________________
DJEI
=
जो कलकलस्तत्र, नगरे सकलेऽपि हि । આશ્ચર્ધ્વનિત્તસ્થા - વન્તરન્તપુરં મહાત્ જ હતી સાંદ્ય સમઘાર્વજો, સામંતા: સનરક્ષdat: 2
“આખીયે શ્રી અયોધ્યાનગરીની અંદર કોલાહલ થઈ ગયો અને એ અંતઃપુરની અંદર આક્રંદનો મોટો ધ્વનિ ઉત્પન્ન થયો તથા સામંતો સજ્જ હૈં થઈને અંગરક્ષકોની સાથે એકદમ દોડ્યા.”
નિમકહલાલ મંત્રીઓની કેવી ગંભીરતા આખીએ શ્રી અયોધ્યામાં શોકજન્ય કોલાહલ મચવા છતાં અંત:પુરની અંદર ઉત્કટ આકંદનો ધ્વનિ ઉઠવા છતાં અને અંગરક્ષકોની સાથે સજ્જ થઈને શત્રુનાં સંહાર માટે સામંતો દોડી ગયા તે છતાં પણ મંત્રીઓ, રહસ્યનો સ્ફોટ થઈ જાય તેવું કશું જ વર્તન પોતાના તરફથી નથી થવા દેતા. વિચારો કે આ કેવી અને કેટલી ગંભીરતા ! એક રાજ્યતંત્રને સુસ્થિત રાખવા અને દુશ્મનથી માલિકને બચાવી લેવા ખાતર મંત્રીઓ કેવા અને કેટલા ગંભીર બની શકે છે એ પણ વિચારો. અન્યથા આવો કારમો ઉત્પાત મચી જવા છતાં હદયનો ભાવ મુખ ઉપર આવી ગયા વિના કેમ જ રહી શકે ? હદયનો ભાવ તો બહાર ન આવવા દીધો પણ અધિકમાં એ ગંભીર મંત્રીઓએ શું કર્યું એનું વર્ણન કરતાં અને એ વર્ણન સાથે મંત્રીઓનું ૪ સ્વરૂપ દર્શાવતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી જ મહારાજા વર્ણવે છે કે
विदधु म॒तकार्याणि, गूढमन्त्राश्च मंत्रिणः ।
તે મંત્રીઓએ ખરેખર શ્રી દશરથ મહારાજાના મૃત્યુ સંબંધના સઘળાં જ કાર્યો કર્યા. કારણકે મંત્રીઓ ખરેખર જ ગૂઢ મંત્રવાળા હોય છે.
આ બધી કારવાઈ જોવાથી શ્રી બિભીષણે જાણ્યું કે જરૂર શ્રી દશરથ રાજા માર્યા ગયા છે. આથી એણે શ્રી મિથિલા નગરીના રાજા શ્રી જનકને મારી નાખવાનો વિચાર માંડી વાળ્યો. શ્રી દશરથના મરવા પછી જનક એકલો અકિંચિકર છે. એમ માનીને એણે મિથિલેશ્વર શ્રી જનકનો વધ ન કર્યો. અને સીધા અયોધ્યાથી જ પોતાની લંકા નામની નગરી તરફ પ્રયાણ કર્યું અને પહોંચી પણ
પુણ્યોદય
અભય-કવચન પ્રભાવ..૭
ગયા.