________________
પણ એના ઊંડાણમાં જેટલું ઉતરવું જરૂરી હોય તેટલું ઊંડુ ઉતરીને વિચારે છે કારણકે કોઈપણ વસ્તુ આકસ્મિક જ હોય છે એમ નથી હોતું. વૈરવૃત્તિના પ્રતાપે ક્રૂર બનેલો દેવતા એકદમ શુભ વિચારણા જાગૃત થવાથી દયાર્દ બનવા છતાં પણ બાળકને જયાંથી ઉપાડ્યો ત્યાં નહિ મૂકી આવતાં અન્યત્ર અને તે પણ અમુક જ સ્થાને મૂકી આવે છે, એ વસ્તુ વિના કારણ નથી બનતી પણ સકારણ જ બને છે. એમ સમજવું એ વિવેકી
આત્મા માટે કઠીન નથી. વસ્તુને એ રીતે વિચારનાર વિવેકી કર્મની ૧૯ વિષમતાને ઝટ સમજી શકે છે અને એ રીતની કર્મવિષમતાને
સમજનાર આત્મા માટે વૈરાગ્ય અને દુપ્રાપ્ય વસ્તુ નથી. વસ્તુનો વિવેક નથી થતો. એથી જ વૈરાગ્ય અપ્રાપ્ય અથવા દુષ્માપ્ય લાગે છે માટે કોઈ પણ વસ્તુને વિચારવામાં જે જાતની ગંભીરતાની જરૂર છે તે અવશ્ય પ્રાપ્ત કરવા જેવી છે. ગંભીરતાના અભાવે મહત્ત્વની વસ્તુ પણ શુદ્ર લાગે છે અને એ બહુ જ અહિતકર છે.
એક બાજુ આનંદ બીજી બાજુ શોક પાપના ઉદયે પ્રાપ્ત વસ્તુ જેમ ચાલી જાય છે તેમ પુણ્યના પ્રતાપે પુણ્યશાળી આત્માને અર્કિત રીતે ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થઈ જાય છે. અને જેનું પુણ્ય જાગતું હોય છે તે આત્માને દુશ્મન પણ મારી નથી શકતો તથા મળી હોય તેના કરતાં પણ અધિક સુંદર સામગ્રીનો સુયોગ થઈ જાય છે. આ વાત પણ આ પ્રસંગ આપણને સારી રીતે સમજાવે છે. કારણકે પુત્રની ઉત્પત્તિ થઈ જનકરાજાના અંતઃપુરમાં અને માતાપિતા કોઈ અન્ય જ બને છે, તથા મારવા લઈ જનાર દેવ ભૂચર રાજાના પુત્રને ખેચર રાજાના પુત્ર તરીકે બનાવી દે છે.
આપણે જોઈ આવ્યા છીએ કે વિદેહાદેવીની કુક્ષિથી ઉત્પન્ન થયેલા પુત્રને ઉપાડી જનાર દેવ, એકદમ સુંદર વિચારોને ધરાવનારો હું બની જવાથી વૈરવૃત્તિને વિસારી દઈને મારવાના વિચારથી પાછો
ફરી ગયો અને દિવ્ય અલંકારોથી વિભૂષિત બનાવી તે બાળકને જ્યાં
GIDEી
DHI
EDUI]\