________________
મંત્રીઓને એ બહાને પોતાને કોઈ પણ પ્રકારનો અન્યાય કરવાનો છે કશો જ અધિકાર નથી. સત્તાના લોલુપી આત્માઓ સત્તાધારી કરતાં પણ ભયંકર છે એ વાત કદી વીસરી જવા જેવી નથી. સોદાસ છે રાજાને પદભ્રષ્ટ કરનારા મંત્રીઓ સત્તાલોલુપ ન હતા, એ જ કારણે તેઓની પદભ્રષ્ટ કરવાની કારવાઈ યોગ્ય મનાઈ છે. અને આપણને કું પણ તેઓની એ કારવાઈ સાંભળતાં આનંદ થાય છે. તેઓ છે સત્તાલોલુપ ન હતા, એનું એ જ પ્રમાણ છે કે ,
तैश्च सोढाससूः सिंह-रथो राज्येऽभ्यषिच्यत । सोदासोऽप्याट वसुधां, मांसं खादन्निरर्गल: ॥
“સોદાસ રાજાને પદભ્રષ્ટ કરી પોતે ગાદીપતિ નથી બન્યા કે નથી પોતાના પુત્ર આદિ સંબંધીઓને ગાદીપતિ બનાવ્યા. પરંતુ તેઓએ સોઘસ રાજાના સિંહરથ નામના પુત્રને જ ગાદીપતિ બનાવેલ છે. જ્યારે પુત્ર ગાદીપતિ બને છે ત્યારે પિતા રાજા મટી યથેચ્છ રીતે માંસનું ભક્ષણ કરતો પૃથ્વી ઉપર ભટકે છે.”
ખરેખર, ઉગ્ર પાપીઓનું ઉગ્ર પાપ આ લોકમાં જ ફળે છે. પણ એથી એવા પાપાત્માઓ ચેતી જવાને બદલે વધુને વધુ પાપપરાયણ બને છે. પાપરક્ત આત્માઓ આપત્તિમાં આવે ત્યારે આપત્તિનું કારણ પાપ છે, એમ માનવાને બદલે આપત્તિના કારણ તરીકે અન્ય-અન્ય વસ્તુઓની કલ્પના જ કરે છે અને એ રીતે કલ્પનાવાદના પ્રતાપે પરિણામે તેઓ એવા નાસ્તિક બની જાય છે કે જેની કશીએ મર્યાદા નહીં. નાસ્તિક બની ગયેલા પાપાત્માઓને મન આપત્તિ આણનાર તરીકે એક ધર્મ જ જણાય છે. અને એથી તેઓની પ્રવૃત્તિ, ધર્મપ્રચારક ધર્મગુરુઓ અને ધર્મપ્રકાશક ધર્મશાસ્ત્રોની અવહેલના કરવામાં જ પર્યાપ્ત થાય છે. એકે-એક ધર્મપ્રવૃત્તિને નાબુદ કરવામાં જ તેઓ વિશ્વનું કલ્યાણ સમજે છે. ગમે તેવી ધર્મપ્રવૃત્તિ ઉપર તેઓ કોઈને કોઈ પ્રકારનું કલ્પિત કલંક કલ્પીને તેને હલકી પાડવાની કારમી પ્રવૃત્તિ કર્યા વિના જીવી પણ ન શકે, એવી જાતનો કારમો ઉન્માદ તેઓને થાય છે. એ ઉન્માદના યોગે તેઓ એવા તો લેખકો અને વક્તાઓ બની જાય છે કે
તારા પ્ર...પ.