________________
2-0c0.
રામ-લક્ષ્મણને
સ્વામી કરે જ એમાં શંકા પણ શી ? અને એવા સુંદર શ્રાવકપણાની પણ પ્રશંસા કરતાં જેને શરમ આવે તેની બુદ્ધિમાં સુંદરતા છે એમ માને પણ કોણ? સભા કોઈ પણ નહિ
સુશ્રાવકના મનોરથો કેવા હોય ? સુદેવ, સુગુરુ અને સુધર્મની ઉપાસનાથી, એના ઉપાસક આત્માની મનોવૃત્તિ આખી જ પલટાઈ જાય છે. એ મનોવૃત્તિના પલટાના પરિણામે તે આત્માને સંસાર આકરો લાગે છે, એટલે એ આત્મા પરમવીતરાગ શ્રી જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપેલા ધર્મની આગળ ચક્રવર્તીપણાની કિંમત પણ કશી જ નથી આંકતો. એ કારણે સદાય એની ભાવના એ જ હોય છે કે શ્રી વીતરાગદેવ, શ્રી વીતરાગદેવની જ આજ્ઞામાં જીવનશ્રેય જોનારા નિર્ગથ ગુરુદેવ અને અહિંસા, સંયમ અને પરૂપ શ્રી વીતરાગ પ્રરૂપિત ધર્મની ઉપાસનાથી મારા આત્મામાં એવી યોગ્યતા પ્રાપ્ત થાઓ કે જે યોગ્યતાના પ્રતાપે મારો આત્મા સદાય ઈચ્છે કે
“જિનવનિર્ભરો, મા મૂર્વ વવ ? સ્થ રેટોડલ રોકવિ, નઘર્માધિવાસિત રાજા”
શ્રી જિનેશ્વર દેવના ધર્મથી અધિવાસિત એવો હું ઘસ પણ થાઉં અને રિદ્ર પણ થાઉં એની હરકત નહિ, પણ શ્રી જિનેશ્વરદેવના ધર્મથી રહિત બની ગયેલો હું ચક્રવર્તી પણ ન થાઉં તો સારું. ' અર્થાત્ મને કોઈ એમ કહે કે “બોલ ! તારે ચકવર્તીતા જોઈએ છે કે શ્રી જિનેશ્વરદેવનો ધર્મ જોઈએ છે. તો જો શ્રી જિનેશ્વર દેવનો ધર્મ જોઈતો હોય તો આ ચક્રવર્તીપણાને બદલે તને ઘસપણું અને
દરિદ્રપણું મળશે. માટે વિચાર કરીને ઉત્તર આપજે. આ કથનના છે ઉત્તરમાં આનંદપૂર્વક હું એમ કહી શકું કે જો એક શ્રી જિનેશ્વરદેવનો _ ધર્મ મારી પાસે રહી શકતો હોય તો મને ઘસપણું અને દરિદ્રપણું
કબુલ છે, પણ શ્રી જિનેશ્વરદેવના ધર્મનો ત્યાગ કરવાથી IS ચક્રવર્તીપણું મળતું હોય તો મારે એ ચક્રવર્તીતાને સ્વપ્ન પણ ન
જોઈએ. કારણકે ચક્રવર્તીપણાની એ મારે મન કશી જ કિંમત નથી. &છે અને શ્રી જિનેશ્વરદેવનો ધર્મ એ મારે મન સર્વસ્વ છે. એનું કારણ એ