________________
બિમારીના બિછાનામાં પટકાયા. પતિત જાણીને મંત્રી આદિ સેવકોએ પણ તેમની ઉપેક્ષા કરી. એ ઉપેક્ષાથી તે રૌદ્ર પરિણામી બન્યા અને એ રૌદ્ર પરિણામમાં જ મરણ પામીને સાતમી નરકમાં ઉત્કટ આયુષ્યવાળા નારકી તરીકે ઉત્પન્ન થયા.
જે રસના મોટા મોટા મહર્ષિઓની પણ દુર્દશા કરી શકે છે તે રસના સોદાસ જેવા એક રાજાને ઉન્માર્ગે દોરી જાય એમાં આશ્ચર્ય પણ શું છે ? રસનાની લાલસાને પ્રતાપે ઉન્માર્ગે ચઢી ગયેલા સોદાસ રાજાએ ‘અ-મારિ’નો કારમો ભંગ કર્યો અને કરાવ્યો એમ કરતાં એક દિવસ મનુષ્યનું માંસ ખાવાને નહોતું મળ્યું તે મળ્યું. એથી તો રાજાની રસના ઉલ્ટી વકરી અને એના યોગે આપણે જોઈ ગયા કે રાજાએ, પોતાના રસોઈઆને એ પ્રકારની કારમી આજ્ઞા કરી કે
अद्येव दधाः संस्कृत्य, प्रत्यहं नृ-पलं मम
તારે આજની જેમ દરરોજ મનુષ્યના માંસને સંસ્કારિત કરીને મને
આપવું.
डिंभान् सूदोऽप्यथाहार्षी - तदर्थं प्रत्यहं पुरे । નહિ મીરાનયા રાજ્ઞા - અન્યાયનેવિ હિ
રાજાની આ પ્રકારની કારમી આજ્ઞાને પામ્યા પછી રસોઈઆએ પોતાના રાજાની ખાતર દરરોજ નગરની અંદર બાળકોનું હરણ કરવા માંડ્યું. કારણકે રાજ નોકરોને રાજાની આજ્ઞાથી અન્યાય કરવામાં પણ ભીતી રહેતી નથી.
આ કથન ઉપરથી સમજી શકાશે કે રસનાલોલુપ રાજાની આજ્ઞાથી રાજાની રાજધાનીમાં ઘોર અન્યાયની પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ. કારણકે પ્રજાના બાળકોનું હરણ રાજાની આજ્ઞાથી થાય છે. એ શું જેવો તેવો અન્યાય ગણાય ? ખરેખર, કોઈ પણ અકાર્ય એવું નથી કે જે અકાર્ય કરતાં રસના આધીન આત્માઓ અચકાય.
અકાર્યના પ્રતાપે રાજા સોદાસ પદભ્રષ્ટ પણ એક રાજા માટે પોતાની જ પ્રજાના બચ્ચાંઓનું હરણ કરાવવું એ એક ભયંકરમાં ભયંકર ગુનો ગણાય. જે પ્રજા જે રાજાથી પોતાનું, પોતાની સંપત્તિનું અને સંતતિનું રક્ષણ માને, તે પ્રજાની સંતતિનું તે રાજા આવી રીતે ભક્ષણ કરે. તે રાજાનું તે પ્રજા
રે
ویه
! રસના
૧૧
તાર થાય...પ