________________
ઉડાડનારા મહાપવનો જેમ એક ક્ષણની અંદર જગતને અંધ કરી નાંખે છે. તેમ મહાપવનની જેમ ઉભ્રાન્ત બનેલા તે સ્વેચ્છાએ, એકદમ છોડેલાં અસ્ત્રો દ્વારા શ્રી રામચંદ્રજીના સૈન્યને આંધળું બનાવી દીધું. આ બનાવ બનવાથી શત્રુઓની સેવાઓ અને શત્રુઓ પોતાનો જય માનવા લાગ્યા. શ્રી જનકરાજા પોતાનું મરણ આવી લાગ્યું એમ માનવા લાગ્યા અને લોકોએ પણ એમ જ માની લીધું કે હવે આપણો સંહાર થઈ જ જવાનો.
ધીરતાપૂર્વક વીરતાનું રામચંદ્રજીએ કરેલું પ્રદર્શન અનાર્યો તરફથી થયેલા એકદમ હલ્લાથી સઘળાંએ મૂંઝાયા. પણ શ્રી રામચંદ્રજી તો શત્રુઓની ઘેલછા ઉપર હસવા લાગ્યાં અને હસતાં-હસતાં જ તે ધીરતાથી ભરેલા વીરે પોતાની ધીરતાપૂર્વકની વીરતાના પ્રદર્શન કરવા માટે ન જ હોય. તેમ એક લેશ પણ ક્ષોભ આદિથી રહિતપણે પોતાના ધનુષને પણછ ઉપર ચઢાવ્યું અને રણનાટકના વાજિંત્રરૂપ તે ધનુષની દોરીનો ટંકાર કર્યો. એ પ્રમાણે પ્રસન્નતાપૂર્વક જ ટંકાર કરનાર અને ભૂમિ ઉપર રહેલા દેવની જેમ ભ્રકુટીના ભંગને નહિ કરનાર શ્રી રામચંદ્રજીએ, શિકારી જેમ - હરણીયાઓને વીંધી નાંખે તેમ અસ્ત્રો દ્વારા કોડો મ્લેચ્છોને વીંધી નાંખ્યા. આ પ્રમાણે અકસ્માત્ અસ્ત્રોના વરસાદથી “આ શ્રી જનકરાજા તો રાંક છે, તેનું સૈન્ય તો એક મશક જેવું છે. અને એની ? સહાય માટે આવેલું સૈન્ય તો શરૂઆતથી જ દીનતાને પામી ગયેલું છે.” આ પ્રમાણે હોવા છતાં પણ ‘અરે ! આકાશતળને આચ્છાદિત ૨૦૭ કરી નાંખતાં આ બાણો પક્ષીરાજોની જેમ ક્યાંથી આવે છે ?” આ છે પ્રમાણે પરસ્પર બોલતા અને કુપિત તથા વિસ્મિત થયેલા છે. આતરંગતમ આદિ મ્લેચ્છ રાજાઓ એકી સાથે અસ્ત્રોનો વરસાદ વરસાવતા શ્રી રામચંદ્રજીની તરફ ધસ્યા. એકી સાથે અસ્ત્રોને વરસાવવાપૂર્વક ધસી આવતા એવા પણ તે પ્લેચ્છોને દુરાપાતી, દઢાઘાતી અને શીઘ્રવેધી એવા શ્રી રામચંદ્રજીએ જેમ અષ્ટાપદ હાથીઓને સહેલાઈથી ભગાડે તેમ સહેલાઈથી ભગાડી મૂક્યા. શ્રી રામચંદ્રજી દુરાપાતી હોવા સાથે એવા દ્રઢાઘાતી અને શીઘવેધી હતા કે તેમની સામે પરાક્રમી એવા પણ મ્લેચ્છો લાંબો કાળ ટકી શક્યા નહિ અને જેમ કાગડાઓ ભાગે તેમ નાસીને દશે દિશાઓમાં એકદમ ભાગ્યાં.
કુલીન પરિવારોને 8 ખાનદાની ઝળકી ઉઠે છે...?