________________
I[C(IME
તે પિંગલ નામનો પુરોહિતપુત્ર, રાજા ચક્રધ્વજની અતિસુંદરી નામની છે પુત્રીની સાથે એક જ ગુરુની પાસે ભણતો હતો. સાથે ભણતાં કેટલોક કાળ છે. વિત્યા બાદ એ બંનેયને પરસ્પર અનુરાગ ઉત્પન્ન થયો. એ અનુરાગના રે પરિણામે પિંગલે છળથી તેનું અપહરણ કર્યું. એ રીતે અપહરણ કરીને તે વિદગ્ધ નામના નગરે ગયો. વિજ્ઞાનથી રહિત એવો તે, તે નગરની અંદર ઘાસ અને હું લાકડાં આદિને વેચીને પોતાની આજીવિકા ચલાવતો હતો. આ કારવાઈને અનુલક્ષીને કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ભાવે છે કે "નિર્ગુણી આત્મા માટે આ જ ઉચિત છે.”
વિચારો કે આના જેવી બીજી ભોગાસક્તિની ભયંકરતા આલોકમાં શી હોઈ શકે ? કારમી ભોગાસક્તિના પરિણામે પિંગલ, પોતાના પિતા જે રાજાના પુરોહિત છે. તે જ રાજાની પુત્રી ઉપર અનુરાગી બને છે, અને છળપૂર્વક તેને ઉપાડી પણ જાય છે. આનું પરિણામ અશુભોદય હોય તો આ ભવમાં પણ કારમું આવે, અન્યથા પરભવમાં તો કારમું છે જ. પણ આ બધો વિચાર ભોગાસક્તિની ભયંકરતામાં ફસાયેલા આત્માને નથી જ આવી શકતો. એક છુ પોતાની ભગિની-બેન જેવી ગણાતી રાજપુત્રી ઉપર અનુરાગી બની 2. જવું એ નાની સુની ભોગાસક્તિ ન જ ગણાય. એ કારમી ભોગાસક્તિના પ્રતાપે તેણે ભણવું ગણવું માંડી વાળ્યું. અને તેને ઉપાડીને ભાગ્યો અને વિદગ્ધપુરમાં જઈને ઘાસ તથા કાષ્ટ આદિને વેચીને તે પોતાની આજીવિકા ચલાવવા લાગ્યો. આ શું ઓછી અધમતા છે ? પણ ભોગાસક્ત આત્માઓને તો એવી-એવી અધમતાઓમાં જ આનંદ આવે છે.
કામદેવનું કારમું નાટક આ પ્રસંગમાં આગળનો બનાવ તમે સાંભળશો ત્યારે તમને પણ એમ લાગશે કે ખરેખર, આ સંસારમાં કામદેવનું નાટક પણ કારમું છે. કામદેવ ભલભલા આત્માઓને પાયમાલ કરી નાંખવાનું સામર્થ્ય ધરાવે છે. કામદેવના પ્રતાપે પાગલ બની રાજપુત્રી ઉઠાવી લાવનાર પિંગલ કંઈ દશા ભોગવે છે ? એ તો આપણે જોઈ ગયા. જેની ખાતર પિંગલ પાગલ બનીને જે નગરમાં કારમી દશા ભોગવે
આનંદ અને
ર શકના અવસરો તે સંસર...૮