________________
સત... ભાગ-૨
રિમ-લક્ષ્મણને
કારણકે રાજપુત્રીનું હરણ કરીને પિતાના ભયથી દુર્ગદેશમાં પલ્લી બનાવીને રહેલા તેણે ત્યાં રહ્યો-રહ્યો શ્રી દશરથ મહારાજાની પૃથ્વીને છળથી કુતરાની જેમ લૂંટવાનો જ હંમેશને માટે ધંધો શરૂ કર્યો હતો. કારણકે એ ધંધા વિના વિષયભોગોને ભોગવવાની તેનામાં બીજી શક્તિ જ ન હતી. એ લૂંટના ધંધાના પરિણામે શ્રી દશરથ મહારાજાએ પોતાના બાલચંદ્ર નામના સામંતને એવી આજ્ઞા કરી કે લૂંટારાને કોઈ પણ રીતે પકડીને મારી પાસે હાજર કરો. એ આજ્ઞાના
પ્રતાપે તે સામંતે તેને સૂતેલો પકડ્યો અને બાંધીને તે શ્રી દશરથ ૧૯ મહારાજાની પાસે લઈ ગયો. શ્રી દશરથ મહારાજાએ તેને કારાગારમાં
નાંખ્યો અને કેટલોક કાળ વીત્યા બાદ કોપ શાંત થવાથી શ્રી દશરથ મહારાજાએ તે કુંડલમંડિતને પોતાના કારાગારમાંથી છોડ્યો. કારણકે મોટા આત્માઓનો કોપ એવો જ હોય છે કે તે દીન અને ક્ષીણ બની ગયેલા શત્રુ ઉપર ટકી શકતો નથી. અર્થાત્ શત્રુને પણ દીન અને ક્ષીણ જુએ કે તરત જ શત્રુ ઉપરનો ગુસ્સો પણ મોટાઓના અંતરમાં રહી શકતો નથી પણ શમી જાય છે. શત્રુને દુર્દશામાં રીબાતો જોવા છતાં પણ જેઓ ક્રોધથી સળગ્યા કરે છે, તે દુનિયાની દૃષ્ટિએ પણ મોટા આત્માઓ નથી કિંતુ સુદ્ર આત્માઓ છે. શ્રી દશરથ મહારાજાની મોટાઈના પ્રતાપે છુટી શકેલો કુંડલમંડિત એક જ વિચારમાં પડ્યો કે હવે કોઈપણ રીતે પોતાના રાજ્યને મેળવવું એ ઈચ્છાથી પૃથ્વી ઉપર ભ્રમણ કરતાં તેને મુનિચંદ્ર નામના મુનિનો મેળાપ થયો. એ મુનિ પાસે ધર્મનું શ્રવણ કરીને તે રાજપુત્ર પણ શ્રાવક બન્યો. એટલે કે તેણે શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો.
શ્રાવકપણાનો સ્વીકાર કરવા છતાં પણ તેની રાજ્ય 9િ મેળવવાની ઇચ્છા શમી નહીં. ઇચ્છા ગમે તેટલી કરવામાં આવે તો (2 પણ ભાગ્ય વિના ઈચ્છેલું નથી મળી શકતું એ નિશ્ચિત છે. આ
આગમસિદ્ધ સાથે યુક્તિસિદ્ધ સિદ્ધાંતનો પણ સ્વીકાર નહિ કરી શકનારા આત્માઓ નિષ્કારણ આધિથી પીડાયા જ કરે છે. વ્યાધિ કરતાંય વિશ્વના પ્રાણીઓને આધિ બહુ રીબાવે છે. વ્યાધિ આવે છે