
જ પુરુષો પુણ્યશાળી છે. કે જે પુરુષો ઘરનો ત્યાગ કરીને અને એના ત્યાગમાં સદાય દેઢબુદ્ધિવાળા થયા થકા ધર્મની આચરણાનો ઉપદેશ કરે છે. એ કારણે હું પણ વિષયસુખને અને પરિગ્રહને મૂકીને નિ:સંગ થયો થકો દુઃખક્ષયના કારણ માટે શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપેલા તપને ક્યારે આચરીશ?
સુંદર સુયોગની સાર્થકતા માટે સુપ્રયત્ન
આવા પ્રકારની ભાવનાના યોગે વિષયોથી વિરક્ત બનીને ધર્મના અનુરાગમાં રક્ત બનેલા શ્રી દશરથ મહારાજાનો કેટલોક
સુખ દુઃખની ઘટમાળ હૈં અને વિરક્ત શ્રી દશરથ....૧