________________
જણાવ્યું કે હે પુત્ર ! ખેદ ન કર, કારણકે જરૂર સીતા તારી છે પત્ની થશે.
સભા: આમ કહેવાથી શું પિતાએ મર્યાદાનો ભંગ કર્યો એમ ન હૈ કહેવાય ?
મોહનું સામ્રાજ્ય છે, મોહાધીન આત્માઓ ને મોહની માત્રા વધી જાય છે ત્યારે પોતાની સ્થિતિને પણ ભૂલી જાય છે. મોહના યોગે સ્વભાવને ભૂલવો એ સહજ છે. એ જ કારણે પરમ ઉપકારી જ્ઞાની ભગવંતો ફરમાવે છે કે મોહથી ખૂબ જ સાવધ રહેવું જોઈએ. મોહમગ્ન આત્માઓ મર્યાદાને પણ ચૂકે અને મોહક કારવાઈઓમાં રાચે એમાં કશું જ આશ્ચર્ય નથી.
સભા: તો શું લગ્ન અને લગ્નના વરઘોડામાં પાપ ખરું?
પૂજયશ્રી : જરૂર પાપ, ઓછો રાચે તો ઓછું પાપ અધિક રાચે તો અધિક પાપ.
સભા: જે લગ્ન વગેરેનાં વરઘોડામાં રાચે તેને ધર્મના એક-બે વરઘોડા નીકળે એમાં વાંધો હોય ?
પૂજયશ્રી: તેવા લોકોને, તેઓ સારું માને છે ત્યાં કશો જ વાંધો આવતો નથી. બીજે જ વાંધો છે. સરકસ કાઢે છે. મહાસભામાં જવા સ્પેશીયલ જોડાય છે, ત્યાં ખર્ચ કેટલો ? દેશનેતાના સરઘસમાં ખર્ચ, કેટલો ? એના અધિવેશનોમાં ખર્ચ કેટલું ? ઘણું ય. પણ એમાં એમને વાંધો નથી. પણ આત્મકલ્યાણની ક્રિયાઓમાં જે દ્રવ્ય ખર્ચાય તેમાં જ એ લોકોને વાંધો છે. મંદિર આવા સુંદર કેમ? એવા-એવા પ્રશ્નો નીકળ્યા પણ બંગલા આવા કેમ? સ્ત્રી-પુરુષ ફક્ત બે જણા હોય, ત્યાં સાત માળના મહેલનું કામ શું? આવા-આવા પ્રસ્નો એમાંના કોઈએ કર્યો?
સભા: એ બધું મોજમઝા અને લોકોને આંજવા માટે અવશ્ય જોઈએ જ !
પૂજ્યશ્રી અને એવાઓને પૂજા કરવામાં ઘરનું કેસર વાપરવાનું કહેવામાં આવે તો આર્થિક સ્થિતિ ખરાબ છે, એ બચાવ ઝટ લાવે ને ?
કુલીજ પરિવારના કે ખાનદાની ઝળકી ઉઠે છે..૯