________________
ભ૮૮-૨
સતત
શ્રી રામચંદ્રજીના ધીરતાપૂર્વકની વીરતાના પ્રદર્શનથી ત્રાસ પામી ગયેલા મ્લેચ્છ રાજાઓને નાશી છૂટેલા જોઈને દેશવાસી લોકોની સાથે શ્રી જનક મહારાજા પણ સ્વસ્થ બની ગયા.
જીતી ન શકાય એવા મ્લેચ્છોને શ્રી રામચંદ્રજીએ એક ક્ષણવારમાં જીતી લીધા એ જોઈને શ્રી જનકમહારાજાના હર્ષનો તો પાર જ ન રહો. અતિશય હર્ષને પામેલા શ્રી જનક મહારાજાએ સીતા નામની પોતાની દીકરી શ્રી રામચંદ્રજીને અર્પણ કરી. - આ રીતે શ્રી દશરથ મહારાજાને બદલે શ્રી રામચંદ્રજીના આગમનથી શ્રી જનક મહારાજાને તો ઉભય વસ્તુની પ્રાપ્તિ થઈ. એક તો પોતાની પુત્રી સીતાને માટે અનુરૂપ વરની પ્રાપ્તિ થઈ. અને પ્લેચ્છોની સામે જયની પણ પ્રાપ્તિ થઈ. આ પ્રમાણે શ્રી જનક મહારાજાની બેય પ્રકારની ચિંતાઓ એકી સાથે જ નાશ પામી.
સંસારની લાલસા હોય તો ચિંતા હોય જ સુખી ગણાતા આત્માઓને પણ આ સંસારમાં અનેક પ્રકારની ચિંતાઓ આવ્યા જ કરે છે. કારણકે આધિ, વ્યાધિ અને ઉપાધિથી જ ભરેલા આ સંસારમાં ચિંતા એ કાંઈ અસહજ વસ્તુ નથી. હદયમાં સંસારની લાલસા જીવતી રહે અને ચિંતા આવે નહિ એ વસ્તુ જ અસંભવિત છે. જે આત્માઓએ ચિંતાથી બચવું હોય તે આત્માઓએ અનાદિથી આત્મા સાથે એકમેક થઈ ગયેલી સંસારની લાલસાને નિર્મળ કરવાના પ્રયત્નમાં જ મચી પડવું જોઈએ. અન્યથા આત્મા કોઈપણ રીતે આ સંસારમાં બચી જાય તેમ નથી જ. આત્મશાંતિનો નાશ કરનારી ચિંતાથી તે જ આત્માઓ બચી શકે છે કે જે આત્માઓ સંસારની લાલસા માત્રને પણ પાપ માની તેનાથી બચવા માટે અનંતજ્ઞાનીઓએ ફરમાવેલા એક મોક્ષમાર્ગની જ આરાધનામાં રક્ત બને છે. એ પુણ્યાત્માઓ છે સિવાયના આ સંસારમાં મોટા ચક્રવર્તી અને ચક્રવર્તીઓનાય તો મિત ચક્રવર્તીને પણ એ ચિંતા છોડતી નથી.
આ જ કારણે સંપૂર્ણ દશપૂર્વને ધરનારા વાચકચંદ્ર શ્રી ઉમાસ્વાતિજી મહારાજા શ્રી પ્રશમરતિ (૧૨૮ ગાથા)નામના પ્રકરણમાં હું માને છે કે,
રિમ-લક્ષ્મણને