________________
સિત... ભાગ-૨
રિમ-લહમણો
અવિરોધી આત્માના જિન વચનાનુસારી ગુણ ગવાય. આ ઉપરથી ગુણરાગી આત્માઓએ ગુણ અને ગુણાભાસનો વિવેક કરતાં શીખવું જોઈએ જેઓ ગુણ અને ગુણાભાસનો વિવેક નથી કરી શકતાં તેઓ ગુણાનુરાગી કદી જ નથી બની શકતાં. એવા તો ગુણાનુરાગી કહેવરાવીને ગુણના ઘાતક બને છે અને ગુણાભાસના પોષક બની જાય છે, કારણકે એવાઓ વસ્તુ સ્વરૂપનો વિચાર કરવાને બદલે આડંબર આદિમાં જ તણાઈ જાય છે. માટે કલ્યાણના અર્થીએ દરેક
વસ્તુમાં સારાસારના વિવેચક બનવું જોઈએ ૧૯ એ જ કારણે આપણે આ સ્થળે એ વાત કહીએ છીએ કે શ્રી - દશરથ મહારાજાએ અને શ્રી જનક મહારાજાએ રાજ્યનો ત્યાગ કર્યો
છે. એ વાત સાચી, પણ એથી તેઓ રાજ્યના ત્યાગી નથી, એટલું નહિ પણ તેઓના ત્યાગ રાગને માટે જ થયેલો છે. અને રાગ માટે ત્યાગ કરનાર વાસ્તવિક ત્યાગી ગણી શકાતો નથી. ડોકટર ઓપરેશન કરે અને ખાવાની ના પાડે એથી આઠ દિવસ ન ખાય એથી શું અઠ્ઠાઈ કરી કહેવાય ? કહેવું જ પડશે કે નહિ જ. કારણકે પ્રભુની આજ્ઞાના પાલન ખાતર, તપના ઇરાદે આઠ દિવસના ઉપવાસ કરે તો જ અઠ્ઠાઈ કરી કહેવાય એ જ રીતે વેપારમાં બે કલાક ભૂખ્યા રહો એ તપમાં ન ગણાય, ત્યાં બાર કલાક તડકો વેઠો એની પણ કિંમત નથી. પણ ધર્મના કામમાં ઊભા રહો તો જ લેખે ગણાય. એ ધર્મક્રિયા પણ જો કેવળ નામના જાળવવા કરાતી હોય તો તેની પણ તેની કિંમત નથી અને એથી પોતાની જાળમાં કોઈને ફસાવવા ધર્મક્રિયા કરાતી હોય તો એની કિંમત નથી, એટલું નહિ પણ એ ઘણી જ ભયંકર હાનિ કરનારી વસ્તુ છે. આ વસ્તુ પણ
ખૂબ ખ્યાલ રાખવા જેવી છે. * રાગની રક્ષા માટે જ ધરેલો ત્યાગનો વેશ આત્માને ઘસડીને હતી રાગના ઘરમાં લઈ જાય છે એમાં કશી જ શંકા નથી. શ્રી દશરથ છે અને શ્રી જનક ત્યાગના વેષમાં ફરવા છતાં પોતે રાજા છે એ કદી જ
ભૂલ્યા ન હતા અને એ એમને ભૂલવું ય ન હતું. એમને તો માત્ર એક જ રાહ જોવાતી હતી કે આગંતુક ઉપાધિ ક્યારે ટળી જાય ? વધુમાં