________________
આનંદ અને શોકના અવસરો તે સંસાર
८
સંસારનું સ્વરુપ અનેક દૃષ્ટિએ વિચારી શકાય, તેમાં એમ પણ કહેવાય કે એકબાજુ આનંદની છોળો ઉછળતી હોય અને બીજી બાજુ શોકનું સામ્રાજ્ય છવાયું હોય તેવું અહીં બન્યા જ કરે.
શ્રી દશરથ મહારાજાએ રાજગૃહીમાં પોતાના અંતપુરને બોલાવી લીધું ત્યાં સ્વપ્નસૂચિત રામ-લક્ષ્મણનો જન્મ, પછી અયોધ્યામાં ગયા બાદ, ભરત-શત્રુઘ્નનો જન્મ થયો તેથી શ્રી દશરથ રાજાને ત્યાં આનંદમય વાતાવરણ છે.
તો બીજી બાજુ જનકરાજાને ત્યાં વિદેહાની કુક્ષીથી પુત્રપુત્રી યુગલનો જન્મ થતાં જ, પુત્રનું અપહરણ થાય છે. પુત્રી જન્મથી આનંદ, અને પુત્રના અપહરણથી શોકમય વાતાવરણ બને છે.
ત્યાં
વૈતાઢ્યગિરિના ચન્દ્રગતિ વિદ્યાધરને અપહૃત પુત્રના આગમનથી આનંદ છવાયો છે. આ સ્થિતિ છે સંસારની ! આ પ્રકરણમાં આ બધાના ચિત્ર-વિચિત્ર પૂર્વભવોનું વર્ણન છે.
-શ્રી
૧૭૧