________________
સ્રોત.... ભાગ-૨
૧૧૩
..........મ-લક્ષ્મણને
કુદર્શનવાદીઓની કલ્પનાજાળ પણ તેઓની કલ્પનાજાળ આગળ હારી જાય ! એવી કુત્સિત કલ્પનાજાળ વિસ્તારીને તે બિચારાઓને પોતે તેમાં ફસાય છે અને અન્યને ફ્સાવે છે. એ રીતે સ્વયં ફસાય અને અન્યને ફસાવી તેઓ સ્વપરહિતના ઘોર ઘાતકી બને છે. સ્વપરહિતના ઘોર ઘાતકી બનેલા તેઓ કસાઈ કરતાં પણ કારમા બનીને અનંતકાળ સુધી આ દુ:ખમય, દુ:ખલક અને દુ:ખ પરંપરક સંસારમાં પોતે રૂલે છે. અને અન્ય ભદ્રિક આત્માઓને પણ પોતાનું ચાલે ત્યાં સુધી રૂલાવે છે.
સદ્ગુરુયોગ અને ધર્મપૃચ્છા પણ એવા આત્માઓમાં પણ કોઈ-કોઈ એવા લઘુકર્મી આત્માઓ હોઈ શકે છે કે જેઓને સદ્ગુરુઓ યોગ મળે છે અને ફળે છે. સોદાસ રાજા પણ તેવા આત્માઓ પૈકીનો જ એક આત્મા છે. એમ આપણે આગળ ચાલતાં જોઈ શકીશું.
सोदासेनापि चान्येद्यु - भ्रमता दक्षिणापथे । મહર્ષિઃ વોડાવ દૃદ્દો, સોડથ ઘર્મમવૃઘ્ધવત
“આમ માંસનું ભક્ષણ કરતા અને દક્ષિણાપથમાં સ્વચ્છંદપણે ભ્રમણ કરતા સોદાસે પણ કોઈ એક દિવસે કોઈ એક મહર્ષિને જોયા. મુનિને જોવાની સાથે સોદાસે પણ મુનિની પાસે જઈને તેમને ધર્મનું સ્વરૂપ પૂછ્યું.”
મુનિનું દર્શન સોદાસ રાજાને ધર્મ પૂછવાની ભાવના પેદા કરે છે. એ જ સોાસ રાજાનો પરમ પુણ્યોદય સૂચવે છે. પુણ્યહીન આત્માઓને કાં તો મુનિનો યોગ થતો નથી અને કદાચ થઈ જાય છે તો તેઓ કોઈ અનેરી જ કાર્યવાહી કરે છે. એક માંસભક્ષણની લાલસના પ્રતાપે પદભ્રષ્ટ થવા છતાં છૂટથી માંસનું ભક્ષણ કરવાપૂર્વક કોઈપણ જાતના અંકુશ વિના યથેચ્છપણે ભટકનાર આત્મા, મુનિના દર્શનથી પ્રસન્ન થાય અને એવી દુ:ખદ અવસ્થામાં પણ અન્ય જાતના વિચિત્ર પ્રશ્નો નહિ પૂછતાં ધર્મની જ પૃચ્છા કરે છે એ કોઈ સામાન્ય વાત નથી.
મહામુનિની ધર્મદેશના એ જ કારણે આગળ ચાલતાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય