________________
8 સત... ભાગ-૨
રામ-લક્ષમણને
યૌવનને પામી ત્યારે સમુદ્રની પુત્રી લક્ષ્મી જેવી દેખાવા લાગી, અર્થાત્ કમળનાં જેવાં નેત્રોવાળી તે જ્યારે યૌવનને પામી ત્યારે તેના અંગ ઉપર પવિત્ર લાવણ્યની લહરીઓ એવી વહેતી હતી કે જેથી તે નદી જેવી લાગતી અને લોકોની દૃષ્ટિએ તે લક્ષ્મીના જેવી દેખાતી.
લક્ષ્મીના જેવી દેખાતી મારી પ્રાણપ્રિય પુત્રી સીતાને યોગ્ય એવો વર હૈ કોણ થશે? આ પ્રમાણે સીતાદેવીના પિતા જનક નામના પૃથ્વીપતિ
રાત-દિવસ ચિંતા કરતા હતા. આ ચિંતાને દૂર કરવા માટે જનક મહારાજાએ પોતાના મંત્રીઓ સાથે વિચાર કર્યો અને ચરચક્ષુ દ્વારા
રાજાઓના દરેક કુમારોને જોયા, પરંતુ તેમાંનો કોઈ પણ શ્રી જનક ૨૦૨ મહારાજાને રૂચિકર થયો નહિ.
અનાર્યોનો ઉપદ્રવ આ ચિતા ટળે તે પહેલાં શ્રી જનક મહારાજા ઉપર અન્ય ચિતાનો પ્રસંગ ઉભો થાય છે. અને તે અન્ય કોઈ જ નહીં, પણ અનાર્યોના ઉપદ્રવનો. એ પ્રસંગે શ્રી જનક મહારાજાને અન્ય કોઈ યાદ નથી આવતું પણ શ્રી દશરથ મહારાજ જ યાદ આવે છે. અને એ પ્રસંગ જ આપણને એ ઉભયની વચ્ચે કેવો મનોહર મૈત્રીભાવ છે એનો ખ્યાલ આપે છે. કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે
तढार्यबर्बरैरात - रंगतमादिपार्थिवैः । दैत्यकल्पैरनल्यै-भू र्जनकस्योपदुद्रुवे ॥
“જે સમયે શ્રી જનકરાજાની પોતાની પ્રાણપ્રિય પુત્રીના વરની ચિંતામાં હતા, તે સમયે શ્રી જનક રાજાની ભૂમિ ઉપર અર્ધબર્બર દેશના આતરંગતમ આદિ દૈત્યો જેવા ઘણા રાજાઓએ ઉપદ્રવ આરંભ્યો.”
તે અનાર્ય રાજાઓના ઉપદ્રવનો ધસારો કારમો હતો. કલ્પાંત કાળે સમુદ્રનું જળ જે રીતે ધસી આવે તે રીતે અનાર્ય રાજાઓ શ્રી
જનકરાજાની ભૂમિ ઉપર ધસી આવતા હતા. એવી રીતે ધસી છે આવતા તેઓનો વિરોધ કરવાની શક્તિ શ્રી જનક મહારાજામાં ન
હતી. કલ્પાંત કાળના સમુદ્રજળોનો ધસારો ઘણો કારમો હોય છે. એના જેવા ધસારાથી ધસી આવતા અનાર્ય રાજાઓનો વિરોધ કરવાને અસમર્થ એવા શ્રી જનક મહારાજાએ શ્રી દશરથ મહારાજાને બોલાવવા માટે પોતાનો દૂત મોકલ્યો.
કારમી આફતના પ્રસંગે વિશ્વમાં સાચા સ્નેહીનું જ સ્મરણ