________________
દશરથ મહારાજાની તૈયારી છે શ્રી જનક મહારાજાના દૂત દ્વારા ધર્મ ઉપર અને શ્રી , જનકરાજા ઉપર નિરંતર ધર્મના નાશમાં જ રક્ત રહેતા અનાર્યો તરફથી કારમો ઉપદ્રવ થયાના સમાચાર સાંભળીને તે ને તે જ વખતે શ્રી દશરથ મહારાજાએ યાત્રાભેરી વગડાવી. કારણકે
"संतः सतां परित्राणे, विलंबते न जातुचित्' “સપુરુષો, સપુરુષોની રક્ષા કરવામાં કદીપણ વિલંબ કરતા નથી."
દશરથ મહારાજા પ્રત્યે રામચંદ્રજીની પ્રાર્થના યુદ્ધ માટે સ્વયં જ જવાને સજ્જ થતા શ્રી દશરથ મહારાજા પ્રત્યે સુવિનિત એવા શ્રી રામચંદ્રજીએ વિનિતભાવે પ્રાર્થના કરતાં કહ્યું કે,
"रामोऽथोचे दशरथं, म्लेच्छोच्छेदाय चेत्स्वयम् । तातो यास्यति तद्वामः, सानुजः किं करिष्यति ॥११॥ पुत्रस्नेहाच्च तातेना-क्षमो वा तर्कितोऽस्म्यहम् । મમતાસિદ્ધ, નાન્વિટવાળુપુ પૌરુષન્ ૨/૪ प्रसीद विरम म्लेच्छानुच्छेत्तुं मां समादिश । અધિરાછુષ્ય સ્વામિ-દ્યવાર્તા સ્વનિર્મનઃ રૂ?”
પ્લેચ્છોનો ઉચ્છેદ કરવા માટે જો પિતાશ્રી પોતે જ પધારશે તો ? પછી પોતાના નાના બંધુ સાથે રામ શું કરશે? જો પિતાશ્રીએ પુત્રસ્નેહથી મને અસમર્થ કચ્યો હોય તો હું કહું છું કે ઇક્વાકુ વંશના પુરુષોમાં શ્રી ભરત મહારાજાથી આરંભીને પુરુષાર્થ જન્મથી જ સિદ્ધ છે. એ કારણે હે પિતાશ્રી ! આપ કૃપા કરો, વિરામ પામો અને પ્લેચ્છોનો ઉચ્છેદ કરવાની આજ્ઞા મને ફરમાવો. હે સ્વામિન્ ! આપ અલ્પ સમયમાં જ આપના પુત્રની જયવાર્તાનું શ્રવણ કરશો.”
સંસારમાં રહેલાં વિનીત પુત્રોની પિતા પ્રત્યે કેવી ફરજ હોય છે?' એ વિચારનાર આ પ્રસંગ ઉપરથી વિચારી શકે છે. સંસારમાં રહેવારો પુત્ર, પિતાની સેવાના એકપણ પ્રસંગને જતો કરે નહિ. પિતા પાસે ઉદ્ધતાઈ એ સુપુત્રને મરણ કરતાં પણ ભયંકર લાગવી જોઈએ. સુપુત્ર કોઈપણ વાત પિતા પાસે રજૂ કરે તે વિનયપૂર્વક જ કરે.
કુલજ વરિવારોની 3 ખાનદાની ઝળકી ઉઠે છે..૯