________________
પોતે ક્યાંથી આવે છે ? એ જણાવતાં નારદજીએ જે જે વાતો કહી એ સઘળી જ ધર્મી આત્માઓને આનંદ આપનારી છે. (૧) પ્રથમ તો એ પુણ્યપુરુષ આ શ્રી જંબુદ્રીપના પૂર્વ મહાવિદેહમાં આવેલી શ્રી પુંડરીકિણી નામની નગરીમાં ગયા. તે પણ અન્ય કોઈ હેતુથી નહિ પણ તે નગરીની અંદર હાલમાં પણ ભાવતીર્થંકર તરીકે ભવ્યજીવોને મોક્ષમાર્ગ પ્રબોધી રહેલા શ્રી સીમંધર નામના તીર્થપતિનો દીક્ષા મહોત્સવ જોવા માટે જ. સુરો અને અસુરો દ્વારા કરાયેલો શ્રી સીમંધર નામના તીર્થપતિનો ૧૫૮ દીક્ષામહોત્સવ જોઈને પ્રસન્નહૃદય બનેલા તે પુણ્યાત્મા ત્યાંથી શ્રી મેરૂપર્વત ઉપર ગયા. (૨) શ્રી મેરૂપર્વત ઉપર ગયા તે પણ શ્રી મેરૂપર્વત સુવર્ણમય છે. એને જ જોવા માટે નહિ પણ ત્યાં રહેલા તીર્થંકરદેવોને વંદન કરવા માટે (૩) ત્યાંથી શ્રીલંકા નામની નગરીમાં ગયા અને ત્યાં જઈને પણ પ્રથમ અન્ય કોઈ સ્થળે નહિ જતાં સીધા જ એ નગરીમાં આવેલા શ્રી શાંતિનાથ સ્વામીજીના મંદિરમાં જ જાય છે. એ મંદિરમાં જઈને એ મંદિરમાં રહેલા શ્રી શાંતિનાથ સ્વામિજીની પ્રતિમાના દર્શન કર્યા બાદ શ્રી રાવણના આવાસે ગયા. (૪) શ્રી રાવણના આવાસમાં પણ પોતાના સાધર્મિકો ઉપર આપત્તિ આવવાની છે એમ સાંભળ્યું, એટલે ત્યાં કોઈ પણ જાતની વાતચીતમાં અગર તો કોઈને પણ મળવા કરવાની પરવા કર્યા વિના સીધા જ શ્રી દશરથ મહારાજા પાસે પહોંચ્યા. (૫) શ્રી દશરથ મહારાજાને પણ કહેવા યોગ્ય વાત કહીને સીધા જ શ્રી જનક મહારાજા પાસે પહોંચ્યા. અને ત્યાં પણ તે જ વાત જણાવવા જેવી હતી તે જણાવ્યા પછી જ શ્રી નારદજીને શાંતિ થઈ.
શ્રી નારદજીની આ સઘળી જ પ્રવૃત્તિઓ એક સમ્યગ્દષ્ટિ આત્મા માટે દર્શનીય શું હોય, વંદનીય શું હોય, કરણીય શું હોય, અને કથનીય શું હોય એનો સારામાં સારો ખ્યાલ આપે છે. આજે નાટકચેટક આદિનાં દર્શનમાં, અર્થકામની પ્રવૃત્તિઓના જ પ્રચારકોના વંદનમાં, અર્થકામની પ્રવૃત્તિઓને જ કરવામાં અને દેશકથા આદિ પાપકથાઓના કથનમાં પડેલા આત્માઓ માટે શ્રી
8-c05 ''P???
........રામ-લક્ષ્મણને