________________
છે
D
DિEI
ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, ધર્મની પૃચ્છા કરતો આ સોઘસ તે મહષિને કેવો લાગ્યો ? અને એ મહર્ષિએ શું કર્યું ? એ વસ્તુનું વર્ણન કરતાં ફરમાવે છે કે
ઘોઘાર્ડ ડ્રતિ « જ્ઞાત્વિા, ન ત મહામુલા मद्य-मांस परिहार-प्रधानं धर्ममार्हतम् ॥
તે સોઘસ બોધને માટે યોગ્ય છે. એ પ્રમાણે જાણીને મહામુનિએ તેને મઘ માંસના પરિવારની પ્રધાનતા છે જેમાં એવા પ્રકારનો અહંન્દુ ધર્મ કહો. અર્થાત્ આવી સ્થિતિમાં પણ ધર્મની પૃચ્છા કરનાર હોવાથી આ આત્મા બોધ પામવાને યોગ્ય છે. એમ જાણીને તે મહામુનિએ, તેને શ્રી અરિહંત પરમાત્માએ પ્રરૂપેલો ધર્મ સંભળાવ્યો અને તેમાં મધ અને માંસના પરિહારરૂપ ધર્મને પ્રધાન રાખ્યો. કારણકે સોદાસ જેવા આત્મા માટે એ વસ્તુને પ્રધાનતા આપવાની ખાસ આવશ્યકતા હતી.”
સોઘસને બોધ માટે યોગ્ય જાણીને મહામુનિએ ધર્મદેશના કેવા પ્રકારની આપી ? એનો ખ્યાલ આપતાં પઉમચરિયમના રચયિતા વિમલસૂરિ ફરમાવે છે કે अह भणड़ मुणिवरिन्हो, निसुणसु धम्मं जिणेहिं पकहियं । जेट्ठो य समणधम्मो, सावयधम्मो य अणुजेट्ठो ॥ पञ्चय महव्वयाडं, समिईओ चेव पञ्च मणियाओ । तिण्ण य गुत्तिनिओगो, एसो धम्मो मुणिवराणं ॥ हिंसालियचोरिवका, परदारपरिग्गहस्स य नियत्ति । तिणि य गुणव्वयाई, महमंसविवज्जणं भणियं ॥
શ્રી જિનેશ્વરદેવોએ સુવિશદ રીતે કહેલા ધર્મને તું સાંભળ શ્રી જિનેશ્વરદેવોએ પ્રરુપેલા ધર્મના પ્રકાર બે છે. તેમાં જ્યેષ્ઠ એટલે મુખ્ય શ્રમણધર્મ છે અને અનુયેષ્ઠ એટલે શ્રમણધર્મથી બીજે નંબરે શ્રાવક ધર્મ છે.
૧. પાંચ મહાવ્રતો એટલે-હિંસા, અસત્ય, ચોરી, અબ્રા અને પરિગ્રહ આ પાંચે મહાપાપોનો મનથી, વચનથી અને કાયાથી કરવાનો, કરાવવાનો અને અનુમોદવાનો પણ ત્યાગ. તેનું યથાસ્થિત પાલન, એ પાંચેય મહાવ્રતોની રક્ષા માટે ૧-ઇર્યાસમિતિ-જંતુરક્ષા માટે ઉપયોગપૂર્વક ચાલવું, ૨-ભાષાસમિતિ
982 ટુ
૧ ૧૭
ત૨ વધે...૫