________________
રે, રસના... ! તારા પાપે
૫
રસનાની લાલસાની ભયંકરતા
ખરેખર, રસનાની લાલસા ઘણી જ ભયંકર હોય છે. હરેક ઇન્દ્રિયોની લાલસા ભયંકર હોય છે, છતાં પણ તેમાં રસના એટલે જીહ્વા ઇન્દ્રિયની લાલસા અતિશય ભયંકર હોય છે. એને આધીન થયેલા આત્માઓ એક ક્ષણવારમાં વિવેકને વિસરી જાય છે. રસનાને આધીન થયેલા આત્માઓ ભવિષ્યમાં પોતાનું પણ શું થશે? એ પણ નથી વિચારી શકતા. રસનાની તૃપ્તિના કારણે અનેક કનિષ્ટમાં કનિષ્ટ આચરણા પણ રસનાને શરણ થયેલ આત્માઓ કરે છે. રસનાની આજ્ઞાને તાબે થયેલા આત્માઓ સંયમને પામી શકતા નથી. અને કદાચ પામી જાય છે તો પણ જે રીતે આરાધવું જોઈએ તે રીતે આરાધી શકતા નથી અને તેઓ માટે પતનનું એ પ્રબળમાં પ્રબળ કારણ બને છે. આ કારણે કલ્યાણના અર્થીઓએ રસનાનો વિજય કરવા માટે સદાય સજ્જ રહેવું જોઈએ.
રસનાને પરવશ થયેલા સોદાસ રાજાએ મંત્રીઓની વાતને વચનથી સ્વીકારવા છતાં પણ પોતાના રાજ્યમાં પોતાના જ નામથી કરવામાં આવેલી ‘અ-મારિ'ની ઘોષણાનો કારમી રીતે ભંગ કર્યો. મંત્રીઓની સમક્ષ “મારે માંસ ખાધા વિના નહીં જ ચાલી શકે.” એમ નહિ કહી શકનાર સોદાસે પોતાના રસોઈઆને આજ્ઞા કરી કે,
હૈ ! રસા
૯૭
તારા યાયે...પ